દીકરીઓના ઉત્થાન માટે ‘Run for Girl Child’ની બીજી આવૃત્તિનું 4 જાન્યુઆરીએ સુરતમાં આયોજન

By on
In સ્પોર્ટ્સ
Spread the love

સુરત: સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘Run for Girl Child’ ચેરિટી રનની બીજી આવૃત્તિ આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે યોજાશે.

આ માહિતી આયોજન સમિતિના સહ સહયોજક અમિતભાઇ ગજ્જર દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. આ ચેરિટી રનમાં 8થી 10 હજાર દોડવીરો ભાગ લેવાની અપેક્ષા છે. મેરેથોનમાં 21 કિ.મી., 10 કિ.મી., 5 કિ.મી. અને 2 કિ.મી. જેવી વિવિધ કેટેગરી રહેશે. વિજેતાઓને કુલ મળીને રૂ. 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં AMNS મુખ્ય સ્પોન્સર તરીકે સહયોગ આપી રહ્યું છે, જ્યારે રામકૃષ્ણ ડાયમંડ, PPL અને રાજકોટ નાગરિક સહકારી બેંક સહયોગી દાતાઓ તરીકે જોડાયા છે. આ પ્રસંગે આઈસીસી ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. સાથે જ શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ તેમજ આ મેરેથોનની આયોજન સમિતિના સહ સહયોજક એવા શ્રી ઘનશ્યામ શંકર અમિતભાઈ ગજ્જર (પીપલ્સ બેંક ચેરમેન), શ્યામજી રાઠી, રાજેશજી સુરાણા અને રાકેશજી કંસલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

સમિતિના સહ સહયોજક શ્યામજી રાઠી એ જણાવ્યું કે, ‘Run for Girl Child’ માત્ર દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ પાંચ ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહેલ છે. ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટનો ‘જ્ઞાન મંદિર’ પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે.આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષ માં 159 માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105 માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ બનાવેલ છે.
આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડોક્ટર હેડર્ગવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટની સ્થાપના વર્ષ 1988માં થઈ હતી. ટ્રસ્ટ સામાજિક, શૈક્ષણિક, સ્વાવલંબન અને આરોગ્ય આ ચાર મુખ્ય ક્ષેત્રોમાં સેવાકાર્ય કરે છે. ડોક્ટર હેડર્ગવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ ધોળિયા છે, જ્યારે મંત્રી તરીકે નીતિન પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે.