Posts by: abhay_news_editor

IDT પ્રસ્તુત કરે છે: સ્ટાઈલ પણ, સેફ્ટી પણ – ડિઝાઇનર હેલ્મેટ્સથી સુરક્ષિત સુરત
આ વેલેન્ટાઇન ડે, IDT લાવ્યું પ્રેમ અને સુરક્ષાનું અનોખું સંદેશ – ટ્રેન્ડી હેલ્મેટ્સ સાથે
સુરતમાં આવતીકાલથી હેલ્મેટ પહેરવું ફરજિયાત બનશે, પરંતુ અનેક યુવાનો તેને માત્ર એક નિયમ તરીકે જુએ છે.
આજ, વેલેન્ટાઇન ડેના ખાસ અવસરે, જ્યારે દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનોની સુરક્ષા અને ભલાઈની કામના કરે છે, ત્યારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) એ હેલ્મેટને ફેશન સ્ટેટમેન્ટ બનાવવા માટે એક અનોખી પહેલ કરી છે. આ અનોખી પ્રવૃત્તિ Mr. Café Sky Lounge ખાતે IDTની ફેકલ્ટી રોશની દ્વારા આયોજિત કરવામાં આવી, જ્યાં હેલ્મેટ માત્ર સુરક્ષાનું સાધન જ નહીં, પરંતુ એક ટ્રેન્ડી એક્સેસરી તરીકે રજૂ કરવામાં આવ્યું.
IDTના ડિરેક્ટર અનુપમ ગોયલએ જણાવ્યું:
“સફર કરતી વખતે ફેશન જેટલું મહત્વનું છે, એટલી જ સુરક્ષા પણ. યુવાનો માટે ‘સ્ટાઈલ પણ, સેફ્ટી પણ’ એ એક નવો ટ્રેન્ડ બનવો જોઈએ, જેથી તેઓ મજબૂરી નહીં, પણ ગર્વ સાથે હેલ્મેટ પહેરી શકે.”
IDTની ડિઝાઇનર ફેકલ્ટી રોશની દ્વારા આ પહેલ અંતર્ગત સ્ટાઈલિશ અને આકર્ષક હેલ્મેટ્સ ડિઝાઇન કરવામાં આવ્યા, જે સેફ્ટી અને સ્ટાઈલ બંનેને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
વિચાર કરો – આ વેલેન્ટાઇન ડે પર ફક્ત ગુલાબ આપવા બદલે, કપલ્સ એકબીજાને ડિઝાઇનર હેલ્મેટ ગિફ્ટ કરે, જે પ્રેમ સાથે એકમેકની સુરક્ષાની જવાબદારી પણ નિભાવશે!
Mr. Café Sky Lounge ખાતે ઉપસ્થિત યુવાનો એ આ પહેલને વધાવી લીધી અને પોતાના સ્ટાઈલમાં હેલ્મેટને અપનાવવાની પ્રતિજ્ઞા લીધી.
IDTની આ પહેલ હેલ્મેટ પહેરવાની આદતને મજબૂરી નહીં, પણ એક ટ્રેન્ડી અને સ્માર્ટ ચોઇસ બનાવવાનો પ્રયાસ છે. સ્ટાઈલિશ હેલ્મેટ્સ દ્વારા યુવાનોને આ સંદેશ આપવો છે કે સુરક્ષા સાથે સમજૂતી કર્યા વગર પણ ફેશન સચવાઈ શકે.
આવો, ‘સ્ટાઈલ પણ, સેફ્ટી પણ’ ને સુરતનું નવું ટ્રેન્ડ બનાવીએ!

સોલેક્સ એનર્જીએ “વેલેન્ટાઇન ડે” ના અવસરે હેલ્મેટ વિતરણ અભિયાન સાથે પ્રેમ અને સલામતીનો સંદેશ આપ્યો
સુરત પોલીસના પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. વ્યક્તિ સુરક્ષિત તો પરિવાર પણ સુરક્ષિત. અમે દરેક નાગરિકને હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરવા અપીલ કરીએ છીએ” : ચેતન શાહ (ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર, સોલેક્સ એનર્જી લિમિટેડ)
“હેલ્મેટ ઓન, લવ સ્ટ્રોંગ, સેફ્ટી ફર્સ્ટ, ઓલવેઝ” ની થીમ આધારિત આ ઈવેન્ટમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક રીતે માર્ગ સલામતી અને જવાબદાર મુસાફરીના મહત્વ પર ભાર મૂક્યો હતો
સુરત, 14 ફેબ્રુઆરી, 2025 : ભારતની વિશ્વસનીય સોલાર બ્રાન્ડ્સમાંની એક સુરતની સોલેક્સ એનર્જી લિમિટેડ (NSE: SOLEX) કંપનીએ પ્રેમ અને લાગણીના પ્રતીક “વેલેન્ટાઇન ડે” ના અવસરે પોતાના કર્મચારીઓ, મિડિયાકર્મીઓ અને જનતા માટે હેલ્મેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં સુરત પોલીસ કમિશનર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક રીતે માર્ગ સલામતી અને જવાબદાર મુસાફરીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
સોલેક્સ એનર્જી દ્વારા “તમારા પ્રિયજનો માટે એક આદર્શ ભેટ, તેમના જીવનની કાળજી રાખો” શિર્ષક હેઠળ શરૂ કરવામાં આવેલી આ પહેલનો ઉદ્દેશ માર્ગ સુરક્ષા-સલામતીને પ્રોત્સાહન આપવાનો છે. આ જનજાગૃતિ અભિયાન, સુરત પોલીસ દ્વારા 15 ફેબ્રુઆરી 2025 થી હેલ્મેટ ફરજિયાત કરવા માટે કરવામાં આવી રહેલા કડક અમલના પ્રયાસોને સમર્થન આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર IPS શ્રી અનુપમ સિંહ ગેહલોત, અતિથિ વિશેષ તરીકે જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) અને ટ્રાફિક IPS શ્રી રાઘવેન્દ્ર વત્સ, DCP અમિતા વાનાણી(ટ્રાફિક), એસીપી શ્રી સાહિલજી ટંડેલ, સોલેક્સ એનર્જી ડિરેક્ટર અનિલ રાઠી, સોલેક્સ એનર્જી ડિરેક્ટર વિપુલ શાહ,શ્રીમતી કિરણ શાહ (ડિરેક્ટર, સોલેક્સ એનર્જી) સહિત અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી. “હેલ્મેટ ઓન, લવ સ્ટ્રોંગ, સેફ્ટી ફર્સ્ટ, ઓલવેઝ” ( હેલ્મેટ પહેરો, પ્રેમ-લાગણીને મજબૂત બનાવો, હંમેશા સલામતીને પ્રાથમિકતા આપો) ની થીમ આધારિત આ ઈવેન્ટમાં તેમણે માર્ગ સુરક્ષા અને જવાબદાર મુસાફરીના મહત્વ પર ભાર વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સોલેક્સ એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચેતન શાહે જણાવ્યું હતું કે,”સોલેક્સમાં, અમે માનીએ છીએ કે, કર્મચારીઓ પ્રત્યેનો પ્રેમ માત્ર કાર્યસ્થળ સુધી સીમિત હોતો નથી. તેમનું કલ્યાણ અને વિકાસ અમારી પ્રાથમિકતા છે. માર્ગ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે સમગ્ર પરિવારની હાલત કફોડી થઈ જાય છે. વ્યક્તિ સુરક્ષિત રહે તો પરિવાર પણ સુરક્ષિત રહેશે. માર્ગ સલામતી દરેકની જવાબદારી છે અને હેલ્મેટ વિતરણ દ્વારા અમે સુરક્ષિત ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ. આજે આપણે પ્રેમના પ્રતીકનો તહેવાર ઉજવી રહ્યા છીએ પણ આ સાથે જ 14 ફેબ્રુઆરી, 2019 ના પુલવામા હુમલામાં શહીદ થયેલા CRPFના 40 જવાનોને પણ યાદ કરીએ છીએ. તેમની શહાદત આપણને જીવનનું મૂલ્ય અને તેને સુરક્ષિત રાખવાની આપણી જવાબદારીનું મહત્વ સમજાવે છે. સુરત પોલીસના પ્રયાસો થકી શહેરના લોકોમાં ટ્રાફિક સિગ્નલના પાલન અંગેની સભાનતા કેળવાઈ છે, જે ખરેખર પ્રશંસનીય છે. સલામતી માટે દરેક વાહનચાલકે હેલ્મેટ પહેરવું જોઈએ. અમે દરેક નાગરિકને હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરવા અપીલ કરીએ છીએ.”
સુરત પોલીસ કમિશનર, શ્રી અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ” આજના દિવસે આપણે શહીદોના બલિદાનને યાદ કરીએ છીએ. તે ઉપરાંત એકબીજા પ્રત્યે પ્રેમની લાગણીને પણ યાદ કરીએ છીએ. માર્ગ સલામતી આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. હેલ્મેટ પહેરવું, એ જીવ બચાવવાનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે. આ માત્ર કાયદાના પાલનની વાત નથી, પણ સાથે-સાથે જીવનનું રક્ષણ કરવાનું મહત્વપૂર્ણ પગલું પણ છે. અમે તમારા જીવનની પરવાહ કરીએ છીએ તમે પણ તમારા પરિવારની પરવાહ કરો. હું તમામ લોકોને હેલ્મેટ પહેરવાની ટેવ કેળવવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જવાબદાર વાહનચાલક બનવા અપીલ કરું છું. વાહનચાલકોએ પોતાની અને પરિવારની સલામતી માટે હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. ચોક્કસપણે, આપણે સાથે મળીને રસ્તાઓને સલામત બનાવી શકીશું
આ ખરેખર, એક ગંભીર વાસ્તવિકતા છે કે, વર્ષ 2024માં ગુજરાતમાં 300 થી વધુ માર્ગ અકસ્માતો થયા હતા. સુરત પોલીસે હેલ્મેટ ફરજિયાત પહેરવાના નિયમ પર વધુ કડકાઇથી અમલ કરવાનો નિર્ણય લીધો છે. સોલેક્સ એનર્જી આ પહેલને સંપૂર્ણ ટેકો આપે છે અને બધા ટુ-વ્હીલર ચાલકોને હંમેશા હેલ્મેટ પહેરવા અને તેમના પ્રિયજનોની સુરક્ષા માટે જાગૃત રહેવા અપીલ કરે છે.
સોલેક્સ એનર્જીનો આ પ્રયાસ, કંપનીની પર્યાવરણ જાળવણી સાથે લાંબાગાળાના ટકાઉ વિકાસ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી(CSR) અને કર્મચારીઓના કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સોલેક્સ એનર્જી લિમિટેડ વિશે માહિતી :
સુરત સ્થિત સોલેક્સ એનર્જી વર્ષ 1995 થી પર્યાવરણને અનુકૂળ ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં અગ્રણી રહી છે. NSE Emerge પર સૂચિબદ્ધ થનાર પ્રથમ ભારતીય સોલાર બ્રાન્ડ (સ્ટોક કોડ: SOLEX)તરીકે, સોલેક્સ એનર્જી, ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટોવોલ્ટેઇક મોડ્યુલ્સ અને વ્યાપક EPC સર્વિસ આપવા જાણીતી છે.
કંપનીની ગુજરાતના તડકેશ્વર ખાતે સ્થિત ગ્લોબલ ફેક્ટરીમાં 1.5 GW ઉત્પાદન ક્ષમતા ધરાવતું PV મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. સોલેક્સ એનર્જી પાસે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે જરૂરી પ્રમાણપત્રો છે. કંપની અનેક દેશોમાં ઉત્પાદનો નિકાસ પણ કરે છે.
વિશ્વસનીય OEM પ્રોવાઇડર તરીકે આ કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ્સને સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. પર્યાવરણ સ્થિરતા, ગુણવત્તા અને પ્રતિબદ્ધતા અમારા મુખ્ય સિદ્ધાંતો છે. અ માત્ર એક સોલાર કંપની જ નથી, પરંતુ તમારા PV મોડ્યુલ અને EPC જરૂરિયાતો માટે એક વિશ્વસનીય પાર્ટનર પણ છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કિન્ડરગાર્ટન ગ્રેજ્યુએશન ડેનું ઉજવણી
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલએ ગર્વપૂર્વક કિન્ડરગાર્ટન ગ્રેજ્યુએશન ડે નું આયોજન કર્યું, જે તેના નાનકડા વિધ્યાર્થીઓના શૈક્ષણિક સફરનું એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાયેલ આ કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને સિદ્ધિની ભાવનાથી ભરી ચૂક્યું હતું.
ગ્રેજ્યુએશન ગાઉન અને કેપ પહેરી નાનકડા ગ્રેજ્યુએટ્સ વિશ્વાસ અને આનંદ સાથે મંચ પર આવ્યા. આ વિશેષ પ્રસંગના સાક્ષી બની રહેલા માતાપિતા, શિક્ષકો, શાળાના નેતૃત્વ અને અન્ય સન્માનનીય મહેમાનોને સમારંભની ભવ્યતા વધારી. કાર્યક્રમમાં આકર્ષક પ્રસ્તુતિઓ, પ્રેરણાદાયક ભાષણો અને વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકો અને માતાપિતાની અવિરત સમર્થન અને પ્રોત્સાહન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી.
આ અવસરે પ્રિન્સિપલ પૂર્વિકા સોલંકી એ વિદ્યાર્થીઓની મહેનત અને શિક્ષકોના સમર્પણની પ્રશંસા કરી, જેમણે બાળકોની જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને શીખવાની પ્રણાલી વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેમણે જણાવ્યું, “આજે અમે માત્ર કિન્ડરગાર્ટનની પૂર્ણાહૂતિ જ નહીં, પરંતુ પ્રાથમિક શિક્ષણની નવી અને રોમાંચક સફરની શરૂઆતનો ઉત્સવ મની રહ્યા છીએ. અમારા નાનકડા ગ્રેજ્યુએટ્સ સુંદર રીતે વિકસ્યા છે, અને અમને પૂરો વિશ્વાસ છે કે તેઓ આગલા તબક્કે પણ તેજસ્વી રીતે આગળ વધશે.”

માતાપિતાને સમર્પિત એક ખાસ ક્ષણ રાખવામાં આવ્યો હતો, જેમણે તેમના બાળકોના પ્રારંભિક શિક્ષણ માટે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ પર વિશ્વાસ મૂક્યો. શાળા આ વાતનો ગૌરવ લે છે કે તે બાળકો માટે એક ઉછેરક, સહયોગી અને પ્રેરણાદાયક વાતાવરણ પૂરું પાડે છે, જે તેમના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત પાયો પૂરું પાડે છે.
આપણે કાર્યક્રમનું સમાપન ગ્રેજ્યુએશન પ્રમાણપત્રોના વિતરણ સાથે થયું, ત્યારબાદ તાલીઓના ગાજવીજ, હર્ષોલ્લાસ અને ઉત્સવની ખુશીઓએ વાતાવરણને વધુ આનંદમય બનાવી દીધું

एमजीएम टी20 चैंपियनशिप 2025 का शानदार समापन उभरते क्रिकेट प्रतिभाओं का प्रदर्शन
कटक, 12 फ़रवरी: एमजीएम टी20 चैंपियनशिप 2025 चार दिनों के गहन और रोमांचक क्रिकेट एक्शन (8 फरवरी से 11 फरवरी 2025 तक) के बाद एमजीएम स्कूल ऑफ स्पोर्ट्स, कपूरसिंह, कटक, ओडिशा में शानदार अंदाज में संपन्न हुई। श्री रवि शास्त्री, श्री भरत अरुण और श्री आर श्रीधर द्वारा स्थापित प्रमुख क्रिकेट संस्थान कोचिंग बियॉन्ड के सहयोग से आयोजित इस टूर्नामेंट ने उभरती क्रिकेट प्रतिभाओं को सफलतापूर्वक एक मंच प्रदान किया और खेल को बढ़ावा देने के लिए ओडिशा की प्रतिबद्धता को मजबूत किया।
चैंपियनशिप में एमजीएम स्कूल ऑफ स्पोर्ट्स और चेन्नई, हैदराबाद और वडोदरा में कोचिंग बियॉन्ड क्रिकेट एक्सीलेंस सेंटर की टीमों ने भाग लिया। टूर्नामेंट में उच्च गुणवत्ता वाले क्रिकेट का प्रदर्शन किया गया, जिसमें खिलाड़ियों ने पूरे समय कौशल, दृढ़ संकल्प और खेल भावना का प्रदर्शन किया।
टूर्नामेंट का उद्घाटन श्री रवि शास्त्री और श्री भरत अरुण ने किया और इसमें भाग लेने वाली टीमों के बीच प्रतिस्पर्धी मैच हुए। समापन समारोह में एमजीएम ग्रुप के सीएमडी श्री पंकज लोचन मोहंती, पूर्व अंतरराष्ट्रीय क्रिकेटर श्री वेंकटपति राजू, ओसीए के कोषाध्यक्ष श्री विकास प्रधान, ओसीए के चीफ क्यूरेटर डॉ. अंजन कुमार खुंटिया और एमजीएम ग्रुप के सलाहकार श्री प्रशांत दाश मौजूद थे।
