શિક્ષણ અને ટેકનોલજી

GSEB ધોરણ 10 અને 12 ના ઉત્કૃષ્ટ પરિણામ – શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ

 

અમે આનંદ સાથે જણાવીએ છીએ કે શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ (GSEB શાળા) ના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે.

અમારા વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કઠિન મહેનત, શિસ્ત અને સમર્પણ સાથે અભ્યાસ કરીને ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. A1 અને A2 ગ્રેડ મુજબનું વિગતવાર પરિણામ નીચે મુજબ છે:

*ધોરણ 10મું:*

* A1: 48 વિદ્યાર્થીઓ
* A2: 117 વિદ્યાર્થીઓ

*ધોરણ 12મું:*

* A1: 25 વિદ્યાર્થીઓ
* A2: 95 વિદ્યાર્થીઓ

*કુલ:*

* A1: 73 વિદ્યાર્થીઓ
* A2: 212 વિદ્યાર્થીઓ

કુલ મળીને શાળાના A1 – 73 વિદ્યાર્થીઓ અને A2 – 212 વિદ્યાર્થીઓએ ઉત્તમ શ્રેણીમાં સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

આ સફળતા અમારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંચાલનના સંયુક્ત પ્રયત્નોનું પરિણામ છે. વિદ્યાર્થીઓએ સતત મહેનત કરીને તેમના માતા-પિતા અને શિક્ષકોને ગૌરવ અપાવ્યું છે. અમે અમારા માનનીય ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ પટેલના હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, જેમણે સતત પ્રેરણા, માર્ગદર્શન અને મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સફળતા તરફ દોરી ગયા છે.

તેમની પ્રેરણાદાયી વાતો, ગોલ સેટિંગ પ્રવૃત્તિઓ અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓમાં એકાગ્રતા અને હેતુતા વિકસિત થઈ છે. આ સાથે જ અમે પ્રિન્સિપાલશ્રીના સતત સહકાર અને માર્ગદર્શન માટે પણ આભારી છીએ, જેમના નેતૃત્વ હેઠળ શાળાએ શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતા જાળવી રાખી છે.

આપને વિનંતી છે કે આ સિદ્ધિને આપના પ્રતિષ્ઠિત સમાચારપત્રમાં પ્રકાશિત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપશો અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પૂરી પાડશો.

Mount Litera Zee School Surat ના ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓએ તા. 1 મે 2026 ના રોજ અદાણી પોર્ટ, હજીરા ખાતે શૈક્ષણિક મુલાકાત લીધી હતી।

 

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ પોર્ટ ઓપરેશન્સ, લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક માળખાની વ્યવહારિક સમજ મેળવી। તેમણે કાર્ગો હેન્ડલિંગ, મોટા જહાજોની કામગીરી અને આધુનિક ટેક્નોલોજીનો નજીકથી અનુભવ કર્યો, જે તેમની શૈક્ષણિક સમજણને વધુ મજબૂત બનાવે છે।

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, સુરત (ડાંડી રોડ) માં અમે અનુભવાત્મક શિક્ષણ, શૈક્ષણિક ઉત્તમતા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ। આધુનિક સુવિધાઓ, અનુભવી શિક્ષકો અને સુરક્ષિત વાતાવરણ અમારી ખાસિયત છે।

📍 માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, સુરત (ડાંડી રોડ)

પારૂલ યુનિ ના 234 વિદ્યાર્થીઓને ટીસીએસે આકર્ષક સેલેરી પેકેજ સાથે જોબ ઓફર કરી

 

વડોદરા (ગુજરાત) [ભારત], 24 એપ્રિલ: વિશ્વની ટોચની આઇટી કંપનીઓમાં સ્થાન ધરાવતી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસે કેમ્પસ રિક્રુટમેન્ટમાં પારૂલ યુનિવર્સિટીની વર્ષ 2026 બેચના 234 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે. આ નોંધપાત્ર સીમાચિહ્ન ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મૂજબના ગ્રેજ્યુએટ્સ તૈયાર કરવાની તથા તેમને પ્રતિષ્ઠિત કંપનીઓમાં રોજગારની તકો પ્રદાન કરવાની યુનિ.ની ક્ષમતા દર્શાવે છે.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસમાં વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓનું સફળ પ્લેસમેન્ટ શૈક્ષણિક કાર્યક્રમો અને ઇન્ડસ્ટ્રી અપેક્ષાઓ વચ્ચે યોગ્ય તાલમેલ, વિદ્યાર્થીઓની ટેક્નિકલ કુશળતાઓ અને પ્રોબ્લેમ-સોલ્વિંગ ક્ષમતાઓ તથા કોર્પોરેટ માહોલને અનુરૂપ કૌશલ્ય વિકસિત કરવાની તેમની ક્ષમતાઓ દર્શાવે છે. આ કેમ્પસ રિક્રુટમેન્ટમાં એમસીએ અને એમએસસી આઇટી, બીટેક સીએસઇ અને એઆઇ, એઆઇ એન્ડ બિગ ડેટા એનાલિટિક્સ એન્ડ બ્લોક ચેઇન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને બીટેક કમ્પ્યુટર એન્જિનિયરીંગ અને એમસીએ સાયબર સિક્યુરિટી, ફોરેન્સિક સહિતના ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને રૂ. 3.6 લાખથી રૂ. 9 લાખ સુધીના વાર્ષિક પેકેજીસ ઓફર થયાં છે.  બીટેક સીએસઇના વિદ્યાર્થી અભિષેક ગુપ્તા, કોય્યા સાઇ શ્રીવાસ્તવ અને શૈલેન્દ્ર સોનીએ સૌથી વધુ વાર્ષિક રૂ. 9 લાખના પેકેજ મેળવ્યાં છે.

યુનિ.ના વિદ્યાર્થીઓની પ્રતિભામાં વિશ્વાસ મૂકતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 108 વિદ્યાર્થીઓને જોબ ઓફર કરી છે. આ સાથે પારૂલ યુનિ.ની વર્ષ 2026 બેચના 3500થી વધુ વિદ્યાર્થીઓનું અલગ-અલગ કંપનીઓમાં પ્લેસમેન્ટ થયું છે, જેમાં કેપજેમિનીએ 157 વિદ્યાર્થીઓને માસ પ્લેસમેન્ટ ઓફર કર્યાં છે. આ ઉપરાંત માઇક્રોસોફ્ટ, કોગ્નિઝન્ટ, એલટીઆઇ માન્ડટ્રી, હેક્સાવેર સહિતની આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પણ વિદ્યાર્થીઓને આકર્ષક સેલેરી પેકેજીસ ઓફર કર્યાં છે.

બીજી તરફ યુનિ.ના 23 વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત મલ્ટીનેશનલ કંપનીઓએ જોબ ઓફર કરી છે, જેમાંથી 4 વિદ્યાર્થીઓને લિંક્ડઇન દ્વારા પ્રોફેશનલ કોચિંગ અને મેન્ટરશીપ ઓફર કરાયું છે. આ કૌશલ્ય વર્ધન, કારકિર્દી માટે સજ્જતા અને પ્રોફેશનલ નેટવર્ક વિકસિત કરવામાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવાના યુનિ.ના પ્રયાસો સૂચવે છે.

ક્વોલિટી એજ્યુકેશન, એક્સેસ, ટ્રેનિંગ ઇકોસિસ્ટમ અને કોર્પોરેટ્સ સાથે જોડાણ સહિતની પહેલોના પરિણામરૂપે પારૂલ યુનિ.ના વિદ્યાર્થીઓ ઉભરતા ઉદ્યોગો અને ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓમાં પસંદગી પામ્યાં છે.

પારૂલ યુનિ.ના પ્રેસિડેન્ટ ડો. દેવાંશુ પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, આ સિદ્ધિ માત્ર નંબર જ નહીં, પરંતુ તે 234 વિદ્યાર્થીઓના સપનાને સાકાર થતાં દર્શાવે છે. ટીસીએસમાં પસંદગી પામનાર પ્રત્યે વિદ્યાર્થી વર્ષોની સખત મહેનત અને માર્ગદર્શનનું પરિણામ છે. વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન તકો ઉપલબ્ધ કરાવવાની સાથે-સાથે તેમને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવા જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવામાં અમે ગર્વ કરીએ છીએ.

આ પ્લેસમેન્ટ ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મૂજબ અભ્યાસક્રમ તૈયાર કરવા અને વિદ્યાર્થીઓને સજ્જ કરવાના યુનિ.ના પ્રયાસોનો મજબૂત પુરાવો છે.

For more information, please visit: https://www.paruluniversity.ac.in/

જ્ઞાનમંજરી વિદ્યાપીઠે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ની માર્ચ–૨૦૨૬ની બોર્ડ પરીક્ષામાં ગુજરાતી માધ્યમમાં 100% અને અંગ્રેજી માધ્યમમાં 95% પરિણામ મેળવી એક નવો કીર્તિમાન રચ્યો છે.

 

ડીંડોલી સ્થિત જ્ઞાનમંજરી વિદ્યાપીઠે ફરી એક વખત પોતાની શૈક્ષણિક ઉત્તમતા સાબિત કરતાં શૈક્ષણિક વર્ષ 2025–26 દરમિયાન ગુજારાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. આ ભવ્ય સફળતા શાળાની ગુણવત્તાસભર શિક્ષણ પ્રણાલી, વિદ્યાર્થીઓની અવિરત મહેનત અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

શાળાએ પોતાની શ્રેષ્ઠ પરંપરા જાળવી રાખતાં આ વર્ષે પણ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. પરીક્ષામાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના ઉત્તીર્ણ થવાથી શાળાની મજબૂત શૈક્ષણિક વ્યવસ્થા અને વ્યક્તિગત માર્ગદર્શન પ્રણાલીનો સ્પષ્ટ પુરાવો મળે છે. આ સિદ્ધિ વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓના સહકાર અને શિક્ષકોના સમર્પણનું ઉત્તમ ઉદાહરણ છે.

ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓમાં સક્ષમ સિંહે ૯૨% ગુણ મેળવી શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ આદિત્ય ગુપ્તાએ ૯૧.૫૭% અને નિધિ પ્રજાપતિએ ૯૧.૧૪% ગુણ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત આશરે ૧૫ જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને પોતાના શિસ્તબદ્ધ અભ્યાસ, પરિશ્રમ અને સતત પ્રયાસોથી સફળતાની નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

આ વર્ષની વિશેષ સિદ્ધિ તરીકે સક્ષમ સિંહે સ્ટેટિસ્ટિક્સ વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી અનોખું પ્રદર્શન કર્યું છે, જે તેમના વિષય પ્રત્યેના ઊંડા જ્ઞાન અને પ્રતિભાનું પ્રતિબિંબ છે.

જ્ઞાનમંજરી વિદ્યાપીઠના આ શ્રેષ્ઠ પરિણામ માટે શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકવૃંદને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.

 

વિશ્વના સૌથી ભવ્ય ફેશન શો નું આયોજન, રેડ એન્ડ વ્હાઇટ સ્કીલ એજ્યુકેશન દ્વારા સુરતમાં આયોજિત ફેશન શોમાં વિદ્યાર્થીઓએ દાખવી પ્રતિભા

 

સુરત: શહેરે શનિવારની સાંજે ફેશન, સર્જનાત્મકતા અને યુવા પ્રતિભાનો અદભૂત મેળાપ નિહાળ્યો. રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા આયોજિત ‘ફેશન શો ૨૦૨૬’એ ભવ્યતા, નવીનતા અને પ્રતિભાના પ્રદર્શનના નવા માપદંડો સ્થાપિત કર્યા. આ ભવ્ય આયોજન માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના સૌથી મોટા ફેશન શોમાં સ્થાન પામ્યું છે.

શહેરના રામાયણ ફાર્મ ખાતે યોજાયેલા આ વિશાળ કાર્યક્રમમાં ૬,૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, ફેશન ડિઝાઇનર્સ, ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ તેમજ પ્રોફેશનલ મોડેલ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિશાળ જનમેદનીની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો.

રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમથી માન્યતા પ્રાપ્ત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના સ્થાપકો હિતેશ દેસાઈ અને હસમુખ રફાળિયાના નેતૃત્વ હેઠળ આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરનું મંચ ઉપલબ્ધ કરાવવાનો હતો, જેમાં તેઓ પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને કૌશલ્યને પ્રદર્શિત કરી શકે.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલા આકર્ષક, અનોખા અને નવીન પરિધાનોનું ભવ્ય પ્રદર્શન રહ્યું. રેમ્પ પર પ્રોફેશનલ મોડેલ્સે વિદ્યાર્થીઓની કલ્પનાશક્તિ, મહેનત અને સર્જનાત્મકતા સાથે તૈયાર કરાયેલા પરિધાનોને શાનદાર અંદાજમાં રજૂ કર્યા. દરેક રજૂઆતે ઉપસ્થિત દર્શકોની દિલથી પ્રશંસા મેળવી અને તાળીઓના ગડગડાટ વચ્ચે મોડેલ્સ તથા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન થયું.

