
હે ભગવાન! જેના ભરોસે માતા પિતા પુત્રીને સ્કૂલે મોકલતા એ રિક્ષા ચાલકે જ બાળકીને બનાવી હવસનો શિ*કાર….
શહેરમાં માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મની ઘટ*નાઓ સતત વધી રહી છે ત્યારે આવી જ વધુ એક જઘન્ય ઘટ*ના ખટોદરા વિસ્તારમાં સામે આવી છે. જેમાં સ્કૂલ ઓટો ચાલક દ્વારા ચાર વર્ષીય માસૂમ બાળકીને હવસનો શિકાર બનવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મુત્તલીક શેખ સ્કૂલ ઓટો ચલાવે છે અને તે ત્રણ સંતાનો નો પિતા છે. છતાં આ નરાધમે પોતાની રીક્ષામાં સ્કૂલે જતી ચાર વર્ષીય બાળા પર નજર બગાડી હતી. તે બાળકીને એકાંત સ્થળે લઈ જતો અને દુષ્કર્મ આચરતો હતો. આખરે બાળકીએ માતા પિતાને રિક્ષા વાળો અંકલ ગંદુ કામ કરતો હોવાનું જણાવતા આખો મામલો સામે આવ્યો હતો અને વાત પોલીસ મથકે પહોંચી હતી. ખટોદરા પોલીસ બળાત્કાર અને પૉકસો એકટ ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નર્મદામાં 2 આદિવાસી યુવકના મો*તનો મામલો ઘેરો બન્યો
MLA ચૈતર વસાવાએ આપ્યું બંધનું એલાન
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2 આદિવાસી યુવાનોને ચો*રીની શંકાએ ઢોર માર માર્યો હતો.
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2 આદિવાસી યુવાનોને ચો*રીની શંકાએ ઢોર માર માર્યો હતો. દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક યુવાન જયેશ તડવીનું ઘટ*ના સ્થળે મોત થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસે સમગ્ર મામલે 6 લોકો વિરુદ્ધ હ*ત્યા, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. પકડાયેલા તમામ
આરો*પીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી છે.
બીજી બાજુ, નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં ડબલ મર્ડર મામલે નર્મદા SP પ્રશાંત સુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લા પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરો*પીઓના રિમાન્ડની પણ માંગ કરશું.
ગરુડેશ્વર પોલીસે આદીવાસી મ્યુઝીયમમાં કામ કરતા માર્ગીશ હીરપરા, દેવલ પટેલ, દીપુ યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા, હ*ત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી છે.

કાર્યબળ, રોજગાર સર્જન પર મહિલાઓનો ફાળો વધશે, બજેટ 2024ની ફાળવણીની આ બાબતો સમજવા જેવી
તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2024 રજૂ કર્યું હતું. વર્ષ 2024નું બજેટ ખુબ જ અપેક્ષિત રહ્યું ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી પાછલા દશકામાં આવનારા પાંચ વર્ષોમાં અપેક્ષિત પરિવર્તનકારી પરિવર્તનો માટે માત્ર એક પ્રસ્તાવના અથવા ટ્રેલર હતું. આ બજેટ નવ મુખ્ય ક્ષેત્રોના આસપાસ રચવામાં આવ્યું છે, જેમાં રોજગાર સર્જન પર વિશેષ જોર આપવામાં આવ્યું છે, જે નરેન્દ્ર મોદી સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા બનેલી છે.
કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકાર 4.1 કરોડ યુવાઓને રોજગાર અને કૌશ્યલ પ્રશિક્ષણ આપવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરતાં સારા પગારવાળી નોકરીઓ પેદા કરવાના પોતાની પ્રાથમિકતા પર ખુબ જ સ્પષ્ટ છે. આ સંબંધમાં શિક્ષણ માટે બજેટમાં ફાળવવામાં આવેલી એક મોટી રકમ શિક્ષાને લઇને દૂરગામી પ્રભાવ વ્યૂહાત્મક પગલા સમાન છે. બીજી તરફ કૃષિ અનુસંધાન પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય દૂરગામી વિચારસરણીવાળી દ્રષ્ટિકોણને દર્શાવતા ઉત્પાદકતા વધારવાનું છે.
