શિક્ષણ અને ટેકનોલજી
રક્ષામંત્રાલયની ભાગીદારીમાં દક્ષિણ ગુજરાતની પ્રથમ ‘ગ્રીનફિલ્ડ કો-એડ’ સૈનિક સ્કૂલ જૂન 2026માં થશે શરૂ
સુરત, 16 માર્ચ, 2026 : પશ્ચિમ ભારતના શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા, સુરત પાસેના ઉભરાટ ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ ગ્રીનફિલ્ડ, સહ-શિક્ષણ (કો-એડ) નિવાસી સૈનિક સ્કૂલ આ જૂન મહિનાથી શરૂ થવા જઈ રહી છે. વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને દાનેશ્વરી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત, SRK સૈનિક સ્કૂલ ભારત સરકારની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) નીતિ હેઠળ રક્ષામંત્રાલય (MoD) ની સૈનિક સ્કૂલ સોસાયટી સાથે ઔપચારિક જોડાણ ધરાવે છે.
આ સંસ્થા ભારતના શ્રેષ્ઠ સૈન્ય-શૈલીના અનુશાસન અને વિશ્વસ્તરીય શૈક્ષણિક ધોરણોના સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. 21 એકરમાં ફેલાયેલા વિશાળ અને આધુનિક કેમ્પસમાં નિર્મિત આ શાળા પરંપરાગત શિક્ષણથી આગળ વધીને ‘CBSE પ્લસ’ અભ્યાસક્રમ પ્રદાન કરશે, જે નેતૃત્વ, ચારિત્ર્ય નિર્માણ અને વ્યવસાયિક કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકે છે.
સૈનિક સ્કૂલ મોડેલની પરંપરાગત શિસ્તતાની સાથે, SRK સૈનિક સ્કૂલ કેડેટ્સના વિકાસ માટે બહુપરિમાણીય અભિગમ અપનાવશે. SRK નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરતા શ્રેયાંસ ધોળકિયાએ શાળાની ભવિષ્યલક્ષી છતાં પાયાના શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “અમારું મિશન છે કે આધુનિક શિક્ષણશાસ્ત્ર અને ટેકનોલોજીનો વિજ્ઞાન અને ફિલસૂફીના શાશ્વત જ્ઞાન સાથે મેળાપ થાય. અમે માત્ર વિદ્યાર્થીઓને તાલીમ નથી આપી રહ્યા; અમે કેડેટ્સને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સક્ષમ બનાવવા માટે તૈયાર કરી રહ્યા છીએ. આ વિષયોના સમન્વય દ્વારા, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા સ્નાતકો કોઈપણ ક્ષમતામાં રાષ્ટ્રની સેવા કરવા માટે સજ્જ અને સંવેદનશીલ બને.”
શાળા જૂન 2026ના પ્રથમ સપ્તાહથી કાર્યરત થશે. ધોરણ 6 માટેની પ્રથમ બેચમાં 120 કેડેટ્સનો સમાવેશ થશે, જેમાં 100 છોકરાઓ અને 20 છોકરીઓ હશે. તેમની પસંદગી ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (AISSEE) દ્વારા કરવામાં આવી છે.
SRK નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ આ પ્રોજેક્ટ માટે પોતાનું વિઝન શેર કરતા કહ્યું કે, “દાયકાઓથી અમે વિશ્વના શ્રેષ્ઠ હીરાને પાસા પાડીને ચમકાવ્યા છે. હવે SRK સૈનિક સ્કૂલ દ્વારા, અમે દેશના ભાવિ નેતાઓને તૈયાર કરવા માટે સમર્પિત છીએ. અમારો ધ્યેય એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં કેડેટ્સ અનુશાસન અને શ્રેષ્ઠતાથી પ્રેરિત થઈ ‘રાષ્ટ્ર પ્રથમ’ (Nation First) ની માનસિકતા કેળવે.”
સ્થાપક આચાર્ય શ્રી હિતેશ જોશીએ જણાવ્યું હતું કે, “શાળા સંપૂર્ણપણે શાકાહારી કેમ્પસ માટે પ્રતિબદ્ધ છે, જ્યાં યુવા કેડેટ્સની પોષણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ આહાર આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યાધુનિક શૈક્ષણિક બ્લોક્સ, એથ્લેટિક સુવિધાઓ અને ઇતર પ્રવૃત્તિઓ માટેના ખાસ ઝોનનો સમાવેશ થાય છે.”
SRK સૈનિક સ્કૂલ હવે રાષ્ટ્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓના નેટવર્કનો ભાગ બની છે જેનો ઉદ્દેશ્ય યુવાનોને સશસ્ત્ર દળો અને નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર કરવાનો છે.
કાભા એવિએશન અકેડેમીએ પૂર્ણ કર્યો સફળતાનો 1 વર્ષ આ અવસર પર અકેડેમી ના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉજવણી નું આયોજન કર્યું
સુરત – શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા કાભા એવિએશન અકેડેમી એ સફળતાપૂર્વક પોતાના પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર અકેડેમી પરિવાર માં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે।
ગત એક વર્ષ દરમિયાન અકેડેમીએ અનેક વિદ્યાર્થીઓને કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાની ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર પ્રોફેશનલ સ્કિલ્સ જ નહીં પરંતુ આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ પણ કરવામાં આવ્યો છે।
સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદ કરવો અને તેમને સફળ કારકિર્દીની દિશામાં આગળ વધારવાનો છે।

આ સિદ્ધિ પર અકેડેમીના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને પ્લેસમેન્ટ તકો પૂરી પાડવાનો સંકલ્પ કર્યો છે।
કાભા એવિએશન અકેડેમી – સપનાઓને પાંખ આપતું વિશ્વસનીય નામ ✈️
સંપર્ક અને એડ્રેસ
કાભા એવિએશન અકેડેમી
202 સેકન્ડ ફલૂર ગ્રીન ઓર્ચિડ કોમ્પ્લેક્સ વેસુ સુરત
મોબાઈલ – 8780425842
સાર્વજનિક યુનિવર્સિટીમાં “સમત્વમ્” કાર્યક્રમનું આયોજન
સાર્વજનિક યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ દ્વારા મહિલા દિવસ નિમિત્તે તા. 10 માર્ચ 2026ના રોજ “સમત્વમ્ (સમાનતા • સન્માન • સશક્તિકરણ – સર્વસમાવેશક અને સશક્ત સમાજ તરફ એક પહેલ)” વિષય પર Gender Sensitization Programmeનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ લિંગ સમાનતા, સંવેદનશીલતા અને સર્વસમાવેશિતા અંગે જાગૃતિ લાવવાનો તથા વિધાર્થીઓ અને યુનિવર્સિટી સમુદાયને આ મુદ્દાઓ પર સાર્થક ચર્ચા માટે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં શ્રી આશિષ વકીલ, President, સાર્વજનિક યુનિવર્સિટી તથા ડૉ. કિરણ પંડ્યા. Provost, સાર્વજનિક યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મુખ્ય વક્તા તરીકે શ્રીમતી શ્રદ્ધા શાહ, Founder – Tapperz Dance School, તથા Advocate હિરલ પનવાલા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ મહેમાન વક્તાઓના પ્રેરણાદાયી સંબોધન રહ્યા હતા। શ્રીમતી શ્રદ્ધા શાહે તેમના અનુભવ દ્વારા અનુશાસન, અથાગ મહેનત અને આત્મઅભિવ્યક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને પડકારોને પાર કરી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। જ્યારે Advocate હિરલ પનવાલાએ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક અનુભવ દ્વારા આત્મવિશ્વાસ, જાગૃતિ અને સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત લોગો નિર્માણ, પોસ્ટર નિર્માણ, બુકમાર્ક નિર્માણ, વાદ-વિવાદ તથા મૂવી રિવ્યુ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિવિધ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ સંવાદ, પ્રેરણા અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ મંચ પુરવાર થયો હતો તથા સર્વસમાવેશક, સન્માનજનક અને સમાન સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે સમાજસેવાનો મહોત્સવ, 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 7500 રૂપિયાના ચેકનું વિતરણ, 1.25 લાખ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી સુરત. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે રવિવારે સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજસેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, કુમાર કાનાણી, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ફાઉન્ડેશનના પિયુષભાઈ દેસાઈ (નાણોટા)એ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે. કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે સમાજસેવાનો મહોત્સવ, 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 7500 રૂપિયાના ચેકનું વિતરણ, 1.25 લાખ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી સુરત. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે રવિવારે સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજસેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, કુમાર કાનાણી, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ફાઉન્ડેશનના પિયુષભાઈ દેસાઈ (નાણોટા)એ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે. કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
ડિજિટલ કુશળતામાં વૃદ્ધિ માટે સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા Google Workspace પર FDPનું આયોજન
Sarvajanik Centre for Training and Certificate Courses (SES) દ્વારા Sarvajanik University ના આદ્યક્ષેપ હેઠળ ૨ માર્ચથી ૧૦ માર્ચ, ૨૦૨૬ દરમિયાન Google Workspace વિષયક Faculty Development Programme (FDP) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ Dr. Kiran Pandya, માનનીય પ્રોવોસ્ટ,સાર્વજનિક યુનિવર્સિટીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ યોજાયો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના શિક્ષક તથા બિન-શિક્ષક કર્મચારીઓની ડિજિટલ ક્ષમતાઓમાં વધારો કરવાનો તેમજ શૈક્ષણિક, વહીવટી અને સહયોગાત્મક કાર્યોમાં ક્લાઉડ આધારિત સાધનોના અસરકારક ઉપયોગ વિશે તેમને પરિચિત કરવાનો હતો.
આ FDPમાં સંસાધન વ્યાખ્યાતા તરીકે CA Keyur Doshi એ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ ઇન્ટરએક્ટિવ અને પ્રાયોગિક સત્રો દ્વારા Google Workspaceના વિવિધ સાધનો જેમ કે Google Docs, Google Sheets, Google Forms, Google Drive અને Google Meet અંગે હેન્ડ્સ-ઓન તાલીમ આપી. સત્રોમાં દસ્તાવેજીકરણ, માહિતી સંચાલન, સહકાર અને સંચારમાં આ સાધનોના અસરકારક ઉપયોગ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. ઉપરાંત, ભાગ લેનારાઓને દૈનિક શૈક્ષણિક અને વહીવટી કાર્યોને વધુ સરળ અને અસરકારક બનાવવા માટેની પ્રાયોગિક રીતો વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીના ઘટક સંસ્થાઓના શિક્ષકવર્ગ અને વહીવટી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સત્રો ખૂબ જ રસપ્રદ અને પ્રાયોગિક સ્વરૂપના હતા, જેના કારણે ભાગ લેનારાઓએ સંસ્થાકીય કાર્યપ્રણાલી સાથે સંબંધિત પરિસ્થિતિઓમાં આ સાધનોનો સીધો ઉપયોગ કરવાની તક મેળવી.
કાર્યક્રમનો સફળ સમાપન ભાગ લેનારાઓના સકારાત્મક પ્રતિસાદ સાથે થયો. ભાગ લેનારાઓએ જણાવ્યું કે આ તાલીમથી ઉચ્ચ શિક્ષણ અને સંસ્થાકીય વહીવટમાં ડિજિટલ સહયોગી સાધનોના ઉપયોગ અંગે તેમની સમજણ અને પ્રાયોગિક કુશળતા નોંધપાત્ર રીતે વધેલી છે.
સુરતમાં IDT વિદ્યાર્થીઓનું અનોખું કમાલ: “Future is Now” થીમ પર બનાવ્યું ફ્યુચરિસ્ટિક ટ્રી બન્યું આકર્ષણનું કેન્દ્ર 22 ફેબ્રુઆરીએ લિપ્પન આર્ટ અને 28 ફેબ્રુઆરીએ બાંધણી વર્કશોપનું આયોજન
સુરત: IDT – Institute of Design and Technology ના વિદ્યાર્થીઓએ Dumas Art Festival અંતર્ગત “Future is Now” થીમ પર એક અનોખું અને વિચારપ્રેરક સ્કલ્પ્ચર તૈયાર કર્યું છે, જે વર્તમાન સમયમાં પ્રકૃતિ અને ટેક્નોલોજી વચ્ચેના ગાઢ સંબંધને દર્શાવે છે. આ વિશેષ કલાત્મક કૃતિ હાલ VR Surat ખાતે 28 ફેબ્રુઆરી સુધી પ્રદર્શિત કરવામાં આવી છે અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે।
લગભગ 10 વિદ્યાર્થીઓની ટીમ દ્વારા એક મહિનાની મહેનત બાદ તૈયાર કરવામાં આવેલું આ ફ્યુચરિસ્ટિક ટ્રી એ વિચાર રજૂ કરે છે કે Nature and Technology એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. આ સ્કલ્પ્ચર દર્શાવે છે કે ટેક્નોલોજી હવે જીવનથી અલગ નથી, પરંતુ આપણા ઇકોસિસ્ટમનો અભિન્ન ભાગ બની ગઈ છે।
“Future is Now” ની કલ્પનાના આધારે બનાવવામાં આવેલું આ ટ્રી પ્રકૃતિ અને આધુનિક નવાચારના સમન્વયનું પ્રતિક છે. તેની રચના અને ડિઝાઇન એ વાતને ઉજાગર કરે છે કે આવનારું ભવિષ્ય માત્ર કલ્પના નથી, પરંતુ આજની હકીકત છે — જ્યાં ટેક્નોલોજી આપણા પર્યાવરણ, જીવનશૈલી અને વિચારધારાનો મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે।
આ પ્રોજેક્ટને સંસ્થાના ફેકલ્ટી સમીર દવે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નવી વિચારધારા, નવાચાર અને સમકાલીન વિષયો ને કળા દ્વારા વ્યક્ત કરવાની ક્ષમતા વિકસાવવાનો છે।
મુલાકાતીઓએ આ અનોખી કૃતિની ખૂબ પ્રશંસા કરી છે અને તેને પ્રભાવશાળી વિઝ્યુઅલ અનુભવ તરીકે ગણાવ્યો છે. 28 ફેબ્રુઆરી સુધી VR Surat ખાતે પ્રદર્શિત આ સ્કલ્પ્ચર શહેરવાસીઓને ભવિષ્ય, પ્રકૃતિ અને ટેક્નોલોજીને નવા દ્રષ્ટિકોણથી જોડે છે।
આ સાથે જ IDT Surat દ્વારા Dumas Art Festival અંતર્ગત કલા અને પરંપરાગત હસ્તકલા પ્રોત્સાહન માટે વિશેષ વર્કશોપ્સનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 22 ફેબ્રુઆરીએ Lippan Art Workshop સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં ભાગલેનારોએ કચ્છની પરંપરાગત મિરર વર્ક આર્ટ શીખી. તેમજ 28 ફેબ્રુઆરીએ Bandhej (બાંધણી) Workshopનું આયોજન કરવામાં આવશે, જેમાં ભાગલેનારોએ પરંપરાગત ટાઈ-એન્ડ-ડાઈ ટેકનિકનો અનુભવ મેળવશે।
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સન્માન સમારોહ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રીજનલ ઓફિસ સુરતની ટીમે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT), સુરતની મુલાકાત લીધી.
આ પ્રસંગે રીજનલ હેડ શ્રી મનીષ વર્માના નેતૃત્વ હેઠળ બેંકની ટીમે સંસ્થાની લગભગ 50 મહિલા પ્રોફેસર્સને શિક્ષણ, સંશોધન અને સમાજના વિકાસમાં આપેલા મહત્વપૂર્ણ યોગદાન બદલ સન્માનિત કર્યા.

