નવા ફોજદારી કાયદાઓ પર જાગૃતિ સત્ર: વિદ્યાર્થીઓ અને કેડેટ્સને માહિતીપ્રદ પ્રવચન
વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી, સુરતના NCC અને NSS એકમોએ 13 જૂન, 2025ના રોજ મારફતિયા હોલ ખાતે “નવા ફોજદારી કાયદાઓ” પર જાગૃતિ સત્રનું આયોજન કર્યું હતું. સત્રમાં ડો.સી.એ. ક્રિષ્ના દેસાઈ, (Dr. C.A. Krishna Desai)સહાયક પ્રોફેસર, સંસાધન વ્યક્તિ તરીકે હાજર રહ્યા હતા. સંસાધન વ્યક્તિએ નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા અને જૂના, બિનજરૂરી સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવાની જરૂરિયાત સમજાવી જે ભારતીય લોકો પર શાસન કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેમના કલ્યાણ માટે નહીં. તેણીએ વિદ્યાર્થીઓને જાણ કરી કે IPC, ICPrC અને IEA હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શકહ્યા અધિનિયમ સાથે બદલાઈ ગયા છે.
વધુમાં, તેણીએ જૂના કાયદાઓમાં મુખ્ય ફેરફારો અને ફેરફારો વિશે ચર્ચા કરી. તેણીએ નીચેના સ્વાગત પગલાઓને પ્રકાશિત કર્યા –
- નવા કાયદા લિંગ તટસ્થ છે,
- 33 નવા ગુનાઓનો ઉમેરો,
- નવી સજાનો ઉમેરો – સમુદાય સેવા
- એક પ્રકરણમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની પુનઃરચના
- લઘુમતી વયની પુનઃ વ્યાખ્યાયિત, દસ્તાવેજની વ્યાખ્યાના અવકાશમાં ફેરફાર, તૃતીય લિંગનો સમાવેશ – ટ્રાન્સજેન્ડર સમુદાય
- શૂન્ય FIR
- ઈ-પુરાવા, સમન્સ અને જુબાની
- ઓડિયો વિડિયો રેકોર્ડિંગ શોધ અને જપ્તી
- કોર્ટ કેસો અને ચુકાદાઓની ઘોષણા પૂર્ણ કરવાની સમયમર્યાદા.
કાર્યક્રમનું સંકલન ડો.તન્વી તારપરા અને ડો.અવની શાહે કર્યું હતું. સત્રમાં 100 NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ડૉ. કિષ્ના દેસાઈએ નવા ફોજદારી કાયદાઓની ઊંડાણપૂર્વક ઝાંખી પૂરી પાડી હતી, જેમાં નોંધપાત્ર ફેરફારો અને નાગરિકો પર તેની અસરો પર ભાર મૂક્યો હતો. સત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉપસ્થિતોને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 વિશે શિક્ષિત કરવાનો હતો, જેથી તેઓ નવીનતમ કાનૂની વિકાસ વિશે સારી રીતે માહિતગાર હોય.
સત્રને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ઉપસ્થિતોએ માહિતીપ્રદ સામગ્રીની પ્રશંસા કરી હતી
મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા
BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.
આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ
ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો
Lajpur News: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી(hard sanghvi)એ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે દયાળજી બાગ ખાતે તરંગ મેળાને ખુલ્લો મુકાયોઃ
ખેડૂતો દ્વારા સંચાલિત ૪૦ જેટલા એફપીઓ પાસેથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની તકઃ
Surat News: સુરત શહેર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન ” તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મેળો રવિવાર સુધી ખુલ્લો રહેશે.
તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતા ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ, મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય છે.
આ અવસરે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ, ડેપ્યુટી ડીરેકટર એગ્રિકલચર, DGM નાબાર્ડ,DDM નાબાર્ડ અને વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના ધો.૧૦ સુધી ભણેલા ચંદનભાઈ રાજ્ય સરકારની ઓછા વ્યાજ દરની લોન સહાય યોજનાથી બન્યા પગભર: રૂ.૫ લાખની લોન મેળવી ખરીદી ઈકો ગાડી
Surat Umarpada Taluka: યુવાધન આગળ વધી સમજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂ.૫ લાખની કિંમતની ઈકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકા વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, મારી માતા સહિત અમે પરિવારમાં ૪ સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ ૯ પાસ કરી શક્યો હતો. ધોરણ ૧૦માં અનુત્તીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિષે જાણકારી આપી હતી. જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર ૪ ટકાના વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા ખેતીકામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું, અને મારા પરિવારનું સરળતાથી ભરણ-પોષણ કરી શકું છું એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદનભાઈ વસાવાની ધો.૧૦માં અનુત્તીર્ણ થયા છતાં કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ
Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના
અમદાવાદ : ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.
આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.
કંપની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.
ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગસાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.
For more information, please visit: https://www.fonebook.in/
સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ
1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું
લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું
માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.
આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,
જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.
લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.
પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.
ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના પ્રયત્નથી દરજી સમાજ નું પ્રથમ દેહદાન
લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખશ્રી તેમજ સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ર્ડો. પ્રફુલભાઇ શિરોયા સાહેબ ની ચક્ષુદાન મહાદાન ની સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવા માં ખુબજ અગત્ય નો ફાળો છે આવોજ કિસ્સો સુરત ના પુણાગામ , ૩૫ કલ્યાણનગર માં રહેતા ને હોમગાર્ડઝ માં માનદસેવા આપતાં તુષારભાઈ સોલંકી ના ધર્મપત્ની સ્વ. જ્યોતીબેન તુષારભાઈ સોલંકી ઉ. વર્ષ.52 નુ ટૂંકી માંદગીઃ બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેને દેહ દાન કરવા નો સંકલ્પ કર્યો હોય જયારે તેમના અવસાન પેલા બે દિવસ અગાવ તેમના શરીર નુ દાન કરવાનું જણાવેલ સ્વર્ગસ્થ ના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતી દ્વારા ડૉક્ટર પ્રફુલભાઇ શિરોયા સાહેબ ને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજ મા દેહદાન અર્પણ કર્યું . દેહદાન જાગૃતિ અંગે ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું હોય સ્વર્ગસ્થ ના પરિવાર માં તેમજ સમસ્ત દરજી સમાજ નુ આ પ્રથમ દેહદાન હોય ઉપરોક્ત દેહદાન સ્વર્ગસ્થ ના પતિ તુષારભાઈ માવજીભાઈ સોલંકી સ્વર્ગસ્થ ના જેઠ નટુભાઈ માવજીભાઈ સોલંકી, તેમના બાળકો ડૉક્ટર દીપાલીબેન સોલંકી, જીગરભાઈ સોલંકી, ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થ ની બોડી નુ દાન આપી આ સમાજ ને ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે
આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂ અંગે મોટો ખુલાસો કર્યો.
ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી Deshi અને વિદેશી Videsi દારૂ પર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.
ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા
એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર સાવા
આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા
જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા
અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.
અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત
રાજકોટ TRP GAME ZONE પ્રકરણમા નવો અધ્યાય:
કન્ઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમા નોંધવામા આવ્યુ છે કે રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP GAME ZONE ના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામા આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે TRP GAME ZONE ની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામા આવેલ હતો.
તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.
ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ
પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શન હેઠળ કોમ્પનસેશન અને પ્યુનિટીવ ડેમેજીસની દાદ મંજૂર કરવા આ ફરિયાદમા રજૂઆત કરાઈ છે.
આ તકે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદના કાર્યને પોતાનુ સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામા આવશે નહી તેવુ જાહેર કરવામા આવેલ છે.
અત્રે એ પણ નોંધનીય બાબત બની રહેશે કે અગાઉ કન્ઝ્યુમર બાર તથા રાજકોટ બાર દ્વારા આરોપીઓ તરફે વકીલ તરીકે ન રોકાવા અનુરોધ કરવામા આવ્યો છે તેનુ પાલન થશે કે નહી.
આ ફરિયાદને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે. આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે.
એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની દ્વારા જાહેર કરવામા આવેલ છે કે TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ મૃતકો પૈકી ગ્રાહકની વ્યાખ્યામા આવતા કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. આ કાર્ય બદલ અને સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે આ પ્રકારની નિષ્ણાંત સેવા પુરી પાડવા બદલ રાજકોટ ગોરવ અનુભવે છે.
સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું
UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો
તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી
પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.
પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.
હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.
ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી
પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું
2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.
કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.
ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.
પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:
Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.
આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.
જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:
Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં ૭ નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.
વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.
પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.
આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.
વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.
પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.
આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.
- અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
- અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
- વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
- શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
- શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.
વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ
Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે
સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ
Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત
Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
Surat Udhana News: ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મૃતક કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો.
જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી
રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.
જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો.
વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં.
માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી
મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી.
માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું.
જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન
News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ ગઝલકાર અને વીર નર્મદ યુનિ.ના ગુજરાતી વિષયના અધ્યાપક(Dr. Amit) ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ શ્વાસ સંશોધનગ્રંથો ગઝલપ્રવેશ રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ અને રાજેશ વ્યાસનું ગઝલકર્મ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય સંશોધન રાષ્ટ્ર સંસ્કૃતિ સમાજ સંસ્કાર પર્યાવરણ બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો
ગુજરાત સરકારના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો તેમજ પોતાના રોજના વ્યવહાર માં રમત ની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્ઝ પ્રીમીયર લીગ બોક્સ ક્રિકેટ નું આયોજન જી બી પટેલ સ્પોર્ટ કોમલેક્સ, પ્રિયંકા સર્કલ પાસે, ભેસ્તાન મા સચીન યુનિટ ના હોમગાર્ડ્ઝ ના સહયોગ થી કરવામાં આવેલા.
