શિક્ષણ અને ટેકનોલજી
સુરત –(N.D.L.) નવદીપ વિદ્યાલય, ડિસેન્ટ ચાઈલ્ડ હાઈ સ્કૂલ, લીટલ મિલેનિયમ, ગુ. હા. બોર્ડ, પાંડેસરા, નવા વર્ષ 2026 નું સ્વાગત ભવ્ય વાર્ષિક સમારોહ 2025–26 સાથે કરે છે.
અમને જણાવતાં આનંદ થાય છે કે 03 જાન્યુઆરી 2026 એ યોજાયેલા અમારી શાળા ના વાર્ષિક સમારોહ અત્યંત સુંદર અને સફળ રહ્યો. અમારા પ્રતિભાશાળી બાળકો દ્વારા રજૂ થયેલા આકર્ષક નૃત્યો, મધુર ગીતો અને પ્રેરણાદાયક નાટકો સાથે સમગ્ર હોલ ઉત્સાહથી ગૂંજી ઉઠ્યો. આ વર્ષની થીમ “પર્યાવરણ સંરક્ષણ અને અમારી સુંદર ધરતીને બચાવવાની ભાવના” પર આધારિત હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે શ્રીમાન નરોત્તમભાઇ ટી. પટેલ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર), અને અતિથિ ડો. દિવ્યાની સોલંકી (નવદીપ વિદ્યાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થીની) તથા સોનમ રાજપૂત (ડિસેન્ટ ચાઈલ્ડ હાઈ સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીની) હાજર રહયા, તે બદલ શાળાના મૅનેજિંગ ટ્રસ્ટી, ટ્રસ્ટી ગણ તથા સંચાલકશ્રી અને શાળાના આચાર્ય શ્રી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે, જેઓએ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો અને તેમના પ્રેરણાદાયક શબ્દોથી બાળકોનો આત્મવિશ્વાસ વધાર્યો.

આ કાર્યક્રમ અમારા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહયોગનું સાચું પ્રતિબિંબ હતું, જેણે સૌમાં એક સુંદર સમુદાયની ભાવના મજબૂત કરી. નાનાં બાળકો હોય કે વરિષ્ઠ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો, સ્ટાફ અને સંકલનકારોએ આ દિવસને યાદગાર બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ દિવસ નવા વર્ષ માટે નવી ઊર્જા અને ઉત્સાહ સાથે શરૂ થયો.
સમારોહનો અંતિમ તબક્કો ભવ્ય, આનંદમય અને યાદગાર રહ્યો. તમામ રજૂઆતો એક સાથે મળી એક અદ્ભુત અનુભવ સર્જ્યો.
સર્વત્ર હાસ્ય, પ્રકાશ, સંગીત અને ઉત્સાહની લહેર ફેલાઈ હતી. દરેક ખૂણો બાળકોની સ્મિતથી ઝગમગી રહ્યો હતો.
શાળા વ્યવસ્થાપનના તમામ વિભાગના આચાર્યોએ જણાવ્યું કે શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક નીતિઓ પર સતત કાર્ય કરતી રહેશે, જેથી આગામી વર્ષોમાં વધુ ઉત્તમ પરિણામો મેળવી શકાય.
શાળાના વાર્ષિક સમારોહની સફળતા બદલ શાળા વ્યવસ્થાપને તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રતિ આભાર વ્યક્ત કર્યો અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમનું યોગદાન મહત્વનું હોવાનું જણાવ્યું.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસ્ટેરિયન્સ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવાયો ગણતંત્ર દિવસ
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણતંત્ર દિવસ અત્યંત ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી ઉજવાયો. સમગ્ર શાળા ગૌરવ, આનંદ અને સાંસ્કૃતિક ઉત્સાહથી ઝળહળી ઉઠી હતી. આ વિશેષ અવસરને વધુ યાદગાર બનાવ્યો શાળાના નાનકડા વિદ્યાર્થીઓએ કે જેમને સ્નેહપૂર્વક ‘એસ્ટેરિયન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. જેમણે પોતાની મનમોહક રજૂઆતો દ્વારા કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા.
વિદ્યાર્થીઓએ સુવ્યવસ્થિત રીતે આયોજન કરાયેલી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના માધ્યમથી તેમને તેમની ઉંમરને અનુકૂળ અને સરળ રીતે ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકોના મધુર દેશભક્તિ ગીતો અને ઉર્જાસભર નૃત્ય પ્રસ્તુતિઓએ સૌનું દિલ જીતી લીધું હતું, જેમાં તેમની નિર્દોષતા, આત્મવિશ્વાસ અને દેશપ્રેમ સ્પષ્ટપણે દેખાતો હતો.

આ કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો સીમિત નહોતો, પરંતુ તેનો મુખ્ય હેતુ બાળકોમાં એકતા, અનુશાસન અને રાષ્ટ્રીય ગૌરવ જેવા મૂલ્યોને શરૂઆતથી જ વિકસાવવાનો હતો. સંગીત, નૃત્ય અને સર્જનાત્મક અભિવ્યક્તિના માધ્યમથી વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભાવનાને અત્યંત સુંદર રીતે રજૂ કરી, જેનાથી ઉપસ્થિત સૌ કોઈ ગહન રીતે પ્રભાવિત થયા હતા.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ ગણતંત્ર દિવસનો આ કાર્યક્રમ એ વાતની સુખદ યાદ અપાવે છે કે જવાબદાર અને ગર્વિત નાગરિકોની રચના બાળપણની શિક્ષણથી જ શરૂ થાય છે. આ આયોજન સૌ માટે પ્રેરણાદાયી અને અવિસ્મરણીય રહ્યું હતું.
શારદા વિદ્યામંદિરમાં ફન ફેરનું આયોજન, વિધાર્થીઓ માટે બન્યો અભ્યાસ સાથે આનંદ અને શીખવાનો ઉત્સવ
- શિક્ષણ સાથે સંસ્કાર અને સર્જનાત્મકતાનો સુંદર સંગમ, રંગબેરંગી સ્ટોલ બન્યા આકર્ષણ
- વિદ્યાર્થીઓએ સંભાળી જવાબદારી, શિક્ષકો અને વાલીઓની સક્રિય ભાગીદારી
સુરત. શારદા વિદ્યામંદિર ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ અને એસ.વી.એમ. અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં તારીખ 19 અને 20 ડિસેમ્બર 2025ના રોજ બે દિવસીય વાર્ષિક ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફન ફેર આનંદ, ઉત્સાહ અને સર્જનાત્મકતાથી ભરપૂર રહ્યો. સવારથી જ શાળા પરિસરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોની સક્રિય હાજરીથી સમગ્ર કાર્યક્રમ ઉજવણીરૂપ બની ગયો હતો।
વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ફન ફેરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના અભ્યાસથી આગળ વધારીને વ્યવહારુ અનુભવ આપવાનો હતો. કાર્યક્રમ દ્વારા બાળકોમાં ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા અને જવાબદારીની ભાવના વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા।
ફન ફેરમાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દક્ષિણ તથા ઉત્તર ભારતીય વ્યંજન સાથે પોપકોર્ન, જ્યુસ, ચા-કોફી અને ઘરગથ્થુ સ્વાદિષ્ટ વાનગીઓએ ઉપસ્થિતોની ખૂબ પ્રશંસા મેળવી. આ સાથે સંગીત, નૃત્ય, કલા અને ક્રાફ્ટ સંબંધિત સ્ટોલોએ વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરી હતી।

ખાસ વાત એ રહી કે સ્ટોલ સંચાલનથી લઈને સમગ્ર વ્યવસ્થા સુધીની જવાબદારી વિદ્યાર્થીઓએ પોતે જ સંભાળી હતી. જેના કારણે તેમને આયોજન, સંવાદ અને ટીમવર્કનો વ્યવહારુ અનુભવ મળ્યો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ પણ બાળકોને ઉત્સાહ વધાર્યો હતો।
કાર્યક્રમની સફળતા બદલ ટ્રસ્ટી શ્રી ઉમાકાંતભાઈ આચાર્ય અને શ્રી યોગી આચાર્ય, પ્રિન્સિપાલ શ્રી નરેન્દ્રભાઈ ચાવડા, શ્રીમતી હીનાબેન અધ્વર્યુ અને શ્રીમતી શાલિનીબેન પરમારે વિદ્યાર્થી પરિષદ, શિક્ષકો તથા વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।
શાળા વ્યવસ્થાપન દ્વારા જણાવવામાં આવ્યું કે શારદા વિદ્યામંદિર અને એસ.વી.એમ. સ્કૂલ ભવિષ્યમાં પણ આવા સર્જનાત્મક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં સતત કાર્ય કરતું રહેશે।
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો શિખામણ, આનંદ અને સાહસથી ભરેલો નાઈટ કેમ્પ
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાના વિદ્યાર્થીઓ માટે એક અનોખા અને જ્ઞાનવર્ધક નાઈટ કેમ્પનું સફળ આયોજન કર્યું હતું. આ કેમ્પ દરમિયાન સમગ્ર સ્કૂલ પરિસર શિખામણ, સર્જનાત્મકતા અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું. શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે મનોરંજનનું સુંદર સંયોજન આ કાર્યક્રમની ખાસ વિશેષતા રહ્યું, જેના કારણે વિદ્યાર્થીઓ માટે આ અનુભવ યાદગાર બની રહ્યો.
