Posts by: Amit Patil

સુરતના ડિંડોલી વિસ્તારમાં ચોથા માળે આવેલી હોટલમાંથી રહસ્યમય રીતે નીચે પટકાતા યુવકનું મો*ત નિપજ્યું હતું.
અજાણ્યા તરીકે આ યુવક નું મોત થયું હતું. પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. ત્યારબાદ પોલીસ તેના પરિવારજનો સુધી પહોંચતા જે હકીકત સામે આવી તે જાણીને પોલીસ પણ ચોકી ગઈ હતી. પુણેના સાડીના વેપારીનું સુરતના ચાર ટેક્સટાઇલના વેપારીઓ અપહરણ કરી લાવ્યા હતા અને ત્યારબાદ આ હોટલમાં ગોંધી રાખ્યો હતો. આ સાથે જ 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. જેથી કંટાળીને સાડીના વેપારીએ હોટલના બાથરૂમ ના રૂમ ની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ ગઈ હતી. હાલ અસાડીના વેપારીની પત્નીની ફરિયાદના આધારે ડીંડોલી પોલીસે ટેક્સટાઇલના ચાર વેપારીઓ વિરુદ્ધ દુષપ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનનો 35 વર્ષીય રાકેશ પાંચારામ ચૌધરી મહારાષ્ટ્રના પુણે ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા પત્ની અને એક છ વર્ષની દીકરી છે. રાકેશ પદ્માવતી કલેક્શનના નામથી કાપડની દુકાન ધરાવતો હતો અને સાડીનો વેપારી હતો. રાકેશ નો વેપાર ધંધો સુરત કર્ણાટક આ તમામ જગ્યાઓ પર હતો. વેપાર ધંધા ને લઈને તે કર્ણાટક સુરત તમિલનાડુ સહિતની જગ્યાઓ પર તે આવતો જતો રહેતો હતો.
ગત 6 ઓગસ્ટના રોજ રાકેશ પુણે થી તમિલનાડુના મદુરાઈ જવા ખાતે ઘરેથી નીકળ્યો હતો. એરપોર્ટ પર તેની ફ્લાઈટ હોવાથી સવારે 11:30 વાગે ઘરે થી એરપોર્ટ જવા રવાના થયો હતો. ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યે રાખે છે તેની પત્નીને જાણ કરી હતી કે સુશીલ જોશી, હરીશ, ગૌતમ અને જયેશ એરપોર્ટ જતા સમયે રસ્તામાં મળી ગયા હતા. ત્યારબાદ આ ચારે જબરદસ્તી મને સુરત લઈને જઈ રહ્યા છે. જેથી મધુરાઈ જવાનું કેન્સલ કરી દીધું છે.
એક કલાક બાદ રાખે છે પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે તેઓ મુંબઈ પહોંચી ગયા છે. ત્યારબાદ પત્નીએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે રાકેશ નો કોલ લાગ્યો ન હતો. બીજા દિવસે એટલે કે 7 ઓગસ્ટના રોજ સવારે 8:30 વાગ્યે રાકેશને પત્નીએ કોલ કરતા જણાવ્યું હતું કે હું ઠીક છું અને સુરત પહોંચી ગયો છું. ત્યારબાદ બપોરના ત્રણ વાગ્યા પછી પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે આ ચારેય લોકો મારી પાસે 40 લાખ રૂપિયા માંગે છે તેઓને 40 લાખ રૂપિયા આપવા પડશે તું ગમે તેમ કરીને 40 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી સુરત આપી જા.
રાકેશ ડરામણા આવાજે પત્ની સાથે ફોન પર વાત કરતો હતો ત્યારબાદ એક કલાક પછી પત્નીએ રાકેશને કોલ કરી ને પૂછ્યું હતું કે કઈ વાતના 40 લાખ એક દિવસમાં હું 40 લાખ ક્યાંથી લાવું. તમારી પાસે 40 લાખ રૂપિયા કોણ માગે છે તેની સાથે વાત કરાવવાનું કહેતા જ ચાલુ ફોને હરીશ નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. હરીશે જણાવ્યું હતું કે બેન ચાલીસ લાખ રૂપિયા તો ગમે તેમ કરીને આપવા જ પડશે જેથી સામે રાકેશની પત્નીએ જણાવ્યું હતું કે શેની મેટર છે શેના 40 લાખ તો હરીશે જણાવ્યું હતું કે 40 લાખ તો આપવા જ પડશે.
