આરોગ્ય
વરાછાની પ્રખ્યાત કેન્ડોર IVF સેન્ટર લિમિટેડના નવા સોપાનના ૬ વર્ષ પૂર્ણ: ભવ્ય સ્નેહમિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી
સુરત: નિઃસંતાન દંપતીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના ૬ વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સફળ પેશન્ટ્સનું સન્માન અને મનોરંજન
આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સ ડો. જયદેવ ધામેલિયા, ડો. શિવાની શાહ, ડો. ધવલ પટેલ અને ડો. અમિત બલદાણીયા દ્વારા અત્યાર સુધીના તમામ ‘હેપી પેશન્ટ્સ’ (સફળતાપૂર્વક સંતાન સુખ મેળવનાર દંપતીઓ) ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ દંપતીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણીમાં ઉમંગ વધારવા માટે ગેમ્સ, ડાન્સ અને પ્રશ્નોત્તરી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, ત્યારબાદ તમામ મહેમાનોએ સાથે મળીને ડિનરનો આનંદ માણ્યો હતો.
અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી
કેન્ડોર IVF સેન્ટર વરાછા વિસ્તારની એકમાત્ર એવી હોસ્પિટલ છે જે આધુનિક સુવિધાઓથી સજ્જ છે:
વિશાળ પાર્કિંગ: પેશન્ટ્સ અને મહેમાનો માટે સુવિધાજનક પાર્કિંગની વ્યવસ્થા.
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: હવા-ઉજાસવાળું અને પોઝિટિવ વાતાવરણ ધરાવતું બિલ્ડિંગ.
ઇન-હાઉસ (In-House) IVF લેબ: આધુનિક ટેકનોલોજી અને લેટેસ્ટ લેબ સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ.
૬ વર્ષની ઉજવણી પર સેવાનો સંકલ્પ
૬ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા સમાજ માટે મહત્વના સંકલ્પો જાહેર કરવામાં આવ્યા છે:
૧૦૦૦ નિઃસંતાન દંપતીઓને તદ્દન મફત (Free) માર્ગદર્શન આપવામાં આવશે.
૧૦૦ જરૂરિયાતમંદ દંપતીઓ માટે ૫૦% રાહત દરે IVF ટ્રીટમેન્ટની સુવિધા.
ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પણ વિશેષ રાહત દરે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડોક્ટર્સની ટીમે જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આર્થિક મુશ્કેલીને કારણે કોઈ દંપતી સંતાન સુખથી વંચિત ન રહે. ખાસ કરીને ગામડાઓ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પણ અમે આધુનિક વિજ્ઞાનનો લાભ પહોંચાડવા કટિબદ્ધ છીએ.”
સંપર્ક અને સ્થળ:
કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ
GEB પાવર હાઉસ પાસે, કર્મનાથ મહાદેવની સામે, કાપોદ્રા ચાર રસ્તા, સુરત.
મોબાઈલ: 99253 94276
બાળકો માટે વિજ્ઞાન-સમર્થિત સુખાકારી : ‘વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સ’ના ફાયદા હવે ક્લિનિકલી માન્ય
વડોદરા : વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સે, બાળકોના એકંદર સ્વસ્થ વિકાસમાં સહાય કરવામાં ક્લિનિકલી રીતે મહત્વપૂર્ણ લાભદાયી પ્રદર્શન કર્યું છે, એવું તાજેતરના સ્વતંત્ર ક્લિનિકલ અભ્યાસના તારણો દ્વારા પ્રમાણિત થયું છે. નવા ક્લિનિકલ ડેટાએ આ ડ્રોપ્સને બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાયદાકારક પૂરક તરીકે સમર્થન આપ્યું છે. આ સંશોધન, આ પરંપરાગત આયુર્વેદિક ફોર્મ્યુલેશન માટે વૈજ્ઞાનિક માન્યતા પ્રદાન કરે છે, જેનો ઉપયોગ લાંબા સમયથી બાળ કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે થતો રહ્યો છે.
નોંધનીય છે કે, ઓપન લેબલ ક્લિનિકલ અભ્યાસમાં 90 દિવસથી વધુ સમય સુધી દરરોજ આપવામાં આવતા વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સ(ટીપાં)ની અસરકારકતા અને સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં 0 થી 16 વર્ષની વયના 35 બાળકોએ ભાગ લીધો હતો અને દરેક સહભાગીને ઉંમર અનુસાર ડ્રોપ્સના ડોઝ આપવામાં આવ્યાં હતાં, જેના પરિણામોનું મુલ્યાંકન તેમના વિકાસ, રોગપ્રતિકારક શક્તિ, જ્ઞાનાત્મક કાર્ય, ઊંઘની ગુણવત્તા અને શારીરિક સ્વાસ્થ્યના આધારે કરવામાં આવ્યું હતું.
આ અભ્યાસના તારણો અનુસાર, બાળકોએ શરીરના વજન અને શારીરિક કલ્યાણ સહિત મુખ્ય વિકાસ સૂચકાંકોમાં સમગ્રપણે સુધારો દર્શાવ્યો હતો. માળખાગત પ્રશ્નાવલીઓ દ્વારા મૂલ્યાંકન કર્યા મુજબ, ધ્યાન અને એકાગ્રતાના સ્કોર્સમાં સુધારો થયો હતો, જ્યારે માતાપિતાએ સહભાગીઓમાં સારી ઊંઘની ગુણવત્તાની જાણ કરી હતી.
આ અભ્યાસમાં ટ્રાયલ સમયગાળા દરમિયાન, વારંવાર થતા ઉપલા શ્વસન માર્ગના ચેપના પ્રકરણમાં ખુબજ પ્રોત્સાહક પરિણામો જોવા મળ્યા હતા. આની સાથે જ, સીરમ IgG અને IgA સ્તરોમાં પણ સુધારો જોવા મળ્યો હતો, જે રોગપ્રતિકારક પ્રતિભાવમાં વધારો દર્શાવે છે.
આ અભ્યાસ દરમિયાન, કોઈ પ્રતિકૂળ અસરો નોંધાઈ ન હતી, તેથી આ ફોર્મ્યુલેશન બધા વય જૂથોમાં સારી રીતે સહન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અનુપાલન સ્તર ઉત્તમ હોવાનું નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, બધા માતાપિતાએ તેમના બાળકોમાં સમગ્ર વિકાસ, સહનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયાની માહિતી આપી હતી, જ્યારે 97% લોકોએ ભવિષ્યના ઉપયોગ માટે ઉત્પાઆદનની ભલામણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સના નિર્માતા વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે, “સુવર્ણપ્રાશનને પરંપરાગત રીતે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ અને જ્ઞાનાત્મક વિકાસને સપોર્ટ આપવામાં તેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. આ અભ્યાસ, પેઢીઓથી વિશ્વસનીય આયુર્વેદિક પ્રેક્ટિસની આધુનિક ક્લિનિકલ માન્યતા પ્રદાન કરે છે. માપન યોગ્ય ક્લિનિકલ માપદંડ દ્વારા દર્શાવવામાં આવેલા આ પરિણામો, મહત્વપૂર્ણ વૃદ્ધિ વર્ષો દરમિયાન સહાયક પૂરક તરીકે તેના મૂલ્ય અંગે માતાપિતા અને આરોગ્યસંભાળ વ્યાવસાયિકોને વધુ વિશ્વાસ પ્રદાન કરે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “હજારો માતા-પિતા તરફથી અમને મળી રહેલો પ્રેમ, આશીર્વાદ અને સકારાત્મક પ્રતિસાદ અમને સતત પ્રેરણા અને મજબૂતી આપે છે. અમે એ જણાવતા પણ ગૌરવ અનુભવીએ છીએ કે, અમે હાલમાં જ અમારી નવી જાહેરાત ફિલ્મ ‘સબકો હોના હૈ ગ્રો’ લોન્ચ કરી છે.”
આ ક્લિનિકલ ટ્રાયલ, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયા (CTRI) માં નોંધાયેલી એક સ્વતંત્ર થર્ડ પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ અભ્યાસને સ્વતંત્ર એથિક્સ કમિટી તરફથી પણ મંજૂરી મળી હતી.
ખાસ નોંધનીય છે કે, સુવર્ણપ્રાશનને આયુર્વેદમાં જટાકર્મ સંસ્કાર અથવા નવજાત શિશુ સંભાળ હેઠળના બાળકો માટે 16 આવશ્યક સંસ્કારોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું છે. વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સમાં સુવર્ણ ભસ્મ, મધ અને વાચા, બ્રાહ્મી અને શંખપુષ્પી જેવા હર્બલ ઘટકોનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ પરંપરાગત રીતે પ્રતિરક્ષા, પાચન, શીખવાની ક્ષમતા અને ઊંઘને સપોર્ટ કરવા માટે થાય છે. આ ફોર્મ્યુલેશન, એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, દરેક ડોઝમાં આ ઘટકોની એક જેવી ડિલિવરી થઈ શકે.
1980 માં શરૂ થયેલી, વડોદરા સ્થિત વાસુ હેલ્થકેર, એ હર્બલ અને આયુર્વેદિક આરોગ્યસંભાળ ક્ષેત્રમાં જાણીતું નામ છે અને ભારતના આયુર્વેદ પ્રિસ્ક્રિપ્શન માર્કેટમાં ટોચની પાંચ બ્રાન્ડ્સમાં સામેલ છે. આ કંપની આયુર્વેદિક ફોર્મ્યુલેશન, હર્બલ કોસ્મેટિક્સ અને પર્સનલ કેરથી લઈને હર્બલ અને પોષણયુક્ત પ્રોડક્ટના ઉત્પાદન અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે. વાસુ હેલ્થકેર, સમગ્ર ભારતમાં અને 50 થી વધુ આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજરી ધરાવે છે, જેમાં 200+ સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે.
કંપની પાસે વડોદરામાં બે વર્લ્ડ ક્લાસ ઉત્પાદન સુવિધાઓ છે અને હાલમાં જ તેની ત્રીજી આયુર્વેદિક ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે, જે WHO ના આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર છે. આ નવી સુવિધા 2,00,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે.
ગુજરાતના પ્રખ્યાત, ૧૫ વર્ષનો અનુભવ ધરાવતા અને ૭૦૦૦થી વધુ સફળ સર્જરી કરનાર રોબોટિક ની (Knee) અને હિપ (Hip) રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. કૌશિક પટેલ હવેથી શેલ્બી હોસ્પિટલ સુરત અને વાપી ખાતે મળશે.
સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ડૉ. કૌશિક પટેલ, હવે ૧લી ફેબ્રુઆરી ૨૦૨૬થી સુરતની પ્રતિષ્ઠિત શેલ્બી હોસ્પિટલ સાથે જોડાઈ રહ્યા છે. ડૉ. કૌશિકના જોડાવાથી શેલ્બી હોસ્પિટલમાં હવે રોબોટિક ની (Knee) અને હિપ (Hip) રિપ્લેસમેન્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.
ડૉ. કૌશિક પટેલ છેલ્લા ૧૫ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અગાઉ સહજાનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં ૭,૦૦૦ જેટલી રોબોટિક સર્જરીઓ સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. તેમની શૈક્ષણિક લાયકાત અને તાલીમ પણ અત્યંત ઉચ્ચ સ્તરની છે. તેમણે એમ.એસ. (ઓર્થોપેડિક)નો અભ્યાસ ઈન્દોરથી પૂર્ણ કર્યો છે. તેમજ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વિશેષ ફેલોશિપ તેમણે મુંબઈ, અમદાવાદ અને કેનેડા ખાતેથી મેળવી છે.
આ અંગે વાત કરતા ડૉ. કૌશિક પટેલ જણાવે છે કે, “સમગ્ર ગુજરાતમાં રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ ગણ્યા-ગાંઠ્યા સેન્ટરો પર જ થાય છે અને સુરતમાં અમે આ અત્યાધુનિક પદ્ધતિથી મોટી સંખ્યામાં સર્જરી કરી રહ્યા છીએ. શેલ્બીમાં બે-બે રોબોટિક મશીનોની ઉપલબ્ધતાથી દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક સારવાર આપી શકાશે.”
શા માટે શેલ્બી હોસ્પિટલની પસંદગી કરી?
શેલ્બી હોસ્પિટલ સાથે જોડાવવા અંગે ડૉ. કૌશિક પટેલે કહ્યું કે, “શેલ્બી જેવી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોડાવાથી દર્દીઓને મજબૂત ‘બેક સપોર્ટ’ મળે છે. જો કોઈ દર્દીને અન્ય બીમારીઓ જેવી કે બ્લડ પ્રેશર કે શ્વાસની તકલીફ હોય, તો એક જ સ્થળે તમામ નિષ્ણાતોની ટીમ મળી રહે છે. અત્યાધુનિક મલ્ટી-સ્પેશિયાલિટી સુવિધાઓ અને રોબોટિક ટેકનોલોજીના સમન્વયથી દર્દીઓને શ્રેષ્ઠ પરિણામ આપી શકાય, તે જ મારો મુખ્ય હેતુ છે.”
ડૉ. કૌશિક પટેલના આ નવા પ્રારંભથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને દેશ-વિદેશથી આવતા દર્દીઓને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે.
જેનબકર્ટે ગુજરાતમાં ભારતની પ્રથમ વ્યાપક 10 પ્રકારનીકેન્સર સ્ક્રીનીંગ વાનની શરૂઆત કરી
ભારતની પ્રથમ 10 પ્રકારની કેન્સરનું સ્ક્રીનીંગ વાન
ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ-સ્તરીય નિદાન સેવાઓ પહોંચાડે છે
ગાંધીનગર, ભારત – 8 જાન્યુઆરી, 2026: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટિત એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે પરિકલ્પિત અને દાનમાં આપેલી ‘જેનબર્ક્ટ આશા વાન’ (વ્હીલ્સ પર આશાનું પ્રતીક) ભારતની સૌ પ્રથમ અદ્યતન મોબાઇલ કૅન્સર સ્ક્રીનિંગ વાન તરીકે શરૂ કરવામાં આવી છે. આ વાન 10 વિવિધ પ્રકારના કૅન્સરનું સ્ક્રીનિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેનું સંચાલન તથા જાળવણી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા દ્વારા કરવામાં આવે છે.
આ મહત્વાકાંક્ષી પહેલ 2040 સુધી ભારતના અનુમાનિત 20.8 લાખ કૅન્સર કેસોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3.8 અંતર્ગત સર્વજન આરોગ્ય કવચ તરફ એક સશક્ત પગલું છે.
જેનબર્ક્ટ આશા વાન આરોગ્ય ક્ષેત્રની અસમાનતાને દૂર કરે છે કારણકે તે અદ્યતન નિદાન ક્ષમતાઓ અને ત્વરિત તથા ચોક્કસ પરિણામો ગ્રામ્ય સમુદાયો સુધી પહોંચાડે છે, જે અગાઉ માત્ર ભારતની અગ્રણી શહેરી હોસ્પિટલો સુધી મર્યાદિત હતા. આ વાન 10 મહત્વપૂર્ણ કૅન્સર પ્રકારો માટે સ્ક્રીનિંગ કરે છે: સ્તન, ગર્ભાશય ગ્રીવા, મૌખિક, રક્ત, પ્રોસ્ટેટ, વીર્યગ્રંથિ, પૈન્ક્રિયાઝ, લીવર, આંતરડા અને ફેફસાના કૅન્સર.
આ વાનમાં વિશ્વસ્તરીય EVA-pro નિદાન સાધનો, સંપૂર્ણ મેમોગ્રાફી યુનિટ સાથે CR સિસ્ટમ, થર્મોગ્રિડ ટેકનોલોજી અને વ્યાપક IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જ છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર અને જીવન બચાવતું નિદાન શક્ય બનાવે છે.
વાનનું આંતરિક ડિઝાઇન ખાસ કરીને ચિંતા કરતાં આશા પ્રેરતું રાખવામાં આવ્યું છે. ક્લિનિકલ અને નિરસ વાતાવરણને બદલે, સ્નેહભર્યા, માનવિય અને ગૌરવપૂર્ણ પરિસર દ્વારા દર્દીઓને આરામદાયક સ્ક્રીનિંગનો અનુભવ મળે તે માટે રચના કરવામાં આવી છે.
આ વાન સંપૂર્ણ કૅન્સર કાળજી સંકલન પ્રદાન કરે છે જેમાં સ્થળ ઉપર જ સ્ક્રીનિંગ, અસામાન્ય પરિણામો માટે તાત્કાલિક સલાહ, અમદાવાદ, વડોદરા અને સુરતના ઓન્કોલોજિસ્ટ્સ સાથે 24 કલાક વિશેષ પરામર્શ, રેફરલ સપોર્ટ અને સતત ટેલિ-કાઉન્સેલિંગ સેવાઓનો સમાવેશ થાય છે. આ એકીકૃત અભિગમ સ્ક્રીનિંગને એકમાત્ર ઘટનામાંથી સંકલિત વેલનેસ યાત્રાના પ્રથમ પગથિયે રૂપાંતરિત કરે છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, મુખ્યમંત્રી રાહત ફંડ દ્વારા 2021 થી 2025 દરમિયાન 2,106 થી વધુ કૅન્સર દર્દીઓને રૂ. 31.55 કરોડથી વધુની સારવાર સહાય પૂરી પાડવામાં આવી છે, જે ગુજરાતને કૅન્સર કાળજીની સુલભતામાં અગ્રણી રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.
ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ‘જેનબર્ક્ટ આશા વાન’ દાનમાં આપવા બદલ જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની ટીમનો આભાર માનતા હજુ આવી વધુ વાન આપવા માટે અપીલ કરી હતી. જેનાથી વધુ ને વધુ લોકો આ સુવિધાનો લાભ મેળવી શકે. સમગ્ર સોરાષ્ટ્રમાં મોંઢાના કેન્સર વધુ પ્રમાણમાં મળી આવે છે, આ વાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જઈ સ્ક્રીનિંગ કરશે, જેનાથી સમગ્ર ગુજરાતની જનતાને આનો લાભ મળશે અને શરૂઆતના તબક્કામાં કેન્સરની ઓળખ થઈ જતાં સમયસર સારવાર મળી જતાં લોકોની જીદગી બચાવવામાં મદદ મળી રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત હંમેશાં નવીન આરોગ્યસેવા ઉકેલો અમલમાં મૂકવામાં આગેવાન રહ્યું છે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરના સહયોગથી શરૂ થયેલ જેનબર્ક્ટ આશા વાન દરેક નાગરિક સુધી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. વહેલી તબક્કે શોધ જીવન બચાવે છે અને આ પહેલ દ્વારા ગ્રામ્ય સમાજ સુધી વિશ્વસ્તરીય નિદાન સેવાઓ પહોંચશે.
જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ યુ. ભૂતાએ જણાવ્યું કે કૅન્સર પિનકોડ નથી જોતી પરંતુ જીવન બચાવતી સ્ક્રીનિંગ સુવિધાઓ ઘણી વખત ઉપલબ્ધિ પર આધાર રાખે છે. એક ગ્રામ્ય ખેડૂતને પણ મુંબઇની અગ્રણી હોસ્પિટલોમાં મળતી અદ્યતન નિદાન સુવિધાનો સમાન અધિકાર હોવો જોઈએ. દર્દી પ્રથમ સિદ્ધાંત હેઠળ, જેનબર્ક્ટ ગુણવત્તામાં ક્યારેય સમર્પણ કરતું નથી, ખાસ કરીને ત્યારે જ્યારે જીવન બચાવવાનો પ્રશ્ન હોય. સમયસર સ્ક્રીનિંગ પરિવારને આર્થિક સંકટમાં ધકેલાતાં અટકાવે છે અને જીવનને નવી દિશા આપે છે.
રાષ્ટ્રીય સ્તરે જ્યાં 40 ટકાથી વધુ કૅન્સર કેસો મોડા તબક્કે ઓળખાય છે, ત્યાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સમાન પડકારો જોવા મળે છે કારણ કે અદ્યતન નિદાન સુવિધાઓ મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત છે. ભારતમાં કૅન્સર સારવાર માટેની આર્થિક ઝંઝટ ચેપજન્ય રોગોની સરખામણીએ 6 ગણું વધુ છે. મોડા તબક્કાની સ્તન કૅન્સરમાં પાંચ વર્ષનું સર્વાઇવલ માત્ર 15 ટકા રહે છે, જ્યારે વહેલી ઓળખમાં તે 90 ટકાથી વધુ છે. ગર્ભાશય ગ્રીવા કૅન્સરમાં સ્ટેજ 1 માં સર્વાઇવલ 78 ટકા છે જ્યારે સ્ટેજ 4 માં તે માત્ર 9 ટકા રહે છે.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરના ચેરમેન ડૉ. મિલન દવે જણાવ્યું કે આ વાન ગ્રામ્ય ભારતમાં કૅન્સર કાળજી માટેનો અભિગમ બદલતી એક ક્રાંતિકારી પહેલ છે. સંશોધન દર્શાવે છે કે મોબાઇલ સ્ક્રીનિંગ કાર્યક્રમો દર 1,000 લોકો પાછળ 7 થી 12 જીવન વર્ષ બચાવી શકે છે, જે દર વર્ષે અનેક પરિવારો માટે આશા બની શકે છે.
જેનબર્ક્ટનું મુખ્ય મથક મુંબઇમાં આવેલું છે અને છેલ્લા 40 વર્ષથી સિહોર, ગુજરાતમાં અદ્યતન ઉત્પાદન પ્લાન્ટ અને સંશોધન તથા વિકાસ કેન્દ્ર કાર્યરત છે. કંપની ગુણવત્તા, નવીનતા અને નૈતિક માર્કેટિંગ પર સતત ભાર મૂકે છે. 2019માં શરૂ કરાયેલ ‘શ્રી ઉત્તમ એન. ભૂતા રેડ ક્રોસ બ્લડ સેન્ટર’ અને 2024ની મોબાઇલ હેલ્થ વાન પહેલ દ્વારા જેનબર્ક્ટે આરોગ્યસેવાની સુલભતા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ભાવનગર જિલ્લામાં સેવાઓ મફત અથવા નામમાત્ર દરે ઉપલબ્ધ છે. જન્મદિવસ, લગ્નવાર્ષિકી અને પુણ્યતિથિ જેવા પ્રસંગોએ મફત કૅન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરી શકાય છે. કંપનીઓ, સંસ્થાઓ અને સમુદાય જૂથો ‘તિથિ દાન’ કાર્યક્રમ દ્વારા આવા કેમ્પો આયોજિત કરી શકે છે.
ભાવનગર જિલ્લામાં કૅન્સર સ્ક્રીનિંગ કેમ્પ આયોજિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરનો સંપર્ક કરો:
+91 95379 54848 | +91 94294 06202
વધુ માહિતી માટે મુલાકાત લો: www.jenburkt.com
જેન/પીઆર/26/004
ઓઇલી અને એકને-પ્રોન સ્કિન માટે ડૉ. સખીયા’ સ એન્ટી એકને કિટનું લોન્ચ
22 વર્ષના ડર્મેટોલોજી અનુભવ પરથી તૈયાર 4-સ્ટેપ સ્કિનકેર રૂટિન હવે ઘરે મળશે.
સુરત: ભારતીય ઓઇલી અને એકને-પ્રોન ત્વચા માટે ખાસ વૈજ્ઞાનિક રીતે વિકસિત ડૉ. સખીયા’ સ એન્ટી એકને એન્ડ પિમ્પલ કેર કિટનું સત્તાવાર લોન્ચ સુરતના લાલ દરવાજા સ્થિત સખીયા સ્કિન ક્લિનિક ખાતે કરવામાં આવ્યું હતું. આ કિટ ડર્મેટોલોજિસ્ટ દ્વારા ડિઝાઇન કરાયેલ 4-સ્ટેપ સ્કિનકેર રૂટિન છે, જે હવે ક્લિનિક લેવલની એકને સારવારને સરળ અને સુરક્ષિત રીતે ઘરેથી અપનાવવાની તક આપે છે.
આ અવસરે સખીયા સ્કિન ક્લિનિકના સ્થાપક અને જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ટીનએજર્સ, યુવાનો અને કામકાજ કરતા વ્યાવસાયિકોમાં એકને અને પિમ્પલ્સની સમસ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. બજારમાં ઉપલબ્ધ ખોટા અથવા બિનવૈજ્ઞાનિક પ્રોડકટ્સ ત્વચાને વધુ નુકસાન પહોંચાડે છે. આથી, 27 વર્ષના અમારા ક્લિનિકલ અનુભવના આધારે એવી કિટ વિકસાવવામાં આવી છે, જે ખાસ ભારતીય ત્વચા માટે સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત છે.
ડૉ. સખીયા’ સ એન્ટી એકને એન્ડ પિમ્પલ કેર કિટમાં ચાર મહત્વપૂર્ણ સ્ટેપ્સ સામેલ છે.
ફેસ વોશ વધારાનું તેલ નિયંત્રિત કરી પોર્સને ઊંડાણથી સાફ કરે છે.

એ.એમ. ક્રીમ સક્રિય એકને ઘટાડવામાં અને નવા બ્રેકઆઉટ અટકાવવામાં મદદ કરે છે.
હળવી અને નોન-કોમેડોજનિક સનસ્ક્રીન એકનેના ડાઘ અને પિગમેન્ટેશનથી રક્ષણ આપે છે.
નાઇટ ક્રીમ મૂળમાંથી એકને પર કામ કરી ધીમે ધીમે ડાઘોને ફિક્કા બનાવે છે.
આ કિટમાં સેલિસિલિક એસિડ, નાયાસિનામાઇડ, એઝેલાઈક એસિડ, ઝિંક પીસીએ અને હાયાલુરોનિક એસિડ જેવા ડર્મેટોલોજિસ્ટ દ્વારા વિશ્વસનીય ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે લાંબા ગાળાની સ્કિન હેલ્થ અને સ્પષ્ટ ત્વચા મેળવવામાં મદદરૂપ થાય છે.
ડૉ. સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં એકને માટે અલગ-અલગ બ્રાન્ડમાંથી ફેસ વોશ, સીરમ, ક્રીમ, સનસ્ક્રીન અને નાઈટ ટ્રીટમેન્ટ ખરીદવાની ફરજ પડે છે, જે રૂટિનને ગૂંચવણભરી અને મોંઘી બનાવી દે છે. આ સમસ્યાના ઉકેલ તરીકે, તમામ જરૂરી સ્ટેપ્સને એક જ બોકસમાં, ડર્મેટોલોજિસ્ટ-ડિઝાઇન રૂટિન સાથે રજૂ કરવામાં આવ્યા છે.
આ લોન્ચ ડર્મેટોલોજિસ્ટ લેવલની એકને સારવારને વધુ સરળ, અસરકારક અને પરવડતી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, સાથે જ સ્કિનકેર અંગે જાગૃતિ ફેલાવવાનો પણ મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો.
સુરતમાં BNI ગ્રેટર સુરત દ્વારા રમતોના મેદાન પર એચઆઈવી જાગૃતિનો અનોખો સંદેશ
સુરત. બિઝનેસ નેટવર્કિંગની જાણીતી સંસ્થા બીએનઆઈ (BNI) ગ્રેટર સુરતે રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીનો અદ્ભુત સંગમ સાધ્યો છે. સુરતમાં આયોજિત વિશાળ સ્પોર્ટ્સ ઇવેન્ટ દ્વારા સભ્યો વચ્ચે નેટવર્કિંગ અને ટીમવર્કને પ્રોત્સાહન આપવાની સાથે એચઆઈવી જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવી રહ્યો છે.
આ મેગા ઇવેન્ટ 14 ડિસેમ્બરથી શરૂ થઈ 28 ડિસેમ્બર સુધી ચાલશે. કુલ છ અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ, કેરમ, ક્રિકેટ, પિકલ બોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે. 14 ડિસેમ્બરે બેડમિન્ટન, ચેસ, ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. હાલ 19 ડિસેમ્બરથી શરૂ થયેલી ત્રણ દિવસીય ક્રિકેટ ટૂર્નામેન્ટ ધમાકેદાર રીતે ચાલી રહી છે, જેમાં BNI ગ્રેટર સુરતની 13 ટીમો અને અંદાજે 200 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આગામી શનિ-રવિવારે પિકલ બોલ અને વોલીબોલ સ્પર્ધાઓ યોજાશે, જેમાં વોલીબોલમાં 8 ટીમો અને પિકલ બોલમાં 50થી 60 ખેલાડીઓ જોડાશે.
આ તમામ રમતોમાં મળીને અંદાજે 450થી 500 જેટલા ઉદ્યોગસાહસિકો અને વ્યાવસાયિકો ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સભ્યો વચ્ચે એકતા, ટીમવર્ક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ વિકસાવવાનો તો છે જ, સાથે નવી બિઝનેસ તકો ઊભી કરવાનો પણ છે.

આ કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં એચઆઈવી પોઝિટિવ એડ્સ સંસ્થાઓ સાથે સહયોગ કરીને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ક્રિકેટ ટૂર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં એચઆઈવી પોઝિટિવ બાળકો અને યુવતીઓએ 5થી 7 મિનિટનું આકર્ષક નૃત્ય પ્રદર્શન રજૂ કર્યું હતું. તેમજ ઇવેન્ટમાં ખાસ કોર્નર બનાવીને એચઆઈવી કેવી રીતે ફેલાય છે અને તેના વિશેની માહિતી આપવામાં આવી રહી છે.
BNI ગ્રેટર સુરતનો સ્પષ્ટ સંદેશ છે કે એચઆઈવી પોઝિટિવ વ્યક્તિઓને સમાજમાંથી અલગ ન પાડવા, પરંતુ તેમને પરિવાર અને સમાજનો સહારો આપીને જીવનમાં આગળ વધવાની તક આપવી. આ ઇવેન્ટમાંથી મળનારી આવકનો એક ભાગ એચઆઈવી પોઝિટિવ બાળકો અને મહિલાઓની સહાય માટે દાન કરવામાં આવશે.
આ આયોજન ગૌરવ વીકે સિંઘવી અને ડૉ. નિધિ સિંઘવી માર્ગદર્શન તથા નિશાંત શાહની રીજનલ ઇવેન્ટ ડિરેક્ટર તરીકેની મહેનતથી સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. આવા કાર્યક્રમો દ્વારા BNI ગ્રેટર સુરત બિઝનેસની સાથે સામાજિક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડી રહી છે.
મુંબઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી
કુલ 1000 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો
સુરત/ગુજરાત, નવેમ્બર 2025 – મુંબઈના પરેલ સ્થિત ગ્લેનીગલ્સ હોસ્પિટલ (Gleneagles Hospital), જે લિવર કેર અને ટ્રાન્સપ્લાન્ટેશન માટે ભારતનું એક અગ્રણી કેન્દ્ર છે, તેણે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે પશ્ચિમ ભારતમાં અત્યાધુનિક લિવર ટ્રીટમેન્ટ માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે તેનું સ્થાન મજબૂત કરે છે. હોસ્પિટલે હવે કુલ 1000 થી વધુ સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પૂર્ણ કરી છે. આ સફળતાનું નેતૃત્વ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ડૉ. અમિત મંડોત (ડાયરેક્ટર – હેપેટોલોજી), ડૉ. અનુરાગ શ્રીમાલ (ડાયરેક્ટર – લિવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જરી), અને ડૉ. વિભોર બોરકર (ડાયરેક્ટર – પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ) નો સમાવેશ થાય છે.
દર્દીઓને વધુ સુવિધા આપવા અને તપાસના મહત્વપૂર્ણ તબક્કા દરમિયાન લાંબા અંતરની મુસાફરીની જરૂરિયાત ઘટાડવા માટે, ગ્લેનીગલ્સ હોસ્પિટલની ટીમ હવે નિયમિતપણે ગુજરાતની મુલાકાત લઈ રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય પરિવારોને સ્થાનિક સ્તરે જ મદદ પૂરી પાડવાનો, પ્રાથમિક કન્સલ્ટેશન આપવાનો, ફોલો-અપ લેવાનો અને વારંવાર મુંબઈ જવાની મુશ્કેલી વગર દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવાનો છે.
ભારતમાં લિવરની બીમારીઓ જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર બની રહી છે. નેશનલ હેલ્થ એસ્ટિમેટ્સ મુજબ, વૈશ્વિક સ્તરે લિવર સિરોસિસના ભારણમાં ભારતનો હિસ્સો લગભગ 18 % છે, અને લિવર સંબંધિત જટિલતાઓને કારણે વાર્ષિક આશરે 2 લાખ મૃત્યુ થાય છે. હવે તે દેશમાં મૃત્યુનું 10મું મુખ્ય કારણ છે, અને ગ્રામીણ તથા શહેરી બંને વસ્તીમાં તેનું પ્રમાણ વધી રહ્યું છે.
ડૉ. અમિત મંડોત, ડાયરેક્ટર – હેપેટોલોજીએ કહ્યું, “સિરોસિસ અને લિવર ફેલ્યોર હવે માત્ર ચોક્કસ જોખમી જૂથો પૂરતી મર્યાદિત બીમારીઓ નથી રહી. હવે યુવાન વ્યક્તિઓમાં પણ લિવરની બીમારીઓ વધી રહી છે, જેના કારણે જાગૃતિ, વહેલું નિદાન અને સમયસર સારવાર પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયા છે.”
ભારતમાં લિવરની બીમારીઓ વધવા પાછળ જીવનશૈલી, મેટાબોલિક, ચેપી અને આનુવંશિક પરિબળો જવાબદાર છે. તેના સામાન્ય કારણો નીચે મુજબ છે:
ફેટી લિવર ડિસીઝ (NAFLD/NASH): લગભગ 3 માંથી 1 ભારતીયને અસર કરે છે; આ સ્થિતિ મુખ્યત્વે મેદસ્વીતા, ડાયબિટીસ અને બેઠાડુ જીવનશૈલીને કારણે થાય છે.
વાયરલ હેપેટાઇટિસ (Hepatitis B & C): લાંબા સમય સુધી સારવાર ન કરાયેલ ચેપ વર્ષો સુધી લિવરને નુકસાન પહોંચાડી શકે છે.
આલ્કોહોલ સંબંધિત લિવર રોગ: વધુ પડતો અથવા લાંબા સમય સુધી દારૂનો વપરાશ સિરોસિસનું મુખ્ય કારણ છે.

જિનેટિક અને મેટાબોલિક ડિસઓર્ડર: વિલ્સન ડિસીઝ, હિમોક્રોમેટોસિસ અને ઓટોઈમ્યુન હેપેટાઇટિસ જેવી સ્થિતિઓ, ખાસ કરીને યુવાન દર્દીઓમાં જોવા મળે છે.
દવાઓથી થતું નુકસાન (Drug-induced Liver Injury): ડૉક્ટરની સલાહ વગર દવાઓ લેવી અને અનિયંત્રિત હર્બલ દવાઓનો ઉપયોગ પણ લિવરને નુકસાન પહોંચાડી શકે છે.
લિવરની બીમારીનું સૌથી ખતરનાક પાસું એ છે કે તે શાંતિથી આગળ વધે છે (Silent Progression). જ્યાં સુધી લિવરને ગંભીર નુકસાન ન થાય ત્યાં સુધી મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાતા નથી. થાક, કમળો, વજન ઘટવું, પેટમાં સોજો અથવા લોહીની ઉલટી જેવા પ્રારંભિક સંકેતોની અવગણના કરવાથી લિવર ફેલ્યોર થઈ શકે છે.
ડૉ. અનુરાગ શ્રીમાલ, ડાયરેક્ટર – લિવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જરી એ કહ્યું, “પ્રારંભિક નિદાન લિવર સંબંધિત લગભગ 70% જટિલતાઓને અટકાવી શકે છે, અને સમયસર તબીબી સારવાર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતને ટાળી શકે છે અથવા વિલંબિત કરી શકે છે. જો કે, એન્ડ-સ્ટેજ લિવર ડિસીઝના કેસોમાં, લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર યોગ્ય સારવાર છે જે લાંબા ગાળાનું સ્વાસ્થ્ય અને જીવન બક્ષી શકે છે.”
ડૉ. વિભોર બોરકર, ડાયરેક્ટર – પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટે કહ્યું, “અમે આ પરિવારો સામેના પડકારોને સમજીએ છીએ અને વિશ્વસ્તરીય લિવર કેર પૂરી પાડવી અમારું મિશન છે. વ્યાપક સારવાર અને સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને, અમે દરેક બાળકને ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય પ્રદાન કરીએ છીએ. તેથી સમયસર નિદાન મહત્વપૂર્ણ છે; તે સારવારની દિશા બદલી શકે છે અને જીવન માટે જોખમી જટિલતાઓને સંપૂર્ણ સ્વસ્થ થવાની તકોમાં પરિવર્તિત કરી શકે છે.”
ગ્લેનીગલ્સ હોસ્પિટલ, મુંબઈના CEO ડૉ. બિપિન ચેવલેએ કહ્યું, “ગુજરાતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં વધારો થવા પાછળ વધતી જાગૃતિ, સુધરેલી ડાયગ્નોસ્ટિક સુવિધાઓ, જીવનશૈલીમાં ફેરફાર અને ફેટી લિવર સંબંધિત સમસ્યાઓમાં વધારો જવાબદાર છે. જેમ જેમ વધુ દર્દીઓ વિશેષ સારવારની શોધમાં છે, તેમ તેમ ઉચ્ચ સફળતા દર, અદ્યતન તકનીકો અને અનુભવી ટીમ હોવાને કારણે ગ્લેનીગલ્સ હોસ્પિટલ પરેલ એક વિશ્વસનીય કેન્દ્ર બની ગયું છે.”
ગુજરાતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની વધતી સંખ્યાનું કારણ મુંબઈથી તેનું નજીકનું અંતર અને ગ્લેનીગલ્સ હોસ્પિટલ દ્વારા અપાતી પ્રતિબદ્ધ પેશન્ટ સપોર્ટ સેવાઓ છે.
ગ્લેનીગલ્સ હોસ્પિટલ પરેલ, મુંબઈ લિવર ટ્રાન્સપ્લાન્ટના તમામ મુખ્ય પ્રકારો કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ (LDLT): પરિવારનો તંદુરસ્ત સભ્ય તેમના લિવરનો એક ભાગ દાન કરે છે.
ડિસીઝ્ડ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ (DDLT): રજિસ્ટર્ડ મૃત્યુ પામેલા દાતા (બ્રેઈન ડેડ) ના લિવરનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ: લિવર ફેલ્યોર અથવા જન્મજાત લિવરની ખામીઓથી પીડાતા બાળકો માટે ખાસ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ.
જટિલ અને હાઈ-રિસ્ક ટ્રાન્સપ્લાન્ટ: એડવાન્સ લિવર ફેલ્યોર, પોર્ટલ હાઈપરટેન્શન અથવા અનેક જટિલતાઓ ધરાવતા દર્દીઓ માટે.
દર્દીઓ લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે?
લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ઈચ્છતા દર્દીઓ અથવા પરિવારો ગ્લેનીગલ્સ હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રક્રિયામાં નીચેનાનો સમાવેશ થાય છે:
પ્રારંભિક તબીબી મૂલ્યાંકન અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ.
ટ્રાન્સપ્લાન્ટ હેપેટોલોજિસ્ટ અને સર્જિકલ ટીમ દ્વારા તપાસ.
દાતાનું મૂલ્યાંકન (લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટ માટે).
સ્ટેટ ટ્રાન્સપ્લાન્ટ વેટિંગ લિસ્ટમાં નોંધણી (ડિસીઝ્ડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ માટે).
પ્રક્રિયા, ખર્ચ અને ઓપરેશન પછીની સંભાળ અંગે કાઉન્સેલિંગ.
ગ્લેનીગલ્સ હોસ્પિટલ ટ્રાન્સપ્લાન્ટ પછી વીમા (Insurance) પ્રક્રિયા, નાણાકીય સલાહ અને રિહેબિલિટેશનમાં મદદ કરવા માટે વિશેષ ટીમો પણ પૂરી પાડે છે.
પી.જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમુદાયોમાં સતત મફત સ્કિન, વાળ અને નખ ચેક-અપ કેમ્પનું આયોજન
પી.જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટે તાજેતરમાં વિવિધ વિસ્તારોમાં અનેક મફત સ્કિન, વાળ અને નખ ચેક-અપ કેમ્પ યોજ્યા છે, જે સમુદાયના આરોગ્ય અને જાગૃતિ પ્રત્યેની તેની લાંબા સમયની પ્રતિબદ્ધતાને આગળ વધારે છે. આ કેમ્પો એક વિશાળ ongoing CSR પહેલનો ભાગ છે, જેમાં આવતા મહિનાઓમાં અનેક વધુ કેમ્પો યોજાનાર છે.
અત્યાર સુધીમાં ટ્રસ્ટે 100થી વધુ મફત મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે, જેમાં લાજપોર જેલ (સુરત)ની અંદર, હીરો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (જયપુર) અને અનેક વંચિત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ outreach કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કેમ્પોનો હેતુ એવા લોકોને મદદરૂપ થવાનો છે, જે સ્કિન ટ્રીટમેન્ટનો ખર્ચ ઉઠાવી શકતા નથી અથવા તેમની ત્વચા, વાળ અથવા નખ સંબંધિત સમસ્યાઓ અંગે અજાણ છે.
બધા કેમ્પો ભારતમાં નંબર 1 સ્કિન ક્લિનિક ચેઇન—સાખિયા સ્કિન ક્લિનિક—ની નિષ્ણાત મેડિકલ ટીમ દ્વારા યોજાય છે, જેથી ઉત્તમ ગુણવત્તાની તપાસ, કાઉન્સેલિંગ અને સારવાર માર્ગદર્શન પૂરૂં કરવામાં આવે છે. આ કેમ્પોમાં ત્વચાના ચેપ, પિગમેન્ટેશન, ક્રોનિક સ્કિન ડિસીઝ, વાળનું ખરવું, નખના રોગો અને અન્ય સમસ્યાઓની સંપૂર્ણ મફત તપાસ કરવામાં આવે છે.
પી.જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટ—ડૉ. જગદીશ સાખિયાની માતા શ્રીમતી પાર્વતીબેન જાદવભાઈ સાખિયાની પ્રેમસભર સ્મૃતિમાં સ્થાપિત—તેમને સ્કિન હેલ્થકેર પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે, જેઓને તેની સૌથી વધુ જરૂર છે.
ડૉ. જગદીશ સાખિયાએ જણાવ્યું, “જાગૃતિ અને સમયસર નિદાન વર્ષોની પીડા અટકાવી શકે છે. અમારો ટ્રસ્ટ એવા સમુદાયો સુધી પહોંચતો રહેશે, જ્યાં લોકોને યોગ્ય સ્કિન કેર માટે ન પહોંચ છે, ન જ્ઞાન અને ન જ સાધનસામગ્રી.”
100થી વધુ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કરીને અને આવતા સમયમાં અનેક વધુ આયોજન સાથે, ટ્રસ્ટ ગુજરાત અને તેની બહાર જાહેર આરોગ્ય અને જાગૃતિ ફેલાવવાના તેના મિશનનો સતતવિસ્તાર કરી રહ્યું છે।
ગુજરાતને મળ્યું પ્રથમ 3D CE મેમોગ્રાફી સેન્ટર : વેરિટાસ રેડિયોલોજીનો વેસુમાં ભવ્ય શુભારંભ
સુરત. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વેસ્ટર્ન બિઝનેસ પાર્ક ખાતે વેરિટાસ રેડિયોલોજી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર રાજ્યનું પ્રથમ 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ (CE) મેમોગ્રાફી સેન્ટર છે, જે અદ્યતન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સક્ષમ સુવિધાઓથી સજ્જ છે. ઉદ્ઘાટન સમારોહ ડોક્ટરોના માતા-પિતાના શુભ હસ્તે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાયો હતો.
સેન્ટરના સંચાલક ડૉ. ધારા શાહે જણાવ્યું હતું કે આશરે 1600 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર અનુભવી રેડિયોલોજિસ્ટોની ટીમ દ્વારા સંચાલિત છે. હોલોજીક કંપની દ્વારા આ સેન્ટરને ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મેમોગ્રાફી’નો દરજ્જો આપ્યો છે. સેન્ટરમાં 3D CE મેમોગ્રાફી, AI સક્ષમ અલ્ટ્રાસાઉન્ડ (USG) અને ટ્રુ ડિજિટલ એક્સ-રે જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અન્ય સેવાઓમાં 3D મેમોગ્રાફી, CE મેમોગ્રાફી, કલર ડોપ્લર, હાઇ-એન્ડ સોનોગ્રાફી, લિવર ઇલાસ્ટોગ્રાફી, ફીટલ મેડિસિન, ફેટ ક્વોન્ટિફિકેશન, 3D-4D સ્નાયુની સોનોગ્રાફી, VABB, ફુલ લેન્થ સ્કેનોગ્રામ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીનો સમાવેશ થાય છે. સેન્ટરમાં ડો. ધારા ડી. શાહ (MD), ડો. ક્રિષ્ના બી. પટેલ (MD, DNB), ડો. નેહા શાહ (MD, FRCR), ડો. ભાવિન આર. પટેલ (MD, FIFM, Pg. Dip. MSK) અને ડૉ પ્રજ્ઞેશ એન. વાઘેલા (MD, DMRE) જેવા અનુભવી ડોક્ટરોની ટીમ કાર્યરત છે. આ નવા સેન્ટરથી અદ્યતન ઇમેજિંગ અને દર્દી સંભાળનો નવો યુગ શરૂ થયો છે. સુરતવાસીઓને આ અદ્યતન સુવિધાનો લાભ મળશે તેવી આશા છે.

ડૉ. ધારા શાહે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં આજકાલ યંગ વુમનમાં કેન્સર ઝડપથી વધી રહ્યું છે, અને તેમાથી મોટેભાગે કેસ બ્રેસ્ટ કેન્સરના હોય છે. વધુ ચિંતાજનક વાત એ છે કે કુલ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓમાંથી 50 ટકા દર્દીઓ મૃત્યુ પામે છે. આ સ્થિતિને બદલવા માટે વહેલું નિદાન અત્યંત જરૂરી છે.
તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને જ અમે નવું 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ મેમોગ્રાફી મશીન લાવ્યું છે, જે ખાસ કરીને ડેન્સ બ્રેસ્ટ ધરાવતી યંગ વુમનમાં પણ ચોક્કસ નિદાન કરવામાં સક્ષમ છે. ભારતમાં લગભગ 40 ટકા મહિલાઓ ડેન્સ બ્રેસ્ટ ધરાવે છે, અને આવા કેસમાં 3D CE મેમોગ્રાફી મોટા ફાયદા આપે છે.
આ ટેક્નોલોજીથી નાના કેલ્સિફિકેશન કે ઝીણા લીજેન્સ પણ ઝડપી શોધી શકાય છે. સેન્ટરમાં વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ બાયોપ્સી (VABB) સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા સામાન્ય કોર બાયોપ્સીમાં ન મળી શકે તેવી ઝીણી ગાંઠ પણ મળી શકે છે, એટલે કે ઝીણી ગાંઠની પણ બાયોપ્સી થઈ શકે છે. તેમજ યંગ દીકરીઓમાં થતી સાદી ગાંઠ ઓપરેશન વગર માત્ર પિન-હોલ દ્વારા દૂર કરી શકાય છે, જેના કારણે દર્દીની ફિઝિકલ અને ઈમોશનલ સ્ટ્રેસ નહિવત થઈ જાય છે.
ડૉ. ધારા શાહે વધુમાં ઉમેર્યું હતું કે અહીં AI આધારિત સોનોગ્રાફી મશીન, ટ્રુ ડિજિટલ X-ray અને ફુલ સ્કેનોગ્રામ જેવી ટેક્નોલોજી પણ ઉપલબ્ધ છે. મશીનો અદ્યતન છે અને સાથે અનુભવી નિષ્ણાત ડોક્ટરોની ટીમ હોઈ દર્દીઓને સર્વોત્તમ કાળજી મળી રહશે.
વેન્ચુરા એરકનેક્ટની માનવસેવા તરફ આગેકૂચ : ઓર્ગન ટ્રાન્સફરની સેવા દ્વારા ગુજરાતની પોતાની વેન્ચુરા એરકનેકટનું “દેવ”-વિમાન બન્યું દેવદૂત
ગયા અઠવાડિયે પહેલી ફ્લાઇટ દ્વારા જામનગરથી અમદાવાદ સુધી ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
સુરત. ગુજરાતના વિભિન્ન શહેરોને હવાઈ માર્ગે જોડતી વેન્ચુરા એરકનેક્ટ એરલાઇન કંપનીએ હવે માનવતાને સમર્પિત નવી સેવા શરૂ કરી છે. કંપનીને તાજેતરમાં ઓર્ગન ડોનેશનના કિસ્સામાં માનવ અંગો (ઓર્ગન)ને એક શહેરથી બીજા શહેર સુધી ઝડપથી પહોંચાડવા માટે મેડિકલ અપ્રુવલ પ્રાપ્ત થયું છે. આ મંજૂરી બાદ, ગયા અઠવાડિયે કંપની દ્વારા પહેલીવાર જામનગરથી અમદાવાદ સુધી એરક્રાફ્ટ મારફતે ઓર્ગન ટ્રાન્સફર સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ સેવા હવે ગુજરાતના વિવિધ શહેરો તેમજ અન્ય રાજ્યોમાં પણ નજીવા દરે ઉપલબ્ધ રહેશે.
આ સેવા શરૂ કરવા પાછળ કંપનીના પ્રમોટર્સનો ઉદ્દેશ્ય નાગરિક સેવા સાથે જ માનવજીવન બચાવવાનો છે, જેથી તાત્કાલિક સ્થિતિમાં જરૂરિયાતમંદ દર્દીને સમયસર અંગો મળી શકે. વેન્ચુરા એરકનેક્ટની આ નવી પહેલ હેઠળ ઉપયોગમાં લેવાતું વિમાન VT-DEV (દેવ વિમાન) તરીકે ઓળખાય છે — જે નામ પ્રમાણે જ “દેવદૂત” બનીને જીવ બચાવવાનું કાર્ય કરશે.

ઉલ્લેખનીય છે કે, જ્યારે સુરતને પૂર્ણ એરપોર્ટ સુવિધા ઉપલબ્ધ ન હતી, ત્યારે સુરતના ત્રણ ઉદ્યોગપતિઓ ગોવિંદભાઈ ધોળકિયા, સવજીભાઈ ધોળકિયા અને લવજીભાઈ બાદશાહ એ વર્ષ ૨૦૧૪માં આ હવાઈ સેવા શરૂ કરી હતી. છેલ્લા ૧૧ વર્ષથી કંપની ગુજરાતમાં સફળતાપૂર્વક સેવા આપી રહી છે. વેન્ચુરા એરકનેક્ટ ગુજરાતના નાગરિકોને સાવ નજીવા દરે દૈનિક હવાઇ સેવા પૂરી પાડી રહી છે અને અમદાવાદ, રાજકોટ, ભાવનગર તથા અમરેલીને સુરત સાથે હવાઈ માર્ગે જોડ્યા છે જેથી નાના ગામડાઓના નાગરિકો પણ આસાનીથી શહેરો સાથે જોડાઈ રહ્યા છે. આ ઉપરાંત નાગરિકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે કંપનીના પ્રમોટર્સ દ્વારા સતત નવા નવા ઇનિશિયેટિવ લેવામા આવતા હોય છે.
ત્યારે આ નવી “ઓર્ગન ટ્રાન્સફર એર સર્વિસ” સાથે “વેન્ચુરા એરકનેક્ટે” ફરી એકવાર સાબિત કર્યું છે કે ખાનગી ક્ષેત્ર પણ માનવ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.