આરોગ્ય
વિશ્વ આરોગ્ય દિવસ પર જી. ડી. ગોયેન્કા સ્કૂલમાં ડૉ. જગદીશ સખિયા દ્વારા ‘ટીન સ્કિન કેર’ જાગૃતિ સત્રનું કરાયું આયોજન
વિદ્યાર્થીઓને હેલ્ધી સ્કિન અને લાઇફસ્ટાઇલ અંગે આપ્યું માર્ગદર્શન
સુરત: વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે વેસુ સ્થિત જીડી ગોએન્કા સ્કૂલ ખાતે “ટીન સ્કિન કેર: મિથ્સ, મિસ્ટેક્સ એન્ડ સ્માર્ટ હેબિટ્સ ફોર હેલ્ધી સ્કિન” વિષય પર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રનું નેતૃત્વ પ્રખ્યાત ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
શાળાના એવી રૂમ ખાતે યોજાયેલા આ સત્રમાં 60થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમાં શૈક્ષણિક નિયામક અને આચાર્ય ડૉ. શ્રુતિ અગ્રવાલ તેમજ પ્રાથમિક વિભાગના ડીન ડૉ. શિલ્પા સૂર્યા પણ હાજર રહ્યા હતા. સમગ્ર સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો જેથી સત્ર ખાસ ઇન્ટરેક્ટિવ રહ્યું હતું.

સત્ર દરમિયાન ડૉ. જગદીશ સખિયાએ જણાવ્યું કે હતું કે વેકેશનમાં મંનોરંજન માટે વોટર પાર્ક સૌથી ચહીતો વિકલ્પ હોય છે, પરંતુ ત્વચાની સંભાળમાં નિષ્કાળજી રાખવી હિતાવહ સાબિત થઇ શકે છે. તેમણે સુરતના લોકો અંગે રસપ્રદ ટિપ્પણી કરતા કહ્યું હતું કે, સુરતીઓ ઘણીવાર હૃદયના સ્વાસ્થ્યને અવગણે છે, પરંતુ ત્વચા સંભાળ પ્રત્યે ખૂબ જ સભાન રહે છે. તેમણે વધુમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો અહીં બેસેલા તમામ વિદ્યાર્થીઓના હેલ્થ ટેસ્ટ કરવામાં આવે તો મોટાભાગે બી12 અને હિમોગ્લોબિનની અછત જોવા મળી શકે. વાળની સંભાળ અંગેના મિથ્સ દૂર કરતાં તેમણે કહ્યું કે, તેલનો ઉપયોગ વાળને નુકસાન પહોંચાડે છે તે માત્ર કલ્પના છે, હકીકતમાં આ આદત હેલ્થી વાળ માટે મહત્વપૂર્ણ છે. ફાસ્ટ ફૂડના વધતા પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરતા ડૉ. જગદીશ સખિયાએ કહ્યું હતું કે, વીકએન્ડ દરમિયાન ફાસ્ટ ફૂડની આદતોને નિયંત્રિત કરવી અથવા તેને હેલ્થી વિકલ્પોથી બદલવી જરૂરી છે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે, અંદરથી સ્વસ્થ રહેવું એ ત્વચા પર નેચરલ ગ્લો તરીકે દેખાય છે.
આ સત્રમાં વિદ્યાર્થીઓએ સક્રિય ભાગીદારી દર્શાવી અને ત્વચા સંભાળની દૈનિક દિનચર્યાઓ તેમજ આહાર સંબંધિત માર્ગદર્શન અંગે ઊંડો રસ દાખવ્યો હતો. ડૉ. જગદીશ સખિયાએ ખીલ, વાળ ખરવા અને વ્યક્તિગત સ્વચ્છતા માટે સરળ અને અનુસરવા યોગ્ય દૈનિક ટિપ્સ પણ શેર કરી હતી. સાથે સાથે સંતુલિત આહાર, પૂરતું પાણી પીવું અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો, જેથી વિદ્યાર્થીઓ આંતરિક આરોગ્ય અને બાહ્ય ત્વચા વચ્ચેના સંબંધને સારી રીતે સમજી શકે.
અનિયમિત પિરિયડ્સ અને ચહેરા પર અનિચ્છનીય વાળ: આયુર્વેદથી મેળવો કુદરતી ઉપચાર ડૉ. રસ પાલ કૌર
નવી દિલ્હી: આજની આધુનિક જીવનશૈલીમાં મહિલાઓમાં અનિયમિત માસિક (Irregular Periods) અને ચહેરા પર અનિચ્છનીય વાળ (Hirsutism) ની સમસ્યા ઝડપી વધી રહી છે. આ માત્ર બાહ્ય સુંદરતા કે માસિક ચક્ર સુધી મર્યાદિત સમસ્યા નથી, પરંતુ શરીરના અંદર ઊંડા સ્તરે થતા હોર્મોનલ અસંતુલનનું સૂચક છે. ખાસ કરીને Polycystic Ovary Syndrome (PCOS) આજકાલ આ સમસ્યાઓનું મુખ્ય કારણ બની રહ્યું છે।
આ સમસ્યા મહિલાઓના આત્મવિશ્વાસ, માનસિક આરોગ્ય અને દૈનિક જીવનને પણ અસર કરે છે. ઘણી મહિલાઓ આ વિષય પર ખુલ્લેઆમ વાત કરી શકતી નથી, જેના કારણે સમસ્યા વધુ વધી જાય છે।
આયુર્વેદ મુજબ કારણ
આયુર્વેદ મુજબ, આ વિકાર મુખ્યત્વે વાત અને કફ દોષના અસંતુલન અને અગ્નિમાન્દ્ય (નબળી પાચન શક્તિ) ના કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે શરીરમાં “આમ” (ટોક્સિન્સ) એકત્ર થાય છે, ત્યારે તે ધાતુઓના પોષણમાં અવરોધ ઉભો કરે છે અને હોર્મોનલ અસંતુલન પેદા કરે છે।
તેના પરિણામે—
• અંડોત્સર્જન (Ovulation) માં અવરોધ
• એન્ડ્રોજન હોર્મોનમાં વધારો
• અનિયમિત માસિક
• ચહેરા અથવા શરીર પર અનિચ્છનીય વાળ
Charaka Samhita માં “વિરુદ્ધ આહાર” અને “અહિતકારક દિનચર્યા” ને રોગોના મૂળ કારણ તરીકે જણાવવામાં આવ્યું છે. આજના સમયમાં જંક ફૂડ, તણાવ, મોડે સુધી જાગવું અને શારીરિક નિષ્ક્રિયતા આ સમસ્યાઓને વધુ ગંભીર બનાવે છે।
ઉપયોગી આયુર્વેદિક ઔષધિઓ અને સપ્લિમેન્ટ્સ
ઘણી અસરકારક આયુર્વેદિક જડીબુટ્ટીઓ આજે ભારત, અમેરિકા અને કેનેડામાં સુરક્ષિત સપ્લિમેન્ટ્સ તરીકે ઉપલબ્ધ છે:
- Shatavari (શતાવરી): મહિલાઓ માટે ઉત્તમ રસાયણ, હોર્મોન સંતુલન, ઓવરીના સ્વાસ્થ્ય અને નિયમિત માસિક માટે લાભદાયક।
• Ashwagandha (અશ્વગંધા): તણાવ ઘટાડે છે અને કોર્ટેસોલને સંતુલિત કરે છે, જેના કારણે હોર્મોનલ સંતુલન સુધરે છે।
• Turmeric (હળદર / કર્ક્યુમિન): સોજો ઘટાડે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સુધારે છે।
• Cinnamon (દાલચીની): બ્લડ શુગર નિયંત્રિત કરે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા વધારે છે।
• Fenugreek (મેથી): ગ્લુકોઝ મેટાબોલિઝમ સુધારી હોર્મોન સંતુલનમાં મદદ કરે છે।
(નોંધ: ઔષધિઓનો ઉપયોગ નિષ્ણાતની સલાહથી જ કરો)
આહાર અને જીવનશૈલીમાં જરૂરી સુધારા
નાના ફેરફારો મોટા પરિણામ આપી શકે છે:
• તાજું, ગરમ અને સહેલાઈથી પચી શકે એવું ભોજન લો
• જંક ફૂડ, વધારે ખાંડ અને તળેલા ખોરાકથી દૂર રહો
• નિયમિત દિનચર્યા અપનાવો (સમયસર સુવું અને જાગવું)
• દરરોજ 30–45 મિનિટ યોગ અથવા વ્યાયામ કરો
• વજન સંતુલિત રાખો—આ માસિકને નિયમિત કરવા માટે ખૂબ મદદરૂપ છે
દર્દીઓ માટે સંદેશ
આ સમસ્યા ખૂબ સામાન્ય છે અને તેનો અસરકારક ઉપચાર શક્ય છે. શરમ કે સંકોચના કારણે તેને અવગણશો નહીં. સમયસર નિષ્ણાતની સલાહ લેવાથી જટિલતાઓથી બચી શકાય છે અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવી શકાય છે।
વિશેષ પરામર્શ સુવિધા
મહિલાઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ડૉ. રસ પાલ કૌર દ્વારા એક વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે: 9910672020
આ નંબર દ્વારા મહિલાઓ તેમની સમસ્યાઓ અંગે પ્રાથમિક નિઃશુલ્ક પરામર્શ મેળવી શકે છે. સંપૂર્ણ ગોપનીયતા, સહાનુભૂતિ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ સાથે સારવાર આપવામાં આવે છે।
સુરત બન્યું કિડની ટ્રાન્સપ્લાન્ટનું નવું હબ: શેલ્બી હોસ્પિટલમાં 3 મહિનામાં 12 સફળ ટ્રાન્સપ્લાન્ટ
– મુંબઈ-અમદાવાદ પરની નિર્ભરતા ઘટી, ગુજરાતભરના દર્દીઓ હવે સુરત પર મૂકી રહ્યા છે વિશ્વાસ
સુરત: ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતું સુરત હવે આરોગ્ય ક્ષેત્રે પણ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. શેલ્બી હોસ્પિટલમાં છેલ્લા ત્રણ મહિનામાં 12 કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થતા સુરત હવે ટ્રાન્સપ્લાન્ટ હબ તરીકે ઉભરતું નજરે પડી રહ્યું છે. આ સફળતાએ શહેરને મેડિકલ ટુરિઝમના નકશા પર પણ મજબૂત સ્થાન અપાવ્યું છે.
શેલ્બી હોસ્પિટલના ચીફ એડમિનિસ્ટ્રેટર ઓફિસર નીરવ શાહે જણાવ્યું હતું કે, પહેલાં લોકો ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ કે અમદાવાદ જતાં હતા, પરંતુ હવે સુરત એવી સિટી બની ગઈ છે કે જ્યાં કોમ્પ્લેક્સ ટ્રાન્સપ્લાન્ટ પણ સફળતાપૂર્વક થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા ત્રણ મહિનામાં થયેલા તમામ 12 ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યા છે અને આગામી સમય માટે મોટી સંખ્યામાં દર્દીઓ ઇન્ક્વાયરી કરી રહ્યા છે. હાલમાં હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની સફળ શરૂઆત થઈ છે, પરંતુ ભવિષ્યમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ સહિત અન્ય ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની દિશામાં પણ આગળ વધવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંત ડૉ. મુકેશ ગોયલે જણાવ્યું હતું કે અમને ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી મળ્યા બાદ છેલ્લા થોડા મહિનામાં જ 12 ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે અને તે બધા સફળ રહ્યા છે. તેમણે જણાવ્યું કે સુરત હવે માત્ર શહેર પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ અહીં સારવાર માટે આવી રહ્યા છે.
