શિક્ષણ અને ટેકનોલજી
સાર્વજનિક યુનિવર્સિટી અને પ્વાની યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય સેમિનાર શ્રેણીનો પ્રારંભ
ભારતની Sarvajanik University અને કેન્યાની Pwani University વચ્ચે તાજેતરમાં થયેલા સમજૂતી કરાર (MoU) અંતર્ગત આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સેમિનાર શ્રેણીનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો. આ પહેલનો મુખ્ય હેતુ શૈક્ષણિક સહયોગ, સંશોધન વિનિમય અને વૈશ્વિક શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવાનો છે.
આ શ્રેણીનું પ્રથમ સત્ર તા. 26 મે, 2026ના રોજ યોજાયું હતું, જેમાં Dr. Kiran Pandya, પ્રોવોસ્ટ, સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા નીચેના વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું:
“Navigating the Philosophical and Methodological Pitfalls of Quantitative Inquiry: From Positivism to Precision – Addressing Critical Issues in Modern Quantitative Research.”
આ વ્યાખ્યાન દરમિયાન પરિમાણાત્મક સંશોધન (Quantitative Research) સાથે સંકળાયેલા અગત્યના મુદ્દાઓ જેમ કે ડેટાના એકત્રીકરણ (Aggregation), ડેટા પૂલિંગ (Pooling of Data) તથા સંશોધન મોડેલની પૂર્વધારણાઓ (Model Assumptions) અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્વાની યુનિવર્સિટીના માસ્ટર્સ અને પીએચ.ડી.ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો, જેના કારણે આ સત્ર ખૂબ જ રસપ્રદ અને સફળ રહ્યું હતું.
પ્વાની યુનિવર્સિટી તરફથી Prof. Nancy Nagowa અને Prof. Anne Hilda Ong’ayo એ સમજૂતી કરાર અંગે હકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને આ શૈક્ષણિક સહયોગી પહેલની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું સંચાલન Mr. Alex Muthanga દ્વારા કરવામાં આવ્યું હતું.
સાર્વજનિક યુનિવર્સિટી તરફથી Dr. Vandana Shah અને Dr. Megha Agarwal એ કાર્યક્રમનું સફળ સંકલન કર્યું હતું.
બંને યુનિવર્સિટીઓએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક સહયોગ અને સંયુક્ત કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ આંતરરાષ્ટ્રીય સેમિનાર શ્રેણીનું આગામી સત્ર તા. 29 મે, 2026ના રોજ યોજાનાર છે.
ભવિષ્યને આકાર આપતાં 5 વર્ષની ગૌરવયાત્રા: સર્વજનિક યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ઉજવણીનો માસભરનો મહોત્સવ
1 જૂનથી 30 જૂન સુધી શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓનું આયોજન
સુરત : સર્વજનિક યુનિવર્સિટી તેના 5મા સ્થાપના વર્ષ નિમિત્તે “Celebrating 5 Years of Shaping Futures” થીમ હેઠળ 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય અને સામાજિક જવાબદારીને કેન્દ્રસ્થાને રાખતી વિવિધ પ્રવૃત્તિઓની માસભરની ઉજવણી કરી રહી છે.
114 વર્ષ જૂની પરોપકારી સંસ્થા સર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 1 જૂન, 2021ના રોજ સ્થાપિત સર્વજનિક યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, નવાચાર અને સમાજ વિકાસની દિશામાં પોતાની સફળ પાંચ વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. “Journey Towards an Enlightened Society”ના વિઝન તથા સર્વસમાવેશક, સંકલિત અને નવોચારી શિક્ષણના મૂલ્યોને આધારે યુનિવર્સિટી ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંશોધન અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે.
સ્થાપના સમયે 48 અભ્યાસક્રમોથી શરૂઆત કરનાર યુનિવર્સિટી આજે વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં 65 અભ્યાસક્રમો ઓફર કરે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યુનિવર્સિટીના સંલગ્ન સંસ્થાઓએ GSIRF રેન્કિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ સમયગાળા દરમિયાન B.Sc. અને M.Sc. (Artificial Intelligence & Data Science), Post Graduate Diploma in Financial and Banking Services (PGDFBS), Integrated MCA (IMCA), M.Sc. Clinical Embryology, LL.M. તેમજ વિવિધ આંતરવિષયક પ્રમાણપત્ર અભ્યાસક્રમો જેવા આધુનિક અને ઉદ્યોગલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટીએ તાજેતરમાં “સર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ”ની સ્થાપના કરી છે અને B.A. (Psychology) તથા B.A. (Economics) જેવા નવા સ્નાતક અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ઉપરાંત Statistics, Mass Communication, Psychology અને Economics માં માઇનર સ્પેશિયલાઇઝેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

યુનિવર્સિટીએ આધુનિક વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, સ્માર્ટ લર્નિંગ સુવિધાઓ અને વિદ્યાર્થીકેન્દ્રિત કેમ્પસ માળખા દ્વારા પોતાના શૈક્ષણિક વાતાવરણને વધુ સશક્ત બનાવ્યું છે. સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે યુનિવર્સિટીએ શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યરત એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્રને દત્તક લીધું છે. ઉપરાંત યુવાનો માટે ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવતા અન્ય વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો પણ કાર્યરત છે. SES સેન્ટ્રલ લાઇબ્રેરી હેઠળ 3 લાખથી વધુ પુસ્તકો અને ડિજિટલ સ્રોતો ધરાવતું જ્ઞાનકેન્દ્ર પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ સ્થાપના વર્ષ ઉજવણીને સર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ, પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા તથા યુનિવર્સિટીના પ્રથમ પ્રોવોસ્ટ અને સ્થાપના દિવસ ઉજવણી સમિતિના કન્વીનર પ્રો. પર્સી એન્જિનરના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનનો આધાર પ્રાપ્ત થયો છે.
ઉજવણીનો પ્રારંભ 01 જૂન, 2026 ના રોજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેક કટિંગ સમારોહ સાથે થયો હતો. ત્યારબાદ “Future of Education in Society” વિષય પર વિશેષ Foundation Flagship Lecture Seriesનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને જાણીતા શિક્ષણવિદ્ પ્રો. પંકજ ચંદ્રાએ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું.
ઉજવણીના ભાગરૂપે “SU SPARK – 5×5: Ideas Worth Spreading” કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નવાચાર, સર્જનાત્મકતા, સંઘર્ષશીલતા, ટેક્નોલોજી અને સામાજિક પ્રભાવ જેવા વિષયો પર પ્રેરણાદાયી ટૂંકા પ્રવચનો રજૂ કરશે.
માસભરની ઉજવણી દરમિયાન રક્તદાન શિબિરો, આરોગ્ય તપાસ કેમ્પો, સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા સામાજિક જવાબદારી અને સમુદાય સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઉજવણીનો સમાપન સમારોહ 30 જૂન, 2026ના રોજ “Gratitude & Recognition Ceremony” સાથે યોજાશે. આ પ્રસંગે દાતાશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખો, સ્થાપક સભ્યો, અધ્યાપકો અને કર્મચારીઓને યુનિવર્સિટીના વિકાસમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. સમારોહમાં સ્કોલરશિપની જાહેરાત, પુરસ્કાર વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા યુનિવર્સિટીની પાંચ વર્ષની યાત્રાને દર્શાવતી વિશેષ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
આ અવસરે સર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તથા સર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ અને સર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી માત્ર શિક્ષણ પૂરું પાડતી સંસ્થા તરીકે નહીં, પરંતુ ચારિત્ર્ય ઘડતર, નવાચારને પ્રોત્સાહન અને સમાજ તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપતી સંસ્થા તરીકે આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા અદ્યતન કેન્દ્રીય લાઇબ્રેરી પહેલથી વિદ્યાર્થી અભ્યાસને નવી દિશા
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટી (SES–SU) દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ અને શૈક્ષણિક સંસાધનોને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્રીય લાઇબ્રેરી પહેલ અંતર્ગત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિવર્સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી હવે તમામ ઘટક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધકો માટે એક વ્યાપક શૈક્ષણિક સંસાધન કેન્દ્ર તરીકે કાર્યરત બની છે.
સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રિન્ટ અને ડિજિટલ સ્વરૂપમાં ૩ લાખથી વધુ પુસ્તકો સહિત વિશાળ શૈક્ષણિક સંકલનનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈપણ વિદ્યાર્થી પોતાની ફેકલ્ટીથી પર અન્ય ફેકલ્ટીની લાઇબ્રેરીના સંસાધનોનો પણ ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, એન્જિનિયરિંગ ફેકલ્ટીનો વિદ્યાર્થી આર્ટ્સ ફેકલ્ટીની લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે અને તે જ રીતે અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ પરસ્પર સંસાધનોનો લાભ લઈ શકે છે. આ પહેલ શિક્ષણ, અભ્યાસ અને સંશોધન પ્રવૃત્તિઓને સતત સહકાર પૂરો પાડશે.
લાઇબ્રેરી દ્વારા પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીના સંગ્રહ, વર્ગીકરણ, સંચાલન અને જાળવણીની સુવ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી રહી છે. સાથે સાથે, ડિજિટલ એક્સેસ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીમૈત્રી અભ્યાસ વાતાવરણના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પહેલના ભાગરૂપે SES–SU હેઠળ કાર્યરત ૧૪ સંસ્થાકીય લાઇબ્રેરીઓને એક સંકલિત લાઇબ્રેરી નેટવર્ક દ્વારા જોડવામાં આવી છે. આ નેટવર્કથી તમામ લાઇબ્રેરીઓ વચ્ચે પુસ્તકો અને વાંચન સામગ્રીનું સરળ આદાન-પ્રદાન તેમજ બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ સુધી સહેલાઈથી પહોંચ શક્ય બની છે.
આ કેન્દ્રીય વ્યવસ્થાના કારણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે તમામ જોડાયેલી લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો અને સંસાધનો સરળતાથી મેળવી શકશે. પરિણામે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો, જર્નલ્સ, સંશોધન પ્રકાશનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત સામગ્રીનો વિશાળ ભંડાર ઉપલબ્ધ બનશે.
આ કેન્દ્રીય લાઇબ્રેરી નેટવર્ક આંતરવિષયક અભ્યાસને પણ પ્રોત્સાહન આપે છે, કારણ કે વિદ્યાર્થીઓ પોતાની સંસ્થા બહારના વિષયોના સંસાધનોનો પણ અભ્યાસ કરી શકશે. સાથે સાથે, પ્રોજેક્ટ વર્ક, ડિસર્ટેશન, ઇન્ટર્નશિપ અને સંશોધન પ્રવૃત્તિઓ માટે જરૂરી શૈક્ષણિક સાહિત્ય અને ડિજિટલ ડેટાબેઝ સુધી વધુ સગવડભર્યો પ્રવેશ મળશે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન તથા સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલે જણાવ્યું હતું કે, “આ પહેલનો મુખ્ય હેતુ તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર માહિતી અને જ્ઞાન સંસાધનોની સમાન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને વાંચન સંસ્કૃતિ, સ્વઅભ્યાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે.”
SKYERA – Air Hostess & Aviation Training Institute સુરત, વાપી, વલસાડ, નવસારી, દમણ, ભરુચ, અંકલેશ્વર, બારડોલી અને વ્યારા સહિતના વિસ્તારોના વિદ્યાર્થીઓને 100% Job Placement Assistance સાથે એવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યું છે.
સુરત, – Skyera એ Aviation, Hospitality, Tours & Travels ક્ષેત્રનું અગ્રણી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ખાસ કરીને 12 પાસ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી તેમને પ્રતિષ્ઠિત Airlines (Cabin Crew/Airports), Hotels તથા Tours & Travels ઇન્ડસ્ટ્રીમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં વિશેષતા ધરાવે છે.
સંસ્થાના વિશ્વસનીય ગ્રુપ દ્વારા અત્યાર સુધી સમગ્ર ભારતમાં 50,000થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે, જેના કારણે સંસ્થાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે.
તાજેતરમાં Skyera Institute of Airhostess Training દ્વારા વિદ્યાર્થીઓ માટે THE LONG D HOTELS AND BANQUET ખાતે એક શૈક્ષણિક Industrial Visitનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને હોટેલ ઇન્ડસ્ટ્રીની કાર્યપ્રણાલીનો પ્રેક્ટિકલ અને રિયલ-વર્લ્ડ અનુભવ અપાવવાનો હતો, જેથી એવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક ઇન્ડસ્ટ્રી Exposure મળી શકે.
સંસ્થાના મેનેજમેન્ટે આ શૈક્ષણિક અને માહિતીસભર મુલાકાતને સફળ બનાવવા બદલ હોટેલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ, આવી Industry Exposure Activities વિદ્યાર્થીઓને Practical Learning આપવા અને Aviation, Hospitality તથા Customer Service ક્ષેત્રમાં સફળ કારકિર્દી માટે તૈયાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ભાગ છે.

ગત એક વર્ષ દરમિયાન સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓને Cabin Crew, Ground Staff તથા Aviation Sectorમાં કારકિર્દી બનાવવા માટે સફળતાપૂર્વક તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર Professional Skills જ નહીં પરંતુ Confidence Building અને Personality Developmentમાં પણ નિષ્ણાત બનાવવામાં આવ્યા છે.
સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થવાનો અને તેમને સફળ કારકિર્દી તરફ દોરી જવાનો છે.
આ સિદ્ધિ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને Placement Opportunities ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનો સમાપન એક Interactive Discussion Session અને Group Interaction સાથે થયો, જેના કારણે વિદ્યાર્થીઓમાં Hospitality અને Aviation ક્ષેત્રમાં ઉત્તમતા પ્રાપ્ત કરવાની નવી પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો.
સાર્વજનિક યુનિવર્સિટીદ્વારા લિબરલ આર્ટ્સના નવા અભ્યાસક્રમોની શરૂઆત : વિશ્લેષણાત્મક અને માનવકેન્દ્રિત નેતૃત્વ ઘડવાનો પ્રયાસ
સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા બહુમુખી અને ભવિષ્યલક્ષી શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ થી નવા ઘટક સંસ્થા — Sarvajanik College of Liberal Arts (એસ.સી.એલ.એ.) હેઠળ નવા સ્નાતક અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી છે.
“તર્ક્બદ્ધ અને સમૃદ્ધ જીવન” ના ધ્યેય ઢાચાઓસાથે શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનવીય વર્તન, સામાજિક અને માહિતી આધારિત વિશ્લેષણ વચ્ચેનો સંબંધ સમજાવી તેમને જવાબદાર, સંવેદનશીલ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો તૈયાર કરવાન છે.
એસ.સી.એલ.એ. દ્વારા નીચે મુજબના નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે:
બી.એ. અર્થશાસ્ત્ર (મુખ્ય વિષય)
બી.એ. મનોવિજ્ઞાન (મુખ્ય વિષય)
બંને અભ્યાસક્રમો શૈક્ષણિક ઊંડાણ, પ્રાયોગિક અભ્યાસ અને સંશોધન આધારિત શિક્ષણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ના બહુમુખી અને આંતરવિષયક અભિગમને અનુરૂપ રચવામાં આવ્યા છે.
બી.એ. અર્થશાસ્ત્ર અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને અર્થવ્યવસ્થા, બજાર વ્યવસ્થા, નીતિ નિર્માણ, માનવીય વર્તન, વિકાસ અભ્યાસ તથા આંકડાકીય વિશ્લેષણ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે. જ્યારે બી.એ. મનોવિજ્ઞાન અભ્યાસક્રમ માનવીય વિચારસરણી, લાગણીઓ, વર્તન અને અનુભવોને વૈજ્ઞાનિક તેમજ વ્યવહારુ અભિગમથી સમજવા માટે રચાયેલ છે.
વિદ્યાર્થીઓને તેમના મુખ્ય વિષય સાથે નીચે મુજબના ગૌણ વિષય / વિશેષ અભ્યાસ વિકલ્પો પસંદ કરવાની તક મળશે:
મનોવિજ્ઞાન
અર્થશાસ્ત્ર
જનસંપર્ક અને પ્રસાર માધ્યમ અભ્યાસ
આંકડાશાસ્ત્ર
આ લવચીક શૈક્ષણિક માળખું વિદ્યાર્થીઓને તેમની રસ, ક્ષમતા અને ભવિષ્યની કારકિર્દીને અનુરૂપ અભ્યાસ દિશા પસંદ કરવામાં સહાયક બનશે.
અભ્યાસક્રમનું પાઠ્યક્રમ આજના બદલાતા વૈશ્વિક અને વ્યવસાયિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, આંકડાકીય સમજ, અભિવ્યક્તિ કૌશલ્ય, ગણનાત્મક કુશળતા અને સંશોધન અભિરુચિ વિકસે તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ રોજગારક્ષમ બનવા સાથે ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે પણ સક્ષમ બની શકે.
