Tag: viral

A legendary, unforgettable ice performance will be seen in India this coming October
ઓલિમ્પિક ચેમ્પિયન અને ફિગર સ્કેટર તાતિયાના નવકાનો વર્લ્ડ ક્લાસ આઈસ શો “શેહેરાઝાદે”નું ભારતના ગુજરાતમાં આવેલા અમદાવાદમાં એકા એરેના ખાતે પ્રીમિયર થશે

 

એક પૌરાણિક કથા, એક વિસ્મરણીય આઈસ પર્ફોર્મન્સ ભારતમાં આવનારા ઓક્ટોબરમાં જોવા મળશે

નેશનલ, 30મી ઑગસ્ટ 2024: ભારત પ્રથમ વખત આઇસ સ્કેટિંગ, થિયેટર અને અરેબિયન વાર્તાઓના એક અદ્ભુત સંગમ જોવા મળશે. જેમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ફિગર સ્કેટર તાતિયાના નવકાનો વિશેષતા વાળો તેમજ સમીક્ષકો દ્વારા વખાણાયેલો ‘ શેહેરાઝાદે’ આઇસ શોનું આગમન થશે.

વન થાઉઝન્ડ એન્ડ વન નાઈટ્સની સુપ્રસિદ્ધ વાર્તાઓથી પ્રેરિત આ અસાધારણ પ્રસ્તુતિ સંગીત, નૃત્ય, એનિમેશન અને અત્યાધુનિક વિડિયો મેપિંગ ટેકનોલોજીના અદભૂત સંગમ સાથે પ્રેક્ષકોને મોહિત કરવાનું વચન આપે છે.

ભારતની સૌથી મોટી માર્કેટિંગ કોમ્યુનિકેશન અને અનુભવી કંપનીઓ પૈકીની એક લક્ષ્ય મીડિયા ગ્રુપના સહયોગથી મૂળ આઈસ શો બનાવવા, સ્ટેજિંગ કરવા અને પ્રવાસ કરવા માટે જાણીતી અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન કંપની નવકા શો કંપની દ્વારા આયોજિત આ અદભૂત ઈવેન્ટ અમદાવાદના એક એરેના ખાતે યોજાશે. આ શાનદાર કાર્યક્રમ 18મી થી 20મી ઓક્ટોબર 2024 સુધી ફાઇવ પરફોર્મન્સની એક વિશેષ સીમિત રેન્જ ગુજરાતના અમદાવાદમાં આવેલા એકા એરેનામાં આયોજિત કરવામાં આવશે

શેહેરાઝાદે ઓલિમ્પિક, વિશ્વ અને યુરોપીયન ચેમ્પિયન સહિત વિશ્વ વિખ્યાત ફિગર સ્કેટર્સની કલાત્મકતા દ્વારા પ્રેમ અને સાહસની મોહક વાર્તાઓને જીવંત કરે છે.

સ્ટાર સ્ટડેડ ઇન્ટરનેશનલ કાસ્ટમાં શેહેરાઝાદે તરીકે સાઇસ વિક્ટોરિયા સિનિત્સિના તરીકે તાતિયાના નવકા, શહરયાર તરીકે નિકિતા કાત્સાલાપોવ, કિંગ મિરગાલી તરીકે પોવિલાસ વનાગાસ, અલાદ્દીન તરીકે ઇવાન રિઘિની અને જિન તરીકે એગોર મુરાશોવ જોવા મળશે.
દરેક પ્રદર્શન ફિગર સ્કેટિંગના અદ્ભુત પ્રેરણાદાયી પરાક્રમોનું વચન આપે છે, જે પ્રેક્ષકોને જાદુઈ ક્ષેત્રમાં લઈ જશે જ્યાં બરફ પર નૃત્ય એક થિયેટ્રિકલ અજાયબી બની જાય છે.

