નવા ફોજદારી કાયદાઓ પર જાગૃતિ સત્ર: વિદ્યાર્થીઓ અને કેડેટ્સને માહિતીપ્રદ પ્રવચન
વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી, સુરતના NCC અને NSS એકમોએ 13 જૂન, 2025ના રોજ મારફતિયા હોલ ખાતે “નવા ફોજદારી કાયદાઓ” પર જાગૃતિ સત્રનું આયોજન કર્યું હતું. સત્રમાં ડો.સી.એ. ક્રિષ્ના દેસાઈ, (Dr. C.A. Krishna Desai)સહાયક પ્રોફેસર, સંસાધન વ્યક્તિ તરીકે હાજર રહ્યા હતા. સંસાધન વ્યક્તિએ નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા અને જૂના, બિનજરૂરી સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવાની જરૂરિયાત સમજાવી જે ભારતીય લોકો પર શાસન કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેમના કલ્યાણ માટે નહીં. તેણીએ વિદ્યાર્થીઓને જાણ કરી કે IPC, ICPrC અને IEA હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શકહ્યા અધિનિયમ સાથે બદલાઈ ગયા છે.
વધુમાં, તેણીએ જૂના કાયદાઓમાં મુખ્ય ફેરફારો અને ફેરફારો વિશે ચર્ચા કરી. તેણીએ નીચેના સ્વાગત પગલાઓને પ્રકાશિત કર્યા –
- નવા કાયદા લિંગ તટસ્થ છે,
- 33 નવા ગુનાઓનો ઉમેરો,
- નવી સજાનો ઉમેરો – સમુદાય સેવા
- એક પ્રકરણમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની પુનઃરચના
- લઘુમતી વયની પુનઃ વ્યાખ્યાયિત, દસ્તાવેજની વ્યાખ્યાના અવકાશમાં ફેરફાર, તૃતીય લિંગનો સમાવેશ – ટ્રાન્સજેન્ડર સમુદાય
- શૂન્ય FIR
- ઈ-પુરાવા, સમન્સ અને જુબાની
- ઓડિયો વિડિયો રેકોર્ડિંગ શોધ અને જપ્તી
- કોર્ટ કેસો અને ચુકાદાઓની ઘોષણા પૂર્ણ કરવાની સમયમર્યાદા.
કાર્યક્રમનું સંકલન ડો.તન્વી તારપરા અને ડો.અવની શાહે કર્યું હતું. સત્રમાં 100 NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ડૉ. કિષ્ના દેસાઈએ નવા ફોજદારી કાયદાઓની ઊંડાણપૂર્વક ઝાંખી પૂરી પાડી હતી, જેમાં નોંધપાત્ર ફેરફારો અને નાગરિકો પર તેની અસરો પર ભાર મૂક્યો હતો. સત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉપસ્થિતોને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 વિશે શિક્ષિત કરવાનો હતો, જેથી તેઓ નવીનતમ કાનૂની વિકાસ વિશે સારી રીતે માહિતગાર હોય.
સત્રને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ઉપસ્થિતોએ માહિતીપ્રદ સામગ્રીની પ્રશંસા કરી હતી
મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા
BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.
આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ
ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો
Lajpur News: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી(hard sanghvi)એ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધીના હસ્તે દયાળજી બાગ ખાતે તરંગ મેળાને ખુલ્લો મુકાયોઃ
ખેડૂતો દ્વારા સંચાલિત ૪૦ જેટલા એફપીઓ પાસેથી ઉત્પાદિત ચીજવસ્તુઓ ખરીદવાની તકઃ
Surat News: સુરત શહેર ખાતે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓને બજાર મળી રહે તેવા હેતુ સાથે નાબાર્ડ , SFAC અને ONDC સાથે મળીને FPO ફેર-કમ- પ્રદર્શન ” તરંગ મેળાને જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મજુરાગેટ ખાતે વાણિજય ભવન, દયાલજી આશ્રમ હોલ ખાતે આયોજીત ત્રિ-દિવસીય મેળો રવિવાર સુધી ખુલ્લો રહેશે.
તરંગ મેળામાં ૧૫-૧૮ હજાર ખેડુતોનું પ્રતિનિધિત્વ કરતા ૪૦ FPO દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઓર્ગેનિક અનાજ, મસાલા, શાકભાજી સીધા ખેડૂતો પાસેથી ખરીદી કરી શકાય છે.
આ અવસરે DRDAના ડાયરેક્ટર એમ. બી. પ્રજાપતિ, ડેપ્યુટી ડીરેકટર એગ્રિકલચર, DGM નાબાર્ડ,DDM નાબાર્ડ અને વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.
સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના ધો.૧૦ સુધી ભણેલા ચંદનભાઈ રાજ્ય સરકારની ઓછા વ્યાજ દરની લોન સહાય યોજનાથી બન્યા પગભર: રૂ.૫ લાખની લોન મેળવી ખરીદી ઈકો ગાડી
Surat Umarpada Taluka: યુવાધન આગળ વધી સમજ અને દેશમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી પોતે આત્મનિર્ભર બની શકે એના માટે રાજ્ય સરકારની અનેક યોજનાઓ અમલી છે. ખાસ કરીને પછાત વર્ગના લોકો આત્મસન્માન દ્વારા જીવી શકે એ માટે તેઓને જિંદગીની નવી ઉડાન શરૂ કરવા ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે.
આદિજાતિ બંધુઓને પ્રોત્સાહન આપતી આ યોજનાનો લાભ લઈ સુરતના ઉમરપાડા તાલુકાના વેલાવી ગામના યુવા ચંદનભાઈ વસાવાએ રૂ.૫ લાખની કિંમતની ઈકો ગાડીની ખરીદી લોન સહાય યોજના થકી કરી પગભર બન્યા છે. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ૪ ટકા વ્યાજ દરની લોન સહાય યોજના દ્વારા તેઓ પોતાના ગાડીના વ્યવસાયને આગળ વધારી પરિવારનું ભરણ-પોષણ કરવા સક્ષમ બન્યા છે. આ વિષે વિસ્તારથી જણાવતા તેમણે કહ્યું કે, મારી માતા સહિત અમે પરિવારમાં ૪ સભ્યો છીએ. હું અભ્યાસમાં નબળો હોવાથી માત્ર ધોરણ ૯ પાસ કરી શક્યો હતો. ધોરણ ૧૦માં અનુત્તીર્ણ થયા બાદ રોજગારી માટે ખેતીકામ અને મજૂરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ત્યારે મારા ભાઈએ મને સરકારની ઓછા વ્યાજે મળતી લોન સહાય યોજના વિષે જાણકારી આપી હતી. જેથી તેનો લાભ લેવા મેં ઇકો ગાડી ખરીદી માટેની અરજી કરી હતી. માત્ર ૪ ટકાના વ્યાજ દરે મને લોન મળી અને મારા વાહનનું સપનું પૂર્ણ થયું.
વધુમાં તેમણે જણાવ્યું કે, પહેલા ખેતીકામ કરતો ત્યારે આવક ઓછી મળતી હતી અને પરિવારની જરૂરિયાતો પણ પૂરી ન થતી હતી. આ લોન મળવાથી ગાડી લીધા બાદ હાલ રાષ્ટ્રીય બાળ સ્વસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉમરપાડામાં હું કોન્ટ્રાક્ટ પર ગાડી ચલાવી સારી એવી આવક મેળવું છું, અને મારા પરિવારનું સરળતાથી ભરણ-પોષણ કરી શકું છું એમ જણાવી તેમણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ચંદનભાઈ વસાવાની ધો.૧૦માં અનુત્તીર્ણ થયા છતાં કંઈક કરી છુટવાની અને પોતાના વ્યવસાય દ્વારા પરિવારની જવાબદારીઓ સારી રીતે પરિપૂર્ણ કરવાની નેમ રાજ્ય સરકારના સહયોગ થકી પુર્ણ થઇ છે. વેલાવી ગામના યુવા ચંદનભાઈ અનેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.
આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની અધ્યક્ષતામાં માંડવી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ
Mandvi Taluka: આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ (Minister Shri Kunwarjibhai) હળપતિની અધ્યક્ષતામાં માંડવી Mandvi તાલુકા પંચાયત ખાતે તા.પંચાયતની સામાન્ય સભાની બેઠક યોજાઈ હતી. જેમાં કરોબારી સમિતિની કાર્યવાહીની નોંધ, કરોબારી સભામાં લીધેલા નિર્ણય ઉપર લેવામાં આવેલા પગલાના અમલીકરણ, ડિસેમ્બર-૨૦૨૩થી મે-૨૦૨૪ સુધીનાં હિસાબો, મંજુર થયેલા કામો સને-૨૦૨૪-૨૦૨૫માં કરવા બાબત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને મેરી માટી મેરા દેશ અભિયાનના ખર્ચ, પશુ મૃત્યુ/ઝુપડા સહાય બિલ સ્વભંડોળમાંથી ખર્ચ કરવા સહિતની કામગીરી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં રોડ-રસ્તા, બાંધકામ, પીવાનું પાણી, ગટર લાઈન, સી.સી રોડ, ડામર રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઈટ, તાલુકા પંચાયતમાં સોલાર પ્લાન્ટ જેવા માળખાગત વિકાસના કાર્યોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મંત્રીશ્રીએ વિવિધ અધિકારી, કર્મચારીઓને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તેમજ તાલુકામાં બાકી રહેતી વિકાસકીય કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે તમામ કામો ગુણવત્તાસભર થાય તેની ચકાસણી અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં તા.પંચાયતના પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખશ્રી ગીતાબેન પટેલ, તા.વિકાસ અધિકારીશ્રી રવિન્દ્ર સોલંકી, તા.આરોગ્ય અધિકારી, તા.પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો, નાણાકીય વર્ષ 2025માં 25 સ્ટોર્સ લોંચ કરવાની યોજના
અમદાવાદ : ગુજરાતમાં લોકપ્રિય મોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ રિટેઇલર ફોનબોક્સ રિટેઇલ લિમિટેડે આશરે 25 રિટેઇલ સ્ટોર્સના પ્રારંભ સાથે મહારાષ્ટ્રમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ફોનબોક્સ, ફોનબુક અને માય મોબાઇલ બ્રાન્ડ હેઠળ ગુજરાતમાં 181 સ્ટોર્સ ધરાવે છે. કંપની ફેબ્રુઆરી 2024માં એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થઇ હતી અને તેણે રૂ. 20.37 કરોડ એકત્ર કર્યાં હતાં, જેમાંથી રિટેઇલ નેટવર્કના વિસ્તરણ માટે રૂ. 13.50 કરોડનો ઉપયોગ કરવાનો ઉદ્દેશ્ય છે.
આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં ફોનબોક્સ રિટેઇલ લિમિટેડના પ્રમોટર અને ડાયરેક્ટર મનિષભાઇ જી. પટેલે કહ્યું હતું કે, અમે આગામી વર્ષોમાં સમગ્ર ભારતમાં ઉપસ્થિતિ વિકસાવવાની અમારી મહાત્વાકાંક્ષાની દિશામાં આગળ વધ્યાં છીએ અને અમારી કંપની માટે આગામી ડેસ્ટિનેશન મહારાષ્ટ્ર છે. અમારા મલ્ટી-બ્રાન્ડ બિઝનેસ મોડલ અને મજબૂત વિતરણ ક્ષમતા સાથે અમે પશ્ચિમ ભારતમાં અમારી ઉપસ્થિતિ વિસ્તારવા સજ્જ છીએ, જે મજબૂત ભાવિ વૃદ્ધિનો આધાર બની રહેશે.
