શિક્ષણ અને ટેકનોલજી
શારદા વિદ્યામંદિરમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યો.
સુરત: જેમાં મુખ્ય મહેમાન શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉમાકાંતભાઈ સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને બોર્ડની પરીક્ષા માં સફળ થવા બુસ્ટર ડોઝ પૂરો પાડી ઉચ્ચતમ સંસ્કારો સાથે રાષ્ટ્ર ના આદર્શ નાગરિકો બનવા સલાહ આપી હતી.
દીપ પ્રાગટ્ય ,શ્લોક અને પ્રાર્થના થી શરૂઆત બાદ પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે શાળા પરિવાર વતી સૌને આવકાર આપી સુંદર માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ વિદ્યાર્થી ઓ એ તમામ ઉપસ્થિત મહાનુભાવો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા. અન્ય વિદ્યાર્થી ઓ એ પ્રસંગોચિત પ્રતિભાવો વ્યક્ત કર્યા.

ખુબજ વિશિષ્ટ ગરિમા પૂર્ણ, શિસ્તબધ્ધ અને અનોખા ફેરવેલ ફંક્શન માં એડમિન શ્રી યોગીસર , આચાર્યા શ્રી હિનાબેન (પ્રા.વિ) ,આચાર્યા શ્રી શાલિની બેન ( પ્રા.વિ ),તેમજ તમામ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી બાળકો ને આશીર્વાદ અને શુભેચ્છા ઓ પાઠવી. સાથે મળી ને અલ્પાહાર કર્યો
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન ચાવડા અને રેખાબેને દ્વારા કરવા માં આવ્યું સાથે સાથે તમામ શિક્ષક મિત્રો ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો. આ તબક્કે શાળા ના આચાર્ય શ્રી ચાવડા સાહેબે સૌનો આભાર વ્યકત કર્યો..
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન ચાવડા અને રેખાબેને દ્વારા કરવા માં આવ્યું સાથે સાથે તમામ શિક્ષક મિત્રો ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો. આ તબક્કે શાળા ના આચાર્ય શ્રી ચાવડા સાહેબે સૌનો આભાર વ્યકત કર્યો..
શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે આયોજિત 1લી SGVS ચેસ માસ્ટર્સ કપ – 2026 ચેસ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
આ પ્રતિષ્ઠિત ચેસ ચેમ્પિયનશિપમાં યુવા, ઉદયમાન તેમજ અનુભવી ચેસ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેના પરિણામે સ્વસ્થ સ્પર્ધા અને રમતિયાળ ભાવનાનો ઉત્કૃષ્ટ માહોલ સર્જાયો.
સુરત – આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી મુકેશ ડી. પટેલ (ચેરમેન – ગુરુકૃપા ગ્રુપ) ઉપસ્થિત રહ્યા. તેમણે આયોજનકર્તાઓના પ્રયાસોની પ્રશંસા કરી તથા વિદ્યાર્થીઓમાં વ્યૂહાત્મક વિચારશક્તિ, શિસ્ત અને એકાગ્રતા વિકસાવવા માટે ચેસ રમતના મહત્વ પર ભાર મૂક્યો.
ચેમ્પિયનશિપનું આયોજન અંડર-7, અંડર-9, અંડર-11, અંડર-14 તેમજ ઓપન કેટેગરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વય જૂથના ખેલાડીઓને સ્પર્ધાત્મક મંચ પ્રાપ્ત થયો. વિજેતાઓને કુલ ₹52,000ની રોકડ ઇનામ રકમ વિતરણ કરવામાં આવી. દરેક કેટેગરીમાં ઇનામ વિતરણ નીચે મુજબ રહ્યું:
• પ્રથમ સ્થાન – ₹2,000
• દ્વિતીય સ્થાન – ₹1,500
• તૃતીય સ્થાન – ₹1,000
• ચોથું સ્થાન – ₹800
• પાંચમું સ્થાન – ₹700
સમાવેશિતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ અનરેટેડ પ્લેયર, બેસ્ટ વેટરન પ્લેયર, બેસ્ટ મહિલા ખેલાડી તથા બેસ્ટ દિવ્યાંગ ખેલાડી માટે વિશેષ પુરસ્કારો રોકડ ઇનામ સાથે આપવામાં આવ્યા. ઉપરાંત, પ્રેરણાદાયી પ્રદર્શન બદલ મોસ્ટ વેટરન પ્લેયર તથા બેસ્ટ દિવ્યાંગ ખેલાડીને વિશેષ સન્માન આપવામાં આવ્યું.

