Posts by: abhay_news_editor

બાળદિન ઊજવણી – વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ

 

સુરત, 14 નવેમ્બર 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળદિનની ઉમંગભેર અને રંગીન ઉજવણી કરવામાં આવી. બાળકોની નિર્દોષતા, સર્જનાત્મકતા અને આનંદભરી ઊર્જાને સમર્પિત આ વિશેષ દિવસે સમગ્ર કેમ્પસ ખુશીના પાસાંથી ઝળહળી ઉઠ્યો. વિદ્યાર્થીઓ માટે આયોજિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓએ આ દિવસને યાદગાર બનાવી દીધો.

કાર્યક્રમની શરૂઆત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરીને અને آنان માટે ખાસ રજૂઆતો કરીને કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આર્ટ એન્ડ ક્રાફ્ટ, સંગીત, નૃત્ય, વાર્તાવાચન, ઇન્ટરએક્ટિવ ગેમ્સ તેમજ ટીમ વર્ક, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારતી કક્ષાની ખાસ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

શિક્ષકોએ બાળકોને આનંદિત કરવા માટે સરપ્રાઇઝ સેગમેન્ટ પણ આયોજન કર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીના લહેરો દોડીને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહબંધ વધુ મજબૂત બન્યો. સમગ્ર શાળા પરિસરમાં આખો દિવસ આનંદ અને ઉજાસનું વાતાવરણ છવાયેલું રહ્યું, જે બાળદિનના સાચા અર્થ—બાળપણની કલ્પનાઓ, નિર્દોષતા અને ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતિબિંબ–રૂપ હતું.

આ પ્રસંગે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વ્યક્ત કર્યું:
“બાળકો અમારા સંસ્થાનું હ્રદય છે. તેમની જિજ્ઞાસા, ઉત્સાહ અને સપનાઓ અમને દરરોજ પ્રેરણા આપે છે. આ ઉજવણી અમને તેમના પ્રતિભાને પ્રોત્સાહન, તેમના વિકાસને સહારો અને તેમને સુરક્ષિત, આનંદમય અને સમૃદ્ધ પર્યાવરણ આપવાની અમારી પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે.”

આ ઉજવણી દ્વારા શાળાએ સર્વાંગી વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી તથા સંદેશ આપ્યો કે દરેક બાળક અનન્ય છે અને પ્રેમ તથા પ્રોત્સાહન પ્રાપ્ત કરે તો મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુણવત્તાયુક્ત શિક્ષણ, નૈતિક મૂલ્યો અને અનુભવાધારિત અધ્યયન પર ખાસ ધ્યાન આપીને દરેક બાળકને શોધવા, વ્યક્ત થવા અને ઉત્તમતા પ્રાપ્ત કરવાની તક અપાવતું રહે છે.

ચિલ્ડ્રન ડે પર સુરતના અનાથ બાળકો માટે પવાસિયા પરિવારનું માનવીય અભિયાન

 

ત્રણ રેસ્ટોરન્ટમાં રમતો, નૃત્ય, ભોજન અને ગિફ્ટ સાથે ઉત્સાહભેર ઉજવણી, 180 બાળકોના ચહેરા પર ખીલી ઉઠ્યું સ્મિત

સુરત : શહેરના જાણીતા હોટેલિયર ઉમેશ પવાસીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિલ્ડ્રન ડેના અવસરે અનાથ બાળકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. “ખુશી વહેંચો, પ્રેમ ફેલાવો” સૂત્ર સાથે યોજાયેલી આ માનવીય પહેલમાં શહેરના વિવિધ અનાથ આશ્રમના 180 બાળકોને આમંત્રિત કરીને આનંદભર્યા કાર્યક્રમો યોજાયા હતા.

બપોરે ઓરન રેસ્ટોરન્ટ ખાતે તેમજ સાંજે સ્પાઇસ વીલા અને પેવેલિયન રેસ્ટોરન્ટ ખાતે બાળકો માટે ડાન્સ, ગેમ્સ અને મનોરંજક એક્ટિવિટીઝ યોજાઈ હતી. બાળકો હાસ્ય અને આનંદમાં ગરક થઈ ગયા હતા. બાળકોને વિશેષ મેન્યુ સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું અને અંતે દરેક બાળકને ભેટ આપીને વિદાય આપવામાં આવી હતી.

હોટેલ સંચાલક ઉમેશ પવાસીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો હેતુ માત્ર ઉજવણી કરવાનો નથી, પરંતુ એવા બાળકોના જીવનમાં ખુશીનો એક પળ પૂરું પાડવાનો છે. ઘણા લોકો અનાથ આશ્રમોમાં જઈ મદદ પૂરી પાડે અને બાળકોને ભોજન કરાવે છે જે સારી બાબત છે પણ જ્યારે અમારી પાસે જ્યારે હોટેલ જેવું પ્લેટફોર્મ છે તો તેનો ઉપયોગ સમાજકાર્ય માટે થાય એમાં મને ખુશી છે. કરણ કે અમે સમુદાય સાથે જોડાયેલી કંપની છીએ અને લોકોને એકસાથે લાવતા, સમાજ માટે કંઈક સારું કરતા ગર્વ અનુભવી રહ્યા છીએ, ઉમેશ પવાસીયાએ વધુમાં જણાવ્યું. આ પહેલ પવાસિયા હૉસ્પિટાલિટીનો સમાજ પ્રત્યેનો લાગણીસભર અને જવાબદારીનો અભિગમ બતાવે છે, જેનાથી બીજા લોકોને પણ દયાળુ બનવા અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા પ્રેરણા મળે છે. અને એ યાદ અપાવે છે કે નાનકડી દયા પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે

‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

 

પ્રોડ્યુસર જશવંત ગંગાણીનો નવો પ્રયોગ : દિગ્દર્શક તરીકે યુવા નિહાર ઠક્કરને આપી તક

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવી રહી છે. ફિલ્મનું નિર્માણ જાણીતા ફિલ્મમેકર જશવંત ગંગાણીએ કર્યું છે, જ્યારે દિગ્દર્શનનું કાર્ય યુવા અને પ્રતિભાશાળી નિહાર ઠક્કર એ સંભાળ્યું છે.

પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે. લીડ કાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુમ્પલ પટેલની જોડી છે, સાથે હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે ના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી છે. જ્યારે લુક અને એટિટ્યુડ નો સામનો પ્રેમ સાથે થાય છે, ત્યારે કોણ જીતે?” આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે ‘પ્રેમ હંમેશા જીતે છે અને ભય હારે છે.’

ફિલ્મનું મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઈટર નિહાર ઠક્કરની સલાહ પર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ પર મહેનત કરી, જ્યારે કુમ્પલ પટેલએ બોલવાની રીત, બોડી લેંગ્વેજ અને પાત્રની નાનામોટી બાબતો પર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી. હેમંત ખેર, સોનાલી લેલે દેસાઈ, કમલ જોશી, અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસે એ પણ પોતાના રોલ્સમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે.

પ્રોડ્યુસર જશવંત ગંગાણીએ વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મનું નામ ‘આવવા દે’ રાખવાનું કારણ એ છે કે પ્રેમ અને જીવન બંનેમાં આમંત્રણ જરૂરી છે — આવો, પ્રેમમાં પડો!” સાથે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે “મેં પ્રથમ વખત નવા દિગ્દર્શક નિહાર ઠક્કરને તક આપી છે, કારણ કે હું માનું છું કે નવી પેઢીના વિચારો ગુજરાતી સિનેમાને નવી દિશા આપે છે. અત્યાર સુધી મારી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટ થી માંડીને ડાયલોગ અને ગીતો પણ હું જાતે જ લખતો હતો પણ યુવા ટેલેન્ટને પણ તક મળે તે માટેનો મારો પહેલો પ્રયાસ છે. જોકે આ ફિલ્મમાં ગીતો મારા જ લખેલા છે જેમને અગાઉની જેમજ લોકોનો પ્રેમ મળશે એવી આશા છે. આ ફિલ્મના પાત્રો જૈમિન પંચમતીયા (પરીક્ષિત) અને જાહ્નવી દેસાઈ (કુમ્પલ) વચ્ચેનો પ્રેમ, તેમની લાગણીઓ અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે. ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ નેચરલ અને રિયલ લાગશે, જે દરેક યુવા દિલને સ્પર્શી જશે. જીતેન્દ્ર જાની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભવ્ય રીતે રજૂ થશે. જો તમે પ્રેમમાં પાડવા માટે તૈય્યાર છો તો આવવા દો.

વેન્ચુરા એરકનેક્ટની માનવસેવા તરફ આગેકૂચ : ઓર્ગન ટ્રાન્સફરની સેવા દ્વારા ગુજરાતની પોતાની વેન્ચુરા એરકનેકટનું “દેવ”-વિમાન બન્યું દેવદૂત

 

ગયા અઠવાડિયે પહેલી ફ્લાઇટ દ્વારા જામનગરથી અમદાવાદ સુધી ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું.

સુરત. ગુજરાતના વિભિન્ન શહેરોને હવાઈ માર્ગે જોડતી વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન કંપનીએ હવે માનવતાને સમર્પિત નવી સેવા શરૂ કરી છે. કંપનીને તાજેતરમાં ઓર્ગન ડોનેશનના કિસ્સામાં માનવ અંગો (ઓર્ગન)ને એક શહેરથી બીજા શહેર સુધી ઝડપથી પહોંચાડવા માટે મેડિકલ અપ્રુવલ પ્રાપ્ત થયું છે. આ મંજૂરી બાદ, ગયા અઠવાડિયે કંપની દ્વારા પહેલીવાર જામનગરથી અમદાવાદ સુધી એરક્રાફ્ટ મારફતે ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સેવા હવે ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં પણ નજીવા દરે ઉપલબ્ધ રહેશે.

આ સેવા શરૂ કરવા પાછળ કંપનીના પ્રમોટર્સનો ઉદ્દેશ્ય નાગરિક સેવા સાથે જ માનવજીવન બચાવવાનો છે, જેથી તાત્કાલિક સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દીને સમયસર અંગો મળી શકે. વેન્ચુરા એરકનેક્ટની આ નવી પહેલ હેઠળ ઉપયોગમાં લેવાતું વિમાન VT-DEV (દેવ વિમાન) તરીકે ઓળખાય છે — જે નામ પ્રમાણે જ “દેવદૂત” બનીને જીવ બચાવવાનું કાર્ય કરશે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે સુરતને પૂર્ણ એરપોર્ટ સુવિધા ઉપલબ્ધ ન હતી, ત્યારે સુરતના ત્રણ ઉદ્યોગપતિઓ ગોવિંદભાઈ ધોળકિયા, સવજીભાઈ ધોળકિયા અને લવજીભાઈ બાદશાહ એ વર્ષ ૨૦૧૪માં આ હવાઈ સેવા શરૂ કરી હતી. છેલ્લા ૧૧ વર્ષથી કંપની ગુજરાતમાં સફળતાપૂર્વક સેવા આપી રહી છે. વેન્ચુરા એરકનેક્ટ ગુજરાતના નાગરિકોને સાવ નજીવા દરે દૈનિક હવાઇ સેવા પૂરી પાડી રહી છે અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર તથા અમરેલીને સુરત સાથે હવાઈ માર્ગે જોડ્યા છે જેથી નાના ગામડાઓના નાગરિકો પણ આસાનીથી શહેરો સાથે જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કંપનીના પ્રમોટર્સ દ્વારા સતત નવા નવા ઇનિશિયેટિવ લેવામા આવતા હોય છે.

ત્યારે આ નવી “ઓર્ગન ટ્રાન્સફર એર સર્વિસ” સાથે “વેન્ચુરા એરકનેક્ટે” ફરી એકવાર સાબિત કર્યું છે કે ખાનગી ક્ષેત્ર પણ માનવ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

નવા યુગનું આર્થિક વિશ્વાસ – Aryan Anna Group સાથે સંપત્તિ અને વૃદ્ધિનું સુરક્ષિત ભવિષ્ય

 

નવી દિલ્હી [ભારત], ૧૦ નવેમ્બર: ભારતના તેજીથી બદલાતા આર્થિક પરિસ્થિતિમાં, Aryan Anna Group એ પોતાનું સ્થાન એક વિશ્વસનીય, આધુનિક અને નૈતિક નાણાકીય સંસ્થાન તરીકે સ્થાપિત કર્યું છે. ગ્રુપનું મુખ્ય ધ્યેય છે – સંપત્તિ સંચાલન (Wealth Management), એસેટ મેનેજમેન્ટ (Asset Management) અને મની લેન્ડિંગ (Money Lending) ક્ષેત્રોમાં એક નવી દિશા આપવી, જ્યાં રોકાણ સાથે વિશ્વાસ અને સ્થિરતા પણ જોડાયેલી હોય.

Aryan Anna Group એ પોતાના અનુભવી નાણાકીય નિષ્ણાતોની ટીમ સાથે એક એવી પદ્ધતિ વિકસાવી છે, જ્યાં દરેક રોકાણકારને વ્યક્તિગત માર્ગદર્શન અને સુરક્ષિત રોકાણની ખાતરી મળે. રોકાણકારોના હિતોને પ્રથમ સ્થાન આપીને, ગ્રુપ સતત વિશ્વસનીય રિટર્ન અને લાંબા ગાળાની વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

ગ્રુપની વિશિષ્ટ પહેલ Arha Money Lending એ નૈતિક અને પારદર્શક નાણાં આપલદાપલની નવી ઓળખ આપી છે. આ પહેલ રોકાણકારો અને બોરોવરો વચ્ચે વિશ્વાસપૂર્ણ જોડાણ બનાવે છે, જ્યાં દરેક વ્યવહાર ટેકનોલોજીથી સુરક્ષિત અને ડેટા આધારિત પ્રક્રિયા દ્વારા થાય છે. આથી રોકાણ માત્ર ફાયદાકારક જ નહીં, પણ સંપૂર્ણપણે વિશ્વસનીય પણ બને છે.

ટેકનોલોજી Aryan Anna Groupના કાર્યનું હૃદય છે. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો પોતાના પોર્ટફોલિયોનું રિયલ ટાઈમ નિરીક્ષણ કરી શકે છે અને દરેક નાણાકીય નિર્ણય વધુ માહિતીપૂર્ણ રીતે લઈ શકે છે.

વિશ્વાસ, પારદર્શિતા અને નવીનતાના આધાર પર Aryan Anna Group આજે એ દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં ભારતીય રોકાણકારોને સુરક્ષિત, આધુનિક અને નૈતિક નાણાકીય ભવિષ્ય મળે.

આજે Aryan Anna Group માત્ર એક કંપની નથી, પરંતુ એ એક વિશ્વાસનું પ્રતિક છે — જ્યાં સંપત્તિનું સંચાલન માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ સંબંધો અને વિશ્વાસમાં માપવામાં આવે છે.

Visit Website: https://www.aryanannagroup.com/

સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની “હિરાબા નો ખમકાર” હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ

 

આજરોજ વધુ 551 દીકરીઓને સહાય સાથે અત્યાર સુધી કુલ 1102 લાભાર્થી, કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના પગલે 7500 ગણોત ખેડૂતોને પણ 7,500 રૂપિયા આર્થિક સહાયની પિયુષ દેસાઈની જાહેરાત

સુરત. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી 551 વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી, જ્યારે આજરોજ વધુ 551 દીકરીઓને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીઓની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે. આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઇએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા 7500 ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત 7500 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતાપિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી.

પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે.” તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.

ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ છ મહિનાના પરિણામો જાહેર કર્યા, બીજા છ મહિનામાં મજબૂત આઉટલુકની ખાતરી આપી

 

બીજા છ મહિનામાં મજબૂત ટર્નઅરાઉન્ડ માટે ઇન્ટિગ્રેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર EPC અને O&M કંપનીની મજબૂત સ્થિતિ

અમદાવાદ (ગુજરાત) [ભારત], નવેમ્બર: ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડ (BSE: 544387) એક સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર EPC અને O&M કંપનીએ તાજેતરમાં 30 સપ્ટેમ્બર, 2025 (નાણાકીય વર્ષ 2025–26 ના પ્રથમ છ મહિના) માટે તેના અનઓડિટેડ નાણાકીય પરિણામો જાહેર કર્યા.

જ્યારે પ્રથમ છ મહિનામાં પ્રોજેક્ટ મોબિલાઇઝેશન અને વ્યૂહાત્મક કાર્યકારી મૂડી રોકાણનો સઘન તબક્કો પ્રતિબિંબિત થયો હતો, ત્યારે કંપની તેના મજબૂત વૃદ્ધિ માર્ગને ફરીથી પુષ્ટિ આપે છે અને નાણાકીય વર્ષ 2025–26 (H2) ના બીજા છ મહિનામાં તરલતામાં સુધારો થવાની અપેક્ષા રાખે છે. આ વિશ્વાસ મજબૂત અમલીકરણ ગતિ, ઉન્નત બેંકિંગ સુવિધાઓ અને સ્થિર ઓર્ડર-બુક રૂપાંતર દ્વારા સમર્થિત છે.

Financial Highlights (Standalone)

ParticularsH1 FY2025–26 (₹ lacs)H1 FY2024–25 (₹ lacs)% Change YoY
Revenue from Operations4203.962263.4685.74%
EBITDA898.89496.6880.96%
EBITDA Margin21.38%21.94%(56 bps)
Profit After Tax (PAT)617.14324.9389.93%

રોકડ પ્રવાહ સંદર્ભ સ્પષ્ટતા

કંપનીએ સમજાવ્યું કે H1 માટે ઓપરેટિંગ રોકડ પ્રવાહ આઉટફ્લો સ્થિતિમાં હતો, જે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) વ્યવસાયની આંતરિક પ્રકૃતિને પ્રતિબિંબિત કરે છે. આ વ્યવસાયમાં ક્લાયન્ટ તરફથી ચુકવણીઓ પ્રાપ્ત થાય તે પહેલાં નોંધપાત્ર સામગ્રી પ્રાપ્તિ, સાઇટ મોબિલાઇઝેશન અને કાર્યકારી મૂડી જમાવટની જરૂર પડે છે.

तात્કાલિક કાર્યકારી મૂડી જમાવટ માટેના મુખ્ય કારણોમાં શામેલ છે:

  • Q4 FY2024–25 અને Q1 FY2025–26 માં મળેલા મોટા EPC કરારો માટે પ્રારંભિક તબક્કે સામગ્રી પ્રાપ્તિ અને મોબિલાઇઝેશન.
  • ક્ષેત્રીય ચુકવણી ચક્ર, જ્યાં રકમ સામાન્ય રીતે પ્રમાણપત્ર અને RA-બિલની મંજૂરી પછી પ્રાપ્ત થાય છે, જેથી અસ્થાયી સમયનો તફાવત રહે છે.
  • ઇનપુટ ખર્ચને સુરક્ષિત કરવા અને પ્રોજેક્ટની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક ઇન્વેન્ટરી બિલ્ડઅપ અને એડવાન્સ ચુકવણીઓ, ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન.

“આ નજીકના ભવિષ્યમાં ઝડપી વૃદ્ધિ અને અમલીકરણ વધારવા માટે જરૂરી અસ્થાયી તફાવત છે. કંપનીના વ્યવસાય મોડેલમાં સ્વાભાવિક રીતે આવા કાર્યકારી મૂડી ચક્રનો સમાવેશ થાય છે; જો કે, ડેસ્કો ચાલુ અને ભાવિ વિકાસને ટેકો આપવા માટે પૂરતી મૂડી અને રસીદો સાથે મજબૂત નાણાકીય સ્થિતિ જાળવી રાખે છે. મોટાભાગની પ્રોજેક્ટ રકમો સપ્ટેમ્બર પછી પ્રાપ્ત થઈ છે, જેથી ઑક્ટોબર–નવેમ્બર 2025 માં તરલતામાં નોંધપાત્ર સુધારો થયો છે,” કંપનીએ જણાવ્યું.

વધુમાં, કંપનીનો દેવા-થી-ઇક્વિટી ગુણોત્તર 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ સ્વસ્થ 0.10:1 પર છે, જે પાછલા વર્ષમાં 0.19:1 હતો. આ રૂઢિચુસ્ત લિવરેજ પ્રોફાઇલ અને મજબૂત બેલેન્સ શીટ ફંડામેન્ટલ્સને દર્શાવે છે.