કંપની મલ્ટી-બ્રાન્ડ રિટેઇલ આઉટલેટ્સ ત્રણ બ્રાન્ડ – ફોનબોક્સ, ફોનબુક અને માયમોબાઇલ હેઠળ સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે. આ સ્ટોર્સને કંપની ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (કોકો મોડલ) સ્ટોર્સ છે તથા ફ્રેન્ચાઇઝી ઓન્ડ એન્ડ કંપની ઓપરેટેડ (ફોકો મોડલ)માં વધુ વિભાજીત કરાયા છે.
ફોનબોક્સ રિટેઇલ પ્રમોટરમાં અનુભવી ઉદ્યોગસાહસિકોનો સમૂહ સામેલ છે, જેમાં મનીષભાઈ ગિરીશભાઈ પટેલ, જીગર લલ્લુભાઈ દેસાઈ, પાર્થ લલ્લુભાઈ દેસાઈ, જીજ્ઞેશકુમાર દશરથલાલ પારેખ અને અમિતકુમાર ગોપાલભાઈ પટેલ સામેલ છે. કંપનીએ ફોનબોક્સ બ્રાન્ડ સાથે ફેબ્રુઆરી 2021માં તેની કામગીરનો પ્રારંભ કર્યો હતો તથા તેણે ફોનબુક અને માયમોબાઇલ રિટેઇલ સ્ટોર બ્રાન્ડ્સને હસ્તગત કરી હતી.
For more information, please visit: https://www.fonebook.in/
સુરત ના લિંબાયત માં ડુપ્લીકેટ તેલ નો રેકેટનો પર્દાફાશ
1200 રૂપિયા ના ડબ્બા પર બ્રાન્ડેડનાં સ્ટિકર ચોંટાડી 1800માં ભેળસેળિયું તેલ વેચાતું
લિંબાયતની બે દુકાનો પર કંપનીના સ્ટાફે ગ્રાહક બની રેકેટ પકડ્યું
માર્કેટમાંથી હલકી કક્ષાનો 1200 રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટિકર અને બુચ લગાડી 1850 રૂપિયામાં વેચી દેતા હતા.
આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતાં સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા,
જેમાં બંને વેપારીઓનો નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો.
લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસિયા તેલના 3 ડબ્બા મળી આવ્યા હતા.
પોલીસે નકલી તેલના 3 ડબ્બા, સ્ટિકર અને બુચ સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે.
ઉપરાંત શ્રીદેવનારાયણ કિરાણા સ્ટોરના માલિક લાલારામ કાનુજી તૈલી અને શ્રી હરિઓમ સુપર સ્ટોરના માલિક મદનલાલ ભેરૂલાલ પ્રજાપતિ સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.
થોડા મહિના પહેલાં પણ શહેરમાં ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં આવેલી કેટલીક દુકાનોમાંથી ડુપ્લીકેટ તેલના ડબ્બા પકડાયા હતા.
ઇન્ટરનેશનલ રોટરી ક્લબ ડિસ્ટ્રીક ૩૦૬૦ અને રેડ ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ ના પ્રયત્નથી દરજી સમાજ નું પ્રથમ દેહદાન
લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ના પ્રમુખશ્રી તેમજ સુરત જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી ર્ડો. પ્રફુલભાઇ શિરોયા સાહેબ ની ચક્ષુદાન મહાદાન ની સાથે મૃત્યુ બાદ દેહદાન અને અંગદાન માટે જાગૃતિ લાવવા માં ખુબજ અગત્ય નો ફાળો છે આવોજ કિસ્સો સુરત ના પુણાગામ , ૩૫ કલ્યાણનગર માં રહેતા ને હોમગાર્ડઝ માં માનદસેવા આપતાં તુષારભાઈ સોલંકી ના ધર્મપત્ની સ્વ. જ્યોતીબેન તુષારભાઈ સોલંકી ઉ. વર્ષ.52 નુ ટૂંકી માંદગીઃ બાદ અવસાન થતા સ્વર્ગસ્થ જ્યોતિબેને દેહ દાન કરવા નો સંકલ્પ કર્યો હોય જયારે તેમના અવસાન પેલા બે દિવસ અગાવ તેમના શરીર નુ દાન કરવાનું જણાવેલ સ્વર્ગસ્થ ના અવસાન બાદ ઉપરોક્ત દેહદાન સંકલ્પ પૂર્ણ કરવા તેમના પતી દ્વારા ડૉક્ટર પ્રફુલભાઇ શિરોયા સાહેબ ને જણાવતા તેઓ નવસારી મેડિકલ કોલેજ મા દેહદાન અર્પણ કર્યું . દેહદાન જાગૃતિ અંગે ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું હોય સ્વર્ગસ્થ ના પરિવાર માં તેમજ સમસ્ત દરજી સમાજ નુ આ પ્રથમ દેહદાન હોય ઉપરોક્ત દેહદાન સ્વર્ગસ્થ ના પતિ તુષારભાઈ માવજીભાઈ સોલંકી સ્વર્ગસ્થ ના જેઠ નટુભાઈ માવજીભાઈ સોલંકી, તેમના બાળકો ડૉક્ટર દીપાલીબેન સોલંકી, જીગરભાઈ સોલંકી, ભૌતિકભાઈ સોલંકી પુત્રવધુ સોનલબેન જીગરભાઈ સોલંકી એ સ્વર્ગસ્થ ની બોડી નુ દાન આપી આ સમાજ ને ખુબ જ સારુ ઉદાહરણ પુરુ પાડ્યું છે
આમ આદમી પાર્ટી દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચમાં ખુલ્લેઆમ વેચતા વિદેશી દારૂ અંગે મોટો ખુલાસો કર્યો.
ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી Deshi અને વિદેશી Videsi દારૂ પર ‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટક ખુલાસો.
ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે: ચૈતર વસાવા
એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેના 35 વિડિયો અમારી પાસે છે: ચૈતર સાવા
આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય: ચૈતર વસાવા
જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારી આમાં જોડાયેલા છે, તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું: ચૈતર વસાવા
અમદાવાદ/ભરૂચ/અંકલેશ્વર/ગુજરાત
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ વિદેશી અને દેશી દારૂ મુદ્દે એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ભરૂચ શહેરના કેટલાક યુવાનોએ અમારી સમક્ષ આવીને ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને દેશી દારૂને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરીને દેશી દારૂ વેચાય છે. ચોંકાવનારી બાબત એ છે કે આ દારૂ વેચવામાં પોલીસ જ આ લોકોની મદદ કરે છે. સાથે સાથે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે તેના 35 જેટલા વિડિયો આ યુવાનોએ મને આપ્યા છે. આમાં એલસીબી, એસ ઓ જી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે, તેવા વિડિયો ફૂટેજ છે.
અમે સરકારને કહેવા માંગીએ છીએ કે દારૂબંધીના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ જે દારૂના હપ્તા ઉઘરાવવામાં આવે છે તેમાંથી એક હિસ્સો ઉચ્ચ પોલીસ અધિકારીઓને તો જતો જ હશે, પરંતુ એક મોટો હિસ્સો ભાજપના કમલમ સુધી જતો હશે તેવું મને લાગી રહ્યું છે, તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ આ રીતે ખુલ્લેઆમ વેચાય. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ કે જો આ દારૂના ઠેકાઓ અને જે પોલીસ અધિકારીમાં જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે રસ્તા પર ઉતરીશું, દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું અને આવનારા દિવસોમાં ખૂબ મોટું આંદોલન કરીશું.
આમ આદમી પાર્ટી ગુજરાત
રાજકોટ TRP GAME ZONE પ્રકરણમા નવો અધ્યાય:
કન્ઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામા આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના લાડકવાયા નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની મારફત રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ ફરિયાદ દાખલ કરવામા આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામા આવી છે. આ કામના કરિયાદીએ પોતાના પૂત્ર નિરવ કે જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગ ના બીજા વર્ષમા અભ્યાસ કરતો હતો તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કત ના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમા નોંધવામા આવ્યુ છે કે રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા TRP GAME ZONE ના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવભાઈ કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામા આવે છે તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલેકે TRP GAME ZONE ની ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લેવામા આવેલ હતો.
તારીખ 25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમા રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવભાઈ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળા ની લપેટમા આવી અકાળે મૃત્યુ પામ્યા હતા.
ફરિયાદમા સ્પષ્ટ આક્ષેપ કરવામા આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામા આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામા આવેલ નહી, ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામા આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનુ પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામા આવી છે.
કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સ્ટેચ્યુટરી પ્રોવિઝન મુજબ
પ્રોડક્ટ લાયેબિલિટી અને પ્રોડક્ટ લાયેબિલિટી એક્શન હેઠળ કોમ્પનસેશન અને પ્યુનિટીવ ડેમેજીસની દાદ મંજૂર કરવા આ ફરિયાદમા રજૂઆત કરાઈ છે.
આ તકે ખાસ નોંધનીય બાબત એ છે કે આ ફરિયાદના કાર્યને પોતાનુ સામાજિક ઉત્તરદાયિત્વ ગણી એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામા આવશે નહી તેવુ જાહેર કરવામા આવેલ છે.
અત્રે એ પણ નોંધનીય બાબત બની રહેશે કે અગાઉ કન્ઝ્યુમર બાર તથા રાજકોટ બાર દ્વારા આરોપીઓ તરફે વકીલ તરીકે ન રોકાવા અનુરોધ કરવામા આવ્યો છે તેનુ પાલન થશે કે નહી.
આ ફરિયાદને લગતુ તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામા આવ્યા છે. આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે.
એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની દ્વારા જાહેર કરવામા આવેલ છે કે TRP GAME ZONE દુર્ઘટનામા મૃત્યુ પામેલ મૃતકો પૈકી ગ્રાહકની વ્યાખ્યામા આવતા કોઈપણ મૃતકના પરિવારજનો સંપર્ક કરશે, ગ્રાહક સુરક્ષા અંતર્ગત ફરિયાદ કરવા ઈચ્છશે તો તેઓ પાસેથી પણ કોઈ ફી લેવામા આવશે નહી. આ કાર્ય બદલ અને સામાજિક ઉત્તરદાયિત્વ ના ભાગરૂપે આ પ્રકારની નિષ્ણાંત સેવા પુરી પાડવા બદલ રાજકોટ ગોરવ અનુભવે છે.
સુરતના ફેમિન ગજેરાએ સુરત સહીત ગુજરાતનું નામ રોશન કર્યું
UPSC દ્વારા લેવાતી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની (Police Force) પરિક્ષામાં ભારતમાં ચોથો રેન્ક ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યો
તક્ષશિલા અગ્નિકાંડમાં બહેનને ગુમાવ્યા બાદ 5 વર્ષ બાદ સફળતા મેળવી
પહેલા પ્રયાસમાં નિષ્ફળતા મળી હતી.
ત્યારબાદ ફરી પ્રયાસ કરતા સફળતાના શીખરો સર કરી બતાવ્યા
અમરેલી જિલ્લાના ધારંગડી ગામમાં મધ્યમ પરિવારમાં ફેમિનનો 1999માં જન્મ થયો હતો.
પિતા સુરતમાં રોજગાર અર્થે હોવાથી માતા અને એક બહેન સુરત આવી ગયા હતા.
હાલ સુરતમાં સરદાર માર્કેટ પાસે આવેલા સરદાર પેલેસમાં રહે છે.
ફેમીને અભ્યાસ સુરતની રામકૃષ્ણ વિદ્યાભવન અને આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો
ફેમિને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.
2016માં ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો.
ત્યારબાદ 2019માં બહેન ગ્રીષ્મા ગજેરાનું તક્ષશિલા અગ્નિકાંડમાં ગુમાવી હતી.
ફેમિને પોતાના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 2016માં ધોરણ 12ના અભ્યાસ બાદ રેન્ક સારો હોવાથી
પંડિત દિનદયાલ પટ્રોલિયમ યુનિવર્સિટીમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાંથી બીટેક કરેલું
2019થી આ અંગેના પ્રિપરેશનની ઈચ્છા હતી.
કોરોના મહામારી સમયે 6 મહિના માટે જુનાગઢ નોકરી કરી હતી.
ત્યારબાદ તમામ ધ્યાન સિવિલ સર્વિસિસ માટે તૈયારીઓ ચાલું કરી હતી.
પાલીગામ મકાન દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કામગીરી કરનાર ફાયર માર્શલ વિકી પટેલ નું ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું:
Surat Sachin News: સચિન ખાતે આવેલ પાલીગામમાં એક 5 માળની ઇમારત ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે સુરત ફાયર Fire બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી જઈને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. બનાવ એટલો ગંભીર હતો કે ધારાશયી ઇમારતના કાટમાળમાં અસંખ્ય લોકો ડટાયેલા હતાં.
આ વિકટ પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે કાટમાળની અંદર ઘુસીને ઈજાગ્રસ્ત તેમજ મૃતકોને બહાદુરીપૂર્વક બહાર કાઢનાર ઉધના ફાયર સ્ટેશનના બહાદુર જવાન ફાયર Fire માર્શલ વિકી જગદીસભાઈ પટેલનું ગતરોજ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને પ્રમુખ એડ. સાહિન મલેકે આ બાબતે જણાવ્યું હતું કે અમારી સંસ્થા સમાજસેવા નું કાર્ય કરે છે. સચિન ખાતે પાલીગામમાં ઘટેલી દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે બચાવ કાર્ય કરનાર ફાયર Fire માર્શલ વિકી પટેલની કામગીરી અત્યંત સારાહનીય હતી, જે બદલ સંસ્થાઓ તરફથી તેમની વીરતા બદલ ટ્રોફી અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે પુણા ફાયર Fire ઓફિસર શ્રી બી. કે. સોલંકીએ ગુડવિલ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનતા જણાવ્યું હતું કે, ટ્રસ્ટ ખૂબ સારાહનીય કામ કરી રહ્યું છે. ફાયર જવાનોની વીરતા અને બહાદુરીને બિરદાવવા બદલ હું ટ્રસ્ટનો આભાર માનું છું.
જવાનની વીરતા બિરદાવવા માટે ટ્રસ્ટ તરફથી સંસ્થાપક અને પ્રમુખ એડ.સાહિન મલેક, ટ્રેઝરર સાજીદ પાનવાલા, સેક્રેટરી અલ્તાફ હુસેન શેખ અને સભ્ય અસગરભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:
Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી
આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં ૭ નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.
વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.
પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.
આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.
વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.
પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.
આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.
- અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
- અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
- વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
- શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
- શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.
વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ
Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે
સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ
Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.
મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો
લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ
ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત
Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.
વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.
આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત
Surat Udhana News: ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મૃતક કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો.
જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી
રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.
જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો.
વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં.
માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી
મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી.
માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું.
જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન
News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ ગઝલકાર અને વીર નર્મદ યુનિ.ના ગુજરાતી વિષયના અધ્યાપક(Dr. Amit) ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ શ્વાસ સંશોધનગ્રંથો ગઝલપ્રવેશ રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ અને રાજેશ વ્યાસનું ગઝલકર્મ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય સંશોધન રાષ્ટ્ર સંસ્કૃતિ સમાજ સંસ્કાર પર્યાવરણ બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો
ગુજરાત સરકારના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો તેમજ પોતાના રોજના વ્યવહાર માં રમત ની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્ઝ પ્રીમીયર લીગ બોક્સ ક્રિકેટ નું આયોજન જી બી પટેલ સ્પોર્ટ કોમલેક્સ, પ્રિયંકા સર્કલ પાસે, ભેસ્તાન મા સચીન યુનિટ ના હોમગાર્ડ્ઝ ના સહયોગ થી કરવામાં આવેલા.
સુરત ના રાંદેર યુનિટ, સચીન યુનિટ, એ ઝોન, બી ઝોન, સી ઝોન, સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચે ક્રિકેટ મેચ નું આયોજન કરવા મા આવેલ જેમાં ફાઇનલ મેચ મા સચીન યુનિટ અને એ ઝોન વચ્ચે ખારા ખારી નો જંગ હતો. સચિન ની ટીમ દ્વારા ૧૭૨ રન બનાવ્યા હતા. સરુઆત ની અવરોમાં એ ઝોન ના બેસ્ટમેન સારૂ રમ્યા હતા. પરંતુ સચીન ના બોલરો સામે ટકી સ્ક્યા નહતા.
હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ્લ શિરોયા એ સચિન યુનાટ ની ક્રિકેટ ટીમ ને વિજેતા અને એ ઝોન ની ટીમ ને રનર્સ અપ જાહેર કરી હતી.
ગૃહ મંત્રી શ્રી સંઘવીસાહેબે વિજેતા ટીમ ના અધિકારી થોમસ પઢારે તેમજ કેપ્ટન પ્રવિણ, ટીમ ના સભ્યોને મેડલ અને રનર્સ અપ ટીમ ના અધિકારી દિનેશ પરમાર અને કેપ્ટન ડી પી મિસ્ત્રી તેમજ બેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન યુનિટ ના અરમાન અંસારી અને બેસ્ટ બોલર તરીકે સી ઝોન ના ડી પી મિસ્ત્રી ને અભિનદન અને કપ આપીને સન્માન્યા હતા.
સુરત : ભેસ્તાન વિસ્તારની ઘટના
Surat Bhanodra News: સુરતના એકલારા-ભાણોદ્રા રોડ પર ભેસ્તાન વિસ્તારમાં એક ઘટના ઘટી હતી. અવાવરું જગ્યાએથી શંકાસ્પદ ડ્રમ મળ્યું હતુ. આ ડ્રમ પર લાશ હોવાની સંભાવનાથી પોલીસ વજનદાર ડ્રમ લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. રાત્રે ડ્રમના કટરથી સિમેન્ટ ભરેલું પણ મળ્યું હતુ અને તેમાંથી એક યુવતીની ડેડબોડી મળી આવી હતી. પછી લાશને પ્લાસ્ટિકના ડ્રમમાં કાપડના ડૂચા, રેતી-સિમેન્ટ સાથે ભરી દીધું અને તેને ફેંકી દેવાયું હતુ. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ થાય છે.
સુરત વેસુ વિસ્તારમાં કન્ટ્રક્શન સાઈડ પર વરસાદી પાણી કાઢવા જતા કામદારનું મોત
Surat Vesu News: રોહિત હાટીલા, ૨૫ વર્ષનું યુવક, સુરતના વેસુ વિસ્તારમાં વરસાદી પાણી કાઢવા જતા કામદાર હતા. બાકી કામદારો પરાંત પાણીનું નિકાલ કરવા માટે સાફ-સફાઈ કરતા હતા. રોહિતે પણ પાણી નિકાળવાની કોશિશ કરી હતી, પરંતુ પડી જતા વિષેને તેને તાત્કાલિક નવી સિવિલ ખસેડાયો હતો. સારવાર મળી, તેની પહેલા જ રોહિતને મૃત્યુ થઈ હતી.
લગ્નેતર સબંધનો કરુણ અંજામ..
ગુજરાતના રુદરપુરા વિસ્તારમાં થયેલી હત્યાનો ગુનો ઉકેલાયો હતો. અઠવા પોલીસે આ વારંવારની ક્રિમિનલ રાજનીતિને ધ્યાનમાં લેતી હોઈ બે આરોપીઓને ધરપકડ કર્યું.
આડાસબંધ રાખનાર દીપેશ અને તેની પત્ની વિશે જાણ થતાં, દીપેશે તેમણે પત્નીના ભાઈ સાથે મળીને પ્રેમની સંબંધો જાહેર કર્યા હતા. આ કારણે મૂઢ મારી હત્યા થઇ હતી.
અઠવા પોલીસે બંને આરોપીઓની કરી ધરપકડ કરી હતી.
સુરતમાં ભાજપ અને રાહુલ ગાંધીનો વિરોધ
Surat News: ભાજપના મોટા સંખ્યામાં કાર્યકર્તાઓનું સંયુક્ત વિરોધ હવે સુરતના શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાની આગાવટમાં જાહેર થયું છે. રાહુલ ગાંધીને વિરોધમાં લઈને “હાય હાય ના નારા” પણ લાગાવવામાં આવ્યું છે. આ સમયે ભાજપના કોર્પોરેટર્સ અને પદાધિકારીઓ પણ આ વિરોધમાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આ પ્રકરણને વ્યવસ્થિત કરવામાં આવ્યો છે.
અર્ચના વિદ્યા નિકેતન શાળામાં ડૉકટર ડે ની ઉજવણી…
Surat Varacha News: વરાછા કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન શાળામાં બાલભવન વિભાગમાં ડૉકટર ડે ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓ વિવિધ વ્યવસાયકારો જેવા કે ડૉકટર પોલીસ વકીલ સૈનિક લુહાર સુથાર મોચી બાબર કુંભાર કડીઓ વેપારી વગેરે આપણા વ્યવસાયક આરોના પહેરવેશમાં આવી એ વ્યવસાયકરોના કાર્યો,ઓજારો એમની સમાજમાં જરૂરિયાત વિશે માહિતી બાળ કલાકારોએ સુંદર રજૂઆત કરી. વિવિધ વ્યવસાયકારોના પાત્રનો સુંદર અભિનય પણ શાળાના બાળ કલાકારો અને શિક્ષિકા બહેનો દ્વારા કરવામાં આવ્યો હતો. આચાર્યશ્રીના માર્ગદર્શન મુજબ બાલભવનના તમામ શિક્ષિકા બહેનો દ્વારા કાર્યક્રમને ખૂબ સારી રીતે જ્ઞાન સાથે ગમ્મતના અભિગમને ધ્યાનમાં રાખી અને આ પ્રવૃત્તિનું સુંદર આયોજન અને વ્યવસ્થાપન કર્યું હતું.
જિલ્લામાં ધોધમાર વરસાદ
સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ
કુંભારીયા ગામમાં ભરાયા પાણી
કુંભારીયા ગામના પાદર ફળિયામાં ભરાયા પાણી
પાદર ફળિયા ના ઘરો પાણીમાં ગરકાવ
પાદર ફળિયાના અંદાજે 50 ઘર કમર સુધીના પાણીમાં ગરકાવ
ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
સુરત મહાનગરપાલિકા ની ટીમ સ્થળ પર પહોંચી
જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીનું પાણી ઓવરફ્લો
ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો
મહાનગરપાલિકા ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
સુરતના જૂની સિવિલ હોસ્પિટલના દ્રશ્યો
જૂની સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં, વરસાદ ને પગલે જૂની સિવિલ હોસ્પિટલ ના ચોથા માળે થી પાણી ટપકી રહ્યું. જનરલ વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓ ને હાલાકી ભોગવી પડી રહી છે. હાલાકી વચ્ચે પણ દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા. તંત્ર દ્વારા માત્ર કોથળીની બેગ મૂકી સંતોષ માનવામાં આવી રહ્યું.
ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદ: પ્રી-મોનસુન કામગીરી ફેલ
સુરત: ઉધના પાંડેસરામાં ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદથી સપષ્ટ થાય છે કે, પ્રી-મોનસુન કામગીરી પૂર્ણ રીતે નિષ્ફળ રહી છે.
સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા માર્ગદર્શિકા જાહેર: ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો
Surat News: સુરત જિલ્લાના ખેડૂતો માટે જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા ખેતરમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે એક માર્ગદર્શિકા જાહેર કરાય છે. જે અનુસાર જંતુનાશક દવાઓ બાળકોની પહોંચથી દૂર જ રાખવી જોઈએ. શક્ય હોય તો તેને એક રૂમમાં રાખીને તાળું મારી દેવું જોઈએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં પહેલા પેકિંગ પર લખેલી સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ. જંતુનાશક દવાનાં પેકિંગ પર સમાપ્તિ તારીખ તપાસવી અને સમાપ્તિ તારીખ પહેલા જ જંતુનાશક દવાઓ ઉપયોગ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કરતાં પહેલા સ્પ્રેયર (દવા છાંટવાનો પંપ) સારી હાલતમાં છે કે નહીં તેની ચકાસણી કરી લેવી જોઈએ. ટપકતા અને તૂટેલા સ્પ્રેયરનો ઉપયોગ કરવો નહીં.
અને જંતુનાશક દવાનાં પ્રવાહી મિશ્રણને સ્પ્રેયરની ટાંકીમાં ભરતી વખતે ગળણીનો ઉપયોગ અવશ્ય કરવો. પ્રવાહી મિશ્રણ ઉભરાય નહીં તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ કરતાં પહેલા છંટકાવ કરનારે હાથ મોજા, માસ્ક, પ્રોટેક્ટિવ કપડાં, ચશ્માં તથા ગમબુટ અવશ્ય પહેરવા જોઈએ. વાતાવરણ શાંત હોય ત્યારે સવારે અથવા સાંજે જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાનો છંટકાવ કરતી વખતે સમયે શરીર પર જંતુનાશક દવા ન પડે તેની ખાસ કાળજી રાખવી. હંમેશા પવનની દિશામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. જંતુનાશક દવાને શ્વાસમાં જતી અટકાવવા લાન્સ તથા નોઝલને વધુ ઊંચાઈએ રાખી છંટકાવ કરવો નહીં. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાણી પીતા, જમતા પહેલા, કોઇપણ વસ્તુ ખાતા કે ચાવતા પહેલા કે ધૂમ્રપાન કરતાં પહેલા હંમેશા હાથ-મોં સાબુથી ધોવા જોઈએ. જંતુનાશક દવા છાંટતી વખતે બેચેની જણાય તો તરત જ છંટકાવ બંધ કરવો.
અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જંતુનાશક દવા વાપરી હોય તેવા ડબ્બાનો સંગ્રહ કરવા કે અન્ય કોઇપણ ઉપયોગ માટે વાપરવા જોઈએ નહીં. દવાના વરાયેલા ખાલી ડબ્બાઓ, બોટલોને તોડીને તેનો નાશ કરવો જોઈએ. જંતુનાશક દવાનો છંટકાવ પૂરો કર્યા પછી સાબુથી સ્નાન કરવું. પહેર્યા હોય તે કપડાંને પાણીથી ખૂબ સારી રીતે ધોવા જોઈએ.
ધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ-જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ ઉપયોગ કરવો. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અઘિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામમક(વિસ્તરણ) અથવા નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરી શકાશે એમ ખેતીવાડી અધિકારી-સુરતની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
સુરત: વેસુમાં વરસાદના કારણે રોડ બેસી ગયો
પ્રશ્નચિહ્નવાળા રોડની સ્થિતિ:
- ભારે વરસાદના કારણે: અતિશય વરસાદને કારણે રોડ બેસી ગયો.
- અગાઉના મરામત: અગાઉ પણ પેચ વર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ તે અભાવગ્રસ્ત સાબિત થયું.
ફરી વાર ગાબડા:
- વસ્તુપ્રમાણ: રોડ પર ફરીથી ગાબડા પડ્યા છે, જે વાહન ચાલકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા છે.
- ભ્રષ્ટાચારની ભીતિ: ભ્રષ્ટાચારના ગાબડાં હોવાનું લોકોમાં મંતવ્ય છે.
પ્રતિસાદ:
- સ્થાનિકોનો રોષ: રોડની આ હાલતને કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
- મનપાની કામગીરી: આ ઘટના મનપાની પ્રિ-મોન્સૂનની કાર્યક્ષમતાને પ્રશ્નચિહ્ન લગાડે છે.
વિગતવાર માહિતી:
- સ્થાન: વેસુ
- પરિસ્થિતિ: પ્રથમ મરામત પછી ફરી વાર ગાબડા પડ્યા.
ભ્રષ્ટાચારના ગાબડા
ભારે વરસાદે વેસુમાં રોડ બેસી જવાની ઘટના ફરી પ્રકાશમાં આવી છે, જે પહેલા થયેલા પેચ વર્કની ગુણવત્તાને પ્રશ્નચિહ્ન બનાવે છે.
સુરત : રથયાત્રા પહેલા શહેર SOG ની કાર્યવાહી.
SOG દ્વારા લીંબાયત વિસ્તાર માંથી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસે થી ત્રણ રિવોલ્વર કબ્જે કરી.
મુંબઈ માં 1993 માં થયેલ બૉમ્બ બ્લાસ્ટ દરમ્યાન આ વ્યક્તિ રિવોલ્વર લાવ્યો હતો.
મુંબઈ રિવોલ્વર મળતા તે સુરત લાવી ne મૂકી રાખી હતી.
મેહુલ નરેશચંદ્ર ઠક્કર ના પિતા મુંબઈ બૉમ્બ લાસ્ટમાં મોત થયું હતું.
સુરત: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન
ઉચ્ચ વ્યાજદરમાં પૈસા આપી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરનાર વિરુદ્ધ કાર્યવાહી
લોક દરબારની આયોજક:
- જગ્યા: ભાઠેના વિસ્તારનો કોમ્યુનિટી હોલ
- સુવિધા: સુરત શહેર ઝોન બે
લોક દરબારની વિગતો:
- હેતુ: લોકોની વ્યાજખોરીની સમસ્યાઓ સાંભળવી અને ઉકેલ લાવવો
- મુખ્ય વિષય: ઊંચા દરે વ્યાજે રૂપિયા આપી ગરબી મધ્યમ વર્ગીય લોકોને પરેશાન કરાય છે.
પોલીસની કાર્યવાહીઓ:
- વ્યાજખોરો સામે: ઊંચા ભાવે વ્યાજ આપનાર ઈસમો સામે કડક કાર્યવાહી
- સ્થાન: ઉધના, ડિંડોલી, લીંબાયત, ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર
લોકોની હાજરી:
- મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા
- લોકોની સમસ્યાઓ સાંભળી પોલીસ દ્વારા સમાધાનના પ્રયત્નો
લોન માટેની સમજણ:
- માર્ગદર્શન: લોકોને સમજણ આપી સરકારી બેંકોમાંથી લોન મેળવવામાં મદદ માટે પોલીસના પ્રયત્નો
સુનિશ્ચિતતા
શહેર પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહી છે અને મધ્યમ વર્ગીય લોકોના હિત માટે મહેનત કરી રહી છે.
વનિતા વિશ્રામ ખાતે વી.ડી.ટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઇ…
Surat Athava Geta News: અઠવા ગેટ સ્થિત વનીતા વિશ્રામ કેમ્પસ ખાતે આજરોજ વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના સાથે થઈ હતી. તિલક લગાવી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ શાળામાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનું આવકાર અપાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. સાથે જ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનીઓ ને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં આચાર્ય અને શિક્ષક સ્ટાફ દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણ સંરક્ષણ નો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
શિક્ષણ વિભાગના ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન
તારીખ: 27/06/2024
સ્થળ: શાળા ક્રમાંક 231 – 233 – 320, કમરૂનગર, લિંબાયત, સુરત
Surat News: શિક્ષણ વિભાગના ઉપક્રમે, 100% નામાંકન, સ્થાયીકરણ, અને ગુણવત્તાસભર શિક્ષણની સાથે કન્યા કેળવણીને વેગ આપવા માટે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી પઠાણ ઇરફાનખાન સાહબના અધ્યક્ષ સ્થાને ભવ્ય શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ – 2024નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સુરત શહેર ભાજપના સભ્ય શ્રી રતન ભાઇ જૈન, એકતા મંડળ સુરતના પ્રમુખ શ્રી જબ્બારખાન સાહેબ, અને સામાજિક અગ્રણી શ્રી કૈસરઅલી પીરઝાદા સાહેબ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને નવા પ્રવેશ પામેલા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
હાજર મહાનુભાવોએ વાલીઓ તથા બાળકોને શિક્ષણની મહત્ત્વતા વિષે માહિતગાર કર્યા. ધોરણ 1 અને બાલવાટિકા માં પ્રવેશ પામેલા બાળકોને સ્ટેશનરી કિટ, સ્કૂલ બેગ, યુનિફોર્મ, અને બુટ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા.
આ કાર્યક્રમનું સંચાલન શાળા ક્રમાંક 231 ની વિધાર્થીની કુમારી તમન્નાબી એ સુંદર રીતે કર્યું, જે ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.
સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર
કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.
સુરતની VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ.
MLA કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખી.
GCAS પોર્ટલ પરથી આપવામાં આવેલા કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થતાં લખ્યો પત્ર.
છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યવ્યાપી કરાઈ રહ્યો છે વિરોધ
ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે બનેલ સુરતના યુવકોના ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓ પકડાયાં.
Surat Umarpada news: પોલીસ મહાનિરીક્ષકશ્રી પ્રેમવિર સિંગ સાહેબ, સુરત વિભાગ, સુરત નાઓની રાહબરી હેઠળ, પોલીસ અધિક્ષક શ્રી હિતેશકુમાર જોયસર સાહેબ, સુરત ગ્રામ્ય નાઓએ ડબલ મર્ડર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી, ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બી.કે. વનાર, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, સુરત વિભાગના સુપરવિઝન હેઠળ એ.ડી. સાંબડ, પો.સ.ઈ, ઉમરપાડા પો.સ્ટે. દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન, હકીકત મળી કે મગદુમ નગર વ્યારા ખાતે રહેતો સલમાન ગફ્ફાર કાકર ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ છે. તાપી જિલ્લા પોલીસની મદદ મેળવી, સલમાન ગફ્ફાર કાકરને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો.
