શિક્ષણ અને ટેકનોલજી

મોહમ્મદ વાણીયા: સાંભળવાની શક્તિ નથી… પરંતુ પ્રતિભાનો ગર્જતો અવાજ દુનિયા સુધી પહોંચ્યો

 

  • સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા મળેલા મજબૂત આધાર થકી SRKI ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી મોહમ્મદ વાણીયાએ ટોકિયો ઓલિમ્પિકમાં એર શૂટિંગ કોમ્પિટિશનમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી વૈશ્વિક સ્તરે ભારત,ગુજરાત અને સુરતનું નામ રોશન કર્યું છે

સુરત. સુરતના યુવા શૂટર મોહમ્મદ વાણીયાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પ્રતિભા અને જિદ્દ સામે કોઈ અડચણ મોટી નથી હોતી. સાર્વજનિક યુનિવર્સિટી સંલગ્ન SRKI ઇન્સ્ટિટ્યૂટમાં BSC–ITના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા મોહમ્મદએ ટોકિયામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સ્તરની સ્પર્ધામાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ભારત–ગુજરાત–સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કર્યું છે.

મોહમ્મદને જન્મથી સાંભળવાની શક્તિ નથી, છતાં આ કાયમી મુશ્કેલી તેને રોકી ન શકી. બદલે એ જ તેની સૌથી મોટી પ્રેરણા બની. રાઇફલ શૂટિંગ જેવી રમત, જ્યાં એકાગ્રતા અને સ્વનિયંત્રણ સૌથી અગત્યના હોય, ત્યાં મોહમ્મદે પોતાની ધીરજ, મહેનત અને આગ્રહથી વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.

  • પ્રતિભાને અનુકૂળ માહોલ આપવામાં સાર્વજનિક યુનિવર્સિટીની અગત્યની ભૂમિકા

મોહમ્મદની પ્રતિભાની જાણ થતાં જ સાર્વજનિક યુનિવર્સિટીએ તેની સંપૂર્ણ રીતે સાથે ઉભી રહી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું કે
મોહમ્મદ જેવી પ્રતિભા ખૂબ દુર્લભ હોય છે. તેને સફળ થવા માટે યુનિવર્સિટીના દરવાજા અને તમામ સ્રોતો પૂર્ણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. માત્ર સહકાર જ નહીં, તેની પ્રેરક સફળતાને બિરદાવતાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ આશિષભાઈ વકીલે મોહમ્મદને વિશાળ પ્રોત્સાહન આપતાં જાહેરાત કરી છે કે SRKI ઇન્સ્ટિટ્યૂટમાં તે ભણતો રહેશે ત્યાં સુધી તેને સંપૂર્ણ સ્કોલરશીપ મળશે.

  • વર્ષો સુધીની મહેનત, દિવસે 4–5 કલાક પ્રેક્ટિસ

મોહમ્મદ કહે છે કે તે છેલ્લા ચાર વર્ષથી સતત મહેનત કરી રહ્યો હતો. દરરોજ ચારથી પાંચ કલાક એર રાઇફલ સાથે પ્રેક્ટિસ કરું છું. આખરે આ મહેનતનું ફળ મેડલ તરીકે મળ્યું છે એ મારા માટે સપનાથી પણ વધુ છે.શ્રવણશક્તિ ન હોવાની અડચણને તેને એક ક્ષણ માટે પણ બહાનું નહીં માની તેને શક્તિમાં ફેરવી દીધી. તેની ફોકસ ક્ષમતા અને એકાગ્રતા તેને અન્ય ઘણી વખત સ્પર્ધકો કરતાં આગળ લઈ ગઈ છે.

  • સુરતનું ગૌરવ મોહમ્મદ વાણીયા આજે યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત

મોહમ્મદ વાણીયાની સફળતા માત્ર મેડલ સુધી સીમિત નથી તે એક સંદેશ છે કે કમજોરી કોઈને રોકતી નથી… જો ઈચ્છા મજબૂત હોય તો દુનિયા પણ માનશે. સુરતના આ યુવા શૂટરે વિશ્વમંચ પર જે તેજ ફેલાવ્યો છે, તે ભાવિ ડેફ એથ્લેટ્સ અને તમામ ઊભરતા ખેલાડીઓને નવી પ્રેરણા આપી રહ્યો છે.

સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન દ્વારા ગુજરાત સરકારનો આભાર

 

નાના બાળકો માટે નજીકની પ્રી-સ્કૂલ જ શ્રેષ્ઠ : ડૉ. સ્વાતિ વિનચુલકર

સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન (SUPSA)ની બેઠક સફળતાપૂર્વક યોજાઈ હતી, જેમાં પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશન સંબંધિત નિયમોમાં બહેનોના હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કરેલા સરળિકરણનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર ગુજરાતની હજારો એજ્યુકેટર બહેનોની તરફેથી સરકારે આ સકારાત્મક પહેલ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને આગલા સમયમાં પણ લાખો લોકોને રોજગાર આપતા પ્રી-સ્કૂલ ક્ષેત્રને આવા જ સહયોગ દ્વારા મજબૂત બનાવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.

SUPSA એ જ 2023 માં આ મુદ્દે બગુલ ફૂંકીને સમગ્ર રાજ્યના સ્કૂલ સંચાલકોને સાથે લઈ આ મોટા પરિવર્તન શક્ય બનાવ્યું હતું. ગુજરાતના ઈતિહાસમાં બહુ ઓછા પ્રસંગોએ સરકાર દ્વારા આવા વ્યાપક સ્તરે નિયમોમાં સુધારા અને સરળિકરણ કરવામાં આવ્યું છે.

આ આયોજન દરમિયાન ડૉ. સ્વાતી વિંચુલકરએ માતા-પિતાને બાળકોના આરોગ્ય અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નજીકના ઈન્ડિપેન્ડન્ટ પ્રી-સ્કૂલમાં એડમિશન કરાવવાની સલાહ આપી હતી. ચાઇલ્ડ એક્સપર્ટ્સ ડૉ. ભાવના રાજા, નિધી અગ્રવાલ, ડૉ. દીપક રાજ્યગુરુ અને યશવી જૈન દ્વારા સમાજના વિકાસમાં પ્રી-સ્કૂલના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.

સુરત પ્રી-સ્કૂલ એસોસિએશન તેના સભ્યોના હિત અને અર્લી ચાઇલ્ડ એજ્યુકેશનના વિકાસ માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો અને ટ્રેનિંગનું આયોજન કરતું રહે છે.

SUPSA દ્વારા ગુજરાત સરકાર અને એજ્યુકેશન મિનિસ્ટ્રીને પ્રી-સ્કૂલ રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 માર્ચ 2026 સુધી વધારવા માટે વિનંતી કરવામાં આવી છે, કારણ કે હજુ સુધી રાજ્યની અંદાજે માત્ર 5,000 પ્રી-સ્કૂલોએ જ અરજી કરી છે.

દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગની સ્પોર્ટ્સ ડે ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ ઉજવવા બાબત

 

દીપ દર્શન વિદ્યા સંકુલ દ્વારા દરેક વિભાગો માં તારીખ 19 નવેમ્બર, 2025 અને 20 નવેમ્બર, 2025ના રોજ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી. SMC પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને તેમની રમતગમતની ક્ષમતા અને ટીમ સ્પિરિટનું પ્રદર્શન કર્યું.

કાર્યક્મની શુભ શરૂઆત હનુમાન ચાલીસા દ્વારા કરવામાં આવી તથા શાળાના આદરણીય મેનેજમેન્ટ સભ્યો , શાળા ના ટ્રસ્ટી અને શક્ષણિક સલાહકાર તેમજ મુખ્ય મેહમાન તરીકે ડો. બિન્દેશ પટેલ–ડેપ્યુટી રજિસ્ટ્રાર, પી.પી.સવાણી યુનિવર્સિટી, ડૉ.વિજયભાઈ ગોંડલિયા–ડાયરેક્ટર ઉકા તરસાડીયા યુનિવર્સિટી ,શ્રી જય ભંડારી– સ્પોર્ટ્સ એડવાઇઝર, શાળા ના વાલી મિત્રો શ્રી સચિન શર્મા, શ્રી રોહિતભાઈ મેર, શ્રી પ્રદ્યુમનસિંહ આહિર, શ્રી પરેશકુમાર પટેલ જેવા દિગ્ગજ આમંત્રિત મહેમાનોના હસ્તે કાર્યક્રમનો પ્રારંભ થયો.બાળકો નો ઉત્સાહ વધારવા માટે શાળા ના અનેક વાલીઓ હાજર રહ્યા હતા. બે દિવસિય કાર્યક્રમમાં વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓમાં રમતગમત, ટીમવર્ક અને શારીરિક ક્ષમતાના મૂલ્યોને વધારવામાં આવ્યા. સહભાગીઓએ પ્રશંસનીય ઉર્જા અને કૌશલ્ય દર્શાવ્યું, જેનાથી આ કાર્યક્રમ યાદગાર અને આનંદદાયક બન્યો.

શાળા ના બાળકો દ્વારા પરેડ કાર્યક્રમ, ડાન્સ પરફોર્મન્સ અને મશાલ માર્ચિંગ એ બધા નું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બાળકો એ પોતાના કૌશલ રજૂ કરી બધા ને મંત્રમુગ્ધ કરી દીધા હતા જેના માટે શાળાગણ તથા વાલીઓ એ એમને ટાળી ઓના ગળગળાટ થી બિરદાવી લીધા હતા.

સ્પોર્ટ્સ ડેની ઉજવણી પુરસ્કાર વિતરણ સમારોહ સાથે સમાપ્ત થઈ, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ દેખાવ બદલ સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ ઉત્સાહ અને તાળીઓથી સાક્ષર બન્યો, જે શાળાની વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ કાર્યક્રમની સફળતા માટે સહયોગ આપનાર માતા-પિતા, વાલીઓ અને શિક્ષકગણનો શાળા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

દીપ દર્શન વિધાસંકુલ હંમેશની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થી પ્રતિભાને પ્રોત્સાહિત કરે તેવું સકારાત્મક અને પ્રેરણાદાયી માહોલનું સર્જન કર્યું હતું.

સ્કોલર ઇંગ્લિશ એકેડમી CBSE સ્કૂલે ઉત્તર ભારતીય શાળાઓમાં બીજું સ્થાન મેળવ્યું

 

એસડી હરિત સ્કૂલ (ગૂગલ બોય સ્કૂલ), પાણીપત (હરિયાણા) ખાતે આંતરરાજ્ય ભાષણ અને કવિતા પઠન સ્પર્ધાનું મહાન સંગઠન
10 રાજ્યોની 15 થી વધુ ટીમોએ ભાગ લીધો

શનિવારે એસ.ડી.હરિત સ્કૂલ, કોહાંડ, પાણીપત ખાતે સ્વ.સંદીપ શર્માની યાદમાં આંતર રાજ્ય વક્તવ્ય અને કાવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ સહિત 10 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમમાં બે વિદ્યાર્થીઓ હતા. જેમાંથી એકે પ્રખ્યાત કવિઓની કવિતાઓનું પઠન કર્યું હતું અને બીજાએ પસંદગીના વિષયો પર વક્તવ્ય આપ્યું હતું.
આ સ્પર્ધામાં શાળાના શિક્ષક રાજ દ્વિવેદીની આગેવાની હેઠળ સ્કોલર ઈંગ્લિશ એકેડમી સીબીએસઈ સ્કૂલ સુરત, શાળાના બે વિદ્યાર્થીઓ કુણાલ અગ્રવાલ અને અરમાન સિંઘે ભાગ લીધો હતો અને વ્યક્તિગત રીતે સ્કોલર ઈંગ્લિશ એકેડમી સુરતે વક્તવ્ય સ્પર્ધા અને કાવ્ય પઠનમાં દ્વિતીય સ્થાન મેળવ્યું હતું.
શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સિદ્ધિ શાળા માટે ગૌરવની વાત છે.
આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરતાં શાળાના આચાર્ય મહેન્દ્ર તાયડેએ જણાવ્યું હતું કે, ટીમના સામૂહિક પ્રયાસોને કારણે જ આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે આ ટીમ આવનારી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ તેમની શાળાનું પણ ગૌરવ વધારશે.

સુરતમાં મેરી હિવાલેએ વિદ્યાર્થીઓને આપ્યો મંત્ર : ઓછા ટકા કે ઓછા બજેટમાં પણ વિશ્વની ટોપ ૧૫૦ યુનિવર્સિટીમાં એડમિશન અને લાખોની સ્કોલરશિપ શક્ય છે

 

સુરત. ગુજરાતના નંબર-૧ કેરિયર કોચ અને ગ્લોબલ કૉલાયન્સના ડિરેક્ટર મેરી હિવાલેએ બુધવારે સુરતમાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે ખાસ માર્ગદર્શન સત્ર યોજ્યું હતું. આ કાર્યક્રમમાં મેરીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે વિદેશમાં અભ્યાસનું સપનું હવે માત્ર IIT-IIM સુધી મર્યાદિત નથી, પરંતુ હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, ઑક્સફર્ડ જેવી વિશ્વની ટોપ ૧૫૦ યુનિવર્સિટીમાં પણ પહોંચી શકાય છે, એ પણ ઓછા ટકા કે ઓછા બજેટમાં.

મેરીએ કહ્યું કે આજે બે પ્રકારના વિદ્યાર્થીઓ આવે છે, એક જેઓ વિના પરીક્ષા સીધું એડમિશન માંગે છે, બીજા એવા કે જેઓ સુપર કન્ફ્યુઝ્ડ હોય. ટકા ઓછા હોય, પૈસા ઓછા હોય, માર્કેટમાં ખોટી-સાચી કોમર્શિયલ વાતો ફરતી હોય એટલે વિદ્યાર્થી મુંઝાઈ જાય. અમે એ જ વિદ્યાર્થીઓના મેન્ટોર છીએ જેમની પાસે પર્ફેક્ટ પ્રોફાઇલ નથી, તો પણ અમે તેમને વિશ્વની ટોપ યુનિવર્સિટીમાં એડમિશન અને મોટી સ્કોલરશિપ અપાવીએ છીએ.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ, સ્કોલરશિપની સંપૂર્ણ રણનીતિ, એપ્લિકેશન લેખન, ઇન્ટરવ્યૂ તૈયારી અને વ્યક્તિગત મેન્ટોરશિપ પ્રોગ્રામ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સત્ર ગુજરાત ડ્રાઇવનો પ્રથમ તબક્કો હતો. આગામી કાર્યક્રમોનું શેડ્યૂલ
૨૧ નવેમ્બરે વડોદરા, ૨૩ નવેમ્બરે અમદાવાદ,૨૮ નવેમ્બરે રાજકોટ ખાતે છે.
સુરતનો આ કાર્યક્રમ પીપલોદમાં ધ સોલારિસ ધ એડ્રેસ, સુરત-ડુમસ રોડ (બિગ બજારની સામે) ખાતે યોજાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું.

એઆઈ ટેક્નોલોજી આધારિત જ્વેલરી ડિઝાઇનનો યુગ શરૂ: ISGJએ કતારગામમાં નવું GenZ કેમ્પસ શરૂ કર્યું

 

સુરતના હીરા–જ્વેલરી ઉદ્યોગને મળશે નવી દિશા, નવી પેઢી માટે હાઈટેક કોર્સિસ શરૂ

સુરત. સુરતના હીરા અને જ્વેલરી ઉદ્યોગ માટે એક નવો અને ટેક્નોલોજીથી સમૃદ્ધ અધ્યાય શરૂ થયો છે. ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ જેમ્સ એન્ડ જ્વેલરી (ISGJ)એ કતારગામ ખાતે પોતાના નવા Next GenZ કેમ્પસનો પ્રારંભ કર્યો છે, જ્યાં AI આધારિત જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કોર્સિસ શીખવાડવામાં આવશે.

ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં વિશ્વસ્તરીય શિક્ષણ આપતી આ પ્રતિષ્ઠિત સંસ્થા હવે શહેરના હીરા ઉદ્યોગના હૃદયસ્થાન સમા કતારગામ સુધી પહોંચી છે.
નવા કેમ્પસમાં વિદ્યાર્થીઓને 15 પ્રકારના અલગ અલગ જેમ્સ, જ્વેલરી, ડાયમંડ, ડાયમંડ ગ્રેડિંગ, વેલ્યુએશન અને એઆઈ–બેઝ્ડ ડિઝાઇન કોર્સિસ શીખવાડવામાં આવશે. આ કોર્સિસ નવી પેઢીને વૈશ્વિક જ્વેલરી માર્કેટની માંગ પ્રમાણે હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ પૂરી પાડશે.

ISGJ વતી કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “કતારગામ ખાતે શરૂ થયેલું આ નવું જ્વેલરી ડિઝાઇન અને રિસર્ચ સેન્ટર આવનારા સમયમાં કતારગામ અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો યુવાનોને રોજગારી અને આત્મનિર્ભરતાની તક આપશે. અહીં નવીનતમ હાઈ-ટેક અને AI ટેક્નોલોજીના આધારે ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ શીખવાડવામાં આવશે.”

– આધુનિક સુવિધાઓ સાથેનું 5,000 ચોરસ ફૂટ કેમ્પસ

કતારગામ કેમ્પસ 5,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં સ્ટેટ-ઓફ-દ-આર્ટ વર્ગખંડો, અદ્યતન લેબોરેટરી, મશીનરી અને ટેક્નોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓને રિયલ ઈન્ડસ્ટ્રી જેવી પરિસ્થિતિમાં કામ કરવાનો અનુભવ મળે તે રીતે આ ઈન્સ્ટિટ્યૂટ ડિઝાઇન કરાયું છે.