નાઈટ કેમ્પનું મુખ્ય આકર્ષણ ‘આકાશદર્શન (સ્કાય ગેઝિંગ)’ રહ્યું, જેમાં વિદ્યાર્થીઓએ રાત્રીના આકાશની સુંદરતા નિહાળી વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને રોમાંચનો અનુભવ કર્યો. ઉપરાંત, વિદ્યાર્થીઓએ ઘડિયાળ નિર્માણ તથા ચંદ્રમા નિર્માણ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિ, સમયની સમજ અને વૈજ્ઞાનિક જ્ઞાનમાં વધારો કર્યો.
આ બાદ યોજાયેલ મેજિક શોએ બાળકોના ચહેરા પર ખુશીની લહેર દોડાવી દીધી અને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું. અન્ય સુવ્યવસ્થિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને આખા કેમ્પ દરમિયાન સક્રિય અને ઉત્સાહિત રાખવામાં આવ્યા.
આ નાઈટ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ગખંડની બહાર અનુભવાત્મક શિખામણ, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને શોધભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. આ સફળ આયોજન ફરી એકવાર વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની ગુણવત્તાસભર અને નવીન શિક્ષણ પદ્ધતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સાર્વજનિક યુર્નિવર્સિટીનાં ૪થું દીક્ષાંત સમારૌહ બાબત.
સુરત : સાર્વજનિક યુર્નિવર્સિટી, સુસ્ત, એક અગ્રણી પ્રાઈવેટ યુનિવર્સિટી છે, જે શહત દરે ગુણવત્તા યુક્ત શિક્ષાણ પ્રદાન કરે છે. તેની સ્થાપના સાર્વજનિક એજયુકેશન સોસાયટી દ્વારા કરવામાં આવી છે. જે શિક્ષણ ક્ષેત્રે સમૂળ પરંપરા ધરાવતી એક ૧૧૩ વર્ષ જુની પ્રાચીન અને લોકશાહી પઘ્ધતિથી ચાલતી સંસ્થા છે. યુનિવર્સિટીમાં એન્જીન્યરીંગ, બિઝનેશ & મેનેજમેન્ટ, આર્કિટેક્ચર અને ઇન્ટીરીયર ડિઝાઈન, ડોમર્ચ, ફાઈન આટર્સ, લો, સાયન્ગ તથા હયુમેનિટીગ જેટલા વિવિધ વિષયોમાં બહુવિષયક શિક્ષણ પ્રબન ૮ ઘટક કોલેજો દ્વારા સંચાલિત થાય છે. હાલમાં સાર્વજનિક યુનિવર્સિટીમાં ૫૩ અંડર ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લો, પીસ્ટ ગ્રેજ્યુએટ તથા ડોક્ટોરલ કાર્યક્રમોમાં ૯, ૨૩૯થી વધુ વિદ્યાર્થીઓને સમાજની બદલાતી જરૂરીયાતોને ધ્યાનમાં રાખી શિક્ષણ પ્રદાન કરી રહી છે.
સાર્વજનિક યુર્નિવર્સિટી દ્વારા ચૌથો પદવીદાન સમારોહ શુકવાર, તા. ૨૩-૦૧-૨૦૨૬ના રોજ સાંજે : ૫-૦૦ કલાકે એમ.ટી.બી. ક્રિકેટ ગ્રાઉન્ડ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી કેમ્પસ, અઠવાલાઇન્સ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં અંડર ગ્રેજયુએટ (UG), પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) અને પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમાં (PGD)ના ૨,૧૧૪ વિદ્યાર્થીઓને અભ્યાસકમની ડિગ્રી આપવામાં આવશે. તેમજ શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે ૫૩ ગોલ્ડ મેડલથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.

