એક્સપ્લોર ધ કોમર્સ હોરિઝોન : ગુજરાત બોર્ડના ધોરણ 12ના પરિણામો બાદ પારુલ યુનિવર્સિટીમાં યુજી પ્રવેશનો પ્રારંભ

 

 “સર્વોત્તમ ઉદ્યોગ અનુભવ પ્રદાન કરવા માટે સારી રીતે સજ્જ પુષ્કળ માળખાકીય સુવિધાઓ.”

ઇન્ડિયા, 20મી મે 2024: શૈક્ષણિક શ્રેષ્ઠતામાં પોતાની પ્રતિબદ્ધતા સાથે પ્રસિદ્ધ પારુલ યુનિવર્સિટી ગર્વથી પોતાની કોમર્સ ફેકલ્ટી માટે એડમિશન સીઝનની શરૂઆતની જાહેરાત કરે છે. ગુજરાત બોર્ડ GSEB HSC-2024 પરિણામો આવ્યાની સાથે જ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને કોમર્સની ડાયનામિક દુનિયામાં સફળતા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે તૈયાર કરાયેલા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની રેન્જ ઓફર કરવાની તૈયારી કરી રહી છે.

આજના ઝડપથી વિકસિત થઇ રહેલા કોમર્શિયલમાં કોમર્સનું મહત્વનો ઓછું આંકી શકાતું નથી. બજારો અને અર્થતંત્રો પરિવર્તિત ફેરફારોમાંથી પસાર થઈ રહ્યા છે,જેમાં કુશળતા અને વ્યવહારુ કુશળતા બંનેથી સજ્જ વાણિજ્ય વ્યાવસાયિકોની જરૂર છે. આ પારુલ યુનિવર્સિટીની કોમર્સ  ફેકલ્ટી સાથે સંરેખિત થવું એ આ પેરાડાઈમ શિફ્ટમાં ટોપ પર છે જે એક વ્યાપક શૈક્ષણિક અનુભવ તેમજ વિદ્યાર્થીઓને ક્ષેત્રના મહત્વપૂર્ણ તત્વોની વ્યાપક સમજ પ્રદાન કરે છે.

ઑફરિંગ્સ: અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની વિવિધ રેન્જ

પારુલ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ગર્વથી વિવિધ પ્રકારના વિશિષ્ટ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરે છે, જેનો મુખ્ય ઉદ્દેશ વ્યવસાયિક ક્ષેત્રોમાં કુશળતાને પ્રોત્સાહન આપવાનો છે:

એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સમાં B.Com: આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ફાઇનાન્સ અને ઑડિટિંગમાં કારકિર્દી માટે આદર્શ નાણાકીય વ્યવસ્થાપન અને એકાઉન્ટિંગ કૌશલ્યોથી સજ્જ કરશે

●બેંકિંગ અને ઇન્સ્યોરન્સમાં B.Com: વિદ્યાર્થીઓ બેંકિંગ અને ઇન્સ્યોરન્સના ઓપરેશનલ ધોરણોની સમજ મેળવે છે, તેમને ક્ષેત્રની ગતિશીલ ભૂમિકાઓ માટે તૈયાર કરે છે.

●હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં  B.Com: આ અભ્યાસક્રમ HR મેનેજમેન્ટમાં નિપુણતા વિકસાવે છે, જે ભરતી, તાલીમ અને કર્મચારી સંબંધો સંભાળવા માટે નિર્ણાયક છે.

માર્કેટિંગ મેનેજમેન્ટમાં B.Com: આ પ્રોગ્રામ માર્કેટિંગ અને બ્રાન્ડ મેનેજમેન્ટમાં માર્ગો ખોલતી માર્કેટિંગ વ્યૂહરચનાઓનું ઊંડું જ્ઞાન પ્રદાન કરે છે.

એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં B.Com (ઓનર્સ): એડવાન્સ કોર્સવર્ક વિદ્યાર્થીઓને કોર્પોરેટ ફાઇનાન્સ ક્ષેત્રોમાં નેતૃત્વ માટે તૈયાર કરે છે.

બેંકિંગ અને ઇન્સ્યોરન્સમાં B.Com (ઓનર્સ): ભાવિ મેનેજર માટે તૈયાર કરવામાં આવેલ આ પ્રોગ્રામ બેંકિંગ અને વીમા પ્રેક્ટિસના વિશિષ્ટ જ્ઞાનનો અભ્યાસ કરે છે.

હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં B.Com (ઓનર્સ): સ્નાતકો કોર્પોરેટ અથવા કન્સલ્ટન્સી વાતાવરણમાં HR કામગીરીનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.

● માર્કેટિંગ મેનેજમેન્ટમાં B.Com (ઓનર્સ): આ અદ્યતન પ્રોગ્રામ માર્કેટિંગ વ્યૂહરચના અને ગ્રાહક વર્તણૂક વિશ્લેષણમાં નેતાઓને આકાર આપે છે.

શૈક્ષણિક ફિલોસોફી: નવીનતા સાથે પરંપરાનું મિશ્રણ

કોમર્સ ફેકલ્ટી આધુનિક શિક્ષણ શાસ્ત્રની તકનીકો સાથે પરંપરાગત શૈક્ષણિક પદ્ધતિઓને સંયોજિત કરીને સંતુલિત અભિગમ દ્વારા પોતાને અલગ પાડે છે. આ સાથે એ સુનિશ્ચિત કરે છે કે સ્નાતકો માત્ર તેમના ક્ષેત્રોમાં જ સારી રીતે વાકેફ નથી પરંતુ સ્પર્ધાત્મક વ્યવસાયના લેન્ડસ્કેપમાં સફળ થવા માટે જરૂરી આંતરવ્યક્તિત્વ કૌશલ્યો અને નૈતિક ગ્રાઉન્ડિંગ પણ ધરાવે છે.

શ્રેષ્ઠતાનો રેકોર્ડ: પ્લેસમેન્ટ સિદ્ધિઓ અને સન્માન

શ્રેષ્ઠતા માટે પારુલ યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા તેના ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ રેકોર્ડ્સમાં પ્રતિબિંબિત થાય છે, જે રૂ. 37.98 LPAના સર્વોચ્ચ પેકેજનો સમાવેશ થાય છે. 1000થી વધુ લીડિંગ નેશનલ અને ઇન્ટરનેશનલ કોર્પોરેશનો યુનિવર્સિટીના કેમ્પસ ડ્રાઇવમાં ભાગ લે છે, જે ઇન્ડિગો, ડેલોઇટ, ટીસીએસ અને અન્ય ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓમાં મહત્વપૂર્ણ પ્લેસમેન્ટ તરફ દોરી જાય છે. આ વર્ષે યુનિવર્સિટીએ રૂ. 10 LPA અને રૂ. 5 LPA કરતાં વધુની અસંખ્ય ઑફરો સાથે વૈશ્વિક પ્લેસમેન્ટમાં નોંધપાત્ર 100 % વધારો જોયો છે.

NAAC A++ માન્યતા સાથે પારુલ યુનિવર્સિટીને પ્રૅક્સિસ મીડિયા દ્વારા પશ્ચિમ ભારતની શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી તરીકે સન્માનિત કરવામાં આવી છે અને એસોચેમ દ્વારા શ્રેષ્ઠ યુનિવર્સિટી પ્લેસમેન્ટ માટે માન્યતા પ્રાપ્ત થઈ છે. વધુમાં નવીનતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાએ ARIIAમાં ટોચનું 50 રાષ્ટ્રીય રેન્કિંગ મેળવ્યું છે.