સુરત ના રાંદેર યુનિટ, સચીન યુનિટ, એ ઝોન, બી ઝોન, સી ઝોન, સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચે ક્રિકેટ મેચ નું આયોજન કરવા મા આવેલ જેમાં ફાઇનલ મેચ મા સચીન યુનિટ અને એ ઝોન વચ્ચે ખારા ખારી નો જંગ હતો. સચિન ની ટીમ દ્વારા ૧૭૨ રન બનાવ્યા હતા. સરુઆત ની અવરોમાં એ ઝોન ના બેસ્ટમેન સારૂ રમ્યા હતા. પરંતુ સચીન ના બોલરો સામે ટકી સ્ક્યા નહતા.
હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ્લ શિરોયા એ સચિન યુનાટ ની ક્રિકેટ ટીમ ને વિજેતા અને એ ઝોન ની ટીમ ને રનર્સ અપ જાહેર કરી હતી.
ગૃહ મંત્રી શ્રી સંઘવીસાહેબે વિજેતા ટીમ ના અધિકારી થોમસ પઢારે તેમજ કેપ્ટન પ્રવિણ, ટીમ ના સભ્યોને મેડલ અને રનર્સ અપ ટીમ ના અધિકારી દિનેશ પરમાર અને કેપ્ટન ડી પી મિસ્ત્રી તેમજ બેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન યુનિટ ના અરમાન અંસારી અને બેસ્ટ બોલર તરીકે સી ઝોન ના ડી પી મિસ્ત્રી ને અભિનદન અને કપ આપીને સન્માન્યા હતા.
સુરત : ભેસ્તાન વિસ્તારની ઘટના
Surat Bhanodra News: સુરતના એકલારા-ભાણોદ્રા રોડ પર ભેસ્તાન વિસ્તારમાં એક ઘટના ઘટી હતી. અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળ્યું હતુ. આ ડ્રમ પર લાશ હોવાની સંભાવનાથી પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. રાત્રે ડ્રમના કટરથી સિમેન્ટ ભરેલું પણ મળ્યું હતુ અને તેમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવી હતી. પછી લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી-સિમેન્ટ સાથે ભરી દીધું અને તેને ફેંકી દેવાયું હતુ. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ થાય છે.
સુરત વેસુ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈડ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત
Surat Vesu News: રોહિત હાટીલા, ૨૫ વર્ષનું યુવક, સુરતના વેસુ વિસ્તારમાં વરસાદી પાણી કાઢવા જતા કામદાર હતા. બાકી કામદારો પરાંત પાણીનું નિકાલ કરવા માટે સાફ-સફાઈ કરતા હતા. રોહિતે પણ પાણી નિકાળવાની કોશિશ કરી હતી, પરંતુ પડી જતા વિષેને તેને તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. સારવાર મળી, તેની પહેલા જ રોહિતને મૃત્યુ થઈ હતી.
લગ્નેતર સબંધનો કરુણ અંજામ..
ગુજરાતના રુદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો હતો. અઠવા પોલીસે આ વારંવારની ક્રિમિનલ રાજનીતિને ધ્યાનમાં લેતી હોઈ બે આરોપીઓને ધરપકડ કર્યું.
આડાસબંધ રાખનાર દીપેશ અને તેની પત્ની વિશે જાણ થતાં, દીપેશે તેમણે પત્નીના ભાઈ સાથે મળીને પ્રેમની સંબંધો જાહેર કર્યા હતા. આ કારણે મૂઢ મારી હત્યા થઇ હતી.
અઠવા પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ કરી હતી.
સુરતમાં ભાજપ અને રાહુલ ગાંધીનો વિરોધ
Surat News: ભાજપના મોટા સંખ્યામાં કાર્યકર્તાઓનું સંયુક્ત વિરોધ હવે સુરતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગાવટમાં જાહેર થયું છે. રાહુલ ગાંધીને વિરોધમાં લઈને “હાય હાય ના નારા” પણ લાગાવવામાં આવ્યું છે. આ સમયે ભાજપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ પ્રકરણને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે.
અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ડૉકટર ડે ની ઉજવણી…
Surat Varacha News: વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં બાલભવન વિભાગમાં ડૉકટર ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓ વિવિધ વ્યવસાયકારો જેવા કે ડૉકટર પોલીસ વકીલ સૈનિક લુહાર સુથાર મોચી બાબર કુંભાર કડીઓ વેપારી વગેરે આપણા વ્યવસાયક આરોના પહેરવેશમાં આવી એ વ્યવસાયકરોના કાર્યો,ઓજારો એમની સમાજમાં જરૂરિયાત વિશે માહિતી બાળ કલાકારોએ સુંદર રજૂઆત કરી. વિવિધ વ્યવસાયકારોના પાત્રનો સુંદર અભિનય પણ શાળાના બાળ કલાકારો અને શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ બાલભવનના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સારી રીતે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું.
જિલ્લામાં ધોધમાર વરસાદ
સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ
કુંભારીયા ગામમાં ભરાયા પાણી
કુંભારીયા ગામના પાદર ફળિયામાં ભરાયા પાણી
પાદર ફળિયા ના ઘરો પાણીમાં ગરકાવ
પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ
ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
સુરત મહાનગરપાલિકા ની ટીમ સ્થળ પર પહોંચી
જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો
ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો
મહાનગરપાલિકા ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
સુરતના જૂની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો
જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં, વરસાદ ને પગલે જૂની સિવિલ હોસ્પિટલ ના ચોથા માળે થી પાણી ટપકી રહ્યું. જનરલ વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. હાલાકી વચ્ચે પણ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા. તંત્ર દ્વારા માત્ર કોથળીની બેગ મૂકી સંતોષ માનવામાં આવી રહ્યું.
ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદ: પ્રી-મોનસુન કામગીરી ફેલ
સુરત: ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદથી સપષ્ટ થાય છે કે, પ્રી-મોનસુન કામગીરી પૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.
સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર: ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
Surat News: સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે એક માર્ગદર્શિકા જાહેર કરાય છે. જે અનુસાર જંતુનાશક દવાઓ બાળકોની પહોંચથી દૂર જ રાખવી જોઈએ. શક્ય હોય તો તેને એક રૂમમાં રાખીને તાળું મારી દેવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ. જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઈએ. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.
અને જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ચશ્માં તથા ગમબુટ અવશ્ય પહેરવા જોઈએ. વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાનો છંટકાવ કરતી વખતે સમયે શરીર પર જંતુનાશક દવા ન પડે તેની ખાસ કાળજી રાખવી. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જંતુનાશક દવાને શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, કોઇપણ વસ્તુ ખાતા કે ચાવતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા જોઈએ. જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો.
અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જંતુનાશક દવા વાપરી હોય તેવા ડબ્બાનો સંગ્રહ કરવા કે અન્ય કોઇપણ ઉપયોગ માટે વાપરવા જોઈએ નહીં. દવાના વરાયેલા ખાલી ડબ્બાઓ, બોટલોને તોડીને તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેર્યા હોય તે કપડાંને પાણીથી ખૂબ સારી રીતે ધોવા જોઈએ.
ધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ ઉપયોગ કરવો. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અઘિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામમક(વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે એમ ખેતીવાડી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સુરત: વેસુમાં વરસાદના કારણે રોડ બેસી ગયો
પ્રશ્નચિહ્નવાળા રોડની સ્થિતિ:
- ભારે વરસાદના કારણે: અતિશય વરસાદને કારણે રોડ બેસી ગયો.
- અગાઉના મરામત: અગાઉ પણ પેચ વર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ તે અભાવગ્રસ્ત સાબિત થયું.
ફરી વાર ગાબડા:
- વસ્તુપ્રમાણ: રોડ પર ફરીથી ગાબડા પડ્યા છે, જે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.
- ભ્રષ્ટાચારની ભીતિ: ભ્રષ્ટાચારના ગાબડાં હોવાનું લોકોમાં મંતવ્ય છે.
પ્રતિસાદ:
- સ્થાનિકોનો રોષ: રોડની આ હાલતને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
- મનપાની કામગીરી: આ ઘટના મનપાની પ્રિ-મોન્સૂનની કાર્યક્ષમતાને પ્રશ્નચિહ્ન લગાડે છે.
વિગતવાર માહિતી:
- સ્થાન: વેસુ
- પરિસ્થિતિ: પ્રથમ મરામત પછી ફરી વાર ગાબડા પડ્યા.
ભ્રષ્ટાચારના ગાબડા
ભારે વરસાદે વેસુમાં રોડ બેસી જવાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે, જે પહેલા થયેલા પેચ વર્કની ગુણવત્તાને પ્રશ્નચિહ્ન બનાવે છે.
સુરત : રથયાત્રા પહેલા શહેર SOG ની કાર્યવાહી.
SOG દ્વારા લીંબાયત વિસ્તાર માંથી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસે થી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મુંબઈ માં 1993 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ દરમ્યાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો.
મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવી ne મૂકી રાખી હતી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર ના પિતા મુંબઈ બૉમ્બ લાસ્ટમાં મોત થયું હતું.
સુરત: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન
ઉચ્ચ વ્યાજદરમાં પૈસા આપી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી
લોક દરબારની આયોજક:
- જગ્યા: ભાઠેના વિસ્તારનો કોમ્યુનિટી હોલ
- સુવિધા: સુરત શહેર ઝોન બે
લોક દરબારની વિગતો:
- હેતુ: લોકોની વ્યાજખોરીની સમસ્યાઓ સાંભળવી અને ઉકેલ લાવવો
- મુખ્ય વિષય: ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરબી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરાય છે.
પોલીસની કાર્યવાહીઓ:
- વ્યાજખોરો સામે: ઊંચા ભાવે વ્યાજ આપનાર ઈસમો સામે કડક કાર્યવાહી
- સ્થાન: ઉધના, ડિંડોલી, લીંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર
લોકોની હાજરી:
- મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા
- લોકોની સમસ્યાઓ સાંભળી પોલીસ દ્વારા સમાધાનના પ્રયત્નો
લોન માટેની સમજણ:
- માર્ગદર્શન: લોકોને સમજણ આપી સરકારી બેંકોમાંથી લોન મેળવવામાં મદદ માટે પોલીસના પ્રયત્નો
સુનિશ્ચિતતા
શહેર પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના હિત માટે મહેનત કરી રહી છે.
વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…
Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.
સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર
કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.
સુરતની VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ.
MLA કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખી.
GCAS પોર્ટલ પરથી આપવામાં આવેલા કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થતાં લખ્યો પત્ર.
છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યવ્યાપી કરાઈ રહ્યો છે વિરોધ
ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ સુરતના યુવકોના ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓ પકડાયાં.
Surat Umarpada news: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બી.કે. વનાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, સુરત વિભાગના સુપરવિઝન હેઠળ એ.ડી. સાંબડ, પો.સ.ઈ, ઉમરપાડા પો.સ્ટે. દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન, હકીકત મળી કે મગદુમ નગર વ્યારા ખાતે રહેતો સલમાન ગફ્ફાર કાકર ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ છે. તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી, સલમાન ગફ્ફાર કાકરને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો.
સલમાને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ ગામીતે અફઝલ શેખ સાથે મળીને સુરતથી બે વ્યક્તિઓને લાવવાનું કામ આપ્યું હતું. તેના માટે, પ્રજ્ઞેશભાઈએ પંદર-પંદર હજાર રૂપિયા આપવાની વાત કરી. સલમાન, તેના સંબંધી આસિફ અને મિત્ર વિશાલ રાણા સાથે મળીને ઉમરપાડા પહોચી અને બન્ને વ્યક્તિઓ બિલાલ ચાંદી અને અઝહરૂદિન ઉર્ફે અજ્જુ શેખને બાંધી નાખ્યા.
અફઝલ અને પ્રજ્ઞેશના જણાવ્યા મુજબ, બિલાલ અને અઝહરૂદિનને અફઝલના જુના મકાનમાં બાંધી મૂકીને, આકાજ 90,000 રૂપિયા લીધા.
પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:
- સલમાન ગફ્ફાર કાકર
- સરનામું: ઘર નંબર 707, મગદુમ નગર, વ્યારા, તા. વ્યારા, જી. તાપી.
- આસિફ સલીમભાઈ કાકર
- ઉંમર: 30, સરનામું: મગદુમ નગર, વ્યારા, જી. સુરત.
- વિશાલભાઈ રાજુભાઈ રાણા
- ઉંમર: 32, સરનામું: ગોલવાડ ગામ, ટાંકી ફળીયુ, તા. વ્યારા, જી. તાપી.
અન્ય વિગતો:
- એફઆઈઆર નંબર: xx/yyyy
- તારીખ: DD-MM-YYYY
- કાયદેસરની કામગીરી: આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ
મુખ્ય અધિકારીઓ:
- પોલીસ મહાનિરીક્ષક: પ્રેમવિર સિંગ
- પોલીસ અધિક્ષક: હિતેશકુમાર જોયસર
- વિભાગીય પોલીસ અધિકારી: બી.કે. વનાર
- પો.સ.ઈ: એ.ડી. સાંબડ
સચિન પોલીસ સ્ટેશનના લોકપમાં વિડીયો વાયરલ મામલો
Surat news: સચિન પોલીસે વિડીયો ના આધારે યુવકની કરી અટકાયત એક વર્ષ પહેલા પકડાયેલ સુબોધ ધર્મેન્દ્રભાઇ રમાણી એ વિડીયો બનાવ્યો હતો.
વિડિયો બનાવેલ જે ભુલ સમજાતા માફી માંગેલ અને ભવિષ્ય માં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપવામાં આવેલ સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી.
જ્યારે જેલની બહાર વિડીયો ઉતારનાર ની પણ બાળ કિશોરની અટકાયત કરી.
ડિંડોલી વિસ્તારની બંધ દુકાન માં આગ લાગી
Surat News: સુરતના ડિંડોલી વિસ્તાર માં આવેલડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યાં દુકાન માંવેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજથી દુકાન માં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે અને ત્યાં વેલ્ડીંગ નું કામ ચાલતું જ હતું .
ત્યાં વેલ્ડીંગ દરમ્યાન તણખાના ના કારણે આગ લાગી હતી જ્યાં 3 બંધ દુકાનના શટર ઉડ્યા હતા જ્યાં ગેસ લાઈનની ચેમ્બરમાં વેલ્ડીંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
વેલ્ડીંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો.
ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય.
Surat news: સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા.
એક પંચરની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.
પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું.
પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરએ સાપ રેસ્ક્યુ કર્યું હતું.
ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એક થી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી.
સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.
ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતના ખિલાડીઓ ઝળકિયા.
Surat News: યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્દોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 . સ્ટેટ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા તેમજ તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાત અને તેના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત ના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને 14 ગોલ્ડ મેડલ 15 સિલ્વર મેડલ તેમજ 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા બદલ. સુરત ના કરાટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ સુરતી જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા તેમજ ખજાનચી અમલેશભાઈ બાવરીયા. ખિલાડીઓની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
રાજહંસ પ્રેશિયા મલ્ટિપ્લેક્સ સુરતના પ્રીમિયમ મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું : એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
સુરતના મોજીલા લોકોને ‘પ્રેશિયા’, સિનેમાનો એક ઈનોવેટીવ રોમાંચક અનુભવ આપી રહ્યું છે, આ થિયેટર પહેલા ક્યારેય ન હોય તેવી આકર્ષક વિઝુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે, જે પ્રેક્ષકોને ખુબજ મોહિત કરે છે
સુરત (ગુજરાત) [ભારત], 22 ડિસેમ્બર: ભારતના સૌથી મોટા મલ્ટિપ્લેક્સ તથા 14 સ્ક્રીન અને 3000+ બેઠકો ધરાવતા, ‘પ્રેશિયા’ એ તેના લોન્ચીંગ બાદ સંચાલનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સિદ્ધિ, દર્શકોને પ્રીમિયમ સિનેમા અનુભવો પ્રદાન કરવાની તેની સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
વિતેલા એક વર્ષમાં, આ મલ્ટિપ્લેક્સ સુરતમાં એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. તેણે મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષિત કર્યા છે અને તેમને ટેકનોલોજી, આરામ અને આતિથ્યના જોરદાર સંગમ સાથે સિનેમા જોવાનો રોમાંચક અનુભવને આપ્યો છે.
પ્રેશિયાના પ્રથમ વર્ષની ખાસ હાઇલાઇટ, સુરતમાં IMAX ફોર્મેટની રજૂઆત હતી. IMAX સ્ક્રીન વધુ સારી વિઝ્યુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. આની સાથે જ, તેમાં ઇમર્સિવ, મલ્ટિડાયરેક્શનલ સાઉન્ડ પણ છે જે પ્રેક્ષકોનું મનોરંજન વધારે છે.

પ્રેશિયાએ મૂવી જોવાના એક કસ્ટમાઇઝ્ડ અનુભવ તરીકે પણ પ્રેક્ષકોને મોહિત કર્યા છે. લાંબા સમય સુધી જોવા માટે રજાઇવાળા સ્યુટ બેડથી લઈને પ્રાઇવેસી અને આરામ આપતા કપલ રિક્લાઈનર્સ સુધી, દરેક ઓડિટોરિયમને આરામ અને આનંદને પ્રાથમિકતા આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. આવી રોમાંચ સાથેની વ્યવસ્થાએ ‘પ્રેશિયાની પ્રીમિયમ સિનેમેટિક લાઉન્જ તરીકે અલગ ઓળખ ઉભી કરે છે.
‘પ્રેશિયા’ની આ ઉપલબ્ધિ અંગે રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “રાજહંસનું વિઝન હંમેશા વિશ્વના સૌથી શ્રેષ્ઠ મનોરંજન અનુભવોને ઘર આંગણે ઉપલબ્ધ કરાવવાનું રહ્યું છે. ‘પ્રેશિયા’ સાથે, અમે સુરતમાં ફિલ્મો જોવાની રીત બદલી નાખી છે અને પ્રેક્ષકોને એક્સ્ટ્રાઓર્ડિનરી અનુભવ આપ્યો છે. અમારી માટે એ જોવું ખરેખર રોમાંચક છે કે, પ્રેશિયા એક વર્ષની અંદર શહેરના લેન્ડમાર્ક તરીકે ઉભર્યુ છે અને મનોરંજન, લેઝર અને આનંદ માટે એક પસંદગીનું સ્થળ બન્યું છે. અમે પ્રેક્ષકોને વર્લ્ડ-ક્લાસ મનોરંજન અનુભવો આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”
તેની મનમોહક ડિઝાઇન, સુલભતા અને પ્રીમિયમ આહલાદક અનુભવે, પ્રેશિયા મલ્ટિપ્લેક્સને પરિવારો, યુગલો અને સિનેમાના શોખીન લોકોમાં લોકપ્રિય બેસ્ટ ચોઈસ બનાવી છે.
