ગુજરાત ખબર
‘પ્યોર વિવાહ-2026’ સફળતાપૂર્વક સંપન્ન: SRK ગ્રૂપ દ્વારા યોજાયો 12મો સમૂહ લગ્નોત્સવ જેમાં 75 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના ઉપક્રમે મોટા વરાછામાં ભવ્ય સમારોહ યોજાયો, મંત્રીઓ-સાંસદો સહિત ઉદ્યોગ જગતની હસ્તિઓ સાક્ષી બન્યા. સુરત: શહેરમાં સામાજિક સેવાનો પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેલ ‘પ્યોર વિવાહ – સમૂહ લગ્નોત્સવ 2026” 21મી ફેબ્રુઆરી 2026, શનિવારના રોજ મોટા વરાછામાં ભવ્ય રીતે સંપન્ન થયો. શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK) ની CSR આર્મ SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) અને શ્રી રામકૃષ્ણ વેલફેર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં 75 દીકરીઓના લગ્ન માનભેર કરાવવામાં આવ્યા. ‘પ્યોર વિવાહ’ શ્રેણીનો આ 12મો સમારોહ હતો જેના સાક્ષી 15000 થી પણ વધુ લોકો બન્યા છે. 2015થી શરૂ કરાયેલ પ્યોર વિવાહમાં અત્યાર સુધીમાં 1000 થી પણ વધુ યુગલોના લગ્ન આ મંચ પરથી સંપન્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ માટે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાઈ રહી છે. આ સમૂહ લગ્નોત્સવ પાછળની ભાવનાનું પ્રેરણાસ્રોત SRK અને SRKKFના ફાઉન્ડર ચેરમેન એમીરીટસ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાનું વિચાર છે. તેઓનો વિશ્વાસ છે કે, “તમારી સંપતિનો સદુપયોગ કરવો હોય તો સાચી જરૂરિયાતવાળા લોકો તમારી આજુબાજુ તમારી સામે જ છે અને તેમના માટે કંઈક સારા કામ કરીએ એ જ સાચી સેવા છે.” ‘પ્યોર વિવાહ’ની આખી સંકલ્પના આ વિચાર પર આધારિત છે. તેઓ દરેક દીકરીને SRK પરિવારની દીકરી સમાન માને છે અને તેમને માન, આનંદ અને આત્મીયતા સાથે વિદાય આપવાની ભાવનાથી આ સમારોહ આયોજિત કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન જાન આગમન, હસ્તમેળાપ, આશીર્વચન સમારોહ, ભોજન સમારોહ અને કન્યાવિદાય જેવા તમામ ધાર્મિક વિધિઓ પરંપરાગત રીતે સંપન્ન થયા હતા. SRK પરિવાર તરફથી દીકરીઓને 3 લાખથી પણ વઘુની ઘરવખરી કરિયાવરમાં આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા.

મીતરાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી- (MITRAJ IDPT), ખાતે Multidisciplinary -બહુવિષયક આંતર-રાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી સંચાલિત, મીતરાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી- MITRAJ IDPT, અનુભવી ફેકલ્ટી અને વૈશ્વિક અભ્યાસક્રમનાં સંગાથે,વિવિધ આંતરાષ્ટ્રીય પ્રોજેક્ટો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતાનું સક્રિય કેન્દ્ર તરીકે પ્રગતિ કરી રહી છે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી નાં ચેરમેન શ્રી. આશિષ વકીલના, કહેવા મુજબ, આર્કિટેક્ચર, ઇન્ટીરીયર ડીઝાઈન, ફાઇન આર્ટ્સ અને પ્લાનિંગ નાં કોર્ષો સાથેની ગુજરાત ની પ્રથમ કક્ષાની ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ- MITRAJ IDPT, તા. ૨૫,૨૬ અને ૨૭ ફેબુઆરી-2026 દરમ્યાન એક Multidisciplinary-બહુવિષયક આંતર-રાષ્ટ્રીય કોન્ફરન્સ –“Designing Identities: Intersections of Art, Architecture, Culture, Religion, Science, Technology & Society.” નું આયોજન કરી રહી છે. કોન્ફરન્સનું ઉદઘાટન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના હોદ્દેદારો અને દેશ-વિદેશના મહેમાનો તેમજ ખાસ કરી , યુરોપના વિવિધ દેશો થી આવેલ મુખ્ય વક્તાઓ ની હાજરીમાં, ૨૫મી ફેબુઆરી નાં રોજ સવારે ૯:૦૦ કલાકે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ના કેમ્પસ માં આવેલા તારા-મોતી હોલમાં આયોજિત થયું છે.
MITRAJ IDPT નાં પ્રિન્સિપાલ અને કોન્ફરન્સના અધ્યક્ષ પ્રો. પર્સી એંજિનિયરનાં , જણાવ્યાં મુજબ, પ્રથમ બે દિવસો દરમ્યાન, યુરોપના વિવિધ છ દેશોથી આવેલાં, દશ વક્તાઓ પોતાનાં કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મ પર વૈશ્વિક દૃષ્ટિકોણો રજૂ કરશે. એ પછી, બપોર ના સેશન માં Track 1: Socio-Cultural Praxis. Track 2: Science, Technology & Media, Track 3: Business, Management & Education, એમ મુખ્ય ત્રણ ટ્રેકો પર રાષ્ટ્રીય અને આંતર- રાષ્ટ્રીય Students, Academicians and
Researchers વગેરે પાર્ટીશીપન્ટો દ્વારા પેપરો રજૂ થશે.
સાર્વજનિક યુનિવર્સિટીનાં પ્રો-વોસ્ટ ડૉ.કિરણ પંડ્યાએ વધુ ઉમેરતા જણાવ્યું કે, સાર્વજનિક યુનિવર્સિટી અને MITRAJ IDPT દ્વારા સંચાલિત આ આંતર-રાષ્ટ્રીય કોન્ફરન્સમાં કલા, વાસ્તુકલા,સંસ્કૃતિ, ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી જેવી અલગ લાગતી બાબતો મળીને સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં પરસ્પર સંવાદ અને સહકારથી આજના સમયમાં સમાજ અને સંસ્કૃતિ કેવી રીતે રચાય છે અને ભવિષ્યમાં કેવી રીતે રચાવી જોઈએ અને આપણે શું ધ્યાન રાખવું જોઇએ? એ વિષયો પર વિવિધ દેશ-વિદેશ થી આવનાર તજજ્ઞો દ્વારા વક્તવ્ય અપાશે, પેપરો પ્રેજન્ટ થશે અને પેનલ ડિસ્કશન દ્વારા ચર્ચા-વિચારણા કરી તારણો તેમજ સૂચનો રજુ કરવામાં આવશે.
MITRAJ IDPT, યુરોપિયન યુનિયન ના Erasmus+ પ્રોજેક્ટ અંતર્ગત, એક સંશોધન પ્રોજેક્ટ InEq-SL-Fostering Inclusive and Equitable Quality Education to stimulate lifelong Sustainable Learning opportunities for HEIs in India – InEq-SL” પર પણ કામ કરી રહી છે. ભારતમાં Higher Education Institute માટે ગુણવત્તાસભર અને જુદા-જુદા વર્ગોનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટેનાં સમાન અવસરો આપવાના ધ્યેયને પ્રોત્સાહન આપી એ માટેના જુદા-જુદા રસ્તાઓ શોધવાના MITRAJ IDPT, નાં નેતૃત્વ હેઠળ પાંચ યુનિવર્સિટીઓ નાં સહયોગ થી છેલ્લા ત્રણ વર્ષ થી ચાલતાં આ પ્રોજેક્ટ દરમ્યાન ઉચ્ચ શિક્ષણ નાં વ્યાપક પ્રસાર અને અમલીકરણ માટેના ઘણા સૂચનો સામે આવ્યાં. જ્યારે IDPT પોતાના આ પ્રોજેકટ નાં રિસર્ચ પર આગળ વધી રહી હતી, ત્યારે સ્પષ્ટ બન્યું કે, સર્વસમાવેશક અને સમાન ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવામાં આવતી અડચણો સાથે સમાજની ભાષા, સંસ્કૃતિ, અર્થશાસ્ત્ર, ધર્મ, કલા અને ટેક્નોલોજી વગેરે પરિબળો ગાઢ રીતે વણાઈ ગયેલા છે. આ -કોન્ફરન્સ નો મૂળ હેતુ આ અડચણોને દુર કરવાની દિશામાં વિચારણા દ્વારા નક્કર પ્રયત્ન કરવાનો પણ છે.
સંમેલનનો વિષય (Conference Theme):
કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મ માનવીય ઓળખને ઐતિહાસિક રીતે ઘડતા આવ્યા છે, જ્યારે આધુનિક યુગમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, બજાર અને નીતિ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ૨૧મી સદીમાં ઓળખની રચના સ્મારકો કે વિધિઓથી આગળ વધી ગઈ છે બજાર,એલ્ગોરિધમ, મીડિયા, નાણાંકીય વ્યવસ્થા, જાહેર નીતિ અને વિજ્ઞાન પણ સમાન રીતે સમાજના ભવિષ્યની કલ્પનાને પ્રભાવિત કરે છે ઝડપી શહેરીકરણ અને ડિજિટલ પરિવર્તન વચ્ચે હેરીટેજ -વારસો, આધ્યાત્મિકતા, વિજ્ઞાન અને સર્જનાત્મકતાની ભૂમિકાને ફરીથી વિચારવાની જરૂર છે. આ સંમેલન વિવિધ ક્ષેત્રોને એકત્ર કરીને ઓળખના ટેન્જીબલ-સ્પર્શનીય અને ઇન-ટેન્જીબલ- અસ્પર્શનીય પરિમાણોની ચર્ચા કરી, ટકાઉ તથા સર્વસમાવેશક ભવિષ્ય ઘડવાની દિશામાં સંવાદ સાધવા માટે રસ્તો બતાવશે. ટૂંકમાં આ કોન્ફરન્સ માં, કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ, ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી અને સમાજ વચ્ચેનો સંબંધ સમજી, વિકાસમાં આવતી અડચણો દૂર કરવાના ઉપાયો શોધી, ટકાઉ, સમાન અને માનવતાવાદી વિશ્વ કેવી રીતે રચી શકાય તેની રુપરેખા નક્કી થશે.

સંમેલનના હેતુઓ (Objectives of the Conference):
કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ અને ધર્મે, ઐતિહાસિક ઓળખ, હેરિટેજ-વારસો અને સામાજિક માળખાને કેવી રીતે આકાર આપ્યો છે તે શોધવાનું.
વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે થયેલા પરસ્પર interaction-વિનિમયે પવિત્ર કલા, સ્થાપત્ય અને સામાજિક જીવન પર કેવી અસર પાડી છે તે તપાસવાનું.
વૈશ્વિકીકરણ, શહેરીકરણ, ટકાઉપણું અને ડિજિટલ પરિવર્તન જેવા આધુનિક પડકારોને ધ્યાનમાં રાખીને ટકાઉ વિશ્વ ઘડવાના મુદ્દાઓને સંબોધવાનું.
માનવીય ઓળખના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાન, ટેક્નોલોજી, અર્થતંત્ર અને મેનેજમેન્ટના દૃષ્ટિકોણોને સમાવવાનું.
સર્વસમાવેશક અને ટકાઉ ભવિષ્ય અંગે નવી વિચારણા માટે શિક્ષણવિદો, વ્યવસાયિકો, નીતિનિર્માતાઓ અને સમુદાયો વચ્ચે સહકાર પ્રોત્સાહિત કરવાનું.
કોન્ફરન્સ નાં પ્રથમ દિવસે,૧)બેલ્જિયમ થી આવનાર Economist; Mr. Giuseppe Savino નું ‘Crossing Borders, Breaking Barriers: How Labour Migration Reshapes Norms and Identities’ વિષય ઉપર, ૨) Technical University of Cluj-Napoca-રોમાનિયા થી આવનાર Prof. Ioana Moldovan- Aesthetics as Identity: Curated Decay, Care, and Urban Heritage-વિષય ઉપર અને ૩) રોમાનિયા થી જ આવનાર Prof. Tiganas Dragoș Șerban Ion, ‘Architecture between the Power of Yes and the Power of No.-From Practice to Education and Backwards’ અને ૪) નેધરલેન્ડ થી આવેલ, Senior Advisor-SWO De Wolden Hoogeveen ‘How local government systems shape human dignity, opportunity and belonging’,વિષય ઉપર મુખ્ય વક્તવ્યો આપશે. તેમજ બીજે દિવસે, ૧) બેલ્જિયમ થી આવનાર દક્ષિણ એશિયા માટે ASIAPAC1 વિભાગની વડા અને નેપાળ તથા બાંગ્લાદેશમાં યુરોપિયન યુનિયનની પૂર્વ રાજદૂત મહામહિમ રાજદૂત Her Excellency, Ambassador Ms. Rensje-TEERINK, (Head of ASIAPAC1 Division for South Asia, former EU Ambassador to Nepal and Bangladesh) -‘ Recent developments (EU-India FTA and Summit) : ‘the EU-India Partnership in the current geopolitical context’ વિષય ઉપર,૨)Technical University of Cluj-Napoca-રોમાનિયા થી આવનાર Prof. Silivan Moldovan, – Contemporary City: Identity making in a world of rapid urban transformation -વિષય ઉપર, અને 3 ) રોમાનિયા થી જ આવનાર Prof. Cristina Mihaela Campian, ‘Shaping Civil Engineering Identity Through Student Competitions’ વિષય ઉપર ઉપર મુખ્ય વક્તવ્યો આપશે.
આ ઉપરાંત આ ઉપરાંત EU Project ના Partners અને International & National Experts , સ્પેન ની – UPCT, Cartagena, Spain (EU Project Partner) ના Researcher Prof. Joaquin Roca, Prof. ROSIQUE CONTRERAS (Paqui),તેમજ Riga Technical University, Latvia (EU Project Partner), Latvia નાં Ms. Andra Mihelsone યુરોપિયન યુનિયન તરફથી ભાગ લેશે.
બે દિવસની આ સઘન રજૂઆતો પછી, ત્રીજા દિવસે મુખ્ય ત્રણેય ટ્રેકો-મુદ્દાઓ – Socio-Cultural Praxis, Science, Technology & Media અને Business અને Management & Education એમ ઉપર મુખ્ય વક્તાઓના વ્યક્તવ્યો અને પેપર પ્રેઝન્ટેશન દરમિયાન ધ્યાન માં આવેલાં, મહત્વના મુદ્દ્દાઓ ઉપર પેનલ ડિસ્કશન દરમ્યાન ચર્ચા-થશે. તજજ્ઞો સાથે ની આ પેનલ ચર્ચાઓ દરમ્યાન અતિ મહત્વના મુદ્દાઓને મંથન પછી તારવી લેવાશે. આ સાથેજ યુરોપિયન યુનિયન ના Erasmus+ પ્રોજેક્ટ અંતર્ગત, એક સંશોધન પ્રોજેક્ટ InEq-SLના પ્રોજેક્ટ ના તારણો, ઉચ્ચ શિક્ષણ નાં વ્યાપક પ્રસાર અને અમલીકરણ માટેના ઘણા સૂચનો અને આ અડચણોને દુર કરવાની દિશામાં રસ્તોઓ વિષે પણ ચર્ચા -વિચારણા થશે. પેનલ ડિશ્કશન નાં તમામ મુદ્દાઓ પર ના તારણો , takeaways – અને કોન્ફરન્સ નું ફાઇનલ conclusion -સંકલન અને નિષ્કર્ષ ,સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા કરશે.
પ્રિન્સિપાલ પ્રો. પર્સી એંજિનિયરનાં, જણાવ્યાં મુજબ, આ ત્રણ દિવસો દરમ્યાન વિદ્યાર્થીઓ માટે પરંપરાગત હસ્તકલા, નાટ્ય, મેનેજમેન્ટ અને AI-એઆઈ જેવાં વિવિધ વર્કશોપ્સ, આજનાં જમાનામાં જરૂરી સાઇબર સિક્યુરિટી થી લઈ, જાગરૂકતા વધારતાં ઇન્ટેલએકચૂલ પ્રોપર્ટી રાઇટ, અભ્યાસમાં જરૂરી ફોટોગ્રાફી,પોટરી તેમજ રોજબરોજ માં જરૃરી કમ્યુનિકેશન જેવાં વિવિધ ૧૪ વર્કશોપ્સ નું આયોજન આ ત્રણ દિવસો દરમ્યાન કરવામાં આવ્યું છે. ઉપરાંત, કોન્ફરન્સ નાં જ વિષય ઉપર પોસ્ટર સ્પર્ધા પણ આયોજિત કરવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓના વિવિધ જીતેલા અને અભ્યાસ દરમ્યાન કરેલાં કામો અને હેરિટેજ પ્રોજેક્ટનું નું પ્રદર્શન પણ ત્રણ દિવસ સુધી સવારે ૯ થી સાંજે ૫ કલાક દરમ્યાન MITRAJ-IDPT નાં નવા બિલ્ડીંગ ખાતે આયોજિત થયું છે. સુરત શહેરની જનતા આનો લાભ લઈ શકે છે.
સાંજે વિદેશથી આવેલા મહેમાનો અને IDPT નાં ફેકલ્ટીઓ, વિદ્યાર્થીઓ અને કોન્ફરન્સ માં ભાગ લેનારા તમામ પોતાનાં દેશની સંસ્કૃતિઓને દર્શાવતું સંગીત, નૃત્ય અને નાટ્ય પ્રદર્શન -Cultural Evening દરમ્યાન કરશે.
AM/NS Indiaનું સુરતમાં વિશાળ સ્તરે મૅન્ગ્રોવ વાવેતરની સાથે ગ્રીન કવરનું વિસ્તરણ
ડભારી બીચ ખાતે યોજનાનો આરંભ, 100 હેક્ટર વિસ્તારમાં 2.5 લાખ રોપાં વાવવાનું આયોજન હજીરા-સુરત, ગુજરાત | ફેબ્રુઆરી 19, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ સુરત જિલ્લાના ડભારી બીચ ખાતે મૅન્ગ્રોવ વાવેતર અભિયાનનો પ્રારંભ કર્યો છે. ગુજરાતના દરિયાકાંઠે ગ્રીન કવર વધારવા અને પર્યાવરણિય સ્થિરતા જાળવવા માટે AM/NS ઈન્ડિયાએ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ પહેલ દરિયાકાંઠે મૅન્ગ્રોવના રોપા વાવીને શરૂ કરવામાં આવી છે, જે પર્યાવરણ સંરક્ષણ અને હવામાન પરિવર્તન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. આ વાવેતર અભિયાનનો મુખ્ય હેતુ દરિયાકાંઠે ગ્રીન કવર વધારવાનો છે, જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવું અને હવામાન પરિવર્તનના પ્રભાવોને ઘટાડવો છે. આ પહેલને આગળ વધારતાં, 100 હેક્ટર દરિયાકાંઠા વિસ્તારમાં 2.5 લાખ મેન્ગ્રોવના રોપાની વાવણી કરવામાં આવશે, જે લાંબા ગાળાના પર્યાવરણિય સંરક્ષણ અને તેની પુનઃસ્થાપન માટે યોગદાન આપશે. હાલ પ્રોજેક્ટ નર્સરી વિકાસના તબક્કામાં છે, જેથી મોટા પાયે વાવેતર માટે સ્વસ્થ અને મજબૂત રોપા ઉપલબ્ધ થઈ શકે. આ પહેલ કંપનીના અગાઉના કાંઠાનું પુનઃસ્થાપન કાર્યનો વિસ્તૃત ભાગ છે. અગાઉ AM/NS India દ્વારા ભરૂચ જિલ્લાના જંબુસર વિસ્તારમાં 900 હેક્ટર વિસ્તારમાં 23 લાખ મૅન્ગ્રોવનું સફળ વાવેતર કરવામાં આવ્યું હતું, જેના કારણે કુદરતી કાંઠાનું રક્ષણ કરવાનું કાર્ય વધુ મજબૂતીથી થઈ રહ્યું છે. આ ઉપરાંત, અતિપ્રકોપી હવામાન પરિસ્થિતિઓ સામે સ્થિરતા વધી છે.

જીએમ ગ્રુપ સાથે પ્રતિક ગાંધીનો નવો અધ્યાય
સુરત . એક એવું શહેર જ્યાં મહેનત સપનાઓને આકાર આપે છે અને ઉદ્યોગો નવી ઓળખ બનાવે છે. આ જ ભાવનાને આગળ ધપાવતા સુરતના અગ્રણી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ડેવલપર જીએમ ગ્રુપએ જાણીતા અભિનેતા અને સુરતના ગૌરવ પ્રતિક ગાંધીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂ કર્યા છે.
પ્રતિક ગાંધી માત્ર એક સફળ અભિનેતા નથી, પરંતુ મહેનત, ઈમાનદારી અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. સુરતથી શરૂ થયેલી તેમની સફર આજે દેશ અને દુનિયામાં ઓળખ બનાવી ચૂકી છે. એ જ રીતે, જીએમ ગ્રુપ પણ સુરતમાંથી શરૂ થઈ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બની રહ્યું છે.
આ સહયોગ કોઈ સામાન્ય સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ નથી. આ એક વિચારધારાનો મેળ છે — જ્યાં વ્યવસાયને માત્ર ઈમારતો નહીં, પરંતુ સપનાઓ સાથે જોડવામાં આવે છે. જીએમ ગ્રુપનો ઉદ્દેશ એવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો છે જ્યાં ઉદ્યોગકારોને માત્ર જગ્યા નહીં, પરંતુ વિકાસ માટેનું પૂરું ઇકોસિસ્ટમ મળે.

નવી બ્રાન્ડ કેમ્પેઈન દ્વારા જીએમ ગ્રુપ એ સંદેશ આપે છે કે યોગ્ય ઇન્ડસ્ટ્રિયલ લોકેશન પસંદ કરવું સફળતાની પ્રથમ સીડી છે. સારી સુવિધાઓ, સરળ મંજૂરી પ્રક્રિયા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાની વૃદ્ધિ — આ તમામ તત્વો જીએમ ગ્રુપના પ્રોજેક્ટ્સને અલગ ઓળખ આપે છે.
પ્રતિક ગાંધી સાથેનો આ સહયોગ જીએમ ગ્રુપના બ્રાન્ડને વધુ માનવિય અને પ્રેરણાદાયક બનાવે છે. તેમની સફળતાની કહાની દરેક ઉદ્યોગકાર માટે પ્રેરણા છે — કે યોગ્ય પ્લેટફોર્મ મળે તો કોઈ પણ સપનું સાકાર કરી શકાય.
આ કેમ્પેઈન અને સહયોગનું અમલીકરણ અલોકિક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, જે સેલિબ્રિટી કેમ્પેઈન અને ક્રિએટિવ વિડિયો પ્રોજેક્ટ્સ માટે જાણીતી એજન્સી છે.
જીએમ ગ્રુપના પ્રવક્તા કહે છે,
“પ્રતિક ગાંધીની સફર અમારા ગ્રાહકોની સફર જેવી જ છે. અમે એવી ઇન્ડસ્ટ્રિયલ જગ્યા બનાવીએ છીએ જ્યાં વ્યવસાય સરળતાથી આગળ વધે અને સપનાઓને મજબૂત આધાર મળે.”
જીએમ ગ્રુપ વિષે:
જીએમ ગ્રુપ સુરતની અગ્રણી ઇન્ડસ્ટ્રિયલ રિયલ એસ્ટેટ કંપની છે, જે આધુનિક ઇન્ડસ્ટ્રિયલ પાર્કોના વિકાસ દ્વારા ઉદ્યોગકારોને ઉત્તમ સુવિધાઓ, સરળ પ્રક્રિયા અને લાંબા ગાળાની સફળતાનો માર્ગ આપે છે.
ડુમસ આર્ટ પ્રોજેક્ટે તેની 11મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું
ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ 8થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન વીઆર સુરત ખાતે “ધ ફ્યુચર ઇઝ નાઉ” થીમ સાથે યોજાશે સુરત, 8 ફેબ્રુઆરી 2026: યુજ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ આઠ ફેબ્રુઆરી, 2026ના રોજ ‘ધ ફ્યુચર ઇઝ નાઉ’ થીમ સાથે શરૂ થઈ છે. 2010માં પદ્મ ભૂષણ મેળવનાર પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના અને કોરિયોગ્રાફર ડૉ. મલ્લિકા સારાભાઈએ પરંપરાગત દીપપ્રાગટ્ય સમારોહ અને ટેસ્લા ‘કલા કાર’ના અનાવરણ સાથે ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. સાંજે દર્પણ એકેડેમી, અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ફાઇન આર્ટ ગેલેરી સહિત વીઆર સુરતમાં કલા સ્થાપનોનું વિશિષ્ટ પ્રદર્શન યોજાયુ હતું. ટેસ્લા સાથેના વિશિષ્ટ સહયોગથી ખાસ ટેસ્લા ‘કલા કાર’નું નિર્માણ કરવામાં આવ્યું છે. શહેરમાં બ્રાન્ડના પ્રથમ જાહેર પ્રદર્શન તરીકે રજૂ આ જોડાણ ટેકનોલોજી, ટકાઉપણું અને કલાના દુર્લભ આંતરછેદને ચિહ્નિત કરે છે. મોટા પાયે જાહેર કલાકૃતિઓ અને સમુદાય-આગેવાની હેઠળની કલાત્મક પ્રેક્ટિસ માટે જાણીતા એવોર્ડ વિનિંગ કલાકાર મિતલ સોજીત્રા દ્વારા ટેસ્લા કલા કારને જીવંત બનાવવામાં આવી છે. આ વર્ષે ડુમસ આર્ટ પ્રોજેક્ટમાં સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટ, મુંબઈ, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને અનંત નેશનલ યુનિવર્સિટી, અમદાવાદના વિદ્યાર્થીઓ દ્વારા 160થી વધુ સ્થાપનો, શિલ્પો, ચિત્રો અને ફોટોગ્રાફ્સ રજૂ કરવા અમે ઉત્સુક છીએ. શહેરભરના કલાકારોએ VR સુરત ખાતે ભોંયરાની દિવાલોને આર્ટ ગેલેરીમાં રૂપાંતરિત કરતાં કલા પ્રોજેક્ટ પ્રદર્શિત કર્યા છે. આગામી ત્રણ અઠવાડિયા સુધી VR સુરત કલાત્મક પ્રોગ્રામિંગના એક કેન્દ્રમાં પરિવર્તિત થશે, જેમાં સ્થાપનો, ફાઇન આર્ટ, ફોટોગ્રાફી એક્ઝિબિશન, સંગીત, થિયેટર, વર્કશોપ, યુવા કલાકારો વચ્ચે સ્પર્ધા અને એક કારીગરી બજારનો આનંદ માણી શકાશે. આ આવૃત્તિમાં નોંધપાત્ર સહયોગની શ્રેણી દર્શાવવામાં આવી છે, જે દરેક ઉત્સવના વ્યાપક દ્રષ્ટિકોણમાં ફાળો આપે છે. યુનેસ્કો સાથે ભાગીદારીમાં આ ઉત્સવ પોકેટ્સ ઓફ હોપ રજૂ કરે છે, જે એક ફોટોગ્રાફી એક્ઝિબિશન છે જે દરિયાઈ જૈવ વિવિધતા, તેમના ઇકોલોજીકલ મૂલ્ય અને તેના વધતા પડકારો અને સમસ્યાઓ પર ધ્યાન દોરે છે. આ પ્રદર્શન પ્રોજેક્ટ સુરત – સમુદાય દ્વારા સંચાલિત પર્યાવરણીય અને ટકાઉપણું પહેલના સહયોગથી બનાવવામાં આવેલા મોટા પાયે સસ્પેન્ડેડ સ્થાપનો સુધી વિસ્તરે છે. જેલીફિશના આકારમાં અને ડુમસ બીચ પરથી એકત્રિત કરવામાં આવેલા કચરામાંથી બનાવેલું આ સ્થાપત્ય દરિયાઈ જીવન પર કચરાનો પ્રભાવ તરફ ધ્યાન દોરે છે અને પ્રેક્ષકોને જવાબદાર વપરાશકાર અને કચરાના નિકાલ પર ચિંતન કરવા અરજ કરે છે. ડુમસ આર્ટ પ્રોજેક્ટના ક્યુરેટર સુમી ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ડુમસ આર્ટ પ્રોજેક્ટની 11મી આવૃત્તિ સુરતનું એકમાત્ર કલા રજૂ કરતું જાહેર પ્લેટફોર્મ છે, જ્યાં સાતત્ય, ભાગીદારી અને કલાને સુલભ બનાવવાની માન્યતા મળી છે. શહેરની પહેલ તરીકે થયેલી આ શરૂઆત આજે એક વ્યાપક પ્રાદેશિક હાજરી સાથે એક પ્લેટફોર્મ તરીકે વિકસી છે. જેમાં વિદ્યાર્થી અને સ્થાપિત કલાકારો, પ્રેક્ષકો અને સમુદાય રોજિંદા જીવનના ભાગ રૂપે કલા સાથે જોડાય છે. આ વર્ષની થીમ, “ધ ફ્યુચર ઇઝ નાઉ”, કલાકારોને કલ્પના અને ઉદ્દેશ્ય સાથે વર્તમાનનો પ્રતિભાવ આપવા માટે આહ્વાન કરે છે, કારણ કે આજે આપણે જે પસંદગીઓ કરીએ છીએ તે ભવિષ્યને આકાર આપવાનું શરૂ કરે છે. જાહેર કલા ઉત્સવોનું ધ્યાન પહોંચને વિસ્તૃત કરવા, જાહેર ભાગીદારી વધારવા અને અર્થપૂર્ણ સહયોગ દ્વારા નાગરિકના અવાજ તરીકે જાહેર કલાની ભૂમિકાને મજબૂત બનાવવાનું છે.” યુનેસ્કોના સાઉથ-એશિયાના પ્રાદેશિક કાર્યાલયના નેચરલ સાયન્સ યુનિટના હેડ ડો. બેનો બોઅરે આ અંગે કહ્યું હતું કે, “આબોહવા સ્થિતિસ્થાપકતા આબોહવા સાક્ષરતાથી શરૂ થાય છે. સશક્ત સમુદાયો સમજણ પર આધારિત હોય છે, અને સમજણ સાંભળેલી-જોયેલી વાર્તાઓ અને સુલભ જ્ઞાન દ્વારા વધે છે. ‘પોકેટ્સ ઓફ હોપ’ એ યુનેસ્કો દ્વારા એક નવો બુક પ્રોજેક્ટ છે જે તેના પાર્થિવ, દરિયાકાંઠાના અને દરિયાઈ જૈવ વિવિધતા અને દરિયાઈ જીવનને ઘર માનતાં સમુદાયોના વર્લ્ડ નેટવર્કને જીવંત બનાવે છે. ડુમસ આર્ટ પ્રોજેક્ટ ખાતે તેના ફોટોગ્રાફી પ્રદર્શન અને દક્ષિણ અને મધ્ય એશિયાના તમામ બાયોસ્ફિયર રિઝર્વમાં એક સચિત્ર પ્રવાસ દ્વારા રજૂ ‘પોકેટ્સ ઓફ હોપ’ જવાબદાર ઇકોસિસ્ટમ મેનેજમેન્ટ અને સંરક્ષણની તાકીદને પ્રકાશિત કરે છે. આ ઉત્સવ વિજ્ઞાન અને પ્રકૃતિને સાંસ્કૃતિક જગ્યાઓમાં મૂકતા જાહેર કલા માટે એક સેતુનું કામ કરે છે, જે જન ભાગીદારીનો વિસ્તાર કરતાં જાગૃતિ વધારે છે અને વધુ જાણકાર અને સામૂહિક ક્લાઈમેટ એક્શન લેવા પ્રેરણા આપે છે.”

K2 બ્યુટી બારના MOM’S TOUCH ઓર્ગેનિક સાબુ નું નવું લક્ષ્ય #IPO અને વૈશ્વિક બજાર
સુરત (ગુજરાત) [ભારત], જાન્યુઆરી 27: વિશ્વ બજાર તરફ દ્રષ્ટિ ફેરવતી આ કંપનીના મૂળ ખૂબ જ ઊંડા અને મજબૂત છે. પિતામહ, પરદાદા દાદા, પાસેથી વારસાગત આવેલી બીજ કે છોડ આજે પણ વટવૃક્ષ બન્યું છે જેની પાછળ 75 વર્ષથી વધુ સમય નું દાન સમાવિષ્ટ છે.
- K2 બ્યુટી બારના MOM’S TOUCH ઓર્ગેનિક સાબુ નું નવું લક્ષ્ય #IPO અને વૈશ્વિક બજાર
- K2 બ્યુટી બાર (NGO) અને ડો. Kતન હિરપરા લિમિટેડ કંપની (સુરત)
હોમમેડ કે ઓર્ગેનિક ગણાતા રસાયણહીન સુસ્વાસ્થ્યના હેતુથી બનાવાતા જડીબુટ્ટી, પાંદડા, ફળોના, અર્કના મિશ્રણથી તૈયાર ઓર્ગેનિક સાબુના વારસાને વધુ ઉચ્ચ ગુણવત્તા આપી ગામડા ગામથી સુરત સુધી પહોંચાડવાનો શ્રેય ડો. Kતન હિરપરા ના ફાળે જાય છે. જેમણે દાદા – પિતામહના આ નાનકડા ગૃહ ઉદ્યોગને વિશ્વ સ્તરે પહોંચાડવા અથાર્ગ મહેનત અને પરિશ્રમ કરી તમામ લાયસન્સ હસ્તગત કર્યા તેમજ આજના સમય અનુરૂપ બીમારી, સ્કીન રેશિસ, હેર ઈશ્યૂસ ને ધ્યાનમાં રાખી ઉપયોગી તેમજ ઓર્ગેનિક એવા 350 થી વધુ વેરાઈટીના હોમમેડ સાબુ MOM’S TOUCH બ્રાન્ડ અંતર્ગત લોકો સુધી પહોંચાડ્યા છે.

