Posts by: abhay_news_editor
સુરત ખાતે યોજાયો વર્લ્ડનો સૌથી મોટો ફેશન શો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યું સ્થાન
રાજા રાણી કોચિંગ સંસ્થા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ ફેશન શોમાં રેકોર્ડ બ્રેક 7000 થી વધુ લોકોએ ભાગ લીધો
સુરત. ફેશન જગતમાં હવે સુરતે વિશ્વ ક્ષત્રે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજ રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ વિશ્વના સૌથી મોટા ફેશન શૉએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ નોંધાવ્યું છે. સુરતને આ ગૌરવનો ક્ષણ મળ્યો છે.l મોહિત ગડિયા અને પ્રિયા ગડિયા દ્વારા સંચાલિત રાજા રાણી કોચિંગ સંસ્થાના કારણે. આ દંપતી દ્વારા આજરોજ સુરત ખાતે આયોજિત ફેશન શોમાં આશ્ચર્યજનક રીતે 7,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અત્યાર સુધી 1,200 લોકોએ ભાગ લીધો તે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ હતું, પરંતુ સુરતના આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નવો વૈશ્વિક કીર્તિમાન રચાયો છે.
રાજા રાણી કોચિંગના સ્થાપક મોહિત ગડિયા જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે નહોતો, પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કીલને દેખાડવાનો પ્લેટફોર્મ હતું. ‘સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા’ના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માગીએ છીએ.”
ગત વર્ષે સંસ્થાએ 3,000 વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું, જેમાંથી 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ લંડન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, કોલકાતા, ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા.
આ ઇવેન્ટમાં કુલ 15 ફેશન સિક્વન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતભરના 40 મોડેલ્સે વિવિધ ગારમેન્ટ્સ પ્રસ્તુત કર્યા. રંગ, સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.
પ્રિયા ગડિયા જણાવ્યું હતું કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે. સુરત શહેરે ફેશન અને યુવા પ્રતિભા માટે વૈશ્વિક સ્તરે પોતાનું નામ નોંધાવી દીધું છે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે એક ખાસ સિક્વન્સ પણ રજૂ કર્યો, જેમાં યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવામાં આવી હતી.
वेदांता लांजीगढ़ ने ओडिशा स्कूल तीरंदाजी में मचाया धमाल, 12 पदक जीते
लांजीगढ़ [ओडिशा], अक्टूबर 10: भारत के सबसे बड़े एल्युमिनियम उत्पादक वेदांता एल्युमिनियम ने अपनी जमीनी खेल पहल की एक बड़ी उपलब्धि का जश्न मनाया है, जब इस कार्यक्रम के युवा तीरंदाजों ने ओडिशा स्कूल तीरंदाजी चैम्पियनशिप में प्रतिष्ठित “ओवरऑल चैम्पियन” का खिताब जीत लिया।
कालाहांडी ज़िले के इन तीरंदाजों ने, स्कूल गेम्स फेडरेशन ऑफ़ इंडिया (SGFI) द्वारा सुंदरगढ़ में आयोजित इस प्रतियोगिता में, कुल 8 स्वर्ण, 3 रजत और 1 कांस्य पदक जीतकर शानदार प्रदर्शन किया।
वेदांता लांजीगढ़ की प्रमुख स्पोर्ट्स ट्रेनिंग इनिशिएटिव युवा तीरंदाजों को विशेषज्ञ कोचिंग, विश्वस्तरीय उपकरण और प्रतिस्पर्धात्मक मंच प्रदान करती है, जो वेदांता की स्थानीय प्रतिभा को प्रोत्साहित करने की प्रतिबद्धता को दर्शाती है। इन खिलाड़ियों की उपलब्धि न केवल कालाहांडी के युवाओं की अपार क्षमता को उजागर करती है, बल्कि संगठित प्रशिक्षण और मार्गदर्शन के परिवर्तनकारी प्रभाव को भी सिद्ध करती है।
