શિક્ષણ અને ટેકનોલજી
હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા આજીવન શિક્ષણ સહાય યોજના
સુરત, તા. 11 જૂન 2026
સમાજમાં શિક્ષણનું મહત્વ વધે અને આર્થિક પરિસ્થિતિના કારણે કોઈપણ વિદ્યાર્થીનું શિક્ષણ અધૂરું ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા “આજીવન શિક્ષણ સહાય યોજના” અમલમાં મૂકવામાં આવી છે.
ફાઉન્ડેશનના પ્રેરણાસ્ત્રોત શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ (નાણોટા) ના સહયોગથી ધોરણ 5 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા દીકરા અને દીકરીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન જરૂરી શિક્ષણ સહાય આપવામાં આવશે.
હાલમાં ફોર્મ ચકાસણી અને પસંદગી પ્રક્રિયા ચાલુ છે. અરજદારોની સંખ્યા વધુ હોવાથી ફોર્મનું મૂલ્યાંકન તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. તેથી જેમ જેમ પ્રક્રિયા પૂર્ણ થતી જશે તેમ તેમ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોબાઇલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ભર્યું નથી અથવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના બાકી છે, તેઓએ વહેલી તકે ફાઉન્ડેશનની ઓફિસે સંપર્ક કરી પ્રક્રિયા પૂર્ણ કરવાની વિનંતી કરવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો:
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
પિતાનું આધાર કાર્ડ
છેલ્લી માર્કશીટ
લાઇટ બિલ
2 પાસપોર્ટ સાઇઝ ફોટા
ઓફિસ સરનામું: G-8, Empire State Building, Udhna Ring Road, Surat
સંપર્ક: 9638086191
7490886191
શિક્ષણ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન સતત કાર્યરત છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરે છે.
– હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન, સુરત
જી. ડી. ગોયંકા સ્કૂલને યુનેસ્કો ASPnetમાં વૈશ્વિક માન્યતા
સુરત: જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલ, સુરતે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)ના પ્રતિષ્ઠિત “એસોસિએટેડ સ્કૂલ્સ નેટવર્ક (ASPnet)”ના સભ્ય તરીકે સત્તાવાર માન્યતા મળી છે. આ માન્યતા સ્કુલને વિશ્વભરની એવી પસંદગીની સંસ્થાઓમાં સ્થાન અપાવે છે, જે શાંતિ, સતત વિકાસ, વૈશ્વિક નાગરિકતા અને ગુણવત્તાસભર શિક્ષણના પ્રચાર માટે પ્રતિબદ્ધ છે.
જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલ ભારતની મર્યાદિત સંખ્યાની સ્કૂલોમાં સ્થાન મેળવનારી અનન્ય શાળા બની છે. સાથે જ, સુરતની પ્રથમ અને ગુજરાતની ત્રીજી સ્કુલ તરીકે આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ સ્કુલ સમુદાય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને વૈશ્વિક અને મૂલ્યઆધારિત શિક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
યુનેસ્કો, 1945માં સ્થાપિત થયેલ અને પેરિસમાં મુખ્યાલય ધરાવતી સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ એજન્સી છે, જે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારીને શાંતિ સ્થાપવાનું કાર્ય કરે છે. 1953માં યુનેસ્કોએ ASPnet શરૂ કર્યું હતું, જેના માધ્યમથી એવી શૈક્ષણિક સંસ્થાઓને જોડવામાં આવે છે, જે માને છે કે શિક્ષણ શાંતિપૂર્ણ, સમાવેશી અને સમાજ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આજે ASPnetમાં 180થી વધુ દેશોની 10,000થી વધુ શાળાઓ સામેલ છે. આ સંસ્થાઓ શૈક્ષણિક પ્રોજેક્ટ્સમાં સહભાગી બને છે, નવીન પ્રથાઓ શેર કરે છે અને વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક સમજૂતી, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને વૈશ્વિક જાગૃતિ માટે પ્રેરિત કરે છે. આ નેટવર્કમાં સભ્યપદ મેળવવું ગુણવત્તાસભર શિક્ષણ અને વૈશ્વિક મૂલ્યો પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.
જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલનો આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં સમાવેશ તેના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે મજબૂત, સામાજિક રીતે જવાબદાર અને વૈશ્વિક દ્રષ્ટિ ધરાવતા બનાવવા માટેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. સ્કુલે આ વર્ષો દરમિયાન ગુણવત્તાસભર શિક્ષણ સાથે સંસ્કારાત્મક મૂલ્યોનું મજબૂત સંયોજન રચ્યું છે.
આશરે 2011માં સ્થાપિત થયેલી આ શાળા, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ન્યૂ સિટી લાઇટમાં સ્થિત એક અગ્રણી સહશિક્ષણ સંસ્થા છે. તેનું કેમ્પસ ભરથાણા વિસ્તારમાં કેનલ રોડ પર આવેલ વિઝડમ વેલીમાં, અનુવ્રત દ્વાર નજીક આવેલું છે. આશીર્વાદ કેળવણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થા, સમય સાથે શહેરના અગ્રણી શૈક્ષણિક કેન્દ્રોમાં વિકસિત થઈ છે.
શાળા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલી છે. સમય સાથે શાળાએ આધુનિક માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સાધનો વિકસાવ્યા છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સહ-પાઠ્યક્રમ વિકાસને પ્રોત્સાહિત કરે છે.
આશરે 28,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું કેમ્પસ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યું શૈક્ષણિક વાતાવરણ સર્જે છે. અહીં 129 રૂમ, 79 સુવ્યવસ્થિત વર્ગખંડો, 16 સજ્જ પ્રયોગશાળાઓ અને 3 ગ્રંથાલયો છે, જે ટેકનોલોજીને રોજિંદા શિક્ષણમાં જોડે છે. ઉપરાંત, 3,000 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતું વિશાળ મેદાન વિદ્યાર્થીઓને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરે છે.
શાળાએ શરૂઆતથી જ સર્વાંગી શિક્ષણ પર ભાર મૂક્યો છે. શૈક્ષણિક અભ્યાસ સાથે રમતગમત, કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રયોગાત્મક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા શોધવા અને વિકસાવવા પ્રેરિત કરવામાં આવે છે. શાળાનું શિક્ષણ અભિગમ સર્જનાત્મકતા, તર્કશક્તિ અને પ્રાયોગિક અભ્યાસ પર આધારિત છે.

ASPnetમાં સભ્યપદ મેળવવા માટે શાળાનું વિવિધ માપદંડો પર મૂલ્યાંકન કરવામાં આવે છે, આમાં શાળાનો દ્રષ્ટિકોણ, શિક્ષણ-અભ્યાસ પદ્ધતિઓ, શિક્ષક વિકાસ કાર્યક્રમો, વિદ્યાર્થી ભાગીદારી, સતત વિકાસ માટેની પહેલો અને સમાવેશી શિક્ષણ પ્રથાઓનો સમાવેશ થાય છે.
જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલે આ તમામ માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. શાળાનો દ્રષ્ટિકોણ શાંતિ, માનવ અધિકાર, સતત વિકાસ અને વૈશ્વિક નાગરિકતા જેવા યુનેસ્કોના મુખ્ય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.
વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિઓ જેમ કે સંશોધન આધારિત અભ્યાસ, પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ આધારિત કાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે વિચારવા, પ્રશ્ન પૂછવા અને વાસ્તવિક જીવનમાં જ્ઞાનનો ઉપયોગ કરવા પ્રેરાય છે.
શિક્ષકોનો વિકાસ પણ મહત્વપૂર્ણ છે. નિયમિત તાલીમ, વર્કશોપ અને વ્યાવસાયિક વિકાસ કાર્યક્રમો દ્વારા શિક્ષકોને નવીન શિક્ષણ પદ્ધતિઓથી પરિચિત કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિદ્યાર્થી પરિષદ, નેતૃત્વના અવસર અને સહકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તેઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે છે.
પર્યાવરણ જાગૃતિ અને સતત વિકાસ શાળાના મુખ્ય કાર્યક્રમોમાં સામેલ છે. ઇકો-ક્લબ, પર્યાવરણ અભિયાન અને પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંરક્ષણ માટે પ્રેરણા મળે છે.
અભ્યાસક્રમમાં વૈશ્વિક નાગરિકતા, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને માનવ અધિકારોના વિષયો સમાવાયા છે. વિવિધ સાંસ્કૃતિક ઉજવણીઓ અને આંતરરાષ્ટ્રીય દિવસો દ્વારા આંતરસાંસ્કૃતિક સમજ વધે છે. સમાવેશિતા શાળાનું મહત્વપૂર્ણ મૂલ્ય છે. વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને સમાન તક આપવામાં આવે છે, જે પરસ્પર માન અને એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.
શાળા શાંતિપૂર્ણ શિક્ષણ, સામાજિક જવાબદારી અને સમાનતાને પણ પ્રોત્સાહિત કરે છે. વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક પ્રશ્નો પર વિચારવા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુખાકારી શાળાની પ્રાથમિકતા છે. બાળ સુરક્ષા, માનસિક આરોગ્ય અને સકારાત્મક શિસ્ત માટેની નીતિઓ દ્વારા સુરક્ષિત અને સહાયક વાતાવરણ ઉભું કરવામાં આવે છે.
યુનેસ્કો ASPnetમાં જોડાવાથી શાળાની વૈશ્વિક દ્રષ્ટિ વધુ મજબૂત બને છે. આથી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને સહયોગી કાર્યક્રમોમાં ભાગ લેવા તકો મળે છે, જે તેમના સંવાદ, ટીમવર્ક અને સર્જનાત્મકતા જેવા કૌશલ્યો વિકસાવે છે.
આ સિદ્ધિ નિમિત્તે શાળા વિશેષ સભાઓ, પ્રદર્શનો અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની યોજના ધરાવે છે, જે વિદ્યાર્થીઓને વૈશ્વિક મુદ્દાઓ વિશે માહિતગાર કરશે. આ સફળતા શાળાના સંચાલન, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતાના સંયુક્ત પ્રયત્નોનું પ્રતિબિંબ છે.
