
નવા ફોજદારી કાયદાઓ પર જાગૃતિ સત્ર: વિદ્યાર્થીઓ અને કેડેટ્સને માહિતીપ્રદ પ્રવચન
વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી, સુરતના NCC અને NSS એકમોએ 13 જૂન, 2025ના રોજ મારફતિયા હોલ ખાતે “નવા ફોજદારી કાયદાઓ” પર જાગૃતિ સત્રનું આયોજન કર્યું હતું. સત્રમાં ડો.સી.એ. ક્રિષ્ના દેસાઈ, (Dr. C.A. Krishna Desai)સહાયક પ્રોફેસર, સંસાધન વ્યક્તિ તરીકે હાજર રહ્યા હતા. સંસાધન વ્યક્તિએ નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા અને જૂના, બિનજરૂરી સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવાની જરૂરિયાત સમજાવી જે ભારતીય લોકો પર શાસન કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેમના કલ્યાણ માટે નહીં. તેણીએ વિદ્યાર્થીઓને જાણ કરી કે IPC, ICPrC અને IEA હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શકહ્યા અધિનિયમ સાથે બદલાઈ ગયા છે.
વધુમાં, તેણીએ જૂના કાયદાઓમાં મુખ્ય ફેરફારો અને ફેરફારો વિશે ચર્ચા કરી. તેણીએ નીચેના સ્વાગત પગલાઓને પ્રકાશિત કર્યા –
- નવા કાયદા લિંગ તટસ્થ છે,
- 33 નવા ગુનાઓનો ઉમેરો,
- નવી સજાનો ઉમેરો – સમુદાય સેવા
- એક પ્રકરણમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની પુનઃરચના
- લઘુમતી વયની પુનઃ વ્યાખ્યાયિત, દસ્તાવેજની વ્યાખ્યાના અવકાશમાં ફેરફાર, તૃતીય લિંગનો સમાવેશ – ટ્રાન્સજેન્ડર સમુદાય
- શૂન્ય FIR
- ઈ-પુરાવા, સમન્સ અને જુબાની
- ઓડિયો વિડિયો રેકોર્ડિંગ શોધ અને જપ્તી
- કોર્ટ કેસો અને ચુકાદાઓની ઘોષણા પૂર્ણ કરવાની સમયમર્યાદા.
કાર્યક્રમનું સંકલન ડો.તન્વી તારપરા અને ડો.અવની શાહે કર્યું હતું. સત્રમાં 100 NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ડૉ. કિષ્ના દેસાઈએ નવા ફોજદારી કાયદાઓની ઊંડાણપૂર્વક ઝાંખી પૂરી પાડી હતી, જેમાં નોંધપાત્ર ફેરફારો અને નાગરિકો પર તેની અસરો પર ભાર મૂક્યો હતો. સત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉપસ્થિતોને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 વિશે શિક્ષિત કરવાનો હતો, જેથી તેઓ નવીનતમ કાનૂની વિકાસ વિશે સારી રીતે માહિતગાર હોય.
સત્રને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ઉપસ્થિતોએ માહિતીપ્રદ સામગ્રીની પ્રશંસા કરી હતી

મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા
BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.
આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ
ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો
Lajpur News: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી(hard sanghvi)એ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે દયાળજી બાગ ખાતે તરંગ મેળાને ખુલ્લો મુકાયોઃ
ખેડૂતો દ્વારા સંચાલિત ૪૦ જેટલા એફપીઓ પાસેથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની તકઃ
Surat News: સુરત શહેર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન ” તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મેળો રવિવાર સુધી ખુલ્લો રહેશે.
તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતા ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ, મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય છે.
આ અવસરે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ, ડેપ્યુટી ડીરેકટર એગ્રિકલચર, DGM નાબાર્ડ,DDM નાબાર્ડ અને વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.

સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના ધો.૧૦ સુધી ભણેલા ચંદનભાઈ રાજ્ય સરકારની ઓછા વ્યાજ દરની લોન સહાય યોજનાથી બન્યા પગભર: રૂ.૫ લાખની લોન મેળવી ખરીદી ઈકો ગાડી
Surat Umarpada Taluka: યુવાધન આગળ વધી સમજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂ.૫ લાખની કિંમતની ઈકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકા વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, મારી માતા સહિત અમે પરિવારમાં ૪ સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ ૯ પાસ કરી શક્યો હતો. ધોરણ ૧૦માં અનુત્તીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિષે જાણકારી આપી હતી. જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર ૪ ટકાના વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા ખેતીકામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું, અને મારા પરિવારનું સરળતાથી ભરણ-પોષણ કરી શકું છું એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદનભાઈ વસાવાની ધો.૧૦માં અનુત્તીર્ણ થયા છતાં કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ
Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના
અમદાવાદ : ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.
આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.
કંપની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.
ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગસાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.
For more information, please visit: https://www.fonebook.in/

સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ
1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું
લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું
માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.
આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,
જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.
લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.
પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.

ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના પ્રયત્નથી દરજી સમાજ નું પ્રથમ દેહદાન
લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખશ્રી તેમજ સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ર્ડો. પ્રફુલભાઇ શિરોયા સાહેબ ની ચક્ષુદાન મહાદાન ની સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવા માં ખુબજ અગત્ય નો ફાળો છે આવોજ કિસ્સો સુરત ના પુણાગામ , ૩૫ કલ્યાણનગર માં રહેતા ને હોમગાર્ડઝ માં માનદસેવા આપતાં તુષારભાઈ સોલંકી ના ધર્મપત્ની સ્વ. જ્યોતીબેન તુષારભાઈ સોલંકી ઉ. વર્ષ.52 નુ ટૂંકી માંદગીઃ બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેને દેહ દાન કરવા નો સંકલ્પ કર્યો હોય જયારે તેમના અવસાન પેલા બે દિવસ અગાવ તેમના શરીર નુ દાન કરવાનું જણાવેલ સ્વર્ગસ્થ ના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતી દ્વારા ડૉક્ટર પ્રફુલભાઇ શિરોયા સાહેબ ને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજ મા દેહદાન અર્પણ કર્યું . દેહદાન જાગૃતિ અંગે ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું હોય સ્વર્ગસ્થ ના પરિવાર માં તેમજ સમસ્ત દરજી સમાજ નુ આ પ્રથમ દેહદાન હોય ઉપરોક્ત દેહદાન સ્વર્ગસ્થ ના પતિ તુષારભાઈ માવજીભાઈ સોલંકી સ્વર્ગસ્થ ના જેઠ નટુભાઈ માવજીભાઈ સોલંકી, તેમના બાળકો ડૉક્ટર દીપાલીબેન સોલંકી, જીગરભાઈ સોલંકી, ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થ ની બોડી નુ દાન આપી આ સમાજ ને ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે

આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂ અંગે મોટો ખુલાસો કર્યો.
ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી Deshi અને વિદેશી Videsi દારૂ પર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.
ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા
એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર સાવા
આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા
જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા
અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.
અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત

રાજકોટ TRP GAME ZONE પ્રકરણમા નવો અધ્યાય:
કન્ઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમા નોંધવામા આવ્યુ છે કે રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP GAME ZONE ના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામા આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે TRP GAME ZONE ની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામા આવેલ હતો.
તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.
ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ
પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શન હેઠળ કોમ્પનસેશન અને પ્યુનિટીવ ડેમેજીસની દાદ મંજૂર કરવા આ ફરિયાદમા રજૂઆત કરાઈ છે.
આ તકે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદના કાર્યને પોતાનુ સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામા આવશે નહી તેવુ જાહેર કરવામા આવેલ છે.
અત્રે એ પણ નોંધનીય બાબત બની રહેશે કે અગાઉ કન્ઝ્યુમર બાર તથા રાજકોટ બાર દ્વારા આરોપીઓ તરફે વકીલ તરીકે ન રોકાવા અનુરોધ કરવામા આવ્યો છે તેનુ પાલન થશે કે નહી.
આ ફરિયાદને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે. આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે.
એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની દ્વારા જાહેર કરવામા આવેલ છે કે TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ મૃતકો પૈકી ગ્રાહકની વ્યાખ્યામા આવતા કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. આ કાર્ય બદલ અને સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે આ પ્રકારની નિષ્ણાંત સેવા પુરી પાડવા બદલ રાજકોટ ગોરવ અનુભવે છે.

સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું
UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો
તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી
પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.
પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.
હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.
ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી
પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું
2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.
કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.
ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.

પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:
Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.
આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.
જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:
Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં ૭ નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.
વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.
પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.
આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.
વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.
પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.

આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.
- અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
- અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
- વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
- શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
- શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.

વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ
Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે

સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ
Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત
Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
Surat Udhana News: ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મૃતક કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો.
જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી
રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.
જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો.
વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં.
માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી
મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી.
માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું.
જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન
News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ ગઝલકાર અને વીર નર્મદ યુનિ.ના ગુજરાતી વિષયના અધ્યાપક(Dr. Amit) ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ શ્વાસ સંશોધનગ્રંથો ગઝલપ્રવેશ રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ અને રાજેશ વ્યાસનું ગઝલકર્મ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય સંશોધન રાષ્ટ્ર સંસ્કૃતિ સમાજ સંસ્કાર પર્યાવરણ બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો
ગુજરાત સરકારના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો તેમજ પોતાના રોજના વ્યવહાર માં રમત ની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્ઝ પ્રીમીયર લીગ બોક્સ ક્રિકેટ નું આયોજન જી બી પટેલ સ્પોર્ટ કોમલેક્સ, પ્રિયંકા સર્કલ પાસે, ભેસ્તાન મા સચીન યુનિટ ના હોમગાર્ડ્ઝ ના સહયોગ થી કરવામાં આવેલા.
સુરત ના રાંદેર યુનિટ, સચીન યુનિટ, એ ઝોન, બી ઝોન, સી ઝોન, સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચે ક્રિકેટ મેચ નું આયોજન કરવા મા આવેલ જેમાં ફાઇનલ મેચ મા સચીન યુનિટ અને એ ઝોન વચ્ચે ખારા ખારી નો જંગ હતો. સચિન ની ટીમ દ્વારા ૧૭૨ રન બનાવ્યા હતા. સરુઆત ની અવરોમાં એ ઝોન ના બેસ્ટમેન સારૂ રમ્યા હતા. પરંતુ સચીન ના બોલરો સામે ટકી સ્ક્યા નહતા.
હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ્લ શિરોયા એ સચિન યુનાટ ની ક્રિકેટ ટીમ ને વિજેતા અને એ ઝોન ની ટીમ ને રનર્સ અપ જાહેર કરી હતી.
ગૃહ મંત્રી શ્રી સંઘવીસાહેબે વિજેતા ટીમ ના અધિકારી થોમસ પઢારે તેમજ કેપ્ટન પ્રવિણ, ટીમ ના સભ્યોને મેડલ અને રનર્સ અપ ટીમ ના અધિકારી દિનેશ પરમાર અને કેપ્ટન ડી પી મિસ્ત્રી તેમજ બેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન યુનિટ ના અરમાન અંસારી અને બેસ્ટ બોલર તરીકે સી ઝોન ના ડી પી મિસ્ત્રી ને અભિનદન અને કપ આપીને સન્માન્યા હતા.

સુરત : ભેસ્તાન વિસ્તારની ઘટના
Surat Bhanodra News: સુરતના એકલારા-ભાણોદ્રા રોડ પર ભેસ્તાન વિસ્તારમાં એક ઘટના ઘટી હતી. અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળ્યું હતુ. આ ડ્રમ પર લાશ હોવાની સંભાવનાથી પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. રાત્રે ડ્રમના કટરથી સિમેન્ટ ભરેલું પણ મળ્યું હતુ અને તેમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવી હતી. પછી લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી-સિમેન્ટ સાથે ભરી દીધું અને તેને ફેંકી દેવાયું હતુ. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ થાય છે.

સુરત વેસુ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈડ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત
Surat Vesu News: રોહિત હાટીલા, ૨૫ વર્ષનું યુવક, સુરતના વેસુ વિસ્તારમાં વરસાદી પાણી કાઢવા જતા કામદાર હતા. બાકી કામદારો પરાંત પાણીનું નિકાલ કરવા માટે સાફ-સફાઈ કરતા હતા. રોહિતે પણ પાણી નિકાળવાની કોશિશ કરી હતી, પરંતુ પડી જતા વિષેને તેને તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. સારવાર મળી, તેની પહેલા જ રોહિતને મૃત્યુ થઈ હતી.

લગ્નેતર સબંધનો કરુણ અંજામ..
ગુજરાતના રુદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો હતો. અઠવા પોલીસે આ વારંવારની ક્રિમિનલ રાજનીતિને ધ્યાનમાં લેતી હોઈ બે આરોપીઓને ધરપકડ કર્યું.
આડાસબંધ રાખનાર દીપેશ અને તેની પત્ની વિશે જાણ થતાં, દીપેશે તેમણે પત્નીના ભાઈ સાથે મળીને પ્રેમની સંબંધો જાહેર કર્યા હતા. આ કારણે મૂઢ મારી હત્યા થઇ હતી.
અઠવા પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ કરી હતી.

સુરતમાં ભાજપ અને રાહુલ ગાંધીનો વિરોધ
Surat News: ભાજપના મોટા સંખ્યામાં કાર્યકર્તાઓનું સંયુક્ત વિરોધ હવે સુરતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગાવટમાં જાહેર થયું છે. રાહુલ ગાંધીને વિરોધમાં લઈને “હાય હાય ના નારા” પણ લાગાવવામાં આવ્યું છે. આ સમયે ભાજપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ પ્રકરણને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે.

અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ડૉકટર ડે ની ઉજવણી…
Surat Varacha News: વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં બાલભવન વિભાગમાં ડૉકટર ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓ વિવિધ વ્યવસાયકારો જેવા કે ડૉકટર પોલીસ વકીલ સૈનિક લુહાર સુથાર મોચી બાબર કુંભાર કડીઓ વેપારી વગેરે આપણા વ્યવસાયક આરોના પહેરવેશમાં આવી એ વ્યવસાયકરોના કાર્યો,ઓજારો એમની સમાજમાં જરૂરિયાત વિશે માહિતી બાળ કલાકારોએ સુંદર રજૂઆત કરી. વિવિધ વ્યવસાયકારોના પાત્રનો સુંદર અભિનય પણ શાળાના બાળ કલાકારો અને શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ બાલભવનના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સારી રીતે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું.

જિલ્લામાં ધોધમાર વરસાદ
સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ
કુંભારીયા ગામમાં ભરાયા પાણી
કુંભારીયા ગામના પાદર ફળિયામાં ભરાયા પાણી
પાદર ફળિયા ના ઘરો પાણીમાં ગરકાવ
પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ
ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
સુરત મહાનગરપાલિકા ની ટીમ સ્થળ પર પહોંચી
જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો
ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો
મહાનગરપાલિકા ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી

સુરતના જૂની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો
જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં, વરસાદ ને પગલે જૂની સિવિલ હોસ્પિટલ ના ચોથા માળે થી પાણી ટપકી રહ્યું. જનરલ વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. હાલાકી વચ્ચે પણ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા. તંત્ર દ્વારા માત્ર કોથળીની બેગ મૂકી સંતોષ માનવામાં આવી રહ્યું.

ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદ: પ્રી-મોનસુન કામગીરી ફેલ
સુરત: ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદથી સપષ્ટ થાય છે કે, પ્રી-મોનસુન કામગીરી પૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.

સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર: ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
Surat News: સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે એક માર્ગદર્શિકા જાહેર કરાય છે. જે અનુસાર જંતુનાશક દવાઓ બાળકોની પહોંચથી દૂર જ રાખવી જોઈએ. શક્ય હોય તો તેને એક રૂમમાં રાખીને તાળું મારી દેવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ. જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઈએ. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.
અને જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ચશ્માં તથા ગમબુટ અવશ્ય પહેરવા જોઈએ. વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાનો છંટકાવ કરતી વખતે સમયે શરીર પર જંતુનાશક દવા ન પડે તેની ખાસ કાળજી રાખવી. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જંતુનાશક દવાને શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, કોઇપણ વસ્તુ ખાતા કે ચાવતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા જોઈએ. જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો.
અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જંતુનાશક દવા વાપરી હોય તેવા ડબ્બાનો સંગ્રહ કરવા કે અન્ય કોઇપણ ઉપયોગ માટે વાપરવા જોઈએ નહીં. દવાના વરાયેલા ખાલી ડબ્બાઓ, બોટલોને તોડીને તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેર્યા હોય તે કપડાંને પાણીથી ખૂબ સારી રીતે ધોવા જોઈએ.
ધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ ઉપયોગ કરવો. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અઘિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામમક(વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે એમ ખેતીવાડી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સુરત: વેસુમાં વરસાદના કારણે રોડ બેસી ગયો
પ્રશ્નચિહ્નવાળા રોડની સ્થિતિ:
- ભારે વરસાદના કારણે: અતિશય વરસાદને કારણે રોડ બેસી ગયો.
- અગાઉના મરામત: અગાઉ પણ પેચ વર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ તે અભાવગ્રસ્ત સાબિત થયું.
ફરી વાર ગાબડા:
- વસ્તુપ્રમાણ: રોડ પર ફરીથી ગાબડા પડ્યા છે, જે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.
- ભ્રષ્ટાચારની ભીતિ: ભ્રષ્ટાચારના ગાબડાં હોવાનું લોકોમાં મંતવ્ય છે.
પ્રતિસાદ:
- સ્થાનિકોનો રોષ: રોડની આ હાલતને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
- મનપાની કામગીરી: આ ઘટના મનપાની પ્રિ-મોન્સૂનની કાર્યક્ષમતાને પ્રશ્નચિહ્ન લગાડે છે.
વિગતવાર માહિતી:
- સ્થાન: વેસુ
- પરિસ્થિતિ: પ્રથમ મરામત પછી ફરી વાર ગાબડા પડ્યા.
ભ્રષ્ટાચારના ગાબડા
ભારે વરસાદે વેસુમાં રોડ બેસી જવાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે, જે પહેલા થયેલા પેચ વર્કની ગુણવત્તાને પ્રશ્નચિહ્ન બનાવે છે.

સુરત : રથયાત્રા પહેલા શહેર SOG ની કાર્યવાહી.
SOG દ્વારા લીંબાયત વિસ્તાર માંથી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસે થી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મુંબઈ માં 1993 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ દરમ્યાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો.
મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવી ne મૂકી રાખી હતી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર ના પિતા મુંબઈ બૉમ્બ લાસ્ટમાં મોત થયું હતું.

સુરત: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન
ઉચ્ચ વ્યાજદરમાં પૈસા આપી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી
લોક દરબારની આયોજક:
- જગ્યા: ભાઠેના વિસ્તારનો કોમ્યુનિટી હોલ
- સુવિધા: સુરત શહેર ઝોન બે
લોક દરબારની વિગતો:
- હેતુ: લોકોની વ્યાજખોરીની સમસ્યાઓ સાંભળવી અને ઉકેલ લાવવો
- મુખ્ય વિષય: ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરબી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરાય છે.
પોલીસની કાર્યવાહીઓ:
- વ્યાજખોરો સામે: ઊંચા ભાવે વ્યાજ આપનાર ઈસમો સામે કડક કાર્યવાહી
- સ્થાન: ઉધના, ડિંડોલી, લીંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર
લોકોની હાજરી:
- મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા
- લોકોની સમસ્યાઓ સાંભળી પોલીસ દ્વારા સમાધાનના પ્રયત્નો
લોન માટેની સમજણ:
- માર્ગદર્શન: લોકોને સમજણ આપી સરકારી બેંકોમાંથી લોન મેળવવામાં મદદ માટે પોલીસના પ્રયત્નો
સુનિશ્ચિતતા
શહેર પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના હિત માટે મહેનત કરી રહી છે.

વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…
Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.

સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર
કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.
સુરતની VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ.
MLA કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખી.
GCAS પોર્ટલ પરથી આપવામાં આવેલા કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થતાં લખ્યો પત્ર.
છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યવ્યાપી કરાઈ રહ્યો છે વિરોધ

ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ સુરતના યુવકોના ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓ પકડાયાં.
Surat Umarpada news: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બી.કે. વનાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, સુરત વિભાગના સુપરવિઝન હેઠળ એ.ડી. સાંબડ, પો.સ.ઈ, ઉમરપાડા પો.સ્ટે. દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન, હકીકત મળી કે મગદુમ નગર વ્યારા ખાતે રહેતો સલમાન ગફ્ફાર કાકર ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ છે. તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી, સલમાન ગફ્ફાર કાકરને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો.
સલમાને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ ગામીતે અફઝલ શેખ સાથે મળીને સુરતથી બે વ્યક્તિઓને લાવવાનું કામ આપ્યું હતું. તેના માટે, પ્રજ્ઞેશભાઈએ પંદર-પંદર હજાર રૂપિયા આપવાની વાત કરી. સલમાન, તેના સંબંધી આસિફ અને મિત્ર વિશાલ રાણા સાથે મળીને ઉમરપાડા પહોચી અને બન્ને વ્યક્તિઓ બિલાલ ચાંદી અને અઝહરૂદિન ઉર્ફે અજ્જુ શેખને બાંધી નાખ્યા.
અફઝલ અને પ્રજ્ઞેશના જણાવ્યા મુજબ, બિલાલ અને અઝહરૂદિનને અફઝલના જુના મકાનમાં બાંધી મૂકીને, આકાજ 90,000 રૂપિયા લીધા.
પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:
- સલમાન ગફ્ફાર કાકર
- સરનામું: ઘર નંબર 707, મગદુમ નગર, વ્યારા, તા. વ્યારા, જી. તાપી.
- આસિફ સલીમભાઈ કાકર
- ઉંમર: 30, સરનામું: મગદુમ નગર, વ્યારા, જી. સુરત.
- વિશાલભાઈ રાજુભાઈ રાણા
- ઉંમર: 32, સરનામું: ગોલવાડ ગામ, ટાંકી ફળીયુ, તા. વ્યારા, જી. તાપી.
અન્ય વિગતો:
- એફઆઈઆર નંબર: xx/yyyy
- તારીખ: DD-MM-YYYY
- કાયદેસરની કામગીરી: આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ
મુખ્ય અધિકારીઓ:
- પોલીસ મહાનિરીક્ષક: પ્રેમવિર સિંગ
- પોલીસ અધિક્ષક: હિતેશકુમાર જોયસર
- વિભાગીય પોલીસ અધિકારી: બી.કે. વનાર
- પો.સ.ઈ: એ.ડી. સાંબડ

સચિન પોલીસ સ્ટેશનના લોકપમાં વિડીયો વાયરલ મામલો
Surat news: સચિન પોલીસે વિડીયો ના આધારે યુવકની કરી અટકાયત એક વર્ષ પહેલા પકડાયેલ સુબોધ ધર્મેન્દ્રભાઇ રમાણી એ વિડીયો બનાવ્યો હતો.
વિડિયો બનાવેલ જે ભુલ સમજાતા માફી માંગેલ અને ભવિષ્ય માં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપવામાં આવેલ સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી.
જ્યારે જેલની બહાર વિડીયો ઉતારનાર ની પણ બાળ કિશોરની અટકાયત કરી.

ડિંડોલી વિસ્તારની બંધ દુકાન માં આગ લાગી
Surat News: સુરતના ડિંડોલી વિસ્તાર માં આવેલડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યાં દુકાન માંવેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજથી દુકાન માં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે અને ત્યાં વેલ્ડીંગ નું કામ ચાલતું જ હતું .
ત્યાં વેલ્ડીંગ દરમ્યાન તણખાના ના કારણે આગ લાગી હતી જ્યાં 3 બંધ દુકાનના શટર ઉડ્યા હતા જ્યાં ગેસ લાઈનની ચેમ્બરમાં વેલ્ડીંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
વેલ્ડીંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો.

ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય.
Surat news: સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા.
એક પંચરની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.
પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું.
પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરએ સાપ રેસ્ક્યુ કર્યું હતું.
ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એક થી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી.
સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.

ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતના ખિલાડીઓ ઝળકિયા.
Surat News: યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્દોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 . સ્ટેટ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા તેમજ તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાત અને તેના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત ના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને 14 ગોલ્ડ મેડલ 15 સિલ્વર મેડલ તેમજ 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા બદલ. સુરત ના કરાટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ સુરતી જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા તેમજ ખજાનચી અમલેશભાઈ બાવરીયા. ખિલાડીઓની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.

વિદ્યાર્થી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી – આઇડિયા પિચિંગ ઈવેન્ટ, સાર્વજનિક યુનિવર્સિટી
સુરત: સાર્વજનિક યુનિવર્સિટી (SU), સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની પ્રથમકપાળ હેઠળ, વિદ્યાર્થી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી (SSIP) 2.0 અંતર્ગત આઇડિયા પિચિંગ ઈવેન્ટનું સફળ આયોજન કર્યું. આ પોલિસી ગુજરાત સરકારની શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.
SUએ ગુજરાત નોલેજ સોસાયટી (GKS) સાથે સ્મજૂતી પત્ર (MoU) હસ્તાક્ષર કર્યા છે અને 2023–2027 માટે સ્ટુડન્ટ ઇનોવેશન ફંડ (SIF) મેળવ્યો છે. આ ફંડ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સને SSIP ગ્રાન્ટ દ્વારા સપોર્ટ કરવા માટે આપવામાં આવે છે.
ઈવેન્ટમાં 30 ટીમોએ પોતાના વિચાર રજૂ કર્યા:
• 15 ટીમોને PoC માટે ગ્રાન્ટ મળી,
• 13 ટીમોને IPR અને PoC માટે ગ્રાન્ટ મળી,
• 2 ટીમોને માત્ર IPR માટે ગ્રાન્ટ મળ્યો.
પ્રમુખ પ્રોજેક્ટ્સમાં ParkMaster, Detachable Glasses, CLOSFIT, ReBrick, Martini Bar Chair, Glamophone Dressing Table, NUTRIPOT INDIA, Ecofriendly Scrubbing Soap, Medi Tape, Milk Detection Test Strip, Smart Robotic Arm, Ensky Drone Delivery, VisionSentinel અને Anti Vape Detection Device વગેરે સમાવિષ્ટ છે. ગ્રાન્ટ રકમ ₹50,000 થી ₹2,40,000 સુધી હતી, કુલ ₹23,74,500+ આપવામાં આવી.
ઈવેન્ટનું સંચાલન ડૉ. દર્શન માર્જડી અને ડૉ. રૂપાલ સ્નેહકુંજ દ્વારા કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપનાર: ડૉ. દિવાલી કસાત (સૂ. SSIP સેલ), ડૉ. કિરણ પંડ્યા (પ્રોવોસ્ટ, SU) અને શ્રી અશિષ દેસાઈ (રજિસ્ટ્રાર, SU).
જ્યુરીમાં: મીસ. મીરા શર્મા, શ્રી સૌરભ પાછેરિવાલ, શ્રી અનીલ સારાઓગી, શ્રી સંજય પંજાબી, મીસ. રિચા ગોયલ, શ્રી કમલેશ ઠક્કર, મીસ. ગુણજ પટેલ, શ્રી નચીકેત પટેલ, શ્રી તેજસ બંગાળી, શ્રી વિશાલ શાહ.
આઈવેન્ટે વિદ્યાર્થીઓમાં નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવાની SUની પ્રતિબદ્ધતા અને સરવાજનિક એજ્યુકેશન સોસાયટીની પ્રેરણાત્મક ભૂમિકા દર્શાવી.

ગોલ્ડી સોલાર ધ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે વિશ્વના સૌથી મોટા સોલાર મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું
સૌર ઉર્જામાં સ્મ્રુતિરૂપ નમો સૌર સમ્રાટ
અર્થપૂર્ણ પરિમાણ: 75 વર્ષ નિમિતે 75 ઇય
અધતન TOPCon ટેકનોલોજી દ્વારા સંચાલિત
ભારતની સ્વચ્છ ઉર્જાક્ષેત્રની મહત્વાકાંક્ષાઓને વેગ આપવા તરફ
સુરત, ગુજરાત: 17 સપ્ટેમ્બર 2025 માનનીય પ્રધાનમત્રી શ્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમના આયોજન સાથે ભારતના સૌથી મોટા સોલાર પીવી ઉત્પાદક ગોલ્ડી સોલાર ધ્વારા પ્રસંગોચિત “નમો સૌર સમ્રાટ નામે-વિશ્વના સૌથી મોટા સોલાર પીવી મોડ્યુલનું અનાવરણ કરવામાં આવ્યું. આ (વિશ્વમાં સૌથી મોટા) રેકોર્ડ-બેકિંગ મોડ્યુલનું ઉત્પાદન ગોલ્ડી સોલારના ગુજરાત ખાતે કોસબા સ્થિત એકમમાં કરવામાં આવ્યું હતું, જે પ્રધાનમંત્રીશ્રી ના દૂરદેશી નેતૃત્વ અને ભારતની નવીનીકરણીય ઉર્જા ક્રાંતિની ઉન્નતિ માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિકાત્મક અંજલિ તરીકે રજુ કરવામાં આવ્યું હતું.
“નમો સૌર સમ્રાટ” એક સૌર પેનલ હોવા ઉપરાંત વિશેષત: ભારતીય નાવિન્યના નવા યુગને વ્યાખ્યાયિત કરતી, સ્કેલ, ચોકસાઇ અને મહત્વાકાંક્ષાનું મૂર્તિમંત સ્વરૂપ એક ઉત્પાદકીય અજાયબી છે. ગોલ્ડી સોલાર તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ પહેલ વૈશ્વિક સ્તરે સૌર ઊર્જા ક્ષેત્રે ભારતને અગ્રેસર રાખવામાં વડા પ્રધાનશ્રીની મુખ્ય ભૂમિકાની ઉજવણી છે. સૌર પીવી ઉત્પાદનમાં ચીન ધ્વારા પહેલ કરવામાં આવ્યા બાદ. ભારત આજે સર્વોચ્ચ આત્મનિર્ભરતાની રજૂઆત કરે છે – જે સાબિતી છે કે જ્યારે વિશાળ સ્તરે આત્મનિર્ભરતાની વાત આવે ત્યારે ભારત સૌથી આગળ છે.

વડા પ્રધાનશ્રીના ૭૫મા વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને ૭૫ ઇંચ પહોળાઈ
વડા પ્રધાનશ્રીના ૭૫મા વર્ષના પ્રતિકાત્મક રૂપે મોડ્યુલને ૭૫ ઇંય પહોળાઈ અને ૧૫૦ ઇંચ લંબાઈના ચોક્કસ પરિમાણમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ પ્રતિકાત્મક પહેલના વિશ્વ-સ્તરીય એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા સાથે અસાધારણ સિદ્ધિના જોડાણ કપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. 1575 wp ની ક્ષમતા/આઉટપુટ સાથે, આ મોડ્યુલ વૈશ્વિક સૌર ઉદ્યોગમાં કદ, કાર્યક્ષમતા અને મહત્વાકાંક્ષા માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે.
આ વિશાળ મોડ્યુલ અદ્યતન 340 HC TOPCon (ટનલ ઓક્સાઇડ પેસિવેટેડ કોન્ટેકટ) સેલ ટેકનોલોજીને એકીકૃત કરે છે, જે ઊર્જાનો વ્યય ઘટાડી, કાર્યક્ષમતા અને પાવર આઉટપુટમાં વધારો કરે છે. આવા સ્કેલના મોડ્યુલ અને ભવિષ્યની ટેકનોલોજી જોડાણ ધ્વારા ગોલ્ડી સોલાર ચોકસાઇ-સંચાલિત, ભવિષ્ય માટે તૈયાર ઉત્પાદન માટેની પોતાની પ્રતિષ્ઠાને સુદઢ બનાવે છે.
ભવિષ્યમાં વૃદ્ધિની યોજના સાથે જુસ્સાભેર વિસ્તરણ થકી ગોલ્ડી સોલાર ધ્વારા 14.7 GW સુધી ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવામાં આવી છે. આ પ્રસંગે ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઈશ્વર ધોળકિયાએ જણાવ્યું હતું કે
“વડાપ્રયાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારત સાતત્યતા તરફ નિર્ણાયક રીતે આગળ વધી રહ્યું છે, જેમાં વર્ષ 2030 સુધિ 500 (ગીગા વોટ) GW પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતાના લક્ષ્યમાં અડધાથી વધુ વક્ષ્યને નિર્ધારિત સમય પૂર્વે જ પ્રાપ્ત કરી લેવામાં આવ્યું છે. “નમો સૌર સમ્રાટ” એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે, જે ભારતની આત્મનિર્ભર ક્ષમતાનું પ્રતિક છે અને વૈશ્વિક મંચ ઉપર ઉત્પાદન શ્રેષ્ઠતાનું ઝળહળતુ ઉદાહરણ છે. વળી, આ પ્રધાનમંત્રી પ્રત્યેની અમારી સૌથી મોટી સ્મ્રુતિ ભેટ છે અને આવનારી પેઢીઓને શુધ્ધ ઉર્જા આપનારા, આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતા પણ છે.”

आशुतोष कुमार सिन्हा: किसानों की आवाज़ और समाज सुधार की नई पहचान
बिहार की राजनीति हमेशा से जनहित, सामाजिक न्याय और किसान मुद्दों के इर्द-गिर्द घूमती रही है। आने वाले विधानसभा चुनाव में एक नया चेहरा चर्चा में है – आशुतोष कुमार सिन्हा, जो न केवल एक सशक्त अधिवक्ता के रूप में पहचाने जाते हैं, बल्कि एक सक्रिय सामाजिक कार्यकर्ता और किसानों के सच्चे हितैषी भी हैं।
पैतृक विरासत और प्रेरणा
आशुतोष जी का पैतृक निवास ग्राम अमैन, जिला जहानाबाद है। उनका परिवार लंबे समय से समाजसेवा और जनहित कार्यों से जुड़ा रहा है। इनके परदादा स्वतंत्रता सेनानी जमुना प्रसाद सिंह जी ने अंग्रेज़ों के ख़िलाफ़ स्वतंत्रता संग्राम में अहम भूमिका निभाई थी। वहीं इनके दादा श्री देवेंद्र प्रसाद शर्मा जी पटना हाई कोर्ट के प्रख्यात अधिवक्ता एवं समाज सुधारक रहे, जिन्होंने समाज में न्याय और समानता की अलख जगाई।
यही कारण है कि आशुतोष जी को सामाजिक सक्रियता का संस्कार विरासत में मिला। उन्होंने पारिवारिक मूल्यों को आत्मसात कर अपने जीवन का ध्येय “समाज और किसान उत्थान” को बना लिया।
शिक्षा और पेशेवर जीवन
कानून की पढ़ाई पूरी करने के बाद आशुतोष जी ने पटना हाई कोर्ट में अधिवक्ता के रूप में अपनी पहचान बनाई। वे सुप्रीम कोर्ट में भी सक्रिय हैं और वहां पर कई जनहित और सामाजिक महत्व के मामलों में पैरवी करते रहे हैं।
लेकिन सिर्फ अधिवक्ता होना ही उनका लक्ष्य नहीं था। उन्हें महसूस हुआ कि समाज की वास्तविक समस्याएं केवल अदालतों में हल नहीं हो सकतीं। इसके लिए जमीनी स्तर पर काम करना होगा। इसी सोच के साथ उन्होंने राजनीति और सामाजिक कार्यक्षेत्र को चुना।
किसानों के बीच सक्रिय भूमिका
पिछले दो वर्षों से आशुतोष जी रतनी फरीदपुर प्रखंड (जहानाबाद जिला) में किसानों के बीच सक्रिय रूप से कार्य कर रहे हैं। उन्होंने किसानों को संगठित करने, उनकी समस्याओं को समझने और उन्हें समाधान की दिशा में ले जाने का प्रयास किया है।
उनका मानना है कि “किसानों का उत्थान तभी संभव है जब उनका आर्थिक और राजनीतिक विकास साथ-साथ हो।” इसी विचारधारा को केंद्र में रखते हुए उन्होंने किसानों को जागरूक किया और सरकारी योजनाओं से जोड़ने की पहल की।
सरकारी योजनाओं को धरातल पर लागू कराना आसान नहीं होता। लेकिन आशुतोष जी बिना किसी प्रचार-प्रसार और शोर-शराबे के इस कार्य में लगातार जुटे रहे। वे यह सुनिश्चित करने का प्रयास कर रहे हैं कि मौजूदा बिहार सरकार की योजनाओं का लाभ अधिक से अधिक किसानों तक पहुंचे।
राजनीति में नई सोच
आशुतोष जी का मानना है कि राजनीति केवल सत्ता प्राप्ति का माध्यम नहीं, बल्कि समाज सुधार और विकास का रास्ता होना चाहिए। वे युवाओं और किसानों को राजनीति में सक्रिय भागीदारी के लिए प्रेरित कर रहे हैं।
उनकी राजनीति की सोच साफ है:
किसानों का आर्थिक सशक्तिकरण – आधुनिक खेती, सिंचाई सुविधा और फसल की उचित कीमत।
शिक्षा और जागरूकता – युवाओं को सही मार्गदर्शन और प्रतियोगी परीक्षाओं के लिए संसाधन।
स्वास्थ्य और बुनियादी सुविधाएं – ग्रामीण इलाकों में स्वास्थ्य केंद्र और आधारभूत ढांचे का विकास।
न्याय और पारदर्शिता – राजनीति और प्रशासन में भ्रष्टाचार मुक्त व्यवस्था।
प्रखर वक्ता और युवा नेतृत्व
कॉलेज के दिनों से ही आशुतोष जी एक प्रखर वक्ता रहे हैं। उन्होंने देश और विदेश में कई प्रतियोगिताओं में भाग लिया और बिहार का प्रतिनिधित्व किया। यही वाकपटुता और तार्किक सोच उन्हें भीड़ से अलग बनाती है।
उनकी भाषा सरल, लेकिन प्रभावशाली होती है, जो सीधे जनता के दिल को छू जाती है। वे किसानों, युवाओं और समाज के हर तबके से संवाद स्थापित करने की क्षमता रखते हैं।
सामाजिक सरोकार और भविष्य की राह
आशुतोष जी का जीवन केवल पेशेवर सफलता तक सीमित नहीं है। वे समाज के हर वर्ग के उत्थान के लिए निरंतर प्रयासरत हैं। उनका मानना है कि बिहार की असली ताकत उसके गाँव, किसान और युवा हैं। यदि इन्हें सशक्त कर दिया जाए तो बिहार देश के अग्रणी राज्यों में शामिल हो सकता है।
उनकी सोच है – “न्याय, विकास और पारदर्शिता के आधार पर ही समाज का वास्तविक उत्थान संभव है।”
निष्कर्ष
बिहार की राजनीति में जहाँ पारंपरिक नेताओं की छवि हावी रहती है, वहीं आशुतोष कुमार सिन्हा जैसे शिक्षित, ईमानदार और जमीनी नेताओं का उदय नई उम्मीदें जगाता है।
वे केवल चुनाव लड़ने वाले उम्मीदवार नहीं, बल्कि एक सामाजिक कार्यकर्ता, अधिवक्ता, किसान हितैषी और दूरदर्शी नेता के रूप में सामने आ रहे हैं। उनकी प्राथमिकता सत्ता नहीं, बल्कि समाज सेवा और किसान उत्थान है।
आने वाले बिहार चुनाव में आशुतोष जी की भूमिका पर सभी की निगाहें होंगी। यदि उन्हें जनता का समर्थन मिलता है, तो यह न सिर्फ जहानाबाद बल्कि पूरे बिहार के लिए नई दिशा तय करने वाला कदम साबित हो सकता है।

“SRK પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન”
“ડાયમંડ ઈન્ડસ્ટ્રી પછી SRK ગ્રૂપનું આરોગ્યક્ષેત્રે નવું પગલું – વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ 20,000 ગામડાં અને શહેરોમાં પહોંચાડવાનો સંકલ્પ”
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ(SRK) પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન
સુરત/મુંબઈ, 11 સપ્ટેમ્બર 2025 : નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ફેમિલીએ હવે આરોગ્યસંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી પહેલ રૂપે “ક્રિયમ ફાર્મા” નો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, “આરોગ્યમ – આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન” થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું.
આ પહેલ દ્વારા SRK પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં SRK ગ્રૂપ છેલ્લા છ દાયકાથી વૈશ્વિક સ્તરે પારદર્શિતા, પ્રામાણિકતા અને વિશ્વાસ માટે જાણીતું છે. આ જ વારસામાંથી જન્મેલું ક્રિયમ ફાર્મા હવે આરોગ્યસંભાળની દુનિયામાં એ જ મૂલ્યોને આગળ વધારશે. જેમ SRK ગ્રૂપે ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, તેમ ક્રિયમ ફાર્મા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે.
આ લોન્ચિંગ સમારોહમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ(SRK)ના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, કન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન (CAHO) ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાની, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રી મથુરભાઈ સવાણી, બિલ ગેટ્સ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આર્નવ કપૂર, શ્રી હરિકૃષ્ણ એક્સપોર્ટના સંચાલક અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તેમજ હેલ્થકેર ઇકોસિસ્ટમના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ લોન્ચિંગ પ્રસંગે, ક્રિયમ ફાર્માના સ્થાપક શ્રી તેજ ધોળકિયા એ જણાવ્યુ, “આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે, પરંતુ વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા હજુ પણ એક પડકાર બનેલી છે. ક્રિયમ ફાર્મા દ્વારા અમે આરોગ્યસંભાળ પ્રદાતાઓ અને દર્દીઓ બંને વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરીને ઉચ્ચ-ગુણવત્તાવાળી દવાઓ પહોંચાડીને આ તફાવત દૂર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમારી આ યાત્રા બિઝનેસની નહીં પણ સેવાની યાત્રા છે. અમે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવીશું. આ દવાઓ બજારમાં વ્યાજબી ભાવે મળશે. શરૂઆતમાં 20,000 જેટલા ગામ અને શહેરોમાં દવા સપ્લાયનો નિર્ધાર કર્યો છે.”
ક્રિયમ ફાર્મા, અસ્થિરતા અને અસંગત ધોરણોથી ઘેરાયેલા બજારમાં, દૃઢ કાળજી, વ્યાજબી કિંમત અને અડગ નૈતિકતાનું પ્રતીક છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એન્ટી-ડાયાબેટિક, કાર્ડિયક કેર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, પેઈન મેનેજમેન્ટ, ડર્માસ્યુટિકલ્સ, વિટામિન્સ અને મિનરલ્સ તથા એન્ટી-ઇન્ફેક્ટિવ્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે, જે તાત્કાલિક તથા લાંબા ગાળાની બંને આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે છે.
સુરતના મેયર શ્રી, દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, “હું આ નવી પહેલ શરૂ કરવા માટે SRK ગ્રુપ અને ક્રિયમ ફાર્માને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે ક્રિયમ ફાર્માના પ્રયાસોથી અને બિલ ગેટ્સ ફાઉન્ડેશનના સહકારથી કંપનીની દવાઓ સાઉથ આફ્રિકામાં પણ પહોંચે, તેવી શુભેચ્છા પાઠવું છું. પ્રારંભિક તબક્કામાં ક્રિયમ ફાર્મા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાનું ફોકસ રાખશે. દર્દીઓ સુધી દવાઓ ઝડપી અને વિશ્વસનીય રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કંપની ડાયરેક્ટ-ટુ-કેમિસ્ટ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ અપનાવશે.”
CAHO ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલે કહ્યું હતું કે, “મેડિકલ ક્ષેત્રે 100 વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. જોકે હજી પણ જનતા માટે સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં વિશ્વાસનો અભાવ છે. તેમણે CAHO સંસ્થાનો પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સંસ્થાના માધ્યમથી તેઓ સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક વર્ગોમાં કામ કરે છે. તેમણે આરોગ્યસંભાળ ક્ષેત્રને આર્થિક રીતે પોષણક્ષમ અને કાર્યક્ષમ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ગુણવત્તાયુક દવાઓ વ્યાજબી ભાવે મળવી જોઈએ. જે રોગોમાં દવા અને આરોગ્યસંભાળથી મૃત્યુ ટાળી શકાય, તે માટે પ્રયાસ ચોક્કસ થવા જોઈએ. ક્રિયમ ફાર્મા તેની દવાઓથી આરોગ્યસંભાળ ક્ષેત્રે ઉમદા કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.”
તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કંપની વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર, નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ 3,500 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઉભા કરવાનું લક્ષ્ય ધરાવે છે. સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે.
એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાનીએ કહ્યું હતું કે, “દેશમાં હોસ્પિટલમાં 30 ટકા જેટલો ખર્ચ દવાઓનો હોય છે. તેમની સંસ્થા સરકાર સાથે સહકારથી કામ કરે છે. સ્વાસ્થ્ય સેવા જન-જન સુધી લઈ જવા માટે હેલ્થકેર અને મેડિસિન ક્ષેત્રે અફોરડેબિલિટી, અવેલેબિલિટી, એક્સેસિબિલિટી અને ક્વોલિટી ઉપર ફોકસ કરે છે. હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMOs) પાસેથી દવાઓનું સોર્સિંગ કરી રહેલી, ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં તેની પોતાની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.”
શ્રી તેજ ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારું મિશન એક સરળ માન્યતા પર આધારિત છે – દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ દરેકનો મૂળભૂત અધિકાર છે. અમારી દરેક પ્રોડક્ટ, દરેક ભાગીદારી અને દરેક નિર્ણય આ જ ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
SRK એક્સપોર્ટના બ્રાન્ડ કોર્ડીનેટર શ્રી શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “ડાયમંડ-જ્વેલરી ક્ષેત્રે 60 વર્ષની સફળયાત્રા સાથે સાથે હવે અમે ક્ષમતા વિકાસ અને દેશને દવા ક્ષેત્રે સર્વિસ આપવાનો નિર્ધાર કર્યો છે. આરોગ્યસંભાળ એ આપણા દેશની જરૂરીયાત અને ફોકસનું ક્ષેત્ર છે. નવી પહેલની જવાબદારી તેજ ધોળકિયાએ લીધી છે. પ્રારંભિક તબક્કામાં ગુજરાત અને રાજસ્થાનમાં દવાની સપ્લાય કરવામાં આવશે. અમે હાલમાં 60 જેટલાં ડિસ્ટ્રીબ્યુટર સાથે કામકાજ શરૂ કર્યું છે.”
કાર્યક્રમમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશનના શ્રી આર્નવ કપૂરે સંસ્થાનો પરિચય કરાવી આરોગ્યસંભાળ ક્ષેત્રે સંસ્થાની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.
સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને પદ્મશ્રી, શ્રી મથુરભાઈ સવાણીએ સ્વાસ્થ્ય સુધાર અને વ્યાજબી ભાવની દવા ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાલમાં દવાઓ વિશ્વાસ પ્રાપ્ત કરવામાં સંઘર્ષ કરી રહી છે ત્યારે ક્રિયમ ફાર્મા આ ક્ષેત્રને નવો આકાર આપશે. કંપની દવા છેવટના ગામ સુધી પહોચડવા માટે નવો રસ્તો તૈયાર કરશે.
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા કહ્યું હતું કે, “કંપની કીમતી છે, પણ મૂલ્યવાન હોવું જરૂરી છે. તેમણે નવી પહેલ ક્રિયમ ફાર્માને નૈતિક મૂલ્યો સાથે મૂલ્યવાન બનાવવાની અપીલ કરી હતી.”

CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોન સુરતમાં શરુ, પ્રીમિયમ કાર ખરીદી-વેચાણ હવે વધુ સરળ અને ફાયદાકારક
સુરત. ઓટોમોબાઇલ માર્કેટમાં એક નવી ઉર્જા સાથે, CAR24 ની એલિટ ફ્રેન્ચાઇઝી Y ઝોનનો શોરૂમ સુરત શહેરમાં શરુ થયો છે. ગુજરાતમાં માત્ર બે CAR24 ફ્રેન્ચાઇઝી પૈકી પ્રથમ ફ્રેન્ચાઇઝી તરીકે સુરતમાં શરૂ થતી આ સર્વિસ, વડોદરાથી વાપી સુધીના પ્રીમિયમ કાર ચાહકો માટે કાર ખરીદી અને વેચાણની પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને વિશ્વસનીય બનાવશે.
Y ઝોનના સંચાલક યતીન ભક્તા એ જણાવ્યું હતું કે, “સુરતમાં ઉદ્યોગના ઝડપી વિકાસ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઓટોમોબાઇલ ક્ષેત્ર માટે GST દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને આગામી સમયમાં મોટો બૂમ આપશે. હાલ દર મહિને ભારતમાં ત્રણ લાખ કારોનું વેચાણ થાય છે અને તેમાં પણ પ્રીમિયમ કે 10 લાખથી વધુ કિંમતની કારોનું માર્કેટ શેર 25 ટકા છે. રીસેલ કારોના મામલે, દર મહિને છ લાખ કારોનું ટ્રાન્ઝેક્શન થાય છે, જેથી સ્પષ્ટ છે કે આ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વિકાસની સંભાવના છે.”

CAR24 Y ઝોન શોરૂમ VR મોલ પાસે ડુમસ રોડ સુરત ખાતે 30,000 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તારમાં ખુલ્યું છે. અહીં એડિશનલ ફેસિલિટીઓ જેવી કે કાર ડિટેલિંગ સેન્ટર, કાર વોશ સેન્ટર, ફાઇનાન્સ, RTO, ઇન્શ્યોરન્સ, CAR મેન્ટેનન્સ એડવાઇસ એક જ છત નીચે મળશે.
કાર 24ના એલિટ હેડ રવિ ઠક્કરે જણાવ્યું હતું કે તેઓ દ્વારા ભારતમાં પહેલી વખત ગ્રાહકો માટે નવી પોલિસી પણ લાગુ કરવામાં આવી છે. જેમાં સૌથી ખાસ છે સેવન ડે રિટર્ન પોલિસી, એક મહિનાની ક્રોમપ્રેહેન્સિવ વોરંટી, સ્પોટ ઓન ફાઇનાન્સ સર્વિસ, જેન્યુઇન સર્વિસ હિસ્ટ્રી ઉપલબ્ધ, સ્પોટ ઓન વેલ્યુએશન, આર સી ટ્રાન્સફર ફેસિલિટીનો સમાવેશ થાય છે. CAR24 Y ઝોનમાં પેન ઇન્ડિયામાં ઉપલબ્ધ તમામ બ્રાન્ડની કાર ખરીદી અને વેચાણ માટે રેડી પોઝિશનમાં ઉપલબ્ધ રહેશે. ત્યારે આ નવી શરૂઆતથી સુરતના પ્રીમિયમ કાર ચાહકોને વિશ્વસનીય અને સંપૂર્ણ સેવા પ્રાપ્ત થશે અને કાર ખરીદવાનું અને વેચવાનું અનુભવું વધુ સરળ બનશે.

ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ‘ટ્રી ગણેશા’એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચ્યો છે. પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ‘ટ્રી ગણેશા’ મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ ઈવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક-સાંસ્કૃતિક ઈવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે.
‘ટ્રી ગણેશા’માં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્યલાયમેટચેન્જ’ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને ‘પર્યાવરણ સેનાની’ તરીકે તૈયાર કર્યા છે. આ મહોત્સવમાં સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે, જેના સમર્થનથી આ અભિયાને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે.

વિરલ દેસાઈએ જણાવ્યું, “ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે.”
ઉલ્લેખનીય છે કે ‘ટ્રી ગણેશા’માં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે, જે અંતર્ગત બાયોડાવર્સિટી, ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે. આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે. વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત.

સુપર ડુપર ગુજરાતી ફિલ્મ ‘મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ થઇ રહી છે
તાજેતરમાં સિનેમાઘરોમાં બોલિવુડ ફિલ્મ સૈયારાએ ધૂમ મચાવી છે અને ભારે કલેકશન મેળવ્યું છે. પણ આનાથી પણ વધારે ધૂમ મચાવનારી એક ગુજરાતી ફિલ્મ 25 વર્ષ પહેલાં આવી હતી જેનું નામ હતું’મૈયરમાં મનડું નથી લાગતું’. આ ફિલ્મ એટલી સુપર ડુપર રહી હતી કે 52 સપ્તાહ સુધી ચાલી હતી અને હજુ વધારે ચાલી શકે તેમ હતું, પરંતુ બીજી ફિલ્મોને ચાનસ મળે એના માટે આ ફિલ્મ ઉતારી લેવામાં આવી હતી. એ જમાનામાં આ ફિલ્મ જોવા માટે લાઇનો લાગતી અને લોકો બ્લેકની ટિકીટ ખરીદીને ફિલ્મ જોવા જતા.
ફિલ્મ એટલી સંવેદનશીલ બનાવવામાં આવી હતી કે પ્રેક્ષકો ચોધાર આંસુએ રડતા અને છેલ્લાં ક્લાઇમેક્સમાં તો મહિલાઓ બેભાન થઇ જતી હોવાના બનાવો પણ અનેક સિનેમાઘરોમાં બનેલા. હવે ફરી એક વાર આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી રહી છે અને 5 સપ્ટેમ્બર 2025ના દિવસે રિલીઝ થવાની છે.
કોઇ ગુજરાતી ફિલ્મને આટલો બધો ઉમળકો, આટલો બધો પ્રેમ અને આટલો બધો પ્રતિસાદ મળ્યો હોય તેવી કદાચ પહેલી ઘટના હતી. ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડયુસર સુરતના જાણીતા સ્ક્રિપ રાઇટર જશવંત ગાંગાણી હતા, ફિલ્મના મુખ્ય કલાકારો હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠી હતા.કેટલાંક લોકપ્રિય ગીતોને અરવિંદ બારોટે અવાજ આપ્યો હતો અને બાળ કલાકાર તરીકે સુરતની કલાકાર તૃષારિકા રાજ્યગુરુએ અભિનય કર્યો હતો. ગાંગાણી ફિલ્મ પ્રોડકશનના નેજા હેઠળ આ ફિલ્મ રજૂ થઇ હતી.
ફિલ્મના ડિરેક્ટર- પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ કહ્યું કે, ઘણા સમયથી સાથી મિત્રો અને મારા નાનાભાઇ રાજ ગાંગાણી સાથે ચર્ચા થતી હતી કે’મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ કરવી જોઇએ. કારણકે ફિલ્મની જે સ્ટોરી છે એ આજના સમયમાં પણ એટલી જ અપીલ કરે તેવી છે. જશવંત ગાંગાણીએ કહ્યુ કે ફિલ્મનો પ્લોટ એવો છે કે રામ (હિતેન કુમાર) અને રતન ( આનંદી ત્રિપાઠી) બંને પ્રેમમાં પડે છે અને લગ્ન વખતે જ રામના મોંમાંથી લોહી પડે છે અને ખબર પડે છે કે, રામને કેન્સર છે. લગ્ન અધૂરા રહી જાય છે. પરંતુ રતનને રામ પ્રત્યે એટલો અનહદ પ્રેમ હોય છે એટલે રતનની રાહ જોતી હોય છે. તેને ભગવાનમાં આસ્થા હોય છે એટલે રામનું કેન્સરનું ઓપરેશન સફળ થાય છે અને સ્ટોરીનો અંત સુખદ આવે છે. આ ફિલ્મને કારણે અનેક પરિવારો તુટતા બચી ગયા છે. અમે 5 સપ્ટેમ્બરે’મૈયરમાં મનડું નથી લાગતું’ ફરી રિલીઝ કરી રહ્યા છે.

ફિલ્મના મુખ્ય કલાકાર હિતેન કુમારે કહ્યુ કે, 25 વર્ષ પછી ફરી અમારી ફિલ્મ રિલીઝ થઇ રહી છે ત્યારે કોરાણે પડેલી યાદો ફરી તાજી થઇ ગઇ છે. સાથો સાથ અનહદ ખુશી પણ થઇ રહી છે. શૂંટીગ વખતે લગભગ દોઢ મહિનો અમે બધા સાથે રહીને મોજ કરી હતી એ વાતો યાદ આવી ગઇ. હિતેન કુમારે કહ્યુ કે, “મૈયરમાં મનડું નથી લાગતું”ને રજૂ થયાને ૨૫ વર્ષના વહાણા વીત્યા, પણ હજી પણ એટલી જ તરોતાજા છે આપણા સૌના હૃદયમાં.
આનંદી ત્રિપાઠી મધ્ય પ્રદેશના ઇંદોરમાં જન્મેલી છે અને તેને ગુજરાતી આવડતું નહોતું, પરંતુ તેની ફિલ્મમાં પસંદગી થઇ અને એ પછી તો તેણીએ 17 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. આનંદીએ કહ્યું કે, બહુ ખુશીની વાત છે કે 25 વર્ષ પછી પડદા પર અમારી ફિલ્મ પાછી આવી રહી છે. ખરેખર આ ફિલ્મમાં કામ કરવાની એક અલગ મજા આવી હતી.
તૃષારિકા રાજ્યગુરુએ આ ફિલ્મમાં રતનની ભત્રીજી સોનલ તરીકે બાળ કલાકારની ભૂમિકા ભજવી હતી. તૃષારિકા આજે તો યુવાન કલાકાર બની ગઇ છે. તૃષારિકાએ કહ્યુ કે, હું આ ફિલ્મમાં બાળ કલાકાર હતી એટલે બધા મારી સાથે બહુ સારુ રાખતા મને સાચવતા અને મારી સાથે મસ્તી પણ કરતા. મને એવી ઇચ્છા છે કે જશવંત ગાંગાણી ફરી આ ફિલ્મ બનાવે અને અને મને રતનનો રોલ ભજવવાની તક મળે.
અરવિંદ બારોટે કહ્યુ કે,આ ફિલ્મના ગીતો ગુજરાતી સંસ્કૃતિ, પ્રેમ અને પારિવારિક ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે. ગીતો એટલા બધા લોકપ્રિય થયા હતા કે આજે પણ યુટયુબ પર લોકો સાંભળી રહ્યા છે. જશવંત ગાંગાણીને અભિનંદન આપવા માગું છે કે તેઓ આ જોરદાર ફિલ્મ ફરી લાવી રહ્યા છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ એસજીએફઆઈ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું
૨૮ ઓગસ્ટ, ૨૦૨૫ — વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના ઊર્જાસ્વી વિદ્યાર્થી દેવ નંદવાણીએ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) બેડમિંટન સ્પર્ધામાં ભાગ લઈ શાનદાર દેખાવ સાથે બીજું સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાંથી કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
દેવ નંદવાણીની આ સિદ્ધિએ તેમને હવે રાજ્ય સ્તરની બેડમિંટન સ્પર્ધા માટે પસંદગી અપાવવી છે, જ્યાં તેઓ શાળાનું અને શહેરનું પ્રતિનિધિત્વ કરશે. તેમની મહેનત, લગન અને રમતગમત માટેનો ઉત્સાહ સમગ્ર શાળા માટે ગૌરવની વાત છે.
શાળાના પ્રિન્સિપલે કહ્યું હતું કે, “દેવની સિદ્ધિ માટે અમને ખૂબ જ ગર્વ છે. તેઓએ ગમે તેટલી મહેનત કરી છે અને તેમની રમત જોઈને અમે નિષ્ઠા અને શિસ્તનો પરિચય મેળવ્યો છે. રાજ્ય સ્તરની સ્પર્ધા માટે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.”
શાળાનું સમગ્ર પરિવાર દેવને શુભકામનાઓ પાઠવે છે અને તેમના ભવિષ્ય માટે શ્રેષ્ઠ ઈચ્છાઓ વ્યક્ત કરે છે.

વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે સેન્ટર ફોર સાઇટ અને મિલિંદ સોમનનું ભારતને આહ્વાન – આંખોના આરોગ્યને પ્રાથમિકતા આપો
નવી દિલ્હી [ભારત], 20 ઓગસ્ટ: વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડેના અવસરે, ભારતના અગ્રણી સુપર-સ્પેશિયાલિટી આંખના હોસ્પિટલ નેટવર્ક સેન્ટર ફોર સાઇટ એ વય સાથે જોડાયેલા આંખના રોગોમાં સમયસર સારવારના તાત્કાલિક મહત્વ પર ભાર મૂક્યો છે. ભારતમાં ૬૦ વર્ષથી વધુ વયના ૧૪ કરોડથી વધુ લોકો છે, જેમાંથી લગભગ દરેક ત્રણમાંથી એકને દ્રષ્ટિ સંબંધી સમસ્યા છે. આ પરિસ્થિતિ તેમના સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તાને ગંભીર રીતે અસર કરે છે.
વિશ્વવ્યાપી સ્તરે, અંધત્વના ૮૦ ટકા કેસ ટાળવા યોગ્ય છે. તેમ છતાં, ભૂલભુલૈયા માન્યતાઓ અને મોડું સારવાર લીધા કારણે ઘણા વડીલો તેમની દ્રષ્ટિ ગુમાવી દે છે. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ મોતીયા છે, જેને હવે આધુનિક બ્લેડલેસ, રોબોટિક લેઝર સર્જરી દ્વારા એ જ દિવસે સુધારી શકાય છે. ગ્લુકોમા, જેને ઘણી વખત “સાયલેન્ટ થીફ ઑફ સાઇટ” કહેવામાં આવે છે, તે પ્રારંભિક લક્ષણો વગર જ આગળ વધે છે. ડાયાબિટિક રેટિનોપેથી અને અન્ય રેટિનાના રોગો પણ ઝડપથી વધી રહ્યા છે.
જાગૃતિ ફેલાવવા માટે, સેન્ટર ફોર સાઇટ એ ફિટનેસ આઇકન મિલિંદ સોમન સાથે ભાગીદારી કરી છે, જે સક્રિય વૃદ્ધાવસ્થા અને સર્વાંગી સુખાકારીના પ્રતીક છે. આ કેમ્પેઇન કુટુંબોને યાદ અપાવે છે કે નિયમિત આંખની તપાસ વિના આરોગ્ય અધૂરૂં છે.
સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઑફ આઇ હોસ્પિટલ્સના ચેરમેન અને મેડિકલ ડિરેક્ટર ડૉ. મહિપાલ એસ. સચદેવએ જણાવ્યું:
“વૃદ્ધાવસ્થામાં આંખોનું આરોગ્ય એટલે ગૌરવ, આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા. દ્રષ્ટિ નબળી થવી એ વૃદ્ધાવસ્થાનો અનિવાર્ય ભાગ છે એવું સ્વીકારવાની જરૂર નથી, કારણ કે આજની ટેક્નોલોજી અને નિષ્ણાત સારવાર સાથે આવું થવાનું ટાળી શકાય છે.”
ફેમ્ટો સેકન્ડ રોબોટિક લેઝર મોતીયાની સર્જરી હવે દર્દીઓને વધુ સલામતી, ઝડપ અને ચોકસાઈ આપે છે. આધુનિક ઇન્ટ્રાઓક્યુલર લેન્સિસ (IOLs) સાથે, ઘણા વડીલો ફરીથી સ્પષ્ટ દ્રષ્ટિ મેળવી રહ્યા છે અને ચશ્મા પરની નિર્ભરતા ઘટાડી રહ્યા છે, જેથી તેઓ વધુ સક્રિય જીવન જીવી શકે.
સેન્ટર ફોર સાઇટ ભારપૂર્વક કહે છે કે વડીલોની સંભાળ માત્ર દવાઓ અને પોષણ સુધી મર્યાદિત નથી. નિયમિત આંખની તપાસ અંધત્વ અટકાવી શકે છે અને સ્વતંત્રતા જાળવી શકે છે. ધૂંધળી દ્રષ્ટિ, રંગ ફીકા દેખાવા, રાત્રે લાઇટની આસપાસ હેલો દેખાવા અથવા વાંચવામાં મુશ્કેલી જેવા પ્રારંભિક સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.
Watch the campaign film here: https://www.youtube.com/watch

સુરતમાં પ્રથમ વખત ઇવેન્ટ કોન્ક્લેવ: ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને મળશે નવો આયામ
તારીખ: 23 ઑગસ્ટ 2025 સ્થળ: એડવૈતા બૅન્ક્વેટ એન્ડ લોન, ડુમસ એરપોર્ટ રોડ, સુરત
સુરત. સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશન (SGEMA) દ્વારા સુરતમાં પ્રથમ વખત ભવ્ય ઇવેન્ટ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મંચ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ, નિષ્ણાતો અને ઉત્સાહી લોકોને એક સાથે લાવીને જ્ઞાન-વિનિમય, નેટવર્કિંગ અને વ્યવસાયના વિસ્તરણ માટે નવા અવસર પૂરા પાડશે. આ કાર્યક્રમમાં 500+ વ્યક્તિઓ જોડાશે તેવી અપેક્ષા છે.આ
કાર્યક્રમનો પ્રારંભ 23 ઑગસ્ટ સવારે 10:00 વાગ્યે થશે. કીનોટ એડ્રેસ સબ્બાસ જોસેફ આપશે, જે રાષ્ટ્રીય સ્તરે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનું પ્રતિષ્ઠિત નામ છે. ત્યારબાદ ચાર સત્રો—સંગમ, મंथન, બજાર અને ઉત્સવ—રૂપે કાર્યક્રમ આગળ વધશે.
SGEMA ના પ્રમુખ હર્ષ ભાયાએ જણાવ્યું હતું કે
“સુરત દેશના સૌથી ઝડપી ઊભરતા ઇવેન્ટ હબમાંનું એક છે. SGEMAનો પ્રયાસ છે કે અમે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સને વધુ ઊંચું લઈ જઈએ, યુવાઓને મેન્ટરશિપ આપીએ અને વર્લ્ડ-ક્લાસ ઇવેન્ટ્સ માટે લોકલ ઇકોસિસ્ટમને સક્ષમ બનાવીએ।” તેમના નેતૃત્વ હેઠળ SGEMA ઇન્ડસ્ટ્રી સહયોગ, કૌશલ્ય વિકાસ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતા કાર્યરત છે.
SGEMA ના ફાઉન્ડર મેમ્બર તથા SGEMA EVOLVE 2025 ના ઇવેન્ટ ચેરમેન વૈભવ અગ્રવાલે જણાવ્યું હતું કે “આ કોન્ક્લેવ સુરતની ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક પગલું છે. અમારો હેતુ સ્થાનિક પ્રોફેશનલ્સને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવવાનો તથા મોટા ઇવેન્ટ્સના આયોજનમાં નિપુણતા મેળવવાનો અવસર પૂરો પાડવાનો છે, જેથી તેઓ નવા ટ્રેન્ડ્સ, ટેકનોલોજી અને નેટવર્કિંગ દ્વારા પોતાના વ્યવસાયને નવા સ્તરે લઈ જઈ શકે.
ચાર સત્રો – ચાર ફોકસ એરિયા
સંગમ: ઉદ્યોગ નિષ્ણાતો, કીનોટ સ્પીકર્સ અને પ્રોફેશનલ્સ સાથે હાઇ-ઇમ્પેક્ટ નેટવર્કિંગ અને આઈડિયા એક્સચેન્જ.
મંથન: ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ, મોટા ઇવેન્ટ્સની પ્લાનિંગ, AI નો ઉપયોગ (લાભ-ગેરલાભ), ઇવેન્ટ સેફ્ટી અને Weddings in India જેવા વિષયો પર ઊંડાણભરી ચર્ચા.
બજાર: ઝડપી વધતા ઇવેન્ટ માર્કેટ, તેની જરૂરિયાતો અને નવા બિઝનેસ મોડલ્સ પર ફોકસ.
ઉત્સવ: સમાપન ભવ્ય સમારોહ સાથે, જ્યાં પ્રતિભાગીઓ દિવસભરની શિખામણની ઉજવણી કરશે અને સહકારના નવા અધ્યાય શરૂ કરશે।