इस सफलता पर टिप्पणी करते हुए, वेदांता एल्युमिना बिजनेस के सीईओ प्रणब कुमार भट्टाचार्य ने कहा,
“वेदांता लांजीगढ़ में, हम मानते हैं कि सच्ची प्रगति उन अवसरों से मापी जाती है जो हम अपने समुदायों के लिए निर्मित करते हैं। हमारे युवा तीरंदाजों की यह असाधारण उपलब्धि यह दर्शाती है कि जमीनी स्तर की पहल किस प्रकार छिपी हुई प्रतिभाओं को उभार सकती है और उन्हें विजेता बना सकती है। हम कालाहांडी के युवाओं को सशक्त बनाने, उनमें आत्मविश्वास जगाने और उत्कृष्टता की राह पर अग्रसर करने के लिए प्रतिबद्ध हैं।”
2018 में आरंभ की गई वेदांता की स्पोर्ट्स ट्रेनिंग इनिशिएटिव वंचित समुदायों से खेल प्रतिभाओं की पहचान कर उन्हें तीरंदाजी और एथलेटिक्स में विशेषज्ञ कोचिंग, उच्च गुणवत्ता वाले उपकरण और प्रशिक्षण ढांचा उपलब्ध कराती है। इस पहल के तहत राष्ट्रीय प्रतियोगिताओं में भागीदारी को भी प्रोत्साहन दिया जाता है।
अब तक 100 से अधिक युवा तीरंदाज इस कार्यक्रम के तहत प्रशिक्षित किए जा चुके हैं, जिन्होंने केवल पिछले वर्ष ही राज्य और राष्ट्रीय प्रतियोगिताओं में 50 से अधिक पदक जीते हैं, जो खेलों के जमीनी विकास के प्रति वेदांता की सतत प्रतिबद्धता को प्रदर्शित करता है।
વેસુમાં શરદપૂનમની રાતે ઝૂમી ઉઠ્યો પરંપરાગત રાસગરબા
સુરત : શરદપૂનમના પાવન અવસરે વેસુ સ્થિત વિજયાલક્ષ્મી હોલમાં પરંપરાગત રાસગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર હોલને શરદપૂનમની થીમ પર સજાવવામાં આવતા ત્યાં પહોંચનાર દરેકને ચાંદની રાત્રિનો અનોખો અનુભવ થયો હતો.
આ રાસગરબાનું આયોજન અંગે ઓન ટ્રેક એજ્યુકેશન ના મમતા જાની એ જણાવ્યું હતું કે સાંજે આરંભથી જ ઢોલ અને શહેનાઈની મધુર ધૂનોએ વાતાવરણને રાસમય બનાવી દીધું હતું. બે થી અઢી હજાર જેટલા લોકોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ જૂના લોકપ્રિય ગરબા ગીતો પર તાલ મિલાવી રાસની રમઝટ બોલાવી હતી.
ગરબારાસ દરમિયાન મહિલાઓ અને યુવતીઓના પરંપરાગત વેશભૂષા સાથેના ગરબા પર સૌની નજર થંભી ગઈ હતી. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ભાગ લેનાર સૌને શુભેચ્છા પાઠવી અને ભારતીય સંસ્કૃતિની આ પરંપરાને જીવંત રાખવા સૌને આહવાન કર્યું હતું.
સોલેક્સ એનર્જી લિમિટેડ – એનએસઇ મેઈન બોર્ડ પર સ્થાનાંતરણની ઉજવણી માટે સુરતમાં બેલ વાગાવ્યું
સુરત, ૮ ઑક્ટોબર, ૨૦૨૫: સોલેક્સ એનર્જી લિમિટેડ (NSE Code: SOLEX) — છેલ્લા ત્રણ દાયકાથી અગ્રણી સોલાર એનર્જી સોલ્યુશન્સ પ્રદાતા — એ આજે સુરતમાં પોતાના મહત્વપૂર્ણ મોખરાના મુકામની ઉજવણી કરી, કંપનીએ પ્લેટફોર્મ પરથી NSE Main Board પર સફળ સ્થાનાંતરણ કર્યું.
આ વિશેષ પ્રસંગે વરિષ્ઠ પ્રતિનિધિઓ, બેન્કર્સ, ઇન્વેસ્ટર્સ, સોલેક્સના ડિરેક્ટર્સ અને પ્રમોટર્સ, પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ તથા સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના નેતૃત્વ ઉપસ્થિત રહ્યા.
સોલેક્સ એ ૨૦૧૮માં NSE EMERGE પ્લેટફોર્મ પર યાદીબદ્ધ થયેલી પ્રથમ કંપનીઓમાંની એક હતી અને ત્યારથી સતત સશક્ત વૃદ્ધિ (growth) અને સ્થિરતા દર્શાવી છે.
આ અવસરે ડૉ. ચેતન શાહ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, સોલેક્સ એનર્જી,એ જણાવ્યું:
“અમારા વતન સુરતમાં, ઇન્વેસ્ટર્સ, બેન્કર્સ, ક્લાયન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના નેતાઓની હાજરીમાં બેલ વાગાવવી એ અવિસ્મરણીય ક્ષણ છે. NSE મેઈન બોર્ડ પર સ્થાનાંતરણ માત્ર અમારા સ્ટેકહોલ્ડર્સના વિશ્વાસનું પ્રતિબિંબ નથી, પરંતુ સોલેક્સના આગામી વિકાસના અધ્યાયની શરૂઆત છે. આ ભારતના ટકાઉ ભવિષ્ય તરફના સંકલ્પને મજબૂત બનાવે છે. સોલેક્સે ૧૯૯૫થી ‘Putting our souls in solar’ના ધ્યેય સાથે અદ્યતન ટેકનોલોજી, વર્લ્ડ-ક્લાસ મેન્યુફેક્ચરિંગ અને સર્વસમાવેશી પ્રગતિ માટે સમર્પિત રહીને ભારતની સ્વચ્છ ઊર્જા યાત્રામાં અગત્યની ભૂમિકા ભજવી છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દોમાં, ‘Solar is Sure, Pure and Secure’ — એ જ સિદ્ધાંતો અમારી વિકસિત ભારત માટેની દ્રષ્ટિને દિશા આપે છે.”
ઉત્પાદન ક્ષમતા (Manufacturing Capacity)માં મહત્વપૂર્ણ વધારો, તડકેશ્વર પ્લાન્ટ પર ૮૦૦ મેગાવોટની વ્યાવસાયિક ઉત્પાદન શરૂઆત કરી, જેથી કુલ કાર્યક્ષમ ક્ષમતા ૧.૫ ગીગાવોટ (GW) પહોંચી. ૨.૫ GW વિસ્તરણ પ્રોજેક્ટ હાલ ટેસ્ટિંગ તબક્કામાં છે, દિવાળી ૨૦૨૫ સુધી પૂર્ણ ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા. FY26ના અંત સુધીમાં વધારાના ૨.૫ GW વિસ્તરણની યોજના, જેથી કુલ ક્ષમતા ૬.૫ GW સુધી પહોંચશે.
સોલેક્સના ૭૦%થી વધુ કર્મચારીઓ આદિવાસી અને સ્થાનીક સમુદાયોમાંથી આવે છે, જે ઉદ્યોગ વિકાસ સાથે સામાજિક સશક્તિકરણ માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિઝન ૨૦૩૦ હેઠળ, કંપની ૧૦ GW મોડ્યુલ ક્ષમતા અને ૧૦ GW સેલ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે, તથા વેફર અને ઇન્ગોટ મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કરીને ભારતમાં પૂર્ણપણે સંકલિત સોલાર વેલ્યૂ ચેઇન વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ દ્રષ્ટિ ભારત સરકારના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત અભિયાન સાથે સુસંગત છે.
સોલેક્સ એનર્જી લિમિટેડે પોતાના ભાગીદારો, ઇન્વેસ્ટર્સ, ક્લાયન્ટ્સ અને તમામ સ્ટેકહોલ્ડર્સનો અવિરત વિશ્વાસ, સહયોગ અને સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે વિદ્યાર્થીઓને આપ્યું જીવનરક્ષક CPR તાલીમ
સુરત, 29 સપ્ટેમ્બર 2025: વર્લ્ડ હાર્ટ ડેના અવસર પર વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ (WLIS), વેસુએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમના સહયોગથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે CPR (કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન) તાલીમ સત્રનું આયોજન કર્યું.
આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ જીવનરક્ષક કુશળતાઓ પ્રદાન કરવાનો અને હૃદયના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. નિષ્ણાત ડૉક્ટરોએ સમજાવ્યું કે યોગ્ય સમયે કરવામાં આવેલ CPR હૃદયની આકસ્મિક પરિસ્થિતિઓમાં જીવ બચાવવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
વિદ્યાર્થીઓએ તબીબોના માર્ગદર્શન હેઠળ જીવંત પ્રદર્શન અને પ્રાયોગિક તાલીમ લીધી. તેમણે છાતી પર દબાણ કરવાની તકનીક, કૃત્રિમ શ્વસન (rescue breaths) અને આપાતકાલીન પ્રતિસાદ પ્રોટોકોલ્સ શીખ્યા, જેના કારણે તેમને જ્ઞાન સાથે સાથે આત્મવિશ્વાસ પણ મળ્યો.