તાતિયાના નવકા જે ઓલિમ્પિક ચેમ્પિયન, બે વખતની વર્લ્ડ ચેમ્પિયન, ત્રણ વખતની ગ્રાન્ડ પ્રિકસ ફાઈનલ ચેમ્પિયન અને ત્રણ વખત યુરોપિયન ચેમ્પિયન છે. આ સાથે નિર્માતા, દિગ્દર્શક અને કોરિયોગ્રાફર તેમજ એવુ બ્રેન છે જેને આ શોને ભારતમા લાવવા માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો

નવકાએ કહ્યું કે , “શેહેરાઝાદે માત્ર એક શો નથી તે અજાયબીની દુનિયાની સફર છે. અમે ભારતીય પ્રેક્ષકો સાથે આ જાદુઈ અનુભવ શેર કરવા માટે રોમાંચિત છીએ, જેઓ અમારા ચેમ્પિયન કલાકારોને આ કાલાતીત વાર્તાઓને બરફ પર જીવંત બનાવતા જોશે”.

આ ભવ્ય સ્કેલ આઈસ શો ભારત પ્રથમ વખત આવી અનોખી ઈવેન્ટનું આયોજન કરશે. જટિલ કોરિયોગ્રાફી અને નાટકીય લાઇટિંગથી લઈને અદભૂત કોસ્ચ્યુમ અને ઇમર્સિવ સ્ટોરીટેલિંગ સુધીના દરેક એલિમેન્ટ એક અનફર્ગેટેબલ એક્સપિરિયન્સ દર્શાવે છે.

વિશ્વ કક્ષાના સ્કેટર્સના સ્પેલબાઈન્ડિંગ પર્ફોર્મન્સ અને નિર્ભેળ કલાત્મકતા જોઈને પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જશે, કારણ કે તેઓ વિસ્તરીત આઈસ રિંક પર સરકશે, સ્પિન કરશે અને કૂદશે.

શો શેડ્યૂલ (કૃપા કરીને નોંધ લેશો – શોના સમય બદલવાને આધીન છે):
· 18મી ઑક્ટોબર 2024 (શુક્રવાર): સાંજે 7:00 વાગ્યે શો

· 19મી ઓક્ટોબર 2024 (શનિવાર): બપોરે 2:00 અને સાંજે 7:00 વાગ્યે શો
· 20મી ઓક્ટોબર 2024 (રવિવાર): બપોરે 12:00 અને સાંજે 4:00 વાગ્યે શો
આ શોને જોવાનું ચૂકશો નહીં!

જનરલ પાર્ટનર પીજેએસસી એનકે રોસનેફ્ટ ભારતમાં શેહેરાઝાદે આઈસ શો ટૂરને સમર્થન કરે છે, જેનાથી ભારતીય પ્રેક્ષકો માટે વિશ્વ કક્ષાનું ઉત્પાદન સુનિશ્ચિત થાય છે. તાતિયાના નવકા દ્વારા શેહેરાઝાદે આઇસ શોની માટેની ટિકિટ બુક માય શો (BookMyShow) પર ઉપલબ્ધ છે.

AAP workers visited flood affected areas in Ahmedabad, Jamnagar and Vadodara and distributed food.
‘આપ’ના કાર્યકર્તાઓએ અમદાવાદ, જામનગર અને વડોદરામાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ફૂડ વિતરણ કર્યું.

 

અતિભયંકર વરસાદથી પીડિત હજારો લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું: ‘આપ’

પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે : રાકેશ હીરપરા

અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તથા અસરગ્રસ્તોને મળ્યા. ‘આપ’નો એક એક કાર્યકર્તા આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોની સાથે છે: મનોજભાઈ સોરઠીયા

છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ જ છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે સરકારના લોકો મોટી મોટી બેઠકો કરે છે અને લાખો કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ચોમાસામાં પ્રી મોનસુનની બેઠકોની બધી હકીકત લોકો સામે આવી જાય છે. ધોધમાર વરસાદ અને સરકારની બેદરકારીને કારણે આજે રાજ્યના અનેક વિસ્તારમાં ભયંકર પુરનું નિર્માણ થયું છે. આ પૂરની પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વડોદરામાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું. મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર વિસ્તારમાં અતિભયંકર વરસાદથી પીડિત આશરે 2000 લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું.