Transplant surgery એક જટિલ સર્જરી છે જેમાં નિષ્ણાતોની ટીમ સાથે મળીને કામ કરે છે. તેમાં મુખ્યત્વે નેફ્રોલોજિસ્ટ, યુરો સર્જન અને એનસ્થેટિસ્ટનો મહત્વપૂર્ણ રોલ હોય છે.
આ પ્રકારની સર્જરીમાં
Dr. Mukesh Goyal (નેફ્રોલોજિસ્ટ) દર્દીને ઓળખે છે, તેની સંપૂર્ણ તપાસ કરીને ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર કરે છે.
પછી
Dr. Bhargav Pandya (યુરોલોજિસ્ટ) સર્જરીની મુખ્ય પ્રક્રિયા સંભાળે છે અને
Dr. Kavin Desai (એનસ્થેટિસ્ટ) સર્જરી દરમિયાન દર્દીને યોગ્ય એનસ્થેશિયા આપી તેની સ્થિરતા જાળવે છે.
આ ત્રણેય નિષ્ણાતોના સંકલન અને ટીમ વર્કથી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સુરક્ષિત અને સફળ બને છે.
એના પછી ડો આરૂલ શુક્લા, ડો હિમાની ગરાસિયા અને ટીમ (ICU intensive care) પેશેન્ટ કેર માં અહમદ રોલ ભજવે છે.
સંજય ટાંચક ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેટર પેશન્ટ અને હૉસ્પિટલ વચ્ચે સેતુ બની રહે છ).
આંકડાઓ મુજબ, અત્યાર સુધીમાં 4 મહિલાઓ અને 8 પુરુષોના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તેમાં ભરૂચ, જૂનાગઢ અને મોરબી જેવા શહેરોના દર્દીઓનો પણ સમાવેશ થાય છે. દાતાઓમાં પરિવારજનોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી છે જેમ કે ભાઈએ બહેનને, માતાએ સંતાનોને અને ભાભીએ દિયરને કિડની દાન આપવાના ઉદાહરણો સામે આવ્યા છે.
ડૉ. ગોયલે કિડની દાન અંગેના ભ્રમો દૂર કરતાં જણાવ્યું કે, કિડની દાન કરવાથી દાતાના આરોગ્ય કે આયુષ્ય પર કોઈ અસર પડતી નથી. માણસ પાસે બે કિડની હોય છે, અને એક સાથે પણ સામાન્ય જીવન જીવી શકાય છે. દાતા વ્યક્તિને સામાન્ય રીતે 3-4 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે છે અને તેને આજીવન દવાઓ લેવાની જરૂર પડતી નથી.
ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીનું ડાયાલિસિસ બંધ થઈ જાય છે અને તે ફરીથી સામાન્ય જીવન જીવી શકે છે. તાજેતરના આંકડાઓ મુજબ, કિડની ટ્રાન્સપ્લાન્ટનો 10 વર્ષનો સર્વાઇવલ રેટ લગભગ 80 ટકા જેટલો છે, જે ખૂબ જ આશાસ્પદ ગણાય છે.
આ રીતે સુરત આરોગ્ય ક્ષેત્રે નવી ઊંચાઈ સર કરી રહ્યું છે અને ઓર્ગન ડોનેશન અંગે લોકોમાં જાગૃતિ વધતા શહેર હવે જીવનદાન આપતી સિટી તરીકે ઓળખ મેળવતું જઈ રહ્યું છે.
નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર યોજાઈ ‘નિમાયા ગ્રેટ રન-2026’, હજારો મહિલાઓ ઉત્સાહથી જોડાઈ
ઇન્ડોર સ્ટેડિયમથી શરુ થયેલ દોડમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લઈ આરોગ્ય અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિનો સંદેશ આપ્યો
સુરતઃ નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને ‘નિમાયા ગ્રેટ રન-2026’ની 9મી એડિશનમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર ડો. પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે, નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદેશ્ય ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન” નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 8 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો અવિરત સહયોગ મળ્યો હતો. આ રનમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
નિમાયા ગ્રેટ રનનું આયોજન પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને ડીસીપી ટ્રાફિક સાઇબર સેલ આઇપીએસ પન્ના મોમયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.
શેલ્બી હોસ્પિટલમાં ઑન્કોલોજી વિભાગનું ઉદ્ઘાટન, મહિલા દિવસ નિમિત્તે બાઈક રેલીનું આયોજન
કેન્સર જાગૃતિ માટે ખાસ પહેલ, 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિન નિઃશુલ્ક અપાઈ
સુરત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે સુરતના રાંદેર રોડ સ્થિત શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસીની પ્રેરક ઉપસ્થિતી વચ્ચે હોસ્પિટલમાં નવા શરૂ થનારા ઑન્કોલોજી વિભાગ તથા આધુનિક રેડિયોથેરાપી સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરાયું હતું.
આ પ્રસંગે 9 થી 14 વર્ષની વયની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો નિઃશુલ્ક ઉપક્રમ પણ જાહેર કરાયો હતો. જે અંતર્ગત ભારતભરના તમામ શેલ્બી હોસ્પિટલની શાખાઓ ખાતે દીકરીઓને વિનામૂલ્ય સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં મહિલાઓમાં થતા કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે.

આ કાર્યક્રમમાં શેલ્બી હોસ્પિટલ, સુરતના ચીફ એડમિનિસ્ટ્રેટિવ નિરવ શાહે કહ્યું હતું કે “હોસ્પિટલમાં નવી કૅન્સર અને રેડિયોથેરાપી સેવાઓની શરૂઆત સાથે હવે વિવિધ પ્રકારના કૅન્સરની સારવાર માટે સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ બની છે. અમારી પાસે મેડિકલ, રેડિયેશન અને સર્જિકલ ઑન્કોલોજિસ્ટ ડૉક્ટરોની નિષ્ણાત ટીમ ઉપલબ્ધ છે, જેના કારણે દર્દીઓને કૅન્સર માટે જરૂરી તમામ પ્રકારની સારવાર એક જ સ્થળે મળી શકે છે. અદ્યતન સારવાર સુવિધાઓ, અનુભવી તબીબો અને સંકલિત અભિગમ દ્વારા દર્દીઓને સમયસર નિદાન અને અસરકારક સારવાર મળે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.”