યુનેસ્કો ASPnetના સભ્ય તરીકે, જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલ હવે વૈશ્વિક સહકારને મજબૂત બનાવવાની અને વિદ્યાર્થીઓ માટે નવી તકો ઉભી કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ સિદ્ધિ શાળાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારતી હોવા સાથે ભવિષ્યના જવાબદાર, સંવેદનશીલ અને વૈશ્વિક નાગરિકો તૈયાર કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા
* ભાગીદારીનો ઉદ્દેશ ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત કરવા, કાર્યબળ પરિવર્તનને વેગ આપવા અને ભારતની ઔદ્યોગિક વૃદ્ધિને સરળ બનાવવા માટે એપ્લાઇડ સંશોધન હાથ ધરવાનો છે. * એએમ/એનએસ ઈન્ડિયા આ સહયોગ હેઠળ સંયુક્ત શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ-જોડાણ પહેલને આગળ વધારવા માટે તેની ઉદ્યોગ-સંકલિત શૈક્ષણિક પહેલ, નામટેક (ન્યુ એજ માર્કર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી)નો લાભ ઉઠાવશે. હઝીરા, સુરત, 9 જૂન, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રૂરકી (આઇઆઇટી રૂરકી)એ શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ જોડાણમાં સહયોગ માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને વૈશ્વિક ઉત્પાદન ફૂટપ્રિન્ટ અને આઇઆઇટી રૂરકીની શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતાને એક સાથે લાવે છે, જે કૌશલ્ય વિકાસ, એપ્લાઇડ સંશોધન, ટેકનોલોજી નવીનીકરણ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા માટે એક મંચનું સર્જન કરે છે. સમજૂતી કરારનાં માળખાં હેઠળ ભાગીદારો નીચેની બાબતોમાં તકો શોધશેઃ • શૈક્ષણિક કાર્યક્રમો, એક્ઝિક્યુટિવ શિક્ષણ, વ્યાવસાયિક વિકાસના અભ્યાસક્રમો અને કાર્યદળ પરિવર્તન પહેલોનો સંયુક્ત વિકાસ અને ડિલિવરી • ઉદ્યોગ-કેન્દ્રીત કન્સલ્ટિંગ, ટેકનિકલ સલાહકાર સેવાઓ, સમસ્યાનાં ઉકેલનાં જોડાણો અને ટેકનોલોજીની આકારણીઓ • સહયોગી સંશોધન, નવીનીકરણ, ટેકનોલોજી વિકાસ, પ્રકાશનો, બૌદ્ધિક સંપત્તિનું સર્જન, અને ટેકનોલોજી પરિવર્તન પહેલો. એએમ/એનએસ ઈન્ડિયા કૌશલ્ય વિકાસ, એપ્લાઇડ સંશોધન, પહેલ, અને ઉદ્યોગ જોડાણમાં ભાગીદારીના ઉદ્દેશો પૂર્ણ કરવા માટે એક મંચ તરીકે તેની ઉદ્યોગ-સંકલિત શિક્ષણ પહેલ નામટેકનો ઉપયોગ કરશે. શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે તફાવત દૂર કરવા માટે સ્થાપિત નામટેક ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું સર્જન કરવા અને સંશોધનને ઔદ્યોગિક અસરમાં રૂપાંતરિત કરવા માટે પ્રાયોગિક શિક્ષણ, ઉદ્યોગ આધારિત અભ્યાસક્રમ અને વાસ્તવિક વિશ્વના ઉદ્યોગ ઉકેલ એક સાથે લાવે છે. ભાગીદારી ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું નિર્માણ કરવા અને અદ્યતન ઉત્પાદન તથા ઔદ્યોગિક નવીનીકરણમાં ભારતની ક્ષમતાઓને મજબૂત કરવા માટે સહિયારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે. તે વિદ્યાર્થીઓ, સંશોધકો, ફેકલ્ટી અને ઔદ્યોગિક વ્યાવસાયિકોને વાસ્તવિક વિશ્વના પડકારો પર એક સાથે કાર્ય કરવા અને દેશની લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવા માટેની તકોનું સર્જન કરે એવી અપેક્ષા છે. આ પ્રસંગે વાત કરતા એએમ/એનએસ ઈન્ડિયાના સીઇઓ શ્રીમાન દિલિપ ઓમેને જણાવ્યું હતું કેઃ “ભારતનાં ઔદ્યોગિક પરિવર્તન માટે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે ઊંડા સહયોગની આવશ્યકતા પડશે. આઇઆઇટી રૂરકી સાથે આ વ્યુહાત્મક સહયોગ મારફતે અને અમારા ઉદ્યોગ-સંકલિત શિક્ષણ અને નવીન મંચ તરીકે નામટેકનો લાભ ઉઠાવીને અમે ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું નિર્માણ કરવાનો, એપ્લાઇડ સંશોધનને વેગ આપવાનો અને ભારતનાં ઉત્પાદન અને સ્ટીલ ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા અને ટકાઉતાને મજબૂત કરે એવા અસરદાર ઉકેલોનો વિકાસ કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ.” આઇઆઇટી રૂરકીના નિર્દેશક ડો. કે. કે. પંતે જણાવ્યું હતું કેઃ “આ સહયોગ શૈક્ષણિક સંશોધનને ઉદ્યોગ સંબંધિત પરિણામોમાં રૂપાંતરિત કરવા માટેનું એક મહત્ત્વૂપર્ણ પગલું છે. આઇઆઇટી