એડમિશનની સીઝન ચાલુ થઈ રહી છે તેમ પારુલ યુનિવર્સિટી કોમર્સ પ્રોફેશનલ્સને પોતાની ફેકલ્ટી ઓફ કોમર્સમાં જોડાવા અને કોમર્સની દુનિયામાં ઉજ્જવળ અને સમૃદ્ધ કારકિર્દી તરફની સફર શરૂ કરવા માટે આમંત્રિત કરે છે.

શેપ ટુમોરોઝ ઇનોવેશન્સ: પારુલ યુનિવર્સિટીમાં ધોરણ 12ના GSEB પરિણામ બાદ યુજીમાં પ્રવેશ શરૂ થયા ગયા છે

 

સર્વોત્તમ ઉદ્યોગ અનુભવ પ્રદાન કરવા માટે સારી રીતે સજ્જ મૂલભૂત ઢાંચો।

ઇન્ડિયા, 20મી મે 2024: સાયન્સ પ્રગતિને પ્રોત્સાહન આપે છે, ઇનોવેશન ને આગળ ધપાવે છે અને વૈશ્વિક પડકારોનું સમાધાન કરે છે. આજ ક્રમમાં પારુલ યુનિવર્સિટી,જે   શૈક્ષણિક તેજસ્વીતા પ્રત્યેના પોતાના અતૂટ સમર્પણ માટે પ્રતિષ્ઠિત છે. પોતાની પ્રતિષ્ઠિત સાયન્સ ફેકલ્ટી માટે એડમિશન સાયકલની શરૂઆતની ઘોષણા કરવા માટે ઉત્સાહિત છે.  જેમ- જેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) HSC 2024 ની પરીક્ષાઓનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે તેમ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને સતત બદલાતા ક્ષેત્રમાં સફળ થવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યો પ્રદાન કરવા માટે સાવચેતીપૂર્વક રચાયેલ વિવિધ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરી રહી છે. 

બોર્ડના પરિણામોને સંબોધતા અને પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની સંભાવનાઓ અંગે વાત કરતા  પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. દેવાંશુ પટેલે  જણાવ્યું હતું કે, “વિજ્ઞાન આપણા વિશ્વને સમજવાનો માર્ગ પ્રકાશિત કરે છે અને પારુલ યુનિવર્સિટીમાં અમે જુનુન અને ઉદ્દેશ સાથે આ જ્યોતને પોષીએ છીએ. આ સાથે વૈજ્ઞાનિક અભ્યાસોને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતા દ્વારા અમે માઈન્ડને એક્સપ્લોર કરવા, નવીનતા લાવવા અને ઉજ્જવળ ભવિષ્યને આકાર આપવા માટે સશક્ત બનાવીએ છીએ.

અંડરગ્રેડ પ્રોગ્રામ્સનું સ્પેક્ટ્રમ:

પારુલ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી વિવિધ પ્રકારના વિશિષ્ટ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરે છે જેનો ઉદ્દેશ મુખ્ય વ્યવસાયિક ક્ષેત્રોમાં કુશળતાને પ્રોત્સાહન આપવાનો છે, જેમાં BCA વેબ અને મોબાઈલ કોમ્પ્યુટિંગ, વેબ ટેક્નોલોજીમાં BCA, BCA ફુલ સ્ટેક વેબ ડેવલપમેન્ટ, BCA ગેમિંગ ટેકનોલોજી, BCA સાયબર સિક્યુરિટી અને ફોરેન્સિક્સ, BCA ક્લાઉડ કોમ્પ્યુટીંગ, બીસીએ બ્લોકચેન ટેકનોલોજી, બીસીએ બીગ ડેટા એનાલીટીક્સ, એરોનોટિકલ એન્જીનીયરીંગ, એગ્રીકલ્ચરલ એન્જીનીયરીંગ, ઓટોમેશન અને રોબોટીક્સ, ઓટોમોબાઈલ એન્જીનીયરીંગ, બીએસસી (ઓનર્સ), ઈલેકટ્રીક વ્હીકલ ટેકનોલોજીમાં બીએસસી (ઓનર્સ), સેમીકન્ડકટર ટેકનોલોજીમાં બી.એસ.સી. એમ્બેડેડ કમ્પ્યુટિંગ અને ઓટોમોટિવ ઈલેક્ટ્રોનિક્સ, બી.ટેક.  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, બી.ટેક. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 

મશીન લર્નિંગ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, બી.ટેક.  રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, બી.ટેક. મેથેમેટિક્સ અને કમ્પ્યુટિંગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ,  બિગ ડેટા એનાલિટિક્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, બ્લોકચેન ટેકનોલોજી સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ સાથે એન્જિનિયરિંગ, સાયબર સિક્યુરિટી સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ સાથે કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, ડેરી ટેક્નોલોજી, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, ફૂડ ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, મિકેનિકલ એન્જિનિયરિંગ, મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.

પ્રેક્ટીકલ લર્નિંગ ફોર રીયલ વર્લ્ડ ઇમ્પેક્ટ:

પારુલ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી એ શૈક્ષણિક શ્રેષ્ઠતાનો પાયાનો પથ્થર છે, જે વિવિધ વૈજ્ઞાનિક શાખાઓમાં વિભિન્ન કાર્યક્રમોની વિવિધ રેન્જ ઓફર કરે છે.  ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે ફેકલ્ટી સૈદ્ધાંતિક જ્ઞાન અને વ્યવહારુ અનુભવ બંને પર ભાર મૂકે છે જે તેના વિદ્યાર્થીઓમાં નિર્ણાયક વિચાર અને નવીનતાને પોષે છે. આધુનિક પ્રયોગશાળાઓ અને સંશોધન સુવિધાઓ સહિત અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત, વિદ્યાર્થીઓને ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં સફળ કારકિર્દી માટે તૈયાર શીખવા અને સંશોધન પ્રોજેક્ટ્સમાં જોડાવાની તક પ્રદાન કરે છે.

લિંડીગ થ વે : 1000 +  ટોપની કંપનીઓ કેમ્પસ ડ્રાઇવ્સમાં ભાગ લે છે :

શ્રેષ્ઠતા માટે પારુલ યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા તેના ઉત્કૃષ્ટ પ્લેસમેન્ટ રેકોર્ડ્સમાં પ્રતિબિંબિત થાય છે, જે INR 37.98 LPAના સર્વોચ્ચ પેકેજને ગૌરવ આપે છે.  1000 થી વધુ લેડીઝ નેશનલ અને ઇન્ટરનેશનલ કોર્પોરેશનો કેમ્પસ ડ્રાઇવમાં ભાગ લે છે, યુનિવર્સિટી ઇન્ડિગો, ડેલોઇટ અને TCS જેવી પ્રતિષ્ઠિત કંપનીઓમાં મહત્વપૂર્ણ પ્લેસમેન્ટ મેળવે છે.  આ વર્ષે રૂ. 10 LPA અને રૂ.5 LPA કરતાં વધુની ઑફરો સાથે વૈશ્વિક પ્લેસમેન્ટ્સમાં નોંધપાત્ર 100 % વધારો થયો છે.  વધુમાં પારુલ યુનિવર્સિટી NAAC A++ માન્યતા ધરાવે છે અને પોતાના અસાધારણ પ્લેસમેન્ટ માટે પશ્ચિમ ભારતમાં શ્રેષ્ઠ ખાનગી યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવી છે.

નિષ્કર્ષ રૂપમાં પારુલ યુનિવર્સિટીની વિજ્ઞાન ફેકલ્ટી શૈક્ષણિક શ્રેષ્ઠતાના દીવાદાંડી તરીકે ઉભી છે જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનના ગતિશીલ ક્ષેત્રમાં ખીલવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી સજ્જ કરવા માટે રચાયેલ વિશિષ્ટ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સની વિવિધ શ્રેણી ઓફર કરે છે. એડમિશન આગામી શૈક્ષણિક સાયકલ  માટે ખુલ્લી છે, યુનિવર્સિટી પોતાના સમુદાયમાં જોડાવા અને શોધ અને વિકાસની યાત્રા શરૂ કરવા માટે મહત્વાકાંક્ષી વૈજ્ઞાનિકોનું સ્વાગત કરે છે.

વધુ વિગતો માટે આ વેબ સાઈટની મુલાકાત લો. https://paruluniversity.ac.in/who-we-are

ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

 

ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારીથી સુનિશ્ચિત કરેલ સમય કરતાં 6 વર્ષ પહેલાં પોતાની ફેસિલિટીઝ માટે બધા કરતાં પ્રથમ નેટ ઝીરો સર્ટિફિકેટ મેળવી SRK ડાયમંડે હાંસિલ કરી ઐતિહાંસિલ સિદ્ધિ સુરત – વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે વર્ષ 2030 સુધી નેટ ઝીરો થવાનો લક્ષ્ય રાખ્યું હતું પરંતુ પોતાના લક્ષ્યને વેગ આપવા માટે વિશ્વની અગ્રણી નેટ ઝીરો સર્ટિફિકેશનની સંસ્થા ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો (GNFZ) સાથે મળીને તેના લક્ષ્યને 2024 માં જ હાંસિલ કરી લીધું છે. ગયા વર્ષે યોજવામાં આવેલ SRK સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમ્યાન કંપનીના આ નેટ ઝીરો ઉદ્દેશ્યની જાહેરાત કરવામાં આવી હતી જેમાં SRKની 6 દાયકાની યાત્રા દરમ્યાન સમાજના વિકાસ માટે કરવામાં આવેલ કામો, કુદરતી આફતો દરમ્યાન કરવામાં આવેલ રાહત કામગીરી, આરોગ્યની સંભાળ, શિક્ષણ, પર્યાવરણ, સંરક્ષણ જેવા વિવિધ પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા. આ કોન્ક્લેવમાં કંપનીના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ એમીશનને નાબૂદ કરવાના સ્કોપ 1, 2 અને 3 માટે SRK ના વ્યાપક રોડમેપનું અનાવરણ કર્યું હતું. વધુમાં તેમણે કંપનીની 60 વર્ષની યાત્રામાં ESG ને પ્રતિબદ્ધ રહી કંપનીના દરેક કામ UN સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અને નેટ ઝીરો ઈન્ડિયા અને વિશ્વમાં ડિકાર્બોનાઇઝિંગની કામગીરી કરી મુખ્ય આગેવાન બનવા માટે લીડરો દ્વારા લેવાયેલા પગલાં જેને “ક્રાઉન જવેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે તેને વિગતવાર દર્શાવતો SRKનો પ્રથમ પ્યોર ઇમ્પેક્ટ રિપોર્ટની પણ જાહેરાત કરી હતી. શરૂઆતથી જ દુનિયામાં સર્વોચ્ચ પ્રદર્શન કરતી LEED સર્ટીફાઇડ બિલ્ડીંગ, SRK હાઉસ અને SRK એમ્પાયર, 2030 સુધી નેટ ઝીરો થવાનું લક્ષ્ય રાખેલ. જો કે યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલના ભુતપૂર્વ પ્રેસિડેન્ટ અને CEO મહેશ રામાનુજમ દ્વારા નવી સ્થાપિત કરેલ નેટ ઝીરો સર્ટિફિકેટ સંસ્થા GNFZ સાથે જોડાયા પછી એક સફળ વ્યૂહરચના દ્વારા બંને પ્રોજેક્ટના નેટ ઝીરો સર્ટિફિકેશન વર્ષ 2024માં જ હાંસિલ કરવાની પ્રક્રિયાને વેગ આપવા સક્ષમ બન્યા છે. શ્રી ગોવિંદ ધોળકિયા જણાવે છે કે, નેચરલ ડાયમંડના અગ્રણી હોવાની સાથે સાથે અમારા સેક્ટરને ડીકાર્બોનાઇઝ કરવું કેટલું અગત્ય છે અને આ ઉપરાંત સસ્ટેનેબલ ઓપરેશન ઉપર કામ કરતી ભારતની બીજી કંપનીઓ માટે એક ઉદાહરણ સ્થાપિત કરવાની અમારી જવાબદારી છે. કઇં પણ નિર્ણય લેવામાં પોતાની જવાબદારી નિભાવવામાં ઉપયોગી પ્રેરકબળ અને તેનું મહત્વ સમજાવતા ગોવિંદભાઇ ધોળકિયા કહે છે કે, “સમગ્ર ભારત રાષ્ટ્રને વર્ષ 2070 સુધી નેટ ઝીરો કરવાનું લક્ષ્ય છે. જો કે અમે માનીયે છીએ કે વ્યક્તિગત સુધારણા માટે આ લક્ષ્યને વેગ મળવો જોઇએ અને આપણાં ભારત રાષ્ટ્રને આગળ લઈ જવામાં બિઝનેસ લીડર્સ મહત્વની ભૂમિકા ભજવે છે. હું જાણતો હતો કે 2024નું લક્ષ્ય હાંસિલ કરવું તે દરેક માટે એક ઉદાહરણ સ્થાપિત કરવા માટેની તક હોઇ શકે છે. વર્ષના અંતમાં નેટ ઝીરો હાંસિલ કરવાના અમારા લક્ષ્યને અમે હરાવી મે મહિનામાં જ અમે આ લક્ષ્યને હાંસિલ કર્યો છે અને અમારા દરેક ઓપરેશન અને ઘણા મોટા સ્કેલમાં પરીવર્તન કરવા માટે ઘણી તકો ખોલી છે. GNFZ દ્વારા આપવામાં આવતા સર્ટિફિકેટની જરૂરિયાતોને પહોંચી વળવા SRKએ તેની ફેસિલિટીઝ માટે વિવિધ વ્યુહરચનાઓ જેમ કે સ્કોપ 1 અને 2 ના એમીશનને ઘટાડવા માટે ઓફ-સાઇટ 6 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરે છે અને સ્કોપ 3 માટે, SRKની માલિકીની તમામ કારને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવી, સોલાર પાવર ઇલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરેલ છે. કર્મચારીઓની દૈનિક મુસાફરીના માધ્યમો અને પ્રેક્ટિસને ટ્રેક કરવા માટે એક એપ્લિકેશન બનાવવી અને 200-એકર જમીનમાં વૃક્ષો વાવવા જેવી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. તેમની ડીકાર્બોનાઇઝેશન સફરના આગળના પ્રકરણ માટે, તેઓ પાણી, કચરો અને ઉર્જાની સાથે સાથે પોતાના વ્યવસાય માટે પણ GNFZ દ્વારા નેટ ઝીરોનું પ્રમાણપત્ર મેળવશે. SRKની પ્રતિબદ્ધતા ભારતમાં નેટ ઝીરો હાંસિલ કરવા માટે શું શક્ય બની શકે છે તે દર્શાવી રહી છે ત્યારે GNFZના રામાનુજમ માને છે કે, “શ્રી ગોવિંદ ધોળકિયાના નેતૃત્વમાં, ઘણા ઓછા સમયમાં SRK પોતાના લક્ષ્યને હાંસિલ કરવા માટે અમારા દ્વારા બતાવવામાં આવેલ પ્રક્રિયા અને પદ્ધતિનો ઉપયોગ કરવા સક્ષમ છે. અને તેના પરિણામ તરીકે, પ્યુપીલ, પ્લેનેટ અને પર્પસ એમ દરેક ક્ષેત્રમાં બીજા ઇન્ડિયન બિસનેસ લીડર્સ સાથે પાર્ટનરશિપ કરીને ડીકાર્બોનાઇઝ કરવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે.” SRK ને મળેલ પ્રમાણપત્ર ઝીરો એમીશનવાળું ભવિષ્ય અનુસરવા અને ટકાવી રાખવાની તેમની કાયમી પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે. વધુમાં, SRK દ્વારા કરવામાં આવતું અકલ્પનીય કામ ભારતની ડાયમંડ સેક્ટર અને સૌથી મોટી ભારતની બિસનેસ કમ્યુનિટી માટે ઉદાહરણ છે. GNFZની ટિમ કંપનીના ડેટા અને નેટ ઝીરોની સિદ્ધિઓની ઉપર સતત નજર રાખશે અને ખાતરી કરશે કે કંપની દ્વારા કરવામાં આવતી ઝીરો એમીશનની કામગીરીને ટકાવી રાખીયે. શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. વિષે: શ્રી ગોવિંદ ધોળકિયા એટ્લે કે ગોવિંદકાકા દ્વારા સ્થાપવામાં આવેલ SRK વિશ્વની અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની છે. USD 1.8 બિલિયનની વેલ્યૂ ધરાવતી 6000 થી પણ વધુ લોકોને રોજગારી આપતી SRK છેલ્લા 6 દાયકાથી કાર્યરત છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતના યોગદાનમાં જે પરીવર્તન આવી રહ્યું છે તેમાં SRK પોતાની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી રહ્યું છે. પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને દૃઢતા ઉપર ચાલતી પર્પઝ ડ્રિવન કંપની, SRK જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં કંપલાયન્સ અને સસ્ટેનેબિલિટી પ્રેક્ટિસમાં અગ્રણી  અને ઈન્ડિયાના ઝીરો એમીશનમાં પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહી છે. SRK ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ISO સર્ટિફિકેટ, સિસ્ટમ્સ અને તેની પ્રોસેસના સર્ટિફિકેટ ધરાવી સૌથી વધુ કંપલાયન્ટનું પાલન કરતી કંપની બની છે.  વધુમાં SRK પોતાના પ્રોફિટ માંથી 4.5% થી પણ વધુ રકમ સામાજીક વિકાસ  માટે વાપરે છે. દરેકને સમાન તક, હંમેશા આગળ વધવું અને સાદગીભર્યું જીવન ધોરણ જેવા ગોવિંકાકાના સ્થાપેલાં મૂલ્યોને આગળ વધારતા, આ અગ્રણી ડાયમંડ કંપની હંમેશા સસ્ટેનેબિલિટી અને સમાજને મદદરૂપ થવા હંમેશા કાર્યરત રહે છે.
લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા સુરતમાં ડીલર મીટ યોજાઈ

 

— કાર્યક્રમ દરમિયાન, નવા જનરેશનની આકર્ષક ડિઝાઇન સાથેની સ્ટાઇલિશ ખુરશીઓ પણ લોન્ચ કરવામાં આવી

— ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાની સર્વિસ અને તેમનો સંતોષ એ અમારી પહેલી પ્રાથમિકતા છે : મુકેશ બાંગડ

સુરત :

સ્ટાઇલિશ અને આધુનિક ચેર(ખુરશી), ફર્નિચરના ઉત્પાદક લાઇફસ્ટાઇલ ફર્નિચર દ્વારા સુરતમાં 27 એપ્રિલ, 2024ના રોજ ડીલર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાપનાના 22 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી આ ડીલર મીટમાં લાઈફસ્ટાઈલ ફર્નિચર દ્વારા નવા જનરેશન અને નવી ડીઝાઈનની વિશિષ્ટ ખુરશીઓ લોન્ચ કરવામાં આવી હતી, જેની સૌએ પ્રશંસા કરી હતી.

લાઇફસ્ટાઇલ ફર્નિચરના સ્થાપક મુકેશ બાંગડે જણાવ્યું હતું કે, “લાઇફસ્ટાઇલ ફર્નિચરમાં અમારો ઉદ્દેશ્ય અમારા ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ સ્ટાઇલિશ, આરામદાયક અને ઉત્તમ એક્ઝિક્યુટિવ ચેર ઓફર કરવાનો છે. અમે ઝાયલસ બ્રાન્ડ નામ હેઠળ અમારા ઉત્પાદનોનું વેચાણ કરીએ છીએ. સંસ્થાપક મુકેશ બાંગડે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, લાઈફસ્ટાઈલ 22 વર્ષથી ગ્રાહકો માટે ભરોસાપાત્ર નામ છે. આજે અમારા ઉત્પાદનો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં વેચાય છે. આ સમય દરમિયાન, અમે ડીલરોનો આભાર વ્યક્ત કરવા અને નવા ઉત્પાદનો વિશે માહિતી આપવા માટે આ ડીલર મીટનું આયોજન કર્યું છે. અમે અમારી કંપનીના મુખ્ય મૂલ્યો અને બ્રાન્ડની વિશ્વસનીયતા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ગુણવત્તાની સેવા પૂરી પાડવી અને તેમનો સંતોષ એ અમારી પ્રાથમિકતા છે.”

લાઇફસ્ટાઇલ ફર્નિચરના સહ-સ્થાપક અનુજ બાંગડે જણાવ્યું હતું કે, “સુરતમાં પ્રથમ વખત અમે ખાસ ખુરશીના પ્રદર્શનની ઈવેન્ટ લાવ્યા છીએ. અમે માનીએ છીએ કે, ખુરશી માત્ર બેસવા માટે જ ન હોવી જોઈએ પરંતુ તે સંપૂર્ણ આરામ પણ આપે તેવી હોવી જોઈએ. લાઈફસ્ટાઈલમાં અમે સતત નવીનતા સાથે કોર્પોરેટ સંસ્થાઓ, રહેઠાણો અને વ્યાપારી સંસ્થાઓ માટે નવા જનરેશનની વિશ્વ કક્ષાની વિશિષ્ટ ખુરશીઓ પ્રદાન કરીએ છીએ. અમારી ખુરશીના ભાગો ઉચ્ચ ગુણવત્તાવાળા લાકડા, સ્ટીલ, એલ્યુમિનિયમ અને વર્જિન નાયલોનમાંથી બનાવવામાં આવે છે જે અમારા નિષ્ણાતો દ્વારા ગુણવત્તાની ચકાસણી કર્યા પછી વિશ્વસનીય વિક્રેતાઓ પાસેથી મેળવવામાં આવે છે.”

કાર્યક્રમમાં ઝાયલસ બ્રાન્ડની વેચાણ વ્યૂહરચના અને વૃદ્ધિ યોજના શેર કરવામાં આવી હતી. કંપનીએ તેની ભાવિ યોજનાઓ જણાવીને ડીલરોને પ્રોત્સાહિત કર્યા હતા. આ મીટિંગમાં કંપનીએ તેના ઉત્પાદનો અને સેવાઓની નવી સુવિધાઓની વિશાળ શ્રેણી રજૂ કરી અને ડીલરો પાસેથી તેમના અનુભવો સાંભળ્યા હતા. મીટિંગનો મુખ્ય ઉદ્દેશ ડીલર અને કંપની વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત કરવાનો છે. કંપનીની આ સફળ ડીલર મીટિંગ પછી, અમે અપેક્ષા રાખીએ છીએ કે, ડીલર અને કંપની વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બનશે, જે કંપનીના ઉત્પાદનોના વેચાણ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે.