તરલતા મજબૂત કરવાના પગલાં ચાલી રહ્યા છે

સ્કેલેબલ અમલીકરણ અને અસરકારક કાર્યકારી મૂડી જમાવટને સક્ષમ બનાવવા માટે, ડેસ્કો મુખ્ય બેલેન્સ શીટ મજબૂત કરવાના પગલાં અમલમાં મૂકે છે.

H2 માં મજબૂત વૃદ્ધિ, દૃશ્યતા અને માર્જિન વિસ્તરણ

Growth DriverOutlook for H2 FY2025–26
Order Book VisibilityExceeding ₹345 crore across CGD, Power Transmission, and Water Infrastructure projects
Execution MomentumMultiple high-margin turnkey EPC and O&M projects entering peak execution phase
New Business VerticalsCBG (Compressed Biogas) subsidiary expected to begin contributing from FY27 onwards
Margin ImprovementCost rationalization and operational efficiency initiatives are in place, supporting anticipated margin expansion in H2

ડેસ્કો તેના મુખ્ય વ્યવસાય વર્ટિકલ્સમાં નોંધપાત્ર અમલીકરણ દૃશ્યતા સાથે નાણાકીય વર્ષ 2025–26 ના બીજા ભાગમાં પ્રવેશ કરે છે.

અમલીકરણ અને નાણાકીય વ્યવસ્થાપન પ્રત્યે શિસ્તબદ્ધ અભિગમ સાથે, ડેસ્કો નાણાકીય વર્ષ 2025–26 ના બીજા છ મહિનામાં નોંધપાત્ર બે-અંકી વૃદ્ધિ અને માર્જિનની ટકાઉપણાની અપેક્ષા રાખે છે.

મેનેજમેન્ટ કોમેન્ટરી

“પ્રથમ છ મહિનામાં અમારો કાર્યકારી રોકડ પ્રવાહ નાણાકીય તાણના સંકેતને બદલે વૃદ્ધિને વેગ આપવા માટે ઇરાદાપૂર્વકના, વ્યૂહાત્મક રોકાણને દર્શાવે છે. ઉપયોગમાં લેવાયેલા સંસાધનોએ એક મજબૂત કાર્યકારી પાયો સ્થાપિત કર્યો છે, જે બીજા છ મહિનામાં ઝડપી અમલીકરણ માટે અમને સક્ષમ બનાવે છે. ઘણા સંસ્થાકીય ગ્રાહકો ચુકવણીઓ મુક્ત કરવા તૈયાર છે, વિસ્તૃત બેંકિંગ સુવિધાઓ ચાલુ છે, અને નવા વર્ટિકલ્સ ઑનલાઇન આવી રહ્યા છે. અમે મજબૂત નફાકારકતા અને યોગ્ય રોકડ ઉત્પાદન દ્વારા ચિહ્નિત થયેલ નોંધપાત્ર રીતે મજબૂત H2 ની અપેક્ષા રાખીએ છીએ.”

શ્રી પંકજ પ્રુથુ દેસાઈ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડ

ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડ વિશે

ડેસ્કો ઇન્ફ્રાટેક લિમિટેડ એક વૈવિધ્યસભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર EPC અને O&M કંપની છે, જે સમગ્ર ભારતમાં સિટી ગેસ વિતરણ, પાણી પાઇપલાઇન અને પાવર ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સમાં સંલગ્ન છે. કંપની શેરધારકોને લાંબા ગાળાનું મૂલ્ય પહોંચાડવા માટે ટેકનોલોજી આધારિત અમલીકરણ, ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ અને પારદર્શક શાસન પર ભાર મૂકે છે.

આ પ્રેસ રિલીઝ માત્ર માહિતીના ઉદ્દેશ્ય માટે જ જારી કરવામાં આવી છે અને તેને કોઈ પણ પ્રકારની નાણાકીય સલાહ તરીકે નહીં માનવું જોઈએ.

 

એઆઈ ટેક્નોલોજી આધારિત જ્વેલરી ડિઝાઇનનો યુગ શરૂ: ISGJએ કતારગામમાં નવું GenZ કેમ્પસ શરૂ કર્યું

 

સુરતના હીરા–જ્વેલરી ઉદ્યોગને મળશે નવી દિશા, નવી પેઢી માટે હાઈટેક કોર્સિસ શરૂ

સુરત. સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેક્નોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ)એ કતારગામ ખાતે પોતાના નવા Next GenZ કેમ્પસનો પ્રારંભ કર્યો છે, જ્યાં AI આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે.

ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિશ્વસ્તરીય શિક્ષણ આપતી આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે શહેરના હીરા ઉદ્યોગના હૃદયસ્થાન સમા કતારગામ સુધી પહોંચી છે.
નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને 15 પ્રકારના અલગ અલગ જેમ્સ, જ્વેલરી, ડાયમંડ, ડાયમંડ ગ્રેડિંગ, વેલ્યુએશન અને એઆઈ–બેઝ્ડ ડિઝાઇન કોર્સિસ શીખવાડવામાં આવશે. આ કોર્સિસ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટની માંગ પ્રમાણે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ પૂરી પાડશે.

ISGJ વતી કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “કતારગામ ખાતે શરૂ થયેલું આ નવું જ્વેલરી ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર આવનારા સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે. અહીં નવીનતમ હાઈ-ટેક અને AI ટેક્નોલોજીના આધારે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે.”

