Posts by: abhay_news_editor
ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું સફળ આયોજન
ચાર કેટેગરીમાં યોજાયેલ મેરેથોન દોડમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો અપાયા
સુરત. ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આજ રોજ સુરત ખાતે AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો ના ધ્યેય સાથે મોટી સંખ્યામાં શહેરીજનોએ દોડમાં ભાગ લઈ આયોજનને સફળ બનાવ્યું હતું. સંસ્થા દ્વારા વિવિધ કેટેગરીમાં વિજેતા રહેલા દોડવીરોને 15 લાખ રૂપિયાના ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અંગે સંસ્થા વતી માહિતી આપતા મંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે દીકરીઓને સશકત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા તો પ્રયત્ન થઈ રહ્યા છે પણ સાથે જ સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ આ જવાબદારી છે. જેને ધ્યાનમાં રાખીને ડૉ. હેગડેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આજરોજ સુરત ખાતે AM/NS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં સામાન્ય નાગરિકો સાથે જ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સવારે ૫:૪૫ વાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીખાતેથી દોડની શરૂઆત થઈ હતી. 21 કિમી, 10 કિમી, 5 કિમી અને 2 કિમી એમ કુલ ચાર કેટેગરીમાં આ મેરથોન દોડ યોજાઈ હતી. દોડના અંતે અલગ અલગ 96 કેટેગરીમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પદ્મ શ્રી મથુર ભાઈ સવાણી ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના પાલમાં ઓરાન રેસ્ટોરેન્ટની શરૂઆત: તાપીના અદ્ભૂત નજારા સાથેનું રૂફટોપ પર ટેસ્ટી ફૂડની મઝા લો
સુરત, 25મી ડિસેમ્બર -શહેરના સૌથી નવા ડાઇનિંગ ડેસ્ટિનેશન- ઓરાનની સુરતના પાલમાં ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. સમાજને પરત આપવાની ઉદ્દાત ભાવના સાથે ફૂડ લવર્સના શહેરને કંઇક નવું અનોખું આપવાની આ નેમ છે. તાપી રિવરફ્રન્ટના સુંદર વિહંગમ દૃશ્યો માણવા સાથે રૂફટોપ પર જમવાનો અનેરો અનુભવ પ્રદાન કરે છે.
“ઓરાન” શબ્દનો અર્થ “પ્રકાશ” થાય છે. તેમાં માત્ર ચળકાટ અને રંગો જ નહીં પરંતુ ગમતી ક્ષણો અને યાદોનો પણ સમાવેશ થાય છે. ઓરાન નામ રાખવા પાછળનો એક હેતુ છે – ભારતની ભાતીગળ રાંધણ પરંપરાઓને વધુમાં વધુ પ્રકાશમાં લાવવાનો. આ રેસ્ટોરન્ટ સ્વાદપ્રિય સુરતીઓને વધુ એક આહલાદક અનુભવ આપવા તૈયાર છે.
એક મિશન છે- બિયોન્ડ ડાઇનિંગ
ઓરાનની ટીમ (સ્પાઈસ વિલા, લિયોનાર્ડો અને પેવેલિયનની સિસ્ટર રેસ્ટોરન્ટ) માને છે કે ભોજનમાં લોકોને એકસાથે લાવવા અને પ્રેમ ફેલાવવાની શક્તિ છે. સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, ઓરાને 24મી ડિસેમ્બરના રોજ વેસુમાં વિશ્વ જાગૃતિ મિશન બાલાશ્રમના 70 બાળકોને જમાડ્યા હતા. જ્યારે પીપલોદમાં શ્રી ભારતીમૈયા આનંદધામ (વૃદ્ધાશ્રમ)ના 30 વૃદ્ધોને પણ ભોજન કરાવીને રેસ્ટોરેન્ટ શરૂ કરી હતી. વધુમાં એવા 40 વૃદ્ધોને પણ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું જેઓ રેસ્ટોરન્ટમાં જઈ શકતા ન હતા.
રેસ્ટોરેન્ટના સ્થાપક ઉમેશ પવસીયાએ કહ્યું, “દરેક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં પોતાના ગમતા લોકો સાથે ભોજનનો આનંદ લેવાનો હક છે. અમારા આ વિનમ્ર પ્રયાસનો ઉદ્દેશ્ય માત્ર ભોજન કરાવવાનો ન હતો. પરંતુ ઉજવણીના આ સમયમાં બધાને એકસાથે લાવીને તેમની ખુશી વહેંચવાનો હતો. તેમને એ અનુભવ કરાવવાનો હતો કે આપણે બધા એક જ કુટુંબ છીએ. વસુધૈવ કુટુંબકમની ભાવના આ દુનિયાને શીખવનાર દેશના સંતાન છીએ.
બાળકો અને વૃદ્ધોને જમાડવા એ ગ્રુપની વાર્ષિક પરંપરા છે
દર વર્ષે, ઓરાનની સિસ્ટર રેસ્ટોરન્ટ્સ – સ્પાઈસ વિલા, લિયોનાર્ડો અને પેવેલિયન – અનાથાશ્રમના બાળકો માટે ખાસ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણીનું આયોજન કરે છે. જ્યાં તેઓને એકસાથે આમંત્રણ અપાય છે. તેઓ ત્યાં મઝા કરે છે, રમે છે અને કાયમી યાદો લઇને જાય છે. આ ઇવેન્ટ્સ દરમિયાન, રેસ્ટોરન્ટ દ્વારા બાળકોના વિકાસ માટે જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ પણ કરાય છે. જ્યારે વૃદ્ધો માટે તેમની ટીમ એ વાતનું ધ્યાન રાખે છે કે તેમને પોતાના પરિવાર સાથે જમતા હોય તેવો જ અનુભવ થાય. કુટુંબ તરફથી મળતી હૂંફ અને પ્રેમ જેવો જ અનુભવ થાય, તે રીતે આ કાર્યક્રમ કરાય છે.
