Posts by: abhay_news_editor

એરોન કમ્પોઝિટ લિમિટેડનો રૂ. 56.10 કરોડનો પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટે ખૂલશે

 

કંપની શેરદીઠ રૂ. 121-125ના પ્રાઇસ બેન્ડમાં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 44.88 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે; શેર્સ એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરાશે

મુખ્ય બાબતોઃ44.88 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી સબસ્ક્રીપ્શન માટે ખૂલશેઅરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,000 શેર છે, લઘુતમ આઈપીઓ અરજીની રકમ રૂ. 1.25 લાખ છેઇશ્યૂ દ્વારા એકત્રિત કરાયેલ ભંડોળનો ઉપયોગ ગુજરાતના મહેસાણા ખાતે ઉત્પાદન એકમની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશેનાણાંકીય વર્ષ 2023-24 (ફેબ્રુઆરી 2024 સુધી) માટે કંપનીએ રૂ. 179.1 કરોડની આવક અને રૂ. 9.42 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યોકંપની 30થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છેહેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.

અમદાવાદ, 26 ઓગસ્ટ 2024: ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ્ડ પોલિમર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલી અગ્રણી કંપની અમદાવાદ સ્થિત એરોન કમ્પોઝિટ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 56.10 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂનું લિસ્ટિંગ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટના રોજ સબસ્ક્રીપ્શન માટે ખૂલશે અને 30 ઓગસ્ટે બંધ થશે. પબ્લિક ઇશ્યૂની આવકમાંથી રૂ. 39 કરોડની રકમનો ઉપયોગ ગુજરાતના મહેસાણામાં મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.

રૂ. 56.10 કરોડના આઈપીઓમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 44.88 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 121-125ની પ્રાઇસ બેન્ડ ફિક્સ કર્યો છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,000 શેર છે જે શેર દીઠ રૂ. 125ના અપર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 1,25,000ના લઘુત્તમ રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ રોકાણકારોનો ક્વોટા નેટ ઓફરના લઘુતમ 35 ટકા, એચએનઆઈ ક્વોટા ઓફરના લઘુતમ 15 ટકા અને ક્યુઆઈબી ભાગ ઓફરના 50 ટકા રાખવામાં આવ્યો છે.

                                    Aeron Composite Ltd

Issue OpensIssue PriceIssue Closes
28 August, 2024Rs. 121-125 Per Equity Share30 August, 2024

વર્ષ 2011માં સ્થાપાયેલી એરોન કમ્પોઝિટ લિમિટેડ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટે તૈયાર કરેલા એફઆરપી પલ્ટ્રુડેડ પ્રોડક્ટ્સ, એફઆરપી મોલ્ડેડ ગ્રેટિંગ્સ અને એફઆરપી રોડ્સ સહિતની ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ પોલીમર પ્રોડક્ટ્સ એટલે કે એફઆરપી પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં સંકળાયેલી છે. એફઆરપી પ્રોડક્ટ એ કમ્પોઝિટ મટિરિયલ છે જે ફાઇબર ગ્લાસ, કાર્બન કે એરામિડ જેવા ફાઇબર્સ સાથે રિઇનફોર્સ્ડ કરેલા પોલિમર મેટ્રિક્સ (રેઝિન) ધરાવે છે. આ સંયોજન કાટ પ્રતિરોધક, રાસાયણિક પ્રતિરોધક, ખૂબ જ શક્તિશાળી, હળવા વજનના ગુણધર્મો, ઇલેક્ટ્રિકલ અને થર્મલ નોન-કન્ડક્ટિવિટી સહિતના લાભો આપે છે. કંપની વ્યાપક સોલ્યુશન્સ પ્રદાન કરે છે જેમ કે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન, પ્રોટોટાઇપ વિકસાવવા, પરીક્ષણ, ઉત્પાદન, લોજિસ્ટિક સપોર્ટ, ઇન્સ્ટોલેશન અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે.

ISO 9001:2015 દ્વારા પ્રમાણિત કંપનીનું ઉત્પાદન એકમ અમદાવાદના ચાંગોદર ખાતે સાકેત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું છે અને તે 26,320 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ઉત્પાદન એકમ એફઆરપી પલ્ટ્રુડેડ પ્રોડક્ટ્સ, એફઆરપી હેન્ડરેઇલ્સ, એફઆરપી કેબલ ટ્રે, એફઆરપી ફેન્સીંગ, એફઆરપી મોલ્ડેડ ગ્રેટીંગ્સ, એફઆરપી ક્રોસ આર્મ, એફઆરપી પોલ્સ, એફઆરપી રોડ્સ અને સોલર પેનલ્સ (એમએમએસ) માટે મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાય માટે પ્રમાણિત છે. કંપની 30થી વધુ દેશોમાં નિકાસ કરે છે.

Key Financial Performance:-

                                                                                                                                               Figures in Rs. Crore

z29 Feb 202431 Mar 202331 Mar 202231 Mar 2021
Revenue from Operations179.14179.38108.3378.82
EBITDA & Margin14.27 (7.97%)9.82 (5.48%)5.99 (5.53%)6.11 (7.75%)
Profit After Tax & Margin9.42 (5.26%)6.61 (3.69%)3.62 (3.34%)2.55 (3.24%)
Net Worth34.7825.3615.5712.08
Reserves and Surplus33.2123.7914.2710.78

કંપનીએ વર્ષોથી શ્રેષ્ઠ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ વર્ષોથી આવક અને નફાકારકતામાં અનેક ગણી વૃદ્ધિ જોઈ છે. નાણાંકીય વર્ષ 2023-24 માટે (ફેબ્રુઆરી, 2024 સુધી), કંપનીએ રૂ. 9.42 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 5.26 ટકા), એબિટા રૂ. 14.27 કરોડ (એબિટા માર્જિન 7.97 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.14 કરોડની આવક નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2022-23ના સંપૂર્ણ વર્ષ માટે, કંપનીએ રૂ. 6.61 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 3.69 ટકા), એબિટા રૂ. 9.82 કરોડ (એબિટા માર્જિન 5.48 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.38 કરોડની આવક નોંધાવી હતી.

ફેબ્રુઆરી 2024 સુધીમાં, કંપનીની નેટવર્થ રૂ. 34.78 કરોડ, રિઝર્વ અને સરપ્લસ રૂ. 33.21 કરોડ અને એસેટ બેઝ રૂ. 99.79 કરોડ નોંધવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2024 સુધીમાં, કંપનીનો આરઓઈ 31.33 ટકા, આરઓસીઈ 29.67 ટકા અને આરઓએનડબ્લ્યુ 27.09 ટકાએ હતો તથા ડેટ/ઇક્વિટી રેશિયો 0.35 ગણાના સ્વસ્થ સ્તરે હતો. પબ્લિક ઇશ્યૂ પછી કંપનીમાં પ્રમોટર ગ્રૂપનું શેરહોલ્ડિંગ 73.63 ટકા રહેશે. કંપનીના શેર એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

IPO Highlights – Aeron Composite Ltd
IPO Opens on August 28, 2024
IPO Closes on August 30, 2024
Issue Price Rs. 121-125 Per Share
Issue Size44.88 lakh shares – up to Rs. 56.10 crore
Lot Size1000 Shares
Listing on NSE Emerge Platform of National Stock Exchange
ભારતીય આધ્યાત્મિક ગુરૂ પૂજ્ય મોરારી બાપૂએ વિશ્વ શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્રોમાં રામકથા સંસ્થાનને સમર્પિત કરી

 

ન્યુ યોર્ક, 04 ઓગસ્ટ, 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ સંયુક્ત રાષ્ટ્રો (યુએન)ના મુખ્યાલય ખાતે તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રવચન સમાપ્ત કર્યાં બાદ તેઓ યુએનની જનરલ એસેમ્બલી ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો.

ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत् ॥

(ઓમ,બધાં સુખી રહે,બધાં માંદગીથી મુક્ત રહે. દરેકનું જીવન સુખી રહે, કોઈને તકલીફ ન પડે.)

હિંદુ વૈદિક સનાતન ધર્મના માર્ગદર્શક સિદ્ધાંત વસુધૈવ કુટુમ્બકમને તેમના પ્રવચનનું નામ આપ્યું હતું, જ્યારબાદ તેમણે જય સિયા રામનું પવિત્ર અભિવાદન કર્યું હતું. વસુધૈવ કુટુમ્બકમ એક સંસ્કૃત વાક્ય છે, જે હિંદુ પવિત્ર ગ્રંથ મહા ઉપનિષદમાં જોવા મળે છે અને તેનો અર્થ વિશ્વ એક પરિવાર છે.

પૂજ્ય મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં નવ-દિવસીય આધ્યાત્મિક અને અને ઐતિહાસિક રામકથાનું આયોજન કર્યું હતું, જે કોઇપણ આધ્યાત્મિક ગુરૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. આ આયોજન 27 જુલાઇથી 4 ઓગસ્ટ, 2024 દરમિયાન કરાયું હતું.

હિંદુ આધ્યાત્મિક ગુરૂએ કહ્યું હતું કે આ પ્રવચનના મુખ્ય પાંચ તત્વો હતાં – આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ.

આ સપ્તાહ દરમિયાન પૂજ્ય બાપૂએ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમીના જે. મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી, જેમણે કહ્યું કે, અગાઉ તમે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની પરિક્રમા કરી હતી અને હવે તમે મુખ્યાલયના કેન્દ્રમાં છો. તેમણે કહ્યું કે આ આયોજને 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ  ગોલને સાકાર કરવાના પ્રયાસોને બળ આપ્યું છે.

પૂજ્ય મોરારી બાપૂએ તેમને કહ્યું હતું કે, તેમની વ્યાસપીઠ હંમેશા વિશ્વ શાંતિ, વિશ્વ પ્રગતિ અને વિશ્વ સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યક્રમની સાથે રહેશે.

ઘણાં વર્ષો પહેલાં બાપૂએ યુએનના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. તેમણે હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે વિશ્વના નેતાઓએ સ્વાર્થ છોડીને ઇઝરાયલ અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની સમાપ્તિ માટે પ્રયાસો કરવા જોઇએ.

આ પહેલાં 30 જુલાઈના રોજ ઘણા મહાનુભાવોએ પ્રવચનમાં હાજરી આપી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય બાબતોના કમીશનર એડવર્ડ મર્મેલસ્ટીન, એનવાયસી મેયર ઓફિસના આંતરરાષ્ટ્રીય બાબતોના ડેપ્યુટી કમીશનર દિલિપ ચૌહાણ તથા ડેપ્યુટી કમિશનર અને ચીફ ઓફ સ્ટાફ આઈસાટા કામરા સહિતના મહાનુભાવોનો સમાવેશ થાય છે. એનવાયસી મેયર ઓફિસે પણ મોરારી બાપુની વ્યાસપીઠને સર્વોચ્ચ સન્માન આપ્યું.

ન્યુ યોર્કમાં કાઉન્સલ જનરલ ઓફ ઇન્ડિયા બિનાયા શ્રીકાંત પ્રધાન અને યુએન ખાતે પર્મેનન્ટ મીશન ઓફ ઇન્ડિયા ખાતે કાઉન્સેલર અને હેડ ઓફ ચારન્સી સુરેન્દ્ર કે. અધાના પણ અતિથિ હતાં.

આધ્યાત્મિક ગુરૂપના ઉપદેશો સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ(એસડીજી)સાથે જોડાયેલા છે, જે વિશેષ કરીને શાંતિ,પર્યાવરણીય ટકાઉપણું અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવા ઉપર કેન્દ્રિત છે.પૂજ્ય બાપૂએ રામચરિત માનસના ઉદાહરણો ટાંક્યા હતાં.

કથાના સમાપનના દિવસે પૂજ્ય મોરારી બાપુએ રામ રાજ્ય અથવા આદર્શ રાજા પ્રભુ રામના શાસનની વિશેષતાઓ અને તે પણ કેવી રીતે સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો સાથે મેળ ખાતી જીવન સંહિતાનું ઉદાહરણ આપ્યું હતું.

ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડની માઇનિંગ સબસિડીઅરી કંપનીને 35 મિલિયન યુએસ ડોલર (રૂ. ૨૯૩ કરોડનો) એક્સપોર્ટ ઓર્ડર મળ્યો

 

કંપનીની માઇનિંગ પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને સાત વર્ષના ગાળા માટે 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટેનો ઓર્ડર મળ્યો

મુખ્ય બાબતો• શ્રી સુનિલ અગ્રવાલને 26 જુલાઈ 2024થી કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા• કંપનીના બોર્ડે તાજેતરમાં 1 માટે એક શેર સામે પાંચના સ્ટોક સ્પ્લિટને મંજૂરી આપી અને 9 ઓગસ્ટને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી• ઈજીએમમાં ​​કંપનીએ સ્ટોક વિભાજનને મંજૂરી આપી, અધિકૃત શેર મૂડી રૂ. 850 કરોડ છે• કંપની દિલ્હીમાં ટેક્સટાઇલ ગાર્મેન્ટ્સ અને ફેબ્રિક્સની નિકાસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપશે• કંપનીના શેર 6 મે 2024 ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયા અને સોદા માટે સ્વીકારવામાં આવ્યા છે.• નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો, કુલ આવક રૂ. 179.02 કરોડ રહી

હૈદરાબાદ, 29 જુલાઈ, 2024 – હૈદરાબાદ સ્થિત અગ્રણી સૉક્સ અને કોટન પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી કંપની ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ (BSE – 532022, NSE – FILATFASH) ની સબસિડીઅરી (પેટાકંપની) એ 2,97,388 મેટ્રિક ટન વ્હાઇટ માર્બલના સપ્લાય માટે 35 મિલિયન યુએસ ડોલરનો નિકાસ ઓર્ડર મેળવ્યો છે.

માઇનિંગ બિઝનેસમાં કંપનીની પેટાકંપની ફિલાટેક્સ માઇન્સ એન્ડ મિનરલ્સ પ્રાઇવેટ લિમિટેડને બ્લૂમફ્લોરા વેન્ચર્સ લિમિટેડ તરફથી આ ઓર્ડર મળ્યો છે. આ કંપની આફ્રિકામાં તેમની આગામી 54 બેડ્સની હોસ્પિટલ માટે હોસ્પિટલ ડેવલપમેન્ટ બિઝનેસમાં છે. 7 વર્ષના સમયગાળામાં વ્હાઇટ માર્બલ સપ્લાય કરવાનો ઓર્ડર 35 મિલિયન યુએસ ડોલર  (રૂ. ૨૯૩ કરોડનો) નો હોવાનો અંદાજ છે. કંપનીની માઇનિંગ પેટાકંપનીનો આ પ્રથમ એક્સપોર્ટ ઓર્ડર છે.

ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે તેની 26 જુલાઈ 2024ના રોજ યોજાયેલી બેઠકમાં શ્રી સુનિલ અગ્રવાલની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેટેગરીમાં કંપનીના અધિક ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિમણૂંકને મંજૂરી આપી છે. આ નિમણૂંક આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે. શ્રી સુનિલ અગ્રવાલ પાસે 10 વર્ષથી વધુનો વ્યાપક અનુભવ છે અને તેઓ નાણાંકીય સેવાઓ, સલાહકાર, રોકાણ સલાહકાર અને રિસ્ક મેનેજમેન્ટ કન્સલ્ટિંગમાં કુશળતા ધરાવે છે અને કેટલીક અગ્રણી કંપનીઓના બોર્ડમાં રહી ચૂક્યા છે.

કંપનીએ 15 જુલાઇ 2024ના રોજ યોજાયેલી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગમાં એક શેરના પાંચ શેરમાં શેર વિભાજનને મંજૂરી આપી હતી. ઇજીએમમાં ​​શેરધારકોની મંજૂરી માટે કંપનીની કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 850 કરોડ છે અને દરેક રૂ. 1ના 850 કરોડ ઇક્વિટી શેરમાં વિભાજિત છે.

મૂડીબજારમાં તરલતા વધારવા અને શેરધારકોના આધારને વિસ્તૃત કરવા માટે, કંપનીએ 7 જૂન 2024ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં 1:5 (1 શેરના પાંચ શેર)ના શેર વિભાજનને મંજૂરી આપી હતી. કંપનીએ રૂ. 5ની ફેસ વેલ્યુના હાલના 1 ઇક્વિટી શેરને પ્રત્યેક રૂ. 1ના ફુલ્લી પેઇડ-અપ પાંચ ઇક્વિટી શેર્સમાં વિભાજન કરવાને મંજૂરી આપી છે. શેર વિભાજનના હેતુ માટે રેકોર્ડ તારીખ 9 ઓગસ્ટ 2024 નક્કી કરવામાં આવી છે.

1995માં સ્થાપિત ફિલાટેક્સ ફેશન્સ લિમિટેડ ભારતમાં પ્રથમ વખત ઇન્ફ્રારેડ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવીનતમ ફિનિશિંગ અને સેટિંગ મશીનો સાથે 25 સોક્સ-નિટીંગ મશીનો સાથે સોક્સના ઉત્પાદન અને કોટન પ્રોડક્ટ્સમાં નિષ્ણાત છે. ફિલાટેક્સ ફેશન્સ એ યુરોપિયન અને ભારતીય બજારમાં સમૃદ્ધ અનુભવ મેળવ્યો છે. હૈદરાબાદ, તેલંગાણામાં સ્થિત ઉત્પાદન પ્લાન્ટ સાથે, કંપની પ્રાઇવેટ લેબલ સર્વિસીઝ અને સોક્સ માટે તેના બ્રાન્ડેડ લેબલનો ઉપયોગ કરવાનો વિકલ્પ આપે છે. કંપનીના ગ્રાહકોમાં ફિલા, સર્જિયો ટેચિની, એડિડાસ, વોલ્ટ ડિઝની અને ફેશન જગતના અન્ય ઘણા ટોચના લેબલ્સ જેવી પ્રખ્યાત બ્રાન્ડનો સમાવેશ થાય છે.

કંપનીના શેરોને તાજેતરમાં 6 મે 2024થી FILATFASH કોડ સાથે એનએસઈ પર સોદા માટે સ્વીકારવામાં આવ્યા છે. કંપનીના શેર 23 સપ્ટેમ્બર 1996 થી બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હતા અને સ્ક્રીપ કોડ 532022 સાથે એક્સચેન્જમાં લિસ્ટ થવાનું ચાલુ રહેશે. કંપનીએ 30મી માર્ચ 2024થી કંપનીના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર (સીએફઓ) તરીકે શ્રી યશ સેઠિયાની નિમણૂંક પણ કરી છે.

6 જુલાઈના રોજ મળેલી મીટિંગમાં કંપનીના બોર્ડે દિલ્હીમાં ટેક્સટાઈલ ગાર્મેન્ટ્સ અને ફેબ્રિક્સની નિકાસ માટે સંપૂર્ણ માલિકીની પેટાકંપની સ્થાપવાની મંજૂરી આપી છે કારણ કે દિલ્હી રેડીમેડ ચીજવસ્તુઓ માટેનું સ્ત્રોત છે જે વિદેશી બજારમાં સરળતાથી સપ્લાય કરી શકાય છે. વધુમાં, બોર્ડે બિઝનેસના વિસ્તરણ માટે મુંબઈમાં કોર્પોરેટ ઑફિસ સ્થાપવાની દરખાસ્તને પણ મંજૂરી આપી હતી અને સીઇઓ, હેડ ઓફ કમ્પ્લાયન્સ વગેરે જેવા સિનિયર મેનેજરીયલ કર્મચારીઓની નિમણૂંક કરવાની યોજના બનાવી હતી જે કંપનીને વૈશ્વિક બજારોમાં તેના સરળ બિઝનેસ વિસ્તરણમાં મદદ કરશે.

કંપની પાસે હૈદરાબાદ ખાતે સ્થિત એ અદ્યતન ઉત્પાદન એકમ છે, જેમાં કોરિયા અને ઇટાલીની અદ્યતન મશીનરી સાથે ઇન-હાઉસ આરએન્ડડી સુવિધાઓ છે, જે અગ્રણી બ્રાન્ડ્સના વિવિધ નવા ઓર્ડર સાથે વૃદ્ધિના માર્ગ પર છે. કંપની પાસે 4 એકરમાં ફેલાયેલો આધુનિક અત્યાધુનિક પ્લાન્ટ છે જે દર વર્ષે 8.64 મિલિયન જોડી સોક્સનું ઉત્પાદન કરી શકે છે. કંપની આગળ ઉત્પાદન ક્ષમતાને વાર્ષિક 14 મિલિયન જોડી સોક્સ સુધી વધારવાની યોજના ધરાવે છે.

નાણાંકીય વર્ષ 2023-24 માટે, કંપનીએ રૂ. 8.95 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, કુલ આવક રૂ. 179.02 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન, કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2.56 કરોડ અને કુલ આવક રૂ. 69.59 કરોડ નોંધાઈ હતી.

For more information, visit www.filatexfashions.co.in

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024-25માં ત્રિમાસિક ધોરણે ચોખ્ખા નફામાં બેગણી વૃદ્ધિ સાથે મજબૂત મોમેન્ટમ નોંધાવ્યું

 

30 જૂન, 2024ના અંતે પૂરા થતા સમયગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ નોંધાવ્યું. એયુએમ વાર્ષિક ધોરણે 74 ટકા વધી, આવકો વાર્ષિક ધોરણે 71 ટકા વધી અને ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 95 ટકા વધ્યો

મુંબઈ, 26 જુલાઈ, 2024 – નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર કેન્દ્રિત હોમ ફાઇનાન્સ કંપની તથા બીએસઈ લિસ્ટેડ સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (BSE Scrip code BOM: 539017) રિટેલ હોમ ફાઇનાન્સ ક્ષેત્રે તેનો વૃદ્ધિ દર જાળનવી રાખ્યો છે અને 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ આપ્યું છે.

30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે સ્ટાર એચએફએલે તમામ બિઝનેસ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે જે નીચે મુજબ છેઃ

  • બિઝનેસને લગતા આંકડાઃ એયુએમ વાર્ષિક ધોરણે 73.55 ટકા વધીને રૂ. 471.41 કરોડ થઈ. કંપનીએ ત્રિમાસિક ગાળામાં રૂ. 61.23 કરોડનું વિતરણ કર્યું.
  • આવકમાં વૃદ્ધિઃ વિતરણમાં મજબૂત પ્રગતિ સાથે વ્યાજની આવકમાં વાર્ષિક ધોરણે 61.43 ટકાનો વધારો. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (એનઆઈએમ) 7.04 ટકા રહ્યું
  • એસેટ ક્વોલિટી યથાવત રહીઃ 30 જૂન, 2024ના રોજ પીએઆર (શૂન્ય દિવસથી વધુ અગાઉની બાકી) 3.38 ટકા રહી જે પૈકી જીએનપીએ 1.57 ટકાએ તથા એનએનપીએ 1.12 ટકાએ રહી
  • મજબૂત નફાકારકતાઃ કરવેરા પૂર્વેના નફામાં વાર્ષિક ધોરણે 87.98 ટકા વૃદ્ધિ
  • જવાબદારીઓમાં વધારોઃ સ્ટાર એચએફએલ લોન બુકમાં વૃદ્ધિ માટે બેંકો અને એફઆઈ સાથે મજબૂત સંબંધો ધરાવે છે. 6 બેંકો અને 11 એફઆઈ સાથે હાલનું ઋણ રૂ. 335.35 કરોડે રહ્યું છે. હાલ રહેલી જવાબદારીઓ મજબૂત છે અને નાણાંકીય વર્ષ માટે બિઝનેસ પ્લાન મુજબ તેનું આયોજન થયેલું છે.
  • મજબૂત મૂડી સ્તરોઃ 30 જૂન, 2024ના રોજ નેટવર્થ રૂ. 137.7 કરોડ રહી છે. લિવરેજ લેવલ્સ 2.43 ગણાએ રહ્યા છે.
  • ESOP IIને મંજૂરીઃ કર્મચારીઓની માલિકીની ફિલોસોફીને આગળ ધપાવતા સ્ટાર એચએફએલના બોર્ડે લાયક કર્મચારીઓ માટે ESOP II સ્કીમને મંજૂરી આપી છે. કર્મચારીઓની વધેલી સંખ્યા તથા કંપનીના વિકાસમાં લાયક કર્મચારીઓના પ્રદાનને ધ્યાનમાં રાખતા કંપની દ્વારા આ બીજી સ્કીમ અમલમાં મૂકાઈ છે.
  • ડિવિડન્ડની ચૂકવણીઃ સ્ટાર એચએફએલે શેરદીઠ 5 પૈસાથી ડિવિડન્ડ ચૂકવણીમાં 50 ટકા વધારો કરીને હવે શેરદીઠ 7.5 પૈસા કર્યું છે જે આગામી એજીએમમાં શેરધારકોની મંજૂરીને આધીન છે.
  • લેન્ડિંગ સ્યૂટ અપગ્રેડેડઃ સ્ટાર એચએફએલે રિસિવેબલ મેનેજમેન્ટ સપોર્ટ ઉપરાંત હોમ લોન એપ્લિકેશન્સની એન્ડ-ટુ-એન્ડ પ્રોસેસિંગ માટે કોર લેન્ડિંગ સ્યૂટને સંપૂર્ણપણે લાગુ કર્યું છે.
  • રેટિંગ્સઃ સ્ટાર એચએફએલ હાલ અને ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા BBB / Stableનું રેટિંગ ધરાવે છે.