એક વધુ ઉલ્લેખનિય પહેલ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન કાર્યક્રમ છે. જેમાં સરકાર પ્રોવિડંટ ફંડમાં ગ્રાહકનો ભાગ અને ઈપીએફઓ સાથે નવા કર્મચારીઓ માટે પહેલા નવ મહિનાનો પગાર, જે પંદર હજાર રૂપિયા સુધી હોય તેમને કવર કરશે. તે ઉપરાંત બાંધકામ ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે આ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબંધતા દર્શાવે છે. કાર્યબળમાં મહિલાઓ માટે બજેટમાં કરવામાં આવેલી વધારે ફાળવણી અને શિક્ષણ રેટના વ્યાજ ગરોમાં ત્રણ ટકાની છૂટ વ્યાપક વિકાસની દિશામાં પ્રશંસનિય પગલું છે.
તે ઉપરાંત સરકારે ઇન્ટર્નશિપ કાર્યકમ શરૂ કર્યો છે, જેનો લક્ષ્ય એક કરોડ ભારતીય યુવાઓને ટોચની 500 કંપનીઓમાં આવાસીય અને વ્યાવસાયિક અનુભવ પ્રદાન કરે છે, જેથી શિક્ષા અને રોજગાર વચ્ચેના અંતરને ઓછું કરી શકાય. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ) નિશ્ચિત રૂપથી ભારતીય અર્થવ્યવસ્થાની રીઢની હડ્ડી છે. બજેટ ક્રેડિટ ગેરંટી યોજનાને વધારવી અને મુદ્રા લોન સીમાને 20 લાખ રૂપિયા સુધી વધારવા જેવા ઉપાયોથી એમએસએમઈને આવશ્યક નાણાકીય સહાયતા મળવાથી, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન મળવાની આશા છે.
બજેટમાં શહેરી વિકાસને પ્રાથમિકતાવાળું ક્ષેત્ર માનવામાં આવ્યું છે, જેમાં જળ આપૂર્તિ, સ્વાચ્છતા અને પરિવહન માટે 10 લાખ કરોડ રૂપિયાના પર્યાપ્ત રોકાણનું પ્રસ્તાવ રાખવામાં આવ્યું છે. બજેટમાં ઉર્જા પરિવર્તનને પણ મુખ્યરૂપથી સામેલ કરવામાં આવ્યું છે, જેમાં સોલર રૂફટોપ નીતિની શરૂઆત કરવામાં આવી છે. આના વધારાના વિશ્વવિદ્યાલયોમાં અનુસંધાનની ફંડિંગ માટે એક લાખ કરોડ રૂપિયાનું મહત્વપૂર્ણ ફાળવણ કરવામાં આવી છે, જેમાં ખાનગી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યો છે, જે નવીનતાના મહત્વ દર્શાવે છે.
બજેટમાં રોજગાર, ભૂમિ સંબંધી મામલાઓ અને નાણાકિય ક્ષેત્રમાં આગલી પેઢીના સુધારાઓની રૂપરેખા રજૂ કરવામાં આવી છે, જેમાં ઉદ્દેશ્ય વ્યાપાર સુગમતાને વધારવા અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ને આકર્ષિત કરવાનું છે. બજેટ રશીદો વધીને 32.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઇ છે, જ્યારે રાજકોષિય નુકશાન જે વચગાળા બજેટમાં 5.1 ટકા હતું, જે ઘટીને 4.9 ટકા થઇ ગયું છે. આ ઘટાડો મુખ્યરૂપથી જીડીપીમાં વૃદ્ધિ, ઉચ્ચ રશીદો અને ઓછા ખર્ચાના કારણે આવ્યો છે.
સરકાર લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને સિક્યોરિટીઝ માટે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના દર એક સમાન 12.50 ટકા રાખીને બંને વચ્ચેના અંતરને વહેંચી દીધો છે. આ અનલિસ્ટેડ સિક્યોરિટીઝના દરમાં મોટો ઘટાડો છે, જેનાથી સ્ટાર્ટ-અપમાં રોકાણના પ્રવાહને પ્રોત્સાહન મળશે. સોનું અને ચાંદીમાં ટેક્સ ઘટાડવાના કારણે આની તસ્કરીમાં તો ઘટાડો થશે, તેના સાથે-સાથે મૂલ્યવર્ધન નિકાસમાં પણ વધારો થશે. તે ઉપરાંત એન્જલ ટેક્સ હટાવી દેવાના કારણે સ્ટાર્ટ-અપને પણ મોટી રાહત મળશે.
ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોમાં રામકથા સંસ્થાનને સમર્પિત કરી
ન્યુ યોર્ક, 04 ઓગસ્ટ, 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રવચન સમાપ્ત કર્યાં બાદ તેઓ યુએનની જનરલ એસેમ્બલી ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો.
ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत् ॥
(ઓમ,બધાં સુખી રહે,બધાં માંદગીથી મુક્ત રહે. દરેકનું જીવન સુખી રહે, કોઈને તકલીફ ન પડે.)
હિંદુ વૈદિક સનાતન ધર્મના માર્ગદર્શક સિદ્ધાંત વસુધૈવ કુટુમ્બકમને તેમના પ્રવચનનું નામ આપ્યું હતું, જ્યારબાદ તેમણે જય સિયા રામનું પવિત્ર અભિવાદન કર્યું હતું. વસુધૈવ કુટુમ્બકમ એક સંસ્કૃત વાક્ય છે, જે હિંદુ પવિત્ર ગ્રંથ મહા ઉપનિષદમાં જોવા મળે છે અને તેનો અર્થ વિશ્વ એક પરિવાર છે.
પૂજ્ય મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું હતું, જે કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. આ આયોજન 27 જુલાઇથી 4 ઓગસ્ટ, 2024 દરમિયાન કરાયું હતું.
હિંદુ આધ્યાત્મિક ગુરૂએ કહ્યું હતું કે આ પ્રવચનના મુખ્ય પાંચ તત્વો હતાં – આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ.
આ સપ્તાહ દરમિયાન પૂજ્ય બાપૂએ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમીના જે. મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી, જેમણે કહ્યું કે, અગાઉ તમે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની પરિક્રમા કરી હતી અને હવે તમે મુખ્યાલયના કેન્દ્રમાં છો. તેમણે કહ્યું કે આ આયોજને 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને સાકાર કરવાના પ્રયાસોને બળ આપ્યું છે.
પૂજ્ય મોરારી બાપૂએ તેમને કહ્યું હતું કે, તેમની વ્યાસપીઠ હંમેશા વિશ્વ શાંતિ, વિશ્વ પ્રગતિ અને વિશ્વ સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યક્રમની સાથે રહેશે.
ઘણાં વર્ષો પહેલાં બાપૂએ યુએનના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે વિશ્વના નેતાઓએ સ્વાર્થ છોડીને ઇઝરાયલ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની સમાપ્તિ માટે પ્રયાસો કરવા જોઇએ.
આ પહેલાં 30 જુલાઈના રોજ ઘણા મહાનુભાવોએ પ્રવચનમાં હાજરી આપી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય બાબતોના કમીશનર એડવર્ડ મર્મેલસ્ટીન, એનવાયસી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમીશનર દિલિપ ચૌહાણ તથા ડેપ્યુટી કમિશનર અને ચીફ ઓફ સ્ટાફ આઈસાટા કામરા સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. એનવાયસી મેયર ઓફિસે પણ મોરારી બાપુની વ્યાસપીઠને સર્વોચ્ચ સન્માન આપ્યું.
ન્યુ યોર્કમાં કાઉન્સલ જનરલ ઓફ ઇન્ડિયા બિનાયા શ્રીકાંત પ્રધાન અને યુએન ખાતે પર્મેનન્ટ મીશન ઓફ ઇન્ડિયા ખાતે કાઉન્સેલર અને હેડ ઓફ ચારન્સી સુરેન્દ્ર કે. અધાના પણ અતિથિ હતાં.
આધ્યાત્મિક ગુરૂપના ઉપદેશો સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ(એસડીજી)સાથે જોડાયેલા છે, જે વિશેષ કરીને શાંતિ,પર્યાવરણીય ટકાઉપણું અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા ઉપર કેન્દ્રિત છે.પૂજ્ય બાપૂએ રામચરિત માનસના ઉદાહરણો ટાંક્યા હતાં.
કથાના સમાપનના દિવસે પૂજ્ય મોરારી બાપુએ રામ રાજ્ય અથવા આદર્શ રાજા પ્રભુ રામના શાસનની વિશેષતાઓ અને તે પણ કેવી રીતે સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો સાથે મેળ ખાતી જીવન સંહિતાનું ઉદાહરણ આપ્યું હતું.

તપેલા ડાઈંગના દૂષણ સામે લિંબાયત ઝોનના અધિકારીઓ ઘૂંટણીએ…
પ્રદૂષણ ફેલાવતી તપેલા ડાઈંગો સામે લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે હજી પણ મીઠી ખાડી ગોવિંદ નગર વિસ્તારમાં ગેરકાયદે તપેલા ડાઇંગ ચાલુ છે અને આ તસ્વીરો એ બાબતનો પુરાવો છે. દૃશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગોવિંદ નગરની ગલીઓમાં કલર વાળું પાણી વહી રહ્યું છે. આ કલર વાળા પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમના આરોગ્ય સામે જોખમ તોળાઈ રહ્યું છે તો બીજી બાજુ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા એસી ચેમ્બરમાં બેસીને થોડી ઘણી તપેલા ડાઈંગ ને સીલ મારીને કાર્યવાહી કરવાનો સંતોષ માનીને બેઠા છે અને ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ ઝોંકી રહ્યા છે. એટલું જ નહીં પણ કાર્યવાહીના નામે પણ સેટિંગ નો ખેલ ખેલાયો હોવાનું સ્થાનિક લોકો આપેક્ષ કરી રહ્યા છે. લોકોના ના જણાવ્યા મુજબ માત્ર નાના યુનિટો સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે રાજકીય વગ ધરાવતા અને ઝોનના અધિકારીઓ સાથે મીઠા સંબંધો ધરાવતા લોકોના તપેલા ડાઈંગ હજી પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે.

શ્રી રેકી હીલીંગ સેન્ટર: પ્રાચીન ભારતીય ઉપચાર પદ્ધતિ દ્વારા શારીરિક અને માનસિક આરોગ્ય માટેનો માર્ગ
નમસ્કાર મીત્રો, મારૂ નામ મનોજ રમેશભાઈ સાતપુતે છે. હું સુરતમા વકીલાતનો વ્યવસાય કરૂ છું. સને-૨૦૧૯ ૨ મારૂ એપેન્ડીસનું ઓપરેશન થયેલુ હતુ અને સને-૨૦૨૦ મા હારનીયાનું ઓપરેશન થવાનુ હતુ. બધા ડોકટર્સએ મને હારનીયાનુ ઓપરેશન કરવાની સલાહ આપી દીધી હતી. પરંતુ એક મીત્ર તરફથી મને રેડી કોર્સની માહીતી મળી હતી અને જૂન-૨૦૨૨ મા મે રેકી ગ્રાન્ડ માસ્ટર ડો. ચીરાગભાઈ ગુજજર પાસેથી રેકી કોર્સ લેવલ ૧.૨ અને ૩-એ તથા ક્રિસ્ટલ રેકીનો કોર્સ કરેલો અને શ્રીમતી બિનલબેન ચિરાગભાઈ ગજજરએ મને ક્રિસ્ટલ બ્રેસ્લેટ બનાવવાની પણી સારી ટ્રેનીગ આપી હતી. રેકી કોર્સ કરવાથી મારૂ સારનીયાનુ ઓપરેશન કેન્સલ થઈ ગયુ.
સને-૨૦૨૨ મા રેકી કોર્સ કરવાથી મારી તમામ શારીરીક તથા માનસીક બિમારીઓ દુર થઈ ગઈ હતી અને મેં તા.૦૨/૦૧/૨૦૨૩ ના રોજ રેકી એડવાન્સ (રેકી માસ્ટર) નો કોર્સ કરેલો. મે વિચાર કર્યું કે, જેમ હુ શારીરીક તથા માનસિક રીતે સ્વસ્થ થયો છુ તેવી જ રીતે મારો પરીવાર, મારા મીત્રો અને સમાજના લોકો પણ શારીરીક તથા માનસિક રીતે સ્વસ્થ થવા માટે મેં તા.૧૨/૦૮/૨૦૨૩ ના રોજ રેકી ગ્રાન્ડ માસ્ટરની ટ્રેનીંગ લીધી અને પોતે શ્રી પૈકી હીલીંગ સેન્ટરની ડીડોલી, સુરત મુકામે ઓગસ્ટ-૨૦૨૩ મા શરૂ કરી હતી.
હવે, શ્રીરેડી હીલીંગ સેન્ટરને ૧ વર્ષ પુરા થઈ ગયા છે અને આ ૧ વર્ષમા કુલ ૪૦ લોકોએ રેકી કોર્સ કરેલ છે. શ્રીરેકી હીલીંગ સેન્ટરમા રેકી કોર્સ કરવાથી માનસીક રોગ, ડાયાબીટીસ, થાઈરોઈડ, આંખની સમસ્યા, ઘુંટણનો દુઃખાવો, કમર/પીઠનો દુઃખાવો, ઉઘની સમસ્યા, કીડની સ્ટોનની સમસ્યા, એનાઝાઈટી, વા ની સમસ્યા, સાયટીકા, યુરીક એસીડની સમસ્યા, માઈગ્રેન વિગેરે અનેક રોગો દુર થયા છે તથા શ્રીરેકી હીલીંગ સેન્ટરમા રેકી કોર્સ કરવાથી પેટમાં પાણીની ગાંઠનું ઓપરેશન, હોરમોન્સની ગાંઠનું ઓપરેશન, હારનીયાનુ ઓપરેશન, કમરની ગાદીનુ ઓપરેશન કેન્સલ થઈ ગયુ છે.
રેકી મુળ આપણા ભારત દેશ સાથે જોડાયેલો છે. આપણા ભારત દેશમા હજારો વર્ષો પહેલા ઋષિઓ કોઈ બિમાર લોકોના માથા ઉપર હાથ રાખતા હતા અને એ લોકોની બિમારીઓ દુર થઈ જતી હતી. એને આપણે આજના આધુનીક સમયમા રેકીનો સ્વરૂપ કહી શકીએ છીએ. પ્રાચીન સમયમા ભગવાન બુધ્ધ માત્ર સ્પર્શ કરીને લોકોની બીમારીઓ દુર કરતા હતા. પરંતુ ભગવાન બુધ્ધના ગયા પછી આ વિધા લુપ્ત થઈ ગઈ હતી.
ત્યારબાદ ૧૯ મી સદીમાં જાપાનમાં રહેવાવાળા ગુરૂ ડો. મીકાઉ ઉસઈ આપણા ભારત દેશમા આવેલા અને એમને ભારત દેશમા બોધ ધર્મના મઠમા પ્રાચીન સાહીત્ય વાચીને ૨૧ દિવસની સાધના કરીને રેકી ઉપચાર પદ્ધતિ શોધી કાઢી હતી. જે આજે પુરા વિશ્વમા રેકી નામથી પ્રચલીત થઈ ગઈ છે. રેકી એ કુદરતી ઉપચાર પદ્ધતિ છે. રેકી આ જાપાની શબ્દ છે. રેકીમા ‘રે’ નો અર્થ યુનીવર્સ અને ‘કી’ નો અર્થ એનર્જી થાય છે. આમ, રેકીનો અર્થ બ્રહમાંડની અનંત ઉર્જા થાય છે. રેકી હીલીગથી કોઈપણ પ્રકારીની બિમારીઓ દુર થઈ શકે છે.
રેકી એ સ્પર્શ ચીકીત્સા પદ્ધતિ છે. રેકી કોર્સ આ સર્ટીફીકેટ કોર્સ છે. રેકી કોર્સ બે માસનો મોય છે. આ કોર્સમા રેકી લેવલ ૧,૨.૩-એ શીખાવવામાં આવે છે. રેકી દ્વારા કોઈપણ પ્રકારની આદ અસર થતી નથી. રેકી એ પુસ્તક વાચીને કે મોબાઈલમા વીડીયો જોઈને શીખી શકાતી નથી. રેકી એ રેડી શીક્ષક પાસેથી જ શીખી શકાય છે.
સમાજના દરેક લોકોએ ભારત દેશની પ્રાચીન પૈકી પદ્ધતિ શીખીને શારીરીક તથા માનસીક રીતે સ્વસ્થ રહેવા જોઈએ એવી મારી હદયપુર્વકની ઈચ્છા છે,
શ્રી રેડી હીલીંગ સેન્ટર,
ડીડોલી, સુરત
રેકી ગ્રાન્ડ માસ્ટર મનોજ પ્લોટ નં. ૧૩૪, મયુર સોસાયટી, ડીડોલી, સુરત મો. નં. ૯૯૭૪૦-૧૮૪૨૯
રમેશ સાતપુતે,

ખાડાનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત :વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી
દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રીપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાબખા માર્યા
વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી.
ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે.

ખાડાનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત :વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી
દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રીપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાબખા માર્યા
વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી.
ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે.

Essilor® એ વિરાટ કોહલી ને દર્શાવતું નવું બ્રાન્ડ કેમ્પેઈન શરૂ કર્યું
નવું કેમ્પેઈન સિંગલ વિઝન કન્ઝ્યુમર માટે Eyezen® અને પ્રોગ્રેસિવ કન્ઝ્યુમર માટે Varilux® ના યુનિક અને સુપિરિયર લાભોને પ્રકાશિત કરે છે.
Essilor®, પ્રિસ્ક્રિપ્શન લેન્સમાં વિશ્વભરમાં અગ્રણી બ્રાન્ડ, ભારતીય બ્રાન્ડ ફેસ વિરાટ કોહલીને દર્શાવતું તેમનું નવું કેમ્પેઈન શરૂ કર્યું છે. કેમ્પેઈનનો ઉદ્દેશ્ય બ્રાન્ડની સ્થિતિને મજબૂત કરવાનો અને પ્રેક્ષકોને એસિલરની શ્રેષ્ઠ પ્રોડક્ટ ઑફરિંગ સાથે જોડવાનો છે જે સુધારણાની જરૂરિયાતો માટે ઉકેલો પ્રદાન કરે છે.
કેમ્પેઈનનો પ્રથમ તબક્કો Essilor® ના સિંગલ વિઝન લેન્સ, એવા લોકો માટે સ્પોટલાઇટ કરે છે કે જેઓ ડિજિટલ ડિવાઇસના લાંબા સમય સુધી સંપર્કમાં છે. આ કેમ્પેઈન ફિલ્મ લાંબા સમય સુધી ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરતા અને આંખના તાણ અને થાકનો સામનો કરતા લોકોના બહુવિધ દૃશ્યો દર્શાવે છે.
કોહલી, પોતે Eyezen® પહેરનાર, Eyezen® લેન્સના ફાયદાઓ સમજાવતો જોવા મળે છે, તે કેવી રીતે ડિજિટલ સ્ક્રીનોથી દ્રશ્ય થાક ઘટાડવા અને બ્લુ-વાયોલેટ લાઇટને ફિલ્ટર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે આંખોને આરામ અને સુરક્ષા પ્રદાન કરે છે.
કેમ્પેઈનનો બીજો તબક્કો Varilux®ની આસપાસ બિલ્ટ કરવામાં આવ્યો છે, Essilor® ના પ્રોગ્રેસિવ લેન્સ, જેનો ઉપયોગ પ્રેસ્બાયોપિયા સાથે સંકળાયેલ દ્રષ્ટિની સમસ્યાઓને સુધારવા માટે થાય છે. કેમ્પેઈનની ફિલ્મ વિરાટ કોહલીને પ્રચારક તરીકે અને Varilux® ના હિમાયતી તરીકે બતાવે છે જે તેના જૂના વર્ષોથી કોચ છે.
ફિલ્મમાં બંને એક રેસ્ટોરન્ટમાં વાતચીત કરી રહ્યા છે જ્યાં કોહલી તેના કોચના નોંધપાત્ર સંઘર્ષનું અવલોકન કરે છે, જે નજીકના અંતરે ડિજિટલ ડિવાઇસ જોતી વખતે નોન-પ્રોગ્રેસિવ લેન્સ પહેરે છે. કોહલી એવું સૂચન કરે છે કે તેમના કોચ આવી મુશ્કેલીઓ ટાળવા માટે Varilux® લેન્સ અજમાવી જુઓ અને વધુ સારી દ્રષ્ટિ ધરાવે છે. આ ફિલ્મ AI ટેક્નોલોજી અને Varilux® પ્રોગ્રેસિવ લેન્સની મદદથી પ્રેસ્બાયોપિયાને સુધારવા માટેના વૈજ્ઞાનિક અભિગમ પર પ્રકાશ પાડે છે.
નરસિમ્હન નારાયણન, પ્રેસિડેન્ટ, સિલોર લક્સોટિકા દક્ષિણ એશિયા, એ ટિપ્પણી કરી, “Essilor® ખાતે, અમે વૈશ્વિક સ્પોર્ટ્સિકોન – વિરાટ કોહલી – સાથે અમારી ભાગીદારી ચાલુ રાખવા માટે અને અમારા ગ્રાહકો માટે એક નવા અને રોમાંચક પ્રકરણનું અનાવરણ કરવા માટે રોમાંચિત છીએ. કોહલીની અસાધારણ અપીલ અને ઉત્કૃષ્ટતાની શોધ એ અમારી અદ્યતન તકનીકો અને Eyezen® અને Varilux® જેવા શ્રેષ્ઠ ઉત્પાદનોની શોધ કરતી વખતે દરેક ઉંમરે સ્પષ્ટ અને સ્વસ્થ દ્રષ્ટિ વિશે જાગૃતિ લાવવાના અમારા મિશન સાથે સંકલિત છે.
નવા કેમ્પેઈન વિશે બોલતા વિરાટ કોહલીએ શેર કર્યું, “હું પોતે Eyezen® પહેરનાર છું અને આ લેન્સ પ્રદાન કરે છે તે અપાર આરામ અને સુરક્ષાને પ્રેમ કરું છું. એસિલોર વૈશ્વિક સ્તરે વિઝન કેરમાં ક્રાંતિ લાવવામાં અગ્રેસર છે અને હું તેમના નવીન ઉત્પાદનો વિશે અને દરેક લેન્સ વ્યક્તિગત દ્રષ્ટિ સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે વિશે શેર કરવા માટે ઉત્સાહિત છું. “
નેટવર્ક એડવટાઇઝિંગ પ્રાઈવેટ લિમિટેડ વિરાટ કોહલી સાથેના નવા કેમ્પેઈન પાછળ ક્રિયેટિવ એજન્સી છે. નેટવર્કના ચીફ ક્રિએટિવ ઓફિસર શાયોનદીપ પાલે આ કેમ્પેઈન પાછળની તેમની સમજ શેર કરી, “એવું રોજિંદું નથી કે તમે કોઈ એવી સેલિબ્રિટી સાથે કામ કરો કે જે વાસ્તવિક જીવનમાં, તે જે બ્રાન્ડને સમર્થન આપે છે તેનો ઉપયોગ કરે છે. અને તેણે આપણું જીવન વધુ કઠિન બનાવ્યું – એક એવી સ્ક્રિપ્ટ લખવી જે 100% અસલી લાગે વિરાટ જેવા દિગ્ગજ સાથે કામ કરવાનો ખૂબ જ આનંદ હતો .” સંકલિત માર્કેટિંગ કેમ્પેઈન સમગ્ર દેશમાં ટીવી, સામાજિક અને ડિજિટલ ચેનલો પર રજૂ કરવામાં આવશે.
Eyezen® સિંગલ વિઝન લેન્સ તમારી આંખોને આરામ આપવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે જેથી કરીને તમે કનેક્ટેડ વર્લ્ડમાં રહી શકો. Varilux® પ્રોગ્રેસિવ લેન્સ 40+ વર્ષની વયના લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે દરેક અંતરે નજીકથી દૂર સુધી સીમલેસ ટ્રાન્સીશન્સ સાથે શાર્પ વિઝન પ્રદાન કરે છે. ફ્રાન્સમાં 1959 માં શોધાયેલ, Varilux® પ્રોગ્રેસિવ લેન્સ એ વૈશ્વિક સ્તરે આંખની સંભાળના વ્યાવસાયિકો દ્વારા ભલામણ કરાયેલ નંબર 1 બ્રાન્ડ છે.

ગંદકીના ઢગમાં ભાજપના ઝંડા રોપી આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો
મંત્રી પ્રફુલ પાનશેરિયાના મત વિસ્તાર કામરેજમાં જનતા તૂટેલા રોડ રસ્તા અને રખડતા ઢોરોથી પરેશાન છે : કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા
કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે : જે.ડી.કથીરિયા
ચૂંટણી વખતે મત માંગવા પ્રફુલભાઇ પાનશેરિયા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય : જે.ડી.કથીરિયા
કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ આજે ભાજપ શાસકો સામે મોરચો માંડયો હતો. જે.ડી.કથીરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું જેમાં તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોના ફોટા વાળા એપરન પહેરી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘કામરેજ ઉભરાતી ગટર થી પરેશાન છે, કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે, કામરેજ રખડતા ઢોરથી પરેશાન છે.’ ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં ભાજપના ઝંડા પણ રોપવામાં આવ્યાં હતાં. જેને લઈને સ્થાનિક રહીશો પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં.
આ બાબતે કામરેજ તાલુકા પંચાયત જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના મતવિસ્તાર કામરેજમાં લોકો તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોથી ખૂબ જ પરેશાન છે. મંત્રીશ્રી પોતાના જ મતવિસ્તારને પાયાની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ સાબિત થયાં છે. કામરેજના બધા જ માર્ગોની હાલત ખૂબ જ દયનીય છે. તૂટેલા રસ્તાઓ પર ગાડીઓ ચલાવીને લોકોના વિહિકલને પણ નુકસાન થઇ રહ્યું છે. રખડતા ઢોરો કામરેજના રસ્તાઓ પર જ્યાં ત્યાં રઝળતી હાલતમાં જોવા મળે છે, જેને લઈને વાહન ચાલકો અકસ્માતની ભીતિએ વાહન ચલાવતા પણ ગભરાઈ રહ્યાં છે. કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે. માનનીય મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાને પણ લોકોની હાલાકી જોવાની ફુરસત નથી મળતી. કામરેજ ગ્રામ પંચાયત સરપંચ કિંજલબેન શાહની કામગીરી પણ તદ્દન નિરાશાજનક દેખાઈ આવે છે તેમ સ્પષ્ટ શબ્દોમાં જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું.
જે.ડી.કથીરિયાએ આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા ચૂંટણી વખતે મત માંગવા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય તો ખબર પડે કામરેજની જનતામાં કેટલો આક્રોશ છે. ઉભરાતી ગટરો રોગચાળાને ઘરે લઇ આવશે તેવી આશંકા પણ જેડી કથીરિયાએ વ્યક્ત કરી હતી.