આ બાઈક રેલીનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓમાં વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખી કેન્સર અંગે વહેલી તકે નિદાન અને નિવારણ વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો. ત્યારે સવારે 09:30 કલાકે યોજાયેલી બાઈક રેલીનો પ્રારંભ શેલ્બી હોસ્પિટલથી થઇ તાડવાડી ચાર રસ્તા, અજમેર ચોક, ચોકસીવાડી, ગુજરાત ગેસ સર્કલ અને અડાજણ પાટિયા માર્ગેથી પસાર થઈ ફરી શેલ્બી હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી. રેલી પૂર્ણ થયા બાદ ભાગ લેનાર મહિલા બાઈકર્સ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસીએ નિર્ધારિત સ્થળેથી શેલ્બી હોસ્પિટલ સુધી એસ્કોર્ટ કરીને ડિયોથેરાપી વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.
વરાછાની પ્રખ્યાત કેન્ડોર IVF સેન્ટર લિમિટેડના નવા સોપાનના ૬ વર્ષ પૂર્ણ: ભવ્ય સ્નેહમિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી
સુરત: નિઃસંતાન દંપતીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના ૬ વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સફળ પેશન્ટ્સનું સન્માન અને મનોરંજન
આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સ ડો. જયદેવ ધામેલિયા, ડો. શિવાની શાહ, ડો. ધવલ પટેલ અને ડો. અમિત બલદાણીયા દ્વારા અત્યાર સુધીના તમામ ‘હેપી પેશન્ટ્સ’ (સફળતાપૂર્વક સંતાન સુખ મેળવનાર દંપતીઓ) ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ દંપતીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણીમાં ઉમંગ વધારવા માટે ગેમ્સ, ડાન્સ અને પ્રશ્નોત્તરી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, ત્યારબાદ તમામ મહેમાનોએ સાથે મળીને ડિનરનો આનંદ માણ્યો હતો.
અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી
કેન્ડોર IVF સેન્ટર વરાછા વિસ્તારની એકમાત્ર એવી હોસ્પિટલ છે જે આધુનિક સુવિધાઓથી સજ્જ છે:
વિશાળ પાર્કિંગ: પેશન્ટ્સ અને મહેમાનો માટે સુવિધાજનક પાર્કિંગની વ્યવસ્થા.
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: હવા-ઉજાસવાળું અને પોઝિટિવ વાતાવરણ ધરાવતું બિલ્ડિંગ.
ઇન-હાઉસ (In-House) IVF લેબ: આધુનિક ટેકનોલોજી અને લેટેસ્ટ લેબ સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ.
૬ વર્ષની ઉજવણી પર સેવાનો સંકલ્પ
૬ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા સમાજ માટે મહત્વના સંકલ્પો જાહેર કરવામાં આવ્યા છે:
૧૦૦૦ નિઃસંતાન દંપતીઓને તદ્દન મફત (Free) માર્ગદર્શન આપવામાં આવશે.
૧૦૦ જરૂરિયાતમંદ દંપતીઓ માટે ૫૦% રાહત દરે IVF ટ્રીટમેન્ટની સુવિધા.
ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પણ વિશેષ રાહત દરે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડોક્ટર્સની ટીમે જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આર્થિક મુશ્કેલીને કારણે કોઈ દંપતી સંતાન સુખથી વંચિત ન રહે. ખાસ કરીને ગામડાઓ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પણ અમે આધુનિક વિજ્ઞાનનો લાભ પહોંચાડવા કટિબદ્ધ છીએ.”
સંપર્ક અને સ્થળ:
કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ
GEB પાવર હાઉસ પાસે, કર્મનાથ મહાદેવની સામે, કાપોદ્રા ચાર રસ્તા, સુરત.
મોબાઈલ: 99253 94276
બાળકો માટે વિજ્ઞાન-સમર્થિત સુખાકારી : ‘વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સ’ના ફાયદા હવે ક્લિનિકલી માન્ય
વડોદરા : વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સે, બાળકોના એકંદર સ્વસ્થ વિકાસમાં સહાય કરવામાં ક્લિનિકલી રીતે મહત્વપૂર્ણ લાભદાયી પ્રદર્શન કર્યું છે, એવું તાજેતરના સ્વતંત્ર ક્લિનિકલ અભ્યાસના તારણો દ્વારા પ્રમાણિત થયું છે. નવા ક્લિનિકલ ડેટાએ આ ડ્રોપ્સને બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાયદાકારક પૂરક તરીકે સમર્થન આપ્યું છે. આ સંશોધન, આ પરંપરાગત આયુર્વેદિક ફોર્મ્યુલેશન માટે વૈજ્ઞાનિક માન્યતા પ્રદાન કરે છે, જેનો ઉપયોગ લાંબા સમયથી બાળ કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે થતો રહ્યો છે.
નોંધનીય છે કે, ઓપન લેબલ ક્લિનિકલ અભ્યાસમાં 90 દિવસથી વધુ સમય સુધી દરરોજ આપવામાં આવતા વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સ(ટીપાં)ની અસરકારકતા અને સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં 0 થી 16 વર્ષની વયના 35 બાળકોએ ભાગ લીધો હતો અને દરેક સહભાગીને ઉંમર અનુસાર ડ્રોપ્સના ડોઝ આપવામાં આવ્યાં હતાં, જેના પરિણામોનું મુલ્યાંકન તેમના વિકાસ, રોગપ્રતિકારક શક્તિ, જ્ઞાનાત્મક કાર્ય, ઊંઘની ગુણવત્તા અને શારીરિક સ્વાસ્થ્યના આધારે કરવામાં આવ્યું હતું.
આ અભ્યાસના તારણો અનુસાર, બાળકોએ શરીરના વજન અને શારીરિક કલ્યાણ સહિત મુખ્ય વિકાસ સૂચકાંકોમાં સમગ્રપણે સુધારો દર્શાવ્યો હતો. માળખાગત પ્રશ્નાવલીઓ દ્વારા મૂલ્યાંકન કર્યા મુજબ, ધ્યાન અને એકાગ્રતાના સ્કોર્સમાં સુધારો થયો હતો, જ્યારે માતાપિતાએ સહભાગીઓમાં સારી ઊંઘની ગુણવત્તાની જાણ કરી હતી.
આ અભ્યાસમાં ટ્રાયલ સમયગાળા દરમિયાન, વારંવાર થતા ઉપલા શ્વસન માર્ગના ચેપના પ્રકરણમાં ખુબજ પ્રોત્સાહક પરિણામો જોવા મળ્યા હતા. આની સાથે જ, સીરમ IgG અને IgA સ્તરોમાં પણ સુધારો જોવા મળ્યો હતો, જે રોગપ્રતિકારક પ્રતિભાવમાં વધારો દર્શાવે છે.
આ અભ્યાસ દરમિયાન, કોઈ પ્રતિકૂળ અસરો નોંધાઈ ન હતી, તેથી આ ફોર્મ્યુલેશન બધા વય જૂથોમાં સારી રીતે સહન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અનુપાલન સ્તર ઉત્તમ હોવાનું નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, બધા માતાપિતાએ તેમના બાળકોમાં સમગ્ર વિકાસ, સહનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયાની માહિતી આપી હતી, જ્યારે 97% લોકોએ ભવિષ્યના ઉપયોગ માટે ઉત્પાઆદનની ભલામણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સના નિર્માતા વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે, “સુવર્ણપ્રાશનને પરંપરાગત રીતે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ અને જ્ઞાનાત્મક વિકાસને સપોર્ટ આપવામાં તેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. આ અભ્યાસ, પેઢીઓથી વિશ્વસનીય આયુર્વેદિક પ્રેક્ટિસની આધુનિક ક્લિનિકલ માન્યતા પ્રદાન કરે છે. માપન યોગ્ય ક્લિનિકલ માપદંડ દ્વારા દર્શાવવામાં આવેલા આ પરિણામો, મહત્વપૂર્ણ વૃદ્ધિ વર્ષો દરમિયાન સહાયક પૂરક તરીકે તેના મૂલ્ય અંગે માતાપિતા અને આરોગ્યસંભાળ વ્યાવસાયિકોને વધુ વિશ્વાસ પ્રદાન કરે છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “હજારો માતા-પિતા તરફથી અમને મળી રહેલો પ્રેમ, આશીર્વાદ અને સકારાત્મક પ્રતિસાદ અમને સતત પ્રેરણા અને મજબૂતી આપે છે. અમે એ જણાવતા પણ ગૌરવ અનુભવીએ છીએ કે, અમે હાલમાં જ અમારી નવી જાહેરાત ફિલ્મ ‘સબકો હોના હૈ ગ્રો’ લોન્ચ કરી છે.”
આ ક્લિનિકલ ટ્રાયલ, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયા (CTRI) માં નોંધાયેલી એક સ્વતંત્ર થર્ડ પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ અભ્યાસને સ્વતંત્ર એથિક્સ કમિટી તરફથી પણ મંજૂરી મળી હતી.
ખાસ નોંધનીય છે કે, સુવર્ણપ્રાશનને આયુર્વેદમાં જટાકર્મ સંસ્કાર અથવા નવજાત શિશુ સંભાળ હેઠળના બાળકો માટે 16 આવશ્યક સંસ્કારોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું છે. વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સમાં સુવર્ણ ભસ્મ, મધ અને વાચા, બ્રાહ્મી અને શંખપુષ્પી જેવા હર્બલ ઘટકોનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ પરંપરાગત રીતે પ્રતિરક્ષા, પાચન, શીખવાની ક્ષમતા અને ઊંઘને સપોર્ટ કરવા માટે થાય છે. આ ફોર્મ્યુલેશન, એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, દરેક ડોઝમાં આ ઘટકોની એક જેવી ડિલિવરી થઈ શકે.
1980 માં શરૂ થયેલી, વડોદરા સ્થિત વાસુ હેલ્થકેર, એ હર્બલ અને આયુર્વેદિક આરોગ્યસંભાળ ક્ષેત્રમાં જાણીતું નામ છે અને ભારતના આયુર્વેદ પ્રિસ્ક્રિપ્શન માર્કેટમાં ટોચની પાંચ બ્રાન્ડ્સમાં સામેલ છે. આ કંપની આયુર્વેદિક ફોર્મ્યુલેશન, હર્બલ કોસ્મેટિક્સ અને પર્સનલ કેરથી લઈને હર્બલ અને પોષણયુક્ત પ્રોડક્ટના ઉત્પાદન અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે. વાસુ હેલ્થકેર, સમગ્ર ભારતમાં અને 50 થી વધુ આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજરી ધરાવે છે, જેમાં 200+ સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે.
કંપની પાસે વડોદરામાં બે વર્લ્ડ ક્લાસ ઉત્પાદન સુવિધાઓ છે અને હાલમાં જ તેની ત્રીજી આયુર્વેદિક ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે, જે WHO ના આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર છે. આ નવી સુવિધા 2,00,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે.
ગુજરાતના પ્રખ્યાત, ૧૫ વર્ષનો અનુભવ ધરાવતા અને ૭૦૦૦થી વધુ સફળ સર્જરી કરનાર રોબોટિક ની (Knee) અને હિપ (Hip) રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. કૌશિક પટેલ હવેથી શેલ્બી હોસ્પિટલ સુરત અને વાપી ખાતે મળશે.
સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ડૉ. કૌશિક પટેલ, હવે ૧લી ફેબ્રુઆરી ૨૦૨૬થી સુરતની પ્રતિષ્ઠિત શેલ્બી હોસ્પિટલ સાથે જોડાઈ રહ્યા છે. ડૉ. કૌશિકના જોડાવાથી શેલ્બી હોસ્પિટલમાં હવે રોબોટિક ની (Knee) અને હિપ (Hip) રિપ્લેસમેન્ટ જેવી અત્યાધુનિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનશે.
ડૉ. કૌશિક પટેલ છેલ્લા ૧૫ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અગાઉ સહજાનંદ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. તેઓ અત્યાર સુધીમાં ૭,૦૦૦ જેટલી રોબોટિક સર્જરીઓ સફળતાપૂર્વક કરી ચૂક્યા છે. તેમની શૈક્ષણિક લાયકાત અને તાલીમ પણ અત્યંત ઉચ્ચ સ્તરની છે. તેમણે એમ.એસ. (ઓર્થોપેડિક)નો અભ્યાસ ઈન્દોરથી પૂર્ણ કર્યો છે. તેમજ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં વિશેષ ફેલોશિપ તેમણે મુંબઈ, અમદાવાદ અને કેનેડા ખાતેથી મેળવી છે.
આ અંગે વાત કરતા ડૉ. કૌશિક પટેલ જણાવે છે કે, “સમગ્ર ગુજરાતમાં રોબોટિક હિપ રિપ્લેસમેન્ટ ગણ્યા-ગાંઠ્યા સેન્ટરો પર જ થાય છે અને સુરતમાં અમે આ અત્યાધુનિક પદ્ધતિથી મોટી સંખ્યામાં સર્જરી કરી રહ્યા છીએ. શેલ્બીમાં બે-બે રોબોટિક મશીનોની ઉપલબ્ધતાથી દર્દીઓને વધુ ચોકસાઈપૂર્વક સારવાર આપી શકાશે.”
શા માટે શેલ્બી હોસ્પિટલની પસંદગી કરી?
શેલ્બી હોસ્પિટલ સાથે જોડાવવા અંગે ડૉ. કૌશિક પટેલે કહ્યું કે, “શેલ્બી જેવી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જોડાવાથી દર્દીઓને મજબૂત ‘બેક સપોર્ટ’ મળે છે. જો કોઈ દર્દીને અન્ય બીમારીઓ જેવી કે બ્લડ પ્રેશર કે શ્વાસની તકલીફ હોય, તો એક જ સ્થળે તમામ નિષ્ણાતોની ટીમ મળી રહે છે. અત્યાધુનિક મલ્ટી-સ્પેશિયાલિટી સુવિધાઓ અને રોબોટિક ટેકનોલોજીના સમન્વયથી દર્દીઓને શ્રેષ્ઠ પરિણામ આપી શકાય, તે જ મારો મુખ્ય હેતુ છે.”
ડૉ. કૌશિક પટેલના આ નવા પ્રારંભથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા અન્ય રાજ્યો અને દેશ-વિદેશથી આવતા દર્દીઓને રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે.
જેનબકર્ટે ગુજરાતમાં ભારતની પ્રથમ વ્યાપક 10 પ્રકારનીકેન્સર સ્ક્રીનીંગ વાનની શરૂઆત કરી
ભારતની પ્રથમ 10 પ્રકારની કેન્સરનું સ્ક્રીનીંગ વાન
ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ-સ્તરીય નિદાન સેવાઓ પહોંચાડે છે
ગાંધીનગર, ભારત – 8 જાન્યુઆરી, 2026: ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટિત એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે પરિકલ્પિત અને દાનમાં આપેલી ‘જેનબર્ક્ટ આશા વાન’ (વ્હીલ્સ પર આશાનું પ્રતીક) ભારતની સૌ પ્રથમ અદ્યતન મોબાઇલ કૅન્સર સ્ક્રીનિંગ વાન તરીકે શરૂ કરવામાં આવી છે. આ વાન 10 વિવિધ પ્રકારના કૅન્સરનું સ્ક્રીનિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેનું સંચાલન તથા જાળવણી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગર જિલ્લા દ્વારા કરવામાં આવે છે.
આ મહત્વાકાંક્ષી પહેલ 2040 સુધી ભારતના અનુમાનિત 20.8 લાખ કૅન્સર કેસોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવી છે અને યુએન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 3.8 અંતર્ગત સર્વજન આરોગ્ય કવચ તરફ એક સશક્ત પગલું છે.
જેનબર્ક્ટ આશા વાન આરોગ્ય ક્ષેત્રની અસમાનતાને દૂર કરે છે કારણકે તે અદ્યતન નિદાન ક્ષમતાઓ અને ત્વરિત તથા ચોક્કસ પરિણામો ગ્રામ્ય સમુદાયો સુધી પહોંચાડે છે, જે અગાઉ માત્ર ભારતની અગ્રણી શહેરી હોસ્પિટલો સુધી મર્યાદિત હતા. આ વાન 10 મહત્વપૂર્ણ કૅન્સર પ્રકારો માટે સ્ક્રીનિંગ કરે છે: સ્તન, ગર્ભાશય ગ્રીવા, મૌખિક, રક્ત, પ્રોસ્ટેટ, વીર્યગ્રંથિ, પૈન્ક્રિયાઝ, લીવર, આંતરડા અને ફેફસાના કૅન્સર.
આ વાનમાં વિશ્વસ્તરીય EVA-pro નિદાન સાધનો, સંપૂર્ણ મેમોગ્રાફી યુનિટ સાથે CR સિસ્ટમ, થર્મોગ્રિડ ટેકનોલોજી અને વ્યાપક IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર સજ્જ છે, જે ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર અને જીવન બચાવતું નિદાન શક્ય બનાવે છે.
વાનનું આંતરિક ડિઝાઇન ખાસ કરીને ચિંતા કરતાં આશા પ્રેરતું રાખવામાં આવ્યું છે. ક્લિનિકલ અને નિરસ વાતાવરણને બદલે, સ્નેહભર્યા, માનવિય અને ગૌરવપૂર્ણ પરિસર દ્વારા દર્દીઓને આરામદાયક સ્ક્રીનિંગનો અનુભવ મળે તે માટે રચના કરવામાં આવી છે.
આ વાન સંપૂર્ણ કૅન્સર કાળજી સંકલન પ્રદાન કરે છે જેમાં સ્થળ ઉપર જ સ્ક્રીનિંગ, અસામાન્ય પરિણામો માટે તાત્કાલિક સલાહ, અમદાવાદ, વડોદરા અને સુરતના ઓન્કોલોજિસ્ટ્સ સાથે 24 કલાક વિશેષ પરામર્શ, રેફરલ સપોર્ટ અને સતત ટેલિ-કાઉન્સેલિંગ સેવાઓનો સમાવેશ થાય છે. આ એકીકૃત અભિગમ સ્ક્રીનિંગને એકમાત્ર ઘટનામાંથી સંકલિત વેલનેસ યાત્રાના પ્રથમ પગથિયે રૂપાંતરિત કરે છે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ, મુખ્યમંત્રી રાહત ફંડ દ્વારા 2021 થી 2025 દરમિયાન 2,106 થી વધુ કૅન્સર દર્દીઓને રૂ. 31.55 કરોડથી વધુની સારવાર સહાય પૂરી પાડવામાં આવી છે, જે ગુજરાતને કૅન્સર કાળજીની સુલભતામાં અગ્રણી રાજ્ય તરીકે સ્થાપિત કરે છે.
ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ‘જેનબર્ક્ટ આશા વાન’ દાનમાં આપવા બદલ જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની ટીમનો આભાર માનતા હજુ આવી વધુ વાન આપવા માટે અપીલ કરી હતી. જેનાથી વધુ ને વધુ લોકો આ સુવિધાનો લાભ મેળવી શકે. સમગ્ર સોરાષ્ટ્રમાં મોંઢાના કેન્સર વધુ પ્રમાણમાં મળી આવે છે, આ વાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જઈ સ્ક્રીનિંગ કરશે, જેનાથી સમગ્ર ગુજરાતની જનતાને આનો લાભ મળશે અને શરૂઆતના તબક્કામાં કેન્સરની ઓળખ થઈ જતાં સમયસર સારવાર મળી જતાં લોકોની જીદગી બચાવવામાં મદદ મળી રહેશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત હંમેશાં નવીન આરોગ્યસેવા ઉકેલો અમલમાં મૂકવામાં આગેવાન રહ્યું છે અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરના સહયોગથી શરૂ થયેલ જેનબર્ક્ટ આશા વાન દરેક નાગરિક સુધી ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા પહોંચાડવાનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. વહેલી તબક્કે શોધ જીવન બચાવે છે અને આ પહેલ દ્વારા ગ્રામ્ય સમાજ સુધી વિશ્વસ્તરીય નિદાન સેવાઓ પહોંચશે.
જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી આશિષ યુ. ભૂતાએ જણાવ્યું કે કૅન્સર પિનકોડ નથી જોતી પરંતુ જીવન બચાવતી સ્ક્રીનિંગ સુવિધાઓ ઘણી વખત ઉપલબ્ધિ પર આધાર રાખે છે. એક ગ્રામ્ય ખેડૂતને પણ મુંબઇની અગ્રણી હોસ્પિટલોમાં મળતી અદ્યતન નિદાન સુવિધાનો સમાન અધિકાર હોવો જોઈએ. દર્દી પ્રથમ સિદ્ધાંત હેઠળ, જેનબર્ક્ટ ગુણવત્તામાં ક્યારેય સમર્પણ કરતું નથી, ખાસ કરીને ત્યારે જ્યારે જીવન બચાવવાનો પ્રશ્ન હોય. સમયસર સ્ક્રીનિંગ પરિવારને આર્થિક સંકટમાં ધકેલાતાં અટકાવે છે અને જીવનને નવી દિશા આપે છે.
રાષ્ટ્રીય સ્તરે જ્યાં 40 ટકાથી વધુ કૅન્સર કેસો મોડા તબક્કે ઓળખાય છે, ત્યાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સમાન પડકારો જોવા મળે છે કારણ કે અદ્યતન નિદાન સુવિધાઓ મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત છે. ભારતમાં કૅન્સર સારવાર માટેની આર્થિક ઝંઝટ ચેપજન્ય રોગોની સરખામણીએ 6 ગણું વધુ છે. મોડા તબક્કાની સ્તન કૅન્સરમાં પાંચ વર્ષનું સર્વાઇવલ માત્ર 15 ટકા રહે છે, જ્યારે વહેલી ઓળખમાં તે 90 ટકાથી વધુ છે. ગર્ભાશય ગ્રીવા કૅન્સરમાં સ્ટેજ 1 માં સર્વાઇવલ 78 ટકા છે જ્યારે સ્ટેજ 4 માં તે માત્ર 9 ટકા રહે છે.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરના ચેરમેન ડૉ. મિલન દવે જણાવ્યું કે આ વાન ગ્રામ્ય ભારતમાં કૅન્સર કાળજી માટેનો અભિગમ બદલતી એક ક્રાંતિકારી પહેલ છે. સંશોધન દર્શાવે છે કે મોબાઇલ સ્ક્રીનિંગ કાર્યક્રમો દર 1,000 લોકો પાછળ 7 થી 12 જીવન વર્ષ બચાવી શકે છે, જે દર વર્ષે અનેક પરિવારો માટે આશા બની શકે છે.
જેનબર્ક્ટનું મુખ્ય મથક મુંબઇમાં આવેલું છે અને છેલ્લા 40 વર્ષથી સિહોર, ગુજરાતમાં અદ્યતન ઉત્પાદન પ્લાન્ટ અને સંશોધન તથા વિકાસ કેન્દ્ર કાર્યરત છે. કંપની ગુણવત્તા, નવીનતા અને નૈતિક માર્કેટિંગ પર સતત ભાર મૂકે છે. 2019માં શરૂ કરાયેલ ‘શ્રી ઉત્તમ એન. ભૂતા રેડ ક્રોસ બ્લડ સેન્ટર’ અને 2024ની મોબાઇલ હેલ્થ વાન પહેલ દ્વારા જેનબર્ક્ટે આરોગ્યસેવાની સુલભતા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ભાવનગર જિલ્લામાં સેવાઓ મફત અથવા નામમાત્ર દરે ઉપલબ્ધ છે. જન્મદિવસ, લગ્નવાર્ષિકી અને પુણ્યતિથિ જેવા પ્રસંગોએ મફત કૅન્સર સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરી શકાય છે. કંપનીઓ, સંસ્થાઓ અને સમુદાય જૂથો ‘તિથિ દાન’ કાર્યક્રમ દ્વારા આવા કેમ્પો આયોજિત કરી શકે છે.
ભાવનગર જિલ્લામાં કૅન્સર સ્ક્રીનિંગ કેમ્પ આયોજિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ભાવનગરનો સંપર્ક કરો:
+91 95379 54848 | +91 94294 06202
વધુ માહિતી માટે મુલાકાત લો: www.jenburkt.com
જેન/પીઆર/26/004
ઓઇલી અને એકને-પ્રોન સ્કિન માટે ડૉ. સખીયા’ સ એન્ટી એકને કિટનું લોન્ચ
22 વર્ષના ડર્મેટોલોજી અનુભવ પરથી તૈયાર 4-સ્ટેપ સ્કિનકેર રૂટિન હવે ઘરે મળશે.
સુરત: ભારતીય ઓઇલી અને એકને-પ્રોન ત્વચા માટે ખાસ વૈજ્ઞાનિક રીતે વિકસિત ડૉ. સખીયા’ સ એન્ટી એકને એન્ડ પિમ્પલ કેર કિટનું સત્તાવાર લોન્ચ સુરતના લાલ દરવાજા સ્થિત સખીયા સ્કિન ક્લિનિક ખાતે કરવામાં આવ્યું હતું. આ કિટ ડર્મેટોલોજિસ્ટ દ્વારા ડિઝાઇન કરાયેલ 4-સ્ટેપ સ્કિનકેર રૂટિન છે, જે હવે ક્લિનિક લેવલની એકને સારવારને સરળ અને સુરક્ષિત રીતે ઘરેથી અપનાવવાની તક આપે છે.
આ અવસરે સખીયા સ્કિન ક્લિનિકના સ્થાપક અને જાણીતા ડર્મેટોલોજિસ્ટ ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં ટીનએજર્સ, યુવાનો અને કામકાજ કરતા વ્યાવસાયિકોમાં એકને અને પિમ્પલ્સની સમસ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે. બજારમાં ઉપલબ્ધ ખોટા અથવા બિનવૈજ્ઞાનિક પ્રોડકટ્સ ત્વચાને વધુ નુકસાન પહોંચાડે છે. આથી, 27 વર્ષના અમારા ક્લિનિકલ અનુભવના આધારે એવી કિટ વિકસાવવામાં આવી છે, જે ખાસ ભારતીય ત્વચા માટે સલામત, અસરકારક અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત છે.
ડૉ. સખીયા’ સ એન્ટી એકને એન્ડ પિમ્પલ કેર કિટમાં ચાર મહત્વપૂર્ણ સ્ટેપ્સ સામેલ છે.
ફેસ વોશ વધારાનું તેલ નિયંત્રિત કરી પોર્સને ઊંડાણથી સાફ કરે છે.

એ.એમ. ક્રીમ સક્રિય એકને ઘટાડવામાં અને નવા બ્રેકઆઉટ અટકાવવામાં મદદ કરે છે.
હળવી અને નોન-કોમેડોજનિક સનસ્ક્રીન એકનેના ડાઘ અને પિગમેન્ટેશનથી રક્ષણ આપે છે.
નાઇટ ક્રીમ મૂળમાંથી એકને પર કામ કરી ધીમે ધીમે ડાઘોને ફિક્કા બનાવે છે.
આ કિટમાં સેલિસિલિક એસિડ, નાયાસિનામાઇડ, એઝેલાઈક એસિડ, ઝિંક પીસીએ અને હાયાલુરોનિક એસિડ જેવા ડર્મેટોલોજિસ્ટ દ્વારા વિશ્વસનીય ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે લાંબા ગાળાની સ્કિન હેલ્થ અને સ્પષ્ટ ત્વચા મેળવવામાં મદદરૂપ થાય છે.
ડૉ. સખીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આજના સમયમાં એકને માટે અલગ-અલગ બ્રાન્ડમાંથી ફેસ વોશ, સીરમ, ક્રીમ, સનસ્ક્રીન અને નાઈટ ટ્રીટમેન્ટ ખરીદવાની ફરજ પડે છે, જે રૂટિનને ગૂંચવણભરી અને મોંઘી બનાવી દે છે. આ સમસ્યાના ઉકેલ તરીકે, તમામ જરૂરી સ્ટેપ્સને એક જ બોકસમાં, ડર્મેટોલોજિસ્ટ-ડિઝાઇન રૂટિન સાથે રજૂ કરવામાં આવ્યા છે.
આ લોન્ચ ડર્મેટોલોજિસ્ટ લેવલની એકને સારવારને વધુ સરળ, અસરકારક અને પરવડતી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, સાથે જ સ્કિનકેર અંગે જાગૃતિ ફેલાવવાનો પણ મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો.