શિક્ષણ અને ટેકનોલજી
શિક્ષણમાં નવી દિશા: Fountainhead School દ્વારા મલગામા ખાતે અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન
ફાઉન્ટેનહેડ સ્કૂલ સુરતમાં કાર્યરત છે અને તેની બીજી શાખા શહેર નજીક શરૂ કરી રહી છે. સુરત, 28 માર્ચ 2026: ફાઉન્ટેનહેડ સ્કૂલે તેના નવા કેમ્પસ ‘ફાઉન્ટેનહેડ સ્કૂલ મલગામા (FSM)’ ખાતે ભૂમિ પૂજન (શિલાન્યાસ) કરીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન અચિવ કરેલ છે. આ સમારોહમાં સુખ-શાંતિ અને સફળ શરૂઆત માટે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…! મગદલ્લા જંકશનથી માત્ર 16 મિનિટના અંતરે અને ભેસાણ ગામની નજીક મલગામા ગામમાં આ નવું કેમ્પસ તૈયાર થવા જઇ રહ્યું છે. આ સાથે ફાઉન્ટેનહેડ સ્કૂલ સર્વાંગી શિક્ષણ, શ્રેષ્ઠ પરિણામો અને બેસ્ટ યુનિવર્સિટી પ્લેસમેન્ટ માટે જાણીતી છે, હવે સુરતમાં 2 (K-12) કેમ્પસ થઈ જશે. સુરતનું ગૌરવ અને યુવા હ્ર્દયસમ્રાટ એવા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે આ ભૂમિપૂજન થયેલ અને તેઓની સાથે અન્ય મહાનુભાવો, શિક્ષણવિદો અને ફાઉન્ટેન હેડ ટીમના મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહેલ.

સુરતની ભાવિકા મહેશ્વરીએ એશિયામાં લહેરાવ્યો ભારતનો પરચમ, રામાયણ અને ભારતીય દર્શનથી જીત્યા દિલ
જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આપ્યા પ્રભાવશાળી વ્યાખ્યાન, ભારતીય સંસ્કૃતિ, આધુનિક જીવન મૂલ્યો અને મોબાઇલ એડિક્શન પર રજૂ કર્યા વિચાર
સુરત. શહેરની યુવા પ્રેરક વક્તા, ટેડએક્સ સ્પીકર, લેખિકા અને એન્ટરપ્રેન્યોર ભાવિકા મહેશ્વરીએ જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના વિચારો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમણે ભારતીય દર્શન, રામાયણના સર્વવ્યાપી સંદેશ અને મોબાઇલ એડિક્શન જેવા આધુનિક વિષયો પર પ્રભાવશાળી રજૂઆતો કરી વિદેશોમાં શ્રોતાઓનું ધ્યાન આકર્ષ્યું.
હાલમાં પૂર્ણ થયેલા આ વિદેશ પ્રવાસ દરમિયાન ભાવિકાએ ઇન્ડિયન એમ્બેસી, સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર અને અન્ય સંસ્થાઓના સહયોગથી અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વ્યાખ્યાન આપ્યા. દક્ષિણ કોરિયાની બુસાન યુનિવર્સિટી ઓફ ફોરેન સ્ટડીઝમાં તેમણે “ઇન્ડિયન ફિલોસોફી ફોર મોડર્ન લાઇફ” વિષય પર વિશેષ સંબોધન કર્યું. આ દરમિયાન પ્રોફેસર સર્જન કુમારે તેમના વ્યાખ્યાનનું કોરિયન ભાષામાં અનુવાદ કર્યું. કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને વિદ્વાનો દ્વારા તેમના વિચારોની પ્રશંસા કરવામાં આવી. આ સિદ્ધિને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા પણ તેના અધિકૃત મંચ પર શેર કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ચેરમેન સૂન સિયોલ લી દ્વારા ભાવિકાનું સન્માન કરવામાં આવ્યું.
જાપાનમાં ટોક્યો નજીક આવેલ બાન્ડો સ્થિત હિંદુ મંદિર ખાતે ભાવિકાએ “યુનિવર્સલ ટીચિંગ્સ ઓફ રામાયણ” વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ જોવાલાયક રહ્યો. હોળી ઉત્સવ દરમિયાન જાપાની કલાકારો બોલિવૂડ ગીતો પર નાચતા જોવા મળ્યા, જેના દ્વારા ભારતીય પરંપરાઓ પ્રત્યેનું ત્યાંનું અપનત્વ સ્પષ્ટ થયું.

