Officials of Limbayat Zone kneel against the contamination of tapela dyeing...
તપેલા ડાઈંગના દૂષણ સામે લિંબાયત ઝોનના અધિકારીઓ ઘૂંટણીએ…

 

પ્રદૂષણ ફેલાવતી તપેલા ડાઈંગો સામે લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે હજી પણ મીઠી ખાડી ગોવિંદ નગર વિસ્તારમાં ગેરકાયદે તપેલા ડાઇંગ ચાલુ છે અને આ તસ્વીરો એ બાબતનો પુરાવો છે. દૃશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગોવિંદ નગરની ગલીઓમાં કલર વાળું પાણી વહી રહ્યું છે. આ કલર વાળા પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમના આરોગ્ય સામે જોખમ તોળાઈ રહ્યું છે તો બીજી બાજુ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા એસી ચેમ્બરમાં બેસીને થોડી ઘણી તપેલા ડાઈંગ ને સીલ મારીને કાર્યવાહી કરવાનો સંતોષ માનીને બેઠા છે અને ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ ઝોંકી રહ્યા છે. એટલું જ નહીં પણ કાર્યવાહીના નામે પણ સેટિંગ નો ખેલ ખેલાયો હોવાનું સ્થાનિક લોકો આપેક્ષ કરી રહ્યા છે. લોકોના ના જણાવ્યા મુજબ માત્ર નાના યુનિટો સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે રાજકીય વગ ધરાવતા અને ઝોનના અધિકારીઓ સાથે મીઠા સંબંધો ધરાવતા લોકોના તપેલા ડાઈંગ હજી પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે.

Sri Reiki Healing Center: A Path to Physical and Mental Health through Ancient Indian Healing Systems
શ્રી રેકી હીલીંગ સેન્ટર: પ્રાચીન ભારતીય ઉપચાર પદ્ધતિ દ્વારા શારીરિક અને માનસિક આરોગ્ય માટેનો માર્ગ

 

નમસ્કાર મીત્રો, મારૂ નામ મનોજ રમેશભાઈ સાતપુતે છે. હું સુરતમા વકીલાતનો વ્યવસાય કરૂ છું. સને-૨૦૧૯ ૨ મારૂ એપેન્ડીસનું ઓપરેશન થયેલુ હતુ અને સને-૨૦૨૦ મા હારનીયાનું ઓપરેશન થવાનુ હતુ. બધા ડોકટર્સએ મને હારનીયાનુ ઓપરેશન કરવાની સલાહ આપી દીધી હતી. પરંતુ એક મીત્ર તરફથી મને રેડી કોર્સની માહીતી મળી હતી અને જૂન-૨૦૨૨ મા મે રેકી ગ્રાન્ડ માસ્ટર ડો. ચીરાગભાઈ ગુજજર પાસેથી રેકી કોર્સ લેવલ ૧.૨ અને ૩-એ તથા ક્રિસ્ટલ રેકીનો કોર્સ કરેલો અને શ્રીમતી બિનલબેન ચિરાગભાઈ ગજજરએ મને ક્રિસ્ટલ બ્રેસ્લેટ બનાવવાની પણી સારી ટ્રેનીગ આપી હતી. રેકી કોર્સ કરવાથી મારૂ સારનીયાનુ ઓપરેશન કેન્સલ થઈ ગયુ.

સને-૨૦૨૨ મા રેકી કોર્સ કરવાથી મારી તમામ શારીરીક તથા માનસીક બિમારીઓ દુર થઈ ગઈ હતી અને મેં તા.૦૨/૦૧/૨૦૨૩ ના રોજ રેકી એડવાન્સ (રેકી માસ્ટર) નો કોર્સ કરેલો. મે વિચાર કર્યું કે, જેમ હુ શારીરીક તથા માનસિક રીતે સ્વસ્થ થયો છુ તેવી જ રીતે મારો પરીવાર, મારા મીત્રો અને સમાજના લોકો પણ શારીરીક તથા માનસિક રીતે સ્વસ્થ થવા માટે મેં તા.૧૨/૦૮/૨૦૨૩ ના રોજ રેકી ગ્રાન્ડ માસ્ટરની ટ્રેનીંગ લીધી અને પોતે શ્રી પૈકી હીલીંગ સેન્ટરની ડીડોલી, સુરત મુકામે ઓગસ્ટ-૨૦૨૩ મા શરૂ કરી હતી.

હવે, શ્રીરેડી હીલીંગ સેન્ટરને વર્ષ પુરા થઈ ગયા છે અને આ વર્ષમા કુલ ૪૦ લોકોએ રેકી કોર્સ કરેલ છે. શ્રીરેકી હીલીંગ સેન્ટરમા રેકી કોર્સ કરવાથી માનસીક રોગ, ડાયાબીટીસ, થાઈરોઈડ, આંખની સમસ્યા, ઘુંટણનો દુઃખાવો, કમર/પીઠનો દુઃખાવો, ઉઘની સમસ્યા, કીડની સ્ટોનની સમસ્યા, એનાઝાઈટી, વા ની સમસ્યા, સાયટીકા, યુરીક એસીડની સમસ્યા, માઈગ્રેન વિગેરે અનેક રોગો દુર થયા છે તથા શ્રીરેકી હીલીંગ સેન્ટરમા રેકી કોર્સ કરવાથી પેટમાં પાણીની ગાંઠનું ઓપરેશન, હોરમોન્સની ગાંઠનું ઓપરેશન, હારનીયાનુ ઓપરેશન, કમરની ગાદીનુ ઓપરેશન કેન્સલ થઈ ગયુ છે.

રેકી મુળ આપણા ભારત દેશ સાથે જોડાયેલો છે. આપણા ભારત દેશમા હજારો વર્ષો પહેલા ઋષિઓ કોઈ બિમાર લોકોના માથા ઉપર હાથ રાખતા હતા અને એ લોકોની બિમારીઓ દુર થઈ જતી હતી. એને આપણે આજના આધુનીક સમયમા રેકીનો સ્વરૂપ કહી શકીએ છીએ. પ્રાચીન સમયમા ભગવાન બુધ્ધ માત્ર સ્પર્શ કરીને લોકોની બીમારીઓ દુર કરતા હતા. પરંતુ ભગવાન બુધ્ધના ગયા પછી આ વિધા લુપ્ત થઈ ગઈ હતી.

ત્યારબાદ ૧૯ મી સદીમાં જાપાનમાં રહેવાવાળા ગુરૂ ડો. મીકાઉ ઉસઈ આપણા ભારત દેશમા આવેલા અને એમને ભારત દેશમા બોધ ધર્મના મઠમા પ્રાચીન સાહીત્ય વાચીને ૨૧ દિવસની સાધના કરીને રેકી ઉપચાર પદ્ધતિ શોધી કાઢી હતી. જે આજે પુરા વિશ્વમા રેકી નામથી પ્રચલીત થઈ ગઈ છે. રેકી એ કુદરતી ઉપચાર પદ્ધતિ છે. રેકી આ જાપાની શબ્દ છે. રેકીમા ‘રે’ નો અર્થ યુનીવર્સ અને ‘કી’ નો અર્થ એનર્જી થાય છે. આમ, રેકીનો અર્થ બ્રહમાંડની અનંત ઉર્જા થાય છે. રેકી હીલીગથી કોઈપણ પ્રકારીની બિમારીઓ દુર થઈ શકે છે.

રેકી એ સ્પર્શ ચીકીત્સા પદ્ધતિ છે. રેકી કોર્સ આ સર્ટીફીકેટ કોર્સ છે. રેકી કોર્સ બે માસનો મોય છે. આ કોર્સમા રેકી લેવલ ૧,૨.૩-એ શીખાવવામાં આવે છે. રેકી દ્વારા કોઈપણ પ્રકારની આદ અસર થતી નથી. રેકી એ પુસ્તક વાચીને કે મોબાઈલમા વીડીયો જોઈને શીખી શકાતી નથી. રેકી એ રેડી શીક્ષક પાસેથી જ શીખી શકાય છે.

સમાજના દરેક લોકોએ ભારત દેશની પ્રાચીન પૈકી પદ્ધતિ શીખીને શારીરીક તથા માનસીક રીતે સ્વસ્થ રહેવા જોઈએ એવી મારી હદયપુર્વકની ઈચ્છા છે,

શ્રી રેડી હીલીંગ સેન્ટર,

ડીડોલી, સુરત

રેકી ગ્રાન્ડ માસ્ટર મનોજ પ્લોટ નં. ૧૩૪, મયુર સોસાયટી, ડીડોલી, સુરત મો. નં. ૯૯૭૪૦-૧૮૪૨૯

રમેશ સાતપુતે,

Detention of Aam Aadmi Party civic workers celebrating Khada's birthday: Celebrated by cutting a cake in happiness of development
ખાડાનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત :વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી

 

દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રીપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાબખા માર્યા

વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી.

ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે.

Detention of Aam Aadmi Party civic servants celebrating Khada's birthday: Celebrated by cutting cake in happiness of development
ખાડાનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત :વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી

 

દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રીપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાબખા માર્યા

વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી.

ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે.

Essilor® launched a new brand campaign featuring Virat Kohli
Essilor® એ વિરાટ કોહલી ને દર્શાવતું નવું બ્રાન્ડ કેમ્પેઈન શરૂ કર્યું

 

નવું કેમ્પેઈન સિંગલ વિઝન કન્ઝ્યુમર માટે Eyezen® અને પ્રોગ્રેસિવ કન્ઝ્યુમર માટે Varilux® ના યુનિક અને સુપિરિયર લાભોને પ્રકાશિત કરે છે.

Essilor®, પ્રિસ્ક્રિપ્શન લેન્સમાં વિશ્વભરમાં અગ્રણી બ્રાન્ડ, ભારતીય બ્રાન્ડ ફેસ વિરાટ કોહલીને દર્શાવતું તેમનું નવું કેમ્પેઈન શરૂ કર્યું છે. કેમ્પેઈનનો ઉદ્દેશ્ય બ્રાન્ડની સ્થિતિને મજબૂત કરવાનો અને પ્રેક્ષકોને એસિલરની શ્રેષ્ઠ પ્રોડક્ટ ઑફરિંગ સાથે જોડવાનો છે જે સુધારણાની જરૂરિયાતો માટે ઉકેલો પ્રદાન કરે છે.

કેમ્પેઈનનો પ્રથમ તબક્કો Essilor® ના સિંગલ વિઝન લેન્સ, એવા લોકો માટે સ્પોટલાઇટ કરે છે કે જેઓ ડિજિટલ ડિવાઇસના લાંબા સમય સુધી સંપર્કમાં છે. આ કેમ્પેઈન ફિલ્મ લાંબા સમય સુધી ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરતા અને આંખના તાણ અને થાકનો સામનો કરતા લોકોના બહુવિધ દૃશ્યો દર્શાવે છે.
કોહલી, પોતે Eyezen® પહેરનાર, Eyezen® લેન્સના ફાયદાઓ સમજાવતો જોવા મળે છે, તે કેવી રીતે ડિજિટલ સ્ક્રીનોથી દ્રશ્ય થાક ઘટાડવા અને બ્લુ-વાયોલેટ લાઇટને ફિલ્ટર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે આંખોને આરામ અને સુરક્ષા પ્રદાન કરે છે.

કેમ્પેઈનનો બીજો તબક્કો Varilux®ની આસપાસ બિલ્ટ કરવામાં આવ્યો છે, Essilor® ના પ્રોગ્રેસિવ લેન્સ, જેનો ઉપયોગ પ્રેસ્બાયોપિયા સાથે સંકળાયેલ દ્રષ્ટિની સમસ્યાઓને સુધારવા માટે થાય છે. કેમ્પેઈનની ફિલ્મ વિરાટ કોહલીને પ્રચારક તરીકે અને Varilux® ના હિમાયતી તરીકે બતાવે છે જે તેના જૂના વર્ષોથી કોચ છે.
ફિલ્મમાં બંને એક રેસ્ટોરન્ટમાં વાતચીત કરી રહ્યા છે જ્યાં કોહલી તેના કોચના નોંધપાત્ર સંઘર્ષનું અવલોકન કરે છે, જે નજીકના અંતરે ડિજિટલ ડિવાઇસ જોતી વખતે નોન-પ્રોગ્રેસિવ લેન્સ પહેરે છે. કોહલી એવું સૂચન કરે છે કે તેમના કોચ આવી મુશ્કેલીઓ ટાળવા માટે Varilux® લેન્સ અજમાવી જુઓ અને વધુ સારી દ્રષ્ટિ ધરાવે છે. આ ફિલ્મ AI ટેક્નોલોજી અને Varilux® પ્રોગ્રેસિવ લેન્સની મદદથી પ્રેસ્બાયોપિયાને સુધારવા માટેના વૈજ્ઞાનિક અભિગમ પર પ્રકાશ પાડે છે.

નરસિમ્હન નારાયણન, પ્રેસિડેન્ટ, સિલોર લક્સોટિકા દક્ષિણ એશિયા, એ ટિપ્પણી કરી, “Essilor® ખાતે, અમે વૈશ્વિક સ્પોર્ટ્સિકોન – વિરાટ કોહલી – સાથે અમારી ભાગીદારી ચાલુ રાખવા માટે અને અમારા ગ્રાહકો માટે એક નવા અને રોમાંચક પ્રકરણનું અનાવરણ કરવા માટે રોમાંચિત છીએ. કોહલીની અસાધારણ અપીલ અને ઉત્કૃષ્ટતાની શોધ એ અમારી અદ્યતન તકનીકો અને Eyezen® અને Varilux® જેવા શ્રેષ્ઠ ઉત્પાદનોની શોધ કરતી વખતે દરેક ઉંમરે સ્પષ્ટ અને સ્વસ્થ દ્રષ્ટિ વિશે જાગૃતિ લાવવાના અમારા મિશન સાથે સંકલિત છે.

નવા કેમ્પેઈન વિશે બોલતા વિરાટ કોહલીએ શેર કર્યું, “હું પોતે Eyezen® પહેરનાર છું અને આ લેન્સ પ્રદાન કરે છે તે અપાર આરામ અને સુરક્ષાને પ્રેમ કરું છું. એસિલોર વૈશ્વિક સ્તરે વિઝન કેરમાં ક્રાંતિ લાવવામાં અગ્રેસર છે અને હું તેમના નવીન ઉત્પાદનો વિશે અને દરેક લેન્સ વ્યક્તિગત દ્રષ્ટિ સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે વિશે શેર કરવા માટે ઉત્સાહિત છું. “

નેટવર્ક એડવટાઇઝિંગ પ્રાઈવેટ લિમિટેડ વિરાટ કોહલી સાથેના નવા કેમ્પેઈન પાછળ ક્રિયેટિવ એજન્સી છે. નેટવર્કના ચીફ ક્રિએટિવ ઓફિસર શાયોનદીપ પાલે આ કેમ્પેઈન પાછળની તેમની સમજ શેર કરી, “એવું રોજિંદું નથી કે તમે કોઈ એવી સેલિબ્રિટી સાથે કામ કરો કે જે વાસ્તવિક જીવનમાં, તે જે બ્રાન્ડને સમર્થન આપે છે તેનો ઉપયોગ કરે છે. અને તેણે આપણું જીવન વધુ કઠિન બનાવ્યું – એક એવી સ્ક્રિપ્ટ લખવી જે 100% અસલી લાગે વિરાટ જેવા દિગ્ગજ સાથે કામ કરવાનો ખૂબ જ આનંદ હતો .” સંકલિત માર્કેટિંગ કેમ્પેઈન સમગ્ર દેશમાં ટીવી, સામાજિક અને ડિજિટલ ચેનલો પર રજૂ કરવામાં આવશે.

Eyezen® સિંગલ વિઝન લેન્સ તમારી આંખોને આરામ આપવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે જેથી કરીને તમે કનેક્ટેડ વર્લ્ડમાં રહી શકો. Varilux® પ્રોગ્રેસિવ લેન્સ 40+ વર્ષની વયના લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે દરેક અંતરે નજીકથી દૂર સુધી સીમલેસ ટ્રાન્સીશન્સ સાથે શાર્પ વિઝન પ્રદાન કરે છે. ફ્રાન્સમાં 1959 માં શોધાયેલ, Varilux® પ્રોગ્રેસિવ લેન્સ એ વૈશ્વિક સ્તરે આંખની સંભાળના વ્યાવસાયિકો દ્વારા ભલામણ કરાયેલ નંબર 1 બ્રાન્ડ છે.

The Aam Aadmi Party protested by planting the BJP flag in the pile of dirt
ગંદકીના ઢગમાં ભાજપના ઝંડા રોપી આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો

 

મંત્રી પ્રફુલ પાનશેરિયાના મત વિસ્તાર કામરેજમાં જનતા તૂટેલા રોડ રસ્તા અને રખડતા ઢોરોથી પરેશાન છે : કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા

કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે : જે.ડી.કથીરિયા

ચૂંટણી વખતે મત માંગવા પ્રફુલભાઇ પાનશેરિયા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય : જે.ડી.કથીરિયા

કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ આજે ભાજપ શાસકો સામે મોરચો માંડયો હતો. જે.ડી.કથીરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું જેમાં તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોના ફોટા વાળા એપરન પહેરી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘કામરેજ ઉભરાતી ગટર થી પરેશાન છે, કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે, કામરેજ રખડતા ઢોરથી પરેશાન છે.’ ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં ભાજપના ઝંડા પણ રોપવામાં આવ્યાં હતાં. જેને લઈને સ્થાનિક રહીશો પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં.

આ બાબતે કામરેજ તાલુકા પંચાયત જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના મતવિસ્તાર કામરેજમાં લોકો તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોથી ખૂબ જ પરેશાન છે. મંત્રીશ્રી પોતાના જ મતવિસ્તારને પાયાની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ સાબિત થયાં છે. કામરેજના બધા જ માર્ગોની હાલત ખૂબ જ દયનીય છે. તૂટેલા રસ્તાઓ પર ગાડીઓ ચલાવીને લોકોના વિહિકલને પણ નુકસાન થઇ રહ્યું છે. રખડતા ઢોરો કામરેજના રસ્તાઓ પર જ્યાં ત્યાં રઝળતી હાલતમાં જોવા મળે છે, જેને લઈને વાહન ચાલકો અકસ્માતની ભીતિએ વાહન ચલાવતા પણ ગભરાઈ રહ્યાં છે. કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે. માનનીય મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાને પણ લોકોની હાલાકી જોવાની ફુરસત નથી મળતી. કામરેજ ગ્રામ પંચાયત સરપંચ કિંજલબેન શાહની કામગીરી પણ તદ્દન નિરાશાજનક દેખાઈ આવે છે તેમ સ્પષ્ટ શબ્દોમાં જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું.

જે.ડી.કથીરિયાએ આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા ચૂંટણી વખતે મત માંગવા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય તો ખબર પડે કામરેજની જનતામાં કેટલો આક્રોશ છે. ઉભરાતી ગટરો રોગચાળાને ઘરે લઇ આવશે તેવી આશંકા પણ જેડી કથીરિયાએ વ્યક્ત કરી હતી.

Big statement of MP of Bihar on Herasar airport: Rajkot said - Just because the name of the airport is international, it does not mean that international flights will start.
હીરાસર એરપોર્ટ પર બિહારના MPનું મોટું નિવેદન:રાજકોટમાં કહ્યું- એરપોર્ટનું નામ ઈન્ટરનેશનલ હોય એટલે એનો મતલબ એવો નથી કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ જ થાય

 

રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ ન થવા અંગે રાજીવપ્રતાપ રૂડીએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, એરપોર્ટનું નામ ઇન્ટરનેશનલ હોય એટલે એનો મતલબ એવો નથી કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ જ થાય. પટનાનું જયપ્રકાશ નારાયણ ઇન્ટરનેશનલ એરપોર્ટ 17 વર્ષથી છે અને અત્યારસુધી ત્યાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળી નથી. યુક્રેન અને રશિયાના યુદ્ધ બાદ વિમાની કંપનીઓમાં મુશ્કેલીઓ વધી છે. અનેક એરલાઇન્સે તેની વિમાનોની સંખ્યા ઘટાડી દીધી છે. જેના કારણે ફ્લાઇટમાં ઘટાડો થયો છે. એરલાઇન્સ ડિમાન્ડ અને સપ્લાય પર આધારીત હોય છે. જેથી સમયાંતરે ફ્લાઇટ શરૂ કરવામાં આવતી હોય છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બિહારના સાંસદ રાજીવ પ્રતાપ રૂડી આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેઓ રાજકોટ આવી સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ 2024 અંગે રૂપરેખા રજૂ કરી હતી. સરકાર જે યોજના બનાવે છે તે કોઈને કોઈ રીતે એક બીજી યોજના સાથે સંકળાયેલ હોય છે અને વર્તમાન સરકાર આગામી વર્ષોની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી યોજનાઓ બનાવી રહી છે. આ વખતના બજેટમાં ખેડૂત, યુવાનો, મહિલાઓ વેપારીઓ સહિત તમામ વર્ગને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યું છે.
રાજીવ પ્રતાપ રૂડીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય અને જિલ્લાને અસર કરતા મુદ્દાને ધ્યાનમાં રાખી બજેટ બનાવવામાં આવતું હોય છે. સામાન્ય રીતે વિદેશની નીતિ પણ ભારતને અસર કરતું હોય છે ત્યારે આ તમામ પ્રકારના મુદ્દાને ધ્યાનમાં રાખી દેશની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બજેટ બનાવવામાં આવતું હોય છે. રોજગાર બાબતે સરકાર ચિંતિત છે. કેન્દ્ર સરકાર બધા રાજ્યોને ધ્યાનમાં રાખી બજેટની ફાળવણી કરતી હોય છે. પાછલા વર્ષોમાં નથી બન્યું તેવું ધ્યાન રાખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર દરેક રાજ્યનું ધ્યાન રાખી દરેક રાજ્યને જરૂરિયાત મુજબ બજેટમાં ફાળવણી કરવામાં આવી રહી છે.
આ વખતના બજેટમાં દેશના 4.25 કરોડ યુવાનોને ધ્યાનમાં રાખી ખાસ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે ખાસ ધ્યાન આપી બજેટમાં ખેડૂતલક્ષી યોજના અંગે જાહેરાત કરવામાં આવી છે. જમીન રેકોર્ડ મામલે મોટી રકમની જાહેરાત આ વખતના બજેટમાં કરવામાં આવી છે. વર્તમાન સરકાર કોઓપરેટીવ મંત્રાલય બનાવીને કામ કરી રહી છે, આ પ્રથમ વખત બન્યું છે.
MSME સેક્ટરને ધ્યાનમાં રાખી સરકારે ખાસ આયોજન સાથે બજેટમાં જોગવાઈ કરી છે. મુદ્રા લોન રકમ 10 લાખથી વધી 20 લાખ કરવામાં આવી છે જે અગત્યનું છે. લિસ્ટેડ કંપની ઉપર દબાવ કરી શકાતું ન હતું. હવે દેશની 500 કંપનીમાં ઇન્ટન કરવું જરૂરી છે માટે હવે દેશના 1 કરોડ યુવાનોને એક વર્ષ માટે ઇન્ટર્નશીપ કરવા મળશે.બિહાર પહેલા વિકાસ કરતું હતું અને હજુ પણ કરે છે. બિહાર દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ બિહાર હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. બિહારની 14 કરોડની જનતા છે. માટે ત્યાંની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકારે ખાસ બજેટની ફાળવણી કરી છે. હું આ માટે આભાર પણ માનું છું. નીતિશજી સક્ષમ રીતે અને મજબૂત રીતે અમારી સાથે જોડાયેલા છે.