છોકરીઓની ચેસમાં ભાગીદારી વધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, દરેક કેટેગરીમાં ટોચની પાંચ બાળિકાઓને ટ્રોફી આપી તેમની કુશળતા અને સમર્પણને માન્યતા આપવામાં આવી.
સુરત, ગુજરાતની 7 વર્ષની ચેસ પ્રતિભા વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાને 26 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર – 2025થી સન્માનિત કરવામાં આવી હતી. તેમણે આ 1લી SGVS ચેસ માસ્ટર્સ કપ – 2026માં પણ ભાગ લીધો હતો અને પોતાની વય જૂથમાં તમામ મેચોમાં વિજય મેળવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.
શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે આયોજિત આ 1લી SGVS ચેસ માસ્ટર્સ કપ – 2026નું સફળ આયોજન તથા મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ તેને એક ઐતિહાસિક કાર્યક્રમ બનાવે છે, જે ભવિષ્યના ચેસ ટૂર્નામેન્ટ માટે મજબૂત પાયો સ્થાપે છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નાનકડા વિદ્યાર્થીઓનો ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો
સાંસ્કૃતિક કાર્યક્રમોથી મહેમાનો થયા મંત્રમુગ્ધ સુરત: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નાનકડા વિદ્યાર્થીઓ માટે આનંદ, ગૌરવ અને ઉત્સાહથી ભરેલો ગ્રેજ્યુએશન ડે સમારોહ ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ સમાન રહ્યો, કારણ કે તેમણે પ્રાથમિક શિક્ષણના શરૂઆતના વર્ષો સફળતાપૂર્વક પૂર્ણ કરી હવે પ્રાઈમરી ધોરણમાં પ્રવેશ માટે તૈયારી દર્શાવી. કાર્યક્રમની શરૂઆત વાલીઓના સન્માનપૂર્ણ સ્વાગત સાથે થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ગ્રેજ્યુએશન ગાઉન અને કેપ પહેરેલા નાનકડા વિદ્યાર્થીઓએ મીઠા ગીતો, મનમોહક નૃત્ય અને આત્મવિશ્વાસભર્યા સ્ટેજ પરફોર્મન્સથી સૌનું દિલ જીતી લીધું હતું. તેમની રજૂઆતમાં શાળાએ આપેલા સંસ્કાર અને શિક્ષણનો સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળ્યો.


માહેશ્વરી મહાકુંભ 2026 : ભાવિકા માહેશ્વરીને સમાજ ગૌરવની ઉપાધિ
મહામહિમ રાજ્યપાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું. જોધપુર : આંતરરાષ્ટ્રીય માહેશ્વરી મહાધિવેશન-MGC 2026 ના ગૌરવમય મંચ પર ભાવિકા માહેશ્વરીને પ્રતિષ્ઠિત સમાજ ગૌરવ અલંકારથી વિભૂષિત કરવામાં આવ્યા। રાજસ્થાનના રાજ્યપાલ માનનીય હરિભાઉ બાગડે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિનેશ માહેશ્વરી તથા જસ્ટિસ જે.કે. માહેશ્વરીએ તેમને એટલી નાની ઉંમરે 500 થી વધુ સ્ક્રીન એડિક્શન અંગે અવેરનેસ કાર્યક્રમો માટે ગ્લોબલ સન્માન અર્પણ કર્યું. જ્યુરીમાં શ્રી આનંદ પ્રકાશ માહેશ્વરી (IPS), શ્રી શ્રીકાંત બાલડા (IAS), ન્યાયમૂર્તિ શ્રી ઉમેશચંદ્ર માહેશ્વરી, શ્રી દિનેશ પટવારી (IRS), શ્રી વિપિન માહેશ્વરી (IPS), શ્રીમતી મોનિકા મોહતા (IFS) તથા ન્યાયમૂર્તિ શ્રી દિનેશ સોમાણીની સાત સભ્યોની ટીમ દ્વારા અંતિમ પસંદગી કરવામાં આવી. ત્રણ દિવસીય માહેશ્વરી મહાકુંભમાં દેશ-વિદેશમાંથી લગભગ 50,000 લોકો જોડાયા. ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા. બે દિવસીય ત્રિસર્ગ સ્ટાર્ટઅપ કોન્ક્લેવમાં પણ સમાજના સભ્યોને કરોડો રૂપિયાની ફંડિંગ માટે આશ્વાસન મળ્યું.

એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા સ્ટ્રેકટીકલ-ધ સ્ટાર્ટઅપ બેટલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન થયું
સુરત: એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા સ્ટ્રેકટીકલ-ધ સ્ટાર્ટઅપ બેટલ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન થયું
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત અને સાર્વજનિક યુનિવર્સિટીની ઘટક સંસ્થા એસ. આર. લુથરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા સતત અગિયારમી વખત રાષ્ટ્રીય કક્ષાની ઇન્ટરકોલેજ સ્ટ્રેકટીકલ-ધ સ્ટાર્ટઅપ બેટલ સ્પર્ધાનું તા. ૦૭ /૦૨ /૨૦૨૬ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડમાં નિર્ણાયક તરીકે સરાઓગી લીગલ & IPR સર્વિસીસ ના સ્થાપક ડૉ. અનિલ સરાઓગી હાજર રહ્યા હતા.

એસ. આર. લુથરા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ડિરેકટર પ્રો. ડો. જીમી એમ. કાપડીઆ એ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમજ સાર્વજનિક યુનિવસીટીના પ્રેસિડેન્ટ શ્રી આશિષ વકીલ કાર્યક્રમમાં પ્રમુખપદે હાજર રહ્યા હતા. તેમણે નાના પાયાથી શરૂ થયેલા ઘણા સ્ટોર્ટસઅપના ઉદાહરણો આપ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સાર્વજનિક યુનિવસીટીના પ્રોવોસ્ટ પ્રો. ડૉ. કિરણ પંડયા અને એસ. આર. લુથરા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટના ચેરમેન રીપ્રેસેન્ટેટિવ સી. એ. યતિશ પારેખ પણ હાજર રહી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
આ સ્પર્ધામાં રાષ્ટ્ર માંથી કુલ સત્તર ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પ્રથમ રાઉન્ડ પછી નવ ટીમે ફાઈનલમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં ઉદ્યોગીક અગ્રણી શ્રી. આશિષ સુખડીયા, શ્રી. અભિનવ શર્મા, શ્રી. સન્ની કાબરાવાલા, શ્રીમતી. પૂર્વા વારનામીયા, શ્રીમતી. નિશમા સિંઘલ દ્વારા ૨૦ દિવસનું નિષ્ણાંત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા એસ ડી જે ઈન્ટરનેશનલ કોલેજ ટીમ, દ્વિતીય ક્રમે સાર્વજનિક કોલેજ ઓફ લો ટીમ અને તૃતીય ક્રમે એસ. આર. લુથરા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ ટીમ વિજયતા રહી હતી.
