ગરીબ બાળકો માટે કાર્ય કરતી સંસ્થા ભરારી ફાઉન્ડેશન દ્વારા આજે નવા કાર્યક્રમ વિશે ચર્ચા કરાઈ

A new program was discussed today by Bharari Foundation, an organization working for poor children
Spread the love

ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોના માટે કાર્ય કરતી અને શિક્ષા ક્ષેત્રમાં કાર્યરત નિરપેક્ષ ફાળો આપતી સંસ્થા ભરારી ફાઉન્ડેશન દ્વારા આજે ફાઉન્ડેશનના સભ્યોની મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં ફાઉન્ડેશનમાં ચાલતી શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ચર્ચા કરવામાં આવી. કાર્યકારિણીની મંડળ સમય પૂર્ણ થવા અંગે તેમજ સૌના સંમતિથી નવા કાર્યકારિણી મંડળની રચના અંગે નિર્ણય લેવામાં આવ્યો. તેની સાથે સાથે દર વર્ષે ભરારી ફાઉન્ડેશન દ્વારા લેવામા આવતી સામાન્ય જ્ઞાન પરીક્ષા 2024 આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ ફાઉન્ડેશનના સદસ્યશ્રી મહેન્દ્ર જગન્નાથ ખંગાર ( ન.પ્રા.શિક્ષક , સુરત મહાનગરપાલિકા ) એમને શિક્ષા ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ કાર્યો અને યોગદાનને ધ્યાને રાખી લખનઉ , ઉત્તરપ્રદેશ ખાતે ” ગીજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન ૨૦૨૪ ” થી સન્માનિત કરવામાં આવશે.તેથી ભરારી ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી નિતીન સૈદાણે જી દ્વારા સંસ્થા વતી તેમનો સન્માન કરી હાર્દિક શુભેચ્છા આપવામાં આવી. તેની સાથે સાથે સૌ. રજીથા મિટકુલ ( આચાર્યા, અર્ચના વિદ્યાનિકેતન ) તેમજ શ્રી ચંદુભાઈ ભાલીયા ( શિક્ષક)એમને શિક્ષા ક્ષેત્રે આપેલ યોગદાન માટે ફાઉન્ડેશન દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી.