અભય વિશેષ

Archana Vidya Bhavan conducted programs with the objective of inculcating the culture of culture.
અર્ચના વિદ્યા સંકુલ દ્વારા સંસ્કૃતિના સંસ્કાર નું સિંચન ના ઉદ્દેશ્યથી પ્રોગ્રામો કરાયા

 

સુરત: અર્ચના વિદ્યા સંકુલ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામની ઉજવણી કરાઈ હતી. જેમાં ગણપતિ પૂજન, સરસ્વતી વંદના, દશાવતાર હોળી, નૃત્ય, લવ જેવી થીમમાં પરિવારીક સંબધોને આવરી લેવામાં આવ્યાં હતા. આર્મી ગીત સૌરાષ્ટ્ર ની રસઘાથા માં ગુજરાતના કવિઓના ગુણગાનની ભવ્ય રજૂઆત કરાઈ હતી. ગોંદલ, જોગવા, શિવા થીમ અને મહિષાસુર વધ જેવા નૃત્ય એ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. પ્રોગ્રામ નિહાળવા માટે આવેલ પ્રેક્ષકો અને વાલીઓ દરેક પાર્ટિસિપેટને પ્રોત્સાહન માટે તાળીઓના ગડગડાટથી વધારી લીધા હતા, અને અમુક પ્રોગ્રામોમાં વાલીઓ પણ ઝુમતા દેખાયા હતા.
સમગ્ર નૃત્યની કોરિયોગ્રફી સંસ્કૃતિ એકેડમીની ટીમના તેજસ યાદવ, ઈશિકા ભોંસલે, રોહિત બિરાડે, દેવરાજ દેવેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. પ્રોગ્રામને સફળ બનાવવા માટે શાળામાં શિક્ષકોથી લઈને તમામ સ્ટાફે જે ભારે જેહમત ઉઠાવી મેહનત કરી હતી, તે પ્રોગ્રામોમાં પરફેક્ટનેસ ને લઈ પણ દેખાઈ હતી અને કાર્યક્રમના અંતે તમામ શાળા પરિવારના સ્ટાફના ચહેરે છલકાતી ખુશી જોવા મળી હતી. અર્ચના વિદ્યા સંકુલ દ્વારા બાળકોમાં ભણતરની સાથે આવા પ્રોગ્રામો દ્વારા સમાજની અને સંસ્કૃતિની કેવી રીતે માહિતગાર કરવા તે પણ જોવા મળ્યું હતું.
સમગ્ર કાર્યક્રમો બાળકોમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી તમામ કૃતિઓની રજૂઆતો કરવામા આવી હતી.

અઠવાડિયા બાદ પણ નિરાકરણ નહીં આવતા ઔદ્યોગિક-લેબર કોર્ટના વકીલો કામકાજથી અળગા

 

સુરતઃ ઔદ્યોગિક અદાલત તથા મજૂર અદાલત નંબર-2માં વકીલો સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હેરાનગતિથી સામે સુરત લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશનને આંદોલન શરૂ કર્યું છે. એસોસિયેશનના નેજા હેઠળ તમામ લેબર લો પ્રેક્ટિશનર્સ દ્વારા 12 એપ્રિલથી બંને કોર્ટો ના કામકાજથી અળગા રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે હજી પણ યથાવત છે. 


આ અંગે એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ નિમિષ પટેલના જણાવ્યા મુજબ કોર્ટમાં ધીમી કામગીરી ચાલી રહી અને જુબાની, ઉલટ તપાસ માટે વકીલોને પૂરતી તક આપવાને બદલે ન્યાયાધીશ પોતાની મરજી મુજબ જુબાની,ઉલટ તપાસ માટે આગ્રહ રાખવામાં આવે છે.વકીલોને એક કોર્ટમાં સાંજ સુધી બેસાડી રાખી બીજી કોર્ટની કામગીરીમાં જવા દેવામાં આવતાં નથી ત્યારે આવા વર્તનથી વકીલો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી આ મુદ્દે એસોસિએશને દસ મુદ્દાઓ સાથે  ગુજરાત હાઈકૉર્ટનાં ચીફ જસ્ટિસ, હાઇકોર્ટનાં રજીસ્ટ્રાર,યુનિટ જજ હાઇકોર્ટ અને પ્રમુખ ઔદ્યોગિક અદાલતને ફરિયાદ કરવા સાથે જ જ્યારે સુધી વકીલોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી આ બંને કોર્ટની કામગીરીનો અચોક્ક્સ મુદત સુધી બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે. 12 એપ્રિલ થી લેબર લો પ્રેક્ટીશનર દ્વારા આંદોલન ચાલવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી કોઈ નીરકરણ આવ્યું નથી ત્યારે આગામી દિવસોમાં વકીલો આ બે કોર્ટના કામકાજથી અળગા રહેશે એવું ઘોષણા આજરોજ એસોસિયેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