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ એસ.સી.એલ.એ. નું શૈક્ષણિક દ્રષ્ટિકોણ આંતરવિષયક અભ્યાસ, જિજ્ઞાસા આધારિત શિક્ષણ અને ભવિષ્યલક્ષી કૌશલ્યો પર આધારિત છે. વર્ગખંડ શિક્ષણ સાથે પ્રયોગાત્મક કાર્યો, ક્ષેત્ર અભ્યાસ, તર્કશક્તિ વિકાસ પ્રવૃત્તિઓ અને સંશોધન આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને જીવનના વાસ્તવિક પડકારો માટે તૈયાર કરવામાં આવશે.
આ નવા અભ્યાસક્રમોની શરૂઆત સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ૧૧૪ વર્ષની ગૌરવશાળી શિક્ષણ પરંપરાને આગળ વધારતા Sarvajanik University દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
યુનિવર્સિટી હવે જી.સી.એ.એસ. પ્રવેશ પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બની છે. યુનિવર્સિટી ગુણવત્તાસભર, વ્યવસાયલક્ષી અને પરવડે તેવું શિક્ષણ આપતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક ઉત્તમતા માટે પ્રતિબદ્ધ છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી માટે યુનિવર્સિટી પ્રવેશ કચેરીનો સંપર્ક કરી શકે છે અથવા પરિસરની મુલાકાત લઈને અભ્યાસક્રમની રચના, પાઠ્યક્રમ તથા પ્રવેશ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી શકે છે.
CBSE ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષા પરિણામ 2025-26
સૂરત: માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, સુરતે શૈક્ષણિક વર્ષ 2025-26 ની CBSE ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે. શાળાએ તમામ પ્રવાહોમાં પ્રશંસનીય શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત, સમર્પણ તથા સતત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે.
પરીક્ષામાં હાજર રહેલા કુલ ૩૬ વિદ્યાર્થીઓમાંથી ૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા ૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સંસ્થાની શૈક્ષણિક શ્રેષ્ઠતાની પરંપરાને આગળ વધારી છે.
કોમર્સ પ્રવાહમાં ધિયાન તેજસ દેસાઈએ 475/500 ગુણ મેળવી 95% સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
હ્યુમેનિટીઝ પ્રવાહમાં નમ્રા મોરડિયાએ 458/500 ગુણ સાથે 91.60% મેળવી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું.
સાયન્સ પ્રવાહમાં જ્યોત ચકલાસિયાએ 413/500 ગુણ સાથે 82.60% મેળવી ટોપર તરીકે સ્થાન મેળવ્યું.
શાળાને વિશેષ ગૌરવ છે કે ધિયાન તેજસ દેસાઈએ બિઝનેસ સ્ટડીઝ વિષયમાં સંપૂર્ણ 100/100 ગુણ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
માઉન્ટ લિટેરા ઝી સ્કૂલનું સંચાલન તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોને તેમની મહેનત અને પ્રતિબદ્ધતા બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે તથા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.
સ્કોલર ઇંગ્લિશ એકેડમીનું શાનદાર પરિણામ, કોમર્સમાં 100% રિઝલ્ટ, સાયન્સમાં પણ વિદ્યાર્થીઓનો ઉત્તમ દેખાવ
સુરત. સ્કોલર ઇંગ્લિશ એકેડમીએ આ વર્ષે બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની પ્રતિષ્ઠા વધુ મજબૂત બનાવી છે. ખાસ કરીને કોમર્સ પ્રવાહમાં એકેડમીનું પરિણામ 100% રહ્યું છે, જે ગૌરવની બાબત છે.
કોમર્સ પ્રવાહમાં વત્સલ કાબરાએ 96.2% ગુણ મેળવી ટોચનું સ્થાન મેળવ્યું છે. પ્રજ્ઞા પાંડે 92% અને મન્નત ચાવલાએ 91.4% ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ખાસ વાત એ રહી કે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ નોંધાવી છે.
સાયન્સ પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. વ્રજ પટેલે 93.2% ગુણ મેળવ્યા છે, જ્યારે યશવી પચ્ચીકર અને દર્શીલ બબ્બરે પણ નોંધપાત્ર પરિણામ મેળવી એકેડમીનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.
ટ્રસ્ટી રાજેશ મહેશ્વરી અને પ્રિન્સિપાલ મહેન્દ્ર તાયડે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું કે એકેડમી દ્વારા યોગ્ય ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો પ્રયાસ સતત ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળી શકે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે સીબીએસઈ ધોરણ 12ના ઉત્કૃષ્ટ પરિણામોનું ગૌરવપૂર્ણ ઉજવણી કરી
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2025-26માં ધોરણ 12ના વિદ્યાર્થીઓના શાનદાર પરિણામોને લઈને ગર્વ વ્યક્ત કર્યો છે. વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતાં સ્કૂલનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે, જેના કારણે સમગ્ર કેમ્પસમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું. આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, સમર્પણ અને દૃઢ સંકલ્પનું પ્રતિબિંબ છે
વિજ્ઞાન પ્રવાહમાં દ્વિજા મયંક વાશીએ 96.2% ગુણ મેળવી સ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવ્યા અગ્રવાલે 94% ગુણ મેળવ્યા, જ્યારે નીવ ચાવલાએ 93.2% ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું. ખાસ કરીને નીવ ચાવલાએ બાયોલોજી વિષયમાં 99 ગુણ મેળવી પોતાની વિશેષ વિષય કુશળતા દર્શાવી.
વાણિજ્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. જાલક પટેલે 88.8% ગુણ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ત્યારબાદ ચાર્મી અગ્રવાલે 79% અને લક્ષ્ય કોઠારીએ 78% ગુણ મેળવી સારો દેખાવ કર્યો.
સ્કૂલ મેનેજમેન્ટે તમામ વિદ્યાર્થીઓને તેમની મહેનત, શિસ્ત અને સતત પ્રયત્નો બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. આ ઉત્કૃષ્ટ પરિણામોનું શ્રેય વિદ્યાર્થીઓની લગન, વાલીઓના સહકાર અને શિક્ષકોના સતત માર્ગદર્શનને અપાયું છે.

સ્કૂલની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે સફળતા શિસ્ત, સતત પ્રયત્ન અને સમર્પણથી પ્રાપ્ત થાય છે. અમારા વિદ્યાર્થીઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચી મહેનત હંમેશા ઉત્તમ પરિણામ આપે છે. અમને અમારા વિદ્યાર્થીઓ પર ગર્વ છે અને અમે તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે સ્કૂલ હંમેશા ગુણવત્તાસભર શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે, જેથી તેઓ આત્મવિશ્વાસપૂર્ણ, જવાબદાર અને સફળ નાગરિક બની શકે.
સ્કૂલ મેનેજમેન્ટે તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને આ શાનદાર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. સ્કૂલ પરિવાર દ્વારા આ સફળતાનો ઉત્સાહપૂર્વક ઉત્સવ મનાવવામાં આવ્યો, જે સંસ્થાની શૈક્ષણિક યાત્રામાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે નોંધાયો છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ સતત ગુણવત્તાસભર શિક્ષણ, નવીનતા અને સંસ્કારસભર શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરતું રહેશે અને તેમને ભવિષ્યની પડકારોને આત્મવિશ્વાસ સાથે સામનો કરવા માટે તૈયાર કરતું રહેશે.
શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે યોજાયેલી CBSE ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
સુરત : વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન તથા વાલીઓના સહકારથી શાળાએ ફરી એકવાર શ્રેષ્ઠ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે.
આ વર્ષે પરીક્ષામાં 28 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવી શાળાની સફળતામાં વધારો કર્યો છે.
આર્ટ્સ પ્રવાહમાં ગુપ્તા અંશિકા પ્રમોદે 500 માંથી 492 ગુણ મેળવી 98.4% સાથે સમગ્ર શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કોમર્સ પ્રવાહમાં જયદીપ પારેખે 500 માંથી 481 ગુણ મેળવી 96.2% સાથે ઉત્કૃષ્ટ સફળતા મેળવી હતી. આર્ટ્સ પ્રવાહમાં અંજુકુમારી કશ્યપે 500 માંથી 477 ગુણ મેળવી 95.4% સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
શાળા સંચાલન, પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
શાળા પરિવાર દ્વારા મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ પટેલનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમના સતત પ્રોત્સાહન, માર્ગદર્શન અને સહકારથી સંસ્થા સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રેમ, સન્માન અને કૃતજ્ઞતા સાથે “માતૃત્વ ઉત્સવ”યોજાયો
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં માતૃત્વના પ્રેમ, ત્યાગ, શક્તિ અને સ્નેહને માન આપવા માટે “માતૃત્વ ઉત્સવ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ પ્રસંગે માતાઓ અને વિદ્યાર્થીઓની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર વાતાવરણ ભાવના, આનંદ અને લાગણીથી છલકાઈ ઉઠ્યું હતું.
જ્યારે તમામ માતાઓ અને દાદીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારે શાળાનું પરિસર સ્મિત અને ઉત્સાહથી જીવંત બની ગયું હતું.
આ કાર્યક્રમ ખાસ કરીને માતાઓની એ અમૂલ્ય ભૂમિકાને માન આપવા માટે યોજાયો હતો, જે તેઓ પોતાના બાળકોના જીવન, સંસ્કારો અને સપનાઓને ઘડવામાં નિભાવે છે. કાર્યક્રમ દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું કે માતા માત્ર બાળકની પ્રથમ શિક્ષિકા જ નથી, પરંતુ તે તેની સૌથી મોટી પ્રેરણા, માર્ગદર્શિકા અને શક્તિ પણ છે.
કાર્યક્રમની શરૂઆત સ્વાગત સમારોહથી થઈ હતી, ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ગીત, નૃત્ય, ભાષણ અને વિશેષ પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની માતાઓ પ્રત્યેનો પ્રેમ, સન્માન અને આભાર વ્યક્ત કર્યો હતો. દરેક પ્રસ્તુતિએ હાજર તમામ લોકોને ભાવુક બનાવી દીધા હતા અને કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. માતા અને બાળકો વચ્ચેનો લાગણીસભર સંબંધ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો.
આ અવસરે પરિવારના મૂલ્યો અને લાગણીસભર સંબંધોના મહત્વને પણ ઉજાગર કરવામાં આવ્યું હતું. માતાઓએ શાળાના આ સુંદર પ્રયાસની પ્રશંસા કરી હતી, જેમાં તેમના યોગદાન અને સમર્પણને સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વહેંચાયેલા ભાવુક અને આનંદમય ક્ષણોએ શાળા અને પરિવારો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવ્યા હતા.

આ પ્રસંગે શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ માતૃત્વના મહત્વ વિશે પ્રેરણાદાયક વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “માતાનો પ્રેમ એ મજબૂત પાયો છે, જેના પર બાળકનો આત્મવિશ્વાસ, સંસ્કાર અને સપનાઓનું નિર્માણ થાય છે. માતાઓ એ નિસ્વાર્થી યોદ્ધા છે, જે પોતાના બાળકોના પાલનપોષણ, માર્ગદર્શન અને સફળતા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે શિક્ષણની શરૂઆત ઘરમાંથી થાય છે અને એક માતા બાળકના ભવિષ્યને ઘડવામાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ દ્વારા અમે તમામ માતાઓ અને દાદીઓ પ્રત્યે આપણું સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માંગીએ છીએ, જે પોતાના પ્રેમ, ધીરજ અને શક્તિથી બાળકોને સતત પ્રેરણા આપે છે.”
તેમણે વધુમાં જણાવ્યું, “આવા કાર્યક્રમો શાળા અને પરિવારો વચ્ચેના લાગણીસભર સંબંધોને વધુ મજબૂત બનાવે છે. માતૃત્વનો સન્માન માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રહે, પરંતુ આપણે દરરોજ તેમના નિસ્વાર્થી સેવા, ત્યાગ અને પ્રેમ માટે આભાર વ્યક્ત કરવો જોઈએ.”
કાર્યક્રમનું સમાપન આનંદ, આશીર્વાદ અને સુંદર યાદો સાથે થયું હતું. આ આયોજન પ્રેમ, સન્માન, કૃતજ્ઞતા, એકતા અને લાગણીસભર જોડાણ જેવા મૂલ્યોનું સુંદર પ્રતિબિંબ બન્યું હતું, જેને વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓ અને પરિવારોમાં વિકસાવવા સતત પ્રયત્નશીલ રહે છે.
“માતૃત્વ ઉત્સવ”એ એક વખત ફરી શાળાની સર્વાંગી વિકાસ, સંસ્કાર આધારિત શિક્ષણ અને પરિવારો સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાને સફળતાપૂર્વક દર્શાવી હતી.