આ પ્રસંગે શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ જણાવ્યું:
“શિક્ષણ માત્ર પુસ્તકો અને વર્ગખંડ સુધી મર્યાદિત નથી. WLISમાં અમે અમારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીએ છીએ, જેમાં જીવન માટે જરૂરી કુશળતાઓનો સમાવેશ થાય છે. CPR એ એક એવો અગત્યનો કૌશલ્ય છે જે દરેક વ્યક્તિને સંભવિત જીવનરક્ષક બનાવી શકે છે. આ પવિત્ર પહેલમાં સહકાર આપવા બદલ અમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”
આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો. તેઓ ઉત્સાહપૂર્વક તાલીમમાં જોડાયા. તબીબોએ તેમની શીખવાની આતુરતા (eagerness)ની પ્રશંસા કરી અને શાળાની આરોગ્ય જાગૃતિ ફેલાવવાની સક્રિય ભૂમિકા માટે વખાણ કર્યા.
ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
સુરત મહાનગરમાં આ વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન થવાનું છે।
આ મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય આચાર્ય શ્રી સમયસાગરજી મહારાજના પાવન આશીર્વાદ તથા પ્રશમમૂર્તિ મુનિ શ્રી અજિતસાગરજી મહારાજ, મુનિ શ્રી નીરાગસાગરજી મહારાજ, ઍલક શ્રી વિવેકાનંદસાગરજી મહારાજ, મુનિ શ્રી શુભમકિર્તિજી મહારાજ, શ્રમણી આર્થિકા વિવોધશ્રી માતાજી સંસંઘ તથા વિધુષી આર્થિકા પ્રજ્ઞાશ્રી માતાજી સંસઘના પાવન સાનિધ્યમાં સંપન્ન થશે ।
તારીખ: ૫ થી ૭ ઑકટોબર ૨૦૨૫
સ્થળઃ શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર જૈન દેહરાસર (અતિશય ક્ષેત્ર), વસતા દેવડી રોડ, કિરણ હોસ્પિટલ પાસે, કતારગામ, સુરત ।
+ કાર્યક્રમ વિગતો +
૫ ઑકટોબર ૨૦૨૫ (પ્રથમ દિવસ)
પ્રાતઃકાળ: ધ્વજારોહણ-શ્રી સુશીલાદેવી ભાગચંદજી જૈન પરિવાર દ્વારા
મંચ ઉદ્ઘાટન – હેમલતા દેવી માનેકચંદજી પરિવાર દ્વારા
તે પછી બાળકો તથા યુવાઓ માટે કેરિયર કાઉન્સેલિંગ તથા પ્રેરણાત્મક સત્ર
બપોરે ૧ વાગ્યે : ભવ્ય દિગંબર જૈન પ્રતિભા સન્માન સમારોહ
૬ ઑકટોબર ૨૦૨૫ (બીજો દિવસ)
શાકાહાર નિબંધ સ્પર્ધા (જેમાં અંદાજે ૩૨૦૦ વિધાર્થીઓએ નિબંધ લખ્યો હતો)ના
વિજેતાઓનું સન્માન સમારોહ
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓના પ્રાચારીઓ/પ્રતિનિધિઓનું સન્માન
૭ ઑકટોબર ૨૦૨૫ (ત્રીજો દિવસ – શરદ પૂર્ણિમા)
શરદ પૂર્ણિમાના દિવસે સોધર્મ ઈન્દ્ર વગેરે મુખ્ય મહાપાત્રો તથા ૧૦૮ ઈન્દ્ર મુખ્ય મહાપાત્રો દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ગુરુવર શ્રી વિદ્યાસાગરજી મહારાજના વિદ્યાગુરુ વિધાનનું મંગલ આયોજન
આચાર્યશ્રીની પ્રતિમા સ્થાપનાનું કાર્યક્રમ
+ વિશેષ પ્રસંગ +
કતારગામ અતિશય ક્ષેત્રમાં આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવ ઉપરાંત:
3 ઑકટોબર ૨૦૨૫: ચારિત્ર ચક્રવર્તી આચાર્ય શાંતિસાગરજી મહારાજનો ૧૦૧મો આચાર્ય પદારોહણ
દિવસ
૧૦ અને ૧૧ ઑકટોબર ૨૦૨૫: આચાર્ય શાંતિસાગરજી મહારાજ વિષે વિદ્વત્ સંગોષ્ઠી (સ્થળ: પારશ્વનાથ દિગંબર જૈન મંદિર, ભટાર રોડ, સુરત)
+ સંદેશ+
આયોજન સમિતિ તરફથી રવિ જૈન (CA.)એ જણાવ્યુ કે આ મહોત્સવ માત્ર સમાજની પ્રતિભાઓને સન્માનિત નહીં કરે પરંતુ યુવાઓ અને નવી પેઢીને ધર્મ, સંસ્કૃતિ તથા ઉચ્ચ આદર્શો સાથે જોડવાનું એક સાધન બનશે ! તમામ શ્રદ્ધાળુઓ તથા સમાજબંધીજનોએ વિનંતી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાવન મહોત્સવને સફળ બનાવે અને ધાર્મિક લાભ મેળવે।
આયોજક અને નિવેદક :
આયોજક: અવિજિત જૂથ – શાખા સુરત તથા કેન્દ્રીય અવિજિત જૂથ, વિદિશા (મ.પ્ર.)
