Posts by: abhay_news_editor

સુરતના લોકોએ પૂરા ઉત્સાહ સાથે રાજહંસ સિનેમાની સિનેમેટિક ક્રાંતિ ‘IMAX’નું સ્વાગત કર્યું

 

સુરતમાં ચોતરફ છવાઈ ગયું રાજહંસ સિનેમાનું ભવ્ય સિનેમેટિક નજરાણું ‘IMAX’

સુરત : ગુજરાતના મનોરંજન ક્ષેત્રે, એક ઐતિહાસિક ક્ષણ તરીકે, રાજહંસ સિનેમાએ સુરતમાં ‘IMAX’ રજૂ કર્યું છે. સુરતની ઉત્સવપ્રિય જનતાએ સહહૃદય ‘IMAX’ નું વેલકમ કર્યું છે. રાજહંસ સિનેમા પ્રીસિયા ‘IMAX’ સ્ક્રીન ખુલવાના પહેલાં દિવસથી જ, અહીં ઉત્સાહિત દર્શકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. જે સાબિત કરે છે કે, સુરતના મોજીલા લોકો આ વિશ્વસ્તરીય સિનેમેટિક અનુભવને માણવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

રાજહંસ સિનેમા પ્રીસિયા 3,000 થી વધુ બેઠકો સાથે ભારતના સૌથી મોટા 14-સ્ક્રીન મલ્ટિપ્લેક્સમાં સામેલ છે. તેમાં 400+ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું ‘IMAX ઓડિટોરિયમ’, સુરતમાં સિનેમાનો ઈનોવેટીવ અનુભવ આપી રહ્યું છે. અત્યાધુનિક IMAX 3D ટેકનોલોજી, વિશાળ વળાંક ધરાવતી સ્ક્રીન અને અલ્ટ્રા-ક્રિસ્પ લેસર પ્રોજેક્શન સાથે, આ થિયેટર પહેલા ક્યારેય ન હોય તેવી આકર્ષક વિઝુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. દરેક દિશામાંથી વહેતા હૃદયસ્પર્શી અવાજ સાથે, IMAX સ્ક્રીન, પ્રેક્ષકોને આકર્ષિત કરે છે અને દરેક સીનને પૂરા રોમાંચ સાથે માણવાનો અનુભવ આપે છે. જબરજસ્ત બ્લોકબસ્ટર ફિલ્મોથી લઈને વિઝુઅલી સમૃદ્ધ ફિલ્મો સુધી, રાજહંસ પ્રીસિયા ખાતે આવેલ IMAX, શહેરની ફિલ્મ સંસ્કૃતિમાં એક નવો આયામ ઉમેરે છે.

હાલ સુધી, ‘IMAX’ એ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદ જેવા મેટ્રો શહેરો માટે એક અનામત લક્ઝરી હતી. ઘણીવાર, સુરતના ફિલ્મ પ્રેમીઓને આ ફોર્મેટનો અનુભવ કરવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. જોકે, હવે આ બધું બદલાઈ ગયું છે. તેની શરૂઆતથી જ, રાજહંસ ‘IMAX’ એ શહેરમાં આ નવા સિનેમેટિક અજાયબી માટે ખીચોખીચ ભરેલા શો, પ્રેક્ષકો અને ઉત્સાહવર્ધક મૌખિક પ્રચાર મહેસુસ કર્યો છે. સુપરમેન જેવા એક્શનથી ભરપૂર સુપરહીરોની સ્ટોરીથી લઈને F1 જેવા એડ્રેનાલિનથી ભરપૂર રોમાંચ સુધી, IMAX એ, સુરતીઓના દિલમાં એક યુનિક જગ્યા બનાવી છે, જેઓ હવે તેમના પોતાના શહેરમાં જ વિશ્વ કક્ષાના સિનેમાનો અનેરો આનંદ માણી શકે છે.

રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “આ ફક્ત એક નવી સ્ક્રીન જ નથી. વાસ્તવમાં તે સુરતની સિનેમાની સફરમાં એક લેંડમાર્ક છે. IMAX ની સાથે, અમે ફક્ત ફિલ્મના અનુભવને જ એડવાન્સ નથી બનાવી રહ્યા, પરંતુ અમે સ્ટોરી કહેવાના એક નવા યુગની પણ શરૂઆત કરી રહ્યા છીએ. અહીં, આપણાં ઘરે જ, વિશ્વસ્તરીય શ્રેષ્ઠ મનોરંજન આપવા અમે પ્રતિબદ્ધ છીએ.”

IMAX ટેકનોલોજી સમગ્ર ભારતમાં સિનેમામાં ક્રાંતિ લાવી રહી છે. દેશભરમાં વધુ સ્ક્રીનો ખુલી રહી છે. આ શ્રેષ્ઠ યાદીમાં સુરતનો સમાવેશ એક સકારાત્મક પરિવર્તનનો સંકેત આપે છે. વધતી જનસંખ્યા અને ટેકનોલોજી ટ્રાંસફર સાથે પ્રાદેશિક શહેરો, હવે વિશ્વ કક્ષાના મનોરંજનની અપેક્ષા રાખે છે અને તેને લાયક પણ છે. રાજહંસ સિનેમાએ બરાબર એ જ કર્યું છે. રાજહંસ સિનેમા માટે, IMAX રજૂ કરવું, એ સ્થાનિક દર્શકો સુધી વિશ્વનું શ્રેષ્ઠ લાવવાના તેના મિશનનું એક સાહસિક વિસ્તરણ છે. નવા ટ્રેન્ડ્સ અને સ્ટાન્ડર્ડ સ્થાપિત કરવામાં અગ્રેસર, રાજહંસ ગ્રુપે, ફરી એકવાર સુરતને ભારતના મનોરંજન નકશા પર સ્થાન આપ્યું છે.

શ્રી દેસાઈએ આગળ ઉમેર્યું હતું કે, “અમારું વિઝન, હંમેશા પ્રેક્ષકો માટે સર્વશ્રેષ્ઠ વૈશ્વિક અનુભવો પ્રદાન કરવાનું રહ્યું છે. અમે વર્ષોથી IMAX રજૂ કરવાનું સ્વપ્ન જોયું હતું. હવે જ્યારે શહેરના લોકોએ IMAX ને ખૂબ જ ઉત્સાહથી વેલકમ કર્યું છે ત્યારે આ જુસ્સો, અમારા વિશ્વાસને ફરીથી મજબૂત બનાવે છે કે, મનોરંજનનું ભવિષ્ય ફક્ત મહાનગરોનું જ નહીં, પરંતુ દરેક શહેરનું છે.”

ભારતભરમાં 160 થી વધુ સ્ક્રીનો અને નોઈડા, ગુડગાંવ, ચંદીગઢ, મુંબઈ, દેહરાદૂન, ચેન્નાઈ, બેંગ્લોર, પુણે, વિઝાગ, હૈદરાબાદ અને વધુમાં નવા મલ્ટિપ્લેક્સ આવી રહ્યા છે. 15 સ્થળોએ 65 વધારાની સ્ક્રીનો વિકાસ હેઠળ છે અને 2026ના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રાજહંસ સિનેમા, ભારતમાં ફિલ્મો જોવાના અનુભવને વધુ રોમાંચક બનાવી રહ્યું છે. સુરતની વાત કરીએ તો આ પરિવર્તન, પહેલાંથી જ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

આ માત્ર એક ફિલ્મ જ નથી. આ એક આંદોલન-એક અભિયાન છે. એક સિનેમેટિક ક્રાંતિ, જે સ્ટોરી જોવાનો અને તેની ઉજવણી કરવાનો રોમાંચક અનુભવ આપે છે. હવે, આ આહલાદક અનુભવ રાજહંસ સિનેમા દ્વારા ‘IMAX’ મારફતે સુરતમાં લાવવામાં આવ્યો છે.

અગાસી શાખામાં ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું સફળ આયોજન

 

કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત યોજાયેલા અભિયાનમાં મહાવ્યવસ્થાપક શ્રી અખિલેશ કુમાર અને ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમારની વિશિષ્ટ ઉપસ્થિતિ

અગાસી, તા. 25 જુલાઈ 2025 યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, અગાસી શાખામાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ કાર્યક્રમમાં યૂનિયન બેંકના મહાવ્યવસ્થાપક તથા ગાંધીનગર ઝોનના ઝોનલ હેડ શ્રી અખિલેશ કુમાર તથા આરઓ સુરતના ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા.

અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિક સુધી આધારભૂત નાણાકીય સેવાઓ પહોંચાડવાનો અને દરેક પાત્ર વ્યક્તિને બેંકિંગ પ્રવાહમાં લાવવાનો છે.

શ્રી અખિલેશ કુમારએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે નાણાકીય સમાવેશ આપણી સરકારનું મુખ્ય લક્ષ્ય છે અને બેંકે એ દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભવી જોઈએ. તેમણે શાખાના કર્મચારીઓ દ્વારા યોજાયેલા સક્રિય પ્રયાસોની પ્રશંસા કરી અને ગ્રાહકમૈત્રી સેવાઓ આપવાની જવાબદારી પર ભાર મૂક્યો.

શ્રી બિપિન કુમારએ પણ પોતાના વક્તવ્યમાં અભિયાનના મહત્વને રેખાંકિત કર્યું અને કામગીરીના ગુણવત્તાવાળા અમલ માટે શાખાની ટીમને શુભેચ્છાઓ પાઠવી.

આ કાર્યક્રમમાં વધારાની નોંધપાત્ર ઉપસ્થિતિ રૂપે ચીખલી, ધર્મપુર, વાગલધરા અને બિલિમોરા શાખાના શાખા વ્યવસ્થાપકો પણ ઉપસ્થિત રહ્યા. તેમના દ્વારા પણ શાખાવાર પ્રયત્નોની વિગતો શેર કરવામાં આવી.

અભિયાન દરમિયાન લોકોએ PMJDY ખાતા, પીએમ સુરક્ષા વીમા યોજના, પીએમ જીવન જ્યોતિ યોજના, અટલ પેંશન યોજના જેવી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું તથા રજીસ્ટ્રેશન પણ કરાવ્યા.

આ સેચ્યુરેશન કેમ્પે અગાસી સહિત આસપાસના વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ લાવવાની દિશામાં મજબૂત પગલાં ભર્યાં છે.

યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા – નાણાકીય સમૃદ્ધિ માટે અગ્રેસર.

“સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા મંથન: ઉદ્યોગના વિકાસ માટે પ્રાઇવેટ ઇક્વિટી ફંડિંગ અને IPO સમયની જરૂરીયાત છે”

 

સુરત, 2 ઓગસ્ટ, 2025 — કુંભટ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ દ્વારા તેનું મુખ્ય કાર્યક્રમ “Profit to Wealth Creation: Scaling Businesses with Private Equity & IPO” શનિવાર સાંજે સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં ભારતના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને પ્રાઇવેટ ઇક્વિટી ક્ષેત્રના અગ્રણી ચિંતકો એકત્રિત થયા હતા, જેમણે વિકાસની ગતિ વધારવા અને IPO માટે તૈયારી અંગે ઉદ્યોગસાહસિકો અને બિઝનેસ માલિકોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું.

સાંજની શરૂઆત નેટવર્કિંગ સેશનથી થઈ, જેમાં સ્થાપકો, રોકાણકારો અને નિષ્ણાતો વચ્ચે સાર્થક સંવાદનો મંચ મળ્યો. ત્યારબાદ વિચારપ્રેરક સત્રોની શ્રેણી રજૂ કરવામાં આવી, જેમાં જટિલ આર્થિક વ્યૂહરચનાઓને સરળતાથી સમજાવવામાં આવી.