સલમાને પુછપરછ દરમિયાન જણાવ્યું કે, પ્રજ્ઞેશભાઈ ગામીતે અફઝલ શેખ સાથે મળીને સુરતથી બે વ્યક્તિઓને લાવવાનું કામ આપ્યું હતું. તેના માટે, પ્રજ્ઞેશભાઈએ પંદર-પંદર હજાર રૂપિયા આપવાની વાત કરી. સલમાન, તેના સંબંધી આસિફ અને મિત્ર વિશાલ રાણા સાથે મળીને ઉમરપાડા પહોચી અને બન્ને વ્યક્તિઓ બિલાલ ચાંદી અને અઝહરૂદિન ઉર્ફે અજ્જુ શેખને બાંધી નાખ્યા.
અફઝલ અને પ્રજ્ઞેશના જણાવ્યા મુજબ, બિલાલ અને અઝહરૂદિનને અફઝલના જુના મકાનમાં બાંધી મૂકીને, આકાજ 90,000 રૂપિયા લીધા.
પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:
- સલમાન ગફ્ફાર કાકર
- સરનામું: ઘર નંબર 707, મગદુમ નગર, વ્યારા, તા. વ્યારા, જી. તાપી.
- આસિફ સલીમભાઈ કાકર
- ઉંમર: 30, સરનામું: મગદુમ નગર, વ્યારા, જી. સુરત.
- વિશાલભાઈ રાજુભાઈ રાણા
- ઉંમર: 32, સરનામું: ગોલવાડ ગામ, ટાંકી ફળીયુ, તા. વ્યારા, જી. તાપી.
અન્ય વિગતો:
- એફઆઈઆર નંબર: xx/yyyy
- તારીખ: DD-MM-YYYY
- કાયદેસરની કામગીરી: આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલુ
મુખ્ય અધિકારીઓ:
- પોલીસ મહાનિરીક્ષક: પ્રેમવિર સિંગ
- પોલીસ અધિક્ષક: હિતેશકુમાર જોયસર
- વિભાગીય પોલીસ અધિકારી: બી.કે. વનાર
- પો.સ.ઈ: એ.ડી. સાંબડ
સચિન પોલીસ સ્ટેશનના લોકપમાં વિડીયો વાયરલ મામલો
Surat news: સચિન પોલીસે વિડીયો ના આધારે યુવકની કરી અટકાયત એક વર્ષ પહેલા પકડાયેલ સુબોધ ધર્મેન્દ્રભાઇ રમાણી એ વિડીયો બનાવ્યો હતો.
વિડિયો બનાવેલ જે ભુલ સમજાતા માફી માંગેલ અને ભવિષ્ય માં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપવામાં આવેલ સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી.
જ્યારે જેલની બહાર વિડીયો ઉતારનાર ની પણ બાળ કિશોરની અટકાયત કરી.
ડિંડોલી વિસ્તારની બંધ દુકાન માં આગ લાગી
Surat News: સુરતના ડિંડોલી વિસ્તાર માં આવેલડિંડોલી કરાડવા રોડ પર બંધ દુકાનો નજીક ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી જ્યાં દુકાન માંવેલ્ડિંગ નું કામ ચાલતું હતું ત્યાં તે સમયે ગેસ સિલિન્ડર માંથી લીકેજથી દુકાન માં ગેસ પ્રસરી ગયો હોવાનું અનુમાન લગાઈ રહ્યું છે અને ત્યાં વેલ્ડીંગ નું કામ ચાલતું જ હતું .
ત્યાં વેલ્ડીંગ દરમ્યાન તણખાના ના કારણે આગ લાગી હતી જ્યાં 3 બંધ દુકાનના શટર ઉડ્યા હતા જ્યાં ગેસ લાઈનની ચેમ્બરમાં વેલ્ડીંગના તણખાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
વેલ્ડીંગની કામગીરી કરતો કારીગર તારીક અતિકને ઝાળ લાગતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ગેસ કંપનીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લીધો.
ચોમાસાની ઋતુ દરમિયાન સાપ નીકળવાના કિસ્સાઓ પ્રતિદિન પ્રકાશમાં આવતા હોય.
Surat news: સુરતના ભેસ્તાન વિસ્તારના પ્રિયંકા સોસાયટી પાસે આવેલા.
એક પંચરની ટપરીમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો.
પંચરની ટપરીમાં છુપાઈને બેઠેલા ઝેરી કોબ્રા સાપનું.
પ્રયાસ સંસ્થાના સ્થાનિક વોલેન્ટિયરએ સાપ રેસ્ક્યુ કર્યું હતું.
ખૂબ જ ઝેરી કોબ્રા સાપને એક થી દોઢ કલાક કરતા વધુની જહેમત બાદ સફળ રેસ્ક્યુ કરી.
સુરક્ષિત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો.
ખેલ મહાકુંભ કરાટે સ્પર્ધામાં સુરતના ખિલાડીઓ ઝળકિયા.
Surat News: યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્દોર સ્ટેડિયમ આણંદ ખાતે ખેલ મહાકુંભ 2.0 . સ્ટેટ કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સરકાર દ્વારા તેમજ તેનું સંચાલન કરાટે ડો ફેડરેશન ગુજરાત અને તેના પ્રેસિડેન્ટ કલ્પેશભાઈ મકવાણા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સુરત ના ખેલાડીઓએ ખૂબ જ સુંદર પ્રદર્શન કરીને 14 ગોલ્ડ મેડલ 15 સિલ્વર મેડલ તેમજ 17 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સુરતનું નામ રોશન કરી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સફળતા બદલ. સુરત ના કરાટે પ્રેસિડેન્ટ જીતેન્દ્રભાઈ સુરતી જનરલ સેક્રેટરી જયેશભાઈ ડાલીયા તેમજ ખજાનચી અમલેશભાઈ બાવરીયા. ખિલાડીઓની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને તેમના ઉજ્વળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
વિશ્વના સૌથી ભવ્ય ફેશન શો નું આયોજન, રેડ એન્ડ વ્હાઇટ સ્કીલ એજ્યુકેશન દ્વારા સુરતમાં આયોજિત ફેશન શોમાં વિદ્યાર્થીઓએ દાખવી પ્રતિભા
સુરત: શહેરે શનિવારની સાંજે ફેશન, સર્જનાત્મકતા અને યુવા પ્રતિભાનો અદભૂત મેળાપ નિહાળ્યો. રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા આયોજિત ‘ફેશન શો ૨૦૨૬’એ ભવ્યતા, નવીનતા અને પ્રતિભાના પ્રદર્શનના નવા માપદંડો સ્થાપિત કર્યા. આ ભવ્ય આયોજન માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના સૌથી મોટા ફેશન શોમાં સ્થાન પામ્યું છે.
શહેરના રામાયણ ફાર્મ ખાતે યોજાયેલા આ વિશાળ કાર્યક્રમમાં ૬,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, ફેશન ડિઝાઇનર્સ, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ તેમજ પ્રોફેશનલ મોડેલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.

રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમથી માન્યતા પ્રાપ્ત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના સ્થાપકો હિતેશ દેસાઈ અને હસમુખ રફાળિયાના નેતૃત્વ હેઠળ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરનું મંચ ઉપલબ્ધ કરાવવાનો હતો, જેમાં તેઓ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને કૌશલ્યને પ્રદર્શિત કરી શકે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા આકર્ષક, અનોખા અને નવીન પરિધાનોનું ભવ્ય પ્રદર્શન રહ્યું. રેમ્પ પર પ્રોફેશનલ મોડેલ્સે વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, મહેનત અને સર્જનાત્મકતા સાથે તૈયાર કરાયેલા પરિધાનોને શાનદાર અંદાજમાં રજૂ કર્યા. દરેક રજૂઆતે ઉપસ્થિત દર્શકોની દિલથી પ્રશંસા મેળવી અને તાળીઓના ગડગડાટ વચ્ચે મોડેલ્સ તથા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન થયું.

આ પ્રસંગે સેલિબ્રિટી મહેમાનો તરીકે ભરતસિંહ વાલિયા, ટીના રાંકા અને મોહિત રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું અને યુવા ડિઝાઇનર્સને પ્રેરણા પૂરી પાડી. તે ઉપરાંત પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર્સ મનીષ રેશમવાલા, સંગીતા ચોક્સી, નીરજ વૈદ્ય અને પ્રાચી પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા. પરંપરાગત સૌંદર્ય, આધુનિક શૈલી અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વય આ ફેશન શોની વિશેષ ઓળખ બની રહ્યો હતો.
આ આયોજન એ માત્ર વિદ્યાર્થીઓની પ્રતિભાને નવી ઉડાન આપી નથી, પરંતુ સુરતને ફેશન અને ડિઝાઇનિંગના ઉદ્ભવતા કેન્દ્ર તરીકે નવી ઓળખ પણ અપાવી છે. ‘ફેશન શો ૨૦૨૬’એ સાબિત કરી દીધું કે જ્યારે શિક્ષણ, કૌશલ્ય અને સર્જનાત્મકતા એક જ મંચ પર એકત્ર થાય છે, ત્યારે પરિણામ અસાધારણ હોય છે.
યુવા પ્રતિભાઓ માટે આ કાર્યક્રમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને લાંબા સમય સુધી તેમની યાદોમાં જીવંત રહેશે. સુરતના ફેશન જગતમાં આ આયોજન એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થયું છે.
એડમિશન્સ ફેર – 2026 હવે સુરતમાં : 10 અને 11 મે, 2026 ના રોજ યોજાશે એડમિશન્સ ફેર
સુરત, 2026 : અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક દ્વારા મહેશ્વરી ભવન, સિટી લાઈટ રોડ, સુરત ખાતે 10 અને 11 મે, 2026 ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન્સ ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ ઈવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે.
સુરતના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક! એડમિશન ફેરના માધ્યમથી હવે તમે એક જ સ્થળે ભારતની 30થી વધુ ટોચની યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓને મળી શકશો. આ મેળામાં વિદ્યાર્થીઓને 200થી વધુ અંડરગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટગ્રેજ્યુએટ (PG) કોર્સના વિકલ્પો મળશે, જેમાં ઓન-ધ-સ્પોટ એપ્લિકેશન, સ્કોલરશિપની માહિતી અને એડમિશન ટીમો સાથે સીધો સંવાદ કરવાની તક મળશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ કેમ્પસ લાઈફ, ફી સ્ટ્રક્ચર, ફેકલ્ટી વિગતો તેમજ પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશિપ વિશે પણ ઊંડાણપૂર્વક જાણી શકશે, જે તેમને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થશે.
ધોરણ 12માં ની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિધાર્થી ને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ 12 પછી શું કરવું? તો આ ફેર દ્વારા તમારી આ મુઝવણ દુર થશે. આ ફેર અંતર્ગત ધોરણ 12 સાયન્સ પછી શું કરવુ? ધોરણ 12 કોમર્સ પછી શું કરવું? અને ધોરણ 12 આર્ટ્સ પછી શું કરવું? ની સંપુર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારુ ભવિષ્ય બનાવી શકો છો.. અફેર્સે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પગલું ભર્યું જે વિદ્યાર્થીઓને ભારતભરની 30 થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે. તમને નવીનતમ વિશે સમજ મેળવવાની મંજૂરી આપે છે.
ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં સુરતમાં ભાગ લઈ રહેલી યુનિવર્સિટીઓમાં મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE), એમિટી ગ્લોબલ બિઝનેસ સ્કૂલ અમદાવાદ, SRM યુનિવર્સિટી – ચેન્નાઈ, રામાપુરમ અને તિરુચિરાપલ્લી કેમ્પસ, એમિટી યુનિવર્સિટી મુંબઈ, સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી – પુણે, પારુલ યુનિવર્સિટી – વડોદરા અને ગોવા, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) – ગાંધીનગર, GLS યુનિવર્સિટી – અમદાવાદ, મહિન્દ્રા યુનિવર્સિટી – હૈદરાબાદ, JG યુનિવર્સિટી – અમદાવાદ, મણિપાલ યુનિવર્સિટી જયપુર, યુનિવર્સિટી ઓફ વૂલનગોન્ગ – ઓસ્ટ્રેલિયા – ઈન્ડિયા, એપોલો નોલેજ ઈન્સ્ટિટ્યુશન્સ, કર્ણાવતી યુનિવર્સિટી – ગાંધીનગર, એલાયન્સ યુનિવર્સિટી – બેંગલુરુ, ઇન્ડસ યુનિવર્સિટી – અમદાવાદ, વેસ્ટર્ન ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ – અમદાવાદ, રામૈયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ – બેંગલુરુ, MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી – પુણે અને ગોવા, MIT વિશ્વપ્રયાગ યુનિવર્સિટી – સોલાપુર, નવરચના યુનિવર્સિટી – વડોદરા, ICFAI યુનિવર્સિટી, વિદ્યાદીપ યુનિવર્સિટી – સુરત, ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) – ચાંગા, પી. પી. સવાણી યુનિવર્સિટી – સુરત, અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) વગેરેનો સમાવેશ થાય છે.
આ વિષે જણાવતા, શ્રી વિવેક શુક્લા – ડિરેક્ટર અને સીઈઓ, અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. એ જણાવ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવામાં જે પડકારોનો સામનો કરવો પડે છે તે સમજીએ છીએ, અને તેથી અમે હંમેશા તેમને જરૂરી માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ પ્રવેશ મેળો ભારતમાં ઉચ્ચ શિક્ષણના ભાવિને પ્રદર્શિત કરશે અને વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, આઈટી, મેડિસિન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો શોધવાની તક પૂરી પાડશે. ઉપરાંત તેઓ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરી શકે છે, તેમની શંકાઓને દૂર કરી શકે છે અને પ્રવેશ પ્રક્રિયા અને અભ્યાસક્રમો વિશે મૂલ્યવાન માહિતી એકઠી કરી શકે છે.
“અમે સુરતમાં આ સૌથી લોકપ્રિય એડમિશન ફેર લાવવા માટે અત્યંત ઉત્સાહિત છીએ.આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો શોધવા, પ્રવેશ પ્રક્રિયાને સમજવા અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવા માટે જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડશે,” એડમિશન ફેરના આયોજક એ જણાવ્યું હતું.
અફેર્સ 25 વર્ષથી વધુ સમયથી એડમિશન ફેરનું આયોજન કરે છે, અનુભવી શૈક્ષણિક સલાહકારોની ટીમો વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ વિશે માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે છે. સુરતમાં આ એડમિશન ફેર એ ઘણા મેળાઓ પૈકીનો એક છે જે અફેર સમગ્ર ભારતમાં આયોજિત કરે છે, વિદ્યાર્થીઓને અભ્યાસના વિકલ્પો શોધવાની અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવાની તક પૂરી પાડે છે.
આ એડમિશન્સ ફેર સંપૂર્ણપણે ફ્રી છે અને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લો છે.પ્રોગ્રામમાં સ્થાન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓને વહેલા રજીસ્ટ્રેશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ઉચ્ચ શિક્ષણમાં નવીનતમ વલણો શોધવા અને ભારતમાં અભ્યાસના વિકલ્પોનું અન્વેષણ કરવાની આ અદ્ભુત તક ગુમાવશો નહીં. એડમિશન ફેર વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને અફેર્સની વેબસાઇટ https://admissionsfair.in/surat/ ની મુલાકાત લો.
બંધનો પર વિજય: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની RSM એક્સપરિમેન્ટલ સ્કૂલ દ્વારા ચાર્મી દેસાઈની મુખ્ય પ્રવાહની વિજ્ઞાન શિક્ષણમાં ઐતિહાસિક સફળતા
બધા દિવ્યાંગ વ્યક્તિઓ સમાજના મુખ્ય પ્રવાહનો ભાગ બનવા ઇચ્છે છે—અને ચાર્મી દેસાઈ એ દૃઢ નિશ્ચયનું પ્રેરણાદાયક ઉદાહરણ છે।
સુરત: દૃષ્ટિબાધિત હોવા છતાં અને ધોરણ 10 સુધી અંધશાળામાં અભ્યાસ કર્યા પછી, ચાર્મી પોતાના ધ્યેય અંગે સંપૂર્ણપણે સ્પષ્ટ હતી—તેણે સામાન્ય શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવો હતો। પરંતુ તેને એક મોટો અવરોધ આવ્યો। તેની શાળામાં વિજ્ઞાન પ્રવાહ ઉપલબ્ધ નહોતો અને મુખ્ય પ્રવાહની શાળાઓમાં દૃષ્ટિબાધિત વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી, જેના કારણે તેનું સ્વપ્ન અધૂરું રહેતું લાગતું હતું।
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની RSM એક્સપરિમેન્ટલ સ્કૂલમાં અમે શરૂઆતમાં સંકોચ અનુભવ્યો હતો। પરંતુ તેની લગન અને દૃઢતા ઓળખીને, અમે આ પડકાર સ્વીકારવાનો નિર્ણય કર્યો। આ મુદ્દો ગુજરાત શિક્ષણ બોર્ડ સુધી પહોંચાડવામાં આવ્યો અને તેમના સહકારથી તેને પ્રવેશ માટે વિશેષ મંજૂરી આપવામાં આવી।
આ માત્ર ચાર્મી માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક ક્ષણ બની, જેમાં અગાઉ બંધ રહેલા દ્વારો હવે ખુલ્યા।
આજે, આ હિંમતનું ફળ મળ્યું છે।
પરિણામ જાહેર થયા છે અને ચાર્મીએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે—સામાન્ય શૈક્ષણિક વાતાવરણમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરીને તેણીએ પોતાની કક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે।
તેણીનું આ સિદ્ધિ માત્ર શૈક્ષણિક સફળતા નથી—પરંતુ સમાવેશ, અથાગ પ્રયત્ન અને બંધનો તોડવાનો શક્તિશાળી સંદેશ છે।
ચાર્મી અને અંધજન મંડળને સતત સહકાર બદલ હાર્દિક અભિનંદન!
આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: Shilpa Shetty Kundra સાથે નવી ડિઝાઇનર ભાગીદારી
મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 29 એપ્રિલ: ભારતના અગ્રણી મલ્ટી-ડિઝાઇનર ફૅશન રિટેલર Aza Fashions એ તાજેતરમાં અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને સ્ટાઇલ આઇકન Shilpa Shetty Kundra સાથે મળીને ‘ROAR’ નામનું એક ખાસ, બોલ્ડ અને સશક્ત ડિઝાઇનર કલેક્શન રજૂ કર્યું છે।
Aza X Shilpa Shetty Kundra કલેક્શનમાં સૂક્ષ્મ રીતે તૈયાર કરાયેલા પરિધાનોનો સમાવેશ થાય છે, જે સાડીની આધુનિક વ્યાખ્યા રજૂ કરે છે—પરંપરા અને નવતરતા, તેમજ શક્તિ અને સૌમ્યતાનું સુંદર સંમિશ્રણ. આ કલેક્શન એવી મહિલાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેઓ આત્મવિશ્વાસ સાથે પોતાની વ્યક્તિગત ઓળખને સ્વીકારે છે અને સૌનું ધ્યાન ખેંચે છે. ‘ROAR’ તીવ્ર સ્ત્રીત્વનો ઉત્સવ છે।
આ કલેક્શનમાં પ્રી-ડ્રેપ્ડ સાડીઓ, સાડી ડ્રેપ સાથેના સ્કર્ટ-સેટ્સ, ડ્રેપ્ડ કાફ્તાન અને ક્લાસિક પ્રિન્ટેડ સાડીઓનો સમાવેશ થાય છે. નરમાઈ અને શક્તિ વચ્ચેનું સંતુલન જાળવીને, આ ડિઝાઇન્સમાં એનિમલ અને બોટાનિકલ પ્રિન્ટ્સ સાથે હેન્ડ-એમ્બેલિશ્ડ ડિટેલ્સ ઉમેરવામાં આવ્યા છે, જે તેને આધુનિક મહિલાઓ માટે પરફેક્ટ બનાવે છે. આ પરિધાનો વિવિધ પ્રસંગો માટે સરળતાથી અનુરૂપ છે—ડેસ્ટિનેશન વેડિંગ્સ અને કોકટેલ સોયરે થી લઈને ખાનગી ઉજવણીઓ અને રેડ-કાર્પેટ પળો સુધી।
‘ROAR’ ને શિલ્પાના વ્યક્તિગત સ્ટાઇલ અને તેમની માતાની વારસાથી પ્રેરણા મળી છે—જેઓ તેમની અનોખી સાડી સ્ટાઇલિંગ માટે જાણીતી હતી. તેઓ પરંપરાગત કાંજીવરમ સાડીઓને લાઇક્રા બ્લાઉઝ સાથે પહેરતા અને વિવિધ ડ્રેપ્સ સાથે પ્રયોગ કરતા. આ જ પ્રયોગશીલતા, એલેગન્સ અને સશક્તિકરણ આ અનોખી ડિઝાઇનર ભાગીદારીનું મૂળ છે।
કલેક્શન વિશે વાત કરતાં Shilpa Shetty Kundraએ જણાવ્યું: “મારી મા હંમેશા મારી સાડી પ્રેરણા રહી છે. તેમણે સાડીઓને બહાદુરી, પ્રામાણિકતા અને સર્જનાત્મકતા સાથે પહેરી. Aza સાથે ‘ROAR’ બનાવતાં, મેં એ જ ભાવનાને એવા ડિઝાઇન્સમાં ફરીથી રજૂ કરી છે, જે દરેક મહિલાને સશક્ત, ગ્લેમરસ અને સરળતાથી પહેરી શકાય તેવી બનાવે છે.”
આ વિશેષ સહયોગ શિલ્પાની સહજ સર્જનાત્મકતા અને Aza Fashions ની મહિલાઓને સશક્ત બનાવવા અને ફૅશન દ્વારા તેમની અનોખી કહાનીઓ રજૂ કરવાની પ્રતિબદ્ધતાને એકસાથે લાવે છે।
Aza Fashions ની મેનેજિંગ ડિરેક્ટર Devangi Nishar Parekhએ જણાવ્યું:
“આઝામાં અમે એવો ફૅશન રજૂ કરીએ છીએ, જે મહિલાઓને આત્મવિશ્વાસ અને અંદાજ સાથે પોતાની ઓળખ વ્યક્ત કરવાની શક્તિ આપે છે. ‘ROAR’, શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથેનો અમારો સહયોગ, આ જ ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે—સ્ટાઇલિશ, આધુનિક અને બહુપયોગી, એવી મહિલાઓ માટે તૈયાર કરાયેલ છે, જેઓ પોતાની અલગ ઓળખ બનાવવા ડરતી નથી.”