લાઇફસ્ટાઇલ ફર્નિચર વિશે માહિતી :

લાઈફસ્ટાઈલ ફર્નિચરની સ્થાપના વર્ષ 2002માં કરવામાં આવી હતી. સુરતમાં લાઈફસ્ટાઈલ ફર્નિચરનો શોરૂમ ઉધના મગદલ્લા રોડ પર આવેલો છે. લાઇફસ્ટાઇલ ફર્નિચર ઓફિસ ચેર, વિઝિટર ચેર, રિવોલ્વિંગ ચેર, એર્ગોનોમિક મેસ ચેર, સ્ટૂલ ચેર, કેફે ચેર વગેરે જેવી સ્ટાઇલિશ દેખાતી ખુરશીઓનું ઉત્પાદન કરે છે. આકર્ષક ડિઝાઇનવાળી લાઇફસ્ટાઇલ મેશ ઓફિસ ચેર લોકોને કામ કરવાનો અને બેસવાનો નવો અનુભવ આપે છે. લાઇફસ્ટાઇલ દ્વારા ઉત્પાદિત સ્ટાઇલિશ દેખાવની જાળીદાર ખુરશી હવાને પરિભ્રમણ કરવાની મંજૂરી આપે છે જેથી વ્યક્તિ લાંબા સમય સુધી ખુરશી પર બેસીને કામ કરી શકે. એર્ગોનોમિક ઓફિસ ચેરની ઊંડી સમજણ સાથે, લાઇફસ્ટાઇલે ઘણી નવી ચેર લોન્ચ કરી છે અને નજીકના ભવિષ્યમાં ઘણી વધુ ચેર લોન્ચ કરવામાં આવશે.

સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડના પબ્લિક ઇશ્યૂને 543 ગણાથી વધુનું બમ્પર સબ્સ્ક્રીપ્શન મળ્યું

 

કંપનીના શેર્સ 8 મે, 2024ના રોજ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે

અમદાવાદ, 4 મે, 2024 – ડોલ્ફિન બ્રાન્ડ સ્ટેઇનલેસ સ્ટીલ કૂકવેર અને અપ્લાયન્સિસ તથા વિવિધ રેન્જની સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના નિર્માતા અમદાવાદ સ્થિત સાઇ સ્વામી મેટલ્સ એન્ડ એલોય્ઝ લિમિટેડને તેના રૂ. 15 કરોડના એસએમઈ આઈપીઓ માટે અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે અને તે 543 થીવધુ ગણો સબ્સ્ક્રાઇબ થયો છે. રિટેલ સેગમેન્ટમાં તે 528.8 ગણો છલકાયો હતો જ્યારે નોન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર કેટેગરી 558.5 ગણો સબ્સ્ક્રાઇબ થઈ હતી.

પબ્લિક ઇશ્યૂમાં ઓફર કરવામાં આવેલા 25 લાખ શેર્સની સામે કંપનીને 128.96 કરોડથી વધુ ઇક્વિટી શેર્સ માટે બિડ્સ મળી હતી જેનું કુલ સબ્સ્ક્રીપ્શન મૂલ્ય રૂ. 7,737.60 જેટલું થાય છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 3 મેના રોજ બંધ થાય છે. કંપનીના શેર્સ 8 મે, 2024ના રોજ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે. કંપનીના શેર્સનું ગ્રે માર્કેટ પ્રિમિયમ વેબસાઇટ https://www.investorgain.com/ મુજબ શેરદીઠ રૂ. 53 હતુંજે અંદાજે88.33% નું પ્રીમિયમ લિસ્ટિંગ સૂચવે છે. સ્વસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે.

આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ના ફેસ વેલ્યુના 25 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપની પબ્લિક ઇશ્યૂના ઇક્વિટી શેર દીઠ રૂ. 60નો ભાવ ફિક્સ કર્યો છે (જેમાં ઇક્વિટી શેર દીઠ રૂ. 50ના પ્રિમિયમનો સમાવેશ થાય છે). ઇશ્યૂની રૂ. 15 કરોડની રકમમાંથી કંપની કાર્યશીલ મૂડી જરૂરિયાતો માટે રૂ. 6 કરોડ, પેટા કંપનીમાં રોકાણ માટે રૂ. 4 કરોડ, મશીનરી ખરીદવા માટે રૂ. 2 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. 2 કરોડનો ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સ છે જેનું મૂલ્ય અરજી દીઠ રૂ. 1.2 લાખના રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા છે.

સાઇ સ્વામી મેટલ્સ એન્ડ અલોય્ઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિરૂપમ અનંતલાલ ભગતે જણાવ્યું હતું કે “અમે પબ્લિક ઇશ્યૂને મળેલા પ્રતિસાદથી ખૂબ આનંદિત છીએ અને તમામ રોકાણકારોનો કંપની તથા તેના મેનેજમેન્ટમાં મૂકેલા વિશ્વાસ તથા ભરોસા માટે આભાર માનીએ છીએ. માર્કેટિંગમાં એક નાની શરૂઆતથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા સુધી અમે સ્ટેઇનલેસ સ્ટીલ ઉદ્યોગમાં એક ડાયનેમિક પ્લેયર તરીકે ઊભર્યા છીએ. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચના એ રીતે અમલમાં મૂકી શકીશું જેથી તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્ય સર્જન થાય અને અમે સતત ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ પૂરી પાડી શકીએ.”

Investor CategoryShares OfferedBids Received (Shares)Subscription (times)Total Amount (In Rs. Cr.)
HNI / Non-Institutional Investors           11,86,00066,24,22,000558.533,974.53
Retail Individual Investors11,86,00062,71,78,000528.823,763.06
Total23,72,0001,28,96,00,000543.687,737.6

Source: BSE

સાઇ સ્વામી મેટલ્સ અને એલોય્ઝ લિમિટેડ વ્યાપક શ્રેણીની સ્ટેઇનલેસ સ્ટીલ પ્રોડક્ટ્સના ટ્રેડિંગ અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે જે અમારા માનવંતા ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂરી કરે છે. કંપનીની પ્રોડક્ટ લાઇનમાં ડિનર સેટ્સ, એસ.એસ. કેસરોલ્સ, એસ.એસ. મલ્ટી કડાઈ, એસ.એસ. વોટર બોટલ્સ, સ્ટેઇનલેસ સ્ટીલ શીટ્સ, સ્ટેઇનલેસ સ્ટીલ સર્કલ્સ અને વિવિધ વાસણો જેવા વિવિધ કિચનવેરનો સમાવેશ થાય છે. ડોલ્ફિન બ્રાન્ડ કંપની અને તેની બે પેટાકંપનીઓ ભગત માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ધ્રુવિશ મેટલ્સ એલએલપીની સ્ટેઇનલેસ સ્ટીલ કિચનવેર પ્રોડક્ટ્સના ટ્રેડિંગ અને માર્કેટિંગ માટે જાણીતી છે. 3 ડિસેમ્બર, 2023ના રોજ કંપની 6 ડિસ્ટ્રીબ્યુટર્સ અને 150થી વધુ સબ-ડીલર્સ/સ્ટોકિસ્ટ/રિટેલર્સનું નેટવર્ક અને ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યોમાં વ્યૂહાત્મક જોડાણ ધરાવે છે.

કંપનીની ડોલ્ફિન બ્રાન્ડ સફળતાની મશાલ તરીકે ઊભી છે જે ગુજરાતના માર્કેટમાં કંપનીની સ્થિતિસ્થાપકતા તથા મજબૂત અસર દર્શાવે છે. છેલ્લા ત્રણ દાયકાથી તેણે ઇનોવેટિવ આઈડિયાઝને શ્રેષ્ઠ સ્ટેઇનલેસ સ્ટીલ મટિરિયલથી બનેલી ઉચ્ચ ગુણવત્તાની કિચનવેરની અલ્ટ્રામોર્ડન રેન્જમાં ફેરવ્યા છે. કંપની અને તેની બે પેટાકંપનીઓ ભગત માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ અને ધ્રુવિશ મેટલ્સ એલએલપી કૂક વેર્સ, કિચનવેર અને કટલરીમાં 1,200 અલગ અલગ મોડલ સાથે વિવિધ રેન્જનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. આ દરેક પ્રોડક્ટ અનોખો દેખાવ, સ્ટાઇલ અને પર્સનાલિટી ધરાવે છે.

ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિના માટે કંપનીએ રૂ. 1.79 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 33.33 કરોડની આવક નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2022-23માં સંપૂર્ણવર્ષની નફાકારકતા રૂ. 3.83 લાખ અને આવક રૂ. 6.27 કરોડ હતી. ડિસેમ્બર 2023ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 6.64 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 2.53 કરોડ, એસેટ બેઝ રૂ. 26.17 કરોડ અને આરઓએનડબ્લ્યુ 27.02 ટકા હતી. કંપનીના શેર બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

‘ધ લેગસી ઑફ જિનેશ્વર’ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક

 

આખરે આતુરતાનો અંત આવ્યો છે. ‘ લેગસી ઑફ જિનેશ્વરનું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. કાર્યક્રમ સિનેપોલિસ મુંબઈ ખાતે નિર્માતા અભિષેક માલુ, પ્રોજેક્ટ હેડ વિવેક કુલશ્રેષ્ઠ, અભિનેતા સુરેન્દ્ર પાલ અને અન્ય ઘણા લોકોની હાજરીમાં યોજાયો હતો. દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ જૈન ધર્મની સંસ્કૃતિ અને ક્યારેય સ્પર્શયા હોય એવા પાસાઓને સૌની સામે મજબૂત રીતે રજૂ કરશે. ફિલ્મ ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ મહાવીર જયંતિના શુભ અવસર પર રિલીઝ થશે.

અનેક પડકારો ઝીલ્યા બાદ આખરે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. હવે ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. વર્તમાન ખરતર ગચ્છાચાર્ય શ્રી જિન પીયૂષ સાગર સૂરીશ્વરજીના આશીર્વાદ અને ખરતર ગચ્છ સહસ્રબાદી મહોત્સવ સમિતિના સહયોગથી, નિર્માતા અભિષેક માલુએ દર્શકોને અદ્ભુત સિનેમેટિક અનુભવનું વચન આપ્યું છે.

લેગસી ઑફ જિનેશ્વરજૈન પરંપરાની અકથિત વાર્તાને ઉજાગર કરવાનું વચન આપે છે, જે ભગવાન મહાવીરના મહત્ત્વપૂર્ણ ઉપદેશો અને તીર્થંકરના આધ્યાત્મિક વારસાને પ્રકાશિત કરે છે. પ્રેક્ષકો રાજા ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સુધીની સફર તેમ ખરતર ગચ્છ (જૈન ધર્મનો એક સંપ્રદાય)ની સ્થાપનાને રસપ્રદ અને વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત થતી જોશે.

પ્રોજેક્ટના ડિરેક્ટર વિવેક સુધિન્દ્ર કુલશ્રેષ્ઠના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ અને નિર્દેશક પ્રદીપ પી. જાધવ અને વિવેક ઐયર દ્વારા નિર્દેશિત ફિલ્મ જૈન ધર્મના સારને પ્રામાણિકતા અને આદર સાથે જીવંત કરે છે. પ્રખ્યાત લેખક અને ગીતકાર પ્રશાંત બેબર, સંગીતકારો વિવિયન રિચર્ડ અને વિપિન પટવા સાથે ફિલ્મણે ભાવપૂર્વક સંગીતથી ભરી દે છે જે માત્ર મનોરંજન નહીં, પરંતુ પ્રેરણા પણ આપે છે.

પદ્મશ્રી ગાયક કૈલાશ ખેર, જાવેદ અલી અને દિવ્યા કુમારે મધુર કૉમ્પૉઝિશનમાં પોતાનો અવાજ આપ્યો છે, પ્રેક્ષકો ફિલ્મના પાવરફૂલ સાઉન્ડટ્રેકથી મંત્રમુગ્ધ થવાની અપેક્ષા રાખી શકે છે. ‘ લેગસી ઑફ જિનેશ્વરપાછળની ટીમ પ્રેક્ષકોને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને જૈન પરંપરાની સમૃદ્ધ ટૅપિસ્ટ્રીમાં ડૂબી જવા માટે ૧૯મી એપ્રિલ ૨૦૨૪ના રોજ થિયેટરોમાં તેમની સાથે જોડાવા આમંત્રણ આપે છે.

https://www.instagram.com/reel/C5oAhTgPMKA/?igsh=NXAxaWIwZnJ2dzZi

સુરતમાં નેશનલ સિલ્ક એક્સ્પોમાં 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ ઓફર

 

હવે ગ્રાહકોને વિવિધ દુકાનો પર ખરીદીની ઝંઝટમાંથી મુક્તિ મળશે

સુરત: સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજા અગ્રસેન ભવન ખાતે સાત દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. 11મી એપ્રિલથી શરૂ થઈ રહેલા નેશનલ સિલ્ક એક્સ્પોમાં મહિલાઓની સિલ્ક, કોટન સાડી, ડિઝાઈનર એથનિક ડ્રેસ, ડ્રેસ મટિરિયલ, હોમ લિનન સહિતની વિવિધ વેરાયટી એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. 11 થી 17 એપ્રિલ સુધી ચાલનાર આ નેશનલ સિલ્ક એક્સ્પો સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. તેની વિશેષતા એ છે કે તમને સમગ્ર ભારતમાંથી 150 થી વધુ માસ્ટર વીવર્સ અને શ્રેષ્ઠ ડિઝાઇનર્સનું કામ જોવા મળશે. લગ્ન અને ઉનાળાની મોસમ માટે ઉપલબ્ધ નવી ડિઝાઇન સાથેની ખાસ સાડીઓ અને સૂટ્સની નવીનતમ વિવિધતા. આ સાથે 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. વિવિધ પ્રકારની ડિઝાઇન સાથે સારી ગુણવત્તાની સાડીઓ, સૂટ અને ડ્રેસ છે. ઘણા રાજ્યોના વણકરો દ્વારા તૈયાર કરાયેલા કપડાના કાઉન્ટર એક જગ્યાએ ઉભા કરવામાં આવશે. જેથી કરીને તમે અલગ-અલગ દુકાનોમાં ખરીદીની ઝંઝટમાંથી મુક્ત થશો. “વિવિધ ડિઝાઇનના અલગ-અલગ દર હોય છે, જે લોકો ખરીદી કરતા હોય તેઓ તેમના બજેટ મુજબ ખરીદી કરી શકશે. ગ્રાહકો માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સહિતની ચુકવણી કરવા માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ હશે.

નેશનલ સિલ્ક એક્સ્પોમાં દેશભરમાં અલગ-અલગ જગ્યાએથી લોકપ્રિય વેરાયટીની સાડીઓ અને ડ્રેસ મટિરિયલ ઉપલબ્ધ છે, જે મહિલાઓને આકર્ષે છે. જેમાં વિવિધ પ્રકારની ડિઝાઇન, પેટર્ન, કલર કોમ્બિનેશન છે. જેમાં ગુજરાતની ડબલ ઇક્કત હેન્ડમેડ પટોળા સાડી 15 હજારથી લઇને 2 લાખ રૂપિયા સુધીની સાડી ઉપલબ્ધ છે, જે આઠ મહિનામાં તૈયાર થઇ જાય છે. તે બે વાર વણાય છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્ક કાંજીવરમ સાડી પણ મહિલાઓને આકર્ષિત કરશે. મૈસુર સિલ્કની સાડીઓ સાથે ક્રેપ અને જ્યોર્જેટ સિલ્ક, બિહારનું તુસ્સાર સિલ્ક, આંધ્ર પ્રદેશનું ઉપડા અને ઓરિસ્સાનું મૂંગા સિલ્ક પણ ઉપલબ્ધ હશે. મહારાષ્ટ્રની પૈઠાણી સાડીઓનું કલેક્શન પણ જોવા મળશે.

બનારસના વણકરો તેમની સાડીઓને નવા યુગ પ્રમાણે લોકપ્રિય બનાવવા માટે અનેક પ્રયોગો કરતા રહે છે. ક્યારેક તેઓ બનારસી સાડીઓ પર બાગ પ્રિન્ટ કરાવે છે અને હવે તેઓ બનારસી સિલ્ક સાડીઓ પર મહારાષ્ટ્રની પૈઠાની સાડીઓના મોટિફ વણાવે છે. બાય ધ વે, પરંપરાગત બનારસી ઝરી અને કઢવા બુટીની સાડીઓથી માંડીને તાંચોઈ સિલ્ક સુધી, આ સેલમાં રૂ. 1,000 થી રૂ. 5,000 સુધીની અનેક વેરાયટી ઉપલબ્ધ છે.

ભાગલપુર, બિહારના ઘણા વણકરો, રેશમ વણાટ માટે પ્રખ્યાત, લગ્નની મોસમ જેવા ખાસ પ્રસંગોએ પહેરવામાં આવતા કુર્તા અને પાયજામા માટે ખાસ હાથથી બનાવેલા ભાગલપુર સિલ્ક અને મોદી જેકેટ ફેબ્રિક પણ પ્રદાન કરે છે. તમિલનાડુની શુદ્ધ ઝરી વર્કમાંથી બનેલી કાંજીવરમ સાડી પણ મહિલાઓને પસંદ આવી રહી છે. કારીગરો 30 થી 40 દિવસમાં સોના અને ચાંદીના તારથી બનેલી આ સાડી તૈયાર કરે છે, જેની કિંમત 5 હજારથી 2 લાખ રૂપિયા સુધીની હોય છે. સુરતના સિટીલાઇટ સ્થિત મહારાજ અગ્રસેન ભવનમાં મૈસુર સિલ્કની સાડીઓ, ક્રેપ અને જ્યોર્જેટ સિલ્કની સાથે, બિહારનું તુસાર સિલ્ક, આંધ્રપ્રદેશનું ઉપડા, ઓરિસ્સાનું મૂંગા સિલ્ક પણ ઉપલબ્ધ છે.

તીર્થ ગોપીકોનની પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે

 

કંપની પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જે શેરદીઠ રૂ. 111ના ફિક્સ પ્રાઇઝ પર રહેશે, એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગની યોજના

અમદાવાદ, 5 એપ્રિલ: એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ખાસ કરીને રોડ, ગટર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતી અમદાવાદ સ્થિત તીર્થ ગોપીકોન લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેના પબ્લિક ઇશ્યૂને લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 8 એપ્રિલે ખૂલશે અને 10 એપ્રિલે બંધ થશે. પબ્લિક ઇશ્યૂથી મળનારી રકમનો કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિતની કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે. ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે.

આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 111 (ઇક્વિટી શેર દીઠ રૂ. 101ના  પ્રિમિયમ સહિત)ની પ્રાઇઝ ફિક્સ કરી છે. રૂ. 44.40 કરોડની ઇશ્યૂની રકમમાંથી કંપની રૂ. 33.40 કરોડની રકમ કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા અને રૂ. 10.24 કરોડની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુતમ લોટ સાઇઝ 1200 શેર્સ છે જે અરજી દીઠ રૂ. 1.33 લાખના રોકાણમાં અનુવાદિત થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા પર રાખવામાં આવ્યો છે.

વર્ષ 2019માં શરૂ કરાયેલી તીર્થ ગોપીકોન લિમિટેડ મધ્ય પ્રદેશમાં માર્ગ નિર્માણ, ગટર અને પાણી પુરવઠાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપનીનો વ્યવસાય મધ્ય પ્રદેશ રાજ્યમાં અને મુખ્યત્વે ઇન્દોર, છતરપુર, સાગર, દિંદોરી, જબલપુર તથા ઉજ્જૈન જેવા શહેરોમાં કેન્દ્રિત છે અને અન્ય રાજ્યોમાં તેની હાજરીને ક્રમિકપણે વિસ્તારી રહી છે. ISO 9001:2015, ISO 14001:2015 અને ISO 45001:2018 સર્ટિફાઇડ કંપની તરીકે તે ઓલ ક્લાસ સિવિલ એન્ડ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે પણ રજિસ્ટર્ડ થયેલી છે અને સરકારી વિભાગોના અનેક પ્રોજેક્ટ્સ પૂરા કરેલા છે. કંપનીએ આઈએસસીડીએલ, આઈએમસી, યુએસસીએલ, યુએમસી, એમપીજેએનએમ વગેરે જેવા વિવિધ કેન્દ્ર/રાજ્ય સરકારના વિભાગો માટે રજિસ્ટર્ડ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરેલું છે અને પ્રાઇવેટ સેક્ટર માટે બિલ્ડિંગ કામો પણ હાથ ધરેલા છે. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની ઓર્ડર બુક રૂ. 904.98 કરોડની છે.

કંપની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, વોટર સપ્લાય, પાઇપલાઇન્સ, સીવેજ નેટવર્ક, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નલ્લા ટેપ્સ, રિયુઝ નેટવર્ક, ઓવરહેડ ટાંકી, જીએસઆર, રોડ કન્સ્ટ્રક્શન, જળાશયોના પુનઃનિર્માણ વગેરે જેવા વિવિધ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ કંપની વિવિધ વિભાગોમાં 164 કાયમી કર્મચારીઓ (વર્કમેન સહિત) ધરાવતી હતી.

તીર્થ ગોપીકોન લિમિટેડના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ ધરાવે છે. કંપનીનો હાલનો બિઝનેસ મધ્ય પ્રદેશમાં સ્થિત છે અને અમે તબક્કાવાર અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવીએ છીએ. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાને એ પ્રમાણે અમલમાં મૂકીશું જેથી ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ સતત પૂરી પાડવાની સાથે તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થાય.

કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ આવક તથા નફાકારકતામાં અનેકગણો વધારો જોયો છે. જાન્યુઆરી, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના 10 મહિનામાં કંપનીએ રૂ. 7.84 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 69.70 કરોડની આવક નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2022-23માં સંપૂર્ણ વર્ષની નફાકારકતા તથા આવકો અનુક્રમે રૂ. 1.80 કરોડ અને રૂ. 39.15 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024 રોજ કંપનીની નેટવર્થ રૂ. 15.72 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 7.73 કરોડ તથા એસેટ બેઝ રૂ. 137.20 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની આરઓઈ 66.40 ટકા, આરઓસીઈ 48.40 ટકા અને આરઓએનડબ્લ્યુ 22.72 ટકા હતું. કંપનીના શેર્સ એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે.

