શિક્ષણ અને ટેકનોલજી

સાર્વજનિક યુનિવર્સિટીના એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.

 

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા તા.16 એપ્રિલ 2026ના રોજ સવારે 10:00 વાગ્યે SU સેમિનાર હોલ, અથવાલાઇન્સ, સુરત ખાતે “MBA: Unlocking Future Career Opportunities” વિષય પર માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં મોટી સંખ્યામાં અંતિમ વર્ષના ગ્રેજ્યુએટ (સેમેસ્ટર-૬) વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને MBA પ્રોગ્રામ, વિવિધ સ્પેશિયલાઇઝેશન અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે માર્ગદર્શન આપવાનો હતો. સેમિનારમાં વિદ્યાર્થીઓને વર્તમાન ઉદ્યોગના ટ્રેન્ડ્સ, કંપનીઓની અપેક્ષાઓ અને વ્યાવસાયિક વિકાસ માટે જરૂરી કૌશલ્યો અંગે માહિતી આપવામાં આવી.

આ પ્રસંગે પ્રતિષ્ઠિત વક્તાઓએ તેમના અનુભવો અને માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા. શ્રી વિક્રમ ચંપાનેરિયા (Head – Talent Acquisition, NJ Group) એ વર્તમાન કોર્પોરેટ વર્લ્ડની અપેક્ષાઓ અને પ્લેસમેન્ટ માટે જરૂરી સ્કિલ્સ અંગે માર્ગદર્શન આપ્યું. પ્રો. મેહુલ ઠક્કર (નવસારી કૃષિ યુનિવર્સિટી) એ મેનેજમેન્ટ ક્ષેત્રમાં ઊંચા અભ્યાસની તકો અને વિવિધ સ્પેશિયલાઇઝેશન અંગે માહિતી આપી. ડૉ. હિરેન પટેલ (Assistant Professor, SRLIM) એ MBA પ્રોગ્રામની રચના અને તેના પ્રેક્ટિકલ લાભો વિશે વિસ્તૃત સમજણ આપી. કાર્યક્રમમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. કિરણ પંડયા તથા SRLIMના ડિરેક્ટર ડૉ. જીમી એમ. કાપડીઆએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી.

સાર્વજનિક યુનિવર્સિટીની SCET કોલેજ SGCCI મહાવીર સિન્થેસિસ એવોર્ડ જીત્યો

 

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા 12 એપ્રિલ, 2026ના રોજ યોજાયેલા વાર્ષિક એવોર્ડ સમારોહમાં SGCCI ગોલ્ડન જુબિલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક યુનિવર્સિટીના સંલગ્ન કોલેજ, સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (SCET) ને “મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂટ/કોલેજ ઓફ એજ્યુકેશન 2024–25” એનાયત કરવામાં આવ્યો હતો।

SGCCI ગોલ્ડન જુબિલી એવોર્ડ્સ હેઠળ મળેલ આ સન્માન SCET માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે, જે સંસ્થાની વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા દર્શાવે છે. તેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓનું યોગદાન, વિવિધ સ્કોલરશિપ યોજનાઓનો અમલ, શિક્ષકોનું સંશોધન અને કન્સલ્ટન્સી ક્ષેત્રે યોગદાન, સેમિનાર અને વર્કશોપનું આયોજન, શિક્ષણ પદ્ધતિમાં નવીનતા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, રમતગમત, NSS, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ, પર્યાવરણ સંરક્ષણ, તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પ્લેસમેન્ટ સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે। આ સમારોહમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષશ્રીઓ, પદાધિકારીઓ, પ્રતિનિધિઓ, સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ, ગવર્નિંગ બોડીના સભ્યો, SCETના પ્રિન્સિપાલ, ડીન અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। SCETએ આ સન્માન માટે SGCCI પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સંસ્થાના વિકાસમાં યોગદાન આપનાર તમામ ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને એલ્યુમ્નાઈનો હાર્દિક આભાર માન્યો હતો।

શ્રી શ્યામ ક્લાસિસમાં ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન

 

સુરત : શ્રી શ્યામ ક્લાસિસ દ્વારા તારીખ 5 એપ્રિલ 2026, સાંજે 5 વાગ્યાથી ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 800 થી 1000 વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય અને વિશિષ્ટ મહેમાનો તરીકે પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K.D. જાડેજા સાહેબ, પાંડેસરા PSI, સુરત જિલ્લા કોર્ટના એડવોકેટ, સી.એ., સ્મીમર હોસ્પિટલના ડોક્ટરો, તેમજ જ્ઞાન વિકાસ સ્કૂલના ટ્રસ્ટી, સનરેઝ હાઈસ્કૂલના ટ્રસ્ટી, ધ ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી અને કુમાવત સમાજના અધ્યક્ષ હાજર રહ્યા હતા.

આ અવસરે સંસ્થાએ ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। ધોરણ 10 અને 12ના ટોપર્સને ચેક, મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। તેમજ Jr. KG થી ધોરણ 11 સુધીના ટોપ 10 વિદ્યાર્થીઓને તેમના રેન્ક મુજબ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે વેલકમ સોંગ, મહિલા સશક્તિકરણ પર પ્રસ્તુતિ, દેશભક્તિ ગીતો, ભક્તિ ગીતો, સામાજિક જાગૃતિ માટેના નાટકો અને પૌરાણિક નાટકો રજૂ કરવામાં આવ્યા હતા, જેને દર્શકોએ ખૂબ વખાણ્યા હતા.

સંસ્થાના સંચાલક શ્રી પિંટુ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને મહેનત, શિસ્ત અને લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવા માટે પ્રેરણા આપી અને ભવિષ્યમાં વધુ સારા પરિણામો મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

સંપર્ક:
શ્રી શ્યામ ક્લાસિસ
સરનામું: 225, 226, 227, શિવશંકર નગર, ગાંધી કુટિર રોડ, કૈલાશ ચોકડી, પાંડેસરા, સુરત
મોબાઇલ: 9016453680

રોઝ બડ્સ સ્કૂલ, ડીંડોલી, સુરત વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ *(સંસ્કાર સે સફળતા તક ) ની ઉજવણી ભવ્યાતી ભવ્ય રીતે કરવામાં આવી

 

ખુલ્લા આસમાન નીચે પાર્ટી પ્લોટ માં યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ડીંડોલી સુરત : રોઝ બડ્સ સ્કૂલ ના વાર્ષિક મહોત્સવ લક્ષ્ય ૨૦૨૬ (સંસ્કાર સે સફળતા તક ) નું તારીખ : 29/03/2026 રવિવારના રોજ ડીંડોલી ખાતે આનંદદાયી, પ્રફુલિત વાતાવરણમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર, શિસ્ત અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો. હિન્દુ સંસ્કૃતિ મુજબ ગણપતિ બાપા નું ઢોલ, ત્રાંસા,નગારા અને લેઝીમના શૂર સાથે આગમન કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં જ્ઞાન, ઊર્જા અને સકારાત્મકતા ફેલાવે છે. સ્કૂલના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ વાળાકીએ મુખ્ય અતિથિઓનું પુષ્પગુચ્છ આપી તેમજ સાલ ઓઢાડી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન નાનાં-મોટાં વિદ્યાર્થીઓએ મનમોહક નૃત્યો, વ્યક્તિઓને એકાગ્ર કરે તેવી નાટિકા સાથે નૃત્ય તેમજ દેશભક્તિભર્યા, વર્તમાન પરિસ્થિતિને ઉજાગર કરતા કાર્યક્રમોની રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મહેનતે હાજર રહેલા વાલીઓ તથા મહેમાનોને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટીશ્રી એ એ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, પરિશ્રમ અને દૃઢ સંકલ્પનું મહત્વ સમજાવી સતત પ્રગતિના માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ વાર્ષિક મહોત્સવ પ્રતિભા, સંસ્કાર અને ઉત્તમતાનો સુંદર સંગમ બની સૌ માટે યાદગાર બની રહ્યો હતો.
શિક્ષણમાં નવી દિશા: Fountainhead School દ્વારા મલગામા ખાતે અદ્યતન કેમ્પસનું ભૂમિપૂજન

 

ફાઉન્ટેનહેડ સ્કૂલ સુરતમાં કાર્યરત છે અને તેની બીજી શાખા શહેર નજીક શરૂ કરી રહી છે. સુરત, 28 માર્ચ 2026: ફાઉન્ટેનહેડ સ્કૂલે તેના નવા કેમ્પસ ‘ફાઉન્ટેનહેડ સ્કૂલ મલગામા (FSM)’ ખાતે ભૂમિ પૂજન (શિલાન્યાસ) કરીને એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન અચિવ કરેલ છે. આ સમારોહમાં સુખ-શાંતિ અને સફળ શરૂઆત માટે શાંતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું…! મગદલ્લા જંકશનથી માત્ર 16 મિનિટના અંતરે અને ભેસાણ ગામની નજીક મલગામા ગામમાં આ નવું કેમ્પસ તૈયાર થવા જઇ રહ્યું છે. આ સાથે ફાઉન્ટેનહેડ સ્કૂલ સર્વાંગી શિક્ષણ,  શ્રેષ્ઠ પરિણામો અને બેસ્ટ યુનિવર્સિટી પ્લેસમેન્ટ માટે જાણીતી છે, હવે સુરતમાં 2 (K-12) કેમ્પસ થઈ જશે. સુરતનું ગૌરવ અને યુવા હ્ર્દયસમ્રાટ એવા ગુજરાતના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરશ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના વરદ હસ્તે આ ભૂમિપૂજન થયેલ અને તેઓની સાથે અન્ય મહાનુભાવો, શિક્ષણવિદો અને ફાઉન્ટેન હેડ ટીમના મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહેલ.
2008થી કાર્યરત ફાઉન્ટેનહેડ સ્કૂલે સુરતમાં ઇન્ટરનેશનલ અભ્યાસક્રમના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. છેલ્લા 18 થી વધુ વર્ષોમાં, સ્કૂલે નવીન અને વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ દ્વારા પ્રશ્નોત્તરી આધારિત પ્રેક્ટિકલ એજ્યુકેશન આપીને ભારતના ભાવી એવા બાળકોનું જીવન ઘડતર કર્યું છે. સ્કૂલને Cfore School Rankings 2025 મુજબ ભારતની ટોચની આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ધરાવતી સહશિક્ષણ ડે સ્કૂલોમાં રાષ્ટ્રીય સ્તરે 5મું સ્થાન મળેલ છે, જે તેની સતત શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે. IB સિસ્ટમના અમલીકરણમાં 18 વર્ષથી વધુના અનુભવ સાથે, સંસ્થા નવીનતા અને સર્વાંગી વિકાસના મજબૂત આધાર પર આગળ વધી રહી છે. ભવિષ્યનું મલગામા કેમ્પસ, જે જૂન 2027થી કાર્યરત થવાનું છે તે શૈક્ષણિક અનુભવને વધુ ઊંચાઈ લઈ જવાનો હેતુ ધરાવે છે. સ્કૂલમાં આધુનિક સુવિધાઓ, ઇફેક્ટિવ ડિઝાઇન સાથે તૈયાર થયેલ 21મી સદીના લર્નિંગ સ્પેસ, ઉત્તમ રમતગમત સુવિધાઓ અને વિશેષ મેકરસ્પેસ હશે. આ કેમ્પસને એક સસ્ટેનેબલ પર્યાવરણ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓ વાસ્તવિક જીવનના પડકારોને સમજીને, પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા નવી નવી ટેકનોલોજી શિખશે. ભૂમિપૂજન સમારોહથી આ નવા અધ્યાયની શરૂઆત કરીને ફાઉન્ટેનહેડના ગ્રુપને વધુ મજબૂત બનશે.
સુરતની ભાવિકા મહેશ્વરીએ એશિયામાં લહેરાવ્યો ભારતનો પરચમ, રામાયણ અને ભારતીય દર્શનથી જીત્યા દિલ