ડૉ. ફારુક પટેલ, KP ગ્રુપના ફાઉન્ડર અને CMD, દ્વારા કીનોટ ભાષણ આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે સંપત્તિ નિર્માણ એ એક યાત્રા છે, જે રાતોરાત પૂર્ણ થતી નથી. તેમણે યુવાન ઉંમરમાં શરૂઆત કરવાનું મહત્વ, વિશ્વસનીયતા અને કેશ ફ્લો જાળવી રાખવાની જરૂરિયાત અને IPO ને લાંબા ગાળાની કિંમત ઊંઘારવાના સાધન તરીકે ઉપયોગ કરવાની વાત પર ભાર મૂક્યો. તેઓએ કહ્યું: “IPO એ બિઝનેસ ઓનર માટે ચલણ (currency) છે — તમારે તમારું ચલણ માર્કેટમાં કામ પર લગાડવું આવડવું જોઈએ.”

પ્રણવ પારેખ, નુવામા પ્રાઇવેટ ઇક્વિટીના વડા, એ જણાવ્યું કે પ્રાઇવેટ ઇક્વિટી બિઝનેસને માત્ર મૂડી નહીં પરંતુ ઓપરેશનલ અને ગવર્નન્સ સપોર્ટ દ્વારા પણ વિકાસમાં મદદરૂપ બને છે. તેમણે ઉમેર્યું કે સુરતનું ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ હવે PE આધારિત વૃદ્ધિ અને વ્યવસાયિકતા માટે પૂરતું પરિપક્વ છે.

નિપુણ ગોયલ, IIFLના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ અને કેપિટલ સર્વિસિસના વડા, એ IPO સુધી પહોંચવા માટે એક સ્પષ્ટ માર્ગદર્શિકા રજૂ કરી, જેમાં રિસ્ટ્રક્ચરિંગ, કૉમ્પ્લાયન્સ અને મૂડી વ્યૂહરચનાના મહત્વપૂર્ણ પગલાઓનો સમાવેશ થયો, જેથી લિસ્ટિંગ સફળતાનું પ્રમાણ વધારી શકાય.

પ્રાઇવેટ ઇક્વિટી સુરતના ઉદ્યોગ ક્ષેત્રમાં સતત મહત્વની ભૂમિકા ભજવી રહી છે, જે ટકાઉ વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રોતો અને માળખું આપે છે. જે બિઝનેસ લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ તરફ આગળ વધી રહ્યાં છે, માટે PE ફંડિંગ અને ત્યારપછીનું સુસંગત IPO એક શક્તિશાળી વ્યૂહરચના બની શકે છે — જે તેમને વિસ્તરણ, વિશ્વાસ અને વૈશ્વિક બજારો સુધી પહોંચ અપાવે છે.

કાર્યક્રમનું સમાપન નેટવર્કિંગ ડિનર સાથે થયું, જેણે હાજર રહી ગયેલા વ્યક્તિઓ વચ્ચે ભવિષ્યના સહયોગ માટેના દરવાજા ખોલ્યા.

તાપી એસોસીએશન દ્વારા તાપી ટ્રાવેલ એક્સ્પોનું આયોજન – ઉદ્યોગ, રોજગાર અને મહિલા સશક્તિકરણ તરફ અનોખી દિશા

 

તાપી એસોસીએશન ની અનોખી પહેલ રોજગારીની તકો અને સ્ત્રી સશક્તિકરણ ના થીમ પર ટ્રાવેલ એક્સ્પોનું આયોજન

તાપી એસોસીએશન દ્વારા ટ્રાવેલ એક્સ્પોનું આયોજન ૫૦૦થી વધુ મહિલાઓને વ્યવસાય માર્ગદર્શન અને ૩૦૦૦થી વધુ રોજગારીની તકનો લક્ષ્યાંક

દિવાળી તથા અન્ય તહેવારોની રજામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે તેવા સમયમાં વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પાસે પ્રવાસન માહિતી મેળવી ટુર પ્લાન કરી શકે તેવા હેતુથી તાપી એસોસીએશન તરફથી TTE-2025 તાપી ટ્રાવેલ એક્સ્પોના નામે એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે 3 ઓગસ્ટે ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે યોજાશે અને પ્રજાજન માટે ખુલ્લો રહેશે, જ્યારે 4 ઓગસ્ટનો દિવસ માત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પુરતો સિમિત રહેશે.

આ એક્સ્પોમાં એક જ છત નીચે દેશના કશ્મીરથી લઈ કન્યાકુમારી અને વિદેશમાં ઓસ્ટ્રેલિયા થી અમેરિકા સુધીના દરેક ડેસ્ટિનેશનના પેકેજીસ તેમજ ટ્રાવેલ સંબંધિત તમામ સર્વિસીસ, સુરતના નામંકિત અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા મળશે.

આ B2C (બિઝનેસ ટુ કન્ઝ્યુમર) એક્સ્પોમાં 170+ સ્ટોલ છે જેમાં મુલાકાતીઓને ભારત અને વિશ્વભરના દેશો માટે આકર્ષક ટ્રાવેલ ઑફર્સ અને વિવિધ વિકલ્પો મળશે. આ ઉપરાંત, મુલાકાતીને DRAW SYSTEM THROUGH ગિફ્ટ અને અન્ય રોમાંચક ઑફર્સનો લાભ મળશે, જે આ ઇવેન્ટને યાદગાર બનાવશે.

આ એક્સ્પો પહેલી વાર વિશિષ્ટ “Theme-Based Expo” તરીકે યોજાશે, જ્યાં માત્ર વ્યવસાય નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને નોકરી ઈચ્છુક યુવાનો માટે રોજગારની તક પણ ઊભી થશે. વિભિન્ન મેનેજમેન્ટ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી યુવાનો અહીં મુલાકાત લઈને સ્થાનિક ટ્રાવેલ એજન્ટો સાથે સંવાદ સ્થાપી નોકરી મેળવવાની તક મેળવી શકશે.

તદુપરાંત, મહિલા સશક્તિકરણનું જીવતું ઉદાહરણ પૂરું પાડી, આ એક્સ્પોમાં વિશિષ્ટ મહિલા સંગઠનોમાંથી મહિલાઓ પણ મુલાકાત લેશે, જે ટ્રાવેલ ઉદ્યોગ વિશે જ્ઞાન મેળવે અને જો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે તો તાપી એસોસીએશન તરફથી માર્ગદર્શન અને સાથ-સહકાર પણ મેળવી શક્શે.

તાપીના પ્રમુખ શ્રી વિનેશ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે
આ એક્સ્પો માત્ર વ્યવસાય માટે નથી, પણ રોજગાર અને મહિલા સશક્તિકરણ જેવી બાબતોને ધ્યાનમાં રાખી ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત માળખું ઉભું કરશે. જેમાં 500થી વધુ મહિલાઓને ઉદ્યોગમાં જોડવાનો અને 3000થી વધુ રોજગારના અવસર ઊભા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.”

ઉપપ્રમુખ શ્રી જિગ્નેશ પટેલે જણાવ્યું કે
તાપી ટૂંક સમયમાં તાપી ટ્રાવેલ ઈન્સ્ટીટ્યુટ શરૂ કરવા જઈ રહી છે, જેમાં બિઝનેસ અને રોજગાર આધારિત ટૂરિઝમ કોર્સ કરાવવામાં આવશે. આ કોર્સ ઉદ્યોગમાં આવવા ઈચ્છુક માટે સંપૂર્ણ માર્ગદર્શન અને તાલીમ અપાશે, તેમજ ઈન્સ્ટ્રીમાં સ્ટાફની અછત પૂર્ણ કરવા મદદરૂપ થશે.”

સેક્રેટરી શ્રી અમિત પટેલ તથા ખજાનચી શ્રી શિવકુમારએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે
અમારું એસોસિયેશન વ્યવસાયની તકો વિકસાવવાની સાથે સાથે, સમાજમાં એકરૂપતા અને સમાનતા જાળવવા માટે સેવા અને સંસ્કાર આધારિત કાર્યો પણ કરે છે. અમારું લક્ષ્ય વ્યાપાર સાથે સંસ્કાર અને સદ્દભાવનાને પણ આગળ વધારવાનું છે.”

આ એક્સપોમાં મુલાકાતીઓ ને દિવાળી તથા આવનારા તહેવારોના પેકેજીસ પર ખાસ ડિસ્કાઉન્ટ અને અપ્રતિમ ઓફરો મળવા ઉપરાંત દરેક કલાકે લકી ડ્રો દ્વારા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેકેજના ગીફ્ટ વાઉચર પણ જાહેર કરવામાં આવશે ઉપરાંત
વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજેન્ટ કે ટુરઓપરેટર સાથે સીધી મુલાકાત લઈ સ્થળ પર જ આઈટીનરી પ્લાનીંગ, તત્કાલ ડીસ્કાઉન્ટ નો ફાયદો પણ મેળવી શકાશે તથા નવા નવા અને પ્રમાણમાં ઓછા એવા અજાણ્યા પ્રદેશો કે સ્થળો અંગે માહિતી માહિતી મેળવી શકાશે.

આ એક્સપોનો મુખ્ય હેતુ પ્રવાસીઓને વિશ્વસનીય સેવા આપવાનો છે, અને તહેવારોના દિવસોમાં પ્રવાસ યોજના કરનારા માટે આ એક્સ્પો અમૂલ્ય તક સાબિત થશે. સાથે સાથે સ્થાનિક ટ્રાવેલ એજન્ટોને ધંધો મળે અને નોકરી ઈચ્છુકોને રોજગાર મળે, મહિલાઓને ધંધાકીય માર્ગદર્શન મળે તેવો સર્વાંગી દ્રષ્ટિકોણ અહીં સમાવવામાં આવ્યો છે.

વિશ્વગુરુ – જ્યાં લડાઈ છે શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી!

 

વિશ્વગુરુ ફિલ્મ 1 ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે સુરતમાં ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો અને નિર્માતાઓ હાજર રહ્યા અને દર્શકોમાંથી શરૂઆતથી જ તદ્દન સારો પ્રતિસાદ મળ્યો.

વિશ્વગુરુ એક એવી ફિલ્મ છે કે જે માત્ર દેશભક્તિના ભાષણોથી નહીં, પણ કાર્યશીલ વિચારોથી આગળ વધે છે. ફિલ્મની કહાણી આજના સમયમાં પણ સંબંધિત લાગે એવું પ્લોટ ધરાવે છે – જ્યારે એક વિદેશી તાકાત ભારતને અંદરથી ખોખલું કરવા વિવિધ ઉપાયો અજમાવે છે, ત્યારે એક સંસ્થા જ્ઞાન અને સંસ્કૃતિના આધારે તેનો સામનો કરે છે.

મુકેંશ ખન્ના ‘કશ્યપ’ તરીકે શ્રેષ્ઠ અભિનય રજૂ કરે છે. આ ફિલ્મ થકી તેમણે ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કર્યું છે. તેમણે હિંદી ભાષામાં પોતાનો પાત્ર જીવંત કર્યો છે. ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભારદ્વાજ, શ્રદ્ધા ડાંગર અને સોનૂ ચંદ્રપાલ જેવા અવ્વલ કક્ષાના કલાકારોએ પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. દરેક પાત્રમાં સ્પષ્ટ આદર્શો અને આંતરિક સંઘર્ષ જોવા મળે છે. ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનારે કર્યું છે અને નિર્માણ સુકૃત પ્રોડક્શન્સ દ્વારા થયું છે. આ દરેકની મહેનત રંગ લાવશે તે તો નક્કી જ છે.

ફિલ્મનું દિગ્દર્શન અને ફિલ્મેટોગ્રાફી તદ્દન ધ્યાં ખેંચે તેવી છે. ક્યાંક ભારતીય શાસ્ત્રોનો ઊંડો આધાર છે તો ક્યાંક આધુનિકતાની નાની ઝલક પણ દેખાય છે. લડાઈ શસ્ત્રોથી નહીં, શાસ્ત્રોથી જીતી શકાય છે !– એવો સંદેશ વારંવાર સ્પષ્ટ રીતે દેખાય છે. મેહુલ સુરતીનું સંગીત ફિલ્મને ભાવનાત્મક ઊંચાઈ આપે છે.

કુલ મળીને વિશ્વગુરુ એ એવી ફિલ્મ છે કે જે ફક્ત ગુજરાતી સિનેમાની કસોટી ઉપર નહીં, પણ દરેક ભારતીય માટે એક વિચાર જગાવતી ફિલ્મ બની શકે. ફિલ્મના કેટલાક સંવાદ લાંબા સમય સુધી દિમાગમાં રહેશે અને એને માત્ર એક ફિલ્મ નથી પણ સારો સંદેશ આપતી કહાણી છે.

લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન

 

સુરત: સુરત શહેરમાં આજરોજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૪૦ બેડની લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન થયું. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા, પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી કમલવિજય તુલસીયાન અને નવી સિવિલ હોસ્પિટલના પ્રો. શ્રી પ્રહ્લાદ રાયના હસ્તે કરવામાં આવ્યું.

લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 24*7 ઇમરજન્સી સેવાઓ સાથે કાર્યરત રહેશે અને 18 નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા વિવિધ પ્રકારની બીમારીઓની સારવાર પૂરી પાડશે. આ ટીમમાં ડૉ. તેજસ એસ. જરીવાલા (લેપ્રોસ્કોપિક સર્જન), ડૉ. રોહન જરીવાલા (ફિઝિશિયન), ડૉ. પ્રશાંત પટેલ (ન્યુરોસર્જન), ડૉ. શમીમ શેખ (ફિઝિશિયન), ડૉ. હર્દિક પટેલ (ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ), ડૉ. વિજેશ રાજપૂત (ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ), ડૉ. અશ્કા શાહ (સ્કિન સ્પેશિયાલિસ્ટ), ડૉ. રુતા સવજ શાહ (ન્યુરોફિઝિશિયન), ડૉ. કૃપા મજમુદાર (ડાયટિશિયન), ડૉ. પાયલ મોદી (ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ. રામ પટેલ (યુરોસર્જન), ડૉ. અનસ એ. શેખ (ઓર્થોપેડિક સર્જન), ડૉ. વિરલકાંત ચૌધરી (પ્લાસ્ટિક સર્જન), ડૉ. ટ્વિંકલ પટેલ (ઇએનટી સર્જન), ડૉ. પ્રણવ પચચીગર (મનોચિકિત્સક), ડૉ. મૃણાલ મોદી (એક્યુપંકચરિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ. સતીશ દેસાઈ (રેડિઓલોજિસ્ટ), અને ડૉ. કેતન જાગીરદાર (પેથોલોજિસ્ટ) સામેલ છે. હોસ્પિટલમાં એક્સ-રે, સોનોગ્રાફી, મેડિકલ સ્ટોર જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે દર્દીઓને એક જ છત નીચે સંપૂર્ણ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.

આ હોસ્પિટલનો પાયો ડૉ. તેજસ જરીવાલા દ્વારા નાખવામાં આવ્યો છે, જેમની આગેવાની હેઠળ આ નિષ્ણાંત ટીમ દર્દીઓની સેવામાં સમર્પિત રહેશે.
મજૂરા ગેટ સ્થિત કૈલાસ નગર સર્કલ પાસે સ્થિત વ્હાઇટ વિંગ્સ મેજોરિસ ખાતે શરૂ થયેલ લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતના નાગરિકો માટે આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરશે અને ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડશે.

સંપર્ક માટે:
લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
વ્હાઇટ વિંગ્સ મેજોરિસ, કૈલાસ નગર સર્કલ, મજૂરા ગેટ, સુરત.
ફોન: 951 2462222, 0261 2462222

ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા “ગંગા & જોગી” પરફ્યુમ લોન્ચ કરાયું

 

ફ્રેગન્ટા બાય લીના જૈન દ્વારા ભારતીય વારસા અને આધુનિક વૈભવીતાનો સુગંધિત ઉજવણી કરતું પરફ્યુમ “ગંગા & જોગી” લોન્ચ કરાયું છે. લોન્ચિંગ સમયે વિંદુ દારા સિંહ, નવીન પ્રભાકર, મૃણાલ દેસરાજ, ડૉ. અનિલ મુરારકા, રામજી ગુલાટી, ધરતી ગુલાટી, અંકિતા મૈથી, પ્રિયંકા બજાજ, પ્રશાંત વીરેન્દ્ર શર્મા, સિદ્ધાર્થ બજાજ, શ્વેતા પંડિત, અર્શી ખાન, રોહિત વર્મા, માધુરી પાંડે, રેહાન શાહ, કવિતા વર્મા, આરતી નાગપાલ, નવપ્રીત કૌર, દીપક સિંહ, ગુરપ્રીત કૌર ચઢ્ઢા, અદિતિ શેટ્ટી, રાકેશ પૌલ, વિકાસ વર્મા, મિતાલી હાજર રહ્યા હતા. નાગ, રાજીવ રોડા, વિપિન અનેજા, ગુલફામ ખાન, નિવેદિતા બાસુ, નાસિર ખાન, દિવ્યાંક પાટીધર અને બીજા ઘણા ઉપસ્થિતિ જોવા મળી.

પરફ્યુમરીની દુનિયામાં એક નવું નામ, ફ્રેગ્રન્ટા બાય લીના જૈન, ગર્વથી તેની પ્રથમ ફ્રેગરન્સ જોડીના લોન્ચની જાહેરાત કરે છે; ગંગા અને જોગી – પરફ્યુમની જોડી જે ભારતના સસ્તા લક્ઝરી સેગમેન્ટમાં સંવેદનાત્મક ક્રાંતિની શરૂઆત કરે છે.
ફ્રેગ્રન્ટાના સ્થાપક લીના જૈન કહે છે, “ફ્રેગન્ટા નો જન્મ એક સરળ છતાં શક્તિશાળી વિચારમાંથી થયો હતો કે વૈભવી વસ્તુઓ મહત્વાકાંક્ષી બનવા માટે વિદેશથી આવવી જરૂરી નથી. ભારતની સુગંધ, વાર્તાઓ અને ભાવના વિશ્વને પ્રેરણા આપવા માટે પૂરતી સમૃદ્ધ છે. ગંગા અને જોગી સાથે, અમે ફક્ત પરફ્યુમ જ નહીં, પરંતુ ભાવનાત્મક અનુભવો પણ લોન્ચ કરી રહ્યા છીએ જે યાદો, ગૌરવ અને ઓળખને ઉત્તેજીત કરે છે. ફ્રેગન્ટા એ ભારતના સંવેદનાત્મક વારસા પ્રત્યેનું મારું સમર્પણ છે, જે આધુનિક, સભાન ગ્રાહક માટે ફરીથી કલ્પના કરાયેલ છે.”

ફ્રેગેન્ટા એ એક એવું આંદોલન છે જે વૈભવી જીવનશૈલીની પરંપરાગત પાશ્ચાત્ય સમજણથી હટીને તેને નવા રીતે વ્યાખ્યાયિત કરે છે – જ્યાં ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વૈભવના શ્રેષ્ઠ સ્વરૂપ તરીકે ઉજવવામાં આવે છે. સુગંધ અને ભારતીયતા વચ્ચેના અનન્ય સંયોજનથી જન્મેલો “ફ્રેગેન્ટા” નામ એ બ્રાન્ડના મિશનનું પ્રતિક છે – એક એવું મિશન જે ઘરેલુ શાહીપણું આપે છે, વિશ્વસ્તરીય ફોર્મ્યુલેશન સાથે જે ભાવનાત્મક રીતે જોડાણ પામે છે, ભારતીય પરંપરાઓમાં ગહેરાઈથી વિસ્તરેલ છે, પરંતુ આજના આધુનિક અને સમજદારીથી ભરેલા ગ્રાહક માટે વિશેષ રીતે તૈયાર કરવામાં આવેલ છે.

એફોર્ડેબલ લક્ઝરીના સ્પેસમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા ફ્રેગેન્ટા વર્લ્ડ ક્લાસ ગુણવત્તાનું એવું વચન આપે છે જે જૂની યાદો, આત્મીયતાનો અનુભવ અને ભાવનાત્મક વાર્તાકથનથી ઓતપ્રોત આત્માને સ્પર્શે છે. ફ્રેગેન્ટાનું પરફ્યુમરી પ્રત્યેનું નવતર દૃષ્ટિકોણ એ છે કે તે ઉત્પાદનોને જોડીઓમાં લોન્ચ કરે છે — જે ભારતીય બંધનોથી પ્રેરિત હોય છે; માનવતા, ભાવનાત્મકતા અને આધ્યાત્મિકતા જેવી ભાવનાઓ સાથે જોડાયેલા હોય છે; અને દરેક સુગંધ પોતાની એક અનોખી કહાની કહે છે જ્યારે તે અન્ય સુગંધને વધુ અર્થસભર બનાવે છે.

ગંગા અને જોગી સાથે, ફ્રેગેન્ટા તેની શરૂઆતની સુગંધયાત્રા રજૂ કરે છે. એક આદર્શ જોડીરૂપે કલ્પાયેલ, સ્વતંત્ર છતાં ઊંડાઈથી જોડાયેલી આ બન્ને સુગંધો આધુનિક ભારતની ધબકારને રજૂ કરે છે અને સાથે સાથે તેની શતાબ્દીઓ જૂની આત્માને ટ્રિબ્યુટ પણ અર્પે છે.

ગંગા એ પ્રેમ અને યાદોની એક નાજુક, પુષ્પમય સરગમ છે — જુના પત્રોમાં દબાયેલી ચમેલીની ખુશ્બુની યાદ આપતી કે પ્રેમી દ્વારા અપાયેલા ગુલદસ્તાની તાજગી જેવી. આ સુગંધ આત્મીયતા અને શાશ્વત લીલાવતિતા નો અનુભવ કરાવે છે. દીર્ઘકાળીની નજીકતાની ભાવના સાથે, ગંગા એ પ્રેમ અને મૂળભૂત નારીત્વ પ્રત્યેની એક સુગંધિત ટ્રિબ્યુટ છે.

જોગી તેનો ખુલ્લા દિલનો સમકક્ષ છે, એક ઉદાર, માટીની સુગંધ જે સંશોધકના આત્માને સ્પર્શે છે. જંગલના ઘાસના મેદાનોમાંથી ફૂંકાતા પવનની જેમ, જોગી સાહસિક, જિજ્ઞાસુ અને મજબૂત વ્યક્તિવાદી છે.

બંને સુગંધ ઉચ્ચ-પ્રદર્શનવાળા આવશ્યક તેલથી ભરેલી છે જે ફક્ત ઉત્કૃષ્ટ ટકાઉપણું અને પ્રક્ષેપણ જ નહીં, પણ એક સંવેદનાત્મક અનુભવ પણ પ્રદાન કરે છે જે હંમેશા માટે સ્મૃતિમાં રહેશે.


ગંગા અને જોગી સાથે મળીને સુગંધના દર્શન રૂપે મેળ ખાય છે, જે ભાવનાત્મક લોકો માટે ભાવનાત્મક પરફ્યુમ બનાવવાનું છે અને ભારતીય વૈભવીને માત્ર એક આકાંક્ષા તરીકે નહીં, પરંતુ જીવંત અનુભવ તરીકે રજૂ કરે છે.

ફ્રેગન્ટા પ્રતિષ્ઠાની આયાતી ધારણાઓને પડકારવા માટે અહીં છે – અને તેના બદલે, ભારતને ઘર જેવું લાગે તેવી વૈભવી ભેટ આપવા માટે છે.

ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ના મુખ્ય કલાકારો આજે સુરતના મહેમાન બન્યા

 

ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું રચતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરુ’ ખૂબ જ જલ્દી રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા લોન્ચ થયું છે અને તેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. આજે ફિલ્મના મુખ્ય કલાકારો સુરતના વિશિષ્ટ મહેમાન તરીકે શહેરમાં પધાર્યા હતા.
અભિનેતા ગૌરવ પાસવાલા, અભિનેત્રી સોનુ ચંદ્રપાલ અને ભાવિની જાની આજે સુરતમાં મીડિયા અને ચાહકો સાથે મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા. તેમની સાથે દિગ્દર્શક શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર તથા નિર્માતા સતીશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મ ‘વિશ્વગુરુ’માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર આંતરિક અવ્યવસ્થાઓ સામે ઊભું રહીને વિશ્વ મંચ પર પોતાનું મહત્વ સ્થાપિત કરે છે. ફિલ્મમાં સામેલ છે શક્તિશાળી સંવાદો, દ્રશ્યો અને ભારતીય સંસ્કૃતિથી ભરપૂર પૃષ્ઠભૂમિ, જે ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રપ્રેમનો ક્રિયાત્મક સંદેશ આપે છે.


ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોઘાણી અને અતુલ સોનાર, નિર્માણ સતીશ પટેલ અને લેખન કિરીટભાઈ તથા અતુલ સોનાર દ્વારા થયું છે. સુક્રિત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મમાં મુકેશ ખન્ના, કુરૂષ દેબૂ, ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભરદ્વાજ, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, સોનાલી લેલે, ચેતન દૈયા, ધર્મેશ વ્યાસ અને જાની ભાવિની સહિત અનેક પ્રતિષ્ઠિત કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મનું સંગીત પણ એટલું જ ઊંડાણ ધરાવતું છે, જેમાં મેહુલ સુરતીનું સંગીત અને પાર્થ તર્પારાના ના શબ્દો છે. ગીતોને અવાજ આપ્યો છે આનંદી જોશી અને હરિ ઓમ ગઢવી, જ્યારે ફિલ્મનું સંપાદન સંજય સંકલાએ કર્યું છે.
દિગ્દર્શક શૈલેષ બોઘાણી કહે છે, “વિશ્વગુરુ એ માત્ર ફિલ્મ નથી – એ એવાં ભારતની કલ્પના છે જ્યાં સંસ્કૃતિ, સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ જીવંત હોય.”
સુરતની મુલાકાત દરમિયાન આયોજિત મીટ એન્ડ ગ્રીટ કાર્યક્રમ દ્વારા શહેરના દર્શકો અને મીડિયાને આ સિનેમેટિક વિઝનને નજીકથી અનુભવનાં મોકો મળ્યો.

મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ “મહારાણી”ના કલાકારો અને નિર્દેશક સુરતના મહેમાન બન્યા

 

“મહારાણી” – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી

ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટ થી લઇને ટ્રેલર સુધી લોકો ની ઉત્સુકતા સતત વધતી દેખાઈ છે. ઉપરાંત ફિલ્મ ના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતી ને ખૂબ લોક ચાહના મળી રહેલ છે. ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર તથા અભિનેતા સંજય ગોરાડિયા અને નિર્દેશક વિરલ શાહ સુરતના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. ફિલ્મ ૧ ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાનું છે.

મહારાણી ફિલ્મની કથા રાણી (શ્રદ્ધા ડાંગર) આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘરના માલિક – માનસી પરેખ અને ઓજસ રાવલ ના જીવનની વાર્તા છે. રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં કયારેક હાસ્યનો વિષય બને છે તો કયારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે.

કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પરેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે. ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનું સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય, ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજક કહાની આગળ વધે છે.

ફિલ્મ વિશે વાત કરતાં, અભિષેક પાઠક, પ્રોડ્યૂસર અને એમ.ડી., પેનારોમા સ્ટુડિયોઝે કહે છે કે, “પેનારોમા સ્ટુડિયોઝમાં અમે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકો સુધી એવી કહાનીઓ લાવીએ જે પ્રત્યેક સામાન્ય ભારતીય સાથે સંકળાયેલી હોય. અમને આનંદ અને ગર્વ છે કે અમે એવી ફિલ્મોને સહારો આપી રહ્યા છીએ જે સામાન્ય ક્ષણોમાંથી હાસ્ય અને લાગણી શોધી કાઢે છે. ‘મહારાણી’ લાગણીસભર છે, મનોરંજક છે અને ખાસ તો એ, કે રીયલ છે. એક શાનદાર કાસ્ટ અને દરેક ઘરનું પ્રતિબિંબ એવી કહાની સાથે, અમે દેશભરના દર્શકો માટે આ દિલથી હસાવતી કોમેડી પ્રસ્તુત કરવા ઉત્સુક છીએ.”

ફિલ્મના ડિરેક્ટર, વિરલ શાહ, વ્યક્ત કરે છે કે, “‘મહારાણી’ એવા સંબંધો નો ઉત્સવ છે જેના વિશે ખૂબ ઓછી વાત થાય છે – જે રસોડામાં, લિવિંગ રૂમ માં અને સામાન્ય ચા ના કપ સાથેના મૌન માં છાની રીતે ઘણું કહી જાય છે. આ ફિલ્મ એ ખૂબ જ હળવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ કહાની કહે છે. જાણે સૌના જીવનનો એક ટુકડો લઈ લખી હોય તેવી આ કોમેડી ફિલ્મ ઘરની માલકીન અને ઘરની કામવાળી વચ્ચેના અનોખા બંધન વિશે ઘણું કહી જાય છે. આ કહાની છે ભાન કરાવે છે કે જે આઝાદી અને સગવડ આપણે અનુભવીએ છીએ તેની પાછળ આપણા જીવનના અમુક મજબૂત પાયા સ્વરૂપ લોકોનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. એક એવી નરમ અને લાગણીસભર કહાની.. જે કહેવી જરૂરી છે.”

ફિલ્મ વિશે માનસી પારેખ કહે છે, “આ ફિલ્મ પર કામ કરતાં મને સમજાયું કે ખરેખર આપણા ઘરની કામવાળી સાથે નો આપણો સંબંધ અતુલ્ય અને બેજોડ છે. ‘મહારાણી’ સ્ત્રી મિત્રતા, આત્મમુલ્ય અને આત્મપ્રેમને પણ મોટા પરિપ્રેક્ષ્યમાં સ્પર્શે છે. આ એક એવી કહાની છે જે સામાન્ય જીવન પર બનેલી એક અદભુત વાત કહી જાય છે. અનેક પ્રતિભાશાળી કલાકારો અને વિરલ જેવા ડિરેક્ટર સાથે કામ કરવું સ્વપ્ન સમાન અનુભવ રહ્યો. મારુ પાત્ર, માનસી, કોઈ પણ સ્વતંત્ર વર્કિંગ વુમન જેવું જ છે – જીવન રોજ નવા ચેલેન્જીસ લાવે છે અને તે પોતાની રીતે તેનું ઉત્તમ રીતે સામનો કરે છે. શ્રદ્ધા સાથે કામ કરવામાં ખૂબ મજા પડી અને જેમ જેમ અમે આ જર્ની માં આગળ વધ્યા તેમ તેમ અમારી વચ્ચે એક ગહન મિત્રતા વિકસી છે જે સ્ક્રીન પર અવશ્ય દેખાશે. હું આતુર છું કે દર્શકો આ ફિલ્મ જોવે અને થિયેટરમાંથી કંઈક મૂલ્યવાન શીખ લઈને નીકળે.”

ફિલ્મ વિશે શ્રદ્ધા ડાંગર કહે છે, “‘મહારાણી’ એક સાધારણ જીવન પર અસાધારણ રીતે લખાયેલી કહાની છે, જે અનેક સ્તરે વ્યક્તિગત રીતે મને જોડે છે. રાણીનું પાત્ર શક્તિ અને આત્મજ્ઞાન દર્શાવે છે. ફિલ્મનો મુખ્ય તત્વ કોમેડી છે અને હું આનો એક ભાગ બની શકી તેનો મને ખૂબ આનંદ છે. માનસી સાથે કામ કરવાનો અનુભવ અદભુત રહ્યો. અમે સાથે મળીને ક્રિએટિવ પ્રોસેસ શેર કરી અને એક એવી મિત્રતા બંધાઈ ગઈ છે જે સ્ક્રીન પર તેમજ સ્ક્રીન બહાર લોકોને જરૂર દેખાશે. ‘મહારાણી’ એક અનોખી ફિલ્મ છે અને મને આશા છે કે દર્શકો આ ફિલ્મનો પુરેપુરો આનંદ લેશે.”
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’ નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવા મા આવેલ છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો પ્રોડ્યૂસર્સ છે – મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા .

ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહએ દિગ્દર્શન આપ્યું છે, જ્યારે કહાની રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે. મહારાણી એ એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેની ઘરકામ માટેની કામવાળી વચ્ચેના સૂક્ષ્મ પણ ખાસ સંબંધને હળવા હાસ્ય અને ડ્રામા સાથે રજૂ કરે છે.

ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે.

કામેડી, ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ કર્યો ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત: જ્યાં શીખવાની સાથે તેજ પણ ચમકે

 

સુરત, જુલાઈ 2025:વિદ્યાર્થીઓને શૈક્ષણિક પાઠ્યપુસ્તકો ની બહાર પણ વ્યવહારિક અનુભવ મળી રહે તે માટે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓએ સુરત સ્થિત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી.
આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ જીવંત જોઈ શક્યું કે કઈ રીતે એક ખડક જેવો હીરા ધીરેધીરે અત્યાધુનિક તકનિકીઓ અને કુશળ હસ્તકલા દ્વારા ઝગમગતા રત્નમાં પરિવર્તિત થાય છે.
વિદ્યાર્થીઓને હીરા વિષયક મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી, જેમાં Cut, Clarity, Colour અને Carat (4Cs) વિશે વ્યાખ્યાં આપવામાં આવી. વિદ્યાર્થીઓએ હીરાના કટિંગ, પોલીશિંગ, ગ્રેડિંગ, કીમત આંકવી અને એક્સપોર્ટ પ્રક્રિયા જેવી અનેક સ્ટેજીસનો નિકટથી અભ્યાસ કર્યો.

વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ શૈક્ષણિક જ નહીં પરંતુ પ્રેરણાદાયક અને દ્રષ્ટિવિસ્તારક પણ સાબિત થયો. વિદ્યાર્થીઓએ ન માત્ર હીરાના વ્યવસાય વિશે જાણવા મળ્યું, પરંતુ જેમોલોજી, ડિઝાઇનિંગ, ક્વાલિટી કન્ટ્રોલ અને આંતરરાષ્ટ્રીય વેપાર જેવા ક્ષેત્રોમાં કરિયર બનાવવાની શક્યતાઓ વિશે પણ વિચારવિમર્શ કર્યો.
શાળાની પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ પ્રસંગે જણાવ્યું:
“શિક્ષણ ત્યારે વધુ અર્થસભર બને છે જ્યારે તે વર્ગખંડની બહાર નીકળે છે અને વાસ્તવિક દુનિયા સાથે જોડાય છે. આ પ્રકારના પ્રવાસ વિદ્યાર્થીઓને પડકારવા, પ્રેરણા આપવા અને તેમનાં વિચારવિસ્તારને વિસ્તૃત કરવા માટે અત્યંત જરૂરી છે.”

પ્રવાસના અંતે વિદ્યાર્થીઓ માટે એક ક્યુ & એ સત્ર પણ યોજાયું, જ્યાં વિદ્યાર્થીઓએ કુદરતી હીરા અને લેબ-ગ્રોઅન હીરા, તેમજ આ ઉદ્યોગની નૈતિકતા અને વૈશ્વિક માંગ વિશે ઉત્સાહભર્યા પ્રશ્નો પૂછ્યા.
વિદ્યાર્થીઓ માટે આ પ્રવાસ માત્ર એક શૈક્ષણિક યાત્રા નહોતો — પરંતુ તે એક એવી ક્ષણ બની, જ્યાં જ્ઞાન, તકનિકી, ઉત્સુકતા અને દૃષ્ટિ એકસાથે ચમકી ઉઠી.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં, અમારું ધ્યેય છે દરેક વિદ્યાર્થીઓને શિક્ષિત કરવું, પ્રેરણા આપવી અને ભવિષ્ય માટે તૈયાર કરવો — અને આ પ્રકારના અનુભવો તે દિશામાં મજબૂત પગલાં છે.