રાષ્ટ્રીય સમાચાર

This person from the party would have sanctioned the money of the developing taluka for useless projects. Dediyapada MLA Chaitar Vasava sat on strike in front of the Collector's chamber.
વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દેતા, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા.

 

જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે: ચૈતર વસાવા

આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી: ચૈતર વસાવા

અમારા મંજુર થયેલા કામની જગ્યાએ બિનઉપયોગી પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે: ચૈતર વસાવા

અમદાવાદ/નર્મદા/ભરૂચ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લાના કલેકટરની બેઠકને છોડીને ધરણા પર બેઠા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા.

પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. અને આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે, તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી. આ તમામ મુદ્દા ઉપર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબને ચેમ્બરની સામે અમે ધરણા પર બેઠા છીએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

કવવન ઈન્ફ્રાએ ધોલેરામાં “એક્સપ્રેસ વ્યુ સિટી” પ્રોજેક્ટ લોન્ચ કર્યો

 

“એક્સપ્રેસ વ્યુ સિટી એ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ તે પર્યાવરણના સંરક્ષણ સાથે આધુનિક શહેરીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ રજૂ કરે છે”: વિવેક ખંડેલવાલ

ગ્રીન, પ્રેક્ટિકલ અને આરામદાયક રહેણાંક પ્રોજેક્ટ્સના અગ્રણી ડેવલપર કવવન ઇન્ફ્રા દ્વારા આ અદ્ભુત પ્રોજેક્ટ નિઃશંકપણે એક આદર્શ અને સ્વસ્થ જીવનશૈલીનું પ્રતિક છે.

એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ, 20 એકરમાં ફેલાયેલો છે, શહેરી સુવિધાઓ અને કુદરતી શાંતિ વચ્ચે આદર્શ સંતુલન મળે એવા ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે

ધોલેરા: ધોલેરામાં અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર કવવન ઈન્ફ્રાએ “એક્સપ્રેસ વ્યુ સિટી”ની જાહેરાત કરી છે, જે એક આગ્રણી રહેણાંક પ્રોજેક્ટ છે અને ઝડપથી વિકાસ પામતા ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (SIR)માં જીવંતતા અને મૂલ્ય ઉમેરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. આગામી સ્માર્ટ સિટીની અંદર સ્થિત એક્સપ્રેસ વ્યૂ સિટી પ્રોજેક્ટ ખરેખર આધુનિક જીવન, ઉત્તમ ડિઝાઇન અને ઇકો- ફ્રેન્ડલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંપૂર્ણ મિશ્રણનું વચન આપે છે.

એક્સપ્રેસ વ્યૂ સિટી, ધોલેરા SIR રોકાણ અને નવીનતા માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવશે. આ માત્ર ઘરો બનાવવા માટે જ નહીં પરંતુ આધુનિક અને ટકાઉ જીવનશૈલીને અપનાવતા સમૃદ્ધ સમુદાયો માટે કવવન ઈન્ફ્રાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમકાલીન વૈભવી ડિઝાઇન, ઇકો- કોન્શિયસ પ્લાનિંગ અને ફ્યુચરિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મિશ્રણ સાથે રહેણાંક જીવનને ફરીથી અર્થઘટન કરવાનો છે.

આશરે 20 એકરમાં ફેલાયેલ એક્સપ્રેસ વ્યુ સિટી પ્રોજેક્ટ શહેરી સુવિધાઓ અને કુદરતી શાંતિ વચ્ચે સંપૂર્ણ સંતુલન પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. તેના કાળજીપૂર્વક આયોજિત રહેણાંક પ્લોટ આવશ્યક સુવિધાઓ અને લીલી (ગ્રીનરી) જગ્યાઓથી સજ્જ છે, જે રહેવાસીઓ માટે તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપે છે. આ પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ પ્રેક્ટિસને એકીકૃત કરે છે જેમ કે વરસાદી પાણીનો સંગ્રહ, સૌર ઉર્જાનો ઉપયોગ અને કચરો વ્યવસ્થાપન પ્રણાલીઓ, ગ્રીન પર્યાવરણમાં યોગદાન આપે છે. તેમાં એક જૈન મંદિર પણ છે.

કવવન ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર વિવેક ખંડેલવાલે જણાવ્યું હતું કે, “અમે સ્થાયી વિરાસત બનાવવા માટે સમર્પિત છીએ અને આ માત્ર એક રહેણાંક પ્રોજેક્ટ નથી, પરંતુ તેમાં એક વિશાળ પાર્ક, રમતગમતની સુવિધાઓ અને સમુદાયનો સમાવેશ થાય છે. સામાજિક અને મનોરંજક જગ્યાઓ, આરામ અને સંબંધની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ છે એક્સપ્રેસ વ્યુ સિટી આધુનિક શહેરીકરણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને રજૂ કરે છે અને તે એક તેજસ્વી, વધુ સુરક્ષિત છે. અંદાજિત 3,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ધોલેરા ઔદ્યોગિક અને શહેરી વિકાસ માટેની ભારતની મહત્વાકાંક્ષી યોજનાઓનું પ્રતીક છે. તેમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે જેમાં વિશ્વ કક્ષાની ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી, ભરોસાપાત્ર યુટિલિટીઝ અને ઈકો- ફ્રેન્ડલી સુવિધાઓનો સમાવેશ થાય છે, જ વૈશ્વિક ધોરણોથી પણ વધુ છે. અહીંના મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદને જોડતો છ- લેન હાઈવે, લોજિસ્ટિક્સ પાર્ક અને મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનો સમાવેશ થાય છે.

વિશ્વભરમાંથી કોર્પોરેટ જગતના મોટા નામોએ ધોલેરા આવવાનું શરૂ કર્યું છે. ટાટા ગ્રૂપની રૂ. 91,000 કરોડની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સુવિધા સાથે તેણે પહેલેથી જ મોટું રોકાણ આકર્ષિત કર્યું છે. વધુમાં, રિન્યુ પાવરની 2 GW સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદન સુવિધા અને 5,000 મેગાવોટનો સોલાર પાર્ક પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સીમાચિહ્નો ચિહ્નિત કરે છે. આ પ્રોજેક્ટ્સ હજારો નોકરીઓનું સર્જન કરશે અને ભારતના $5 ટ્રિલિયન અર્થતંત્ર બનવાના લક્ષ્યમાં યોગદાન આપશે તેવી અપેક્ષા છે. એક અંદાજ મુજબ ધોલેરા પ્રદેશ આગામી થોડા વર્ષોમાં 20 લાખથી વધુ લોકોના ઘર હશે.
શ્રી ખંડેલવાલે વધુમાં જણાવ્યું હતું કે, “એક્સપ્રેસ વ્યૂ સિટી એ એક એવો પ્રોજેક્ટ છે જે માત્ર નાણાકીય વળતરનું વચન જ નથી આપતું, પરંતુ તે ક્રાંતિનો ભાગ બનવાની તક પણ પ્રદાન કરે છે જે ભારતને આર્થિક મહાસત્તામાં ફેરવી રહી છે. અમે ગ્રાહકોને એક્સપ્રેસ વ્યૂ સિટીની મુલાકાત લેવા અને ભવિષ્યના શ્રેષ્ઠ અને સુખી જીવનનો અનુભવ કરવા આમંત્રિત કરીએ છીએ.”

મોરારી બાપુએ માનસ સાગર કથામાં લક્ષદ્વીપમાં પ્રવાસન વિકસાવવા સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું

 

ભારત, 12 જાન્યુઆરી, 2024: ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મહિને લક્ષદ્વીપની સત્તાવાર મુલાકાત બાદ રાજદ્વારી તોફાન સર્જાયું છે. નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી મનોહર તસવીરો કે જેમાં શાંત દરિયાકિનારા અને પાણીની અંદરના સાહસો દર્શાવવામાં આવ્યા હતાં. તેનો હેતુ લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યને દર્શાવવા માટે હતો. જોકે, આ પોસ્ટથી અજાણતાં જ માલદીવ્સ સાથે વિવાદ સર્જાયો તેમજ સોશિયલ મીડિયા ઉપર યુદ્ધ શરૂ થઇ ગયું, જે રાજદ્વારી વિવાદમાં તબદીલ થઇ ગયું.

માલદીવના યુવા સશક્તિકરણ, માહિતી અને કલાના નાયબ મંત્રી મરિયમ શિઉના અને તેમના સમકક્ષો દ્વારા અશોભનીય  ટિપ્પણીઓ કરવામાં આવી છે. જોકે, હાલમાં કાઢી નાખવામાં આવેલી પોસ્ટમાં, શિઉનાએ માત્ર મોદીની નિંદા કરી નથી પરંતુ અપમાનજનક તુલના પણ કરી હતી, જેમાં ભારતને ગાયના છાણ સાથે સરખાવવાનો સમાવેશ થાય છે.

માલદીવ સરકારે ત્વરિત કાર્યવાહી કરી અને ભડકાઉ ટિપ્પણીઓથી પોતાને દૂર રાખ્યા તેમજ અપમાનજનક ટિપ્પણી કરનાર મંત્રીઓને સસ્પેન્ડ કર્યા હતાં. સરકારે એક નિવેદનમાં સ્પષ્ટતા કરી કે ટિપ્પણીઓ વ્યક્તિગત મંતવ્યો છે અને તે સત્તાવાર નિવેદનનું પ્રતિનિધિત્વ કરતી નથી. આ ઘટના સોશિયલ મીડિયાના યુગમાં રાજદ્વારી સંબંધોના નાજુક પ્રકૃતિને ઉજાગર કરે છે.

મહત્વપૂર્ણ છે કે આ વિવાદ રામાયણના પ્રચારક પૂજ્ય મોરારી બાપુની દૂરદર્શિતાને પ્રકાશમાં લાવે છે, જેમણે લગભગ બે વર્ષ અગાઉ 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી, 2022 દરમિયાન લક્ષદ્વીપમાં ‘માનસ સાગર’ કથાનું આયોજન કર્યું હતું. આ કથાનું નામ ‘માનસ સાગર’ હતું. જેમાં તેમણે માત્ર આધ્યાત્મિક ઉપદેશો જ આપ્યા નથી, પરંતુ ભારતના ટાપુ પ્રદેશમાં પ્રવાસન વધારવાની પણ હિમાયત કરી હતી. આ કાર્યક્રમે ઘણાં લોકોને આકર્ષ્યા હતા તથા મોરારી બાપુએ સખત કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરીને 26 જાન્યુઆરી, 2022ના રોજ 73માં પ્રજાસત્તાક દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

તિરંગાના મહત્વને પ્રતિબિંબિત કરતા મોરારી બાપુએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણા ધ્વજનો કેસરી રંગ સત્યનું પ્રતીક છે, સફેદ શુદ્ધ પ્રેમનું પ્રતીક છે અને લીલો રંગ કરુણાનું પ્રતીક છે. આ પવિત્ર દિવસે દરેક ભારતીયને મારી શુભકામનાઓ. વિશ્વના દરેક ભાગમાં આપણો ધ્વજ હંમેશા ગૌરવ સાથે લહેરાતો રહે.”

મોરારી બાપુના ઉપદેશોએ હંમેશા રાષ્ટ્રો વચ્ચે એકતા અને સમજણ પર ભાર મૂક્યો છે. લક્ષદ્વીપમાં તેમની કથા, ‘માનસ સાગર’ એ પ્રદેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ભારતીયો માટે તેમના પોતાના વૈવિધ્યસભર વારસાને શોધવાની જરૂરિયાતનો પુરાવો હતો.

લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવા માટે મોરારી બાપુની અગાઉની હાકલ પ્રધાનમંત્રી મોદીની મુલાકાતની આસપાસના વર્તમાન વિવાદમાં વધારાનું મહત્વ ધરાવે છે. તણાવપૂર્ણ રાજદ્વારી સંબંધોના સંદર્ભમાં સાંસ્કૃતિક વિનિમય અને સમજણ માટેની તેમની દ્રષ્ટિ વધુ સુસંગત બને છે.

પરિસ્થિતિની જટિલતામાં ઉમેરો કરતાં તાજેતરના મીડિયા અહેવાલો દર્શાવે છે કે માલદીવમાં પ્રવાસન ભારત પર ભારે આધાર રાખે છે. વર્ષ 2023માં ભારતીય પ્રવાસીઓ દ્વારા 2,09,000થી વધુ ટ્રીપ કરવામાં આવી હતી, જે તેના પર્યટન માર્કેટનો 11 ટકા છે. માલદીવના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓએ ભારતીય રજાઓ માણનારાઓ તરફથી સખત પ્રતિસાદ આપ્યો છે, જેમાંથી કેટલાકએ તેમની નારાજગી વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. હેશટેગ #BoycottMaldives રદ થયેલી ટ્રિપ્સના સ્ક્રીનશૉટ્સ ઓનલાઇન પ્રસારિત થતાં ટ્રેન્ડ થયો.

ભારતીયોની એકતા દર્શાવતાં બોલિવૂડ અભિનેતાઓથી લઈને ક્રિકેટ ખેલાડીઓ સુધીની ભારતીય સેલિબ્રિટીઓએ તેમના ચાહકોને સ્થાનિક સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરી છે. આ સોશિયલ મીડિયા ઝુંબેશએ દ્વીપસમૂહની વેકેશન મુલાકાતોમાં અચાનક રસ જગાડ્યો છે, જે પ્રવાસીઓની પસંદગીઓને દિશા આપવામાં લોકોના અભિપ્રાયની શક્તિ દર્શાવે છે.

મલ્ટી લેવલ ટેરેસ ગાર્ડન સાથે 4 bhk આલીશાન બંગલો તમારા સપનાના ઘરને કરે છે સાકાર

 

સુરત: વર્ષ 1985માં યુનિયન રિયલ્ટીની શરૂઆત થઈ ત્યારથી, યુનિયન રિયલ્ટીએ શહેરના પોશ વિસ્તારોને આવરી લેતા ભદ્ર રેસિડેન્શિયલ, કોમર્શિયલ અને લક્ઝરી પ્રોજેક્ટ્સ દ્વારા વૈભવી અને શ્રેષ્ઠતાની દુનિયા બનાવવાનો પ્રયાસ કર્યો છે. અમારા ગ્રાહકો માટે પ્રોપર્ટી બનાવતી વખતે બે દાયકાથી વધુ સમયથી રિયલ એસ્ટેટમાં અમારી હાજરીએ અમને એક પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય રિયલ્ટી કંપની બનવા માટે બેન્ચમાર્ક સેટ કરવામાં મદદ કરી છે. 

જીવનમાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેનું પોતાનું એક ઘર હોય અને આ ઘર પોતે જોયેલા સપના મુજબનું હોય, ત્યારે તમારા સપનાના આ ઘરને સાકાર થતું જોવા માટે હવે તમારે વધુ દૂર જવાની જરૂર નથી. બારડોલી ખાતે અર્બન વીલેજ આ માટેનું ઉત્તમ વિકલ્પ છે. જ્યાં લકઝરીયસ બંગલો સાથે જ મળતી એનીમીટીસ એ શ્રેષ્ઠ કક્ષાની છે. 

અર્બન વીલેજના નિર્માતા યુનિયન ગ્રુપના ડાયરેક્ટર સુનીલ જયંતીલાલ શાહે જણાવ્યું હતું કે અર્બન વીલેજ એ સુંદર પ્રોજેક્ટ છે જ્યાં ગામડામાં શહેરની સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. મલ્ટી લેવલ ટેરેસ ગાર્ડન સાથેના 4bhk બંગલા આપણા અને આપના પરિવારની દરેક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનવામાં આવી રહ્યા છે. ખાસ બાબતએ છે પ્રોજેક્ટની અંદર જ એક વિશાળ ક્લબ હાઉસ સાથે જ નવ જેટલા ગેસ્ટ રૂમ પણ બનવામાં આવી રહ્યા છે. જેથી કોઈના ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે ગેસ્ટ ને રોકાણ માટેની પણ અનુકૂળતા મળી રહે. સાથે જ જાણીતા આર્કિટેક્ટ ઈશ્વર ગેહી દ્વારા બંગલાઓ ની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. ત્યારે એક વખત આ અર્બન વીલેજની મુલાકાત લેવાનું નહીં ભૂલતા. કારણ કે અહીંની મુલાકાત એક શ્રેષ્ઠ રહેઠાણ માટેની શ્રેષ્ઠ જગ્યા કેવી હોવી જોઈએ એની અનુભૂતિ કરાવશે. સાથે જ મુલાકાતીઓ માટે આકર્ષક સરપ્રાઈઝ પણ છે. આજરોજ આ પ્રોજેક્ટ હેઠળ બનવામાં આવેલા સેમ્પલ બંગલાનું મનીષાબેન સુનીલ શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, બારડોલી સુગર ફેક્ટરી ના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ પટેલ, દીપકભાઈ પટેલ, સરદાર અને સમીર ભાઈ પટેલ (યુએસએ) ઉપસ્થિત રહ્યા હતા. 

આ પ્રસંગે પ્રોજેક્ટના ભાગીદાર જીગરભાઈ શાહે જણાવ્યું હતું કે આજે વ્યક્તિનું જીવન શહેર ની ભીડભાડ, પ્રદૂષણ અને તણાવ થી ભરેલું છે. ત્યારે વ્યક્તિ જ્યારે આખો દિવસ કાર્યભાર મૂકી ને સાંજે ઘરે આવે ત્યારે તેને શાંત અને કુદરતી વાતાવરણની જરૂર હોય છે અને અર્બન વીલેજ વ્યક્તિની આ જરૂરિયાતને પૂરી કરે છે. ત્યારે આજના સમયમાં આ પ્રકારના વધુ માં વધુ પ્રોજેક્ટની જરૂર છે.

ચાલો સુખી જીવનના આનંદને અનબોક્સ કરીએ અર્બન વિલેજ ની સાથે.

અઠવાડિયા બાદ પણ નિરાકરણ નહીં આવતા ઔદ્યોગિક-લેબર કોર્ટના વકીલો કામકાજથી અળગા

 

સુરતઃ ઔદ્યોગિક અદાલત તથા મજૂર અદાલત નંબર-2માં વકીલો સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હેરાનગતિથી સામે સુરત લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશનને આંદોલન શરૂ કર્યું છે. એસોસિયેશનના નેજા હેઠળ તમામ લેબર લો પ્રેક્ટિશનર્સ દ્વારા 12 એપ્રિલથી બંને કોર્ટો ના કામકાજથી અળગા રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે હજી પણ યથાવત છે. 


આ અંગે એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ નિમિષ પટેલના જણાવ્યા મુજબ કોર્ટમાં ધીમી કામગીરી ચાલી રહી અને જુબાની, ઉલટ તપાસ માટે વકીલોને પૂરતી તક આપવાને બદલે ન્યાયાધીશ પોતાની મરજી મુજબ જુબાની,ઉલટ તપાસ માટે આગ્રહ રાખવામાં આવે છે.વકીલોને એક કોર્ટમાં સાંજ સુધી બેસાડી રાખી બીજી કોર્ટની કામગીરીમાં જવા દેવામાં આવતાં નથી ત્યારે આવા વર્તનથી વકીલો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી આ મુદ્દે એસોસિએશને દસ મુદ્દાઓ સાથે  ગુજરાત હાઈકૉર્ટનાં ચીફ જસ્ટિસ, હાઇકોર્ટનાં રજીસ્ટ્રાર,યુનિટ જજ હાઇકોર્ટ અને પ્રમુખ ઔદ્યોગિક અદાલતને ફરિયાદ કરવા સાથે જ જ્યારે સુધી વકીલોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી આ બંને કોર્ટની કામગીરીનો અચોક્ક્સ મુદત સુધી બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે. 12 એપ્રિલ થી લેબર લો પ્રેક્ટીશનર દ્વારા આંદોલન ચાલવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી કોઈ નીરકરણ આવ્યું નથી ત્યારે આગામી દિવસોમાં વકીલો આ બે કોર્ટના કામકાજથી અળગા રહેશે એવું ઘોષણા આજરોજ એસોસિયેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

ખાખી વર્દીની પાછળ છુપાયેલી માનવતા ના થયાં દર્શન, ડુમ્મસ પોલીસે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કરાવી ડુમ્મસની સહેલગાહ

 

સુરત. ડુમસ પોલીસ દ્વારા આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ડુમસ પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વયો વૃદ્ધ માટે અનોખો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લાવવામાં આવ્યા હતા જ્યાં તમામની સાથે પોલીસે અલગ મલકની વાતો કરી હતી

      પોલીસ ગુનેગારો માટે કડક કાર્યવાહી કરવા માટે જાણીતી છે. પરંતુ પોલીસની ખાખી પાછળ તેમની માનવતા અને સહજતા પણ રહેલી છે. તે આજે જોવા મળ્યું હતું. સુરતમાં પોલીસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઋણ સ્વીકાર નામના કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઇ જવામાં આવ્યા હતા. તેમજ તેમની ઉંમરને લગતી વિવિધ ગેમ તેમજ દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવામાં આવી હતી. જેમાં ભારતીમૈયા વૃધ્ધાશ્રમના વયોવૃધ્ધો વડીલો કે જેમણે આજીવન આપણા દેશની પ્રગતિ અને ઉન્નતી માટે કોઇને કોઇ માધ્યમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફાળો આપ્યો છે. જેથી આ વડીલોએ પોતાના જીવનમાં દેશની ઉન્નતી માટે આપેલ અનુદાનને ઋણ તરીકે ગણી, આજે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે તેવી ભાવનાને ધ્યાને રાખી તથા પોલીસ હરપળ તેમની સાથે જ છે. તેવો તેમને અનુભવ થાય તેવી શુભ આશય સહ આ વડીલોને આજે ડુમસ પોલીસ દ્વારા દરિયા ગણેશ બીચ પર ફરવા માટે લાવવામાં આવ્યા હતા.

      ડુમસ પોલીસ દ્વારા વડીલો સાથે આજે ખાસ સમય વીતાવવામાં આવ્યો હતો જેમાં પોલીસે વૃધ્ધો સાથે જીવનની વિવિધ પ્રકારની અલક-મલકની વાતો કરી હતી.તેમજ તેમની ઉંમરને લાગતી નાની-મોટી રમતો રમાડવામાં આવી હતી. દરિયા કિનારે વૃદ્ધોને પોલીસે સંગીત ખુરશી જેવી રમતો રમાડી હતી. સાથે દરીયા કિનારા પર પોલીસે ડુમસના ભજીયા ખવડાવી તમામને તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવા વિશેષ પ્રયાસ કર્યો હતો.
30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20સેકંડ માં થયો ધ્વસ્ત

 

સુરત.ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.

સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી  તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.
30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20 સેકંડમાં થયો ધ્વસ્ત

 

સુરત. ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.

સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી  તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.
જો સાવચેત નહીં રહેશો તો તમારા ઘરની બહાર પણ લાગી શકે છે આવું બોર્ડ

 

સુરત. મહાનગરપાલિકા દ્વારા હવે કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતા વધુ સક્રિય રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. છુટા છવાયા વિસ્તારોની અંદર અલગ અલગ ઝોનમાં જે પ્રકારે કોરોના સંક્રમણના સામે આવી રહ્યા છે. તે જોતા હવે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં જે પણ વ્યક્તિઓને કોરોના ગાઈડલાઈન પ્રમાણે કોરોના પોઝિટિવ થાય તો તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. એવી જ રીતે ફરીથી કોરોના સંક્રમણના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. સુરતના અલગ અલગ ઝોનમાં કોરોના સંક્રમણ પોઝિટિવ દર્દીઓને સાત દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

કોરોના સામેની લડાઈમાં અને આપણા બાળકોના જીવનને સુરક્ષિત રાખવામાં વિદ્યાર્થીઓ અને સોશિયલ મીડિયા સહાયક છે.

 

નવી દિલ્લી: તાજેતરના કોવિડ-19 અવેરનેસ કેમ્પેઇન “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” એ કોરોના વાયરસ અને તેના પ્રકારો વિશે માહિતી ફેલાવવામાં મદદ કરી છે અને વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવા સાવચેતીનાં પગલાંને પ્રોત્સાહન આપ્યું છે.

દુનિયાભરમાં હિપેટાઇટિસ, મંકી પોક્સ અથવા ટોમેટો ફ્લૂના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેનાથી આપણા બાળકોના જીવન સામે ગંભીર જોખમ ઉભુ થયુ છે. એક નવી ઝુંબેશ “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” શરૂ કરવામાં આવી છે, એક નવી જનજાગૃતિ ઝુંબેશ ખાસ કરીને સરકારને આપણા બાળકોની સુરક્ષા અને સુખાકારીની રક્ષા કરવામાં મદદ કરવા માટે તેમના વ્યવસ્થાપન અને કોવિડ પ્રોટોકોલ્સને મજબૂત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

તાજેતરમાં ટ્વિટર પર “ફાઇટ કોવિડ પ્રોટેક્શન ચિલ્ડ્રન” નંબર- 4 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું, કોવિડ-19 અને તેના રહસ્યમય પ્રકારો માટે જાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં બાળકોની સલામતી અને તેમની સુખાકારી વિશે વાત કરવામાં આવી હતી. લોકોને ચાલી રહેલા રહસ્યમય વાયરસ વિશે જાગૃત કરવા માટે ઘણા વિદ્યાર્થીઓએ કેમ્પેઇન રેલીમાં ભાગ લીધો અને સાથે ઉભા રહ્યા છે.

જ્યારે અમને સમજાયું કે યુકે અને અમેરિકા એ તેમના કોવિડ પ્રોટોકોલ હળવા કર્યા છે અને તેમના બાળકો હેપેટાઇટિસમાં ફસાઇ ગયા છે, ત્યારે આ સમસ્યાની “ગંભીરતા” સમજાઈ ગઈ હતી અને શક્ય તેટલી વધુ જાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી, અમે ઘણા લોકોને માહિતગાર અને જાગૃત કર્યા છે પરંતુ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે યુકે અને અમેરિકાનુ અનુકરણ કરીને કોવિડ પ્રોટોકોલ હળવા કરી નહીં અને કોવિડ-19 કન્ટ્રોલના પગલાં જાળવી રાખી. “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” કેમ્પેઇન કોરોના વાયરસને હરાવવાનો માર્ગ બનાવવા માટે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવાનો ઇરાદો ધરાવે છે.

WHO દ્વારા નિર્ધારિત આરોગ્યલક્ષી ભલામણો અને તબીબી માર્ગદર્શિકાને પ્રોત્સાહન આપતી વખતે આ કેમ્પેઇન ખોટી જાણકારીઓને દૂર કરવામાં મદદ કરે છે. . બાળકો અને ભારતના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે લોકોને વારંવાર હાથ ધોવા, ઘરની વસ્તુઓ સાફ કરવા માટે એન્ટિસેપ્ટિક્સનો ઉપયોગ કરવા, જાહેર સ્થળોએ માસ્ક પહેરવા, શરદી અને ઉધરસ વાળા લોકોને મળવાનું ટાળવા, સોશિયલ- ડિસ્ટન્સ જાળવી રાખવા, ભીડવાળી જગ્યાઓ ટાળવા અને તેમની સલામતીની ખાતરી કરવા માટે શક્ય તેટલું ઘરે રહેવા માટે પ્રોત્સાહિત કરે છે

“કોવિડ-19 વાયરસની મહામારી ફેલાઇ ત્યારથી, લોકોએ રોગપ્રતિકારક શક્તિની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને બાળકો તેનો મુખ્ય ભાગ છે, અને દૈનિક કેસોની સંખ્યામાં હંમેશા વધઘટ થયા કરે છે.” આ કેમ્પેઇન વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવામાં મદદ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને કોવિડ પ્રોટોકોલ જાળવવા માટે સરકારને અપીલ કરે છે તેમજ દરેક ભારતીય નાગરિક પાસેથી સમર્થન માંગે છે. જનજાગૃતિ ઝુંબેશ એ હેપેટાઇટિસ, મંકી પોક્સ અને ટોમેટો ફ્લૂ સામે જાગૃતિ ફેલાવવા અને કોવિડ સામે લડવા માટેના ઘણા બધા પગલાં પૈકીનું એક છે.

કોવિડ-19 અને કોવિડ-19 પછીના ઉપયો એ દરેક માટે સંઘર્ષપૂર્ણ કામગીરી છે. સામાન્ય સંતુલીત જીવન ખોરવાઇ ગયુ છે. જ્યારે કોવિડ-19 હજી પણ હવામાં છે, ત્યારે કોવિડ-19ના અન્ય વિવિધ પ્રકારો જેમ કે હેપેટાઇટિસ વાયરસ, મંકી પોક્સ વાયરસ અને ટોમેટો ફ્લૂ આપણા બાળકોના જીવનને જોખમમાં મૂકવા હુમલો કરી રહ્યાં છે.

આ વાયરસ આપણા બાળકોના જીવન પર કેવી અસર કરે છે અને તેના વિશે વધુ વાંચવા માટે મહેરબાની કરીને નીચેનો લેખ વાંચો: https://www.indiatoday.in/impact-feature/story/children-cannot-live-with-covid-19-and-other-mysterious-diseases-1958029-2022-06-03