આ પ્રસંગે સેલિબ્રિટી મહેમાનો તરીકે ભરતસિંહ વાલિયા, ટીના રાંકા અને મોહિત રાજપૂત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ઉમેર્યું અને યુવા ડિઝાઇનર્સને પ્રેરણા પૂરી પાડી. તે ઉપરાંત પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર્સ મનીષ રેશમવાલા, સંગીતા ચોક્સી, નીરજ વૈદ્ય અને પ્રાચી પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા. પરંપરાગત સૌંદર્ય, આધુનિક શૈલી અને સર્જનાત્મકતાનો અનોખો સમન્વય આ ફેશન શોની વિશેષ ઓળખ બની રહ્યો હતો.
આ આયોજન એ માત્ર વિદ્યાર્થીઓની પ્રતિભાને નવી ઉડાન આપી નથી, પરંતુ સુરતને ફેશન અને ડિઝાઇનિંગના ઉદ્ભવતા કેન્દ્ર તરીકે નવી ઓળખ પણ અપાવી છે. ‘ફેશન શો ૨૦૨૬’એ સાબિત કરી દીધું કે જ્યારે શિક્ષણ, કૌશલ્ય અને સર્જનાત્મકતા એક જ મંચ પર એકત્ર થાય છે, ત્યારે પરિણામ અસાધારણ હોય છે.

યુવા પ્રતિભાઓ માટે આ કાર્યક્રમ પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને લાંબા સમય સુધી તેમની યાદોમાં જીવંત રહેશે. સુરતના ફેશન જગતમાં આ આયોજન એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થયું છે.

એડમિશન્સ ફેર – 2026 હવે સુરતમાં : 10 અને 11 મે, 2026 ના રોજ યોજાશે એડમિશન્સ ફેર

 

સુરત, 2026 : અફેર્સ, એક અગ્રણી વૈશ્વિક એજ્યુકેશન ફેરના આયોજક દ્વારા મહેશ્વરી ભવન, સિટી લાઈટ રોડ, સુરત ખાતે 10 અને 11 મે, 2026 ના રોજ તેના ખૂબ જ પ્રખ્યાત એડમિશન્સ ફેરની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.આ ઈવેન્ટ અભ્યાસના વિકલ્પોની શોધખોળ કરવા અને શ્રેષ્ઠ ભારતીય યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે જોડાવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક પ્રકારના અનુભવનું વચન આપે છે.

સુરતના વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક! એડમિશન ફેરના માધ્યમથી હવે તમે એક જ સ્થળે ભારતની 30થી વધુ ટોચની યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓને મળી શકશો. આ મેળામાં વિદ્યાર્થીઓને 200થી વધુ અંડરગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટગ્રેજ્યુએટ (PG) કોર્સના વિકલ્પો મળશે, જેમાં ઓન-ધ-સ્પોટ એપ્લિકેશન, સ્કોલરશિપની માહિતી અને એડમિશન ટીમો સાથે સીધો સંવાદ કરવાની તક મળશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ કેમ્પસ લાઈફ, ફી સ્ટ્રક્ચર, ફેકલ્ટી વિગતો તેમજ પ્લેસમેન્ટ અને ઇન્ટર્નશિપ વિશે પણ ઊંડાણપૂર્વક જાણી શકશે, જે તેમને યોગ્ય કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ થશે.

ધોરણ 12માં ની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિધાર્થી ને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ 12 પછી શું કરવું? તો આ ફેર દ્વારા તમારી આ મુઝવણ દુર થશે. આ ફેર અંતર્ગત ધોરણ 12 સાયન્સ પછી શું કરવુ? ધોરણ 12 કોમર્સ પછી શું કરવું? અને ધોરણ 12 આર્ટ્સ પછી શું કરવું? ની સંપુર્ણ માહિતી તમારી સાથે શેર કરવામાં આવશે જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરી તેમાં તમારુ ભવિષ્ય બનાવી શકો છો.. અફેર્સે એક પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પગલું ભર્યું જે વિદ્યાર્થીઓને ભારતભરની 30 થી વધુ યુનિવર્સિટીઓ અને કોલેજોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરવા અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સક્ષમ બનાવે છે. તમને નવીનતમ વિશે સમજ મેળવવાની મંજૂરી આપે છે.

ઇવેન્ટમાં ભાગ લેનારી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં સુરતમાં ભાગ લઈ રહેલી યુનિવર્સિટીઓમાં મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન (MAHE), એમિટી ગ્લોબલ બિઝનેસ સ્કૂલ અમદાવાદ, SRM યુનિવર્સિટી – ચેન્નાઈ, રામાપુરમ અને તિરુચિરાપલ્લી કેમ્પસ, એમિટી યુનિવર્સિટી મુંબઈ, સિમ્બાયોસિસ સ્કિલ્સ એન્ડ પ્રોફેશનલ યુનિવર્સિટી – પુણે, પારુલ યુનિવર્સિટી – વડોદરા અને ગોવા, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) – ગાંધીનગર, GLS યુનિવર્સિટી – અમદાવાદ, મહિન્દ્રા યુનિવર્સિટી – હૈદરાબાદ, JG યુનિવર્સિટી – અમદાવાદ, મણિપાલ યુનિવર્સિટી જયપુર, યુનિવર્સિટી ઓફ વૂલનગોન્ગ – ઓસ્ટ્રેલિયા – ઈન્ડિયા, એપોલો નોલેજ ઈન્સ્ટિટ્યુશન્સ, કર્ણાવતી યુનિવર્સિટી – ગાંધીનગર, એલાયન્સ યુનિવર્સિટી – બેંગલુરુ, ઇન્ડસ યુનિવર્સિટી – અમદાવાદ, વેસ્ટર્ન ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ – અમદાવાદ, રામૈયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ મેનેજમેન્ટ – બેંગલુરુ, MIT વર્લ્ડ પીસ યુનિવર્સિટી – પુણે અને ગોવા, MIT વિશ્વપ્રયાગ યુનિવર્સિટી – સોલાપુર, નવરચના યુનિવર્સિટી – વડોદરા, ICFAI યુનિવર્સિટી, વિદ્યાદીપ યુનિવર્સિટી – સુરત, ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (CHARUSAT) – ચાંગા, પી. પી. સવાણી યુનિવર્સિટી – સુરત, અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) વગેરેનો સમાવેશ થાય છે.

આ વિષે જણાવતા, શ્રી વિવેક શુક્લા – ડિરેક્ટર અને સીઈઓ, અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. એ જણાવ્યું હતું કે, “અમે વિદ્યાર્થીઓને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવામાં જે પડકારોનો સામનો કરવો પડે છે તે સમજીએ છીએ, અને તેથી અમે હંમેશા તેમને જરૂરી માહિતી અને માર્ગદર્શન પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

આ પ્રવેશ મેળો ભારતમાં ઉચ્ચ શિક્ષણના ભાવિને પ્રદર્શિત કરશે અને વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, આઈટી, મેડિસિન વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસક્રમો શોધવાની તક પૂરી પાડશે. ઉપરાંત તેઓ યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કરી શકે છે, તેમની શંકાઓને દૂર કરી શકે છે અને પ્રવેશ પ્રક્રિયા અને અભ્યાસક્રમો વિશે મૂલ્યવાન માહિતી એકઠી કરી શકે છે.

“અમે સુરતમાં આ સૌથી લોકપ્રિય એડમિશન ફેર લાવવા માટે અત્યંત ઉત્સાહિત છીએ.આ ઇવેન્ટ વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો શોધવા, પ્રવેશ પ્રક્રિયાને સમજવા અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવા માટે જરૂરી પ્લેટફોર્મ પૂરું પાડશે,” એડમિશન ફેરના આયોજક એ જણાવ્યું હતું.
અફેર્સ 25 વર્ષથી વધુ સમયથી એડમિશન ફેરનું આયોજન કરે છે, અનુભવી શૈક્ષણિક સલાહકારોની ટીમો વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉચ્ચ શિક્ષણ વિશે માહિતગાર નિર્ણય લેવામાં મદદ કરે છે. સુરતમાં આ એડમિશન ફેર એ ઘણા મેળાઓ પૈકીનો એક છે જે અફેર સમગ્ર ભારતમાં આયોજિત કરે છે, વિદ્યાર્થીઓને અભ્યાસના વિકલ્પો શોધવાની અને તેમના ભવિષ્ય વિશે માહિતગાર નિર્ણય લેવાની તક પૂરી પાડે છે.

આ એડમિશન્સ ફેર સંપૂર્ણપણે ફ્રી છે અને ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવામાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુલ્લો છે.પ્રોગ્રામમાં સ્થાન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓને વહેલા રજીસ્ટ્રેશન કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ઉચ્ચ શિક્ષણમાં નવીનતમ વલણો શોધવા અને ભારતમાં અભ્યાસના વિકલ્પોનું અન્વેષણ કરવાની આ અદ્ભુત તક ગુમાવશો નહીં. એડમિશન ફેર વિશે વધુ વિગતો માટે, કૃપા કરીને અફેર્સની વેબસાઇટ https://admissionsfair.in/surat/ ની મુલાકાત લો.

બંધનો પર વિજય: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની RSM એક્સપરિમેન્ટલ સ્કૂલ દ્વારા ચાર્મી દેસાઈની મુખ્ય પ્રવાહની વિજ્ઞાન શિક્ષણમાં ઐતિહાસિક સફળતા

 

બધા દિવ્યાંગ વ્યક્તિઓ સમાજના મુખ્ય પ્રવાહનો ભાગ બનવા ઇચ્છે છે—અને ચાર્મી દેસાઈ એ દૃઢ નિશ્ચયનું પ્રેરણાદાયક ઉદાહરણ છે।

સુરત: દૃષ્ટિબાધિત હોવા છતાં અને ધોરણ 10 સુધી અંધશાળામાં અભ્યાસ કર્યા પછી, ચાર્મી પોતાના ધ્યેય અંગે સંપૂર્ણપણે સ્પષ્ટ હતી—તેણે સામાન્ય શાળામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવો હતો। પરંતુ તેને એક મોટો અવરોધ આવ્યો। તેની શાળામાં વિજ્ઞાન પ્રવાહ ઉપલબ્ધ નહોતો અને મુખ્ય પ્રવાહની શાળાઓમાં દૃષ્ટિબાધિત વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષાની કોઈ વ્યવસ્થા નહોતી, જેના કારણે તેનું સ્વપ્ન અધૂરું રહેતું લાગતું હતું।

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની RSM એક્સપરિમેન્ટલ સ્કૂલમાં અમે શરૂઆતમાં સંકોચ અનુભવ્યો હતો। પરંતુ તેની લગન અને દૃઢતા ઓળખીને, અમે આ પડકાર સ્વીકારવાનો નિર્ણય કર્યો। આ મુદ્દો ગુજરાત શિક્ષણ બોર્ડ સુધી પહોંચાડવામાં આવ્યો અને તેમના સહકારથી તેને પ્રવેશ માટે વિશેષ મંજૂરી આપવામાં આવી।

આ માત્ર ચાર્મી માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક ક્ષણ બની, જેમાં અગાઉ બંધ રહેલા દ્વારો હવે ખુલ્યા।

આજે, આ હિંમતનું ફળ મળ્યું છે।

પરિણામ જાહેર થયા છે અને ચાર્મીએ ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે—સામાન્ય શૈક્ષણિક વાતાવરણમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરીને તેણીએ પોતાની કક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે।

તેણીનું આ સિદ્ધિ માત્ર શૈક્ષણિક સફળતા નથી—પરંતુ સમાવેશ, અથાગ પ્રયત્ન અને બંધનો તોડવાનો શક્તિશાળી સંદેશ છે।

ચાર્મી અને અંધજન મંડળને સતત સહકાર બદલ હાર્દિક અભિનંદન!

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ શેપિંગ માઈન્ડ્સ , ટચિંગ હાર્ટ્સ

 

નાનકડા એસ્ટેરિયન્સે દયા અને કરુણાના અમૂલ્ય પાઠ શીખ્યા

સુરત: “મન્થ ઓફ કાઇન્ડનેસ”ની ભાવનાને આત્મસાત કરતાં વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના નાનકડા વિદ્યાર્થીઓએ ગૌશાળાની એક વિશેષ શૈક્ષણિક મુલાકાત લીધી. આ પહેલનો મુખ્ય હેતુ વર્ગખંડમાં શીખવાતા મૂલ્યોને વાસ્તવિક જીવનના અનુભવો સાથે જોડવાનો હતો.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં તમામ જીવજંતુઓ પ્રત્યે દયા, કરુણા અને સન્માનની ભાવના વિકસાવવાનો હતો. પરંપરાગત વર્ગખંડની બહાર આવી બાળકોને નવા વાતાવરણમાં શીખવાનો અનોખો અનુભવ મળ્યો, જ્યાં તેમણે ગાયોની સંભાળ, તેમનું મહત્વ અને તેમની પ્રત્યે સંવેદનશીલ વર્તન વિશે જાણકારી મેળવી.

ઉત્સાહ અને જિજ્ઞાસાથી ભરપૂર વિદ્યાર્થીઓએ ગાયોને ચારો ખવડાવવો, તેમના રહેઠાણનું નિરીક્ષણ કરવું જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ અનુભવો દ્વારા બાળકોમાં જવાબદારીની ભાવના, લાગણીસભર સમજણ અને પ્રકૃતિ સાથેનો જોડાણ વધુ મજબૂત બન્યો.

શિક્ષકોએ સમગ્ર મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને સમજાવ્યું કે દયા માત્ર શબ્દોમાં સીમિત નથી, પરંતુ તેને પોતાના વર્તનમાં ઉતારવી જરૂરી છે, પછી તે પશુઓ પ્રત્યે હોય કે રોજિંદા જીવનમાં અન્ય લોકો સાથેના વ્યવહારમાં.

આ પહેલ શાળાની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જ્યાં શૈક્ષણિક ઉત્તમતા સાથે નૈતિક મૂલ્યોને પણ સમાન મહત્વ આપવામાં આવે છે.

આ શૈક્ષણિક મુલાકાત બાળકો માટે યાદગાર અને પ્રેરણાદાયી અનુભવ સાબિત થઈ. બાળકોના ચહેરા પર ઝળહળતી ખુશી અને તેમના વર્તનમાં દેખાતી સંવેદનશીલતાએ આ પહેલની સફળતાને સ્પષ્ટ રીતે ઉજાગર કરી.

આવા અનુભૂતિમૂલક શિક્ષણ કાર્યક્રમો દ્વારા વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ સતત સંવેદનશીલ, જવાબદાર અને સંસ્કારી નાગરિકોના ઘડતરમાં કાર્યરત છે, જેથી એપ્રિલ મહિનો ખરેખર દયા અને કરુણાના ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે.

સુરત પ્રી સ્કૂલ એસોસિએશનનો અનોખો મતદાન જાગૃતિ અભિયાન

 

10,120 નાનાં બાળકો દ્વારા ડ્રોઇંગ મારફતે માતા-પિતાને મતદાન કરવાની અપીલ સુરત. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, છતાં ઘણીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમી, વ્યસ્તતા અને જાગૃતિના અભાવે મતદાન ટકાવારી ઓછી રહેતી હોય છે. આ વિચારને બદલવા અને નાગરિકોને મતદાન પ્રત્યે પ્રેરિત કરવા માટે સુરત પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા એક પ્રેરણાદાયક અને અનોખું અભિયાન યોજાયું. આ અભિયાન હેઠળ સુરત શહેરની 100થી વધુ સ્કૂલોના 10,120 નાનાં બાળકો જોડાયા અને સુંદર ડ્રોઇંગ બનાવી પોતાના માતા-પિતા તથા પરિવારજનોને મતદાન કરવા અપીલ કરી. બાળકોના ચિત્રો દ્વારા “પહેલા મતદાન, પછી જલપાન”, “વોટ આપવો અમારો અધિકાર છે” અને “મજબૂત લોકશાહી માટે મતદાન જરૂરી છે” જેવા સંદેશ આપવામાં આવ્યા. એસોસિએશન દ્વારા અગાઉ પણ ગયા ચૂંટણી દરમિયાન આવું જ જાગૃતિ અભિયાન યોજાયું હતું, જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. તે સમયે પણ વહીવટી તંત્ર અને શહેરના આગેવાનો દ્વારા આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.
વોટિંગ અવેરનેસ રેકોર્ડ સર્ટિફિકેટ કલેક્ટર Saurabh Pardhi, પોલીસ કમિશ્નર Anupam Singh Gehlot દ્વારા સંસ્થાને અર્પણ કરવામાં આવ્યું તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી Bhagirath Singh Parmarને પણ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. અધિકારીઓએ આ અનોખી પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું કે બાળકો દ્વારા આપવામાં આવેલ સંદેશ સમાજ પર ઊંડો પ્રભાવ પાડે છે અને મતદાન ટકાવારી વધારવામાં સહાયક બનશે. આ પ્રસંગે એસોસિએશનના આગેવાન સભ્યો Gopal Khatri, Rajesh Maheshwari, Kamna Khandelwal, Nidhi Singh, Hemali Trivedi અને Bhairavi Parekh સહિત અનેક પદાધિકારીઓ અને સ્કૂલ પ્રતિનિધિઓ હાજર રહ્યા. એસોસિએશન સમયાંતરે આવા સામાજિક, શૈક્ષણિક અને જનહિતના કાર્યક્રમો આયોજિત કરતી રહે છે, જે સમાજને સકારાત્મક દિશા આપે છે. મતદાન જાગૃતિ માટે બાળકોની આ ભાગીદારી માત્ર પ્રેરણાદાયક જ નથી, પરંતુ એ સંદેશ પણ આપે છે કે દેશનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો
પરફેક્ટ 100 અને વધુ: સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ફિઝિક્સવાલા (PW) ના વિદ્યાર્થીઓએ નોંધાવી ભવ્ય સફળતા

 

સુરત, એપ્રિલ 16, 2026 : ગુરુવારનો દિવસ એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા (PW) માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોરર તરીકે ઉભરી આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પૂરેપૂરા 100 ટકા ગુણ મેળવ્યા છે. ટોચનું પ્રદર્શન કરનારાઓમાં ફાઝિલ્કા (પંજાબ) ના વૈભવ અરોરા, અમદાવાદ (ગુજરાત) ના અમોલિક પંડિત અને ભુવનેશ્વર (ઓડિશા) ના આયુષ્માન મોહપાત્રાનો સમાવેશ થાય છે, જેમણે 100 ટકા ગુણ મેળવીને દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વધુમાં, ફિઝિક્સવાલાના ટેક-એનેબલ્ડ ઓફલાઇન સેન્ટર્સ ‘PW વિદ્યાપીઠ’ દ્વારા સુરતમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં સારું પ્રદર્શન કરનાર શહેરના PW વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પ્રદર્શન કરનારાઓમાં રુશાંક અંકુર શાહ (99.60%), આહાન શાહ (97.40%) અને સિયા ખાતીવાલા (97.20%) સામેલ હતા.
પોતાના અનુભવો શેર કરતા વૈભવ અરોરાએ જણાવ્યું કે, “સતત તૈયારી, નિયમિત પ્રેક્ટિસ અને શાળા તથા PW ના શિક્ષકોના માર્ગદર્શનથી મને પરફેક્ટ સ્કોર મેળવવામાં મદદ મળી.” અમોલિક પંડિતે જણાવ્યું કે, “નિયમિત રિવિઝન અને સેમ્પલ પેપર્સ સોલ્વ કરવાને કારણે 100% સ્કોર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.” આયુષ્માન મોહપાત્રાએ ઉમેર્યું કે, “શિસ્તબદ્ધ રહેવું અને ચોક્કસ સ્ટડી પ્લાનનું પાલન કરવાથી પૂરેપૂરા ગુણ મેળવવાનું શક્ય બન્યું છે.” પરિણામો પર ટિપ્પણી કરતા ફિઝિક્સવાલાના ફાઉન્ડર અને સીઈઓ અલખ પાંડેએ જણાવ્યું હતું કે, “પરીક્ષામાં બેસનાર તમામ વિદ્યાર્થીઓ પર અમને ગર્વ છે અને અમે તેમની મહેનત તથા સમર્પણને બિરદાવીએ છીએ. ખાસ કરીને જેમણે પરફેક્ટ સ્કોર મેળવ્યો છે તેમને અમે અભિનંદન આપીએ છીએ. આ પરિણામો સતત પ્રયત્નો અને યોગ્ય શૈક્ષણિક સપોર્ટ સિસ્ટમનું પ્રતિબિંબ છે.” આ વર્ષે 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10ની પરીક્ષામાં બેઠા હતા. આ વિદ્યાર્થીઓનું પ્રદર્શન શૈક્ષણિક સફળતામાં સ્ટ્રક્ચર્ડ ઓનલાઇન અને હાઇબ્રિડ લર્નિંગની વધતી જતી ભૂમિકાને ઉજાગર કરે છે.