Posts by: Amit Patil

जयशंकर ने बांग्लादेश के राजनीतिक बदलावों पर चिंता जताई
विदेश मंत्री एस जयशंकर ने हाल ही में बांग्लादेश में हो रहे विघटनकारी राजनीतिक बदलावों की ओर संकेत दिया है। उनका कहना था कि बांग्लादेश में राजनीतिक परिदृश्य में महत्वपूर्ण बदलाव आए हैं, जो कि विघटनकारी हो सकते हैं। जयशंकर ने इस बात को स्वीकार किया कि बांग्लादेश में राजनीतिक स्थिरता को लेकर कुछ चिंताएं हैं और वहां की स्थिति पर ध्यान देने की आवश्यकता है।
इसके साथ ही, उन्होंने यह भी कहा कि इन बदलावों के बावजूद दोनों देशों के बीच रिश्तों में पारस्परिक हितों की महत्वपूर्णता को समझना और ध्यान में रखना होगा। उनका मानना है कि चाहे राजनीतिक स्थिति कैसी भी हो, दोनों देशों के बीच सहयोग और समझौते के लिए प्रयास जारी रखने की आवश्यकता है। यह भी महत्वपूर्ण है कि बांग्लादेश में हो रहे बदलावों का प्रभाव भारत-बांग्लादेश रिश्तों पर न पड़े और दोनों देशों के हितों की रक्षा की जा सके। जयशंकर के इस बयान से स्पष्ट होता है कि वे बांग्लादेश में हो रहे राजनीतिक परिवर्तनों के प्रति सजग हैं और दोनों देशों के रिश्तों को मजबूत बनाए रखने की दिशा में काम कर रहे हैं।

‘આપ’ના કાર્યકર્તાઓએ અમદાવાદ, જામનગર અને વડોદરામાં પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ફૂડ વિતરણ કર્યું.
અતિભયંકર વરસાદથી પીડિત હજારો લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું: ‘આપ’
પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે : રાકેશ હીરપરા
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી તથા અસરગ્રસ્તોને મળ્યા. ‘આપ’નો એક એક કાર્યકર્તા આ મુશ્કેલ પરિસ્થિતિમાં લોકોની સાથે છે: મનોજભાઈ સોરઠીયા
છેલ્લા ઘણા દિવસથી સમગ્ર ગુજરાતમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ જ છે. પ્રી મોન્સૂન કામગીરીના નામે સરકારના લોકો મોટી મોટી બેઠકો કરે છે અને લાખો કરોડો રૂપિયા ફાળવે છે પરંતુ ચોમાસામાં પ્રી મોનસુનની બેઠકોની બધી હકીકત લોકો સામે આવી જાય છે. ધોધમાર વરસાદ અને સરકારની બેદરકારીને કારણે આજે રાજ્યના અનેક વિસ્તારમાં ભયંકર પુરનું નિર્માણ થયું છે. આ પૂરની પરિસ્થિતિમાં લોકોને મદદ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વડોદરામાં ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું. મનોજભાઈ સોરઠીયાનાં માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર વિસ્તારમાં અતિભયંકર વરસાદથી પીડિત આશરે 2000 લોકોને ફૂડ પેકેટો વિતરણ કરવામાં આવ્યું.
આ કુદરતી આપદામાં આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી શ્રી રાકેશ હિરપરા, SMC પૂર્વ વિપક્ષ નેતા શ્રી ધર્મેશ ભંડેરી, વડોદરા શહેર પ્રમુખ શ્રી અશોકભાઈ ઓઝાની આગેવાનીમાં વડોદરા શહેરની ‘આપ’ ટીમે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડપેકેટ વિતરણ અને જંતુનાશક દવાઓના છંટકાવનું કાર્ય કર્યું. તમામ વડોદરા શહેર સંગઠનના કાર્યકરો વરસાદથી પ્રભાવિત થયેલા અલગ અલગ વોર્ડમાં નીચાણ વાળા વિસ્તારો, કાંઠાવાળા વિસ્તારો તેમજ પાણીમાં ગરકાવ થયેલા વિસ્તારોની મુલાકાત લઈ જરૂરિયાતમંદોને ઘરે ઘરે જઈ ગરમા ગરમ ભોજન આપવામાં આવ્યું તેમજ યોગ્ય સહાય કરવામાં આવી.
