નવા ફોજદારી કાયદાઓ પર જાગૃતિ સત્ર: વિદ્યાર્થીઓ અને કેડેટ્સને માહિતીપ્રદ પ્રવચન
વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી, સુરતના NCC અને NSS એકમોએ 13 જૂન, 2025ના રોજ મારફતિયા હોલ ખાતે “નવા ફોજદારી કાયદાઓ” પર જાગૃતિ સત્રનું આયોજન કર્યું હતું. સત્રમાં ડો.સી.એ. ક્રિષ્ના દેસાઈ, (Dr. C.A. Krishna Desai)સહાયક પ્રોફેસર, સંસાધન વ્યક્તિ તરીકે હાજર રહ્યા હતા. સંસાધન વ્યક્તિએ નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા અને જૂના, બિનજરૂરી સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવાની જરૂરિયાત સમજાવી જે ભારતીય લોકો પર શાસન કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેમના કલ્યાણ માટે નહીં. તેણીએ વિદ્યાર્થીઓને જાણ કરી કે IPC, ICPrC અને IEA હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શકહ્યા અધિનિયમ સાથે બદલાઈ ગયા છે.
વધુમાં, તેણીએ જૂના કાયદાઓમાં મુખ્ય ફેરફારો અને ફેરફારો વિશે ચર્ચા કરી. તેણીએ નીચેના સ્વાગત પગલાઓને પ્રકાશિત કર્યા –
- નવા કાયદા લિંગ તટસ્થ છે,
- 33 નવા ગુનાઓનો ઉમેરો,
- નવી સજાનો ઉમેરો – સમુદાય સેવા
- એક પ્રકરણમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની પુનઃરચના
- લઘુમતી વયની પુનઃ વ્યાખ્યાયિત, દસ્તાવેજની વ્યાખ્યાના અવકાશમાં ફેરફાર, તૃતીય લિંગનો સમાવેશ – ટ્રાન્સજેન્ડર સમુદાય
- શૂન્ય FIR
- ઈ-પુરાવા, સમન્સ અને જુબાની
- ઓડિયો વિડિયો રેકોર્ડિંગ શોધ અને જપ્તી
- કોર્ટ કેસો અને ચુકાદાઓની ઘોષણા પૂર્ણ કરવાની સમયમર્યાદા.
કાર્યક્રમનું સંકલન ડો.તન્વી તારપરા અને ડો.અવની શાહે કર્યું હતું. સત્રમાં 100 NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ડૉ. કિષ્ના દેસાઈએ નવા ફોજદારી કાયદાઓની ઊંડાણપૂર્વક ઝાંખી પૂરી પાડી હતી, જેમાં નોંધપાત્ર ફેરફારો અને નાગરિકો પર તેની અસરો પર ભાર મૂક્યો હતો. સત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉપસ્થિતોને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 વિશે શિક્ષિત કરવાનો હતો, જેથી તેઓ નવીનતમ કાનૂની વિકાસ વિશે સારી રીતે માહિતગાર હોય.
સત્રને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ઉપસ્થિતોએ માહિતીપ્રદ સામગ્રીની પ્રશંસા કરી હતી
મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા
BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.
આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ
ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો
Lajpur News: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી(hard sanghvi)એ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે દયાળજી બાગ ખાતે તરંગ મેળાને ખુલ્લો મુકાયોઃ
ખેડૂતો દ્વારા સંચાલિત ૪૦ જેટલા એફપીઓ પાસેથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની તકઃ
Surat News: સુરત શહેર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન ” તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મેળો રવિવાર સુધી ખુલ્લો રહેશે.
તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતા ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ, મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય છે.
આ અવસરે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ, ડેપ્યુટી ડીરેકટર એગ્રિકલચર, DGM નાબાર્ડ,DDM નાબાર્ડ અને વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના ધો.૧૦ સુધી ભણેલા ચંદનભાઈ રાજ્ય સરકારની ઓછા વ્યાજ દરની લોન સહાય યોજનાથી બન્યા પગભર: રૂ.૫ લાખની લોન મેળવી ખરીદી ઈકો ગાડી
Surat Umarpada Taluka: યુવાધન આગળ વધી સમજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂ.૫ લાખની કિંમતની ઈકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકા વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, મારી માતા સહિત અમે પરિવારમાં ૪ સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ ૯ પાસ કરી શક્યો હતો. ધોરણ ૧૦માં અનુત્તીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિષે જાણકારી આપી હતી. જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર ૪ ટકાના વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા ખેતીકામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું, અને મારા પરિવારનું સરળતાથી ભરણ-પોષણ કરી શકું છું એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદનભાઈ વસાવાની ધો.૧૦માં અનુત્તીર્ણ થયા છતાં કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ
Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના
અમદાવાદ : ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.
આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.
કંપની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.
ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગસાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.
For more information, please visit: https://www.fonebook.in/
સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ
1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું
લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું
માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.
આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,
જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.
લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.
પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.
ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના પ્રયત્નથી દરજી સમાજ નું પ્રથમ દેહદાન
લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખશ્રી તેમજ સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ર્ડો. પ્રફુલભાઇ શિરોયા સાહેબ ની ચક્ષુદાન મહાદાન ની સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવા માં ખુબજ અગત્ય નો ફાળો છે આવોજ કિસ્સો સુરત ના પુણાગામ , ૩૫ કલ્યાણનગર માં રહેતા ને હોમગાર્ડઝ માં માનદસેવા આપતાં તુષારભાઈ સોલંકી ના ધર્મપત્ની સ્વ. જ્યોતીબેન તુષારભાઈ સોલંકી ઉ. વર્ષ.52 નુ ટૂંકી માંદગીઃ બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેને દેહ દાન કરવા નો સંકલ્પ કર્યો હોય જયારે તેમના અવસાન પેલા બે દિવસ અગાવ તેમના શરીર નુ દાન કરવાનું જણાવેલ સ્વર્ગસ્થ ના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતી દ્વારા ડૉક્ટર પ્રફુલભાઇ શિરોયા સાહેબ ને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજ મા દેહદાન અર્પણ કર્યું . દેહદાન જાગૃતિ અંગે ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું હોય સ્વર્ગસ્થ ના પરિવાર માં તેમજ સમસ્ત દરજી સમાજ નુ આ પ્રથમ દેહદાન હોય ઉપરોક્ત દેહદાન સ્વર્ગસ્થ ના પતિ તુષારભાઈ માવજીભાઈ સોલંકી સ્વર્ગસ્થ ના જેઠ નટુભાઈ માવજીભાઈ સોલંકી, તેમના બાળકો ડૉક્ટર દીપાલીબેન સોલંકી, જીગરભાઈ સોલંકી, ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થ ની બોડી નુ દાન આપી આ સમાજ ને ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે
આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂ અંગે મોટો ખુલાસો કર્યો.
ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી Deshi અને વિદેશી Videsi દારૂ પર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.
ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા
એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર સાવા
આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા
જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા
અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.
અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત
રાજકોટ TRP GAME ZONE પ્રકરણમા નવો અધ્યાય:
કન્ઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમા નોંધવામા આવ્યુ છે કે રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP GAME ZONE ના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામા આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે TRP GAME ZONE ની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામા આવેલ હતો.
તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.
ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ
પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શન હેઠળ કોમ્પનસેશન અને પ્યુનિટીવ ડેમેજીસની દાદ મંજૂર કરવા આ ફરિયાદમા રજૂઆત કરાઈ છે.
આ તકે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદના કાર્યને પોતાનુ સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામા આવશે નહી તેવુ જાહેર કરવામા આવેલ છે.
અત્રે એ પણ નોંધનીય બાબત બની રહેશે કે અગાઉ કન્ઝ્યુમર બાર તથા રાજકોટ બાર દ્વારા આરોપીઓ તરફે વકીલ તરીકે ન રોકાવા અનુરોધ કરવામા આવ્યો છે તેનુ પાલન થશે કે નહી.
આ ફરિયાદને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે. આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે.
એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની દ્વારા જાહેર કરવામા આવેલ છે કે TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ મૃતકો પૈકી ગ્રાહકની વ્યાખ્યામા આવતા કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. આ કાર્ય બદલ અને સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે આ પ્રકારની નિષ્ણાંત સેવા પુરી પાડવા બદલ રાજકોટ ગોરવ અનુભવે છે.
સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું
UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો
તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી
પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.
પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.
હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.
ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી
પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું
2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.
કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.
ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.
પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:
Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.
આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.
જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:
Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં ૭ નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.
વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.
પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.
આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.
વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.
પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.
આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.
- અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
- અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
- વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
- શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
- શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.
વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ
Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે
સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ
Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત
Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
Surat Udhana News: ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મૃતક કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો.
જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી
રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.
જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો.
વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં.
માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી
મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી.
માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું.
જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન
News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ ગઝલકાર અને વીર નર્મદ યુનિ.ના ગુજરાતી વિષયના અધ્યાપક(Dr. Amit) ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ શ્વાસ સંશોધનગ્રંથો ગઝલપ્રવેશ રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ અને રાજેશ વ્યાસનું ગઝલકર્મ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય સંશોધન રાષ્ટ્ર સંસ્કૃતિ સમાજ સંસ્કાર પર્યાવરણ બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો
ગુજરાત સરકારના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો તેમજ પોતાના રોજના વ્યવહાર માં રમત ની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્ઝ પ્રીમીયર લીગ બોક્સ ક્રિકેટ નું આયોજન જી બી પટેલ સ્પોર્ટ કોમલેક્સ, પ્રિયંકા સર્કલ પાસે, ભેસ્તાન મા સચીન યુનિટ ના હોમગાર્ડ્ઝ ના સહયોગ થી કરવામાં આવેલા.