The owners' attempt to create pressure on the municipal administration to start illegal pot dyeing under the guise of unemployment....
બેરોજગારીની આડમાં ગેરકાયદે તપેલા ડાઇંગ શરૂ કરવા મનપા તંત્ર પર દબાણ ઊભું કરવાનો માલિકોનો પ્રયાસ….

 

લિંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે ધમધમી રહેલા તપેલા ડાઇંગ સામે કરવામાં આવેલી સિલીંગ ની કાર્યવાહી બાદ હવે તપેલા ડાઇંગના સંચાલકો બેરોજગારીની આડમાં સીલ ખોલવા માટે મનપા તંત્ર પર દબાણ ઊભી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સંચાલકો દ્વારા આ મામલે લિંબાયત ઝોન ખાતે મોરચો લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી અને સીલ ખોલી સમય આપવા માટેની માંગ કરી હતી. જોકે લિંબાયત ઝોનના અધિકારીઓ આ ગેરકાયદે તપેલા ડાઈંગો સામે ટસ ના મસ થયા ન હતાં. ઉલ્લેખનીય છે કે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલ મંગલા પાર્ક, ગોવિંદ નગર, મમતા પાર્ક, રતન નગર, મહાપ્રભુનગર, સહિતના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે તપેલા ડાઈંગો ધમધમે છે. આ તપેલા ડાઇંગના સંચાલકો દ્વારા કલર યુક્ત પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે સીધું જ મનપાની ડ્રેનેજ લાઈનમાં છોડી દેવામાં આવે છે. જેના કારણે ઘણી વખત ડ્રેનેજ લાઇન ઉભરાતા કલર વાળું પાણી રસ્તા પર ફરી વળે છે અને ઘણી વખત આ પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થતાં લોકોના ઘરોમાં પણ કલર વાળું પાણી આવતું હોય છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત આ અંગે લિંબાયત ઝોનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જોકે હવે તંત્રની આખો ખુલી છે અને અનેક તપેલા ડાઈંગ સીલ કરી દેવામાં આવી છે. જોકે હવે તપેલા ડાઇંગ ચલાવનારાઓ બેરોજગારીના નામે તંત્ર પર દબાણ ઊભું કરતા જોવા મળી રહ્યા છે ત્યારે મનપા તંત્ર આ દબાણ ને વશ થશે કે પછી લોક હિતમાં કાર્યવાહી જારી રાખશે તે જોવું રહ્યું.

The first woman to shoot an arrow with her feet: The inspirational story of Sheetal Devi
पैर से तीर चलाने वाली पहली महिला: शीतल देवी की प्रेरणादायक कहानी

 

शीतल देवी, एक ऐसी धुरंधर तीरंदाज हैं जो अपने पैरों से तीर चलाकर रोजाना 300 तीर चलाती हैं। उनकी इस अनोखी मेहनत का फल उन्हें पैरा एशियाड में दो स्वर्ण पदक जीतकर मिला है। अब शीतल का अगला बड़ा सपना पेरिस पैरालम्पिक में देश के लिए शीर्ष स्थान हासिल करना है।

शीतल देवी ने तीरंदाजी की दुनिया में इतिहास रच दिया है। वह पैर से तीर चलाकर पदक जीतने वाली विश्व की पहली महिला बन गई हैं। इसके बाद, उन्होंने पैरा विश्व तीरंदाजी रैंकिंग में महिला कंपाउंड ओपन वर्ग में शीर्ष तीरंदाज का स्थान हासिल किया। यह उपलब्धि न केवल उनके असाधारण कौशल का प्रमाण है, बल्कि उनके दृढ़ संकल्प और संघर्ष की कहानी भी बयां करती है।

नई दिल्ली में ‘बीइंग यू’ किताब के कवर लॉन्च के मौके पर, शीतल ने बताया कि वह पैरालम्पिक में पदक जीतने के लिए पुरजोर अभ्यास कर रही हैं। उनकी यह सफलता उन्हें और भी ऊंचाइयों तक पहुंचाने के लिए प्रेरित कर रही है। शीतल का यह सफर संघर्ष, साहस और दृढ़ संकल्प की अद्वितीय मिसाल है।

शीतल देवी की यह प्रेरणादायक यात्रा हमें सिखाती है कि जब जुनून और मेहनत का मेल होता है, तो कोई भी चुनौती बड़ी नहीं होती। उनकी कहानी हर किसी के लिए प्रेरणा है, यह दिखाती है कि कैसे एक व्यक्ति अपनी सीमाओं को पार कर सकता है और असंभव को संभव बना सकता है। शीतल का संकल्प और साहस हमें याद दिलाता है कि सच्ची मेहनत और लगन से कोई भी बाधा पार की जा सकती है।

Salute to Hima Das and best wishes for her bright future!
हिमा दास को सलाम और उनके उज्ज्वल भविष्य के लिए ढेरों शुभकामनाएँ!

 

क्या आप जानते हैं कि भारत की धरती पर एक ऐसी बेटी ने जन्म लिया है जिसने दौड़ के मैदान में देश का नाम रोशन किया है? हम बात कर रहे हैं हिमा दास की, जिन्होंने अपने अदम्य साहस और मेहनत से भारतीय एथलेटिक्स में एक नया इतिहास रचा है।
हिमा दास का जन्म असम के नगाँव जिले के धींग गांव में हुआ था। एक किसान परिवार से ताल्लुक रखने वाली हिमा ने अपने सपनों को पंख देने के लिए कई कठिनाइयों का सामना किया। उनके पास न तो उच्च कोटि के प्रशिक्षण की सुविधाएँ थीं और न ही अच्छे संसाधन, लेकिन उनकी लगन और जुनून ने उन्हें कभी हार मानने नहीं दी।
2018 में आईएएएफ वर्ल्ड अंडर-20 एथलेटिक्स चैम्पियनशिप में हिमा दास ने इतिहास रच दिया। 400 मीटर दौड़ स्पर्धा में उन्होंने 51.46 सेकेंड का समय निकालकर स्वर्ण पदक जीता और इस उपलब्धि के साथ वे यह कारनामा करने वाली पहली भारतीय महिला खिलाड़ी बन गईं। यह जीत न केवल हिमा के लिए बल्कि पूरे भारत के लिए गर्व का क्षण था।
हिमा दास की कहानी संघर्ष, साहस और समर्पण की अद्वितीय मिसाल है। उनकी यह यात्रा हमें सिखाती है कि जीवन में कितनी भी मुश्किलें क्यों न आएं, अगर हम दृढ़ निश्चय और मेहनत के साथ अपने लक्ष्य की ओर बढ़ें, तो हम हर बाधा को पार कर सकते हैं।
हिमा दास ने न केवल अपने सपनों को साकार किया, बल्कि उन्होंने अन्य युवाओं को भी प्रेरित किया है कि वे अपने सपनों का पीछा करें और उन्हें हकीकत में बदलने का प्रयास करें। उनकी कहानी उन सभी के लिए प्रेरणा है जो बड़े सपने देखते हैं और उन्हें पूरा करने के लिए कड़ी मेहनत करते हैं।