सूरत के निकेतन स्कूल में विद्यार्थियों के लिए विपासना मेडिटेशन शिविर का आयोजन
सूरत की जानी-मानी शैक्षणिक संस्था निकेतन स्कूल और धम्मा अंबिका के संयुक्त तत्वावधान में कक्षा 5 से 8 के विद्यार्थियों के लिए विशेष ‘विपासना मेडिटेशन’ सत्र का सफलतापूर्वक आयोजन किया गया। वराछा क्षेत्र में स्थित स्कूल परिसर में आयोजित इस शिविर में डिंपल लोटावाला, नवीनभाई और प्रतीकभाई द्वारा विद्यार्थियों को बहुत ही सरल शैली में ध्यान और एकाग्रता के पाठ सिखाए गए। एस.एन. गोयन्काजी की परंपरा के अनुसार, इन विशेषज्ञों ने विद्यार्थियों को आनापान पद्धति के माध्यम से मन पर नियंत्रण पाने और पढ़ाई में एकाग्रता बढ़ाने के लिए मार्गदर्शन प्रदान किया। आज के डिजिटल युग में मानसिक शांति और अनुशासन बना रहे, इस नेक उद्देश्य से आयोजित इस कार्यक्रम के लिए स्कूल के ट्रस्टीगण और अभिभावकों ने इन तीनों मार्गदर्शकों का आभार व्यक्त किया।
સુરત –(N.D.L.) નવદીપ વિદ્યાલય, ડિસેન્ટ ચાઈલ્ડ હાઈ સ્કૂલ, લીટલ મિલેનિયમ, ગુ. હા. બોર્ડ, પાંડેસરા, નવા વર્ષ 2026 નું સ્વાગત ભવ્ય વાર્ષિક સમારોહ 2025–26 સાથે કરે છે.
અમને જણાવતાં આનંદ થાય છે કે 03 જાન્યુઆરી 2026 એ યોજાયેલા અમારી શાળા ના વાર્ષિક સમારોહ અત્યંત સુંદર અને સફળ રહ્યો. અમારા પ્રતિભાશાળી બાળકો દ્વારા રજૂ થયેલા આકર્ષક નૃત્યો, મધુર ગીતો અને પ્રેરણાદાયક નાટકો સાથે સમગ્ર હોલ ઉત્સાહથી ગૂંજી ઉઠ્યો. આ વર્ષની થીમ “પર્યાવરણ સંરક્ષણ અને અમારી સુંદર ધરતીને બચાવવાની ભાવના” પર આધારિત હતી.
કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે શ્રીમાન નરોત્તમભાઇ ટી. પટેલ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી, ગુજરાત સરકાર), અને અતિથિ ડો. દિવ્યાની સોલંકી (નવદીપ વિદ્યાલય ના ભૂતપૂર્વ વિદ્યાર્થીની) તથા સોનમ રાજપૂત (ડિસેન્ટ ચાઈલ્ડ હાઈ સ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થીની) હાજર રહયા, તે બદલ શાળાના મૅનેજિંગ ટ્રસ્ટી, ટ્રસ્ટી ગણ તથા સંચાલકશ્રી અને શાળાના આચાર્ય શ્રી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે, જેઓએ કાર્યક્રમને ભવ્ય બનાવ્યો અને તેમના પ્રેરણાદાયક શબ્દોથી બાળકોનો આત્મવિશ્વાસ વધાર્યો.

આ કાર્યક્રમ અમારા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના સહયોગનું સાચું પ્રતિબિંબ હતું, જેણે સૌમાં એક સુંદર સમુદાયની ભાવના મજબૂત કરી. નાનાં બાળકો હોય કે વરિષ્ઠ વિદ્યાર્થીઓ, તમામ શિક્ષકો, સ્ટાફ અને સંકલનકારોએ આ દિવસને યાદગાર બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ દિવસ નવા વર્ષ માટે નવી ઊર્જા અને ઉત્સાહ સાથે શરૂ થયો.
સમારોહનો અંતિમ તબક્કો ભવ્ય, આનંદમય અને યાદગાર રહ્યો. તમામ રજૂઆતો એક સાથે મળી એક અદ્ભુત અનુભવ સર્જ્યો.
સર્વત્ર હાસ્ય, પ્રકાશ, સંગીત અને ઉત્સાહની લહેર ફેલાઈ હતી. દરેક ખૂણો બાળકોની સ્મિતથી ઝગમગી રહ્યો હતો.
શાળા વ્યવસ્થાપનના તમામ વિભાગના આચાર્યોએ જણાવ્યું કે શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક નીતિઓ પર સતત કાર્ય કરતી રહેશે, જેથી આગામી વર્ષોમાં વધુ ઉત્તમ પરિણામો મેળવી શકાય.
શાળાના વાર્ષિક સમારોહની સફળતા બદલ શાળા વ્યવસ્થાપને તમામ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રતિ આભાર વ્યક્ત કર્યો અને આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે તેમનું યોગદાન મહત્વનું હોવાનું જણાવ્યું.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એસ્ટેરિયન્સ દ્વારા ઉત્સાહપૂર્વક ઉજવાયો ગણતંત્ર દિવસ
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગણતંત્ર દિવસ અત્યંત ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી ઉજવાયો. સમગ્ર શાળા ગૌરવ, આનંદ અને સાંસ્કૃતિક ઉત્સાહથી ઝળહળી ઉઠી હતી. આ વિશેષ અવસરને વધુ યાદગાર બનાવ્યો શાળાના નાનકડા વિદ્યાર્થીઓએ કે જેમને સ્નેહપૂર્વક ‘એસ્ટેરિયન્સ’ તરીકે ઓળખવામાં આવે છે. જેમણે પોતાની મનમોહક રજૂઆતો દ્વારા કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા.
વિદ્યાર્થીઓએ સુવ્યવસ્થિત રીતે આયોજન કરાયેલી પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના માધ્યમથી તેમને તેમની ઉંમરને અનુકૂળ અને સરળ રીતે ગણતંત્ર દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. બાળકોના મધુર દેશભક્તિ ગીતો અને ઉર્જાસભર નૃત્ય પ્રસ્તુતિઓએ સૌનું દિલ જીતી લીધું હતું, જેમાં તેમની નિર્દોષતા, આત્મવિશ્વાસ અને દેશપ્રેમ સ્પષ્ટપણે દેખાતો હતો.

આ કાર્યક્રમ માત્ર ઉજવણી પૂરતો સીમિત નહોતો, પરંતુ તેનો મુખ્ય હેતુ બાળકોમાં એકતા, અનુશાસન અને રાષ્ટ્રીય ગૌરવ જેવા મૂલ્યોને શરૂઆતથી જ વિકસાવવાનો હતો. સંગીત, નૃત્ય અને સર્જનાત્મક અભિવ્યક્તિના માધ્યમથી વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભાવનાને અત્યંત સુંદર રીતે રજૂ કરી, જેનાથી ઉપસ્થિત સૌ કોઈ ગહન રીતે પ્રભાવિત થયા હતા.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલ ગણતંત્ર દિવસનો આ કાર્યક્રમ એ વાતની સુખદ યાદ અપાવે છે કે જવાબદાર અને ગર્વિત નાગરિકોની રચના બાળપણની શિક્ષણથી જ શરૂ થાય છે. આ આયોજન સૌ માટે પ્રેરણાદાયી અને અવિસ્મરણીય રહ્યું હતું.
શારદા વિદ્યામંદિરમાં ફન ફેરનું આયોજન, વિધાર્થીઓ માટે બન્યો અભ્યાસ સાથે આનંદ અને શીખવાનો ઉત્સવ
- શિક્ષણ સાથે સંસ્કાર અને સર્જનાત્મકતાનો સુંદર સંગમ, રંગબેરંગી સ્ટોલ બન્યા આકર્ષણ
- વિદ્યાર્થીઓએ સંભાળી જવાબદારી, શિક્ષકો અને વાલીઓની સક્રિય ભાગીદારી
સુરત. શારદા વિદ્યામંદિર ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ અને એસ.વી.એમ. અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળામાં તારીખ 19 અને 20 ડિસેમ્બર 2025ના રોજ બે દિવસીય વાર્ષિક ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફન ફેર આનંદ, ઉત્સાહ અને સર્જનાત્મકતાથી ભરપૂર રહ્યો. સવારથી જ શાળા પરિસરમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોની સક્રિય હાજરીથી સમગ્ર કાર્યક્રમ ઉજવણીરૂપ બની ગયો હતો।
વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ફન ફેરનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકના અભ્યાસથી આગળ વધારીને વ્યવહારુ અનુભવ આપવાનો હતો. કાર્યક્રમ દ્વારા બાળકોમાં ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા અને જવાબદારીની ભાવના વિકસે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા।
ફન ફેરમાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. દક્ષિણ તથા ઉત્તર ભારતીય વ્યંજન સાથે પોપકોર્ન, જ્યુસ, ચા-કોફી અને ઘરગથ્થુ સ્વાદિષ્ટ વાનગીઓએ ઉપસ્થિતોની ખૂબ પ્રશંસા મેળવી. આ સાથે સંગીત, નૃત્ય, કલા અને ક્રાફ્ટ સંબંધિત સ્ટોલોએ વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરી હતી।

ખાસ વાત એ રહી કે સ્ટોલ સંચાલનથી લઈને સમગ્ર વ્યવસ્થા સુધીની જવાબદારી વિદ્યાર્થીઓએ પોતે જ સંભાળી હતી. જેના કારણે તેમને આયોજન, સંવાદ અને ટીમવર્કનો વ્યવહારુ અનુભવ મળ્યો. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓએ પણ બાળકોને ઉત્સાહ વધાર્યો હતો।
કાર્યક્રમની સફળતા બદલ ટ્રસ્ટી શ્રી ઉમાકાંતભાઈ આચાર્ય અને શ્રી યોગી આચાર્ય, પ્રિન્સિપાલ શ્રી નરેન્દ્રભાઈ ચાવડા, શ્રીમતી હીનાબેન અધ્વર્યુ અને શ્રીમતી શાલિનીબેન પરમારે વિદ્યાર્થી પરિષદ, શિક્ષકો તથા વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે।
શાળા વ્યવસ્થાપન દ્વારા જણાવવામાં આવ્યું કે શારદા વિદ્યામંદિર અને એસ.વી.એમ. સ્કૂલ ભવિષ્યમાં પણ આવા સર્જનાત્મક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને આત્મનિર્ભર અને જવાબદાર નાગરિક બનાવવાની દિશામાં સતત કાર્ય કરતું રહેશે।
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો શિખામણ, આનંદ અને સાહસથી ભરેલો નાઈટ કેમ્પ
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાના વિદ્યાર્થીઓ માટે એક અનોખા અને જ્ઞાનવર્ધક નાઈટ કેમ્પનું સફળ આયોજન કર્યું હતું. આ કેમ્પ દરમિયાન સમગ્ર સ્કૂલ પરિસર શિખામણ, સર્જનાત્મકતા અને ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું. શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે મનોરંજનનું સુંદર સંયોજન આ કાર્યક્રમની ખાસ વિશેષતા રહ્યું, જેના કારણે વિદ્યાર્થીઓ માટે આ અનુભવ યાદગાર બની રહ્યો.
નાઈટ કેમ્પનું મુખ્ય આકર્ષણ ‘આકાશદર્શન (સ્કાય ગેઝિંગ)’ રહ્યું, જેમાં વિદ્યાર્થીઓએ રાત્રીના આકાશની સુંદરતા નિહાળી વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને રોમાંચનો અનુભવ કર્યો. ઉપરાંત, વિદ્યાર્થીઓએ ઘડિયાળ નિર્માણ તથા ચંદ્રમા નિર્માણ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિ, સમયની સમજ અને વૈજ્ઞાનિક જ્ઞાનમાં વધારો કર્યો.
આ બાદ યોજાયેલ મેજિક શોએ બાળકોના ચહેરા પર ખુશીની લહેર દોડાવી દીધી અને સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું. અન્ય સુવ્યવસ્થિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને આખા કેમ્પ દરમિયાન સક્રિય અને ઉત્સાહિત રાખવામાં આવ્યા.
આ નાઈટ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ગખંડની બહાર અનુભવાત્મક શિખામણ, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને શોધભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. આ સફળ આયોજન ફરી એકવાર વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની ગુણવત્તાસભર અને નવીન શિક્ષણ પદ્ધતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.