
નવા ફોજદારી કાયદાઓ પર જાગૃતિ સત્ર: વિદ્યાર્થીઓ અને કેડેટ્સને માહિતીપ્રદ પ્રવચન
વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી, સુરતના NCC અને NSS એકમોએ 13 જૂન, 2025ના રોજ મારફતિયા હોલ ખાતે “નવા ફોજદારી કાયદાઓ” પર જાગૃતિ સત્રનું આયોજન કર્યું હતું. સત્રમાં ડો.સી.એ. ક્રિષ્ના દેસાઈ, (Dr. C.A. Krishna Desai)સહાયક પ્રોફેસર, સંસાધન વ્યક્તિ તરીકે હાજર રહ્યા હતા. સંસાધન વ્યક્તિએ નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા અને જૂના, બિનજરૂરી સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવાની જરૂરિયાત સમજાવી જે ભારતીય લોકો પર શાસન કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેમના કલ્યાણ માટે નહીં. તેણીએ વિદ્યાર્થીઓને જાણ કરી કે IPC, ICPrC અને IEA હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શકહ્યા અધિનિયમ સાથે બદલાઈ ગયા છે.
વધુમાં, તેણીએ જૂના કાયદાઓમાં મુખ્ય ફેરફારો અને ફેરફારો વિશે ચર્ચા કરી. તેણીએ નીચેના સ્વાગત પગલાઓને પ્રકાશિત કર્યા –
- નવા કાયદા લિંગ તટસ્થ છે,
- 33 નવા ગુનાઓનો ઉમેરો,
- નવી સજાનો ઉમેરો – સમુદાય સેવા
- એક પ્રકરણમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની પુનઃરચના
- લઘુમતી વયની પુનઃ વ્યાખ્યાયિત, દસ્તાવેજની વ્યાખ્યાના અવકાશમાં ફેરફાર, તૃતીય લિંગનો સમાવેશ – ટ્રાન્સજેન્ડર સમુદાય
- શૂન્ય FIR
- ઈ-પુરાવા, સમન્સ અને જુબાની
- ઓડિયો વિડિયો રેકોર્ડિંગ શોધ અને જપ્તી
- કોર્ટ કેસો અને ચુકાદાઓની ઘોષણા પૂર્ણ કરવાની સમયમર્યાદા.
કાર્યક્રમનું સંકલન ડો.તન્વી તારપરા અને ડો.અવની શાહે કર્યું હતું. સત્રમાં 100 NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ડૉ. કિષ્ના દેસાઈએ નવા ફોજદારી કાયદાઓની ઊંડાણપૂર્વક ઝાંખી પૂરી પાડી હતી, જેમાં નોંધપાત્ર ફેરફારો અને નાગરિકો પર તેની અસરો પર ભાર મૂક્યો હતો. સત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉપસ્થિતોને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 વિશે શિક્ષિત કરવાનો હતો, જેથી તેઓ નવીનતમ કાનૂની વિકાસ વિશે સારી રીતે માહિતગાર હોય.
સત્રને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ઉપસ્થિતોએ માહિતીપ્રદ સામગ્રીની પ્રશંસા કરી હતી

મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા
BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.
આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ
ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો
Lajpur News: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી(hard sanghvi)એ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે દયાળજી બાગ ખાતે તરંગ મેળાને ખુલ્લો મુકાયોઃ
ખેડૂતો દ્વારા સંચાલિત ૪૦ જેટલા એફપીઓ પાસેથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની તકઃ
Surat News: સુરત શહેર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન ” તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મેળો રવિવાર સુધી ખુલ્લો રહેશે.
તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતા ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ, મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય છે.
આ અવસરે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ, ડેપ્યુટી ડીરેકટર એગ્રિકલચર, DGM નાબાર્ડ,DDM નાબાર્ડ અને વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.

સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના ધો.૧૦ સુધી ભણેલા ચંદનભાઈ રાજ્ય સરકારની ઓછા વ્યાજ દરની લોન સહાય યોજનાથી બન્યા પગભર: રૂ.૫ લાખની લોન મેળવી ખરીદી ઈકો ગાડી
Surat Umarpada Taluka: યુવાધન આગળ વધી સમજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂ.૫ લાખની કિંમતની ઈકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકા વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, મારી માતા સહિત અમે પરિવારમાં ૪ સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ ૯ પાસ કરી શક્યો હતો. ધોરણ ૧૦માં અનુત્તીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિષે જાણકારી આપી હતી. જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર ૪ ટકાના વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા ખેતીકામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું, અને મારા પરિવારનું સરળતાથી ભરણ-પોષણ કરી શકું છું એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદનભાઈ વસાવાની ધો.૧૦માં અનુત્તીર્ણ થયા છતાં કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ
Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના
અમદાવાદ : ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.
આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.
કંપની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.
ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગસાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.
For more information, please visit: https://www.fonebook.in/

સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ
1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું
લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું
માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.
આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,
જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.
લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.
પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.

ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના પ્રયત્નથી દરજી સમાજ નું પ્રથમ દેહદાન
લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખશ્રી તેમજ સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ર્ડો. પ્રફુલભાઇ શિરોયા સાહેબ ની ચક્ષુદાન મહાદાન ની સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવા માં ખુબજ અગત્ય નો ફાળો છે આવોજ કિસ્સો સુરત ના પુણાગામ , ૩૫ કલ્યાણનગર માં રહેતા ને હોમગાર્ડઝ માં માનદસેવા આપતાં તુષારભાઈ સોલંકી ના ધર્મપત્ની સ્વ. જ્યોતીબેન તુષારભાઈ સોલંકી ઉ. વર્ષ.52 નુ ટૂંકી માંદગીઃ બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેને દેહ દાન કરવા નો સંકલ્પ કર્યો હોય જયારે તેમના અવસાન પેલા બે દિવસ અગાવ તેમના શરીર નુ દાન કરવાનું જણાવેલ સ્વર્ગસ્થ ના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતી દ્વારા ડૉક્ટર પ્રફુલભાઇ શિરોયા સાહેબ ને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજ મા દેહદાન અર્પણ કર્યું . દેહદાન જાગૃતિ અંગે ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું હોય સ્વર્ગસ્થ ના પરિવાર માં તેમજ સમસ્ત દરજી સમાજ નુ આ પ્રથમ દેહદાન હોય ઉપરોક્ત દેહદાન સ્વર્ગસ્થ ના પતિ તુષારભાઈ માવજીભાઈ સોલંકી સ્વર્ગસ્થ ના જેઠ નટુભાઈ માવજીભાઈ સોલંકી, તેમના બાળકો ડૉક્ટર દીપાલીબેન સોલંકી, જીગરભાઈ સોલંકી, ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થ ની બોડી નુ દાન આપી આ સમાજ ને ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે

આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂ અંગે મોટો ખુલાસો કર્યો.
ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી Deshi અને વિદેશી Videsi દારૂ પર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.
ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા
એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર સાવા
આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા
જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા
અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.
અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત

રાજકોટ TRP GAME ZONE પ્રકરણમા નવો અધ્યાય:
કન્ઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમા નોંધવામા આવ્યુ છે કે રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP GAME ZONE ના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામા આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે TRP GAME ZONE ની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામા આવેલ હતો.
તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.
ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ
પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શન હેઠળ કોમ્પનસેશન અને પ્યુનિટીવ ડેમેજીસની દાદ મંજૂર કરવા આ ફરિયાદમા રજૂઆત કરાઈ છે.
આ તકે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદના કાર્યને પોતાનુ સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામા આવશે નહી તેવુ જાહેર કરવામા આવેલ છે.
અત્રે એ પણ નોંધનીય બાબત બની રહેશે કે અગાઉ કન્ઝ્યુમર બાર તથા રાજકોટ બાર દ્વારા આરોપીઓ તરફે વકીલ તરીકે ન રોકાવા અનુરોધ કરવામા આવ્યો છે તેનુ પાલન થશે કે નહી.
આ ફરિયાદને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે. આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે.
એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની દ્વારા જાહેર કરવામા આવેલ છે કે TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ મૃતકો પૈકી ગ્રાહકની વ્યાખ્યામા આવતા કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. આ કાર્ય બદલ અને સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે આ પ્રકારની નિષ્ણાંત સેવા પુરી પાડવા બદલ રાજકોટ ગોરવ અનુભવે છે.

સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું
UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો
તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી
પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.
પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.
હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.
ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી
પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું
2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.
કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.
ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.

પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:
Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.
આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.
જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:
Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં ૭ નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.
વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.
પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.
આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.
વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.
પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.

આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.
- અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
- અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
- વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
- શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
- શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.

વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ
Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે

સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ
Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત
Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
Surat Udhana News: ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મૃતક કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો.
જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી
રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.
જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો.
વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં.
માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી
મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી.
માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું.
જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન
News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ ગઝલકાર અને વીર નર્મદ યુનિ.ના ગુજરાતી વિષયના અધ્યાપક(Dr. Amit) ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ શ્વાસ સંશોધનગ્રંથો ગઝલપ્રવેશ રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ અને રાજેશ વ્યાસનું ગઝલકર્મ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય સંશોધન રાષ્ટ્ર સંસ્કૃતિ સમાજ સંસ્કાર પર્યાવરણ બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો
ગુજરાત સરકારના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો તેમજ પોતાના રોજના વ્યવહાર માં રમત ની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્ઝ પ્રીમીયર લીગ બોક્સ ક્રિકેટ નું આયોજન જી બી પટેલ સ્પોર્ટ કોમલેક્સ, પ્રિયંકા સર્કલ પાસે, ભેસ્તાન મા સચીન યુનિટ ના હોમગાર્ડ્ઝ ના સહયોગ થી કરવામાં આવેલા.
સુરત ના રાંદેર યુનિટ, સચીન યુનિટ, એ ઝોન, બી ઝોન, સી ઝોન, સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચે ક્રિકેટ મેચ નું આયોજન કરવા મા આવેલ જેમાં ફાઇનલ મેચ મા સચીન યુનિટ અને એ ઝોન વચ્ચે ખારા ખારી નો જંગ હતો. સચિન ની ટીમ દ્વારા ૧૭૨ રન બનાવ્યા હતા. સરુઆત ની અવરોમાં એ ઝોન ના બેસ્ટમેન સારૂ રમ્યા હતા. પરંતુ સચીન ના બોલરો સામે ટકી સ્ક્યા નહતા.
હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ્લ શિરોયા એ સચિન યુનાટ ની ક્રિકેટ ટીમ ને વિજેતા અને એ ઝોન ની ટીમ ને રનર્સ અપ જાહેર કરી હતી.
ગૃહ મંત્રી શ્રી સંઘવીસાહેબે વિજેતા ટીમ ના અધિકારી થોમસ પઢારે તેમજ કેપ્ટન પ્રવિણ, ટીમ ના સભ્યોને મેડલ અને રનર્સ અપ ટીમ ના અધિકારી દિનેશ પરમાર અને કેપ્ટન ડી પી મિસ્ત્રી તેમજ બેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન યુનિટ ના અરમાન અંસારી અને બેસ્ટ બોલર તરીકે સી ઝોન ના ડી પી મિસ્ત્રી ને અભિનદન અને કપ આપીને સન્માન્યા હતા.

સુરત : ભેસ્તાન વિસ્તારની ઘટના
Surat Bhanodra News: સુરતના એકલારા-ભાણોદ્રા રોડ પર ભેસ્તાન વિસ્તારમાં એક ઘટના ઘટી હતી. અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળ્યું હતુ. આ ડ્રમ પર લાશ હોવાની સંભાવનાથી પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. રાત્રે ડ્રમના કટરથી સિમેન્ટ ભરેલું પણ મળ્યું હતુ અને તેમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવી હતી. પછી લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી-સિમેન્ટ સાથે ભરી દીધું અને તેને ફેંકી દેવાયું હતુ. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ થાય છે.

સુરત વેસુ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈડ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત
Surat Vesu News: રોહિત હાટીલા, ૨૫ વર્ષનું યુવક, સુરતના વેસુ વિસ્તારમાં વરસાદી પાણી કાઢવા જતા કામદાર હતા. બાકી કામદારો પરાંત પાણીનું નિકાલ કરવા માટે સાફ-સફાઈ કરતા હતા. રોહિતે પણ પાણી નિકાળવાની કોશિશ કરી હતી, પરંતુ પડી જતા વિષેને તેને તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. સારવાર મળી, તેની પહેલા જ રોહિતને મૃત્યુ થઈ હતી.

લગ્નેતર સબંધનો કરુણ અંજામ..
ગુજરાતના રુદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો હતો. અઠવા પોલીસે આ વારંવારની ક્રિમિનલ રાજનીતિને ધ્યાનમાં લેતી હોઈ બે આરોપીઓને ધરપકડ કર્યું.
આડાસબંધ રાખનાર દીપેશ અને તેની પત્ની વિશે જાણ થતાં, દીપેશે તેમણે પત્નીના ભાઈ સાથે મળીને પ્રેમની સંબંધો જાહેર કર્યા હતા. આ કારણે મૂઢ મારી હત્યા થઇ હતી.
અઠવા પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ કરી હતી.

સુરતમાં ભાજપ અને રાહુલ ગાંધીનો વિરોધ
Surat News: ભાજપના મોટા સંખ્યામાં કાર્યકર્તાઓનું સંયુક્ત વિરોધ હવે સુરતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગાવટમાં જાહેર થયું છે. રાહુલ ગાંધીને વિરોધમાં લઈને “હાય હાય ના નારા” પણ લાગાવવામાં આવ્યું છે. આ સમયે ભાજપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ પ્રકરણને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે.

અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ડૉકટર ડે ની ઉજવણી…
Surat Varacha News: વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં બાલભવન વિભાગમાં ડૉકટર ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓ વિવિધ વ્યવસાયકારો જેવા કે ડૉકટર પોલીસ વકીલ સૈનિક લુહાર સુથાર મોચી બાબર કુંભાર કડીઓ વેપારી વગેરે આપણા વ્યવસાયક આરોના પહેરવેશમાં આવી એ વ્યવસાયકરોના કાર્યો,ઓજારો એમની સમાજમાં જરૂરિયાત વિશે માહિતી બાળ કલાકારોએ સુંદર રજૂઆત કરી. વિવિધ વ્યવસાયકારોના પાત્રનો સુંદર અભિનય પણ શાળાના બાળ કલાકારો અને શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ બાલભવનના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સારી રીતે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું.

જિલ્લામાં ધોધમાર વરસાદ
સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ
કુંભારીયા ગામમાં ભરાયા પાણી
કુંભારીયા ગામના પાદર ફળિયામાં ભરાયા પાણી
પાદર ફળિયા ના ઘરો પાણીમાં ગરકાવ
પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ
ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
સુરત મહાનગરપાલિકા ની ટીમ સ્થળ પર પહોંચી
જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો
ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો
મહાનગરપાલિકા ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી

સુરતના જૂની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો
જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં, વરસાદ ને પગલે જૂની સિવિલ હોસ્પિટલ ના ચોથા માળે થી પાણી ટપકી રહ્યું. જનરલ વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. હાલાકી વચ્ચે પણ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા. તંત્ર દ્વારા માત્ર કોથળીની બેગ મૂકી સંતોષ માનવામાં આવી રહ્યું.

ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદ: પ્રી-મોનસુન કામગીરી ફેલ
સુરત: ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદથી સપષ્ટ થાય છે કે, પ્રી-મોનસુન કામગીરી પૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.

સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર: ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
Surat News: સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે એક માર્ગદર્શિકા જાહેર કરાય છે. જે અનુસાર જંતુનાશક દવાઓ બાળકોની પહોંચથી દૂર જ રાખવી જોઈએ. શક્ય હોય તો તેને એક રૂમમાં રાખીને તાળું મારી દેવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ. જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઈએ. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.
અને જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ચશ્માં તથા ગમબુટ અવશ્ય પહેરવા જોઈએ. વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાનો છંટકાવ કરતી વખતે સમયે શરીર પર જંતુનાશક દવા ન પડે તેની ખાસ કાળજી રાખવી. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જંતુનાશક દવાને શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, કોઇપણ વસ્તુ ખાતા કે ચાવતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા જોઈએ. જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો.
અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જંતુનાશક દવા વાપરી હોય તેવા ડબ્બાનો સંગ્રહ કરવા કે અન્ય કોઇપણ ઉપયોગ માટે વાપરવા જોઈએ નહીં. દવાના વરાયેલા ખાલી ડબ્બાઓ, બોટલોને તોડીને તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેર્યા હોય તે કપડાંને પાણીથી ખૂબ સારી રીતે ધોવા જોઈએ.
ધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ ઉપયોગ કરવો. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અઘિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામમક(વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે એમ ખેતીવાડી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સુરત: વેસુમાં વરસાદના કારણે રોડ બેસી ગયો
પ્રશ્નચિહ્નવાળા રોડની સ્થિતિ:
- ભારે વરસાદના કારણે: અતિશય વરસાદને કારણે રોડ બેસી ગયો.
- અગાઉના મરામત: અગાઉ પણ પેચ વર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ તે અભાવગ્રસ્ત સાબિત થયું.
ફરી વાર ગાબડા:
- વસ્તુપ્રમાણ: રોડ પર ફરીથી ગાબડા પડ્યા છે, જે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.
- ભ્રષ્ટાચારની ભીતિ: ભ્રષ્ટાચારના ગાબડાં હોવાનું લોકોમાં મંતવ્ય છે.
પ્રતિસાદ:
- સ્થાનિકોનો રોષ: રોડની આ હાલતને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
- મનપાની કામગીરી: આ ઘટના મનપાની પ્રિ-મોન્સૂનની કાર્યક્ષમતાને પ્રશ્નચિહ્ન લગાડે છે.
વિગતવાર માહિતી:
- સ્થાન: વેસુ
- પરિસ્થિતિ: પ્રથમ મરામત પછી ફરી વાર ગાબડા પડ્યા.
ભ્રષ્ટાચારના ગાબડા
ભારે વરસાદે વેસુમાં રોડ બેસી જવાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે, જે પહેલા થયેલા પેચ વર્કની ગુણવત્તાને પ્રશ્નચિહ્ન બનાવે છે.

સુરત : રથયાત્રા પહેલા શહેર SOG ની કાર્યવાહી.
SOG દ્વારા લીંબાયત વિસ્તાર માંથી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસે થી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મુંબઈ માં 1993 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ દરમ્યાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો.
મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવી ne મૂકી રાખી હતી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર ના પિતા મુંબઈ બૉમ્બ લાસ્ટમાં મોત થયું હતું.

સુરત: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન
ઉચ્ચ વ્યાજદરમાં પૈસા આપી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી
લોક દરબારની આયોજક:
- જગ્યા: ભાઠેના વિસ્તારનો કોમ્યુનિટી હોલ
- સુવિધા: સુરત શહેર ઝોન બે
લોક દરબારની વિગતો:
- હેતુ: લોકોની વ્યાજખોરીની સમસ્યાઓ સાંભળવી અને ઉકેલ લાવવો
- મુખ્ય વિષય: ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરબી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરાય છે.
પોલીસની કાર્યવાહીઓ:
- વ્યાજખોરો સામે: ઊંચા ભાવે વ્યાજ આપનાર ઈસમો સામે કડક કાર્યવાહી
- સ્થાન: ઉધના, ડિંડોલી, લીંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર
લોકોની હાજરી:
- મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા
- લોકોની સમસ્યાઓ સાંભળી પોલીસ દ્વારા સમાધાનના પ્રયત્નો
લોન માટેની સમજણ:
- માર્ગદર્શન: લોકોને સમજણ આપી સરકારી બેંકોમાંથી લોન મેળવવામાં મદદ માટે પોલીસના પ્રયત્નો
સુનિશ્ચિતતા
શહેર પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના હિત માટે મહેનત કરી રહી છે.

વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…
Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.

સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર
કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.
સુરતની VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ.
MLA કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખી.
GCAS પોર્ટલ પરથી આપવામાં આવેલા કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થતાં લખ્યો પત્ર.
છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યવ્યાપી કરાઈ રહ્યો છે વિરોધ

ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ સુરતના યુવકોના ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓ પકડાયાં.
Surat Umarpada news: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બી.કે. વનાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, સુરત વિભાગના સુપરવિઝન હેઠળ એ.ડી. સાંબડ, પો.સ.ઈ, ઉમરપાડા પો.સ્ટે. દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન, હકીકત મળી કે મગદુમ નગર વ્યારા ખાતે રહેતો સલમાન ગફ્ફાર કાકર ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ છે. તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી, સલમાન ગફ્ફાર કાકરને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો.
સલમાને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ ગામીતે અફઝલ શેખ સાથે મળીને સુરતથી બે વ્યક્તિઓને લાવવાનું કામ આપ્યું હતું. તેના માટે, પ્રજ્ઞેશભાઈએ પંદર-પંદર હજાર રૂપિયા આપવાની વાત કરી. સલમાન, તેના સંબંધી આસિફ અને મિત્ર વિશાલ રાણા સાથે મળીને ઉમરપાડા પહોચી અને બન્ને વ્યક્તિઓ બિલાલ ચાંદી અને અઝહરૂદિન ઉર્ફે અજ્જુ શેખને બાંધી નાખ્યા.
અફઝલ અને પ્રજ્ઞેશના જણાવ્યા મુજબ, બિલાલ અને અઝહરૂદિનને અફઝલના જુના મકાનમાં બાંધી મૂકીને, આકાજ 90,000 રૂપિયા લીધા.
પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:
- સલમાન ગફ્ફાર કાકર
- સરનામું: ઘર નંબર 707, મગદુમ નગર, વ્યારા, તા. વ્યારા, જી. તાપી.
- આસિફ સલીમભાઈ કાકર
- ઉંમર: 30, સરનામું: મગદુમ નગર, વ્યારા, જી. સુરત.
- વિશાલભાઈ રાજુભાઈ રાણા
- ઉંમર: 32, સરનામું: ગોલવાડ ગામ, ટાંકી ફળીયુ, તા. વ્યારા, જી. તાપી.
અન્ય વિગતો:
- એફઆઈઆર નંબર: xx/yyyy
- તારીખ: DD-MM-YYYY
- કાયદેસરની કામગીરી: આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ
મુખ્ય અધિકારીઓ:
- પોલીસ મહાનિરીક્ષક: પ્રેમવિર સિંગ
- પોલીસ અધિક્ષક: હિતેશકુમાર જોયસર
- વિભાગીય પોલીસ અધિકારી: બી.કે. વનાર
- પો.સ.ઈ: એ.ડી. સાંબડ

સચિન પોલીસ સ્ટેશનના લોકપમાં વિડીયો વાયરલ મામલો
Surat news: સચિન પોલીસે વિડીયો ના આધારે યુવકની કરી અટકાયત એક વર્ષ પહેલા પકડાયેલ સુબોધ ધર્મેન્દ્રભાઇ રમાણી એ વિડીયો બનાવ્યો હતો.
વિડિયો બનાવેલ જે ભુલ સમજાતા માફી માંગેલ અને ભવિષ્ય માં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપવામાં આવેલ સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી.
જ્યારે જેલની બહાર વિડીયો ઉતારનાર ની પણ બાળ કિશોરની અટકાયત કરી.