આ કુદરતી આપદામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરા, SMC પૂર્વ વિપક્ષ નેતા શ્રી ધર્મેશ ભંડેરી, વડોદરા શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ ઓઝાની આગેવાનીમાં વડોદરા શહેરની ‘આપ’ ટીમે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડપેકેટ વિતરણ અને જંતુનાશક દવાઓના છંટકાવનું કાર્ય કર્યું. તમામ વડોદરા શહેર સંગઠનના કાર્યકરો વરસાદથી પ્રભાવિત થયેલા અલગ અલગ વોર્ડમાં નીચાણ વાળા વિસ્તારો, કાંઠાવાળા વિસ્તારો તેમજ પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોની મુલાકાત લઈ જરૂરિયાતમંદોને ઘરે ઘરે જઈ ગરમા ગરમ ભોજન આપવામાં આવ્યું તેમજ યોગ્ય સહાય કરવામાં આવી.

આ પ્રસંગે ‘આપ’ પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે લોકો પોતાની ઘરવખરીનો સામાન પણ બચાવી શક્યા ન હતા. સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેતીનું પણ નુકસાન થયું છે અને હજુ પણ સરકાર કે તંત્ર તરફથી જોઈએ એવી કોઈ પણ મદદ મળી નથી.

પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને લોકોને સહાય આપે. કારણ કે હાલ લોકોને પારાવાર નુકસાની થઈ છે. આશા રાખીએ છીએ કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તંત્ર ઝડપી કામગીરી કરશે અને લોકોને રાહત અપાવશે.

A 35 feet tall Golden Dahi Handi was organized by Youth for Gujarat in Limbayat
લિંબાયતમાં યુથ ફોર ગુજરાત દ્વારા કરાયું 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહી હાંડીનું આયોજન

 

સુરત શહેરમાં જન્માષ્ટમી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ બાદ શહેરમાં ઠેર ઠેર દહિહાંડી ફોડવાનું આયોજન થયું હતું. જેમાં યુથ ફોર ગુજરાત દ્વારા સતત બીજા વર્ષે લિંબાયતના સંજય નગર સર્કલ ખાતે આયોજિત દહી હાંડી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહી હાંડી માટે યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલ સાથે જ તેમની ટીમના સભ્ય બંટી પાટીલ અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 35 ફૂટ ઊંચી આ દહી હાંડી ફોડનાર મંડળ માટે 1.51 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતી. જ્યારે મહિલા મંડળો માટે પણ અલગથી 20 ફૂટ ઊંચાઈની દહી હાંડી બાંધવામાં આવી હતી. યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે 35 ફૂટ ઊંચી દહી હાંડી ફોડવા માટે બે મહિલા મંડળો સહિત કુલ 22 ગોવિંદા મંડળો પધાર્યા હતા. જે પૈકી 11 મંડળો સલામી આપવા આવ્યા હતા તો 9 મંડળો દ્વારા દહી હાંડી ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દહી હાંડી આ આયોજન માટે લિંબાયત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા આયોજન સ્થળ પર જન મેદની ઉમટી પડી હતી. ગોવિંદા મંડળો દ્વારા લેઝીમ સહિત અનેક કરતબો રજૂ કરવામાં આવતા તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ધૂમધામ પૂર્વક દહી હાંડી ઉત્સવના પગલે લિંબાયત વિસ્તારમાં માહોલ કૃષ્ણમય બની ગયો હતો.

Bus carrying passengers from Jalgaon in Maharashtra falls into river in Nepal, 27 dead
મહારાષ્ટ્રના જલગાંવથી મુસાફરોને લઈને જતી બસ નેપાળમાં નદીમાં પડી, 27ના મોત

 

આ કરૂણ અકસ્માતમાં મૃત્યુ પામનારમાં ભુસાવલના 17 મુસાફરો સામેલ હતા.

સુરત. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલ તાલુકામાંથી મુસાફરોને લઈને જતી બસ નેપાળની નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 27 મુસાફરોના મોત થયા હતા. તે જ સમયે, 16 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. બસમાં 43થી વધુ મુસાફરો સવાર હતા.

બસ નેપાળના પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. ત્યારબાદ તનહુન જિલ્લાના આઈના પહાડામાં સવારે 11.30 વાગ્યે તે હાઈવેથી લગભગ 500 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મહારાષ્ટ્રના ભુસાવલના રહેવાસી હતા. બધા નેપાળ ફરવા ગયા હતા. તનાહુનના મુખ્ય જિલ્લા અધિકારી જનાર્દન ગૌતમે જણાવ્યું કે કેટલાક ઘાયલોનું સારવાર દરમિયાન મોત થયું છે.

નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ આર્મી શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. 45 આર્મ્ડ પોલીસ ફોર્સ (APF) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. નેપાળ આર્મીનું MI-17 હેલિકોપ્ટર મેડિકલ ટીમને લઈને કાઠમંડુથી તનાહુન પહોંચ્યું હતું. ગંભીર રીતે ઘાયલ 16 મુસાફરોને એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભુસાવલ તહસીલના વરણગાંવ અને પિંપલગાંવથી 104 પ્રવાસીઓ નેપાળની દસ દિવસની યાત્રા પર ગયા હતા. તેઓ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજ પહોંચ્યા. આ પછી અમે ખાનગી ટ્રાવેલ એજન્સીની ત્રણ બસમાં નેપાળ જવા નીકળ્યા. નેપાળના

બસ નેપાળ ના બે દિવસના પ્રવાસ બાદ કાઠમંડુ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણમાંથી એક બસ નદીમાં પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે મૃતકોમાં 17 મુસાફરો ભુસાવલના હતા. હાલ તમામ મૃતદેહો નેપાળથી મહારાષ્ટ્ર લાવવાના પ્રયાસો ચાલુ છે. સમગ્ર ઘટના અંગે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સતત નેપાળ સરકારના સંપર્કમાં છે.

Budget 2024 focuses on building infrastructure for New India
बजट 2024 में नए भारत के बुनियादी ढांचे के निर्माण पर ध्यान केंद्रित किया गया

 

नरेंद्र मोदी के नेतृत्व वाली केंद्र सरकार देश की अर्थव्यवस्था और विकास को और मजबूत करने के लिए दृढ़ संकल्पित है। इस बार केंद्रीय बजट वास्तविक अर्थव्यवस्था के लिए सकारात्मक है क्योंकि इसमें ग्रामीण क्षेत्र, कृषि विकास, रोजगार सृजन, नौकरी के लिए तैयार युवाओं के कौशल विकास और अर्थव्यवस्था की उत्पादक क्षमता को बढ़ाने के लिए बुनियादी ढांचे पर ध्यान केंद्रित किया गया है। सबसे अच्छी बात यह है कि इस साल सरकारी उधारी को कम करते हुए बाजार के लिए ये सभी प्रमुख पहल की गई हैं, जिसमें राजकोषीय घाटे को जीडीपी के 4.9 प्रतिशत तक लाना भी शामिल है। जो एक अच्छी बात है। क्योंकि कर्ज कम करने के साथ-साथ नरेंद्र मोदी सरकार ने जमीनी स्तर के लिए सकारात्मक फैसला लिया है।

महिलाओं के लिए रोजगार प्रोत्साहन योजनाओं और कार्यक्रमों से कुल खपत को बढ़ावा मिलने की उम्मीद है, साथ ही उच्च आयकर से छूट के साथ-साथ सोना, चांदी, मोबाइल फोन और इलेक्ट्रॉनिक्स पर आयात शुल्क में कमी की गई है। जबकि प्रत्यक्ष (डायरेक्ट टैक्स) कर से कर चुकाने के बाद भी कमाने वालों के हाथ में पैसा बढ़ेगा। रोजगार कार्यक्रमों पर खर्च करने से देश के युवाओं के हाथ में अधिक पैसा आ सकता है।

बजट घोषणाओं के बाद भारत की उपभोक्ता वस्तु कंपनियों और दोपहिया वाहन निर्माताओं को लाभ हुआ है। कुछ राज्यों में अंतर्निहित प्राथमिक बुनियादी ढांचे ने भी निवेश पर ध्यान केंद्रित करने में मदद की है। सोने और चांदी पर कर में कमी के कारण ज्वैलर्स के शेयरों में भी उछाल आया है। बजट में कोई अतिरिक्त कर घोषित नहीं किए जाने के बावजूद तंबाकू कंपनियों के शेयर की कीमतों में उछाल आया है।

बजट में एंजल टैक्स को खत्म करने से देश के स्टार्ट-अप सेक्टर को फायदा होगा। यह कर स्टार्ट-अप द्वारा उचित बाजार मूल्य से अधिक कीमत पर जुटाए गए धन पर लगाया जाता है। इससे देश में स्टार्ट-अप परिदृश्य को बढ़ावा मिलेगा।

रक्षा से लेकर रेलवे, प्रॉपर्टी डेवलपर्स से लेकर निर्माण कंपनियों तक के प्रमुख शेयरों में तेजी देखी गई, जो भविष्य के उज्ज्वल पूर्वानुमानों से प्रेरित है। इस प्रकार बजट सकारात्मक है और इससे अर्थव्यवस्था की वृद्धि को बढ़ावा मिलेगा। इसलिए अंत में बाजार को भी मदद मिलेगी।

A young man died after mysteriously falling from the fourth floor of a hotel in Dindoli area of ​​Surat.
સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મો*ત નિપજ્યું હતું.

 

અજાણ્યા તરીકે આ યુવક નું મોત થયું હતું. પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી. પુણેના સાડીના વેપારીનું સુરતના ચાર ટેક્સટાઇલના વેપારીઓ અપહરણ કરી લાવ્યા હતા અને ત્યારબાદ આ હોટલમાં ગોંધી રાખ્યો હતો. આ સાથે જ 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. જેથી કંટાળીને સાડીના વેપારીએ હોટલના બાથરૂમ ના રૂમ ની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ ગઈ હતી. હાલ અસાડીના વેપારીની પત્નીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે ટેક્સટાઇલના ચાર વેપારીઓ વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા પત્ની અને એક છ વર્ષની દીકરી છે. રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો હતો અને સાડીનો વેપારી હતો. રાકેશ નો વેપાર ધંધો સુરત કર્ણાટક આ તમામ જગ્યાઓ પર હતો. વેપાર ધંધા ને લઈને તે કર્ણાટક સુરત તમિલનાડુ સહિતની જગ્યાઓ પર તે આવતો જતો રહેતો હતો.

ગત 6 ઓગસ્ટના રોજ રાકેશ પુણે થી તમિલનાડુના મદુરાઈ જવા ખાતે ઘરેથી નીકળ્યો હતો. એરપોર્ટ પર તેની ફ્લાઈટ હોવાથી સવારે 11:30 વાગે ઘરે થી એરપોર્ટ જવા રવાના થયો હતો. ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે રાખે છે તેની પત્નીને જાણ કરી હતી કે સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ એરપોર્ટ જતા સમયે રસ્તામાં મળી ગયા હતા. ત્યારબાદ આ ચારે જબરદસ્તી મને સુરત લઈને જઈ રહ્યા છે. જેથી મધુરાઈ જવાનું કેન્સલ કરી દીધું છે.

એક કલાક બાદ રાખે છે પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પહોંચી ગયા છે. ત્યારબાદ પત્નીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે રાકેશ નો કોલ લાગ્યો ન હતો. બીજા દિવસે એટલે કે 7 ઓગસ્ટના રોજ સવારે 8:30 વાગ્યે રાકેશને પત્નીએ કોલ કરતા જણાવ્યું હતું કે હું ઠીક છું અને સુરત પહોંચી ગયો છું. ત્યારબાદ બપોરના ત્રણ વાગ્યા પછી પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે આ ચારેય લોકો મારી પાસે 40 લાખ રૂપિયા માંગે છે તેઓને 40 લાખ રૂપિયા આપવા પડશે તું ગમે તેમ કરીને 40 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી સુરત આપી જા.

રાકેશ ડરામણા આવાજે પત્ની સાથે ફોન પર વાત કરતો હતો ત્યારબાદ એક કલાક પછી પત્નીએ રાકેશને કોલ કરી ને પૂછ્યું હતું કે કઈ વાતના 40 લાખ એક દિવસમાં હું 40 લાખ ક્યાંથી લાવું. તમારી પાસે 40 લાખ રૂપિયા કોણ માગે છે તેની સાથે વાત કરાવવાનું કહેતા જ ચાલુ ફોને હરીશ નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. હરીશે જણાવ્યું હતું કે બેન ચાલીસ લાખ રૂપિયા તો ગમે તેમ કરીને આપવા જ પડશે જેથી સામે રાકેશની પત્નીએ જણાવ્યું હતું કે શેની મેટર છે શેના 40 લાખ તો હરીશે જણાવ્યું હતું કે 40 લાખ તો આપવા જ પડશે.

હરીશે ધમકીના રૂપમાં વાત કરતા રાકેશ ની પત્નીએ પૂજાએ કહ્યું હતું કે તમે ધરાવી ધમકાવીને કેવી રીતે ચાલીસ લાખ રૂપિયા માગી શકો તેવો મરી જશે તો 40 લાખ રૂપિયા ક્યાંથી આપશે. જેથી હરી છે કહ્યું હતું કે રાકેશને અમે કાંઈ નહીં કરીએ તેને બે ટાઈમ ખવડાવી પીવડાવીએ છીએ પરંતુ 40 લાખ રૂપિયા આપવા જ પડશે. જેથી પૂજા એ કહ્યું હતું કે થોડો સમય આપો. ત્યારબાદ ફોન કટ કરી નાખ્યો હતો.

7 ઓગસ્ટના રોજ રાત્રે 8:30 વાગ્યે પત્નીએ રાકેશને ફોન કરી જણાવ્યું હતું કે આ લોકોને તમે કહો કે થોડો સમય આપે 40 લાખ રૂપિયા જમીન મકાન વેચીશું તો પણ નહીં આવે 40 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું. જેથી રાખે છે જણાવ્યું હતું કે તું ગમે તે કર પણ આ લોકોને 40 લાખ રૂપિયા આપવા જ પડશે તેમ કહીને ફોન મૂકી દીધો હતો. 8 ઓગસ્ટના રોજ સવારે 10:00 વાગ્યા પછી રાખે છે પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે 40 લાખ રૂપિયાનું શું થયું? આ લોકો મારી પાસે જબરજસ્તી પૈસા માગે છે અને 40 લાખની વ્યવસ્થા ન થાય તો અડધા પૈસાની વ્યવસ્થા પણ પૈસા તો આપવા જ પડશે.

પતિ રાકેશ ટેન્શનમાં હતો અને આ રીતે વાત કર્યા બાદ ફોન કટ કરી નાખતો હતો જેથી પત્ની પણ ટેન્શનમાં આવી ગઈ હતી. દરમિયાન ફરી રાકેશ એ પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે હું ડીંડોલી પોલીસ સ્ટેશનની બહારથી બોલું છું આ લોકો મારું કંઈ સાંભળતા નથી અને મને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે. તેથી પત્નીએ કહ્યું હતું કે તમે તે લોકોને સમજાવો જેવો ધંધો ચાલુ થશે તેવા તેમના પૈસા આપણે આપી દઈશું. આ વાત થયા બાદ ફોન ફોન બંધ કરી દીધો હતો. અડધો કલાક બાદ ફરી રાકેશે પત્નીને કોલ કરીને કહ્યું હતું કે પૂજા અમારો છેલ્લો કોલ છે તું પૈસાની વ્યવસ્થા કરી શકતી હોય તો કરી લે.

પત્નીને રાકેશે છેલ્લો કોલ હોવાનું કહેતા જ ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. પત્ની પૂજાએ અડધા અડધા કલાકે પતિ રાકેશ ને ફોન ઉપર ફોન કરવા છતાં પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારબાદ પત્નીને 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા આસપાસ પોલીસ દ્વારા રાકેશ ના મોત અંગે જાણ કરવામાં આવી હતી. પતિના મોતની જાણ થતાં પત્ની પૂજા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ 10 ઓગસ્ટ ના રોજ પત્ની સંબંધીઓ સાથે સુરત ખાતે પહોંચી હતી.

