Posts by: abhay_news_editor
ત્રિદિવસીય “વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવ” નું ભવ્ય આયોજન
સુરત મહાનગરમાં આ વર્ષે ભવ્ય ત્રિદિવસીય વિદ્યાગુરુ ઉપકાર મહોત્સવનું આયોજન થવાનું છે।
આ મહોત્સવ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજના પરમ શિષ્ય આચાર્ય શ્રી સમયસાગરજી મહારાજના પાવન આશીર્વાદ તથા પ્રશમમૂર્તિ મુનિ શ્રી અજિતસાગરજી મહારાજ, મુનિ શ્રી નીરાગસાગરજી મહારાજ, ઍલક શ્રી વિવેકાનંદસાગરજી મહારાજ, મુનિ શ્રી શુભમકિર્તિજી મહારાજ, શ્રમણી આર્થિકા વિવોધશ્રી માતાજી સંસંઘ તથા વિધુષી આર્થિકા પ્રજ્ઞાશ્રી માતાજી સંસઘના પાવન સાનિધ્યમાં સંપન્ન થશે ।
તારીખ: ૫ થી ૭ ઑકટોબર ૨૦૨૫
સ્થળઃ શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર જૈન દેહરાસર (અતિશય ક્ષેત્ર), વસતા દેવડી રોડ, કિરણ હોસ્પિટલ પાસે, કતારગામ, સુરત ।
+ કાર્યક્રમ વિગતો +
૫ ઑકટોબર ૨૦૨૫ (પ્રથમ દિવસ)
પ્રાતઃકાળ: ધ્વજારોહણ-શ્રી સુશીલાદેવી ભાગચંદજી જૈન પરિવાર દ્વારા
મંચ ઉદ્ઘાટન – હેમલતા દેવી માનેકચંદજી પરિવાર દ્વારા
તે પછી બાળકો તથા યુવાઓ માટે કેરિયર કાઉન્સેલિંગ તથા પ્રેરણાત્મક સત્ર
બપોરે ૧ વાગ્યે : ભવ્ય દિગંબર જૈન પ્રતિભા સન્માન સમારોહ
૬ ઑકટોબર ૨૦૨૫ (બીજો દિવસ)
શાકાહાર નિબંધ સ્પર્ધા (જેમાં અંદાજે ૩૨૦૦ વિધાર્થીઓએ નિબંધ લખ્યો હતો)ના
વિજેતાઓનું સન્માન સમારોહ
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શાળાઓના પ્રાચારીઓ/પ્રતિનિધિઓનું સન્માન
૭ ઑકટોબર ૨૦૨૫ (ત્રીજો દિવસ – શરદ પૂર્ણિમા)
શરદ પૂર્ણિમાના દિવસે સોધર્મ ઈન્દ્ર વગેરે મુખ્ય મહાપાત્રો તથા ૧૦૮ ઈન્દ્ર મુખ્ય મહાપાત્રો દ્વારા પરમ પૂજ્ય આચાર્ય ગુરુવર શ્રી વિદ્યાસાગરજી મહારાજના વિદ્યાગુરુ વિધાનનું મંગલ આયોજન
આચાર્યશ્રીની પ્રતિમા સ્થાપનાનું કાર્યક્રમ
+ વિશેષ પ્રસંગ +
કતારગામ અતિશય ક્ષેત્રમાં આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવ ઉપરાંત:
3 ઑકટોબર ૨૦૨૫: ચારિત્ર ચક્રવર્તી આચાર્ય શાંતિસાગરજી મહારાજનો ૧૦૧મો આચાર્ય પદારોહણ
દિવસ
૧૦ અને ૧૧ ઑકટોબર ૨૦૨૫: આચાર્ય શાંતિસાગરજી મહારાજ વિષે વિદ્વત્ સંગોષ્ઠી (સ્થળ: પારશ્વનાથ દિગંબર જૈન મંદિર, ભટાર રોડ, સુરત)
+ સંદેશ+
આયોજન સમિતિ તરફથી રવિ જૈન (CA.)એ જણાવ્યુ કે આ મહોત્સવ માત્ર સમાજની પ્રતિભાઓને સન્માનિત નહીં કરે પરંતુ યુવાઓ અને નવી પેઢીને ધર્મ, સંસ્કૃતિ તથા ઉચ્ચ આદર્શો સાથે જોડવાનું એક સાધન બનશે ! તમામ શ્રદ્ધાળુઓ તથા સમાજબંધીજનોએ વિનંતી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાવન મહોત્સવને સફળ બનાવે અને ધાર્મિક લાભ મેળવે।
આયોજક અને નિવેદક :
આયોજક: અવિજિત જૂથ – શાખા સુરત તથા કેન્દ્રીય અવિજિત જૂથ, વિદિશા (મ.પ્ર.)
નિવેદક: શ્રી વિદ્યાનંદ સ્વામી દિગંબર જૈન દેહરાસર સમિતિ, કતારગામ; ચાતુર્માસ સમિતિ, ભટાર તથા સમગ્ર દિગંબર જૈન સમાજ, સુરત।
મુનિશ ફોર્જ લિમિટેડનું IPO: રોકાણકારો માટે સુરતમાં ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ
સુરત: NNM ગ્રુપ અને કાસ્ટીંગ અને ફોર્જિંગ ક્ષેત્રની અગ્રણી અને ડિફેન્સ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન ધરાવનાર તથા યુકે, યુએસ સહિત અનેક દેશોમાં નિકાસકાર કંપની મુનિશ ફોર્જ લિમિટેડ તેના આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ને લઈને સુરતમાં રોકાણકારો માટે એક વિશેષ તક રજૂ કરી રહી છે. આ IPOની એંકર બુક 29 સપ્ટેમ્બર, 2025ના રોજ ખુલશે, જ્યારે સામાન્ય જનતા માટે 30 સપ્ટેમ્બરથી અરજીઓ સ્વીકારવામાં આવશે. IPO 3 ઓક્ટોબર, 2025ના રોજ બંધ થશે, અને શેરનું લિસ્ટિંગ 8 ઓક્ટોબર, 2025ના રોજ થશે. કુલ 77,00 400 શેર રૂ. 91 થી રૂ. 96ની કિંમતે ઓફર કરવામાં આવશે, જેના દ્વારા કંપની 73.92 કરોડ રૂપિયા એકત્ર કરવાની અપેક્ષા રાખે છે.આ IPO ને લઈને રવિવારે સુરત ખાતે ઇન્વેસ્ટર્સ મીટ યોજાઈ હતી.
મુનિશ ફોર્જની પ્રમોટર અને માર્કેટ મેકર કંપની NNM સિક્યુરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ ના નિકુંજ મિત્તલે જણાવ્યું હતું કે કંપની રોકાણકારોને આ આકર્ષક તકમાં ભાગ લેવા આમંત્રણ આપે છે. સુરત, જે સમજદાર ઉદ્યોગપતિઓ અને રોકાણકારોનું કેન્દ્ર છે, તેને ધ્યાનમાં રાખીને કંપનીએ 28 સપ્ટેમ્બર, 2025ના રોજ લા મેરેડીયન (T.G.B) હોટલ ખાતે એક ખાસ ઇન્વેસ્ટર્સ મીટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં રોકાણકારોને કંપનીની ગ્રોથ, પ્રમોટર્સ અને ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

મુનિશ ફોર્જ લિમિટેડ, લુધિયાણાના ડાયરેક્ટર અને પ્રમોટર શ્રી દેવ અર્જુન બસીને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ડિફેન્સ ક્ષેત્ર પર વધતું ધ્યાન અને નિયમોમાં થયેલા બદલાવને કારણે કંપની માટે ઉજ્જવળ ગ્રોથની સંભાવનાઓ છે. આનો લાભ માત્ર કંપનીને જ નહીં, પરંતુ રોકાણકારોને પણ મળશે.
મુનિશ ફોર્જ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી દેવેન્દ્ર બસીને ઉમેર્યું હતું કે 1986માં સ્થપાયેલી અમારી કંપની સતત વૃદ્ધિ કરી રહી છે. અમે ડિફેન્સ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી ઉપરાંત યુકે, યુએસ અને અન્ય દેશોમાં નિકાસ કરીએ છીએ. સુરતના સમજદાર રોકાણકારોને ધ્યાનમાં રાખીને અમે આ IPO લઈને આવ્યા છીએ. અમને વિશ્વાસ છે કે આ IPOને રોકાણકારો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળશે.”
આ ઇન્વેસ્ટર્સ મીટમાં હાજર રહેલા રોકાણકારોને કંપનીની મજબૂત ગ્રોથ, ડિફેન્સ ક્ષેત્રમાં તેની મહત્વની ભૂમિકા અને વૈશ્વિક નિકાસ બજારમાં તેની સફળતા વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. NNM ગ્રૂપ અને મુનિશ ફોર્જ લિમિટેડ રોકાણકારોને આ IPOમાં ભાગ લઈને કંપનીની સફળતાનો હિસ્સો બનવા આમંત્રણ આપે છે.
સુરતમાં ઇન્ડિયા એક્સિલેટરનું સ્ટાર્ટઅપ સેન્ટર શરૂ, સાઉથ ગુજરાતના ઉદ્યમીઓને મળશે નવું પ્લેટફોર્મ
સુરત: સુરત શહેર, જે હીરા અને ટેક્સટાઇલ્સના હબ તરીકે જાણીતું છે, તે હવે ડિજિટલ અને આઇટી હબ તરીકે પણ ઝડપથી ઉભરી રહ્યું છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલાં રૂપે ઇન્ડિયા એક્સિલેટર દ્વારા સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવા માટે સુરત ખાતે એક અદ્યતન સ્ટાર્ટઅપ સેન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. આ સેન્ટરનું ઉદ્ઘાટન 28 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:00 વાગે ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા સુરાણા સુપ્રીમસના ચોથા માળે થવાનું છે.
આ સેન્ટરના સંચાલક ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે આ સેન્ટર 10,000 સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે અને 280 સીટની કો-વર્કિંગ સ્પેસ સાથે સજ્જ છે. આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય સાઉથ ગુજરાતના સ્ટાર્ટઅપ્સને નર્ચરિંગ, માર્ગદર્શન અને જરૂરી સંસાધનો પૂરા પાડીને તેમના વિકાસને વેગ આપવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા લોકો માને છે કે દસમાંથી નવ સ્ટાર્ટઅપ નિષ્ફળ જાય છે, પરંતુ એક માત્ર આઇડિયા સ્ટાર્ટઅપને સફળ નથી બનાવતો. તેની પાછળ પ્રોપર એકાઉન્ટિંગ, લીગલ પ્રક્રિયાઓ, ડિજિટલ માર્કેટિંગ, મીડિયા કવરેજ અને ફંડ રેઇઝિંગ જેવી મહત્વની બાબતોની જરૂર હોય છે. અમારું સેન્ટર આ તમામ જવાબદારીઓ ઉપાડશે, જેથી ફાઉન્ડર્સ ફક્ત તેમના બિઝનેસના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

અપૂર્વ વોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “ઇન્ડિયા આજે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે. હાલ જે રીતે સ્ટાર્ટઅપની પ્રગતિ થઈ રહી છે તે જોતા ચોક્કસ કહી શકાય કે આ એક મોટી ઇન્ડસ્ટ્રી બનવા જઈ રહી છે. સ્ટાર્ટઅપનો પ્રોગ્રેસ માત્ર કેટલાક મહત્વપૂર્ણ મોટા શહેરો પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં પણ આ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધી રહ્યો છે. સુરતની વાત કરીએ તો, સુરત એક એવું શહેર છે જ્યાં આસપાસ અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમાંથી ઘણું ટેલેન્ટ બહાર આવી રહ્યું છે. આવા સ્થળે યુવા ટેલેન્ટને માર્ગદર્શન પૂરું પાડવા માટે એક એક્સિલેટર સેન્ટર હોવું ખૂબ જ જરૂરી છે. સુરતમાં નેશનલ લેવલનું આવું સેન્ટર શરૂ થવાથી લોકલ ટેલેન્ટને મોટો ફાયદો થશે.”
સુરતને આ સેન્ટર માટે પસંદ કરવા પાછળનું કારણ તેનો ઝડપથી વિકસતો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. ડેટા અનુસાર, સાઉથ ગુજરાતમાં હાલ 60થી 70 સ્ટાર્ટઅપ્સ સક્રિય છે, અને તાજેતરમાં ત્રણ સ્ટાર્ટઅપ્સને નોંધપાત્ર ફંડિંગ પણ મળ્યું છે. સુરત હવે માત્ર હીરા અને ટેક્સટાઇલ્સ પૂરતું સીમિત નથી, પરંતુ ઇન્ફોસિટી અને સ્ટાર્ટઅપ સિટી તરીકે પણ આગળ વધી રહ્યું છે. આ સેન્ટર આગામી સમયમાં નવા ઉદ્યમીઓને પ્રોત્સાહન આપીને આ પ્રદેશના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.
આ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભા સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને ભારતીય સેનાના નિવૃત્ત સેના અધિકારી જનરલ મનોજ મુકુંદ નરવણે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, ઇન્ડિયા એક્સિલેટરના CEO આશિષ ભાટિયા પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આગામી દિવસોમાં ઇન્ડિયા એક્સિલેટર અર્થમ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી અમદાવાદ, મુંબઈ (વાશી), ઇન્દોર, અને જયપુર ખાતે પણ આવા સેન્ટરો શરૂ કરવાની યોજના ધરાવે છે. કુલ છ સેન્ટરો દ્વારા દેશભરના સ્ટાર્ટઅપ્સને સમર્થન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે વિદ્યાર્થીઓને આપ્યું જીવનરક્ષક CPR તાલીમ
સુરત, 29 સપ્ટેમ્બર 2025: વર્લ્ડ હાર્ટ ડેના અવસર પર વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ (WLIS), વેસુએ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલની નિષ્ણાત તબીબી ટીમના સહયોગથી વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે CPR (કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન) તાલીમ સત્રનું આયોજન કર્યું.
આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ જીવનરક્ષક કુશળતાઓ પ્રદાન કરવાનો અને હૃદયના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. નિષ્ણાત ડૉક્ટરોએ સમજાવ્યું કે યોગ્ય સમયે કરવામાં આવેલ CPR હૃદયની આકસ્મિક પરિસ્થિતિઓમાં જીવ બચાવવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
વિદ્યાર્થીઓએ તબીબોના માર્ગદર્શન હેઠળ જીવંત પ્રદર્શન અને પ્રાયોગિક તાલીમ લીધી. તેમણે છાતી પર દબાણ કરવાની તકનીક, કૃત્રિમ શ્વસન (rescue breaths) અને આપાતકાલીન પ્રતિસાદ પ્રોટોકોલ્સ શીખ્યા, જેના કારણે તેમને જ્ઞાન સાથે સાથે આત્મવિશ્વાસ પણ મળ્યો.

આ પ્રસંગે શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ જણાવ્યું:
“શિક્ષણ માત્ર પુસ્તકો અને વર્ગખંડ સુધી મર્યાદિત નથી. WLISમાં અમે અમારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકીએ છીએ, જેમાં જીવન માટે જરૂરી કુશળતાઓનો સમાવેશ થાય છે. CPR એ એક એવો અગત્યનો કૌશલ્ય છે જે દરેક વ્યક્તિને સંભવિત જીવનરક્ષક બનાવી શકે છે. આ પવિત્ર પહેલમાં સહકાર આપવા બદલ અમે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.”
આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો. તેઓ ઉત્સાહપૂર્વક તાલીમમાં જોડાયા. તબીબોએ તેમની શીખવાની આતુરતા (eagerness)ની પ્રશંસા કરી અને શાળાની આરોગ્ય જાગૃતિ ફેલાવવાની સક્રિય ભૂમિકા માટે વખાણ કર્યા
वेदांता लंजिगढ़ में शक्ति किट का वितरण उत्सव के साथ प्रभाव का मिश्रण
लंजिगढ़, कलाहांडी, 25 सितंबर, 2025: भारत में एल्युमीनियम की सबसे बड़ी उत्पादक, वेदांता एल्युमीनियम ने इस नवरात्रि पर एक अनोखी सामुदायिक पहल शुरू की है, जिसमें लंजिगढ़ के अपने आस-पास के गाँवों की महिलाओं को सशक्त बनाकर शक्ति की भावना का उत्सव मनाया जा रहा है। अपने विशेष ‘नवरात्रि मिलाप’ कार्यक्रम के तहत, कंपनी 600 से अधिक ‘शक्ति किट’ वितरित कर रही है, जिससे नौ गाँवों की 1,500 से अधिक महिलाओं को लाभ मिल रहा है।
हर शक्ति किट को स्वास्थ्य, स्वच्छता और पोषण – जो महिला कल्याण के तीन स्तंभ हैं – को बढ़ावा देने के लिए सोच-समझकर तैयार किया गया है। इन किटों में सैनिटरी नैपकिन, साबुन, हैंडवॉश और अन्य स्वच्छता की आवश्यक वस्तुएं; पोषण को बढ़ावा देने के लिए मिलेट-आधारित मिठाइयाँ; और लोहे के खाना पकाने के बर्तन शामिल हैं, जो एक पारंपरिक उपकरण है जो समय के साथ एनीमिया को कम करने में मदद करता है। इस पहल को शक्ति और देखभाल के उत्सव में बदलने के लिए उत्सव की वस्तुएं भी शामिल की गई हैं।
यह पहल नवरात्रि के नौ दिनों तक चलेगी, जिसमें प्रत्येक दिन एक गाँव को समर्पित होगा। वेदांत के प्रतिनिधि रंगोली बनाने और पारंपरिक खेलों जैसी गतिविधियों के माध्यम से समुदायों के साथ जुड़ रहे हैं, जिससे प्रत्येक वितरण एक साझा उत्सव बन रहा है। इस पहल में पुतरीभाटा, खलगुडा, बलभद्रपुर, कदमगुडा, केंदुबर्डी, बानिगाँव, सिमलीभाटा, बुंदेल और चनालिमा शामिल हैं, जिससे सामूहिक रूप से 600 से अधिक परिवारों को लाभ मिल रहा है।
इस पहल पर बोलते हुए, प्रणब कुमार भट्टाचार्य, सीईओ – वेदांत एल्युमिना बिज़नेस ने कहा, “हमारे सामुदायिक विकास प्रयास इस विश्वास में निहित हैं कि सच्ची प्रगति समावेशी और सहभागितापूर्ण होती है। नवरात्रि शक्ति – यानी ताकत, देखभाल और लचीलेपन का उत्सव है। इस साल, हम अपने गाँवों की महिलाओं को सशक्त बनाकर उस भावना का सम्मान करना चाहते थे। शक्ति किट के माध्यम से, हम उनके स्वास्थ्य और कल्याण में निवेश कर रहे हैं। यह पहल हमारे व्यापक सामाजिक प्रभाव कार्यक्रमों का पूरक है, जो शिक्षा, स्वास्थ्य सेवा, कौशल विकास और आजीविका सृजन तक फैले हुए हैं; और टिकाऊ और न्यायसंगत विकास के लिए मार्ग बना रहे हैं।”

‘नवरात्रि मिलाप’, वेदांत लंजिगढ़ के प्रमुख सामुदायिक कनेक्ट – मिलाप कार्यक्रम का एक उत्सव संस्करण है। यह मंच कंपनी के कर्मचारियों और उसके मेजबान समुदायों के बीच नियमित जुड़ाव को बढ़ावा देता है, जिससे 16 गाँवों में 3,300 से अधिक लोगों को लाभ होता है। मासिक मिलाप कार्यक्रमों में आवश्यक वस्तुओं का वितरण, साझा सामुदायिक भोजन और सांस्कृतिक आदान-प्रदान शामिल हैं जो एकजुटता की भावना को मजबूत करते हैं।
सामुदायिक विकास के लिए अपने एकीकृत दृष्टिकोण के माध्यम से, कंपनी अपने परिचालन क्षेत्रों में सकारात्मक बदलाव लाना जारी रखे हुए है, व्यक्तियों को सशक्त बना रही है, परिवारों को मजबूत कर रही है, और लचीले समुदाय का निर्माण कर रही है जो औद्योगिक प्रगति के साथ बढ़ते हैं।
वेदांत एल्युमीनियम बिज़नेस के बारे में:
वेदांत लिमिटेड का एक बिज़नेस, वेदांत एल्युमीनियम, भारत का सबसे बड़ा एल्युमीनियम उत्पादक है, जो भारत के आधे से अधिक एल्युमीनियम का निर्माण करता है, यानी वित्तीय वर्ष 25 में 2.42 मिलियन टन। यह मूल्यवर्धित एल्युमीनियम उत्पादों में एक अग्रणी है जो मुख्य उद्योगों में महत्वपूर्ण अनुप्रयोग पाते हैं। वेदांत एल्युमीनियम, एल्युमीनियम उद्योग के लिए एस एंड पी ग्लोबल कॉर्पोरेट सस्टेनेबिलिटी असेसमेंट 2024 की विश्व रैंकिंग में दूसरे स्थान पर है, जो इसकी अग्रणी टिकाऊ विकास प्रथाओं का प्रतिबिंब है। भारत में अपने विश्व स्तरीय एल्युमीनियम स्मेल्टर, एल्युमिना रिफाइनरी और पावर प्लांट्स के साथ, कंपनी एक हरित कल के लिए ‘भविष्य की धातु’ के रूप में एल्युमीनियम के उभरते अनुप्रयोगों को बढ़ावा देने के अपने मिशन को पूरा करती है।
લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ : સેવા, સહકાર અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા
સુરત, સપ્ટેમ્બર 2025: લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી સેવાકીય સંસ્થા છે, જે છેલ્લા 107 વર્ષથી માનવકલ્યાણ માટે સતત કાર્યરત છે. આજે 200 થી વધુ દેશોમાં અને 14 લાખથી વધુ સભ્યો સાથે લાયન્સ સંસ્થા સમાજના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર છે. ભારત સહિત અનેક દેશોમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, બ્લડ બેંક અને કુદરતી આફતોમાં રાહત, જેવી સેવાઓ દ્વારા લાયન્સ ક્લબ્સે અદ્વિતીય યોગદાન આપ્યું છે. ગુજરાતમાં સુરત અને ભરૂચથી ઉમરગામ સુધી વિસ્તરેલી લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2 સમાજ કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી રહ્યું છે. આ અંગે સુરતમાં લાયન મોના દેસાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2 એ માહિતી આપી હતી. લાયન પ્રિયંકા જૈન રાવલ- એસવીડીજી; લાયન નિશીથ કિનારીવાલા- પીએમસીસી; લાયન દીપક પખાલે -પીવીએમસીસી ; લાયન સુધીર દેસાઈ-પીડીજી; લાયન સોનલ દેસાઈ-ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી; લાયન શિખા સરુપ્રિયા- ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરર વગેરે પણ ઉપસ્થિત રહ્યાં હતા. સાથે જ, વ્યવસ્થાના ભાગ રૂપે લાયન યોગેશ દેસાઈ, ડિસ્ટ્રીક્ટ કોઓર્ડિનેટર, સાયબર ક્રાઈમ એવરનેસ ઉપસ્થિત રહ્યા હતા.