IPO Highlights – Teerth Gopicon Ltd
IPO Opens onApril 8, 2024
IPO Closes onApril 10, 2024
Issue PriceRs. 111 Per Share
Issue Size39.99 lakh shares – up to Rs. 44.40 crore
Lot Size1200 Shares
Listing onNSE Emerge Platform of National Stock Exchange
New Civil Hospital conducted a seminar on self-defense and health care during heatwave
નવી સિવિલ હોસ્પિટલ દ્વારા હીટવેવના સમયે સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી વિશે સેમિનાર યોજાયો

 

સુરતઃ  શહેર સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. મહત્તમ તાપમાન ૩૭-૩૮ ડિગ્રી નોંધાઈ રહ્યું છે અને ૨૦ થી ૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપે લૂ ફૂંકાઈ રહી છે, ત્યારે કાળઝાળ ગરમીથી બચવા અને આકરા ઉનાળામાં સ્વાસ્થ્ય જાગૃત્તિ માટે નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં હીટવેવથી બચવાના ઉપાયો, સ્વરક્ષણ અને આરોગ્યની કાળજી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સારસંભાળ માટે નર્સિંગ સ્ટાફને માહિતગાર કરાયા હતા.
આ પ્રસંગે સુરત સરકારી મેડિકલ કોલેજના પી.એસ.એમ.વિભાગના પૂર્વ અધિક આરોગ્ય નિયામક અને અર્બન હેલ્થ એન્ડ ક્લાઈમેન્ટ રેઝીલિયન્સ સેન્ટર ઓફ એક્સલેન્સના ઓનરરી ટેક્નિકલ ડિરેક્ટર ડો.વિકાસબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાવધાની રાખવી એ જ સમજદારી છે. ગરમીના સમયે સ્વરક્ષણ અને આરોગ્ય અંગે કાળજી રાખવી ખૂબ આવશ્યક છે. ઉપરાંત, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની કાળજી તેમજ સારવારની સાથે નર્સિંગ કેર મહત્વની બની રહે છે. સામાન્ય દિવસો કરતા ગરમીના સમયે દર્દીઓને નર્સિંગ કેરની વધુ જરૂર પડતી હોય છે. નર્સિંગ સ્ટાફ પોતાની નૈતિક જવાબદારી સમજીને સમગ્ર દિવસ દરમિયાન દર્દીઓને દવાની સાથે સમયાંતરે પૂરતું પાણી આપવું જોઈએ.
વધુમાં ડો.દેસાઈએ કહ્યું કે, દર્દીઓએ તેમજ સામાન્ય જનતાએ ગરમીની પરિસ્થિતિમાં એર કન્ડીશનમાં રહેવાનું ટાળવું જોઈએ. ગરમીથી રાહત મેળવવા વધુ પડતા સોફ્ટ ડ્રિંકસ, ઠંડા પીણા ન પીવા જોઈએ. શરીરમાં પૂરતી માત્રામાં પ્રવાહી રહે તે માટે વારંવાર પાણી પીવાનું ન ગમે તો નારિયેળ પાણી, લીંબુ શરબત, મીઠાવાળી છાશ, સંતરાનો રસ, ગ્લુકોઝનું પાણી ઈત્યાદિ લઈ શકાય. હળવા સુતરાઉ વસ્ત્રો અને શક્યત: હળવા સફેદ રંગના કપડાં પહેરો. ગરમીની સિઝનમાં લિનનના વસ્ત્રો તથા સુંવાળા મલમલના કપડાં અત્યંત આરામદાયક રહે છે. ગરમીમાં બહાર જતી વખતે ટોપી પહેરવી, મહિલાઓએ ઘૂંઘટ, ઓઢણીથી મોં ઢાંકવું જોઈએ, માથું ઢંકાય તે રીતે કે છત્રીનો ઉપયોગ કરવો જોઈએ.
આ પ્રસંગે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતાશ્રી દિલીપભાઈ દેશમુખે રક્તદાન,અંગદાન,નેત્રદાન અને મતદાનને મહત્વનું દાન ગણાવી તમામ લોકોને આ દાન કરવામાં માટે જાગૃત્ત બનવા અનુરોધ કર્યો હતા. તેમણે ઉમેર્યું કે, હીટવેવથી બચવા જાતે પણ કાળજી લેવા અને દર્દીઓને પણ સુરક્ષિત કરવા માટે જરૂરી સરળ પગલાઓ લેવા પ્રેરણા આપી હતી.
સરકારી મેડિકલ કોલેજ-સુરતના સુનિલભાઈ મોદીએ અસહ્ય ગરમીથી બચવા ‘સાવચેતી એ જ સલામતી’નો અભિગમ અપનાવી હીટવેવથી બચવા માટે જાગૃત્તિ કેળવવા માટે આ સેમિનાર મહત્વપૂર્ણ બન્યો છે એમ જણાવ્યું હતું. હીટવેવ સામે સાવધ રહેવા અને રક્ષણના પગલાઓ સંદર્ભે આ સેમિનારનું આયોજન ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
દિલીપભાઈ દેશમુખે ઉપસ્થિત સૌને રક્તદાન,અંગદાન,નેત્રદાન અને મતદાન માટે સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા.
આ પ્રસંગે તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ટી.બી.અને ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા, મેડિકલ કોલેજ ડીન ડો.રાગિણી વર્મા, નર્સિંગ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો. શીતલબેન ચૌધરી, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ આનંદીબેન ગામીત, સ્મીમેર હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સર્વશ્રી સુરેન્દ્ર ત્રિવેદી અને અશોક ગડારા, નર્સિંગ એસો.ના અશ્વિન પંડયા, નિલેશ લાઠીયા, વિભોર ચુગ,ચેતન આહિર, વિરેન પટેલ,જગદીશ બુહા, સિવિલના ડોક્ટરો, હેડનર્સ, સ્ટાફનર્સ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. બીએસઈ લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો, 210 પર બંધ થયો

 

ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને એઇડ્સ પ્રદર્શન સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા

સુરતઃ સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો BSE લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે. IPO લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે રૂ. 145ના ભાવે ભરાયો હતો, જે 38%ના પ્રીમિયમ સાથે રૂ. 200 પર ખૂલ્યો હતો અને અંતે રૂ. 210 પર બંધ થયો હતો. શુક્રવારે ખુલતાની સાથે જ આ કંપનીનું માર્કેટ કેપ 1050 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.

બેલ સેરેમની કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી.પટેલના હસ્તે કરાય, તેમની સાથે કેપી ગ્રીનના હોલ-ટાઇમ ડાયરેક્ટર મોઇનુલ કડવા, સીએફઓ સલીમ યાહૂ, પ્રવીણ સિંઘ, ડાયરેક્ટર અફફાન પટેલ, હસન પટેલ, ડો. ઇન્દુગુપ્તા રાવ, સુરિન્દર નેગી, બીએસઇના એમડી અજય ઠાકુર વગેરે જોડાયા હતા.. આ પ્રસંગે, બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલી અભિનીત કેપી ગ્રીનની જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી હતી. સૂરજને કેપી ગ્રીનનો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયે સૂરજના માતા-પિતા અભિનેતા સૂરજ પંચોલી, ઝરીના વહાબ અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ હાજર હતા.

રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી KP ગ્રુપની આ ત્રીજી કંપની છે, જે BSE પર લિસ્ટ થઈ છે. અગાઉ કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જીએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો અને આજે આ બંને કંપનીઓની માર્કેટ કેપ 13000 કરોડ રૂપિયાથી વધુ છે.

કેપી ગ્રૂપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક પટેલે જણાવ્યું હતું કે, “અમે રોમાંચિત છીએ અને આભારી છીએ કે રોકાણકારોએ અમારા પર વિશ્વાસ મૂકીને IPO 29.58 વખત સબસ્ક્રાઇબ કર્યો. અમારી રૂ. 189.50 કરોડની માંગ સામે રૂ. 3727 કરોડની બીડ મળી. રોકાણકારોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર અમે ખરા ઉતરીશું. કેપી ગ્રીન અમારી ફ્લેગશિપ કંપની છે અને આ કંપનીની 21 વર્ષની લાંબી સફર ખેડી છે. માત્ર 50 મેટ્રિક ટનના ઉત્પાદનથી શરૂ થયેલી સફર આજે 53000 મેટ્રિક ટનથી વધુના ઉત્પાદન સુધી પહોંચી છે અને કંપની ભરૂચના માતરમાં નવી ફેક્ટરીના નિર્માણ સાથે આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 2.94 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે.