Posts by: abhay_news_editor

વણઝારા”નો સુરીલો ધમાકો: ગુજરાતી લોક-સંગીતની નવી ઉડાન ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર સુધી
ગુજરાતની સુપ્રસિદ્ધ લોક ગાયિકા અને પ્લેબેક સિંગર કવિતા દાસનું નવું ગીત “વણઝારા” ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. આ ગીત ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થનારું પ્રથમ ગુજરાતી ગીત બન્યું છે, જેણે ગુજરાતી સંગીતની સુગંધને વૈશ્વિક ફલક પર પહોંચાડી છે. “વણઝારા” એ ગુજરાતની પરંપરાગત લોક-સંસ્કૃતિ અને આધુનિક EDM (ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક)નું અનોખું સંગમ છે, જે સંગીત પ્રેમીઓના દિલમાં ધૂમ મચાવી રહ્યું છે. થોડાક જ સમયમાં આ ગીત ઓનલાઈન સેન્સેશન બની ગયું છે, અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
ઉત્તર ગુજરાતની ભૂમિમાં જન્મેલી કવિતા દાસે પોતાના પિતા ધનુદાસના માર્ગદર્શન હેઠળ સંગીતની દુનિયામાં અથાગ મહેનત કરી છે અને આજે તેઓ અમેરિકામાં સ્થાયી થઈને ગુજરાતી સંગીતનો ડંકો વિશ્વભરમાં વગાડી રહ્યા છે. 1000થી વધુ ગુજરાતી આલ્બમ અને 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પોતાના મધુર કંઠે જાદુ પાથરનાર કવિતાએ “વણઝારા” દ્વારા ફરી એકવાર પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે.
“વણઝારા”ની સર્જનાત્મક ટીમ :-
“વણઝારા” એક એવું નજરાણું છે, જેમાં પ્રતિભાઓનું અદભૂત સંગમ જોવા મળે છે. કવિતા દાસના મધુર અવાજને સુપ્રસિદ્ધ સંગીત નિર્દેશક કુશલ ચોક્સીના મધુર સંગીતથી સજાવવામાં આવ્યું છે. મુનાફ લુહારની કલમે લખાયેલા શબ્દો ગીતને ભાવનાત્મક ઊંડાણ આપે છે, જ્યારે સૌરભ ગજ્જર અને આકાશ પટેલની ટીમે દિગ્દર્શન દ્વારા ગીતને દૃશ્યમય રીતે અદભૂત બનાવ્યું છે. વિરાજ. પી દ્વારા પ્રસ્તુત આ ગીત ગુજરાતી સંગીતની ડિજિટલ દુનિયામાં નવો માઈલસ્ટોન સ્થાપી રહ્યું છે.

“વણઝારા” વિશે વાત કરતાં કવિતા દાસ કહે છે, “આ ગીત એક પ્રાચીન લોકગીતનું આધુનિક રૂપ છે, જે આજના શહેરી શ્રોતાઓની પસંદગીને ધ્યાનમાં રાખીને રચાયું છે. ‘વણઝારા’ એ ગુજરાતી લોક-સંસ્કૃતિ અને આધુનિક સંગીતનો અતૂટ સેતુ છે.” આ ગીત ગુજરાતના સમૃદ્ધ વારસાને આધુનિક રંગમાં રજૂ કરે છે, જે યુવા પેઢી અને પરંપરાગત સંગીતના ચાહકો બંનેને આકર્ષી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક ફલક પર ગુજરાતી સંગીત
“વણઝારા”નું ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોન્ચ થવું એ ગુજરાતી સંગીતની વૈશ્વિક પહોંચનું પ્રતીક છે. આ ગીત ન માત્ર ગુજરાતી સંગીતની સમૃદ્ધિને ઉજાગર કરે છે, પરંતુ ગુજરાતી કલાકારોની સર્જનાત્મકતા અને નવીનતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.