Operating and Financial Performance

આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની કામગીરી અંગે સ્ટાર એચએફએલના સીઈઓ શ્રી કલ્પેશ દવેએ જણાવ્યું હતું કે “સ્ટાર એચએફએલ એસેટ ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાનું ચાલુ રાખે છે. અમે હવે રૂ. 500 કરોડની એયુએમની સિદ્ધિ હાંસલ કરવાની નજીક છીએ અને આગામી થોડા ત્રિમાસિક ગાળામાં રૂ. 1000 કરોડની એયુએમની આગામી છલાંગ લગાવવા માટે તૈયાર છીએ. બ્રાન્ચ નેટવર્ક હવે 280થી વધુ કર્મચારીઓની સ્ટાફ સંખ્યા સાથે 34 સ્થળો પર મલ્ટી-સ્પેસ સાથે વૈવિધ્યસભર છે અને હાલના તથા નવા ભૌગોલિક વિસ્તારોમાં 50થી વધુ સ્થાનો સુધી વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક છે. અમે આગામી થોડા ત્રિમાસિક ગાળામાં હાંસલ કરવા માટે માસિક રૂ. 50 કરોડ સ્થિર માસિક વિતરણના લક્ષ્યને રાખીને, વર્ષ દરમિયાન શાખાના વિસ્તરણમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. આયોજિત પ્રગતિને પૂરક બનાવવા માટે ટેક્નોલોજીને વિસ્તારવામાં આવી છે. અમે વૃદ્ધિની આવશ્યકતાઓને અનુરૂપ અને તમામ જરૂરી મંજૂરીઓ અને પાલનને આધીન કંપનીના કેપિટલાઇઝેશન લેવલ્સને મજબૂત કરવાનું ચાલુ રાખીશું.”

રિટેલ હાઉસિંગ ફાઇનાન્સના ભાવિ અંગે શ્રી કલ્પેશ દવેએ જણાવ્યું હતું કે “PMAY-Urban 2.0 દ્વારા PMAYના રિલોન્ચથી રૂ. 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં 3 કરોડ વધારાના ઘરો બાંધવામાં નાણાંકીય મદદ પૂરી પાડવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ પહેલ પહેલી વખત ઘર ખરીદનારાઓ માટે સારી છે અને સેક્ટરમાં વિકાસને મજબૂત બનાવે છે. સ્ટાર એચએફએલ સ્કીમના અમલીકરણ પછી થનારા ફાયદાનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. હાલના અને આયોજન કરેલા નવા વિસ્તારોમાં કામગીરીના વિસ્તારને સરકારની આ પહેલથી વેગ મળશે અને સ્ટાર એચએફએલ આગામી 2-3 વર્ષોમાં ઓછી કિંમતના રેટિલ હાઉસિંગ ફાઇનાન્સના ક્ષેત્રે અગ્રણી કંપની તરીકે ઊભરી આવવા પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે.”

ફ્લેમિંગો ટ્રાવેલ્સ પ્રસ્તુત કરે છે વિશેષ દિવાળી ટૂર પેકેજીસ ૨૦૨4

 

તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ફ્લેમિંગો ટ્રાવેલ્સ ૨૦૨૪ ની દિવાળી માટેના દિવાળી સ્પેશિયલ ટુર પેકેજીસ ની જાહેરાત કરતાં આનંદ અનુભવે છે. દક્ષિણ-પૂર્વ એશિયાની સાંસ્કૃતિક સમૃદ્ધિથી માંડીને યુરોપના મનમોહક પ્રદેશો સુધી, આ પેકેજીસ તમને વિદેશની ધરતી પર દિવાળીની રોનક માણવાની અદભુત તક આપે છે!
 
 દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો
 સિંગાપોરના લિટલ ઈન્ડિયાથી લઈને થાઈલેન્ડના મનમોહક કંદીલના તહેવાર સુધી,અમારા દક્ષિણ પૂર્વ એશિયા દિવાળી સ્પેશિયલ પેકેજીસ સાથે દિપોત્સવ ઉજવો એક નવા અંદાજમાં. સ્થાનિક રીતિ-રિવાજો, સ્વાદિષ્ટ વ્યંજનો અને રંગબેરંગી આતશબાજીનો લ્હાવો લો અને આ વર્ષની દિવાળી અલગ રીતે માણો!
 
 યુરોપ

આ દિવાળીએ તૈયાર થઈ જાવ યુરોપની યાદગાર સફર માટે અને માણો લંડન અને પ્રાગ જેવા શહેરોમાં પૂર્વીય સંસ્કૃતિ અને પશ્ચિમી આકર્ષણનો સંગમ! અમારા યુરોપ દિવાળી ટુર પેકેજેસ એક્સપર્ટ ટુર ગાઈડ અને ઓલ ઈન્ક્લુસિવ પેકેજીસ સાથે પ્રખ્યાત સ્થળોની મુલાકાત લો, વિશ્વભરના વ્યંજનોનો સ્વાદ ચાખો અને યાદગાર પળો સર્જી તમારી દિવાળી ખાસ બનાવો!

ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડ
  ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના અદ્ભુત કુદરતી સૌંદર્ય અને રંગીન શહેરોમાં દિવાળીની ઉજવણી કરો, અમારા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ સ્પેશિયલ પેકેજીસ સાથે, એક નવી જગ્યાએ અને નવી રીતે. સિડની, ઓકલેન્ડ, મેલબોર્ન, વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચ જેવા શહેરોમાં પ્રકૃતિ, ઇતિહાસ, રોમાંચ અને સંસ્કૃતિનો અનોખો અનુભવ મેળવો!

દુબઈ

આ વર્ષે દુબઈમાં દિવાળીની રોનક માણો અમારા દિવાળી સ્પેશિયલ દુબઈ ટુર પેકેજીસ સાથે. વિશ્વપ્રસિદ્ધ બુર્જ ખલીફા અને અન્ય પ્રખ્યાત સ્થળોની મુલાકાત લો અને શહેરભરમાં યોજાતા દિવાળીના કાર્યક્રમોમાં સામેલ થાઓ, ભવ્ય આતશબાજીનો નજારો માણો, દુબઇ ની બજારોમાં ખરીદી કરો અને મીઠાઈઓનો સ્વાદ માણો!

ભારત અને તેના પડોશી દેશો

ભારત અને તેના પડોશી દેશોમાં તમારી ટુરની યાદગાર ક્ષણો ને દિવાળીના પ્રકાશથી આનંદિત કરો અને દિવાળી નો જાદુ અનુભવો.  વારાણસીમાં ગંગા આરતીનો દિવ્ય નજારો માણો, જયપુરમાં દિવાળીની શોભાયાત્રામાં સામેલ થાઓ અને ઉદયપુરની ઝગમગતી શેરીઓ અને મહેલોની સુંદરતા માણો! નેપાળના શાંતિપૂર્ણ બૌદ્ધનાથ સ્તૂપ અને કોલંબોમાં દિવાળીના વિશેષ આયોજન નો આનંદ લો.  ભવ્ય બજારો, આતશબાજી અને સુંદર સજાવટનો આનંદ લો

 કસ્ટમાઇઝ અને ફ્લેક્સેબલ ટૂર પેકેજીસ

ફ્લેમિંગો ટ્રાવેલ્સના દિવાળી ટૂર પેકેજીસ દરેક ઉંમર અને રુચિના પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. તમે ગ્રુપ ટૂર પસંદ કરો કે પ્રાઈવેટ ટૂર, તમારા દિવાળીના વેકેશનને યાદગાર બનાવવા ફ્લેમિંગો ટ્રાવેલ્સ અનોખા પેકેજીસ સાથે તમારી સેવા માં હાજર છે!       .
 
 ફ્લેમિંગો ટ્રાવેલ્સ વિશે

ફ્લેમિંગો ટ્રાવેલ્સ અમદાવાદ ની એક પ્રખ્યાત અને અગ્રણી ટ્રાવેલ કંપની છે. ભારત ની આ પ્રખ્યાત ટ્રાવેલ કંપની ,વિશ્વભરના પ્રવાસીઓને તેમના સપના સાકાર કરવામાં મદદ કરે છે. અમારી ટીમમાં 200 થી વધારે ટ્રાવેલ કન્સલ્ટન્ટ્સ છે, જે તમારા વિચારો અને પસંદગી અનુરૂપ એક અદભુત અને યાદગાર પ્રવાસનું આયોજન કરવામાં તમારી મદદ કરે છે. ગ્રાહકોના અતુટ વિશ્વાસ અને સહકાર સાથે, અમે પંચોતેર થી વધુ દેશોમાં સફળતાપૂર્વક પ્રવાસનું આયોજન કર્યું છે!


 મીડિયા સંપર્ક:
 
 ઇમેઇલ: world@flamingotravels.co.in
 મોબાઈલ: +91 98250 81806

કલામંદિર જ્વેલર્સે “સુવર્ણ મહોત્સવ 2.0” લોન્ચ કર્યો, તમામ પ્રકારની ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી પર જ્વેલરી-મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટની ઓફર રજૂ કરી

 

સુરત : ભારતના ફેવરિટ જ્વેલરી ડેસ્ટિનેશન અને મુંબઈ, અમદાવાદ, સુરત, વાપી, ભરૂચ અને કોસંબામાં વિશાળ શોરૂમ ધરાવતા કલામંદિર જ્વેલર્સ દ્વારા તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધી ડિસ્કાઉન્ટની આકર્ષક ઓફર રજૂ કરી છે. “સુવર્ણ મહોત્સવ 2.0” અંતર્ગત આ મર્યાદિત સમયની ઑફર, સોમવાર, 15 જુલાઈ, 2024 થી તમામ કલામંદિર જ્વેલર્સ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.

સુવર્ણ મહોત્સવ 2.0, જ્વેલરી મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટ ઓફર કરે છે, જે આગામી તહેવારોની સીઝન અને આગામી લગ્નની સીઝન પહેલા આવી છે. આ અદ્ભુત ઓફર સાથે, ગ્રાહકો જ્વેલરી પ્રત્યેના તેમની લાગણી અને પ્રેમને વ્યક્ત કરવા સાથે નોંધપાત્ર બચત પણ કરી શકે છે. આ ઑફર કોઈપણ મર્યાદા વિના રજૂ કરવામાં આવી છે, જે ગ્રાહકોને 36,000+ થી વધુ ઉત્કૃષ્ટ ડિઝાઇન અને શ્રેષ્ઠ ગુણવત્તાની જ્વેલરીની વિશાળ રેન્જમાંથી પસંદગી કરવાની મંજૂરી આપે છે, જે ખરેખર આધુનિકતા અને પરંપરાનું પરફેક્ટ મિશ્રણ છે.

આ ઓફર અંગે કલામંદિર જ્વેલર્સના ડિરેક્ટર મિલન શાહે જણાવ્યું હતું કે, “અમે સુવર્ણ મહોત્સવ 2.0 લોન્ચ કરતાં ખૂબજ આનંદિત અને ઉત્સાહિત છીએ. આ એક સ્પેશિયલ ઓફર છે, જેમાં ગ્રાહકો તમામ પ્રકારની ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરીની મેકિંગ ચાર્જીસ પર 100% સુધીની છૂટનો લાભ લઈ શકે છે. આ ઑફર ગ્રાહકો માટે અમારી લક્ઝુરીયસ ડિઝાઇનની જ્વેલરીની વ્યાપક શ્રેણી નિહાળવાની અને અમારી બ્રાંડની ભવ્યતાનો અનુભવ કરવાની ઉત્તમ તક આપે છે. ગયા વર્ષે અમારી સુવર્ણ મહોત્સવ ઓફરને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને હવે અમે અમારા ગ્રાહકો માટે વધુ સારી ઓફર રજૂ કરતા ખૂબજ ગૌરવ અનુભવીએ છીએ.”

હાલમાં સોનાના ભાવો સર્વકાલીન ઊંચાઈની નજીક હોવાથી, ગ્રાહકો કલામંદિર જ્વેલર્સ પાસેથી તેમની જ્વેલરીની ખરીદી પર સારી એવી બચત કરી શકે છે. આ ઑફર કલામંદિર જ્વેલર્સના ગ્રાહક-કેન્દ્રિત અભિગમનો એક ભાગ છે.

કલામંદિર જ્વેલર્સના વ્યાપક ડિઝાઈનર જ્વેલરી કલેક્શનમાં બ્રાઈડલ જ્વેલરી, બ્રેસલેટ, ચેઈન, વીંટી, મંગળસૂત્ર, કાડા, નેકલેસ, પેન્ડન્ટ્સ, ઈયરિંગ્સ, પેન્ડન્ટ સેટ અને ઘણું બધું સામેલ છે.

કલામંદિર જ્વેલર્સ, 38 વર્ષથી વધુ સમયથી તેની અજોડ ડિઝાઇન અને વિશ્વ કક્ષાની કારીગરી માટે પ્રખ્યાત છે. તેણે ગ્રાહકોના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તે તમામ પેઢીઓ અને પ્રસંગો માટે શ્રેષ્ઠ જ્વેલરી ઓફર કરે છે. કલામંદિર જ્વેલર્સ પારદર્શિતા અને ગુણવત્તાને પ્રાધાન્ય આપે છે અને પરિવારના દરેક સભ્ય માટે પસંદગીનું જ્વેલરી ડેસ્ટિનેશન હોવા પર ગર્વ અનુભવે છે.

શું તમે તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધી રહ્યા છો? તો તમારી સર્ચનું સમાધાન “કુલવૃક્ષ” પાસે છે

 

કુલવૃક્ષ વંશાવળીનું ગ્લોબલ પ્લેટફોર્મ છે, જેના ડિજિટલ એકાઉન્ટ થકી તમારા પરિવાર, પૂર્વજો, ગોત્ર, કુલ સહિતનો ડેટા એક ક્લિક પર ઉપલબ્ધ છે.

ભારતીય સમાજમાં આપણા મૂળ અને વારસો જાણવાનું મહત્વ વધારે છે. આ માત્ર પરંપરા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. તમારા પૈકી ઘણા લોકો તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી અને કુલદેવતા શોધવાનો પ્રયાસ કરી રહ્યા હશે.

વંશાવળી, જેને કુલવૃક્ષ અથવા ફેમિલી ટ્રી પણ કહેવામાં આવે છે, આપણા પૂર્વજોની માહિતીનો વિસ્તૃત રેકોર્ડ છે. તેના મારફતે, આપણે જાણી શકીએ છીએ કે, આપણા પૂર્વજ કોણ હતા, તેઓ ક્યાંથી આવ્યા હતા અને સમાજમાં તેમનું શું યોગદાન રહ્યું હતું..? શાસ્ત્રો અનુસાર પિતૃદોષ નિવારણમાં પણ પૂર્વજોના નામ બોલવામાં આવે છે, જેથી આપણે તેમના નામ જાણવા જરૂરી છે.

ગોત્ર, આપણા પ્રાચીન પરંપરાઓનો એક ભાગ છે, જે ખાસ વંશ અથવા કુલને દર્શાવે છે. તે આપણા ડી.એન.એ. ને દર્શાવે છે. દરેક વ્યક્તિનો ગોત્ર તેમના પૂર્વજોના આધારે નિર્ધારિત થાય છે અને તે આપણી ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. દરેક પૂજા અથવા કર્મકાંડમાં ગોત્રનું ઉચ્ચારણ જરૂરી છે. સાચુ ગોત્ર બોલ્યા વગર, પૂજાકાર્ય પૂર્ણ થતું નથી અને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી, શાસ્ત્રોમાં પણ તેની ઘણી માન્યતા દર્શાવવામાં આવી છે.