કાર્યક્રમ દરમિયાન બેંક દ્વારા મહિલાઓ માટે ઉપલબ્ધ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની વિશેષ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી, જેથી વધુમાં વધુ મહિલાઓ બેંકિંગ સેવાઓ અને આર્થિક સશક્તિકરણનો લાભ મેળવી શકે.
તે ઉપરાંત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, રીજનલ ઓફિસ સુરત દ્વારા રીજનલ ઓફિસમાં કાર્યરત તમામ મહિલા કર્મચારીઓને આમંત્રિત કરી તેમના સમર્પણ અને ઉત્તમ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમની અધ્યક્ષતા રીજનલ હેડ શ્રી મનીષ વર્માએ કરી હતી.
કાર્યક્રમના અંતે હાજર રહેલા તમામ પ્રોફેસર્સ, કર્મચારીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
સુરતમાંથી યુપીએસસીમાં સફળતા : ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી
પ્રેસ કોન્ફરન્સમાં સફળ વિદ્યાર્થીઓએ તૈયારી અને અનુભવો કર્યા શેર
સુરત : સુરતમાં યુપીએસીની તૈયારી કરાવતી કોચિંગ સંસ્થા ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ સંઘ લોક સેવા આયોગ (UPSC)ની પરીક્ષામાં સફળતા મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. આ ઉપલબ્ધિ નિમિત્તે સંસ્થા દ્વારા શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફળ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાનો મીડિયાથી પરિચય કરાવવામાં આવ્યો હતો।
સંસ્થાના સંચાલક કૌશલ બૂબનાએ જણાવ્યું કે તેમની કોચિંગ છેલ્લા છ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અહીં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી સતત સુરતમાંથી વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી રહ્યા છે અને આ વર્ષે પણ બે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી મહત્વપૂર્ણ રેન્ક પ્રાપ્ત કરી છે।
કૌશલ બૂબનાના જણાવ્યા અનુસાર સફળ વિદ્યાર્થીઓમાં ડૉ. કિશન રામે ઓલ ઇન્ડિયા 474મી રેન્ક મેળવી છે. તેમણે બીજે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ફિઝિયોલોજીમાં એમડીની ડિગ્રી મેળવી છે. આ તેમનો યુપીએસસીનો પાંચમો પ્રયાસ હતો અને પહેલો ઇન્ટરવ્યુ હતો. રેન્કના આધારે તેમને આઇપીએસ સેવા મળવાની સંભાવના છે.
બીજા સફળ વિદ્યાર્થી તન્મય મૂળ પટના (બિહાર)ના રહેવાસી છે. તેમણે આઈઆઇટી ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. આ તેમનો છઠ્ઠો પ્રયાસ હતો અને તેમણે 229મી રેન્ક મેળવી છે. તેમને પણ આઇપીએસ સેવા મળવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।
કૌશલ બૂબનાએ જણાવ્યું કે સુરત શહેર માટે આ મોટી સિદ્ધિ છે, કારણ કે અગાઉ યુપીએસસી અને સુરતનો સંબંધ ખૂબ ઓછો જોવા મળતો હતો. એક શિક્ષક તરીકે જ્યારે તેમના વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે ત્યારે તે તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે।
સફળ વિદ્યાર્થીઓએ પોતાની તૈયારી, સંઘર્ષ અને અનુભવ અંગે પણ માહિતી આપી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પોતાની મહેનત, માતા-પિતાનું સમર્થન અને કોચિંગમાં માર્ગદર્શન આપનાર શિક્ષકોના સહકાર વિના આ સફળતા શક્ય નહોતી.
સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ ભવ્ય રીતે યોજાયો
સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા સુરત : સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ નું રવિવારના રોજ સરદાર સ્મૃતિ ભવન ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત વિશેષ હાજરી સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી, જે જ્ઞાન, ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે. વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર સંજયભાઈ બલદાનિયાએ મુખ્ય અતિથિનું પુષ્પગુચ્છ ભેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