સ્મીમેર હોસ્પિટલ માં મુલાકાતે આવતાં દર્દીઓ અને મુલાકાતીઓ પાસેથી અઘઘ 104 કિલો પાન માવા ગુટખાનો જથ્થો જપ્ત કરાયો

 

સુરત. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ પાસેથી તંત્ર દ્વારા 104 કિલો જેટલો ગુટખા તમાકુનો જથ્થો કબ્જે કર્યો હતો. તો પાર્કિંગ વ્યવસ્થિત ન કરનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ 1100થી વધારે બેડ સાથે કાર્રત છે. જ્યાં રોજીંદા 2500થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. અને 900 જેટલા દર્દીઓ ઈન્ડોર સારવાર લે છે. ત્યારે સ્મમેર હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા વ્હાલાઓ તેમને મળવા આવતા હોય જેઓ તમાકુ, ગુટખા સહિત લઈ આવતા હતા જેઓ પાસેથી સ્મિમેર હોસ્પિટલના સ્ટાફે ગેટ પર ચકાસણી કરતાં 104 કિલો જેટલો ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો. વધુમાં સ્મિમેર હોસ્પિટલમાં નિર્ધારીત કરાયેલા પાર્કિંગ લોકેશન પર ગાડી પાર્ક ન કરવાના કારણે સારવાર લેવા આવતા દર્દીઓ, કર્મચારીઓ તેમજ શબવાહિની અને એમ્બ્યુલન્સની અવર જવરમાં મુશ્કેલીઓ ઉપસ્થિત થતી હોય છે જેને લઈ પાર્કિંગ બાબતે સ્પેશ્યલ ચેકિંગ હાથ ધરી નિર્ધારત જગ્યા પર પાર્કિંગ ન કરવા બદલ ફેબ્રુઆરી મહિનાથી આજદિન સુધી 46 હજાર 600 રૂપિયા દંડ પેસે વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.
ખાખી વર્દીની પાછળ છુપાયેલી માનવતા ના થયાં દર્શન, ડુમ્મસ પોલીસે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કરાવી ડુમ્મસની સહેલગાહ

 

સુરત. ડુમસ પોલીસ દ્વારા આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ડુમસ પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વયો વૃદ્ધ માટે અનોખો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લાવવામાં આવ્યા હતા જ્યાં તમામની સાથે પોલીસે અલગ મલકની વાતો કરી હતી

      પોલીસ ગુનેગારો માટે કડક કાર્યવાહી કરવા માટે જાણીતી છે. પરંતુ પોલીસની ખાખી પાછળ તેમની માનવતા અને સહજતા પણ રહેલી છે. તે આજે જોવા મળ્યું હતું. સુરતમાં પોલીસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઋણ સ્વીકાર નામના કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઇ જવામાં આવ્યા હતા. તેમજ તેમની ઉંમરને લગતી વિવિધ ગેમ તેમજ દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવામાં આવી હતી. જેમાં ભારતીમૈયા વૃધ્ધાશ્રમના વયોવૃધ્ધો વડીલો કે જેમણે આજીવન આપણા દેશની પ્રગતિ અને ઉન્નતી માટે કોઇને કોઇ માધ્યમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફાળો આપ્યો છે. જેથી આ વડીલોએ પોતાના જીવનમાં દેશની ઉન્નતી માટે આપેલ અનુદાનને ઋણ તરીકે ગણી, આજે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે તેવી ભાવનાને ધ્યાને રાખી તથા પોલીસ હરપળ તેમની સાથે જ છે. તેવો તેમને અનુભવ થાય તેવી શુભ આશય સહ આ વડીલોને આજે ડુમસ પોલીસ દ્વારા દરિયા ગણેશ બીચ પર ફરવા માટે લાવવામાં આવ્યા હતા.

      ડુમસ પોલીસ દ્વારા વડીલો સાથે આજે ખાસ સમય વીતાવવામાં આવ્યો હતો જેમાં પોલીસે વૃધ્ધો સાથે જીવનની વિવિધ પ્રકારની અલક-મલકની વાતો કરી હતી.તેમજ તેમની ઉંમરને લાગતી નાની-મોટી રમતો રમાડવામાં આવી હતી. દરિયા કિનારે વૃદ્ધોને પોલીસે સંગીત ખુરશી જેવી રમતો રમાડી હતી. સાથે દરીયા કિનારા પર પોલીસે ડુમસના ભજીયા ખવડાવી તમામને તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવા વિશેષ પ્રયાસ કર્યો હતો.
30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20સેકંડ માં થયો ધ્વસ્ત

 

સુરત.ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.

સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી  તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.
30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20 સેકંડમાં થયો ધ્વસ્ત

 

સુરત. ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.

સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી  તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.
ત્રણ દિવસ પહેલા તાપી નદીમાં ઝંપલાવનાર l&t ના 23 વર્ષીય કર્મચારીની લાશ મળી

 

હજીરા ખાતે રહેતા અને એલ એન્ટી કંપનીમાં કામ કરતા યુવાને ગત 17મીએ તાપી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો જે યુવાનની મોડી રાત્રે ઉમરાગામ તાપી કિનારેથી લાશ મળી આવી હતી.

સુરત.સુરતમાં આપઘાતની ઘટનાઓ વચ્ચે હજીરા ખાતે રહેતા યુવાને તાપીમાં કુદી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર સુરતના હજીરા ખાતે રહેતા અને એલ એન્ટ ટી કંપનીમાં નોકરી કરતા મુળ બિહારના વિશાલકુમાર સિંગએ તાપી નદીમાં ગત 17મીએ ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેને લઈ તેની શોધખોળ હાથ ધરી હતી.  જો કે યુવાનની લાશ મળી ન હતી. અને રાત્રીના સમયે યુવાનની લાશ ઉમરાગામ તાપી નદીના કિનારે કાદવ પાસેથી વિશાલ નો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે યુવાનની લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૂળ બિહારના ખાગરિયાના છીલકોડી ગામે રહેતો વિશાલ કુમાર ઘણા સમય થી રોજગારી અર્થે સુરત મા રેહતો હતો અને છેલ્લાં ત્રણ વર્ષથી એલ એન્ડ ટી કંપનીમાં હિટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યુ છે. વિશાલના ગામ વાસી મિત્ર સુનિલકુમાર એ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યા આસપાસ માતા પિતા સાથે કોલ કરીને વાત કરી હતી અને મોબાઈલ રૂમ પર મૂકી વિશાલ નીકળી ગયો હતો અને સાથી મિત્રો સાથે પણ કોઈપણ જાતની વાત કરી ન હતી સવાર સુધી તે પરત ન ફરતાં શોધખોળ શરૂ કરી હતી
જો સાવચેત નહીં રહેશો તો તમારા ઘરની બહાર પણ લાગી શકે છે આવું બોર્ડ

 

સુરત. મહાનગરપાલિકા દ્વારા હવે કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતા વધુ સક્રિય રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. છુટા છવાયા વિસ્તારોની અંદર અલગ અલગ ઝોનમાં જે પ્રકારે કોરોના સંક્રમણના સામે આવી રહ્યા છે. તે જોતા હવે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં જે પણ વ્યક્તિઓને કોરોના ગાઈડલાઈન પ્રમાણે કોરોના પોઝિટિવ થાય તો તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. એવી જ રીતે ફરીથી કોરોના સંક્રમણના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. સુરતના અલગ અલગ ઝોનમાં કોરોના સંક્રમણ પોઝિટિવ દર્દીઓને સાત દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

ગટર સમિતિની બેઠકમાં 94 કરોડથી વધુના 17 કામો મંજૂર

 

સુરત. સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી. જેમાં 94 કરોડથી વધુના 14 કામો રજુ કરાયા હતા. ચર્ચાના અંતે તમામ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ સમિતિની મીટીંગ ચેરમેન વિક્રમ પાટીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા આવનાર ચોમાસાને લઈ પ્રિ મોન્સુન કામગીરી સાથે નવા આઉટર રીંગરોડ પર રોડની બન્ને સાઈડે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવાની, સાઉથ વેસ્ટ ઝોનમાં નળીકા નાંખવાની કામગીરી સાથે સુરત શહેરના તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરી કરવા માટે ડ્રેનેજની જાળીઓ ડિસોલ્ટીંગ કરવા સહિતના કામો મળી 94 કરોડ 50 લાખથી વધુના 14 કામો રજુ કરાયા હતા જે કામોને સમિતિએ મંજુરીની મહોર મારી હતી. જે અંગે ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ વિક્રમ પાટીલે વિગતવાર માહિતી આપી હતી.

લિંબાયત માં વેસ્ટેજ ટાઈલ્સ ના ઢગલા માંથી નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યુ, નિષ્ઠુર જનેતા સામે ફિટકાર

 

સુરત. સુરતમાં ફરી એક નિષ્ઠુર વ્યક્તિની કરતુત સામે આવી છે જેમાં નવજાત બાળકને મૃત હાલતમાં ત્યજી દેવાયો હોવાની ઘટના લિંબાયત વિસ્તારમાં બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

      સુરતમાં ફરી એક નવજાત મૃત હાલતમાં મળી આવ્યો છે. વાત એમ છે કે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ ખાડી કિનારે ટાઈલ્સના વેસ્ટ રૂમમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો જેને લઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ નવજાતનો મૃતદેહ કબ્જે લઈ અજાણી નિષ્ઠુર વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી, આસપાસ માં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસી વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ નવજાતને મૃત હાલતમાં ત્યજી દેનાર જનેતા સામે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. હાલ તો પોલીસે નવજાતના મૃતદેહનો કબ્જો લઈ અજાણી નિષ્ઠુર જનેતા એ કયા કારણ વશ નવજાત બાળક ને ત્યજી દીધું છે તે અંગે ની સંપૂર્ણ તપાસ હાથ ધરી છે.