તાઇવાનની રાજધાની તાઇપે સ્થિત સબકા મંદિર ખાતે તેમણે “21મી સદીમાં રામાયણ” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમના વિચારો દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિની પ્રાસંગિકતા મજબૂત રીતે રજૂ થઈ. આ પ્રસંગે મંદિરના સ્થાપક એન્ડી સિંહે તેમને ભારત-તાઇવાન મિત્રતાનું પ્રતિક ભેટ આપી સન્માનિત કર્યા.
ગૌરતલબ છે કે ભાવિકા મહેશ્વરી અગાઉ યુકેની ઑક્સફોર્ડ યુનિવર્સિટી હિંદુ સોસાયટીમાં સૌથી ઓછી ઉંમરની આધ્યાત્મિક વક્તા તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. નાની ઉંમરે જ વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિ, નૈતિકતા અને આધુનિક જીવન મૂલ્યો પર તેમના પ્રભાવશાળી વક્તૃત્વે તેમને વિશિષ્ટ ઓળખ અપાવી છે.
ભાવિકા અત્યાર સુધી ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને લંડન સહિત દેશ-વિદેશમાં 500થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂકી છે. પોતાના વિચારો અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ દ્વારા તેમણે ભારતીય સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.
ભાવિકાની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સુરત, ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. નાની ઉંમરે વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિનું પ્રભાવશાળી પ્રતિનિધિત્વ કરીને તેમણે સાબિત કર્યું છે કે ભારતની નવી પેઢી વિશ્વ પાટળ પર પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.
સાર્વજનિક યુનિવર્સિટી, સુરતમાં ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને સાર્વજનિક યુનિવર્સિટી તથા ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના સહયોગથી તા. 23 થી 25 માર્ચ, 2026 દરમિયાન સાર્વજનિક યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું।
વર્કશોપનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પલ્લીવાળ (મુખ્ય અતિથિ), સંસ્કૃત ભારતિના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી શ્રીશ દેઓપૂજારી (માનનીય અતિથિ) અને FOSTTA ના પ્રમુખ તથા સામાજિક કાર્યકર શ્રી કૈલાશ એચ. હકીમ (વિશેષ અતિથિ)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ અને પ્રોવોસ્ટ પ્રોફ. કિરણ પંડ્યાનો મહત્વપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો।
ત્રણ દિવસ દરમિયાન કુલ 15 ગહન સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ક્રિપ્ટિંગ, અભિનય, એડિટિંગ, સંગીત અને ફિલ્મ નિર્માણ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વર્કશોપમાં સંસ્કાર દેસાઈ, ડૉ. ચન્નબસવસ્વામી હાયરેમઠ, વિહંગ મહેતા, નારાયણ પાર્વતી પરસરામ, ડૉ. સંદીપ જોશી, ડૉ. આનંદ પંડ્યા અને યુવરાજ કુમાર જેવા પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું।

મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાગીઓએ કેમેરા માટે અભિનય, સોલો પરફોર્મન્સ, સ્ક્રિપ્ટ લેખન અને ફિલ્મ સ્ક્રીનિંગ જેવી પ્રાયોગિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઇન્ટરનેશનલ સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (ISSFF) વિષયક વિશેષ સત્ર પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી પ્રતિભાગીઓને સર્જનાત્મકતા માટે નવી દિશા મળી।
વર્કશોપના સમાપન પ્રસંગે સામાજિક કાર્યકર અને Venus Jewel ના CEO શ્રી અનિલ શાહ તથા અભિનેતા-નિર્દેશક શ્રી યુવરાજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ મયંક ત્રિવેદીએ સ્વાગત ભાષણ આપ્યું હતું અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવનની ડિરેક્ટર ડૉ. મિતા વાન્સડિયાએ તમામ અતિથિઓ, નિષ્ણાતો, આયોજકો અને પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।
આ વર્કશોપ દ્વારા આધુનિક સર્જનાત્મક ક્ષેત્રોમાં સંસ્કૃત ભાષાની વધતી પ્રાસંગિકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સિનેમા દ્વારા નવીન વાર્તાલેખનને પ્રોત્સાહન મળ્યું હતું।
શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય
પ્રથમ બેચમાં 92 વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ હેઠળ સંપૂર્ણ મફત શિક્ષણ લઈ રહ્યા છે અને દર વર્ષે નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ બોત્સવાનાાના 30 વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે , એટલે કે આ વર્ષે 120 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે સુરત: કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ઉર્જાનૂર સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો હેતુ રિન્યુએબલ એનર્જી અને સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે. આ પહેલ 24 માર્ચે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલના 55મા જન્મદિવસે શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બી.ટેક અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરતા યોગ્ય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ, ભોજન અને પરિવહન સહિત સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવશે. આ સ્કોલરશીપનો હેતુ ક્લીન એનર્જી ક્ષેત્ર માટે કુશળ માનવશક્તિ તૈયાર કરવાનો છે અને સાથે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલમાં 92 વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે અને આવનારા વર્ષોમાં આનો વિસ્તાર કરવાની યોજના છે. આ સાથે બોત્સવાનામાં કેપી ગ્રુપ દ્વારા 4 અબજ ડોલરનું રોકાણ કરાય રહ્યું છે, ત્યાંથી નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ દર વર્ષે 30 વિદ્યાર્થીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. આ વર્ષે કુલ 120 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, જેમાંથી 30 વિદ્યાર્થીઓ બોત્સ્વાનાના રહેશે આ અંગે કેપી ગ્રુપના સીએમડી ડૉ. ફારુક જી. પટેલે જણાવ્યું: “અમારો હેતુ હંમેશાં એવા યુવાનોને સહાય કરવાનો રહ્યો છે જેનામાં આગળ વધવાની ક્ષમતા છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓનો અભાવ છે. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમના સપનાઓ સાકાર કરવા માટે સક્ષમ બનાવીએ છીએ. અમારો હેતુ માત્ર શિક્ષણ માટે ફંડ આપવાનો નથી, પરંતુ તેમની પ્રતિભા અને કૌશલ્યને વિકસાવી ભારત માટે મજબૂત રિન્યુએબલ એનર્જી વર્કફોર્સ તૈયાર કરવાનો છે.”

સપનાઓને પાંખો: શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 2025-26 ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો
સુરત: શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 59 વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એક કુશળ માર્ગદર્શક તરીકે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “હું દરેક વિદ્યાર્થીને મારા સંતાન સમાન ગણું છું. મારી સૌથી મોટી ઈચ્છા મારા બાળકો જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી છે. તમે જ્યારે શાળાના ઉંબરેથી બહાર ડગ માંડો છો, ત્યારે અહીંના સંસ્કારો સાથે રાખજો; તમારી સફળતા માટે અમે હંમેશા પ્રાર્થના કરીશું.”

શાળા દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને ડિજિટલ યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને લેપટોપ અને ટેબ્લેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના વિકાસમાં સહભાગી થનાર વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો, તેમજ આચાર્યશ્રી અને શિક્ષકગણના અથાગ પરિશ્રમ અને માર્ગદર્શનની સરાહના કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્યો, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓએ રંગ જમાવ્યો હતો. અંતમાં સ્વાદિષ્ટ ભોજન સાથે વિદ્યાર્થીઓએ મન ભરીને યાદો તાજી કરી હતી.
કાર્યક્રમનો અંત એક સુંદર સંકલ્પ સાથે થયો કે: ભલે આ વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા હોય, પરંતુ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના સંસ્કારો તેમના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.
રક્ષામંત્રાલયની ભાગીદારીમાં દક્ષિણ ગુજરાતની પ્રથમ ‘ગ્રીનફિલ્ડ કો-એડ’ સૈનિક સ્કૂલ જૂન 2026માં થશે શરૂ
સુરત, 16 માર્ચ, 2026 : પશ્ચિમ ભારતના શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા, સુરત પાસેના ઉભરાટ ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ ગ્રીનફિલ્ડ, સહ-શિક્ષણ (કો-એડ) નિવાસી સૈનિક સ્કૂલ આ જૂન મહિનાથી શરૂ થવા જઈ રહી છે. વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને દાનેશ્વરી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત, SRK સૈનિક સ્કૂલ ભારત સરકારની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) નીતિ હેઠળ રક્ષામંત્રાલય (MoD) ની સૈનિક સ્કૂલ સોસાયટી સાથે ઔપચારિક જોડાણ ધરાવે છે.
આ સંસ્થા ભારતના શ્રેષ્ઠ સૈન્ય-શૈલીના અનુશાસન અને વિશ્વસ્તરીય શૈક્ષણિક ધોરણોના સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. 21 એકરમાં ફેલાયેલા વિશાળ અને આધુનિક કેમ્પસમાં નિર્મિત આ શાળા પરંપરાગત શિક્ષણથી આગળ વધીને ‘CBSE પ્લસ’ અભ્યાસક્રમ પ્રદાન કરશે, જે નેતૃત્વ, ચારિત્ર્ય નિર્માણ અને વ્યવસાયિક કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકે છે.
સૈનિક સ્કૂલ મોડેલની પરંપરાગત શિસ્તતાની સાથે, SRK સૈનિક સ્કૂલ કેડેટ્સના વિકાસ માટે બહુપરિમાણીય અભિગમ અપનાવશે. SRK નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરતા શ્રેયાંસ ધોળકિયાએ શાળાની ભવિષ્યલક્ષી છતાં પાયાના શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “અમારું મિશન છે કે આધુનિક શિક્ષણશાસ્ત્ર અને ટેકનોલોજીનો વિજ્ઞાન અને ફિલસૂફીના શાશ્વત જ્ઞાન સાથે મેળાપ થાય. અમે માત્ર વિદ્યાર્થીઓને તાલીમ નથી આપી રહ્યા; અમે કેડેટ્સને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સક્ષમ બનાવવા માટે તૈયાર કરી રહ્યા છીએ. આ વિષયોના સમન્વય દ્વારા, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા સ્નાતકો કોઈપણ ક્ષમતામાં રાષ્ટ્રની સેવા કરવા માટે સજ્જ અને સંવેદનશીલ બને.”
શાળા જૂન 2026ના પ્રથમ સપ્તાહથી કાર્યરત થશે. ધોરણ 6 માટેની પ્રથમ બેચમાં 120 કેડેટ્સનો સમાવેશ થશે, જેમાં 100 છોકરાઓ અને 20 છોકરીઓ હશે. તેમની પસંદગી ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (AISSEE) દ્વારા કરવામાં આવી છે.
SRK નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ આ પ્રોજેક્ટ માટે પોતાનું વિઝન શેર કરતા કહ્યું કે, “દાયકાઓથી અમે વિશ્વના શ્રેષ્ઠ હીરાને પાસા પાડીને ચમકાવ્યા છે. હવે SRK સૈનિક સ્કૂલ દ્વારા, અમે દેશના ભાવિ નેતાઓને તૈયાર કરવા માટે સમર્પિત છીએ. અમારો ધ્યેય એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં કેડેટ્સ અનુશાસન અને શ્રેષ્ઠતાથી પ્રેરિત થઈ ‘રાષ્ટ્ર પ્રથમ’ (Nation First) ની માનસિકતા કેળવે.”
સ્થાપક આચાર્ય શ્રી હિતેશ જોશીએ જણાવ્યું હતું કે, “શાળા સંપૂર્ણપણે શાકાહારી કેમ્પસ માટે પ્રતિબદ્ધ છે, જ્યાં યુવા કેડેટ્સની પોષણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ આહાર આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યાધુનિક શૈક્ષણિક બ્લોક્સ, એથ્લેટિક સુવિધાઓ અને ઇતર પ્રવૃત્તિઓ માટેના ખાસ ઝોનનો સમાવેશ થાય છે.”
SRK સૈનિક સ્કૂલ હવે રાષ્ટ્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓના નેટવર્કનો ભાગ બની છે જેનો ઉદ્દેશ્ય યુવાનોને સશસ્ત્ર દળો અને નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર કરવાનો છે.
કાભા એવિએશન અકેડેમીએ પૂર્ણ કર્યો સફળતાનો 1 વર્ષ આ અવસર પર અકેડેમી ના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉજવણી નું આયોજન કર્યું
સુરત – શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા કાભા એવિએશન અકેડેમી એ સફળતાપૂર્વક પોતાના પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર અકેડેમી પરિવાર માં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળી રહ્યો છે।
ગત એક વર્ષ દરમિયાન અકેડેમીએ અનેક વિદ્યાર્થીઓને કેબિન ક્રૂ, ગ્રાઉન્ડ સ્ટાફ તેમજ એવિએશન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાની ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર પ્રોફેશનલ સ્કિલ્સ જ નહીં પરંતુ આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસ પણ કરવામાં આવ્યો છે।
સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદ કરવો અને તેમને સફળ કારકિર્દીની દિશામાં આગળ વધારવાનો છે।

આ સિદ્ધિ પર અકેડેમીના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને પ્લેસમેન્ટ તકો પૂરી પાડવાનો સંકલ્પ કર્યો છે।
કાભા એવિએશન અકેડેમી – સપનાઓને પાંખ આપતું વિશ્વસનીય નામ ✈️
સંપર્ક અને એડ્રેસ
કાભા એવિએશન અકેડેમી
202 સેકન્ડ ફલૂર ગ્રીન ઓર્ચિડ કોમ્પ્લેક્સ વેસુ સુરત
મોબાઈલ – 8780425842
સાર્વજનિક યુનિવર્સિટીમાં “સમત્વમ્” કાર્યક્રમનું આયોજન
સાર્વજનિક યુનિવર્સિટીના મહિલા વિકાસ સેલ દ્વારા મહિલા દિવસ નિમિત્તે તા. 10 માર્ચ 2026ના રોજ “સમત્વમ્ (સમાનતા • સન્માન • સશક્તિકરણ – સર્વસમાવેશક અને સશક્ત સમાજ તરફ એક પહેલ)” વિષય પર Gender Sensitization Programmeનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ લિંગ સમાનતા, સંવેદનશીલતા અને સર્વસમાવેશિતા અંગે જાગૃતિ લાવવાનો તથા વિધાર્થીઓ અને યુનિવર્સિટી સમુદાયને આ મુદ્દાઓ પર સાર્થક ચર્ચા માટે પ્રેરિત કરવાનો હતો.
કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં શ્રી આશિષ વકીલ, President, સાર્વજનિક યુનિવર્સિટી તથા ડૉ. કિરણ પંડ્યા. Provost, સાર્વજનિક યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મુખ્ય વક્તા તરીકે શ્રીમતી શ્રદ્ધા શાહ, Founder – Tapperz Dance School, તથા Advocate હિરલ પનવાલા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ મહેમાન વક્તાઓના પ્રેરણાદાયી સંબોધન રહ્યા હતા। શ્રીમતી શ્રદ્ધા શાહે તેમના અનુભવ દ્વારા અનુશાસન, અથાગ મહેનત અને આત્મઅભિવ્યક્તિના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને પડકારોને પાર કરી આગળ વધવા માટે પ્રેરણા આપી હતી। જ્યારે Advocate હિરલ પનવાલાએ તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક અનુભવ દ્વારા આત્મવિશ્વાસ, જાગૃતિ અને સશક્તિકરણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત લોગો નિર્માણ, પોસ્ટર નિર્માણ, બુકમાર્ક નિર્માણ, વાદ-વિવાદ તથા મૂવી રિવ્યુ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિવિધ સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ સંવાદ, પ્રેરણા અને જાગૃતિ માટે એક મહત્વપૂર્ણ મંચ પુરવાર થયો હતો તથા સર્વસમાવેશક, સન્માનજનક અને સમાન સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો હતો.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે સમાજસેવાનો મહોત્સવ, 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 7500 રૂપિયાના ચેકનું વિતરણ, 1.25 લાખ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી સુરત. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે રવિવારે સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજસેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, કુમાર કાનાણી, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ફાઉન્ડેશનના પિયુષભાઈ દેસાઈ (નાણોટા)એ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે. કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસે સમાજસેવાનો મહોત્સવ, 5100 દીકરીઓને શૈક્ષણિક સહાય
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા 7500 રૂપિયાના ચેકનું વિતરણ, 1.25 લાખ વિદ્યાર્થીઓને નોટબુક આપવામાં આવી સુરત. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે રવિવારે સુરતના ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા વિશાળ સમાજસેવા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન 5100 દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહનરૂપે 7,500 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા, જ્યારે 1,25,000 જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 15 હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર. પાટીલ, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી, કુમાર કાનાણી, સાંસદ મુકેશ દલાલ, શહેર પ્રમુખ પરેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા તથા ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ફાઉન્ડેશનના પિયુષભાઈ દેસાઈ (નાણોટા)એ જણાવ્યું હતું કે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દશેરાના દિવસે 251 દીકરીઓથી શરૂ થયેલી પહેલ હવે 5100 દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં આશરે 4800 દીકરીઓને તબક્કાવાર સહાય આપવામાં આવી છે. કુલ મળીને લગભગ 3.5 કરોડ રૂપિયાની સહાય પહોંચાડવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે પાટીલના 72મા જન્મદિવસ નિમિત્તે 72 સ્થળોએ વોટર હાર્વેસ્ટિંગના કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવ્યા હતા.