સુરત: સુરતના ભેદવાડ, પાંડેસરા વિસ્તારમાં ગઇકાલે ‘શિવ-ભીમ મહોત્સવ’નું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સાહના રંગે રંગાયો હતો.
આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થયેલા તમામ નવનિર્વાચિત નગરસેવકોનો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત મહાનુભાવોમાં ભારતીય રેલવેના PAC મેમ્બર શ્રી છોટુભાઈ પાટીલ હાજર રહ્યા હતા.
સાથે જ, આ કાર્યક્રમના અધ્યક્ષ સુરત મહાનગરપાલિકાના માજી નગરસેવિકા માનનીય લીલાબેન ભાઈદાસભાઈ સોનવણે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી.