 

જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આપ્યા પ્રભાવશાળી વ્યાખ્યાન, ભારતીય સંસ્કૃતિ, આધુનિક જીવન મૂલ્યો અને મોબાઇલ એડિક્શન પર રજૂ કર્યા વિચાર

સુરત. શહેરની યુવા પ્રેરક વક્તા, ટેડએક્સ સ્પીકર, લેખિકા અને એન્ટરપ્રેન્યોર ભાવિકા મહેશ્વરીએ જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાના વિચારો દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેમણે ભારતીય દર્શન, રામાયણના સર્વવ્યાપી સંદેશ અને મોબાઇલ એડિક્શન જેવા આધુનિક વિષયો પર પ્રભાવશાળી રજૂઆતો કરી વિદેશોમાં શ્રોતાઓનું ધ્યાન આકર્ષ્યું.

હાલમાં પૂર્ણ થયેલા આ વિદેશ પ્રવાસ દરમિયાન ભાવિકાએ ઇન્ડિયન એમ્બેસી, સ્વામી વિવેકાનંદ કલ્ચરલ સેન્ટર અને અન્ય સંસ્થાઓના સહયોગથી અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં વ્યાખ્યાન આપ્યા. દક્ષિણ કોરિયાની બુસાન યુનિવર્સિટી ઓફ ફોરેન સ્ટડીઝમાં તેમણે “ઇન્ડિયન ફિલોસોફી ફોર મોડર્ન લાઇફ” વિષય પર વિશેષ સંબોધન કર્યું. આ દરમિયાન પ્રોફેસર સર્જન કુમારે તેમના વ્યાખ્યાનનું કોરિયન ભાષામાં અનુવાદ કર્યું. કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને વિદ્વાનો દ્વારા તેમના વિચારોની પ્રશંસા કરવામાં આવી. આ સિદ્ધિને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (ICCR) દ્વારા પણ તેના અધિકૃત મંચ પર શેર કરવામાં આવી. કાર્યક્રમ દરમિયાન ચેરમેન સૂન સિયોલ લી દ્વારા ભાવિકાનું સન્માન કરવામાં આવ્યું.

જાપાનમાં ટોક્યો નજીક આવેલ બાન્ડો સ્થિત હિંદુ મંદિર ખાતે ભાવિકાએ “યુનિવર્સલ ટીચિંગ્સ ઓફ રામાયણ” વિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક લોકોમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ઉત્સાહ જોવાલાયક રહ્યો. હોળી ઉત્સવ દરમિયાન જાપાની કલાકારો બોલિવૂડ ગીતો પર નાચતા જોવા મળ્યા, જેના દ્વારા ભારતીય પરંપરાઓ પ્રત્યેનું ત્યાંનું અપનત્વ સ્પષ્ટ થયું.

 

તાઇવાનની રાજધાની તાઇપે સ્થિત સબકા મંદિર ખાતે તેમણે “21મી સદીમાં રામાયણ” વિષય પર વ્યાખ્યાન આપ્યું. તેમના વિચારો દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય સંસ્કૃતિની પ્રાસંગિકતા મજબૂત રીતે રજૂ થઈ. આ પ્રસંગે મંદિરના સ્થાપક એન્ડી સિંહે તેમને ભારત-તાઇવાન મિત્રતાનું પ્રતિક ભેટ આપી સન્માનિત કર્યા.

ગૌરતલબ છે કે ભાવિકા મહેશ્વરી અગાઉ યુકેની ઑક્સફોર્ડ યુનિવર્સિટી હિંદુ સોસાયટીમાં સૌથી ઓછી ઉંમરની આધ્યાત્મિક વક્તા તરીકે પોતાની ઓળખ બનાવી ચૂકી છે. નાની ઉંમરે જ વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિ, નૈતિકતા અને આધુનિક જીવન મૂલ્યો પર તેમના પ્રભાવશાળી વક્તૃત્વે તેમને વિશિષ્ટ ઓળખ અપાવી છે.

ભાવિકા અત્યાર સુધી ઇન્ડોનેશિયા, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને લંડન સહિત દેશ-વિદેશમાં 500થી વધુ કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂકી છે. પોતાના વિચારો અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ દ્વારા તેમણે ભારતીય સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.

આ સમગ્ર પ્રયત્નમાં તેમને સાધકનો સહયોગ મળ્યો.

ભાવિકાની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સુરત, ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. નાની ઉંમરે વૈશ્વિક મંચો પર ભારતીય સંસ્કૃતિનું પ્રભાવશાળી પ્રતિનિધિત્વ કરીને તેમણે સાબિત કર્યું છે કે ભારતની નવી પેઢી વિશ્વ પાટળ પર પોતાની મજબૂત ઓળખ બનાવી રહી છે.

 

સાર્વજનિક યુનિવર્સિટી, સુરતમાં ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપ સફળતાપૂર્વક પૂર્ણ

 

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને સાર્વજનિક યુનિવર્સિટી તથા ચુનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરતના સહયોગથી તા. 23 થી 25 માર્ચ, 2026 દરમિયાન સાર્વજનિક યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય સંસ્કૃત શોર્ટ ફિલ્મ તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું।

વર્કશોપનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ શ્રી હિમાંજય પલ્લીવાળ (મુખ્ય અતિથિ), સંસ્કૃત ભારતિના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી શ્રીશ દેઓપૂજારી (માનનીય અતિથિ) અને FOSTTA ના પ્રમુખ તથા સામાજિક કાર્યકર શ્રી કૈલાશ એચ. હકીમ (વિશેષ અતિથિ)ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ અને પ્રોવોસ્ટ પ્રોફ. કિરણ પંડ્યાનો મહત્વપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો।
ત્રણ દિવસ દરમિયાન કુલ 15 ગહન સત્રોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્ક્રિપ્ટિંગ, અભિનય, એડિટિંગ, સંગીત અને ફિલ્મ નિર્માણ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વર્કશોપમાં સંસ્કાર દેસાઈ, ડૉ. ચન્નબસવસ્વામી હાયરેમઠ, વિહંગ મહેતા, નારાયણ પાર્વતી પરસરામ, ડૉ. સંદીપ જોશી, ડૉ. આનંદ પંડ્યા અને યુવરાજ કુમાર જેવા પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું।

મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિભાગીઓએ કેમેરા માટે અભિનય, સોલો પરફોર્મન્સ, સ્ક્રિપ્ટ લેખન અને ફિલ્મ સ્ક્રીનિંગ જેવી પ્રાયોગિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ઇન્ટરનેશનલ સંસ્કૃત શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ (ISSFF) વિષયક વિશેષ સત્ર પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી પ્રતિભાગીઓને સર્જનાત્મકતા માટે નવી દિશા મળી।

વર્કશોપના સમાપન પ્રસંગે સામાજિક કાર્યકર અને Venus Jewel ના CEO શ્રી અનિલ શાહ તથા અભિનેતા-નિર્દેશક શ્રી યુવરાજ કુમાર ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સલાહકાર સમિતિના અધ્યક્ષ મયંક ત્રિવેદીએ સ્વાગત ભાષણ આપ્યું હતું અને ચુનીલાલ ગાંધી વિદ્યાભવનની ડિરેક્ટર ડૉ. મિતા વાન્સડિયાએ તમામ અતિથિઓ, નિષ્ણાતો, આયોજકો અને પ્રતિભાગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો।

આ વર્કશોપ દ્વારા આધુનિક સર્જનાત્મક ક્ષેત્રોમાં સંસ્કૃત ભાષાની વધતી પ્રાસંગિકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સિનેમા દ્વારા નવીન વાર્તાલેખનને પ્રોત્સાહન મળ્યું હતું।

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

 

પ્રથમ બેચમાં 92 વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ હેઠળ સંપૂર્ણ મફત શિક્ષણ લઈ રહ્યા છે અને દર વર્ષે નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ બોત્સવાનાાના 30 વિદ્યાર્થીઓને પણ આ યોજનામાં સામેલ કરવામાં આવશે , એટલે કે આ વર્ષે 120 વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે સુરત: કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ઉર્જાનૂર સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો હેતુ રિન્યુએબલ એનર્જી અને સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે. આ પહેલ 24 માર્ચે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલના 55મા જન્મદિવસે શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બી.ટેક અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરતા યોગ્ય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ, ભોજન અને પરિવહન સહિત સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવશે. આ સ્કોલરશીપનો હેતુ ક્લીન એનર્જી ક્ષેત્ર માટે કુશળ માનવશક્તિ તૈયાર કરવાનો છે અને સાથે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલમાં 92 વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે અને આવનારા વર્ષોમાં આનો વિસ્તાર કરવાની યોજના છે. આ સાથે બોત્સવાનામાં કેપી ગ્રુપ દ્વારા 4 અબજ ડોલરનું રોકાણ કરાય રહ્યું છે, ત્યાંથી નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ દર વર્ષે 30 વિદ્યાર્થીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. આ વર્ષે કુલ 120 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, જેમાંથી 30 વિદ્યાર્થીઓ બોત્સ્વાનાના રહેશે આ અંગે કેપી ગ્રુપના સીએમડી ડૉ. ફારુક જી. પટેલે જણાવ્યું: “અમારો હેતુ હંમેશાં એવા યુવાનોને સહાય કરવાનો રહ્યો છે જેનામાં આગળ વધવાની ક્ષમતા છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓનો અભાવ છે. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમના સપનાઓ સાકાર કરવા માટે સક્ષમ બનાવીએ છીએ. અમારો હેતુ માત્ર શિક્ષણ માટે ફંડ આપવાનો નથી, પરંતુ તેમની પ્રતિભા અને કૌશલ્યને વિકસાવી ભારત માટે મજબૂત રિન્યુએબલ એનર્જી વર્કફોર્સ તૈયાર કરવાનો છે.”
ઉર્જાનૂર સ્કોલરશીપનો હેતુ શિક્ષણ સાથે રોજગારના અવસર ઉભા કરીને સર્વસમાવેશી માળખું તૈયાર કરવાનો છે, જેમાં ધર્મ, જાતિ કે સામાજિક ભેદભાવ ન હોય. પીપી સવાણી યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટર સ્નેહ સવાણીએ જણાવ્યું: “અમારો હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ પછી રોજગાર મેળવવાની ક્ષમતા આપવાનો છે. અમારી જવાબદારી શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી નથી, પરંતુ તે વિદ્યાર્થીઓ પોતાના પરિવારને કેવી રીતે સહારો બને તે હેતુ સિદ્ધિ કરવાનો છે.” ઘણા વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ વખત યુનિવર્સિટી વાતાવરણનો અનુભવ છે, જેમાં ક્લાસરૂમ, લેબોરેટરી અને સુવ્યવસ્થિત અભ્યાસની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને પરિવહનની સુવિધા આપીને સ્થિર વાતાવરણ પૂરૂં પાડે છે જેથી તેઓ અભ્યાસ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પરાગ સાંઘાણીએ જણાવ્યું: “શિક્ષણનો હેતુ હૃદય અને હાથના સંયોજનથી દેશ માટે શ્રેષ્ઠ ઇજનેરો તૈયાર કરવાનો છે. સસ્ટેનેબલ એનર્જી ક્ષેત્રમાં આ અમારો નાનો પ્રયાસ છે.” આ કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રી એક્સપોઝર અને રોજગારની તક પણ આપવામાં આવશે અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવશે. “અમારો અંતિમ હેતુ એ છે કે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને, પોતાના પરિવારને સહારો આપે, સમાજને આગળ વધારે અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે,” એમ ડૉ. ફારુક પટેલે ઉમેર્યું. ઉર્જા નૂર સ્કોલરશીપ કાર્યક્રમ કેપી ગ્રુપના તે દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જે દેશની ક્લીન એનર્જી ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા માટે કુશળ પ્રતિભાનો મજબૂત આધાર તૈયાર કરે છે.  
સપનાઓને પાંખો: શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 2025-26 ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

 

સુરત: શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ દ્વારા ધોરણ 10 અને 12 (A1 અને A2 બેચ) ના 59 વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને ભાવસભર વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એક કુશળ માર્ગદર્શક તરીકે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, “હું દરેક વિદ્યાર્થીને મારા સંતાન સમાન ગણું છું. મારી સૌથી મોટી ઈચ્છા મારા બાળકો જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરે તેવી છે. તમે જ્યારે શાળાના ઉંબરેથી બહાર ડગ માંડો છો, ત્યારે અહીંના સંસ્કારો સાથે રાખજો; તમારી સફળતા માટે અમે હંમેશા પ્રાર્થના કરીશું.”

શાળા દ્વારા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને ડિજિટલ યુગની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમને લેપટોપ અને ટેબ્લેટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે શાળાના વિકાસમાં સહભાગી થનાર વાલીઓનો આભાર માનવામાં આવ્યો હતો, તેમજ આચાર્યશ્રી અને શિક્ષકગણના અથાગ પરિશ્રમ અને માર્ગદર્શનની સરાહના કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં સાંસ્કૃતિક નૃત્યો, સંગીત અને મનોરંજક પ્રવૃત્તિઓએ રંગ જમાવ્યો હતો. અંતમાં સ્વાદિષ્ટ ભોજન સાથે વિદ્યાર્થીઓએ મન ભરીને યાદો તાજી કરી હતી.

કાર્યક્રમનો અંત એક સુંદર સંકલ્પ સાથે થયો કે: ભલે આ વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા હોય, પરંતુ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના સંસ્કારો તેમના હૃદયમાં હંમેશા જીવંત રહેશે.

રક્ષામંત્રાલયની ભાગીદારીમાં દક્ષિણ ગુજરાતની પ્રથમ ‘ગ્રીનફિલ્ડ કો-એડ’ સૈનિક સ્કૂલ જૂન 2026માં થશે શરૂ

 

સુરત, 16 માર્ચ, 2026 : પશ્ચિમ ભારતના શૈક્ષણિક ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા, સુરત પાસેના ઉભરાટ ખાતે દક્ષિણ ગુજરાતની પ્રથમ ગ્રીનફિલ્ડ, સહ-શિક્ષણ (કો-એડ) નિવાસી સૈનિક સ્કૂલ આ જૂન મહિનાથી શરૂ થવા જઈ રહી છે. વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ અને દાનેશ્વરી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના દૂરંદેશી નેતૃત્વ હેઠળ સ્થાપિત, SRK સૈનિક સ્કૂલ ભારત સરકારની પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) નીતિ હેઠળ રક્ષામંત્રાલય (MoD) ની સૈનિક સ્કૂલ સોસાયટી સાથે ઔપચારિક જોડાણ ધરાવે છે.

આ સંસ્થા ભારતના શ્રેષ્ઠ સૈન્ય-શૈલીના અનુશાસન અને વિશ્વસ્તરીય શૈક્ષણિક ધોરણોના સંગમનું પ્રતિનિધિત્વ કરે છે. 21 એકરમાં ફેલાયેલા વિશાળ અને આધુનિક કેમ્પસમાં નિર્મિત આ શાળા પરંપરાગત શિક્ષણથી આગળ વધીને ‘CBSE પ્લસ’ અભ્યાસક્રમ પ્રદાન કરશે, જે નેતૃત્વ, ચારિત્ર્ય નિર્માણ અને વ્યવસાયિક કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકે છે.

સૈનિક સ્કૂલ મોડેલની પરંપરાગત શિસ્તતાની સાથે, SRK સૈનિક સ્કૂલ કેડેટ્સના વિકાસ માટે બહુપરિમાણીય અભિગમ અપનાવશે. SRK નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરતા શ્રેયાંસ ધોળકિયાએ શાળાની ભવિષ્યલક્ષી છતાં પાયાના શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

શ્રેયાંસ ધોળકિયાએ જણાવ્યું હતું કે, “અમારું મિશન છે કે આધુનિક શિક્ષણશાસ્ત્ર અને ટેકનોલોજીનો વિજ્ઞાન અને ફિલસૂફીના શાશ્વત જ્ઞાન સાથે મેળાપ થાય. અમે માત્ર વિદ્યાર્થીઓને તાલીમ નથી આપી રહ્યા; અમે કેડેટ્સને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે સક્ષમ બનાવવા માટે તૈયાર કરી રહ્યા છીએ. આ વિષયોના સમન્વય દ્વારા, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા સ્નાતકો કોઈપણ ક્ષમતામાં રાષ્ટ્રની સેવા કરવા માટે સજ્જ અને સંવેદનશીલ બને.”

શાળા જૂન 2026ના પ્રથમ સપ્તાહથી કાર્યરત થશે. ધોરણ 6 માટેની પ્રથમ બેચમાં 120 કેડેટ્સનો સમાવેશ થશે, જેમાં 100 છોકરાઓ અને 20 છોકરીઓ હશે. તેમની પસંદગી ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (AISSEE) દ્વારા કરવામાં આવી છે.

SRK નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ આ પ્રોજેક્ટ માટે પોતાનું વિઝન શેર કરતા કહ્યું કે, “દાયકાઓથી અમે વિશ્વના શ્રેષ્ઠ હીરાને પાસા પાડીને ચમકાવ્યા છે. હવે SRK સૈનિક સ્કૂલ દ્વારા, અમે દેશના ભાવિ નેતાઓને તૈયાર કરવા માટે સમર્પિત છીએ. અમારો ધ્યેય એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જ્યાં કેડેટ્સ અનુશાસન અને શ્રેષ્ઠતાથી પ્રેરિત થઈ ‘રાષ્ટ્ર પ્રથમ’ (Nation First) ની માનસિકતા કેળવે.”
સ્થાપક આચાર્ય શ્રી હિતેશ જોશીએ જણાવ્યું હતું કે, “શાળા સંપૂર્ણપણે શાકાહારી કેમ્પસ માટે પ્રતિબદ્ધ છે, જ્યાં યુવા કેડેટ્સની પોષણ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ આહાર આપવામાં આવશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યાધુનિક શૈક્ષણિક બ્લોક્સ, એથ્લેટિક સુવિધાઓ અને ઇતર પ્રવૃત્તિઓ માટેના ખાસ ઝોનનો સમાવેશ થાય છે.”

SRK સૈનિક સ્કૂલ હવે રાષ્ટ્રની પ્રતિષ્ઠિત સંસ્થાઓના નેટવર્કનો ભાગ બની છે જેનો ઉદ્દેશ્ય યુવાનોને સશસ્ત્ર દળો અને નેતૃત્વની ભૂમિકા માટે તૈયાર કરવાનો છે.