समापन समारोह के दौरान, श्री वेंकटपति राजू ने पुरस्कार प्रदान किए और पहल की प्रशंसा करते हुए कहा, “एमजीएम टी20 चैंपियनशिप 2025 ने प्रतिभा पहचान और खिलाड़ी विकास में एक मानक स्थापित किया है। भारत भर में क्रिकेट में बढ़ती रुचि के साथ, इस तरह के आयोजन नई प्रतिभाओं की पहचान करने और उन्हें विकसित करने में महत्वपूर्ण हैं।”
एमजीएम स्कूल ऑफ स्पोर्ट्स-कोचिंग बियॉन्ड ने रोमांचक फाइनल में कोचिंग बियॉन्ड हैदराबाद को हराकर चैंपियन के रूप में उभरा। उन्होंने 20 ओवरों में 173 रन बनाए और अपने विरोधियों को पूरी तरह से आउट कर निर्णायक जीत हासिल की। टीम ने पूरे टूर्नामेंट में भी शानदार प्रदर्शन किया और चार में से तीन मैच जीते। मैन ऑफ द मैच ट्रॉफी जयराम गेडिया (एमजीएम स्कूल ऑफ स्पोर्ट्स, कटक) को दी गई, जबकि रवि तेजा (कोचिंग बियॉन्ड हैदराबाद) को उनके शानदार प्रदर्शन के लिए प्लेयर ऑफ द टूर्नामेंट चुना गया।
टूर्नामेंट के सफल समापन पर बोलते हुए, श्री पंकज लोचन मोहंती ने इस आयोजन की मेजबानी पर गर्व व्यक्त करते हुए कहा, “एमजीएम टी20 चैंपियनशिप 2025 सिर्फ एक टूर्नामेंट नहीं था; यह प्रतिभा, जुनून और दृढ़ता का उत्सव था। हम युवा क्रिकेटरों को एक मजबूत आधार प्रदान करने के लिए प्रतिबद्ध हैं और पेशेवर क्रिकेट की ओर उनके सफर का समर्थन करना जारी रखेंगे।”
टूर्नामेंट ने स्काउट्स, कोचों और संभावित प्रायोजकों का भी ध्यान आकर्षित किया, जिससे प्रतिभागियों के लिए अपने क्रिकेट करियर में आगे बढ़ने के दरवाजे खुल गए। इस पेशेवर रूप से प्रबंधित चैंपियनशिप के माध्यम से, एमजीएम स्कूल ऑफ स्पोर्ट्स ओडिशा और उसके बाहर क्रिकेट को बढ़ावा देने के लिए अपनी प्रतिबद्धता की पुष्टि करता है, युवा एथलीटों को समर्पण और उत्कृष्टता के साथ खेल को आगे बढ़ाने के लिए प्रेरित करता है। आने वाले वर्षों में और भी अधिक एक्शन के वादे के साथ, एमजीएम स्कूल ऑफ स्पोर्ट्स स्टेडियम, कटक, ओडिशा में आयोजित एमजीएम टी-20 चैम्पियनशिप ने भविष्य के क्रिकेट सितारों के लिए सफलतापूर्वक नींव रखी है।

નારાયણા કોચિંગ સેન્ટરે ફરી એકવાર JEE મેઇન 2025 (સત્ર – 1) માં અપાર સફળતા હાંસલ કરી છે
શિક્ષણ ક્ષેત્રના 46 વર્ષથી વધુના અનુભવ સાથે, સુરતમાં સ્થિત દેશની અગ્રણી એન્જિનિયરિંગ અને મેડિકલ કોચિંગ સંસ્થા નારાયણ કોચિંગ સેન્ટરે ફરી એકવાર JEE મેઇન 2025 (સત્ર – 1) માં અપાર સફળતા હાંસલ કરી છે. શ્રી તુષાર પારેખ સર (ઝોનલ ડાયરેક્ટર), નારાયણ કોચિંગ સેન્ટર્સે જણાવ્યું હતું કે નારાયણના વિદ્યાર્થીઓએ ઓપન કેટેગરીમાં ઓલ ઈન્ડિયા કોમન રેન્ક લિસ્ટમાં ટોપ રેન્ક મેળવ્યો છે આગમ શાહ – 99.9968083 અને ગણિતમાં 100 પર્સેન્ટાઈલ (સુરત શહેરમાં સૌથી વધુ માર્કસ), મોક્ષ ભટ્ટ – 949-494 રાજ. ભૌતિકશાસ્ત્રમાં 99.9492059 અને 100 ટકા.
JEE મેઇન 2025 માં નારાયણ વિદ્યાર્થીઓના અસાધારણ પ્રદર્શનની જાહેરાત કરતાં અમને આનંદ થાય છે! અમારા વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની શૈક્ષણિક શ્રેષ્ઠતાનું પ્રદર્શન કર્યું છે, રેકોર્ડબ્રેકિંગ સ્કોર સાથે બહુવિધ રાજ્યોમાં ટોચના રેન્ક મેળવ્યા છે.
અમારા JEE મેઇન 2025 ટોપર્સને અભિનંદન:
✅ આયુષ સિંઘલ – રાજસ્થાન ટોપર | 100 પર્સેન્ટાઇલ ✅ કુશાગ્ર ગુપ્તા – કર્ણાટક ટોપર | 100 પર્સેન્ટાઇલ ✅ વિષાદ જૈન – મહારાષ્ટ્ર ટોપર | 100 પર્સેન્ટાઇલ ✅ બાની બ્રતા માજી – તેલંગાણા ટોપર | 100 પર્સેન્ટાઇલ ✅ શિવેન તોશનીવાલ – ગુજરાત ટોપર | 100 પર્સેન્ટાઇલ ✅ પીયુસા દાસ – પંજાબ ટોપર | 99.99684 પર્સેન્ટાઇલ ✅ અર્ણવ જિંદાલ – ચંદીગઢ ટોપર | 99.99681 ટકાવારી ✅ સુનય યાદવ – તમિલનાડુ ટોપર | 99.99365 પર્સેન્ટાઇલ
આ ઉત્કૃષ્ટ સફળતા અમારા વિદ્યાર્થીઓના સમર્પણ, તેમના માતાપિતાના અવિશ્વસનીય સમર્થન અને અમારા અનુભવી શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવેલ અસાધારણ માર્ગદર્શનનો પુરાવો છે. નારાયણ શૈક્ષણિક સંસ્થાઓમાં, અમે વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવામાં મદદ કરવા માટે નવીન શિક્ષણ પદ્ધતિ, નિષ્ણાત માર્ગદર્શન અને પરિણામો આધારિત અભિગમ સાથે સશક્ત કરવાનું ચાલુ રાખીએ છીએ.
