શિક્ષણ અને ટેકનોલજી
સુરત પ્રી સ્કૂલ એસોસિએશનનો અનોખો મતદાન જાગૃતિ અભિયાન
10,120 નાનાં બાળકો દ્વારા ડ્રોઇંગ મારફતે માતા-પિતાને મતદાન કરવાની અપીલ સુરત. ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, છતાં ઘણીવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમી, વ્યસ્તતા અને જાગૃતિના અભાવે મતદાન ટકાવારી ઓછી રહેતી હોય છે. આ વિચારને બદલવા અને નાગરિકોને મતદાન પ્રત્યે પ્રેરિત કરવા માટે સુરત પ્રી સ્કૂલ એસોસિએશન દ્વારા એક પ્રેરણાદાયક અને અનોખું અભિયાન યોજાયું. આ અભિયાન હેઠળ સુરત શહેરની 100થી વધુ સ્કૂલોના 10,120 નાનાં બાળકો જોડાયા અને સુંદર ડ્રોઇંગ બનાવી પોતાના માતા-પિતા તથા પરિવારજનોને મતદાન કરવા અપીલ કરી. બાળકોના ચિત્રો દ્વારા “પહેલા મતદાન, પછી જલપાન”, “વોટ આપવો અમારો અધિકાર છે” અને “મજબૂત લોકશાહી માટે મતદાન જરૂરી છે” જેવા સંદેશ આપવામાં આવ્યા. એસોસિએશન દ્વારા અગાઉ પણ ગયા ચૂંટણી દરમિયાન આવું જ જાગૃતિ અભિયાન યોજાયું હતું, જેને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. તે સમયે પણ વહીવટી તંત્ર અને શહેરના આગેવાનો દ્વારા આ પ્રયાસની પ્રશંસા કરવામાં આવી હતી.

પરફેક્ટ 100 અને વધુ: સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ફિઝિક્સવાલા (PW) ના વિદ્યાર્થીઓએ નોંધાવી ભવ્ય સફળતા
સુરત, એપ્રિલ 16, 2026 : ગુરુવારનો દિવસ એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા (PW) માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોરર તરીકે ઉભરી આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પૂરેપૂરા 100 ટકા ગુણ મેળવ્યા છે. ટોચનું પ્રદર્શન કરનારાઓમાં ફાઝિલ્કા (પંજાબ) ના વૈભવ અરોરા, અમદાવાદ (ગુજરાત) ના અમોલિક પંડિત અને ભુવનેશ્વર (ઓડિશા) ના આયુષ્માન મોહપાત્રાનો સમાવેશ થાય છે, જેમણે 100 ટકા ગુણ મેળવીને દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વધુમાં, ફિઝિક્સવાલાના ટેક-એનેબલ્ડ ઓફલાઇન સેન્ટર્સ ‘PW વિદ્યાપીઠ’ દ્વારા સુરતમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. CBSE ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં સારું પ્રદર્શન કરનાર શહેરના PW વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પ્રદર્શન કરનારાઓમાં રુશાંક અંકુર શાહ (99.60%), આહાન શાહ (97.40%) અને સિયા ખાતીવાલા (97.20%) સામેલ હતા.

ગૌતમ ક્લાસીસ, સુરતનો CBSE ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ સાથે દબદબો 20 વર્ષથી વધુના અનુભવો સાથે આ વર્ષે પણ 100% રિઝલ્ટ
સુરત: ગૌતમ ક્લાસીસે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની વિશ્વસનીયતા અને ગુણવત્તાસભર માર્ગદર્શન માટે ઓળખ ઉભી કરી છે. આ જ પરંપરાને આગળ વધારતા, સંસ્થાએ CBSE ધોરણ 10 બોર્ડ પરીક્ષા (2025-26)માં 100% પરિણામ મેળવી ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
આ વર્ષે પણ ગૌતમ ક્લાસીસના વિદ્યાર્થીઓએ સરેરાશ 93% સુધીના ઉત્તમ ગુણ મેળવી સંસ્થાનો ગૌરવ વધાર્યો છે.
ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે ગૌતમ ક્લાસીસના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં સરેરાશ 10% થી 20% સુધીનો નોંધપાત્ર સુધારો નોંધાયો છે, જે સંસ્થાની અસરકારક શિક્ષણ પદ્ધતિને પ્રતિબિંબિત કરે છે.