ડિંડોલી વિસ્તારની બંધ દુકાન માં આગ લાગી
Surat News: સુરતના ડિંડોલી વિસ્તાર માં આવેલડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યાં દુકાન માંવેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજથી દુકાન માં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે અને ત્યાં વેલ્ડીંગ નું કામ ચાલતું જ હતું .
ત્યાં વેલ્ડીંગ દરમ્યાન તણખાના ના કારણે આગ લાગી હતી જ્યાં 3 બંધ દુકાનના શટર ઉડ્યા હતા જ્યાં ગેસ લાઈનની ચેમ્બરમાં વેલ્ડીંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
વેલ્ડીંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો.

ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય.
Surat news: સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા.
એક પંચરની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.
પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું.
પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરએ સાપ રેસ્ક્યુ કર્યું હતું.
ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એક થી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી.
સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.

ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતના ખિલાડીઓ ઝળકિયા.
Surat News: યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્દોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 . સ્ટેટ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા તેમજ તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાત અને તેના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત ના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને 14 ગોલ્ડ મેડલ 15 સિલ્વર મેડલ તેમજ 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા બદલ. સુરત ના કરાટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ સુરતી જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા તેમજ ખજાનચી અમલેશભાઈ બાવરીયા. ખિલાડીઓની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.

સ્વસ્થ જીવનશૈલીની શરૂઆત: વ્હાઇટ લોટસમાં ડૉ. પૂજા અરોરાનું પોષણ માર્ગદર્શન
વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે હંમેશાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં વિશ્વાસ રાખ્યો છે — જ્યાં શૈક્ષણિક સિદ્ધિ સાથે જીવનશૈલી અને આરોગ્ય અંગે જાગૃતિ પણ અત્યંત મહત્વ ધરાવે છે. આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને, 15 જુલાઈ 2025ના રોજ શાળાએ એક અત્યંત ઉપયોગી અને જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કર્યું હતું, જેમાં વિષય હતો: “સ્વસ્થ ખોરાકની આદતો અને દૈનિક આહારમાં ખાંડનો વપરાશ મર્યાદિત કરવાનો મહત્ત્વ.” આ સત્ર માટે ખાસ આમંત્રિત થયેલા મહેમાન હતા જાણીતા પોષણ તજજ્ઞ અને બાળ આરોગ્ય નિષ્ણાત ડૉ. પૂજા અરોરા, જેમણે તેમના સરળ પણ અસરકારક અવલોકનોથી વિદ્યાર્થીઓને આકર્ષ્યા. તેમણે સંતુલિત આહાર વિશે વિદ્યાર્થીઓ ને સમજાવ્યું,જેમાં તાજા ફળો, લીલી શાકભાજી, સંપૂર્ણ અનાજ, પ્રોટીન યુક્ત ખોરાક અને પૂરતું પાણી પીવાનું મહત્વ રજુ કર્યું. તેમણે ખાસ કરીને આ વાત પર ભાર મૂક્યો કે આજના બાળકોના જીવનમાં ખાંડનું વધારે પ્રમાણ કેવો ખતરો ઉભો કરી શકે છે. તેમણે છુપાયેલી ખાંડ વિષે ચર્ચા કરતાં કહ્યું કે પેક કરેલા નાસ્તા, મીઠા પીણાં, સીરિયલ્સ અને ડેસર્ટ જેવા ખોરાકમાં ખાંડ વધારે હોય છે જેને બાળકો અવગણતા હોય છે. તેમણે સમજાવ્યું કે વધારે ખાંડના સેવનથી થાક, ધ્યાનની અછત, જેમ કે માથા નો દુખાવો, મહુમેરો અને હ્રદયરોગ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આ સત્ર ખૂબ જ ક્રિયાશીલ રહ્યું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાનાં આહાર વિશે ચર્ચા કરી અને અનેક ઉપયોગી પ્રશ્નો કર્યા. ડૉ. અરોરાએ સરળ વિકલ્પો સૂચવ્યા જેમ કે શક્કરયુક્ત પીણાંના બદલે નાળિયેર પાણી કે લીમડું પાણી, મીઠાઈની જગ્યાએ ફળો અને બહારના નાસ્તાના બદલે ઘરમાં બનેલા સ્વસ્થ નાસ્તાનો ઉપયોગ. તેમણે બાળકોને પોતાના ઘરમાં પણ આરોગ્ય વિશે જાગૃતિ લાવવાનું આહવાન આપ્યું. સત્રના અંતે શાળાની પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ ડૉ. અરોરાનો દિલથી આભાર માન્યો અને જણાવ્યું કે સાચી શિક્ષા એ છે જેમાં બાળકો જીવન જીવી શકે તેવી સારા સંસ્કાર અને આરોગ્યદાયક આદતો શીખે. તેમણે કહ્યું કે સ્કૂલ શૈક્ષણિક સિદ્ધિ પૂરતી નથી, પરંતુ આપણાં બાળકો જાગૃત, જવાબદાર અને સ્વસ્થ નાગરિક બને તે એકદમ મહત્વપૂર્ણ છે. પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને દ્રષ્ટિઉમટ પ્રશ્નો પૂછ્યા. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ ખોરાક અને ખાંડના ઉપયોગ અંગે ઊંડો વિચાર કર્યો અને સારાં બદલાવ લાવવાનો સંકલ્પ લીધો. આવા સત્રો દ્વારા વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ બાળકોને માત્ર શૈક્ષણિક રીતે નહીં, પણ શારીરિક અને માનસિક રીતે પણ મજબૂત અને સ્વસ્થ નાગરિક બનાવવાની દિશામાં સતત પ્રયત્નશીલ છે

ભવિષ્યને નવી દિશા: વ્હાઇટ લોટસ સ્કૂલના સત્રમાં વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે સ્પષ્ટતા મળી.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ વિદ્યાર્થીઓને કારકિર્દી વિશે સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ આપવાનો મહત્વપૂર્ણ પગલું ભર્યું. તારીખ 12 જુલાઈ 2025ના રોજ શાળાએ વિશેષ કારકિર્દી માર્ગદર્શન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન પ્રખ્યાત કારકિર્દી કાઉન્સેલર શ્રીમતી રચિતા રસીવાસિયા દ્વારા કરવામાં આવ્યું. તેમની અનુભવી અને પ્રેરણાદાયક રીતીએ વિદ્યાર્થીઓ અને માતાપિતાની વચ્ચે ઊંડો પ્રભાવ પેદા કર્યો.
આ સત્ર ધોરણ 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યું હતું, જેમાં સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આજના ઝડપી બદલાતા સમયમાં, જ્યાં પરંપરાગત કારકિર્દી વિકલ્પો સિવાય અનેક નવા ક્ષેત્રો ખૂલી રહ્યા છે, એવા સંજોગોમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવું અત્યંત જરૂરી બની ગયું છે. આ જ હેતુસર શાળાએ એક એવું મંચ આપ્યું, જ્યાં વિદ્યાર્થીઓ તેમના રસ અને ક્ષમતાનુસાર યોગ્ય કારકિર્દી વિકલ્પો શોધી શકે.
શ્રીમતી રચિતા રસીવાસિયાએ વિષય પસંદગી, ઉભરતા કારકિર્દી ક્ષેત્રો અને ભવિષ્ય માટે જરૂરી કુશળતાઓ વિશે વિગતે માહિતી આપી. તેમણે વિદ્યાર્થીઓને પોતાનું રસ અને ક્ષમતાઓ ઓળખી ને તે પ્રમાણે પોતાનું કારકિર્દી નિર્માણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. જીવનની હકીકતો પરથી લીધેલા ઉદાહરણો દ્વારા તેમણે સત્રને રસપ્રદ અને હકીકતને નજીક બનાવ્યું. તેમનો સહભાગીદારીયુક્ત અભિગમ વિદ્યાર્થીઓને ખુલ્લા દિલે પ્રશ્નો પૂછવા, વિચારો શેર કરવા અને પોતાના ભવિષ્ય માટે વિચારી શકાય તેવી વાતાવરણ પૂરું પાડ્યું.
માતાપિતાઓએ પણ આ સત્રમાં સક્રિય સહભાગીતા દર્શાવી અને આ માર્ગદર્શનથી તેમને સ્પષ્ટતા અને શાંતિ મળી હોવાનું જણાવ્યું. ઘણા માતાપિતાએ કહ્યું કે હવે તેઓ પોતાના બાળકોને યોગ્ય અને વિનાદબાણ માર્ગદર્શન આપી શકશે. સત્ર દરમિયાન તે બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો કે આજના યુગમાં માત્ર શૈક્ષણિક પરિણામો પૂરતા નથી, પરંતુ સંપ્રેશન, લાગણશીલ બુદ્ધિ અને અનુકૂલનક્ષમતા જેવી જીવનકુશળતાઓ પણ ખૂબ મહત્વની છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ શ્રીમતી રચિતા રસીવાસિયાનું આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, શાળાનું ધ્યેય માત્ર શૈક્ષણિક ઉત્તમતા પૂરતું નથી, પણ વિદ્યાર્થીઓને ઉદ્દેશસભર અને સંતુલિત ભવિષ્ય માટે તૈયાર કરવું પણ છે. તેમણે કહ્યું કે આવાં સત્રો વિદ્યાર્થીઓને આત્મવિશ્લેષણ માટે પ્રેરણા આપે છે અને પોતાની કારકિર્દી માટે વધુ સચોટ દિશામાં આગળ વધવા માટે મદદરૂપ થાય છે.
વિદ્યાર્થીઓએ પણ તેમની અનુભૂતિ શેર કરી કે આ સત્રથી તેમને નવા વિકલ્પોની જાણકારી, પ્રેરણા અને સ્પષ્ટ દિશા મળી છે. આ માર્ગદર્શન સત્ર માત્ર જાણકારી પૂરતું નહોતું, પણ તેમનું આત્મવિશ્વાસ પણ મજબૂત બનાવનારું સાબિત થયું.

વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી
ગુજરાતની સુપ્રસિદ્ધ લોક ગાયિકા અને પ્લેબેક સિંગર કવિતા દાસનું નવું ગીત “વણઝારા” ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ ગીત ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થનારું પ્રથમ ગુજરાતી ગીત બન્યું છે, જેણે ગુજરાતી સંગીતની સુગંધને વૈશ્વિક ફલક પર પહોંચાડી છે. “વણઝારા” એ ગુજરાતની પરંપરાગત લોક-સંસ્કૃતિ અને આધુનિક EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક)નું અનોખું સંગમ છે, જે સંગીત પ્રેમીઓના દિલમાં ધૂમ મચાવી રહ્યું છે. થોડાક જ સમયમાં આ ગીત ઓનલાઈન સેન્સેશન બની ગયું છે, અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
ઉત્તર ગુજરાતની ભૂમિમાં જન્મેલી કવિતા દાસે પોતાના પિતા ધનુદાસના માર્ગદર્શન હેઠળ સંગીતની દુનિયામાં અથાગ મહેનત કરી છે અને આજે તેઓ અમેરિકામાં સ્થાયી થઈને ગુજરાતી સંગીતનો ડંકો વિશ્વભરમાં વગાડી રહ્યા છે. 1000થી વધુ ગુજરાતી આલ્બમ અને 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પોતાના મધુર કંઠે જાદુ પાથરનાર કવિતાએ “વણઝારા” દ્વારા ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.
“વણઝારા”ની સર્જનાત્મક ટીમ :-
“વણઝારા” એક એવું નજરાણું છે, જેમાં પ્રતિભાઓનું અદભૂત સંગમ જોવા મળે છે. કવિતા દાસના મધુર અવાજને સુપ્રસિદ્ધ સંગીત નિર્દેશક કુશલ ચોક્સીના મધુર સંગીતથી સજાવવામાં આવ્યું છે. મુનાફ લુહારની કલમે લખાયેલા શબ્દો ગીતને ભાવનાત્મક ઊંડાણ આપે છે, જ્યારે સૌરભ ગજ્જર અને આકાશ પટેલની ટીમે દિગ્દર્શન દ્વારા ગીતને દૃશ્યમય રીતે અદભૂત બનાવ્યું છે. વિરાજ. પી દ્વારા પ્રસ્તુત આ ગીત ગુજરાતી સંગીતની ડિજિટલ દુનિયામાં નવો માઈલસ્ટોન સ્થાપી રહ્યું છે.

“વણઝારા” વિશે વાત કરતાં કવિતા દાસ કહે છે, “આ ગીત એક પ્રાચીન લોકગીતનું આધુનિક રૂપ છે, જે આજના શહેરી શ્રોતાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને રચાયું છે. ‘વણઝારા’ એ ગુજરાતી લોક-સંસ્કૃતિ અને આધુનિક સંગીતનો અતૂટ સેતુ છે.” આ ગીત ગુજરાતના સમૃદ્ધ વારસાને આધુનિક રંગમાં રજૂ કરે છે, જે યુવા પેઢી અને પરંપરાગત સંગીતના ચાહકો બંનેને આકર્ષી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ફલક પર ગુજરાતી સંગીત
“વણઝારા”નું ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થવું એ ગુજરાતી સંગીતની વૈશ્વિક પહોંચનું પ્રતીક છે. આ ગીત ન માત્ર ગુજરાતી સંગીતની સમૃદ્ધિને ઉજાગર કરે છે, પરંતુ ગુજરાતી કલાકારોની સર્જનાત્મકતા અને નવીનતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.

આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ.
સુરતના નાગરિકોના હૃદયમાં, સાંઈ મંદિર સંસ્થાન શ્રદ્ધાના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ભોજન ફક્ત જરૂરિયાત નથી – તે પ્રેમ અને સ્વ-ઉત્થાનનો પ્રસાદ છે.
આચાર્ય ડૉ. શ્યામ સુરેશ ના નિઃસ્વાર્થ માર્ગદર્શન થકી, સાઈ મંદિર સંસ્થાન, ગુજરાતના સૌથી પ્રભાવશાળી અન્ન રાહત સેવા કેન્દ્રોમાંનું એક બની ગયું છે, જે આધ્યાત્મિકતાને સુસંગઠિત કરી માનવતાવાદી સેવા સાથે જોડે છે.
2019 માં શરૂ કરાયેલ, મંદિરની મુખ્ય પહેલ – સાંઈ ભંડારા સેવા – દરરોજ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી નોન-સ્ટોપ ગરમ, આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે છે, જે ગુરુવાર અને રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. દર અઠવાડિયે, સંસ્થા ગુરુવાર અને રવિવારે 4,000+, શનિવારે 3,000+ અને અઠવાડિયાના દિવસોમાં 1,000+ થી વધુ ભોજન પીરસે છે – આ સેવા, સાઈ મંદિર સંસ્થાનના બધા મુલાકાતીઓને પ્રેમ પૂર્વક અને જાત પાત, ધર્મ ના ભેદભાવ વગર નિશુલ્ક પૂરું પાડવામાં આવે છે,

આચાર્ય ડૉ. શ્યામ સુરેશા એ જણાવ્યું હતું કે, “સૌથી ધનિક ભક્તો પણ ગરીબ ભક્તો સાથે બેસીને શ્રી સાંઈ બાબાના ભંડારાનો આનંદ માણે છે, ભોજન દિવસમાં ત્રણથી ચાર વખત તૈયાર કરવામાં આવે છે જેથી અમે ગરમ, તાજો અને સાત્વિક અન્ન પ્રસાદ પીરસીએ છીએ. આ ઉપરાંત અમે કાચા માલ અને ચેરિટી કિચનના ઓટોમેટીક મશીનોની સતત અને નિયમિત તપાસ કરીએ છીએ, જેથી અત્યંત હાઈ જેનિક અન્ન સેવા કરી શકીએ.
35 વર્ષથી વધુ સમયથી, આચાર્ય ડૉ. શ્યામ સુરેશ એ શ્રી સાંઈ બાબા પ્રત્યે સંપૂર્ણ ભક્તિભાવથી જીવન જીવ્યા છે, સાઈ બાબાનો સંદેશ અન્ન સેવા એ સૌથી મોટી સેવા છે એ સંદેશ હજારો લોકો સુધી પહોચાડ્યો છે. સાઈ સેવાદાર ટીમ ના સભ્યો ના સહયોગ થી આ સેવા ‘ભુખ્યોના રહે કોઈ’
સફળતા પૂર્વક ચાલી રહી છે.

“મહારાણી” નું ટ્રેલર રિલીઝ – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી
Gujarat – ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી નું બહોળી આતુરતાથી રાહ જોવાતું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલર ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પરેખના જન્મદિન પર રિલીઝ થયું છે. જેને લઈને ફિલ્મપ્રેમીઓએ ડબલ સેલિબ્રેશન કર્યું.
મહારાણી ફિલ્મની કથા રાણી (શ્રદ્ધા ડાંગર) આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘર ના માલિક – માનસી પરેખ અને ઓજસ રાવલ ના જીવન ની વાર્તા છે. રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં કયારેક હાસ્યનો વિષય બને છે તો કયારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે.
ફિલ્મ વિશે વાત કરતાં, અભિષેક પાઠક, પ્રોડ્યૂસર અને એમ.ડી., પેનારોમા સ્ટુડિયોઝે કહે છે કે, “પેનારોમા સ્ટુડિયોઝમાં અમે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકો સુધી એવી કહાનીઓ લાવીએ જે પ્રત્યેક સામાન્ય ભારતીય સાથે સંકળાયેલી હોય. અમને આનંદ અને ગર્વ છે કે અમે એવી ફિલ્મોને સહારો આપી રહ્યા છીએ જે સામાન્ય ક્ષણોમાંથી હાસ્ય અને લાગણી શોધી કાઢે છે. ‘મહારાણી’ લાગણીસભર છે, મનોરંજક છે અને ખાસ તો એ, કે રીયલ છે. એક શાનદાર કાસ્ટ અને દરેક ઘરનું પ્રતિબિંબ એવી કહાની સાથે, અમે દેશભરના દર્શકો માટે આ દિલથી હસાવતી કોમેડી પ્રસ્તુત કરવા ઉત્સુક છીએ.”
કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પરેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે. ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનું સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય, ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજક કહાની આગળ વધે છે.
ફિલ્મના ડિરેક્ટર, વિરલ શાહ, વ્યક્ત કરે છે કે, “‘મહારાણી’ એવા સંબંધો નો ઉત્સવ છે જેના વિશે ખૂબ ઓછી વાત થાય છે – જે રસોડામાં, લિવિંગ રૂમ માં અને સામાન્ય ચા ના કપ સાથેના મૌન માં છાની રીતે ઘણું કહી જાય છે. આ ફિલ્મ એ ખૂબ જ હળવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ કહાની કહે છે. જાણે સૌના જીવનનો એક ટુકડો લઈ લખી હોય તેવી આ કોમેડી ફિલ્મ ઘરની માલકીન અને ઘરની કામવાળી વચ્ચેના અનોખા બંધન વિશે ઘણું કહી જાય છે. આ કહાની છે ભાન કરાવે છે કે જે આઝાદી અને સગવડ આપણે અનુભવીએ છીએ તેની પાછળ આપણા જીવનના અમુક મજબૂત પાયા સ્વરૂપ લોકોનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. એક એવી નરમ અને લાગણીસભર કહાની.. જે કહેવી જરૂરી છે.”
ફિલ્મ વિશે માનસી પારેખ કહે છે, “આ ફિલ્મ પર કામ કરતાં મને સમજાયું કે ખરેખર આપણા ઘરની કામવાળી સાથે નો આપણો સંબંધ અતુલ્ય અને બેજોડ છે. ‘મહારાણી’ સ્ત્રી મિત્રતા, આત્મમુલ્ય અને આત્મપ્રેમને પણ મોટા પરિપ્રેક્ષ્યમાં સ્પર્શે છે. આ એક એવી કહાની છે જે સામાન્ય જીવન પર બનેલી એક અદભુત વાત કહી જાય છે. અનેક પ્રતિભાશાળી કલાકારો અને વિરલ જેવા ડિરેક્ટર સાથે કામ કરવું સ્વપ્ન સમાન અનુભવ રહ્યો. મારુ પાત્ર, માનસી, કોઈ પણ સ્વતંત્ર વર્કિંગ વુમન જેવું જ છે – જીવન રોજ નવા ચેલેન્જીસ લાવે છે અને તે પોતાની રીતે તેનું ઉત્તમ રીતે સામનો કરે છે. શ્રદ્ધા સાથે કામ કરવામાં ખૂબ મજા પડી અને જેમ જેમ અમે આ જર્ની માં આગળ વધ્યા તેમ તેમ અમારી વચ્ચે એક ગહન મિત્રતા વિકસી છે જે સ્ક્રીન પર અવશ્ય દેખાશે. હું આતુર છું કે દર્શકો આ ફિલ્મ જોવે અને થિયેટરમાંથી કંઈક મૂલ્યવાન શીખ લઈને નીકળે.”
ફિલ્મ વિશે શ્રદ્ધા ડાંગર કહે છે, “‘મહારાણી’ એક સાધારણ જીવન પર અસાધારણ રીતે લખાયેલી કહાની છે, જે અનેક સ્તરે વ્યક્તિગત રીતે મને જોડે છે. રાણીનું પાત્ર શક્તિ અને આત્મજ્ઞાન દર્શાવે છે. ફિલ્મનો મુખ્ય તત્વ કોમેડી છે અને હું આનો એક ભાગ બની શકી તેનો મને ખૂબ આનંદ છે. માનસી સાથે કામ કરવાનો અનુભવ અદભુત રહ્યો. અમે સાથે મળીને ક્રિએટિવ પ્રોસેસ શેર કરી અને એક એવી મિત્રતા બંધાઈ ગઈ છે જે સ્ક્રીન પર તેમજ સ્ક્રીન બહાર લોકોને જરૂર દેખાશે. ‘મહારાણી’ એક અનોખી ફિલ્મ છે અને મને આશા છે કે દર્શકો આ ફિલ્મનો પુરેપુરો આનંદ લેશે.”
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’ નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવા મા આવેલ છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો પ્રોડ્યૂસર્સ છે – મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા .
ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહએ દિગ્દર્શન આપ્યું છે, જ્યારે કહાની રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે. મહારાણી એ એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેની ઘરકામ માટેની કામવાળી વચ્ચેના સૂક્ષ્મ પણ ખાસ સંબંધને હળવા હાસ્ય અને ડ્રામા સાથે રજૂ કરે છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે.
કામેડી, ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે.

રાજહંસ સિનેમાએ દિવ્યાંગ બાળકો માટે “સિતારે જમીન પર” ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન કર્યું
રાજહંસ સિનેમા-ગ્રુપની આ પહેલના સૌ કોઈએ ખૂબ જ વખાણ કર્યા હતા અને સમાજમાં સહિયારા પ્રયાસ વડે ખુશી અને આશાનું અજવાળું ફેલાવવાના તેમના આયોજને દિવ્યાંગ બાળકો સહિત બધા ફેન્સના દિલ જીતી લીધા હતા
સુરત : રાજહંસ સિનેમાએ શહેરના દિવ્યાંગ બાળકો માટે “સિતારે જમીન પર” ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ આયોજીત કરીને માનવતા અને કરુણાનો હૃદયસ્પર્શી ઉમદા સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમ રાજહંસ સિનેમા, વેસુ અને રાજહંસ સિનેમા, કતારગામ, સુરત ખાતે યોજાયો હતો. આ યાદગાર અનુભવનો ભાગ બનવા માટે આનંદ સ્પેશિયલ સ્કૂલ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ અને દીપ સ્પેશિયલ એજ્યુકેશનલ ટ્રસ્ટના બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજહંસ સિનેમા-ગ્રુપ, સમાજના દરેક તબક્કાના લોકોની સહભાગીતા અને મનોરંજન સ્ક્રીનની આગળ વધીને આનંદ-ઉલ્લાસ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. તેના ભાગરૂપે યોજાયેલી, આ પહેલ બધાને સામેલ કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવા અને તમામ લોકો માટે અર્થપૂર્ણ, આનંદદાયક અનુભવો બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
અહીં કાર્યક્રમ દરમિયાન, હાસ્ય અને પ્રેરણાથી ભરેલા વાતાવરણ સાથે, ખરેખર બાળકોએ સિનેમાના જાદુનો અદ્ભુત અને યાદગાર અનુભવ કર્યો હતો. ઓડિટોરિયમ ખાસ કરીને તેમના આરામ અને સરળતા માટે ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સ્વયંસેવકો અને સ્ટાફના સભ્યોએ દરેક બાળકના સ્વાગત અને દેખરેખની પૂરી કાળજી લીધી હતી.
આ પ્રસંગે, રાજહંસ સિનેમાના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે, સિનેમામાં એકજૂટ કરવાની, વ્યક્તિને દુખ-દર્દમાથી બહાર લાવવાની અને પ્રેરણા આપવાની શક્તિ છે. આ સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન, એ વાસ્તવમાં સહિયારા અનુભવો બનાવવા તરફ એક નાનું પગલું છે, જે દરેક હૃદયમાં સ્મિત અને આનંદ લાવે છે.”
ફિલ્મના સ્ક્રીનીંગમાં બાળકો સાથે આવેલા માતા-પિતા, શિક્ષકો અને તેમની સંભાળ રાખનાર વ્યક્તિઓ દ્વારા આ પહેલની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. અનેક લોકોએ સિનેમાને બધા માટે સુલભ બનાવવા માટે કરવામાં આવેલા આ વિચારશીલ ઉમદા પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ખાસ સ્ક્રીનિંગના આયોજન સાથે, રાજહંસ સિનેમાએ ફરી એકવાર માત્ર એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે જ નહીં, પરંતુ સહાનુભૂતિ, સર્વગ્રાહી અને સામાજિક જવાબદારી માટે જાણીતી બ્રાન્ડ તરીકે તેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

પ્રોગ્રેસ એલાયાન્સ દ્વારા સફલ કાર્યક્રમ હેઠળ 350 કંપનીઓના ૫000 હજારથી વધુ કર્મચારીઓનું સન્માન
સુરતમાં એક સાથે ત્રણ જગ્યા સહિત અમદાવાદ, વડોદરા, ભાવનગર અને અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
સુરત. કોઈ પણ કંપનીની સફળતા પાછળ તે કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું મોટી યોગદાન હોય છે. ત્યારે કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળે અને તેઓને કંપની એક પરિવાર છે અને માલિકોથી માંડીને તમામ કર્મચારીઓ એ પરિવારના સભ્યો છે તેવી અનુભૂતિ થાય તે માટે પ્રોગ્રેસ એલાયાન્સ સંસ્થા દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા સફલ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવાં અનોખા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 5 અને 6 જુલાઈના રોજ યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત 350 થી વધુ કંપનીઓના 5000 થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગે પ્રોગ્રેસ એલાયાન્સના પર્વક્તા એ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયાન્સ હંમેશા તેના મેમ્બરોને વ્યાપાર ઉદ્યોગમાં આગળ વધવા માર્ગદર્શન અને પૂરતો સપોર્ટ તો આપે જ છે પરંતુ સભ્યોમાં પરિવારની ભાવના પણ પ્રબળ બને તે માટે પણ વિવિધ આયોજન કરતું રહે છે.

જે અંતર્ગત જ પ્રોગ્રેસ એલાયાન્સ સાથે જોડાયેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ પ્રોત્સાહિત થાય એવા ઉદ્દેશ્ય સાથે પ્રોગ્રેસ એલાયાન્સ દ્વારા સુરતના સીરવી સમાજની વાડી, વેસુ વિજયા લક્ષ્મી હોલ અને સિટીલાઈટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે સફલ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવાં 5 અને 6 જુલાઈના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સાથે જ અંકલેશ્વર, અમદાવાદ, વડોદરા અને ભાવનગર ખાતે પણ આજ સમયે કાર્યક્રમો આયોજિત કરાયા હતા. સુરત ખાતે ત્રણેય જગાએ અને બહારના સિટી મળી 350 થી વધુ કંપનીઓમાં કામ કરતા 5000 થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓનું સન્માન થતા તેઓ અને તેઓના પરિવારજનો પણ ભાવવિભોર થઈ ગયા હતા અને આ પ્રકારના આયોજન માટે પ્રોગ્રેસ એલાયાન્સનો આભાર માણ્યો હતો.

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
સુરત: જાણીતા ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ આઈઆઈએફડીનું વાર્ષિક ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન એક્ઝિબિશન “અરાસા” અને “ગાબા”નું આયોજન 5 અને 6 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો પ્રારંભ શનિવારથી વેસુ ખાતે રીગા સ્ટ્રીટના શાંતમ હોલમાં થયો છે.
આઈઆઈએફડી સુરતના સ્થાપક નિદેશક મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, 2014થી ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઈન (IIFD), સુરત, ગુજરાતમાં ડિઝાઈન શિક્ષણનું એક મજબૂત આધારસ્તંભ બની ગયું છે. IIFD સુરતે ફેશન ડિઝાઈન, ઈન્ટિરિયર ડિઝાઈન, ગ્રાફિક ડિઝાઈન અને ઈવેન્ટ મેનેજમેન્ટમાં ઉભરતા પ્રોફેશનલ્સને સતત પ્રોત્સાહન આપ્યું છે.
આ સંસ્થાના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી છેલ્લા 11 વર્ષથી આઈઆઈએફડી દ્વારા વાર્ષિક ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન એક્ઝિબિશન “અરાસા” અને “ગાબા”નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 5 અને 6 જુલાઈના રોજ આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.શનિવારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ, લક્ષ્મીહરિ ગ્રૂપના માલિક વિનોદ અગ્રવાલ અને આઈઆઈએફડીના સહ-નિદેશક પલ્લવી મહેશ્વરીની ઉપસ્થિતિમાં એક્ઝિબિશનનો શુભારંભ થયો હતો.આ વર્ષે આઈઆઈએફડીના પ્રખ્યાત ઈન્ટિરિયર પ્રદર્શન “અરાસા”માં 75 વિદ્યાર્થીઓ દ્વારા સ્વ-ડિઝાઈન અને નિર્મિત ઘર, કોમર્શિયલ અને આઉટડોર સજાવટની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં જ્યામિતીય આર્કિટેક્ચર સાથે રણની આધુનિકતા, વાઈબ્રન્ટ મેક્સિકન ઉત્સવથી પ્રેરિત ફર્નિચર, બાંધણીની પરંપરાગત હસ્તકલાને આધુનિક ડિઝાઈનમાં ઢાળવામાં આવી છે.

કાળા અને હળવા રંગનું ફર્નિચર, જાપાની ઝેન ઈન્ટિરિયર ડિઝાઈન જે સાદગી અને પ્રકૃતિથી પ્રેરિત છે, વેવહાઉસ જે પ્રાકૃતિક પ્રવાહ અને શુદ્ધ રચનાઓનું મિશ્રણ છે, મૂર્તિમય ફર્નિચર, ડિટેચેબલ અને બહુ-કાર્યાત્મક ડિઝાઈનવાળું આધુનિક ફર્નિચર સામેલ છે.ઈન્ટિરિયર પ્રદર્શનની સાથે-સાથે, “ગાબા” નામનું ફેશન એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 175 ડિઝાઈનર વિદ્યાર્થીઓએ તેમના કલેક્શન પ્રદર્શિત કર્યા છે. આ પશ્ચિમી અને ઈન્ડો-વેસ્ટર્ન પરિધાનો પર આધારિત છે, જે આગામી ફેશન ટ્રેન્ડ્સ અને સ્ટાઈલ્સને પ્રતિબિંબિત કરે છે.

એક્ઝિબિશનનું આયોજન ચોથા માળે, રીગા સ્ટ્રીટ, રાજહંસ ઝાયનની સામે, જી. ડી. ગોયન્કા રોડ, વેસુ, IIFD, સુરત ખાતે કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન 5 અને 6 જુલાઈ 2025ના રોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે. આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે અહીં પ્રદર્શન જોવાની સાથે ખરીદી પણ કરી શકાશે.

અંતરરાષ્ટ્રીય આયુર્વેદિક આરોગ્ય સેવા – વડોદરામાં 13 જુલાઈએ યોજાશે નિઃશુલ્ક આયુર્વેદિક સારવાર કેમ્પ
પેટના રોગોથી પીડિત દર્દીઓ માટે નિષ્ણાતોની ટીમ આપશે માર્ગદર્શન અને દવાઓ
વડોદરા/નવી દિલ્હી: પેટના ગંભીર અને લાંબા સમયથી ચાલી રહેલા રોગોથી પીડિત દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ આરોગ્ય સેવા તરીકે નિઃશુલ્ક આયુર્વેદિક કેમ્પ 13 જુલાઈ 2025ના રોજ વડોદરામાં યોજવામાં આવી રહ્યો છે. આ કેમ્પ Satva Ayurveda Hospital, A-1, વાગેશ્વરી સોસાયટી, ભારત પેટ્રોલ પંપ અને બાપોદ ગાર્ડન નજીક, વાઘોડિયા-અજવા રિંગ રોડ, વડોદરા ખાતે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે.
કેનાડાવાસી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ આયુર્વેદાચાર્ય ડૉ. હરિષકુમાર વર્મા, અધ્યક્ષ – કેનેડિયન કોલેજ ઑફ આયુર્વેદા એન્ડ યોગ, આ કેમ્પ દરમિયાન Zoom મારફતે વિશેષ પરામર્શ આપશે. તેમના માર્ગદર્શન હેઠળ પ્રો. ડૉ. નિશાંત શુક્લા, પ્રો. ડૉ. ઓમ પ્રકાશ દવે તથા ડૉ. રાકેશ પ્રજાપતિ સહિત નિષ્ણાત ડૉક્ટરોની ટીમ દર્દીઓનું નિદાન અને સારવાર કરશે.
ડૉ. વર્માએ જણાવ્યું હતું કે આ કેમ્પમાં અલ્સરેટિવ કોલાઇટિસ, ફૅટી લિવર, લિવર सिरોસિસ, ગૅસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર, સિલિએક રોગ, ઇરિટેબલ બાવલ સિન્ડ્રોમ (IBS), જૂની કબજિયાત જેવી પાચન સંબંધી જટિલ બીમારીઓનું આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.
કેમ્પમાં હાજરી આપનારા દર્દીઓને નિઃશુલ્ક આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવશે, તેમજ વ્યક્તિગત આહાર યોજના, દૈનિક રૂટીન અને વ્યાયામ અંગે સલાહ પણ આપવામાં આવશે જેથી તેઓ લાંબા ગાળે લાભ લઈ શકે.
ડૉ. વર્માએ સ્પષ્ટ કર્યું કે કેમ્પમાં ભાગ લેવા માટે પૂર્વ નોંધણી અનિવાર્ય છે. રસ ધરાવતા દર્દીઓ હેલ્પલાઇન નંબર +91 98982 44155 પર સંપર્ક કરીને પોતાનું નામ નોંધાવી શકે છે.
આ કેમ્પ પાચન રોગોથી પીડિત લોકો માટે એક કુદરતી, વૈજ્ઞાનિક અને સલામત આયુર્વેદિક ઉપચાર પૂરો પાડવા દિશામાં એક પ્રશંસનીય પહેલ છે, જેના દ્વારા દર્દીઓને દૂષ્પ્રભાવ વિના આરોગ્યલાભ પ્રાપ્ત થઈ શકશે.

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
સુરત. સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન (ઇવી) રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે.
આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મિશન લાઇફ’થી પ્રેરિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું છે. આ રાઇડ દ્વારા યુવાનો લોકોમાં ઇવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, જેથી વધુને વધુ લોકો ફોસિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી ટકાઉ વિકલ્પો અપનાવે.

આ ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. રાઇડ દરમિયાન ગરીબી નાબૂદી, ઝીરો હંગર, આરોગ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યોને પ્રોત્સાહન આપશે, જેમાં સ્વચ્છતા અભિયાનો, શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે.
આ રાઇડમાં સામેલ યુવાનોમાં હેનિલ નિર્બાન, યશ ચોપડા, સાંઇનાથ ભાસ્કરન, યોગિતા નિર્બાન અને વરદ નિર્બાનનો સમાવેશ થાય છે. આ ટીમના જુસ્સા અને સમર્પણથી આ રાઇડ માત્ર પર્યાવરણ જાગૃતિ જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તનનું પણ માધ્યમ બનશે. હેનિલ નિર્બાને આ તબક્કે કહ્યું હતું કે “હું વર્ષોથી વૃક્ષારોપણ કરતો રહ્યો છું અને મને લાગતું હતું કે એજ મારી જવાબદારી છે. પરંતુ પિતૃત્વના દિવસે મને સમજાયું કે માત્ર ઝાડ વાવવું પૂરતું નથી પણ દુનિયાને જીવવાની રીત બદલવાની જરૂર છે. ટકાઉપણું એ ફક્ત પૃથ્વી માટે નથી પણ ભવિષ્યની પેઢી માટે આપણું વારસો છે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે. એટલે કે આ યાત્રા ફક્ત આજ માટે નહીં પણ આવતીકાલ માટે છે.

આ ભવ્ય આયોજનને એસ આર કે ગ્રૂપ, ગોલ્ડી સોલર, લુથરા ગ્રૂપ, લેન્ડમાર્ક ગ્રૂપ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સનો સહયોગ મળ્યો છે. આ સંસ્થાઓના સમર્થનથી આ રાઇડની સફળતા માટેનો મજબૂત પાયો તૈયાર થયો છે.આ રાઇડ ન માત્ર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે, પરંતુ ભારતના યુવાનોની નવીન ઉર્જા અને સામાજિક જવાબદારીનું પ્રતીક પણ બનશે. આ યાત્રા દેશભરમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને ઉજાગર કરશે, અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કરશે.