– વૈશ્વિક સ્તરે ISGJનું નામ

ISGJના કેમ્પસ હાલમાં અમદાવાદ, હૈદરાબાદ, શ્રીલંકા અને રશિયામાં કાર્યરત છે અને હવે આફ્રિકામાં પણ તેની હાજરીની તૈયારી છે.
સંસ્થા હાલમાં 27થી વધુ વિશિષ્ટ કોર્સિસ આપે છે, જેમાં ભારતનો પ્રથમ BBA in Jewellery Design & Management અને MBA in Jewellery Business Managementનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 25,000થી વધુ વિદ્યાર્થીઓ ISGJમાંથી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે.

📍 સરનામું: ISGJ – કતારગામ કેમ્પસ, 2રું માળ, રાજહન્સ ફ્લેમિંગો, કતારગામ
📞 સંપર્ક: 9925050423
📧 ઈમેઈલ: connect@isgj.org
🌐 વેબસાઇટ: www.isgj.org

આત્મવિશ્વાસ સાથે મંચને પ્રકાશિત કરાયો: વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલે દિવાળીની ઉજવણી પ્રતિભા સાથે ભરેલી સાપ્તાહિક પ્રવૃત્તિઓથી કરી

 

સુરત, 17 ઓક્ટોબર, 2025:દિવાળીના પાવન અવસરે, વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે એક અઠવાડિયા લાંબો ઉત્સવ ઉજવ્યો, જેમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિની ઉમંગભેર ઉજવણી જોવા મળી. દરેક વય જૂથના વિદ્યાર્થીઓ માટે વિશેષ તૈયાર કરવામાં આવેલી સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓને મંચભય દૂર કરવા, આત્મવિશ્વાસથી મંચ પર આવવા અને વર્ગખંડની બહારના જીવન માટે જરૂરી કૌશલ્યો વિકસાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.

“આ દિવાળી, નિર્ભય બનીએ અને સ્ટેજ ફિયર દૂર કરી દઈએ”—આ સંદેશ સાથે શાળાએ આત્મવિશ્વાસ, સંવાદકૌશલ્ય અને વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપ્યું, જે એક ભવિષ્યલક્ષી વ્યક્તિ બનવા માટે મહત્વપૂર્ણ ગુણો છે.

ઉત્સવની શરૂઆત પ્રી-પ્રાઈમરીના નાનકડા વિદ્યાર્થીઓની કથા કહો સ્પર્ધાથી થઈ. રંગીન વસ્ત્રોમાં સજ્જ થયેલા અને ઉત્સાહથી ભરેલા બાળકો મંચ પર આવ્યા અને પોતાની પસંદગીની વાર્તાઓ આનંદપૂર્વક રજૂ કરી. પ્રોપ્સ, અભિનય અને ઉત્સાહપૂર્વકની રજૂઆત દ્વારા તેમણે પ્રાણીઓ, તહેવારો અને નૈતિકતા આધારિત વાર્તાઓ જીવંત બનાવી. এতલા નાનકડા બાળકોને આત્મવિશ્વાસથી મંચ પર બોલતા જોવું એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી ક્ષણ હતી, જેનાથી સમગ્ર સપ્તાહ માટે ઉર્જાવાન વાતાવરણ ઊભું થયું.

પછી પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ કવિતા પઠન સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં તેમણે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષામાં સુંદર કવિતાઓ રજૂ કરી. પરંપરાગત કાવ્યોથી લઈને મૂળ રચનાઓ સુધી, વિદ્યાર્થીઓએ લય, ઉચ્ચારણ અને ભાવનાઓથી ભરપૂર પ્રસ્તુતિ આપી. દરેક કવિતામાં ભાષા પ્રત્યેનો પ્રેમ અને ભાવ વ્યક્ત કરવાની તેમની ક્ષમતા સ્પષ્ટ રીતે જણાઈ. ઘણાં બાળકો માટે આ પ્રથમ વખત હતું કે તેઓ માઇક્રોફોન સાથે મંચ પર આવ્યા હતા, અને તેમના સ્પષ્ટ ઉચ્ચારણ અને આત્મવિશ્વાસને શિક્ષકોએ ખુબ પ્રશંસા આપી.

મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ભાષણ સ્પર્ધા યોજાઈ, જેમાં તેમણે વિચારજનક વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. વિષયોમાં “આત્મવિશ્વાસનું મહત્વ,” “ડિજિટલ ઈન્ડિયા,” અને “સ્વચ્છ પર્યાવરણ, લીલું ભવિષ્ય” જેવા વિષયો સમાવિષ્ટ હતાં. વિદ્યાર્થીઓએ માત્ર સાર્વજનિક ભાષણ કૌશલ્ય જ નહીં, પણ સામાજિક વિષયો વિશેની સમજદારી અને તર્કશક્તિ પણ દર્શાવી. તેમની અવાજની ફરાવટ, હાથવગા હાવભાવ અને આંખોનો સંપર્ક તેમની તૈયારી અને આત્મવિશ્વાસનો પરિચય આપતો હતો. સ્પષ્ટ હતું કે શાળા એવા વિદ્યાર્થીઓને ઘડવાનું કામ કરી રહી છે, જે આત્મવિશ્વાસપૂર્વક બોલી શકે અને નેતૃત્વ કરી શકે.

સીનિયર સેકન્ડરી વિદ્યાર્થીઓએ ક્વિઝ સ્પર્ધા સાથે આ ઉજવણીનો સમાપન કર્યો. વિભિન્ન હાઉસિસમાં વિભાજિત વિદ્યાર્થીઓએ વર્તમાન ઘટનાઓ, વિજ્ઞાન, ઈતિહાસ, તર્કશક્તિ અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોને આવરી લેતા અનેક રાઉન્ડમાં સ્પર્ધા કરી. સંપૂર્ણ હોલ ઉત્સાહ અને તીવ્રતા સાથે ધબકતો રહ્યો જ્યારે વિદ્યાર્થીઓએ ઝડપી વિચારીને ટીમ વર્ક સાથે જવાબ આપ્યા. ખાસ દિવાળી થીમ આધારિત રાઉન્ડ દ્વારા ભારતીય તહેવારો, પરંપરાઓ અને વારસો અંગેની સમજણને પણ કસોટી પર મુકી. આ ક્વિઝ માત્ર બુદ્ધિશક્તિ શાર્પ કરતી ન હતી, પણ એક આરોગ્યદાયક સ્પર્ધાત્મક ભાવનાનું પાલન પણ કરાવ્યું.

આ સમગ્ર સપ્તાહ દરમ્યાન વ્હાઈટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને વખાણોથી ભરેલું વાતાવરણ જોવા મળ્યું. શાળાની પ્રિન્સીપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ ભાવપૂર્વક જણાવ્યું:
“દિવાળી પ્રકાશનું પર્વ છે, અને અમે માનીએ છીએ કે દરેક બાળકની અંદર એક ઉજાસ છે, જે ચમકવાનો હકદાર છે. આ સ્પર્ધાઓ માત્ર મુકાબલો નથી, પરંતુ આવાસરો છે—જ્યાં બાળકો પોતાના ડરનો સામનો કરે છે, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ શીખે છે, અને સાહસ ધરાવે છે. અમે દરેક બાળક પર ગર્વ અનુભવી રહ્યા છીએ કે જેઓ મંચ પર આવ્યા અને પોતાનું શ્રેષ્ઠ આપ્યું.”

અભિણવકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પહેલની ખૂબ પ્રશંસા કરી અને તેના અસરકારક પરિણામોને માણ્યા. અનેક માતાપિતાએ ખુશી વ્યક્ત કરી કે તેમણે પોતાના બાળકોને મંચ પર એટલા આત્મવિશ્વાસથી રજૂ થતું જોયું, જ્યારે શિક્ષકોએ પણ કહ્યું કે આ પ્રકારના અનુભવોથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે.

આ સાપ્તાહિક ઉજવણીનું મુખ્ય હેતુ—વિદ્યાર્થીઓના અંદરના સંકોચો દૂર કરીને તેમને મંચ પર જાતે રજૂ થવામાં આરામદાયક બનાવવું—સફળતાપૂર્વક પ્રાપ્ત થયું.

હિરાબાના નામે દીકરીઓના શિક્ષણ માટે ઉદાર પહેલ…

 

સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈનો સંકલ્પ: ૨૧,૦૦૦ દીકરીઓને મળશે ₹૭,૫૦૦ની સહાય

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે “હિરાબા નો ખમકાર” અભિયાન હેઠળ અત્યાર સુધી ૨૫૧ દીકરીઓને સહાય, ધનતેરસે વધુ ૧૫૧ને મળશે લાભ

સુરત: શિક્ષણ દ્વારા સમાજની ઉન્નતિનો સંદેશ આપતા સુરતના યુવા ઉદ્યોગપતિ શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેઓની માતા હિરાબાના નામથી “હિરાબા નો ખમકાર” શિર્ષક હેઠળ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ પહેલ હેઠળ પિયુષભાઈએ ૨૧,૦૦૦ આર્થિક રીતે નબળી દીકરીઓને ₹૭,૫૦૦ની સહાય આપવા નો સંકલ્પ વ્યક્ત કર્યો છે. સહાયરૂપ રકમથી દીકરીઓને શાળા ફી મા શૈક્ષણિક સહાય મળશે.

પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દીકરીને શિક્ષિત કરવી એ સમગ્ર સમાજની પ્રગતિનું પ્રથમ પગથિયું છે. દીકરી મજબૂત બનશે તો કુટુંબ અને રાષ્ટ્ર મજબૂત બનશે.
આ અભિયાનનો શુભારંભ શ્રી સી.આર. પાટીલ સાહેબના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ તબક્કામાં ૨૫૧ દીકરીઓને સહાય અપાઈ હતી. હવે આવનારા ધનતેરસના શુભ અવસર પર વધુ ૧૫૧ દીકરીઓને સહાય આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈનો જન્મ ૨૧ એપ્રિલ, ૧૯૯૩ના રોજ થયો હતો. હાલમાં તેઓ સુરત શહેરમાં ટેક્સટાઇલ, જમીન વેચાણ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્યરત છે.
સમાજસેવાની ભાવના સાથે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આવે.ઉદ્યોગપતિઓ અને યુવાનો માટે પ્રેરણારૂપ છે, જે દર્શાવે છે કે સાચી સફળતા એ ત્યારે જ મળે છે જ્યારે એને સમાજ સાથે વહેંચવામાં આ

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે વિદ્યાર્થીઓને આપ્યું જીવનરક્ષક CPR તાલીમ

 

સુરત, 29 સપ્ટેમ્બર 2025: વર્લ્ડ હાર્ટ ડેના અવસર પર વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ (WLIS), વેસુએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમના સહયોગથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે CPR (કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન) તાલીમ સત્રનું આયોજન કર્યું.

આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ જીવનરક્ષક કુશળતાઓ પ્રદાન કરવાનો અને હૃદયના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. નિષ્ણાત ડૉક્ટરોએ સમજાવ્યું કે યોગ્ય સમયે કરવામાં આવેલ CPR હૃદયની આકસ્મિક પરિસ્થિતિઓમાં જીવ બચાવવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

વિદ્યાર્થીઓએ તબીબોના માર્ગદર્શન હેઠળ જીવંત પ્રદર્શન અને પ્રાયોગિક તાલીમ લીધી. તેમણે છાતી પર દબાણ કરવાની તકનીક, કૃત્રિમ શ્વસન (rescue breaths) અને આપાતકાલીન પ્રતિસાદ પ્રોટોકોલ્સ શીખ્યા, જેના કારણે તેમને જ્ઞાન સાથે સાથે આત્મવિશ્વાસ પણ મળ્યો.

આ પ્રસંગે શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ જણાવ્યું:
“શિક્ષણ માત્ર પુસ્તકો અને વર્ગખંડ સુધી મર્યાદિત નથી. WLISમાં અમે અમારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીએ છીએ, જેમાં જીવન માટે જરૂરી કુશળતાઓનો સમાવેશ થાય છે. CPR એ એક એવો અગત્યનો કૌશલ્ય છે જે દરેક વ્યક્તિને સંભવિત જીવનરક્ષક બનાવી શકે છે. આ પવિત્ર પહેલમાં સહકાર આપવા બદલ અમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”

આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો. તેઓ ઉત્સાહપૂર્વક તાલીમમાં જોડાયા. તબીબોએ તેમની શીખવાની આતુરતા (eagerness)ની પ્રશંસા કરી અને શાળાની આરોગ્ય જાગૃતિ ફેલાવવાની સક્રિય ભૂમિકા માટે વખાણ કર્યા

યુથ ફોર એક્સપોર્ટ પ્રોગ્રામ હેઠળ યુવાનોને સ્વનિર્ભર નિકાસકાર બનાવવાનો પ્રયાસ

 

  • બિંગ એક્સપોર્ટર સંસ્થાની પહેલ, ચાર મહિના સુધી કોલેજના પ્રથમ વર્ષથી માસ્ટર ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવશે મફત તાલીમ

સુરત: દેશના યુવાનોને નિકાસના ક્ષેત્રમાં સ્વનિર્ભર બનાવવા અને ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે બિંગ એક્સપોર્ટરે એક અનોખો તાલીમ પ્રોગ્રામ ‘યુથ ફોર એક્સપોર્ટ’ શરૂ કર્યો છે. આ પહેલના સ્થાપક ભગીરથ ગોસ્વામીએ જણાવ્યું કે આ પ્રોગ્રામ કોલેજના પ્રથમ વર્ષથી લઈને માસ્ટર ડિગ્રી સુધીના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં તેમને મફત તાલીમ અને સ્ટાઈપેન્ડ સાથે નિકાસના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક મળશે.

  • ચાર મહિનાની મફત તાલીમ, દર મહિને સ્ટાઈપેન્ડ :-
    ‘યુથ ફોર એક્સપોર્ટ’ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓને ચાર મહિના સુધી દરરોજ 30 મિનિટની નિકાસ સંબંધિત તાલીમ અને 15 મિનિટનું રિપોર્ટિંગ સેશન આપવામાં આવશે. આ દરમિયાન કોઈ ફી લેવામાં આવશે નહીં. તાલીમમાં બિઝનેસ ડીલિંગ, નેગોશિએશન, સ્કિલ ડેવલપમેન્ટ, ડોક્યુમેન્ટેશન અને લોજિસ્ટિક્સ જેવા તમામ જરૂરી પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓને દર મહિને 4,000 થી 6,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.
  • રોજગાર અને ઉદ્યમશીલતાની સુવર્ણ તક
    પ્રોગ્રામ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓ પોતે નિકાસકાર બની શકે છે અથવા કોઈ નિકાસ કંપનીમાં 15,000 થી 20,000 રૂપિયા માસિક પગારની નોકરી મેળવી શકે છે. આ ઉપરાંત, ઇન્સેન્ટિવ તરીકે વધારાની આવક પણ મેળવી શકાય છે. વિદ્યાર્થીઓ કોઈ નિકાસ કંપનીમાં કામ કરી શકે છે અથવા વર્ક-ફ્રોમ-હોમ દ્વારા ખરીદદારો સાથે સીધો બિઝનેસ કરી શકે છે.
  • પેન ઇન્ડિયા પહેલ, 100+ શહેરોમાં શરૂ થશે પ્રોગ્રામ

આ પ્રોગ્રામ આખા ભારતમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આ માટે 100 શહેરોની પસંદગી કરવામાં આવી છે, અને બિંગ એક્સપોર્ટરની 90 સભ્યોની ટીમ આ અભિયાનને ગતિ આપી રહી છે. પ્રોગ્રામની પ્રથમ ઇવેન્ટ ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં આવતા મંગળવારે યોજાશે. શુક્રવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે બીજી ઇવેન્ટ યોજાશે જ્યાં વિદ્યાર્થીઓને સંબોધન કરવામાં આવશે, તેમજ VNSGU સાથે સંલગ્ન કોલેજોના 175થી વધુ આચાર્યો સાથે ઝૂમ મીટિંગનું આયોજન કરવામાં આવશે.

  • 10,000થી વધીને પેન ઇન્ડિયા લક્ષ્ય
    ભગીરથ ગોસ્વામીએ જણાવ્યું કે શરૂઆતમાં 10,000 વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો લક્ષ્યાંક હતો, પરંતુ હવે તેને આખા દેશમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ઉદ્યમીઓ અને ખેડૂતોના વ્યવસાયને પ્રોત્સાહન આપવું, વિદેશી ચલણને ભારત લાવીને અર્થવ્યવસ્થાને મજબૂત કરવું અને યુવા પેઢીને રોજગાર તેમજ ઉદ્યમશીલતાની નવી તકો પૂરી પાડવી છે.
  • યુવાનો માટે પ્રેરણા
    ભગીરથ ગોસ્વામીએ કહ્યું કે અમારું સ્વપ્ન છે કે ભારતનો યુવા માત્ર નોકરી જ ન મેળવે, પરંતુ વૈશ્વિક મંચ પર પોતાની ઓળખ બનાવે. ‘યુથ ફોર એક્સપોર્ટ’ આ દિશામાં એક ક્રાંતિકારી પગલું છે, જે યુવાનોને સ્વનિર્ભર બનાવશે અને દેશની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. આ પ્રોગ્રામ માત્ર યુવાનો માટે એક સુવર્ણ તક જ નથી, પરંતુ ભારતના નિકાસ ક્ષેત્રને નવી દિશા આપવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.