મોના દેસાઈ, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2 જણાવ્યું હતું કે, “અમારા શરૂ થયેલ કેમ્પેઇન અંતર્ગત લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ (ડિસ્ટ્રીક્ટ 3232 એફ2) દ્વારા વાપીથી લઈને ભરૂચ સુધી 3000 પ્રોટીન કિટ્સ દરેક દર્દી સુધી પહોંચાડવામાં આવશે, અને આ કેમ્પેઇન આખું વર્ષ ચાલશે.”
ભારતમાં લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલે અનેક હોસ્પિટલો, શાળાઓ, બ્લડ બેન્કો તથા આરોગ્ય સંભાળના કેન્દ્રો સ્થાપી સમાજની નવી જરૂરિયાતોને સંતોષવા, સેવા પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે. ડાયાબિટીઝ નિયંત્રણ અને વિવિધ આરોગ્ય સેવાઓ, પર્યાવરણ સુરક્ષા અને જાળવણી, આંખની સંભાળ અને સારવાર, ભૂખ્યાને ભોજન અંતર્ગત રાશન કિટ અને ફૂડ પેકેટનું વિતરણ, ડ્રગ અવેરનેસ અને યુવાઓ ના ચરિત્ર નિર્માણના કાર્યક્રમો, લાયન્સ કવેસ્ટ અને યુથ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ, નેતૃત્વ ઘડતર અને બંધુત્વના કાર્યક્રમો, રક્તદાન શિબિરના કાર્યક્રમો, હેલ્થ અવેરનેસ સેવાઓ જેવા ક્ષેત્રોમાં સંસ્થા અવિરત સેવાઓ આપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત ટીબી નિવારવા અંગે પણ લાયન્સ ક્લબ્સ દ્વારા સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ કોઈ કુદરતી આફત આવે તો જરૂરિયાતમંદોને ગ્રાન્ટ મોકલવા માં પણ અગ્રેસર રહે છે.
ગુજરાતમાં સુરત અને ભરૂચથી ઉમરગામ સુધી વિસ્તરેલી લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલના સેવા મંદિરો સમાજના કલ્યાણ માટે સતત કાર્યરત છે જ, જેમાં લાયન્સ ઈન્ટરનેશનલ એકેડમી- ગાર્ડન સિટી રોડ – અંકલેશ્વર, લાયન્સ સ્કુલ, ન્યૂ કોલોની, જીઆઈડીસી – અંકલેશ્વર, લાયન્સ ક્લબ ઓફ ચીખલી, બ્લડ બેન્ક ચીખલી, લાયન્સ ક્લબ ઓફ ઉમરા- સારદા યતન સ્કુલ, પીપલોદ- સુરત, લાયન્સ ક્લબ ઓફ સુરત- લાયન્સ કેન્સર હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ મઢી ટાઉન- ડાયાબિટીઝ રેટિનોપેથી મશીન ઇનસાઈડ ઓફ લાયન્સ હોસ્પિટલ, લાયન્સ ક્લબ ઓફ નવસારી- લાયન્સ હોસ્પિટલ, દુધિયા તળાવ દુધિયા તળાવ, નવસારી, લાયન્સ ક્લબ ઓફ સુરત- લાયન્સ કેન્સર હોસ્પિટલ એક્સ્પાનશન બિલ્ડીંગ, લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગર- લાયન્સ આઈ હોસ્પિટલ ગુંજન એરિયા, વાપી, લાયન્સ ક્લબ ઓફ સુરત સ્માર્ટ સીટી- ઉત્તર બુનિયાદી વિદ્યાલય બોય્સ હોસ્ટેલ પાતળનો સમાવેશ થાય છે. “વધુ હાથ, વધુ લોકો, વધુ સેવા”ના સૂત્ર સાથે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ સમાજસેવાના નવા અધ્યાય લખી રહ્યું છે.
લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 F2નું ધ્યેય માત્ર સેવાપ્રવૃત્તિઓ સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજના દરેક વર્ગ સુધી સહકાર, આશા અને સકારાત્મક પરિવર્તન પહોંચાડવાનું છે. સંસ્થા માને છે કે સેવા દ્વારા જ સાચો સમાજ વિકાસ શક્ય છે અને એ માટે દરેક નાગરિકનો સહયોગ આવશ્યક છે.
આરસીએમની રૂપાંતર યાત્રાને સુરતમાં ભવ્ય પ્રતિસાદ મળ્યો.
આરસીએમની રૂપાંતર યાત્રાને સુરતમાં ભવ્ય પ્રતિસાદ મળ્યો.
આરસીએમ પાસે હાલમાં સમગ્ર દેશમાં 20 લાખથી વધુ સક્રિય એસોસિયેટ ખરીદદારો છે, અને કંપની આ સંખ્યા આવતા વર્ષોમાં વધારવાની યોજના બનાવે છે. ગુજરાતમાં કંપનીનું વિસ્તરતું નેટવર્ક સસ્તા, ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનોની વધતી માંગ અને આરએસીએમ પર આસ્થાનું પ્રતીક છે, જે આત્મનિર્ભરતા માટે ટકાઉ અવસર સર્જતું પ્લેટફોર્મ છે.