આ પ્રસંગે ‘આપ’ પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે, પુરગ્રસ્ત વિસ્તારમાં તંત્ર કે સરકારની મદદ પહોંચી નથી અને લોકો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે લોકો પોતાની ઘરવખરીનો સામાન પણ બચાવી શક્યા ન હતા. સાથે સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ખેતીનું પણ નુકસાન થયું છે અને હજુ પણ સરકાર કે તંત્ર તરફથી જોઈએ એવી કોઈ પણ મદદ મળી નથી.
પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમારી માગણી છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને લોકોને સહાય આપે. કારણ કે હાલ લોકોને પારાવાર નુકસાની થઈ છે. આશા રાખીએ છીએ કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં તંત્ર ઝડપી કામગીરી કરશે અને લોકોને રાહત અપાવશે.

લિંબાયતમાં યુથ ફોર ગુજરાત દ્વારા કરાયું 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહી હાંડીનું આયોજન
સુરત શહેરમાં જન્માષ્ટમી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ બાદ શહેરમાં ઠેર ઠેર દહિહાંડી ફોડવાનું આયોજન થયું હતું. જેમાં યુથ ફોર ગુજરાત દ્વારા સતત બીજા વર્ષે લિંબાયતના સંજય નગર સર્કલ ખાતે આયોજિત દહી હાંડી આકર્ષણનું કેન્દ્ર રહી હતી. 35 ફૂટ ઊંચી ગોલ્ડન દહી હાંડી માટે યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલ સાથે જ તેમની ટીમના સભ્ય બંટી પાટીલ અને તેમની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 35 ફૂટ ઊંચી આ દહી હાંડી ફોડનાર મંડળ માટે 1.51 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતી. જ્યારે મહિલા મંડળો માટે પણ અલગથી 20 ફૂટ ઊંચાઈની દહી હાંડી બાંધવામાં આવી હતી. યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે 35 ફૂટ ઊંચી દહી હાંડી ફોડવા માટે બે મહિલા મંડળો સહિત કુલ 22 ગોવિંદા મંડળો પધાર્યા હતા. જે પૈકી 11 મંડળો સલામી આપવા આવ્યા હતા તો 9 મંડળો દ્વારા દહી હાંડી ફોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દહી હાંડી આ આયોજન માટે લિંબાયત સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા આયોજન સ્થળ પર જન મેદની ઉમટી પડી હતી. ગોવિંદા મંડળો દ્વારા લેઝીમ સહિત અનેક કરતબો રજૂ કરવામાં આવતા તે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ધૂમધામ પૂર્વક દહી હાંડી ઉત્સવના પગલે લિંબાયત વિસ્તારમાં માહોલ કૃષ્ણમય બની ગયો હતો.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે લોકાર્પણ થયેલ શાળામાં ત્રણ મહિના બાદ પણ બાળકો પાઠયપુસ્તક વિના ભણવા મજબુર : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ
શિક્ષણમંત્રીના વિસ્તારમાં બાળકો ભગવાન ભરોસે ભણવા મજબુર થયાં : મહેશ અણઘણ
આજરોજ આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટર મહેશભાઈ અણઘણને ફરિયાદ મળી હતી કે, કઠોદરા પ્રાથમિક શાળામાં મોટેભાગનાં વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી. જેથી મહેશભાઈ અણઘણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય શ્રી રાકેશભાઈ હીરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. ત્યાં જઈને અને વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે.