હરીશે ધમકીના રૂપમાં વાત કરતા રાકેશ ની પત્નીએ પૂજાએ કહ્યું હતું કે તમે ધરાવી ધમકાવીને કેવી રીતે ચાલીસ લાખ રૂપિયા માગી શકો તેવો મરી જશે તો 40 લાખ રૂપિયા ક્યાંથી આપશે. જેથી હરી છે કહ્યું હતું કે રાકેશને અમે કાંઈ નહીં કરીએ તેને બે ટાઈમ ખવડાવી પીવડાવીએ છીએ પરંતુ 40 લાખ રૂપિયા આપવા જ પડશે. જેથી પૂજા એ કહ્યું હતું કે થોડો સમય આપો. ત્યારબાદ ફોન કટ કરી નાખ્યો હતો.
7 ઓગસ્ટના રોજ રાત્રે 8:30 વાગ્યે પત્નીએ રાકેશને ફોન કરી જણાવ્યું હતું કે આ લોકોને તમે કહો કે થોડો સમય આપે 40 લાખ રૂપિયા જમીન મકાન વેચીશું તો પણ નહીં આવે 40 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું. જેથી રાખે છે જણાવ્યું હતું કે તું ગમે તે કર પણ આ લોકોને 40 લાખ રૂપિયા આપવા જ પડશે તેમ કહીને ફોન મૂકી દીધો હતો. 8 ઓગસ્ટના રોજ સવારે 10:00 વાગ્યા પછી રાખે છે પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે 40 લાખ રૂપિયાનું શું થયું? આ લોકો મારી પાસે જબરજસ્તી પૈસા માગે છે અને 40 લાખની વ્યવસ્થા ન થાય તો અડધા પૈસાની વ્યવસ્થા પણ પૈસા તો આપવા જ પડશે.
પતિ રાકેશ ટેન્શનમાં હતો અને આ રીતે વાત કર્યા બાદ ફોન કટ કરી નાખતો હતો જેથી પત્ની પણ ટેન્શનમાં આવી ગઈ હતી. દરમિયાન ફરી રાકેશ એ પત્નીને કોલ કરીને જણાવ્યું હતું કે હું ડીંડોલી પોલીસ સ્ટેશનની બહારથી બોલું છું આ લોકો મારું કંઈ સાંભળતા નથી અને મને પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે. તેથી પત્નીએ કહ્યું હતું કે તમે તે લોકોને સમજાવો જેવો ધંધો ચાલુ થશે તેવા તેમના પૈસા આપણે આપી દઈશું. આ વાત થયા બાદ ફોન ફોન બંધ કરી દીધો હતો. અડધો કલાક બાદ ફરી રાકેશે પત્નીને કોલ કરીને કહ્યું હતું કે પૂજા અમારો છેલ્લો કોલ છે તું પૈસાની વ્યવસ્થા કરી શકતી હોય તો કરી લે.
પત્નીને રાકેશે છેલ્લો કોલ હોવાનું કહેતા જ ખૂબ જ ટેન્શનમાં આવી ગઈ હતી. પત્ની પૂજાએ અડધા અડધા કલાકે પતિ રાકેશ ને ફોન ઉપર ફોન કરવા છતાં પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો. ત્યારબાદ પત્નીને 9 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યા આસપાસ પોલીસ દ્વારા રાકેશ ના મોત અંગે જાણ કરવામાં આવી હતી. પતિના મોતની જાણ થતાં પત્ની પૂજા બેભાન થઈને ઢળી પડી હતી. ત્યારબાદ 10 ઓગસ્ટ ના રોજ પત્ની સંબંધીઓ સાથે સુરત ખાતે પહોંચી હતી.
સાત ઓગસ્ટ થી રાકેશને ડિંડોલી વિસ્તારમાં મધુરમ આર્કેડ ના ચોથા માળે આવેલી હોટલ ડીલાઈટ ઈન ના રૂમ નંબર 104 માં ગોંધી રાખવામાં આવ્યો હતો. સુશીલ જોશી હરીશ ગૌતમ અને જયેશ આ ચાર લોકોએ રાકેશને પુણેથી અપરણ કરી લાવીને અહીં હોટલમાં ગાંધી રાખી 40 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી. આ રૂપિયાની માગણી થી કંટાળીને રાકેશે આઠ ઓગસ્ટના રોજ સાંજે હોટલના રૂમના બાથરૂમની બારીમાંથી કૂદીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી.
રાકેશની પત્ની પૂજાએ આ ચારેય સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. આ સાથે જ મૃતક રાકેશ ની પત્નીનું એટીએમ કાર્ડમાંથી 40,000 પણ ઉપાડી લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક રાકેશ ની પત્નીના ફરિયાદના આધારે ડીંડોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે રાકેશના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને એકની એક દીકરીએ પિતાની છત્રછાયા અને પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે.
યુવક ના મોત ની રહસ્યમય કહાની આવી સામે,
અપહરણ આત્મહત્યા વચ્ચેનો ભેદ
પુણે નો એક સાડી વેપારી
હોટલમાં બાથરૂમની બારીમાંથી કૂદકો

નેત્રંગ ખાતે કરાય ચૈતર વસાવાના સથવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
કોંગ્રેસના યુવા અગ્રણી શેરખાન પઠાણ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું સુંદર આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં 68 જેટલા દેશોના 400 થી વધુ આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNOના 11મા અધિવેશનમાં એ વર્ષને ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું, અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક 9 ઓગષ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9 ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી, ત્યારે આજે તા. 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પારંપારિક આદિવાસી વેશભૂષા અને પરિધાન સાથે આદિવાસી સમાજ દ્વારા નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા, કોંગ્રેસના , શેરખાન પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમામ આગેવાનો બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા.

હે ભગવાન! જેના ભરોસે માતા પિતા પુત્રીને સ્કૂલે મોકલતા એ રિક્ષા ચાલકે જ બાળકીને બનાવી હવસનો શિ*કાર….
શહેરમાં માસૂમ બાળાઓ સાથે દુષ્કર્મની ઘટ*નાઓ સતત વધી રહી છે ત્યારે આવી જ વધુ એક જઘન્ય ઘટ*ના ખટોદરા વિસ્તારમાં સામે આવી છે. જેમાં સ્કૂલ ઓટો ચાલક દ્વારા ચાર વર્ષીય માસૂમ બાળકીને હવસનો શિકાર બનવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મુત્તલીક શેખ સ્કૂલ ઓટો ચલાવે છે અને તે ત્રણ સંતાનો નો પિતા છે. છતાં આ નરાધમે પોતાની રીક્ષામાં સ્કૂલે જતી ચાર વર્ષીય બાળા પર નજર બગાડી હતી. તે બાળકીને એકાંત સ્થળે લઈ જતો અને દુષ્કર્મ આચરતો હતો. આખરે બાળકીએ માતા પિતાને રિક્ષા વાળો અંકલ ગંદુ કામ કરતો હોવાનું જણાવતા આખો મામલો સામે આવ્યો હતો અને વાત પોલીસ મથકે પહોંચી હતી. ખટોદરા પોલીસ બળાત્કાર અને પૉકસો એકટ ની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નર્મદામાં 2 આદિવાસી યુવકના મો*તનો મામલો ઘેરો બન્યો
MLA ચૈતર વસાવાએ આપ્યું બંધનું એલાન
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2 આદિવાસી યુવાનોને ચો*રીની શંકાએ ઢોર માર માર્યો હતો.
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ 2 આદિવાસી યુવાનોને ચો*રીની શંકાએ ઢોર માર માર્યો હતો. દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક યુવાન જયેશ તડવીનું ઘટ*ના સ્થળે મોત થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસે સમગ્ર મામલે 6 લોકો વિરુદ્ધ હ*ત્યા, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. પકડાયેલા તમામ
આરો*પીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી છે.
બીજી બાજુ, નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં ડબલ મર્ડર મામલે નર્મદા SP પ્રશાંત સુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લા પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરો*પીઓના રિમાન્ડની પણ માંગ કરશું.
ગરુડેશ્વર પોલીસે આદીવાસી મ્યુઝીયમમાં કામ કરતા માર્ગીશ હીરપરા, દેવલ પટેલ, દીપુ યાદવ, વનરાજ તાવિયાડ, શૈલેષ તાવિયાડ અને ઉમેશ ગુપ્તા વિરુદ્ધ હત્યા, હ*ત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એમની ધરપકડ કરી છે.

કાર્યબળ, રોજગાર સર્જન પર મહિલાઓનો ફાળો વધશે, બજેટ 2024ની ફાળવણીની આ બાબતો સમજવા જેવી
તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2024 રજૂ કર્યું હતું. વર્ષ 2024નું બજેટ ખુબ જ અપેક્ષિત રહ્યું ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી પાછલા દશકામાં આવનારા પાંચ વર્ષોમાં અપેક્ષિત પરિવર્તનકારી પરિવર્તનો માટે માત્ર એક પ્રસ્તાવના અથવા ટ્રેલર હતું. આ બજેટ નવ મુખ્ય ક્ષેત્રોના આસપાસ રચવામાં આવ્યું છે, જેમાં રોજગાર સર્જન પર વિશેષ જોર આપવામાં આવ્યું છે, જે નરેન્દ્ર મોદી સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા બનેલી છે.