સુરત ના રાંદેર યુનિટ, સચીન યુનિટ, એ ઝોન, બી ઝોન, સી ઝોન, સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચે ક્રિકેટ મેચ નું આયોજન કરવા મા આવેલ જેમાં ફાઇનલ મેચ મા સચીન યુનિટ અને એ ઝોન વચ્ચે ખારા ખારી નો જંગ હતો. સચિન ની ટીમ દ્વારા ૧૭૨ રન બનાવ્યા હતા. સરુઆત ની અવરોમાં એ ઝોન ના બેસ્ટમેન સારૂ રમ્યા હતા. પરંતુ સચીન ના બોલરો સામે ટકી સ્ક્યા નહતા.
હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ્લ શિરોયા એ સચિન યુનાટ ની ક્રિકેટ ટીમ ને વિજેતા અને એ ઝોન ની ટીમ ને રનર્સ અપ જાહેર કરી હતી.
ગૃહ મંત્રી શ્રી સંઘવીસાહેબે વિજેતા ટીમ ના અધિકારી થોમસ પઢારે તેમજ કેપ્ટન પ્રવિણ, ટીમ ના સભ્યોને મેડલ અને રનર્સ અપ ટીમ ના અધિકારી દિનેશ પરમાર અને કેપ્ટન ડી પી મિસ્ત્રી તેમજ બેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન યુનિટ ના અરમાન અંસારી અને બેસ્ટ બોલર તરીકે સી ઝોન ના ડી પી મિસ્ત્રી ને અભિનદન અને કપ આપીને સન્માન્યા હતા.
સુરત : ભેસ્તાન વિસ્તારની ઘટના
Surat Bhanodra News: સુરતના એકલારા-ભાણોદ્રા રોડ પર ભેસ્તાન વિસ્તારમાં એક ઘટના ઘટી હતી. અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળ્યું હતુ. આ ડ્રમ પર લાશ હોવાની સંભાવનાથી પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. રાત્રે ડ્રમના કટરથી સિમેન્ટ ભરેલું પણ મળ્યું હતુ અને તેમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવી હતી. પછી લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી-સિમેન્ટ સાથે ભરી દીધું અને તેને ફેંકી દેવાયું હતુ. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ થાય છે.
સુરત વેસુ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈડ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત
Surat Vesu News: રોહિત હાટીલા, ૨૫ વર્ષનું યુવક, સુરતના વેસુ વિસ્તારમાં વરસાદી પાણી કાઢવા જતા કામદાર હતા. બાકી કામદારો પરાંત પાણીનું નિકાલ કરવા માટે સાફ-સફાઈ કરતા હતા. રોહિતે પણ પાણી નિકાળવાની કોશિશ કરી હતી, પરંતુ પડી જતા વિષેને તેને તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. સારવાર મળી, તેની પહેલા જ રોહિતને મૃત્યુ થઈ હતી.
લગ્નેતર સબંધનો કરુણ અંજામ..
ગુજરાતના રુદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો હતો. અઠવા પોલીસે આ વારંવારની ક્રિમિનલ રાજનીતિને ધ્યાનમાં લેતી હોઈ બે આરોપીઓને ધરપકડ કર્યું.
આડાસબંધ રાખનાર દીપેશ અને તેની પત્ની વિશે જાણ થતાં, દીપેશે તેમણે પત્નીના ભાઈ સાથે મળીને પ્રેમની સંબંધો જાહેર કર્યા હતા. આ કારણે મૂઢ મારી હત્યા થઇ હતી.
અઠવા પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ કરી હતી.
સુરતમાં ભાજપ અને રાહુલ ગાંધીનો વિરોધ
Surat News: ભાજપના મોટા સંખ્યામાં કાર્યકર્તાઓનું સંયુક્ત વિરોધ હવે સુરતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગાવટમાં જાહેર થયું છે. રાહુલ ગાંધીને વિરોધમાં લઈને “હાય હાય ના નારા” પણ લાગાવવામાં આવ્યું છે. આ સમયે ભાજપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ પ્રકરણને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે.
અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ડૉકટર ડે ની ઉજવણી…
Surat Varacha News: વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં બાલભવન વિભાગમાં ડૉકટર ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓ વિવિધ વ્યવસાયકારો જેવા કે ડૉકટર પોલીસ વકીલ સૈનિક લુહાર સુથાર મોચી બાબર કુંભાર કડીઓ વેપારી વગેરે આપણા વ્યવસાયક આરોના પહેરવેશમાં આવી એ વ્યવસાયકરોના કાર્યો,ઓજારો એમની સમાજમાં જરૂરિયાત વિશે માહિતી બાળ કલાકારોએ સુંદર રજૂઆત કરી. વિવિધ વ્યવસાયકારોના પાત્રનો સુંદર અભિનય પણ શાળાના બાળ કલાકારો અને શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ બાલભવનના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સારી રીતે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું.
જિલ્લામાં ધોધમાર વરસાદ
સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ
કુંભારીયા ગામમાં ભરાયા પાણી
કુંભારીયા ગામના પાદર ફળિયામાં ભરાયા પાણી
પાદર ફળિયા ના ઘરો પાણીમાં ગરકાવ
પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ
ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
સુરત મહાનગરપાલિકા ની ટીમ સ્થળ પર પહોંચી
જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો
ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો
મહાનગરપાલિકા ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
સુરતના જૂની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો
જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં, વરસાદ ને પગલે જૂની સિવિલ હોસ્પિટલ ના ચોથા માળે થી પાણી ટપકી રહ્યું. જનરલ વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. હાલાકી વચ્ચે પણ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા. તંત્ર દ્વારા માત્ર કોથળીની બેગ મૂકી સંતોષ માનવામાં આવી રહ્યું.
ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદ: પ્રી-મોનસુન કામગીરી ફેલ
સુરત: ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદથી સપષ્ટ થાય છે કે, પ્રી-મોનસુન કામગીરી પૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.
સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર: ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
Surat News: સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે એક માર્ગદર્શિકા જાહેર કરાય છે. જે અનુસાર જંતુનાશક દવાઓ બાળકોની પહોંચથી દૂર જ રાખવી જોઈએ. શક્ય હોય તો તેને એક રૂમમાં રાખીને તાળું મારી દેવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ. જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઈએ. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.
અને જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ચશ્માં તથા ગમબુટ અવશ્ય પહેરવા જોઈએ. વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાનો છંટકાવ કરતી વખતે સમયે શરીર પર જંતુનાશક દવા ન પડે તેની ખાસ કાળજી રાખવી. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જંતુનાશક દવાને શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, કોઇપણ વસ્તુ ખાતા કે ચાવતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા જોઈએ. જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો.
અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જંતુનાશક દવા વાપરી હોય તેવા ડબ્બાનો સંગ્રહ કરવા કે અન્ય કોઇપણ ઉપયોગ માટે વાપરવા જોઈએ નહીં. દવાના વરાયેલા ખાલી ડબ્બાઓ, બોટલોને તોડીને તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેર્યા હોય તે કપડાંને પાણીથી ખૂબ સારી રીતે ધોવા જોઈએ.
ધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ ઉપયોગ કરવો. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અઘિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામમક(વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે એમ ખેતીવાડી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સુરત: વેસુમાં વરસાદના કારણે રોડ બેસી ગયો
પ્રશ્નચિહ્નવાળા રોડની સ્થિતિ:
- ભારે વરસાદના કારણે: અતિશય વરસાદને કારણે રોડ બેસી ગયો.
- અગાઉના મરામત: અગાઉ પણ પેચ વર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ તે અભાવગ્રસ્ત સાબિત થયું.
ફરી વાર ગાબડા:
- વસ્તુપ્રમાણ: રોડ પર ફરીથી ગાબડા પડ્યા છે, જે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.
- ભ્રષ્ટાચારની ભીતિ: ભ્રષ્ટાચારના ગાબડાં હોવાનું લોકોમાં મંતવ્ય છે.
પ્રતિસાદ:
- સ્થાનિકોનો રોષ: રોડની આ હાલતને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
- મનપાની કામગીરી: આ ઘટના મનપાની પ્રિ-મોન્સૂનની કાર્યક્ષમતાને પ્રશ્નચિહ્ન લગાડે છે.
વિગતવાર માહિતી:
- સ્થાન: વેસુ
- પરિસ્થિતિ: પ્રથમ મરામત પછી ફરી વાર ગાબડા પડ્યા.
ભ્રષ્ટાચારના ગાબડા
ભારે વરસાદે વેસુમાં રોડ બેસી જવાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે, જે પહેલા થયેલા પેચ વર્કની ગુણવત્તાને પ્રશ્નચિહ્ન બનાવે છે.
સુરત : રથયાત્રા પહેલા શહેર SOG ની કાર્યવાહી.
SOG દ્વારા લીંબાયત વિસ્તાર માંથી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસે થી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મુંબઈ માં 1993 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ દરમ્યાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો.
મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવી ne મૂકી રાખી હતી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર ના પિતા મુંબઈ બૉમ્બ લાસ્ટમાં મોત થયું હતું.
સુરત: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન
ઉચ્ચ વ્યાજદરમાં પૈસા આપી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી
લોક દરબારની આયોજક:
- જગ્યા: ભાઠેના વિસ્તારનો કોમ્યુનિટી હોલ
- સુવિધા: સુરત શહેર ઝોન બે
લોક દરબારની વિગતો:
- હેતુ: લોકોની વ્યાજખોરીની સમસ્યાઓ સાંભળવી અને ઉકેલ લાવવો
- મુખ્ય વિષય: ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરબી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરાય છે.
પોલીસની કાર્યવાહીઓ:
- વ્યાજખોરો સામે: ઊંચા ભાવે વ્યાજ આપનાર ઈસમો સામે કડક કાર્યવાહી
- સ્થાન: ઉધના, ડિંડોલી, લીંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર
લોકોની હાજરી:
- મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા
- લોકોની સમસ્યાઓ સાંભળી પોલીસ દ્વારા સમાધાનના પ્રયત્નો
લોન માટેની સમજણ:
- માર્ગદર્શન: લોકોને સમજણ આપી સરકારી બેંકોમાંથી લોન મેળવવામાં મદદ માટે પોલીસના પ્રયત્નો
સુનિશ્ચિતતા
શહેર પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના હિત માટે મહેનત કરી રહી છે.
વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…
Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.
સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર
કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.
સુરતની VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ.
MLA કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખી.
GCAS પોર્ટલ પરથી આપવામાં આવેલા કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થતાં લખ્યો પત્ર.
છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યવ્યાપી કરાઈ રહ્યો છે વિરોધ
ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ સુરતના યુવકોના ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓ પકડાયાં.
Surat Umarpada news: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બી.કે. વનાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, સુરત વિભાગના સુપરવિઝન હેઠળ એ.ડી. સાંબડ, પો.સ.ઈ, ઉમરપાડા પો.સ્ટે. દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન, હકીકત મળી કે મગદુમ નગર વ્યારા ખાતે રહેતો સલમાન ગફ્ફાર કાકર ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ છે. તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી, સલમાન ગફ્ફાર કાકરને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો.
સલમાને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ ગામીતે અફઝલ શેખ સાથે મળીને સુરતથી બે વ્યક્તિઓને લાવવાનું કામ આપ્યું હતું. તેના માટે, પ્રજ્ઞેશભાઈએ પંદર-પંદર હજાર રૂપિયા આપવાની વાત કરી. સલમાન, તેના સંબંધી આસિફ અને મિત્ર વિશાલ રાણા સાથે મળીને ઉમરપાડા પહોચી અને બન્ને વ્યક્તિઓ બિલાલ ચાંદી અને અઝહરૂદિન ઉર્ફે અજ્જુ શેખને બાંધી નાખ્યા.
અફઝલ અને પ્રજ્ઞેશના જણાવ્યા મુજબ, બિલાલ અને અઝહરૂદિનને અફઝલના જુના મકાનમાં બાંધી મૂકીને, આકાજ 90,000 રૂપિયા લીધા.
પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:
- સલમાન ગફ્ફાર કાકર
- સરનામું: ઘર નંબર 707, મગદુમ નગર, વ્યારા, તા. વ્યારા, જી. તાપી.
- આસિફ સલીમભાઈ કાકર
- ઉંમર: 30, સરનામું: મગદુમ નગર, વ્યારા, જી. સુરત.
- વિશાલભાઈ રાજુભાઈ રાણા
- ઉંમર: 32, સરનામું: ગોલવાડ ગામ, ટાંકી ફળીયુ, તા. વ્યારા, જી. તાપી.
અન્ય વિગતો:
- એફઆઈઆર નંબર: xx/yyyy
- તારીખ: DD-MM-YYYY
- કાયદેસરની કામગીરી: આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ
મુખ્ય અધિકારીઓ:
- પોલીસ મહાનિરીક્ષક: પ્રેમવિર સિંગ
- પોલીસ અધિક્ષક: હિતેશકુમાર જોયસર
- વિભાગીય પોલીસ અધિકારી: બી.કે. વનાર
- પો.સ.ઈ: એ.ડી. સાંબડ
સચિન પોલીસ સ્ટેશનના લોકપમાં વિડીયો વાયરલ મામલો
Surat news: સચિન પોલીસે વિડીયો ના આધારે યુવકની કરી અટકાયત એક વર્ષ પહેલા પકડાયેલ સુબોધ ધર્મેન્દ્રભાઇ રમાણી એ વિડીયો બનાવ્યો હતો.
વિડિયો બનાવેલ જે ભુલ સમજાતા માફી માંગેલ અને ભવિષ્ય માં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપવામાં આવેલ સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી.
જ્યારે જેલની બહાર વિડીયો ઉતારનાર ની પણ બાળ કિશોરની અટકાયત કરી.
ડિંડોલી વિસ્તારની બંધ દુકાન માં આગ લાગી
Surat News: સુરતના ડિંડોલી વિસ્તાર માં આવેલડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યાં દુકાન માંવેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજથી દુકાન માં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે અને ત્યાં વેલ્ડીંગ નું કામ ચાલતું જ હતું .
ત્યાં વેલ્ડીંગ દરમ્યાન તણખાના ના કારણે આગ લાગી હતી જ્યાં 3 બંધ દુકાનના શટર ઉડ્યા હતા જ્યાં ગેસ લાઈનની ચેમ્બરમાં વેલ્ડીંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
વેલ્ડીંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો.
ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય.
Surat news: સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા.
એક પંચરની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.
પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું.
પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરએ સાપ રેસ્ક્યુ કર્યું હતું.
ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એક થી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી.
સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.
ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતના ખિલાડીઓ ઝળકિયા.
Surat News: યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્દોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 . સ્ટેટ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા તેમજ તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાત અને તેના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત ના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને 14 ગોલ્ડ મેડલ 15 સિલ્વર મેડલ તેમજ 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા બદલ. સુરત ના કરાટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ સુરતી જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા તેમજ ખજાનચી અમલેશભાઈ બાવરીયા. ખિલાડીઓની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના SSRDP ( Sri Sri Rural Development Program & Sustainability ) વિભાગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે MoU; સુરત બનશે “ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી”
સુરત. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (SSRDP) દ્વારા શરૂ કરાયેલ ‘Eco Kranti’ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે.
સુરત ક્લીનેસ્ટ સિટી સાથે સાથે બનશે ગ્રીનેસ્ટ સિટી, સુરતી ઓ સાથે મળી ને સમગ્ર વિશ્વ માં પ્રથમ એવો દાખલો બેસાડસે કે ક્લિનેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો છે.
Eco Kranti ની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે છે જે આપણા રોજિંદા જીવન માં આપડે પ્લાસ્ટિક ની વસ્તુઓ વાપરી ને ફેંકી દઈએ છીએ એ ઉપયોગ થી મુક્ત કરવા ની લડત છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી જે માઇક્રો પ્લાસ્ટિક નું ઉત્પાદન થાય છે એ સૌથી મોટી ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે સાથે આપડા શરીર ને પણ ખુબજ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગો તથા શુક્રાણુ ને લગતા પ્રશ્નો જેવા અનેક કારણો સાથે માનવ જીવન ને પણ ઘણું નુકસાન કારક છે કારણ કે એક સંશોધન અનુસાર હવા , પાણી અને ખોરાક દ્વારા એક ATM કાર્ડ ની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપડા શરીર માં જાય છે આ ગંભીરતા ને ધ્યાન માં રાખી ને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ વિકસાવાયા છે, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પરૂપે ઉપયોગી સાબિત થશે. આ પ્રોડક્ટ્સ કુદરતી રીતે માત્ર છ મહિના અંદર નાશ પામે છે, જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે.
આ અભિયાનનો હેતુ માનવ સમાજ ને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે. SSRDP નો હેતુ એ છે કે અન્ય ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા માટે આગળ આવે અને “Eco Kranti” ના મિશનને સમર્થન આપે.

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાય છે, હવે તેને “ક્લીનેસ્ટ ટુ ગ્રીનેસ્ટ” બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ માટે SSRDP અને સુરત મહાનગરપાલિકા વચ્ચે ખાસ MoU કરવામાં આવ્યું છે. આ MoU દ્વારા ઇકો ફ્રેન્ડલી ઉપક્રમો, કચરાનું વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન ઈનોવેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે.
આ મિશન ની શરૂઆત સુરત થી થાય એ માટે ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલે પહેલ કરી અને એમનો વિશેષ સહયોગ પણ રહ્યો છે. આજના MoU સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ ના SSRDP વિભાગ ના ડાઇરેક્ટર તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ વોરા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી નું પ્રતિનિધિત્વ કરવા ખાસ બેંગલોરથી આવ્યા હતા. સાથે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ , આર્ટ ઓફ લિવિંગ ના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર પ્રકાશભાઈ ધોરીયાણી તેમજ આર્ટ ઓફ લિવિંગ ના શિક્ષક CA હરી અરોરા સહિત મહાનગરપાલિકા તેમજ આર્ટ ઓફ લિવિંગ ના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં પણ આ આમંત્રિત મહેમાનોના હસ્તે જ્યાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ થાય છે એવી હોસ્પિટલો ખાતે તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે ટ્યુશન ક્લાસીસમાં Eco Kranti ની પ્રોડકટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત લૉન્ચિંગની સાથે જ આજરોજ સુરતના 50થી વધુ સ્થળોએ આ દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના Eco Kranti ના પ્રોડક્ટ્સનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ પહેલથી સુરત શહેર ગ્રીન રેવોલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે. આર્ટ ઓફ લિવિંગ નો ઉદ્દેશ્ય છે કે આ Eco Kranti માત્ર શહેર કે રાજ્ય સુધી મર્યાદિત ન રહે, પરંતુ વિશ્વના દરેક ખૂણામાં પહોંચે અને ધરતીને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળી બનાવે.
હાલ લોકો ને સહેલાઈ થી Eco Kranti ના પ્રોડક્ટ્સ મળી રહે એ અનુસંધાને amazon તથા blinkit જેવી એપ પર Eco Kranti ના પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.
ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ ઇન્વેસ્ટર રોડ-શોનું સફળ આયોજન કર્યું
— જયપુર અને સુરતમાં યોજાયેલી બંને ઈવેન્ટમાં કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી
જયપુર/સુરત : ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ BSE પ્લેટફોર્મ પર તેના SME IPO ના ભાગરૂપે, 25 અને 27 ઓક્ટોબર, 2025 ના રોજ જયપુર અને સુરતમાં ઇન્વેસ્ટર રોડ-શોનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. આ રોડ-શો એ સંભવિત રોકાણકારો, સંસ્થાકીય ખરીદદારો અને બજારના સહભાગીઓ માટે કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના પબ્લિક ઇશ્યૂ પહેલાં લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ મેળવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કર્યું હતું.
NNM ગ્રુપ દ્વારા યોજાયેલા આ રોડ શોના માધ્યમથી કંપનીની મેનેજમેન્ટ ટીમ અને સંભવિત રોકાણકારો વચ્ચે અર્થપૂર્ણ વાતચીત સુગમ બની હતી. પહેલી ઈવેન્ટ શનિવાર, 25 ઓક્ટોબર, 2025 ના રોજ જયપુરની હોટેલ હિલ્ટન ખાતે યોજાઈ હતી તેમજ બીજી ઈવેન્ટ સોમવાર, 27 ઓક્ટોબર, 2025 ના રોજ સુરતમાં TGB ખાતે એમેરાલ્ડ હોલમાં યોજાઈ હતી. બંને ઇવેન્ટ્સમાં રોકાણકારોની ઉત્સાહવર્ધક હાજરી જોવા મળી હતી. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ, ગેમ ચેન્જર્સ ટેક્સફેબના ગ્રોથ પ્લાન, વ્યવસાયિક વિકાસની સંભાવના અને ભાવિ વિસ્તરણ યોજનાઓ પર પ્રકાશિત પાડવાનો તેમજ કંપનીની કાર્યકારી ક્ષમતાઓમાં રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવવાનો હતો.
આ સત્રો દરમિયાન, રોકાણકારો સાથેના વાર્તાલાપમાં કંપનીના પ્રમોટર્સ અને સિનિયર મેનેજમેન્ટે તેમના દરેક પ્રશ્નોના પારદર્શિતા અને સ્પષ્ટતા સાથે જવાબ આપ્યા હતા. તેમણે કંપનીના વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર ચર્ચા કરી હતી અને તેના એસેટ-લાઇટ ઓપરેશનલ માળખા અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત, તેમણે કંપનીના ઉત્પાદન અને વિતરણ નેટવર્કને વધારવા માટેની યોજનાઓ વિશે પણ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. જેમાં રોકાણકારોએ કંપનીની આવક, વૈવિધ્યકરણ વ્યૂહરચના, માર્જિન અને આગામી રિટેલ વિસ્તરણ પહેલને સમજવામાં ઊંડો રસ દાખવ્યો હતો. ઈવેન્ટમાં પ્રમોટરોના આત્મવિશ્વાસ અને ડેટા-સમર્થિત પ્રતિભાવોને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેનાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.+

આ બન્ને રોડ શો કંપનીના IPO પહેલા જ યોજાયા હતા. કંપનીનો IPO 28 થી 30 ઓક્ટોબર, 2025 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો છે, જેની પ્રાઈસ બેન્ડ ₹96 થી ₹102 પ્રતિ શેર છે. કુલ ઇશ્યૂનું કદ ₹54.84 કરોડ થાય છે અને કંપનીના શેર 4 નવેમ્બર, 2025 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની અપેક્ષા છે. કંપની આ આવકનો ઉપયોગ મુખ્યત્વે મૂડી ખર્ચ, કાર્યકારી મૂડી જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને સંભવિત અજાણ્યા સંપાદન માટે કરવાની યોજના ધરાવે છે. જે ટકાઉ વિસ્તરણ અને કાર્યકારી કાર્યક્ષમતા પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે.
આ રોડ શોના સફળ આયોજન પછી, ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડે 27 ઓક્ટોબર, 2025 ના રોજ તેની એન્કર ઇન્વેસ્ટર બિડિંગ હાથ ધરી હતી. જેના માધ્યમથી કંપનીએ પ્રતિ શેર ₹102 ના ભાવે શેર ફાળવીને એન્કર રોકાણકારો પાસેથી ₹9.15 કરોડ એકત્રિત કર્યા હતા. આ આયોજને કંપનીમાં રોકાણકારોના વધતા વિશ્વાસ રેખાંકિત કર્યો હતો. જોકે, આ સકારાત્મક ધારણાની વચ્ચે, કેટલાક બજાર નિરીક્ષકોએ કંપનીના કમાણી વૃદ્ધિની તુલનામાં પ્રમાણમાં ઊંચા મૂલ્યાંકન અને તેના એસેટ-લાઇટ મોડેલ સાથે સંકળાયેલા સંભવિત જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મંતવ્યો હોવા છતાં, કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, તેની વ્યૂહરચના લાંબાગાળાની વૃદ્ધિ, સુગમતા અને મજબૂત રિટર્ન પ્રદાન કરે છે. કંપનીના વિકાસના આયોજન અને વિઝને રોડ શોમાં મોટાભાગના સહભાગીઓએ વધાવ્યો હતો.
આમ, એકંદરે, જયપુર અને સુરતમાં રોકાણકારોની મીટિંગમાં ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડના બિઝનેસ વિઝન, ઓપરેશનલ ક્ષમતાઓ અને નેતૃત્વની વિશ્વસનીયતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બન્ને રોડ શો ખૂબ જ સફળ રહ્યા હતા અને તેનાથી કંપનીના SME IPO માટે સકારાત્મક વાતાવરણ તૈયાર થયું હતું.
वेदांता एल्यूमीनियम की कौशल पहल के साथ कालाहांडी के युवाओं ने आधुनिक कार्यस्थलों में कदम रखा
भुवनेश्वर (ओडिशा) [भारत], 30 अक्टूबर: कालाहांडी, जो अपनी जीवंत परंपराओं और अप्रयुक्त संभावनाओं की भूमि है, अब एक उल्लेखनीय परिवर्तन का साक्षी बन रहा है। इसकी शांत गलियों में महत्वाकांक्षा, आत्मविश्वास और आत्मनिर्भरता की एक नई कहानी आकार ले रही है — जो वेदांता एल्युमिनियम की कौशल विकास पहल के नेतृत्व में आगे बढ़ रही है। इस पहल के तहत भवानीपटना और लांजीगढ़ के 800 से अधिक युवाओं को प्रशिक्षण दिया जा चुका है। 55% महिला भागीदारी के साथ, कालाहांडी में यह कार्यक्रम अपने लोगों के लिए नए अवसरों के द्वार खोल रहा है, लैंगिक समावेशी रोजगार को बढ़ावा दे रहा है और इस क्षेत्र में नई ऊर्जा का संचार कर रहा है।
दशकों से, कालाहांडी एक ऐसा क्षेत्र रहा है जहाँ अवसरों की कमी थी, और आकांक्षाएँ अक्सर परिस्थितियों से सीमित होती थीं। आज ज्वार-भाटा बदल रहा है। भवानीपटना और लांजीगढ़ में वेदांता के कौशल केंद्रों में युवा पुरुष और महिलाएँ व्यावहारिक, नौकरी के लिए तैयार कौशल सीख रहे हैं जो उन गाँवों से परे दरवाजे खोलते हैं जहाँ वे पले-बढ़े हैं।
ओडिशा कौशल विकास प्राधिकरण (ओ. एस. डी. ए.) और नाबार्ड के साथ साझेदारी में संचालित ये केंद्र उद्योग-संरेखित पाठ्यक्रम प्रदान करते हैं जो तकनीकी ज्ञान और व्यावहारिक प्रशिक्षण का मिश्रण करते हैं। आतिथ्य और खुदरा से लेकर खाद्य और पेय सेवाओं तक, प्रत्येक कार्यक्रम को वास्तविक दुनिया की मांगों और विकसित भूमिकाओं को पूरा करने के लिए तैयार किया गया है। अब तक 800 से अधिक प्रशिक्षित युवाओं में से 75% ने रोजगार प्राप्त किया है, जो एक मजबूत नियुक्ति दर और सार्थक कैरियर के अवसर पैदा करने में कार्यक्रम के प्रभाव को दर्शाता है।
लेकिन संख्या कहानी का केवल एक हिस्सा बताती है। प्रत्येक आँकड़ों के पीछे सैकड़ों व्यक्तियों का अनुभव होता है जो पूरी तरह से नया जीवन जीते हैं। उदाहरण के लिए, भटगुडा की 21 वर्षीय बिगनासिनी बिसी, वेदांता एल्यूमीनियम द्वारा प्रदान किए गए अपने प्रशिक्षण को पूरा करने के बाद अब पुणे में फिएस्टा बारबेक्यू नेशन में काम करती है। वह कहती हैं,
“मैंने इससे पहले कभी अपने गाँव से बाहर कदम नहीं रखा था। प्रशिक्षण ने मुझे न केवल कौशल दिया, बल्कि एक ऐसी दुनिया में कदम रखने का साहस भी दिया, जिसके बारे में मैंने कभी सोचा था कि यह मेरी पहुंच में नहीं है।”
100% एक पाठ्यक्रम में नियुक्तिः गर्व का क्षण
कार्यक्रम के खाद्य और पेय पाठ्यक्रम के 22वें बैच ने हाल ही में एक ऐतिहासिक उपलब्धि हासिल की-100% प्लेसमेंट। सभी 24 प्रशिक्षुओं को मदुरै में एवीएन समूह, बैंगलोर में सोडेक्सो, पुणे में क्लब महिंद्रा और भुवनेश्वर में स्मिता हॉलिडेज जैसे प्रसिद्ध संगठनों में रोजगार मिला है। इन युवा पेशेवरों में से प्रत्येक अब औसत वार्षिक वेतन अर्जित करता है जो न्यूनतम मजदूरी सीमा से ऊपर है। उन परिवारों के लिए जहां मासिक आय कभी अनिश्चित थी, ये स्थिर वेतन गरिमा और सुरक्षा दोनों का प्रतिनिधित्व करते हैं। वे समुदाय में भी घूमते हैं, अन्य युवाओं को उसी रास्ते पर चलने और बड़े सपने देखने के लिए प्रेरित करते हैं। वेदांता एल्युमिना बिजनेस के सी. ई. ओ. प्रणब कुमार भट्टाचार्य कहते हैं, “कौशल विकास के माध्यम से युवाओं को सशक्त बनाना विकास के लिए हमारे दृष्टिकोण का केंद्र है। यह तथ्य कि हमने जिन 800 युवाओं को प्रशिक्षित किया है, उनमें से आधे से अधिक लड़कियां हैं, कालाहांडी में लैंगिक समानता और आत्मनिर्भरता के प्रति हमारी प्रतिबद्धता को दर्शाता है। यह मील का पत्थर, हमारे नवीनतम बैच के अभूतपूर्व 100% प्लेसमेंट के साथ, ओडिशा कौशल विकास प्राधिकरण के साथ गुणवत्तापूर्ण प्रशिक्षण और सहयोग की परिवर्तनकारी शक्ति को साबित करता है। हम इस क्षेत्र के लिए अधिक न्यायसंगत और समृद्ध भविष्य बनाने की कोशिश कर रहे हैं ।“
प्रशिक्षण से परेः सतत आजीविका का निर्माण
इस कार्यक्रम की सफलता न केवल युवाओं की संख्या में निहित है, बल्कि इसके दीर्घकालिक दृष्टिकोण में निहित है-सार्थक आजीविका के माध्यम से आत्मनिर्भर समुदायों का पोषण करना। सुनिश्चित रोजगार या उद्यमशीलता के मार्गों के साथ गुणवत्तापूर्ण प्रशिक्षण को जोड़कर, यह पहल ग्रामीण युवाओं को स्थानीय अर्थव्यवस्था में योगदान करते हुए अपने पैरों पर खड़े होने का एक तरीका प्रदान करती है। संयुक्त राष्ट्र के सतत विकास लक्ष्यों जैसे वैश्विक ढांचे के साथ संरेखित-विशेष रूप से लैंगिक समानता, गरीबी में कमी और सभ्य काम पर- वेदांता एल्यूमीनियम की कौशल पहल एक मॉडल का प्रतिनिधित्व करती है कि कैसे कॉर्पोरेट हस्तक्षेप जमीनी स्तर पर परिवर्तन को बढ़ावा दे सकते हैं। कंपनी का ध्यान अब स्केलिंग प्रभाव पर दृढ़ता से बना हुआ है। प्रशिक्षण मॉड्यूल का विस्तार करने, उद्योग संबंधों को मजबूत करने और नई व्यावसायिक धाराओं का पता लगाने के लिए योजनाएं चल रही हैं जो बाजार की बढ़ती जरूरतों से मेल खाती हैं। कालाहांडी के युवाओं के लिए, इसका मतलब है नौकरी और वादे से भरा भविष्य। एक कौशल कार्यक्रम के रूप में जो शुरू हुआ वह सशक्तिकरण के आंदोलन में विकसित हुआ है, जो ग्रामीण भारत की ताकत को फिर से परिभाषित कर रहा है। लांजीगढ़ की कक्षाओं से लेकर देश भर के कार्यस्थलों तक, इन 800 युवा उपलब्धियों की कहानी एक शक्तिशाली अनुस्मारक के रूप में खड़ी हैः जब अवसर दृढ़ संकल्प से मिलता है, तो परिवर्तन होता है।
“ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું ભાવિ ઉજ્જવળ : ગુજરાતી વેબ સીરીઝ પણ ડેવલપ થવી જોઈએ” : સુરતની ઉભરતી અભિનેત્રી હીના જયકિશન
“હીના કહે છે કે, ગુજરાતી ફિલ્મોની મોર્ડન સ્ટોરી, ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ, રિમિક્સ, ડિસ્કો અને મધુર ગીત-સંગીત બોક્સ ઓફિસ પર દર્શકોને આકર્ષી રહી છે. આ ટ્રેન્ડ ઇન્ડસ્ટ્રીના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે સારા સંકેત છે.”
સુરત :“વીતેલાં દોઢ દશક દરમિયાન, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. એક્શન, હોરર, સસ્પેન્સ થ્રીલર, કોમેડી કે સમાજને એક સારો મેસેજ આપતી ફિલ્મ હોય, ઇનોવેટિવ આઇડિયા આધારિત અનેક ગુજરાતી ફિલ્મોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર ચાહના મેળવી છે. નવા કોન્સેપ્ટ સાથેની મોર્ડન ટોપિક આધારિત ફિલ્મોએ દર્શકોમાં સ્વીકૃતિ મેળવીને બોક્સ ઓફિસ પર ડંકો વગાડ્યો છે. આજે વર્ષ દરમિયાન, સરેરાશ નાની-મોટી 100 જેટલી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. યુવા ફિલ્મ નિર્માતાઓ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને ફિલ્મ નિર્માણ પ્રત્યેના જુસ્સા સાથે ગ્લોબલ સિનેમેટિક એક્સેલેન્સનો પરિચય કરાવી રહ્યા છે, જે હકીકતમાં ગુજરાતી સિનેમાના ઉજ્જવળ ભવિષ્યની પ્રતિતિ કરાવે છે.” આ ઉદગાર સુરતની ઉભરતી અભિનેત્રી હીના જયકિશને વ્યક્ત કર્યા છે.
હીના, વર્ષ 2020 પછી 5 વર્ષના સમયગાળા દરમિયાન વિવિધ 12 ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. તેઓ હાલમાં જ રજૂ થયેલી ગુજરાતી કોમેડી ડ્રામા ફિલ્મ ‘ચણીયા ટોળી’માં તેમના પર્ફોર્મન્સ અને દર્શકો પાસેથી મળેલી સરાહનાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હીના કહે છે કે, મનોરંજનથી ભરપૂર આ ફિલ્મે તેની રિલીઝ પછી પહેલાં સપ્તાહમાં 10 કરોડથી વધુનું ઐતિહાસિક કલેક્શન મેળવ્યું છે. સુરતની હીના સિનેમા ઉદ્યોગમાં કેરિયર ડેવલપમેન્ટને લઈને ખૂબ જ સકારાત્મક અભિગમ ધરાવે છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ, તેમાં રહેલી તકો, ફિલ્મોના પ્રમોશન અને આજની આધુનિક ફિલ્મો અંગે હીનાએ પોતાના વિચારો શેર કર્યા છે.
પ્રશ્ન : તમારા કેરિયર, એક્ટિંગ અને સ્ક્રીનના અનુભવ અંગે જણાવશો.
હીના : મેં વર્ષ 2015માં સુરતમાં ભગવાન મહાવીર કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યાર પછી હું મુંબઈમાં આઇટી કંપનીમાં જોડાઈ હતી. એક્ટિંગ ક્ષેત્રે મારું કોઈ બેકગ્રાઉન્ડ નથી. જોકે, એક્ટિંગમાં મને પહેલેથી જ રુચિ રહી છે. જોબમાંથી સમય કાઢીને વિકેન્ડ દરમિયાન, હું ઓડીશન આપતી રહેતી હતી. મેં મોડેલિંગ ઉપરાંત કેટલાક સોંગ્સમાં પર્ફોર્મન્સ આપવા સાથે કેટલીક એડ ફિલ્મોમાં પણ કામ કર્યું. મારા કામની પ્રશંસા થઈ અને મને પ્રોત્સાહન મળ્યું ત્યાર પછી મેં એક્ટિંગ અને ફિલ્મોમાં કેરિયર ડેવલપ કરવાનું નક્કી કર્યું. મેં જોબ છોડી દીધી અને એક્ટિંગમાં કેરિયર બનાવવાના નિર્ધાર સાથે ઓડિશન આપવાનું શરૂ કર્યું. જોકે તે વખતે વર્ષ 2020માં કોરોના દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. છ મહિના સુધી કોઈ કામ ન હતું. જોકે, હું ઘરેથી જ ઓનલાઈન ઓડિશન આપતી રહેતી હતી અને મને એક ગુજરાતી ફિલ્મ ‘કહી દે ને પ્રેમ છે’ માં કામ કરવાની તક મળી હતી. મારા કામની સરાહના થઈ અને મને અનેક ફિલ્મોમાં કામ કરવાનો અવસર મળ્યો. પાંચ વર્ષમાં મેં અત્યાર સુધી 12 ફિલ્મોમાં અભિનય કર્યો છે. મેં એક હિન્દી ફિલ્મમાં પણ અભિનય કર્યો છે, જે આગામી જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે.

પ્રશ્ન : તમે ભજવેલી યાદગાર ભૂમિકાઓ કંઈ છે.?
હીના : કહી દે ને પ્રેમ છે, નાસૂર, વેલકમ પૂર્ણિમા, ચાર ફેરાનું ચકડોળ, વિશ્વગુરુ, કચ્છ એક્સપ્રેસ, મારું મન તારું થયું, મીરાં વગેરે મારી ફિલ્મો છે. એવોર્ડ વિજેતા ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ એ મારી મુખ્ય અને મનગમતી ફિલ્મ છે. આ ઉપરાંત, ફિલ્મ ‘મીરા’ ની ભૂમિકા મારી માટે ખૂબ ચેલેન્જીંગ હતી. હું એ ભૂમિકાને પૂરો ન્યાય આપી શકી તેનો મને ખરેખર ખૂબ જ ગર્વ છે.
પ્રશ્ન : તમને આગળ કેવો રોલ કરવાની ઈચ્છા છે.?
હીના : હું માનું છું કે, હાલમાં સિનેમામાં મહિલાઓ માટે પરિવર્તનશીલ યુગની શરૂઆત છે. ગુજરાતી હોય કે હિન્દી, હાલમાં મહિલાઓ ફિલ્મોમાં ખુબજ પડકારજનક અને મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી રહી છે. મારી પોતાની વાત કરું તો, મને આગળ એક આઇપીએસ ઓફિસર, સસ્પેન્સ અને પૌરાણિક-ઐતિહાસિક ફિલ્મોમાં મુખ્ય રોલ કરવાની ઈચ્છા છે.
પ્રશ્ન : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ અને યુવાવર્ગને તેમાં કેરિયર ડેવલપમેન્ટ અંગેની તકો અંગે શું કહેશો.?
હીના : ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ હાલમાં સારો એવો ગ્રોથ કરી રહ્યો છે. વર્ષ દરમિયાન નાની મોટી 100 જેટલી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે. ઘણી ફિલ્મોએ દર્શકો પાસેથી સારી ચાહના મેળવી છે. મોર્ડન વિષયોને આવરી લેતી અનેક ગુજરાતી ફિલ્મો ગ્રામીણ દર્શકોની સાથે-સાથે હવે શહેરી, ઉચ્ચ વર્ગ, યુવાનો અને મલ્ટીપ્લેક્સ પ્રેક્ષકોને આકર્ષી રહી છે. ટેકનોલોજીકલ પરિવર્તન સાથે ગુજરાતી ફિલ્મોના વાર્તા કથન અને માર્કેટિંગમાં મોટો ફેરફાર થયો છે. મોટી સંખ્યામાં યુવા ડિરેક્ટરો, કલાકારો, ગીતકારો, સંગીતકારો સહિત અનેક પ્રોફેશનલોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતાના શિખરો સર કર્યા છે. ગુજરાતી લોકો આજે દેશ દુનિયામાં જઈને વસ્યા છે. જોકે, તેમને પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે અનોખો લગાવ છે. ગુજરાતની સંસ્કૃતિ આધારિત ફિલ્મોમાં મોર્ડન ટચ જોવા મળી રહ્યો છે. રિમિક્સ, ડિસ્કો અને મધુર સંગીત દર્શકોને પસંદ આવી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોનો ચાહક વર્ગ વધી રહ્યો છે. કેટલીક ફિલ્મોએ સિનેમાઘરોમાં સિલ્વર જુબલી અને ગોલ્ડન જુબલી પણ મનાવી છે. ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ઉજ્વળ છે, તેમ ચોક્કસ કહી શકાય.
પ્રશ્ન : ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે નવું શું કરી શકાય.?
હીના : હું માનું છું કે, ગુજરાતી ફિલ્મોના પ્રમોશન માટે હિન્દી અને અંગ્રેજીની જેમ ગુજરાતી વેબ સીરીઝ પણ ડેવલપ કરવી જોઈએ. તેમાં નવા ઉભરતા કલાકારોને પોતાની ટેલેન્ટ બતાવવાનો અવસર મળશે.
પ્રશ્ન : તમને ફિલ્મોમાં કેરિયર માટે પરિવારનો સહયોગ મળ્યો છે.?
હીના : સાચું કહું તો, મારા પરિવારના સપોર્ટને કારણે જ હું ફિલ્મોમાં મારી હાલની જગ્યા બનાવી શકી છું. મારા પિયર પક્ષ અને અને સાસરામાંથી, બંને પરિવારોએ મને પૂરું પ્રોત્સાહન આપ્યું છે.
સોલેક્સ એનર્જી લિમિટેડ અને જર્મનીના આઈએસસી કોન્સ્ટાન્ઝે નેક્સ્ટ-જેન સોલાર ઇનોવેશનને આગળ વધારવા માટે સ્ટ્રેટેજિક RGD પાર્ટનરશીપ કરી
ભારતના પ્રથમ રીઅર કોન્ટેક્ટ સોલાર મોડ્યુલ, TAPI રીઅર કોન્ટેક્ટ (TRC), વિઝન 2030 નું લક્ષ્યાંક રજૂ કરે છે
રૂ. 1 લાખ કરોડનું મૂલ્યાંકન, $1.5 બિલિયનનું રોકાણ, અને 25,000-મજબૂત કાર્યબળ
સુરત , ઓક્ટોબર, 2025: ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ પગલામાં,NSE પર સૂચિબદ્ધ અગ્રણી સૌર ઉત્પાદક, સોલેક્સ એનર્જી લિમિટેડ (Solex Energy Limited): સોલેક્સ (SOLEX) એ સોલાર સેલ ઉત્પાદનમાં અદ્યતન RGD અને તકનીકી સહયોગ માટે ISC કોન્સ્ટાન્ઝ, જર્મની સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ઘોષણા નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી, જેમાં સોલેક્સ લીડરશીપ, ISC કોન્સ્ટાન્ઝના પ્રતિનિધિઓ અને મુખ્ય ઈન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર હાજર રહ્યા હતા.
આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા, ISC કોન્સ્ટાન્ઝ તેની આગામી TOPCon સેલ લાઇનને અપગ્રેડ કરવા અને આગામી પેઢીની રીઅર કોન્ટેક્ટ અને c-Si ટેન્ડમ/પેરોવસ્કાઇટ સોલર ટેકનોલોજી અપનાવવા માટે સોલેક્સને વ્યાપક ટેકનોલોજીકલ સહાય પૂરી પાડશે. આ સહયોગ ISC કોન્સ્ટાન્ઝના પેટન્ટ પોર્ટફોલિયો દ્વારા સમર્થિત, સોલેક્સની સમર્પિત ઇન-હાઉસ RGD લાઇનની સ્થાપનાને પણ સક્ષમ બનાવશે, જે ભારતમાં સતત નવીનતા અને ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા સૌર ઉત્પાદનને આગળ ધપાવશે.
આ કાર્યક્રમમાં બોલતા, સોલેક્સ એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ચેતન શાહે (Dr. Chetan Shah, Chairman and Managing Director) જણાવ્યું હતું કે, “આ ભાગીદારી સોલેક્સની ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા અને વૈશ્વિક નેતૃત્વ તરફની સફરમાં એક નિર્ણાયક પ્રકરણ છે. અમારા વિઝન 2030 હેઠળ, અમે 1 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યાંકિત મૂલ્યાંકન, 1.5 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ અને 25,000 હાઈલી સ્કિલ્ડ ટીમ મેમ્બર્સ સાથે ભારતને સૌર નવીનતાના કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે આ વિઝનને આગળ ધપાવે છે.

ગયા વર્ષે, રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા (REI) પ્રદર્શન 2024 દરમિયાન, સોલેક્સે રેક્ટેન્ગયુલર સેલ્સ દ્વારા સંચાલિત ભારતનું પ્રથમ સૌર મોડ્યુલ રજૂ કર્યું, જે દેશમાં ટેકનોલોજીકલ નેતૃત્વ માટે એક મિસાલ સ્થાપિત કરે છે. આ વર્ષે, અમે ફરી એકવાર ભારતમાં સૌથી અદ્યતન સૌર તકનીકોમાંથી એક લાવીને અને તેના વારસાને ટકાવી રાખીને ઇતિહાસ રચી રહ્યા છીએ. અમારી પ્રતિબદ્ધતા કસ્ટમર ફર્સ્ટ રહે છે, ખાતરી કરીને કે અમે સમુદાયો, ઉદ્યોગો અને રાષ્ટ્રને સશક્ત બનાવતા બેસ્ટ-ઇન-ક્લાસ સોલ્યુશન્સ પહોંચાડીએ છીએ.”
તેમણે વધુમાં ઉમેર્યું, “અમારું ધ્યાન ફક્ત ક્ષમતા વધારવા પર નથી પરંતુ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને પ્રદર્શન દ્વારા અજોડ મૂલ્ય પહોંચાડવા પર છે. ભારત, યુરોપ અને યુ.એસ.માં અમારી વૈશ્વિક હાજરી વિસ્તરી રહી છે, ત્યારે અમે એક એવું ભવિષ્ય બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જ્યાં ક્લીન, એફોર્ડેબલ એનર્જી દરેક ઘર, વ્યવસાય અને સમુદાયને સશક્ત બનાવે. ISC કોન્સ્ટાન્ઝ સાથે મળીને, અમે તે દ્રષ્ટિને વાસ્તવિકતામાં ફેરવી રહ્યા છીએ.”
આ ઉપરાંત, [Name, Designation, ISC Konstanz] એ શેર કર્યું, “આઈએસસી કોન્સ્ટાન્ઝ ખાતે, અમે 2005 થી ખર્ચ ઘટાડીને ફોટોવોલ્ટેઇક કાર્યક્ષમતામાં સતત વધારો કરી રહ્યા છીએ. અમારું ધ્યેય એવા સંશોધન પરિણામો પ્રાપ્ત કરવાનું છે જે ઉદ્યોગ અને સમાજ બંનેને લાભ આપે. અમે વૈશ્વિક ધોરણો નક્કી કરીએ છીએ, વિશ્વભરના ભાગીદારો અને યુવા પ્રતિભાઓ સાથે કુશળતા શેર કરીએ છીએ, અને એક અંતિમ ધ્યેય દ્વારા સંચાલિત રહીએ છીએ, જે સ્વચ્છ સૌર ઊર્જાને બધા માટે સુલભ અને સસ્તું બનાવે છે. સોલેક્સ એનર્જી સાથેની અમારી ભાગીદારી અમને તે દ્રષ્ટિકોણને સાકાર કરવા અને સફળ વૈશ્વિક એનર્જી ટ્રાન્ઝિશનને આગળ વધારવાની નજીક લાવે છે.”
વિઝન 2030 હેઠળ, સોલેક્સનો ઉદ્દેશ્ય 10 GW સોલર મોડ્યુલ અને 10 GW સોલર સેલ ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાનો છે, જે ભારતીય સૌર ઉત્પાદનમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરે છે..
આ જ કાર્યક્રમમાં, સોલેક્સે ભારતના પ્રથમ રીઅર કોન્ટેક્ટ સોલર મોડ્યુલ, TAPI રીઅર કોન્ટેક્ટના કોન્સેપ્ટ લોન્ચનું અનાવરણ કર્યું, જે ડિઝાઇન અને કાર્યક્ષમતામાં એક મોટી છલાંગ રજૂ કરે છે. TAPI એ સોલેક્સ એનર્જી લિમિટેડ હેઠળ નોંધાયેલ નામ અને લોગો છે. અદ્યતન N-ટાઇપ રીઅર કોન્ટેક્ટ ટેકનોલોજી દ્વારા સંચાલિત, નવું મોડ્યુલ 24.60% સુધી કાર્યક્ષમતા અને 665W પાવર આઉટપુટ પ્રદાન કરે છે, જેમાં શૂન્ય ફ્રન્ટ શેડિંગ અને અસાધારણ તાપમાન પ્રદર્શન છે. TAPI રીઅર કોન્ટેક્ટનું વાણિજ્યિક ઉત્પાદન નાણાકીય વર્ષ 2027 સુધીમાં શરૂ થવાનું છે, જે સોલેક્સના પ્રીમિયમ સોલર ટેકનોલોજીના આગામી યુગમાં પ્રવેશને ચિહ્નિત કરે છે.
સોલેક્સે એવી પણ જાહેરાત કરી હતી કે મુલાકાતીઓ 30 ઓક્ટોબર, 2025 થી ગ્રેટર નોઈડા ખાતે શરૂ થઈ રહેલા રિન્યુએબલ એનર્જી ઈન્ડિયા (REI) એક્સ્પોમાં તેની નવીનતાઓનું અન્વેષણ કરી શકે છે. કંપની બૂથ નંબર R318, હોલ 11 ખાતે તેની નવીનતમ ટેકનોલોજી અને TAPI રીઅર કોન્ટેક્ટ પ્રોડક્ટ રેન્જનું પ્રદર્શન કરશે.
તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગ રૂપે, સોલેક્સ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં ડીલરો અને વિતરકો સાથે નવી ભાગીદારી શોધવા માટે સક્રિયપણે કાર્યરત છે, જે તેની વૈશ્વિક પહોંચને વધુ મજબૂત બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, સોલેક્સ એનર્જી લિમિટેડ તાજેતરમાં NSE ઇમર્જથી NSE મેઇન બોર્ડમાં સ્થળાંતરિત થયું છે, જે તેની માઈલસ્ટોન જર્નીમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે અને ભારતના સૌથી વિશ્વસનીય અને ભવિષ્ય માટે તૈયાર નવીનીકરણીય ઉર્જા સાહસોમાંના એક તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.
वेदांता लांजीगढ़ ने ‘प्रोजेक्ट संगम’ के अंतर्गत मत्स्य पालन पहल से किसानों के लिए नई आमदनी का स्रोत
भुवनेश्वर (ओडिशा), अक्टूबर 16: भारत की सबसे बड़ी एल्युमिनियम उत्पादक कंपनी, वेदांता एल्युमिनियम ने सतत आजीविका को बढ़ावा देने और ग्रामीण अर्थव्यवस्था को सशक्त बनाने की दिशा में एक महत्वपूर्ण कदम बढ़ाते हुए लांजीगढ़ में अपने प्रमुख जलग्रहण एवं आजीविका कार्यक्रम – ‘प्रोजेक्ट संगम’ के अंतर्गत मत्स्य पालन (पिसिकल्चर) कार्यक्रम शुरू किया है। इस पहल का उद्देश्य किसानों और स्वयं सहायता समूह (SHG) के सदस्यों को वैज्ञानिक तरीकों से मछली पालन के माध्यम से वैकल्पिक आय के अवसर प्रदान करना है।
कलााहांडी के मत्स्य एवं पशुपालन विभाग के सहयोग से लागू यह कार्यक्रम 13 गांवों में पांच एकड़ में फैले 32 जलाशयों को कवर करता है और सीधे तौर पर 44 किसानों एवं स्वयं सहायता समूह सदस्यों को लाभान्वित करेगा। उन्हें संसाधन, प्रशिक्षण और तकनीकी सहायता उपलब्ध कराई जाएगी, ताकि वे मछली पालन को एक टिकाऊ आजीविका गतिविधि के रूप में अपना सकें। इस पहल से प्रतिवर्ष 20 टन मछलियों का उत्पादन होने की उम्मीद है, जो स्थानीय उपभोग और बाजार आपूर्ति दोनों में अहम योगदान देगा।
वेदांता एल्युमिना बिजनेस के सीईओ प्रणव कुमार भट्टाचार्य ने कहा, “वेदांता लांजीगढ़ में हम पर्यावरणीय और सामाजिक लक्ष्यों के अनुरूप सतत आजीविका अवसरों के जरिए समग्र सामुदायिक विकास को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं। ‘प्रोजेक्ट संगम’ के तहत मत्स्य पालन पहल किसानों की आय में विविधता लाने में मदद करती है और ग्रामीण अर्थव्यवस्था को सशक्त बनाती है, साथ ही राज्य के विकास दृष्टिकोण के अनुरूप है।”
मछली उत्पादन को बढ़ाने के अलावा, यह पहल ओडिशा के ‘वन डिस्ट्रिक्ट, वन प्रोडक्ट’ (ODOP) कार्यक्रम को भी मजबूत करती है, जिससे कलााहांडी में मत्स्य पालन को प्रमुख आजीविका स्रोत के रूप में बढ़ावा मिलता है। मौजूदा जल निकायों के उपयोग और आधुनिक मछली पालन पद्धतियों को अपनाकर यह परियोजना किसानों को नई आय के साधन प्राप्त करने और मौसमी उतार-चढ़ाव से निपटने की क्षमता विकसित करने में सक्षम बनाती है, जिससे दीर्घकालिक आर्थिक स्थिरता सुनिश्चित होती है।
‘प्रोजेक्ट संगम’ एक समेकित जलग्रहण एवं आजीविका परियोजना है, जो ग्रामीण समुदायों की आजीविका को सुदृढ़ बनाने हेतु तकनीक-आधारित पहलों को बढ़ावा देती है। इस परियोजना का लक्ष्य ओडिशा के कलााहांडी जिले के लांजीगढ़ क्षेत्र के 41 गांवों में जल आधारित परिसंपत्तियां विकसित करना है, ताकि वर्षभर पेयजल और कृषि कार्यों के लिए जल की उपलब्धता सुनिश्चित की जा सके। इससे क्षेत्र में 3,500 एकड़ से अधिक भूमि को सिंचाई सुविधा मिलेगी और जल भंडारण क्षमता तथा भूजल पुनर्भरण दर में वृद्धि होगी, जिससे 22,000 से अधिक लोगों को पूरे वर्षभर लाभ मिलेगा। ऐसी पहलों के माध्यम से, वेदांता लांजीगढ़ स्थानीय समुदायों को सशक्त बनाने, ग्रामीण उद्यमिता को प्रोत्साहित करने और ओडिशा की समावेशी विकास यात्रा में योगदान देने की अपनी प्रतिबद्धता को पुनः पुष्टि करता है।
Disclaimer: यह कंपनी की प्रेस विज्ञप्ति है। इसमें दिए गए तथ्यों की जिम्मेदारी प्रकाशन या उसके कर्मचारियों की नहीं है।
આત્મવિશ્વાસ સાથે મંચને પ્રકાશિત કરાયો: વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલે દિવાળીની ઉજવણી પ્રતિભા સાથે ભરેલી સાપ્તાહિક પ્રવૃત્તિઓથી કરી
સુરત, 17 ઓક્ટોબર, 2025:દિવાળીના પાવન અવસરે, વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે એક અઠવાડિયા લાંબો ઉત્સવ ઉજવ્યો, જેમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિની ઉમંગભેર ઉજવણી જોવા મળી. દરેક વય જૂથના વિદ્યાર્થીઓ માટે વિશેષ તૈયાર કરવામાં આવેલી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને મંચભય દૂર કરવા, આત્મવિશ્વાસથી મંચ પર આવવા અને વર્ગખંડની બહારના જીવન માટે જરૂરી કૌશલ્યો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
“આ દિવાળી, નિર્ભય બનીએ અને સ્ટેજ ફિયર દૂર કરી દઈએ”—આ સંદેશ સાથે શાળાએ આત્મવિશ્વાસ, સંવાદકૌશલ્ય અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપ્યું, જે એક ભવિષ્યલક્ષી વ્યક્તિ બનવા માટે મહત્વપૂર્ણ ગુણો છે.
ઉત્સવની શરૂઆત પ્રી-પ્રાઈમરીના નાનકડા વિદ્યાર્થીઓની કથા કહો સ્પર્ધાથી થઈ. રંગીન વસ્ત્રોમાં સજ્જ થયેલા અને ઉત્સાહથી ભરેલા બાળકો મંચ પર આવ્યા અને પોતાની પસંદગીની વાર્તાઓ આનંદપૂર્વક રજૂ કરી. પ્રોપ્સ, અભિનય અને ઉત્સાહપૂર્વકની રજૂઆત દ્વારા તેમણે પ્રાણીઓ, તહેવારો અને નૈતિકતા આધારિત વાર્તાઓ જીવંત બનાવી. এতલા નાનકડા બાળકોને આત્મવિશ્વાસથી મંચ પર બોલતા જોવું એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી ક્ષણ હતી, જેનાથી સમગ્ર સપ્તાહ માટે ઉર્જાવાન વાતાવરણ ઊભું થયું.
પછી પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ કવિતા પઠન સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં તેમણે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં સુંદર કવિતાઓ રજૂ કરી. પરંપરાગત કાવ્યોથી લઈને મૂળ રચનાઓ સુધી, વિદ્યાર્થીઓએ લય, ઉચ્ચારણ અને ભાવનાઓથી ભરપૂર પ્રસ્તુતિ આપી. દરેક કવિતામાં ભાષા પ્રત્યેનો પ્રેમ અને ભાવ વ્યક્ત કરવાની તેમની ક્ષમતા સ્પષ્ટ રીતે જણાઈ. ઘણાં બાળકો માટે આ પ્રથમ વખત હતું કે તેઓ માઇક્રોફોન સાથે મંચ પર આવ્યા હતા, અને તેમના સ્પષ્ટ ઉચ્ચારણ અને આત્મવિશ્વાસને શિક્ષકોએ ખુબ પ્રશંસા આપી.

મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ભાષણ સ્પર્ધા યોજાઈ, જેમાં તેમણે વિચારજનક વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. વિષયોમાં “આત્મવિશ્વાસનું મહત્વ,” “ડિજિટલ ઈન્ડિયા,” અને “સ્વચ્છ પર્યાવરણ, લીલું ભવિષ્ય” જેવા વિષયો સમાવિષ્ટ હતાં. વિદ્યાર્થીઓએ માત્ર સાર્વજનિક ભાષણ કૌશલ્ય જ નહીં, પણ સામાજિક વિષયો વિશેની સમજદારી અને તર્કશક્તિ પણ દર્શાવી. તેમની અવાજની ફરાવટ, હાથવગા હાવભાવ અને આંખોનો સંપર્ક તેમની તૈયારી અને આત્મવિશ્વાસનો પરિચય આપતો હતો. સ્પષ્ટ હતું કે શાળા એવા વિદ્યાર્થીઓને ઘડવાનું કામ કરી રહી છે, જે આત્મવિશ્વાસપૂર્વક બોલી શકે અને નેતૃત્વ કરી શકે.
સીનિયર સેકન્ડરી વિદ્યાર્થીઓએ ક્વિઝ સ્પર્ધા સાથે આ ઉજવણીનો સમાપન કર્યો. વિભિન્ન હાઉસિસમાં વિભાજિત વિદ્યાર્થીઓએ વર્તમાન ઘટનાઓ, વિજ્ઞાન, ઈતિહાસ, તર્કશક્તિ અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોને આવરી લેતા અનેક રાઉન્ડમાં સ્પર્ધા કરી. સંપૂર્ણ હોલ ઉત્સાહ અને તીવ્રતા સાથે ધબકતો રહ્યો જ્યારે વિદ્યાર્થીઓએ ઝડપી વિચારીને ટીમ વર્ક સાથે જવાબ આપ્યા. ખાસ દિવાળી થીમ આધારિત રાઉન્ડ દ્વારા ભારતીય તહેવારો, પરંપરાઓ અને વારસો અંગેની સમજણને પણ કસોટી પર મુકી. આ ક્વિઝ માત્ર બુદ્ધિશક્તિ શાર્પ કરતી ન હતી, પણ એક આરોગ્યદાયક સ્પર્ધાત્મક ભાવનાનું પાલન પણ કરાવ્યું.
આ સમગ્ર સપ્તાહ દરમ્યાન વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને વખાણોથી ભરેલું વાતાવરણ જોવા મળ્યું. શાળાની પ્રિન્સીપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ ભાવપૂર્વક જણાવ્યું:
“દિવાળી પ્રકાશનું પર્વ છે, અને અમે માનીએ છીએ કે દરેક બાળકની અંદર એક ઉજાસ છે, જે ચમકવાનો હકદાર છે. આ સ્પર્ધાઓ માત્ર મુકાબલો નથી, પરંતુ આવાસરો છે—જ્યાં બાળકો પોતાના ડરનો સામનો કરે છે, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ શીખે છે, અને સાહસ ધરાવે છે. અમે દરેક બાળક પર ગર્વ અનુભવી રહ્યા છીએ કે જેઓ મંચ પર આવ્યા અને પોતાનું શ્રેષ્ઠ આપ્યું.”
અભિણવકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને તેના અસરકારક પરિણામોને માણ્યા. અનેક માતાપિતાએ ખુશી વ્યક્ત કરી કે તેમણે પોતાના બાળકોને મંચ પર એટલા આત્મવિશ્વાસથી રજૂ થતું જોયું, જ્યારે શિક્ષકોએ પણ કહ્યું કે આ પ્રકારના અનુભવોથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે.
આ સાપ્તાહિક ઉજવણીનું મુખ્ય હેતુ—વિદ્યાર્થીઓના અંદરના સંકોચો દૂર કરીને તેમને મંચ પર જાતે રજૂ થવામાં આરામદાયક બનાવવું—સફળતાપૂર્વક પ્રાપ્ત થયું.
હિરાબાના નામે દીકરીઓના શિક્ષણ માટે ઉદાર પહેલ…
સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈનો સંકલ્પ: ૨૧,૦૦૦ દીકરીઓને મળશે ₹૭,૫૦૦ની સહાય
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે “હિરાબા નો ખમકાર” અભિયાન હેઠળ અત્યાર સુધી ૨૫૧ દીકરીઓને સહાય, ધનતેરસે વધુ ૧૫૧ને મળશે લાભ
સુરત: શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હિરાબાના નામથી “હિરાબા નો ખમકાર” શિર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ પિયુષભાઈએ ૨૧,૦૦૦ આર્થિક રીતે નબળી દીકરીઓને ₹૭,૫૦૦ની સહાય આપવા નો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફી મા શૈક્ષણિક સહાય મળશે.

પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવી એ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે. દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે.
આ અભિયાનનો શુભારંભ શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં ૨૫૧ દીકરીઓને સહાય અપાઈ હતી. હવે આવનારા ધનતેરસના શુભ અવસર પર વધુ ૧૫૧ દીકરીઓને સહાય આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૯૩ના રોજ થયો હતો. હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ, જમીન વેચાણ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે.
સમાજસેવાની ભાવના સાથે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે.ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આ
સુરત ખાતે યોજાયો વર્લ્ડનો સૌથી મોટો ફેશન શો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યું સ્થાન
રાજા રાણી કોચિંગ સંસ્થા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ ફેશન શોમાં રેકોર્ડ બ્રેક 7000 થી વધુ લોકોએ ભાગ લીધો
સુરત. ફેશન જગતમાં હવે સુરતે વિશ્વ ક્ષત્રે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજ રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ વિશ્વના સૌથી મોટા ફેશન શૉએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ નોંધાવ્યું છે. સુરતને આ ગૌરવનો ક્ષણ મળ્યો છે.l મોહિત ગડિયા અને પ્રિયા ગડિયા દ્વારા સંચાલિત રાજા રાણી કોચિંગ સંસ્થાના કારણે. આ દંપતી દ્વારા આજરોજ સુરત ખાતે આયોજિત ફેશન શોમાં આશ્ચર્યજનક રીતે 7,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અત્યાર સુધી 1,200 લોકોએ ભાગ લીધો તે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ હતું, પરંતુ સુરતના આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નવો વૈશ્વિક કીર્તિમાન રચાયો છે.
રાજા રાણી કોચિંગના સ્થાપક મોહિત ગડિયા જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે નહોતો, પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કીલને દેખાડવાનો પ્લેટફોર્મ હતું. ‘સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા’ના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માગીએ છીએ.”
ગત વર્ષે સંસ્થાએ 3,000 વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું, જેમાંથી 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ લંડન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, કોલકાતા, ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા.
આ ઇવેન્ટમાં કુલ 15 ફેશન સિક્વન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતભરના 40 મોડેલ્સે વિવિધ ગારમેન્ટ્સ પ્રસ્તુત કર્યા. રંગ, સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.
પ્રિયા ગડિયા જણાવ્યું હતું કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે. સુરત શહેરે ફેશન અને યુવા પ્રતિભા માટે વૈશ્વિક સ્તરે પોતાનું નામ નોંધાવી દીધું છે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે એક ખાસ સિક્વન્સ પણ રજૂ કર્યો, જેમાં યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવામાં આવી હતી.
वेदांता लांजीगढ़ ने ओडिशा स्कूल तीरंदाजी में मचाया धमाल, 12 पदक जीते
लांजीगढ़ [ओडिशा], अक्टूबर 10: भारत के सबसे बड़े एल्युमिनियम उत्पादक वेदांता एल्युमिनियम ने अपनी जमीनी खेल पहल की एक बड़ी उपलब्धि का जश्न मनाया है, जब इस कार्यक्रम के युवा तीरंदाजों ने ओडिशा स्कूल तीरंदाजी चैम्पियनशिप में प्रतिष्ठित “ओवरऑल चैम्पियन” का खिताब जीत लिया।
कालाहांडी ज़िले के इन तीरंदाजों ने, स्कूल गेम्स फेडरेशन ऑफ़ इंडिया (SGFI) द्वारा सुंदरगढ़ में आयोजित इस प्रतियोगिता में, कुल 8 स्वर्ण, 3 रजत और 1 कांस्य पदक जीतकर शानदार प्रदर्शन किया।
वेदांता लांजीगढ़ की प्रमुख स्पोर्ट्स ट्रेनिंग इनिशिएटिव युवा तीरंदाजों को विशेषज्ञ कोचिंग, विश्वस्तरीय उपकरण और प्रतिस्पर्धात्मक मंच प्रदान करती है, जो वेदांता की स्थानीय प्रतिभा को प्रोत्साहित करने की प्रतिबद्धता को दर्शाती है। इन खिलाड़ियों की उपलब्धि न केवल कालाहांडी के युवाओं की अपार क्षमता को उजागर करती है, बल्कि संगठित प्रशिक्षण और मार्गदर्शन के परिवर्तनकारी प्रभाव को भी सिद्ध करती है।
इस सफलता पर टिप्पणी करते हुए, वेदांता एल्युमिना बिजनेस के सीईओ प्रणब कुमार भट्टाचार्य ने कहा,
“वेदांता लांजीगढ़ में, हम मानते हैं कि सच्ची प्रगति उन अवसरों से मापी जाती है जो हम अपने समुदायों के लिए निर्मित करते हैं। हमारे युवा तीरंदाजों की यह असाधारण उपलब्धि यह दर्शाती है कि जमीनी स्तर की पहल किस प्रकार छिपी हुई प्रतिभाओं को उभार सकती है और उन्हें विजेता बना सकती है। हम कालाहांडी के युवाओं को सशक्त बनाने, उनमें आत्मविश्वास जगाने और उत्कृष्टता की राह पर अग्रसर करने के लिए प्रतिबद्ध हैं।”
2018 में आरंभ की गई वेदांता की स्पोर्ट्स ट्रेनिंग इनिशिएटिव वंचित समुदायों से खेल प्रतिभाओं की पहचान कर उन्हें तीरंदाजी और एथलेटिक्स में विशेषज्ञ कोचिंग, उच्च गुणवत्ता वाले उपकरण और प्रशिक्षण ढांचा उपलब्ध कराती है। इस पहल के तहत राष्ट्रीय प्रतियोगिताओं में भागीदारी को भी प्रोत्साहन दिया जाता है।
अब तक 100 से अधिक युवा तीरंदाज इस कार्यक्रम के तहत प्रशिक्षित किए जा चुके हैं, जिन्होंने केवल पिछले वर्ष ही राज्य और राष्ट्रीय प्रतियोगिताओं में 50 से अधिक पदक जीते हैं, जो खेलों के जमीनी विकास के प्रति वेदांता की सतत प्रतिबद्धता को प्रदर्शित करता है।