ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા

 

દેશના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ તાજેતરમાં ટાટા સ્ટીલ અને ટાટા પાઇપ્સના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધિત કરીને ક્લાયમેટ એક્શનની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે દેશભરના હજારો ટાટાના કર્મચારીઓને સંબોધિત કર્યા હતા.

‘સી.એસ.આર એટલે કે કલેક્ટિવ સસ્ટેનેબલ રસ્પોન્સિબિલિટી’ નામના તેમના વક્તવ્યમાં વિરલ દેસાઈએ વિશ્વને અસર કરી રહેલા ક્લાયમેટ ચેન્જના ગંભીર પરિણામો અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, ‘ટાટા જેવા મહાન ઉદ્યોગ જૂથના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધવાનું મારા માટે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. ક્લાયમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દા પર બોલવું એ મારી જવાબદારી છે.’

વિરલ દેસાઈએ તેમના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જ એ માત્ર એક પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ આપણી ભાવી પેઢી માટે એક મોટો ખતરો છે. આપણે સૌએ મળીને આ સમસ્યાનો સામનો કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ સાથે તેમણે એમ પણ સ્પષ્ટ કરી આપ્યું કે ક્લાયમેટ ચેન્જ એ માત્ર સરકારોની કે એનજીઓઝની કે કોર્પોરેટ્સની જ જવાબદારી નથી. આ જવાબદારી તમામ લોકોની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વિરલ દેસાઈએ ટેડેક્સ જેવા મંચો પર કે દુબઈ જેવા શહેરોમાં ક્લાયમેટ એક્શન અંગેના તેમના વિચારો રજૂ કર્યા છે.

ગેસ અને કબજિયાતની સાઇડ ઇફેક્ટ વગર સારવાર એટલે કોલોન હાઇડ્રોથેરાપી હવે વેસુમાં પણ ઉપલબ્ધ

 

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે દાસત્વ હીલિંગ લીવ સેન્ટરનું ઉદ્ઘાટન

સુરત. આધુનિક જીવનશૈલીના કારણે આજકાલ મોટાભાગના લોકો ગેસ, કબજિયાત અને એસિડિટીનો શિકાર બને છે. કોઈપણ દવાઓ લીધા વિના અને કોઈપણ આડઅસર વિના આવી સમસ્યાઓથી છુટકારો મેળવવો શક્ય છે અને આ સારવાર કોલોન હાઈડ્રોથેરાપી છે. હવે શહેરના વેસુ વિસ્તારમાં કોલન હાઇડ્રોથેરાપી સેન્ટર પણ ઉપલબ્ધ છે. વેસુ કેનાલ રોડ પર ઈકો કોમર્સ ખાતે રવિવારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે દાસત્વ હીલિંગ લીવ કોલોન હાઈડ્રોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દાસત્વ હીલિંગ લીવ સેન્ટરના કિશોર સરવૈયાએ ​​જણાવ્યું હતું કે કોલોન હાઇડ્રોથેરાપી એક એવી થેરાપી છે જેની કોઈ આડઅસર નથી અને તે દસ વર્ષથી વધુ ઉંમરના બાળકો તેમજ વૃદ્ધો દ્વારા કરી શકાય છે. આ થેરાપી દ્વારા મિનરલ વોટર થકી શરીરમાં ફસાયેલા કચરાને દૂર કરવામાં આવે છે, જેના કારણે વ્યક્તિને ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આ થેરાપી વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે અને સુરતમાં પણ છેલ્લા છ વર્ષથી ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. સુરતમાં દાસત્વ હીલિંગ લીવનું આ ત્રીજું સેન્ટર છે. અડાજણ અને રાંદેર વિસ્તારમાં બે સેન્ટર કાર્યરત છે અને હવે સુરતની જનતાની સેવા માટે વેસુમાં આ ત્રીજું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે અત્યાધુનિક ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી વિભાગ શરૂ

 

દક્ષિણ ગુજરાતમાં પલ્મોનરી કેરમાં ક્રાંતિ લાવવાનું શ્રેય શેલ્બી હોસ્પિટલને

સુરત, ઑક્ટોબર 20, 2024 – જાણીતી શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, સુરતે તેનો ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીનો સ્ટેટ-ઓફ-ધ-આર્ટ વિભાગ શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સૌપ્રથમ પહેલ શેલ્બી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. આ મેગા લોન્ચ ઇવેન્ટ ગૌરવ પથ રોડ ખાતે ડ્રીમ ફેસ્ટિવલમાં આયોજીત કરવામાં આવી હતી. આ ભવ્ય સમારંભમાં 250 થી વધુ ડોકટરો, હેલ્થકેર ડેલિગેટ્સ, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ જોડાયા હતા. સુરતના પોલીસ કમિશનર, શ્રી અનુપમસિંહ ગેહલોતે નવા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું અને શહેરમાં આવી અદ્યતન સુપર-સ્પેશિયાલિટી કેરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નવો વિભાગ બાળરોગ
અને પુખ્ત વયના દર્દીઓ બંને માટે ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી સેવાઓ માટેની સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ છે. આમાં EBUS, રોગનિવારક બ્રોન્કોસ્કોપી અને ક્રાયોથેરાપી, વિવિધ શ્વસન રોગોના નિદાન/સારવાર માટે ઉપલબ્ધ નવીનતમ લઘુત્તમ આક્રમક તકનીકોનો સમાવેશ થાય છે. શેલ્બી હોસ્પિટલ્સમાં હવે નવા યુગના ફેફસાંની સંભાળનાં સાધનો અને અન્ય અદ્યતન તબીબી સાધનો સાથે, વ્યક્તિ દર્દીઓ માટે વિશ્વસ્તરીય સેવાઓની ખાતરી કરી શકે છે.

અસ્થમા વિભાગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ અને પલ્મોનરી ફાઇબ્રોસિસ સહિત ફેફસાના કેન્સર અને ક્રોનિક ફેફસાના રોગો માટે અદ્યતન નિદાન અને ઉપચારાત્મક સંભાળ પણ પ્રદાન કરશે, દર્દીઓને સારવાર પછી વહેલા સ્વસ્થ થવામાં મદદ કરશે, જેમાં CP અને રેડિયલ EBUS બ્રોન્કોસ્કોપી અને ક્રાયોથેરાપીનો ઉપયોગ કરવામાં આવશે.

આ કાર્યક્રમને પલ્મોનોલોજિસ્ટ અને થોરાસિક સર્જનોનો સમાવેશ કરતી તબીબી ટીમ દ્વારા પણ સમર્થન આપવામાં આવે છે, જેઓ ટ્રાન્સપ્લાન્ટેશન પછી દર્દીઓને અનુસરે છે. આનાથી સમગ્ર ગુજરાતમાં અને તેની બહાર ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પહોંચાડવા માટે શેલ્બીની પ્રતિષ્ઠા વધુ વધે છે.

વિભાગના પ્રવાસ અને અત્યાધુનિક સાધનો અને સેવાઓના એક્સપોઝર સાથે ઇવેન્ટનું સમાપન થયું હતું. જે હવે સુરત અને તેની આસપાસના રહેવાસીઓ માટે સુલભ હશે.

દિવાળીનો વિજય અને પરંપરાનો ઉત્સવ: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રકાશના દીવડા

 

દિવાળી, પ્રકાશનો આ તહેવાર, બુરાઈ પર સારો અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. આ તે સમય છે જ્યારે સમાજો એકઠા થાય છે અને પરિવાર, આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદો પર મનન કરે છે. આ તહેવારનું નામ ઘરના બહાર પ્રજવળિત કાચા દીવડા (દીપ)ની કતારોમાંથી આવ્યું છે

જે આંતરિક પ્રકાશનું પ્રતિક છે, જે અમને આધ્યાત્મિક અંધકારથી સુરક્ષિત રાખે છે. દિવાળી ભારતભરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે અને ભગવાનને શાંતિ, સમૃદ્ધિ અને ખુશીના રક્ષક અને પોષક તરીકે સન્માનિત કરે છે. ઉત્તર ભારતમાં, આ રામ રાજાના રાવણ પર વિજય મેળવીને અયોધ્યામાં પરત ફરવાનું પ્રતિક છે.

દક્ષિણ ભારતમાં, આ તહેવાર ભગવાન કૃષ્ણ દ્વારા દાનવ નરકાસુરના સંહારનું ઉજવણી કરે છે, અને પશ્ચિમ ભારતમાં, આ વિષ્ણુ ભગવાને રાજા બલિને પાતાળ લોકમાં મોકલવાનો દિવસ છે, જે પૃથ્વી પર સંતુલન અને શાંતિ જાળવી રાખે છે. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારા વિદ્યાર્થીઓએ ઉત્સાહી ભાવ સાથે આ તહેવારને આલિંગન આપ્યો.

તેમણે અમારી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખીને સુંદર કંદીલ અને દિવાલની સજાવટ બનાવી. તેમના સર્જનાત્મકતા અને ઉત્સાહે આ આનંદમય અને રંગીન તહેવારને આવકારવા માટે એક નવી કિરણ ફેલાવી.

7 નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”ની સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

 

ફિલ્મ 7મી નવેમ્બરના રોજ થશે રિલીઝ

સુરત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફૂલ- ઓન ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે જે સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર છે. એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે. ઉલ્લેખનીય છે કે પૂજા અને પરીક્ષિતની જોડી “હું અને તું” પછી ફરી એકવાર સાથે આવી રહી છે. ફિલ્મના પ્રમોશન અંગે મુખ્ય અભિનેતા પરીક્ષિત તમાલિયા તથા અભિનેત્રી પૂજા જોશી તથા અનુભવી અભિનેતા અનુરાગ પ્રપન્ના સુરતના આંગણે આવ્યા હતા અને સુરતમાં આવેલ સમતા ગૌધાણી શોરૂમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.

“કાલે લગન છે !?!” ફિલ્મમાં પરીક્ષિત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારાત વગેરે કલાકારો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.

ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો ફિલ્મમાં ‘એનોય્ડ આયુષ’ ની જર્ની બતાવવામાં આવી છે જેને દીવ જતી વખતે એક છોકરી ઈશિકાને મળે છે, જ્યાં રહસ્યમય ખુલાસાઓ તેને તેના પ્લાન બદલવા માટે ફરજ પાડે છે અને દરેક ટ્વિસ્ટ દર્શકોને રમૂજ પ્રદાન કરશે. ટ્રેલરમાં પણ પરીક્ષિત અને પૂજા સાથે કારમાં મુસાફરી કરતાં જોવા મળે છે. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા દર્શકો આતુર છે.

ફિલ્મ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

નવરાત્રી પર્વ પર લજ્જા શાહે કોરીયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્યોએ રંગ જમાવ્યો

 

સુરત, 18 ઓક્ટોબર: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભૂલ્યા જ નથી પણ વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિને જીવંત પણ રાખી રહ્યા છે. આવા જ વ્યક્તિઓમાં સામેલ છે મૂળ સુરતના લજ્જા શાહ. જેઓએ બેલ્જિયમના એંટવર્પ શહેરને કર્મભૂમિ બનાવનાર લજ્જા શાહે આ વખતે નવરાત્રી પર્વ પર બેલ્જિયમ ખાતે પોતે કોરિયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્ય થકી માત્ર રંગ જ જમાવ્યો નહીં પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું…

લજ્જા શાહે જણાવ્યું હતું કે એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઓપનિંગ ઇવેન્ટ માટે તેઓને હાયર કરવામાં આવ્યા હતાં. ત્યારે નવરાત્રિની ઓપનિંગ ઇવેન્ટ યાદગાર બની રહે અને ખાસ તેમાં ગુજરાતની સંસ્કૃતિના દર્શન થાય એ રીતનું આયોજન કરવાનું લજ્જા શાહે નક્કી કર્યું હતું. તેઓએ આ માટે ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કરવાનું નક્કી કર્યું અને 15 જેટલા ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતાં. આ ઇવેન્ટમાં બાળકોથી માંડીને વાયોવૃધ્ધો સહિત 250 લોકોએ ભાગ લીધો હતો. ફોક ડાન્સમાં ગરબાની સાથે જ હુડો, કચ્છી રાસ, સનેડો જેવા લોક નૃત્ય તૈયાર કરાયા હતા અને એક થી દોઢ કલાક સુધી આ ઇવેન્ટ ચાલી હતી અને આખો માહોલ ગુજરાતમય બની ગયો હતો. સમગ્ર ઇવેન્ટ માત્ર આકર્ષણ જ જમાવ્યું ન હતું પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું હતું. લજ્જા શાહે જણાવ્યું હતું કે લોકો માત્ર ગુજરાતના ગરબા મે જ ફોક ડાન્સ તરીકે ઓળખે છે પણ ગુજરાતમાં 20 જેટલા લોક નૃત્ય છે તે પૈકી 15 લોક નૃત્ય મે કોરિયોગ્રાફ કર્યા હતા અને ગુજરાતના વિવિધ લોક નૃત્યોનો બેલ્જિયમ માં વસતા ભારતીયો સાથે જ યુરોપ વાસીઓને તેનો પરિચય કરાવ્યો હતો.

સુરતમાં ચલાવતા હતા દોડિયો ક્લાસ

લજ્જા શાહ મૂળ સુરતના વતની છે, તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારે સુરત ખાતે મલ્હાર નામથી સુરત ખાતે દોડીયો ક્લાસ ચલાવતા હતા. હવે છેલ્લા 12 વર્ષથી તેઓ બેલ્જિયમ ખાતે સ્થાયી થાય છે ત્યારે યુરોપમાં પણ તેઓ લોકોને ગરબા સાથે જ ગુજરાતમાં લોક નૃત્યો અને ડાન્સ શીખવાડે છે. એંટવર્પ સાથે જ યુરોપમાં મોટી સંખ્યામાં તેઓના વિદ્યાર્થીઓ છે. એટલું જ નહીં પણ તેઓ ઓનલાઇન ક્લાસના માધ્યમથી પણ લોકોને ડાન્સ શીખવાડી રહ્યા છે.

શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું

 

અમદાવાદ, 18 ઓક્ટોબર: સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં ‘એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ’ કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિયોંના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે.

કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ પાનશેરિયા, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ હાજર રહ્યા હતા.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સન્માનિત મહેમાનોએ પણ એવોર્ડ આપતી વખતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

શ્રીયમ નેશનલ ટીએમટીએ FE 550 અને FE 550D સહિત શ્રેષ્ઠ-ગુણવત્તાવાળા TMT બારની શ્રેણી સાથે સ્ટીલ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. કંપની પોતાના 200 એકરમાં ફેલાયેલા અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં આયર્ન ઓરમાંથી ટીએમટી ઉત્પાદન કરવા માટે જાણીતી છે. કંપની લેડલ રિફાઇનિંગ ફર્નેસ (LRF) અને બ્લોક મિલ (રોલિંગ મિલ) જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ ઇનોવેશન્સને કારણે કંપનીના પ્રોડક્ટ્સની ગુણવત્તા ઇન્ટરનેશનલ કક્ષાની છે.

કંપની સસ્ટેનેબિલિટી તેમજ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને ઇકો-ફ્રેન્ડલી બાંધકામ સોલ્યુશન્સમાં યોગદાન આપવા માટે પણ સમર્પિત છે. શ્રીયમ નેશનલ ટીએમટી પોતાના ઉદ્યોગની સાથે-સાથે કચ્છમાં રોજગાર સર્જન, સીએસઆર પહેલ અને મજબૂત સમુદાય સંબંધો દ્વારા વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શ્રીયમ નેશનલ ટીએમટી એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ સાથે સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહી છે જે તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કરે છે.

શ્રીયમ નેશનલ ટીએમટી બાર્સે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 પણ મેળવ્યો છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે કંપની ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની બની હતી, જેને CII-ગ્રીન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જે કંપનીની પર્યાવરણ પ્રત્યેની ઉચ્ચ કક્ષાની નિસ્બતને પ્રદર્શિત કરે છે.

ફેશન અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

 

સુરત: શહેરની ખ્યાતનામ ફેશન અને ઇન્ટરિયર ડીઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ આઈ એફ ડી દ્વારા ડિપ્લોમાનો અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરનાર 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડીઝાઇનિંગ મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે રીગા સ્ટ્રીટ શાંતમ ખાતે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હાકિમ, નરેન્દ્ર સાબુ, પિયુષ વ્યાસ અને ગીતા શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટમાં ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરનાર 60 અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 15 વિદ્યાર્થીઓ મળી 75 વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ડિપ્લોમા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. વધુમાં મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સુરત ટેકસટાઇલ સાથે જ હવે ગારમેન્ટ્સ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં ડિમાન્ડ વધી રહી છે જે એક સારી એવી કેરિયર આપી શકે છે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ હવે ફેશન ડિઝાઇનર તરીકે કેરિયર બનવાનું પસંદ કરી રહ્યા છે.

નેશનલ સિલ્ક એક્સ્પોમાં વિવિધ ડિઝાઇનવાળી સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને કપડાં ઉપલબ્ધ થશે.
સુરતમાં પાંચ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે

 

દિવાળી અને કરવા ચોથ સ્પેશિયલ કલેક્શન

  • ડાયરેક્ટ વિવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ
    સુરત. સુરતના સિટીલાઈટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે આઠ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સ્પોમાં મહિલાઓ માટે સિલ્ક, કોટન સાડી, ડિઝાઈનર એથનિક ડ્રેસ, ડ્રેસ મટિરિયલ, હોમ લિનન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. 16 થી 20 ઓક્ટોબર સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સ્પો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. ડાયરેક્ટ વિવર્સ એક્ઝિબિશન એન્ડ સેલ છે. ઓલ સિલ્ક એન્ડ કોટન પ્રોડક્ટ્સ વિવર્સ કિંમત માં મળશે. તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે. દિવાળી અને કરવા ચોથ , તહેવારોની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા. આ સાથે 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને ડ્રેસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઉભા કરવામાં આવશે. જેથી કરીને તમે અલગ-અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો. “વિવિધ ડિઝાઇનના અલગ-અલગ દર હોય છે, જે લોકો ખરીદી કરી રહ્યા છે તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે. ગ્રાહકોને પેમેન્ટ કરવા માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતના ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે.

બિહાર, આસામ, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, આંધ્રપ્રદેશની લોકપ્રિય જાતો અને સાડીઓ અને ડ્રેસ મટિરિયલ રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ થશે. સિલ્ક એક્સ્પો. જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન છે. જેમાં ગુજરાતની ડબલ ઇક્કત હાથવણાટની પટોળા સાડી 15 હજારથી માંડીને 2 લાખ રૂપિયામાં ઉપલબ્ધ છે, જે આઠ મહિનામાં તૈયાર થઈ જાય છે. તે બે વાર વણાય છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે.

બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે. ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર બાગ પ્રિન્ટ કરાવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પૈઠાની સાડીઓના મોટિફ વણાવે છે. બાય ધ વે, પરંપરાગત બનારસી ઝરી અને કઢવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી, આ સેલમાં રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે.

ભાગલપુર, બિહારના ઘણા વણકરો, રેશમ વણાટ માટે પ્રખ્યાત, લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. કારીગરો 30 થી 40 દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે, જેની કિંમત 5 હજારથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે.

બનારસી અને જમદાની સિલ્ક, કાંચીપુરમ, બિહાર તુસાર, ભાગલપુર સિલ્ક, ગુજરાત બંધિની અને પટોળા, પશ્ચિમ બંગાળનું બાયલુ, કાંથા, હેન્ડ પેઈન્ટેડ સાડીઓ, ઢાકાઈ જમદાની, પૈઠાની, એમપી ચંદેરી, મહેશ્વરી, એરી સાડીઓ, શિબોરી અને અજરક પ્રિન્ટ, હેન્ડ કલમકારી રાજસ્થાન બ્લોક પ્રિન્ટ, છત્તીસગઢ કોસા અને ખાદી સિલ્કની સાડી અને ડ્રેસ મટિરિયલ ઉપલબ્ધ થશે. સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવનમાં મૈસુર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્કની સાથે બિહારનું તુસ્સાર સિલ્ક, આંધ્રપ્રદેશનું ઉપડા, ઓરિસ્સાનું મૂંગા સિલ્ક પણ ઉપલબ્ધ છે.

અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા યોજાયો કર્મભૂષણ પુરસ્કાર સમારોહ

 

25 કેટેગરીમાં 95 પોલીસ અધિકારી – કર્મચારીઓને કરાયા સન્માનિત

સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર અને સાંસદ રવિ કિશન, અભિનેતા પ્રતીક ગાંધી અને સિમરન કૌર રહ્યા ઉપસ્થિત

સુરત. શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને પોતાની અસાધારણ કામગીરીથી એક અમીટ છાપ છોડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા સુરત ખાતે કર્મભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 25 અલગ અલગ કેટેગરીમાં સુરત પોલીસ વિભાગમાં 95 અધિકારીઓ અને કર્મચારીઓને કર્મભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલ , બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન, અભિનેતા પ્રતીક ગાંધી અને સિમરન કૌર ઉપસ્થિત રહ્યા હતા.

સુરતની અનીસ સંસ્થા દ્વારા દર વર્ષે મુંબઈ પોલીસ માટે યોજાતા ઉમંગ શોની જેમ સુરત ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસના એવા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવે છે કે જેમને પોતાના કર્યો થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું હોય અને મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ વખતે પણ 13 ઓક્ટોબરના રોજ પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તી મંત્રી સી. આર.પાટીલ અને બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે બોલિવૂડ અભિનેતા પ્રતીક ગાંધી અને અભિનેત્રી સિમરન કૌર, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન આમંત્રિત મહેમાનો ના હસ્તે સુરત પોલીસના 95 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ 25 કેટેગરીમાં કર્મ ભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન અનીસ સંસ્થાના અધ્યક્ષ ગીતા શ્રોફ અને અલાયન્સ ના સુભાષ દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આયોજનને સફળ બનાવવા માટે અનીસ સંસ્થાની સિનિયર ટીમ, યુવા ટીમ , ફૌજી ટીમ અને સંસ્કૃતિ ધામ ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.