આ ભવ્ય સમારંભમાં જાણીતા પ્રતિષ્ઠિત શિક્ષણવિદ્ અને ઇન્ડિયન ઇન્સ્ટિીટ્યુટ ઓફ ફોરેન ટ્રેડ (IIFT)ના કુલપતિ ડૉ. રાકેશ મોહન જોશી – મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને પ્રસંગ અનુરૂપ સંબોધન કરશે.
સમારોહમાં ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યામમૂર્તિ (નિવૃત્ત) શ્રી રવિ આર. ત્રિપાઠી – અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
સમારોહ દરમ્યાન, ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે સુવર્ણ ચંદ્રડોથી સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સાર્વજનિક યુર્નિવર્સિટીના માનનીય પ્રમુખ શ્રી આશિષ વડીલ, યુર્નિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડયા, ગર્વનિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેટમેન્ટના સભ્યો સહિત ઉપસ્થિત રહેશે.
આ મહત્વપૂર્ણ પ્રસંગના સાક્ષી બનવા માટે વિદ્યાર્થીઓ, વાલીઓ, યુનિવર્સિટીના શિક્ષકો અને સ્ટાફ સહિત ૨,૫૦૦થી વધુ લોકો હાજરી હોવાની સંભાવના છે. સાર્વજનિક યુનિવર્સિટીના શૈક્ષણિક પ્રવાસમાં આ પદવીદાન સમારોહ મહત્વપૂર્ણ સાબિત थशे.
નાના હાથ, મોટો બદલાવ જ્ઞાનના બીજ વાવતાં અને સપનાઓને વિકસતાં જોયાં
સુરત: યુરોકિડ્સ પ્રિ સ્કૂલ પાલ નવા વર્ષ 2026 નું સ્વાગત ભવ્ય વાર્ષિક સમારોહ 2025–26 સાથે કરે છે.
અમને જણાવતાં આનંદ થાય છે કે 18 જાન્યુઆરીએ યોજાયેલો અમારો આતુરતાપૂર્વક રાહ જોવાતો વાર્ષિક સમારોહ અત્યંત સુંદર અને સફળ રહ્યો! અમારા પ્રતિભાશાળી બાળકો દ્વારા રજૂ થયેલા આકર્ષક નૃત્યો, મધુર ગીતો અને પ્રેરણાદાયક નાટકો સાથે સમગ્ર હોલ ઉત્સાહથી ગૂંજી ઉઠ્યો. આ વર્ષની થીમ પર્યાવરણ સંરક્ષણ અને અમારી સુંદર ધરતીને બચાવવાની ભાવના પર આધારિત હતી.
અમે અમારા મુખ્ય અતિથિ, ધ મિલેનિયમ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મોનિકા ખુરાણા અને યુરોકિડ્સ પ્રિ સ્કૂલ પાલ ના માલિક શ્રીમતી અક્ષિતા યોગીકુમાર આચાર્યનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, જેઓએ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો અને તેમના પ્રેરણાદાયક શબ્દોથી બાળકોનો આત્મવિશ્વાસ વધાર્યો.

આ કાર્યક્રમ અમારા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહયોગનું સાચું પ્રતિબિંબ હતો, જેણે સૌમાં એક સુંદર સમુદાયની ભાવના મજબૂત કરી. નાનાં બાળકો હોય કે વરિષ્ઠ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો, સ્ટાફ અને સંકલનકારોએ આ દિવસને યાદગાર બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ દિવસ નવા વર્ષ માટે નવી ઊર્જા અને ઉત્સાહ સાથે શરૂ થયો.
સમારોહનો અંતિમ તબક્કો ભવ્ય, આનંદમય અને યાદગાર રહ્યો. તમામ રજૂઆતો એક સાથે મળી એક અદ્ભુત અનુભવ સર્જ્યો.
સર્વત્ર હાસ્ય, પ્રકાશ, સંગીત અને ઉત્સાહની લહેર ફેલાઈ હતી. દરેક ખૂણો બાળકોની સ્મિતથી ઝગમગી રહ્યો હતો.
શાળા વ્યવસ્થાપન અને પ્રિન્સિપાલે જણાવ્યું કે શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક નીતિઓ પર સતત કાર્ય કરતી રહેશે, જેથી આગામી વર્ષોમાં વધુ ઉત્તમ પરિણામો મેળવી શકાય.
