Tag: TodaysNews

Budget 2024 focuses on building infrastructure for New India
बजट 2024 में नए भारत के बुनियादी ढांचे के निर्माण पर ध्यान केंद्रित किया गया

 

नरेंद्र मोदी के नेतृत्व वाली केंद्र सरकार देश की अर्थव्यवस्था और विकास को और मजबूत करने के लिए दृढ़ संकल्पित है। इस बार केंद्रीय बजट वास्तविक अर्थव्यवस्था के लिए सकारात्मक है क्योंकि इसमें ग्रामीण क्षेत्र, कृषि विकास, रोजगार सृजन, नौकरी के लिए तैयार युवाओं के कौशल विकास और अर्थव्यवस्था की उत्पादक क्षमता को बढ़ाने के लिए बुनियादी ढांचे पर ध्यान केंद्रित किया गया है। सबसे अच्छी बात यह है कि इस साल सरकारी उधारी को कम करते हुए बाजार के लिए ये सभी प्रमुख पहल की गई हैं, जिसमें राजकोषीय घाटे को जीडीपी के 4.9 प्रतिशत तक लाना भी शामिल है। जो एक अच्छी बात है। क्योंकि कर्ज कम करने के साथ-साथ नरेंद्र मोदी सरकार ने जमीनी स्तर के लिए सकारात्मक फैसला लिया है।

महिलाओं के लिए रोजगार प्रोत्साहन योजनाओं और कार्यक्रमों से कुल खपत को बढ़ावा मिलने की उम्मीद है, साथ ही उच्च आयकर से छूट के साथ-साथ सोना, चांदी, मोबाइल फोन और इलेक्ट्रॉनिक्स पर आयात शुल्क में कमी की गई है। जबकि प्रत्यक्ष (डायरेक्ट टैक्स) कर से कर चुकाने के बाद भी कमाने वालों के हाथ में पैसा बढ़ेगा। रोजगार कार्यक्रमों पर खर्च करने से देश के युवाओं के हाथ में अधिक पैसा आ सकता है।

बजट घोषणाओं के बाद भारत की उपभोक्ता वस्तु कंपनियों और दोपहिया वाहन निर्माताओं को लाभ हुआ है। कुछ राज्यों में अंतर्निहित प्राथमिक बुनियादी ढांचे ने भी निवेश पर ध्यान केंद्रित करने में मदद की है। सोने और चांदी पर कर में कमी के कारण ज्वैलर्स के शेयरों में भी उछाल आया है। बजट में कोई अतिरिक्त कर घोषित नहीं किए जाने के बावजूद तंबाकू कंपनियों के शेयर की कीमतों में उछाल आया है।

बजट में एंजल टैक्स को खत्म करने से देश के स्टार्ट-अप सेक्टर को फायदा होगा। यह कर स्टार्ट-अप द्वारा उचित बाजार मूल्य से अधिक कीमत पर जुटाए गए धन पर लगाया जाता है। इससे देश में स्टार्ट-अप परिदृश्य को बढ़ावा मिलेगा।

रक्षा से लेकर रेलवे, प्रॉपर्टी डेवलपर्स से लेकर निर्माण कंपनियों तक के प्रमुख शेयरों में तेजी देखी गई, जो भविष्य के उज्ज्वल पूर्वानुमानों से प्रेरित है। इस प्रकार बजट सकारात्मक है और इससे अर्थव्यवस्था की वृद्धि को बढ़ावा मिलेगा। इसलिए अंत में बाजार को भी मदद मिलेगी।

The Aam Aadmi Party protested by planting the BJP flag in the pile of dirt
ગંદકીના ઢગમાં ભાજપના ઝંડા રોપી આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો

 

મંત્રી પ્રફુલ પાનશેરિયાના મત વિસ્તાર કામરેજમાં જનતા તૂટેલા રોડ રસ્તા અને રખડતા ઢોરોથી પરેશાન છે : કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી.કથીરિયા

કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે : જે.ડી.કથીરિયા

ચૂંટણી વખતે મત માંગવા પ્રફુલભાઇ પાનશેરિયા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય : જે.ડી.કથીરિયા

કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ આજે ભાજપ શાસકો સામે મોરચો માંડયો હતો. જે.ડી.કથીરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું જેમાં તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોના ફોટા વાળા એપરન પહેરી પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, ‘કામરેજ ઉભરાતી ગટર થી પરેશાન છે, કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે, કામરેજ રખડતા ઢોરથી પરેશાન છે.’ ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં ભાજપના ઝંડા પણ રોપવામાં આવ્યાં હતાં. જેને લઈને સ્થાનિક રહીશો પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતાં.

આ બાબતે કામરેજ તાલુકા પંચાયત જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાના મતવિસ્તાર કામરેજમાં લોકો તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોથી ખૂબ જ પરેશાન છે. મંત્રીશ્રી પોતાના જ મતવિસ્તારને પાયાની સુવિધા પુરી પાડવામાં નિષ્ફળ સાબિત થયાં છે. કામરેજના બધા જ માર્ગોની હાલત ખૂબ જ દયનીય છે. તૂટેલા રસ્તાઓ પર ગાડીઓ ચલાવીને લોકોના વિહિકલને પણ નુકસાન થઇ રહ્યું છે. રખડતા ઢોરો કામરેજના રસ્તાઓ પર જ્યાં ત્યાં રઝળતી હાલતમાં જોવા મળે છે, જેને લઈને વાહન ચાલકો અકસ્માતની ભીતિએ વાહન ચલાવતા પણ ગભરાઈ રહ્યાં છે. કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતની રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે. માનનીય મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાને પણ લોકોની હાલાકી જોવાની ફુરસત નથી મળતી. કામરેજ ગ્રામ પંચાયત સરપંચ કિંજલબેન શાહની કામગીરી પણ તદ્દન નિરાશાજનક દેખાઈ આવે છે તેમ સ્પષ્ટ શબ્દોમાં જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું.

જે.ડી.કથીરિયાએ આ મુદ્દે વધુમાં જણાવ્યું હતું કે, મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા ચૂંટણી વખતે મત માંગવા જે રીતે લોકોની વચ્ચે જતા હતાં તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય તો ખબર પડે કામરેજની જનતામાં કેટલો આક્રોશ છે. ઉભરાતી ગટરો રોગચાળાને ઘરે લઇ આવશે તેવી આશંકા પણ જેડી કથીરિયાએ વ્યક્ત કરી હતી.

The owners' attempt to create pressure on the municipal administration to start illegal pot dyeing under the guise of unemployment....
બેરોજગારીની આડમાં ગેરકાયદે તપેલા ડાઇંગ શરૂ કરવા મનપા તંત્ર પર દબાણ ઊભું કરવાનો માલિકોનો પ્રયાસ….

 

લિંબાયત ઝોન વિસ્તારમાં ગેરકાયદે ધમધમી રહેલા તપેલા ડાઇંગ સામે કરવામાં આવેલી સિલીંગ ની કાર્યવાહી બાદ હવે તપેલા ડાઇંગના સંચાલકો બેરોજગારીની આડમાં સીલ ખોલવા માટે મનપા તંત્ર પર દબાણ ઊભી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સંચાલકો દ્વારા આ મામલે લિંબાયત ઝોન ખાતે મોરચો લઈને રજૂઆત પણ કરવામાં આવી હતી અને સીલ ખોલી સમય આપવા માટેની માંગ કરી હતી. જોકે લિંબાયત ઝોનના અધિકારીઓ આ ગેરકાયદે તપેલા ડાઈંગો સામે ટસ ના મસ થયા ન હતાં. ઉલ્લેખનીય છે કે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલ મંગલા પાર્ક, ગોવિંદ નગર, મમતા પાર્ક, રતન નગર, મહાપ્રભુનગર, સહિતના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે તપેલા ડાઈંગો ધમધમે છે. આ તપેલા ડાઇંગના સંચાલકો દ્વારા કલર યુક્ત પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે સીધું જ મનપાની ડ્રેનેજ લાઈનમાં છોડી દેવામાં આવે છે. જેના કારણે ઘણી વખત ડ્રેનેજ લાઇન ઉભરાતા કલર વાળું પાણી રસ્તા પર ફરી વળે છે અને ઘણી વખત આ પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થતાં લોકોના ઘરોમાં પણ કલર વાળું પાણી આવતું હોય છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત આ અંગે લિંબાયત ઝોનમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી જોકે હવે તંત્રની આખો ખુલી છે અને અનેક તપેલા ડાઈંગ સીલ કરી દેવામાં આવી છે. જોકે હવે તપેલા ડાઇંગ ચલાવનારાઓ બેરોજગારીના નામે તંત્ર પર દબાણ ઊભું કરતા જોવા મળી રહ્યા છે ત્યારે મનપા તંત્ર આ દબાણ ને વશ થશે કે પછી લોક હિતમાં કાર્યવાહી જારી રાખશે તે જોવું રહ્યું.