
સુરત : આજ રોજ શિક્ષક દિન ની ઉજવણી ની સાથે સાથે લીઓ ગ્રુપ ની સનરેઝ અને લીઓ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે ૧૦ મીટર એર રાઇફલ શૂટિંગ રેન્જ નું ઉદ્ઘાટન એડિશનલ સીપી ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર પોલીસ ડીઆઇજી ડો. કરણ રાજ વાઘેલા IPS દ્વારા NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓ ની હાજરી કરવામાં આવ્યું હતું.
આજ શિક્ષક દિન ની ઉજવણી પ્રસંગે લીઓ ના બે ભૂતપૂર્વ વિધાર્થીઓ કુમારી હિલ્પા સિંઘા પોલીસ ઇન્સ્પેક્ટર ક્રાઈમ બ્રાન્ચ સુરત અને કિરણસિંહ બારીયા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઈકો સેલ સુરત શહેર નું પણ સન્માન પત્ર સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓ ની હાજરી માં લીઓ ગ્રુપ ના બંને ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા પોલીસ ઇન્સ્પેક્ટર નું અભિવાદન કરતા સંચાલક શ્રી જયસુખ કથીરિયા એ જણાવ્યું હતું કે આ બંને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નું સન્માન એમનાજ ઉપરી અધિકારી DIG કરણરાજ વાઘેલા સાહેબ ના હસ્તે થાય એ લીઓ ગ્રુપ માટે ગૌરવ ની બાબત છે .

સન્માન પત્ર અર્પણ થાય બાદ પી આઈ કિરણસિંહ બારીયા એ ભૂતપૂર્વ વિદ્યાર્થી ને યાદ કરી સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ડીઆઇજી કરણ રાજ વાઘેલા એ પોતાના પ્રાસંગિક પ્રવચન થી બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે જીવન માં સફળ થવા અને તંદુરસ્ત રહેવા સ્પોર્ટ્સ નું ખૂબ મહત્વ છે અને રાઇફલ શૂટિંગ રેન્જ માં પ્રેક્ટિસ કરવાથી એકાગ્રતા માં વધારો થવાની સાથે સાથે માનસિક તણાવ પણ ઓછો થાય છે.

તેમણે ઝેન જી તરીકે સોશિયલ મીડિયા નો વિવેક પૂર્ણ ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા માં આવતું બધું જ સત્ય હોતું નથી. ક્યારેક તમારા જેવા બાળકો ને ગેરમાર્ગે દોરી જાય છે.
તેમણે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી અને વર્તમાન પરિસ્થિતિ વિદ્યાર્થી તરીકે તમારું ધ્યાન માત્ર અને માત્ર કારકિર્દી લક્ષી હોવું જોઈએ તે સમજાવ્યું હતું.