નિવેદક: શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર જૈન દેહરાસર સમિતિ, કતારગામ; ચાતુર્માસ સમિતિ, ભટાર તથા સમગ્ર દિગંબર જૈન સમાજ, સુરત।
મુનિશ ફોર્જ લિમિટેડનું IPO: રોકાણકારો માટે સુરતમાં ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ
સુરત: NNM ગ્રુપ અને કાસ્ટીંગ અને ફોર્જિંગ ક્ષેત્રની અગ્રણી અને ડિફેન્સ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન ધરાવનાર તથા યુકે, યુએસ સહિત અનેક દેશોમાં નિકાસકાર કંપની મુનિશ ફોર્જ લિમિટેડ તેના આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ને લઈને સુરતમાં રોકાણકારો માટે એક વિશેષ તક રજૂ કરી રહી છે. આ IPOની એંકર બુક 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે, જ્યારે સામાન્ય જનતા માટે 30 સપ્ટેમ્બરથી અરજીઓ સ્વીકારવામાં આવશે. IPO 3 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે, અને શેરનું લિસ્ટિંગ 8 ઓક્ટોબર, 2025ના રોજ થશે. કુલ 77,00 400 શેર રૂ. 91 થી રૂ. 96ની કિંમતે ઓફર કરવામાં આવશે, જેના દ્વારા કંપની 73.92 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપેક્ષા રાખે છે.આ IPO ને લઈને રવિવારે સુરત ખાતે ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ હતી.
મુનિશ ફોર્જની પ્રમોટર અને માર્કેટ મેકર કંપની NNM સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ ના નિકુંજ મિત્તલે જણાવ્યું હતું કે કંપની રોકાણકારોને આ આકર્ષક તકમાં ભાગ લેવા આમંત્રણ આપે છે. સુરત, જે સમજદાર ઉદ્યોગપતિઓ અને રોકાણકારોનું કેન્દ્ર છે, તેને ધ્યાનમાં રાખીને કંપનીએ 28 સપ્ટેમ્બર, 2025ના રોજ લા મેરેડીયન (T.G.B) હોટલ ખાતે એક ખાસ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં રોકાણકારોને કંપનીની ગ્રોથ, પ્રમોટર્સ અને ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

મુનિશ ફોર્જ લિમિટેડ, લુધિયાણાના ડાયરેક્ટર અને પ્રમોટર શ્રી દેવ અર્જુન બસીને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ડિફેન્સ ક્ષેત્ર પર વધતું ધ્યાન અને નિયમોમાં થયેલા બદલાવને કારણે કંપની માટે ઉજ્જવળ ગ્રોથની સંભાવનાઓ છે. આનો લાભ માત્ર કંપનીને જ નહીં, પરંતુ રોકાણકારોને પણ મળશે.
મુનિશ ફોર્જ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દેવેન્દ્ર બસીને ઉમેર્યું હતું કે 1986માં સ્થપાયેલી અમારી કંપની સતત વૃદ્ધિ કરી રહી છે. અમે ડિફેન્સ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી ઉપરાંત યુકે, યુએસ અને અન્ય દેશોમાં નિકાસ કરીએ છીએ. સુરતના સમજદાર રોકાણકારોને ધ્યાનમાં રાખીને અમે આ IPO લઈને આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ IPOને રોકાણકારો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળશે.”
આ ઇન્વેસ્ટર્સ મીટમાં હાજર રહેલા રોકાણકારોને કંપનીની મજબૂત ગ્રોથ, ડિફેન્સ ક્ષેત્રમાં તેની મહત્વની ભૂમિકા અને વૈશ્વિક નિકાસ બજારમાં તેની સફળતા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. NNM ગ્રૂપ અને મુનિશ ફોર્જ લિમિટેડ રોકાણકારોને આ IPOમાં ભાગ લઈને કંપનીની સફળતાનો હિસ્સો બનવા આમંત્રણ આપે છે.
સુરતમાં ઇન્ડિયા એક્સિલેટરનું સ્ટાર્ટઅપ સેન્ટર શરૂ, સાઉથ ગુજરાતના ઉદ્યમીઓને મળશે નવું પ્લેટફોર્મ
સુરત: સુરત શહેર, જે હીરા અને ટેક્સટાઇલ્સના હબ તરીકે જાણીતું છે, તે હવે ડિજિટલ અને આઇટી હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે ઇન્ડિયા એક્સિલેટર દ્વારા સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે સુરત ખાતે એક અદ્યતન સ્ટાર્ટઅપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન 28 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:00 વાગે ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા સુરાણા સુપ્રીમસના ચોથા માળે થવાનું છે.
આ સેન્ટરના સંચાલક ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે આ સેન્ટર 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને 280 સીટની કો-વર્કિંગ સ્પેસ સાથે સજ્જ છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને નર્ચરિંગ, માર્ગદર્શન અને જરૂરી સંસાધનો પૂરા પાડીને તેમના વિકાસને વેગ આપવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા લોકો માને છે કે દસમાંથી નવ સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે, પરંતુ એક માત્ર આઇડિયા સ્ટાર્ટઅપને સફળ નથી બનાવતો. તેની પાછળ પ્રોપર એકાઉન્ટિંગ, લીગલ પ્રક્રિયાઓ, ડિજિટલ માર્કેટિંગ, મીડિયા કવરેજ અને ફંડ રેઇઝિંગ જેવી મહત્વની બાબતોની જરૂર હોય છે. અમારું સેન્ટર આ તમામ જવાબદારીઓ ઉપાડશે, જેથી ફાઉન્ડર્સ ફક્ત તેમના બિઝનેસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

અપૂર્વ વોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ઇન્ડિયા આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. હાલ જે રીતે સ્ટાર્ટઅપની પ્રગતિ થઈ રહી છે તે જોતા ચોક્કસ કહી શકાય કે આ એક મોટી ઇન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે. સ્ટાર્ટઅપનો પ્રોગ્રેસ માત્ર કેટલાક મહત્વપૂર્ણ મોટા શહેરો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં પણ આ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો છે. સુરતની વાત કરીએ તો, સુરત એક એવું શહેર છે જ્યાં આસપાસ અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમાંથી ઘણું ટેલેન્ટ બહાર આવી રહ્યું છે. આવા સ્થળે યુવા ટેલેન્ટને માર્ગદર્શન પૂરું પાડવા માટે એક એક્સિલેટર સેન્ટર હોવું ખૂબ જ જરૂરી છે. સુરતમાં નેશનલ લેવલનું આવું સેન્ટર શરૂ થવાથી લોકલ ટેલેન્ટને મોટો ફાયદો થશે.”
સુરતને આ સેન્ટર માટે પસંદ કરવા પાછળનું કારણ તેનો ઝડપથી વિકસતો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ડેટા અનુસાર, સાઉથ ગુજરાતમાં હાલ 60થી 70 સ્ટાર્ટઅપ્સ સક્રિય છે, અને તાજેતરમાં ત્રણ સ્ટાર્ટઅપ્સને નોંધપાત્ર ફંડિંગ પણ મળ્યું છે. સુરત હવે માત્ર હીરા અને ટેક્સટાઇલ્સ પૂરતું સીમિત નથી, પરંતુ ઇન્ફોસિટી અને સ્ટાર્ટઅપ સિટી તરીકે પણ આગળ વધી રહ્યું છે. આ સેન્ટર આગામી સમયમાં નવા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપીને આ પ્રદેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
આ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને ભારતીય સેનાના નિવૃત્ત સેના અધિકારી જનરલ મનોજ મુકુંદ નરવણે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ઇન્ડિયા એક્સિલેટરના CEO આશિષ ભાટિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આગામી દિવસોમાં ઇન્ડિયા એક્સિલેટર અર્થમ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી અમદાવાદ, મુંબઈ (વાશી), ઇન્દોર, અને જયપુર ખાતે પણ આવા સેન્ટરો શરૂ કરવાની યોજના ધરાવે છે. કુલ છ સેન્ટરો દ્વારા દેશભરના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે વિદ્યાર્થીઓને આપ્યું જીવનરક્ષક CPR તાલીમ
સુરત, 29 સપ્ટેમ્બર 2025: વર્લ્ડ હાર્ટ ડેના અવસર પર વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ (WLIS), વેસુએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમના સહયોગથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે CPR (કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન) તાલીમ સત્રનું આયોજન કર્યું.
આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ જીવનરક્ષક કુશળતાઓ પ્રદાન કરવાનો અને હૃદયના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. નિષ્ણાત ડૉક્ટરોએ સમજાવ્યું કે યોગ્ય સમયે કરવામાં આવેલ CPR હૃદયની આકસ્મિક પરિસ્થિતિઓમાં જીવ બચાવવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
વિદ્યાર્થીઓએ તબીબોના માર્ગદર્શન હેઠળ જીવંત પ્રદર્શન અને પ્રાયોગિક તાલીમ લીધી. તેમણે છાતી પર દબાણ કરવાની તકનીક, કૃત્રિમ શ્વસન (rescue breaths) અને આપાતકાલીન પ્રતિસાદ પ્રોટોકોલ્સ શીખ્યા, જેના કારણે તેમને જ્ઞાન સાથે સાથે આત્મવિશ્વાસ પણ મળ્યો.

આ પ્રસંગે શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ જણાવ્યું:
“શિક્ષણ માત્ર પુસ્તકો અને વર્ગખંડ સુધી મર્યાદિત નથી. WLISમાં અમે અમારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીએ છીએ, જેમાં જીવન માટે જરૂરી કુશળતાઓનો સમાવેશ થાય છે. CPR એ એક એવો અગત્યનો કૌશલ્ય છે જે દરેક વ્યક્તિને સંભવિત જીવનરક્ષક બનાવી શકે છે. આ પવિત્ર પહેલમાં સહકાર આપવા બદલ અમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”
આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો. તેઓ ઉત્સાહપૂર્વક તાલીમમાં જોડાયા. તબીબોએ તેમની શીખવાની આતુરતા (eagerness)ની પ્રશંસા કરી અને શાળાની આરોગ્ય જાગૃતિ ફેલાવવાની સક્રિય ભૂમિકા માટે વખાણ કર્યા
वेदांता लंजिगढ़ में शक्ति किट का वितरण उत्सव के साथ प्रभाव का मिश्रण
लंजिगढ़, कलाहांडी, 25 सितंबर, 2025: भारत में एल्युमीनियम की सबसे बड़ी उत्पादक, वेदांता एल्युमीनियम ने इस नवरात्रि पर एक अनोखी सामुदायिक पहल शुरू की है, जिसमें लंजिगढ़ के अपने आस-पास के गाँवों की महिलाओं को सशक्त बनाकर शक्ति की भावना का उत्सव मनाया जा रहा है। अपने विशेष ‘नवरात्रि मिलाप’ कार्यक्रम के तहत, कंपनी 600 से अधिक ‘शक्ति किट’ वितरित कर रही है, जिससे नौ गाँवों की 1,500 से अधिक महिलाओं को लाभ मिल रहा है।
हर शक्ति किट को स्वास्थ्य, स्वच्छता और पोषण – जो महिला कल्याण के तीन स्तंभ हैं – को बढ़ावा देने के लिए सोच-समझकर तैयार किया गया है। इन किटों में सैनिटरी नैपकिन, साबुन, हैंडवॉश और अन्य स्वच्छता की आवश्यक वस्तुएं; पोषण को बढ़ावा देने के लिए मिलेट-आधारित मिठाइयाँ; और लोहे के खाना पकाने के बर्तन शामिल हैं, जो एक पारंपरिक उपकरण है जो समय के साथ एनीमिया को कम करने में मदद करता है। इस पहल को शक्ति और देखभाल के उत्सव में बदलने के लिए उत्सव की वस्तुएं भी शामिल की गई हैं।
यह पहल नवरात्रि के नौ दिनों तक चलेगी, जिसमें प्रत्येक दिन एक गाँव को समर्पित होगा। वेदांत के प्रतिनिधि रंगोली बनाने और पारंपरिक खेलों जैसी गतिविधियों के माध्यम से समुदायों के साथ जुड़ रहे हैं, जिससे प्रत्येक वितरण एक साझा उत्सव बन रहा है। इस पहल में पुतरीभाटा, खलगुडा, बलभद्रपुर, कदमगुडा, केंदुबर्डी, बानिगाँव, सिमलीभाटा, बुंदेल और चनालिमा शामिल हैं, जिससे सामूहिक रूप से 600 से अधिक परिवारों को लाभ मिल रहा है।
इस पहल पर बोलते हुए, प्रणब कुमार भट्टाचार्य, सीईओ – वेदांत एल्युमिना बिज़नेस ने कहा, “हमारे सामुदायिक विकास प्रयास इस विश्वास में निहित हैं कि सच्ची प्रगति समावेशी और सहभागितापूर्ण होती है। नवरात्रि शक्ति – यानी ताकत, देखभाल और लचीलेपन का उत्सव है। इस साल, हम अपने गाँवों की महिलाओं को सशक्त बनाकर उस भावना का सम्मान करना चाहते थे। शक्ति किट के माध्यम से, हम उनके स्वास्थ्य और कल्याण में निवेश कर रहे हैं। यह पहल हमारे व्यापक सामाजिक प्रभाव कार्यक्रमों का पूरक है, जो शिक्षा, स्वास्थ्य सेवा, कौशल विकास और आजीविका सृजन तक फैले हुए हैं; और टिकाऊ और न्यायसंगत विकास के लिए मार्ग बना रहे हैं।”

‘नवरात्रि मिलाप’, वेदांत लंजिगढ़ के प्रमुख सामुदायिक कनेक्ट – मिलाप कार्यक्रम का एक उत्सव संस्करण है। यह मंच कंपनी के कर्मचारियों और उसके मेजबान समुदायों के बीच नियमित जुड़ाव को बढ़ावा देता है, जिससे 16 गाँवों में 3,300 से अधिक लोगों को लाभ होता है। मासिक मिलाप कार्यक्रमों में आवश्यक वस्तुओं का वितरण, साझा सामुदायिक भोजन और सांस्कृतिक आदान-प्रदान शामिल हैं जो एकजुटता की भावना को मजबूत करते हैं।
सामुदायिक विकास के लिए अपने एकीकृत दृष्टिकोण के माध्यम से, कंपनी अपने परिचालन क्षेत्रों में सकारात्मक बदलाव लाना जारी रखे हुए है, व्यक्तियों को सशक्त बना रही है, परिवारों को मजबूत कर रही है, और लचीले समुदाय का निर्माण कर रही है जो औद्योगिक प्रगति के साथ बढ़ते हैं।
वेदांत एल्युमीनियम बिज़नेस के बारे में:
वेदांत लिमिटेड का एक बिज़नेस, वेदांत एल्युमीनियम, भारत का सबसे बड़ा एल्युमीनियम उत्पादक है, जो भारत के आधे से अधिक एल्युमीनियम का निर्माण करता है, यानी वित्तीय वर्ष 25 में 2.42 मिलियन टन। यह मूल्यवर्धित एल्युमीनियम उत्पादों में एक अग्रणी है जो मुख्य उद्योगों में महत्वपूर्ण अनुप्रयोग पाते हैं। वेदांत एल्युमीनियम, एल्युमीनियम उद्योग के लिए एस एंड पी ग्लोबल कॉर्पोरेट सस्टेनेबिलिटी असेसमेंट 2024 की विश्व रैंकिंग में दूसरे स्थान पर है, जो इसकी अग्रणी टिकाऊ विकास प्रथाओं का प्रतिबिंब है। भारत में अपने विश्व स्तरीय एल्युमीनियम स्मेल्टर, एल्युमिना रिफाइनरी और पावर प्लांट्स के साथ, कंपनी एक हरित कल के लिए ‘भविष्य की धातु’ के रूप में एल्युमीनियम के उभरते अनुप्रयोगों को बढ़ावा देने के अपने मिशन को पूरा करती है।