– આધુનિક સુવિધાઓ સાથેનું 5,000 ચોરસ ફૂટ કેમ્પસ

કતારગામ કેમ્પસ 5,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં સ્ટેટ-ઓફ-દ-આર્ટ વર્ગખંડો, અદ્યતન લેબોરેટરી, મશીનરી અને ટેક્નોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને રિયલ ઈન્ડસ્ટ્રી જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે આ ઈન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરાયું છે.

– વૈશ્વિક સ્તરે ISGJનું નામ

ISGJના કેમ્પસ હાલમાં અમદાવાદ, હૈદરાબાદ, શ્રીલંકા અને રશિયામાં કાર્યરત છે અને હવે આફ્રિકામાં પણ તેની હાજરીની તૈયારી છે.
સંસ્થા હાલમાં 27થી વધુ વિશિષ્ટ કોર્સિસ આપે છે, જેમાં ભારતનો પ્રથમ BBA in Jewellery Design & Management અને MBA in Jewellery Business Managementનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 25,000થી વધુ વિદ્યાર્થીઓ ISGJમાંથી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે.

📍 સરનામું: ISGJ – કતારગામ કેમ્પસ, 2રું માળ, રાજહન્સ ફ્લેમિંગો, કતારગામ
📞 સંપર્ક: 9925050423
📧 ઈમેઈલ: connect@isgj.org
🌐 વેબસાઇટ: www.isgj.org

શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ કંપનીએ Rs 85 કરોડના IPOની જાહેરાત કરી, 7 નવેમ્બર સુધી બિડ કરી શકાશે

 

 એકત્રિત કરવામાં આવનાર ભંડોળનો ઉપયોગ પ્લાન્ટ વિસ્તરણ, મશીનરી, કોલ્ડ સ્ટોરેજની સ્થાપના, આધુનિકીકરણ, ઉર્જા અને કાર્યકારી મૂડી માટે કરવામાં આવશે 

નવી દિલ્હી [ભારત], ૬ નવેમ્બર: અગ્રણી એગ્રો-પ્રોસેસિંગ અને એફએમસીજી કંપની, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડએ NSE ઇમર્જ પ્લેટફોર્મ પર તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની યોજના જાહેર કરી છે. આ જાહેર ઇશ્યૂમાં 68 લાખ ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ શામેલ છે. આ IPO મારફતે કંપની, ભારત અને વિદેશમાં સ્થિત તેની મુખ્ય વિસ્તરણ યોજનાઓ માટે આવશ્યક ભંડોળ એકત્રિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.

શ્રીજી ગ્લોબલ, એક ટ્રેડિંગ ફર્મથી એગ્રો-પ્રોસેસિંગ પાવરહાઉસ તરીકે વિસ્તરી છે. 2018 માં સ્થપાયેલ, શ્રીજી ગ્લોબલ એફએમસીજી, રાજકોટ અને મોરબીમાં બે સંપૂર્ણ સંકલિત ઉત્પાદન સુવિધાઓ સાથે નાના ટ્રેડિંગ યુનિટથી એક મજબૂત એન્ટરપ્રાઇઝમાં ઝડપથી વિકસિત થઈ છે. તેની મુખ્ય બ્રાન્ડ “SHETHJI” એફએમસીજી માર્કેટમાં એક વિશ્વસનીય નામ બની ગયું છે, જે એગ્રો-પ્રોસેસ્ડ પ્રોડક્ટની વિવિધ શ્રેણી ઓફર કરે છે.

કંપનીના પોર્ટફોલિયોમાં આખા મસાલા, પીસેલા મસાલા, બીજ, કઠોળ, અનાજ અને લોટ (આટા)નો સમાવેશ થાય છે. જીરું, ધાણા, તલ, વરિયાળી, મગફળી, કલોંજી અને મરચાં, હળદર અને ધાણાના પાવડર જેવા લોકપ્રિય ઉત્પાદનો કડક ગુણવત્તા ધોરણો હેઠળ બનાવવામાં આવે છે. આ દરેક ઉત્પાદનોના તેની બનાવટ, સુગંધ અને શેલ્ફ લાઇફમાં એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે નિર્ધારિત ગુણવત્તા પરિમાણો હેઠળ તૈયાર કરવામાં આવે છે. આ સંકલિત પ્રક્રિયા પ્રવાહ તેમને પોતાના “SHETHJI” બ્રાન્ડ હેઠળ અને વ્હાઇટ-લેબલ પેકેજિંગ દ્વારા કાચા, પ્રક્રિયા કરેલ અને મૂલ્યવર્ધિત કૃષિ ઉત્પાદનો પ્રદાન કરવા માટે સક્ષમ બનાવે છે.

શ્રીજી ગ્લોબલ એફએમસીજી કંપનીએ ટૂંકા ગાળામાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી છે. નાણાકીય વર્ષ 2022 અને નાણાકીય વર્ષ 2025 વચ્ચે પરિચાલન કામગીરીમાંથી આવક રૂ. 25,781.91 લાખથી બમણી થઈને રૂ. 64,892.12 લાખ થઈ છે. આ ઉપરાંત, 25 ઓગસ્ટ સુધીમાં, કંપનીએ 25,039.47 લાખ રૂપિયાની આવક મેળવી હતી. ઓગસ્ટ-2025 સુધીમાં, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડે ચાલુ નાણાકીય વર્ષના માત્ર પાંચ મહિનામાં ₹9.20 કરોડનો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે, જે તેની કાર્યકારી કાર્યક્ષમતા, બ્રાન્ડની મજબૂતી તેમજ સ્થાનિક અને નિકાસ બજારોમાં સતત વધતી જતી ગ્રાહક માંગનું મજબૂત પ્રમાણ છે.