કેન્દ્રમાં રહેલી નરેન્દ્ર મોદી સરકાર 4.1 કરોડ યુવાઓને રોજગાર અને કૌશ્યલ પ્રશિક્ષણ આપવાના મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરતાં સારા પગારવાળી નોકરીઓ પેદા કરવાના પોતાની પ્રાથમિકતા પર ખુબ જ સ્પષ્ટ છે. આ સંબંધમાં શિક્ષણ માટે બજેટમાં ફાળવવામાં આવેલી એક મોટી રકમ શિક્ષાને લઇને દૂરગામી પ્રભાવ વ્યૂહાત્મક પગલા સમાન છે. બીજી તરફ કૃષિ અનુસંધાન પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશ્ય દૂરગામી વિચારસરણીવાળી દ્રષ્ટિકોણને દર્શાવતા ઉત્પાદકતા વધારવાનું છે.
એક વધુ ઉલ્લેખનિય પહેલ રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન કાર્યક્રમ છે. જેમાં સરકાર પ્રોવિડંટ ફંડમાં ગ્રાહકનો ભાગ અને ઈપીએફઓ સાથે નવા કર્મચારીઓ માટે પહેલા નવ મહિનાનો પગાર, જે પંદર હજાર રૂપિયા સુધી હોય તેમને કવર કરશે. તે ઉપરાંત બાંધકામ ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે આ ક્ષેત્ર પ્રત્યે સરકારની પ્રતિબંધતા દર્શાવે છે. કાર્યબળમાં મહિલાઓ માટે બજેટમાં કરવામાં આવેલી વધારે ફાળવણી અને શિક્ષણ રેટના વ્યાજ ગરોમાં ત્રણ ટકાની છૂટ વ્યાપક વિકાસની દિશામાં પ્રશંસનિય પગલું છે.
તે ઉપરાંત સરકારે ઇન્ટર્નશિપ કાર્યકમ શરૂ કર્યો છે, જેનો લક્ષ્ય એક કરોડ ભારતીય યુવાઓને ટોચની 500 કંપનીઓમાં આવાસીય અને વ્યાવસાયિક અનુભવ પ્રદાન કરે છે, જેથી શિક્ષા અને રોજગાર વચ્ચેના અંતરને ઓછું કરી શકાય. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ) નિશ્ચિત રૂપથી ભારતીય અર્થવ્યવસ્થાની રીઢની હડ્ડી છે. બજેટ ક્રેડિટ ગેરંટી યોજનાને વધારવી અને મુદ્રા લોન સીમાને 20 લાખ રૂપિયા સુધી વધારવા જેવા ઉપાયોથી એમએસએમઈને આવશ્યક નાણાકીય સહાયતા મળવાથી, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન મળવાની આશા છે.
બજેટમાં શહેરી વિકાસને પ્રાથમિકતાવાળું ક્ષેત્ર માનવામાં આવ્યું છે, જેમાં જળ આપૂર્તિ, સ્વાચ્છતા અને પરિવહન માટે 10 લાખ કરોડ રૂપિયાના પર્યાપ્ત રોકાણનું પ્રસ્તાવ રાખવામાં આવ્યું છે. બજેટમાં ઉર્જા પરિવર્તનને પણ મુખ્યરૂપથી સામેલ કરવામાં આવ્યું છે, જેમાં સોલર રૂફટોપ નીતિની શરૂઆત કરવામાં આવી છે. આના વધારાના વિશ્વવિદ્યાલયોમાં અનુસંધાનની ફંડિંગ માટે એક લાખ કરોડ રૂપિયાનું મહત્વપૂર્ણ ફાળવણ કરવામાં આવી છે, જેમાં ખાનગી ક્ષેત્રમાં સામેલ કરવામાં આવ્યો છે, જે નવીનતાના મહત્વ દર્શાવે છે.
બજેટમાં રોજગાર, ભૂમિ સંબંધી મામલાઓ અને નાણાકિય ક્ષેત્રમાં આગલી પેઢીના સુધારાઓની રૂપરેખા રજૂ કરવામાં આવી છે, જેમાં ઉદ્દેશ્ય વ્યાપાર સુગમતાને વધારવા અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ને આકર્ષિત કરવાનું છે. બજેટ રશીદો વધીને 32.07 લાખ કરોડ રૂપિયા થઈ ગઇ છે, જ્યારે રાજકોષિય નુકશાન જે વચગાળા બજેટમાં 5.1 ટકા હતું, જે ઘટીને 4.9 ટકા થઇ ગયું છે. આ ઘટાડો મુખ્યરૂપથી જીડીપીમાં વૃદ્ધિ, ઉચ્ચ રશીદો અને ઓછા ખર્ચાના કારણે આવ્યો છે.