ટોપ પરફોર્મર્સ:
પોઝિશન વિદ્યાર્થીનું નામ ટકા
1 મોહિત પ્રસાદ 93%
2 અનુપ પાંડે 87.8%
3 અજીત યાદવ 83.6%
ઉલ્લેખનીય છે કે ગૌતમ ક્લાસીસમાં અભ્યાસ કરનારા તમામ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી સંસ્થાને 100% પરિણામ અપાવ્યું છે.
ઉધના અને પાંડેસરા વિસ્તારમાં CBSE માટે સમર્પિત અગ્રણી કોચિંગ સેન્ટર તરીકે, ગૌતમ ક્લાસીસ વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર કરે છે.

સંસ્થાની મુખ્ય વિશેષતાઓ:
CBSE માટે અલગ બેચ સિસ્ટમ
.
દરેક વિષય માટે નિષ્ણાત ફેકલ્ટી
CBSE સકર્ક્યુલર અને લેટેસ્ટ પેટર્ન મુજબ અભ્યાસ
અહીં અભ્યાસ સંપૂર્ણપણે CBSEના નવીનતમ માર્ગદર્શિકા અનુસાર કરાવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ બદલાતા પરીક્ષા પેટર્ન માટે સજ્જ રહે.
સંસ્થામાં માત્ર ગુણ પર જ નહીં, પરંતુ concept clarity, તાર્કિક વિચારશક્તિ અને આત્મવિશ્વાસના વિકાસ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. નિયમિત ટેસ્ટ અને વ્યક્તિગત માર્ગદર્શન દ્વારા દરેક વિદ્યાર્થી પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચે છે.
સંસ્થાના ડિરેક્ટરે જણાવ્યું:
અમારું લક્ષ્ય માત્ર પરિણામ નહીં, પરંતુ દરેક વિદ્યાર્થીને મજબૂત આધાર આપી તેની સંપૂર્ણ ક્ષમતા વિકસાવવાનો છે.
વાલીઓએ પણ ગૌતમ ક્લાસીસની પ્રશંસા કરતાં જણાવ્યું કે અહીંનું આયોજનબદ્ધ માર્ગદર્શન અને CBSE આધારિત અભ્યાસ બાળકોની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સાર્વજનિક યુનિવર્સિટીના એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા તા.16 એપ્રિલ 2026ના રોજ સવારે 10:00 વાગ્યે SU સેમિનાર હોલ, અથવાલાઇન્સ, સુરત ખાતે “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં અંતિમ વર્ષના ગ્રેજ્યુએટ (સેમેસ્ટર-૬) વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને MBA પ્રોગ્રામ, વિવિધ સ્પેશિયલાઇઝેશન અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપવાનો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને વર્તમાન ઉદ્યોગના ટ્રેન્ડ્સ, કંપનીઓની અપેક્ષાઓ અને વ્યાવસાયિક વિકાસ માટે જરૂરી કૌશલ્યો અંગે માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે પ્રતિષ્ઠિત વક્તાઓએ તેમના અનુભવો અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. શ્રી વિક્રમ ચંપાનેરિયા (Head – Talent Acquisition, NJ Group) એ વર્તમાન કોર્પોરેટ વર્લ્ડની અપેક્ષાઓ અને પ્લેસમેન્ટ માટે જરૂરી સ્કિલ્સ અંગે માર્ગદર્શન આપ્યું. પ્રો. મેહુલ ઠક્કર (નવસારી કૃષિ યુનિવર્સિટી) એ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઊંચા અભ્યાસની તકો અને વિવિધ સ્પેશિયલાઇઝેશન અંગે માહિતી આપી. ડૉ. હિરેન પટેલ (Assistant Professor, SRLIM) એ MBA પ્રોગ્રામની રચના અને તેના પ્રેક્ટિકલ લાભો વિશે વિસ્તૃત સમજણ આપી. કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. કિરણ પંડયા તથા SRLIMના ડિરેક્ટર ડૉ. જીમી એમ. કાપડીઆએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.
સાર્વજનિક યુનિવર્સિટીની SCET કોલેજ SGCCI મહાવીર સિન્થેસિસ એવોર્ડ જીત્યો
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા 12 એપ્રિલ, 2026ના રોજ યોજાયેલા વાર્ષિક એવોર્ડ સમારોહમાં SGCCI ગોલ્ડન જુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક યુનિવર્સિટીના સંલગ્ન કોલેજ, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (SCET) ને “મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ/કોલેજ ઓફ એજ્યુકેશન 2024–25” એનાયત કરવામાં આવ્યો હતો।

SGCCI ગોલ્ડન જુબિલી એવોર્ડ્સ હેઠળ મળેલ આ સન્માન SCET માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે, જે સંસ્થાની વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા દર્શાવે છે. તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું યોગદાન, વિવિધ સ્કોલરશિપ યોજનાઓનો અમલ, શિક્ષકોનું સંશોધન અને કન્સલ્ટન્સી ક્ષેત્રે યોગદાન, સેમિનાર અને વર્કશોપનું આયોજન, શિક્ષણ પદ્ધતિમાં નવીનતા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, રમતગમત, NSS, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ, પર્યાવરણ સંરક્ષણ, તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પ્લેસમેન્ટ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે। આ સમારોહમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષશ્રીઓ, પદાધિકારીઓ, પ્રતિનિધિઓ, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, ગવર્નિંગ બોડીના સભ્યો, SCETના પ્રિન્સિપાલ, ડીન અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। SCETએ આ સન્માન માટે SGCCI પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના વિકાસમાં યોગદાન આપનાર તમામ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને એલ્યુમ્નાઈનો હાર્દિક આભાર માન્યો હતો।
શ્રી શ્યામ ક્લાસિસમાં ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન
સુરત : શ્રી શ્યામ ક્લાસિસ દ્વારા તારીખ 5 એપ્રિલ 2026, સાંજે 5 વાગ્યાથી ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 800 થી 1000 વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય અને વિશિષ્ટ મહેમાનો તરીકે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K.D. જાડેજા સાહેબ, પાંડેસરા PSI, સુરત જિલ્લા કોર્ટના એડવોકેટ, સી.એ., સ્મીમર હોસ્પિટલના ડોક્ટરો, તેમજ જ્ઞાન વિકાસ સ્કૂલના ટ્રસ્ટી, સનરેઝ હાઈસ્કૂલના ટ્રસ્ટી, ધ ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને કુમાવત સમાજના અધ્યક્ષ હાજર રહ્યા હતા.
આ અવસરે સંસ્થાએ ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। ધોરણ 10 અને 12ના ટોપર્સને ચેક, મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। તેમજ Jr. KG થી ધોરણ 11 સુધીના ટોપ 10 વિદ્યાર્થીઓને તેમના રેન્ક મુજબ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે વેલકમ સોંગ, મહિલા સશક્તિકરણ પર પ્રસ્તુતિ, દેશભક્તિ ગીતો, ભક્તિ ગીતો, સામાજિક જાગૃતિ માટેના નાટકો અને પૌરાણિક નાટકો રજૂ કરવામાં આવ્યા હતા, જેને દર્શકોએ ખૂબ વખાણ્યા હતા.
સંસ્થાના સંચાલક શ્રી પિંટુ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવા માટે પ્રેરણા આપી અને ભવિષ્યમાં વધુ સારા પરિણામો મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
સંપર્ક:
શ્રી શ્યામ ક્લાસિસ
સરનામું: 225, 226, 227, શિવશંકર નગર, ગાંધી કુટિર રોડ, કૈલાશ ચોકડી, પાંડેસરા, સુરત
મોબાઇલ: 9016453680
રોઝ બડ્સ સ્કૂલ, ડીંડોલી, સુરત વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ *(સંસ્કાર સે સફળતા તક ) ની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી
ખુલ્લા આસમાન નીચે પાર્ટી પ્લોટ માં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ડીંડોલી સુરત : રોઝ બડ્સ સ્કૂલ ના વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ (સંસ્કાર સે સફળતા તક ) નું તારીખ : 29/03/2026 રવિવારના રોજ ડીંડોલી ખાતે આનંદદાયી, પ્રફુલિત વાતાવરણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો. હિન્દુ સંસ્કૃતિ મુજબ ગણપતિ બાપા નું ઢોલ, ત્રાંસા,નગારા અને લેઝીમના શૂર સાથે આગમન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં જ્ઞાન, ઊર્જા અને સકારાત્મકતા ફેલાવે છે. સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વાળાકીએ મુખ્ય અતિથિઓનું પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

શિક્ષણમાં નવી દિશા: Fountainhead School દ્વારા મલગામા ખાતે અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન
ફાઉન્ટેનહેડ સ્કૂલ સુરતમાં કાર્યરત છે અને તેની બીજી શાખા શહેર નજીક શરૂ કરી રહી છે. સુરત, 28 માર્ચ 2026: ફાઉન્ટેનહેડ સ્કૂલે તેના નવા કેમ્પસ ‘ફાઉન્ટેનહેડ સ્કૂલ મલગામા (FSM)’ ખાતે ભૂમિ પૂજન (શિલાન્યાસ) કરીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન અચિવ કરેલ છે. આ સમારોહમાં સુખ-શાંતિ અને સફળ શરૂઆત માટે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…! મગદલ્લા જંકશનથી માત્ર 16 મિનિટના અંતરે અને ભેસાણ ગામની નજીક મલગામા ગામમાં આ નવું કેમ્પસ તૈયાર થવા જઇ રહ્યું છે. આ સાથે ફાઉન્ટેનહેડ સ્કૂલ સર્વાંગી શિક્ષણ, શ્રેષ્ઠ પરિણામો અને બેસ્ટ યુનિવર્સિટી પ્લેસમેન્ટ માટે જાણીતી છે, હવે સુરતમાં 2 (K-12) કેમ્પસ થઈ જશે. સુરતનું ગૌરવ અને યુવા હ્ર્દયસમ્રાટ એવા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે આ ભૂમિપૂજન થયેલ અને તેઓની સાથે અન્ય મહાનુભાવો, શિક્ષણવિદો અને ફાઉન્ટેન હેડ ટીમના મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહેલ.

સુરતની ભાવિકા મહેશ્વરીએ એશિયામાં લહેરાવ્યો ભારતનો પરચમ, રામાયણ અને ભારતીય દર્શનથી જીત્યા દિલ
જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આપ્યા પ્રભાવશાળી વ્યાખ્યાન, ભારતીય સંસ્કૃતિ, આધુનિક જીવન મૂલ્યો અને મોબાઇલ એડિક્શન પર રજૂ કર્યા વિચાર
સુરત. શહેરની યુવા પ્રેરક વક્તા, ટેડએક્સ સ્પીકર, લેખિકા અને એન્ટરપ્રેન્યોર ભાવિકા મહેશ્વરીએ જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના વિચારો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમણે ભારતીય દર્શન, રામાયણના સર્વવ્યાપી સંદેશ અને મોબાઇલ એડિક્શન જેવા આધુનિક વિષયો પર પ્રભાવશાળી રજૂઆતો કરી વિદેશોમાં શ્રોતાઓનું ધ્યાન આકર્ષ્યું.
હાલમાં પૂર્ણ થયેલા આ વિદેશ પ્રવાસ દરમિયાન ભાવિકાએ ઇન્ડિયન એમ્બેસી, સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર અને અન્ય સંસ્થાઓના સહયોગથી અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વ્યાખ્યાન આપ્યા. દક્ષિણ કોરિયાની બુસાન યુનિવર્સિટી ઓફ ફોરેન સ્ટડીઝમાં તેમણે “ઇન્ડિયન ફિલોસોફી ફોર મોડર્ન લાઇફ” વિષય પર વિશેષ સંબોધન કર્યું. આ દરમિયાન પ્રોફેસર સર્જન કુમારે તેમના વ્યાખ્યાનનું કોરિયન ભાષામાં અનુવાદ કર્યું. કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને વિદ્વાનો દ્વારા તેમના વિચારોની પ્રશંસા કરવામાં આવી. આ સિદ્ધિને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા પણ તેના અધિકૃત મંચ પર શેર કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ચેરમેન સૂન સિયોલ લી દ્વારા ભાવિકાનું સન્માન કરવામાં આવ્યું.
જાપાનમાં ટોક્યો નજીક આવેલ બાન્ડો સ્થિત હિંદુ મંદિર ખાતે ભાવિકાએ “યુનિવર્સલ ટીચિંગ્સ ઓફ રામાયણ” વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ જોવાલાયક રહ્યો. હોળી ઉત્સવ દરમિયાન જાપાની કલાકારો બોલિવૂડ ગીતો પર નાચતા જોવા મળ્યા, જેના દ્વારા ભારતીય પરંપરાઓ પ્રત્યેનું ત્યાંનું અપનત્વ સ્પષ્ટ થયું.

તાઇવાનની રાજધાની તાઇપે સ્થિત સબકા મંદિર ખાતે તેમણે “21મી સદીમાં રામાયણ” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમના વિચારો દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિની પ્રાસંગિકતા મજબૂત રીતે રજૂ થઈ. આ પ્રસંગે મંદિરના સ્થાપક એન્ડી સિંહે તેમને ભારત-તાઇવાન મિત્રતાનું પ્રતિક ભેટ આપી સન્માનિત કર્યા.
ગૌરતલબ છે કે ભાવિકા મહેશ્વરી અગાઉ યુકેની ઑક્સફોર્ડ યુનિવર્સિટી હિંદુ સોસાયટીમાં સૌથી ઓછી ઉંમરની આધ્યાત્મિક વક્તા તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. નાની ઉંમરે જ વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિ, નૈતિકતા અને આધુનિક જીવન મૂલ્યો પર તેમના પ્રભાવશાળી વક્તૃત્વે તેમને વિશિષ્ટ ઓળખ અપાવી છે.
ભાવિકા અત્યાર સુધી ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને લંડન સહિત દેશ-વિદેશમાં 500થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂકી છે. પોતાના વિચારો અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ દ્વારા તેમણે ભારતીય સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.
આ સમગ્ર પ્રયત્નમાં તેમને સાધકનો સહયોગ મળ્યો.
ભાવિકાની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સુરત, ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. નાની ઉંમરે વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિનું પ્રભાવશાળી પ્રતિનિધિત્વ કરીને તેમણે સાબિત કર્યું છે કે ભારતની નવી પેઢી વિશ્વ પાટળ પર પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.
સાર્વજનિક યુનિવર્સિટી, સુરતમાં ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને સાર્વજનિક યુનિવર્સિટી તથા ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના સહયોગથી તા. 23 થી 25 માર્ચ, 2026 દરમિયાન સાર્વજનિક યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું।
વર્કશોપનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પલ્લીવાળ (મુખ્ય અતિથિ), સંસ્કૃત ભારતિના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી શ્રીશ દેઓપૂજારી (માનનીય અતિથિ) અને FOSTTA ના પ્રમુખ તથા સામાજિક કાર્યકર શ્રી કૈલાશ એચ. હકીમ (વિશેષ અતિથિ)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ અને પ્રોવોસ્ટ પ્રોફ. કિરણ પંડ્યાનો મહત્વપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો।
ત્રણ દિવસ દરમિયાન કુલ 15 ગહન સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ક્રિપ્ટિંગ, અભિનય, એડિટિંગ, સંગીત અને ફિલ્મ નિર્માણ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વર્કશોપમાં સંસ્કાર દેસાઈ, ડૉ. ચન્નબસવસ્વામી હાયરેમઠ, વિહંગ મહેતા, નારાયણ પાર્વતી પરસરામ, ડૉ. સંદીપ જોશી, ડૉ. આનંદ પંડ્યા અને યુવરાજ કુમાર જેવા પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું।

મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાગીઓએ કેમેરા માટે અભિનય, સોલો પરફોર્મન્સ, સ્ક્રિપ્ટ લેખન અને ફિલ્મ સ્ક્રીનિંગ જેવી પ્રાયોગિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઇન્ટરનેશનલ સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (ISSFF) વિષયક વિશેષ સત્ર પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી પ્રતિભાગીઓને સર્જનાત્મકતા માટે નવી દિશા મળી।
વર્કશોપના સમાપન પ્રસંગે સામાજિક કાર્યકર અને Venus Jewel ના CEO શ્રી અનિલ શાહ તથા અભિનેતા-નિર્દેશક શ્રી યુવરાજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ મયંક ત્રિવેદીએ સ્વાગત ભાષણ આપ્યું હતું અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવનની ડિરેક્ટર ડૉ. મિતા વાન્સડિયાએ તમામ અતિથિઓ, નિષ્ણાતો, આયોજકો અને પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।
આ વર્કશોપ દ્વારા આધુનિક સર્જનાત્મક ક્ષેત્રોમાં સંસ્કૃત ભાષાની વધતી પ્રાસંગિકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સિનેમા દ્વારા નવીન વાર્તાલેખનને પ્રોત્સાહન મળ્યું હતું।