શિક્ષણ અને ટેકનોલજી
સુરતમાંથી યુપીએસસીમાં સફળતા : ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી
પ્રેસ કોન્ફરન્સમાં સફળ વિદ્યાર્થીઓએ તૈયારી અને અનુભવો કર્યા શેર
સુરત : સુરતમાં યુપીએસીની તૈયારી કરાવતી કોચિંગ સંસ્થા ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ સંઘ લોક સેવા આયોગ (UPSC)ની પરીક્ષામાં સફળતા મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. આ ઉપલબ્ધિ નિમિત્તે સંસ્થા દ્વારા શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફળ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાનો મીડિયાથી પરિચય કરાવવામાં આવ્યો હતો।
સંસ્થાના સંચાલક કૌશલ બૂબનાએ જણાવ્યું કે તેમની કોચિંગ છેલ્લા છ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અહીં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી સતત સુરતમાંથી વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી રહ્યા છે અને આ વર્ષે પણ બે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી મહત્વપૂર્ણ રેન્ક પ્રાપ્ત કરી છે।
કૌશલ બૂબનાના જણાવ્યા અનુસાર સફળ વિદ્યાર્થીઓમાં ડૉ. કિશન રામે ઓલ ઇન્ડિયા 474મી રેન્ક મેળવી છે. તેમણે બીજે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ફિઝિયોલોજીમાં એમડીની ડિગ્રી મેળવી છે. આ તેમનો યુપીએસસીનો પાંચમો પ્રયાસ હતો અને પહેલો ઇન્ટરવ્યુ હતો. રેન્કના આધારે તેમને આઇપીએસ સેવા મળવાની સંભાવના છે.
બીજા સફળ વિદ્યાર્થી તન્મય મૂળ પટના (બિહાર)ના રહેવાસી છે. તેમણે આઈઆઇટી ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. આ તેમનો છઠ્ઠો પ્રયાસ હતો અને તેમણે 229મી રેન્ક મેળવી છે. તેમને પણ આઇપીએસ સેવા મળવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।
કૌશલ બૂબનાએ જણાવ્યું કે સુરત શહેર માટે આ મોટી સિદ્ધિ છે, કારણ કે અગાઉ યુપીએસસી અને સુરતનો સંબંધ ખૂબ ઓછો જોવા મળતો હતો. એક શિક્ષક તરીકે જ્યારે તેમના વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે ત્યારે તે તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે।
સફળ વિદ્યાર્થીઓએ પોતાની તૈયારી, સંઘર્ષ અને અનુભવ અંગે પણ માહિતી આપી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પોતાની મહેનત, માતા-પિતાનું સમર્થન અને કોચિંગમાં માર્ગદર્શન આપનાર શિક્ષકોના સહકાર વિના આ સફળતા શક્ય નહોતી.
સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ ભવ્ય રીતે યોજાયો
સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા સુરત : સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ નું રવિવારના રોજ સરદાર સ્મૃતિ ભવન ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત વિશેષ હાજરી સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી, જે જ્ઞાન, ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે. વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર સંજયભાઈ બલદાનિયાએ મુખ્ય અતિથિનું પુષ્પગુચ્છ ભેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં ‘જોય જંકશન’ નો ઉત્સાહભેર આયોજન
સ્થળ: , શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ સ્કૂલ ગ્રાઉન્ડ
સુરત: શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલના વિશાળ પ્રાંગણમાં તારીખ 22 ફેબ્રુઆરી ના રોજ “જોય જંકશન” કાર્યક્રમનો ભવ્ય અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનોની હાજરીથી સમગ્ર મેદાન મેળાવડા જેવું જીવંત બની ગયું હતું.
કાર્યક્રમના વિશેષ આકર્ષણ તરીકે લોકપ્રિય ટેલિવિઝન શ્રેણી *Taarak Mehta Ka Ooltah Chashmahના પ્રિય પાત્ર Pinku ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી વિદ્યાર્થીઓમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.
આ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિના થી તૈયારી કરી રહ્યા હતા. લગભગ 60 થી 65 સ્ટોલ વિદ્યાર્થીઓએ પોતે જ યોજ્યા અને સંચાલિત કર્યા. વાલીઓએ પણ બાળકો સાથે સક્રિય રીતે ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, વ્યવસાયિક કુશળતા, સંચાર કૌશલ્ય અને ટીમ વર્કની ભાવના વિકસાવવાનો હતો. કાર્યક્રમમાં ફૂડ સ્ટોલ, ગેમ સ્ટોલ, કૂપન સ્ટોલ તેમજ વિવિધ મનોરંજક રાઇડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.
“જોય જંકશન” માત્ર મનોરંજન પૂરતું નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે વ્યવહારિક શિક્ષણનું ઉત્તમ માધ્યમ સાબિત થયું. શાળા સંચાલક મંડળે વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના સહકારની પ્રશંસા કરી.
કાર્યક્રમ આનંદ અને યાદગાર ક્ષણો સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો.
સાર્વજનિક યુનિવર્સિટીએ ભવ્ય SU કાર્નિવલ 2026નું અનાવરણ કર્યું – સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને અભ્યાસનો મહોત્સવ
સુરત: સાર્વજનિક યુનિવર્સિટીએ 16 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં તેના ફ્લેગશિપ સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહોત્સવ SU કાર્નિવલ 2026નું સફળ આયોજન કર્યું, જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, ભાગીદારો અને સમુદાયે સર્જનાત્મકતા, પ્રતિભા, અભ્યાસ અને સસ્ટેનેબિલિટીની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો.
19 ફેબ્રુઆરીએ સવારે 10:30 વાગ્યે SCET એમ્ફિથિયેટરમાં યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં SU ના પ્રમુખ અને SES ના અધ્યક્ષ શ્રી આશિષ વકીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમના સાથે તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ભારત શાહ, પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા, UAC અધ્યક્ષ શ્રી રાજેશ દેસાઈ, SES ના ઉપાધ્યક્ષ-1 ડૉ. કે. આર. દેસાઈ, ઉપાધ્યક્ષ-2 શ્રી અજિત શાહ તેમજ તમામ ડીન, પ્રિન્સિપાલ, ડિરેક્ટર્સ, વિભાગ પ્રમુખો, ફેકલ્ટી સભ્યો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા. ઉદ્ઘાટન કાર્યક્રમમાં સસ્ટેનેબિલિટી થીમ પર ફ્લેશ મોબ, દીપ પ્રજ્વલન વિધિ, પ્રમુખનું સંબોધન, પ્રી-કાર્નિવલ સ્પર્ધાઓ (16–18 ફેબ્રુઆરી)ના વિજેતાઓને પુરસ્કાર વિતરણ, SU મ્યુઝિક બેન્ડનું લોન્ચ અને ઉર્જાસભર ઓપનિંગ ડાન્સ મેરાથોનનો સમાવેશ થયો.
કાર્નિવલ દરમિયાન મુલાકાતીઓએ ઇન્ટરેક્ટિવ સ્ટોલ્સ, કરાઓકે, વર્કશોપ્સ, રીડાથોન સત્રો, રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિ ઝોન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. ખાસ આકર્ષણ તરીકે વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સ્ટોલ્સ રહ્યા, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાનાં વિચારોનું સ્વતંત્ર રીતે સંકલ્પન, આયોજન, માર્કેટિંગ અને અમલીકરણ કર્યું. આ અનુભવાત્મક મંચ દ્વારા ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ, પ્રેરક સંચાર, ટીમવર્ક અને વાસ્તવિક સમયના નિર્ણયક્ષમતા જેવા જીવન અને મેનેજેરિયલ કૌશલ્યો મજબૂત બન્યા, જે વર્ગખંડના અભ્યાસથી આગળનું શૈક્ષણિક અનુભવ પૂરું પાડે છે. સ્થળની સફાઈ અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને નિર્ધારિત અંતરાલોમાં સફાઈ અભિયાન યોજાયા, જે કાર્યક્રમના સસ્ટેનેબિલિટી ફોકસ અને વિદ્યાર્થીઓની જવાબદાર ભાગીદારી દર્શાવે છે.

ઉજવણીનો મહત્વપૂર્ણ શૈક્ષણિક ભાગ તરીકે SUMUN (Sarvajanik University Model United Nations)નું આયોજન થયું, જેમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વૈશ્વિક સિમ્યુલેશન મંચ મળ્યો. આ કોન્ફરન્સે ભાગ લેનારાઓની સંશોધન ક્ષમતા, રાજનૈતિક વાટાઘાટ કૌશલ્ય, જાહેર ભાષણમાં આત્મવિશ્વાસ, નીતિ વિશ્લેષણ ક્ષમતા અને વૈશ્વિક જાગૃતિમાં વધારો કર્યો. સાથે-સાથે ક્રિટિકલ થિંકિંગ, સહકાર અને નેતૃત્વ જેવા ભવિષ્યના વ્યાવસાયિકો અને જવાબદાર વૈશ્વિક નાગરિકો માટે જરૂરી ગુણો વિકસાવ્યા.
બન્ને દિવસની સાંજના કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક રજૂઆતો, સ્પોન્સર્સ અને ભાગ લેનાર એનજીઓનો સન્માન, સ્ટુડન્ટ ફેશન શો અને 20 ફેબ્રુઆરીના ગ્રાન્ડ ફિનાલે દરમિયાન જીવંત DJ નાઈટ રજૂ થઈ. કાર્નિવલ એકતા, નવીનતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સંદેશ સાથે ભવ્ય રીતે પૂર્ણ થયો.
SGCCI અને TPC દ્વારા યુથ વિઝન સાથે કરાયું આયોજન
સુરતમાં 1000 યુવાનોનું મંથન, ‘ટર્નિંગ પોઇન્ટ યુથ કોન્ક્લેવ 2026’માં લીડરશિપ અને ઇનોવેશનનો ઉમંગ દેખાયો
– ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટી દ્વારા SGCCIના મંચ પર આયોજિત કોન્ક્લેવમાં ઉદ્યોગ જગતના દિગ્ગજો, નેશનલ ડિબેટર્સ અને યુથ લીડર્સે યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણના મંત્ર આપ્યા
સુરત. યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત ‘ટર્નિંગ પોઇન્ટ યુથ કોન્ક્લેવ 2026’એ એક દિવસ માટે સુરતને યુવા નેતૃત્વ અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવી દીધું. ભારતની સૌથી મોટી ડિબેટ સોસાયટી ‘ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટી’ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સંયુક્ત આયોજન હેઠળ 31 જાન્યુઆરીએ સરસાણા સ્થિત SIECC કેમ્પસના પ્લેટિનમ હોલમાં ભવ્ય કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં અંદાજે 1000 વિદ્યાર્થી-વિદ્યાર્થીનોએ ભાગ લીધો હતો.
કોન્ક્લેવની થીમ “Voices of Tomorrow: Youth, Industry & the Power of Critical Thinking” રહી હતી. ભારતની અગ્રણી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટીના સ્થાપક આદિત્ય ભટ્ટે જણાવ્યું હતું કે આ મંચનો હેતુ યુવાનોને માત્ર સાંભળવાનું નહીં, પરંતુ તેમને વિચારવા, પ્રશ્ન પૂછવા અને નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવાનો છે.
કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નિષ્ણાતોના કી-નોટ સેશન, નેશનલ લેવલ યુથ ડિબેટ એરિના, ઇન્ટરએક્ટિવ પેનલ ડિસ્કશન અને યુથ લીડરશિપ પ્રતિજ્ઞા જેવા સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશન્સના માધ્યમથી યુવાનોને કરિયર માર્ગદર્શન, પબ્લિક સ્પીકિંગ, ક્રિટિકલ થિંકિંગ અને નેટવર્કિંગનો વ્યાવહારિક અનુભવ મળ્યો.

આ પ્રસંગે એડવોકેટ મનસ્વી ઠાકર, ડો. મનોજ કુમાર (વીપી, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ) અને કોર્પોરેટ ટ્રેનર નિર્મલ પારેખ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. સાથે જ દેશ-વિદેશના શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને યુથ લીડર્સે સ્પીકર અને પેનલિસ્ટ તરીકે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. નેશનલ લેવલ ડિબેટર્સે તાર્કિક વિચારશક્તિ અને અસરકારક સંવાદ કૌશલ્યની નાની-મોટી બારીકીઓ પણ શેર કરી હતી.
SGCCIના પ્રમુખ નિખિલ કે. મદ્રાસી, ઉપપ્રમુખ અશોક વી. જીરાવાલા, સચિવ બિજલ એમ. જરીવાલા અને ખજાનચી સીએ મિતેશ મોદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપે છે.
આયોજકોના જણાવ્યા અનુસાર આ કોન્ક્લેવ માત્ર સંવાદનું મંચ નહીં, પરંતુ લીડરશિપ ડેવલપમેન્ટ, ઇનોવેશન, એન્ટરપ્રેન્યૂરશિપ અને નેશન બિલ્ડિંગની દિશામાં એક મજબૂત પગલું સાબિત થયો છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ સુરક્ષા અને માનસિક આરોગ્ય જાગૃતિ સેમિનાર
સુરત: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા, અધિકારો અને ભાવનાત્મક કલ્યાણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી બાળ સંરક્ષણ, બાળ જાગૃતિ અને બાળ માનસિક આરોગ્ય વિષયક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ એવું સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનું હતું, જ્યાં બાળકો નિડરપણે પોતાને વ્યક્ત કરી શકે અને જરૂર પડ્યે મદદ માંગવામાં સંકોચ ન રાખે.
આ સત્ર એએસઆઈ વૈશાલિબેન દેવરે, શ્રીમતી પેનલબેન રાદડિયા અને શ્રી રાહુલભાઈ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. વક્તાઓએ વ્યક્તિગત સુરક્ષા, ગુડ ટચ-બેડ ટચ, POCSO જાગૃતિ, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર, કાનૂની સહાય તેમજ કઠિન પરિસ્થિતિઓમાં વિશ્વાસપાત્ર વડીલો સાથે સંવાદના મહત્વ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સરળ ભાષામાં સમજાવ્યા. વિદ્યાર્થીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓ ઓળખવા અને ડર વિના સમજદારીપૂર્વક પ્રતિક્રિયા આપવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં માનસિક આરોગ્ય જાગૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, તણાવનું સંચાલન કરવા અને મદદ માંગવી કમજોરી નહીં પરંતુ સાહસનું પ્રતિક છે તે સમજવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. સાથે જ જણાવાયું કે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન અને જાગૃતિ અનેક સમસ્યાઓ અટકાવી શકે છે અને બાળકોમાં આત્મવિશ્વાસ વિકસાવે છે.

સેમિનાર અત્યંત ઇન્ટરએક્ટિવ રહ્યો, જેમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શિક્ષકોએ સત્ર દરમિયાન આપવામાં આવેલા વ્યવહારુ ઉદાહરણોની પ્રશંસા કરી, જેના કારણે બાળકોને સંવેદનશીલ વિષયો સરળ અને તેમની ઉંમરને અનુરૂપ રીતે સમજવામાં મદદ મળી.
શાળાએ સંસાધન વ્યક્તિઓના મૂલ્યવાન માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો અને સુરક્ષિત તથા સહકારપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો. આવા પ્રયત્નો વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા સાથે સાથે તેમને દૈનિક જીવનમાં જવાબદાર નિર્ણય લેવા માટે પણ સશક્ત બનાવે છે.
કાર્યક્રમનું સમાપન આ સંદેશ સાથે થયો કે જાગૃતિ, સંવાદ અને આત્મવિશ્વાસ મળીને સુરક્ષિત બાળપણ અને મજબૂત ભવિષ્યનું નિર્માણ કરે છે.
શારદા વિદ્યામંદિરમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યો.
સુરત: જેમાં મુખ્ય મહેમાન શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉમાકાંતભાઈ સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને બોર્ડની પરીક્ષા માં સફળ થવા બુસ્ટર ડોઝ પૂરો પાડી ઉચ્ચતમ સંસ્કારો સાથે રાષ્ટ્ર ના આદર્શ નાગરિકો બનવા સલાહ આપી હતી.
દીપ પ્રાગટ્ય ,શ્લોક અને પ્રાર્થના થી શરૂઆત બાદ પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે શાળા પરિવાર વતી સૌને આવકાર આપી સુંદર માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ વિદ્યાર્થી ઓ એ તમામ ઉપસ્થિત મહાનુભાવો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા. અન્ય વિદ્યાર્થી ઓ એ પ્રસંગોચિત પ્રતિભાવો વ્યક્ત કર્યા.

ખુબજ વિશિષ્ટ ગરિમા પૂર્ણ, શિસ્તબધ્ધ અને અનોખા ફેરવેલ ફંક્શન માં એડમિન શ્રી યોગીસર , આચાર્યા શ્રી હિનાબેન (પ્રા.વિ) ,આચાર્યા શ્રી શાલિની બેન ( પ્રા.વિ ),તેમજ તમામ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી બાળકો ને આશીર્વાદ અને શુભેચ્છા ઓ પાઠવી. સાથે મળી ને અલ્પાહાર કર્યો
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન ચાવડા અને રેખાબેને દ્વારા કરવા માં આવ્યું સાથે સાથે તમામ શિક્ષક મિત્રો ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો. આ તબક્કે શાળા ના આચાર્ય શ્રી ચાવડા સાહેબે સૌનો આભાર વ્યકત કર્યો..
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન ચાવડા અને રેખાબેને દ્વારા કરવા માં આવ્યું સાથે સાથે તમામ શિક્ષક મિત્રો ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો. આ તબક્કે શાળા ના આચાર્ય શ્રી ચાવડા સાહેબે સૌનો આભાર વ્યકત કર્યો..
શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે આયોજિત 1લી SGVS ચેસ માસ્ટર્સ કપ – 2026 ચેસ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
આ પ્રતિષ્ઠિત ચેસ ચેમ્પિયનશિપમાં યુવા, ઉદયમાન તેમજ અનુભવી ચેસ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેના પરિણામે સ્વસ્થ સ્પર્ધા અને રમતિયાળ ભાવનાનો ઉત્કૃષ્ટ માહોલ સર્જાયો.
સુરત – આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી મુકેશ ડી. પટેલ (ચેરમેન – ગુરુકૃપા ગ્રુપ) ઉપસ્થિત રહ્યા. તેમણે આયોજનકર્તાઓના પ્રયાસોની પ્રશંસા કરી તથા વિદ્યાર્થીઓમાં વ્યૂહાત્મક વિચારશક્તિ, શિસ્ત અને એકાગ્રતા વિકસાવવા માટે ચેસ રમતના મહત્વ પર ભાર મૂક્યો.
ચેમ્પિયનશિપનું આયોજન અંડર-7, અંડર-9, અંડર-11, અંડર-14 તેમજ ઓપન કેટેગરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વય જૂથના ખેલાડીઓને સ્પર્ધાત્મક મંચ પ્રાપ્ત થયો. વિજેતાઓને કુલ ₹52,000ની રોકડ ઇનામ રકમ વિતરણ કરવામાં આવી. દરેક કેટેગરીમાં ઇનામ વિતરણ નીચે મુજબ રહ્યું:
• પ્રથમ સ્થાન – ₹2,000
• દ્વિતીય સ્થાન – ₹1,500
• તૃતીય સ્થાન – ₹1,000
• ચોથું સ્થાન – ₹800
• પાંચમું સ્થાન – ₹700
સમાવેશિતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ અનરેટેડ પ્લેયર, બેસ્ટ વેટરન પ્લેયર, બેસ્ટ મહિલા ખેલાડી તથા બેસ્ટ દિવ્યાંગ ખેલાડી માટે વિશેષ પુરસ્કારો રોકડ ઇનામ સાથે આપવામાં આવ્યા. ઉપરાંત, પ્રેરણાદાયી પ્રદર્શન બદલ મોસ્ટ વેટરન પ્લેયર તથા બેસ્ટ દિવ્યાંગ ખેલાડીને વિશેષ સન્માન આપવામાં આવ્યું.

છોકરીઓની ચેસમાં ભાગીદારી વધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, દરેક કેટેગરીમાં ટોચની પાંચ બાળિકાઓને ટ્રોફી આપી તેમની કુશળતા અને સમર્પણને માન્યતા આપવામાં આવી.
સુરત, ગુજરાતની 7 વર્ષની ચેસ પ્રતિભા વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાને 26 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર – 2025થી સન્માનિત કરવામાં આવી હતી. તેમણે આ 1લી SGVS ચેસ માસ્ટર્સ કપ – 2026માં પણ ભાગ લીધો હતો અને પોતાની વય જૂથમાં તમામ મેચોમાં વિજય મેળવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે આયોજિત આ 1લી SGVS ચેસ માસ્ટર્સ કપ – 2026નું સફળ આયોજન તથા મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ તેને એક ઐતિહાસિક કાર્યક્રમ બનાવે છે, જે ભવિષ્યના ચેસ ટૂર્નામેન્ટ માટે મજબૂત પાયો સ્થાપે છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નાનકડા વિદ્યાર્થીઓનો ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો
સાંસ્કૃતિક કાર્યક્રમોથી મહેમાનો થયા મંત્રમુગ્ધ સુરત: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નાનકડા વિદ્યાર્થીઓ માટે આનંદ, ગૌરવ અને ઉત્સાહથી ભરેલો ગ્રેજ્યુએશન ડે સમારોહ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ સમાન રહ્યો, કારણ કે તેમણે પ્રાથમિક શિક્ષણના શરૂઆતના વર્ષો સફળતાપૂર્વક પૂર્ણ કરી હવે પ્રાઈમરી ધોરણમાં પ્રવેશ માટે તૈયારી દર્શાવી. કાર્યક્રમની શરૂઆત વાલીઓના સન્માનપૂર્ણ સ્વાગત સાથે થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ગ્રેજ્યુએશન ગાઉન અને કેપ પહેરેલા નાનકડા વિદ્યાર્થીઓએ મીઠા ગીતો, મનમોહક નૃત્ય અને આત્મવિશ્વાસભર્યા સ્ટેજ પરફોર્મન્સથી સૌનું દિલ જીતી લીધું હતું. તેમની રજૂઆતમાં શાળાએ આપેલા સંસ્કાર અને શિક્ષણનો સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળ્યો.


માહેશ્વરી મહાકુંભ 2026 : ભાવિકા માહેશ્વરીને સમાજ ગૌરવની ઉપાધિ
મહામહિમ રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જોધપુર : આંતરરાષ્ટ્રીય માહેશ્વરી મહાધિવેશન-MGC 2026 ના ગૌરવમય મંચ પર ભાવિકા માહેશ્વરીને પ્રતિષ્ઠિત સમાજ ગૌરવ અલંકારથી વિભૂષિત કરવામાં આવ્યા। રાજસ્થાનના રાજ્યપાલ માનનીય હરિભાઉ બાગડે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિનેશ માહેશ્વરી તથા જસ્ટિસ જે.કે. માહેશ્વરીએ તેમને એટલી નાની ઉંમરે 500 થી વધુ સ્ક્રીન એડિક્શન અંગે અવેરનેસ કાર્યક્રમો માટે ગ્લોબલ સન્માન અર્પણ કર્યું. જ્યુરીમાં શ્રી આનંદ પ્રકાશ માહેશ્વરી (IPS), શ્રી શ્રીકાંત બાલડા (IAS), ન્યાયમૂર્તિ શ્રી ઉમેશચંદ્ર માહેશ્વરી, શ્રી દિનેશ પટવારી (IRS), શ્રી વિપિન માહેશ્વરી (IPS), શ્રીમતી મોનિકા મોહતા (IFS) તથા ન્યાયમૂર્તિ શ્રી દિનેશ સોમાણીની સાત સભ્યોની ટીમ દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવી. ત્રણ દિવસીય માહેશ્વરી મહાકુંભમાં દેશ-વિદેશમાંથી લગભગ 50,000 લોકો જોડાયા. ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા. બે દિવસીય ત્રિસર્ગ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ સમાજના સભ્યોને કરોડો રૂપિયાની ફંડિંગ માટે આશ્વાસન મળ્યું.
