
નવા ફોજદારી કાયદાઓ પર જાગૃતિ સત્ર: વિદ્યાર્થીઓ અને કેડેટ્સને માહિતીપ્રદ પ્રવચન
વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી, સુરતના NCC અને NSS એકમોએ 13 જૂન, 2025ના રોજ મારફતિયા હોલ ખાતે “નવા ફોજદારી કાયદાઓ” પર જાગૃતિ સત્રનું આયોજન કર્યું હતું. સત્રમાં ડો.સી.એ. ક્રિષ્ના દેસાઈ, (Dr. C.A. Krishna Desai)સહાયક પ્રોફેસર, સંસાધન વ્યક્તિ તરીકે હાજર રહ્યા હતા. સંસાધન વ્યક્તિએ નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા અને જૂના, બિનજરૂરી સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવાની જરૂરિયાત સમજાવી જે ભારતીય લોકો પર શાસન કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેમના કલ્યાણ માટે નહીં. તેણીએ વિદ્યાર્થીઓને જાણ કરી કે IPC, ICPrC અને IEA હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શકહ્યા અધિનિયમ સાથે બદલાઈ ગયા છે.
વધુમાં, તેણીએ જૂના કાયદાઓમાં મુખ્ય ફેરફારો અને ફેરફારો વિશે ચર્ચા કરી. તેણીએ નીચેના સ્વાગત પગલાઓને પ્રકાશિત કર્યા –
- નવા કાયદા લિંગ તટસ્થ છે,
- 33 નવા ગુનાઓનો ઉમેરો,
- નવી સજાનો ઉમેરો – સમુદાય સેવા
- એક પ્રકરણમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની પુનઃરચના
- લઘુમતી વયની પુનઃ વ્યાખ્યાયિત, દસ્તાવેજની વ્યાખ્યાના અવકાશમાં ફેરફાર, તૃતીય લિંગનો સમાવેશ – ટ્રાન્સજેન્ડર સમુદાય
- શૂન્ય FIR
- ઈ-પુરાવા, સમન્સ અને જુબાની
- ઓડિયો વિડિયો રેકોર્ડિંગ શોધ અને જપ્તી
- કોર્ટ કેસો અને ચુકાદાઓની ઘોષણા પૂર્ણ કરવાની સમયમર્યાદા.
કાર્યક્રમનું સંકલન ડો.તન્વી તારપરા અને ડો.અવની શાહે કર્યું હતું. સત્રમાં 100 NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ડૉ. કિષ્ના દેસાઈએ નવા ફોજદારી કાયદાઓની ઊંડાણપૂર્વક ઝાંખી પૂરી પાડી હતી, જેમાં નોંધપાત્ર ફેરફારો અને નાગરિકો પર તેની અસરો પર ભાર મૂક્યો હતો. સત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉપસ્થિતોને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 વિશે શિક્ષિત કરવાનો હતો, જેથી તેઓ નવીનતમ કાનૂની વિકાસ વિશે સારી રીતે માહિતગાર હોય.
સત્રને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ઉપસ્થિતોએ માહિતીપ્રદ સામગ્રીની પ્રશંસા કરી હતી

મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા
BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.
આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ
ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો
Lajpur News: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી(hard sanghvi)એ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે દયાળજી બાગ ખાતે તરંગ મેળાને ખુલ્લો મુકાયોઃ
ખેડૂતો દ્વારા સંચાલિત ૪૦ જેટલા એફપીઓ પાસેથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની તકઃ
Surat News: સુરત શહેર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન ” તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મેળો રવિવાર સુધી ખુલ્લો રહેશે.
તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતા ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ, મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય છે.
આ અવસરે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ, ડેપ્યુટી ડીરેકટર એગ્રિકલચર, DGM નાબાર્ડ,DDM નાબાર્ડ અને વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.

સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના ધો.૧૦ સુધી ભણેલા ચંદનભાઈ રાજ્ય સરકારની ઓછા વ્યાજ દરની લોન સહાય યોજનાથી બન્યા પગભર: રૂ.૫ લાખની લોન મેળવી ખરીદી ઈકો ગાડી
Surat Umarpada Taluka: યુવાધન આગળ વધી સમજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂ.૫ લાખની કિંમતની ઈકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકા વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, મારી માતા સહિત અમે પરિવારમાં ૪ સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ ૯ પાસ કરી શક્યો હતો. ધોરણ ૧૦માં અનુત્તીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિષે જાણકારી આપી હતી. જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર ૪ ટકાના વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા ખેતીકામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું, અને મારા પરિવારનું સરળતાથી ભરણ-પોષણ કરી શકું છું એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદનભાઈ વસાવાની ધો.૧૦માં અનુત્તીર્ણ થયા છતાં કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ
Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના
અમદાવાદ : ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.
આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.
કંપની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.
ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગસાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.
For more information, please visit: https://www.fonebook.in/

સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ
1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું
લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું
માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.
આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,
જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.
લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.
પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.

ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના પ્રયત્નથી દરજી સમાજ નું પ્રથમ દેહદાન
લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખશ્રી તેમજ સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ર્ડો. પ્રફુલભાઇ શિરોયા સાહેબ ની ચક્ષુદાન મહાદાન ની સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવા માં ખુબજ અગત્ય નો ફાળો છે આવોજ કિસ્સો સુરત ના પુણાગામ , ૩૫ કલ્યાણનગર માં રહેતા ને હોમગાર્ડઝ માં માનદસેવા આપતાં તુષારભાઈ સોલંકી ના ધર્મપત્ની સ્વ. જ્યોતીબેન તુષારભાઈ સોલંકી ઉ. વર્ષ.52 નુ ટૂંકી માંદગીઃ બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેને દેહ દાન કરવા નો સંકલ્પ કર્યો હોય જયારે તેમના અવસાન પેલા બે દિવસ અગાવ તેમના શરીર નુ દાન કરવાનું જણાવેલ સ્વર્ગસ્થ ના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતી દ્વારા ડૉક્ટર પ્રફુલભાઇ શિરોયા સાહેબ ને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજ મા દેહદાન અર્પણ કર્યું . દેહદાન જાગૃતિ અંગે ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું હોય સ્વર્ગસ્થ ના પરિવાર માં તેમજ સમસ્ત દરજી સમાજ નુ આ પ્રથમ દેહદાન હોય ઉપરોક્ત દેહદાન સ્વર્ગસ્થ ના પતિ તુષારભાઈ માવજીભાઈ સોલંકી સ્વર્ગસ્થ ના જેઠ નટુભાઈ માવજીભાઈ સોલંકી, તેમના બાળકો ડૉક્ટર દીપાલીબેન સોલંકી, જીગરભાઈ સોલંકી, ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થ ની બોડી નુ દાન આપી આ સમાજ ને ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે

આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂ અંગે મોટો ખુલાસો કર્યો.
ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી Deshi અને વિદેશી Videsi દારૂ પર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.
ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા
એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર સાવા
આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા
જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા
અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.
અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત

રાજકોટ TRP GAME ZONE પ્રકરણમા નવો અધ્યાય:
કન્ઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમા નોંધવામા આવ્યુ છે કે રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP GAME ZONE ના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામા આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે TRP GAME ZONE ની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામા આવેલ હતો.
તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.
ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ
પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શન હેઠળ કોમ્પનસેશન અને પ્યુનિટીવ ડેમેજીસની દાદ મંજૂર કરવા આ ફરિયાદમા રજૂઆત કરાઈ છે.
આ તકે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદના કાર્યને પોતાનુ સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામા આવશે નહી તેવુ જાહેર કરવામા આવેલ છે.
અત્રે એ પણ નોંધનીય બાબત બની રહેશે કે અગાઉ કન્ઝ્યુમર બાર તથા રાજકોટ બાર દ્વારા આરોપીઓ તરફે વકીલ તરીકે ન રોકાવા અનુરોધ કરવામા આવ્યો છે તેનુ પાલન થશે કે નહી.
આ ફરિયાદને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે. આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે.
એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની દ્વારા જાહેર કરવામા આવેલ છે કે TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ મૃતકો પૈકી ગ્રાહકની વ્યાખ્યામા આવતા કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. આ કાર્ય બદલ અને સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે આ પ્રકારની નિષ્ણાંત સેવા પુરી પાડવા બદલ રાજકોટ ગોરવ અનુભવે છે.

સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું
UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો
તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી
પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.
પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.
હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.
ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી
પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું
2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.
કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.
ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.

પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:
Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.
આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.
જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:
Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં ૭ નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.
વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.
પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.
આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.
વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.
પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.

આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.
- અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
- અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
- વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
- શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
- શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.

વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ
Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે

સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ
Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત
Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
Surat Udhana News: ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મૃતક કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો.
જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી
રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.
જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો.
વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં.
માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી
મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી.
માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું.
જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન
News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ ગઝલકાર અને વીર નર્મદ યુનિ.ના ગુજરાતી વિષયના અધ્યાપક(Dr. Amit) ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ શ્વાસ સંશોધનગ્રંથો ગઝલપ્રવેશ રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ અને રાજેશ વ્યાસનું ગઝલકર્મ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય સંશોધન રાષ્ટ્ર સંસ્કૃતિ સમાજ સંસ્કાર પર્યાવરણ બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો
ગુજરાત સરકારના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો તેમજ પોતાના રોજના વ્યવહાર માં રમત ની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્ઝ પ્રીમીયર લીગ બોક્સ ક્રિકેટ નું આયોજન જી બી પટેલ સ્પોર્ટ કોમલેક્સ, પ્રિયંકા સર્કલ પાસે, ભેસ્તાન મા સચીન યુનિટ ના હોમગાર્ડ્ઝ ના સહયોગ થી કરવામાં આવેલા.
સુરત ના રાંદેર યુનિટ, સચીન યુનિટ, એ ઝોન, બી ઝોન, સી ઝોન, સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચે ક્રિકેટ મેચ નું આયોજન કરવા મા આવેલ જેમાં ફાઇનલ મેચ મા સચીન યુનિટ અને એ ઝોન વચ્ચે ખારા ખારી નો જંગ હતો. સચિન ની ટીમ દ્વારા ૧૭૨ રન બનાવ્યા હતા. સરુઆત ની અવરોમાં એ ઝોન ના બેસ્ટમેન સારૂ રમ્યા હતા. પરંતુ સચીન ના બોલરો સામે ટકી સ્ક્યા નહતા.
હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ્લ શિરોયા એ સચિન યુનાટ ની ક્રિકેટ ટીમ ને વિજેતા અને એ ઝોન ની ટીમ ને રનર્સ અપ જાહેર કરી હતી.
ગૃહ મંત્રી શ્રી સંઘવીસાહેબે વિજેતા ટીમ ના અધિકારી થોમસ પઢારે તેમજ કેપ્ટન પ્રવિણ, ટીમ ના સભ્યોને મેડલ અને રનર્સ અપ ટીમ ના અધિકારી દિનેશ પરમાર અને કેપ્ટન ડી પી મિસ્ત્રી તેમજ બેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન યુનિટ ના અરમાન અંસારી અને બેસ્ટ બોલર તરીકે સી ઝોન ના ડી પી મિસ્ત્રી ને અભિનદન અને કપ આપીને સન્માન્યા હતા.

સુરત : ભેસ્તાન વિસ્તારની ઘટના
Surat Bhanodra News: સુરતના એકલારા-ભાણોદ્રા રોડ પર ભેસ્તાન વિસ્તારમાં એક ઘટના ઘટી હતી. અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળ્યું હતુ. આ ડ્રમ પર લાશ હોવાની સંભાવનાથી પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. રાત્રે ડ્રમના કટરથી સિમેન્ટ ભરેલું પણ મળ્યું હતુ અને તેમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવી હતી. પછી લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી-સિમેન્ટ સાથે ભરી દીધું અને તેને ફેંકી દેવાયું હતુ. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ થાય છે.

સુરત વેસુ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈડ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત
Surat Vesu News: રોહિત હાટીલા, ૨૫ વર્ષનું યુવક, સુરતના વેસુ વિસ્તારમાં વરસાદી પાણી કાઢવા જતા કામદાર હતા. બાકી કામદારો પરાંત પાણીનું નિકાલ કરવા માટે સાફ-સફાઈ કરતા હતા. રોહિતે પણ પાણી નિકાળવાની કોશિશ કરી હતી, પરંતુ પડી જતા વિષેને તેને તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. સારવાર મળી, તેની પહેલા જ રોહિતને મૃત્યુ થઈ હતી.

લગ્નેતર સબંધનો કરુણ અંજામ..
ગુજરાતના રુદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો હતો. અઠવા પોલીસે આ વારંવારની ક્રિમિનલ રાજનીતિને ધ્યાનમાં લેતી હોઈ બે આરોપીઓને ધરપકડ કર્યું.
આડાસબંધ રાખનાર દીપેશ અને તેની પત્ની વિશે જાણ થતાં, દીપેશે તેમણે પત્નીના ભાઈ સાથે મળીને પ્રેમની સંબંધો જાહેર કર્યા હતા. આ કારણે મૂઢ મારી હત્યા થઇ હતી.
અઠવા પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ કરી હતી.

સુરતમાં ભાજપ અને રાહુલ ગાંધીનો વિરોધ
Surat News: ભાજપના મોટા સંખ્યામાં કાર્યકર્તાઓનું સંયુક્ત વિરોધ હવે સુરતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગાવટમાં જાહેર થયું છે. રાહુલ ગાંધીને વિરોધમાં લઈને “હાય હાય ના નારા” પણ લાગાવવામાં આવ્યું છે. આ સમયે ભાજપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ પ્રકરણને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે.

અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ડૉકટર ડે ની ઉજવણી…
Surat Varacha News: વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં બાલભવન વિભાગમાં ડૉકટર ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓ વિવિધ વ્યવસાયકારો જેવા કે ડૉકટર પોલીસ વકીલ સૈનિક લુહાર સુથાર મોચી બાબર કુંભાર કડીઓ વેપારી વગેરે આપણા વ્યવસાયક આરોના પહેરવેશમાં આવી એ વ્યવસાયકરોના કાર્યો,ઓજારો એમની સમાજમાં જરૂરિયાત વિશે માહિતી બાળ કલાકારોએ સુંદર રજૂઆત કરી. વિવિધ વ્યવસાયકારોના પાત્રનો સુંદર અભિનય પણ શાળાના બાળ કલાકારો અને શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ બાલભવનના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સારી રીતે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું.

જિલ્લામાં ધોધમાર વરસાદ
સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ
કુંભારીયા ગામમાં ભરાયા પાણી
કુંભારીયા ગામના પાદર ફળિયામાં ભરાયા પાણી
પાદર ફળિયા ના ઘરો પાણીમાં ગરકાવ
પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ
ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
સુરત મહાનગરપાલિકા ની ટીમ સ્થળ પર પહોંચી
જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો
ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો
મહાનગરપાલિકા ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી

સુરતના જૂની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો
જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં, વરસાદ ને પગલે જૂની સિવિલ હોસ્પિટલ ના ચોથા માળે થી પાણી ટપકી રહ્યું. જનરલ વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. હાલાકી વચ્ચે પણ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા. તંત્ર દ્વારા માત્ર કોથળીની બેગ મૂકી સંતોષ માનવામાં આવી રહ્યું.

ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદ: પ્રી-મોનસુન કામગીરી ફેલ
સુરત: ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદથી સપષ્ટ થાય છે કે, પ્રી-મોનસુન કામગીરી પૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.

સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર: ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
Surat News: સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે એક માર્ગદર્શિકા જાહેર કરાય છે. જે અનુસાર જંતુનાશક દવાઓ બાળકોની પહોંચથી દૂર જ રાખવી જોઈએ. શક્ય હોય તો તેને એક રૂમમાં રાખીને તાળું મારી દેવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ. જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઈએ. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.
અને જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ચશ્માં તથા ગમબુટ અવશ્ય પહેરવા જોઈએ. વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાનો છંટકાવ કરતી વખતે સમયે શરીર પર જંતુનાશક દવા ન પડે તેની ખાસ કાળજી રાખવી. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જંતુનાશક દવાને શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, કોઇપણ વસ્તુ ખાતા કે ચાવતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા જોઈએ. જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો.
અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જંતુનાશક દવા વાપરી હોય તેવા ડબ્બાનો સંગ્રહ કરવા કે અન્ય કોઇપણ ઉપયોગ માટે વાપરવા જોઈએ નહીં. દવાના વરાયેલા ખાલી ડબ્બાઓ, બોટલોને તોડીને તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેર્યા હોય તે કપડાંને પાણીથી ખૂબ સારી રીતે ધોવા જોઈએ.
ધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ ઉપયોગ કરવો. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અઘિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામમક(વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે એમ ખેતીવાડી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સુરત: વેસુમાં વરસાદના કારણે રોડ બેસી ગયો
પ્રશ્નચિહ્નવાળા રોડની સ્થિતિ:
- ભારે વરસાદના કારણે: અતિશય વરસાદને કારણે રોડ બેસી ગયો.
- અગાઉના મરામત: અગાઉ પણ પેચ વર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ તે અભાવગ્રસ્ત સાબિત થયું.
ફરી વાર ગાબડા:
- વસ્તુપ્રમાણ: રોડ પર ફરીથી ગાબડા પડ્યા છે, જે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.
- ભ્રષ્ટાચારની ભીતિ: ભ્રષ્ટાચારના ગાબડાં હોવાનું લોકોમાં મંતવ્ય છે.
પ્રતિસાદ:
- સ્થાનિકોનો રોષ: રોડની આ હાલતને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
- મનપાની કામગીરી: આ ઘટના મનપાની પ્રિ-મોન્સૂનની કાર્યક્ષમતાને પ્રશ્નચિહ્ન લગાડે છે.
વિગતવાર માહિતી:
- સ્થાન: વેસુ
- પરિસ્થિતિ: પ્રથમ મરામત પછી ફરી વાર ગાબડા પડ્યા.
ભ્રષ્ટાચારના ગાબડા
ભારે વરસાદે વેસુમાં રોડ બેસી જવાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે, જે પહેલા થયેલા પેચ વર્કની ગુણવત્તાને પ્રશ્નચિહ્ન બનાવે છે.

સુરત : રથયાત્રા પહેલા શહેર SOG ની કાર્યવાહી.
SOG દ્વારા લીંબાયત વિસ્તાર માંથી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસે થી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મુંબઈ માં 1993 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ દરમ્યાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો.
મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવી ne મૂકી રાખી હતી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર ના પિતા મુંબઈ બૉમ્બ લાસ્ટમાં મોત થયું હતું.

સુરત: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન
ઉચ્ચ વ્યાજદરમાં પૈસા આપી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી
લોક દરબારની આયોજક:
- જગ્યા: ભાઠેના વિસ્તારનો કોમ્યુનિટી હોલ
- સુવિધા: સુરત શહેર ઝોન બે
લોક દરબારની વિગતો:
- હેતુ: લોકોની વ્યાજખોરીની સમસ્યાઓ સાંભળવી અને ઉકેલ લાવવો
- મુખ્ય વિષય: ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરબી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરાય છે.
પોલીસની કાર્યવાહીઓ:
- વ્યાજખોરો સામે: ઊંચા ભાવે વ્યાજ આપનાર ઈસમો સામે કડક કાર્યવાહી
- સ્થાન: ઉધના, ડિંડોલી, લીંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર
લોકોની હાજરી:
- મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા
- લોકોની સમસ્યાઓ સાંભળી પોલીસ દ્વારા સમાધાનના પ્રયત્નો
લોન માટેની સમજણ:
- માર્ગદર્શન: લોકોને સમજણ આપી સરકારી બેંકોમાંથી લોન મેળવવામાં મદદ માટે પોલીસના પ્રયત્નો
સુનિશ્ચિતતા
શહેર પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના હિત માટે મહેનત કરી રહી છે.

વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…
Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.

સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર
કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.
સુરતની VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ.
MLA કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખી.
GCAS પોર્ટલ પરથી આપવામાં આવેલા કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થતાં લખ્યો પત્ર.
છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યવ્યાપી કરાઈ રહ્યો છે વિરોધ

ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ સુરતના યુવકોના ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓ પકડાયાં.
Surat Umarpada news: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બી.કે. વનાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, સુરત વિભાગના સુપરવિઝન હેઠળ એ.ડી. સાંબડ, પો.સ.ઈ, ઉમરપાડા પો.સ્ટે. દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન, હકીકત મળી કે મગદુમ નગર વ્યારા ખાતે રહેતો સલમાન ગફ્ફાર કાકર ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ છે. તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી, સલમાન ગફ્ફાર કાકરને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો.
સલમાને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ ગામીતે અફઝલ શેખ સાથે મળીને સુરતથી બે વ્યક્તિઓને લાવવાનું કામ આપ્યું હતું. તેના માટે, પ્રજ્ઞેશભાઈએ પંદર-પંદર હજાર રૂપિયા આપવાની વાત કરી. સલમાન, તેના સંબંધી આસિફ અને મિત્ર વિશાલ રાણા સાથે મળીને ઉમરપાડા પહોચી અને બન્ને વ્યક્તિઓ બિલાલ ચાંદી અને અઝહરૂદિન ઉર્ફે અજ્જુ શેખને બાંધી નાખ્યા.
અફઝલ અને પ્રજ્ઞેશના જણાવ્યા મુજબ, બિલાલ અને અઝહરૂદિનને અફઝલના જુના મકાનમાં બાંધી મૂકીને, આકાજ 90,000 રૂપિયા લીધા.
પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:
- સલમાન ગફ્ફાર કાકર
- સરનામું: ઘર નંબર 707, મગદુમ નગર, વ્યારા, તા. વ્યારા, જી. તાપી.
- આસિફ સલીમભાઈ કાકર
- ઉંમર: 30, સરનામું: મગદુમ નગર, વ્યારા, જી. સુરત.
- વિશાલભાઈ રાજુભાઈ રાણા
- ઉંમર: 32, સરનામું: ગોલવાડ ગામ, ટાંકી ફળીયુ, તા. વ્યારા, જી. તાપી.
અન્ય વિગતો:
- એફઆઈઆર નંબર: xx/yyyy
- તારીખ: DD-MM-YYYY
- કાયદેસરની કામગીરી: આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ
મુખ્ય અધિકારીઓ:
- પોલીસ મહાનિરીક્ષક: પ્રેમવિર સિંગ
- પોલીસ અધિક્ષક: હિતેશકુમાર જોયસર
- વિભાગીય પોલીસ અધિકારી: બી.કે. વનાર
- પો.સ.ઈ: એ.ડી. સાંબડ

સચિન પોલીસ સ્ટેશનના લોકપમાં વિડીયો વાયરલ મામલો
Surat news: સચિન પોલીસે વિડીયો ના આધારે યુવકની કરી અટકાયત એક વર્ષ પહેલા પકડાયેલ સુબોધ ધર્મેન્દ્રભાઇ રમાણી એ વિડીયો બનાવ્યો હતો.
વિડિયો બનાવેલ જે ભુલ સમજાતા માફી માંગેલ અને ભવિષ્ય માં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપવામાં આવેલ સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી.
જ્યારે જેલની બહાર વિડીયો ઉતારનાર ની પણ બાળ કિશોરની અટકાયત કરી.

ડિંડોલી વિસ્તારની બંધ દુકાન માં આગ લાગી
Surat News: સુરતના ડિંડોલી વિસ્તાર માં આવેલડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યાં દુકાન માંવેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજથી દુકાન માં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે અને ત્યાં વેલ્ડીંગ નું કામ ચાલતું જ હતું .
ત્યાં વેલ્ડીંગ દરમ્યાન તણખાના ના કારણે આગ લાગી હતી જ્યાં 3 બંધ દુકાનના શટર ઉડ્યા હતા જ્યાં ગેસ લાઈનની ચેમ્બરમાં વેલ્ડીંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
વેલ્ડીંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો.

ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય.
Surat news: સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા.
એક પંચરની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.
પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું.
પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરએ સાપ રેસ્ક્યુ કર્યું હતું.
ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એક થી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી.
સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.

ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતના ખિલાડીઓ ઝળકિયા.
Surat News: યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્દોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 . સ્ટેટ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા તેમજ તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાત અને તેના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત ના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને 14 ગોલ્ડ મેડલ 15 સિલ્વર મેડલ તેમજ 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા બદલ. સુરત ના કરાટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ સુરતી જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા તેમજ ખજાનચી અમલેશભાઈ બાવરીયા. ખિલાડીઓની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.

ગ્રીનમેન વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ વિશે માર્ગદર્શન આપ્યું
સુરત, 13 જૂન 2025: જાણીતા પર્યાવરણવિદ્ અને ‘ગ્રીનમેન’ તરીકે ઓળખાતા શ્રી વિરલ દેસાઈએ સુરતના ગરિમા વયસ્ક વામા ગ્રુપની સખીવૃંદના વાર્ષિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે સિનિયર સિટિઝન મહિલાઓ સાથે પર્યાવરણ સંરક્ષણ અને સસ્ટેનેબલ જીવનશૈલી વિશે રસપ્રદ અને પ્રેરણાદાયી વાતચીત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ સિનિયર સિટિઝન મહિલાઓને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે જાગૃત કર્યા. તેમણે ખાસ કરીને નવી પેઢીના બાળકોને પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણની વાર્તાઓ દ્વારા પ્રેરણા આપવા અને તેમને ટકાઉ જીવનશૈલી અપનાવવા માટે તૈયાર કરવાની જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે દાદી અને નાની તરીકે આ મહિલાઓ બાળકોને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે જ વિરલ દેસાઈ વડીલો સમક્ષ તેમની મુવમેન્ટ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચોન્જ’ની સમજણ આપી હતી. અને જનજનને કોઈ રીતે આ મુહિમ સાથે જોડીને પર્યાવરણ સંરક્ષણના કાર્યો કરી શકાય એ વિશે કહ્યું હતું.

આ કાર્યક્રમમાં હાજર તમામ સિનિયર સિટિઝન મહિલાઓએ વિરલ દેસાઈના પ્રેરણાદાયી વિચારોની પ્રશંસા કરી અને તેમને અંતરના આશીર્વાદ આપ્યા. તેમણે દેસાઈને શુભેચ્છા પાઠવી કે તેઓ પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં વધુ ને વધુ ઉત્તમ કાર્ય કરે.

આ પ્રસંગે વિરલ દેસાઈએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું, ‘અનુભવી વડીલોને પર્યાવરણ સંરક્ષણ વિશે શીખવવું એ મારા ગજાની બહારની વાત છે. પરંતુ તેમના આશીર્વાદ લેવા એ મારા માટે અત્યંત અહોભાગ્યની ક્ષણ છે. તેમનો પ્રેમ અને સમર્થન મને પર્યાવરણ સંરક્ષણના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપે છે.

ગુજરાતની દિકરી રીટા પટેલે યુ.કે.ના બર્નટ એશ (બેક્સલી) હોકી ક્લબમાં પ્લેયર ઓફ ધ યર જીતી ઇતિહાસ રચ્યો
લંડન : 9 જૂન 2025: ગુજરાતની તેજસ્વી પુત્રી રીટા પટેલે યુ.કે. લંડનના પ્રતિષ્ઠિત બર્નટ એશ (બેક્સલી) હોકી ક્લબમાં પલેયર ઓફ ધ યર બનીને ઇતિહાસ રચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ આર્ટ્સ (એમ.એ. બી.એડ.)ની ડિગ્રી મેળવનાર રીટા લંડનના બર્નટ એશ (બેક્સલી) હોકી ક્લબમાં ફોરવર્ડ તરીકે રમે છે અને ડ્રેગ-ફ્લિક્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે.
2024-2025 સીઝન માટે પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતીને તેણીએ ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. રીટાએ બાળપણથી જ હોકીને ઉત્સાહપૂર્વક અપનાવી હતી. બેક્સલી હોકી ક્લબમાં બે વર્ષની સખત મહેનત બાદ, તેણીએ યુરોપિયન ખેલાડીઓને પાછળ છોડીને આ પ્રતિષ્ઠિત સન્માન મેળવ્યું.
રીટાએ જણાવ્યું હતુ કે, “હોકીએ મને સ્થિતિસ્થાપકતા, ટીમવર્ક અને ક્યારેય હાર ન માનવાની ભાવના શીખવી. મેદાન પરના દરેક પડકાર અને આંચકાએ મને વધુ મહેનત કરવા અને મારી જાતને સાબિત કરવાની પ્રેરણા આપી.” ઇંગ્લેન્ડના મહિલા હોકી ક્ષેત્રે એકમાત્ર ભારતીય ખેલાડી તરીકે, તે ગુજરાતી અને ભારતીય તરીકે અંગ્રેજી ટીમો સામે સ્પર્ધા કરવામાં ગર્વ અનુભવે છે.

રીટાએ ઉમેર્યું, “મારી આ સિદ્ધિ પાછળ મારા પરિવાર અને પતિનું સતત પ્રોત્સાહન મહત્વનું છે, જે વિના આ શક્ય ન હોત.” રીટા હંમેશા ક્રિકેટ પણ સારુ રમે છે. વર્ષ 2023-2024 સીઝનમાં, તેણીએ પ્રથમ વખત ઓર્પિંગ્ટન ઓસેલોટ્સ ક્રિકેટ ક્લબ માટે રમી. મજબૂત ઓલરાઉન્ડર ખેલાડી તરીકે ઉભરી આવી છે. આ વર્ષે, તેણીએ ક્રિકેટ ફેસ્ટિવલ દરમિયાન પ્રથમ વખત સિડકપ ક્રિકેટ ક્લબમાં જોડાઈ.
તેની ઉત્કૃષ્ટ બોલિંગે વિરોધી ટીમના બેટ્સમેનોને નિયંત્રિત મા રાખ્વા ઉપરાંત એક શાનદાર રન-આઉટ કરીને તેણીએ ટીમને ચેમ્પેઈન બનાવી હતી. યુકેમાં રીટાની આ સફળતાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તેની હોકીમાં જીત અને ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન ભારતીય યુવતીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.

IIFD સુરત દ્વારા વાર્ષિક કાર્યક્રમ ફેશોનેટ 2025નું સરસાણા ખાતે સફળ આયોજન
ઇન્સ્ટિટ્યૂટના 175 વિધાર્થીઓ દ્વારા 20 અલગ અલગ થીમ પર તૈયાર કરાયેલા ગારમેન્ટ રજૂ કરાયા
સુરત. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ડિઝાઇન (IIFD) દ્વારા 12 જૂન 2025ના રોજ તેના વાર્ષિક અને અત્યંત પ્રતિષ્ઠિત ફેશન શો — Fashionate 2025 — નું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ પ્લેટિનમ હોલ, સારસાણા ખાતે યોજાઈ હતી. જેમાં 175થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનરોએ પોતાના અનોખા અને અર્થપૂર્ણ કલેક્શનો રજૂ કર્યા હતા.
ફેશન અને ટેક્સટાઇલ ઉદ્યોગના નિષ્ણાતો સમેલ જ્યુરીએ વિદ્યાર્થીઓ દ્વારા અપનાવેલી તકનીકો, ટ્રીટમેન્ટ્સ, મૂલ્યવર્ધન, ફેબ્રિક મેનિપ્યુલેશન અને અનોખી ડિઝાઇન રચનાઓને કદરભરી નજરથી જોયા હતા. આ વર્ષેનાં શોની ખાસિયત એ હતી કે દરેક કલેક્શનમાં ગાઢ વિચારધારાઓ જોવા મળી – જેમ કે પ્રાચીન મહાકુંભ મેળો, કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગ, અને વિનાશ પછી દુનિયાનું (ડિસ્ટોપિયન) દ્રષ્ટિકોણ. કેટલાક કલેક્શન્સે સસ્ટેનેબિલિટી તરફ દોરી જનારા હતા અને સુરતના ટેક્સટાઇલ કચરાનો નવીન ઉપયોગ કરીને પર્યાવરણ માટે જવાબદારી દર્શાવનારા હતા. જોધપુર પેલેસ જેવી ભવ્ય રચનાઓથી શાહી શૈલીઓમાં પ્રેરણા મળી, જયારે “અર્થન ટ્રેઇલ્સ” થીમ દ્વારા ધરતી, માટી અને કુદરતી ટેક્સચર્સના ભાવ રજૂ કરાયા હતા. કેટલાક કલેક્શનમાં નારી સશક્તિકરણ અને નિર્ભય અભિવ્યક્તિના ઝલક પણ જોવા મળી હતી.

ફેશન શોમાં પાર્ટી માટેનાં રેડી-ટુ-વેર આઉટફિટ્સ, તેમજ ભવિષ્યલક્ષી કોઝપ્લે અને અવાં-ગાર્ડ પ્રકારના કલેકશન્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા.
IIFDના વિદ્યાર્થીઓએ મનીષ મલ્હોત્રા, નીતા લુલ્લા, માઇકલ સિંકો અને સુનીત વર્મા જેવા ડિઝાઇનરો સાથે મુંબઈ અને જયપુરના ફેશન કનેક્ટમાં કામ કર્યું છે. ઉપરાંત, ઇટાલીના ઇન્સ્ટિટ્યૂટો દી મોડા બૂર્ગો, મિલાન સાથે ભાગીદારી હેઠળ વિદ્યાર્થીઓએ મિલાન ફેશન વીકમાં પોતાનો કલેક્શન રજૂ કર્યું છે.

ગયા શોમાં નીતા લુલ્લા, અમિત અગ્રવાલ, રોકી સ્ટાર અને અંજુ મોદી જેવા પ્રતિષ્ઠિત જ્યુરી રહી ચૂક્યા છે. આ વર્ષે આ શોની ઉજવણી વધારવ બોલીવૂડના વિખ્યાત ફેશન ડિઝાઇનર વરુણ બાહલ મુખ્ય જ્યુરી તરીકે હાજરી આપી. તેમના આગમનથી શોને વિશેષ ગૌરવ મળ્યું અને વિદ્યાર્થીઓને તેમના સર્જનાત્મક કાર્યને એક દિગ્ગજ સમક્ષ રજૂ કરવાનો અમૂલ્ય મોકો મળ્યો.
સુરતના જાણીતા ઉદ્યોગપતિઓ, ટેક્સટાઇલ વેટરન અને ફેશન જગતના વ્યાવસાયિકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સ્થાપક નિયામક શ્રી મુકેશ મહેશ્વરી અને સહ-નિયામક શ્રીમતી પલ્લવી મહેશ્વરીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને ફેકલ્ટી તેમજ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટનો ચોથો સંસ્કરણ, IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા આયોજન — CIFDAQ પ્રસ્તુત અને સંગિની સહપ્રાયોજક
ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવા અને સુરતને આ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અવધ યુટોપિયા ખાતે આયોજિત મેગા ઇવેન્ટમાં નેટવર્કિંગ, શિક્ષણ અને સહયોગ સંબંધિત અનેક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.
દેશ-વિદેશથી રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા લોકો ભાગ લેશે.
સુરત. IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટની ચોથી આવૃત્તિનું આયોજન કરવામા આવ્યું છે, જે CIFDAQ દ્વારા પ્રસ્તુત અને સંગિની દ્વારા સહ-સંચાલિત છે. અવધ યુટોપિયા ખાતે આયોજિત આ બે દિવસીય કાર્યક્રમમાં ભારત તેમજ વિદેશના સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકો, રોકાણકારો વગેરે ભાગ લેશે અને ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવામાં આવશે. નોંધનીય છે કે IVY ગ્રોથ એસોસિએટ્સ એક અગ્રણી કેપિટલ વેન્ચર ફર્મ છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસને સમર્થન આપે છે. આ કાર્યક્રમ ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર સુરતને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરશે.
ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પ્રતિક તોષનીવાલે જણાવ્યું હતું કે તેમના ભાગીદારો રચિત પોદ્દાર, મેહુલ શાહ અને શરદ ટોડી દર વર્ષે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે આ સમિટનું આયોજન કરે છે. આ વખતે આ ઇવેન્ટ 14 અને 15 જૂને સુરતના અવધ યુટોપિયા ખાતે યોજાશે. આમાં ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવામાં આવશે જેથી નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે અને રોકાણકારોનો સંપર્ક મળી શકે.

આ ઇવેન્ટમાં 80 થી વધુ સ્ટાર્ટઅપ્સ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં, ભારતના તમામ મોટા શહેરો ઉપરાંત, યુએસના 10 લોકો, યુએઈના 18, જાપાનના 4, લંડનના 12 અને સિંગાપોરના 5 લોકોએ આ ઇવેન્ટ માટે નોંધણી કરાવી છે. બે દિવસીય ઇવેન્ટના પ્રારંભ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગજેન્દ્ર શેખાવત હાજર રહેશે. આ કાર્યક્રમ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે જેમાં સ્ટાર્ટઅપ પિચ, રોકાણકાર સ્પીચ, પેનલ ચર્ચા, વર્કશોપ વગેરેનું આયોજન કરવામાં આવશે. શાર્ક અઝહર ઇકબાલ પણ ખાસ હાજર રહેશે.
સુરતમાં આ કાર્યક્રમના આયોજન અંગે પ્રતિક તોષનીવાલે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સની દ્રષ્ટિએ સુરત અને ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે અને અહીં જેટલા રોકાણકારો મળે છે, તે ભાગ્યે જ બીજા શહેરોમાંથી મળે છે.
CIFDAQ ના સ્થાપક અને અધ્યક્ષ શ્રી હિમાંશુ મારાડિયાએ જણાવ્યું હતું કે, “ભારતની સાચી સંભાવના સ્વપ્ન જોનારા, કર્તાઓમા રહેલી છે જે ભવિષ્ય

વ્હાઇટ લોટસના પથપ્રદર્શક: યુવા ચેમ્પિયન્સ જેમણે અમારું ગૌરવ વધાર્યું! રિંસી કલ્પેશ પટેલ અને દિયાના જિનવાલાની વિખ્યાત રમતમાં પ્રાપ્ત વિજયોની ઉજવણી
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ માને છે કે સાચું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકોની હદમાં સીમિત નથી, પરંતુ દરેક બાળકની અંદરની પ્રતિભાને ઓળખીને તેને પાંખો આપવાનું કાર્ય છે. અમારી શાળાએ એક એવું સ્થાન બનાવ્યું છે જ્યાં શૈક્ષણિક સિદ્ધિની સાથે સાથે રમતગમતના ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓ તેજસ્વી રીતે આગળ વધી રહ્યા છે. આજે અમે બે અદભૂત વિદ્યાર્થીઓ – રિંસી કલ્પેશ પટેલ અને દિયાના જિનવાલા – ના કીર્તિગાન ગાઈએ છીએ, જેમણે તૈરાકી અને ક્રિકેટમાં સફળતા હાંસલ કરી અને સમગ્ર શાળાનું ગૌરવ વધાર્યું.
🏊♀ રિંસી કલ્પેશ પટેલ (ધોરણ ૨): નાની મરમેઇડ, મોટી સિદ્ધિઓ
૨ જૂન, ૨૦૨૫ ના રોજ સુરત જિલ્લા તૈરાક સંસ્થા દ્વારા આયોજિત તૈરાક સ્પર્ધામાં વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ ૨ ની વિદ્યાર્થિની રિંસી કલ્પેશ પટેલએ ચમકદાર પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું.
પાણીમાં તેની સંયમ, ટેકનિક અને આત્મવિશ્વાસથી સ્પર્ધામાં હાજર દર્શકો પણ ચકિત થઈ ગયા. મોટી ઉંમરનાં સ્પર્ધકો સામે પણ રિંસીએ શાનદાર દેખાવ આપ્યો અને આ પુરસ્કારો જીતીને ઘરે પરત ફરી:
૧ રજત પદક
૨ કાંસ્ય પદકો
ફક્ત 7 વર્ષની ઉંમરે, રિંસીનું શિસ્તબદ્ધ અભ્યાસ અને આગવી પ્રતિભાએ સાબિત કરી દીધું કે જ્યાં ઇચ્છા હોય ત્યાં સફળતાનો માર્ગ ખુલે છે. તેના દરેક સ્ટ્રોક એક સંદેશ આપે છે – ઉંમર નથી બાધક, જો દ્રઢ સંકલ્પ હોય!
🏏 દિયાના જિનવાલા (ધોરણ ૮): ક્રિકેટના મેદાનની સૌથી નાની વીરાંગના
જ્યારે રિંસીએ પાણીમાં જીતનું જલતરંગ ઊભું કર્યું, ત્યારે ધોરણ ૮ ની દિયાના જિનવાલાએ ક્રિકેટના મેદાનમાં પોતાના નામનો ડંકો વગાડ્યો. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત વુમન ચેલેન્જર ટ્રોફી ૨૦૨૫ માં દિયાનાએ પોતાની ખાસ જગ્યા બનાવી. આ રાજ્યસ્તરીય ટૂર્નામેન્ટમાં દિયાના હતી સૌથી નાની ખેલાડી — છતાં પણ તેની રમત, કુશળતા અને આત્મવિશ્વાસથી બધાનું ધ્યાન ખેંચ્યું.
તેના શાંતિપૂર્ણ છતાં મજબૂત પ્રદર્શનને લીધે તે પોતાની ટીમની જીત માટે મહત્ત્વની રહી — અને ટીમે ચેમ્પિયનશિપ ટાઇટલ પણ જીત્યો!
દિયાનાએ દર્શાવ્યું કે કૌશલ્ય, શિસ્ત અને હિંમત હોય તો કોઈ મર્યાદા અટકાવી શકતી નથી. તે આજે માત્ર પ્લેયર નથી — પરંતુ દરેક યુવતી માટે પ્રેરણા છે, જે પોતાનું સ્વપ્ન જીવંત જોવા ઇચ્છે છે.
🌸 વ્હાઇટ લોટસ — ચેમ્પિયન્સ બનાવતી સંસ્કૃતિ
આ બે બાળ ચેમ્પિયન્સ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના સમર્પિત અભિગમ અને દરેક બાળકના સર્વાંગી વિકાસ માટેના દૃઢ નિશ્ચયનું પ્રતિબિંબ છે. આ જીત પાછળ છે અનેક કલાકોની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને પરિવારનો આધાર.
શાળાના તમામ શિક્ષકો, મુખ્યાધ્યાપિકા અને વિદ્યાર્થીઓ રિંસી અને દિયાનાને અભિનંદન પાઠવે છે — અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે.
“તેમણે આવ્યા, રમ્યા અને જીત્યા — માત્ર રમતમાં નહીં, પણ આપણા દિલોમાં પણ.”
🏆 બે દીકરીઓ. બે સફળતાઓ. એક શાળાનું ગૌરવ.
💙 વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ — જ્યાં શ્રેષ્ઠતાની શરૂઆત બાળપણથી થાય છે

9000 માઇલ દૂર લાસ વેગાસમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
પ્રતિષ્ઠિત નોન પ્રોફીટ સંસ્થા ડાયમંડ ટુ ગુડ દ્વારા અપાયું સન્માન
મુંબઈ/સુરત – શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ(SRK)ની સફળતા પાછળના દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા શ્રી ગોવિંદ ધોળકિયાને પ્રતિષ્ઠિત નોન – પ્રોફિટ સંસ્થા ડાયમંડ ડૂ ગૂડ દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવેલ છે. જે ભારત ઉપરાંત ડાયમંડ સિટી સુરત માટે ગૌરવની ક્ષણ છે. વિશ્વના સૌથી મોટા જ્વેલરી શો મા નો એક અને USનો સૌથી મોટો શો JCK લાસ વેગાસ 2025 ની વાર્ષિક ગાલા ઈવેન્ટ દરમ્યાન આ એવોર્ડ અનાયત કરવામાં આવ્યો હતો.
ગોવિંદકાકા વતી તેમના પુત્ર તથા કંપનીના એન્ટ્રપ્રિનિયર – બ્રાન્ડ કસ્ટોડિયન શ્રી શ્રેયાન્સ ધોળકિયાએ આ એવોર્ડ સ્વીકારતા જણાવ્યુ કે “તેમના પિતા દ્વારા જે મૂલ્યો ઉપર આ વ્યવસાય સ્થાપવામાં આવ્યો છે તેનું પ્રતિનિધિત્વ કરવાનું તેમને દસ ઘણો ગર્વ થાય છે.”
ઉલ્લેખનીય છે કે ઉઘાડા પગે.. કઈ પણ સાધનો વગર પ્રમાણિક્તા, સખત મહેનત અને અતૂટ વિશ્વાસ જેવા મૂલ્યો સાથે ગુજરાતના એક નાના ગામથી વિશ્વની ડાયમંડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટેજ સુધી પહોંચવાની ગોવિંદ ધોળકિયાની આ સફર માત્ર 13 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. 6 દાયકા પછી પણ તેમની સફર ફક્ત ડાયમંડ ઉધ્યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેને વૈશ્વિક સ્તરે નામ આપવા ઉપરાંત પણ તેઑ કેટલા લોકોના જીવનને સુધારી શક્યા તે માટે પણ ઓળખાય છે.

તેઓ હંમેશા કહે છે, “સંપતિ ફક્ત સાચવીને વારસો અને ઇતિહાસને બનાવી શકાતા નથી – તેઓ બને છે સંપતિ આપવાથી અને વહેંચવાથી”
નેચરલ ડાયમંડનું પર્યાયી નામ SRK, ફક્ત વિશ્વ કક્ષાની ક્રાફ્ટમેનશીપ માટે જ નહીં પરંતુ સસ્ટેનેબિલિટી અને સમાજના ઉત્થાપન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે પણ જાણીતું છે. સુરતમાં આવેલી તેમની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ ફેસિલિટી વિશ્વની પ્રથમ નેટ ઝીરો એનર્જી બિલ્ડિંગ છે જે એક દાયકાથી પણ વધારે સમયથી ગ્રીન – સર્ટીફાઇડ છે અને તાજેતરમાં જ કેરેટ દીઠ ઈન્ડસ્ટ્રીના સરેરાશ કાર્બન ઉત્સર્જનની તુલનામાં સૌથી ઓછું ઉત્સર્જન કરવા માટે માન્યતા મળેલ છે.
આ મહિને જ 10 વર્ષની ઉજવણી કરવા જઈ રહેલ SRKની ફિલાન્થ્રોપિક આર્મ, SRK નોલેજ ફાઉન્ડેશન(SRKKF) 40 વર્ષ પહેલા ગોવિંદકાકા દ્વારા શરૂ થયેલ સમાજલક્ષી કાર્યોની પરંપરાને આગળ ધપાવે છે. સમાજલક્ષી કરવામાં આવેલ તમામ કાર્યોને એક છત નીચે લાવવા માટે બનાવવામાં આવેલ SRKKF શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ, આરોગ્ય અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રે કરેલ વિવિધ પહેલો દ્વારા લાખો લોકોને મદદ કરેલ છે.
આ ઈવેન્ટ દરમ્યાન શ્રેયાન્સ ધોળકિયાએ “ડાયમંડ ડુ ગૂડને ધન્યવાદ આપતા કહ્યું હતું કે આ સન્માન ફક્ત અમારા ફૅમિલીનું જ નથી – આ સન્માન છે સુરતમાં કામ કરી રહેલ દરેક આર્ટિસનનું, અમારા ફાઉન્ડેશન દ્વારા જેટલા લોકોના જીવન સુધી અમે પહોંચી શક્યા છીયે તેમનું અને આ ઉપરાંત બિઝનેસ ફક્ત સફળતા માટે જ નથી પરંતુ બિઝનેસ દ્વારા કેટલા લોકોના જીવનમાં ફેરફાર લાવી શકીયે તે મૂલ્યો ઉપર અમે જે કામ કરીયે છીએ તેનું છે.”

આ એવોર્ડ એવા સમયે એનાયત કરવામાં આવ્યો છે જ્યારે દુનિયા લક્ઝરી પાછળનો અર્થ શોધી રહી છે અને ભારતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીને શ્રેષ્ઠતા અને નૈતિક મૂલ્યો એમ બંને માટે માન્યતા મળી રહી છે.
આ બીજી વખત છે કે ગોવિંદકાકાને યુનાઇટેડ સ્ટેટ્સમાં સન્માનીત કરવામાં આવેલ છે. પહેલી વખત સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ માટેના તેમની દૂરંદેશી પ્રતિબદ્ધતા માટે બોસ્ટનમાં યુ.એસ.ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલ (USGBC) દ્વારા પ્રતિષ્ઠિત USGBC લીડરશિપ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા હતા.

વારિવોએ નોવા અને એજ શ્રેણીના 6 નવા આકર્ષક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા, કિંમત 44,999 રૂપિયાથી શરૂ
6 નવા મોડેલ, જેની કિંમત રૂ. 44,999 થી શરૂ થાય છે, તે 3 વર્ષની વ્યાપક વોરંટની સાથે દરેક ચાર્જ પર 120 કિમી સુધીની રેન્જ ઓફર કરે છે
ગુરુગ્રામ : વારિવો મોટર્સ ઇન્ડિયા, ભારતના સૌથી ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોમાં સામેલ છે. કંપનીએ બે અલગ-અલગ નોવા(Nova) અને એજ(Edge) શ્રેણીમાં 6 નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિઘ આવક વર્ગના લોકો અને ભૌગોલિક વિસ્તારોમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની પહોંચનો વિસ્તાર કરવાનો છે.
રૂપિયા 44,999 થી શરૂ થતી આ નવી લાઇનઅપ, શહેરી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓથી લઈને ગ્રામીણ મુસાફરો અને ડિલિવરી રાઇડર્સ સુધીના વિવિધ યુઝર્સની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એક જ ચાર્જ પર 120 કિમી સુધીની મહત્તમ રેન્જ, સ્માર્ટ એપ-સક્ષમ કનેક્ટિવિટી અને 3 વર્ષની વ્યાપક વોરંટી સાથે, આ નવા સ્કૂટર્સ ઉત્તમ પ્રદર્શન, પોષણક્ષમતા અને મનની શાંતિનું વચન આપે છે.
એવા ગ્રાહકો કે જેઓ આકર્ષક દેખાવ, અદ્યતન સુવિધાઓ અને પ્રીમિયમ સવારીનો અનુભવ ઇચ્છતા હોય, તેમની માટે નોવા સિરીઝ વિકસિત કરવામાં આવી છે. તો વળી, એજ સિરીઝ વિશ્વસનીયતા અને પોષણક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે રોજિંદા મુસાફરી અને વ્યવહારુ ઉપયોગ માટે આદર્શ મજબૂત અને નો-ફ્રીલ્સ મોડેલ્સ ઓફર કરે છે.

નવા લોન્ચ કરવામાં આવેલાં તમામ 6 મોડેલો દરેક ચાર્જ પર 120 કિમી સુધીની રેન્જ, મોબાઇલ એપ્લિકેશન-આધારિત સ્માર્ટ કનેક્ટિવિટી, ત્રણ વર્ષની વ્યાપક વોરંટી તેમજ તમામ વય જૂથો, જાતિઓ અને ભૂપ્રદેશ માટે યોગ્ય હળવા અને અર્ગનોમિક ડિઝાઇન ઓફર કરે છે.
આ નવી શ્રેણીના લોન્ચીંગ અંગે વારિવો ઇલેક્ટ્રિક વાહનોના સહ-સ્થાપક યુવરાજ ગર્ગે જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિક મોબિલિટી એ લક્ઝરી નહીં, પરંતુ દરેક માટે ઉપલબ્ધ પસંદગી હોવી જોઈએ. અમારો ઉદ્દેશ્ય વાસ્તવમાં દરેક ભારતીય માટે EVs ને વાસ્તવિક અને આકર્ષક વિકલ્પ બનાવવાનો છે. આ નવી લાઇનઅપ સાથે અમે વિવિધ પ્રાઈઝ પોઈન્ટ અને ઉપયોગની જરૂરિયાતને ધ્યાનમાં લીધી છે. અમે મેટ્રો અને નાના શહેરોમાં રહેતા તમામ લોકો માટે અનુકૂળ રહે તે રીતે આ સ્કૂટર બનાવ્યું છે.”
વારિવો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પાસે આક્રમક રિટેલ વિસ્તરણ યોજનાઓ પણ છે. તે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં દેશભરમાં 200 નવા સ્ટોર્સ ખોલવાનું લક્ષ્ય ધરાવે છે. આ વિસ્તરણથી શહેરી બજારો અને ગ્રામીણ પ્રદેશોમાં કંપનીની પહોંચમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. સીમલેસ માલિકી અનુભવ સુનિશ્ચિત થાય તે માટે, આ વિસ્તરણને વેચાણ પછીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતામાં સુધારો અને સમર્પિત ગ્રાહક સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ટેકો આપવામાં આવશે.
આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સના લોન્ચ અને રિટેલ પ્રોત્સાહન સાથે, વારિવો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ભારતના વધુને વધુ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવવા માંગે છે. નવા લોન્ચ થયેલા સ્કૂટર્સ હવે દેશભરમાં અધિકૃત વારિવો ડીલરશીપ પર ઉપલબ્ધ છે.

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા “ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું
અવેરનેસના અભાવે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ મોડેથી થાય છે
સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર એ, મર્ક સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી, “ટુ-મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” નામનું અનોખું ઓરલ કેન્સર જાગૃતિ અભિયાન સત્તાવાર રીતે શરૂ કર્યું છે. આ પહેલ એવા મહત્વના સમયે આવી છે જ્યારે દેશમાં ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાંથી ઘણાનું નિદાન જાગૃતિ અને નિવારક પગલાંના અભાવે અદ્યતન તબક્કામાં થાય છે.
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર ખાતે આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. ક્રિના પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ. સાગર ઘોઘારી અને ડૉ. કૃતિકા કોલડિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ દરેકે જણાવ્યું હતું કે, નિવારણ અવેરનેસથી શરૂ થાય છે, અને અવેરનેસ એક્શનથી શરૂ થાય છે.
ઓરલ કેન્સર એ ભારતમાં કેન્સરના સૌથી સામાન્ય અને જીવલેણ સ્વરૂપોમાંનું એક છે, આંકડા દર્શાવે છે કે દર કલાકે પાંચ લોકોના મોત થાય છે. અંદાજે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ પછીના સ્ટેજમાં જ થાય છે, જેના કારણે બચવાનો દર અને સારવારના પરિણામોમાં ભારે ઘટાડો થાય છે. આને બદલવાના પ્રયાસમાં, આ કેમ્પેઇન એક સરળ છતાં જીવનરક્ષક સંદેશની હિમાયત કરે છે – દર મહિને બે મિનિટનું એક ઝડપી ઓરલ સેલ્ફ ચેક – એટલે કે શરૂઆતમાં ઓળખ અને પછીના સ્ટેજમાં થનાર પીડા વચ્ચે અંતર હોઈ શકે છે.

ભારતમાં દર વર્ષે હેડ હેડ અને નેકના કેન્સરના લગભગ 2 લાખ નવા કેસ નોંધાય છે, જેમાં ઓરલ કેન્સર એ બર્ડનનો મોટો હિસ્સો છે. આઘાતજનક વાત એ છે કે, આમાંથી લગભગ 60 થી 70 ટકા દર્દીઓનું નિદાન ત્યારે થાય છે જ્યારે આ રોગ તેના અદ્યતન તબક્કામાં હોય છે. ચિંતાજનક આંકડા હોવા છતાં, જાહેર જાગૃતિ અપ્રમાણસર રીતે ઓછી રહે છે.
આ લોન્ચિંગ પ્રસંગે બોલતા, સુરતના એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટરના ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલે જણાવ્યું હતું કે, “આપણે ઘણીવાર કિંમતી સમય ફક્ત એટલા માટે ગુમાવીએ છીએ કારણ કે લોકોને ખ્યાલ નથી હોતો કે કેન્સર મોઢામાં એક નાના પેચથી શરૂ થઈ શકે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય તેને બદલવાનો છે. જો દર મહિને બે મિનિટ માટે તમારા મોંની તપાસ કરવાથી કેન્સરને વહેલા શોધી કાઢવામાં મદદ મળી શકે છે, તો તે ફક્ત એક આદત નહિ પણ એક જીવન બચાવનાર છે.”
ડૉ. કૌશલ પટેલ ભાર મૂકે છે કે વહેલાસર તપાસ એ ઓરલ કેન્સરની અસરકારક સારવારનો પાયો છે. તેઓ ભાર મૂકે છે કે સામાન્ય ચેતવણી સંકેતો – જેમ કે મોંમાં સતત લાલ કે સફેદ ધબ્બા, 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ન રૂઝાતા ચાંદા, પેઢા કે ગાલમાં સોજો, અસ્પષ્ટ રક્તસ્ત્રાવ, અથવા અવાજમાં કર્કશતા – ક્યારેય અવગણવા જોઈએ નહીં.
ડૉ. પટેલ ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે નિયમિત સેલ્ફ- એક્ઝામિનેશન અને નિયમિત ડેન્ટલ અથવા મેડિકલ ચેક અપ માટે ભારપૂર્વક હિમાયત કરે છે. “ઓરલ કેન્સર અટકાવી શકાય તેવું છે અને જો વહેલા જાણતો તેનો ઉપચાર પણ સંભવ છે.”
કેમ્પેઇન એક્ટિવેશનના ભાગરૂપે, હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં ખાસ ડિઝાઇન કરાયેલ અવેરનેસ સ્ટેન્ડી અને મિરર સ્થાપિત કરવામાં આવશે જેથી લોકો સ્ટેન્ડી પર દર્શાવેલ પ્રારંભિક ચેતવણી સંકેતો જેમ કે લાલ કે સફેદ ધબ્બા, ન રૂઝાતા ચાંદા, સોજો અથવા અવાજમાં ફેરફાર માટે તેમના મોંની તપાસ કરી શકે. આ વિચારનો ઉદ્દેશ્ય ફીલ. લૂક. એક્ટ જેવી સામાન્ય એક્શન દ્વારા સેલ્ફ- રિસ્પોન્સિબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે – ક્તિઓને ખૂબ મોડું થાય તે પહેલાં તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે સશક્ત બનાવવા.
ઓનગોઈંગ અપડેટ્સ અને અવેરનેસ ફેલાવવા માટે, આ કેમ્પેઇન નાગરિકોને #ActAgainstOralCancer હેશટેગને ફોલો કરવા અને શેર કરવા આમંત્રણ આપે છે, જેથી સંદેશ દેશભરના સમુદાયો અને ઘરોમાં યોગ્ય રીતે પહોંચે.
Website :- https://www.elitehematoncocarecentre.com

20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
5મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામ, નવસારી ખાતે વન કવચમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા સિંદૂરવનનું વાવેતર કરવામાં આવ્યું જેમાં 101 સિંદૂરના વૃક્ષો સહિત 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેમાં બા પ્રેરણા ગ્રુપના સ્ટાફ તેમજ એન.એસ.એસ દ્વારા વોલ્યુંટિર રીતે ભાગ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરવઈ ગામ, બોટાદ ખાતે પણ મિશન ગ્રીન બોટાદ સંસ્થા સાથે મળીને બા પ્રેરણા ગ્રુપ દ્વારા 10,000 વ્રૂક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેમાં બા પ્રેરણા ગ્રુપ દ્વારા 20 ટન ઓર્ગેનિક ફર્ટિલાઈજર સ્પોંસર કરવામાં આવ્યું હતું.

સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025ના 78મા સંસ્કરણમાં “તેરા મેરા નાતા”નું પોસ્ટર અનાવરણ કર્યું
નવી દિલ્હી, 2 જૂન:સુરતની ફિલ્મ નિર્માત્રી ચંદા પટેલે માત્ર ભારતીય સિનેમાની નહીં, પરંતુ પોતાના શહેર સુરતની પણ શાન વધારી છે, કારણ કે તેઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર બની છે. આ પ્રસંગે તેમણે પોતાની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ “તેરા મેરા નાતા”નું ઑફિશિયલ પોસ્ટર લોન્ચ કર્યું અને વૈશ્વિક સ્તરે ભારતીય ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કર્યું.
ફિલ્મમાં સુરજ કુમાર અને ભવિકા મુખ્ય ભૂમિકામાં છે અને તે પહેલા થીજ તેના ભાવનાત્મક કથાવસ્તુ અને શક્તિશાળી અભિનય માટે ચર્ચામાં છે.
13 મે થી 24 મે, 2025 દરમિયાન આયોજિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સિનેમેટિક ઉત્કૃષ્ટતાને પ્રદર્શિત કરવા માટેનું વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત મંચ છે. આ ફેસ્ટિવલમાં ચંદા પટેલની ઉપસ્થિતિ અને તેમના ફિલ્મના પોસ્ટરનું અનાવરણ સુરતના ફિલ્મ ઈતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ બની છે.
આ અનાવરણ પ્રસંગે વૈશ્વિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ, ડેલિગેટ્સ અને મીડિયા હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મનું પોસ્ટર, જેમાં સુરજ કુમાર અને ભવિકા એક શાંત કુદરતી દૃશ્યમાં દર્શાવવામાં આવ્યા છે, તે ફિલ્મની ભાવનાત્મકતા અને સુંદર દૃશ્યાવલીઓને દર્શાવે છે.
ચંદા પટેલએ ઉલ્લેખ કર્યો: “કાન્સમાં અમારા ફિલ્મના પોસ્ટરનું અનાવરણ કરવું એ એક સપનાં સાકાર થવાનું છે. ‘તેરા મેરા નાતા’માં અમે દિલથી કામ કર્યું છે અને વિશ્વ મંચ પર તેનું પહેલું ઝલક બતાવવી એ સમગ્ર ટીમ માટે ગૌરવની વાત છે. સુરતનું પ્રતિનિધિત્વ કરવું એ મારી માટે ખાસ છે.”
“તેરા મેરા નાતા” એ પ્રેમ, નસીબ અને લાગણીઓના સંબંધોને સ્પર્શતી એક હ્રદયસ્પર્શી કહાણી છે. તેની આ આંતરરાષ્ટ્રીય શરૂઆત પછી, ફિલ્મ વર્ષ 2025ની સૌથી અપેક્ષિત ભારતીય ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે.
ચંદા પટેલની સફર સુરતથી કાન્સ સુધી એક પ્રેરણાદાયી કથાનક છે, જે દર્શાવે છે કે પ્રાદેશિક પ્રતિભા અને મહિલા નિર્માતાઓ પણ વૈશ્વિક મંચ પર પોતાની છાપ ઊભી કરી શકે છે.
ફિલ્મ “તેરા મેરા નાતા”ના રિલીઝ અને ફેસ્ટિવલ યાત્રા અંગે વધુ અપડેટ માટે જોડાયેલા રહો.