‘ROAR’ માત્ર એક કલેક્શન નથી, પરંતુ એક ચળવળ છે, જે Aza Fashions ના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે—આત્મવિશ્વાસનો ઉત્સવ, મહિલાઓનું સશક્તિકરણ અને નવીનતા તથા એલેગન્સ દ્વારા લક્ઝરીની નવી વ્યાખ્યા. આકર્ષક છતાં આરામદાયક સિલુએટ્સ આ કલેક્શનને ગ્લેમર અને ઉપયોગિતાનું સંતુલન આપે છે, જેથી મહિલાઓ મુક્તપણે ચાલે, અનુભવે અને પોતાને વ્યક્ત કરી શકે।
આ કલેક્શન Aza Fashions ની વેબસાઇટ, એપ અને તમામ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે અને લોન્ચ પછી વૈશ્વિક સ્તરે પણ ઉપલબ્ધ બનશે. વૈશ્વિક શિપિંગ અને સરળ ઑનલાઇન શોપિંગ અનુભવ સાથે, Aza વિશ્વભરના ફૅશનપ્રેમી મહિલાઓને આ નવા કલેક્શન દ્વારા તેમની આંતરિક શક્તિ વ્યક્ત કરવાની તક આપે છે. આ સહયોગ પરંપરા અને આધુનિકતાના સુંદર સંયોજન સાથે ભારતીય ફૅશનમાં અનોખા અવાજોને મંચ આપે છે।
કલેક્શન જોવા અથવા ખરીદી માટે મુલાકાત લો: www.azafashions.com
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ની નવી ઓટોમોટિવ સ્ટીલ લાઇન, સુરતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત કરશે
હજીરા – સુરત, એપ્રિલ 30, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ના ગુજરાતના હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે અદ્યતન પિકલિંગ લાઇન અને ટેન્ડમ કોલ્ડ મિલ (PLTCM)નું ઉદ્ઘાટન ભારત ખાતે જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનો દ્વારા કરવામાં આવ્યું છે.
દર વર્ષે 2 મિલિયન ટન ક્ષમતા ધરાવતી આ અદ્યતન PLTCM લાઈન, AM/NS Indiaની ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં મહત્વપૂર્ણ વધારો કરશે. ટૂંક સમયમાં આ યુનિટ ઉચ્ચ ગુણવત્તાવાળા કોલ્ડ-રોલ્ડ બેઝ સ્ટીલનું ઉત્પાદન શરૂ કરશે, જેના આધારે વિશ્વસ્તરીય તેમજ પ્રથમ વખતના, પેટન્ટેડ સ્ટીલ સોલ્યુશન્સનું ઉત્પાદન શક્ય બનશે. જે આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ જેવી વૈશ્વિક પેરેન્ટ કંપનીઓની ટેક્નોલોજી પર આધારિત છે. આ નવી લાઇન ભારતને એડવાન્સ્ડ હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ (AHSS)ના ઉત્પાદનમા આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક અતિ મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થશે અને ઓટોમોટિવ ઉદ્યોગની વધતી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.
ભારતમાં સૌથી અદ્યતન ઉત્પાદન લાઇનોમાંની એક ગણાતી આ સુવિધા અદ્યતન પ્રોસેસ ટેક્નોલોજી, શ્રેષ્ઠ ઓટોમેશન અને વૈશ્વિક ધોરણોની ગુણવત્તા સિસ્ટમ્સથી સજ્જ છે. આ પ્લાન્ટ AHSS, ગેલ્વેનિલ્ડ (GA), ગેલ્વેનાઇઝ્ડ (GI) અને પ્રેસ હાર્ડન્ડ સ્ટીલ (PHS) જેવા વિવિધ ઓટોમોટિવ એપ્લિકેશન્સ માટે સ્ટીલ ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સુવિધા દેશની અન્ય મિલ્સની સરખામણીએ વધુ સક્ષમ છે અને તમામ ઓટોમોટિવ કંપનીઓને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.
આ સોલ્યુશન્સ વૈશ્વિક સસ્ટેનેબિલિટી ધોરણોને અનુરૂપ છે, વાહનોને હળવા બનાવવામાં મદદ કરે છે
જેથી કાર્યક્ષમતા અને પ્રદર્શન સુધરે, તેમજ ભારત NCAP (BNCAP) મુજબ વાહન સલામતીમાં વધારો કરે છે.
આ સમર્પિત ઓટોમોટિવ લાઇન AM/NS Indiaની ડાઉનસ્ટ્રીમ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને 1180 MPa સુધીની ઊંચી મજબૂતી ધરાવતા AHSSના ઉત્પાદનને સપોર્ટ કરશે, જે વૈશ્વિક ધોરણો સાથે સુસંગત છે.
આ ઉદ્ઘાટન AM/NS Indiaના હજીરા પ્લાન્ટ ખાતે ચાલી રહેલા રૂપિયા 60,000 કરોડના વિસ્તરણ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેમાં અપસ્ટ્રીમ, ડાઉનસ્ટ્રીમ અને અન્ય સહાયક સુવિધાઓનો સમાવેશ થાય છે.
કંપનીની આ નવી સુવિધા આર્થિક પ્રવૃત્તિઓનો એક સશક્ત અને સ્વયંસંચાલિત ચક્ર ઊભું કરશે, જે માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપશે. ગુજરાત ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં સતત અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે.
મહામહિમ શ્રી કેઇચી ઓનોએ હજીરામાં સ્થિત સ્ટીલ પ્લાન્ટની મુલાકાત લઈને અહીં ચાલી રહેલી વિશાળ સ્તરની કામગીરી અને સુરતના ઔદ્યોગિક વિકાસની ગતિને નજીકથી નિહાળી।
જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઇચી ઓનોએ પ્લાન્ટની મુલાકાત લઇ કામગીરીનો વ્યાપ અને વિકાસની ગતિનો અનુભવ કર્યો.
મહામહિમ શ્રી કેઇચી ઓનો, જાપાનના રાજદૂતે જણાવ્યું હતું કે, “હું AM/NS Indiaને તેમના હજીરા પ્લાન્ટ ખાતેની અદ્યતન ઓટોમોટિવ સ્ટીલ શીટ ઉત્પાદન લાઇનના પ્રારંભ માટે અભિનંદન પાઠવું છું. જાપાનની અદ્યતન ટેક્નોલોજીએ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ ઉત્પાદનને નવી દિશા આપી છે. ‘Make in India, Make for the World’ પહેલમાં જાપાનનું યોગદાન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. જાપાન અને ભારત વચ્ચેનો સંબંધ પરસ્પર પૂરક છે, જ્યાં જાપાનની ટેક્નોલોજી અને મૂડી, ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા અને વધતી માંગ સાથે જોડાય છે. હજીરા પ્લાન્ટની કાર્યક્ષમતાનો પ્રત્યક્ષ અનુભવ કર્યા બાદ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે બંને દેશો વચ્ચેનું ઔદ્યોગિક સહકાર અને ‘વિકસિત ભારત’નું ભવિષ્ય ઉજ્જવળ છે.”
શ્રી દિલીપ ઊમ્મેન, મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “AM/NS India ‘Make in India’ અને ‘આત્મનિર્ભર ભારત’ માટે પ્રતિબદ્ધ છે. ‘Smarter Steels, Brighter Futures’ના અમારા વચન અનુસાર, અમે પેરેન્ટ કંપનીઓની અદ્યતન ટેક્નોલોજી અને વૈશ્વિક કુશળતાનો લાભ લઈને આધુનિક સ્ટીલ ઉત્પાદન સુવિધાઓ ઉભી કરી રહ્યા છીએ. PLTCM લાઈનનું ઉદ્ઘાટન, આ યાત્રામાં મહત્વપૂર્ણ સિદ્ધિ છે. જે દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ સ્ટીલના ઉત્પાદન માટે મજબૂત આધાર ઉભો કરશે, આયાત પર નિર્ભરતા ઘટાડશે, સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે અને ઓટોમોટિવ ઉદ્યોગને વધુ સલામત, હળવા અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધવામાં સહાય કરશે.”
નવી યુનિટ ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ઓટોમોટિવ ફ્લેટ સ્ટીલની વધતી માંગને પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. હાલ આ માંગ 7.8 મિલિયન ટન પ્રતિ વર્ષ છે અને દર વર્ષે 6-7% વૃદ્ધિ થવાની શક્યતા છે. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોટિવ ઉત્પાદન કરનાર દેશ છે અને બીજા સ્થાને પહોંચવાના લક્ષ્ય સાથે ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પ્રીમિયમ અને અદ્યતન વાહનો માટે વિશ્વસ્તરીય સ્ટીલની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની રહી છે.
ગુજરાતી સિનેમામાં ‘વાંકી ચૂકી લવ સ્ટોરી’નો જાદુ, ટ્રેલરને મળ્યો જબરદસ્ત પ્રતિસાદ
અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર રોમેન્ટિક એન્ટરટેનમેન્ટનો નવો દોર શરૂ થવા જઈ રહ્યો છે. જાણીતા દિગ્દર્શક ધ્વનિ ગૌતમની બહુપ્રતિક્ષિત ફિલ્મ **‘વાંકી ચૂકી લવ સ્ટોરી’**નું ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. પ્રેમ, લાગણીઓ અને સંબંધોના ગૂંચવાડાને દર્શાવતી આ ફિલ્મ 8 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ ફિલ્મની વાર્તા આજના યુવાનોના જીવન અને તેમના પ્રેમ સંબંધો પર આધારિત છે. ફિલ્મ એક એવા યુવકની સફર છે જે પોતાના ભૂતકાળને ભૂલીને નવી શરૂઆત કરવા માંગે છે, પરંતુ અચાનક ભૂતપૂર્વ પ્રેમિકાનું પુનરાગમન જીવનમાં કેવી ‘વાંકી ચૂકી’ પરિસ્થિતિઓ સર્જે છે, તે આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે.
પૂજા જોશી, પરીક્ષિત તમાલિયા, ભાવિન ભાનુશાલી, શેખર શુક્લા,હેમાંગ દવે, ચેતન દૈયા, મિલોની ઝોન્સા અને દિગ્ગજ અભિનેતા ધર્મેશ વ્યાસ જેવા કલાકારોના પાવરફુલ પરફોર્મન્સ.સાથે કચ્છના સુંદર રણ અને મનોહર સ્થળો પર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. તેમજ
ભવ્ય વેડિંગ સેટઅપ અને કર્ણપ્રિય સંગીત ફિલ્મને વિઝ્યુઅલી રિચ બનાવે છે.
”આ ફિલ્મ માત્ર એક લવ સ્ટોરી નથી, પણ આજના સંબંધોમાં આવતા વળાંકોનું પ્રતિબિંબ છે. અમે આ ફિલ્મને ખૂબ જ સુંદર રીતે કંડારી છે અને ટ્રેલરને મળેલા પ્રેમથી અમે ખૂબ ઉત્સાહિત છીએ.” – ધ્વનિ ગૌતમ (દિગ્દર્શક)
પ્રોડક્શન વિગતો
નિતિન ભાનુશાલી દ્વારા નિર્મિત આ ફિલ્મ આજના યુવા દર્શકોની પસંદને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ટ્રેલરમાં જોવા મળતી રોમેન્ટિક કેમિસ્ટ્રી અને ઈમોશનલ કોન્ફ્લિક્ટે અત્યારથી જ લોકોમાં ઉત્સુકતા વધારી દીધી છે.
તૈયાર થઈ જાઓ એક એવી લવ સ્ટોરી માણવા માટે જે સીધી નથી પણ દિલને સ્પર્શી જાય તેવી ‘વાંકી ચૂકી’ છે!