યુરોકિડ્સ પ્રિ સ્કૂલ પાલ ના વાર્ષિક સમારોહની સફળતા બદલ શાળા વ્યવસ્થાપને તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રતિ આભાર વ્યક્ત કર્યો અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમનું યોગદાન મહત્વનું હોવાનું જણાવ્યું.
ઉતરાયણના રંગો ફેશનમાં ઢળ્યા: IDTની અનોખી પહેલ, બાળકો માટે પતંગ-થીમ આધારિત ડિઝાઇનર ડ્રેસ કલેકશન રજૂ
સુરત, ગુજરાત: ઉતરાયણના ઉત્સાહ, રંગો અને પતંગોની ઉડાનને ફેશનની સર્જનાત્મક અભિવ્યક્તિમાં ઢાળતા Institute of Design & Technology (IDT) ના ફેશન ડિઝાઇન વિદ્યાર્થીઓએ બાળકો માટે વિશેષ પતંગ-થીમ આધારિત ડિઝાઇનર ડ્રેસ કલેકશન તૈયાર કર્યું છે. આ કલેકશન ઉતરાયણની પરંપરાગત ભાવનાને આધુનિક ડિઝાઇન વિચાર અને બાળકોની સુવિધા સાથે સુંદર રીતે જોડે છે.
આ અનોખા પ્રોજેક્ટનું માર્ગદર્શન નીતા મેમ દ્વારા આપવામાં આવ્યું, જેમની પ્રેરણા અને અનુભવથી વિદ્યાર્થીઓએ ઉત્સવની ખુશી, બાળકોની માસૂમિયત અને ડિઝાઇનની બારીકીઓને એકસાથે પિરોવી છે. ડ્રેસ ડિઝાઇન કરતી વખતે કિડ્સ-સેફ ફેબ્રિક્સ, હળવા અને ચમકદાર રંગો, આરામદાયક ફિટ્સ તથા ફેસ્ટિવ પ્રિન્ટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે, જેથી બાળકો આખો દિવસ આરામ અને સુરક્ષા સાથે ઉત્સવનો આનંદ માણી શકે.
વિદ્યાર્થીઓએ પોતાના અનુભવ શેર કરતાં કહ્યું,
“અમે ઇચ્છતા હતા કે બાળકો જ્યારે આ ડ્રેસ પહેરે ત્યારે તેમને માત્ર ફેશન નહીં, પરંતુ ઉતરાયણની ખુશી, સ્વતંત્રતા અને રંગોની ઊર્જાનો અહેસાસ થાય. પતંગોના રંગો અમારી ડિઝાઇનની આત્મા છે.”
IDTની Director અંકિતા ગોયલે આ પહેલ અંગે જણાવ્યું,
“IDTમાં અમારો ફોકસ માત્ર ક્લાસરૂમ લર્નિંગ સુધી સીમિત નથી. ઉતરાયણ જેવા ભારતીય તહેવારોને લાઈવ ડિઝાઇન પ્રોજેક્ટ્સમાં રૂપાંતરિત કરવાથી વિદ્યાર્થીઓને વાસ્તવિક ઇન્ડસ્ટ્રી અનુભવ અને સાંસ્કૃતિક સમજ બંને મળે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું,
“આ કલેકશનમાં વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે તેઓ સંસ્કૃતિ, આરામ અને સર્જનાત્મકતા—ત્રણેય વચ્ચે ઉત્તમ સંતુલન બનાવી શકે છે. આવી વિચારસરણી તેમને ભવિષ્યના સફળ અને જવાબદાર ડિઝાઇનર બનાવે છે.”
IDTની આ પહેલ શિક્ષણ, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો પ્રેરણાદાયક સંગમ બની છે, જ્યાં ઉતરાયણનો ઉત્સવ ફેશનના માધ્યમથી બાળકોની સ્મિત અને રંગીન સપનાઓમાં રૂપાંતરિત થયો છે.
એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં “આત્મનિર્ભર ભારત: તકો અને પડકારો” વિષય પર ત્રીજી વિદ્યાર્થી કોન્ફરન્સ યોજાઈ
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા તા. ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ “આત્મનિર્ભર ભારત: તકો અને પડકારો” વિષય પર ત્રીજી વિદ્યાર્થી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફે. (ડો.) કિરણ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનો, નવીનતા અને સંશોધનની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

આ કોન્ફરન્સમાં ડો. જયેશ એન. દેસાઈ, ડીન- ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સાર્વજનિક યુનિવર્સિટી, સુરત અને BRCM કોલેજના પ્રિન્સીપલ, કોન્ફરન્સના ચેરપર્સન તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીના રિસર્ચની ગુણવત્તા, મૂળભૂતતા અને વિષયની પ્રાસંગિકતાની પ્રશંસા કરી હતી. કોન્ફરન્સમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી કુલ ૭ ટીમોએ ભાગ લીધો હતો અને આત્મનિર્ભર ભારતના વિવિધ વિષયો પર સંશોધન પત્રો રજૂ કર્યા હતા.જે ફેબ્રુઆરીમાં ISBN સાથે પબ્લીશ થશે.
રોઝ બડ્સ સ્કૂલ દ્વારા કાર્નિવલ 2025-26 સાથે નવા વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરાયું
કાર્નિવલ અંતર્ગત, સાયન્સ એક્ઝિબિશન, ફન ફેર અને ટેલેન્ટ શો જેવા કાર્યક્રમો આયોજિત કરાયા
સુરત. રોઝ બડ્સ સ્કૂલ દ્વારા કાર્નિવલ 2025-26 સાથે નવા વર્ષ 2026નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દિવસે વર્ષનો શુભ આરંભ નવી ઊર્જા અને ઉમંગ સાથે કરવામાં આવ્યો. શાળાના પરિસરમાં આયોજિત આકર્ષક કાર્નિવલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ હતો.
સ્કૂલ ના કેમ્પસ માં હાસ્ય, રોશની, સંગીત અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યો હતો. રોમાંચક પ્રદર્શન, રસપ્રદ રમતો, સ્વાદિષ્ટ ખાણી-પીણીના સ્ટોલ અને ખુશખુશાલ ચહેરાઓએ શાળામાં ઉત્સવનો માહોલ સર્જી દીધો હતો. દરેક ખૂણે બાળકોના સ્મિતથી ચહેરાઓ ઝળહળી રહ્યા હતા.
આ ઉત્સવમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સૌએ દિલથી ભાગ લીધો હતો. તમામ વચ્ચે એકતા, સમરસતા અને કાર્યક્ષમતાનો સુંદર સમન્વય જોવા મળ્યો. તમામ અનુભવી અને ગણમાન્ય મહેમાનોએ કાર્યક્રમોનો ભરપૂર આનંદ લીધો અને તેમની હાજરીએ કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા.
વિવિધ પ્રકારના કાર્યક્રમોએ મહેમાનો અને વાલીઓનું વિશેષ ધ્યાન ખેંચ્યું. ક્યાંક ટેલેન્ટ શોમાં નાનકડા બાળકોએ લોકોને ખૂબ હસાવ્યા, તો ક્યાંક પોતાની ઉંમરથી વધારે સમજદારી દર્શાવતા નાટકો દ્વારા બાળકોએ જોરદાર તાલીઓ અને પ્રશંસા મેળવી.

સાયન્સ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિ અને સર્જનાત્મકતાના ઉપયોગથી સૌને પોતાના જ્ઞાન અને કુશળતાનો પરિચય આપ્યો. કોઈએ સ્માર્ટ સિટીનું મોડલ રજૂ કર્યું તો કોઈએ ભંગાર સામગ્રીમાંથી જોડાણ કરીને એક્ટિવા તૈયાર કરી, જેને જોઈ સૌ કોઈ અચંબામાં પડી ગયા.
ખાણી-પીણીના સ્ટોલોએ અલગ-અલગ પ્રદેશોના પરંપરાગત વ્યંજનોથી લોકોને માત્ર પ્રભાવિત જ કર્યા નહીં, પરંતુ રેકોર્ડતોડ ખરીદી સાથે બાળકોનો ઉત્સાહ પણ વધાર્યો. દરેક વાલીઓ શાળાના આ આયોજનની ખુલ્લેઆમ પ્રશંસા કરતા નજરે પડ્યા.
શાળા વ્યવસ્થાપન અને પ્રાચાર્ય શ્રીએ જણાવ્યું કે, શાળા આગળ પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની શિક્ષણ નીતિઓ પર સતત કાર્ય કરતી રહેશે, જેથી આવનારા સમયમાં વધુ ઉત્તમ પરિણામો મેળવી શકાય.
આ RBS કાર્નિવલની સફળતા બદલ શાળા મેનેજમેન્ટ દ્વારા તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરી શ્રેય આપ્યો.
“શ્યામ કી મહિમા” – ગુરુકૃપા વિદ્યાસંકુલ (CBSE) નો ભક્તિ, સંસ્કાર અને કલાત્મક ઉત્તમતાનો ભવ્ય ઉત્સવ
ગુરુકૃપા વિદ્યાસંકુલ (CBSE) એ પોતાના વાર્ષિક કાર્યક્રમ “Shyaam ki Mahima” નું ભવ્ય અને ભાવસભર આયોજન ભક્તિપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક કર્યું. ભગવાન શ્રીકૃષ્ણની મહિમા, લીલાઓ અને જીવનમૂલ્યોને આધારિત આ કાર્યક્રમ શિક્ષણ સાથે સંસ્કૃતિના સુંદર સંકલનનું ઉત્તમ ઉદાહરણ બન્યો.
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમના મુખ્ય મહેમાન (Chief Guest) તરીકે શ્રી ગણપત વસાવા
(પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય – માંગરોળ)
ની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વિશેષ વધારો કર્યો. તેમણે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, શિસ્ત અને કલાત્મક પ્રતિભાની પ્રશંસા કરી તથા શિક્ષણ સાથે સંસ્કારના મહત્વ પર ભાર મૂક્યો.
આ પ્રસંગે શાળાના માનનીય ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરણાદાયક હાજરી સમગ્ર કાર્યક્રમ માટે શક્તિસ્તંભ બની. એક દ્રષ્ટાવાન નેતા અને શિક્ષણક્ષેત્રે સમર્પિત માર્ગદર્શક તરીકે તેમણે હંમેશા સંસ્થાને શૈક્ષણિક ઉત્તમતા સાથે મૂલ્યઆધારિત શિક્ષણ તરફ દોરી છે.
કાર્યક્રમના Guest of Honour તરીકે પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્રીમતી મલ્લિકા સિંહ (રાધા) ને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેને તેમણે અત્યંત સૌજન્ય અને ગૌરવ સાથે સ્વીકાર્યું. તેમણે શાળાના વાર્ષિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી CBSEના માતા-પિતા અને વિદ્યાર્થીઓને સંબોધ્યા અને “શ્યામ કી મહિમા” જેવા જીવંત કૃષ્ણ નાટકને સાકાર કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અવિરત પરિશ્રમ, સમર્પણ અને ટીમવર્કની હૃદયપૂર્વક પ્રશંસા કરી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યુઝમાં તેમણે પોતાના અનુભવો શેર કર્યા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે કૃષ્ણ લીલાઓના અભિનય દ્વારા તેમણે શિસ્ત, આત્મવિશ્વાસ, ભક્તિભાવ અને સહકારની ભાવના શીખી.
માતા-પિતાએ પણ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતાં જણાવ્યું કે “શ્યામ કી મહિમા” માત્ર એક વાર્ષિક કાર્યક્રમ નહીં પરંતુ બાળકોના સર્વાંગી વિકાસનું સશક્ત મંચ છે, જ્યાં સંસ્કાર, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો સમન્વય થાય છે.
શાળાની માનનીય પ્રિન્સિપાલ શ્રીમતી એચ. ડુમાસિયા મેડમએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે “શ્યામ કી મહિમા” દ્વારા વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને ભક્તિને કલાત્મક અભિવ્યક્તિ સાથે સુંદર રીતે રજૂ કરી છે. તેમણે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતાના સહયોગ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શિક્ષણ તથા ગેર-શિક્ષણ સ્ટાફના અવિરત પરિશ્રમ, સુચારુ આયોજન અને ઉત્તમ સંકલનનું પ્રતિબિંબ હતું. કૃષ્ણ લીલાઓ, નૃત્ય, સંગીત અને નાટ્ય રજૂઆતો દ્વારા કાર્યક્રમ દર્શકોના હૃદયને સ્પર્શી ગયો અને સમગ્ર સભા તાળીઓના ગજગજાટથી ગુંજી ઉઠી.
આ ભક્તિમય અને પ્રેરણાદાયક સાંજ સૌના મનમાં અવિસ્મરણીય યાદો છોડી ગઈ. “શ્યામ કી મહિમા” ગુરુકૃપા વિદ્યાસંકુલ માટે સંસ્કાર, સમર્પણ અને શિક્ષણની દ્રષ્ટિનો ઉત્સવ બની હંમેશા યાદ રહેશે.