રાજહંસ સિનેમાઝ દેશભરમાં તેની હાજરીનો વિસ્તાર કરી છે. હાલમાં સમગ્ર ભારતમાં તેની 160 થી વધુ સ્ક્રીનો કાર્યરત છે અને ચંદીગઢ, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, પુણે, કોલકાતા અને હૈદરાબાદ સહિતના શહેરોમાં 65+ સ્ક્રીનોનું ડેવલપમેન્ટ કાર્ય જારી છે.
સુરતમાં BNI ગ્રેટર સુરત દ્વારા રમતોના મેદાન પર એચઆઈવી જાગૃતિનો અનોખો સંદેશ
સુરત. બિઝનેસ નેટવર્કિંગની જાણીતી સંસ્થા બીએનઆઈ (BNI) ગ્રેટર સુરતે રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીનો અદ્ભુત સંગમ સાધ્યો છે. સુરતમાં આયોજિત વિશાળ સ્પોર્ટ્સ ઇવેન્ટ દ્વારા સભ્યો વચ્ચે નેટવર્કિંગ અને ટીમવર્કને પ્રોત્સાહન આપવાની સાથે એચઆઈવી જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવી રહ્યો છે.
આ મેગા ઇવેન્ટ 14 ડિસેમ્બરથી શરૂ થઈ 28 ડિસેમ્બર સુધી ચાલશે. કુલ છ અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ, કેરમ, ક્રિકેટ, પિકલ બોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે. 14 ડિસેમ્બરે બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હાલ 19 ડિસેમ્બરથી શરૂ થયેલી ત્રણ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ધમાકેદાર રીતે ચાલી રહી છે, જેમાં BNI ગ્રેટર સુરતની 13 ટીમો અને અંદાજે 200 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી શનિ-રવિવારે પિકલ બોલ અને વોલીબોલ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વોલીબોલમાં 8 ટીમો અને પિકલ બોલમાં 50થી 60 ખેલાડીઓ જોડાશે.
આ તમામ રમતોમાં મળીને અંદાજે 450થી 500 જેટલા ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકો ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સભ્યો વચ્ચે એકતા, ટીમવર્ક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસાવવાનો તો છે જ, સાથે નવી બિઝનેસ તકો ઊભી કરવાનો પણ છે.

આ કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં એચઆઈવી પોઝિટિવ એડ્સ સંસ્થાઓ સાથે સહયોગ કરીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં એચઆઈવી પોઝિટિવ બાળકો અને યુવતીઓએ 5થી 7 મિનિટનું આકર્ષક નૃત્ય પ્રદર્શન રજૂ કર્યું હતું. તેમજ ઇવેન્ટમાં ખાસ કોર્નર બનાવીને એચઆઈવી કેવી રીતે ફેલાય છે અને તેના વિશેની માહિતી આપવામાં આવી રહી છે.
BNI ગ્રેટર સુરતનો સ્પષ્ટ સંદેશ છે કે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને સમાજમાંથી અલગ ન પાડવા, પરંતુ તેમને પરિવાર અને સમાજનો સહારો આપીને જીવનમાં આગળ વધવાની તક આપવી. આ ઇવેન્ટમાંથી મળનારી આવકનો એક ભાગ એચઆઈવી પોઝિટિવ બાળકો અને મહિલાઓની સહાય માટે દાન કરવામાં આવશે.
આ આયોજન ગૌરવ વીકે સિંઘવી અને ડૉ. નિધિ સિંઘવી માર્ગદર્શન તથા નિશાંત શાહની રીજનલ ઇવેન્ટ ડિરેક્ટર તરીકેની મહેનતથી સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા BNI ગ્રેટર સુરત બિઝનેસની સાથે સામાજિક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.
સાર્વજનિક યુનિવર્સિટીમાં AI આધારિત મેનેજમેન્ટ શિક્ષણ પર પ્રથમ એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટ
સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષકો તથા ઉદ્યોગ પ્રતિનિધિઓના પ્રસ્તાવિત ફોરમ અંતર્ગત પ્રથમવાર એકેડેમિક–ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરીને એક આગવી પહેલ કરવામાં આવી હતી. આ પહેલનો હેતુ દક્ષિણ ગુજરાતના વાણિજ્ય અને મેનેજમેન્ટ ક્ષેત્રના શિક્ષકો તથા ઉદ્યોગ ક્ષેત્રના વ્યાવસાયિકોને એક જ મંચ પર એકત્ર કરી, ઉદ્યોગના પ્રવાહો, ટેકનોલોજીકલ વિકાસ અને શૈક્ષણિક અભ્યાસક્રમોને વર્તમાન ઉદ્યોગની આવશ્યકતાઓ સાથે સુસંગત બનાવવા જરૂરી સુધારાઓ અંગે ચર્ચા કરવાનો હતો. 20 ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રથમ બેઠક નું આયોજન કરવામાં આવ્યું. જેનો મુખ્ય વિષય “Decoding AI in Management Education: Are We Ready for the Challenges?” હતો.

કાર્યક્રમની શરૂઆત સાર્વજનિક યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ, પ્રોફે. કિરણ પંડ્યા દ્વારા સ્વાગત પ્રવચન સાથે થઈ હતી અને કાર્યક્રમનું ઉદ્ઘાટન સંબોધન ઓરો યુનિવર્સિટીના માનનીય પ્રોવોસ્ટ, પ્રોફે. પરિમલ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તાઓ તરીકે લીડરશીપ કોચ અને ઇન્ક્યુબેટર, શ્રી હિમાન્શુ ભટ્ટ તથા સ્ટકબય.com ના સ્થાપક, શ્રી રચિત ખતોર, ઉપસ્થિત રહી હાજર સભાઓ ને સંબોધન કર્યું અને તેમણે મેનેજમેન્ટ શિક્ષણમાં નેતૃત્વ, નવીનતા અને AI આધારિત પરિવર્તન અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા.
દક્ષિણ ગુજરાતની 100થી વધુ કોલેજો અને યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્યોએ આ બેઠકમાં સક્રિય ભાગ લીધો હતો. આ બેઠક શૈક્ષણિક–ઉદ્યોગ સહયોગને મજબૂત બનાવવાની તથા ભવિષ્યમાં વાણિજ્ય અને મેનેજમેન્ટ શિક્ષણને વધુ આધુનિક તથા અસરકારક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
હૈદરાબાદ જિલ્લામાં જાહેર સેવા કાર્યક્ષમતા વધારવા માટે દેશની પ્રથમ ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલીનો આરંભ
હૈદરાબાદ (તેલંગાણા) [ભારત], ૧૫ ડિસેમ્બર: સેવા વિતરણ અને ઝડપી પ્રતિભાવમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને, હૈદરાબાદ જિલ્લા કલેક્ટર હરિ ચંદના આઈએએસ દ્વારા હૈદરાબાદ કલેક્ટરેટમાં ક્યૂઆર કોડ આધારિત જન ફીડબેક પ્રણાલીનો આરંભ કરવામાં આવ્યો છે. આ પહેલ દેશની પોતાની જાતની પ્રથમ છે, જે નાગરિકોને પ્રાપ્ત થયેલી સેવાઓ અંગે પોતાનો અનુભવ વહેંચવા અને પ્રતિસાદ આપવા માટે સીધું તથા સરળ માધ્યમ પ્રદાન કરે છે।
પ્રણાલીનો હેતુ અને કાર્યપદ્ધતિ
નવી શરૂ કરાયેલી આ પ્રણાલી નાગરિકો અને સેવા પ્રદાતાઓ વચ્ચે સંચારને સરળ અને અસરકારક બનાવવા માટે રચાયેલ છે. ક્યૂઆર કોડ સ્કેન કરીને મુલાકાતીઓ તરત જ પોતાનો ફીડબેક નોંધાવી શકે છે, જેના દ્વારા અધિકારીઓને સેવાઓની ગુણવત્તા અને પોતાના કાર્યક્ષમતા વિશે રિયલ-ટાઈમ માહિતી મળે છે. આ વ્યવસ્થા ફીડબેક એકત્ર કરવાની પરંપરાગત સમસ્યાઓ—જેમ કે વિલંબ, અકાર્યક્ષમતા અને પારદર્શિતાની અછત—ને દૂર કરવામાં મદદરૂપ થશે।
સરળતા અને સર્વસુલભતા
આ પ્રણાલીની એક મુખ્ય વિશેષતા એ છે કે તે ફીડબેક આપવાની પ્રક્રિયાને સરળ અને સર્વસુલભ બનાવે છે. હવે મુલાકાતીઓને ઔપચારિક પ્રક્રિયાની રાહ જોવાની કે જટિલ ફોર્મ ભરવાની જરૂર નથી. ક્યૂઆર કોડ દ્વારા તેઓ પોતાની ફરિયાદ, સૂચન અથવા પ્રશંસા તરત જ વ્યક્ત કરી શકે છે. આ પ્રણાલી સ્માર્ટફોન સાથે સુસંગત છે અને તેમાં કોઈ ખાસ તકનિકી જ્ઞાનની જરૂર નથી, જેથી તમામ વય જૂથો અને પૃષ્ઠભૂમિના લોકો તેનો ઉપયોગ કરી શકે છે।
અપેક્ષિત પ્રભાવ અને લાભ
આ પહેલનો પ્રભાવ વ્યાપક થવાની અપેક્ષા છે. નાગરિકોથી સીધો ફીડબેક મળવાથી કર્મચારીઓ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ કરી શકશે, વિલંબ ઘટશે અને સેવાની કુલ ગુણવત્તામાં સુધારો થશે. ફીડબેક પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવીને, આ પ્રણાલી પ્રશાસનિક કચેરીના તમામ સભ્યોમાં વધુ જવાબદારી, કાર્યક્ષમતા અને સંવેદનશીલતાને પ્રોત્સાહન આપે છે।
ટેકનોલોજીનો ઉપયોગ અને ડિજિટલ અભિગમ
કાર્યક્ષમતાની સાથે-साथ, ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલી જાહેર સેવાઓમાં ટેકનોલોજીના ઉપયોગનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે. ડિજિટલ ઉકેલો અપનાવીને આ પહેલ દર્શાવે છે કે સરળ તકનિકી સાધનો પણ સંચારની ખાઈઓને પૂરી કરી શકે છે, કાર્યપ્રવાહમાં સુધારો કરી શકે છે અને જવાબદારીની સંસ્કૃતિ વિકસાવી શકે છે. રિયલ-ટાઈમ ફીડબેકથી વારંવાર આવતી સમસ્યાઓની ઓળખ, સેવા ગુણવત્તાની દેખરેખ અને લક્ષ્યિત સુધારા શક્ય બને છે, જેના સીધા લાભ નાગરિકોને મળે છે।
અન્ય સંસ્થાઓ માટે મોડેલ
આ પહેલ અન્ય કચેરીઓ અને સંસ્થાઓ માટે પણ એક આદર્શ મોડેલ રજૂ કરે છે, જે જવાબદારી અને જનસહભાગિતા વધારવા ઈચ્છે છે. સરળ, પારદર્શક અને અસરકારક ફીડબેક તંત્ર દ્વારા હૈદરાબાદ જિલ્લો દર્શાવે છે કે નવીનતા કેવી રીતે પ્રશાસન અને જનતા વચ્ચેના દૈનિક સંવાદને વધુ સારો બનાવી શકે છે. નાગરિકોને પોતાના અનુભવ વહેંચવાની અને સુધારાઓને પ્રભાવિત કરવાની તક મળે છે, જેના કારણે વધુ સંવાદાત્મક અને પ્રતિભાવશીલ વાતાવરણ સર્જાય છે।
ફીડબેકનું સંચાલન અને વિશ્લેષણ
ક્યૂઆર કોડ ફીડબેક પ્રણાલી સામાન્ય ટિપ્પણીઓ અને સૂચનોથી લઈને સેવા ગુણવત્તા સંબંધિત વિશિષ્ટ ફરિયાદો સુધી, વિવિધ પ્રકારના ઇનપુટને સંભાળવામાં સક્ષમ છે. દરેક પ્રતિસાદને ટ્રેક કરવામાં આવે છે, જેથી કાર્યવાહીનું નિરીક્ષણ અને પરિણામોનું મૂલ્યાંકન કરી શકાય. સમય સાથે આ પ્રણાલી પ્રવૃત્તિઓ, નમૂનાઓ અને સુધારાના ક્ષેત્રો અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે, જેના આધારે સેવા સુધારણા માટે ડેટા આધારિત અભિગમ અપનાવી શકાય।
જનતા અને કર્મચારીઓ પર અસર
જનતા માટે આ પહેલ કચેરીની સંવેદનશીલતા અને અસરકારકતા પર વિશ્વાસ વધારે છે. તે ખાતરી કરે છે કે કોઈ પણ ફરિયાદ અવગણાય નહીં કે વિલંબિત ન થાય અને દરેક ફીડબેકને સ્વીકારી તેના પર કાર્યવાહી કરવામાં આવે. કર્મચારીઓ માટે આ ભાગીદારી અને જવાબદારીનું નવું સ્તર સ્થાપિત કરે છે, જે સક્રિય સમસ્યા નિરાકરણ અને સતત સુધારાને પ્રોત્સાહન આપે છે।
ઉપયોગકર્તા-કેન્દ્રિત સેવા મોડેલ
આ ફીડબેક પ્રણાલીની શરૂઆત ઉપયોગકર્તા-કેન્દ્રિત સેવા મોડેલ પર વધતા ભારને દર્શાવે છે અને બતાવે છે કે જાહેર જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ટેકનોલોજીનો વ્યવહારુ ઉપયોગ કેવી રીતે કરી શકાય. ઉપયોગકર્તાઓ અને સેવા પ્રદાતાઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરીને આ પહેલ પારદર્શિતા, ઝડપી પ્રતિભાવ અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે, જેના લાભ તમામને મળે છે।
ઉપયોગ કરવાની રીત
હૈદરાબાદ કલેક્ટરેટમાં આવનારા મુલાકાતીઓ કચેરી પરિસરમાં મુખ્ય સ્થળોએ લગાવવામાં આવેલા ક્યૂઆર કોડને સ્કેન કરીને આ પહેલમાં ભાગ લઈ શકે છે. આ પ્રણાલી ઉપયોગમાં સરળ અને સર્વસુલભ છે, જેના માટે માત્ર એક સ્માર્ટફોનની જરૂર પડે છે. પ્રક્રિયા સુરક્ષિત છે, ઇચ્છા હોય તો ગોપનીય રીતે પણ ફીડબેક આપી શકાય છે, અને ખાતરી કરવામાં આવે છે કે તમામ સૂચનો અને પ્રતિસાદોને સેવા ગુણવત્તા સુધારવા માટે ગંભીરતાથી લેવામાં આવે છે।
નિષ્કર્ષ
સારાંશરૂપે, ક્યૂઆર કોડ આધારિત ફીડબેક પ્રણાલીનો આરંભ જાહેર સેવા કાર્યક્ષમતા અને સંવેદનશીલતાને આગળ વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સંચારને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવે છે, જેથી ફીડબેકને સક્રિય રીતે એકત્રિત કરી, તેની દેખરેખ રાખી અને તેના પર કાર્યવાહી કરી શકાય. નાગરિકોને પોતાના અનુભવ અને વિચારો વહેંચવાનો અધિકાર આપી, આ પહેલ સતત સુધારણા અને જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે અને સેવા સંચાલન માટે એક નવો ધોરણ સ્થાપિત કરે છે।
દીપ દર્શન વિદ્યા સંકુલ – ડિંડોલી દ્વારા પ્રાઈમરી સેક્શનના વિધાર્થીઓ માટે કરાયું જોય રાઇડ એન્ડ સિટી ટૂરનું આયોજન
દીપ દર્શન વિદ્યા સંકુલ, ડિંડોલી શાળા માં GSEB Primary Section, English Medium માં ધોરણ ૧ થી ૪ ના વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ‘જોય રાઇડ એન્ડ સિટી ટુર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ થીમ આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો, જે બાળકોને શહેરના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓને સમજવામાં મદદરૂપ થયા.
આ કાર્યક્રમને સમ્માનિત કરવા અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે વિશેષ અતિથિ શ્રીમતી નિરાલા રાજપૂત (દિંડોલી સેક્ટરની કોર્પોરેટર), શાળા શિક્ષણ સલાહકાર પૂજ્ય શ્રી સવજીભાઈ પટેલ, માનનીય નિદેશકગણ શ્રી દશરથ પટેલ અને શ્રી તુષાર પટેલ, પ્રાધ્યાપિકા શ્રીમતી કૃતિ દેસાઈ, ઉપપ્રાધ્યાપક રુષિકેશ કોલ્હાપુરે, વિવિધ વિભાગોના પ્રાધ્યાપકગણ અને માતા-પિતા, સમર્પિત શિક્ષકોએ DDVSના નાના વિદ્વાનો સાથે ભાગ લઈને તેને અત્યંત યાદગાર અને ભવ્ય બનાવ્યો.

સિટી ટુરમાં સુપરમાર્કેટ, હોસ્પિટલ, હાઈકોર્ટ, ભારતીય પરંપરાગત સંસ્કૃતિ અને સમુદાય સહાયકો જેવા વિષયો પર આકર્ષક પ્રસ્તુતિઓ આપવામાં આવી. બાળકોએ આ ભૂમિકાઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ભજવી.
અતિથિગણ, માતા-પિતા અને સમગ્ર શાળા નેતૃત્વ આ अवસરે उपस्थित રહ્યા. તેમની उपस्थितિએ કાર્યક્રમને વધુ આકર્ષક અને યાદગાર બનાવ્યો.
બાળકોની પ્રસ્તુતિઓએ દરેકને મંત્રમુગ્ધ કરી દીધા અને કાર્યક્રમની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો.
બાળકો દ્વારા પ્રસ્તુત નૃત્ય કાર્યક્રમે આ આયોજને વધુ ઉત્સાહપૂર્ણ બનાવ્યો. વિવિધ શૈક્ષણિક અને મનોરંજનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળકોએ શીખ્યા અને મજા કરી.
આ કાર્યક્રમ બાળકો માટે જ્ઞાનપ્રદ, મનોરંજક અને યાદગાર રહ્યો.
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું
સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ ૩૭મી સબ જુનિયર રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સ વર્ગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ત્રીજું સ્થાન મેળવી કાંસ્ય પદક જીત્યું છે. તેમની આ સિદ્ધિથી સુરત તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે.
સુરત સ્થિત મનીત પાહુજા બેડમિન્ટન અકાદમીમાં મળતા ઉચ્ચ સ્તરીય તાલીમનું પ્રતિનિધિત્વ કરતા વિવાને આ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિ તેમની કઠોર મહેનત, અવિરત લગન અને કોચીસના માર્ગદર્શનનું પરિણામ છે. આ ટૂર્નામેન્ટમાં વિવાનને રેન્કિંગના આધારે પાંચમું સ્થાન મળ્યું હતું.

આ અગાઉ પણ વિવાને અનેક રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. તેમણે મુંબઈમાં યોજાયેલી એક ઓલ ઇન્ડિયા રેન્કિંગ ટૂર્નામેન્ટમાં અન્ડર-૧૩ બોયઝ સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. ઉપરાંત બેંગલુરુમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ સ્પર્ધામાં વિજેતા રહ્યા હતા, જ્યારે ગોવામાં યોજાયેલી ઓલ ઇન્ડિયા રેન્કિંગ બોયઝ ડબલ્સ ટૂર્નામેન્ટમાં ઉપવિજેતા રહ્યા હતા.
વિવાને આ સફળતા માટે પોતાના સ્કૂલ સ્કોલર ઇંગ્લિશ અકાદમી, ડુમસનો સહયોગ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો છે.
પિતા વિહોણી ૧૩૩ “કોયલડી” દીકરીઓના ૨૦-૨૧ ડિસેમ્બરે લગ્ન
સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થશે
• લગ્ન સમારોહના પ્રથમ દિવસ ૨૦ ડિસેમ્બરે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે દીપપ્રાગટ્ય થશે
• વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર અને દીકરીના લાગણીસભર પત્રોના પુસ્તકનું વિમોચન થશે
• ૨૧ ડિસેમ્બરે જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાને પોતાના સ્વજનના અંગદાનની મંજૂરી આપનાર અંગદાતા પરિવારની માં, દીકરી, બહેન, પત્ની હસ્તે દીપપ્રાગટ્ય
• કરિયાવર આપવા પહેલા જ દંપતીના થેલેસેમિયાના ટેસ્ટ થયા
• દીકરીના ભાઈ નથી એમના જવતલ સવાણી પરિવારના દીકરા ભાઈ બની હોમશે
• સેવા સંગઠન પરિવારની એપ્લીકેશનું લોન્ચિંગ
સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા ૧૮ વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ સુધી ૫૫૩૯ દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણી પરિવારના શામિયાણાથી ૨૦ અને ૨૧ ડિસેમ્બર એમ બે દિવસમાં ૧૩૩ દીકરીઓનેસાસરે વળાવાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મનસુખભાઇ મંડવીયા, નીમુબહેન બાંભણીયા સહિત અનેક રાજકીય, સનદી, સામાજિક, ઉદ્યોગ જગતના મહાનુભાવો હજાર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે.
વિવાહ પાંચ ફેરાનાથી શરૂ કરીને આ વર્ષ “કોયલડી” નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પી.પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારોદીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ ૫૫૩૯ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૮ વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે. પી.પી. સવાણી પરિવારના લગ્ન સમારોહ જોઈને બીજા અનેક લોકો, સંસ્થા રાજ્યમાં અને રાજ્ય બહાર દીકરીઓના કન્યાદાનના સમારોહ યોજતી થઈ છે. ‘કોયલડી’ લગ્ન સમારોહની વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ, ધર્મ, સમાજના વાડા તોડીને એક જ છત નીચે ૫૫૩૯ દીકરીઓનું કન્યાદાન કર્યું છે. સ્વસ્થ સમાજ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ ૩૭ જ્ઞાતિની ૪ રાજ્ય અને ૧૭ જિલ્લાની ૧૩૩ દીકરીને સાસરે વળાવીશું. મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ વિધિ મુજબ લગ્નતો થાય જ છે સાથે દલિત, આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ-જૈન પરિવારની દીકરી હોય અમારા આંગણે બધા એક જ છે, સાચા ભારતનું પ્રતિબિંબ તમને જોવા મળશે.
મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દીકરીનેમાત્ર કરિયાવર સાથે કન્યાદાન પૂરતું સીમિત નથી રાખતા. આટલી હજારો દીકરીઓની એક બાપ તરીકેની દરેક જવાબદારી નિભાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતાં રહી છીએ. અમારા આ કાર્યમાં અનેક લોકોનો સહયોગ મળ્યો છે, અનેક દીકરી-માના આશીર્વાદ અમને આટલા વર્ષોમાં મળ્યા છે.
કોયલડી લગ્નસમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહવિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામજ્ઞાતિની દીકરીઓપોત-પોતાના રીત-રસમોસાથે લગ્નજીવનના પવિત્ર બંધનથી જોડાશે.આ લગ્ન મહોત્સવમાં સવાણી પરિવારના લાડકવાયા દીકરા મિતુલ, મોહિત,સ્નેહ, કુંજ, મોનાર્ક જે દીકરીઓના ભાઈઓ નથી તેમનેપોતાની સગી બહેનથી વિશેષ સમજી જવતલ હોમશે.
પી.પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે. અમારી દીકરી-જમાઈનું “સેવા સંગઠન” પણ બન્યું છે. આ એટલા માટે છે કે અમારી દીકરીની માતાને જે બાળકોના ઉછેર માટે જે તકલીફ પડી છે એ અમારી દીકરીને ન પડે એ માટે આ “સેવા સંગઠન” બનાવ્યું છે. ઈશ્વર નહી કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન એને આર્થિક સહાય કરે છે. સાથેજ એના બાળકના શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે. આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે. દીકરીને કોઈપણ પ્રકારની આર્થિક જરૂરિયાત માટે પણ સેવા-સંગઠન પ્રતિબધ્ધ છે.
પી. પી. સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે 11,000 દીકરી–જમાઈઓનો વિશાળ પરિવાર બની ગયો છે. હવે સેવા સંગઠનની મોબાઈલ એપ્લિકેશનમાં ડોક્ટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ, માર્ગદર્શન ટીમ જેવી વિવિધ સેવા આપતી ટીમોની સંપૂર્ણ માહિતી મળશે. કોઈપણ જરૂરી મદદ માટે સીધો સંપર્ક આ એપ્લિકેશન દ્વારા નજીકમાં રહેતા દીકરી–જમાઈની માહિતી પણ તરત મળી રહેશે. આ એપ્લિકેશનમાં તમે સભ્ય પોતાના બિઝનેસની માહિતી પણ મૂકી શકે છે જેથી બિઝનેસનો વિકાસ થશે. સેવા સંગઠનના સભ્યો તમામ કાર્યક્રમોની અપડેટ્સ, એપ્લિકેશન મારફત નિયમિત રીતે મળી રહેશે. સેવા સંગઠનના ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર સરળતાથી તમામ માહિતી અને લાભ મેળવી શકે એવા શુભ આશયથી સેવા સંગઠન એપ્લીકેશનનું લોન્ચિંગ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે થનાર છે
કોયલડી લગ્ન સમારોહની શરૂઆત રવિવાર ૧૩ ડિસેમ્બરના દિવસે યોજાયેલા રાસ-ગરબાથી થઈ ચૂકી છે. આ વર્ષે ગુજરાતની છ લોકપ્રિય ગાયિકાઓ અલ્પા પટેલ, પ્રિતી પાઠક, નેહા કુંભાણી, સંગીતા પટેલ, અપેક્ષા પંડયા અને સોનલ બારોટ કોયલડીના ટાઇટલ ટ્રેક ગીત બનાવ્યા છે. ઉર્વશી રાદડિયા અને વિવેક સાંસલાએ વર-કન્યા પરિવારને ગરબે ઘુમાવ્યા હતા સંગીત સમરોહના મુખ્ય મહેમાન તરીકે સુરત, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સુરત રેન્જ આઇજી શ્રી પ્રેમવિર સિંહ, સુરત, એસપી શ્રી રાજેશભાઈ ગઢિયા ઉપસ્થિત રહ્યા હતા.
તારીખ ૧૮મી ડિસેમ્બરના રોજ ૯ મહિલા આઇપીએસ, બે મહિલા આઈએએસ, ૪ આઇપીએસ અને આઈએએસની અને ત્રણ સમાજ અગ્રણીની પત્નીની હાજરીમાં મહેંદી રસમ યોજાશે. મનીષ વઘાસિયા, અંકિતા મૂલાણી, ડૉ. જય વશી જેવા મોટીવેશનલ વક્તા વર અને કન્યા બંને પરિવાર સાથે સંવાદ પણ સાધશે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ, ડીડીઓ શ્રીમતી શિવાનીબેન ગોયલ, મહિલા આઇપીએસ અધિકારી સુશ્રી શૈફાલીબેન બરવાલ, સુશ્રી ડો. નિધિબેન ઠાકુર, સુશ્રી બિશાખાબેન જૈન, સુશ્રી અનુપમબેન, સુશ્રી પન્નાબેન મોમૈયાની સાથે જીપીએસ કેડરના સુશ્રી કાનનબેન દેસાઇ, સુશ્રી જુલીબેન કોઠિયા, સુશ્રી ભક્તિબેન ડાભીની સાથે જ મહિલા અગ્રણીઓ શ્રીમતી સંધ્યાસિંઘ ગેહલોત, શ્રીમતી રાગીનીબેન પારધીશ્રીમતી ચિત્રા પ્રેમવીર સિંહ, શ્રીમતી હર્ષાબેન ગઢિયા, શ્રીમતી જીયાબેન શૈલેશભાઈ પરમાર, શ્રીમતી તૃપ્તિબેન દેસાઈ, શ્રીમતી પલ્લવીબેન ઘેલાણી, શ્રીમતી હર્ષાબેન પટેલ હાજર રહી દીકરીની મહેદી રસમમાં સહભાગી થયા હતા અને માતૃત્વની હૂંફ પૂરી પાડી હતી.

ત્રણ પુસ્તકનું પદ્મશ્રીઓના હસ્તે વિમોચન
શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જનાર સેવાના ભેખધારી પી.પી.સવાણીગ્રુપના મોભી શ્રી વલ્લભભાઈ પી.સવાણીનાં જીવન કવન પર લેખકશ્રી શૈલેષભાઈ સગપરિયા દ્વારા લખાયેલ પુસ્તક “આરોહણ” અને પિતા વિહોણી હજારો દીકરીઓના પાલકપિતાશ્રી મહેશભાઈ વી.સવાણીના જીવન ઉપર લેખકશ્રી ડૉ. જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા લખાયેલ પુસ્તક “પ્રેરણામૂર્તિ” તેમજ આ લગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓના જીવનની સંવેદનનાનુંપુસ્તક “કોયલડી”નાસંયુક્ત વિમોચન પદ્મશ્રી કનુભાઈ ટેલર, મથુરભાઈ સવાણી, ભીખુદાન ગઢવી, ડૉ. વિષ્ણુભાઈ પંડયા, અબ્દુલ ગફુર ખત્રી, શાહબુદ્દીનભાઈ રાઠોડ, યઝદીભાઈ કરંજિયા, શ્રીમતી રમીલાબેન ગામીત, સવજીભાઈ ધોળકીયા, પરેશભાઈ રાઠવા, ડૉ. જગદિશભાઈ ત્રિવેદી, ડૉ. યઝદી ઇટલીયાના હસ્તે થશે.
દીકરીઓને હનીમૂન અને માતા-સાસુને ધાર્મિક યાત્રા
પી.પી.સવાણી પરિવારના આંગણે લગ્ન કરનારી દરેક દીકરીને દરવર્ષે લગ્ન પછી કુલ્લુ-મનાલી હનીમૂન માટે મોકલે છે. આ કાર્યમાં ફારુકભાઈ પટેલનું કે.પી. ગ્રુપ પણ સહયોગી બન્યું છે. દરેક દીકરી-જમાઈ સાથે સમૂહમાં હનીમૂન ઉપર જાય છે એની પાછળ ચોક્કસ વિચાર રહેલો છે. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી-જમાઈ એક સાથે પ્રવાસ કરે, ૧૦-૧૫ દિવસ સાથે ગાળે તો એમને એકબીજાને સમજવાની તક મળે, મિત્રતા અને પરિવારની ભાવના કેળવાઈ. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે અને એના પ્રત્યે સન્માન થાય એ શુભ ભાવનાથી લગ્ન કરનાર નવદંપતીને હનીમૂન ઉપર સાથે જ મોકલવામાં આવે છે.
એ જ ક્રમમાં લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા-જમાઈની માતા એટલે કે બંને વેવાણને સાથે આ વર્ષે આયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે, તેમજ મુસ્લિમ દીકરી જમાઈ ૧૫ દીવસની ઉમરાહ (મકા-મદીના) હજ માટે પી.પી. સવાણી અને કે.પી. ગ્રુપ સંયુક્ત રીતે આ સમગ્ર પ્રવાસનું આયોજન કરશે અને ખર્ચ પણ ઉપાડશે.
લગ્ન પહેલા થેલેસિમિયા ટેસ્ટ ફરજિયાત
દંપતીની કુંડળી કરતાં પણ જરૂરી છે કે એમના લોહી મળે. થેલેસેમિયા અને સિકલ સેલ ધરાવતા દંપતીના લગ્ન થાય તો એમના સંતાનને પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા રહે છે આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે એ માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસિમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે. આ તપાસ પછી જ કરિયાવર આપીને લગ્નની શરૂઆત થઈ હતી
ઘર નજીક લગ્નની અનુકૂળતા
ભાવનગર અને અમરેલી જિલ્લાની ૨૨ દીકરીઓના લગ્ન અમરેલી જિલ્લાના મેકડા ગામે યોજાયેલા એક સમૂહલગ્નમાં કરવામાં આવ્યા છે. આ એવી દીકરીઓ હતી જેમને અમરેલી-ભાવનગરથી સુરત સુધી આવવું પણ તકલીફ હતી. એવી જ એક દીકરીનું કન્યાદાન ગારીયાધાર ખાતે પણ કરવામાં આવ્યા હતા. બંને જગ્યાએ કન્યાદાન માટે ખુદ મહેશભાઈ સવાણી હાજર રહ્યા હતા.
ગ્રીનમેન વિરલ દેસાઈએ સતત ત્રીજી વખત રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર જીત્યો!
નવી દિલ્હી: ગુજરાતના જાણીતા પર્યાવરણવિદ અને ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈને નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર (NECA)થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી દેસાઈએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.
ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષામાં તેમના અસાધારણ યોગદાન બદલ આ તેમનો સતત ત્રીજો ગોલ્ડન ટ્રોફી અને કુલ છઠ્ઠો રાષ્ટ્રીય પુરસ્કાર છે. “ગ્રીનમેન” તરીકે જાણીતા વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સે ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે અદ્યતન પદ્ધતિઓ અપનાવવા બદલ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે. નોંધનીય છે કે તેમણે આ પુરસ્કાર માટે દેશની અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરી હતી.
તેમના પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતા મર્યાદિત નથી. વિરલ દેસાઈએ અત્યાર સુધીમાં ગુજરાતમાં સાત સુંદર અર્બન ફોરેસ્ટ વિકસાવ્યા છે, જે શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવામાં અને જૈવવિવિધતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સિદ્ધિ પર પોતાનો આનંદ વ્યક્ત કરતા વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આ પુરસ્કાર માત્ર મારા માટે કે મારી કંપની માટે નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યે સમર્પિત દરેક વ્યક્તિ માટે છે. ઊર્જા સંરક્ષણ સમયની તાતી જરૂરિયાત છે, અને પર્યાવરણને બચાવવાનો મારો સંકલ્પ વધુ મજબૂત થશે. આ સન્માન મને ‘સ્વચ્છ અને હરિયાળા’ ભવિષ્ય તરફ કામ કરવા માટે વધુ પ્રેરિત કરે છે.’
તેમને વર્ષ ૨૦૧૯, ૨૦૨૨ અને આ વખતે ૨૦૨૫ એમ સતત ત્રીજી ગોલ્ડન ટ્રોફી એનાયત થઈ છે. તો સતત બીજી વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો છે. તેમની આ સિદ્ધિથી સુરત તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.
કેપી ગ્રુપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 36 હજાર કરોડનુ રોકાણ કરશે
માતર, વડોદરા, ભારત- 17 ડિસેમ્બર: રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઊર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપે રિપબ્લિક ઓફ બોત્સ્વાના સરકાર સાથે આજે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે અને વર્ષ 2030 સુધી બોત્સ્વાનાને નેટ-ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે. કેપી ગ્રુપ અને બોટ્સવાના પ્રજાસત્તાકની સરકાર વચ્ચે થયેલ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) ભારતની માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોટ્સવાના પ્રવાસ બાદ લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે.
આ સમજૂતી કરાર પર બોત્સ્વાનાના ખનિજ અને ઊર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેપી ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ કેપીઆઇ ગ્રીન એનર્જી લિમિટેડ, કેપી એનર્જી લિમિટેડ, અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિતની 43 કંપનીનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના આયોજન, વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ બોત્સ્વાનાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનો અને તેને આ ક્ષેત્રમાં સ્વચ્છ ઊર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરવાનો છે.
એમઓયુ હેઠળ, કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ માટે સાથે મળીને કામ કરશે, જેના માટે અંદાજે $૪ બિલિયન (આશરે ₹૩૬,૦૦૦ કરોડ) ના મૂડી રોકાણની જરૂર પડશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સમાં યુટિલિટી-સ્કેલ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. ગ્રિડની સ્થિરતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ પણ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી બોત્સ્વાનાની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા લગભગ 5 ગીગાવોટ સુધી વધારવામાં મદદ મળશે.
સાથે જ, આ સમજૂતી અંતર્ગત બોત્સ્વાનામાં હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનોના અપગ્રેડ અને નવી લાઇનોના નિર્માણની પણ યોજના છે. ઉપરાંત, દક્ષિણ આફ્રિકા સહિત પડોશી દેશો સાથેના વીજ આંતરજોડાણોને મજબૂત બનાવી પ્રાદેશિક વીજ ટ્રાન્સમિશનને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ પણ રાખવામાં આવ્યો છે.
વધુમાં, આ સહયોગના ભાગરૂપે, કેપી ગ્રુપ બોત્સ્વાનાના વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, સસ્ટેનેટિબિલિટી અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક 30 શિષ્યવૃત્તિઓ પુરી પાડશે. આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક ક્ષમતાનું નિર્માણ કરવાનું, નોલેજ ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવાનું અને બોત્સ્વાનાના યુવાનોને દેશના સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં સક્રિયપણે ભાગ લેવા માટે સશક્ત બનાવવાનો છે.

બોત્સ્વાના સરકારના ખનિજ અને ઊર્જા મંત્રી માનનીય બોગોલો જોય કેનેવેન્ડોએ જણાવ્યું હતું કે, “આ સમજૂતી કરાર બોત્સ્વાનાની ટકાઉ, સુરક્ષિત અને વૈવિધ્યસભર ઊર્જા ભવિષ્ય તરફની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કેપી ગ્રુપ જેવી અનુભવી આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી કંપની સાથે ભાગીદારી દ્વારા બોત્સ્વાના સ્વચ્છ ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ, પ્રાદેશિક વીજળી જોડાણોને મજબૂત બનાવવા અને દેશ માટે લાંબા ગાળાની આર્થિક તથા પર્યાવરણીય લાભો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.”
આ અંગે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન-એમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી. પટેલ એ જણાવ્યું હતું કે, “આ એમઓયુ દ્વારા સસ્ટેનેબલ રિન્યુએબલ ઉકેલો દ્વારા ઊર્જા પરિવર્તનને ઝડપ આપવા માટે કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકારની સંયુક્ત પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. બોત્સ્વાનામાં સોલાર અને વિન્ડ એનર્જીની વિશાળ સંભાવનાઓ છે અને આ તકને સાકાર કરવા માટે સરકાર સાથે ભાગીદારી કરવી અમારા માટે ગૌરવની બાબત છે. અમે 2030 સુધી બોત્સ્વાનાની નેટ-ઝીરો યાત્રામાં ભાગીદારી આપવા સાથે મહત્વપૂર્ણ રોકાણો અને સ્વચ્છ ઊર્જાની પ્રાદેશિક નિકાસ દ્વારા લાંબા ગાળાનું આર્થિક મૂલ્ય સર્જવાનો પણ ઉદ્દેશ રાખીએ છીએ.”
આ સમજૂતીના ભાગરૂપે, કેપી ગ્રૂપ ટેકનિકલ અને વ્યાવસાયિક વિકાસ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે, જેમાં ફિઝિબિલિટી, પ્રોજેક્ટ ડિઝાઇન, ફાઇનાન્સિંગ, બાંધકામ, કમિશનિંગ તેમજ રિન્યુએબલ એનર્જી અને સ્ટોરેજ એસેટ્સનું લાંબા ગાળાનું ઓપેરેશન-મેઈન્ટેનન્સ સામેલ છે. બીજી તરફ, બોત્સવાના સરકાર પ્રોજેક્ટ્સ માટે નીતિગત અને નિયમનાત્મક સહાય પૂરી પાડશે, પરવાનગીઓ અને મંજૂરી પ્રક્રિયાને સુગમ બનાવશે, જમીન ઉપલબ્ધતા અને ટ્રાન્સમિશન આયોજનમાં સહયોગ આપશે અને રાષ્ટ્રીય યુટિલિટીઝ તથા નિયમનકારો સાથે સંકલન સુનિશ્ચિત કરશે.
આ કરાર બોત્સવાનાની ઊર્જા મિશ્રણમાં વૈવિધ્ય લાવવાની અને ફોસિલ ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. કેપી ગ્રૂપ માટે આ સહકાર ભારતની બહાર તેની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં તેની ઉપસ્થિતિ અંગેનું એક વ્યૂહાત્મક વિસ્તરણ પગલું છે.
ઉલ્લેખનીય છે કે, કેપી ગ્રુપનો આજદીન સુધી ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 6 ગીગાવોટનો પોર્ટફોલિયો છે અને તે વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. ગ્રીન હાઈડ્રોજન-એમોનિયા ક્ષેત્રે, બેટરી એનર્જી સ્ટોરેજ, ઓફશોર અને ફલોટિંગ સોલાર ક્ષેત્રે પણ કેપી ગ્રુપ પદાપર્ણ કરી ચુક્યું છે. માતરમાં કેપી ગ્રુપની 45 એકરમાં સ્ટેટ ઓફ આર્ટ ફેબ્રિકેશન-ગેલ્વેનાઈઝીંગ ફેસેલિટી છે અને અહીં એશિયાની સૌથી મોટી ગેલ્વેનાઈઝીંગ કેટલ પણ તેણે ઈન્સ્ટોલ કરી છે.
પોઈન્ટર :
પાંચ ગીગાવોટનો રિન્યુએબલ પ્લાન્ટ કેપી ગ્રુપ ઈન્સ્ટોલ કરશે
36000 કરોડનું કુલ રોકાણ બોત્સવાનામાં કરશે.
છથી સાત હજાર રોજગારીનું સર્જન પ્રોજેક્ટ ઈન્સ્ટોલેશન દરમિયાન થશે
1500 લોકોને 25 વર્ષ સુધી કાયમી રોજગાર મળશે
કેપી ગ્રુપ બોત્સ્વાનાના 30 વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, સસ્ટેનેટિબિલિટી અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક 30 શિષ્યવૃત્તિઓ પુરી પાડશે.
10 હજારથી વધુ હાઉસ હોલ્ડને વીજળી પુરી પાડી શકાશે
25000 એકર જમીન પ્રોજેક્ટ માટે જરૂર પડશે.
7000 કરોડની ટોપલાઈન કેપી ગ્રુપની આ આઈપીપી પ્રોજેક્ટ બાદ વધશે અને મોટાભાગનું નાણું ભારતમાં આવશે અને બોસ્ટવાનાને ટ્રાન્સમિશન કોષ્ટ મળશે
કેપી ગ્રુપનું સ્કેલઅપ વિશ્વ કક્ષાએ થશે અને વર્ષ 2030 સુધીમાં નેશનલ-ઈન્ટરનેશનલ મળીને 31000 કરોડની રેવન્યુ એચિવ થવાની સંભાવના
નેચર’સ નિર્વાણ 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કલા, મૂલ્યો અને પર્યાવરણિક સમન્વયનું મંત્રમુગ્ધ કરતું ઉત્સવ
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાનો ભવ્ય વાર્ષિક કાર્યક્રમ નેચર’સ નિર્વાણ 2025 નું આયોજન સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આનંદ, સર્જનાત્મકતા અને પ્રેરણાથી ભરપૂર વાતાવરણમાં ગર્વપૂર્વક કર્યું. આ અદભૂત કાર્યક્રમ શાળાની સર્વાંગી શિક્ષણ, કલાત્મક ઉત્તમતા અને મૂલ્યઆધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો બન્યો, જેને માતા-પિતા, મહેમાનો તથા ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા ઊંચી પ્રશંસા પ્રાપ્ત થઈ.
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં શાળાના માનનીય ચેરમેન ડૉ. વી. કે. શર્મા તથા આશા મેડમની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો. તેમનું પ્રોત્સાહન અને માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું શક્તિશાળી સ્ત્રોત બન્યું, જે સમગ્ર કાર્યક્રમમાં ઉષ્મા અને ઉદ્દેશ્યનો સંચાર કરતું રહ્યું.
નેચર’સ નિર્વાણ ની થીમને અનુરૂપ સુવિચારિત રજૂઆતોની શ્રેણી દ્વારા માનવ અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધને અત્યંત સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો. મધુર સંગીત રજૂઆતો, મનોહર નૃત્યો, પ્રભાવશાળી નાટ્ય રજૂઆતો અને દૃશ્યાત્મક વાર્તાકથન દ્વારા દરેક પ્રદર્શન માં સર્જનાત્મકતા, શિસ્ત અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટ દેખાઈ. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને સ્ફૂર્તિએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા અને સમગ્ર ઓડિટોરિયમ તાળીઓના ગજગજાટથી ગુંજી ઉઠ્યું.

સભાને સંબોધતાં ડૉ. વી. કે. શર્માએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અસાધારણ પ્રયત્નોની પ્રશંસા કરી અને શૈક્ષણિક ઉત્તમતા સાથે સર્જનાત્મકતાના પોષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આવા ભવ્ય મંચો આત્મવિશ્વાસી, સંવેદનશીલ અને જવાબદાર વૈશ્વિક નાગરિકોના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આશા મેડમએ યુવા કલાકારોની નિષ્ઠા, ઊર્જા અને કલાત્મક અભિવ્યક્તિની દિલથી પ્રશંસા કરી.
શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પર ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું કે નેચર’સ નિર્વાણ 2025 માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, ટીમ વર્ક અને આત્મઅભિવ્યક્તિના મૂલ્યોને વિકસાવતી એક અર્થપૂર્ણ યાત્રા હતી. તેમણે માતા-પિતાના સતત સહયોગ અને વિશ્વાસ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
કાર્યક્રમનું સુચારુ અને સફળ આયોજન શિક્ષણ અને ગેર-શિક્ષણ સ્ટાફના અવિરત પરિશ્રમ, સુક્ષ્મ આયોજન અને ઉત્તમ સમન્વયનું પ્રતિબિંબ હતું. માતા-પિતા અને મહેમાનોએ દરેક બાળકની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને વિકસાવતું મંચ પૂરું પાડવા બદલ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની ભવ્ય પ્રશંસા કરી.
આ સાંજ પ્રેરણાદાયક અને ઉજવણીસભર માહોલમાં સમાપ્ત થઈ, જે સૌના હૃદયમાં અવિસ્મરણીય યાદો અને નવી દિશાનો સંકલ્પ છોડી ગઈ. નેચર’સ નિર્વાણ 2025 એકતા, મૂલ્યો અને કલાત્મક ઉત્તમતાનો ભવ્ય ઉત્સવ તરીકે હંમેશા યાદ રહેશે, જે શિક્ષણમાં ઉત્તમતા માટે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની દ્રષ્ટિને પુનઃસ્થાપિત કરે છે.