રૂરકીનાં સંશોધનની ક્ષમતાઓને એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને નામટેકના ઔદ્યોગિક સંકલિત શિક્ષણ ઇકોસિસ્મટની સાથે સંયોજિત કરીને અમારો ઉદ્દેશ શિક્ષણ, ટેકનોલોજી વિકાસ અને વ્યુહગોઠવણ, અને નવીનીકરણથી ચલિત વ્યવહારું, સ્કેલેબલ અને લાગુ કરી શકાય એવા ઉકેલો મારફતે વિકસિત ભારતનાં વિઝનની સાથે સંરેખિત કરીને ટકાઉતાને આગળ વધારવાનો છે.” નામટેકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય શ્રીમાન સંજય શર્માએ ઉમેર્યું હતું કેઃ “નામટેકની સ્થાપના ભવિષ્ય માટે કૌશલ્ય તૈયાર કરવામાં ઉત્પાદન અને શિક્ષણ સહયોગની રીતને પુનઃવ્યાખ્યાયિત અને મજબૂત કરવા માટે કરવામાં આવી હતી. આ ભાગીદારી અનુભવલક્ષી શિક્ષણ, એપ્લાઇડ સંશોધન, અને નવીનીકરણથી ચલિત પરિણામો માટે નવા માર્ગોનું સર્જન કરવામાં સહાય કરશે, જે ઉદ્યોગની વિકસિત જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સાથે નજીકથી સંરેખિત છે.” સમજૂતી કરાર સહયોગ માટે લાંબા ગાળાનું માળખું સ્થાપિત કરે છે અને કૌશલ્યનો વિકાસ કરવા, નવીનીકરણને વેગ આપવા, અને ભારતનાં ઉત્પાદન તથા સ્ટીલ ક્ષેત્રો સામે ઉભરતા પડકારોનો સામનો કરી શકાય તે માટે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે ટકાઉ જોડાણ માટેનાં મંચનું સર્જન કરે છે.
સાર્વજનિક યુનિવર્સિટી અને પ્વાની યુનિવર્સિટી દ્વારા આંતરરાષ્ટ્રીય સેમિનાર શ્રેણીનો પ્રારંભ
ભારતની Sarvajanik University અને કેન્યાની Pwani University વચ્ચે તાજેતરમાં થયેલા સમજૂતી કરાર (MoU) અંતર્ગત આંતરરાષ્ટ્રીય ઓનલાઈન સેમિનાર શ્રેણીનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો. આ પહેલનો મુખ્ય હેતુ શૈક્ષણિક સહયોગ, સંશોધન વિનિમય અને વૈશ્વિક શિક્ષણની તકોને પ્રોત્સાહન આપવાનો છે.
આ શ્રેણીનું પ્રથમ સત્ર તા. 26 મે, 2026ના રોજ યોજાયું હતું, જેમાં Dr. Kiran Pandya, પ્રોવોસ્ટ, સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા નીચેના વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું:
“Navigating the Philosophical and Methodological Pitfalls of Quantitative Inquiry: From Positivism to Precision – Addressing Critical Issues in Modern Quantitative Research.”
આ વ્યાખ્યાન દરમિયાન પરિમાણાત્મક સંશોધન (Quantitative Research) સાથે સંકળાયેલા અગત્યના મુદ્દાઓ જેમ કે ડેટાના એકત્રીકરણ (Aggregation), ડેટા પૂલિંગ (Pooling of Data) તથા સંશોધન મોડેલની પૂર્વધારણાઓ (Model Assumptions) અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પ્વાની યુનિવર્સિટીના માસ્ટર્સ અને પીએચ.ડી.ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ સેમિનારમાં ભાગ લીધો હતો, જેના કારણે આ સત્ર ખૂબ જ રસપ્રદ અને સફળ રહ્યું હતું.
પ્વાની યુનિવર્સિટી તરફથી Prof. Nancy Nagowa અને Prof. Anne Hilda Ong’ayo એ સમજૂતી કરાર અંગે હકારાત્મક પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો અને આ શૈક્ષણિક સહયોગી પહેલની પ્રશંસા કરી હતી. કાર્યક્રમનું સંચાલન Mr. Alex Muthanga દ્વારા કરવામાં આવ્યું હતું.
સાર્વજનિક યુનિવર્સિટી તરફથી Dr. Vandana Shah અને Dr. Megha Agarwal એ કાર્યક્રમનું સફળ સંકલન કર્યું હતું.
બંને યુનિવર્સિટીઓએ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક સહયોગ અને સંયુક્ત કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ આંતરરાષ્ટ્રીય સેમિનાર શ્રેણીનું આગામી સત્ર તા. 29 મે, 2026ના રોજ યોજાનાર છે.
ભવિષ્યને આકાર આપતાં 5 વર્ષની ગૌરવયાત્રા: સર્વજનિક યુનિવર્સિટીની સ્થાપના વર્ષ ઉજવણીનો માસભરનો મહોત્સવ
1 જૂનથી 30 જૂન સુધી શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક અને પર્યાવરણીય પ્રવૃત્તિઓનું આયોજન
સુરત : સર્વજનિક યુનિવર્સિટી તેના 5મા સ્થાપના વર્ષ નિમિત્તે “Celebrating 5 Years of Shaping Futures” થીમ હેઠળ 1 જૂનથી 30 જૂન, 2026 દરમિયાન શૈક્ષણિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય અને સામાજિક જવાબદારીને કેન્દ્રસ્થાને રાખતી વિવિધ પ્રવૃત્તિઓની માસભરની ઉજવણી કરી રહી છે.
114 વર્ષ જૂની પરોપકારી સંસ્થા સર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા 1 જૂન, 2021ના રોજ સ્થાપિત સર્વજનિક યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતા, સંશોધન, નવાચાર અને સમાજ વિકાસની દિશામાં પોતાની સફળ પાંચ વર્ષની યાત્રા પૂર્ણ કરી છે. “Journey Towards an Enlightened Society”ના વિઝન તથા સર્વસમાવેશક, સંકલિત અને નવોચારી શિક્ષણના મૂલ્યોને આધારે યુનિવર્સિટી ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંશોધન અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહી છે.
સ્થાપના સમયે 48 અભ્યાસક્રમોથી શરૂઆત કરનાર યુનિવર્સિટી આજે વિવિધ શૈક્ષણિક ક્ષેત્રોમાં 65 અભ્યાસક્રમો ઓફર કરે છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન યુનિવર્સિટીના સંલગ્ન સંસ્થાઓએ GSIRF રેન્કિંગમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ સમયગાળા દરમિયાન B.Sc. અને M.Sc. (Artificial Intelligence & Data Science), Post Graduate Diploma in Financial and Banking Services (PGDFBS), Integrated MCA (IMCA), M.Sc. Clinical Embryology, LL.M. તેમજ વિવિધ આંતરવિષયક પ્રમાણપત્ર અભ્યાસક્રમો જેવા આધુનિક અને ઉદ્યોગલક્ષી કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
યુનિવર્સિટીએ તાજેતરમાં “સર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સ”ની સ્થાપના કરી છે અને B.A. (Psychology) તથા B.A. (Economics) જેવા નવા સ્નાતક અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ઉપરાંત Statistics, Mass Communication, Psychology અને Economics માં માઇનર સ્પેશિયલાઇઝેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

યુનિવર્સિટીએ આધુનિક વર્ગખંડો, અદ્યતન પ્રયોગશાળાઓ, સ્માર્ટ લર્નિંગ સુવિધાઓ અને વિદ્યાર્થીકેન્દ્રિત કેમ્પસ માળખા દ્વારા પોતાના શૈક્ષણિક વાતાવરણને વધુ સશક્ત બનાવ્યું છે. સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે યુનિવર્સિટીએ શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે કાર્યરત એક વ્યાવસાયિક તાલીમ કેન્દ્રને દત્તક લીધું છે. ઉપરાંત યુવાનો માટે ઉદ્યોગલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ચલાવતા અન્ય વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો પણ કાર્યરત છે. SES સેન્ટ્રલ લાઇબ્રેરી હેઠળ 3 લાખથી વધુ પુસ્તકો અને ડિજિટલ સ્રોતો ધરાવતું જ્ઞાનકેન્દ્ર પણ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.
આ સ્થાપના વર્ષ ઉજવણીને સર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ, પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા તથા યુનિવર્સિટીના પ્રથમ પ્રોવોસ્ટ અને સ્થાપના દિવસ ઉજવણી સમિતિના કન્વીનર પ્રો. પર્સી એન્જિનરના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શનનો આધાર પ્રાપ્ત થયો છે.
ઉજવણીનો પ્રારંભ 01 જૂન, 2026 ના રોજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કેક કટિંગ સમારોહ સાથે થયો હતો. ત્યારબાદ “Future of Education in Society” વિષય પર વિશેષ Foundation Flagship Lecture Seriesનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને જાણીતા શિક્ષણવિદ્ પ્રો. પંકજ ચંદ્રાએ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું.
ઉજવણીના ભાગરૂપે “SU SPARK – 5×5: Ideas Worth Spreading” કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નવાચાર, સર્જનાત્મકતા, સંઘર્ષશીલતા, ટેક્નોલોજી અને સામાજિક પ્રભાવ જેવા વિષયો પર પ્રેરણાદાયી ટૂંકા પ્રવચનો રજૂ કરશે.
માસભરની ઉજવણી દરમિયાન રક્તદાન શિબિરો, આરોગ્ય તપાસ કેમ્પો, સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાનો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો દ્વારા સામાજિક જવાબદારી અને સમુદાય સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઉજવણીનો સમાપન સમારોહ 30 જૂન, 2026ના રોજ “Gratitude & Recognition Ceremony” સાથે યોજાશે. આ પ્રસંગે દાતાશ્રીઓ, ભૂતપૂર્વ પ્રમુખો, સ્થાપક સભ્યો, અધ્યાપકો અને કર્મચારીઓને યુનિવર્સિટીના વિકાસમાં આપેલા અમૂલ્ય યોગદાન બદલ સન્માનિત કરવામાં આવશે. સમારોહમાં સ્કોલરશિપની જાહેરાત, પુરસ્કાર વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા યુનિવર્સિટીની પાંચ વર્ષની યાત્રાને દર્શાવતી વિશેષ ફિલ્મનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
આ અવસરે સર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તથા સર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલ અને સર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી માત્ર શિક્ષણ પૂરું પાડતી સંસ્થા તરીકે નહીં, પરંતુ ચારિત્ર્ય ઘડતર, નવાચારને પ્રોત્સાહન અને સમાજ તથા રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપતી સંસ્થા તરીકે આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા અદ્યતન કેન્દ્રીય લાઇબ્રેરી પહેલથી વિદ્યાર્થી અભ્યાસને નવી દિશા
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટી (SES–SU) દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ અને શૈક્ષણિક સંસાધનોને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્રીય લાઇબ્રેરી પહેલ અંતર્ગત મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. યુનિવર્સિટી સેન્ટ્રલ લાઇબ્રેરી હવે તમામ ઘટક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો અને સંશોધકો માટે એક વ્યાપક શૈક્ષણિક સંસાધન કેન્દ્ર તરીકે કાર્યરત બની છે.