25મી ડિસેમ્બરથી શરૂ
ઓરાન રૂફટોપ રેસ્ટોરેન્ટ 25મી ડિસેમ્બરથી શરૂ થઇ ગઇ છે. પાલ તરફ પાલ-ઉમરા બ્રિજના છેડે રિયો એમ્પાયરના ચોથા માળે સ્થિત છે.
ઓરાન વિશે
તાપી નદીના વિહંગમ રિવરફ્રન્ટ દૃશ્યો સાથે રૂફટોપ પર આવેલું ઓરાન એ એક મલ્ટિ-કૂઝિન રેસ્ટોરન્ટ છે જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનું વિશાળ મેનૂ દિવસભર ઓફર કરે છે. ઓરાનમાં તમને અનુભવ થશે કે તમારે જો ભોજનનો અનોખો અનુભવ કરવો હોય તો સ્વાદની સાથે એમ્બિયન્સ પણ એટલું જ જરૂરી છે. આ રેસ્ટોરન્ટમાં તમને દિવસ અને રાતના અનુભવમાં મોટો ફેરફાર દેખાશે.
કોર્પોરેટ કનેક્શન્સ, સુરત દ્વારા “CC KLT 3.0” ઈવેન્ટ સફળતાપૂર્વક સંપન્ન
આવનાર 5 વર્ષમાં IPO લાવવા પ્રયાસ કરી રહેલી સુરતની વિવિધ 50 જેટલી ઇન્ડસ્ટ્રીઝ માટે આ ઇવેન્ટ ખૂબજ માર્ગદર્શક રહી હતી
“વિઝન ટુ વેલ્યુએશન” ની થીમ હેઠળ આયોજિત આ ઇવેન્ટમાં સુરતના અગ્રણી ઉદ્યોગ લીડર્સ, બિઝનેસ ટાયકૂનોએ નવી જનરેશનના યંગ ટેલેન્ટેડ ઉદ્યોગ સાહસિકોને IPO, બિઝનેસ ગ્રોથ માટે જરૂરી ગાઈડલાઈન આપી હતી
સુરત :કોર્પોરેટ કનેક્શન્સ, સુરત દ્વારા તેના ફ્લેગશીપ વાર્ષિક કાર્યક્રમ, CC KLT 3.0 (નો લાઈક ટ્રસ્ટ) નું આયોજન 4 જાન્યુઆરી, 2025 ના રોજ અવધ યુટોપિયા ખાતે કરવામાં આવ્યું હતું. પ્રાયોજિત આ ઈવેન્ટની થીમ “વિઝન ટુ વેલ્યુએશન” હતી, જેમાં શહેરના અગ્રણી ઇન્ડસ્ટ્રી લીડર્સ અને પ્રતિનિધિઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
કોર્પોરેટ કનેક્શન્સ, ઇન્ડિયા | શ્રીલંકા | નેપાળના નેશનલ ડાયરેક્ટર ગૌરવ વીકે સિંઘવી દ્વારા આયોજિત આ ઈવેન્ટમાં વર્ષ 2030 સુધીમાં 50 IPO હાંસલ કરવા માટેની તૈયારી કરી રહેલા ઉદ્યોગ સમુદાયને જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાના મહત્વાકાંક્ષી મિશન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં 180+ થી વધુ અગ્રણી ઉદ્યોગ લીડર્સ, બિઝનેસ ટાયકૂનો અને વ્યાવસાયિકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમે ઇનોવેશન, નેટવર્કિંગ અને સહકાર માટે એક ઉપયોગી અને પરિવર્તનશીલ પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત એક ડાયનેમિક કીનોટ સેશન અને ફાયરસાઇડ ચેટ સાથે થઈ હતી. જેમાં પ્રખ્યાત વક્તાઓ તરીકે શ્રીમતી ગીતા મોદી દ્વારા સંચાલિત સુચી સેમિકોનના સ્થાપક અને સીઈઓ શ્રી અશોક મહેતા; શ્રી ગૌરવ વીકે સિંઘવી દ્વારા સંચાલિત એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર શ્રી રોહન દેસાઈ; શ્રી રિતેશ આર સરાફ દ્વારા સંચાલિત કેપી ગ્રુપના ચેરમેન અને એમડી ડૉ. ફારુક જી. પટેલ અને સુજલ સરાવગી દ્વારા સંચાલિત અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના સીઈઓ શ્રી ગોપાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. IPOની સફળતા માટે નવા યુગની વ્યવસાયિક વ્યૂહરચનાઓનો ઉપયોગ કરવા અંગેના તેમના વિચારોએ મહત્વાકાંક્ષી સંસ્થાપકો અને ઉદ્યોગ ઉત્સાહીઓ માટે અમૂલ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
શ્રી ગૌરવ સિંઘવીએ જણાવ્યું હતું કે, “વર્ષમાં અમે એક વખત KLT ઇવેન્ટ કરીએ છીએ, જેનો હેતુ સુરતમાં નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. સુરતમાં વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલી 50 જેટલી કંપનીઓ આવનારા 5 વર્ષ દરમિયાન IPO લાવવાની તૈયારી કરી રહી છે. અમે અમારા સભ્યો તેમજ, ઉદ્યોગ સાહસિકોને નવા સ્ટાર્ટઅપ, AI, ન્યુ એજ બિઝનેસ, સેમીકંડક્ટર બિઝનેસ તેમજ કટીંગ-એડ્જ અત્યાધુનિક ઉદ્યોગ માટે આ ઇવેન્ટનું આયોજન કર્યું છે, જે આજે ખૂબજ સફળ રહી હતી.”

એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહ-સ્થાપક અને ડાયરેક્ટર રોહન દેસાઈએ જણાવ્યું હતું કે, “આજની આ ઇવેન્ટ ખરેખર ખૂબ જ સરાહનીય અને નોલેજ શેરીંગ હતી. સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપરાંત ઘણી નવી ઇન્ડસ્ટ્રીઝ સ્થાપિત થઈ રહી છે. IPO થકી પબ્લિક પાર્ટનરશીપ સાથે ગ્રોથ કરવા ઈચ્છતી કંપનીઓ માટે આ કાર્યક્રમ ખૂબ જ માર્ગદર્શક રહ્યો હતો. ટૂંક સમયમાં જ અંદાજિત 20 જેટલી કંપનીઓ IPO લાવવા પ્રયાસ કરી રહી છે. ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ થશે તો નવી રોજગારીનું સર્જન થશે અને ઓવરઓલ સુરત સીટી નો પણ વિકાસ થશે.”
અનુપમ રસાયણ ઇન્ડિયા લિમિટેડના સીઈઓ શ્રી ગોપાલ અગ્રવાલે જણાવ્યું હતું કે, “સુરતની ભૂમિ ઉદ્યોગ સાહસિકોની ભૂમિ છે. કોર્પોરેટ કનેક્શન્સ, સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આવીને મને IPO દ્વારા વિકાસની તકો અને વેલ્થ ક્રિયેશન અંગેના મારા વિચારો રજૂ કરવાની તક મળી, જે માટે હું ખૂબ જ ગૌરવ અનુભવ કરી રહ્યો છું. અહીં આજે નવી જનરેશન માટે નવા ઉદ્યોગ, સ્ટાર્ટ-અપના બિઝનેસ આઈડિયા અંગે ચર્ચા થઈ, જે ખરેખર ઉદ્યોગ સાહસિકો માટે ખૂબ જ માર્ગદર્શક સાબિત થઈ હતી.”
ઉદ્યોગના અગ્રણીઓએ તેમની IPO યાત્રાઓ વિશે ઉપયોગી માહિતી શેર કરતાં પબ્લિક લિસ્ટિંગ તરફ દોરી જતા મહત્વપૂર્ણ સીમાચિહ્નો અને વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડ્યો હતો, જે સમારોહમાં ઉપસ્થિત પ્રેક્ષકો માટે ખૂબ જ જ્ઞાનવર્ધક રહ્યો હતો.
સુરતના કલેકટર શ્રી સૌરભ પારધી અને આવકવેરા વિભાગ, સુરતના એડિશનલ ઈન્વેસ્ટિગેશન ડાયરેક્ટ શ્રી પ્રવીણ કુમારે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
વક્તાઓ, પ્રાયોજકો અને ઉપસ્થિતો લોકોના સન્માન સમારોહ સાથે આ કાર્યક્રમનું સમાપન થયું હતું. ઇવેન્ટ ચેરપર્સન શ્રી રિતેશ સરાફના નેતૃત્વમાં, સમિતિના સભ્યો પ્રિત સ્વામી, ધારા શાહ અને શ્વેતા ગરોડિયાએ CC KLT 3.0 ને ભવ્ય સફળતા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમુદાયમાં 12 નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કોર્પોરેટ કનેક્શન્સ, સુરતની CC KLT 3.0 ઈવેન્ટ એ ખરેખર સુરતના રિજનલ બિઝનેસ લેન્ડસ્કેપને વધારવા અને સુરત શહેરના આર્થિક વિકાસમાં યોગદાન આપવાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આવનારા વર્ષોમાં ઇનોવેશન, સહયોગ અને શ્રેષ્ઠતાને વધુ આગળ વધારવા માટે સંસ્થા ઉત્સાહી છે.
ફિલ્મ ‘મેચ ફિક્સિંગ – ધ નેશન એટ સ્ટેક’નું પ્રી-રીલીઝ સ્ક્રીનીંગ સુરતમાં યોજાયું, શહેરની 300 પ્રતિષ્ઠિત વ્યક્તિ હાજર રહી
ઉધના – મગદલ્લા રોડ સ્થિત રેઈનબો રિસોર્ટમાં આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ હાજર રહી
સુરત. બોલીવુડની આગામી ફિલ્મ ‘મેચ ફિક્સિંગ – ધ નેશન એટ સ્ટેક’નું પ્રી-રીલીઝ સ્ક્રીનીંગ સોમવારે સુરતમાં યોજવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર મહેશ ભાઈ સવાણી સહિત 300 થી વધુ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે ફિલ્મની સમગ્ર સ્ટાર કાસ્ટ પણ સુરતમાં હાજર રહી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉત્સવ એન્ટરટેઈનમેન્ટ એન્ડ પ્રોડક્શનના ફાઉન્ડર ઉત્સવ ઉપાધ્યાયે કર્યું હતું.
ફિલ્મના નિર્દેશક પલ્લવી ગુર્જરે જણાવ્યું કે આ ફિલ્મ કે. એસ. ખટાના દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ ગેમ બિહાઈન્ડ સેફ્રોન ટેરર’ પર આધારિત છે. આ ફિલ્મ ભારતીય પ્રેક્ષકોને આજની દુનિયામાં સામાન્ય માણસની નજર સમક્ષ પડદા પાછળ શું થાય છે તેનું સત્ય બતાવે છે, કેવી રીતે રાજકારણ, વ્યક્તિગત લાભ, ધર્મ અને વિનાશ વચ્ચેની રેખાઓ ઝાંખી પડી ગઈ છે. પલ્લવી કહે છે, “આ ફિલ્મ એક તીવ્ર વિવેચન આપે છે કે કેવી રીતે રાજકારણ અને સુરક્ષા વચ્ચેનું ખતરનાક આંતરછેદ દેશની સુખાકારી માટે જોખમી બની શકે છે.
આ ફિલ્મની ડાયરેક્ટર પલ્લવી ગુર્જર છે. જ્યારે કેદાર ગાયકવાડ, વિનીત કુમાર સિંહ, મનોજ જોશી, રાજ અર્જુન અને અન્ય ઘણા પ્રતિભાશાળી કલાકારો સહિત ફિલ્મના કલાકારોએ ફિલ્મની સફળતા સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરી છે. સફળતા સ્પષ્ટ છે કારણ કે ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર રિલીઝ થયા પછી પ્રેક્ષકો તરફથી ખૂબ જ ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો હતો અને ટ્રેલર રિલીઝની તારીખથી અત્યાર સુધીમાં 8.7 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા છે.

ફિલ્મ વિશેના મુખ્ય મુદ્દાઓ:
* મૂવી રિલીઝ ડેટ- 10 જાન્યુઆરી 2025
* નિર્માતા તરીકે પલ્લવી ગુર્જરની પ્રથમ ફિલ્મ.
* મૂવી શીર્ષક: મેચ ફિક્સિંગ – ધ નેશન એટ સ્ટેક
* 26/11 પછીની ઘટનાઓ અને તેની પાછળનું ષડયંત્ર જાણવું
* પલ્લવીની સ્ટાર્ટ-અપ કંપની – આર્ટુના ક્રિએશન્સ દ્વારા નિર્મિત
* કેવી રીતે ભગવા આતંકવાદને વાર્તામાં ફેરવવામાં આવ્યો
* કર્નલ કે.એસ. દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ ગેમ બિહાઇન્ડ સેફ્રોન ટેરર’ પર આધારિત છે. વર્ગીકરણ
* ટ્રેલર રિલીઝ તારીખ – 23 ઑક્ટોબર 2024, YouTube પર ઑટ્રિના દ્વારા
* ટ્રેલર વ્યુઝ – 8.77 મિલિયન
* ઝી-મ્યુઝિકના વિતરક અને સંગીત તરીકે UFO ફિલ્મ્સ સાથે જોડાણમાં
* 8મી જાન્યુઆરીએ મુંબઈમાં IMPAA ખાતે પ્રેસ-શો
– દિગ્દર્શક તરીકે પલ્લવી ગુર્જરની પહેલી ફિલ્મ
પલ્લવી ગુર્જર, મનોરંજન ઉદ્યોગ અને થિયેટરમાં 20 વર્ષથી વધુ સમયના અનુભવી છે, તેઓ રાજકારણના પરિણામે સમગ્ર ભારતમાં બોમ્બ વિસ્ફોટોની શ્રેણી દરમિયાન બનેલી ઘટનાઓની પુનઃકથા સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી રહ્યા છે. તેઓ 2 દાયકાથી વધુ સમયથી મનોરંજન ઉદ્યોગમાં છે અને તેમણે હેમા માલિની, લિલેટ દુબે અને અનુપમ ખેર જેવી પ્રખ્યાત હસ્તીઓ સાથે કામ કર્યું છે. વધુમાં, તે હવે મેચ ફિક્સિંગ- ધ નેશન એટ સ્ટેક સાથે ફિલ્મ નિર્માણની દુનિયામાં મુખ્ય પ્રવેશ કરવા માટે તૈયાર છે.
તે આર્ટ એરેનાના સ્થાપક નિર્દેશક છે, જે થિયેટર અને મનોરંજન ઉદ્યોગ માટે કન્સલ્ટન્સી છે અને તેના નામના ઘણા વખાણાયેલા પ્રોજેક્ટ્સ છે જેમ કે ‘મેરા વો મતલબ નહીં થા’, ‘ ડિનર વિથ ફ્રેન્ડ’ વગેરે. 2003 માં કંપની શરૂ કરી ત્યારથી, તેણીના કામ પ્રત્યેના જુસ્સા અને મજબૂત ઝોક અને તેણી જે લોકો સાથે કામ કરે છે તેના પ્રત્યેના સમર્પણને કારણે તે ઝડપથી વિકાસ પામી છે.
મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય અને મનોવિજ્ઞાનમાં સ્નાતક થયા પછી તેની સફર શરૂ થઈ. તેઓ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ડ્રામાનો ડિપ્લોમા કર્યો અને પછી નેહરુ સેન્ટરની કલ્ચર વિંગમાં 8 વર્ષ કામ કર્યું. આ લાયકાત સાથે, તેમણે ઉદ્યોગમાં ડિરેક્ટર તરીકે કામ કર્યું છે, સર્જનાત્મક ડિઝાઇનર્સ અને મેનેજર્સ, વિઝ્યુઅલ અને ગ્રાફિક ડિઝાઇનર તરીકે ઘણી ભૂમિકાઓ ભજવી છે. તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી ઘણી પ્રવૃત્તિઓમાં ગતિશીલ વ્યક્તિત્વ જેનું પ્રતિબિંબ માત્ર ફિલ્મો પૂરતું મર્યાદિત નથી પણ વિવિધ કોમર્શિયલ નાટકો, બેલે પ્રોડક્શન્સ, ડાન્સ ગાયન અને વધુ સમાવેશ થાય છે.
ભારતનાગૃહમંત્રીશ્રીઅમિતશાહદ્વારાશ્રીમદ્રાજચંદ્રજીનીવિશ્વનીસૌથીવિરાટપ્રતિમાજીનોમહામસ્તકાભિષેક
પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા આદરેલ મૂક યજ્ઞની પ્રશંસા કરી
ધરમપુર , 04 જાન્યુઆરી: જેમના તત્વબોધ થકી અનેક પેઢીઓને આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહ્યું છે, એવા આત્મજ્ઞાની સંત શ્રીમદ્ રાજચંદ્રજીના સન્માન અર્થે આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતના ધરમપુર ખાતે આવેલ પવિત્ર શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં શ્રી અમિતભાઈ શાહ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાજીના મહામસ્તકાભિષેકના પાવન અનુષ્ઠાનમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી સાથે જોડાયા હતા. આ પ્રસંગ, શ્રીમદ્ રાજચંદ્રજી પ્રત્યે માનનીય મંત્રીશ્રીના ગહન આદરને દર્શાવે છે.
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ એ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરનું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક છે જે આત્મવિકાસના ઉચ્ચ ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરવા એક આધ્યાત્મિક અભયારણ્ય સમાન છે. માનનીય મંત્રી શ્રી અમિતભાઈએ આ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સુપ્રસિધ્ધ તીર્થમાં વિદ્યમાન અને ભવિષ્યની પેઢીઓ માટે ધર્મના સનાતન સિદ્ધાંતોની ધજા ફરકાવતા શ્રી ધરમપુર તીર્થ જિનમંદિરમાં ધાર્મિક વિધિઓમાં પણ ભાગ લીધો હતો.
આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની પાવન ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાણાં મંત્રી માનનીય શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ મંત્રી માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી, અને વલસાડના સાંસદ માનનીય શ્રી ધવલભાઈ પટેલ અને મિશનના ઉપ-પ્રમુખ આત્માર્પિત નેમીજી પણ ઉપસ્થિત હતા.
આ અવસરે માનનીય શ્રી અમિતભાઈએ કહ્યું હતું કે, “શ્રીમદ્ રાજચંદ્રજીની પ્રતિમાજીનો મહામસ્તકાભિષેક કરતી વખતે મને આનંદ અને શાંતિની ઊંડી અનુભૂતિ થઈ છે. હિમાલયની કંદરાઓમાં જઈ પ્રાપ્ત ઘણા યોગીઓ કરી શકે છે, પણ શ્રીમદ્જીએ સમાજની વચ્ચે રહી લોકો માટે મોક્ષનો માર્ગ કંડાર્યો એ સંસાર પર તેમનો ખૂબ મોટો ઉપકાર છે. હું મહામાનવ અને ઈશ્વરતુલ્ય એવા શ્રીમદ્જીને શ્રદ્ધાંજલિ અર્પું છું. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન, કવન, વિચારો અને સિધ્ધાંતોને ચરિતાર્થ કરવાનો મૂક યજ્ઞ આરંભ્યો છે. આધ્યાત્મિક માર્ગદર્શન હોય કે સેવા, શિક્ષા સ્વાસ્થ્ય અને જરૂરિયાતમંદોની સહાય કરવાની હોય, પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીના નેતૃત્વ હેઠળ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.’’

તેમની મુલાકાત દરમિયાન માનનીય શ્રી અમિતભાઈએ આગામી શ્રીમદ્ રાજચંદ્ર અહિંસા સેન્ટરની ઈંટનું પૂજન કર્યું હતું. આ અહિંસા સેન્ટર તમામ જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ અને કરુણા કેળવવા માટે સમર્પિત સ્થળ બની રહેશે. અહીં મલ્ટી-સેન્સરી વોકથ્રુ, 4-ડી ડિજિટલ એક્સપિરિયન્સ જેવી શૈક્ષણિક અને મનોરંજક સુવિધાઓ દ્વારા પ્રાણીઓ અને પ્રકૃતિ સાથે મનુષ્યના ગાઢ જોડાણને પ્રોત્સાહન આપવામાં આવશે.
પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીએ આ પ્રસંગે માનનીય શ્રી અમિતભાઈ શાહને આવકારતાં કહ્યું હતું કે “આપ ભારતીય મૂલ્યો, ભાવનાઓ અને સંસ્કૃતિના સરંક્ષણ માટે સતત કાર્યશીલ છો. સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ ૨૦૪૭ માટે આપના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર સમાજ ઉન્નતિના સર્વ આયોજનોમાં ભારત સરકાર સાથે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે અને આગળ ચાલવા કટિબદ્ધ છે. આપના પ્રયત્નોથી દેશ ઉન્નત બને અને સાચા અર્થમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય એ જ પરમકૃપાળુદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું”
આધ્યાત્મિક આર્ષદ્રષ્ટા અને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય નેતાના આ ઐતિહાસિક મિલને હાજર રહેલા હજારો સાધકોના હૃદયમાં એક ઊંડી છાપ છોડી હતી. આ પ્રસંગ દર્શાવે છે કે શ્રીમદ્ રાજચંદ્રજી જેવા મહાન ભારતીય સંતો દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોના પાયા પર ભારત અમૃત કાલના સ્વપ્નને સાચા અર્થમાં પરિપૂર્ણ કરવા માટે સક્ષમ છે.
માનનીય મંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન કરવામાં આવેલ ભાષણની ઑફિશિયલ વિડીયો:
Video highlights: https://srmd.link/kjehka
શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડો.પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી
પ્રખર હિન્દુ નેતાએ ઉધના સ્થિત શ્રી બજરંગ સેનાના કાર્યાલયની મુલાકાત લીધી
સુરત. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ આજરોજ શ્રી બજરંગ સેનાના ઉધના સ્થિત કાર્યાલયની મુલાકાત લીધી હતી. જ્યાં રાષ્ટ્રીય બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ ડૉ. પ્રવીણ તોગડિયાને ગદા ભેટ આપી તેમનું સ્વાગત અને સન્માન કર્યું હતું.

શ્રી હિતેશ વિશ્વકર્મા ડૉ. પ્રવીણ તોગડિયાને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે. આજરોજ ડૉ. પ્રવીણ તોગડિયા જ્યારે ઓફિસે પધાર્યા ત્યારે હિતેશ વિશ્વકર્માએ હર્ષની લાગણી અનુભવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.
સુરતમાં ગુલાબી ઠંડીમાં ૫૦૦થી વધુ લોકોએ એક સાથે એરોબિકસ જુમ્બા અને યોગ ગરબા કર્યા હતા.
સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટરના પ્રારંભે આ એરોબિકસ જુમ્બા અને યોગ ગરબાનું આયોજન કર્યું હતું. આ અનોખા કાર્યક્રમની શરૂઆત મ્યુઝિકના રિથ્મ પર એરોબિકસ, જૂમ્બા, અને યોગ ગરબાના તાલે થઈ, જેમાં લોકોએ મજા કરીને ફિટનેસના પરિપ્રેક્ષ્યમાં પાર્ટી કરી

આ અનોખી ઉજવણીમાં હાજર લોકોએ આરામ કરવા માટે થોડીવાર ફૂલો અને યોગદાનના સંસ્કારોથી ઠંડી હવા માં આરામ લીધો હતો. નવા વર્ષની શરૂઆતમાં હેલ્થ પરફોર્મન્સ માટે તમામ લોકોએ સંકલ્પ લીધો હતો. આ યોગમાં લોકોએ આંખ પર પટ્ટી બાંધીને સંપૂર્ણ મન એકાગ્રતા સાથે યોગ કરવામાં નિષ્ણાત બન્યા હતા આ સાથે જ મંદિરમાં ગુંજતા ઘંટના અવાજ સાથે મેડિટેશન કરવામાં આવ્યું હતું.

જેનો ઉદ્દેશ શાંતિ અને માનસિક સક્રિયતા પ્રદાન કરવાનો હતો. ફિટનેસ પ્રતિબદ્ધતાએ ડૉ. આફરીન અને તેમની ટીમે સંદેશ આપ્યો કે, ફિટ રહેવા માટે બહાનાઓ નથી, હવે બહાર નીકળી અને કસરત કરવાની જરૂર છે. લોકો ને ફિટનેસ તરફ મોટીવેટે કરી ને પેઈન ફ્રી ઇંડિયા બનાવા માટે લોકોએ સંકલ્પ લીધો હતો.
સુરતમાં 16મી જાન્યુઆરીથી આંતરાષ્ટ્રીય કથા વાચક પંડિત પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં ઐતિહાસીક શિવ મહાપુરાણ કથાનું આયોજન
ડિંડોલી – પલસાણા રોડ પર ખરવાસા વેદાંત સીટી ખાતે આયોજિત ભવ્ય શિવ મહાપુરાણ કથામાં રોજ 10 લાખ થી વધુ ભકતો લેશે કથા શ્રવણનો લાભ
5 મી જાન્યુઆરીએ કથાસ્થળ પર રુદ્રાભિષેક અને 12 મી જાન્યુઆરીએ કળશ યાત્રાનું આયોજન
160 વીઘામાં પાર્કિગની વ્યવસ્થા સાથે કથા સ્થળ પર જર્મન પંડાલ નું નિર્માણ
સુરત. સુરત શહેરના આંગણે અનેરા પ્રસંગનું આયોજન થવા જઈ રહ્યું છે. શ્રી સાંઈ લીલા ગ્રુપ દ્વારા ડિંડોલીના ખરવાસા ખાતે આગામી 16 જાન્યુઆરીથી આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ શ્રી પંડિત પ્રદીપ મિશ્રા જી (સિહોર વાલે) ના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં ભાવિક ભકતો સ્વયંભૂ સેવા માટે આવી રહ્યા છે, જેને પગલે હમણાંથી જ સુરતનું વાતાવરણ શિવમય જોવા મળ્યું રહ્યું છે. આ આયોજનમાં પ્રતિદિન લાખોની સંખ્યામાં ભાવિક ભકતો કથા શ્રવણ માટે ઉમટી પડશે તેને ધ્યાનમાં રાખી આયોજક સમ્રાટ પાટીલ અને સુનીલ પાટીલ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ડિંડોલી – પલસાણા રોડ પર ખરવાસા ખાતે આવેલ વેદાંત સીટી ખાતે કથાનું આયોજન થવા જઈ રહ્યું છે જ્યાં 200 વીઘા જેટલી વિશાળ જગ્યામાં તમામ સુવિધાઓ થી સજ્જ જર્મન પંડાલ હશે.સાથે જ ભકતો માટે 160 વીઘામાં વિશાળ પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરતના ખરવાસા ખાતે આંતરરાષ્ટ્રીય કથા વ્યાસ શ્રી પંડિત પ્રદીપ મિશ્રાજીના પાવન સાનિધ્યમાં યોજાનારા ભવ્ય શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજક સુનિલ પાટીલ અને સમ્રાટ પાટિલે જણાવ્યું હતું કે આ તેઓનું અને ખાસ કરીને સુરત અને ગુજરાતના શિવ ભક્તોનું સૌભાગ્ય છે કે તેઓ શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાના છે. ડિંડોલી – પલસાણા રોડ પર ખરવાસા ખાતે સ્થિત વેદાંત સીટી ખાતે તારીખ 16 જાન્યુઆરી થી 22 જાન્યુઆરી સુધી શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, ભૂતો ન ભવિષ્યતિ આ આયોજનમાં એક સાથે 15 લાખ લોકો બેસીને શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરી શકે એવું 200 વીઘા જગ્યામાં વિશાળ જર્મન પંડાલ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હજારો ભક્તો સ્થળ પર જ રોકાણ કરતા હોય ત્યારે તેમને કોઈ પણ પ્રકારની અગવડતા નહીં પડે તે રીતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. લાખો લોકોની ઉપસ્થિતિને ધ્યાન માં રાખી વિશાળ રસોડું સાતો દિવસ 24 કલાક ચાલુ રહશે એટલે કે ભકતો ગમે ત્યારે મહાપ્રસાદીનું આચમન કરી શકશે. આ માટે અત્યારથી જ કથા સ્થળ ખાતે આયોજનની શરૂઆત કરી દેવામાં આવી છે. વિવિધ પ્રકારની સેવાઓ ભકતો માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે ભકતો સ્વયંભૂ સેવામાં જોડાઈ રહ્યા છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે ઉમટી રહ્યા છે. એટલું જ નહીં પણ 16 થી 22 જાન્યુઆરી દરમિયાન સેવા આપવા માટે અત્યાર સુધી 20 હજારથી વધુ ભક્તો પોતાના નામની નોંધણી કરાવી ચૂક્યા છે અને હજી પણ રોજ મોટી સંખ્યામાં લોકો નામ નોંધાવા આવી રહ્યા છે.
– પહેલા દિવસથી રસોડું કાર્યરત :-
શ્રી શિવ મહાપુરાણ કથાના આયોજનની તૈયારીના પહેલા દિવસથી જ અહીં ભકતો માટે રસોડું કાર્યરત કરવામાં આવ્યું છે. રોજ મોટી સંખ્યામાં ભક્તો સેવા માટે સ્વયંભૂ આવી રહ્યા છે ત્યારે સેવાદારો માટે સવાર સાંજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહી પણ કથા આયોજનમાં દિવસો દરમિયાન સ્થળ પર 24 કલાક મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
– આયોજનની બંને દિશાએ બે કિમીના અંતરે પાર્કિગની વ્યવસ્થા
શ્રી શિવ મહાપુરાણ કથામાં રોજ દસથી પંદર લાખ ભક્તો ઉમટી પડશે ત્યારે આયોજકો દ્વારા કથા સ્થળથી બંને દિશામાં બે કિમીના અંતરે વિશાળ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભકતો પોતાના વાહન સુ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરી શકે તે માટે 160 વીઘામાં પાર્કિંગ ઝોન બનવામાં આવ્યું છે. પાર્કિંગ સ્થળ પર વ્યવસ્થા સાંભળવા માટે પણ મોટી સંખ્યામાં સ્વયમ્ સેવકો ઉપસ્થિત રહશે.
– ધાર્મિક આયોજન સાથે માનવ સેવા
ભવ્ય અને દિવ્ય એવા શિવ મહાપુરાણ કથાના આયોજન સાથે જ સાંઈ લીલા ગ્રુપ દ્વારા 29મી ડિસેમ્બરથી માનવ સેવાનું કાર્ય પણ કથા સ્થળે થઈ રહ્યું છે. અહીં રક્તદાન શિબિરના આયોજન માં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.
5મી જાન્યુઆરીએ રુદ્રાભિષેક અને 12મી જાન્યુઆરીએ કળશ યાત્રાનું આયોજન
સાંઈ લીલા ગ્રુપ દ્વારા શિવ મહાપુરાણ કથાના આયોજન પહેલા 5મી જાન્યુઆરીના રોજ કથા સ્થળ પર રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 12મી જાન્યુઆરીના રોજ ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે દસ વાગે મિલેનિયમ પાર્ક સ્થિત પંચદેવાલય મંદિર ખાતેથી કળશ યાત્રાની શરૂઆત થશે અને ખરવાસા વેદાંત સીટી સ્થિત કથા સ્થળ પર પૂર્ણાહુતિ થશે.
INS PLUS હોસ્પિટલ ના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરોની ટીમ દ્રારા VALVE IN VALVE TAVI ની સફળ સર્જરી
નવસારી (ગુજરાત) [ભારત], 1 જાન્યુઆરી: INS Plus હોસ્પિટલની શરૂઆત નવસારીમાં આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશ સાથે થઈ. અહીં 24 કલાકની કાર્ડિયોલોજી અને ન્યૂરોલોજી સેવાઓની ઘણી જરૂરિયાત હતી, જે આ હોસ્પિટલ દ્વારા પૂરી કરવામાં આવી. અનુભવી ડૉક્ટરો અને આધુનિક પદ્ધતિ સાથે INS Plus એ સસ્તી અને શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરી છે. આ હોસ્પિટલ સ્થાનિક રહેવાસીઓ તરફથી શ્રેષ્ઠ પ્રતિસાદ મેળવનારી બની છે અને અનેક જીવ બચાવવાનો અભિનવ પ્રયાસ કરી રહી છે. INS Plus હંમેશા શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રદાન કરવા અને નવસારીના લોકોની ભલાઈ માટે કાર્યરત રહેવામાં પ્રતિબદ્ધ છે.
INS PLUS હોસ્પિટલ ૩૫+ ડોકટરો, ૭૫ બેડ અને ૨૦૦ સ્ટાફ ધરાવતી એકમાત્ર હોસ્પિટલ નો શુભારંભ જાન્યુઆરી ૨૦૨૩માં નવસારી ખાતે કરવામાં આવ્યો હતો. નવસારી તેમજ આજુબાજુ માં વસતા રહેવાસીઓ માટે આરોગ્યને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાના નિવારણ માટે INS PLUS હોસ્પિટલ 24×7 અત્યાધુનિક, સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડૉકટરો ની ટીમ દ્વારા અફોર્ડેબલ કિંમતે સારવાર આપતી દક્ષિણ ગુજરાત ની એકમાત્ર હોસ્પિટલ પસંદગીમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરેલ છે.
જયાં કાર્ડિયાક સર્જરી, ન્યુરો સર્જરી, ઓર્થો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ENT સર્જરી અને જનરલ સર્જરી ને લગતી દરેક પ્રકાર ની સર્જરી માટે હવે નવસારી તેમજ આજુબાજુ માં વસતા રહેવાસીઓ એ સુરત, મુંબઈ કે અમદાવાદ ગભરાય ને દોડી જવાની જરૂર નથી, કારણકે અહીં સચોટ, સર્વશ્રેષ્ઠ અને તાત્કાલિક સારવાર આપવા માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ કટિબદ્ધ છે.

આ હોસ્પિટલ ની અત્યાર સુધી ની સફરમાં ઘણી ગંભીર / કઠિન સર્જરી તેમજ સારવાર કરવામાં આવી છે.
તેની માહીતી રજુ કરેલ છે.
- ૧૦૦થી વધારે હાર્ટ એટેકના દર્દીઓ ની એન્જિયોપ્લાસ્ટી દ્રારા ગોલ્ડન અવર્સ દરમ્યાન સફળ સારવાર કરેલ છે.
- ૮૦થી વધુ દર્દી ઓની ગોલ્ડન અવર્સ દરમ્યાન ઈમર્જન્સી ન્યુરોસર્જરી દ્રારા સફળ સારવાર કરેલ છે.
- ૩૦થી વધુ સ્ટ્રોક ના દર્દી ઓની થોમ્બોલિસિસ દ્વારા સફળ સારવાર કરેલ છે.
- ૪૦% જેટલા બર્નસ દર્દીની પણ સફળ સારવાર અહીં કરવામાં આવેલ છે.
તેવી જ એક ઘણી ગંભીર પ્રકારની સફળ સર્જરી કરી એમની સફળતાના કાર્યમાં એક નવો માઈલસ્ટોન રાખેલ છે જેની વિશેષતા જણાવેલ છે.