સાત ઓગસ્ટ થી રાકેશને ડિંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડ ના ચોથા માળે આવેલી હોટલ ડીલાઈટ ઈન ના રૂમ નંબર 104 માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી હરીશ ગૌતમ અને જયેશ આ ચાર લોકોએ રાકેશને પુણેથી અપરણ કરી લાવીને અહીં હોટલમાં ગાંધી રાખી 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. આ રૂપિયાની માગણી થી કંટાળીને રાકેશે આઠ ઓગસ્ટના રોજ સાંજે હોટલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી.

રાકેશની પત્ની પૂજાએ આ ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. આ સાથે જ મૃતક રાકેશ ની પત્નીનું એટીએમ કાર્ડમાંથી 40,000 પણ ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક રાકેશ ની પત્નીના ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે રાકેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને એકની એક દીકરીએ પિતાની છત્રછાયા અને પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે.

યુવક ના મોત ની રહસ્યમય કહાની આવી સામે,
અપહરણ આત્મહત્યા વચ્ચેનો ભેદ
પુણે નો એક સાડી વેપારી
હોટલમાં બાથરૂમની બારીમાંથી કૂદકો

Oh God! On the basis of which the parents sent their daughter to school, the rickshaw driver made the girl a victim of hunger...
હે ભગવાન! જેના ભરોસે માતા પિતા પુત્રીને સ્કૂલે મોકલતા એ રિક્ષા ચાલકે જ બાળકીને બનાવી હવસનો શિ*કાર….

 

શહેરમાં માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મની ઘટ*નાઓ સતત વધી રહી છે ત્યારે આવી જ વધુ એક જઘન્ય ઘટ*ના ખટોદરા વિસ્તારમાં સામે આવી છે. જેમાં સ્કૂલ ઓટો ચાલક દ્વારા ચાર વર્ષીય માસૂમ બાળકીને હવસનો શિકાર બનવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મુત્તલીક શેખ સ્કૂલ ઓટો ચલાવે છે અને તે ત્રણ સંતાનો નો પિતા છે. છતાં આ નરાધમે પોતાની રીક્ષામાં સ્કૂલે જતી ચાર વર્ષીય બાળા પર નજર બગાડી હતી. તે બાળકીને એકાંત સ્થળે લઈ જતો અને દુષ્કર્મ આચરતો હતો. આખરે બાળકીએ માતા પિતાને રિક્ષા વાળો અંકલ ગંદુ કામ કરતો હોવાનું જણાવતા આખો મામલો સામે આવ્યો હતો અને વાત પોલીસ મથકે પહોંચી હતી. ખટોદરા પોલીસ બળાત્કાર અને પૉકસો એકટ ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

The Aam Aadmi Party protested by planting the BJP flag in the pile of dirt
ગંદકીના ઢગમાં ભાજપના ઝંડા રોપી આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો

 

મંત્રી પ્રફુલ પાનશેરિયાના મત વિસ્તાર કામરેજમાં જનતા તૂટેલા રોડ રસ્તા અને રખડતા ઢોરોથી પરેશાન છે : કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા

કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે : જે.ડી.કથીરિયા

ચૂંટણી વખતે મત માંગવા પ્રફુલભાઇ પાનશેરિયા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય : જે.ડી.કથીરિયા

કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ આજે ભાજપ શાસકો સામે મોરચો માંડયો હતો. જે.ડી.કથીરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું જેમાં તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોના ફોટા વાળા એપરન પહેરી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘કામરેજ ઉભરાતી ગટર થી પરેશાન છે, કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે, કામરેજ રખડતા ઢોરથી પરેશાન છે.’ ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં ભાજપના ઝંડા પણ રોપવામાં આવ્યાં હતાં. જેને લઈને સ્થાનિક રહીશો પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં.

આ બાબતે કામરેજ તાલુકા પંચાયત જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના મતવિસ્તાર કામરેજમાં લોકો તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોથી ખૂબ જ પરેશાન છે. મંત્રીશ્રી પોતાના જ મતવિસ્તારને પાયાની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ સાબિત થયાં છે. કામરેજના બધા જ માર્ગોની હાલત ખૂબ જ દયનીય છે. તૂટેલા રસ્તાઓ પર ગાડીઓ ચલાવીને લોકોના વિહિકલને પણ નુકસાન થઇ રહ્યું છે. રખડતા ઢોરો કામરેજના રસ્તાઓ પર જ્યાં ત્યાં રઝળતી હાલતમાં જોવા મળે છે, જેને લઈને વાહન ચાલકો અકસ્માતની ભીતિએ વાહન ચલાવતા પણ ગભરાઈ રહ્યાં છે. કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે. માનનીય મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાને પણ લોકોની હાલાકી જોવાની ફુરસત નથી મળતી. કામરેજ ગ્રામ પંચાયત સરપંચ કિંજલબેન શાહની કામગીરી પણ તદ્દન નિરાશાજનક દેખાઈ આવે છે તેમ સ્પષ્ટ શબ્દોમાં જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું.

જે.ડી.કથીરિયાએ આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા ચૂંટણી વખતે મત માંગવા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય તો ખબર પડે કામરેજની જનતામાં કેટલો આક્રોશ છે. ઉભરાતી ગટરો રોગચાળાને ઘરે લઇ આવશે તેવી આશંકા પણ જેડી કથીરિયાએ વ્યક્ત કરી હતી.

The owners' attempt to create pressure on the municipal administration to start illegal pot dyeing under the guise of unemployment....
બેરોજગારીની આડમાં ગેરકાયદે તપેલા ડાઇંગ શરૂ કરવા મનપા તંત્ર પર દબાણ ઊભું કરવાનો માલિકોનો પ્રયાસ….

 

લિંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે ધમધમી રહેલા તપેલા ડાઇંગ સામે કરવામાં આવેલી સિલીંગ ની કાર્યવાહી બાદ હવે તપેલા ડાઇંગના સંચાલકો બેરોજગારીની આડમાં સીલ ખોલવા માટે મનપા તંત્ર પર દબાણ ઊભી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સંચાલકો દ્વારા આ મામલે લિંબાયત ઝોન ખાતે મોરચો લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી અને સીલ ખોલી સમય આપવા માટેની માંગ કરી હતી. જોકે લિંબાયત ઝોનના અધિકારીઓ આ ગેરકાયદે તપેલા ડાઈંગો સામે ટસ ના મસ થયા ન હતાં. ઉલ્લેખનીય છે કે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલ મંગલા પાર્ક, ગોવિંદ નગર, મમતા પાર્ક, રતન નગર, મહાપ્રભુનગર, સહિતના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે તપેલા ડાઈંગો ધમધમે છે. આ તપેલા ડાઇંગના સંચાલકો દ્વારા કલર યુક્ત પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે સીધું જ મનપાની ડ્રેનેજ લાઈનમાં છોડી દેવામાં આવે છે. જેના કારણે ઘણી વખત ડ્રેનેજ લાઇન ઉભરાતા કલર વાળું પાણી રસ્તા પર ફરી વળે છે અને ઘણી વખત આ પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થતાં લોકોના ઘરોમાં પણ કલર વાળું પાણી આવતું હોય છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત આ અંગે લિંબાયત ઝોનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જોકે હવે તંત્રની આખો ખુલી છે અને અનેક તપેલા ડાઈંગ સીલ કરી દેવામાં આવી છે. જોકે હવે તપેલા ડાઇંગ ચલાવનારાઓ બેરોજગારીના નામે તંત્ર પર દબાણ ઊભું કરતા જોવા મળી રહ્યા છે ત્યારે મનપા તંત્ર આ દબાણ ને વશ થશે કે પછી લોક હિતમાં કાર્યવાહી જારી રાખશે તે જોવું રહ્યું.

Aam Aadmi Party opposes medical college fee hike and demands withdrawal of fee hike: Leader of Opposition Payal Sakaria
મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.

 

આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા

BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.

આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.