કુલદેવી અને કુલદેવતા, આપણા પરિવારના દેવતાઓની સૂચિમાં આવે છે. આ તે દેવતાઓ છે, જેમની પૂજા આપણા પૂર્વજો કરતા હતા અને જેમની પૂજા આજે પણ આપણા પરિવારમાં થાય છે. તે આપણા લગ્ન, વંશ વૃદ્ધિ અને સમૃદ્ધિમાં યોગદાન આપે છે અને દરેક મુશ્કેલીથી આપણું રક્ષણ કરે છે. તેથી, આપણે સાચી કુલદેવી, કુલદેવતા વિશે જાણવું મહત્વપૂર્ણ છે. તેમની ઉપાસનાથી અપણને માનસિક શાંતિ અને આધ્યાત્મિક બળ મળે છે.

હાલ ગુજરાતમાંથી 56 હજારથી વધારે પરિવારોની વંશાવળી આ એપ પર રજીસ્ટર થઈ ચૂકી છે, તેના પ્રીમિયમ ફીચર્સનો ઉપયોગ કરીને ફોટોગ્રાફ્સ, વિડિયો અને વોઈસ રેકોર્ડિંગ એમાં સંગ્રહ કરી શકાશે તેમજ નવી માહિતી પણ અપડેટ કરી શકાશે.

જો તમે તમારી વંશાવળી, ગોત્ર, કુલદેવી અને કુલદેવતા વિશે સાચી માહિતી મેળવવા માંગતા હો, તો તમે કુલવૃક્ષ રિસર્ચ GENEALOGIST સાથે જોડાઈ શકો છો. કુલવૃક્ષ હિન્દુ વંશાવળીનો ગ્લોબલ મંચ છે. કુલવૃક્ષ GENEALOGIST પહેલાં તમને જે જાણ છે તે વંશાવળી અને પરિવારની માહિતી લખે છે, પછી જે માહિતી સાચી નથી તે રિસર્ચ કરીને તમને જણાવી અને સમજાવી આપે છે, જ્યારે તમારી રિસર્ચ પૂરી થાય છે, તે કુલવૃક્ષના ડિજિટલ એકાઉન્ટમાં અપડેટ કરવામાં આવે છે, જ્યાં પહેલાથી જ તમારી વર્તમાન વંશાવળી લખવામાં આવી છે.

Kulvriksh વેબસાઈટ અને એપ પર તમે ફેમિલી ટ્રી બનાવી બનાવીને બાયોગ્રાફી, ફોટા અને ઇવેન્ટ્સ લખીને અપડેટ કરી શકશો, જે આજીવન ચાલશે અને આવનારા એડવાન્સ યુગમાં તમારી ભવિષ્યની પેઢીઓને આગળ જોડતી રહેશે

 તમારા પૂર્વજોની વંશાવળી માટે, તમારા દ્વારા આપેલા નામ, મૂળગામ, જાતિ વર્ણના આધારે વંશાવળી  શોધવામાં આવે છે અને સાચી વંશાવળી મળી જાય છે.  ફરી, શોધી આવેલી વંશાવળીને કુલવૃક્ષના ડિજિટલ એકાઉન્ટમાં વર્તમાન વંશાવળી સાથે જોડવામાં આવે છે. હવે, તમારી વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા, નૈવેદ્ય અને મૂળ સ્થાન  વગેરેની માહિતી હંમેશા માટે તમારી કુલવૃક્ષ ડિજિટલ એકાઉન્ટમાં સાચવી શકાય છે, જે તમારી ભવિષ્યની પેઢીને સરળતાથી મળી શકશે. સમય સમયે તમે તેમાં નવી માહિતી પણ અપડેટ કરી શકો છો. આ રીતે, તમારા વંશની ક્યારેય ન પૂર્ણ થતી યાત્રા હંમેશા માટે અમર બની જશે.

કુલવૃક્ષ સાથે જોડાવા માટે તમે કુલવૃક્ષ વેબસાઇટ www.kulvriksh.org પર જઈ શકો છો. આ ઉપરાંત પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી કુલવૃક્ષની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમારું રજિસ્ટ્રેશન કરી તમારા પરિવારની ફેમિલી ટ્રી બનાવીને તમારા પૂર્વજોની વંશાવળી, ગોત્ર, કુલદેવી, કુલદેવતા શોધવાની યાત્રા શરૂ કરી શકો છો. તેમજ, તમે કુલવૃક્ષ સપોર્ટ ( 08069234400 ) પર કૉલ કરીને પણ તમારી લેખન અને રિસર્ચ યાત્રા શરૂ કરી શકો છો.

આપણા મૂળને જાણવું માત્ર અમને આપણા ઇતિહાસ સાથે જોડી રાખતું નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને પણ પુનર્જીવિત કરે છે. ચાલો, મળીને આ અમૂલ્ય ધરોહરને જાળવીએ અને આપણા પૂર્વજોને માન અપાવીએ. આ સાથે જ, તમારી ભવિષ્યની પેઢીઓને આ અનોખી ભેટ આપો.

વધુ માહિતી માટે, www.kulvriksh.org પર જાઓ.

ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ સોલાર પાર્કની પૂર્ણાહુતિ તરફ: renewable energy માં નવો યુગ

 

2021 માં સ્થપાયેલી સોલર પાવર સર્વિસિસ કંપની ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ રાવલવાસિયા ગ્રૂપની ગૌરવપૂર્ણ સભ્ય છે. તેના વૈવિધ્યસભર પોર્ટફોલિયો માટે પ્રખ્યાત રાવલવાસિયા ગ્રૂપે 1985 માં રાવલવાસિયા યાર્ન ડાઇંગ પ્રાઇવેટ લિમિટેડ સાથે તેની સફરની શરૂઆત કરી હતી. ત્રણ દાયકાથી વધુના અનુભવ સાથે ગ્રૂપે કોલસા, સોલર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોને સમાવવા માટે તેની કામગીરીનો સફળતાપૂર્વક વિસ્તાર કર્યો છે. આ વ્યૂહાત્મક વૃદ્ધિ રાવલવાસિયા ગ્રૂપનીબહુવિધ ઉદ્યોગોમાં નવીનતા અને ટકાઉપણું માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ તેના અત્યાધુનિક સોલર પાર્કને શરૂ કરીને નવીનીકરણીય ઉર્જા લેન્ડસ્કેપને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે, જે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવા માટે નિર્ધારિત છે. આ અભૂતપૂર્વ પહેલ ટકાઉ ઊર્જા ઉકેલોને આગળ વધારવા અને ઔદ્યોગિક વિકાસને ટેકો આપવાની કંપનીની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.

પાયોનિયરિંગ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ

નવા સોલર પાર્કમાં ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પેનલ્સ દ્વારા 24 મેગાવોટની ક્ષમતા છે. આ પ્રોજેક્ટ ઔદ્યોગિક અને કોર્પોરેટ ગ્રાહકોની ઊર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જે વિશ્વસનીય અને પર્યાવરણને અનુકૂળ વીજ પુરવઠો સુનિશ્ચિત કરે છે. પ્રથમ તબક્કો, 16 મેગાવોટનું વિતરણ, પહેલેથી જ પૂર્ણ થઈ ગયું છે, અને બાકીના 8 મેગાવોટ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. આ વિકાસ ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડની Renewable Energy ક્ષેત્રમાં અગ્રણી તરીકેની સ્થિતિને મજબૂત કરે છે.

રિન્યુએબલ એનર્જી ફૂટપ્રિન્ટનું વિસ્તરણ

યાર્ન અને કોલસા ઉદ્યોગોમાં દાયકાઓનો અનુભવ ધરાવતા રાવલવાસિયા હવે Renewable Energy વિસ્તરણ કરી રહ્યા છે. તેના એક વિભાગ, ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડે પહેલેથી જ ઉચ્ચ ક્ષમતાવાળા Solar પ્રોજેક્ટ્સ પહોંચાડવામાં મજબૂત ટ્રેક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ગ્રીનબીમે કુલ 30 મેગાવોટના પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે અને આઠથી વધુ સ્થળોએ 100 મેગાવોટથી વધુની પાઇપલાઇન સુરક્ષિત કરી છે. આ મહત્વાકાંક્ષી વિસ્તરણ સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જાની વધતી માંગને પહોંચી વળવા માટે કંપનીના વ્યૂહાત્મક અભિગમને રેખાંકિત કરે છે.

વ્યૂહાત્મક દ્રષ્ટિ અને ભવિષ્યના લક્ષ્યાંકો

રાવલવાસિયા ગ્રૂપની તેની Renewable Energy પહેલોનું નોંધપાત્ર વિસ્તરણ કરશે. ગ્રીનબીમ અર્થ ગ્રુપનું લક્ષ્ય દક્ષિણ ગુજરાતથી આગળ તેના પ્રોજેક્ટ્સમાં વિવિધતા લાવવાનું છે, જે ડિસેમ્બર 2024-25 સુધીમાં  મધ્ય પશ્ચિમ અને ઉત્તર ગુજરાતના સાહસોને લક્ષ્યાંક બનાવે છે. મહત્વાકાંક્ષી રોડમેપમાં 2025-26 સુધીમાં 250 મેગાવોટ Solar પ્રોજેક્ટ્સ, 2026-27 સુધીમાં 600 મેગાવોટ સુધી સ્કેલિંગ અને 2027-28 સુધીમાં 1000 મેગાવોટ સુધી પહોંચવાનો સમાવેશ થાય છે. આ ભવિષ્યલક્ષી વ્યૂહરચના રાવલવાસિયા જૂથના તેના renewable energy પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને ટકાઉ અને નવીન ઊર્જા ઉકેલો દ્વારા ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટેના સમર્પણને પ્રકાશિત કરે છે.

પર્યાવરણીય વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા

નવા સોલર પાર્કનો પ્રારંભ અને વ્યાપક પ્રોજેક્ટ પાઇપલાઇન ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડની પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે. Renewable Energy માળખામાં રોકાણ કરીને, કંપની કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને તેના ઔદ્યોગિક ગ્રાહકોની ઊર્જા સુરક્ષામાં વધારો કરે છે. આ આગળની વિચારસરણીનો અભિગમ આબોહવા પરિવર્તનનો સામનો કરવા અને ટકાઉ ઉર્જા સ્ત્રોતો તરફ સંક્રમણ કરવાના વૈશ્વિક પ્રયાસો સાથે સંરેખિત થાય છે.

નિષ્કર્ષ

ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડે તેનો નવીનતમ સોલાર પાર્ક શરૂ કર્યો હોવાથી, તે હિતધારકો અને જનતાને હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય તરફના આ સ્મારક પગલાની ઉજવણી કરવા આમંત્રણ આપે છે. પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનો મજબૂત વારસો અને વિકાસ માટે મહત્વાકાંક્ષી દ્રષ્ટિ સાથે, ગ્રીનબીમ નવીન અને ટકાઉ ઊર્જા ઉકેલો પ્રદાન કરવામાં અગ્રેસર છે.

નવો સોલર પાર્ક સ્વચ્છ ઊર્જા દ્વારા ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના કંપનીના મિશનમાં નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ પ્રોજેક્ટ Renewable Energy ક્ષેત્રમાં ગ્રીનબીમના નેતૃત્વ અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

રાવલવાસિયા જૂથ, તેના વ્યાપક અનુભવ અને વૈવિધ્યસભર સાહસો સાથે, નવીનતા અને ટકાઉ વિકાસના પુરાવા તરીકે ઊભું છે. યાર્ન ઉત્પાદનમાં તેની ઉત્પત્તિથી લઈને કોલસા, સોલર અને લોજિસ્ટિક્સમાં તેના વિસ્તરણ સુધી શ્રેષ્ઠતા અને અનુકૂલનક્ષમતા માટે ગ્રૂપની પ્રતિબદ્ધતા અતૂટ રહી છે. ગ્રીનબીમ અર્થ પ્રાઇવેટ લિમિટેડ, આ પ્રતિષ્ઠિત જૂથના ભાગરૂપે, વધુ સ્વચ્છ, વધુ ટકાઉ ભવિષ્યના દ્રષ્ટિકોણને આગળ વધારવાનું ચાલુ રાખે છે. એકસાથે, ઉદ્યોગોમાં રાવલવાસિયા જૂથનો સંકલિત અભિગમ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે અને પર્યાવરણીય વ્યવસ્થાપનમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

Link:-

ટુરીઝમ ક્ષેત્રે અદ્ભુત સેવા બદલ યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને બે પ્રતિષ્ઠિત એવોર્ડ

 

અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ટુરિઝમ એવોર્ડ 2024માં મળ્યુ બહુમાન

અમદાવાદ પ્રવાસન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી તેમજ જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ગાંધીનગર સ્થિત યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સને તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ગુજરાત ટુરીઝમ એવોર્ડ 2024 – સીઝન-6માં બે પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે.

રાજ્યના પૂર્વ પ્રવાસન સચિવ શ્રી વિપુલ મિત્રા અને ભારતના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ શ્રી ગંગાધરન, શ્રી કીર્તિ ઠાકર, શ્રી અનિલ મુલચંદાણી અને શ્રી અનુજભાઈ સહિતની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે  યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ની પસંદગી કરવામાં આવી હતી. વિવિધ મૂલ્યાંકન કર્યા બાદ આ પેનલે યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને શ્રેષ્ઠ આઉટબાઉન્ડ કોર્પોરેટ ટૂર ઓપરેટર અને શ્રેષ્ઠ ટિકિટિંગ એજન્ટ એમ બે પ્રતિષ્ઠિત એવોર્ડ જાહેર કર્યા હતા.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ એ યશવી ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સની ગ્રાહકો પ્રત્યેની અપ્રતિમ સેવા તેમજ અસાધારણ ટ્રાવેલ સોલ્યુશન્સને આભારી છે. આ એવોર્ડ એ ટુરીઝમ ક્ષેત્રે શ્રેષ્ઠ સેવા માટે યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે.

યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સને મળેલું આ બહુમાન એ માત્ર   કંપનીની સિદ્ધિઓને જ આભારી નથી પરંતુ કોર્પોરેટ ક્લાયન્ટ્સ અને વ્યક્તિગત પ્રવાસીઓની વિવિધ જરૂરિયાતોને સમજીને તેની પૂર્તતા કરતી તેની ટીમને પણ આભારી છે. યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ટીમ પ્રેરણાના એક જબરદસ્ત સ્ત્રોત તરીકે પણ કામ કરે છે.

ટુરીઝમ ક્ષેત્રે મળેલા આ બહુમાન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સ્થાપક રાજન ભાટલાએ જણાવ્યું હતું કે, “અમારી આખી ટીમ આ બહુમાન મળ્યું તેથી ઘણી ઉત્સાહિત છે કારણ કે આ ટીમ જ અમારા ગ્રાહકોની સેવા કરવા અને અમારી બ્રાન્ડ બનાવવા માટે સમર્પિત છે. અમારી ટીમનું આ સમર્પણ ભવિષ્યમાં પણ  અમારા ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાના અમારા ઉદ્દેશ્યમાં પ્રેરિત કરશે.

આ બે એવોર્ડ ઉપરાંત, યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અન્ય સિટીમાં બેસ્ટ આઉટબાઉન્ડ ટૂર ઓપરેટર, અન્ય સિટીમાં બેસ્ટ ફેમિલી ટૂર ઓપરેટર અને અન્ય સિટીમાં બેસ્ટ ટિકિટિંગ એજન્ટ સહિત અન્ય અનેક કેટેગરીમાં નોમિનેટ થયું હતુ. જે પ્રવાસન ઉદ્યોગ અંતર્ગત તેના વિવિધ સેગમેન્ટમાં તેની શ્રેષ્ઠતાને સાબિત કરે છે.

આ વરસે મળેલા આ એવોર્ડ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે યશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની સફળતા ઉપર આધારિત છે, આ પહેલા પણ કંપનીએ અનેક એવોર્ડ જીત્યા છે જે સાબિત કરે છે કે, તે પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે યોગદાન આપનારાનું આ રીતે ગુજરાત ટુરીઝમ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવે છે.

યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વિશે:

2015 માં સ્થપાયેલ, Yashvi Tours & Travels ગુજરાતના ગાંધીનગરમાં મૂળ બેઇઝ ધરાવે છે. અને એક પ્રીમિયર ટ્રાવેલ એજન્સી છે. તે પ્રવાસીઓને મુસાફરીના અસાધારણ અનુભવો કરાવવા માટે પ્રતિબદ્ધ છે એટલું જ નહી યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દરેક ક્લાયન્ટની પસંદગીઓ અને જરૂરિયાતોને પૂરી કરવા માટે ટ્રાવેલ ઉદ્યોગની ઊંડી સમજણનો લાભ લે છે.

યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય સેવાઓ:

– કોર્પોરેટ ટ્રાવેલ સોલ્યુશન્સ: કોર્પોરેટ ક્લાયન્ટ્સ માટે અનુરૂપ સેવાઓ, વ્યવસાયની જરૂરિયાતો માટે સીમલેસ અને કાર્યક્ષમ મુસાફરીની સુવિધા સુનિશ્ચિત કરે છે.

– આઉટબાઉન્ડ ટુર: કસ્ટમાઇઝ કરી શકાય તેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પેકેજ જે વિવિધ સ્થળોએ યાદગાર અનુભવો પ્રદાન કરે છે.

– ડોમેસ્ટિક ટ્રાવેલ પેકેજીસ: ભારતમાં પરિવહન, રહેઠાણ, જોવાલાયક સ્થળો અને સાહસિક પ્રવૃત્તિઓ સહિત વ્યાપક મુસાફરીની સુવિધા આપે છે.

– ટિકિટિંગ સેવાઓ: ફ્લાઇટ્સ, ટ્રેનો અને બસ માટે વિશ્વસનીય ટિકિટિંગ ઉકેલ.

– વિઝા સહાય: વિવિધ દેશોમાં વિઝા અરજીઓ માટે નિષ્ણાતોનું માર્ગદર્શન અને ઉકેલ.

– પારિવારિક અને ગ્રુપ પ્રવાસ: કૌટુંબિક રજાઓ અને ગ્રુપ મુસાફરી માટે વિશિષ્ટ પેકેજો, આનંદપ્રદ અને તણાવમુક્ત અનુભવો સુનિશ્ચિત કરે છે.

યશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સેવાના સર્વોચ્ચ ધોરણો અપનાવવા અને અવિસ્મરણીય મુસાફરીના અનુભવો કરાવવા માટે સમર્પિત છે. તેની ટીમ પ્રવાસીને ક્યારેય ન ભૂલાય તેવા અવિસ્મરણીય અનુભવ કરાવવા માટે પણ પ્રતિબદ્ધ છે. સાથોસાથ ગ્રાહકોને જે અનુભવ મળે છે તેની ખાતરી પણ કરે છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો:

+91 98985 85251 | +91 99137 22282

[www.yashvitours.com]  (http://www.yashvitours )

ડર્લેક્સ ટોપ સરફેસની પબ્લિક ઇશ્યૂથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 19 જૂને ખૂલ્લો મૂકાશે

 

  •  શેરદીઠ રૂ. 65-68ના પ્રાઇઝ બેન્ડ પર રૂ. 10ની ફેસ વેલ્યુના 60 લાખ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જે એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે
  • કંપનીના શેર પર ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 23 પ્રતિ શેરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જે https://www.investorgain.com મુજબ 33%થી વધુનો લિસ્ટિંગ ગેઈન દર્શાવે છે.

મુખ્ય બાબતોઃ

  • આઈપીઓ 19 જૂનથી 21 જૂન દરમિયાન સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્લો રહેશે
  • રૂ. 40.80 કરોડના આઈપીઓમાં રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 12.24 કરોડના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે
  • કંપની બે બ્રાન્ડ્સ LUXOR (એક્રેલિક યુવી સોલિડ સરફેસ) અને ASPIRON (મોડિફાઇડ સોલિડ સરફેસ) દ્વારા કામ કરે છે
  • અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સની છે. આઈપીઓ અરજી માટેની લઘુતમ રકમ રૂ. 1.30-1.36 લાખ છે
  • આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે
  • નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 90.84 કરોડની આવકો અને રૂ. 5.05 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
  • એક્સપર્ટ ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે

અમદાવાદ, 17 જૂન:  સોલિડ સરફેસના વ્યવસાયમાં રહેલી અગ્રણી કંપની ડર્લેક્સ ટોપ સરફેસ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ તરફથી પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 19 જૂનથી ખૂલશે અને 21 જૂને બંધ થશે. આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. એક્સપર્ટ ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

રૂ. 40.80 કરોડના આઈપીઓમાં રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂ (42 લાખ ઇક્વિટી શેર્સ) તથા રૂ. 12.24 કરોડના (18 લાખ શેર્સના) ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 65-68નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી કંપની રૂ. 17.50 કરોડનો કાર્યશીલ મૂડી જરૂરિયાતોને આંશિક નાણાં પૂરા પાડવા માટે ઉપયોગ કરવા તથા રૂ. 6 કરોડનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સ છે જેના પગલે અરજી દીઠ રોકાણ રૂ. 1.30 લાખ-1.36 લાખનું થાય છે. આઈપીઓ માટે રિટલ ઇન્વેસ્ટર ક્વોટા ઓફરના લઘુતમ 35 ટકા રાખવામાં આવ્યો છે જ્યારે ક્યુઆઈબી ઇન્વેસ્ટર માટેનો ક્વોટા નેટ ઓફરના મહત્તમ 50 ટકા તેમજ એચએનઆઈ ક્વોટા ઓફરના લઘુતમ 15 ટકા છે. ઇશ્યૂ પૂર્વે પ્રમોટર હોલ્ડિંગ 95.44 ટકા છે જે ઇશ્યૂ પછી 60.35 ટકા રહેશે.

કંપનીના શેર પર ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 23 પ્રતિ શેરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જે https://www.investorgain.com મુજબ 33%થી વધુનો લિસ્ટિંગ ગેઈન દર્શાવે છે.

વર્ષ 2010માં સ્થપાયેલી ડર્લેક્સ ટોપ સરફેસ લિમિટેડ સોલિડ સરફેસ મટિરિયલનું ઉત્પાદન કરે છે. કંપની પાસે LUXOR અને ASPIRON નામની બે બ્રાન્ડ છે. LUXOR બ્રાન્ડ એક્રેલિક યુવી સોલિડ શીટ્સ ઓફર કરે છે જ્યારે ASPIRON મોડિફાઇડ સોલિડ શીટ્સ ઓફર કરે છે. બંને બ્રાન્ડ સરળ ડિઝાઇન, એન્ટીબેક્ટેરિયલ અને અગ્નિરોધક ગુણધર્મો પ્રદાન કરે છે તથા ઉચ્ચ ગુણવત્તાની સોલિડ શીટ્સની વ્યાપક શ્રેણી સુનિશ્ચિત કરે છે. પ્રોડક્ટ્સનો ઉપયોગ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, હોસ્પિટાલિટી, હેલ્થકેર, આઉટડોર અને અન્ય વિવિધ ઉદ્યોગોમાં થાય છે, જે કાઉન્ટરટોપ્સ, વેનિટી, ઓફિસ, રિટેલ સ્પેસીસ, હોટેલ્સ, હોસ્પિટલો, આઉટડોર પ્રોજેક્ટ્સ અને અન્ય માટે સ્ટાઇલિશ અને ટકાઉ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીનું ઉત્પાદન એકમ ગુજરાતના વાપીમાં આવેલું છે. કંપની 19 દેશોમાં નિકાસ પણ કરે છે. કંપનીના ઉત્પાદન એકમને ISO 9001:2015 અને ISO 14001:2015ને અનુરૂપ પ્રમાણિત કરવામાં આવી છે.

કંપનીએ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઉત્તમ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી છે. કંપનીએ વર્ષોથી આવક અને નફાકારકતામાં અનેક ગણી વૃદ્ધિ જોઈ છે. માર્ચમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 2.09 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 66.84 કરોડની ચોખ્ખી આવક નોંધાવી હતી જેની સામે નાણાંકીય વર્ષ 2022-24માં રૂ. 5.05 કરોડનો ચોખ્ખો નફો (141 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) અને રૂ. 90.84 કરોડની આવક (141 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) નોંધાવી છે.

માર્ચ, 2024ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 21.84 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 9.42 કરોડ અને એસેટ બેઝ રૂ. 105.53 કરોડ રહ્યો છે. માર્ચ, 2024 સુધીમાં કંપનીની આરઓઈ 26.20 ટકા, આરઓસીઈ 20.20 ટકા અને આરઓએનડબ્લ્યુ 23.12 ટકા રહી છે.

IPO Highlights – Durlax Top Surface Ltd
IPO Opens onJune 19, 2024
IPO Closes onJune 21, 2024
Issue PriceRs. 65-68 Per Share
Issue Size60 lakh shares – up to Rs. 40.80 crore
Lot Size2000 Shares
Listing onNSE Emerge Platform of National Stock Exchange

Corporate Video:- https://www.youtube.com/watch?v=p6Bgs1Oka8I&t=235s