પ્રતિ શેર ₹125 ના ઉપલા પ્રાઈસ બેન્ડ પર, આ ઇશ્યૂ આકર્ષક ભાવે ઉપલબ્ધ છે, જે રોકાણકારોને 12.89 ના નીચા પ્રાઈઝ-ટુ-અર્નિંગ (P/E) પર પ્રવેશ આપે છે, જે તેને અન્ય લિસ્ટેડ FMCG કંપનીઓની તુલનામાં સારી મૂલ્યાંકન તક બનાવે છે.

બજાર વિશ્લેષકો અને શરૂઆતના રોકાણકારો, શ્રીજી ગ્લોબલ એફએમસીજીને સંભવિત ભવિષ્યના મલ્ટિબેગર સ્ટોક તરીકે જુએ છે, જે સતત આવક વૃદ્ધિ, વ્યૂહાત્મક વિસ્તરણ અને મજબૂત ફંડામેન્ટલ્સ દ્વારા સમર્થિત છે.

કંપનીનું મજબૂત બિઝનેસ મોડેલ, ડાઇવર્સફાઇડ પ્રોડક્ટ પોર્ટફોલિયો અને સ્કેલેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેને ટૂંકા ગાળાના લાભ અને લાંબાગાળાના સંપત્તિ સર્જન બંને માટે આશાસ્પદ તક બનાવે છે. આજે, કંપની 25 થી વધુ દેશોમાં નિકાસ કરે છે, જે તેની અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ દ્વારા સમર્થિત છે અને વૈશ્વિક માંગને કાર્યક્ષમ રીતે પૂર્ણ કરવામાં તેના પ્રદર્શનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. માર્ચ-2025 માં જ્યારે “SHETHJI” બ્રાન્ડને પ્રતિષ્ઠિત ઉદ્યોગ પુરસ્કાર મળ્યો ત્યારે સુસંગત ઉત્પાદન ગુણવત્તા તરફના તેના પ્રયાસોને પણ માન્યતા આપવામાં આવી હતી.

કંપનીના IPO નો ઉદ્દેશ વિસ્તરણ યોજના, કામગીરી વધારવા અને માળખાગત સુવિધાને મજબૂત બનાવવા માટે ભંડોળ એકત્ર કરવાનો છે. આ ભંડોળનો ઉપયોગ નિમ્ન દર્શાવવામાં આવેલા કાર્યો કરવામાં આવશે:

  • ઉત્પાદન વધારવા માટે નવા ફેક્ટરી પરિસરનું સંપાદન
  • આધુનિક કોલ્ડ સ્ટોરેજ સાથે અદ્યતન પ્લાન્ટ અને મશીનરી સ્થાપિત કરવી
  • ઊર્જા કાર્યક્ષમતા માટે 1000 KWP રૂફટોપ સોલાર પાવર સિસ્ટમની સ્થાપના કરવી
  • સતત વિકાસને ટેકો આપવા માટે કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવી

કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, “આ પહેલો દ્વારા કંપનીની ક્ષમતામાં વધારો થશે, ખર્ચ ઘટાશે અને કાર્યદક્ષતામાં પણ વધારો થશે. આની સાથે જ, તેના ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) ફૂટપ્રિન્ટનો પણ વિસ્તાર થશે.”

શ્રીજી ગ્લોબલ એફએમસીજી કંપનીનું નેતૃત્વ અને વિઝન હંમેશા વિકાસલક્ષી રહ્યું છે. કંપનીની સફળતા પાછળનું પ્રેરક બળ મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર તુલશીદાસ કક્કડ છે, જેઓ કંપનીના સંસ્થાપક છે. તેમણે શરૂઆતથી જ ઊંડી ઉદ્યોગ કુશળતા અને વ્યવસાયિક સૂઝબૂઝ સાથે કંપનીની વ્યૂહરચનાને માર્ગદર્શન આપ્યું છે. સાથે જ, ડિરેક્ટર વિવેક તુલશીદાસ કક્કડએ ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં અને સ્કેલેબલ બિઝનેસ મોડેલને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

IPO ની જાહેરાત અંગે મેનેજિંગ ડિરેક્ટર જિતેન્દ્ર તુલશીદાસ કક્કડે જણાવ્યું હતું કે, “આ IPO શ્રીજી ગ્લોબલ એફએમસીજી માટે એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક ઘટના છે. એકત્ર કરાયેલી મૂડી અમને અમારા વ્યૂહાત્મક વિકાસને વેગ આપવા, ગુણવત્તા અને ટેકનોલોજીમાં રોકાણ કરવા અને અમારી બજાર પહોંચને વિસ્તૃત કરવા માટે સક્ષમ બનાવશે. અમારો વિશ્વાસ છે કે, આ પગલું અમારા શેરધારકો માટે લાંબાગાળાના મૂલ્યનું સર્જન કરશે. આ ઉપરાંત, આનાથી વિશ્વભરના ગ્રાહકોને પ્રીમિયમ એગ્રો-પ્રોસેસ્ડ ઉત્પાદનો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂતી મળશે.”

કંપની વિશે માહિતી

ગુજરાતના રાજકોટમાં મુખ્ય મથક ધરાવતી, શ્રીજી ગ્લોબલ એફએમસીજી લિમિટેડ “SHETHJI” બ્રાન્ડ હેઠળ મસાલા, બીજ, કઠોળ, અનાજ અને લોટ સહિત કૃષિ-પ્રક્રિયાવાળા ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને માર્કેટિંગ કરે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત હાજરી સાથે, કંપનીએ ભારતના એફએમસીજી ક્ષેત્રમાં એક વિશ્વસનીય અને ઝડપથી વિકસતી કંપની તરીકે પોતાની ઓળખ ઉભી કરી છે.

For more information, please visit: https://shreejifmcg.com/

સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત

 

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના SSRDP ( Sri Sri Rural Development Program & Sustainability ) વિભાગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે MoU; સુરત બનશે “ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી”

સુરત. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (SSRDP) દ્વારા શરૂ કરાયેલ ‘Eco Kranti’ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે.

સુરત ક્લીનેસ્ટ સિટી સાથે સાથે બનશે ગ્રીનેસ્ટ સિટી, સુરતી ઓ સાથે મળી ને સમગ્ર વિશ્વ માં પ્રથમ એવો દાખલો બેસાડસે કે ક્લિનેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો છે.
Eco Kranti ની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે છે જે આપણા રોજિંદા જીવન માં આપડે પ્લાસ્ટિક ની વસ્તુઓ વાપરી ને ફેંકી દઈએ છીએ એ ઉપયોગ થી મુક્ત કરવા ની લડત છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી જે માઇક્રો પ્લાસ્ટિક નું ઉત્પાદન થાય છે એ સૌથી મોટી ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે સાથે આપડા શરીર ને પણ ખુબજ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગો તથા શુક્રાણુ ને લગતા પ્રશ્નો જેવા અનેક કારણો સાથે માનવ જીવન ને પણ ઘણું નુકસાન કારક છે કારણ કે એક સંશોધન અનુસાર હવા , પાણી અને ખોરાક દ્વારા એક ATM કાર્ડ ની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપડા શરીર માં જાય છે આ ગંભીરતા ને ધ્યાન માં રાખી ને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ વિકસાવાયા છે, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પરૂપે ઉપયોગી સાબિત થશે. આ પ્રોડક્ટ્સ કુદરતી રીતે માત્ર છ મહિના અંદર નાશ પામે છે, જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે.

આ અભિયાનનો હેતુ માનવ સમાજ ને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે. SSRDP નો હેતુ એ છે કે અન્ય ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા માટે આગળ આવે અને “Eco Kranti” ના મિશનને સમર્થન આપે.

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાય છે, હવે તેને “ક્લીનેસ્ટ ટુ ગ્રીનેસ્ટ” બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ માટે SSRDP અને સુરત મહાનગરપાલિકા વચ્ચે ખાસ MoU કરવામાં આવ્યું છે. આ MoU દ્વારા ઇકો ફ્રેન્ડલી ઉપક્રમો, કચરાનું વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન ઈનોવેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે.

આ મિશન ની શરૂઆત સુરત થી થાય એ માટે ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલે પહેલ કરી અને એમનો વિશેષ સહયોગ પણ રહ્યો છે. આજના MoU સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ ના SSRDP વિભાગ ના ડાઇરેક્ટર તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ વોરા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી નું પ્રતિનિધિત્વ કરવા ખાસ બેંગલોરથી આવ્યા હતા. સાથે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ , આર્ટ ઓફ લિવિંગ ના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર પ્રકાશભાઈ ધોરીયાણી તેમજ આર્ટ ઓફ લિવિંગ ના શિક્ષક CA હરી અરોરા સહિત મહાનગરપાલિકા તેમજ આર્ટ ઓફ લિવિંગ ના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં પણ આ આમંત્રિત મહેમાનોના હસ્તે જ્યાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ થાય છે એવી હોસ્પિટલો ખાતે તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે ટ્યુશન ક્લાસીસમાં Eco Kranti ની પ્રોડકટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત લૉન્ચિંગની સાથે જ આજરોજ સુરતના 50થી વધુ સ્થળોએ આ દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના Eco Kranti ના પ્રોડક્ટ્સનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ પહેલથી સુરત શહેર ગ્રીન રેવોલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે. આર્ટ ઓફ લિવિંગ નો ઉદ્દેશ્ય છે કે આ Eco Kranti માત્ર શહેર કે રાજ્ય સુધી મર્યાદિત ન રહે, પરંતુ વિશ્વના દરેક ખૂણામાં પહોંચે અને ધરતીને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળી બનાવે.

હાલ લોકો ને સહેલાઈ થી Eco Kranti ના પ્રોડક્ટ્સ મળી રહે એ અનુસંધાને amazon તથા blinkit જેવી એપ પર Eco Kranti ના પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.