JEE મુખ્ય 2025 – પરિણામ
નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીએ જેઇઇ મેઇન – 2025 (સત્ર 1)માં નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જાહેર કરેલા પરિણામમાં જબરદસ્ત પરિણામ મેળવ્યું.
પરિણામોમાં નારાયણ કોચિંગ સેન્ટરના વિદ્યાર્થીએ સમગ્ર ભારતમાં ટોચના પરિણામો મેળવ્યા છે. JEE મેઈન-2025 સત્ર પરીક્ષામાં કુલ 13.78 લાખ વિદ્યાર્થી નોંધાયા છે અને કુલ 13 લાખ વિદ્યાર્થીઓ હાજર છે. અને નારાયણસ સ્ટુડન્ટ ભારતમાં ટોપ મોસ્ટ કાઉન્ટમાં સામેલ છે.
શ્રી મનીષ બાગરી સર (સેન્ટર ડાયરેક્ટર, સુરત બ્રાન્ચ) એ માહિતી આપી હતી કે સુરતની શાખાઓમાં કુલ 16 વિદ્યાર્થીઓએ 99 અને તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવ્યા છે. સફળ વિદ્યાર્થીઓની યાદીમાં આગમ શાહ (99.9968083), મોક્ષ ભટ્ટ – (99.9944145), રાજ આર્યન – (99.9492059), આદિત્ય અગ્રવાલ – (99.9353680), સ્મીત વેસ્માવાલા – (99.905202028), વિ. જે વિદ્યાર્થીઓએ તેમની ડ્રીમ એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે સ્કોર હાંસલ કર્યો છે. નારાયણ સુરતમાં 99 થી ઉપર પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીનો સૌથી વધુ સક્સેસ રેશિયો છે
– એક નારાયણ વિદ્યાર્થી – આગમ શાહે સુરત શહેરમાં સૌથી વધુ માર્કસ સાથે 300માંથી 285 માર્ક્સ મેળવ્યા છે.
– રિપીટર્સ બેચમાંથી સુરત શહેરમાં શ્રેષ્ઠ પરિણામ સાથે વિહાન જૈન (99.900793 પર્સેન્ટાઇલ) મેળવ્યો.
– નારાયણ સુરતમાં 99.90 થી ઉપર પર્સન્ટાઈલ મેળવનારા વિદ્યાર્થીઓનો સૌથી વધુ સક્સેસ રેશિયો છે. (98.9 થી 99.90 સુધીનો નોંધપાત્ર સુધારો)

લાન્સર્સ આર્મી સ્કૂલ્સ, સુરત: શિક્ષણમાં વૈશ્વિક વિવિધતા અને તકનીકી નવીનીકરણને સ્વીકારે છે
સુરત, ગુજરાત —લાન્સર્સ આર્મી સ્કૂલ્સ, સુરતના સીબીએસઈના પ્રિન્સિપાલ શ્રીમતી પ્રીતિ રાજીવ નાયરના નેતૃત્વ હેઠળ, સંસ્થાએ વિદ્યાર્થીઓમાં વૈશ્વિક જાગૃતિ અને તકનીકી નવીનતાને પ્રોત્સાહન આપતા શૈક્ષણિક શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધતા જાળવી રાખવાનું ચાલુ રાખ્યું છે.
લાન્સર્સ આર્મી સ્કૂલ્સએ વિદ્યાર્થીઓના વ્યક્તિગત વિકાસ અને શૈક્ષણિક સિદ્ધિઓને વધારવા માટે ઘણી અગ્રણી પહેલો રજૂ કરી છે. એક મુખ્ય વિશેષતા એ વર્લ્ડ કલ્ચર વીક છે, જ્યાં વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક ઉત્સવો, સંગીત અને નૃત્ય ઉત્સવો અને ફૂડ ફેસ્ટિવલ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ સંસ્કૃતિઓ અંગે જાણી શકે છે. આ પ્રયાસો વૈશ્વિક વિવિધતા માટે પ્રશંસાને પ્રોત્સાહિત કરવા માટે રચાયેલ છે, જે સમાવિષ્ટતાને પ્રોત્સાહન આપતા સેમિનાર અને મોડેલ યુનાઇટેડ નેશન્સ (MUN) સહભાગિતા દ્વારા પૂરક છે.
પ્રીતિ રાજીવ નાયર જણાવે છે કે, “લાન્સર્સ આર્મી સ્કૂલ્સમાં સફળતા એ કોઈ સંયોગ નથી પરંતુ વ્યૂહાત્મક આયોજન અને સાતત્યપૂર્ણ અમલનું પરિણામ છે. અમારી મુખ્ય પહેલોમાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સને વધારવા માટે ડિબેટ, ક્વિઝ, ડાન્સ, ડ્રામા, આર્ટ & ક્રાફટમાં ઇન્ટ્રા- સ્કુલ અને ઇન્ટર- સ્કુલ કોમ્પિટિશન સાથે તેમના પરિણામોને વધારવા માટે કોઓર્ડિનેટર્સ અને સુપરવાઇઝરનું નિયમિત નિરીક્ષણ અને મૂલ્યાંકન . વધુમાં, અમે રમતગમત અને શારીરિક શિક્ષણ પર ભાર આપીએ છીએ, શિસ્ત, ટીમ વર્ક અને દ્રઢતા જેવા મૂલ્યો કેળવવા માટે વિદ્યાર્થીઓની સહભાગિતાને પ્રોત્સાહિત કરીએ છીએ. શૈક્ષણિક, .અભ્યાસોત્તર પ્રવૃત્તિઓ અને રમતગમતને એકસાથે લાવીને અમે એક એવું વાતાવરણ કેળવીએ છીએ જે વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપે છે.”
હેલેન ઓ’ગ્રેડી ઇન્ટરનેશનલ ડ્રામા એન્ડ કોમ્યુનિકેશન પ્રોગ્રામ આત્મ-અભિવ્યક્તિ અને નેતૃત્વને ઉજાગર કરતાં, ડ્રામા-આધારિત શિક્ષણ, પ્રવૃત્તિ-આધારિત વિકાસ અને પબ્લિક સ્પીકિંગ દ્વારા આત્મવિશ્વાસ, કોમ્યુનિકેશ સ્કિલ્સ અને ક્રિએટિવિટીમાં વધારો કરે છે. ટોરિન્સ મ્યુઝિક પ્રોગ્રામ ઈન્સ્ટ્રુમેન્ટલ અને વોકલ ટ્રેનિંગ, તેમજ મ્યુઝિક પ્રોડક્શન, વિદ્યાર્થીઓને સર્જનાત્મકતા, ટીમ વર્ક અને જ્ઞાનાત્મક કૌશલ્યો વિકસાવવામાં મદદ કરીને સંગીતની પ્રતિભાને બહાર લાવે છે. લા લિગા અને NBA સાથેની અમારી સ્પોર્ટ્સ પાર્ટનરશીપ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક ટુર્નામેન્ટો માટે તૈયાર કરતી વખતે ટેકનિકલ કૌશલ્ય વિકાસ, શિસ્ત અને ખેલદિલી પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશ્વ-કક્ષાની ફૂટબોલ અને બાસ્કેટબોલ તાલીમ પૂરી પાડે છે. આ સહયોગ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ફાળો આપે છે.
ટેક્નોલોજી ક્ષેત્રે આગળ રહેવા માટે, સ્કુલ દ્વારા રોબોટિક્સ અને ઈનોવેશન સેન્ટર અને અત્યાધુનિક લેંગ્વેજ લેબ શરૂ કરી છે જે વિદ્યાર્થીઓને 21મી સદીની કુશળતા વિકસાવવામાં મદદ કરે છે. ઇન્ટરેક્ટિવ વ્હાઇટબોર્ડ્સ અને ઉચ્ચ તકનીકી પ્રોજેક્ટર જેવા અદ્યતન શિક્ષણ સાધનોને વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ અને ભૂગોળ જેવા વિષયોમાં સમાવિષ્ટ કરવામાં આવે છે, એક આકર્ષક શિક્ષણ વાતાવરણને પ્રોત્સાહન આપે છે.
આ નવીનતાઓના કેન્દ્રમાં ટીચિંગ સ્ટાફનો સતત વ્યાવસાયિક વિકાસ છે. લાન્સર્સ આર્મી સ્કૂલ્સ ટેક્નોલોજી એકીકરણ, કલાસરૂમ મેનેજમેન્ટ અને નેતૃત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં વર્કશોપ દ્વારા ફેકલ્ટી ટ્રેનિંગ પર ખૂબ ભાર મૂકે છે, તે સુનિશ્ચિત કરે છે કે શિક્ષકો શ્રેષ્ઠ સંભવિત શિક્ષણ અનુભવો આપવા માટે સજ્જ છે. લાન્સર્સ આર્મી સ્કૂલ્સ ખાતે, અમે STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) પ્રવૃત્તિઓ દ્વારા યુવા સંશોધકોને બહાર લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. રોબોટિક્સ કોમપેટિશન , સાયન્સ અને મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ્સ અને સાયન્સ, મેથ્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્લબ્સ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની શકે છે.
શ્રીમતી પ્રીતિ રાજીવ નાયરના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વએ વૈશ્વિક વિવિધતા, તકનીકી ઉન્નતિ અને સર્વગ્રાહી વિકાસ પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેનો વિકાસ થાય તેવું વાતાવરણ બનાવવામાં મદદ કરી છે.

દર્દીને શ્રેષ્ઠ સારવાર આપવા સાથે પરિવારજનોને સતત માહિતગાર કરાયા હતા : શેલ્બી હોસ્પિટલ
સુરત. શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે કૌશિક પટેલ નામ દર્દીના મૃત્યુના કેસમાં સંબંધીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢતા હોસ્પિટલ તંત્ર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે દર્દી અતિ ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખાતે દાખલ થયા બાદ હોસ્પિટલના તબીબોની ટીમ દ્વારા શ્રેષ્ઠ સારવાર આપવા સાથે સારવારની દરેક પદ્ધતિ અને સ્થિતિ અંગે સતત પરિવારના સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે પરિવાર દ્વારા કરવામાં આવેલા આ દાવાઓ ખોટા અને પાયાવિહોણા છે.
દર્દી કૌશિક પટેલને 18મી નવેમ્બર 2024ના રોજ INS પ્લસ હોસ્પિટલ, નવસારીમાંથી ગંભીર હાલતમાં શેલ્બી હોસ્પિટલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે દર્દીને બરોળમાં બહુવિધ થ્રોમ્બી અને મેસેન્ટરિક ધમની થ્રોમ્બોસિસ સાથે B/L રીનલ ધમનીઓ અને ગેંગ્રેનસ ફેરફારો સાથે તીવ્ર થ્રોમ્બોસિસ હોવાનું નિદાન થયું હતું. દર્દીને તેની મહાધમની અને તેના જમણા પગને સપ્લાય કરતી ધમનીઓમાં લોહીની ગંઠાઇ હતી. તેની સારવાર માટે પણ કાર્યવાહી કરવામાં આવી હતી

દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, દર્દી/દર્દીના સંબંધીની સંમતિ મેળવ્યા પછી, તેને 19મી નવેમ્બરની મધ્યરાત્રિએ તરત કેત્થલેબ અને ઓપરેશન થિયટરમાં કરવામાં આવી. આ અંગે દર્દીના પરિવારને સતત અપડેટ્સ સાથે વ્યાપક અને શ્રેષ્ઠ શક્ય તબીબી સારવાર આપવામાં આવી રહી હોવા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. છતાં, દર્દી લ્યુપસ એન્ટીકોએગ્યુલેન્ટ પોઝીટીવ હોવાનું જણાયું હતું, જેના કારણે દર્દીને વારંવાર થ્રોમ્બોસિસ થવાનું વલણ હતું. દર્દી સારવાર હેઠળ હતો અને તેને વધુ રહેવાની જરૂર હતી પરંતુ સંબંધીઓએ નવસારીની અન્ય હોસ્પિટલમાં સારવાર લેવાનું નક્કી કર્યુ અને દર્દીએ 3જી ડિસેમ્બર, 2024ના રોજ તબીબી સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ લીધો હતો. ત્યારે દર્દીના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન ખોટા છે અને મીડિયાને પણ ગેરમાર્ગે દોરવામાં આવ્યું છે.
દર્દી જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ થયો ત્યારે ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, GI સર્જન, કાર્ડિયો વેસ્ક્યુલર સર્જન (CTVS), ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, પ્લાસ્ટિક સર્જન, હેમેટોલોજિસ્ટ અને પલ્મોનોલોજિસ્ટ સહિત ડોકટરોની ટીમે પારદર્શક અપડેટ્સ અને સંભાળ પૂરી પાડી હતી. દર્દી અને તેના નજીકના સંબંધીઓની સલાહ અને સંમતિ પછી જ સારવાર આપવામાં આવતી હતી.
લી.
શેલ્બી હોસ્પિટલ મેનેજમેન્ટ

સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 – ચપળતા, કુશળતા અને રમતગમતની ભાવનાનું ઉત્સવ
વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાયેલા સ્પીડ એન્ડ સ્કિલ કાર્નિવલ 2025 એ હરીફાઈની જ્વાળાને ગતિ અને રોમાંચ સાથે સંલગ્ન કરી! આ દિવસો ઉત્સાહભરી દોડ, કુશળતા આધારિત પડકારો અને દ્રઢ સંકલ્પના શાનદાર પ્રદર્શનથી ભરપૂર રહ્યા, કારણ કે આ કાર્યક્રમ મર્યાદાઓને આઝમાવા, શ્રેષ્ઠતા માટે પ્રેરણા આપવા અને અતૂટ ટીમ ભાવનાને વિકસાવવા માટે રચાયેલો હતો.
અમારા નાનકડા એથ્લીટ્સ, કિન્ડરગાર્ટનનાં બાળકો માટે હર્ડલ્સ રેસ અને બેલૂન બ્લાસ્ટ રેસ એ તેમની પ્રથમ મૈત્રીપૂર્ણ સ્પર્ધાનું અનોખું અનુભવ લઈને આવી. ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓએ હર્ડલ્સ રેસ અને લીંબુ-ચમચી દોડ દ્વારા પોતાનું સંતુલન અને ગતિ દર્શાવી, જ્યાં એકાગ્રતા અને સંકલનને પર્ક્તિ આપવામાં આવી.
ધોરણ 3 થી 9 ના વિદ્યાર્થીઓએ સ્પીડ સ્પ્રિન્ટ, સ્કીપીંગ ચેલેન્જ, રિલે દોડ અને રોમાંચક ક્રિકેટ મેચો જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો, જ્યાં દરેક પળ મોહક હતી અને ટીમ વર્કની તેજસ્વી ઝલક જોવા મળી.

આ માત્ર એક હરીફાઈ નહીં, પણ હિંમત, ચપળતા અને રમતગમતની ભાવનાનો એક ભવ્ય ઉત્સવ હતો. દરેક દોડ, દરેક કૂદકા અને દરેક રમતમાં, વિદ્યાર્થીઓએ પોતાનું શ્રેષ્ઠ આપવા અને નવી ઉંચાઈઓ સર કરવા હર્ષ અનુભવ્યો.
વિદ્યાર્થીઓએ ઉત્સાહભર્યા હૃદયથી, સચોટ પગલાંઓ સાથે અને ગૌરવભર્યા સમાપન સાથે મેદાનમાં પ્રવેશ કર્યો.
આ ઉત્સાહ અને ઊર્જાથી ભરેલા દિવસો અમને અવિસ્મરણીય વિજય અને મૈત્રીપૂર્ણ સમાગમની અમૂલ્ય યાદગાર પળો આપી ગયા!

મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરમાં લગાવ્યું સ્માર્ટ મીટર, કહ્યું માતા-પિતાએ દીકરીઓ પ્રત્યેનો અભિગમ બદલવો જોઈએ
• ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું
• મહિલા ટેકનિશિયન ઉજાલા રમેશભાઈ પટેલે મીટર લગાવ્યું.
સુરત, 24 જાન્યુઆરી: આધુનિકતા અને પરિવર્તનને અપનાવનાર ગુજરાત પણ ઝડપથી સ્માર્ટ મીટર અપનાવી રહ્યું છે જે ઊર્જા ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યું છે. જનપ્રતિનિધિઓ તેને અપનાવવા આગળ આવી રહ્યા છે. આ ક્રમમાં વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું. તેમણે સામાન્ય લોકોને પણ અપીલ કરી હતી અને કહ્યું હતું કે સ્માર્ટ મીટર એ ઉર્જા ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન છે, જે વીજળી ગ્રાહકોને વીજળીનો ઉપયોગ કરવા સક્ષમ બનાવે છે. આપણે આપણા ઉર્જા વપરાશને સરળતાથી જોઈ અને નિયંત્રિત કરી શકીએ છીએ. તેથી સ્માર્ટ મીટર લગાવવા માટે સૌએ આગળ આવવું પડશે, તો જ ગુજરાતના વિકાસની ગાડી ઝડપથી આગળ વધી શકશે.
ધારાસભ્ય ભરતભાઈ કિકૂભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર ઈન્સ્ટોલેશન દરમિયાન મહિલા ફિલ્ડ ટેકનિશિયન ઉજાલા રમેશભાઈ પટેલ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. ઉજાલાનું જીવન તે તમામ છોકરીઓ માટે પ્રેરણારૂપ છે જેઓ મજબૂરીને કારણે અધવચ્ચે ભણવાનું છોડીને ઘરે બેસી જાય છે. ઉજાલાએ હાર ન માની અને ઈલેક્ટ્રિશિયન તરીકેનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઉજાલાની મહેનત રંગ લાવી અને અત્યાર સુધી ફિલ્ડ ટેકનિશિયનનું કામ માત્ર છોકરાઓ માટે જ માનવામાં આવતું હતું, ઉજાલા ટેક્નિશિયન બની ગઈ છે અને સ્માર્ટ મીટર લગાવી રહી છે. આ સાથે જ તે મહિલા સશક્તિકરણનો સંદેશ પણ આપી રહી છે કે આજે અંતરિક્ષમાં પહોંચવાથી લઈને ટેકનિશિયન બનવા સુધી મહિલાઓ કોઈપણ કામમાં પુરૂષોથી પાછળ નથી. શનિવારે ઉજાલા દ્વારા વલસાડ વિધાનસભાના ધારાસભ્ય ભરતભાઈ કીકુભાઈ પટેલના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉજાલા કહે છે કે મારા માટે એ ગૌરવની વાત છે કે હું આત્મનિર્ભર છું અને ફિલ્ડ ટેકનિશિયન તરીકે મારી ઓળખ બનાવી રહી છું. આનાથી પણ મહત્વની વાત એ છે કે આ કાર્યને કારણે આજે મને એક જનપ્રતિનિધિના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની તક મળી. ઉજાલા છોકરીઓને લઈને સમાજની વિચારસરણી બદલવાની વાત પણ કરે છે. તેમનું કહેવું છે કે ઘણા કારણોસર આજે પણ ગામડાઓમાં છોકરીઓ પોતાનું શિક્ષણ પૂરું કરી શકતી નથી. આ માટે વાલીઓ પણ જવાબદાર છે. કારણ કે, ધોરણ 8 અથવા 10 પછી, તેઓ તેમની પુત્રીઓને ઘરે રહેવા અથવા તેમના લગ્ન કરવા મોકલે છે. હું ભાગ્યશાળી છું કે મારા માતા-પિતાએ મને મારી પસંદગીનું શિક્ષણ અને નોકરી મેળવવામાં સાથ આપ્યો છે. ઉજાલા કહે છે કે તમામ માતા-પિતાએ તેમનો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. તો જ છોકરીઓ આત્મનિર્ભર બની શકશે અને મહિલા સશક્તિકરણનો ઉદ્દેશ્ય સાચા અર્થમાં સિદ્ધ થઈ શકશે. માત્ર સરકારની ઈચ્છાથી કંઈ નહીં થાય, આ પરિવર્તન માટે સમાજે આગળ આવવું પડશે.
તમને જણાવી દઈએ કે સ્માર્ટ મીટર ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં એક ક્રાંતિ બની ગયું છે. દેશના તમામ રાજ્યો આગળ આવી રહ્યા છે અને કેન્દ્ર સરકારની આ પ્રજાલક્ષી યોજનાને અપનાવી રહ્યા છે. સ્માર્ટ મીટરમાં લોકોનો વિશ્વાસ વધારવા માટે, જનપ્રતિનિધિઓ સૌપ્રથમ તેમને તેમના ઘરોમાં લગાવે છે. ભરતભાઈ કિકૂભાઈ પટેલના પ્રયાસો પણ આ દિશામાં એક પગલું છે.

પ્રજાસત્તાક દિને કાર્નિવલ થકી યુથ નેશને આપ્યો સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત રહ્યા ઉપસ્થિત
સુરત. યુવા પેઢીને ડ્રગ્સના નશાની ચંગુલથી બચવવા માટે છેલ્લા દસ વર્ષથી કાર્યરત યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ ડ્રગ્સ ના દૂષણ સામે લોક જાગૃતિ લાવવા માટે કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્નિવલમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત શહેરની અનેક ગણમાન્ય વ્યક્તિઓ અને પોલીસ તેમજ જિલ્લા તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર આયોજન અંગે માહિતી આપતા યુથ નેશન ના સંસ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં ડ્રગ્સનુ દૂષણ ફેલાયેલું છે અને યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે. ત્યારે સમાજને અને ખાસ કરીને યુવા પેઢીને ડ્રગ્સના દૂષણ થી બચાવવા યુથ નેશન સંસ્થા દ્વારા બીડું ઝડપવામાં આવ્યું છે. છેલ્લા દસ વર્ષથી સંસ્થા દ્વારા યુવાઓને ડ્રગ્સ ના વ્યસન સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે લોકો ડ્રગની ચુંગલમાં ફંસાયેલા હોય તેવા લોકોની સારવારમાં મદદ કરી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે.

આ માટે દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પર રેલી, કાર્નિવલ જેવા આયોજન કરી સમાજને સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ 26મી જાન્યુઆરીના રોજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે જ સાંજે 5 વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુથી પ્રાઈમ શોપર્સ થી વાય જંકશન સુધી આ કાર્નિવલ યોજવામાં આવ્યો હતો. જેમાં દસ જેટલા સ્ટેજ બનાવમાં આવ્યા હતા અને તેના પર શહેરના નામી કલાકારો દ્વારા ડાન્સ, લાઈવ બેન્ડ, યોગા સહિત વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુત થકી સે નો ટુ ડ્રગ્સ, યેસ ટુ લાઈફનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્નિવલમાં બાળકો માટે જગલર્સ, જોકર, કાર્ટૂન કેરેક્ટર જેવા મનોરંજન માટેના પાત્રો હતા. આ કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને શહેરના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.