આચાર્ય ડૉ. શ્યામ સુરેશ નું વૈશ્વિક માનવતાવાદી મિશન: ભૂખ્યું ના રહે કોઈ.
સુરતના નાગરિકોના હૃદયમાં, સાંઈ મંદિર સંસ્થાન શ્રદ્ધાના શક્તિશાળી પ્રતીક તરીકે ઉભરી આવ્યું છે, જ્યાં ભોજન ફક્ત જરૂરિયાત નથી – તે પ્રેમ અને સ્વ-ઉત્થાનનો પ્રસાદ છે.
આચાર્ય ડૉ. શ્યામ સુરેશ ના નિઃસ્વાર્થ માર્ગદર્શન થકી, સાઈ મંદિર સંસ્થાન, ગુજરાતના સૌથી પ્રભાવશાળી અન્ન રાહત સેવા કેન્દ્રોમાંનું એક બની ગયું છે, જે આધ્યાત્મિકતાને સુસંગઠિત કરી માનવતાવાદી સેવા સાથે જોડે છે.
2019 માં શરૂ કરાયેલ, મંદિરની મુખ્ય પહેલ – સાંઈ ભંડારા સેવા – દરરોજ સવારે 9 થી રાત્રે 8 વાગ્યા સુધી નોન-સ્ટોપ ગરમ, આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે છે, જે ગુરુવાર અને રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી લંબાવવામાં આવે છે. દર અઠવાડિયે, સંસ્થા ગુરુવાર અને રવિવારે 4,000+, શનિવારે 3,000+ અને અઠવાડિયાના દિવસોમાં 1,000+ થી વધુ ભોજન પીરસે છે – આ સેવા, સાઈ મંદિર સંસ્થાનના બધા મુલાકાતીઓને પ્રેમ પૂર્વક અને જાત પાત, ધર્મ ના ભેદભાવ વગર નિશુલ્ક પૂરું પાડવામાં આવે છે,

આચાર્ય ડૉ. શ્યામ સુરેશા એ જણાવ્યું હતું કે, “સૌથી ધનિક ભક્તો પણ ગરીબ ભક્તો સાથે બેસીને શ્રી સાંઈ બાબાના ભંડારાનો આનંદ માણે છે, ભોજન દિવસમાં ત્રણથી ચાર વખત તૈયાર કરવામાં આવે છે જેથી અમે ગરમ, તાજો અને સાત્વિક અન્ન પ્રસાદ પીરસીએ છીએ. આ ઉપરાંત અમે કાચા માલ અને ચેરિટી કિચનના ઓટોમેટીક મશીનોની સતત અને નિયમિત તપાસ કરીએ છીએ, જેથી અત્યંત હાઈ જેનિક અન્ન સેવા કરી શકીએ.
35 વર્ષથી વધુ સમયથી, આચાર્ય ડૉ. શ્યામ સુરેશ એ શ્રી સાંઈ બાબા પ્રત્યે સંપૂર્ણ ભક્તિભાવથી જીવન જીવ્યા છે, સાઈ બાબાનો સંદેશ અન્ન સેવા એ સૌથી મોટી સેવા છે એ સંદેશ હજારો લોકો સુધી પહોચાડ્યો છે. સાઈ સેવાદાર ટીમ ના સભ્યો ના સહયોગ થી આ સેવા ‘ભુખ્યોના રહે કોઈ’
સફળતા પૂર્વક ચાલી રહી છે.

“મહારાણી” નું ટ્રેલર રિલીઝ – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી
Gujarat – ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણી નું બહોળી આતુરતાથી રાહ જોવાતું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે અને તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેલર ફિલ્મની મુખ્ય અભિનેત્રી માનસી પરેખના જન્મદિન પર રિલીઝ થયું છે. જેને લઈને ફિલ્મપ્રેમીઓએ ડબલ સેલિબ્રેશન કર્યું.
મહારાણી ફિલ્મની કથા રાણી (શ્રદ્ધા ડાંગર) આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘર ના માલિક – માનસી પરેખ અને ઓજસ રાવલ ના જીવન ની વાર્તા છે. રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં કયારેક હાસ્યનો વિષય બને છે તો કયારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે.
ફિલ્મ વિશે વાત કરતાં, અભિષેક પાઠક, પ્રોડ્યૂસર અને એમ.ડી., પેનારોમા સ્ટુડિયોઝે કહે છે કે, “પેનારોમા સ્ટુડિયોઝમાં અમે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકો સુધી એવી કહાનીઓ લાવીએ જે પ્રત્યેક સામાન્ય ભારતીય સાથે સંકળાયેલી હોય. અમને આનંદ અને ગર્વ છે કે અમે એવી ફિલ્મોને સહારો આપી રહ્યા છીએ જે સામાન્ય ક્ષણોમાંથી હાસ્ય અને લાગણી શોધી કાઢે છે. ‘મહારાણી’ લાગણીસભર છે, મનોરંજક છે અને ખાસ તો એ, કે રીયલ છે. એક શાનદાર કાસ્ટ અને દરેક ઘરનું પ્રતિબિંબ એવી કહાની સાથે, અમે દેશભરના દર્શકો માટે આ દિલથી હસાવતી કોમેડી પ્રસ્તુત કરવા ઉત્સુક છીએ.”
કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પરેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે. ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનું સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય, ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજક કહાની આગળ વધે છે.
ફિલ્મના ડિરેક્ટર, વિરલ શાહ, વ્યક્ત કરે છે કે, “‘મહારાણી’ એવા સંબંધો નો ઉત્સવ છે જેના વિશે ખૂબ ઓછી વાત થાય છે – જે રસોડામાં, લિવિંગ રૂમ માં અને સામાન્ય ચા ના કપ સાથેના મૌન માં છાની રીતે ઘણું કહી જાય છે. આ ફિલ્મ એ ખૂબ જ હળવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ કહાની કહે છે. જાણે સૌના જીવનનો એક ટુકડો લઈ લખી હોય તેવી આ કોમેડી ફિલ્મ ઘરની માલકીન અને ઘરની કામવાળી વચ્ચેના અનોખા બંધન વિશે ઘણું કહી જાય છે. આ કહાની છે ભાન કરાવે છે કે જે આઝાદી અને સગવડ આપણે અનુભવીએ છીએ તેની પાછળ આપણા જીવનના અમુક મજબૂત પાયા સ્વરૂપ લોકોનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. એક એવી નરમ અને લાગણીસભર કહાની.. જે કહેવી જરૂરી છે.”
ફિલ્મ વિશે માનસી પારેખ કહે છે, “આ ફિલ્મ પર કામ કરતાં મને સમજાયું કે ખરેખર આપણા ઘરની કામવાળી સાથે નો આપણો સંબંધ અતુલ્ય અને બેજોડ છે. ‘મહારાણી’ સ્ત્રી મિત્રતા, આત્મમુલ્ય અને આત્મપ્રેમને પણ મોટા પરિપ્રેક્ષ્યમાં સ્પર્શે છે. આ એક એવી કહાની છે જે સામાન્ય જીવન પર બનેલી એક અદભુત વાત કહી જાય છે. અનેક પ્રતિભાશાળી કલાકારો અને વિરલ જેવા ડિરેક્ટર સાથે કામ કરવું સ્વપ્ન સમાન અનુભવ રહ્યો. મારુ પાત્ર, માનસી, કોઈ પણ સ્વતંત્ર વર્કિંગ વુમન જેવું જ છે – જીવન રોજ નવા ચેલેન્જીસ લાવે છે અને તે પોતાની રીતે તેનું ઉત્તમ રીતે સામનો કરે છે. શ્રદ્ધા સાથે કામ કરવામાં ખૂબ મજા પડી અને જેમ જેમ અમે આ જર્ની માં આગળ વધ્યા તેમ તેમ અમારી વચ્ચે એક ગહન મિત્રતા વિકસી છે જે સ્ક્રીન પર અવશ્ય દેખાશે. હું આતુર છું કે દર્શકો આ ફિલ્મ જોવે અને થિયેટરમાંથી કંઈક મૂલ્યવાન શીખ લઈને નીકળે.”
ફિલ્મ વિશે શ્રદ્ધા ડાંગર કહે છે, “‘મહારાણી’ એક સાધારણ જીવન પર અસાધારણ રીતે લખાયેલી કહાની છે, જે અનેક સ્તરે વ્યક્તિગત રીતે મને જોડે છે. રાણીનું પાત્ર શક્તિ અને આત્મજ્ઞાન દર્શાવે છે. ફિલ્મનો મુખ્ય તત્વ કોમેડી છે અને હું આનો એક ભાગ બની શકી તેનો મને ખૂબ આનંદ છે. માનસી સાથે કામ કરવાનો અનુભવ અદભુત રહ્યો. અમે સાથે મળીને ક્રિએટિવ પ્રોસેસ શેર કરી અને એક એવી મિત્રતા બંધાઈ ગઈ છે જે સ્ક્રીન પર તેમજ સ્ક્રીન બહાર લોકોને જરૂર દેખાશે. ‘મહારાણી’ એક અનોખી ફિલ્મ છે અને મને આશા છે કે દર્શકો આ ફિલ્મનો પુરેપુરો આનંદ લેશે.”
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’ નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવા મા આવેલ છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો પ્રોડ્યૂસર્સ છે – મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા .
ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહએ દિગ્દર્શન આપ્યું છે, જ્યારે કહાની રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે. મહારાણી એ એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેની ઘરકામ માટેની કામવાળી વચ્ચેના સૂક્ષ્મ પણ ખાસ સંબંધને હળવા હાસ્ય અને ડ્રામા સાથે રજૂ કરે છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે.
કામેડી, ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે.

રાજહંસ સિનેમાએ દિવ્યાંગ બાળકો માટે “સિતારે જમીન પર” ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન કર્યું
રાજહંસ સિનેમા-ગ્રુપની આ પહેલના સૌ કોઈએ ખૂબ જ વખાણ કર્યા હતા અને સમાજમાં સહિયારા પ્રયાસ વડે ખુશી અને આશાનું અજવાળું ફેલાવવાના તેમના આયોજને દિવ્યાંગ બાળકો સહિત બધા ફેન્સના દિલ જીતી લીધા હતા
સુરત : રાજહંસ સિનેમાએ શહેરના દિવ્યાંગ બાળકો માટે “સિતારે જમીન પર” ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનીંગ આયોજીત કરીને માનવતા અને કરુણાનો હૃદયસ્પર્શી ઉમદા સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમ રાજહંસ સિનેમા, વેસુ અને રાજહંસ સિનેમા, કતારગામ, સુરત ખાતે યોજાયો હતો. આ યાદગાર અનુભવનો ભાગ બનવા માટે આનંદ સ્પેશિયલ સ્કૂલ ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ અને દીપ સ્પેશિયલ એજ્યુકેશનલ ટ્રસ્ટના બાળકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજહંસ સિનેમા-ગ્રુપ, સમાજના દરેક તબક્કાના લોકોની સહભાગીતા અને મનોરંજન સ્ક્રીનની આગળ વધીને આનંદ-ઉલ્લાસ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. તેના ભાગરૂપે યોજાયેલી, આ પહેલ બધાને સામેલ કરવાની વૃત્તિને પ્રોત્સાહન આપવા અને તમામ લોકો માટે અર્થપૂર્ણ, આનંદદાયક અનુભવો બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
અહીં કાર્યક્રમ દરમિયાન, હાસ્ય અને પ્રેરણાથી ભરેલા વાતાવરણ સાથે, ખરેખર બાળકોએ સિનેમાના જાદુનો અદ્ભુત અને યાદગાર અનુભવ કર્યો હતો. ઓડિટોરિયમ ખાસ કરીને તેમના આરામ અને સરળતા માટે ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સ્વયંસેવકો અને સ્ટાફના સભ્યોએ દરેક બાળકના સ્વાગત અને દેખરેખની પૂરી કાળજી લીધી હતી.
આ પ્રસંગે, રાજહંસ સિનેમાના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે, સિનેમામાં એકજૂટ કરવાની, વ્યક્તિને દુખ-દર્દમાથી બહાર લાવવાની અને પ્રેરણા આપવાની શક્તિ છે. આ સ્પેશિયલ સ્ક્રીનીંગનું આયોજન, એ વાસ્તવમાં સહિયારા અનુભવો બનાવવા તરફ એક નાનું પગલું છે, જે દરેક હૃદયમાં સ્મિત અને આનંદ લાવે છે.”
ફિલ્મના સ્ક્રીનીંગમાં બાળકો સાથે આવેલા માતા-પિતા, શિક્ષકો અને તેમની સંભાળ રાખનાર વ્યક્તિઓ દ્વારા આ પહેલની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. અનેક લોકોએ સિનેમાને બધા માટે સુલભ બનાવવા માટે કરવામાં આવેલા આ વિચારશીલ ઉમદા પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ ખાસ સ્ક્રીનિંગના આયોજન સાથે, રાજહંસ સિનેમાએ ફરી એકવાર માત્ર એક મુખ્ય મનોરંજન સ્થળ તરીકે જ નહીં, પરંતુ સહાનુભૂતિ, સર્વગ્રાહી અને સામાજિક જવાબદારી માટે જાણીતી બ્રાન્ડ તરીકે તેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

પ્રોગ્રેસ એલાયાન્સ દ્વારા સફલ કાર્યક્રમ હેઠળ 350 કંપનીઓના ૫000 હજારથી વધુ કર્મચારીઓનું સન્માન
સુરતમાં એક સાથે ત્રણ જગ્યા સહિત અમદાવાદ, વડોદરા, ભાવનગર અને અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
સુરત. કોઈ પણ કંપનીની સફળતા પાછળ તે કંપનીમાં કામ કરતા કર્મચારીઓનું મોટી યોગદાન હોય છે. ત્યારે કર્મચારીઓને પણ યોગ્ય સન્માન મળે અને તેઓને કંપની એક પરિવાર છે અને માલિકોથી માંડીને તમામ કર્મચારીઓ એ પરિવારના સભ્યો છે તેવી અનુભૂતિ થાય તે માટે પ્રોગ્રેસ એલાયાન્સ સંસ્થા દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા સફલ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવાં અનોખા અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 5 અને 6 જુલાઈના રોજ યોજાયેલ આ કાર્યક્રમ અંતર્ગત 350 થી વધુ કંપનીઓના 5000 થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગે પ્રોગ્રેસ એલાયાન્સના પર્વક્તા એ જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયાન્સ હંમેશા તેના મેમ્બરોને વ્યાપાર ઉદ્યોગમાં આગળ વધવા માર્ગદર્શન અને પૂરતો સપોર્ટ તો આપે જ છે પરંતુ સભ્યોમાં પરિવારની ભાવના પણ પ્રબળ બને તે માટે પણ વિવિધ આયોજન કરતું રહે છે.

જે અંતર્ગત જ પ્રોગ્રેસ એલાયાન્સ સાથે જોડાયેલી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ પણ પ્રોત્સાહિત થાય એવા ઉદ્દેશ્ય સાથે પ્રોગ્રેસ એલાયાન્સ દ્વારા સુરતના સીરવી સમાજની વાડી, વેસુ વિજયા લક્ષ્મી હોલ અને સિટીલાઈટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે સફલ શીર્ષક હેઠળ કર્મચારીઓને સન્માનિત કરવાં 5 અને 6 જુલાઈના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત સાથે જ અંકલેશ્વર, અમદાવાદ, વડોદરા અને ભાવનગર ખાતે પણ આજ સમયે કાર્યક્રમો આયોજિત કરાયા હતા. સુરત ખાતે ત્રણેય જગાએ અને બહારના સિટી મળી 350 થી વધુ કંપનીઓમાં કામ કરતા 5000 થી વધુ કર્મચારીઓને એવોર્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓનું સન્માન થતા તેઓ અને તેઓના પરિવારજનો પણ ભાવવિભોર થઈ ગયા હતા અને આ પ્રકારના આયોજન માટે પ્રોગ્રેસ એલાયાન્સનો આભાર માણ્યો હતો.

આઈઆઈએફડીનું બે દિવસીય અરાસા ઈન્ટિરિયર ડિઝાઈન અને ગાબા ફેશન ડિઝાઈન એક્ઝિબિશનનું આયોજન
સુરત: જાણીતા ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટ આઈઆઈએફડીનું વાર્ષિક ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન એક્ઝિબિશન “અરાસા” અને “ગાબા”નું આયોજન 5 અને 6 જુલાઈના રોજ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનનો પ્રારંભ શનિવારથી વેસુ ખાતે રીગા સ્ટ્રીટના શાંતમ હોલમાં થયો છે.
આઈઆઈએફડી સુરતના સ્થાપક નિદેશક મુકેશ મહેશ્વરીએ જણાવ્યું કે, 2014થી ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઈન (IIFD), સુરત, ગુજરાતમાં ડિઝાઈન શિક્ષણનું એક મજબૂત આધારસ્તંભ બની ગયું છે. IIFD સુરતે ફેશન ડિઝાઈન, ઈન્ટિરિયર ડિઝાઈન, ગ્રાફિક ડિઝાઈન અને ઈવેન્ટ મેનેજમેન્ટમાં ઉભરતા પ્રોફેશનલ્સને સતત પ્રોત્સાહન આપ્યું છે.
આ સંસ્થાના વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી છેલ્લા 11 વર્ષથી આઈઆઈએફડી દ્વારા વાર્ષિક ઈન્ટિરિયર એન્ડ ફેશન ડિઝાઈન એક્ઝિબિશન “અરાસા” અને “ગાબા”નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 5 અને 6 જુલાઈના રોજ આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.શનિવારે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ છોટુભાઈ પાટીલ, લક્ષ્મીહરિ ગ્રૂપના માલિક વિનોદ અગ્રવાલ અને આઈઆઈએફડીના સહ-નિદેશક પલ્લવી મહેશ્વરીની ઉપસ્થિતિમાં એક્ઝિબિશનનો શુભારંભ થયો હતો.આ વર્ષે આઈઆઈએફડીના પ્રખ્યાત ઈન્ટિરિયર પ્રદર્શન “અરાસા”માં 75 વિદ્યાર્થીઓ દ્વારા સ્વ-ડિઝાઈન અને નિર્મિત ઘર, કોમર્શિયલ અને આઉટડોર સજાવટની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. જેમાં જ્યામિતીય આર્કિટેક્ચર સાથે રણની આધુનિકતા, વાઈબ્રન્ટ મેક્સિકન ઉત્સવથી પ્રેરિત ફર્નિચર, બાંધણીની પરંપરાગત હસ્તકલાને આધુનિક ડિઝાઈનમાં ઢાળવામાં આવી છે.

કાળા અને હળવા રંગનું ફર્નિચર, જાપાની ઝેન ઈન્ટિરિયર ડિઝાઈન જે સાદગી અને પ્રકૃતિથી પ્રેરિત છે, વેવહાઉસ જે પ્રાકૃતિક પ્રવાહ અને શુદ્ધ રચનાઓનું મિશ્રણ છે, મૂર્તિમય ફર્નિચર, ડિટેચેબલ અને બહુ-કાર્યાત્મક ડિઝાઈનવાળું આધુનિક ફર્નિચર સામેલ છે.ઈન્ટિરિયર પ્રદર્શનની સાથે-સાથે, “ગાબા” નામનું ફેશન એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 175 ડિઝાઈનર વિદ્યાર્થીઓએ તેમના કલેક્શન પ્રદર્શિત કર્યા છે. આ પશ્ચિમી અને ઈન્ડો-વેસ્ટર્ન પરિધાનો પર આધારિત છે, જે આગામી ફેશન ટ્રેન્ડ્સ અને સ્ટાઈલ્સને પ્રતિબિંબિત કરે છે.

એક્ઝિબિશનનું આયોજન ચોથા માળે, રીગા સ્ટ્રીટ, રાજહંસ ઝાયનની સામે, જી. ડી. ગોયન્કા રોડ, વેસુ, IIFD, સુરત ખાતે કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન 5 અને 6 જુલાઈ 2025ના રોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે. આ પ્રદર્શનની ખાસ વાત એ છે કે અહીં પ્રદર્શન જોવાની સાથે ખરીદી પણ કરી શકાશે.

સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા રેકોર્ડબ્રેક 10,500 કિમીની ઇલેક્ટ્રિક વાહન રાઇડનું આયોજન
સુરત. સુરતના પાંચ યુવાઓની ટીમ દ્વારા ભારતની અત્યાર સુધીની સૌથી લાંબી ઇલેક્ટ્રિક વાહન (ઇવી) રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ ટીમ મંગળવારે સવારે સુરતથી પ્રસ્થાન કરશે અને દેશના 21 શહેરોને આવરી લેતી 10,500 કિલોમીટરની આ રાઇડ દ્વારા પર્યાવરણ જાગૃતિ અને ટકાઉ વિકાસનો સંદેશ ફેલાવશે.
આ રાઇડનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મિશન લાઇફ’થી પ્રેરિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવો અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને પ્રોત્સાહન આપવું છે. આ રાઇડ દ્વારા યુવાનો લોકોમાં ઇવીના ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરશે, જેથી વધુને વધુ લોકો ફોસિલ ઇંધણ પર નિર્ભરતા ઘટાડી ટકાઉ વિકલ્પો અપનાવે.

આ ઐતિહાસિક રાઇડમાં યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs)ને પણ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. રાઇડ દરમિયાન ગરીબી નાબૂદી, ઝીરો હંગર, આરોગ્ય, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સ્વચ્છ પાણી તથા સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ટીમ આ રાઇડ દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યોને પ્રોત્સાહન આપશે, જેમાં સ્વચ્છતા અભિયાનો, શૈક્ષણિક કાર્યક્રમો અને સમુદાય સાથે સંવાદનો સમાવેશ થશે.
આ રાઇડમાં સામેલ યુવાનોમાં હેનિલ નિર્બાન, યશ ચોપડા, સાંઇનાથ ભાસ્કરન, યોગિતા નિર્બાન અને વરદ નિર્બાનનો સમાવેશ થાય છે. આ ટીમના જુસ્સા અને સમર્પણથી આ રાઇડ માત્ર પર્યાવરણ જાગૃતિ જ નહીં, પરંતુ સામાજિક પરિવર્તનનું પણ માધ્યમ બનશે. હેનિલ નિર્બાને આ તબક્કે કહ્યું હતું કે “હું વર્ષોથી વૃક્ષારોપણ કરતો રહ્યો છું અને મને લાગતું હતું કે એજ મારી જવાબદારી છે. પરંતુ પિતૃત્વના દિવસે મને સમજાયું કે માત્ર ઝાડ વાવવું પૂરતું નથી પણ દુનિયાને જીવવાની રીત બદલવાની જરૂર છે. ટકાઉપણું એ ફક્ત પૃથ્વી માટે નથી પણ ભવિષ્યની પેઢી માટે આપણું વારસો છે અને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે. એટલે કે આ યાત્રા ફક્ત આજ માટે નહીં પણ આવતીકાલ માટે છે.

આ ભવ્ય આયોજનને એસ આર કે ગ્રૂપ, ગોલ્ડી સોલર, લુથરા ગ્રૂપ, લેન્ડમાર્ક ગ્રૂપ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થા જેવા પ્રતિષ્ઠિત સ્પોન્સર્સનો સહયોગ મળ્યો છે. આ સંસ્થાઓના સમર્થનથી આ રાઇડની સફળતા માટેનો મજબૂત પાયો તૈયાર થયો છે.આ રાઇડ ન માત્ર ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપશે, પરંતુ ભારતના યુવાનોની નવીન ઉર્જા અને સામાજિક જવાબદારીનું પ્રતીક પણ બનશે. આ યાત્રા દેશભરમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસના મહત્વને ઉજાગર કરશે, અને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરીને સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજતું કરશે.

ડૉક્ટર્સ ડેના અવસરે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને સખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
સુરત: ભારતની નંબર ૧ સ્કિન ક્લિનિક ચેઇન – સખિયા સ્કિન ક્લિનિક દ્વારા ડૉક્ટર્સ ડેના અવસરે રવિવારના રોજ વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA) દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં 101 સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉમંગપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કર્યું.
સખિયા સ્કિન ક્લિનિકના ચીફ ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખિયાએ જણાવ્યું કે, 1 જુલાઈની તારીખે સમગ્ર વિશ્વમાં ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. એ દિવસે તબીબી ક્ષેત્રે યોગદાન આપનારા ડોક્ટર્સ આભાર માનવો સાથે સાથે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે IMA સુરત દ્વારા રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેના અનુસંધાનમાં સખિયા સ્કિન ક્લિનિક દ્વારા સુરત શહેરમાં વરાછા વિસ્તાર માં રક્તદાન શિબિર યોજાઈ હતી , કિરણ હોસ્પિટલના સહયોગથી, રવિવારે વલ્લભાચાર્ય કમ્યુનિટી હોલ, હીરાબાગ, નવસારી રોડ, વરાછા ખાતે પણ વિશાળ રક્તદાન શિબિર સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું .
શિબિરમાં સખિયા સ્કિન ક્લિનિકના દર્દીઓ અને શહેરના યુવાનોને રક્તદાન માટે આમંત્રણ અપાયું હતું. સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધી યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું.
સખિયા સ્કિન ક્લિનિક તરફથી રક્તદાતાઓ માટે જમવાનુ, પાણી,જુઈસ અને હેલ્થ ચેકઅપની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
ડૉ. જગદીશ સખિયાનું કહેવું છે કે,
“સમાજમાં રક્તદાનની મહત્વતા લોકો સુધી પહોંચવી જોઈએ, જેથી આવશ્યક સમયે કોઈ વ્યક્તિને રક્તની અછત ન પડે.”

સુર અને પ્રતિભાનું ઉજવણી: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સોલો સિંગિંગ સ્પર્ધા
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સંગીતની મધુર તાલે વાતાવરણ આનંદ અને ઉર્જાથી છલકાયું, જ્યારે શાળાએ ઘણા સમયમાં રાહ જોવાતી સોલો સિંગિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓની અવાજની પ્રતિભા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ઉજાગર કરવા માટેનું આ એક સુંદર મંચ બની રહ્યું.
આ સ્પર્ધાને ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવી — પ્રી-પ્રાયમરી, પ્રાયમરી અને માધ્યમિક — જેથી દરેક ઉંમરના વિદ્યાર્થીઓને પોતાનો અવાજ દુનિયા સુધી પહોંચાડવાનો અવસર મળી શકે. નાનકડી બાળગીતોથી લઈને ભક્તિ ગીતો, શાસ્ત્રીય સંગીત અને લોકપ્રિય ગીતોની સુમધુર રજૂઆતો એ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા.
પ્રી-પ્રાયમરી વિદ્યાર્થીઓએ તેમની નિર્વિઘ્ન નિર્દોષતાથી સૌનું દિલ જીતી લીધું. પ્રાયમરી વિભાગના બાળકોમાં આત્મવિશ્વાસ અને સંગીતની સમજણ જોવા મળી, જ્યારે માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ સૂરમાં ન્યાય આપી અભિનય, લય અને ભાવભરી રજૂઆતથી સૌને આશ્ચર્યચકિત કર્યા.