સમાવેશી વિકાસની પોતાની દ્રષ્ટિ હેઠળ, આરસીએમ સુરત અને ગુજરાતની વિવિધ સમુદાયોની લોકોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. મહિલાઓ, યુવાનો અને વિવિધ વય અને પૃષ્ઠભૂમિના ઉદ્યમીઓને સમાન તક આપીને, આરસીએમ જીવનવ્યવહારને મજબૂત બનાવવા અને વિકાસના લાભો વ્યાપક રીતે વહેંચાવા માટે પ્રયત્નશીલ છે.
આ યાત્રા, આરસીएमની 25મી વર્ષગાંઠની ઉજવણીનો ભાગ તરીકે, 100 દિવસની મુસાફરી છે જે 17,000 કિલોમીટર, 75 શહેરો અને 25 મોટા કાર્યક્રમોનો સમાવેશ કરે છે.
સુરતની મુલાકાત દરમિયાન, યાત્રાએ આર.સી.એમ. ના મુખ્ય ستون સ્વાસ્થ્ય, સેવા અને સંસ્કારની પુનઃપ્રતિષ્ઠા કરી. તેણે મહિલાઓ, યુવાનો અને સમુદાય પરિવર્તકોએ આર.સી.એમ. ઈકોસિસ્ટમ દ્વારા તેમના જીવનમાં લાવેલા પ્રેરણાદાયક સફર들을 હાઇલાઇટ કર્યા. કાર્યક્રમમાં આર.સી.એમ. ના સ્વસ્થ, સસ્તા અને આરોગ્યપ્રદ ઉત્પાદનો પણ રજૂ કરવામાં આવ્યા. યાત્રા સુરતમાં પૂર્ણ થતાં, આર.સી.એમ.એ તેના હાલના એસોસિએટ ખરીદદારો સાથેનો બંધન મજબૂત કર્યો અને નવા સભ્યોનું પણ વધતા નેટવર્કમાં સ્વાગત કર્યું.
સુરતના લોકોને યાત્રાનું ભવ્ય સ્વાગત ઉમંગ અને ઉત્સાહ સાથે કર્યું હતું, સંપદા ફેસ્ટિવિટી, રિંગ રોડ, એન્થેમ સર્કલ પાસે,સુરતમાં યોજાયેલ ભવ્ય સમારંભમાં સૈકડો લોકો જોડાયા હતા. કાર્યક્રમને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો હતો — સવારે આરોગ્ય અને સેવાસંબંધિત પ્રવૃત્તિઓ અને સાંજે ઉજવણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો. સંપૂર્ણ આર.સી.એમ. અનુભવ આપવાના હેતુથી “રૂપાંતર મેળો” પણ આયોજિત કરવામાં આવ્યો હતો. મહેમાનો માટે ઈન્ટરએક્ટિવ બૂથ્સના માધ્યમથી આર.સી.એમ.નું વ્યાપક પોર્ટફોલિયો રજૂ કરવામાં આવ્યું, જેમાં ન્યુટ્રિચાર્જ અને ગામ્મા પ્રોડક્ટ લાઈનવાળો હેલ્થ ઝોન અને મહિલા વસ્ત્રો અને ફૂટવેર માટેનું કી સોલ પેવિલિયન સામેલ હતા. ફૂડ કોર્ટે આર.સી.એમ.ની સ્વેચ્છા અને ગુડ ડોટ બ્રાન્ડ્સ સહિત વિવિધ સ્વાદિષ્ટ અને સ્વસ્થ વ્યંજન પણ પરોસ્યા. વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી, જેમાં ઘણા લોકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું, જરૂરિયાતમંદોને જીવનદાન આપી અને સમાજમાં સેવા, આરોગ્ય અને સંસ્કારનો પ્રેરણાદાયક સંદેશ ફેલાવ્યો.
સુરતમાં આયોજિત રૂપાંતર યાત્રાના ઉજવણીઓમાં પદ્મશ્રી વિજેતા મનોજ જોશીની આકર્ષક હાજરી રહેલી, જે સાંજનો મુખ્ય આકર્ષણ બની. કચરા સેઠની યાદગાર હાસ્યાસ્પદ ભૂમિકાથી લઈને ચાણક્ય જેવા શક્તિશાળી પાત્ર સુધી, મનોજ જોશીએ હિન્દી, ગુજરાતી, મરાઠી અને અન્ય ભાષાઓમાં થિયેટર, ટેલીવિઝન અને ફિલ્મોમાં પોતાની બહુમુખી અભિનય ક્ષમતા દર્શાવી છે. તેમની ઉપસ્થિતિએ કાર્યક્રમને
વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું. રૂપાંતર યાત્રાનો હેતુ છે સમાજમાં મૂલ્યઆધારિત જીવનશૈલી, આરોગ્ય જાગૃતિ અને સેવાભાવનાનો પ્રચાર કરવો. મનોજ જોશીનો સાંસ્કૃતિક સમર્પણ અને બહુમુખી કળાને લગાવ યાત્રાની ભાવના અને મિશન સાથે સંપૂર્ણ રીતે જોડાતા હતા.
હમણાં જ લોન્ચ થયેલી “મનસા વાચા કર્મણા – એક કર્મયોગીની જીવન ગાથા”, જે આર.સી.એમ.ના સ્થાપક તિলোকચંદ છાબરાની જીવનયાત્રા પર આધારિત પુસ્તક છે, એ કાર્યક્રમનો મહત્વપૂર્ણ ભાગ બની. આ પુસ્તકમાં તેમનો કર્મયોગી તરીકેનો સફરવિશ્વ, તેમનાં મૂળ્યમૂળક વિચારો અને ક્રિયાઓએ લાખો લોકોના જીવન પર પાડેલો રૂપાંતરકારી પ્રભાવ દર્શાવવામાં આવ્યો છે. આરસીએમના સ્થાપક તિલાકચંદ છાબરા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા અને સૌને સંબોધન કર્યું.
“સુરતમાંથી મળેલો압ૂરવો પ્રતિસાદ અમારા જનઆધારિત આંદોલનની શક્તિ અને ભાવનાનું પ્રતિબિંબ છે. અમારું ઉદ્દેશ્ય દરેક ઘરને ઉત્તમ આરોગ્ય, આર્થિક તકો અને મજબૂત જીવનમૂલ્યો સાથે સશક્ત બનાવવાનું છે — અને એ દિશામાં અમે સ્વસ્થ અને વિકસિત ભારત માટેની અમારી યાત્રા ચાલુ રાખીશું,” એમ મેનેજિંગ ડિરેક્ટર સૌરભ છાબરાએ જણાવ્યું.
“સુરતમાં યોજાયેલ રૂપાંતર યાત્રાની ઉજવણી એ આ લાંબી યાત્રાનો ફક્ત એક માઈલસ્ટોન છે. 17,000 કિલોમીટર લાંબી યાત્રામાં આગળ વધતાં, અમે દરેક મહિલાને આત્મસન્માન, શક્તિ અને આત્મવિશ્વાસ સાથે જીવવાની તકો આપવા માટે પ્રતિબદ્ધ છીએ, જેથી મહિલાઓ પણ પુરૂષોની બાજુએ બાજુએ નવી ભારત નિર્માણમાં સમાન યોગદાન આપી શકે.”મેનેજિંગ ડિરેક્ટર, પ્રિયંકા અગરવાલ
“સુરતમાં રૂપાંતર યાત્રાએ જગાવેલો ઉત્સાહ અને ઉલ્લાસ જોઈને મને ગર્વ થાય છે, અને મને પૂરો વિશ્વાસ છે કે આ યાત્રા ભારતભરમાં કરોડો લોકોને સશક્ત બનાવતી રહેશે, જે આવનારી પેઢીઓ માટે ટકાઉ અને સમૃદ્ધ ભવિષ્યનું માર્ગદર્શન કરશે.” સીઇઓ, મનોજ કુમાર
રૂપાંતર યાત્રા જ્યારે своей આગલી મંજિલ તરફ આગળ વધે છે, ત્યારે સુરત અને ગુજરાતમાં તે છોડીને જાયેલી ઊર્જા અને પ્રેરણા વિકાસના નવા અવસરો અને સર્વાંગી સમુદાય પ્રગતિને પ્રેરણા આપતી રહેશે, સાથે જ આગામી યાત્રાપથ માટે મજબૂત પાયાં પણ ઉભા કરશે.
સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા મહિલા સ્ટાફ માટે નિઃશુલ્ક પૅપ ટેસ્ટ કેમ્પ
મહિલા સ્ટાફ માટે નિઃશુલ્ક પૅપ ટેસ્ટ કેમ્પનું આયોજન સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા JCI સુરત મેટ્રો શક્તિના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ કેમ્પ 9મી સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 10:30 થી સાંજે 4:00 વાગ્યા સુધી સાર્વજનિક યુનિવર્સિટી બિલ્ડિંગ ખાતે યોજાયો હતો.
JCI સુરત મેટ્રો શક્તિ, પોતાની આરોગ્ય જાગૃતિ અભિયાન “એક સુર એક જંગ : સર્વિકલ કેન્સર કેમ્પ” અંતર્ગત આ પહેલમાં સહયોગી બન્યું હતું.
આ કેમ્પનો હેતુ મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પ્રિવેન્ટિવ કાળજી અંગે પ્રોત્સાહન આપવાનો હતો. મહિલા સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈ આ પહેલને સાર્થક બનાવી યુનિવર્સિટી ના પ્રોવોસ્ટ Dr. કિરણ પંડ્યા અને રેજીસ્ટ્રાર શ્રી આશિષ દેસાઈ એ ભવિષ્ય માં આ પ્રકાર ની પ્રવૃત્તિ માટે પોતાનો સહકાર વ્યક્ત કર્યો હતો.
સાર્વજનિક યુનિવર્સિટી તથા JCI સુરત મેટ્રો શક્તીએ તમામ ભાગલેનાર મહિલાઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં આવા હેલ્થ અવેરનેસ કાર્યક્રમો આયોજિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અમદાવાદનો સૌથી ખાસ ગરબા ઉત્સવ – શરદ રાત્રિ, ત્રીજા વર્ષે ફરી
આ વર્ષે શરદ રાત્રિ 2025 માં બે યાદગાર રાત્રિઓ ઉજવાશે – આરંભ અને અનંત
અમદાવાદ (ગુજરાત) [ભારત], ૧૭ સપ્ટેમ્બર: લાંબા સમયથી રાહ જોવાતી આ શરદ રાત્રિ, અમદાવાદની નવરાત્રિમાં એક અનોખી, માત્ર આમંત્રણથી યોજાતી ગરબા ઉજવણી છે. પરંપરાગત ગરબા સાથે સૌંદર્ય, ભક્તિ અને વૈભવનો અનુભવ કરાવવાનું આ ત્રીજું વર્ષ છે.
બે ખાસ રાત્રિઓ
આરંભ – નવરાત્રિની પહેલી રાત્રિ
- ઉજવણીનો આરંભ પવિત્રવિધિ અને આદિશક્તિના આહ્વાનથી થશે.
- કાશી વિશ્વનાથના મુખ્ય પૂજારી તથા પાંચ મહિલા પૂજારીઓની ઉપસ્થિતિમાં 501 મહેમાનો ભાગ લેશે.
- આ વર્ષે થીમ રહેશે લાલ અને આઇવરી – જે પવિત્રતા અને ભક્તિનું પ્રતિક છે.
- સાંજે 108 ગરબી, શ્રી યંત્રની સ્થાપના, સાત્વિક ભોજન અને નંગા પગે જ કરાતા ગરબા જેવા પરંપરાગત તત્વો રહેશે.
અનંત – શરદ પૂનમની રાત્રિ
- ઉત્સવનું સમાપન શરદ પૂનમના ચાંદની તળે થશે.
- થીમ રહેશે ચંદ્રની 16 કલાઓ પર આધારિત.
- પૂર્ણિમાની રાત્રે રાસ-ગરબા, ચંદ્રપ્રકાશ હેઠળ ધ્યાન અને દૂધ-પોહાની વિધિ સાથે અનોખો અનુભવ મળશે.
શરદ રાત્રિ કેમ ખાસ?
- માત્ર આમંત્રણથી – પસંદ કરેલા મહેમાનો માટે જ
- પરંપરાગત આધાર – વૈદિક વિધિઓ અને પવિત્રવિધિઓ
- સંપૂર્ણ અનુભવ – વેલેટ પાર્કિંગ, સાત્વિક ભોજન, સંસ્કૃતિક કાર્યક્રમો
- પ્રસાદ – આરંભે અંબાજી શક્તિ પીઠનો પ્રસાદ અને અનંતે સોમનાથ જ્યોતિર્લિંગનો પ્રસાદ
- સમુદાય એકતા – ગુજરાતના વિવિધ વર્ગોને એક મંચ પર લાવવું
આયોજકનો સંદેશ
“શરદ રાત્રિ એ મા અંબાની સાચી ભક્તિ અને સંસ્કૃતિને ઉજવવાનો એક પ્રયાસ છે. મહેમાનોને ઘર જેવી ઉષ્મા અને પરંપરાગત અનુભવ આપવો એ અમારો હેતુ છે,” એમ આયોજક અને ક્યુરેટર શ્રુતિ ચતુર્વેદી કહે છે.
આ કાર્યક્રમમાં નવરાત્રિની પરંપરાઓ સાથે ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનું ખાસ સંગમ જોવા મળશે.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં દાદા-દાદી અને નાણા-નાની સાથે રસ-ગરબા ઉત્સવ
સુરત, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫: વેસુ સ્થિત વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલનું પ્રાંગણ રંગો, સંગીત અને આનંદથી ગુંજી ઉઠ્યું, જ્યારે શાળાએ **“દાદા-દાદી અને નાણા-નાની સાથે રસ-ગરબા”**નું અનોખું આયોજન શનિવાર, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ કર્યું. આ ઉજવણી ખાસ કરીને માત્ર દાદા-દાદી, નાણા-નાની અને તેમના પૌત્ર-પૌત્રીઓ માટે રાખવામાં આવી હતી, જે પેઢીઓ વચ્ચેનું અનોખું બંધન ઉજાગર કરતી બની.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત સ્વાગત સાથે થઈ. રંગીન પરિધાનોમાં સજ્જ દાદા-દાદી અને નાણા-નાની પોતાના નાનકડા પૌત્ર-પૌત્રીઓ સાથે જયારે કાર્યક્રમમાં પ્રવેશ્યા, ત્યારે તાળીઓ અને આનંદના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. પ્રથમ કાર્યક્રમ તરીકે રેમ્પ વૉકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વરિષ્ઠજનો આત્મવિશ્વાસ સાથે મંચ પર ચાલ્યા અને પૌત્ર-પૌત્રીઓના ચહેરા પર ગૌરવ અને ખુશી છલકાઈ ઉઠી.
ત્યારબાદ વિવિધ રમૂજી રમતો યોજાઈ, જેમાં દાદા-દાદી અને નાણા-નાની ઉત્સાહપૂર્વક જોડાયા. બાળકો સાથે રમતા તેમની આંખોમાં ઝળહળતી ચમક અને ચહેરા પર પ્રસરી ગયેલી સ્મિતે સાબિત કર્યું કે ઉમર ભલે વધી જાય, હૃદય તો હંમેશાં યુવાન જ રહે છે.
કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ રહ્યો રસ-ગરબા, જ્યાં દાદા-દાદી અને નાણા-નાની પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે પરંપરાગત સંગીત અને ઢોલના તાલે ઘૂમી ઉઠ્યા. નાનકડા હાથો જયારે અનુભવી હાથોને પકડીને ગરબાના ગોળમાં રમ્યા, ત્યારે એ દ્રશ્ય માત્ર નૃત્ય ન હતું, પરંતુ પેઢીઓ વચ્ચેના અવિનાશી પ્રેમ અને સંસ્કૃતિના વારસાનું પ્રતિક બની ગયું.
શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી પુરવિકા સોલંકીએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું:
“વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી. અમે ઈચ્છીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓ કુટુંબના સંબંધો અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પણ આત્મસાત કરે. દાદા-દાદી અને નાણા-નાનીને બાળકો સાથે હસતા-રમતા અને ગરબા કરતા જોવું ખરેખર હૃદયસ્પર્શી અનુભવ રહ્યો. આવા મૂલ્યો જ અમે અમારા વિદ્યાર્થીઓમાં વાવવું ઈચ્છીએ છીએ.”
ઉત્સવનો સમાપન આશીર્વાદો, સ્મિતો અને યાદગાર પળો સાથે થયો. સૌ માટે આ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ સ્નેહ, પરંપરા અને પેઢીઓને જોડતો અવિસ્મરણીય અનુભવ બની રહ્યો.