આરોગ્ય

સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા મહિલા સ્ટાફ માટે નિઃશુલ્ક પૅપ ટેસ્ટ કેમ્પ

 

મહિલા સ્ટાફ માટે નિઃશુલ્ક પૅપ ટેસ્ટ કેમ્પનું આયોજન સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા JCI સુરત મેટ્રો શક્તિના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 9મી સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 10:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી સાર્વજનિક યુનિવર્સિટી બિલ્ડિંગ ખાતે યોજાયો હતો.

JCI સુરત મેટ્રો શક્તિ, પોતાની આરોગ્ય જાગૃતિ અભિયાન “એક સુર એક જંગ : સર્વિકલ કેન્સર કેમ્પ” અંતર્ગત આ પહેલમાં સહયોગી બન્યું હતું.

આ કેમ્પનો હેતુ મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પ્રિવેન્ટિવ કાળજી અંગે પ્રોત્સાહન આપવાનો હતો. મહિલા સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ પહેલને સાર્થક બનાવી યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ Dr. કિરણ પંડ્યા અને રેજીસ્ટ્રાર શ્રી આશિષ દેસાઈ એ ભવિષ્ય માં આ પ્રકાર ની પ્રવૃત્તિ માટે પોતાનો સહકાર વ્યક્ત કર્યો હતો.

સાર્વજનિક યુનિવર્સિટી તથા JCI સુરત મેટ્રો શક્તીએ તમામ ભાગલેનાર મહિલાઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવા હેલ્થ અવેરનેસ કાર્યક્રમો આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સુરત શહેર બનશે જ્ઞાન અને વિજ્ઞાનનું કેન્દ્ર – MIDDERMACON 2025

 

સુરતના ગૌરવમાં ઉમેરો કરતી એક ઐતિહાસિક ઘટના!
IADVL (Indian Association of Dermatologists, Venereologists and Leprologists) દ્વારા આયોજિત 13મી મિડટર્મ એન્યુઅલ કોન્ફરન્સ – MIDDERMACON 2025 – આ વર્ષે 19 થી 21 સપ્ટેમ્બર 2025 દરમિયાન સુરતના Avadh Utopia Club ખાતે યોજાઈ રહી છે.

🌍 કોન્ફરન્સની હાઇલાઇટ્સ વિશે એસોસિયેશનના ઓર્ગેનાઈઝિંગ પ્રેસિડેન્ટ ડૉ.જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે

આ ઇવેન્ટમાં સમગ્ર ભારતમાંથી આશરે 800 પ્રતિનિધિઓ હાજરી આપશે.
* પહેલી વાર 12 Live Hands-on & Video Workshopsનું આયોજન – જેમાં Botox, Fillers, Laser, Chemical Peeling, Body Contouring, Microblading, Dermatosurgery, Vitiligo Surgery, Skin Boosters, Thread Lifting, Hair Transplant, Practice Management અને AI જેવા cutting-edge વિષયો શામેલ.
* થીમ: “Debate in Dermatology: Where Science and Opinions Collide” – વૈજ્ઞાનિક પુરાવા અને વિવિધ અભિપ્રાયો વચ્ચેનો તફાવત સમજવાનો તથા નવા વિચારોને જન્મ આપવાનો પ્રયત્ન.
* 3 દિવસ દરમિયાન Keynote Lectures, Panel Discussions, Paper Presentations, Posters & Interactive Sessions નું આયોજન.

👨‍⚕️ એસોસિયેશનના નેશનલ સેક્રેટરી ડો. ભૂપેશ કુમાર કટાકમએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ સામાન્ય જનતા માટે પણ ખૂબ ઉપયોગી છે. સામાન્ય જનતા માટે ઉપયોગી મુદ્દા

આ કોન્ફરન્સ માત્ર ડૉક્ટરો માટે જ નહીં, પરંતુ સમાજ માટે પણ આશાનો કિરણ છે.
ત્વચા અને વાળની સમસ્યાઓ માટેની અદ્યતન ટેકનોલોજી પર ખાસ ચર્ચા થશે:

Platelet-Rich Plasma (PRP): વાળ ઝડપણ અને ત્વચાના પુનરુત્થાન માટે.
Dermatosurgery: ચાંદા, દાગ-ધબ્બા, સ્કાર અને ત્વચાના ટ્યુમર માટે નવી સર્જરી રીતો.
Vitiligo Surgery: સફેદ દાગ માટે અદ્યતન ઉપચાર.
Exosomes Therapy: ત્વચાના રિજનરેશન માટે વૈશ્વિક સ્તરે ચર્ચાતો નવો ઉપચાર.
Energy Based Devices (Lasers, RF, IPL, MNRF): સ્કાર, પિગમેન્ટેશન અને સૌંદર્ય ઉપચાર માટે.

🎭 એસોસિએશનના નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ડૉ.એ.જે.એસ. પ્રવીણે જણાવ્યું હતું કે માર્ગદર્શક કાર્યક્રમની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત થશે.
તેઓએ કહ્યું હતું કે 19મી અને 20મી સપ્ટેમ્બરના સાંજના વિશેષ Cultural Programs કોન્ફરન્સને વધુ યાદગાર બનાવશે.

📌 સમાપન સંદેશ

MIDDERMACON 2025 માત્ર એક મેડિકલ કોન્ફરન્સ નથી – તે સમાજને સંદેશ આપે છે કે ત્વચા અને સૌંદર્ય ઉપચાર ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે અગ્રેસર છે.
સુરત શહેર માટે આ કોન્ફરન્સ એક ઐતિહાસિક માઈલસ્ટોન બની રહેશે.

આ પ્રસંગે એસોસિયેશનના નેશનલ પાસ્ટ પ્રેસિડેન્ટ ડૉ. મંજુનાથ સિનોઈ, ડાર્મેટોલોજિસ્ટ ડૉ. રજેથા હામા શેટ્ટી અને ડાર્મેટોલોજિસ્ટ ડૉ. કાર્તિક રાજા પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

“SRK પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન”

 

“ડાયમંડ ઈન્ડસ્ટ્રી પછી SRK ગ્રૂપનું આરોગ્યક્ષેત્રે નવું પગલું – વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ 20,000 ગામડાં અને શહેરોમાં પહોંચાડવાનો સંકલ્પ”

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ(SRK) પરિવાર દ્વારા ક્રિયમ ફાર્માનો શુભારંભ – દરેક માટે સુલભ આરોગ્યસંભાળનું વચન

સુરત/મુંબઈ, 11 સપ્ટેમ્બર 2025 : નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) ફેમિલીએ હવે આરોગ્યસંભાળ અને સર્વાંગી કલ્યાણના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ નવી પહેલ રૂપે “ક્રિયમ ફાર્મા” નો શુભારંભ કરવામાં આવ્યો છે. સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, “આરોગ્યમ – આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન” થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું સત્તાવાર લોન્ચિંગ થયું.

આ પહેલ દ્વારા SRK પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે નેચરલ ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં SRK ગ્રૂપ છેલ્લા છ દાયકાથી વૈશ્વિક સ્તરે પારદર્શિતા, પ્રામાણિકતા અને વિશ્વાસ માટે જાણીતું છે. આ જ વારસામાંથી જન્મેલું ક્રિયમ ફાર્મા હવે આરોગ્યસંભાળની દુનિયામાં એ જ મૂલ્યોને આગળ વધારશે. જેમ SRK ગ્રૂપે ડાયમંડ ઈન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે, તેમ ક્રિયમ ફાર્મા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે.

આ લોન્ચિંગ સમારોહમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ(SRK)ના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, કન્સોર્ટિયમ ઓફ એક્રેડિટેડ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશન (CAHO) ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાની, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને કિરણ હોસ્પિટલના ચેરમેન શ્રી મથુરભાઈ સવાણી, બિલ ગેટ્સ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી આર્નવ કપૂર, શ્રી હરિકૃષ્ણ એક્સપોર્ટના સંચાલક અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તેમજ હેલ્થકેર ઇકોસિસ્ટમના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ લોન્ચિંગ પ્રસંગે, ક્રિયમ ફાર્માના સ્થાપક શ્રી તેજ ધોળકિયા એ જણાવ્યુ, “આરોગ્યસંભાળ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે, પરંતુ વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત દવાઓની ઉપલબ્ધતા હજુ પણ એક પડકાર બનેલી છે. ક્રિયમ ફાર્મા દ્વારા અમે આરોગ્યસંભાળ પ્રદાતાઓ અને દર્દીઓ બંને વચ્ચે વિશ્વાસનું વાતાવરણ ઉભુ કરીને ઉચ્ચ-ગુણવત્તાવાળી દવાઓ પહોંચાડીને આ તફાવત દૂર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. અમારી આ યાત્રા બિઝનેસની નહીં પણ સેવાની યાત્રા છે. અમે ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવીશું. આ દવાઓ બજારમાં વ્યાજબી ભાવે મળશે. શરૂઆતમાં 20,000 જેટલા ગામ અને શહેરોમાં દવા સપ્લાયનો નિર્ધાર કર્યો છે.”

ક્રિયમ ફાર્મા, અસ્થિરતા અને અસંગત ધોરણોથી ઘેરાયેલા બજારમાં, દૃઢ કાળજી, વ્યાજબી કિંમત અને અડગ નૈતિકતાનું પ્રતીક છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એન્ટી-ડાયાબેટિક, કાર્ડિયક કેર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ, પેઈન મેનેજમેન્ટ, ડર્માસ્યુટિકલ્સ, વિટામિન્સ અને મિનરલ્સ તથા એન્ટી-ઇન્ફેક્ટિવ્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે, જે તાત્કાલિક તથા લાંબા ગાળાની બંને આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે છે.

સુરતના મેયર શ્રી, દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, “હું આ નવી પહેલ શરૂ કરવા માટે SRK ગ્રુપ અને ક્રિયમ ફાર્માને અભિનંદન પાઠવું છું. મને વિશ્વાસ છે કે ક્રિયમ ફાર્માના પ્રયાસોથી અને બિલ ગેટ્સ ફાઉન્ડેશનના સહકારથી કંપનીની દવાઓ સાઉથ આફ્રિકામાં પણ પહોંચે, તેવી શુભેચ્છા પાઠવું છું. પ્રારંભિક તબક્કામાં ક્રિયમ ફાર્મા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાનું ફોકસ રાખશે. દર્દીઓ સુધી દવાઓ ઝડપી અને વિશ્વસનીય રીતે પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કંપની ડાયરેક્ટ-ટુ-કેમિસ્ટ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ અપનાવશે.”

CAHO ના પ્રમુખ ડૉ. વિજય અગ્રવાલે કહ્યું હતું કે, “મેડિકલ ક્ષેત્રે 100 વર્ષમાં અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. જોકે હજી પણ જનતા માટે સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રમાં વિશ્વાસનો અભાવ છે. તેમણે CAHO સંસ્થાનો પરિચય આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સંસ્થાના માધ્યમથી તેઓ સ્વાસ્થ્ય ક્ષેત્રે અનેક વર્ગોમાં કામ કરે છે. તેમણે આરોગ્યસંભાળ ક્ષેત્રને આર્થિક રીતે પોષણક્ષમ અને કાર્યક્ષમ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમાજના દરેક વર્ગને ગુણવત્તાયુક દવાઓ વ્યાજબી ભાવે મળવી જોઈએ. જે રોગોમાં દવા અને આરોગ્યસંભાળથી મૃત્યુ ટાળી શકાય, તે માટે પ્રયાસ ચોક્કસ થવા જોઈએ. ક્રિયમ ફાર્મા તેની દવાઓથી આરોગ્યસંભાળ ક્ષેત્રે ઉમદા કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.”

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કંપની વર્ષ 2030 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર, નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ 3,500 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઉભા કરવાનું લક્ષ્ય ધરાવે છે. સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે.

એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયા (AHPI) ના ડિરેક્ટર જનરલ ડૉ. ગિરધર જ્ઞાનીએ કહ્યું હતું કે, “દેશમાં હોસ્પિટલમાં 30 ટકા જેટલો ખર્ચ દવાઓનો હોય છે. તેમની સંસ્થા સરકાર સાથે સહકારથી કામ કરે છે. સ્વાસ્થ્ય સેવા જન-જન સુધી લઈ જવા માટે હેલ્થકેર અને મેડિસિન ક્ષેત્રે અફોરડેબિલિટી, અવેલેબિલિટી, એક્સેસિબિલિટી અને ક્વોલિટી ઉપર ફોકસ કરે છે. હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CDMOs) પાસેથી દવાઓનું સોર્સિંગ કરી રહેલી, ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં તેની પોતાની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.”

શ્રી તેજ ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમારું મિશન એક સરળ માન્યતા પર આધારિત છે – દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ દરેકનો મૂળભૂત અધિકાર છે. અમારી દરેક પ્રોડક્ટ, દરેક ભાગીદારી અને દરેક નિર્ણય આ જ ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”

SRK એક્સપોર્ટના બ્રાન્ડ કોર્ડીનેટર શ્રી શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “ડાયમંડ-જ્વેલરી ક્ષેત્રે 60 વર્ષની સફળયાત્રા સાથે સાથે હવે અમે ક્ષમતા વિકાસ અને દેશને દવા ક્ષેત્રે સર્વિસ આપવાનો નિર્ધાર કર્યો છે. આરોગ્યસંભાળ એ આપણા દેશની જરૂરીયાત અને ફોકસનું ક્ષેત્ર છે. નવી પહેલની જવાબદારી તેજ ધોળકિયાએ લીધી છે. પ્રારંભિક તબક્કામાં ગુજરાત અને રાજસ્થાનમાં દવાની સપ્લાય કરવામાં આવશે. અમે હાલમાં 60 જેટલાં ડિસ્ટ્રીબ્યુટર સાથે કામકાજ શરૂ કર્યું છે.”

કાર્યક્રમમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશનના શ્રી આર્નવ કપૂરે સંસ્થાનો પરિચય કરાવી આરોગ્યસંભાળ ક્ષેત્રે સંસ્થાની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો.

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના સંચાલક અને પદ્મશ્રી, શ્રી મથુરભાઈ સવાણીએ સ્વાસ્થ્ય સુધાર અને વ્યાજબી ભાવની દવા ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હાલમાં દવાઓ વિશ્વાસ પ્રાપ્ત કરવામાં સંઘર્ષ કરી રહી છે ત્યારે ક્રિયમ ફાર્મા આ ક્ષેત્રને નવો આકાર આપશે. કંપની દવા છેવટના ગામ સુધી પહોચડવા માટે નવો રસ્તો તૈયાર કરશે.

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા કહ્યું હતું કે, “કંપની કીમતી છે, પણ મૂલ્યવાન હોવું જરૂરી છે. તેમણે નવી પહેલ ક્રિયમ ફાર્માને નૈતિક મૂલ્યો સાથે મૂલ્યવાન બનાવવાની અપીલ કરી હતી.”

વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડે નિમિત્તે સેન્ટર ફોર સાઇટ અને મિલિંદ સોમનનું ભારતને આહ્વાન – આંખોના આરોગ્યને પ્રાથમિકતા આપો

 

નવી દિલ્હી [ભારત], 20 ઓગસ્ટ: વર્લ્ડ સિનિયર સિટિઝન્સ ડેના અવસરે, ભારતના અગ્રણી સુપર-સ્પેશિયાલિટી આંખના હોસ્પિટલ નેટવર્ક સેન્ટર ફોર સાઇટ એ વય સાથે જોડાયેલા આંખના રોગોમાં સમયસર સારવારના તાત્કાલિક મહત્વ પર ભાર મૂક્યો છે. ભારતમાં ૬૦ વર્ષથી વધુ વયના ૧૪ કરોડથી વધુ લોકો છે, જેમાંથી લગભગ દરેક ત્રણમાંથી એકને દ્રષ્ટિ સંબંધી સમસ્યા છે. આ પરિસ્થિતિ તેમના સ્વતંત્રતા અને જીવનની ગુણવત્તાને ગંભીર રીતે અસર કરે છે.

વિશ્વવ્યાપી સ્તરે, અંધત્વના ૮૦ ટકા કેસ ટાળવા યોગ્ય છે. તેમ છતાં, ભૂલભુલૈયા માન્યતાઓ અને મોડું સારવાર લીધા કારણે ઘણા વડીલો તેમની દ્રષ્ટિ ગુમાવી દે છે. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ મોતીયા છે, જેને હવે આધુનિક બ્લેડલેસ, રોબોટિક લેઝર સર્જરી દ્વારા એ જ દિવસે સુધારી શકાય છે. ગ્લુકોમા, જેને ઘણી વખત “સાયલેન્ટ થીફ ઑફ સાઇટ” કહેવામાં આવે છે, તે પ્રારંભિક લક્ષણો વગર જ આગળ વધે છે. ડાયાબિટિક રેટિનોપેથી અને અન્ય રેટિનાના રોગો પણ ઝડપથી વધી રહ્યા છે.

જાગૃતિ ફેલાવવા માટે, સેન્ટર ફોર સાઇટ એ ફિટનેસ આઇકન મિલિંદ સોમન સાથે ભાગીદારી કરી છે, જે સક્રિય વૃદ્ધાવસ્થા અને સર્વાંગી સુખાકારીના પ્રતીક છે. આ કેમ્પેઇન કુટુંબોને યાદ અપાવે છે કે નિયમિત આંખની તપાસ વિના આરોગ્ય અધૂરૂં છે.

સેન્ટર ફોર સાઇટ ગ્રુપ ઑફ આઇ હોસ્પિટલ્સના ચેરમેન અને મેડિકલ ડિરેક્ટર ડૉ. મહિપાલ એસ. સચદેવએ જણાવ્યું:

“વૃદ્ધાવસ્થામાં આંખોનું આરોગ્ય એટલે ગૌરવ, આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા. દ્રષ્ટિ નબળી થવી એ વૃદ્ધાવસ્થાનો અનિવાર્ય ભાગ છે એવું સ્વીકારવાની જરૂર નથી, કારણ કે આજની ટેક્નોલોજી અને નિષ્ણાત સારવાર સાથે આવું થવાનું ટાળી શકાય છે.”

ફેમ્ટો સેકન્ડ રોબોટિક લેઝર મોતીયાની સર્જરી હવે દર્દીઓને વધુ સલામતી, ઝડપ અને ચોકસાઈ આપે છે. આધુનિક ઇન્ટ્રાઓક્યુલર લેન્સિસ (IOLs) સાથે, ઘણા વડીલો ફરીથી સ્પષ્ટ દ્રષ્ટિ મેળવી રહ્યા છે અને ચશ્મા પરની નિર્ભરતા ઘટાડી રહ્યા છે, જેથી તેઓ વધુ સક્રિય જીવન જીવી શકે.

સેન્ટર ફોર સાઇટ ભારપૂર્વક કહે છે કે વડીલોની સંભાળ માત્ર દવાઓ અને પોષણ સુધી મર્યાદિત નથી. નિયમિત આંખની તપાસ અંધત્વ અટકાવી શકે છે અને સ્વતંત્રતા જાળવી શકે છે. ધૂંધળી દ્રષ્ટિ, રંગ ફીકા દેખાવા, રાત્રે લાઇટની આસપાસ હેલો દેખાવા અથવા વાંચવામાં મુશ્કેલી જેવા પ્રારંભિક સંકેતોને ક્યારેય અવગણવા જોઈએ નહીં.

Watch the campaign film here: https://www.youtube.com/watch

ભાઈ કિડનીનું દાન કરે છે, શેલ્બી હોસ્પિટલ સુરત સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરે છે.

 

પ્રેમ, હિંમત અને તબીબી શ્રેષ્ઠતાના ચાલતા પ્રદર્શનમાં, શેલ્બી હોસ્પિટલ, સુરતે તાજેતરમાં જ જીવન બચાવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, જેમાં સામેલ દરેકના હૃદયને સ્પર્શ્યું હતું. પ્રાપ્તકર્તા, એક યુવતી, અંતિમ તબક્કાની કિડની રોગ સામે લડતી, છેલ્લા ત્રણ વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ પર હતી.