સેન્ટ્રલ લાઇબ્રેરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રિન્ટ અને ડિજિટલ સ્વરૂપમાં ૩ લાખથી વધુ પુસ્તકો સહિત વિશાળ શૈક્ષણિક સંકલનનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. કોઈપણ વિદ્યાર્થી પોતાની ફેકલ્ટીથી પર અન્ય ફેકલ્ટીની લાઇબ્રેરીના સંસાધનોનો પણ ઉપયોગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, એન્જિનિયરિંગ ફેકલ્ટીનો વિદ્યાર્થી આર્ટ્સ ફેકલ્ટીની લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે છે અને તે જ રીતે અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પણ પરસ્પર સંસાધનોનો લાભ લઈ શકે છે. આ પહેલ શિક્ષણ, અભ્યાસ અને સંશોધન પ્રવૃત્તિઓને સતત સહકાર પૂરો પાડશે.
લાઇબ્રેરી દ્વારા પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીના સંગ્રહ, વર્ગીકરણ, સંચાલન અને જાળવણીની સુવ્યવસ્થિત પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી રહી છે. સાથે સાથે, ડિજિટલ એક્સેસ, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીમૈત્રી અભ્યાસ વાતાવરણના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આ પહેલના ભાગરૂપે SES–SU હેઠળ કાર્યરત ૧૪ સંસ્થાકીય લાઇબ્રેરીઓને એક સંકલિત લાઇબ્રેરી નેટવર્ક દ્વારા જોડવામાં આવી છે. આ નેટવર્કથી તમામ લાઇબ્રેરીઓ વચ્ચે પુસ્તકો અને વાંચન સામગ્રીનું સરળ આદાન-પ્રદાન તેમજ બિબ્લિયોગ્રાફિક ડેટાબેઝ સુધી સહેલાઈથી પહોંચ શક્ય બની છે.
આ કેન્દ્રીય વ્યવસ્થાના કારણે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી – સાર્વજનિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે તમામ જોડાયેલી લાઇબ્રેરીઓમાંથી પુસ્તકો અને સંસાધનો સરળતાથી મેળવી શકશે. પરિણામે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો, સંદર્ભ પુસ્તકો, જર્નલ્સ, સંશોધન પ્રકાશનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંબંધિત સામગ્રીનો વિશાળ ભંડાર ઉપલબ્ધ બનશે.
આ કેન્દ્રીય લાઇબ્રેરી નેટવર્ક આંતરવિષયક અભ્યાસને પણ પ્રોત્સાહન આપે છે, કારણ કે વિદ્યાર્થીઓ પોતાની સંસ્થા બહારના વિષયોના સંસાધનોનો પણ અભ્યાસ કરી શકશે. સાથે સાથે, પ્રોજેક્ટ વર્ક, ડિસર્ટેશન, ઇન્ટર્નશિપ અને સંશોધન પ્રવૃત્તિઓ માટે જરૂરી શૈક્ષણિક સાહિત્ય અને ડિજિટલ ડેટાબેઝ સુધી વધુ સગવડભર્યો પ્રવેશ મળશે.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન તથા સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલે જણાવ્યું હતું કે, “આ પહેલનો મુખ્ય હેતુ તમામ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર માહિતી અને જ્ઞાન સંસાધનોની સમાન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને વાંચન સંસ્કૃતિ, સ્વઅભ્યાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો છે.”
SKYERA – Air Hostess & Aviation Training Institute સુરત, વાપી, વલસાડ, નવસારી, દમણ, ભરુચ, અંકલેશ્વર, બારડોલી અને વ્યારા સહિતના વિસ્તારોના વિદ્યાર્થીઓને 100% Job Placement Assistance સાથે એવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શન અને તાલીમ આપી રહ્યું છે.
સુરત, – Skyera એ Aviation, Hospitality, Tours & Travels ક્ષેત્રનું અગ્રણી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે ખાસ કરીને 12 પાસ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ટ્રેનિંગ આપી તેમને પ્રતિષ્ઠિત Airlines (Cabin Crew/Airports), Hotels તથા Tours & Travels ઇન્ડસ્ટ્રીમાં રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં વિશેષતા ધરાવે છે.
સંસ્થાના વિશ્વસનીય ગ્રુપ દ્વારા અત્યાર સુધી સમગ્ર ભારતમાં 50,000થી વધુ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી છે, જેના કારણે સંસ્થાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે.
તાજેતરમાં Skyera Institute of Airhostess Training દ્વારા વિદ્યાર્થીઓ માટે THE LONG D HOTELS AND BANQUET ખાતે એક શૈક્ષણિક Industrial Visitનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને હોટેલ ઇન્ડસ્ટ્રીની કાર્યપ્રણાલીનો પ્રેક્ટિકલ અને રિયલ-વર્લ્ડ અનુભવ અપાવવાનો હતો, જેથી એવિએશન અને હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને ઊંડાણપૂર્વક ઇન્ડસ્ટ્રી Exposure મળી શકે.
સંસ્થાના મેનેજમેન્ટે આ શૈક્ષણિક અને માહિતીસભર મુલાકાતને સફળ બનાવવા બદલ હોટેલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના જણાવ્યા મુજબ, આવી Industry Exposure Activities વિદ્યાર્થીઓને Practical Learning આપવા અને Aviation, Hospitality તથા Customer Service ક્ષેત્રમાં સફળ કારકિર્દી માટે તૈયાર કરવાની તેમની પ્રતિબદ્ધતાનો મહત્વપૂર્ણ ભાગ છે.

ગત એક વર્ષ દરમિયાન સંસ્થાએ અનેક વિદ્યાર્થીઓને Cabin Crew, Ground Staff તથા Aviation Sectorમાં કારકિર્દી બનાવવા માટે સફળતાપૂર્વક તાલીમ આપી છે. ઉચ્ચ ગુણવત્તાવાળી ટ્રેનિંગ, અનુભવી ફેકલ્ટી અને આધુનિક શિક્ષણ પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર Professional Skills જ નહીં પરંતુ Confidence Building અને Personality Developmentમાં પણ નિષ્ણાત બનાવવામાં આવ્યા છે.
સંસ્થાનો મુખ્ય હેતુ યુવાનોને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદરૂપ થવાનો અને તેમને સફળ કારકિર્દી તરફ દોરી જવાનો છે.
આ સિદ્ધિ પ્રસંગે સંસ્થાના ડિરેક્ટર અને સ્ટાફે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરતાં ભવિષ્યમાં પણ વધુ સારી શિક્ષણ અને Placement Opportunities ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમનો સમાપન એક Interactive Discussion Session અને Group Interaction સાથે થયો, જેના કારણે વિદ્યાર્થીઓમાં Hospitality અને Aviation ક્ષેત્રમાં ઉત્તમતા પ્રાપ્ત કરવાની નવી પ્રેરણા અને ઉત્સાહ જોવા મળ્યો.
સાર્વજનિક યુનિવર્સિટીદ્વારા લિબરલ આર્ટ્સના નવા અભ્યાસક્રમોની શરૂઆત : વિશ્લેષણાત્મક અને માનવકેન્દ્રિત નેતૃત્વ ઘડવાનો પ્રયાસ
સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા બહુમુખી અને ભવિષ્યલક્ષી શિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ થી નવા ઘટક સંસ્થા — Sarvajanik College of Liberal Arts (એસ.સી.એલ.એ.) હેઠળ નવા સ્નાતક અભ્યાસક્રમોની શરૂઆત કરવામાં આવી છે.
“તર્ક્બદ્ધ અને સમૃદ્ધ જીવન” ના ધ્યેય ઢાચાઓસાથે શરૂ કરાયેલા આ અભ્યાસક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માનવીય વર્તન, સામાજિક અને માહિતી આધારિત વિશ્લેષણ વચ્ચેનો સંબંધ સમજાવી તેમને જવાબદાર, સંવેદનશીલ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવતા નાગરિકો તૈયાર કરવાન છે.
એસ.સી.એલ.એ. દ્વારા નીચે મુજબના નવા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવ્યા છે:
બી.એ. અર્થશાસ્ત્ર (મુખ્ય વિષય)
બી.એ. મનોવિજ્ઞાન (મુખ્ય વિષય)
બંને અભ્યાસક્રમો શૈક્ષણિક ઊંડાણ, પ્રાયોગિક અભ્યાસ અને સંશોધન આધારિત શિક્ષણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ ના બહુમુખી અને આંતરવિષયક અભિગમને અનુરૂપ રચવામાં આવ્યા છે.
બી.એ. અર્થશાસ્ત્ર અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને અર્થવ્યવસ્થા, બજાર વ્યવસ્થા, નીતિ નિર્માણ, માનવીય વર્તન, વિકાસ અભ્યાસ તથા આંકડાકીય વિશ્લેષણ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવશે. જ્યારે બી.એ. મનોવિજ્ઞાન અભ્યાસક્રમ માનવીય વિચારસરણી, લાગણીઓ, વર્તન અને અનુભવોને વૈજ્ઞાનિક તેમજ વ્યવહારુ અભિગમથી સમજવા માટે રચાયેલ છે.
વિદ્યાર્થીઓને તેમના મુખ્ય વિષય સાથે નીચે મુજબના ગૌણ વિષય / વિશેષ અભ્યાસ વિકલ્પો પસંદ કરવાની તક મળશે:
મનોવિજ્ઞાન
અર્થશાસ્ત્ર
જનસંપર્ક અને પ્રસાર માધ્યમ અભ્યાસ
આંકડાશાસ્ત્ર
આ લવચીક શૈક્ષણિક માળખું વિદ્યાર્થીઓને તેમની રસ, ક્ષમતા અને ભવિષ્યની કારકિર્દીને અનુરૂપ અભ્યાસ દિશા પસંદ કરવામાં સહાયક બનશે.
