ગુજરાત ખબર

કલામંદિર જ્વેલર્સે “સુવર્ણ મહોત્સવ 2.0” લોન્ચ કર્યો, તમામ પ્રકારની ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી પર જ્વેલરી-મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટની ઓફર રજૂ કરી

 

સુરત : ભારતના ફેવરિટ જ્વેલરી ડેસ્ટિનેશન અને મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં વિશાળ શોરૂમ ધરાવતા કલામંદિર જ્વેલર્સ દ્વારા તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધી ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર રજૂ કરી છે. “સુવર્ણ મહોત્સવ 2.0” અંતર્ગત આ મર્યાદિત સમયની ઑફર, સોમવાર, 15 જુલાઈ, 2024 થી તમામ કલામંદિર જ્વેલર્સ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.

સુવર્ણ મહોત્સવ 2.0, જ્વેલરી મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટ ઓફર કરે છે, જે આગામી તહેવારોની સીઝન અને આગામી લગ્નની સીઝન પહેલા આવી છે. આ અદ્ભુત ઓફર સાથે, ગ્રાહકો જ્વેલરી પ્રત્યેના તેમની લાગણી અને પ્રેમને વ્યક્ત કરવા સાથે નોંધપાત્ર બચત પણ કરી શકે છે. આ ઑફર કોઈપણ મર્યાદા વિના રજૂ કરવામાં આવી છે, જે ગ્રાહકોને 36,000+ થી વધુ ઉત્કૃષ્ટ ડિઝાઇન અને શ્રેષ્ઠ ગુણવત્તાની જ્વેલરીની વિશાળ રેન્જમાંથી પસંદગી કરવાની મંજૂરી આપે છે, જે ખરેખર આધુનિકતા અને પરંપરાનું પરફેક્ટ મિશ્રણ છે.

આ ઓફર અંગે કલામંદિર જ્વેલર્સના ડિરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે, “અમે સુવર્ણ મહોત્સવ 2.0 લોન્ચ કરતાં ખૂબજ આનંદિત અને ઉત્સાહિત છીએ. આ એક સ્પેશિયલ ઓફર છે, જેમાં ગ્રાહકો તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટનો લાભ લઈ શકે છે. આ ઑફર ગ્રાહકો માટે અમારી લક્ઝુરીયસ ડિઝાઇનની જ્વેલરીની વ્યાપક શ્રેણી નિહાળવાની અને અમારી બ્રાંડની ભવ્યતાનો અનુભવ કરવાની ઉત્તમ તક આપે છે. ગયા વર્ષે અમારી સુવર્ણ મહોત્સવ ઓફરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને હવે અમે અમારા ગ્રાહકો માટે વધુ સારી ઓફર રજૂ કરતા ખૂબજ ગૌરવ અનુભવીએ છીએ.”

હાલમાં સોનાના ભાવો સર્વકાલીન ઊંચાઈની નજીક હોવાથી, ગ્રાહકો કલામંદિર જ્વેલર્સ પાસેથી તેમની જ્વેલરીની ખરીદી પર સારી એવી બચત કરી શકે છે. આ ઑફર કલામંદિર જ્વેલર્સના ગ્રાહક-કેન્દ્રિત અભિગમનો એક ભાગ છે.

કલામંદિર જ્વેલર્સના વ્યાપક ડિઝાઈનર જ્વેલરી કલેક્શનમાં બ્રાઈડલ જ્વેલરી, બ્રેસલેટ, ચેઈન, વીંટી, મંગળસૂત્ર, કાડા, નેકલેસ, પેન્ડન્ટ્સ, ઈયરિંગ્સ, પેન્ડન્ટ સેટ અને ઘણું બધું સામેલ છે.

કલામંદિર જ્વેલર્સ, 38 વર્ષથી વધુ સમયથી તેની અજોડ ડિઝાઇન અને વિશ્વ કક્ષાની કારીગરી માટે પ્રખ્યાત છે. તેણે ગ્રાહકોના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તે તમામ પેઢીઓ અને પ્રસંગો માટે શ્રેષ્ઠ જ્વેલરી ઓફર કરે છે. કલામંદિર જ્વેલર્સ પારદર્શિતા અને ગુણવત્તાને પ્રાધાન્ય આપે છે અને પરિવારના દરેક સભ્ય માટે પસંદગીનું જ્વેલરી ડેસ્ટિનેશન હોવા પર ગર્વ અનુભવે છે.

After the Surat airport becomes international, there will be facility to go directly from Surat to Bangkok in the coming days
સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં

 

સુરતથી સીધા બેંગકોક જવાની સુવિધા મળશે

સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે

તે સાથે સુરત એરપોર્ટ પરથી શારજાહ, દુબઈ બાદ બેંગકોકની ફલાઇટની સુવિધા મળશે

આગામી દિવસોમાં વધુ ફલાઇટ મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે

તેમાં પણ દિવાળી પહેલા સુરતથી વિદેશમાં જવા માટે વધુ ફ્લાઇટ મળી શકે તેમ છે

સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થઇ ગયું છે

જ્યાં વિદેશથી ડાયમંડ બાયર્સ વેપારી માટે આવતા હોય છે

તે ઉપરાંત વિદેશ જવા માટે સીધી ફ્લાઈટની સુવિધા હોય તો ઝડપથી તેનો વિકાસ થાય

આ માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી

જેને કારણે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું

શું તમે તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધી રહ્યા છો? તો તમારી સર્ચનું સમાધાન “કુલવૃક્ષ” પાસે છે

 

કુલવૃક્ષ વંશાવળીનું ગ્લોબલ પ્લેટફોર્મ છે, જેના ડિજિટલ એકાઉન્ટ થકી તમારા પરિવાર, પૂર્વજો, ગોત્ર, કુલ સહિતનો ડેટા એક ક્લિક પર ઉપલબ્ધ છે.

ભારતીય સમાજમાં આપણા મૂળ અને વારસો જાણવાનું મહત્વ વધારે છે. આ માત્ર પરંપરા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. તમારા પૈકી ઘણા લોકો તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી અને કુલદેવતા શોધવાનો પ્રયાસ કરી રહ્યા હશે.

વંશાવળી, જેને કુલવૃક્ષ અથવા ફેમિલી ટ્રી પણ કહેવામાં આવે છે, આપણા પૂર્વજોની માહિતીનો વિસ્તૃત રેકોર્ડ છે. તેના મારફતે, આપણે જાણી શકીએ છીએ કે, આપણા પૂર્વજ કોણ હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા અને સમાજમાં તેમનું શું યોગદાન રહ્યું હતું..? શાસ્ત્રો અનુસાર પિતૃદોષ નિવારણમાં પણ પૂર્વજોના નામ બોલવામાં આવે છે, જેથી આપણે તેમના નામ જાણવા જરૂરી છે.

ગોત્ર, આપણા પ્રાચીન પરંપરાઓનો એક ભાગ છે, જે ખાસ વંશ અથવા કુલને દર્શાવે છે. તે આપણા ડી.એન.એ. ને દર્શાવે છે. દરેક વ્યક્તિનો ગોત્ર તેમના પૂર્વજોના આધારે નિર્ધારિત થાય છે અને તે આપણી ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. દરેક પૂજા અથવા કર્મકાંડમાં ગોત્રનું ઉચ્ચારણ જરૂરી છે. સાચુ ગોત્ર બોલ્યા વગર, પૂજાકાર્ય પૂર્ણ થતું નથી અને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી, શાસ્ત્રોમાં પણ તેની ઘણી માન્યતા દર્શાવવામાં આવી છે.

કુલદેવી અને કુલદેવતા, આપણા પરિવારના દેવતાઓની સૂચિમાં આવે છે. આ તે દેવતાઓ છે, જેમની પૂજા આપણા પૂર્વજો કરતા હતા અને જેમની પૂજા આજે પણ આપણા પરિવારમાં થાય છે. તે આપણા લગ્ન, વંશ વૃદ્ધિ અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે અને દરેક મુશ્કેલીથી આપણું રક્ષણ કરે છે. તેથી, આપણે સાચી કુલદેવી, કુલદેવતા વિશે જાણવું મહત્વપૂર્ણ છે. તેમની ઉપાસનાથી અપણને માનસિક શાંતિ અને આધ્યાત્મિક બળ મળે છે.

હાલ ગુજરાતમાંથી 56 હજારથી વધારે પરિવારોની વંશાવળી આ એપ પર રજીસ્ટર થઈ ચૂકી છે, તેના પ્રીમિયમ ફીચર્સનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ્સ, વિડિયો અને વોઈસ રેકોર્ડિંગ એમાં સંગ્રહ કરી શકાશે તેમજ નવી માહિતી પણ અપડેટ કરી શકાશે.

જો તમે તમારી વંશાવળી, ગોત્ર, કુલદેવી અને કુલદેવતા વિશે સાચી માહિતી મેળવવા માંગતા હો, તો તમે કુલવૃક્ષ રિસર્ચ GENEALOGIST સાથે જોડાઈ શકો છો. કુલવૃક્ષ હિન્દુ વંશાવળીનો ગ્લોબલ મંચ છે. કુલવૃક્ષ GENEALOGIST પહેલાં તમને જે જાણ છે તે વંશાવળી અને પરિવારની માહિતી લખે છે, પછી જે માહિતી સાચી નથી તે રિસર્ચ કરીને તમને જણાવી અને સમજાવી આપે છે, જ્યારે તમારી રિસર્ચ પૂરી થાય છે, તે કુલવૃક્ષના ડિજિટલ એકાઉન્ટમાં અપડેટ કરવામાં આવે છે, જ્યાં પહેલાથી જ તમારી વર્તમાન વંશાવળી લખવામાં આવી છે.

Kulvriksh વેબસાઈટ અને એપ પર તમે ફેમિલી ટ્રી બનાવી બનાવીને બાયોગ્રાફી, ફોટા અને ઇવેન્ટ્સ લખીને અપડેટ કરી શકશો, જે આજીવન ચાલશે અને આવનારા એડવાન્સ યુગમાં તમારી ભવિષ્યની પેઢીઓને આગળ જોડતી રહેશે

 તમારા પૂર્વજોની વંશાવળી માટે, તમારા દ્વારા આપેલા નામ, મૂળગામ, જાતિ વર્ણના આધારે વંશાવળી  શોધવામાં આવે છે અને સાચી વંશાવળી મળી જાય છે.  ફરી, શોધી આવેલી વંશાવળીને કુલવૃક્ષના ડિજિટલ એકાઉન્ટમાં વર્તમાન વંશાવળી સાથે જોડવામાં આવે છે. હવે, તમારી વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા, નૈવેદ્ય અને મૂળ સ્થાન  વગેરેની માહિતી હંમેશા માટે તમારી કુલવૃક્ષ ડિજિટલ એકાઉન્ટમાં સાચવી શકાય છે, જે તમારી ભવિષ્યની પેઢીને સરળતાથી મળી શકશે. સમય સમયે તમે તેમાં નવી માહિતી પણ અપડેટ કરી શકો છો. આ રીતે, તમારા વંશની ક્યારેય ન પૂર્ણ થતી યાત્રા હંમેશા માટે અમર બની જશે.

કુલવૃક્ષ સાથે જોડાવા માટે તમે કુલવૃક્ષ વેબસાઇટ www.kulvriksh.org પર જઈ શકો છો. આ ઉપરાંત પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી કુલવૃક્ષની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમારું રજિસ્ટ્રેશન કરી તમારા પરિવારની ફેમિલી ટ્રી બનાવીને તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધવાની યાત્રા શરૂ કરી શકો છો. તેમજ, તમે કુલવૃક્ષ સપોર્ટ ( 08069234400 ) પર કૉલ કરીને પણ તમારી લેખન અને રિસર્ચ યાત્રા શરૂ કરી શકો છો.

આપણા મૂળને જાણવું માત્ર અમને આપણા ઇતિહાસ સાથે જોડી રાખતું નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને પણ પુનર્જીવિત કરે છે. ચાલો, મળીને આ અમૂલ્ય ધરોહરને જાળવીએ અને આપણા પૂર્વજોને માન અપાવીએ. આ સાથે જ, તમારી ભવિષ્યની પેઢીઓને આ અનોખી ભેટ આપો.

વધુ માહિતી માટે, www.kulvriksh.org પર જાઓ.

The performance of fire marshal Vicky Patel who risked his life in the Paligam disaster was highly commendable: President Ed. Sahin Malek
પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:

 

Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.

આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.

જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

Aam Aadmi Party corporators led by opposition leader Payal Sakaria presented a petition to Mayor Dakshesh Mavani:
વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:

 

Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.

વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.

પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.

આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.

વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.

પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.

Surat city Limbayat police taking legal action based on viral video
વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ

 

Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે

In the interest of the municipality, the Tantra should contact the cow lovers of the city and the cow husbandry organizations and insist on buying at a reasonable price: Maheshbhai Anghan
સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ

 

પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ

Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.

મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.

Under the chairmanship of Commissioner of Police Anupamsingh Gehlaut, a Lok Durbar was held for Zone-4 at Athwalines under the 'Campaign Against Usury'.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો

 

લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત

Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.

આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.

આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Surat District: Natural Agriculture 'Lekhmala-I'
સુરત જિલ્લો: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧’

 

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક(ગૌ આધારિત) કૃષિને મળી રહ્યું છે પ્રોત્સાહન: પ્રાકૃતિક ખેતી, તેના ફાયદા અને ધ્યેય વિષે આટલું જાણીએ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક(ગૌ આધારિત) કૃષિને મળી રહ્યું છે પ્રોત્સાહન: પ્રાકૃતિક ખેતી, તેના ફાયદા અને ધ્યેય વિષે આટલું જાણીએ:

ન્યૂનતમ ખર્ચ-મહત્તમ નફો’: રાસાયણિક ઝેરી તત્વો વિના શુદ્ધ અને ગુણવતાસભર ઉત્પાદન માટેની સરળ અને ઉત્તમ ખેતપદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ

Surat News: ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા ભારપૂર્વક આહ્વાન કરાઇ રહ્યું છે. અને તે માટે ખેતીવાડીની વિવિધ યોજનાઓને આધારે ખેડૂતોને સહાય પણ આપવામાં આવી રહી છે. ત્યારે આજે પ્રકૃતિ ખેતી એટલે શું, તેના ફાયદા અને મુખ્ય ધ્યેયો વિષે વિસ્તૃતમાં સમજીએ.

પ્રાકૃતિક ખેતી એટલે શું?

કૃત્રિમ ખાતર, કૃત્રિમ જંતુનાશકો, બાહ્ય સામગ્રી કે સંસાધન વિના જીવ, જમીન, પાણી અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર કુદરતી સાધન સામગ્રી વડે ન્યૂનતમ ખર્ચ, વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવતા સાથે થતી ખેતી એટલે ‘પ્રાકૃતિક ખેતી’. જેમાં માત્ર એક દેશી ગાય થકી ૩૦ એકર(૭૫ વીઘા)માં ખેતી થઈ શકે છે.

પ્રાકૃતિક ખેતી શા માટે?

લાંબા સમયે હરિત ક્રાંતિ અને રાસાયણિક ખેતીથી આજે ખેડૂતોની જમીન, પાણી, પર્યાવરણ, પાકો, બિયારણો વિગેરે દૂષિત થયા અને પાકોની ગુણવત્તા બગડી, ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું, જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઉપર અસર થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી, ઉત્પાદન ખર્ચ વધ્યો, પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ વધ્યું. પરિણામે પર્યાવરણ, મનુષ્ય, પ્રાણીના સ્વાસ્થ્ય ઉપર તેની વિપરીત અસર થઈ. દેશની વધતી જતી વસ્તીને અન્ન પુરવઠો પૂરો પાડવા ઘનિષ્ઠ પાક ઉત્પાદન પદ્ધતિઓને હિસાબે ઉભી થયેલી સમસ્યાઓથી જમીન, પાણી, પર્યાવરણ અને ખેતી દ્વારા થતું ઉત્પાદન ઝેરી તત્વોના અંશોવાળું થવાથી મનુષ્યોમાં અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યું અને રોગ પ્રતિકારકતા ઘટી છે. જેથી જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, ખેતી ઓછી ખર્ચાળ કરવા, તંદુરસ્ત તથા ગુણવત્તા યુક્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને સરળ અને સારી ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે.

પ્રાકૃતિક ખેતીના ધ્યેયો:

પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બહારથી ન લાવતા ઘરે જ તૈયાર કરી તેનો ઉપયોગ કરવો. ફક્ત દેશી ગાયના ગોબર-ગૌ મૂત્ર દ્વારા બનાવેલા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા વધારવી. ઢોર ખાઈ નહીં અને ગામમા સરળતાથી મળી રહેતી રોગ જીવાત પ્રતિકારક વનસ્પતિનો તેના નિયંત્રણ માટે ઉપયોગ કરવો. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ધ્યેય ખેડૂતોની આવક વધારી ગામડાઓ સદ્ધર બનાવવા અને ગ્રામ સ્વરાજનો ઉદ્દેશ સિદ્ધ કરવાનો છે.

A youth committed suicide due to the torture of usurers in Surat
સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત

 

Surat Udhana News: ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મૃતક કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો.

જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી

રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.

જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો.

વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં.

માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી

મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી.

માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું.

જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.