Posts by: abhay_news_editor

સુરત કિલ્લો ખાતે યોજાયેલી મંડલા આર્ટ પ્રદર્શનમાં યુવાનો દ્વારા ભ્રષ્ટ્રાચાર વિરૂદ્ધ કલાના માધ્યમથી સંદેશો પહોંચાડ્યો

 

સુરત, 22 માર્ચ ના રોજ સુરત કિલ્લો ખાતે યોજાયેલી મંડલા આર્ટ પ્રદર્શનામાં યુવાનો દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાની કલાના માધ્યમથી અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો। અદબી દુનિયા ફાઉન્ડેશન અને ઓપરેશન ઝીરો બ્રાઇબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે 50 મંડલા આર્ટ ડિઝાઇન રજૂ કરવામાં આવ્યા હતા।

કાર્યક્રમની શરૂઆત હબીબ કિનખાબવાલાના સ્વાગત સંબોધનથી થઈ હતી। એસીબીના પીઆઈ શ્રી કે. જે. ધડુકે અને ડૉ. વૃંદા ભટ્ટે જનભાગીદારી અને પત્રકારિતામાં નૈતિકતાના મહત્વ પર ભાર મૂક્યો હતો। અદબી દુનિયાનું માઇમ એક્ટ ખાસ આકર્ષણ રહ્યું, જેનું દિગ્દર્શન કાજલ ચૌધરીએ કર્યું હતું।

હર્ષિત હેમનાની દ્વારા સંચાલિત પેનલ ચર્ચામાં સત્યેન આર નાયક, પ્રસન્ન ભટ્ટ અને મિહિર પાઠકે ભાગ લીધો હતો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ તથા જવાબદાર પત્રકારિતાની જરૂરિયાત અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા।

આ પ્રદર્શનમાં ભાગ લેનારા કલાકારોમાં સુમન મંટુ શર્મા, વિધ્યા પરમાર, સુનયના બેનર્જી, સાધના સોની, આદિત્ય રાજ, નિકિતા સેન, અંકિતા પાંડે, કોમલ સોની, ધનશ્રી કેદાર, ગુંજન પટેલ, શ્રેયા પાંડે, ગીતા ગુર્જર, અનિરુદ્ધ દુબે, રંજની પ્રસાદ, નિશિતા પટેલ, રંજન સિંહ, યક્ષ પટેલ, સુરભી ગિરી, ખુશી શર્મા, દીક્ષા જૈશ્વાલ, રંજના યાદવ, રિજુ રાય, ઇસ્મિતા મિશ્રા, પ્રિયંકા શર્મા, જાનવી સિંહ, મુન્ની કરમાકર, રાધિકા સિંહ, શ્રૃષ્ટિ સેન, રતન પરાશર, પ્રાચી શાક્ય અને ઐશ્વર્યા સિંહનો સમાવેશ થાય છે।

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

 

•             આ શિલાન્યાસ વિધિ આંધ્ર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને માનનીય કેન્દ્રિય સ્ટીલ તથા હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી શ્રી એચ. ડી. કુમારસ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. •             આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ અને સીઈઓ આદિત્ય મિત્તલ પણ આ મહત્વપૂર્ણ ક્ષણે હાજર રહ્યા હતા. •             આ અદ્યતન મેન્યુફેક્ચરિંગ સુવિધા આંધ્ર પ્રદેશમાં આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની લાંબા સમયથી રહેલી હાજરીને વધુ મજબૂત બનાવશે. •             આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ કંપનીના લાંબા ગાળાના ઉદ્દેશ મુજબ તેની ક્રૂડ સ્ટીલ બનાવવાની ક્ષમતા 40 MTPA સુધી વધારવામાં મદદરૂપ બનશે અને ભારતને વૈશ્વિક સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધુ મજબૂત બનાવશે. હજીરા – સુરત, માર્ચ 23, 2026: આજનો દિવસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બન્યો છે, કારણ કે આંધ્ર પ્રદેશના અનકાપલ્લી જિલ્લાના રાજ્યપેટા ખાતે તેના નવા 8.2 મિલિયન ટન પ્રતિ વર્ષ (પર્યાવરણ મંજૂરી અનુસાર નિર્ધારિત ક્ષમતા) ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ માટે શિલાન્યાસ વિધિ યોજાઈ હતી. આ પ્રોજેક્ટમાં અંદાજે રૂપિયા 70,000 કરોડથી વધુનું તબક્કાવાર રોકાણ કરવામાં આવશે. ઉપરાંત, પ્લાન્ટના સતત થતાં બાંધકામ અને વિકાસની સાથે લગભગ 1 લાખ સીધી અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવાની અપેક્ષા છે. આ શિલાન્યાસ વિધિ આંધ્ર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી એન.ચંદ્રબાબુ નાયડુ, માનનીય કેન્દ્રિય સ્ટીલ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રી શ્રી એચ.ડી.કુમારસ્વામી, આંધ્ર પ્રદેશના માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી કે.પવન કલ્યાણ, અને આઈટી, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન, માનવ સંસાધન વિકાસ (HRD), અને રિયલ-ટાઈમ ગવર્નન્સ મંત્રી શ્રી નારા લોકેશની ઉપસ્થિતિમાં યોજાઈ. આ ઉપરાંત, શ્રી લક્ષ્મી મિત્તલ, એક્ઝિક્યુટીવ ચેરમેન, આર્સેલરમિત્તલ, શ્રી આદિત્ય મિત્તલ, ચેરમેન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા અને સીઈઓ આર્સેલરમિત્તલ તથા શ્રી દિલીપ ઊમ્મેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આરસેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમે રાજ્યભરમાંથી નોંધપાત્ર ઉત્સાહ અને ધ્યાન આકર્ષિત કર્યુ છે. હજારો લોકો આ ક્ષણના સાક્ષી થવા હાજર રહ્યા હતા, જે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું દેશના સૌથી અદ્યતન સ્ટીલ ઉત્પાદન કરવાની સુવિધાઓમાંથી એક સ્થાપિત કરવાના સ્વપ્નને હકીકત કરવાની શરૂઆત છે. આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાનું શરૂઆતથી જ લક્ષ્ય રહ્યુ છે કે તેઓ પોતાની ઉદ્યોગની અગ્રણી ક્ષમતાનો ઉપયોગ કરીને ભારતમાં વર્ષ 2030 – 31 સુધી ઘરેલું ક્રૂડ સ્ટીલ ઉત્પાદન કરવાની ક્ષમતા 300 MTPA સુધી વધારવા સમર્થન આપે, જે નેશનલ સ્ટીલ પોલિસીને અનુરૂપ હોઈ. નવી સ્ટીલ ઉત્પાદન ક્ષમતા ઊભી કરવાની સાથે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ “country-first” એવું ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ્સ પણ રજૂ કર્યા છે. આર્સેલરમિત્તન નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દેશની પ્રથમ ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક કંપની છે, જેને સ્ટીલ મંત્રાલય દ્વારા સ્થાપિત નવી ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી હેઠળ ગ્રીન સ્ટીલ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું છે. રાજ્યપેટા ખાતે આકાર લેવા જઈ રહેલા નવા પ્લાન્ટમાં સ્ટીલ ઉત્પાદન કામગીરી કેલેન્ડર વર્ષ 2029ના પ્રથમ ત્રિમાસિક સુધી શરૂ થવાની યોજના છે, જ્યારે અન્ય યુનિટ્સ આગળના ત્રિમાસિકોમાં તબક્કાવાર રીતે તૈયાર થવાની સંભાવના છે. “વિકસિત ભારત 2047” ના વિઝન સાથે સુસંગત રહીને પ્લાન્ટમાં વિવિધ પ્રકારના સ્ટીલ ગ્રેડ્સનું ઉત્પાદન કરાશે. જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા, મૂલ્યવર્ધિત ઉત્પાદનોનો સમાવેશ થશે. જે ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરશે, આયાતમાં ઘટાડો અને ઉત્પાદન આધારને વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે, આર્સેલરમિત્તન નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશ સરકાર સાથે બે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoUs) પર હસ્તાક્ષર કર્યા છે. આ MoUs નો હેતુ એ છે કે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા NAMTECH (New Age Makers’ Institute of Technology) સાથે મળીને આંધ્ર પ્રદેશમાં ભવિષ્ય માટે તૈયાર ઉદ્યોગલક્ષી ટેલેન્ટ ઇકોસિસ્ટમ ઊભી કરે, જેમાં અદ્યતન ટેકનોલોજી, મટિરિયલ્સ ઇનોવેશન, શિક્ષણ, અને વર્કફોર્સ ડેવલોપમેન્ટને આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતો સાથે જોડી શકાય. NAMTECH આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની નોન-પ્રોફિટ શિક્ષણ અને સ્કિલિંગ પહેલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું: “હું આ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે આંધ્ર પ્રદેશને અભિનંદન પાઠવું છું. આ પ્રોજેક્ટનું શિલાન્યાસ વિશ્વસ્તરીય ઈન્ટીગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટની શરૂઆત દર્શાવે છે, જે ભારતની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાને વધુ મજબૂત બનાવશે. આ આંધ્ર પ્રદેશના વિકાસ તરફના પ્રવાસમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે, જે રાજ્યના યુવાનો માટે નવી તકો ઉભી કરશે અને રાજ્યને ઔદ્યોગિક નવીનતાના મોખરે લાવશે. આ સાથે જ ભારતને વૈશ્વિક સ્ટીલ ઉત્પાદન ક્ષેત્રમાં આગેવાન તરીકે વધુ મજબૂત બનાવશે.”
પ્રાસંગિક સંબોધન કરતાં, શ્રી ચંદ્રબાબુ નાયડુ, મુખ્યમંત્રી, આંધ્ર પ્રદેશે જણાવ્યું હતું કે: “આ પ્રોજેક્ટ આંધ્ર પ્રદેશને એક મજબૂત રોકાણ સ્થળ તરીકે દર્શાવીને અને અમારા રાજ્યમાં વૈશ્વિક વ્યાપારનો વધતો વિશ્વાસ દર્શાવશે. આંધ્ર પ્રદેશ સરકાર આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને આ રોકાણ સાકાર કરવામાં સંપૂર્ણ સહયોગ આપશે, જે વિકાસ લાવશે, રોજગારી ઊભી કરશે અને રાજ્યને ભારતના ઔદ્યોગિક ભવિષ્ય માટે વધુ મજબૂત બનાવશે.” શ્રી એચ.ડી.કુમારસ્વામી, કેન્દ્રિય સ્ટીલ અને હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રીએ જણાવ્યું હતું કે,: “ભારત — જે વિશ્વમાં બીજા ક્રમે સૌથી મોટું ક્રૂડ સ્ટીલ ઉત્પાદક દેશ છે — તેના લાંબા ગાળાની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના લક્ષ્યો તરફ વિકસિત ભારત 2047ના વિઝન હેઠળ આગળ વધી રહ્યું છે, ત્યારે આવા મોટા પ્રોજેક્ટ માટે સતત રોકાણ, અદ્યતન ટેકનોલોજી અને મજબૂત અમલીકરણ ક્ષમતાની જરૂર રહેશે. આ સહકાર વૈશ્વિક અનુભવ અને દેશની મહત્ત્વાકાંક્ષાને એક સાથે લાવી ભારતના સ્ટીલ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે. હું આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાને શુભેચ્છાઓ પાઠવું છું અને આશા રાખું છું કે આ સુવિધા ભારતીય સ્ટીલ ઉદ્યોગના વિકાસ અને આધુનિકીકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.” શ્રી લક્ષ્મી મિત્તલ, એક્ઝિક્યુટીવ ચેરમેન, આર્સેલરમિત્તલે જણાવ્યું કે: “આજે ભારત સાથેની અમારી ભાગીદારીનો નવો અધ્યાય શરૂ થાય છે, જે સંયુક્ત મહત્ત્વાકાંક્ષા અને લાંબા સમયથી ચાલતા વિશ્વાસ પર આધારિત છે. હું હવે પચાસ વર્ષથી સ્ટીલ ઉદ્યોગમાં છું, અને હું ઈમાનદારીથી કહી શકું છું કે ભારતમાં અમે જે બનાવી રહ્યા છીએ તે મારા આ 50 વર્ષના અનુભવમાં એક ખાસ મહત્વ ધરાવે છે. મને ખૂબ આનંદ છે કે અમે વિકસિત ભારત તરફના પ્રવાસમાં એટલું મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છીએ, અને વિશ્વ સ્તરીય સ્ટીલ ઉત્પાદન થકી ટકાઉ વિકાસ અને દેશની આત્મનિર્ભરતા કેવી રીતે મજબૂત બનાવી શકાય તે દર્શાવી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ માટે સહયોગ આપનારા દરેક વ્યક્તિનો હું આભાર માનું છું અને આશા રાખું છું કે આ પ્રોજેક્ટ સ્થાનિક સમુદાયો અને સમગ્ર આંધ્ર પ્રદેશ માટે પરિવર્તન લાવનાર સાબિત થશે.” શ્રી આદિત્ય મિત્તલ, ચેરમેન, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા અને સીઈઓ, આર્સેલરમિત્તલે જણાવ્યું હતું કે: “હું આંધ્ર પ્રદેશ સરકાર અને ભારત સરકારનો આભાર માનું છું, જેમણે આ પ્રોજેક્ટને સાકાર બનાવવા સતત સહયોગ આપ્યો છે. સ્ટીલ જીવનનો આધાર છે, અને આ નવા પ્લાન્ટ દ્વારા ભારતની સ્ટીલ ક્ષમતામાં વધારો કરવાની તક મળી છે તેના માટે અમને ગર્વ છે. આ પ્લાન્ટ દેશના સૌથી સ્પર્ધાત્મક અને આધુનિક પ્લાન્ટમાંનો એક બનશે. તેની સમુદ્ર કિનારે આવેલી લોકેશન અને દેશના સૌથી સમૃદ્ધ લોખંડની ખાણ વિસ્તાર સાથે સ્લરી પાઇપલાઇન દ્વારા સરળ જોડાણ તેને સ્ટીલ ઉત્પાદન માટે ઉત્તમ સ્થાન બનાવે છે. દક્ષિણ ભારત ઝડપથી વિકસતું બજાર છે અને આ પ્લાન્ટ પ્રદેશ તેમજ સમગ્ર ભારતના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરી શકશે. હવે બાંધકામ શરૂ થશે ત્યારે અમારી પ્રાથમિકતા હંમેશા સલામતીની રહેશે. હું આગળના દરેક મહત્વપૂર્ણ તબક્કાને જોવા અને તેની ઉજવણીઓ કરવા માટે આતુર છું. આ સુવિધા પૂર્ણ થયા પછી આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાની સ્થિતિ દેશની અગ્રણી સ્ટીલ કંપનીઓ સૌથી મજબૂત બનશે.” શ્રી ટડાશી ઇમાઈ, રિપ્રેઝેન્ટેટિવ ડિરેક્ટર, પ્રેસિડેન્ટ અને સીઓઓ, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશને જણાવ્યું: “રાજ્યપેટાનો આ પ્લાન્ટ અમારી વૃદ્ધિના આગામી મહત્વપૂર્ણ તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. અમારું આ રોકાણ ભારત-જાપાન વચ્ચેના સંબંધોની ભાવનાને દર્શાવે છે — જે વિશ્વાસ, પરસ્પર સન્માન અને લાંબા ગાળાના વિકાસ માટેની સંયુક્ત પ્રતિબદ્ધતા પર આધારિત છે. ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા માત્ર એક પ્રોજેક્ટથી નક્કી થતી નથી, પરંતુ આવતા દાયકાઓમાં પણ અમે આ મહાન દેશ સાથે મળીને રોકાણ, નવીનતા અને વિકાસ કરતા રહીશું.” શ્રી તાકાહિરો મોરી, વાઇસ ચેરમેન, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશન અને મેમ્બર, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે: “ભારત લાંબા ગાળાના વિકાસ માટે મજબૂત પાયો નાખી રહ્યું છે, અને આ યાત્રામાં સ્ટીલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમે ગર્વ અનુભવીએ છીએ કે નિપ્પોન સ્ટીલ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા, ભારતની સ્ટીલ ક્ષમતા વધારવાની રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષામાં યોગદાન આપી રહ્યું છે. અમે ભારત સરકાર અને આંધ્ર પ્રદેશ સરકારનો સહયોગ બદલ આભાર માનીએ છીએ અને ભવિષ્યનું સાથે મળીને નિર્માણ કરવાની આશા રાખીએ છીએ.” શ્રી દિલીપ ઊમ્મેન, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આરસેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ જણાવ્યું હતુ કે: “આ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે ગૌરવની ક્ષણ છે. આ પ્રોજેક્ટ વિશ્વ સ્તરની સ્ટીલ ઉત્પાદન માટે અસરકારક આયોજન અને સહકારનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્લાન્ટ રોજગારી ઊભી કરશે, ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપશે અને ઉદ્યોગ અને સમુદાય બંનેના વિકાસને સાથે લઈને આગળ વધશે. ‘સ્માર્ટર સ્ટીલ બ્રાઈટર ફ્યુચર્સ’ અને ‘બનાઉંગા મેં, બનેગા ભારત’ના અમારા સંકલ્પ સાથે, અમે આ પ્રોજેક્ટને ભારતના લાંબાગાળાના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન તરીકે જોઈએ છીએ.” આ પ્લાન્ટને મજબૂત પર્યાવરણ વ્યવસ્થાપન યોજના હેઠળ બનાવવામાં આવશે, જે પર્યાવરણીય અસર ઓછી કરવા, સંસાધનોનું સંરક્ષણ કરવા અને પ્રોજેક્ટ વિસ્તારમાં બાયોડાયવર્સિટી વધારવા માટે આયોજન થયો છે, અને તે દર્શાવશે કે આધુનિક સ્ટીલ ઉત્પાદન કેવી રીતે ભારતના ડિકાર્બોનાઇઝેશન અને એનર્જી ટ્રાન્ઝિશનના માર્ગને ગતિ આપી શકે છે, તેમજ લાંબાગાળાના ઔદ્યોગિક વિકાસને સમર્થન આપી શકે છે. ઉપરાંત, કંપની પોતાના સમુદાય વિકાસ કાર્યક્રમોને પણ વિસ્તૃત કરશે જેથી સર્વસમાવેશક વિકાસ અને સહભાગી સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકાય.
કાભા એવિએશન અકેડેમીએ પૂર્ણ કર્યો સફળતાનો 1 વર્ષ આ અવસર પર અકેડેમી ના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉજવણી નું આયોજન કર્યું

 

સુરત – શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા કાભા એવિએશન અકેડેમી એ સફળતાપૂર્વક પોતાના પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર અકેડેમી પરિવાર માં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે।

ગત એક વર્ષ દરમિયાન અકેડેમીએ અનેક વિદ્યાર્થીઓને કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાની ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર પ્રોફેશનલ સ્કિલ્સ જ નહીં પરંતુ આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ પણ કરવામાં આવ્યો છે।

સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદ કરવો અને તેમને સફળ કારકિર્દીની દિશામાં આગળ વધારવાનો છે।

આ સિદ્ધિ પર અકેડેમીના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને પ્લેસમેન્ટ તકો પૂરી પાડવાનો સંકલ્પ કર્યો છે।

કાભા એવિએશન અકેડેમી – સપનાઓને પાંખ આપતું વિશ્વસનીય નામ ✈️

સંપર્ક અને એડ્રેસ
કાભા એવિએશન અકેડેમી
202 સેકન્ડ ફલૂર ગ્રીન ઓર્ચિડ કોમ્પ્લેક્સ વેસુ સુરત
મોબાઈલ – 8780425842

દેસાઈ ફાઉન્ડેશને ભારતમાં ૧.૨ કરોડ લોકોના જીવનમાં પરિવર્તન લાવીને પ્રભાવનું સીમાચિહ્ન સર કર્યું

 

પ્રભાવનું વિસ્તરણ: ૧.૨ કરોડ લોકો સુધી પહોંચવાની સિદ્ધિની દેસાઈ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી

સુરત (ગુજરાત)  ૨૦ માર્ચ ૨૦૨૬: દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સુરત મેરિયોટ હોટલ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાની અત્યાર સુધીની સફર, સામુદાયિક ભાગીદારી અને ભારતના ૮ રાજ્યોમાં ૧.૨ કરોડથી વધુ લોકો સુધી પહોંચવાના મહત્વપૂર્ણ સીમાચિહ્નની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ફાઉન્ડેશનના ભાગીદારો, સમર્થકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે પાયાના સ્તરે વિકાસ માટે ફાઉન્ડેશનના ટકાઉ અને સ્કેલેબલ (વિસ્તૃત કરી શકાય તેવા) અભિગમ પર પ્રકાશ પાડયો હતો. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય, આજીવિકા અને માસિક ધર્મ સમાનતા (Menstrual Equity) ક્ષેત્રે કરવામાં આવેલા કાર્યો અને સમુદાય સંચાલિત લાંબા ગાળાના પરિવર્તન પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવવામાં આવી હતી.

સભાને સંબોધતા મેઘા દેસાઈ (પ્રમુખ), મિત્તલ ગોહિલ (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર) અને મનોજ પાંડા (ડેવલપમેન્ટ ડાયરેક્ટર) એ ફાઉન્ડેશનની વૃદ્ધિ અને વિઝન વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે સહયોગ અને નવીનતા દ્વારા આટલા મોટા પાયે પ્રભાવ પાડી શકાયો છે.

“એક દાયકા કરતા વધુ સમયથી અમે માનતા આવ્યા છીએ કે માસિક ધર્મ દરમિયાન ગરિમા જાળવવી એ કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ મૂળભૂત અધિકાર છે. આર્ટિકલ ૨૧ હેઠળ મળેલી તાજેતરની માન્યતા સાથે, હવે આ માન્યતા રાષ્ટ્રીય સ્તરે ગુંજી રહી છે. અમારી મુખ્ય પહેલો અને સમુદાય સંચાલિત મોડેલો દ્વારા, અમે સમગ્ર ભારતમાં આ પ્રભાવને વિસ્તારવા માટેનો માર્ગ બનાવી રહ્યા છીએ – જેથી ભારતની દરેક કન્યાને જરૂરી માહિતી, ઉત્પાદનો અને ગરિમા મળે જેના તે હકદાર છે.” — મેઘા દેસાઈ, પ્રમુખ

મિત્તલ ગોહિલે કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન સંસ્થાની મક્કમતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ફાઉન્ડેશને ૨૫૦ થી વધુ વધારાના સભ્યોની નિમણૂક કરીને મેદાનમાં પોતાની હાજરી વધારી હતી, તેવા સમયે જ્યારે ઘણી સંસ્થાઓએ તેમની કામગીરી સ્થગિત કરી દીધી હતી.

“કોવિડ-૧૯ દરમિયાન, જ્યારે ઘણી સંસ્થાઓ થંભી ગઈ હતી, ત્યારે અમે આગળ વધવાનું પસંદ કર્યું. અમારી ટીમના સભ્યોની સંખ્યામાં ૨૫૦ થી વધુનો વધારો કરીને અમે સુનિશ્ચિત કર્યું કે સમુદાયોને જરૂરી સહાય મળતી રહે. તે સમયની મક્કમતા આજે પણ અમારી કાર્યશૈલીને વ્યાખ્યાયિત કરે છે.” — મિત્તલ ગોહિલ, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર
દેસાઈ ફાઉન્ડેશનના ટ્રસ્ટી, ઉદ્યોગસાહસિક અને TiE સુરતના ભૂતપૂર્વ પ્રમુખ કશ્યપ પંડ્યાએ સામાજિક ક્ષેત્રે ‘સ્કેલેબિલિટી’ (વ્યાપ વધારવાની ક્ષમતા) ના મહત્વ પર ભાર મૂક્યો હતો.

“દેસાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા કામની વ્યાપકતા ખરેખર અસાધારણ છે. માત્ર એક દાયકામાં ૧.૨ કરોડ જીવનને પ્રભાવિત કરવા અને તે પણ ગુણવત્તા જાળવી રાખીને, તે એવી સિદ્ધિ છે જે બહુ ઓછી સંસ્થાઓ હાંસલ કરી શકી છે.” — કશ્યપ પંડ્યા, ટ્રસ્ટી, દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ; બોર્ડ મેમ્બર, TiE સુરત
મનોજ પાંડાએ પ્રભાવ પાડવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

“આટલા મોટા પાયે પ્રભાવ માત્ર સામૂહિક પ્રયાસો દ્વારા જ શક્ય છે. દરેક ભાગીદાર, સમર્થક અને વ્યક્તિ પાસે આ સફરમાં યોગદાન આપવાની શક્તિ છે — અને સાથે મળીને, અમે આ પ્રભાવને વધુ આગળ લઈ જઈ શકીએ છીએ.” — મનોજ પાંડા, ડેવલપમેન્ટ ડાયરેક્ટર
CSR ભાગીદારોએ પણ સહયોગ અને ટકાઉપણું (Sustainability) વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચિરાગ પરમારે (સ્વતંત્ર માઇક્રો હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન) ફાઉન્ડેશનના નૈતિક અને સમુદાય-કેન્દ્રી અભિગમ વિશે વાત કરી:

“દેસાઈ ફાઉન્ડેશનની જે બાબત અલગ તરી આવે છે તે છે સમુદાયો સાથે તેમનું ઊંડું જોડાણ. તેમનો અભિગમ સર્વગ્રાહી, નૈતિક અને કાયમી પરિવર્તન માટે ‘વન-સ્ટોપ સોલ્યુશન’ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે.”
મહેશ સી. ડેરિયાએ (સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) ફાઉન્ડેશનના મોડેલ્સની ટકાવપણા પર ભાર મૂક્યો:

“દેસાઈ ફાઉન્ડેશનની તાકાત તેના મોડેલ્સના ટકાઉપણામાં રહેલી છે. ‘બાલ સંગિની’ જેવી પહેલ સુનિશ્ચિત કરે છે કે પ્રોજેક્ટ પૂરો થયા પછી પણ સમુદાય તે કાર્યને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે — તે જ સાચો પ્રભાવ છે.”
કાર્યક્રમનો અંત ગ્રામીણ ભારતમાં સમુદાયો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના સશક્તિકરણના મિશનને ચાલુ રાખવા અને ફાઉન્ડેશનના વ્યાપને વિસ્તારવાની નવી પ્રતિબદ્ધતા સાથે થયો હતો.
દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ વિશે

દેસાઈ ફાઉન્ડેશન એક બિન-લાભકારી સંસ્થા (NGO) છે જે ગ્રામીણ ભારતમાં મહિલાઓ અને બાળકો માટે આરોગ્ય, આજીવિકા અને માસિક ધર્મ સમાનતાના સ્તરને ઊંચું લાવવા માટે સમર્પિત છે. ૨૭ વર્ષથી વધુની સફળતા અને ૮ રાજ્યોમાં ફેલાયેલી કામગીરી સાથે, ફાઉન્ડેશન ઉચ્ચ-પ્રભાવશાળી પહેલો દ્વારા સમુદાયોને તેમની પરિસ્થિતિથી ઉપર ઉઠીને સપના જોવાનું સશક્તિકરણ પૂરું પાડે છે.

સુરતના શિવમ જ્વેલ્સ ની વૈશ્વિક મંચ પર મોટી સિદ્ધિ, ડીટીસી સાઈટ હોલ્ડર તરીકે પસંદગી

 

૯ વર્ષ બાદ નવી નિમણૂકમાં સ્થાન મેળવનાર કંપની, હીરા ઉદ્યોગને મળશે નવી દિશા

સુરત: સુરતના કતારગામ વિસ્તારમાં સ્થિત શિવમ જ્વેલ્સ કંપનીએ હીરા ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. કંપનીના સંચાલક ઘનશ્યામ ભાઈ માવજીભાઈ શંકરની આગેવાની હેઠળ શિવમ જવેલ્સને ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) દ્વારા ‘સાઈટ હોલ્ડર’ તરીકે પસંદ કરવામાં આવી છે. નોંધનીય છે કે લગભગ ૯ વર્ષના લાંબા સમય બાદ ડીટીસી દ્વારા નવી સાઈટ હોલ્ડરની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સુરતની આ કંપનીએ સ્થાન મેળવ્યું છે.

શિવમ જેમ્સ, ગોતાલાવાડી સર્કલ પાસે વસ્તાદેવડી રોડ પર કાર્યરત છે અને નેચરલ ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણીઓમાંની એક કંપની ગણાય છે. કંપની કાચા હીરાનો આયાત કરી અહીં પ્રોસેસિંગ કરીને તૈયાર માલ બનાવે છે, જેમાંથી લગભગ ૯૦ ટકા નિકાસ કરવામાં આવે છે જ્યારે ૧૦ ટકા સ્થાનિક બજારમાં વેચાય છે.

કંપનીની ક્ષમતાની વાત કરીએ તો હાલ શિવમ જ્વેલ્સ માં આશરે ૧,૯૫૦ કર્મચારીઓ કાર્યરત છે અને તેનું વાર્ષિક ટર્નઓવર લગભગ ૨,૭૦૦ કરોડ રૂપિયા છે. ડીટીસી સાઈટ હોલ્ડર બનવાથી હવે કંપનીને સીધો કાચો માલ મળશે, જેના કારણે ઉત્પાદન અને નિકાસ બંનેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. આ સાથે સુરતના હીરા ઉદ્યોગને પણ નવી ગતિ મળશે.

ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) ડી બીયર્સ ગ્રુપનો એક ભાગ છે, જે લગભગ ૧૩૦ વર્ષ જૂની વૈશ્વિક સંસ્થા છે. ડીટીસી વિશ્વભરના પસંદગીના સાઈટ હોલ્ડર્સને દર મહિને કાચા હીરા સપ્લાય કરે છે. અગાઉ તેનું મુખ્ય મથક લંડનમાં હતું, પરંતુ હવે તે બોત્સ્વાનામાં ખસેડવામાં આવ્યું છે. કંપની ઇઝરાયેલ, અમેરિકા, ભારત, શ્રીલંકા અને ચીન જેવા દેશોમાં પોતાના સાઈટ હોલ્ડર્સ ધરાવે છે.

સાઈટ હોલ્ડર બનવા માટે કંપનીનો ઇતિહાસ, કાર્યપદ્ધતિ, સતત વિકાસ અને કર્મચારીઓને મળતું સ્થિર રોજગાર જેવા માપદંડો ધ્યાનમાં લેવામાં આવે છે. શિવમ જ્વેલ્સે આ તમામ માપદંડો પર ખરા ઉતરીને આ માન્યતા પ્રાપ્ત કરી છે.

શિવમ જ્વેલ્સની સ્થાપના ૧૯૯૫માં થઈ હતી અને ૨૦૧૪થી કંપનીએ આ ક્ષેત્રમાં વિશેષ પ્રગતિ શરૂ કરી હતી. લગભગ ૧૨ વર્ષની સતત મહેનત બાદ ૨૦૨૬માં કંપનીને આ પ્રતિષ્ઠિત સ્થાન મળ્યું છે. ઘનશ્યામભાઈ શંકર પોતે છેલ્લા ૪૦ વર્ષથી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જેના અનુભવ અને દૃઢ નિશ્ચયે આ સિદ્ધિને શક્ય બનાવી છે.

મિન્ત્રા ઉભરતી ફેશન અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ્સને દેશભરમાં વેગ આપશે; સુરતમાં ‘સેલર ગ્રોથ કનેક્ટ’ની પ્રથમ આવૃત્તિનું આયોજન

 

● સુરત ખાતે યોજાયેલા સેલર ગ્રોથ કનેક્ટના પ્રથમ સંસ્કરણમાં 300 બ્રાન્ડ્સ જોડાયા
● રિજનલ ક્રાફ્ટમેનશિપ અને રાષ્ટ્રીય સ્તર વચ્ચેના અંતરને દૂર કરીને, મિન્ત્રા સમગ્ર ભારતમાં વિક્રેતાઓ માટે ફેશન શક્યતાઓનું લોકશાહીકરણ કરવાનું ચાલુ રાખે છે.

સુરત,20 માર્ચ, 2026 : ભારતની અગ્રણી ફેશન, બ્યુટી અને લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન પૈકીની એક એવી મિન્ત્રા દ્વારા સુરતમાં ‘મિન્ત્રા સેલર ગ્રોથ કનેક્ટ ’26’ ની પ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શ્રેણીઓની અંદાજે 300 જેટલી બ્રાન્ડ્સ એકત્રિત થઈ હતી. પોતાના વિક્રેતાઓને રાષ્ટ્રીય સ્તરે વ્યવસાય વિસ્તૃત કરવામાં મદદ કરવાની પ્રતિબદ્ધતા સાથે, આ પહેલ મુખ્યત્વે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે કેવી રીતે વિવિધ પ્રદેશોની ઉભરતી બ્રાન્ડ્સ મિન્ત્રા દ્વારા પૂરી પાડવામાં આવતી ટેકનોલોજી, બિઝનેસ આંતરદૃષ્ટિ અને માળખાગત સુવિધાઓનો લાભ લઈને વિકાસ સાધી શકે છે. વિવિધ શહેરોમાં યોજાનારા કાર્યક્રમોની શ્રેણીમાં આ પ્રથમ ઇવેન્ટ હતી, જેનો ઉદ્દેશ્ય સમગ્ર ઇકોસિસ્ટમમાં નાના અને મધ્યમ કક્ષાના વિક્રેતાઓને સહયોગ આપવાનો છે, જે ફેશન અને લાઈફસ્ટાઈલ સેગમેન્ટમાં તમામ પ્રકારની બ્રાન્ડ્સના વિકાસ માટેની મિન્ત્રાની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે.
ટેક્સટાઇલ અને ફેશન મેન્યુફેક્ચરિંગ માટે ભારતના મુખ્ય હબ પૈકીનું એક હોવાને કારણે, દેશની ફેશન ઇકોસિસ્ટમમાં સુરત અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. મિન્ત્રા (Myntra) પર આ પ્રદેશની બ્રાન્ડ્સ તરફથી મજબૂત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ગુજરાતની અંદાજે 6,000 જેટલી બ્રાન્ડ્સ એપેરલ, એક્સેસરીઝ અને પર્સનલ કેર કેટેગરીમાં દેશભરના ગ્રાહકોની વધતી જતી માંગને પૂરી કરી રહી છે. આ ક્ષેત્રના મુખ્ય બ્રાન્ડ્સ જેવા કે જનસ્યા, ઈન્ડોએરા અને ઈન્ડસ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને દેશભરના ગ્રાહકો સુધી પહોંચી રહ્યા છે અને તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

આ કાર્યક્રમમાં બોલતા, મિન્ત્રાના કેટેગરી મેનેજમેન્ટના સિનિયર ડિરેક્ટર, બેદાંત દત્તાએ જણાવ્યું હતું કે, “સુરત લાંબા સમયથી ભારતનું સૌથી મહત્વનું ટેક્સટાઇલ અને એપેરલ મેન્યુફેક્ચરિંગ હબ રહ્યું છે, જ્યાં સાહસિક બ્રાન્ડ્સ અને ઉત્પાદકોની એક જીવંત ઇકોસિસ્ટમ છે જેણે દાયકાઓથી દેશના ફેશન સપ્લાયને આકાર આપ્યો છે. જે બાબત ખાસ કરીને ઉત્સાહજનક છે તે એ છે કે આમાંની ઘણી ઉભરતી બ્રાન્ડ્સ હવે તેમના પરંપરાગત બજારોથી ઘણે દૂર વિસ્તરવા માટે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. મિન્ત્રા ખાતે, અમે સુરત સ્થિત વિક્રેતાઓ તરફથી મજબૂત ગતિ જોઈ રહ્યા છીએ જેઓ અમારા માર્કેટપ્લેસના સહારે રાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સ બનાવી રહ્યા છે

સેલર ગ્રોથ કનેક્ટ જેવી પહેલો દ્વારા, મિન્ત્રા પ્રાદેશિક વિક્રેતાઓ સાથે પોતાનું જોડાણ વધુ ગાઢ બનાવી રહ્યું છે, જે આ બ્રાન્ડ્સને ભારતભરમાં મિન્ત્રા પ્લેટફોર્મ પરના 7.5 કરોડ (75 mn+) થી વધુ મન્થલી એક્ટિવ યુઝર્સ સુધી પહોંચવાની તક પૂરી પાડે છે. મિન્ત્રા પર્સનલાઇઝ્ડ ટેક સોલ્યુશન્સ સાથે શોપિંગના અનુભવને નવેસરથી વ્યાખ્યાયિત કરવામાં અગ્રેસર છે અને તે ભારતના 98% સર્વિસેબલ પિનકોડ્સ સુધી પોતાની પહોંચ ધરાવે છે.
મિન્ત્રા સેલર ગ્રોથ કનેક્ટ દ્વારા શહેરની ૩૦૦થી વધુ બ્રાન્ડ્સને એક સુવ્યવસ્થિત ગ્રોથ પ્લેબુક વિશે માહિતગાર કરવામાં આવી હતી, જે મિન્ત્રા પ્લેટફોર્મ પર તેમના વિકાસના વિવિધ તબક્કાઓ દરમિયાન તેમની બ્રાન્ડની સફરને ટેકો આપવા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આ ફ્રેમવર્ક દ્વારા બ્રાન્ડ્સ માટે વિકાસના મુખ્ય પરિબળો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં યોગ્ય એસોર્ટમેન્ટ અને પસંદગી ઊભી કરવી, ઉભરતા સ્ટાઇલ ટ્રેન્ડ્સને ઓળખવા અને ફેશન-પ્રેમી ગ્રાહકોમાં પ્રોડક્ટની વિઝિબિલિટી અને ડિસ્કવરી વધારવા માટે એડ કેમ્પેઈનનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ઉપસ્થિત રહેલા વિક્રેતાઓએ મિન્ત્રાની વિસ્તરતી ટેકનોલોજી ક્ષમતાઓ વિશે પણ ઊંડી સમજ મેળવી હતી, જે કામગીરીને સરળ બનાવવા અને પ્લેટફોર્મ પર ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સુધારવા માટે બનાવવામાં આવી છે. આ સત્રોમાં નવી કેટેલોગિંગ વિશેષતાઓ, ઓપરેશનલ ટૂલ્સ અને એવી સિસ્ટમ્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે બ્રાન્ડ્સને મિન્ત્રા પર વધુ કાર્યક્ષમ રીતે સંચાલન કરવામાં સક્ષમ બનાવે છે. સેલર ગ્રોથ કનેક્ટ જેવી પહેલો દ્વારા, અમે આ ગતિશીલ વિક્રેતા સમુદાય સાથે મળીને કામ કરવા માંગીએ છીએ અને તેમને તેમના વ્યવસાયોને વિસ્તૃત કરવા અને સમગ્ર ભારતમાં ગ્રાહકો સુધી પહોંચવા માટે જરૂરી ટેકનોલોજી, આંતરદૃષ્ટિ અને ગ્રોથ ફ્રેમવર્કથી સજ્જ કરવા માંગીએ છીએ.”
પોતાનો અનુભવ શેર કરતા, વિનય કનોડિયા, જનસ્યાના ફાઉન્ડર એ જણાવ્યું હતું કે, “અમે ઘણા વર્ષોથી મિન્ત્રા પર વેચાણ કરી રહ્યા છીએ અને આ પ્લેટફોર્મે અમારા વ્યવસાયને સ્થાનિક બજારથી ઘણો આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે વર્ષોથી મિન્ત્રાએ ભારતમાં ફેશન અને લાઈફસ્ટાઈલના ગ્રાહકો માટે એક મજબૂત આધાર તૈયાર કર્યો છે. મિન્ત્રાએ વર્ષોથી ભારતમાં ફેશન અને લાઈફસ્ટાઈલના ગ્રાહકોનો એક મજબૂત આધાર તૈયાર કર્યો છે. આજે અમે પાછલા વર્ષની સરખામણીએ વ્યવસાયમાં 60% થી વધુ વૃદ્ધિ સાથે સમગ્ર ભારતમાં ફેશન પ્રેમી ગ્રાહકો સુધી પહોંચવામાં સફળ રહ્યા છીએ, જેમાં પીક પિરિયડ દરમિયાન ગ્રાહકોના પ્રતિસાદમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. મિન્ત્રા સાથે કામ કરવાની ખાસિયત એ તેની મજબૂત સપોર્ટ ઇકોસિસ્ટમ છે—જેમાં ફેશન ટ્રેન્ડ્સની સમજ અને કેટેલોગિંગ માર્ગદર્શનથી લઈને પ્રોડક્ટની વિઝિબિલિટી અને માંગ વધારવામાં મદદ કરતા સાધનોનો સમાવેશ થાય છે. ‘સેલર ગ્રોથ કનેક્ટ’ જેવી પહેલો ખાસ કરીને મૂલ્યવાન છે, કારણ કે તે અમારા જેવા વિક્રેતાઓને મિન્ત્રાની માર્કેટપ્લેસ, ટેકનોલોજી, ઓપરેશન્સ અને એડ્સ ટીમો સાથે સીધો સંવાદ કરવાની તક આપે છે. આ ઉપરાંત, કેટેલોગિંગ, એડવર્ટાઇઝિંગ અને પ્લેટફોર્મ ટૂલ્સ જેવા ક્ષેત્રોમાં પ્રત્યક્ષ માર્ગદર્શન મળે છે જે વ્યવસાયના વિકાસને વેગ આપવામાં મદદ કરે છે.”
સુરતના ગ્રાહકોમાં મેન્સ કેઝ્યુઅલ વેર, વિમેન્સ વેસ્ટર્ન વેર અને સ્પોર્ટ્સ ફૂટવેર સૌથી લોકપ્રિય શ્રેણીઓમાં સામેલ છે, જે રોજબરોજની ફેશન અને એથ્લેઝર કેટેગરી માટેની મજબૂત માંગને દર્શાવે છે.

મેટ્રો શહેરોની બહારથી ફેશનની માંગ સતત વધી રહી છે, ત્યારે મિન્ત્રા બ્રાન્ડ્સ અને વિક્રેતાઓને સશક્ત બનાવવા માટે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે, જેથી તેઓ તેમના વ્યવસાયનો વ્યાપ વધારી શકે અને દેશભરના ગ્રાહકો સુધી પહોંચી શકે. યુવા ગ્રાહકોમાં પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયતાને કારણે, ઝેડ જનરેશન (Gen Z) હવે મિન્ત્રાના કુલ સક્રિય ગ્રાહકોમાં લગભગ 50% હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત, પ્લેટફોર્મ પર જોડાતા 70% થી વધુ નવા ગ્રાહકો નોન-મેટ્રો બજારોમાંથી આવે છે, જે સમગ્ર ભારતમાં મિન્ત્રાની ઊંડી પહોંચને પ્રતિબિંબિત કરે છે.

સાર્વજનિક યુનિવર્સિટીમાં “સમત્વમ્” કાર્યક્રમનું આયોજન

 

સાર્વજનિક યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ દ્વારા મહિલા દિવસ નિમિત્તે તા. 10 માર્ચ 2026ના રોજ “સમત્વમ્ (સમાનતા • સન્માન • સશક્તિકરણ – સર્વસમાવેશક અને સશક્ત સમાજ તરફ એક પહેલ)” વિષય પર Gender Sensitization Programmeનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય હેતુ લિંગ સમાનતા, સંવેદનશીલતા અને સર્વસમાવેશિતા અંગે જાગૃતિ લાવવાનો તથા વિધાર્થીઓ અને યુનિવર્સિટી સમુદાયને આ મુદ્દાઓ પર સાર્થક ચર્ચા માટે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં શ્રી આશિષ વકીલ, President, સાર્વજનિક યુનિવર્સિટી તથા ડૉ. કિરણ પંડ્યા. Provost, સાર્વજનિક યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મુખ્ય વક્તા તરીકે શ્રીમતી શ્રદ્ધા શાહ, Founder – Tapperz Dance School, તથા Advocate હિરલ પનવાલા ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ મહેમાન વક્તાઓના પ્રેરણાદાયી સંબોધન રહ્યા હતા। શ્રીમતી શ્રદ્ધા શાહે તેમના અનુભવ દ્વારા અનુશાસન, અથાગ મહેનત અને આત્મઅભિવ્યક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને પડકારોને પાર કરી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। જ્યારે Advocate હિરલ પનવાલાએ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક અનુભવ દ્વારા આત્મવિશ્વાસ, જાગૃતિ અને સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત લોગો નિર્માણ, પોસ્ટર નિર્માણ, બુકમાર્ક નિર્માણ, વાદ-વિવાદ તથા મૂવી રિવ્યુ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિવિધ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ સંવાદ, પ્રેરણા અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ મંચ પુરવાર થયો હતો તથા સર્વસમાવેશક, સન્માનજનક અને સમાન સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.

સુરતમાં કોર્પોરેટ કનેક્શન્સ ઈન્ડિયાના બે દિવસીય ‘બિગ હેરી ઓડેશિયસ ફોરમ’નું સમાપન

 

પાણી બચાવવા ઘર-ઓફિસમાં રેન વોટર હાર્વેસ્ટિંગ અપનાવો: સી.આર. પાટીલ સુરત. શહેરના સુરત મેરિયટ હોટેલમાં કોર્પોરેટ કનેક્શન્સ ઈન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય મંચ બિગ હેરી ઓડેશિયસ ફોરમ (BHAF)નું શનિવારે સમાપન થયું. 13 અને 14 માર્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરના સફળ ઉદ્યોગપતિઓ, સ્થાપકો અને બિઝનેસ લીડર્સ એકત્ર થયા અને નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા તથા ભવિષ્યના બિઝનેસ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. કાર્યક્રમ દરમિયાન બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલએ પણ પોતાના અનુભવ અને વિચારો રજૂ કર્યા હતા. બંને વક્તાઓએ જુદા-જુદા વિષયો પર પ્રેરણાદાયક સંદેશ આપ્યા હતા. અર્જુન કપૂરે લોકો સાથે ભાવનાત્મક જોડાણને સફળતાની ચાવી ગણાવી, જ્યારે સી.આર. પાટીલએ પાણી બચાવવાનું ભવિષ્ય માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. અર્જુન કપૂરે પોતાના અનુભવ શેર કરતા કહ્યું કે કોઈપણ કલાકાર માટે તેની સાચી શક્તિ તેના ચાહકો સાથે બનતું ભાવનાત્મક જોડાણ છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે તે જ દિવસે સુરત રેલવે સ્ટેશન પર તેમણે કેટલાક બાળકો સાથે ફોટા પાડ્યા અને લોકો સાથે મુલાકાત કરી. દરેક વ્યક્તિ તેમની દરેક ફિલ્મ નથી જોતો, પરંતુ ક્યારેક કોઈ ફિલ્મ જોતી વખતે તે પળ યાદ આવે છે જ્યારે તેણે તેમની સાથે ફોટો લીધો હતો. આ રીતે એક નાનું ક્ષણ પણ ફેન સાથે જીવનભરનો સંબંધ બનાવી દે છે. તેમણે ઉમેર્યું કે દરેક વ્યક્તિ સાથે ફોટો લેવું હંમેશા શક્ય નથી, કારણ કે સમય મર્યાદિત હોય છે. ક્યારેક દસ લોકોને ફોટો આપી શકાય છે પરંતુ અગિયારમા વ્યક્તિને સમય ન મળે, ત્યારે તે વ્યક્તિ નારાજ થઈ શકે છે. આ સ્થિતિ કલાકાર માટે પણ મુશ્કેલ બને છે. બિઝનેસ અને ઉદ્યોગસાહસિકતા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં અર્જુન કપૂરે કહ્યું કે કલાકારોને પૈસા કમાવા આવે છે, પરંતુ તેને યોગ્ય રીતે મેનેજ કરવાનું શીખવું પડે છે. તેમણે જણાવ્યું કે હાલ તેઓ શીખવાના તબક્કામાં છે અને ભવિષ્યમાં એવું બિઝનેસ ઇકોસિસ્ટમ ઉભું કરવા માંગે છે જ્યાં યોગ્ય ભાગીદારો, સંસાધનો અને દ્રષ્ટિ સાથે નવા અવસર પર કામ થઈ શકે. તેમણે ઉમેર્યું કે દુબઈમાં કેટલાક બિલ્ડિંગ પ્રોજેક્ટ્સમાં તેમની ભાગીદારી છે, પરંતુ તેમનું મુખ્ય ધ્યાન ભારત પર જ છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલએ પોતાના સંબોધનમાં જળ સંરક્ષણ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે શહેરોમાં રહેતા લોકો દરરોજ સરેરાશ 135 લિટર પાણી પ્રતિ વ્યક્તિ વાપરે છે. એક પરિવાર વર્ષમાં લગભગ દોઢથી બે લાખ લિટર પાણીનો ઉપયોગ કરે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો આજે જ બધું પાણી વાપરી લેવાશે તો આવનારી પેઢીને શું મળશે? તેમણે માહિતી આપી કે દેશમાં દર વર્ષે લગભગ 4000 એમસીએમ જેટલો વરસાદ પડે છે, જ્યારે જરૂરિયાત લગભગ 1120 એમસીએમ જેટલી છે. છતાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માત્ર 750 એમસીએમ છે, જેના કારણે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરવો પડે છે અને પાણીનો સ્તર નીચે જતો રહે છે. પાટીલએ ઉદ્યોગપતિઓને અપીલ કરી કે તેઓ પોતાના ઘર, ઓફિસ અથવા ફેક્ટરીમાં રેન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા જરૂર બનાવે. ઓછા ખર્ચમાં આ વ્યવસ્થા થઈ શકે છે અને તે જમીનમાં પાણીનું સ્તર વધારવામાં મદદરૂપ બને છે. ફોરમ દરમિયાન વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વક્તાઓએ નેતૃત્વ, વ્યૂહરચના અને ભવિષ્યની ઉદ્યોગસાહસિકતા અંગે ચર્ચા કરી. કોર્પોરેટ કનેક્શન્સ ઈન્ડિયાના નેશનલ ડિરેક્ટર ગૌરવ વી.કે. સિંઘવી અને યશ વસંતે જણાવ્યું કે આ મંચ માત્ર નેટવર્કિંગ માટે નથી, પરંતુ ઉદ્યોગપતિઓ વચ્ચે વિશ્વાસ, સહકાર અને નવા અવસરો ઉભા કરવા માટે મહત્વપૂર્ણ છે. સુરત ક્ષેત્રમાં કોર્પોરેટ કનેક્શન્સ સાથે 120થી વધુ સફળ ઉદ્યોગપતિઓ જોડાયેલા છે અને આ મંચ નવા વિચારો, ભાગીદારી અને વ્યવસાયિક અવસરોને પ્રોત્સાહન આપતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે.
उत्तर भारतीय ब्रह्म समाज का भव्य होली मिलन समारोह वीर शहीद मंगल पांडे हॉल में संपन्न

 

रविवार, 15 मार्च, 2026 को उत्तर भारतीय ब्रह्म समाज द्वारा आयोजित होली मिलन समारोह वीर शहीद मंगल पांडे हॉल में भव्य रूप से मनाया गया, जिसमें संन्यास आश्रम के महामंडलेश्वर श्री विशोकानंद भारतीजी अध्यक्ष श्री उद्धव पांडे के जय घोष, महिला अध्यक्ष नीतू शुक्ला, उपाध्यक्ष हरीश तिवारी, विनीत मिश्रा और सलाहकार योगेश मिश्रा के आशीर्वाद से और सभी पदाधिकारियों और कार्यकर्ताओं के संयुक्त प्रयासों से एक सुंदर कार्यक्रम का आयोजन किया गया। आनंद के ब्राह्मण समुदाय द्वारा एक सुंदर होली गीत प्रस्तुत किया गया। अध्यक्ष श्री के.सी. मिश्रा और अतिथि श्री जे.जे. शुक्ला मोक्ष ने समुदाय से एकजुट होने का आह्वान किया। यह निर्णय लिया गया कि समाज के कमजोर वर्गों की सहायता के लिए सभी निरंतर प्रयास करते रहेंगे।

यह भी तय किया गया कि शिक्षा पर विशेष ध्यान दिया जाए ताकि लोग अपनी सर्वोत्तम क्षमता का प्रदर्शन कर सकें।आज के समय में एकता सर्वोपरि है। ब्राह्मणों के एक होने की धारणा को गलत साबित करने के लिए समाज के सभी लोगों ने ब्राह्मणों को एकजुट करने का संकल्प लिया है। ब्राह्मण हमेशा जन कल्याण के कार्यों में लगे रहते हैं और अपनी परंपराओं को कायम रखने का प्रयास करते हैं। उत्तर भारतीय ब्रह्म समाज द्वारा समय-समय पर समाज के लिए विभिन्न कार्यक्रम आयोजित किए जाते हैं।हाल ही में विधिवत धार्मिक अनुष्ठान संपन्न किए गए हैं और सभी को नवंबर 2026 में एक भव्य सामूहिक विवाह समारोह आयोजित करने के लिए आमंत्रित किया गया है।

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે સમાજસેવાનો મહોત્સવ, 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય

 

હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 7500 રૂપિયાના ચેકનું વિતરણ, 1.25 લાખ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી સુરત. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે રવિવારે સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજસેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, કુમાર કાનાણી, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ફાઉન્ડેશનના પિયુષભાઈ દેસાઈ (નાણોટા)એ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે. કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.