VALVE IN VALVE”TAVI નામક સર્જરી હાલમાં જ આ હોસ્પિટલ ના નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ Dr. મિહિરસિંહ રાઠોડ અને Dr.પ્રિતેશ પારેખ, પ્રોક્ટર Dr.માણેક ચોપડા અને કાર્ડિયાક સર્જન Dr. દેવાંગ નાયક જેવા અનુભવી ડોકટરોની ટીમ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવેલ છે. એ દરમ્યાન ૨% જેટલા લોકો ને સ્ટ્રોક (લકવો) થવાની શકયતા રહેલ છે. જે ને દૂર કરવા સેરેબ્રલ પ્રોટેકશન ડિવાઈસ નો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાત માં આવી કઠીન સર્જરી ઘણા વર્ષો પછી કરવામાં આવેલ સર્જરી છે જે આરોગ્ય ક્ષેત્રે પ્રશંશાને પાત્ર છે.
આ સર્જરી ની વિષેશતા અહીં જણાવવી સાર્થક છે.
- ઓપન હાર્ટ સર્જરી કર્યા વગર જુના અને ખરાબ થયેલા હાર્ટ ના વાલ્વ ને અત્યાધુનિક પદ્ધતિથી બદલવામાં આવેલ છે.
- કોઈ પણ પ્રકારની મેજર સર્જરી કે વાઢકાપ કર્યા વગર પગની નશ માંથી ખરાબ થયેલ હાર્ટ નો વાલ્વ બદલવામાં આવેલ છે.
- અત્યાધુનિક પદ્ધતિ દ્વારા ૨૪ કલાક કાર્ડીઓલોજીસ્ટ ની હાજરી સાથે ૭૩ વર્ષના દર્દીની સફળ સર્જરી કરવામાં આવેલ છે.
VALVE IN VALVE “TAVI નામક સફળ સર્જરીનો શ્રેય INS PLUS હોસ્પિટલ તેમજ તેના સુપર સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત, અનુભવી અને પ્રતિષ્ઠિત ડોકટરો ની ટીમ ને આપવામાં આવે છે.
ભારતીય નૃત્ય પરંપરાનો ઉત્સવ: વ્હાઇટ લોટસ સ્કૂલનો અદ્ભુત વાર્ષિક દિવસ
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ વાર્ષિક ડે ફંક્શન હોસ્ટ કરે છે: ધ ડાન્સ ક્રોનિકલ્સ ઑફ ઇન્ડિયા
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે 28મી ડિસેમ્બર 2024, શનિવારના રોજ ભવ્યતા અને સાંસ્કૃતિક ઉત્સાહ સાથે તેના વાર્ષિક ડે ફંક્શન, ધ ડાન્સ ક્રોનિકલ્સ ઑફ ઇન્ડિયાની ઉજવણી કરી. આ ઇવેન્ટ, ભારતના સમૃદ્ધ નૃત્ય વારસાનું કેલિડોસ્કોપ, રાષ્ટ્રની સાંસ્કૃતિક વિવિધતા અને કલાત્મકતાનું આબેહૂબ પ્રતિનિધિત્વ હતું. વારસો
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતમાં નૃત્યની ઐતિહાસિક ઉત્ક્રાંતિને પ્રદર્શિત કરવાનો હતો, જેમાં પ્રાદેશિક પરંપરાગત શૈલીઓને સંમિશ્રિત કરીને મંત્રમુગ્ધ કરી દેનારી કથા બનાવવામાં આવી હતી. દરેક પ્રદર્શનને એક રાષ્ટ્ર તરીકે સાંસ્કૃતિક મૂળ અને મૂલ્યોને પ્રકાશિત કરવા માટે વિચારપૂર્વક કોરિયોગ્રાફ કરવામાં આવ્યું હતું. બિહુની કૃપાથી ભાંગડાના જીવંતતા સુધી, સાંજ ભારતની વૈવિધ્યસભર અને ગતિશીલ કલાત્મક પરંપરાઓને શ્રદ્ધાંજલિ તરીકે પ્રગટ થઈ.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ લયબદ્ધ હલનચલન અને ભાવનાત્મક અભિવ્યક્તિઓ દ્વારા જટિલ વાર્તાઓનું ચિત્રણ કરીને તેમના જુસ્સા અને સમર્પણ સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. આ પર્ફોર્મન્સે માત્ર ભારતીય કલાના સ્વરૂપોની વિવિધતાની જ ઉજવણી કરી ન હતી પરંતુ આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.
સભાને સંબોધતા, આચાર્ય; શ્રીમતી પૂર્વિકા સોલંકીએ સર્જનાત્મકતાના સંવર્ધન અને વિદ્યાર્થીઓમાં એકતા અને ગૌરવની ભાવનાને ઉત્તેજન આપવા માટે આવા કાર્યક્રમોની ભૂમિકા પર ભાર મૂક્યો હતો. “અમારું વાર્ષિક દિવસ ફંક્શન એક ઉજવણી કરતાં વધુ છે; તે અમારા વિદ્યાર્થીઓ માટે અમારી સંસ્કૃતિના સારને શોધવાની, તેમની કલાત્મક પ્રતિભા વિકસાવવાની અને એક સમાજ તરીકે અમને એક સાથે બાંધતા ગહન વર્ણનોને સમજવાની તક છે,” તેણીએ ટિપ્પણી કરી.
ધ ડાન્સ ક્રોનિકલ્સ ઓફ ઈન્ડિયાને અદ્ભુત સફળતા અપાવવામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાના સામૂહિક પ્રયાસોને બિરદાવતા, હૃદયપૂર્વકના આભાર સાથે કાર્યક્રમનું સમાપન થયું. ભારતની કાલાતીત પરંપરાઓ અને સર્વગ્રાહી શિક્ષણ પ્રત્યે શાળાની પ્રતિબદ્ધતા માટે ઊંડી પ્રશંસા સાથે સાંજએ પ્રેક્ષકોને પ્રેરણા આપી.
વ્હાઈટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ સાંસ્કૃતિક જાગૃતિ, કલાત્મક અભિવ્યક્તિ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને સંકલિત કરતા શિક્ષણ દ્વારા યુવા મનને આકાર આપવાના તેના મિશનને જાળવી રાખે છે.