આ ઉપરાંત જેન-ઝી સરળતાથી યુઝ કરી શકે તેવા વિશ્વાસપાત્ર ઓર્ગેનિક પ્રોટીન શેમ્પુ અને કન્ડિશનર પણ આ કંપની દ્વારા ઉપલબ્ધ કરાયા છે.
આજથી પોલ્યુટેડ એર , AC ઓફિસો તેમજ કપાતા જંગલો થી વધતા પોલ્યુશન અને સ્કિન પ્રોબ્લેમ, સ્કિન ઇંચિન્સ, ફંગલ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપવા લીમડાની લીંબોળી તેમજ કેસુડાના ફુલ જેવા અર્કથી તૈયાર ફેસવોશ, સનસ્ક્રીમ ડે-નાઇટ પ્રોડક્ટ તેમજ સ્કિનને રેજુવનેટ કરતા બદામ ઓઇલ, ઓર્ગન ઓઇલ માંથી બનેલા સિરમ પણ આ કંપની દ્વારા વિશ્વાસનીય રૂપે મળી રહે છે.
માત્ર એટલું જ નહીં વટવૃક્ષ બનેલી આ કંપની આજે બ્યુટી કોસ્મેટિક અને કલર કોસ્મેટીક ની દુનિયામાં થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગનું કાર્ય પણ હસ્તગત કર્યું છે. જેનો સંપૂર્ણ શ્રૅય ડો.Kતન હિરપરા ના અનુજ રાઠોડ કપિલ સર અને આરતી મેમના ફાળે જાય છે. જે સંદતર ડો.Kતન હિરપરા ના પગલે અનુસરણ કરી આ ઓર્ગેનિક બ્રાન્ડ તેમજ લિમિટેડ કંપનીને વિશ્વ બજારે મૂકવા કાર્યરત છે. તેમજ ઓર્ગેનિક પ્રોડક્ટના ક્લાસ અને સેમિનાર તેઓ અવારનવાર કરતા રહે છે.
વિશ્વ સ્થળે ઉડાન ભરતી આ લિમિટેડ કંપની પોતાના માત્રે વતનથી જોડાઈને જ ઉપર ઉઠવા માંગે છે જેથી તેઓ સ્ત્રી સશક્તિકરણ તેમજ સ્ત્રી રોજગારની મહત્તમ તકો ઉભી કરતા રહે છે.
SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશન યોજાશે
સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે. આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી ૧પ૬ એકઝીબીટર્સે ભાગ લીધો છે.
ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખ શ્રી મદ્રાસીએ વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે બીજી વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે. આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત દુબઇ, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઘાના, થાઇલેન્ડ અને અફઘાનિસ્તાનના પેવેલીયન મુકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાની સાથે રોકાણ, ફૂડ, પ્રોપર્ટી અને ટુરિઝમ સેકટરને પ્રમોટ કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે.
આ એકઝીબીશનમાં કન્ટ્રી પેવેલિયન મુકનારા દેશો ઉપરાંત કેનેડા, ઝિમ્બાબ્વે, શ્રીલંકા, ઇથોપિયા, લકઝમ્બર્ગ, સાઇપ્રસ, તુનોશિયા અને લેસોથોમાંથી બાયર્સ અને વિઝીટર્સ આવશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે. સાથે જ વિદેશી બિઝનેસ ડેલીગેશનની સાથે બીટુબી મિટીંગ કરી શકશે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના બિઝનેસમેનો લઇ શકશે.
એક્ઝિબીશનની મુલાકાત માટે અહીં આપેલી ગુગલ લીન્ક https://foodexpo.sgcci.in પર વિના મૂલ્યે વિઝિટર રજિસ્ટ્રેશન કરી શકાશે. વધુ માહિતી માટે SGCCIના નંબર (0261-2291111) પર સંપર્ક કરી શકાશે.
ક્રેડાઈ સુરત દ્વારા આયોજિત “ચમ-ચમાતા સુરતમાં ધમ-ધમતું” GLAM સુરત પ્રોપર્ટી શો 2026ને ભવ્ય પ્રતિસાદ
- બે દિવસમાં 34 હજારથી વધુ મુલાકાતીઓ, આજે અંતિમ દિવસે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પહોંચવાની આશા
સુરત: કદી ન અટકતા વિકાસ અને સતત વિસ્તરતા શહેર સુરતમાં ક્રેડાઈ સુરત દ્વારા આયોજિત GLAM સુરત પ્રોપર્ટી શો 2026ને શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. “ચમ-ચમાતા સુરતમાં ધમ-ધમતું” થીમને સાકાર કરતો આ ભવ્ય પ્રોપર્ટી શોનો છઠી આવૃત્તિ 9 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ, અઠવા ખાતે યોજાઈ છે.
પ્રદર્શનના પ્રથમ બે દિવસમાં જ 34 હજારથી વધુ લોકો એ શોમાં હાજરી આપી છે. આયોજકોના જણાવ્યા અનુસાર રવિવારે અંતિમ દિવસ હોવાથી રેકોર્ડ બ્રેક જનમેદની ઉમટવાની શક્યતા છે. રિયલ એસ્ટેટમાં રોકાણ અને ઘર ખરીદી માટે શહેરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે સમગ્ર સ્થળ ઉત્સવમય બની ગયું છે.
– “મળી જશે!” – દરેક સપનાની પ્રોપર્ટી એક જ છત નીચે
આ વર્ષે GLAM સુરત પ્રોપર્ટી શોનું મુખ્ય અભિયાન “મળી જશે!” લોકોને ખાસ આકર્ષી રહ્યું છે. સામાન્ય બજેટના ફ્લેટથી લઈને લક્ઝરી વિલા, સ્માર્ટ ઓફિસ, કમર્શિયલ સ્પેસ તથા ઇન્ડસ્ટ્રિયલ પ્લોટ સુધી દરેક વર્ગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે.
850થી વધુ ડેવલપર્સની હાજરી સાથે આ શો સુરતના GLAM એટલે કે Growth (વિકાસ), Luxury (વૈભવ), Amenities (સુવિધાઓ) અને Modernity (આધુનિકતા) ને મજબૂત રીતે પ્રદર્શિત કરે છે.

– ઘર ખરીદદારો અને રોકાણકારો માટે સુવર્ણ તક
GLAM પ્રોપર્ટી શોમાં અફોર્ડેબલ હાઉસિંગથી લઈને અલ્ટ્રા-લક્ઝરી સ્માર્ટ રેસિડેન્સ સુધીનું વિશાળ પોર્ટફોલિયો જોવા મળી રહ્યું છે. ક્રેડાઈ સાથે સંકળાયેલા ટોચના ડેવલપર્સ સાથે સીધો સંવાદ થવાથી ખરીદદારોમાં વિશ્વાસ અને પારદર્શિતા વધતી જોવા મળી રહી છે.