રોમાન્સ, ફેમિલી ડ્રામા અને સસ્પેન્સનું અનોખું મિશ્રણ જોવા મળશે 8 મે 2026
થી તમારા નજીકના સિનેમાઘરોમાં
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ નોબુઓ ઓકોચીને મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કર્યા
1 જુલાઈથી સંભાળશે જવાબદારી, દીર્ઘકાલીન વિકાસ અને મૂડી વ્યૂહરચનાને આપશે નવી દિશા મુંબઈ, 28 એપ્રિલ 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ નોબુઓ ઓકોચીને કંપનીના નવા મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. તેમની નિમણૂક 1 જુલાઈ 2026થી અમલમાં આવશે. આ નિમણૂક એવા સમયે કરવામાં આવી છે જ્યારે હાલના મુખ્ય નાણાકીય અધિકારી અમિત હરલાલકાને તાજેતરમાં કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ પણ 1 જુલાઈ 2026થી નવી જવાબદારી સંભાળશે. આ બંને મહત્વપૂર્ણ નિયુક્તિઓ કંપનીના ટોચના નેતૃત્વમાં સતતતા અને સ્થિરતા જાળવી રાખશે, જે કંપનીની વિકાસયાત્રાને વધુ વેગ આપશે. મુખ્ય નાણાકીય અધિકારી તરીકે નોબુઓ ઓકોચી કંપનીના નાણાંકીય વ્યવસ્થાપન, વ્યૂહરચના, નાણાકીય આયોજન, મૂડી ફાળવણી અને કોર્પોરેટ ગવર્નન્સ જેવા મહત્વપૂર્ણ વિભાગોનું નેતૃત્વ કરશે. તેમનો મુખ્ય ફોકસ કંપનીની દીર્ઘકાલીન વિકાસ યોજનાઓ અને મૂલ્ય સર્જનને વધુ મજબૂત બનાવવાનો રહેશે. નોબુઓ ઓકોચીને નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનમાં ચાર દાયકાથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે નાણાંકીય વ્યવસ્થાપન, નાણાકીય આયોજન, મૂડી બજેટિંગ અને વૈશ્વિક વ્યવસાય વિકાસ જેવા ક્ષેત્રોમાં અનેક વરિષ્ઠ પદો પર કાર્ય કર્યું છે. વિશાળ ઔદ્યોગિક રોકાણો અને બહુરાષ્ટ્રીય કામગીરીના સંચાલનમાં તેમને ઊંડી નિષ્ણાતી પ્રાપ્ત છે. હાલમાં તેઓ નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનમાં ભારત, આસિયાન, મધ્ય પૂર્વ અને આફ્રિકા ક્ષેત્રના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે કંપનીની વૈશ્વિક વ્યાપાર વ્યૂહરચના ઘડવામાં અને અનેક આંતરરાષ્ટ્રીય સ્ટીલ પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. નોબુઓ ઓકોચીએ જાપાનની ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી એમબીએ અને ટોક્યો સ્થિત સોફિયા યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી છે. કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી દિલીપ ઓમને જણાવ્યું હતું કે નોબુઓ ઓકોચીની નિમણૂકથી કંપનીના નેતૃત્વને વૈશ્વિક દૃષ્ટિકોણ અને આંતરરાષ્ટ્રીય બજારોનો ઊંડો અનુભવ મળશે. તેમનો વ્યાપક અનુભવ કંપનીને ભવિષ્ય માટે વધુ મજબૂત અને સક્ષમ બનાવવામાં સહાયક બનશે. નોબુઓ ઓકોચીએ જણાવ્યું હતું કે તેઓ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયામાં મુખ્ય નાણાકીય અધિકારીની જવાબદારી સંભાળવા માટે ઉત્સાહિત છે. કંપની મજબૂત પાયા અને સ્પષ્ટ વ્યૂહાત્મક દૃષ્ટિ સાથે આગળ વધી રહી છે. તેઓ ટીમ સાથે મળીને દીર્ઘકાલીન વિકાસ, મજબૂત નાણાકીય શિસ્ત અને સતત મૂલ્ય સર્જનની દિશામાં કાર્ય કરશે. નોબુઓ ઓકોચીની નિમણૂક અને અમિત હરલાલકાની મુખ્ય કાર્યકારી અધિકારી તરીકેની બઢતીથી કંપનીના નાણાકીય અને વહીવટી નેતૃત્વમાં સતતતા જળવાઈ રહેશે. આ એવા સમયે થઈ રહ્યું છે જ્યારે કંપની ક્ષમતા વિસ્તરણ, મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને ટકાઉ વિકાસ તરફ ઝડપી ગતિએ આગળ વધી રહી છે. આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા ભારતના ‘વિકસિત ભારત’ના લક્ષ્યમાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવા માટે વૈશ્વિક નિષ્ણાતી અને ઊંડા ઉદ્યોગ અનુભવ ધરાવતા નેતૃત્વને સતત સશક્ત બનાવી રહી છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ શેપિંગ માઈન્ડ્સ , ટચિંગ હાર્ટ્સ
નાનકડા એસ્ટેરિયન્સે દયા અને કરુણાના અમૂલ્ય પાઠ શીખ્યા
સુરત: “મન્થ ઓફ કાઇન્ડનેસ”ની ભાવનાને આત્મસાત કરતાં વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના નાનકડા વિદ્યાર્થીઓએ ગૌશાળાની એક વિશેષ શૈક્ષણિક મુલાકાત લીધી. આ પહેલનો મુખ્ય હેતુ વર્ગખંડમાં શીખવાતા મૂલ્યોને વાસ્તવિક જીવનના અનુભવો સાથે જોડવાનો હતો.
આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં તમામ જીવજંતુઓ પ્રત્યે દયા, કરુણા અને સન્માનની ભાવના વિકસાવવાનો હતો. પરંપરાગત વર્ગખંડની બહાર આવી બાળકોને નવા વાતાવરણમાં શીખવાનો અનોખો અનુભવ મળ્યો, જ્યાં તેમણે ગાયોની સંભાળ, તેમનું મહત્વ અને તેમની પ્રત્યે સંવેદનશીલ વર્તન વિશે જાણકારી મેળવી.
ઉત્સાહ અને જિજ્ઞાસાથી ભરપૂર વિદ્યાર્થીઓએ ગાયોને ચારો ખવડાવવો, તેમના રહેઠાણનું નિરીક્ષણ કરવું જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ અનુભવો દ્વારા બાળકોમાં જવાબદારીની ભાવના, લાગણીસભર સમજણ અને પ્રકૃતિ સાથેનો જોડાણ વધુ મજબૂત બન્યો.
શિક્ષકોએ સમગ્ર મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને સમજાવ્યું કે દયા માત્ર શબ્દોમાં સીમિત નથી, પરંતુ તેને પોતાના વર્તનમાં ઉતારવી જરૂરી છે, પછી તે પશુઓ પ્રત્યે હોય કે રોજિંદા જીવનમાં અન્ય લોકો સાથેના વ્યવહારમાં.
આ પહેલ શાળાની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જ્યાં શૈક્ષણિક ઉત્તમતા સાથે નૈતિક મૂલ્યોને પણ સમાન મહત્વ આપવામાં આવે છે.
આ શૈક્ષણિક મુલાકાત બાળકો માટે યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ સાબિત થઈ. બાળકોના ચહેરા પર ઝળહળતી ખુશી અને તેમના વર્તનમાં દેખાતી સંવેદનશીલતાએ આ પહેલની સફળતાને સ્પષ્ટ રીતે ઉજાગર કરી.
આવા અનુભૂતિમૂલક શિક્ષણ કાર્યક્રમો દ્વારા વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ સતત સંવેદનશીલ, જવાબદાર અને સંસ્કારી નાગરિકોના ઘડતરમાં કાર્યરત છે, જેથી એપ્રિલ મહિનો ખરેખર દયા અને કરુણાના ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે.
ભરૂચમાં ઓમ ગુરુની પાવન નિશ્રામાં યોજાયો મંત્ર થેરાપી દરબાર, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
ભરૂચ: શહેરમાં તારીખ 12 એપ્રિલ 2026ના રોજ ઓમ ગુરુની પાવન નિશ્રામાં દિવ્ય મંત્ર થેરાપી દરબારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તોએ હાજરી આપી. આ વિશેષ દરબાર માનવ જીવનના ચાર મુખ્ય ક્ષેત્રો — આર્થિક, શારીરિક, સામાજિક અને માનસિક પ્રશ્નોના માર્ગદર્શન માટે કેન્દ્રસ્થાન બન્યો.
કાર્યક્રમ દરમિયાન ઓમ ગુરુએ આર્થિક પ્રગતિ, વ્યવસાયિક વિકાસ અને જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે માર્ગદર્શન આપ્યું. તેમણે ભક્તોને સકારાત્મક વિચારસરણી, યોગ્ય દિશામાં પ્રયત્નો અને આધ્યાત્મિક શક્તિ સાથે આગળ વધવા પ્રેરિત કર્યા. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોને દિવ્ય “કુબેર પેન્ડન્ટ” અને “કુબેર લક્ષ્મી મલમ” નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું.
સામાજિક જીવનમાં સુખ-શાંતિ અને સુરક્ષા માટે દિવ્ય સ્ટોન, રક્ષા સૂત્ર અને બ્રેસલેટ પણ ભક્તોને આપવામાં આવ્યા. માનસિક તણાવ, નિરાશા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ માટે ઓમ ગુરુએ માનસિક સંતુલન અને સકારાત્મક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું.
શારીરિક પીડા અને રોજિંદી તકલીફો માટે ઉપસ્થિત લોકોને દિવ્ય બામ આપવામાં આવ્યું. આયોજકોના જણાવ્યા મુજબ, મંત્ર થેરાપી દરબાર સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને તેનો હેતુ સમાજને આધ્યાત્મિક માર્ગદર્શન તથા માનસિક સશક્તિકરણ પૂરૂં પાડવાનો છે.
સુરત પ્રી સ્કૂલ એસોસિએશનનો અનોખો મતદાન જાગૃતિ અભિયાન
10,120 નાનાં બાળકો દ્વારા ડ્રોઇંગ મારફતે માતા-પિતાને મતદાન કરવાની અપીલ સુરત. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, છતાં ઘણીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમી, વ્યસ્તતા અને જાગૃતિના અભાવે મતદાન ટકાવારી ઓછી રહેતી હોય છે. આ વિચારને બદલવા અને નાગરિકોને મતદાન પ્રત્યે પ્રેરિત કરવા માટે સુરત પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા એક પ્રેરણાદાયક અને અનોખું અભિયાન યોજાયું. આ અભિયાન હેઠળ સુરત શહેરની 100થી વધુ સ્કૂલોના 10,120 નાનાં બાળકો જોડાયા અને સુંદર ડ્રોઇંગ બનાવી પોતાના માતા-પિતા તથા પરિવારજનોને મતદાન કરવા અપીલ કરી. બાળકોના ચિત્રો દ્વારા “પહેલા મતદાન, પછી જલપાન”, “વોટ આપવો અમારો અધિકાર છે” અને “મજબૂત લોકશાહી માટે મતદાન જરૂરી છે” જેવા સંદેશ આપવામાં આવ્યા. એસોસિએશન દ્વારા અગાઉ પણ ગયા ચૂંટણી દરમિયાન આવું જ જાગૃતિ અભિયાન યોજાયું હતું, જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. તે સમયે પણ વહીવટી તંત્ર અને શહેરના આગેવાનો દ્વારા આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.