અભ્યાસક્રમનું પાઠ્યક્રમ આજના બદલાતા વૈશ્વિક અને વ્યવસાયિક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓમાં તાર્કિક વિચારશક્તિ, આંકડાકીય સમજ, અભિવ્યક્તિ કૌશલ્ય, ગણનાત્મક કુશળતા અને સંશોધન અભિરુચિ વિકસે તે માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી તેઓ રોજગારક્ષમ બનવા સાથે ઉચ્ચ અભ્યાસ અને સંશોધન માટે પણ સક્ષમ બની શકે.
યુનિવર્સિટીના જણાવ્યા મુજબ એસ.સી.એલ.એ. નું શૈક્ષણિક દ્રષ્ટિકોણ આંતરવિષયક અભ્યાસ, જિજ્ઞાસા આધારિત શિક્ષણ અને ભવિષ્યલક્ષી કૌશલ્યો પર આધારિત છે. વર્ગખંડ શિક્ષણ સાથે પ્રયોગાત્મક કાર્યો, ક્ષેત્ર અભ્યાસ, તર્કશક્તિ વિકાસ પ્રવૃત્તિઓ અને સંશોધન આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને જીવનના વાસ્તવિક પડકારો માટે તૈયાર કરવામાં આવશે.
આ નવા અભ્યાસક્રમોની શરૂઆત સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની ૧૧૪ વર્ષની ગૌરવશાળી શિક્ષણ પરંપરાને આગળ વધારતા Sarvajanik University દ્વારા સુરત અને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
યુનિવર્સિટી હવે જી.સી.એ.એસ. પ્રવેશ પોર્ટલ પર પણ ઉપલબ્ધ છે, જેના કારણે વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બની છે. યુનિવર્સિટી ગુણવત્તાસભર, વ્યવસાયલક્ષી અને પરવડે તેવું શિક્ષણ આપતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક ઉત્તમતા માટે પ્રતિબદ્ધ છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૬–૨૭ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ વધુ માહિતી માટે યુનિવર્સિટી પ્રવેશ કચેરીનો સંપર્ક કરી શકે છે અથવા પરિસરની મુલાકાત લઈને અભ્યાસક્રમની રચના, પાઠ્યક્રમ તથા પ્રવેશ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી શકે છે.
CBSE ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષા પરિણામ 2025-26
સૂરત: માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, સુરતે શૈક્ષણિક વર્ષ 2025-26 ની CBSE ધોરણ ૧૨ બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ નોંધાવ્યું છે. શાળાએ તમામ પ્રવાહોમાં પ્રશંસનીય શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, જે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનત, સમર્પણ તથા સતત પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે.
પરીક્ષામાં હાજર રહેલા કુલ ૩૬ વિદ્યાર્થીઓમાંથી ૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ તથા ૬ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સંસ્થાની શૈક્ષણિક શ્રેષ્ઠતાની પરંપરાને આગળ વધારી છે.
કોમર્સ પ્રવાહમાં ધિયાન તેજસ દેસાઈએ 475/500 ગુણ મેળવી 95% સાથે શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
હ્યુમેનિટીઝ પ્રવાહમાં નમ્રા મોરડિયાએ 458/500 ગુણ સાથે 91.60% મેળવી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું.
સાયન્સ પ્રવાહમાં જ્યોત ચકલાસિયાએ 413/500 ગુણ સાથે 82.60% મેળવી ટોપર તરીકે સ્થાન મેળવ્યું.
શાળાને વિશેષ ગૌરવ છે કે ધિયાન તેજસ દેસાઈએ બિઝનેસ સ્ટડીઝ વિષયમાં સંપૂર્ણ 100/100 ગુણ મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
માઉન્ટ લિટેરા ઝી સ્કૂલનું સંચાલન તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોને તેમની મહેનત અને પ્રતિબદ્ધતા બદલ હાર્દિક અભિનંદન પાઠવે છે તથા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરે છે.
સ્કોલર ઇંગ્લિશ એકેડમીનું શાનદાર પરિણામ, કોમર્સમાં 100% રિઝલ્ટ, સાયન્સમાં પણ વિદ્યાર્થીઓનો ઉત્તમ દેખાવ
સુરત. સ્કોલર ઇંગ્લિશ એકેડમીએ આ વર્ષે બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રમાં પોતાની પ્રતિષ્ઠા વધુ મજબૂત બનાવી છે. ખાસ કરીને કોમર્સ પ્રવાહમાં એકેડમીનું પરિણામ 100% રહ્યું છે, જે ગૌરવની બાબત છે.
કોમર્સ પ્રવાહમાં વત્સલ કાબરાએ 96.2% ગુણ મેળવી ટોચનું સ્થાન મેળવ્યું છે. પ્રજ્ઞા પાંડે 92% અને મન્નત ચાવલાએ 91.4% ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ખાસ વાત એ રહી કે અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ નોંધાવી છે.
સાયન્સ પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે. વ્રજ પટેલે 93.2% ગુણ મેળવ્યા છે, જ્યારે યશવી પચ્ચીકર અને દર્શીલ બબ્બરે પણ નોંધપાત્ર પરિણામ મેળવી એકેડમીનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે.
ટ્રસ્ટી રાજેશ મહેશ્વરી અને પ્રિન્સિપાલ મહેન્દ્ર તાયડે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું કે એકેડમી દ્વારા યોગ્ય ફીમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવાનો પ્રયાસ સતત ચાલુ રહેશે, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ મળી શકે.