Tag: BJP

BJP leaders eat roads but don't let children eat prasad on national and holy days like Independence Day - Rakesh Hirpara
ભાજપના નેતાઓ રોડ-રસ્તાઓ ખાઈ જાય છે પણ બાળકોને સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય અને પવિત્ર દિવસે પ્રસાદ ખાવા નથી દેતા – રાકેશ હિરપરા

 

આમ આદમી પાર્ટીના રાજ્ય મહામંત્રી અને શિક્ષણ સમિતિના વિપક્ષી નેતા રાકેશ હિરપરાએ આ મુદ્દે વિશેષમાં જણાવ્યું હતું કે

અગાઉ એવું હતું કે સમિતિની શાળાઓમાં સ્વતંત્રતા દિવસ તેમજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે યોજાતા ધ્વજવંદન અને દેશભક્તિના કાર્યક્રમોના અંતે બાળકોને પ્રસાદી રૂપે બિસ્કીટ આપવામાં આવતા હતાં અને આના માટે શિક્ષણ સમિતિના બજેટમાં અલગથી પૈસા પણ ફાળવવામાં આવતા હતાં પણ છેલ્લા બે બજેટમાં સમિતિએ આના માટે એક પણ રૂપિયો ફાળવેલ નથી, જેને કારણે ગયા વર્ષે તેમજ આ વર્ષે પણ બાળકોને પ્રસાદી રૂપે બિસ્કીટ, ચોકલેટ કે મીઠાઈ મળશે નહી.

બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ આ મુદ્દે વિરોધ પણ નોંધાવ્યો હતો પણ શાસકોએ બહુમતીના જોરે બાળકોની પ્રસાદીના પૈસા ઉડાવી દીધા હતાં.

  • વર્ષ 2019-20 માં આ કામ માટે 31.94 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા હતાં.
  • વર્ષ 2020-21 માં આ કામ માટે 1000 રૂપિયા વાપરવામાં આવ્યા હતાં.
  • વર્ષ 2021-22 માં આ કામ માટે 40 લાખ ફાળવવામાં આવ્યા હતાં જેમાંથી 5.12 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા હતાં.
  • વર્ષ 2022-23 માં આ કામ માટે 20 લાખ ફાળવવામાં આવ્યા હતાં જેમાંથી 15.87 લાખ રૂપિયા વાપરવામાં આવ્યા હતાં.

વર્ષ 2023-24 અને 2024-25 ના બંનેના બજેટમાં આ કામ માટેના પૈસા ઉડાવી દેવામાં આવ્યા છે એટલે કે શૂન્ય કરી દેવામાં આવ્યા છે.

રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસના પર્વો પણ આપણી આસ્થાના પર્વો જ છે. આપણી સમિતિની શાળામાં આવતા 90% બાળકો ગરીબ વર્ગમાંથી આવે છે તો આવા આસ્થાના પર્વો નિમિત્તે બાળકોને પ્રસાદી આપીને એમનું મોઢું મીઠું કરવું એ તો આપણી ભારતીય પરંપરા છે.

ભાજપના શાસકોના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારને કારણે પ્રજાના દર વર્ષે કરોડો રૂપિયા વેડફાઈ જાય છે પણ ત્યાં કોઈ કાપ મુકવામાં નથી આવતો પણ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય અને પવિત્ર દિવસે બાળકોને અપાતી પ્રસાદીના પૈસામાં ભાજપના નેતાઓને કાપ મુકવો છે, જે ખુબ શરમજનક બાબત છે એવું રાકેશ હિરપરાએ જણાવ્યું હતું.

Detention of Aam Aadmi Party civic workers celebrating Khada's birthday: Celebrated by cutting a cake in happiness of development
ખાડાનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત :વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી

 

દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રીપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાબખા માર્યા

વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી.

ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે.

Detention of Aam Aadmi Party civic servants celebrating Khada's birthday: Celebrated by cutting cake in happiness of development
ખાડાનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત :વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી

 

દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રીપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાબખા માર્યા

વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી.

ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે.

Aam Aadmi Party opposes medical college fee hike and demands withdrawal of fee hike: Leader of Opposition Payal Sakaria
મેડિકલ કોલેજની ફી માં સરકારે કરેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાની આગેવાનીમાં સુરત – આમ આદમી પાર્ટીએ પદયાત્રા કરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.

 

આમ આદમી પાર્ટી મેડિકલ કોલેજની ફી વધારાનો વિરોધ કરે છે અને ફી વધારાને પરત લેવાની માંગણી કરે છે: વિપક્ષ નેતા પાયલ સાકરીયા

BJP: ભાજપ સરકારના રાજમાં આજે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. કમરતોડ મોંઘવારીના સમયમાં લોકોને મોંઘી ફી માંથી રાહત જોઈતી હતી ત્યારે સરકારે એફઆરસી કમિટી બનાવી. ગુજરાતી જનતાને ઉમ્મીદ હતી કે એફઆઇસી કમિટી બન્યા બાદ ફિ ના વધારા પર કંટ્રોલ લાવવામાં આવશે પરંતુ એવું થયું નહીં. સરકારે હાલ મેડિકલ કોલેજની ફિ માં અસહ્ય વધારો કર્યો છે, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું લગભગ ખતમ થઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ આદમી પાર્ટી આ ફી વધારાનો વિરોધ કરે છે. આ ફી વધારાના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સુરતમાં કરંજ વિસ્તારમાં પદયાત્રા કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી રાકેશ હીરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર મોંઘી ફી ના નામે વાલીઓને લૂંટી રહી છે. હકીકતમાં ભાજપની શિક્ષા વિરોધી માનસિકતાના કારણે આજે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ડોક્ટર બનવું લગભગ અશક્ય બની ગયું છે. આજે ભાજપની શિક્ષણ વિરોધી માનસિકતા સમગ્ર ગુજરાતની જનતા સામે છતી થઈ ગઈ છે. અને આમ આદમી પાર્ટી આ કપરી પરિસ્થિતિમાં ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ઊભી છે.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સરકારની નીતિનો વિરોધ કર્યો અને ફી વધારાને પાછો ખેંચવા માટે સરકાર સમક્ષ માગણી કરી. અમને આશા છે કે સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં રાખીને સરકાર આ અસહ્ય ફી વધારો પાછો ખેંચશે.

આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, વિપુલભાઈ સુહાગીયા, શોભનાબેન કેવડિયા, સેજલબેન માલવિયા, મનીષાબેન કુકડીયા, કામરેજ તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા, શહેરનાં તમામ પદાધિકારીઓ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.