તેણી પાસે 10 મિલિગ્રામ/ડીએલનું બેઝલાઇન સીરમ ક્રિએટિનાઇન હતું જેમાં પેશાબ આઉટપુટ નથી. ટ્રાન્સપ્લાન્ટ પછી, તેના કિડનીના કાર્યમાં નોંધપાત્ર સુધારો થયો – તેના ક્રિએટિનાઇન સ્તરો 1 મિલિગ્રામ/ડીએલ સુધી સામાન્ય થયા અને તેણીએ પેશાબને સારી રીતે પસાર કરવાનું શરૂ કર્યું, ઉત્તમ કલમ કાર્ય અને સર્જિકલ સફળતાની નિશાની.

આ જટિલ પ્રક્રિયા હૈદરાબાદમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ્સના અનુભવ સાથે ચીફ નેફ્રોલોજિસ્ટ ડો. મુકેશ ગોયલ અને મુખ્ય યુરોલોજિસ્ટ ડો.જુહિલ નાનાવાટી અને નવી ડેલિમાં 250 થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ્સના અનુભવ સાથે ટ્રાન્સપ્લાન્ટ સર્જન દ્વારા સંચાલિત કુશળ ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. તેમના સમર્પણ અને કરુણા, સંપૂર્ણ ટીમના પ્રયત્નો સાથે ડો. કેવિન દેસાઇ દ્વારા આપવામાં આવેલ એનેસ્થેસિયા, આ નોંધપાત્ર સિદ્ધિના કેન્દ્રમાં ડૉ. અરૂલ શુક્લા, નર્સિંગ સ્ટાફ, આરએમઓ વગેરે દ્વારા સંચાલિત ઇન્ટેન્સિવ કેર હતા.

“અમને સુરતમાં આવી અદ્યતન ટ્રાન્સપ્લાન્ટ સંભાળ આપવાનો ગર્વ છે,” ડો. મુકેશ ગોયલે કહ્યું. “દર્દીની પુન:પ્રાપ્તિ નોંધપાત્ર હતી, અને કુટુંબમાં અંગનું દાન જીવનને કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે જોવાનું હ્રદયસ્પર્શી છે.” ડો. જુહિલ નાનાવતીએ ઉમેર્યું, “આ કેસ અમને યાદ અપાવે છે કે નિ:સ્વાર્થ પ્રેમ સાથે મળીને આધુનિક દવા વાસ્તવિક ચમત્કારો બનાવી શકે છે. દર્દીની યાત્રાનો ભાગ બનવું એ સન્માનની વાત હતી.”

આ પ્રક્રિયામાં માત્ર હોસ્પિટલ માટે તબીબી સીમાચિહ્નરૂપ ચિહ્નિત નથી, પણ કુટુંબને આનંદના આંસુ પણ લાવ્યા હતા અને દવા અને માનવતા સાથે મળીને શું પૂર્ણ કરી શકે છે તેના પર વિશ્વાસ મેળવ્યો હતો. આવી વાર્તાઓ આપણને અંગદાનની શક્તિ અને પરિવારો પર તેની ઊંડી અસરની યાદ અપાવે છે. અદ્યતન સુવિધાઓ અને નિષ્ણાતની સંભાળ હવે અહીં સુરતમાં ઉપલબ્ધ છે, આવા ચમત્કારો હવે પહોંચની બહાર નથી.

શેલ્બી હોસ્પિટલમાં, અમે ફક્ત શસ્ત્રક્રિયાઓ કરતા નથી – અમે આશાને પુન restore સ્થાપિત કરીએ છીએ, પરિવારોને મટાડવું અને તેના શુદ્ધ સ્વરૂપમાં સાક્ષી પ્રેમ કરીએ છીએ.

આ વાર્તા હિંમત અને કરુણાના વધુ કાર્યોને પ્રેરણા આપવા દો. કારણ કે કેટલીકવાર, તમે આપી શકો તે સૌથી મોટી ભેટ … જીવન છે.

અદ્યતન કિડની કેર – બધા એક છત હેઠળ
તંદુરસ્ત ભવિષ્ય તરફ પ્રથમ પગલું લો.

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

 

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ જટિલ શસ્ત્રક્રિયાની સફળતા સાથે. હવે અદ્યતન ન્યુરોસર્જરી સેવાઓ તેમના પોતાના શહેરમાં આ ક્ષેત્રના બાળકોને ઉપલબ્ધ રહેશે.

કેનોસિનોસ્ટોસિસ એ એક દુર્લભ રોગ છે જેમાં બાળકના માથાના હાડકાં વચ્ચે હાજર નરમ સાંધા અકાળે બંધ થઈ જાય છે. સામાન્ય રીતે, આ સાંધા ખુલ્લા રહે છે જેથી મગજના વિકાસ સાથે માથાના કદમાં પણ વધારો થઈ શકે જો આ સાંધા અકાળે બંધ થઈ જાય. તો તે માથાના કદને અસામાન્ય બનાવી શકે છે, જે ખોપરી ઉપરની ચામડીની અંદર દબાણ વધારી શકે છે. અને બાળકના વિકાસમાં વિલંબ કરી શકે છે. આ દ્રષ્ટિની સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આ રોગનું કારણ ક્યારેક અજાણ્યું હોય છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં તે આનુવંશિક કારણોસર પણ હોઇ શકે છે.

આ સ્થિતિને અસરગ્રસ્ત સાંધાના આધાર પર વિવિધ પ્રકારોમાં વહેંચવામાં આવે છે, જેમ કે સાગતા સિનોસ્ટોસિસ, કોરોનલ સિનોસ્ટોસિસ, મેટોપિક સિનોસ્ટોસિસ અને લેમ્બેડોઇડ સિનોસ્ટોસિસ, શસ્ત્રક્રિયા એ સારવારના સ્વરૂપમાં મુખ્ય વિકલ્પ છે, જે ખુલ્લી શસ્ત્રક્રિયા, એન્ડોસ્કોપિક સર્જરી અને વિક્ષેપ ઓસ્ટીઓસ્ટિઓજેનેસિસ જેવી આધુનિક તકનીકોનો ઉપયોગ કરે છે.

આ જટિલ સર્જરી સુરતનાં શેલ્બી હોસ્પિટલ ખાતે ડૉ. મોહિત ગોયલના નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ડૉ. ગોયલ એક કુશળ કીહોલ અને એન્ડોસ્કોપિક ન્યુરોસર્જન છે અને કેનિઓસિનોસ્ટોસિસ જેવા જટિલ કેસોની સારવારમાં છ વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે 3 ડી સર્જિકલ પ્લાનિંગ. ઇન્ટ્રા ઓપરેટિવ પેડિયાટ્રિક ન્યુરોડ્રિલ અને અત્યાધુનિક એન્ડોસ્કોપિક તકનીકોનો ઉપયોગ કરીને સર્જરી હાથ ધરી.

શેલ્બી હોસ્પિટલના ક્લસ્ટર હેડ ડૉ. સુપ્રિયા સરકારે જણાવ્યું હતું કે, “આ સફળતા વિશ્વ -વર્ગની આરોગ્ય સેવાઓ આપવાનો શેલ્બી હોસ્પિટલના સંકલ્પનું જીવંત ઉદાહરણ છે. હવે દક્ષિણ ગુજરાતના દર્દીઓએ આવી વિશેષ સારવાર માટે મોટા શહેરોમાં મુસાફરી કરવી પડશે નહીં. નવીનતમ તકનીકી અને નિષ્ણાત દ્વારા દરેક દર્દીને શ્રેષ્ઠ સારવાર આપવાનો અમારો પ્રયાસ છે.*

આ શસ્ત્રક્રિયા દ્વારા, 11 -મહિનાની એક છોકરીની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે, જે દ્વિપક્ષીય કોરોનલ અને મેટોપિક સાયાને પૂર્વ -બંધ કરવાની સમસ્યાથી પીડાઈ રહી હતી. શસ્ત્રકિયા પછી, બાળક વધુને વધુ સ્વસ્થ બન્યુ છે અને તેના માથાના વિકાસમાં પણ સુધારો જોવા મળે છે.

આ સિદ્ધિ ફક્ત બાળ ચિકિત્સા અને ન્યુરોસર્જરીના ક્ષેત્રમાં શેલ્બી હોસ્પિટલનું નેતૃત્વ કરે છે. પરંતુ સમાજ પ્રત્યેની તેમની સેવા ભાવના અને ગુણવત્તાની સારવારના વચનને પણ સશક્ત બનાવે છે.

દેશમાં સૌ પ્રથમ વખત, સુરતની કિરણ હોસ્પીટલમાં એકજ બ્રેઈન ડેડ વ્યક્તિના અંગો, એક દિવસે, એક સાથે ૭ વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા.

 

કિરણ હોસ્પીટલે દેશમાં આરોગ્ય ક્ષેત્રે એક વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશના ઓર્ગન ફેલ્યોર લોકો માટે કિરણ હોસ્પિટલ આશાનું કિરણ બની છે. અંગદાતાઓના અંગો થકી અને કિરણ હોસ્પિટલના માધ્યમથી ઓર્ગન ફેલ્યોર લોકોને નવું જીવન મળે છે. 23 એપ્રિલના રોજ સુરતના 51 વર્ષીય બ્રેઈન ડેડ પન્નાબેન ના અંગોના દાન થકી ૭ લોકોને નવું જીવન મળ્યું છે, જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું. કિડની નું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલા અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું. હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં કરવામાં આવ્યું. આંખ(કોર્નિયા) નું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદ ની 40 વર્ષની મહિલામાં અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું.

દેશમાં પ્રથમ વખત એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી એકજ હોસ્પિટલમાં એક સાથે 7 વ્યક્તિઓમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોય તેવી આ દેશની પ્રથમ ઘટના છે.

બ્રેઈન ડેડ માનવીના વિવિધ પ્રકારના અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પીટલની સંખ્યા દેશમાં ખુબજ ઓછી છે. સાત પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ધરાવતી હોસ્પીટલની સંખ્યા તો આંગળીના વેઢે ગણી શકાય એટલીજ છે, જયારે કિરણ હોસ્પિટલમાં 7 પ્રકારના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત હોવાથી કિરણ હોસ્પીટલમાં એકજ દિવસે, એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યા છે.

કિરણ હોસ્પીટલ તમામ જટિલ બીમારીઓના ઈલાજ માટે સક્ષમ છે, 900 બેડ ધરાવતી કિરણ હોસ્પિટલમાં 8 વર્ષમાં 34 લાખથી વધારે દર્દીઓએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો. અતિ આધુનિક 400 કરોડના સાધનો સાથે શરીરમાં થતા તમામ રોગોના નિદાન અને સારવાર માટે 24 કલાક કિરણ હોસ્પિટલના 45 વિભાગો કાર્યરત છે.

દેશભરના લોકો કિરણ હોસ્પિટલમાં આવીને તમામ પ્રકારની જટિલ બીમારીઓની રીઝનેબલ પ્રાઈઝમાં ક્વોલીટી સારવાર લઈ રહ્યા છે. ફૂલ ટાઈમ 105 સુપર સ્પેશિયાલિસ્ટ અને 300 સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરો સાથે 2700 લોકોનો પેરામેડીકલ સ્ટાફ, લોકોને ઉત્તમ સારવાર આપવા માટે 24 કલાક પ્રયત્નશીલ રહે છે. દેશ-વિદેશના લોકો કિરણ હોસ્પિટલની સેવાનો લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યા છે.

મથુરભાઈ સવાણી ચેરમેન કિરણ હોસ્પિટલ

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સુરતના પ્રથમ ડિજિટલ PET-CTનું લોન્ચિંગ – ભારતમાં ઓન્કોઇમેજિંગની સૌથી મોટી ચેઇનની શરૂઆત

 

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર, કેન્સર નિદાનમાં ક્રાંતિ લાવવા માટે સુરતના પ્રથમ ડિજિટલ PET-CT સ્કેનર લોન્ચ કરી રહ્યું છે, જે ભારતમાં સૌથી મોટી ઓન્કોઇમેજિંગ ચેઇન સ્થાપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સેન્ટર પર દર્દીઓ સરળતાથી પહોંચી શકે તે હેતુથી સુરત સિવિલ હોસ્પિટલથી ખૂબ જ નજીક છે અને તેનું ઉદ્ઘાટન આજે સવારે 9:00 કલાકે, માનનીય ઓન્કોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ અને આરોગ્ય નિષ્ણાતોની ઉપસ્થિતિમાં થશે.

સુરતમાં ડિજિટલ PET-CT લોન્ચ કરીને, અમે ભારતમાં સૌથી અદ્યતન ઓન્કોઇમેજિંગ ચેઇન બાંધવા માટે મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ, જેથી વિશ્વ સ્તરની કૅન્સર ડાયગ્નોસ્ટિક સુવિધાઓ દેશના દરેક ખૂણામાં પહોંચે,” પ્રિઝમા સુરત નાં ચેરમેન ડૉ. હેમંત પટેલ જણાવે છે, જે એશિયન ઓશિયેનિક સોસાયટી ઓફ રેડિયોલોજીના સચિવ અને ઇન્ડિયન રેડિયોલોજિકલ & ઇમેજિંગ એસોસિએશનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ છે.

પ્રિઝમા સુરત નાં ઇન્ચાર્જ અને સુરત નાં ખ્યાતનામ રેડિયોલોજિસ્ટ ર્ડા. કેયુર માંડલિયા જણાવે છે પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સમગ્ર દેશમાં અદ્યતન ઇમેજિંગ સેન્ટર્સની એક મજબૂત ચેઇન બનાવવાનો દ્રષ્ટિકોણ છે, જે શરૂઆતની કેન્સર નિદાન, ચોક્કસ તબક્કાઓ અને સારવાર મોનિટરિંગ પર કેન્દ્રિત છે. એક કુશળ ઓન્કોઇમેજિગ નિષ્ણાતોની ટીમ સાથે, પ્રિસ્મા કૅન્સર કેર ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ સર કરવાની તૈયારીમાં છે, જેમાં સુરત પ્રિઝમા AI આધારિત ડાયગ્નોસ્ટિકસ અને પર્સનલાઇઝડ ઇમેજિગ સોલ્યુશન્સ શામેલ છે.

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ નેટવર્ક આગામી સમયમાં ભારત નાં વિવિધ રાજ્યો અને શહેરોમાં વિસ્તરશે, જેથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઓન્કોલોજીકલ ઇમેજિંગ સેવાઓ ભારતમાં તમામ દર્દીઓ માટે ઉપલબ્ધ અને સસ્તી બને.

દર્દીને શ્રેષ્ઠ સારવાર આપવા સાથે પરિવારજનોને સતત માહિતગાર કરાયા હતા : શેલ્બી હોસ્પિટલ

 

સુરત. શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે કૌશિક પટેલ નામ દર્દીના મૃત્યુના કેસમાં સંબંધીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢતા હોસ્પિટલ તંત્ર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે દર્દી અતિ ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખાતે દાખલ થયા બાદ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવા સાથે સારવારની દરેક પદ્ધતિ અને સ્થિતિ અંગે સતત પરિવારના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે પરિવાર દ્વારા કરવામાં આવેલા આ દાવાઓ ખોટા અને પાયાવિહોણા છે.

દર્દી કૌશિક પટેલને 18મી નવેમ્બર 2024ના રોજ INS પ્લસ હોસ્પિટલ, નવસારીમાંથી ગંભીર હાલતમાં શેલ્બી હોસ્પિટલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે દર્દીને બરોળમાં બહુવિધ થ્રોમ્બી અને મેસેન્ટરિક ધમની થ્રોમ્બોસિસ સાથે B/L રીનલ ધમનીઓ અને ગેંગ્રેનસ ફેરફારો સાથે તીવ્ર થ્રોમ્બોસિસ હોવાનું નિદાન થયું હતું. દર્દીને તેની મહાધમની અને તેના જમણા પગને સપ્લાય કરતી ધમનીઓમાં લોહીની ગંઠાઇ હતી. તેની સારવાર માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી

દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, દર્દી/દર્દીના સંબંધીની સંમતિ મેળવ્યા પછી, તેને 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ તરત કેત્થલેબ અને ઓપરેશન થિયટરમાં કરવામાં આવી. આ અંગે દર્દીના પરિવારને સતત અપડેટ્સ સાથે વ્યાપક અને શ્રેષ્ઠ શક્ય તબીબી સારવાર આપવામાં આવી રહી હોવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. છતાં, દર્દી લ્યુપસ એન્ટીકોએગ્યુલેન્ટ પોઝીટીવ હોવાનું જણાયું હતું, જેના કારણે દર્દીને વારંવાર થ્રોમ્બોસિસ થવાનું વલણ હતું. દર્દી સારવાર હેઠળ હતો અને તેને વધુ રહેવાની જરૂર હતી પરંતુ સંબંધીઓએ નવસારીની અન્ય હોસ્પિટલમાં સારવાર લેવાનું નક્કી કર્યુ અને દર્દીએ 3જી ડિસેમ્બર, 2024ના રોજ તબીબી સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ લીધો હતો. ત્યારે દર્દીના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યું છે.
દર્દી જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયો ત્યારે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, GI સર્જન, કાર્ડિયો વેસ્ક્યુલર સર્જન (CTVS), ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, પ્લાસ્ટિક સર્જન, હેમેટોલોજિસ્ટ અને પલ્મોનોલોજિસ્ટ સહિત ડોકટરોની ટીમે પારદર્શક અપડેટ્સ અને સંભાળ પૂરી પાડી હતી. દર્દી અને તેના નજીકના સંબંધીઓની સલાહ અને સંમતિ પછી જ સારવાર આપવામાં આવતી હતી.

લી.
શેલ્બી હોસ્પિટલ મેનેજમેન્ટ

સુરતમાં ગુલાબી ઠંડીમાં ૫૦૦થી વધુ લોકોએ એક સાથે એરોબિકસ જુમ્બા અને યોગ ગરબા કર્યા હતા.

 

સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટરના પ્રારંભે આ એરોબિકસ જુમ્બા અને યોગ ગરબાનું આયોજન કર્યું હતું. આ અનોખા કાર્યક્રમની શરૂઆત મ્યુઝિકના રિથ્મ પર એરોબિકસ, જૂમ્બા, અને યોગ ગરબાના તાલે થઈ, જેમાં લોકોએ મજા કરીને ફિટનેસના પરિપ્રેક્ષ્યમાં પાર્ટી કરી

આ અનોખી ઉજવણીમાં હાજર લોકોએ આરામ કરવા માટે થોડીવાર ફૂલો અને યોગદાનના સંસ્કારોથી ઠંડી હવા માં આરામ લીધો હતો. નવા વર્ષની શરૂઆતમાં હેલ્થ પરફોર્મન્સ માટે તમામ લોકોએ સંકલ્પ લીધો હતો. આ યોગમાં લોકોએ આંખ પર પટ્ટી બાંધીને સંપૂર્ણ મન એકાગ્રતા સાથે યોગ કરવામાં નિષ્ણાત બન્યા હતા આ સાથે જ મંદિરમાં ગુંજતા ઘંટના અવાજ સાથે મેડિટેશન કરવામાં આવ્યું હતું.

જેનો ઉદ્દેશ શાંતિ અને માનસિક સક્રિયતા પ્રદાન કરવાનો હતો. ફિટનેસ પ્રતિબદ્ધતાએ ડૉ. આફરીન અને તેમની ટીમે સંદેશ આપ્યો કે, ફિટ રહેવા માટે બહાનાઓ નથી, હવે બહાર નીકળી અને કસરત કરવાની જરૂર છે. લોકો ને ફિટનેસ તરફ મોટીવેટે કરી ને પેઈન ફ્રી ઇંડિયા બનાવા માટે લોકોએ સંકલ્પ લીધો હતો.