આ બાબતે ‘આપ’ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે ખેદ વ્યક્ત કરીને શાસકો પર ચાબખા મારતા જણાવ્યું હતું કે, અત્યંત દુઃખની બાબત છે કે શિક્ષણ મંત્રીનાં પોતાના જ મતવિસ્તાર માં બાળકો પાઠ્યપુસ્તક વિના અભ્યાસ કરી રહ્યાં છે. શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ત્રણ મહિના પહેલા જ આ શાળાનું લોકાર્પણ કરેલું હતું અને હજુ બાળકોને શાળા સામગ્રી કે પાઠ્યપુસ્તકો મળ્યા નથી. મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, એકબાજુ વાલીઓ પ્રાઇવેટ શાળા છોડાવી સરકારી શાળામાં ભણાવવા તૈયાર થયાં છે અને બીજી બાજુ સરકારી શાળામાં બાળકોને અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ નથી કરાવતી. હકીકતમાં ભાજપ સરકાર ઇચ્છતી જ નથી કે, બાળકો સરકારી શાળામાં ભણે. જો સરકારી શાળામાં ભણશે તો પ્રાઇવેટ શાળા સાથેનું સેટિંગ ભાંગી પડશે.
અંતમાં મહેશભાઈ અણઘણે જણાવ્યું હતું કે, શાળા તરફથી પણ વારંવાર રજુઆત કરવામાં આવી છે પરંતુ પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવાની તસ્દી હજુ શાસકો કે તંત્રએ લીધી નથી. હું શિક્ષણ મંત્રીને અપીલ કરું છું કે તાત્કાલિક આ શાળામાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને બીજી જરૂરી સામગ્રીઓ ઉપલબ્ધ કરાવે જેથી બાળકોને ભણવામાં તકલીફ ના પડે અને તેઓનું ભવિષ્ય સુધરે.

આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીએ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યું
સુરત : આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઇટીઆઇ એએમસી)એ આઇટીઆઇ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ ઇક્વિટી, ઇક્વિટી સંલગ્ન સિક્યુરિટીઝ એટલે કે મુખ્યત્વે ટોચની 250 કંપનીમાં રોકાણ કરશે. આ સ્કીમ સબસ્ક્રિપ્શન માટે 21 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલીને 04 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે.
આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો ઉદ્દેશ્ય આ ડાયનેમિક સેક્ટરમાં સક્રિયપણે કાર્યરત કંપનીઓમા રોકાણ કરીને લાંબાગાળે મૂડી વૃદ્ધિ ઓફર કરવાનો છે, જેનાથી રોકાણકારો વૈવિધ્યકરણ અને મૂડીમાં વૃદ્ધિ પ્રાપ્ત થઇ શકશે.
આ ફંડને ઇક્વિટી ફંડ મેનેજર્સ વિશાલ જાજૂ અને રોહન કોરડે મેનેજ કરશે, જેઓ 13 વર્ષથી વધુ સમયથી આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા છે તથા માર્કેટની ગાઢ સમજણ ધરાવે છે.
આ ફંડ રોકાણકારોને ભારતની વૃદ્ધિની સંભાવનાઓમાં રોકાણ કરવાની તક પ્રદાન કરશે, જે સ્ટ્રક્ચરલ, કલ્ચરલ અને ડિજિટલ ફેક્ટર્સ દ્વારા સંચાલિત છે. શહેરીકરણ અને આવકના સ્તરમાં વધારાને પરિણામે સંગઠિત માર્કેટ તરફ પરિવર્તનને કારણે વૃદ્ધિને વેગ મળી રહ્યો છે. નાના પરિવારો દ્વારા ખર્ચમાં વધારો થતાં સાંસ્કૃતિક પ્રભાવ જોવા મળી રહ્યો છે, જે ઉચ્ચ વપરાશમાં પરિણમ્યું છે.
આઇટીઆઇ એએમસીના ફંડ મેનેજર વિશાલ જાજૂએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ સાધતી અર્થવ્યવસ્થા પૈકીની એક છે અને ટોચની કંપનીઓ દ્વારા ઓફર કરાતી કમાણીની તક માટે તે પ્રીમિયમ જાળવી રાખશે. ફંડ હાઉસ તરીકે અમે શેર પસંદ કરવામાં બોટમ અપ અભિગમને અનુસરીએ છીએ. આ સેક્ટરમાં ઘણી કંપનીઓ મજબૂત ઓર્ડર બુક ધરાવે છે તથા આગામી 2-3 વર્ષમાં સારી આવકની સંભાવના ધરાવે છે. તેનાથી આગામી સમયમાં આ કંપનીઓના રિટર્ન રેશિયોમાં નોંધપાત્ર સુધારાની સંભાવના છે.
આ સ્કીમ માટે લઘુત્તમ રૂ. 5,000ની અરજી કરવાની રહેશે તથા રોકાણકાર લઘુત્તમ રૂ. 500ની રકમ સાથે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા પણ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં કોઇપણ એન્ટ્રી લોડ ચાર્જીસ રહેશે નહીં તથા જો રોકાણકાર યુનિટની ફાળવણી તારીખથી ત્રણ મહિના પહેલાં યુનિટ રિડિમ કરે અથવા સ્વિચ આઉટ કરે તો 0.5 ટકા એક્ઝિટ લોડ રહેશે.

સુરતમાં ભારે વરસાદની આગાહીને લઈ અમુક સ્કૂલો બંધ ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા વાલી વિદ્યાર્થીઓને ચેતવણી
જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફે તમામ શાસન અધિકારીઓને આદેશ..
માનનીય અગ્ર સચિવશ્રીની સૂચના અનુસાર આવતી કાલે રાજયની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવા સૂચના આપવામાં આવેલ હોવાથી.
સુરત શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તારીખ 27/08/2024 ના રોજ ફરજિયાત રજા જાહેર કરવામાં આવે છે.
પ્રતિ,
આચાર્યશ્રી,
માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ, સુરત, જિલ્લો:- સુરત
સુરત શહેરમાં અને જિલ્લામાં વરસાદ પડવાથી અને તાપી નદીમાં પાણી વધવાને કારણે ખાડી વિસ્તારોમાં તેમજ જ્યાં પાણી ભરાવાથી રસ્તાઓ પર પાણી આવી ગયું હોય તેવા વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તેમજ તેવા વિસ્તારોની શાળાઓ માટે શાળાના આચાર્યશ્રીએ તા.27/08/2024 ના રોજ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવા કે રજા રાખવા અંગેનો નિર્ણય કરવો.
કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીને શાળા પર આવવામાં કે જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબત ધ્યાને રાખી આચાર્યશ્રીએ નિર્ણય લેવો.
ડૉ. ભગીરથસિંહ પરમાર
જિલ્લા શિક્ષણાધિકારી, સુરત
શ્રી જયેશભાઈ પટેલ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરત

સુરતમાં વરસાદની પરિસ્થિતિને લઈ 24 કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો
સુરત બ્રેકીંગ.
ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક પાણી છોડાયું.
મુખ્યમંત્રીએ મનપા કમિશ્નર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો..
ઉકાઈ ડેમની ટિમ સાથે સુરત મનપા સાથે સતત સંપર્કમાં છે.
વરસાદ અને અન્ય તમામ પરિસ્થિતિ પર મનપા સતત મોનીટરીંગ રાખી રહી છે
લોકોને ભારે પવન અને વરસાદના કારણે નદી કિનારે, દરિયા કિનારે અને પાણી ભરાયુ હોય ત્યાં ન જવાની સૂચના અપાઈ
નીચાણવાળા વિસ્તારમાંથી લોકોની સ્થળાંતર કરાયું..
કતારગામના શબરી નગર, ડકક ઓવારા અને રેવા નગરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
ઉકાઈ ડેમ અને ભારે વરસાદના કારણે જે જે વિસ્તારને વધારે અસર ત્યાં અગાઉથીજ માર્કિંગ કરવામાં આવ્યુ છે
આ તમામ વિસ્તારમાં જો જરૂર પડશે તો એલર્ટ આપવામાં આવશે


મહારાષ્ટ્રના જલગાંવથી મુસાફરોને લઈને જતી બસ નેપાળમાં નદીમાં પડી, 27ના મોત
આ કરૂણ અકસ્માતમાં મૃત્યુ પામનારમાં ભુસાવલના 17 મુસાફરો સામેલ હતા.
સુરત. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલ તાલુકામાંથી મુસાફરોને લઈને જતી બસ નેપાળની નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 27 મુસાફરોના મોત થયા હતા. તે જ સમયે, 16 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. બસમાં 43થી વધુ મુસાફરો સવાર હતા.
બસ નેપાળના પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. ત્યારબાદ તનહુન જિલ્લાના આઈના પહાડામાં સવારે 11.30 વાગ્યે તે હાઈવેથી લગભગ 500 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મહારાષ્ટ્રના ભુસાવલના રહેવાસી હતા. બધા નેપાળ ફરવા ગયા હતા. તનાહુનના મુખ્ય જિલ્લા અધિકારી જનાર્દન ગૌતમે જણાવ્યું કે કેટલાક ઘાયલોનું સારવાર દરમિયાન મોત થયું છે.
નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ આર્મી શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. 45 આર્મ્ડ પોલીસ ફોર્સ (APF) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. નેપાળ આર્મીનું MI-17 હેલિકોપ્ટર મેડિકલ ટીમને લઈને કાઠમંડુથી તનાહુન પહોંચ્યું હતું. ગંભીર રીતે ઘાયલ 16 મુસાફરોને એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભુસાવલ તહસીલના વરણગાંવ અને પિંપલગાંવથી 104 પ્રવાસીઓ નેપાળની દસ દિવસની યાત્રા પર ગયા હતા. તેઓ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજ પહોંચ્યા. આ પછી અમે ખાનગી ટ્રાવેલ એજન્સીની ત્રણ બસમાં નેપાળ જવા નીકળ્યા. નેપાળના
બસ નેપાળ ના બે દિવસના પ્રવાસ બાદ કાઠમંડુ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણમાંથી એક બસ નદીમાં પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે મૃતકોમાં 17 મુસાફરો ભુસાવલના હતા. હાલ તમામ મૃતદેહો નેપાળથી મહારાષ્ટ્ર લાવવાના પ્રયાસો ચાલુ છે. સમગ્ર ઘટના અંગે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સતત નેપાળ સરકારના સંપર્કમાં છે.

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં ‘આપ’ કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કર્યું
મત માટે ડબલ એન્જીન, કામ માટે અલગ એન્જીન કેમ? : આમ આદમી પાર્ટી
જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં મોદીજીની સરકાર બચાવવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો, યોજનાઓને ગ્રાન્ટ – સહાય આપે છે અને સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે : ‘આપ’
આજરોજ સુરત મનપાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, શાસકો ડબલ એન્જીનની સરકારના નામે પ્રચાર તો કરે છે પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નિવાડ્યા છે. એક જ પાર્ટીની શહેર, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે. છેલ્લા છ થી આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજુર થઈ તેની ગ્રાન્ટ સુરત મનપાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા બે – ત્રણ કે ચાર વર્ષ પહેલાંની જેમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃતમ યોજના હોય કે અન્ય કોઈ યોજનાઓ હોય., આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરેપૂરી સુરત મહાનગરપાલિકા ને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવા પાત્ર છે તે ગ્રાન્ટ મળતી નથી. વિપક્ષ આમ આદમી પાર્ટી એ માંગ કરે છે કે સુરત શહેરની પડતર એ તમામ ગ્રાન્ટ સત્વારે પુરી કરવામાં આવે. આ જ સુરત શહેર માંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેને જીએસટી, કરવેરા અન્ય તમામ આવકો મળી ને લગભગ 25000 કરોડ થી વધુ રૂપિયા જાય છે અને એ જ સુરત શહેરને દર વર્ષે 3000 થી 3500 કરોડ ની ગ્રાન્ટ ની જરૂર હોય છે ત્યારે માંગવામાં આવતી ગ્રાન્ટ પણ સમયસર આપવામાં નથી આવતી. જેથી ડબલ એન્જીનની સરકારની વાતો કરતી ભાજપના તમામ પદાધિકારીઓ, સાંસદો, મંત્રીઓને આમ આદમી પાર્ટી નિવેદન કરે છે કે સુરતની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પુરી પડાવવામાં આવે. આ તો ઉલ્ટા નું એક ની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં નરેન્દ્ર મોદીજીની સરકાર બચાવવા માટે 17-17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, યોજનાઓને મંજૂરીઓ, ગ્રાન્ટ, સહાય આપી દે છે. આ સુરત શહેર ભાજપને વર્ષોથી દરેક જગ્યાએ સહયોગ કરતું આવ્યું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે. શું સુરત મહાનગરપાલિકાના શાસકો નમાલા અને કાયર છે તેમની સરકાર હોવા છતાં મુખ્યમંત્રીશ્રી કે પ્રધાનમંત્રીશ્રી કે કોઈ પણ મંત્રી ને ગ્રાન્ટ માટે રજુઆત સુદ્ધા પણ કરી શક્યા નથી? આજે સુરત ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે ત્યારે ફરી ફરી વાર વિનંતી છે કે સુરત શહેરને ગ્રાન્ટ પુરી પાડવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરત મહાનગરપાલિકાના મહત્વના પ્રોજેકટ એવા નવું વહીવટી ભવન, સ્મીમેરમાં નવા એજ્યુકેશન બ્લોક, તાપી બેરેજની ગ્રાન્ટ આપવામાંથી સરકારે લેખિતમાં હાથ ખંખેરી નાખ્યા છે ત્યારે વિપક્ષે આજ રોજ સામાન્ય સભા પહેલા “મત માટે ડબલ એન્જીન, કામ માટે અલગ એન્જીન કેમ?”, “ગ્રાન્ટ ન મળવાના કારણે પ્રોજેક્ટોના ખર્ચ વધશે તેના માટે જવાબદાર કોણ?”, “ડબલ એન્જીન સરકાર માં એક એન્જીન કેમ ખોરંભે ચડાવવું પડ્યું?” જેવા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

લિંબાયતમાં યુવકની હત્યા બાદ રોષે ભરાયેલા લોકટોળાએ જમીન ફરતે બનાવેલી કમ્પાઉન્ડ વોલ તોડી પાડી…
રક્ષાબંધનના દિવસે જ ચાકુ મારી યુવકની કરાઈ હતી હત્યા
હત્યાના વિરોધમાં પરિજનો અને લોક ટોળાએ લીંબાયત પોલીસ સ્ટેશનનો કર્યો હતો ઘેરાવો..
પોલીસે બળ પ્રયોગ કરી લોકોને વિખેર્યા હતા
ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો
પૈસાની લેતી દેતી મામલે થયો હતો ઝઘડો
લિંબાયતના નીલગીરી રેલ્વે ફાટક પાસે રક્ષાબંધનના દિવસે થયેલી યુવકની કરપીણ હત્યા બાદ લોકોમાં ભારે ભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાત્રે સ્થાનિક લોકો દ્વારા જે જગ્યાએ યુવકની હત્યા થઈ હતી તે જગ્યા ની ફરતે બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલને તોડી પાડવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ પડતર જગ્યામાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડા ઓ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે, ત્યારે કમ્પાઉન્ડ વોલની અંદર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે લોકો દ્વારા કમ્પાઉન્ડ વોલ ને જ ધરાશાયી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના દિવસે રોહન પાટીલ નામના 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા લિંબાયત પોલીસ મથકનો ઘેરાવ કરી પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ લિંબાયત પોલીસ દ્વારા બુટેલગરોને છાવરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવતા લિંબાયત પોલીસની ભૂમિકા સામે સવાલ ઉભા થયા છે.