સરકાર લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને સિક્યોરિટીઝ માટે લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના દર એક સમાન 12.50 ટકા રાખીને બંને વચ્ચેના અંતરને વહેંચી દીધો છે. આ અનલિસ્ટેડ સિક્યોરિટીઝના દરમાં મોટો ઘટાડો છે, જેનાથી સ્ટાર્ટ-અપમાં રોકાણના પ્રવાહને પ્રોત્સાહન મળશે. સોનું અને ચાંદીમાં ટેક્સ ઘટાડવાના કારણે આની તસ્કરીમાં તો ઘટાડો થશે, તેના સાથે-સાથે મૂલ્યવર્ધન નિકાસમાં પણ વધારો થશે. તે ઉપરાંત એન્જલ ટેક્સ હટાવી દેવાના કારણે સ્ટાર્ટ-અપને પણ મોટી રાહત મળશે.

તપેલા ડાઈંગના દૂષણ સામે લિંબાયત ઝોનના અધિકારીઓ ઘૂંટણીએ…
પ્રદૂષણ ફેલાવતી તપેલા ડાઈંગો સામે લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે હજી પણ મીઠી ખાડી ગોવિંદ નગર વિસ્તારમાં ગેરકાયદે તપેલા ડાઇંગ ચાલુ છે અને આ તસ્વીરો એ બાબતનો પુરાવો છે. દૃશ્યોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગોવિંદ નગરની ગલીઓમાં કલર વાળું પાણી વહી રહ્યું છે. આ કલર વાળા પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેમના આરોગ્ય સામે જોખમ તોળાઈ રહ્યું છે તો બીજી બાજુ લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા એસી ચેમ્બરમાં બેસીને થોડી ઘણી તપેલા ડાઈંગ ને સીલ મારીને કાર્યવાહી કરવાનો સંતોષ માનીને બેઠા છે અને ઉચ્ચ અધિકારીઓની આંખમાં ધૂળ ઝોંકી રહ્યા છે. એટલું જ નહીં પણ કાર્યવાહીના નામે પણ સેટિંગ નો ખેલ ખેલાયો હોવાનું સ્થાનિક લોકો આપેક્ષ કરી રહ્યા છે. લોકોના ના જણાવ્યા મુજબ માત્ર નાના યુનિટો સામે કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે રાજકીય વગ ધરાવતા અને ઝોનના અધિકારીઓ સાથે મીઠા સંબંધો ધરાવતા લોકોના તપેલા ડાઈંગ હજી પણ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે.

શ્રી રેકી હીલીંગ સેન્ટર: પ્રાચીન ભારતીય ઉપચાર પદ્ધતિ દ્વારા શારીરિક અને માનસિક આરોગ્ય માટેનો માર્ગ
નમસ્કાર મીત્રો, મારૂ નામ મનોજ રમેશભાઈ સાતપુતે છે. હું સુરતમા વકીલાતનો વ્યવસાય કરૂ છું. સને-૨૦૧૯ ૨ મારૂ એપેન્ડીસનું ઓપરેશન થયેલુ હતુ અને સને-૨૦૨૦ મા હારનીયાનું ઓપરેશન થવાનુ હતુ. બધા ડોકટર્સએ મને હારનીયાનુ ઓપરેશન કરવાની સલાહ આપી દીધી હતી. પરંતુ એક મીત્ર તરફથી મને રેડી કોર્સની માહીતી મળી હતી અને જૂન-૨૦૨૨ મા મે રેકી ગ્રાન્ડ માસ્ટર ડો. ચીરાગભાઈ ગુજજર પાસેથી રેકી કોર્સ લેવલ ૧.૨ અને ૩-એ તથા ક્રિસ્ટલ રેકીનો કોર્સ કરેલો અને શ્રીમતી બિનલબેન ચિરાગભાઈ ગજજરએ મને ક્રિસ્ટલ બ્રેસ્લેટ બનાવવાની પણી સારી ટ્રેનીગ આપી હતી. રેકી કોર્સ કરવાથી મારૂ સારનીયાનુ ઓપરેશન કેન્સલ થઈ ગયુ.
સને-૨૦૨૨ મા રેકી કોર્સ કરવાથી મારી તમામ શારીરીક તથા માનસીક બિમારીઓ દુર થઈ ગઈ હતી અને મેં તા.૦૨/૦૧/૨૦૨૩ ના રોજ રેકી એડવાન્સ (રેકી માસ્ટર) નો કોર્સ કરેલો. મે વિચાર કર્યું કે, જેમ હુ શારીરીક તથા માનસિક રીતે સ્વસ્થ થયો છુ તેવી જ રીતે મારો પરીવાર, મારા મીત્રો અને સમાજના લોકો પણ શારીરીક તથા માનસિક રીતે સ્વસ્થ થવા માટે મેં તા.૧૨/૦૮/૨૦૨૩ ના રોજ રેકી ગ્રાન્ડ માસ્ટરની ટ્રેનીંગ લીધી અને પોતે શ્રી પૈકી હીલીંગ સેન્ટરની ડીડોલી, સુરત મુકામે ઓગસ્ટ-૨૦૨૩ મા શરૂ કરી હતી.
હવે, શ્રીરેડી હીલીંગ સેન્ટરને ૧ વર્ષ પુરા થઈ ગયા છે અને આ ૧ વર્ષમા કુલ ૪૦ લોકોએ રેકી કોર્સ કરેલ છે. શ્રીરેકી હીલીંગ સેન્ટરમા રેકી કોર્સ કરવાથી માનસીક રોગ, ડાયાબીટીસ, થાઈરોઈડ, આંખની સમસ્યા, ઘુંટણનો દુઃખાવો, કમર/પીઠનો દુઃખાવો, ઉઘની સમસ્યા, કીડની સ્ટોનની સમસ્યા, એનાઝાઈટી, વા ની સમસ્યા, સાયટીકા, યુરીક એસીડની સમસ્યા, માઈગ્રેન વિગેરે અનેક રોગો દુર થયા છે તથા શ્રીરેકી હીલીંગ સેન્ટરમા રેકી કોર્સ કરવાથી પેટમાં પાણીની ગાંઠનું ઓપરેશન, હોરમોન્સની ગાંઠનું ઓપરેશન, હારનીયાનુ ઓપરેશન, કમરની ગાદીનુ ઓપરેશન કેન્સલ થઈ ગયુ છે.
રેકી મુળ આપણા ભારત દેશ સાથે જોડાયેલો છે. આપણા ભારત દેશમા હજારો વર્ષો પહેલા ઋષિઓ કોઈ બિમાર લોકોના માથા ઉપર હાથ રાખતા હતા અને એ લોકોની બિમારીઓ દુર થઈ જતી હતી. એને આપણે આજના આધુનીક સમયમા રેકીનો સ્વરૂપ કહી શકીએ છીએ. પ્રાચીન સમયમા ભગવાન બુધ્ધ માત્ર સ્પર્શ કરીને લોકોની બીમારીઓ દુર કરતા હતા. પરંતુ ભગવાન બુધ્ધના ગયા પછી આ વિધા લુપ્ત થઈ ગઈ હતી.
ત્યારબાદ ૧૯ મી સદીમાં જાપાનમાં રહેવાવાળા ગુરૂ ડો. મીકાઉ ઉસઈ આપણા ભારત દેશમા આવેલા અને એમને ભારત દેશમા બોધ ધર્મના મઠમા પ્રાચીન સાહીત્ય વાચીને ૨૧ દિવસની સાધના કરીને રેકી ઉપચાર પદ્ધતિ શોધી કાઢી હતી. જે આજે પુરા વિશ્વમા રેકી નામથી પ્રચલીત થઈ ગઈ છે. રેકી એ કુદરતી ઉપચાર પદ્ધતિ છે. રેકી આ જાપાની શબ્દ છે. રેકીમા ‘રે’ નો અર્થ યુનીવર્સ અને ‘કી’ નો અર્થ એનર્જી થાય છે. આમ, રેકીનો અર્થ બ્રહમાંડની અનંત ઉર્જા થાય છે. રેકી હીલીગથી કોઈપણ પ્રકારીની બિમારીઓ દુર થઈ શકે છે.
રેકી એ સ્પર્શ ચીકીત્સા પદ્ધતિ છે. રેકી કોર્સ આ સર્ટીફીકેટ કોર્સ છે. રેકી કોર્સ બે માસનો મોય છે. આ કોર્સમા રેકી લેવલ ૧,૨.૩-એ શીખાવવામાં આવે છે. રેકી દ્વારા કોઈપણ પ્રકારની આદ અસર થતી નથી. રેકી એ પુસ્તક વાચીને કે મોબાઈલમા વીડીયો જોઈને શીખી શકાતી નથી. રેકી એ રેડી શીક્ષક પાસેથી જ શીખી શકાય છે.
સમાજના દરેક લોકોએ ભારત દેશની પ્રાચીન પૈકી પદ્ધતિ શીખીને શારીરીક તથા માનસીક રીતે સ્વસ્થ રહેવા જોઈએ એવી મારી હદયપુર્વકની ઈચ્છા છે,
શ્રી રેડી હીલીંગ સેન્ટર,
ડીડોલી, સુરત
રેકી ગ્રાન્ડ માસ્ટર મનોજ પ્લોટ નં. ૧૩૪, મયુર સોસાયટી, ડીડોલી, સુરત મો. નં. ૯૯૭૪૦-૧૮૪૨૯
રમેશ સાતપુતે,

ખાડાનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત :વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી
દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રીપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાબખા માર્યા
વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી.
ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે.

ખાડાનો જન્મદિવસ ઉજવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોની અટકાયત :વિકાસ થવાની ખુશીમાં કેક કાપી ઉજવણી કરી
દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને રોડ રસ્તા રીપેર કરાતા પણ કાયમની હાલાકી ઉદભવતા આમ આદમી પાર્ટીના નગરસેવકોએ કેક કાપી નવતર રીતે ઉજવણી કરી ભાજપ શાસકો અને તંત્ર પર ચાબખા માર્યા
વિપક્ષ નેતા પાયલ સાકરીયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, શોભનાબેન કેવડિયા સહીત આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારોની અટકાયત કરી.
ભાજપ શાસનમાં હવે કેક કાપી ખાડાની ઉજવણી કરવી પણ અપરાધ હોય તેમ લાગી રહ્યું છે.

Essilor® એ વિરાટ કોહલી ને દર્શાવતું નવું બ્રાન્ડ કેમ્પેઈન શરૂ કર્યું
નવું કેમ્પેઈન સિંગલ વિઝન કન્ઝ્યુમર માટે Eyezen® અને પ્રોગ્રેસિવ કન્ઝ્યુમર માટે Varilux® ના યુનિક અને સુપિરિયર લાભોને પ્રકાશિત કરે છે.
Essilor®, પ્રિસ્ક્રિપ્શન લેન્સમાં વિશ્વભરમાં અગ્રણી બ્રાન્ડ, ભારતીય બ્રાન્ડ ફેસ વિરાટ કોહલીને દર્શાવતું તેમનું નવું કેમ્પેઈન શરૂ કર્યું છે. કેમ્પેઈનનો ઉદ્દેશ્ય બ્રાન્ડની સ્થિતિને મજબૂત કરવાનો અને પ્રેક્ષકોને એસિલરની શ્રેષ્ઠ પ્રોડક્ટ ઑફરિંગ સાથે જોડવાનો છે જે સુધારણાની જરૂરિયાતો માટે ઉકેલો પ્રદાન કરે છે.
કેમ્પેઈનનો પ્રથમ તબક્કો Essilor® ના સિંગલ વિઝન લેન્સ, એવા લોકો માટે સ્પોટલાઇટ કરે છે કે જેઓ ડિજિટલ ડિવાઇસના લાંબા સમય સુધી સંપર્કમાં છે. આ કેમ્પેઈન ફિલ્મ લાંબા સમય સુધી ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરતા અને આંખના તાણ અને થાકનો સામનો કરતા લોકોના બહુવિધ દૃશ્યો દર્શાવે છે.
કોહલી, પોતે Eyezen® પહેરનાર, Eyezen® લેન્સના ફાયદાઓ સમજાવતો જોવા મળે છે, તે કેવી રીતે ડિજિટલ સ્ક્રીનોથી દ્રશ્ય થાક ઘટાડવા અને બ્લુ-વાયોલેટ લાઇટને ફિલ્ટર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે આંખોને આરામ અને સુરક્ષા પ્રદાન કરે છે.
કેમ્પેઈનનો બીજો તબક્કો Varilux®ની આસપાસ બિલ્ટ કરવામાં આવ્યો છે, Essilor® ના પ્રોગ્રેસિવ લેન્સ, જેનો ઉપયોગ પ્રેસ્બાયોપિયા સાથે સંકળાયેલ દ્રષ્ટિની સમસ્યાઓને સુધારવા માટે થાય છે. કેમ્પેઈનની ફિલ્મ વિરાટ કોહલીને પ્રચારક તરીકે અને Varilux® ના હિમાયતી તરીકે બતાવે છે જે તેના જૂના વર્ષોથી કોચ છે.
ફિલ્મમાં બંને એક રેસ્ટોરન્ટમાં વાતચીત કરી રહ્યા છે જ્યાં કોહલી તેના કોચના નોંધપાત્ર સંઘર્ષનું અવલોકન કરે છે, જે નજીકના અંતરે ડિજિટલ ડિવાઇસ જોતી વખતે નોન-પ્રોગ્રેસિવ લેન્સ પહેરે છે. કોહલી એવું સૂચન કરે છે કે તેમના કોચ આવી મુશ્કેલીઓ ટાળવા માટે Varilux® લેન્સ અજમાવી જુઓ અને વધુ સારી દ્રષ્ટિ ધરાવે છે. આ ફિલ્મ AI ટેક્નોલોજી અને Varilux® પ્રોગ્રેસિવ લેન્સની મદદથી પ્રેસ્બાયોપિયાને સુધારવા માટેના વૈજ્ઞાનિક અભિગમ પર પ્રકાશ પાડે છે.
નરસિમ્હન નારાયણન, પ્રેસિડેન્ટ, સિલોર લક્સોટિકા દક્ષિણ એશિયા, એ ટિપ્પણી કરી, “Essilor® ખાતે, અમે વૈશ્વિક સ્પોર્ટ્સિકોન – વિરાટ કોહલી – સાથે અમારી ભાગીદારી ચાલુ રાખવા માટે અને અમારા ગ્રાહકો માટે એક નવા અને રોમાંચક પ્રકરણનું અનાવરણ કરવા માટે રોમાંચિત છીએ. કોહલીની અસાધારણ અપીલ અને ઉત્કૃષ્ટતાની શોધ એ અમારી અદ્યતન તકનીકો અને Eyezen® અને Varilux® જેવા શ્રેષ્ઠ ઉત્પાદનોની શોધ કરતી વખતે દરેક ઉંમરે સ્પષ્ટ અને સ્વસ્થ દ્રષ્ટિ વિશે જાગૃતિ લાવવાના અમારા મિશન સાથે સંકલિત છે.
નવા કેમ્પેઈન વિશે બોલતા વિરાટ કોહલીએ શેર કર્યું, “હું પોતે Eyezen® પહેરનાર છું અને આ લેન્સ પ્રદાન કરે છે તે અપાર આરામ અને સુરક્ષાને પ્રેમ કરું છું. એસિલોર વૈશ્વિક સ્તરે વિઝન કેરમાં ક્રાંતિ લાવવામાં અગ્રેસર છે અને હું તેમના નવીન ઉત્પાદનો વિશે અને દરેક લેન્સ વ્યક્તિગત દ્રષ્ટિ સંભાળની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તે વિશે શેર કરવા માટે ઉત્સાહિત છું. “
નેટવર્ક એડવટાઇઝિંગ પ્રાઈવેટ લિમિટેડ વિરાટ કોહલી સાથેના નવા કેમ્પેઈન પાછળ ક્રિયેટિવ એજન્સી છે. નેટવર્કના ચીફ ક્રિએટિવ ઓફિસર શાયોનદીપ પાલે આ કેમ્પેઈન પાછળની તેમની સમજ શેર કરી, “એવું રોજિંદું નથી કે તમે કોઈ એવી સેલિબ્રિટી સાથે કામ કરો કે જે વાસ્તવિક જીવનમાં, તે જે બ્રાન્ડને સમર્થન આપે છે તેનો ઉપયોગ કરે છે. અને તેણે આપણું જીવન વધુ કઠિન બનાવ્યું – એક એવી સ્ક્રિપ્ટ લખવી જે 100% અસલી લાગે વિરાટ જેવા દિગ્ગજ સાથે કામ કરવાનો ખૂબ જ આનંદ હતો .” સંકલિત માર્કેટિંગ કેમ્પેઈન સમગ્ર દેશમાં ટીવી, સામાજિક અને ડિજિટલ ચેનલો પર રજૂ કરવામાં આવશે.
Eyezen® સિંગલ વિઝન લેન્સ તમારી આંખોને આરામ આપવા માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવે છે જેથી કરીને તમે કનેક્ટેડ વર્લ્ડમાં રહી શકો. Varilux® પ્રોગ્રેસિવ લેન્સ 40+ વર્ષની વયના લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે દરેક અંતરે નજીકથી દૂર સુધી સીમલેસ ટ્રાન્સીશન્સ સાથે શાર્પ વિઝન પ્રદાન કરે છે. ફ્રાન્સમાં 1959 માં શોધાયેલ, Varilux® પ્રોગ્રેસિવ લેન્સ એ વૈશ્વિક સ્તરે આંખની સંભાળના વ્યાવસાયિકો દ્વારા ભલામણ કરાયેલ નંબર 1 બ્રાન્ડ છે.