Posts by: Amit Patil

Opposition Leader Payal Sakaria's demand for spraying of disinfectants and payment of financial assistance to the affected to prevent epidemics due to pollution due to regular operation of pre-monsoon.
પ્રિમોન્સુનની રેઢીયાળ કામગીરીને કારણે ગંદકી થવાથી રોગચાળો ફાટી ન નીકળે તે હેતુસર સફાઇ-દવાના છંટકાવ તથા અસરગ્રસ્તોને આર્થિક સહાય ચુકવવા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની માંગ

 

અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ : પાયલ સાકરીયા

સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલને પત્ર લખીને જણાવ્યું હતું કે સુરત મનપા દ્વારા સુપરવિઝનના અભાવે અને કાગળ પર કરેલ પ્રિમોન્સુનની કામગીરીના કારણે વરાછા ઝોન-એ અને બી, લિંબાયત તેમજ ઉધના ઝોનના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓમાં પુરનું જીવલેણ સંકટ ઉદભવેલ. જેમાં 4 નિર્દોષ લોકોના ડુબવાની ઘટનામાં 2 આશાસ્પદ બાળકોના મૃત્યુની દુઃખદ ઘટના બનેલ તથા બે વ્યકતિ લાપતા છે.

આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વહીવટીતંત્રની બેદરકારી અને માત્ર કાગળ પર થતી કામગીરીના કારણે ખાડીને સંલગ્ન વિસ્તારોમાં ખાડીના ગંદા અને દુર્ગંધ મારતા પાણી ફરી વળેલ હતા તેમજ લિંબાયતના મીઠીખાડી તથા આજુબાજુના વિસ્તારોમાં, સણીયા હેમાદ તથા સંલગ્ન વિસ્તારમાં, વેડ-ડભોલી વિસ્તાર, તેમજ અઠવામાં આઝાદ નગર તથા સંલગ્ન વિસ્તારોમાં અંદાજે 10 ફુટ સુધીનો ગંદા પાણીનો ભરાવો થયેલ. પરિણામે લોકોની ઘરવખરીનો અને માલસામાનનો નાશ થયેલ છે અને લોકોનું જીવન નર્કાગાર સમાન બની ગયુ હતું. ઉપરાંત ખાડીપુરના કારણે ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીનો ભરાવો શહેરના વિવિધ વિસ્તારોના જાહેર માર્ગો થતા સમગ્ર શહેર છેલ્લાં ત્રણથી ચાર દિવસથી વરસાદી, ગટર તથા ખાડીના માનવસર્જીત પુરના કારણે બાનમાં આવી ગયેલ હતું.

વધુમાં પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, હાલમાં, વરસાદી પાણી બંધ થતા ખાડીઓના પાણી ઉતરી રહેલ છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકી-કચરા અને મચ્છરોનો ઉપદ્રવ તથા દુર્ગધનો ત્રાસ વધતા રોગચાળાની સંભવિત સમસ્યાને ટાળવા યુઘ્ધના ધોરણે તમામ ગંદકીને દુર કરીને સઘન સાફ સફાઇ, દવાનો છંટકાવ તથા મેડીકલ ટીમો ઉતારીને આરોગ્યની જાળવણી કરવા કમિશ્નરને જણાવ્યું હતું.

ઉપરાંત, પ્રિમોન્સુનની વહીવટી કામગીરીની નિષ્ફળતાને કારણે ખાડીપુર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં ગરીબ અને મઘ્યમવર્ગના લોકોની ઘરવખરી તથા સરસામાનનો નાશ થયેલ હોવાથી તેમને આર્થિક સહાય આપવી પાલિકાની ફરજ બને છે, જે અંગે જરૂરી સર્વે કરીને આર્થિક સહાયની ચુકવણી કરવા ઘટતી કાર્યવાહી કરવા પાયલ સાકરીયાએ મ્યુનિ. કમિશ્નરને તાકીદ કરી હતી.

Schools across Surat are spearheading the Preventive Student Mental Wellbeing Revolution with ConsciousSleep Wellspire Partnership
સમગ્ર સુરતની સ્કૂલો કોન્શિયસલીપ વેલસ્પાયર પાર્ટનરશિપની સાથે પ્રિવેન્ટિવ સ્ટુડન્ટ મેન્ટલ વેલબિઇંગ રેવોલ્યૂશનું નેતૃત્વ કરી રહ્યું છે

 

વિદ્યાર્થીઓની સુખાકારીને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલમાં સુરતની સ્કૂલ્સમાં કરવામાં આવી છે. કોન્શિયસલીપ્સ વેલસ્પાયરની સાથે પોતાની પાર્ટનરશિપના માધ્યમથી એક પહેલ કરી છે, જે વિદ્યાર્થીઓમાં સર્વગ્રાહી સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત એક ઇનોવેટિવ પ્રોગ્રામ છે. સમગ્ર સ્કૂલ્સમાં આ સહયોગ એકેડમિક પ્રેસરથી માંડીને મેન્ટલ હેલ્થની વધતી જતી ચિંતાઓ સુધીના મલ્ટિપલ પડકારોનો સામનો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

પ્રિવેન્ટિવ મેન્ટલ હેલ્થમાં વેલસ્પાયરનો વ્યાપક દૃષ્ટિકોણ વિદ્યાર્થીઓને ભાવનાત્મક, માનસિક અને શારીરિક રીતે ખીલવા માટે જરૂરી સાધનો અને સંસાધનો સાથે સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સુરતની સ્કૂલોમાં કાર્યક્રમની વધતી લોકપ્રિયતાની સાથે વેલસ્પાયરને વ્યપાક દર્શકો સુધી પહોંચ પ્રાપ્ત થઇ છે, જેમાં આ વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવા અને સ્કૂલ કોમ્યુનિટી પર વધુ પ્રભાવ પાડવા માટે સક્ષમ બની ગયું છે.

શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય સુરત શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪  માટે વેલસ્પાયરનું પાઇલટ પાર્ટનર રહ્યું છે. એચવી સ્વામિનારાયણના ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે,“ હું એ અદ્ભુત અનુભવ શેર કરવા માંગુ છું, જે મને અને મારા વિદ્યાર્થીઓને આ વર્ષે મળ્યો છે. બાળકોમાં શિસ્ત, શિષ્ટાચાર અને અન્ય મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો જેવા ઘણા ગુણો વિકસિત થયા છે. મેં મારા વિદ્યાર્થીઓમાં ઘણા સકારાત્મક બદલાવ જોયા છે,”

મિલેનિયમ સ્કૂલ અને પીપી સવાણી કેમ્બ્રિજ ઈન્ટરનેશનલ સ્કૂલ વેલસ્પાયર સ્ટુડન્ટ વેલબીઈંગ પ્રોગ્રામના પ્રારંભિક દત્તક રહ્યા છે. આ પાર્ટનરશિપ દ્વારા સુરતની અગ્રણી શાળાઓ શૈક્ષણિક પ્રયાસો ઉપરાંત વિદ્યાર્થીઓને સપોર્ટ આપવાના મહત્વને ઓળખીને તેમના વિદ્યાર્થીઓની સુખાકારીને પ્રાથમિકતા આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે.

વેલસ્પાયર શિક્ષક તાલીમ વર્કશોપમાં ભાગ લેનાર મિલેનિયમ સ્કૂલના ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે, “વેલસ્પાયર વેલનેસ પ્રોગ્રામ વર્કશોપ એ અમને આ વિષયમાં અમૂલ્ય આંતરદૃષ્ટિ પ્રદાન કરી કે કેવી રીતે આ સંકલિત સુખાકારી કાર્યક્રમ શૈક્ષણિક અને જીવન બંનેમાં યંગ માઇન્ડને મહત્વપૂર્ણ રૂપથી લાભ પહોંચાડી શકે છે. એક વ્યાપક દૃષ્ટિકોણઅભિગમ જોવો એ જ્ઞાનવર્ધક હતું, જે વિદ્યાર્થીઓને પોતાની સુખાકારીને પ્રાથમિકતા આપવા અને વધુ સમજ મેળવવામાં મદદ કરે છે.’’

૩ જૂન ૨૦૨૪ના રોજ એલપી સવાણી એકેડમી દ્વારા ટિચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો ઉદ્દેશ્ય શિક્ષકોને વેલસ્પાયર પ્રોગ્રામના અસરકારક અમલીકરણ માટે સાધનો અને જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો છે.