સાથે જ સુરતના ઝડપથી વિકસતા વિસ્તારોમાં દીર્ઘકાલીન રિટર્નની સંભાવનાઓને લઈને રોકાણકારોમાં વિશેષ રસ જોવા મળી રહ્યો છે.
30 વર્ષનો વિશ્વસનીય વારસો
ક્રેડાઈ સુરતના 30 વર્ષના પારદર્શક અને નૈતિક રિયલ એસ્ટેટ વ્યવસાયની છાપ આ ઇવેન્ટમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. વર્ષ 2026ની આ આવૃત્તિ માત્ર ઇમારતો પૂરતી સીમિત નથી, પરંતુ ‘સસ્ટેનેબલ લિવિંગ’ની વિચારધારાને પણ મજબૂતીથી આગળ ધપાવે છે. ગ્રીન એનર્જી, જળ સંરક્ષણ અને ટેકનોલોજી આધારિત સુરક્ષા ધરાવતા પ્રોજેક્ટ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ક્રેડાઈ સુરતના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સુરત સપનાઓ અને ઝડપી પરિવર્તનનું શહેર છે. GLAM સુરત પ્રોપર્ટી શો 2026 દ્વારા અમે એવું માહોલ સર્જી રહ્યા છીએ કે જ્યાં દરેક મુલાકાતી આ વિશ્વાસ સાથે પરત ફરે કે તેની સપનાની પ્રોપર્ટી તેને અહીં ‘મળી જશે’।”
સુરત લિટરેચર ફેસ્ટિવલ २०२६: મેટ્રો શહેરોની બહાર રાષ્ટ્રીય વિચારોનું મંચ
5rd January 2026: ભારત સ્વતંત્રતાના સો વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે સંસ્કૃતિ, શાસન અને રાષ્ટ્રીય દિશા અંગેની ચર્ચાઓ હજુ પણ થોડાં મેટ્રો શહેરોમાં જ કેન્દ્રિત છે. આવા સંદર્ભમાં, સુરત લિટરેચર ફેસ્ટિવલ તેની ચોથી આવૃત્તિ સાથે ९ થી ११ જાન્યુઆરી २०२६ દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પરત ફરી રહ્યું છે, જેનો હેતુ ભારતના બૌદ્ધિક સંવાદોને મેટ્રો શહેરોની બહાર વિસ્તૃત કરવાનો છે.
માત્ર સાહિત્ય મહોત્સવ તરીકે નહીં પરંતુ વિચારો, નીતિચર્ચા અને સાંસ્કૃતિક મનનના મંચ તરીકે રચાયેલ સુરત લિટફેસ્ટે સ્થાપનાથી સતત વિકાસ કર્યો છે. તેની ત્રીજી આવૃત્તિ २०२૫માં ‘ભારત@२०४७’ ના વ્યાપક દૃષ્ટિકોણ હેઠળ આયોજિત થઈ હતી, જેમાં નીતિનિર્માતાઓ, વિદ્વાનો, રક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો અને સાંસ્કૃતિક વ્યક્તિત્વોએ ભારતના દીર્ઘકાળીન રાષ્ટ્રીય માર્ગ પર ચર્ચા કરી હતી.
આ ચર્ચાઓમાં શાસન, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, મીડિયા, અર્થતંત્ર અને સ્વદેશી જ્ઞાન પરંપરા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા, જે ફેસ્ટિવલની પરંપરાગત સાહિત્યિક સીમાઓથી આગળ વધવાની દિશા દર્શાવે છે.
२०૨૫ ની આવૃત્તિમાં પૂર્વ ઇસરો અધ્યક્ષ ડો એ એસ કિરણ કુમાર, ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, લેફ્ટનન્ટ જનરલ એન એસ આર સુબ્રમણી અને અર્થશાસ્ત્રી ડો શામિકા રવિ જેવા પ્રતિષ્ઠિત વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ચર્ચાઓને મજબૂત સાંસ્કૃતિક કાર્યક્રમોનો સહારો મળ્યો, જેના કારણે મોટી સંખ્યામાં પ્રેક્ષકો જોડાયા.
વિકસિત ભારત २०४૭ અને નાગરિક દૃષ્ટિકોણ
છેલ્લાં વર્ષોમાં સુરત લિટફેસ્ટે પોતાની ચર્ચાઓને વિકસિત ભારત २०४૭ની કલ્પનાથી સ્પષ્ટ રીતે જોડેલી છે. આ રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ભારતને સ્વતંત્રતાના શતાબ્દી વર્ષે વિકસિત દેશ બનાવવા પર કેન્દ્રિત છે, જેમાં સર્વાંગી વિકાસ, માળખાગત સુવિધાઓ, ટેકનોલોજી, માનવ સંસાધન અને સંસ્થાગત સુધારાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં શિક્ષણ સુધારા, વ્યૂહાત્મક સ્વાયત્તતા અને સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ પરની ચર્ચાઓને રાષ્ટ્રીય માર્ગનકશામાં યોગદાન રૂપે રજૂ કરવામાં આવી છે.
સંસ્કૃતિ અને સંસ્કારના પ્રશ્નો
નીતિ અને અર્થતંત્ર ઉપરાંત, સુરત લિટફેસ્ટે આધુનિક ભારતમાં જોવા મળતી સંસ્કૃતિક જાગૃતિને પણ ચર્ચાના કેન્દ્રમાં રાખી છે. આ સત્રો પ્રાચીન જ્ઞાન, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સ્મૃતિને આધુનિક જાહેર સંવાદ સાથે જોડવાનો પ્રયાસ કરે છે.

૨૦૨૬નું ત્રિદિવસીય આયોજન
ચોથી આવૃત્તિ વધુ વ્યવસ્થિત અને વિષય આધારિત ત્રિદિવસીય કાર્યક્રમ સાથે યોજાશે.
પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહમાં સ્વામી પરમાત્માનંદજી, ડો ભગ્યેશ ઝા, શ્રી કિશોર મકવાણા અને શ્રી રત્નાકરજી ઉપસ્થિત રહેશે, ત્યારબાદ લોક અને શાસ્ત્રીય નૃત્ય સાથે સાંસ્કૃતિક સંધ્યા યોજાશે.
બીજા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા, ટેકનોલોજીકલ વૉરફેર, મીડિયા, ધર્મ અને જન ઝેડ તથા સિનેમા અને ભારત@૨૦૪૭ વિષયો પર સત્રો યોજાશે, જેમાં મેજર જનરલ શશી અસ્થાના, વાઇસ એડમિરલ શેખર સિન્હા, ડો બી કે દાસ, ડો જી કે ગોસ્વામી, દુષ્યંત શ્રીધર, વિષ્ણુ શંકર જૈન, પ્રતિક ગાંધી અને ફિલ્મ નિર્દેશક સુદીપ્ત સેન ભાગ લેશે.
ત્રીજા દિવસે મહિલા શક્તિ@૨૦૪૭, રાજનીતિ@૨૦૪૭, RSS@१००, શિક્ષણ અને ભારત@२०૪૭ તથા કોમ્યુનિઝમ અને ભારત@૨૦૪૭ જેવા વિષયો પર ચર્ચાઓ થશે, જેમાં તેહસીન પૂનાવાલા, અજીત ભારતી, પ્રદીપ ભંડારી, મેઘના પંત, પ્રોફેસર એમ જગદીશ કુમાર, શ્રી રામલાલજી અને ડો દિલીપ મંડલ ઉપસ્થિત રહેશે.
સાંસ્કૃતિક કાર્યક્રમો
ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ १० જાન્યુઆરીએ અભિનેતા પ્રતિક ગાંધી દ્વારા રજૂ થનારી નાટ્યપ્રસ્તુતિ ‘હું ચંદ્રકાંત બક્ષી’ રહેશે.
આ ઉપરાંત ‘Rhythms of India’ હેઠળ કથક, ભરતનાટ્યમ, યક્ષગાન, કલારીપયટ્ટુ અને તમાશા જેવી લોક અને શાસ્ત્રીય કલાઓ રજૂ કરવામાં આવશે.
વિચારોની નગરી તરીકે સુરત
ઐતિહાસિક બંદર શહેરથી લઈ આજે ઉદ્યોગ અને વ્યાપારનું કેન્દ્ર બનેલું સુરત, લિટફેસ્ટ દ્વારા મેટ્રો શહેરોની બહાર રાષ્ટ્રીય વિચારોનું સ્થાયી મંચ બની રહ્યું છે.
સુરત લિટરેચર ફેસ્ટિવલ २०२૬ ९ થી ११ જાન્યુઆરી દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે. વધુ માહિતી માટે: www.srtlitfest.com
શ્રીપદ ઇન્ફિનિયા વર્લ્ડને ક્રેડાઈ એવોર્ડ, સુરતના રિયલ એસ્ટેટ માટે ગૌરવનો ક્ષણ
સુરત (ગુજરાત) [ભારત], 31 ડિસેમ્બર: સુરત અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. શહેરનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શ્રીપદ ઇન્ફિનિયા વર્લ્ડએ રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવીને ક્રેડાઈ રિયલ એસ્ટેટ એક્સેલન્સ એવોર્ડ–2025 પ્રાપ્ત કર્યો છે. આ પ્રોજેક્ટને **બેસ્ટ મિક્સ્ડ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (ટિયર-ટૂ કેટેગરી) માં બીજું સ્થાન મળ્યું છે. આ સિદ્ધિ સુરતના ઝડપી વિકસતા રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાષ્ટ્રીય સ્વીકૃતિ મળ્યાનો સંકેત માનવામાં આવી રહી છે।
ક્રેડાઈ એવોર્ડ ભારતીય રિયલ એસ્ટેટ ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત અને સ્પર્ધાત્મક એવોર્ડ્સમાં ગણાય છે. વર્ષ 2025માં દેશભરમાંથી 800થી વધુ પ્રોજેક્ટ્સએ ભાગ લીધો હતો. પ્રારંભિક પસંદગી બાદ 75 પ્રોજેક્ટ્સને નૉમિનેશન માટે શૉર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી દરેક કેટેગરીમાં માત્ર ત્રણ પ્રોજેક્ટ્સની અંતિમ પસંદગી કરવામાં આવી. આવી અઘરી સ્પર્ધામાં શ્રીપદ ઇન્ફિનિયા વર્લ્ડની પસંદગી સુરત માટે મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે।

આ સન્માન દિલ્લીમાં આયોજિત બે દિવસીય ક્રેડાઈ રાષ્ટ્રીય કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય આવાસ અને શહેરી કાર્યો મંત્રી મનોહર લાલ ખટ્ટર અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂએ નીતિ સત્રોમાં ભાગ લીધો હતો।
કાર્યક્રમમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી અને આવાસ અને શહેરી કાર્યો મંત્રાલયના સચિવ કાટિકિથલા શ્રીનિવાસ સહિત વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. ક્રેડાઈ ચેરમેન બોમન ઈરાની અને પ્રેસિડેન્ટ શેખર પટેલના નેતૃત્વ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ક્રેડાઈ ટીમ હાજર રહી હતી. પ્રોજેક્ટ્સની રેટિંગ અને માન્યતા ક્રિસિલ દ્વારા કરવામાં આવી હતી, જેના કારણે મૂલ્યાંકન પ્રક્રિયાની વિશ્વસનીયતા વધુ મજબૂત બની હતી।
શ્રીપદ ઇન્ફિનિયા વર્લ્ડને તેના નવાચાર આધારિત લિવ–વર્ક ઇકોસિસ્ટમ માટે વિશેષ પ્રશંસા મળી છે. આ પ્રોજેક્ટમાં સ્માર્ટ-હોમ રેસિડેન્શિયલ યુનિટ્સને આધુનિક કોમર્શિયલ આર્કિટેક્ચર સાથે જોડવામાં આવ્યા છે।
રેસિડેન્શિયલ વિભાગમાં વોઇસ અને એપ દ્વારા નિયંત્રિત સ્માર્ટ હોમ્સ ઉપલબ્ધ છે, જ્યારે કોમર્શિયલ સેકશનમાં પ્રાકૃતિક પ્રકાશ અને હવા આધારિત ઓફિસો તેમજ ખુલ્લી ટેરેસિસ આપવામાં આવી છે।

આ પ્રોજેક્ટમાં ઝીરો-કોન્ફ્લિક્ટ મિક્સ્ડ-યૂઝ પ્લાનિંગ અપનાવવામાં આવી છે, જેમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ વિભાગના પ્રવેશ અને અવાગમન સંપૂર્ણપણે અલગ રાખવામાં આવ્યા છે.
સોલાર રૂફટોપ, પેદેસ્ટ્રિયન-ફ્રેન્ડલી ઝોન્સ, હવામાનને અનુકૂળ દિશા-નિર્ધારણ અને પ્રાકૃતિક પ્રકાશ તથા હવાની મહત્તમ ઉપયોગિતા જેવા સસ્ટેનેબિલિટી તત્વોએ પ્રોજેક્ટને એવોર્ડ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે।
શ્રીપદ ગ્રૂપ આ સિદ્ધિને સુરત માટે ગૌરવની વાત ગણાવી છે. ગ્રૂપના જણાવ્યા અનુસાર આ એવોર્ડ સાબિત કરે છે કે ટિયર-ટૂ શહેરોના પ્રોજેક્ટ્સ પણ દેશના મોટા મહાનગરોના પ્રોજેક્ટ્સ સાથે સ્પર્ધા કરી શકે છે।
આ રાષ્ટ્રીય સન્માન સાથે શ્રીપદ ઇન્ફિનિયા વર્લ્ડ સુરતની પ્રગતિ અને મહત્ત્વાકાંક્ષાનું પ્રતીક બની ઊભરી આવ્યું છે અને દેશના રિયલ એસ્ટેટ નકશા પર શહેરની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે।
For more information, please visit: https://shreepadgroup.com/