આ ખાસ પ્રસંગે અમારામાનનીય મુક્ય મહેમાન અને જજ તરીકે હાજર રહ્યા શ્રી રાકેશ ગોપાલભાઈ દાનેજ, જે એક વિશ્રત આંતરરાષ્ટ્રીય કલાકાર, ગુજરાતના શ્રેષ્ઠ ગાયક, અને 27 વર્ષથી વધુનો સંગીતક્ષેત્રનો અનુભવ ધરાવતા સંગીતકાર છે. તેમણે માત્ર સ્પર્ધાનો ન્યાય નહીં કર્યો પણ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક ટિપ્પણીઓ આપી અને સંગીતમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું.
આ અવસરને વધુ ગૌરવમય બનાવ્યું અમારી માનનીય પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીના માર્ગદર્શન અને ઉપસ્થિતિએ, જેમણે હંમેશાં શાળામાં સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે સંગીત જેવી લલિત કળાઓ વિદ્યાર્થીના આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને ઘનિષ્ઠ બનાવે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની કદર કરી.
તાળીઓની ગૂંજ, ખુશીભરી સ્મિતો અને સુમધુર અવાજ સાથે સોલો સિંગિંગ સ્પર્ધાનો સમાપન પણ એટલો જ મધુર રહ્યો. આ માત્ર સ્પર્ધા નહીં, પણ સંગીતની માધુર્ય અને વિદ્યાર્થીની છુપાયેલી પ્રતિભા ઉજાગર કરવાનો એક પવિત્ર પ્રયત્ન હતો — જેનાથી સમગ્ર વ્હાઇટ લોટસ પરિવાર સંગીતના એકતાના બંધનમાં બંધાઈ ગયો.

સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ, IKISHA જવેલર્સ નો ભવ્ય શુભારંભ
સુરત : ભારતમાં ડાયમંડ કેપિટલ તરીકે વિખ્યાત સુરત શહેરમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ – IKISHA જ્વેલર્સનો ભવ્ય શુભારંભ થયો છે. આ શાનદાર લોન્ચીંગ, લક્ઝુરીયસ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડના પસંદગીકારો માટે રોમાંચક ઈવેન્ટ હતી.
IKISHA જ્વેલર્સ ભવ્યતા, વ્યક્તિત્વ અને નૈતિક વૈભવમાં વિશ્વાસ ધરાવે છે. તેના ડિઝાઈનર જ્વેલરી કલેકશન લક્ઝરીનો પર્યાય છે. IKISHA જ્વેલર્સ એક બ્રાન્ડ જ નથી, પરંતુ વાસ્તવમાં તે એક આધુનિક મહિલાની વાર્તા છે, જેનું વર્ણન હીરા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, જે અન્ય બીજા કરતાં કઈક જુદી તરી આવવાની હિંમત કરે છે.
સુરતમાં આજે શરૂ કરવામાં આવેલું ફ્લેગશિપ બુટિક, એક નવીન ડિઝાઇનયુક્ત ભાષાની શરૂઆતનું પ્રતીક છે. જ્યાં કલાકૌશલ્ય એ ખરેખર, સાહસિક અને અર્થપૂર્ણ ડિઝાઇન સાથે સુંદર રીતે ભળે છે, જે મનમોહક ડિઝાઈનર પ્રોડક્ટ રજૂ કરે છે.

આ લોન્ચીંગમાં IKISHA ની ભવિષ્યવાદી બ્રાન્ડ ફિલ્મનો પ્રીમિયર પણ સામેલ હતો. જેની કલ્પના અને તેના પર અમલ પ્રખ્યાત અલૌકિક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમાં સ્ટોર ડિઝાઇનિંગ અને પેકેજિંગથી લઈને વાર્તા કહેવા અને દ્રશ્યની ઓળખ સુધી, દરેક તત્વ એક વિચારશીલ, ઈનોવેટીવ અભિગમ દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, શહેરભરમાં પ્રભાવશાળી હોર્ડિંગ્સ અને ઉચ્ચસ્તરીય વિઝિબિલિટીના દ્રશ્યો સાથે, IKISHA જ્વેલર્સ બ્રાન્ડ પહેલેથી જ સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. જેને વાસ્તવમાં વર્ષ 2025 ના સૌથી વધુ ચર્ચિત બ્રાન્ડ લોન્ચમાંનું એક માનવામાં આવે છે.