આ વર્કશોપમાં એલ.પી.સવાણી એકેડેમીના ટીચિંગ સ્ટાફ તરફથી ઉત્સાહપૂર્વક સહભાગિતા પ્રાપ્ત થઈ હતી, જેમણે પ્રોગ્રામને વ્યવહારુ અને પ્રભાવશાળી બંને રીતે જોયો હતો. એક દિવસીય સત્રમાં સુરતની અન્ય શાળાઓના શિક્ષકોએ પણ હાજરી આપી હતી. વેલસ્પાયર પ્રોગ્રામ વિદ્યાર્થીઓ માટે માપી શકાય તેવા પરિણામો અને લાંબા ગાળાના લાભોનું વચન આપે છે. એલ.પી. સવાણી એકેડમીના ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે, “અમારા શિક્ષકો વેલસ્પાયર પ્રોગ્રામ વિશે જાણવા માટે ઉત્સાહિત હતા. આ વર્કશોપ દ્વારા અમને અમારા વિદ્યાર્થીઓની સુખાકારીને અસરકારક રીતે સપોર્ટ આપવા માટે મૂલ્યવાન આંતરદૃષ્ટિ અને સંસાધનો પ્રદાન કર્યા.”

પ્રોપરાઇટરી મેક યૂ હેપન ફ્રેમવર્કની આસપાસ ડિઝાઇન કરવામાં આવેલો કોન્શિયસલીપનો વેલસ્પાયર  પ્રોગ્રામ વિદ્યાર્થીઓની માનસિક સુખાકારીના નિર્ણાયક પાસાઓને સંબોધે છે, જેમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને રિઝિલ્યન્સ બિલ્ડિંગનો સમાવેશ થાય છે. સ્કૂલના અભ્યાસક્રમમાં એકીકૃત રીતે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે, વિદ્યાર્થીઓને પોતાની શૈક્ષણિક અને જીવનની સફળતા માટે મોડર્ન ચેલેન્જને નેવિગેટ કરવામાં સતત સમર્થન મળે છે કે નહીં.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં વેલસ્પાયર પ્રોગ્રામ પાંચ રાજ્યોની ૫૫ સ્કૂલ્સમાં ૩૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવ્યો છે અને હવે વર્ષ ૨૪-૨૫ માટે ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને લાભ થવાની અપેક્ષા છે. સ્કૂલ્સમાં સીબીએસઇ, આઇસીએસઇ, આઇજીસીએસઇ અને રાજ્ય સરકાર સહિત દેશના વિવિધ એજ્યુકેશન બોર્ડ સંબંધિત છે.

સમગ્ર શિક્ષા, ઉત્તરાખંડ ગર્વમેન્ટ અને એનએફડી સીઇઇ (નેહરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન) એ આ વર્ષે પોતાની તમામ સરકારી શાળાઓમાં પ્રિવેન્ટિવ સ્ટુડન્ટ મેન્ટલ વેલબિઇંગ માટે વેલસ્પાયર પ્રોગ્રામ લાવવા માટે કોન્શિયસલીપની સાથે ત્રિપક્ષીય એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, જેથી વિદ્યાર્થીઓની સુખાકારી માટે પ્રિવેન્ટિવ મેન્ટલ વેલબિઇંગ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાની દર્શાવી શકાય.

Servants are not present outside the emergency department of New Civil, it is a serious situation.
નવી સિવિલના ઈમરજન્સી વિભાગની બહાર સર્વન્ટ હાજર નહિ રહેતા ભારે હાલાકી

 

કામરેજના શ્રમજીવી પરિવારના સગા ભાઈ-બહેનને કોલેરા થયો હતો, જેમાં બહેનનું મોત થયું તો બીજા બાળકને વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈને આવ્યાં

સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં વર્ગ-4ના કર્મચારીઓની મનમાની વધી રહી છે. એસઆઈની નિષ્ફળ કામગીરીની પગલે સર્વન્ટ ચાલુ નોકરીએ પોતાની જગ્યાએ હાજર જ હોતા નથી. જેને પગલે ઈમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મંગળવારે સવારે કામરેજથી 1 વર્ષના બાળકની કોલેરાની સારવાર માટે આવેલા પરિવારને નવી સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. કામરેજ સીએચસીથી રીફર કરવામાં આવેલા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં 1વર્ષના બાળકને ઓક્સિજનની જરૂરત હતી. પરતું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની બહાર કોઈ સર્વન્ટ હાજર નહિ હતું. તેમજ ઓક્સિજન વાળું સ્ટ્રેચર પણ નહિ હતું. જેથી માતા પોતે બાળકને વગર ઓક્સિજન સારવાર માટે હોસ્પિટલની અંદર લઈને દોડી હતી. માતા સાથે 108ના ઈએમટી ડોકટર પણ દર્દીને સાથે દોડ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના કુમકુમ રેસીડેન્સી પાસે આવેલ હળપતિવાસમાં કરણ ભીલ, પત્ની, બે પુત્ર તેમજ એક પુત્રી સાથે રહે છે. કરણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાનમાં 3 વર્ષની પુત્રી પ્રિયાંસી તેમજ 1 વર્ષનો પુત્ર વિકેશ ઉર્ફે રિકેશને સોમવારે સાંજે ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. મંગળવારે સવારે પ્રીયાંસીની તબિયત લથડતાં બને ભાઈ-બહેનને સારવાર માટે કામરેજ સીએચસી ખાતે લઈને ગયા હતા. જ્યાં બંનેને કોલેરાના લક્ષણ હોવાની સંભાવના સાથે સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન પ્રીયાંસીનું મોત નિપજ્યું હતું. જેથી કામરેજ સીએચસીથી 1 વર્ષના વિકેશને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફ્રર કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓક્સિજન સાથે 108 એમ્બ્યુલન્સમાં વિકેશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગની બહાર 108 એમ્બ્યુલન્સના ઈએમટી, પાયલોટ તેમજ પરિવારજનો ઓક્સિજન સ્ટ્રેચર અને સર્વન્ટને આવાજ લગાવી રહ્યા હતા. તેમ છતાં ત્યાં કોઈપણ સર્વન્ટ આવ્યો નહિ હતો. તેમજ ઓક્સિજન સ્ટ્રેચર પણ હાજર નહિ હતું. જેથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો હતો. રાહ જોયા બાદ છેલ્લે માતાએ બાળકને ગોડીમાં લઈ લીધો અને એની સાથે એમ્બ્યુલન્સના ઈએમટી દોડીને બાળકને ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈને ગયા હતા. જ્યાં બાળકને ઓક્સિજન પર રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકને દાખલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની તબિયત સારી હોવાની માહિતી જાણવા મળી હતી. હાલ બાળકને કોલેરાની સંભાવના વચ્ચે સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પ્રીયાંસીનું મોત કોલેરાથી થયું હોવાની વાત પરિવારે કહી હતી.

The municipality, which spends crores of rupees every year in the name of pre-monsoon, sits in water filled water: Payal Sakaria
પ્રિમોન્સૂનનાં નામે દર વર્ષે કરોડોનો ધુમાડો કરતી પાલિકા પાણી ભરાતા પાણીમાં બેસી જાય છે : પાયલ સાકરીયા

 

30 વર્ષથી ભાજપ શાસકોએ લીંબાયત વિસ્તારની અવગણના કરી છે : પાયલ સાકરીયા

વરસાદ બંધ થશે તો પાણી ઉતરી જશે : લીંબાયતનાં અધિકારીઓનો ઉડાઉ જવાબ

ગઈકાલનો અવિરત વરસાદ વરસતા લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાયા હતાં જે આજે સાંજ સુધી પણ ન ઉતરતા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ આજરોજ ત્યાં મુલાકાત લીધી હતી. સ્થળ પરની હાલત બદથી પણ બદતર હોવાનું માલુમ પડ્યું હતું. એટલે સુધી ખરાબ હાલત હતી કે, ખાડી કઈ અને રસ્તો કયો તે શોધવું પણ મુશ્કેલ બન્યું હતું.

આ મુદ્દે પાયલ સાકરીયાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષે પાલિકા પ્રિમોન્સૂનનાં નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તેમ છતાં લીંબાયતમાં કેટલાય વર્ષોથી બદતર હાલત છે. 30 – 30 વર્ષથી ભાજપ જ્યાંથી ચૂંટાઈ છે તે જ વિસ્તારનાં લોકો હાલાકીમાં જીવવા મજબૂર બન્યા છે. સમસ્યાનાં નિરાકરણને એક વર્ષ લાગે, બે વર્ષ લાગે કે વધુમાં વધુ ત્રણ વર્ષ થાય. 30 વર્ષથી સત્તામાં હોવા છતાં કશું ઉકાળી નથી શક્યા. કયા કારણોસર આ સમસ્યાનો નિકાલ નથી થતો તેવો વેધક પ્રશ્ન શાસકોને પૂછ્યો હતો.

આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, પ્રિમોન્સૂનનાં કામમાં ફક્ત દવા છાંટવાથી સંતોષ માનતી પાલિકાની કામગીરી હંમેશા બિલકુલ નિરાશાજનક રહી છે. આટલા વરસાદમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયા છે, નોકરિયાતોને નોકરી પર જવાની સમસ્યા છે. ગૃહિણીઓને ઘર સામગ્રી લાવવાની ચિંતા છે. બાળકો સ્કૂલે જઈ શકે એ પરિસ્થિતિમાં નથી. વધુમાં, પાણી ઓસરતા કાદવ કીચડ થવાની સંભાવના છે, તેના દ્વારા રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે. નાના બાળકોને તાવ, ઝાડા ઉલ્ટી થવાની સંભાવના રહેલી છે. અને લીંબાયત ઝોનનાં અધિકારીઓ બચાવ કામગીરી કરવાને બદલે ઉડાઉ જવાબ આપે છે કે વરસાદ બંધ થતાં પાણી ઓસરી જશે. શું આ કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયા પ્રિમોન્સૂન પાછળ ખર્ચીએ છીએ તેવા વેધક આક્ષેપો પાયલ સાકરીયાએ કહ્યા હતાં.

Opposition leader of Education Committee, Mr. Rakesh Hirpara, while visiting Ichhapor School, said the following: The situation came to mind.
શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા શ્રી રાકેશ હિરપરાએ ઈચ્છાપોર શાળાની મુલાકાત લેતા નીચે પ્રમાણેની પરિસ્થિતિ ધ્યાને આવી.

 

શાળા રોડ કરતા નીચાણવાળા ભાગમાં હોવાથી વરસાદનું પાણી શાળામાં આવે છે અને પાણીનો ભરાવો થાય છે. ચાંદીપુરા ના ખતરા વચ્ચે આ પરિસ્થિતિ ગંભીર છે.

એક તરફ મહાનગરપાલિકા સામાન્ય લોકો પાસેથી પાણીના ભરાવા બદલ દંડ લે છે, બીજી બાજુ મહાનગરપાલિકાની પોતાની મિલકતમાં જ પાણી ભરાય છે.

શાળાના નામે માત્ર 4 ઓરડા છે, જેમાંથી બે ઓરડામાં પાણી ટપકે છે એટલે માત્ર બે ઓરડા જ વાપરી શકાય એમ છે.

બાલવાડી થી ધોરણ 5 સુધીના 6 વર્ગોમાં 75 બાળકો છે, માત્ર ત્રણ શિક્ષકો છે અને ચાર ઓરડાઓ છે જેમાંથી બે ઓરડામાં પાણી ટપકે છે.

વરસાદની સિઝનમાં આ બે જ ઓરડામાં આચાર્યની ઓફિસ, બાળકોએ ભણવાનું, જમવાનું, રમવાનું, વગેરે બધું જ… ટુંકમાં આ બે ઓરડા એટલે શાળા…

(ફોટો અને વીડિયો ઉપર મોકલી આપેલ છે)

The youth of Dindoli celebrated Guru Purnima in a unique way...
ડિંડોલીના યુવાનોએ અનોખી રીતે કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી…

 

ગુરુ પૂર્ણિમા નિમિત્તે આજરોજ વિભિન્ન સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નવાગામ – ડિંડોલી વિસ્તારમાં રહેલા કેટલાક મિત્રોએ મળીને અનોખી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. દિનેશ ગીરાસે, કિશોરભાઈ મહાજન, પપ્પુ ભાઈ, શૈલેષ ભાઈ અને પાંડુ ભાઈએ મળીને આજરોજ ડિંડોલી મહાદેવ નગર સ્થિત ઓલ્ડ એજ હોમ આશ્રમ ખાતે ભોજન પ્રસાદીનું વિતરણ કર્યું હતું. સૌ મિત્રોએ પોતાના હાથે ઓલ્ડ એજ હોમના તમામ વડીલોને ભોજન પ્રસાદનું વિતરણ કર્યું હતું અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે નિરાધાર વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે WIBE- Women Integrated Business Expo

 

સુરત: નારી શાસ્તીકરણ અને જાતીય સમાનતા ની વાતો તો આપને ઘણી કરતા હોઈએ પણ નારિયો માટે ખરેખર કાંઈક કરીએ તો લેખે લાગે. આ ઉદેશથી પાલ ઈવેન્ટ્સ એક અનોખી મહિલા કેન્દ્રિત ઇવેન્ટનું આયોજન કરવા જઇ રહ્યું છે . જેમાં વિવિધ ક્ષેત્રે નિપુણ મહિલાઓ અથવા તો મહિલાઓ દ્વારા ચલાવતા સેવાકીય પ્રવુંર્તીઓ ને વાચા આપવાનો આ એક નમ્ર પ્રયાસ છે .

WIBE- Women Integrated Business Expo. વાઈબ- મહિલા સંકલિત બિઝનેસ એક્સ્પો ના નામથી યોજાનાર આ ઇવેન્ટ મલ્ટીપલ સ્કીલ ધરાવતા મહિલા ઓને એક છત નીચે ભેગા કરીને સમાજ સામે એમની સિદ્ધિઓ વિષે જણાવવાનો એક પહેલ છે .
આ ઇવેન્ટના મુખ્ય સ્પોન્સરો REMAX, Casx , પીપી સવાની , આમન્ત્રણ જુવેલ્સ , કે .ડી ફાર્મસ, નવીન ઇલેક્ટ્રોનીક્સ ગોદરેજ વગેરે છે .
આ ઇવેન્ટમાં ૮૦ થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં વિવિધ ચીજ વસ્તુઓ પ્રદર્શિત કરાશે . સુરત મહાનગરપાલિકા ની સખી મંડળ પણ આ ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે .

આની સાથે આ ઈવેન્ટ મા WICCI – સુરત ચેપ્ટર પણ આયોજન માં સાથે છે અને દરેક શક્તિ બંધન સ્ટોલ ને મેનટર પણ કરશે.

આ સિવાય ૨૦ થી વધુ સંઘઠનો જેવા કે LVB, BNI, અગ્રવાલ સ્ત્રી મંડળ , સુરત જુગાડ , વાદા વગેરે એ આ ઇવેન્ટ માં ભાગ લઇ રહ્યા છે . આ ઇવેન્ટમાં શક્તિ બંધન અંતર્ગત ૨૦ જરૂરીયાતમંદ મહિલાઓને વિના મુલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે . આ ઇવેન્ટમાં બ્રેસ્ટ કેન્સર થી રીકવર થયેલ મહિલાઓને પ્રોત્સાહન રૂપે એક વિશેષ ફેશન શો નું પણ આયોજન કરવામાં આવ્યું છે . તદુપરાંત વાસ્તવિક જીવનમાં સિદ્ધિઓ મેળવનારાઓને ૫૦ થી વધુ મહિલાઓ ને શિરોસ(SHE-HEROES) થી સન્માન કરાશે , ફ્રી હેલ્થ સેશન અને બિઝનેસ અપસ્કેલિંગ પર ફ્રી સેમીનાર નું પણ આયોજન કરાયું છે. ખરીદી કરવા, શીખવા, માણવા અને નેટવર્ક કરવા માટે તમામ મહિલાઓ માટે આ એક અનોખું પ્લેટફોર્મ બનશે . આ ઇવેન્ટ કરોડો મહિલા ઉદ્યોગસાહસિકના પ્રધાન મંત્રી ના વિઝનને પ્રોત્સાહિત કરવા માટે એક પ્લેટફોર્મ પણ હશે.ત્રણ દિવસ ના આ ઇવેન્ટમાં ૧૦૦૦૦ થી વધુ મુલાકાતીયો અપેક્ષિત છે .
આ ઇવેન્ટ ના ઉદ્ઘાટક કેન્દ્રીય જળ શક્તિ વિભાગ ના કેબીનેટ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ના વરદ હસ્તે થનાર છે .

ઇવેન્ટની વિગત
સ્થળ – વિજયા લક્ષ્મી હોલ, સુરત
તારીખ -૨૬/૨૭/૨૮ જુલાઈ ૨૦૨૪
સમય –સવારે ૧૦.૩૦ થી રાતે ૮.૦૦
આવો આપણે સૌ મળીને ભારતીય મહિલાઓને વિકસિત અને વિકાસશીલ બનાવવા માટે એક જૂત થયીને પ્રોત્સાહન પૂરું પાડીએ.

This person from the party would have sanctioned the money of the developing taluka for useless projects. Dediyapada MLA Chaitar Vasava sat on strike in front of the Collector's chamber.
વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દેતા, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા.

 

જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે: ચૈતર વસાવા

આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી: ચૈતર વસાવા

અમારા મંજુર થયેલા કામની જગ્યાએ બિનઉપયોગી પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે: ચૈતર વસાવા

અમદાવાદ/નર્મદા/ભરૂચ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લાના કલેકટરની બેઠકને છોડીને ધરણા પર બેઠા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા.

પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. અને આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે, તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી. આ તમામ મુદ્દા ઉપર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબને ચેમ્બરની સામે અમે ધરણા પર બેઠા છીએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Leader of Opposition in Education Committee and 'AAP' State General Minister has made the following disclosure today on the issue of uniform.
’25 કરોડ ખર્ચ્યા બાદ પણ શિક્ષણમંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળાના તમામ બાળકો બે જોડી યુનિફોર્મથી વંચિત’ – રાકેશ હિરપરા

 

શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા અને ‘આપ’ રાજ્ય મહામંત્રીએ યુનિફોર્મના મુદ્દે આજે નીચે મુજબનો ખુલાસો કર્યો છે.

રાકેશ હિરપરાએ જણાવ્યું છે કે અમોએ છેલ્લા અઢી વર્ષથી સતત લડાઈ લડી છે કે બાળકોને બે જોડી યુનિફોર્મ મળવા જ જોઈએ કારણ કે એક જોડી યુનિફોર્મમાં સ્વચ્છતા ન જળવાઈ શકે.

અમારી સતત રજૂઆત અને વિરોધના પગલે સમિતિએ ગયા બજેટમાં જાહેરાત કરી કે જુન-2024 થી બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને આ જાહેરાત બાદ ભાજપે એની જાહેરાત પણ ખુબ કરી, ભાષણો આપ્યા અને ક્રેડીટ લીધી.

આજે શાળા શરુ થયાના દોઢ મહિના બાદ પણ એક પણ બાળકને બે જોડી યુનિફોર્મ મળેલ નથી, નવા પ્રવેશ પામેલા બાળકોને તો એક જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો.

નવાઈ તો એ છે કે બીજી જોડી યુનિફોર્મ માટેનો વર્કઓર્ડર જ સમિતિએ શાળા શરુ થયાના એક મહિના બાદ એટલે કે 10 જુલાઈના રોજ આપ્યો છે અને એજન્સીને 4 મહિનાનો સમય આપ્યો છે. આનો અર્થ એવો થયો કે બાળકોને બીજી જોડી યુનિફોર્મ મળતાં સુધીમાં તો દિવાળી (નવેમ્બર) આવી જશે.

બંને જોડી યુનિફોર્મ એકસાથે મળે તો જ યુનિફોર્મનો મૂળ હેતુ અને સ્વચ્છતા જળવાઈ શકે. સમિતિએ બંને જોડી અલગ અલગ સમયે આપીને મૂળ સમસ્યાને તો યથાવત જ રહેવા દીધી, જે ખુબ ગંભીર બાબત છે.

25 કરોડ ખર્ચ કર્યા બાદ પણ જે સમસ્યા ગયા વર્ષે હતી એની એ જ સમસ્યા આ વર્ષે પણ છે એટલે બાળકો એક જોડી યુનિફોર્મ સાથે જ અભ્યાસ કરી રહ્યા છે.

Valuable work of health department in Sania Kanda and Kardwa villages to reduce mosquito infestation….
મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા સનીયા કનદે અને કરડવા ગામમાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી….

 

ચોમાસા દરમિયાન પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીઓ ફેલાવાનો ડર રહે છે ત્યારે સનિયા કનદે અને કરાડવા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ જસપાલ સિંહ સોલંકીનાં સહયોગ થી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંઝ નાં મેડિકલ ઑફિસર શ્રી Dr નૃપાંગ કિકાગણેશનાં માર્ગદર્શન હેટળ આજ રોજ સનિયા કનદે અંને કરાડવા ગામ ના વિવિધ સોસાયટીમાં કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સુપરવાઈઝર સુધાકર ભાઈ પાઠક, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ચેતન ભાઈ ઠાકુર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ચંદ્રકાંત ભાઈ પટેલ, ભગવાનભાઈ કામળીયા, ભદ્રેશ ભાઈ ગોહિલ, તથા MTS શ્રી અભિષેક ભાઈ તથા આશા બહેનો દ્વારા સઘન રીતે મચ્છરનાં પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિવિધ સોસાયટીઓમાં સવાર થી લઇ રાત્રે ૧૦ વાગ્યા સુધી ઘરે ઘરે જઈ મચ્છર નાશક ધુમાડા કરવાની કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.