ગુજરાત ખબર
09 ઓગસ્ટ- શ્રાવણ પૂર્ણિમા એટલે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’
સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતાનું પ્રતિક
ભારતની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું ભારતીય જનસમાજમાં પ્રસાર-પ્રચાર થાય તે ઉદ્દેશ્યથી વિશ્વસ્ય વૃત્તાન્તમ્ અખબાર પ્રસિદ્ધ કરીએ છીએ – પ્રકાશક મુર્તજા ખંભાતવાલા
સંસ્કૃતની મહત્તા સમજીને આયર્લેન્ડ જેવા પશ્ચિમના દેશોની શાળામાં સંસ્કૃત એક વિષયના રૂપમાં ભણાવવામાં આવે છે – તંત્રી શિવરાજ ઝા “શાન્તેય’
નવી શિક્ષણ નીતિમાં પણ સંસ્કૃતને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે…
સુરત : હિન્દુ પંચાંગ અનુસાર પવિત્ર શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની સાથે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ની પણ ઉજવણી કરવામાં આવે છે. સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતાનું પ્રતિક છે. સમગ્ર વિશ્વ આજે ભારતની સંસ્કૃતિ અને સંસ્કૃતમાં પ્રાપ્ત આયુર્વેદ અને યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ‘સમાજસ્ય હિતં, સંસ્કૃતે નિહિતમ્ – અર્થાત ‘સમાજનું હિત સંસ્કૃતમાં સમાયેલું છે.’ સંસ્કૃતને સર્વ ભાષાઓની જનની કહેવામાં આવે છે. સંસ્કૃતનો વિકાસ તે આપણી ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને માનવ સભ્યતાનો વિકાસ છે. નવી શિક્ષા નીતિમાં પણ સંસ્કૃતને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.
સુરતથી છેલ્લા 15 વર્ષથી નિયમિત પ્રસિદ્ધ થતા દૈનિક સંસ્કૃત સમાચાર પત્ર સંસ્કૃત ભાષાની વર્તમાન સ્થિતિ અને સંસ્કૃત પ્રત્યે સમાજના દાયિત્વ વિશે ‘વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ના તંત્રી શ્રી શિવરાજ ઝા “શાન્તેય’ જણાવે છે કે, સંસ્કૃત એ કર્મકાંડની કે પૂજા-પાઠ માટે જ ઉપયોગમાં લેવાય છે એવી માનસિકતાથી બહાર આવીને સંસ્કૃતમાં સમાવિષ્ટ જ્ઞાન, વિજ્ઞાનનો જે મહાસાગર છે તેને સમજવાની ખાસ જરૂર છે. આજના સમયમાં સંસ્કૃતની મહત્તા સમજીને પશ્ચિમના દેશોમાં પણ સંસ્કૃત શાળાકીય પાઠ્યક્રમમાં સામેલ છે. દા.ત. આયર્લેન્ડ દેશમાં પહેલા ધોરણથી સંસ્કૃત ભણાવવામાં આવે છે. આ રીત વિશ્વના ઘણા દેશોમાં સંસ્કૃતને આત્મસાત કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. જો ભારતને ખરા અર્થમાં વિશ્વગુરૂ તરીકે પુરવાર કરવું હોય તો પ્રત્યેક ભારતીય નાગરિકે સંસ્કૃતને આત્મસાત કરવું જ પડશે.
શ્રી ઝા વધુમાં જણાવે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંસ્કૃત પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. ગત ડિસેમ્બર-૨૦૧૯માં સંસ્કૃત ભારતીના રાજ્ય અધિવેશનમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’’ પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિશ્વસ્ય વૃત્તાન્તઃ અખબાર દ્વારા પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભની પ્રેસ બ્રિફિંગ અને મહાકુંભને લગતા કાર્યક્રમોનું આશરે 220 જેટલા સંસ્કૃત સમાચારોનું સંકલન કરીને મહાકુંભ વિશેષ પુસ્તક તેમજ ઉત્તરપ્રદેશ સરકારના વિવિધ કાર્યક્રમોના આશરે 400 જેટલા સંસ્કૃત સમાચારોનું સંકલન કરીને તેનું પણ એક વિશેષ પુસ્તક ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથને ભેટ રૂપે આપવા માટે તૈયાર કર્યું છે.
“વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ના પ્રકાશક મુર્તઝા ખંભાતવાલા જણાવે છે કે ભારત દેશમાં બધી જ ભાષાઓમાં દૈનિક સમાચાર પત્રો પ્રકાશિત થાય છે, ત્યારે સંસ્કૃતમાં કેમ નહીં? જે ભાષા લોકો સુધી પહોંચે છે તે ભાષા પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવામાં સક્ષમ હોય છે. આ વિચારને સાકાર કરવા માટે આબાલવૃદ્ધ બધાને સરળ ભાષામાં સંસ્કૃતનો પરિચય પ્રાપ્ત થાય અને સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સમાજમાં ચેતના જાગૃત થાય એ આશયથી અમે છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતથી “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ નામથી દૈનિક સંસ્કૃત સમાચારપત્ર સંસ્કાર સંપન્ન સુરત શહેરથી પ્રકાશિત કરીએ છીએ. જે સુરત શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ગૌરવનો વિષય ગણી શકાય કે આજે “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ એ ભારતવર્ષનું એકમાત્ર નિયમિત પ્રસિદ્ધ થતું દૈનિક સંસ્કૃત સમાચારપત્ર છે.
ખંભાતવાલાએ ઉમેર્યું કે, વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ‘વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ દૈનિક ખૂબ જ સરળ, બોધગમ્ય અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ શબ્દ-સંયોજનનો ઉપયોગ કરે છે, જેથી વાચકો, પાઠકોને ભાષા સમજવામાં સરળતા રહે. ભારત જ નહીં સમગ્ર વિશ્વના લોકો સંસ્કૃતનો લાભ લઈ શકે તે માટે “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ આધુનિક સવલતોથી સજ્જ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી “ઈ-કોપી’ સંસ્કૃત પ્રેમીઓ સુધી સરળતાથી પહોંચે છે, પરંતુ લોકોમાં સંસ્કૃત પ્રત્યે સકારાત્મક અભિગમની ખૂબ જ જરૂરિયાત છે.
તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ’ યોજાઈ
આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી તેમજ તેમને આત્મસન્માન, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક ઉમદા પ્લેટફોર્મ પણ મળ્યું હતું
સુરત : તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 3 ઓગસ્ટ, 2025 રવિવારના રોજ, ‘સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય, નાના બાળકોમાં સ્વિમિંગને પ્રોત્સાહન આપવા અને ભવિષ્યના ચેમ્પિયન તૈયાર કરવાનો હતો.
આ કાર્યક્રમનું નેતૃત્વ આચાર્ય શ્રી વી. શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના પ્રેરણાદાયી વિઝનથી ખાસ કરીને 5 થી 6 વર્ષની વયના બાળકો માટે, સ્વિમિંગને જીવનરક્ષક અને આવશ્યક જીવન કૌશલ્ય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેમનું આ જ આયોજન, આ ચેમ્પિયનશિપની આધારશિલા બન્યું હતું.
આ ઇવેન્ટમાં સુરતની વિવિધ ક્લબના 120 થી વધુ તરવૈયાઓએ (1) અંડર-15 (2) અંડર-11 (3) અંડર-8 અને (4) અંડર-5… એમ ચાર શ્રેણીઓમાં ભાગ લીધો હતો. આ વિભાગોએ તમામ વય જૂથોના બાળકોને સ્પર્ધામાં આત્મવિશ્વાસ સાથે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સ્કૂલમાં યોજાયેલી આ ઇવેન્ટનું ખાસ આકર્ષણ, 5 વર્ષ અને 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના જૂથોની ઉત્સાહી ભાગીદારી હતી. જેમાં સૌથી નાના તરવૈયાઓએ ઉલ્લેખનીય જુસ્સા, નિર્ભયતા અને પ્રતિભા દર્શાવી હતી, જેણે અહીં એક જીવંત અને સ્પર્ધાત્મક દિવસ માટેનો રોમાંચક માહોલ તૈયાર કર્યો હતો.
250 થી વધુ વાલીઓ અને કોચના ઉત્સાહવર્ધક સમર્થનથી, આ કાર્યક્રમ સ્વિમિંગ, ખેલદિલી અને સમુદાયિક ભાવનાની ઉજવણીરૂપ બન્યો હતો. ઇવેન્ટ દરમિયાન બાળકો અને વાલીઓના ઉત્સાહ, પ્રોત્સાહન અને મિત્રતાએ સકારાત્મક વાતાવરણ બનાવ્યુ હતું.
આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી. આની સાથે જ, આ સ્પર્ધાએ તેમને આત્મસન્માન, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કર્યું હતું. વાસ્તવમાં, તે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં શારીરિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને સમાન મહત્વ આપવામાં આવે છે.
સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ, ઉત્સાહભેર વાતાવરણમાં યાદગાર રીતે સંપન્ન થઈ હતી. જેમાં દરેક બાળકના પ્રયત્નોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટે, ખરેખર શહેરમાં યુવા રમતગમતની સ્પર્ધાના આયોજન માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો
GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો
મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 2 ઓગસ્ટ: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કંસ્ટ્રક્શન બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ (BSE – 505504)ને રાણા એક્ઝિમ FZ-LLC (RAKEZ સાથે કરાર હેઠળ માસ્ટર ડેવલપર), રાસ અલ ખૈમા, UAE, (રાણા ગ્રુપ) તરફથી EPC માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ પ્રોજેક્ટનું મૂલ્ય આશરે રૂ. 2,645 કરોડ આંકવામાં આવ્યું છે અને પ્રારંભિક સેટઅપ અને મોબિલાઇઝેશન સમયગાળાના 90 દિવસ સિવાય 24 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ છે.
Highlights:-
• આ ઓર્ડર સાથે, GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડની કુલ ઓર્ડર બુક વધીને રૂ. 7,000 કરોડ થઈ ગઈ છે.
• 24 જુલાઈની બોર્ડ મીટિંગમાં 3:2ના ગુણોત્તરમાં મંજૂર બોનસ ઇશ્યૂ રહ્યો
• બોર્ડ મીટિંગમાં 2:1ના ગુણોત્તરમાં સ્ટોક સ્પ્લિટને પણ મંજૂરી આપવામાં આવી
• અધિકૃત શેર મૂડી રૂ. 16 કરોડથી વધારીને રૂ. 66 કરોડ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી
• 30 જૂન 2025ના રોજ કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 73.98% છે
• આ પ્રોજેક્ટમાં રાસ અલ ખૈમાહ, યુએઈ ખાતે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ સ્ટેટ ઓફ આર્ટ બિલ્ડિંગનું નિર્માણ શામેલ છે.
• આ ઓર્ડર સાથે, GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડની કુલ ઓર્ડર બુક રૂ. 7,000 કરોડથી વધુ થઈ ગઈ છે.
આ પ્રતિષ્ઠિત ઓર્ડર વેલ્યૂ AED 1,12,42,74,621 (One billion one hundred twenty-four million two hundred seventy-four thousand six hundred and twenty-one AED) છે જે આશરે રૂ. 2645 કરોડ જેટલું થાય છે.
GHV ગ્રુપના ગ્રુપ ચેરમેન શ્રી જાહિદ વિજાપુરાએ ગર્વથી જણાવ્યું હતું કે, GHV ગ્રુપ તરીકે, અમે “We Build Value”ના સિદ્ધાંતને લઈને સતત પ્રયત્નશીલ છીએ, જેમ કે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગનો વિકાસ, ટકાઉ સતત વૃદ્ધિ સાથે સમયાંતરે શૂન્ય ડિસ્ચાર્જ સુવિધાઓ સાથે ગ્રીન EV ઉત્પાદન પૂરું પાડવા જેવા પસંદગીના મૂલ્યવાન પ્રોજેક્ટ્સ હાથ ધરીને કાર્યરત છીએ. આ પ્રતિષ્ઠિત ઓર્ડર સાથે, કંપનીની કુલ ઓર્ડર બુક રૂ. 7,000 કરોડથી વધુ થઈ ગઈ છે અને નજીકના સમયમાં થોડા વધુ પસંદગીના પ્રોજેક્ટ વિકલ્પોનો પ્રયાસ ચાલુ રાખશે.
તાજેતરમાં, GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર બોર્ડે 24 જુલાઈ 2025ના રોજ યોજાયેલી બેઠકમાં કંપનીના હાલના શેરધારકોને 3:2ના ગુણોત્તરમાં બોનસ શેર જારી કરવાની મંજૂરી આપી છે. દરેક 2 શેર માટે ત્રણ ફુલ્લી પેઇડ અપ ઇક્વિટી શેર. વધુમાં, ડિરેક્ટર બોર્ડે 2:1ના ગુણોત્તરમાં સબ ડિવિઝન / સ્પ્લિટને પણ મંજૂરી આપી હતી (10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા 1 ઇક્વિટી શેરને રૂ. 5 ના 2 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે ) સ્ટોક વિભાજનનો હેતુ કંપનીના શેરની લીક્વીડિટી વધારવાનો અને માર્કેટમાં પ્રવેશ અને છૂટક રોકાણકારો માટે તેમને વધુ સુલભ બનાવવાનો છે.
કંપની બોર્ડે કંપનીના સભ્યોની મંજૂરીને આધીન કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 16 કરોડથી વધારીને રૂ. 66 કરોડ કરવાની પણ વિચારણા કરી અને મંજૂરી આપી હતી. કંપનીના શેરધારકોએ 28 જૂન, 2025ના રોજ યોજાયેલી તેમની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગમાં, પ્રમોટર્સ/પ્રમોટર ગ્રુપ અને નોન-પ્રમોટર્સને ખાનગી પ્લેસમેન્ટ દ્વારા પ્રેફરન્શિયલ ધોરણે કન્વર્ટિબલ વોરંટ જારી કરવાની મંજૂરી આપી. 30 જૂન, 2025ના રોજ GHV ઇન્ફ્રા પ્રોડક્ટ્સ લિમિટેડમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 73.98% છે.
સુરતના લોકોએ પૂરા ઉત્સાહ સાથે રાજહંસ સિનેમાની સિનેમેટિક ક્રાંતિ ‘IMAX’નું સ્વાગત કર્યું
સુરતમાં ચોતરફ છવાઈ ગયું રાજહંસ સિનેમાનું ભવ્ય સિનેમેટિક નજરાણું ‘IMAX’
સુરત : ગુજરાતના મનોરંજન ક્ષેત્રે, એક ઐતિહાસિક ક્ષણ તરીકે, રાજહંસ સિનેમાએ સુરતમાં ‘IMAX’ રજૂ કર્યું છે. સુરતની ઉત્સવપ્રિય જનતાએ સહહૃદય ‘IMAX’ નું વેલકમ કર્યું છે. રાજહંસ સિનેમા પ્રીસિયા ‘IMAX’ સ્ક્રીન ખુલવાના પહેલાં દિવસથી જ, અહીં ઉત્સાહિત દર્શકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. જે સાબિત કરે છે કે, સુરતના મોજીલા લોકો આ વિશ્વસ્તરીય સિનેમેટિક અનુભવને માણવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
રાજહંસ સિનેમા પ્રીસિયા 3,000 થી વધુ બેઠકો સાથે ભારતના સૌથી મોટા 14-સ્ક્રીન મલ્ટિપ્લેક્સમાં સામેલ છે. તેમાં 400+ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું ‘IMAX ઓડિટોરિયમ’, સુરતમાં સિનેમાનો ઈનોવેટીવ અનુભવ આપી રહ્યું છે. અત્યાધુનિક IMAX 3D ટેકનોલોજી, વિશાળ વળાંક ધરાવતી સ્ક્રીન અને અલ્ટ્રા-ક્રિસ્પ લેસર પ્રોજેક્શન સાથે, આ થિયેટર પહેલા ક્યારેય ન હોય તેવી આકર્ષક વિઝુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. દરેક દિશામાંથી વહેતા હૃદયસ્પર્શી અવાજ સાથે, IMAX સ્ક્રીન, પ્રેક્ષકોને આકર્ષિત કરે છે અને દરેક સીનને પૂરા રોમાંચ સાથે માણવાનો અનુભવ આપે છે. જબરજસ્ત બ્લોકબસ્ટર ફિલ્મોથી લઈને વિઝુઅલી સમૃદ્ધ ફિલ્મો સુધી, રાજહંસ પ્રીસિયા ખાતે આવેલ IMAX, શહેરની ફિલ્મ સંસ્કૃતિમાં એક નવો આયામ ઉમેરે છે.
હાલ સુધી, ‘IMAX’ એ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદ જેવા મેટ્રો શહેરો માટે એક અનામત લક્ઝરી હતી. ઘણીવાર, સુરતના ફિલ્મ પ્રેમીઓને આ ફોર્મેટનો અનુભવ કરવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. જોકે, હવે આ બધું બદલાઈ ગયું છે. તેની શરૂઆતથી જ, રાજહંસ ‘IMAX’ એ શહેરમાં આ નવા સિનેમેટિક અજાયબી માટે ખીચોખીચ ભરેલા શો, પ્રેક્ષકો અને ઉત્સાહવર્ધક મૌખિક પ્રચાર મહેસુસ કર્યો છે. સુપરમેન જેવા એક્શનથી ભરપૂર સુપરહીરોની સ્ટોરીથી લઈને F1 જેવા એડ્રેનાલિનથી ભરપૂર રોમાંચ સુધી, IMAX એ, સુરતીઓના દિલમાં એક યુનિક જગ્યા બનાવી છે, જેઓ હવે તેમના પોતાના શહેરમાં જ વિશ્વ કક્ષાના સિનેમાનો અનેરો આનંદ માણી શકે છે.
રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “આ ફક્ત એક નવી સ્ક્રીન જ નથી. વાસ્તવમાં તે સુરતની સિનેમાની સફરમાં એક લેંડમાર્ક છે. IMAX ની સાથે, અમે ફક્ત ફિલ્મના અનુભવને જ એડવાન્સ નથી બનાવી રહ્યા, પરંતુ અમે સ્ટોરી કહેવાના એક નવા યુગની પણ શરૂઆત કરી રહ્યા છીએ. અહીં, આપણાં ઘરે જ, વિશ્વસ્તરીય શ્રેષ્ઠ મનોરંજન આપવા અમે પ્રતિબદ્ધ છીએ.”

IMAX ટેકનોલોજી સમગ્ર ભારતમાં સિનેમામાં ક્રાંતિ લાવી રહી છે. દેશભરમાં વધુ સ્ક્રીનો ખુલી રહી છે. આ શ્રેષ્ઠ યાદીમાં સુરતનો સમાવેશ એક સકારાત્મક પરિવર્તનનો સંકેત આપે છે. વધતી જનસંખ્યા અને ટેકનોલોજી ટ્રાંસફર સાથે પ્રાદેશિક શહેરો, હવે વિશ્વ કક્ષાના મનોરંજનની અપેક્ષા રાખે છે અને તેને લાયક પણ છે. રાજહંસ સિનેમાએ બરાબર એ જ કર્યું છે. રાજહંસ સિનેમા માટે, IMAX રજૂ કરવું, એ સ્થાનિક દર્શકો સુધી વિશ્વનું શ્રેષ્ઠ લાવવાના તેના મિશનનું એક સાહસિક વિસ્તરણ છે. નવા ટ્રેન્ડ્સ અને સ્ટાન્ડર્ડ સ્થાપિત કરવામાં અગ્રેસર, રાજહંસ ગ્રુપે, ફરી એકવાર સુરતને ભારતના મનોરંજન નકશા પર સ્થાન આપ્યું છે.
શ્રી દેસાઈએ આગળ ઉમેર્યું હતું કે, “અમારું વિઝન, હંમેશા પ્રેક્ષકો માટે સર્વશ્રેષ્ઠ વૈશ્વિક અનુભવો પ્રદાન કરવાનું રહ્યું છે. અમે વર્ષોથી IMAX રજૂ કરવાનું સ્વપ્ન જોયું હતું. હવે જ્યારે શહેરના લોકોએ IMAX ને ખૂબ જ ઉત્સાહથી વેલકમ કર્યું છે ત્યારે આ જુસ્સો, અમારા વિશ્વાસને ફરીથી મજબૂત બનાવે છે કે, મનોરંજનનું ભવિષ્ય ફક્ત મહાનગરોનું જ નહીં, પરંતુ દરેક શહેરનું છે.”
ભારતભરમાં 160 થી વધુ સ્ક્રીનો અને નોઈડા, ગુડગાંવ, ચંદીગઢ, મુંબઈ, દેહરાદૂન, ચેન્નાઈ, બેંગ્લોર, પુણે, વિઝાગ, હૈદરાબાદ અને વધુમાં નવા મલ્ટિપ્લેક્સ આવી રહ્યા છે. 15 સ્થળોએ 65 વધારાની સ્ક્રીનો વિકાસ હેઠળ છે અને 2026ના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રાજહંસ સિનેમા, ભારતમાં ફિલ્મો જોવાના અનુભવને વધુ રોમાંચક બનાવી રહ્યું છે. સુરતની વાત કરીએ તો આ પરિવર્તન, પહેલાંથી જ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ માત્ર એક ફિલ્મ જ નથી. આ એક આંદોલન-એક અભિયાન છે. એક સિનેમેટિક ક્રાંતિ, જે સ્ટોરી જોવાનો અને તેની ઉજવણી કરવાનો રોમાંચક અનુભવ આપે છે. હવે, આ આહલાદક અનુભવ રાજહંસ સિનેમા દ્વારા ‘IMAX’ મારફતે સુરતમાં લાવવામાં આવ્યો છે.
અગાસી શાખામાં ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું સફળ આયોજન
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત યોજાયેલા અભિયાનમાં મહાવ્યવસ્થાપક શ્રી અખિલેશ કુમાર અને ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમારની વિશિષ્ટ ઉપસ્થિતિ
અગાસી, તા. 25 જુલાઈ 2025 યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, અગાસી શાખામાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ કાર્યક્રમમાં યૂનિયન બેંકના મહાવ્યવસ્થાપક તથા ગાંધીનગર ઝોનના ઝોનલ હેડ શ્રી અખિલેશ કુમાર તથા આરઓ સુરતના ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા.
અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિક સુધી આધારભૂત નાણાકીય સેવાઓ પહોંચાડવાનો અને દરેક પાત્ર વ્યક્તિને બેંકિંગ પ્રવાહમાં લાવવાનો છે.
શ્રી અખિલેશ કુમારએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે નાણાકીય સમાવેશ આપણી સરકારનું મુખ્ય લક્ષ્ય છે અને બેંકે એ દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભવી જોઈએ. તેમણે શાખાના કર્મચારીઓ દ્વારા યોજાયેલા સક્રિય પ્રયાસોની પ્રશંસા કરી અને ગ્રાહકમૈત્રી સેવાઓ આપવાની જવાબદારી પર ભાર મૂક્યો.

શ્રી બિપિન કુમારએ પણ પોતાના વક્તવ્યમાં અભિયાનના મહત્વને રેખાંકિત કર્યું અને કામગીરીના ગુણવત્તાવાળા અમલ માટે શાખાની ટીમને શુભેચ્છાઓ પાઠવી.
આ કાર્યક્રમમાં વધારાની નોંધપાત્ર ઉપસ્થિતિ રૂપે ચીખલી, ધર્મપુર, વાગલધરા અને બિલિમોરા શાખાના શાખા વ્યવસ્થાપકો પણ ઉપસ્થિત રહ્યા. તેમના દ્વારા પણ શાખાવાર પ્રયત્નોની વિગતો શેર કરવામાં આવી.
અભિયાન દરમિયાન લોકોએ PMJDY ખાતા, પીએમ સુરક્ષા વીમા યોજના, પીએમ જીવન જ્યોતિ યોજના, અટલ પેંશન યોજના જેવી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું તથા રજીસ્ટ્રેશન પણ કરાવ્યા.
આ સેચ્યુરેશન કેમ્પે અગાસી સહિત આસપાસના વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ લાવવાની દિશામાં મજબૂત પગલાં ભર્યાં છે.
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા – નાણાકીય સમૃદ્ધિ માટે અગ્રેસર.
તાપી એસોસીએશન દ્વારા તાપી ટ્રાવેલ એક્સ્પોનું આયોજન – ઉદ્યોગ, રોજગાર અને મહિલા સશક્તિકરણ તરફ અનોખી દિશા
તાપી એસોસીએશન ની અનોખી પહેલ રોજગારીની તકો અને સ્ત્રી સશક્તિકરણ ના થીમ પર ટ્રાવેલ એક્સ્પોનું આયોજન
તાપી એસોસીએશન દ્વારા ટ્રાવેલ એક્સ્પોનું આયોજન ૫૦૦થી વધુ મહિલાઓને વ્યવસાય માર્ગદર્શન અને ૩૦૦૦થી વધુ રોજગારીની તકનો લક્ષ્યાંક
દિવાળી તથા અન્ય તહેવારોની રજામાં લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે તેવા સમયમાં વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પાસે પ્રવાસન માહિતી મેળવી ટુર પ્લાન કરી શકે તેવા હેતુથી તાપી એસોસીએશન તરફથી TTE-2025 તાપી ટ્રાવેલ એક્સ્પોના નામે એક અનોખી પહેલ કરવામાં આવી છે, જે 3 ઓગસ્ટે ઇન્ડોર સ્ટેડિયમ, સુરત ખાતે યોજાશે અને પ્રજાજન માટે ખુલ્લો રહેશે, જ્યારે 4 ઓગસ્ટનો દિવસ માત્ર ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર પુરતો સિમિત રહેશે.
આ એક્સ્પોમાં એક જ છત નીચે દેશના કશ્મીરથી લઈ કન્યાકુમારી અને વિદેશમાં ઓસ્ટ્રેલિયા થી અમેરિકા સુધીના દરેક ડેસ્ટિનેશનના પેકેજીસ તેમજ ટ્રાવેલ સંબંધિત તમામ સર્વિસીસ, સુરતના નામંકિત અને વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા મળશે.
આ B2C (બિઝનેસ ટુ કન્ઝ્યુમર) એક્સ્પોમાં 170+ સ્ટોલ છે જેમાં મુલાકાતીઓને ભારત અને વિશ્વભરના દેશો માટે આકર્ષક ટ્રાવેલ ઑફર્સ અને વિવિધ વિકલ્પો મળશે. આ ઉપરાંત, મુલાકાતીને DRAW SYSTEM THROUGH ગિફ્ટ અને અન્ય રોમાંચક ઑફર્સનો લાભ મળશે, જે આ ઇવેન્ટને યાદગાર બનાવશે.

આ એક્સ્પો પહેલી વાર વિશિષ્ટ “Theme-Based Expo” તરીકે યોજાશે, જ્યાં માત્ર વ્યવસાય નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને નોકરી ઈચ્છુક યુવાનો માટે રોજગારની તક પણ ઊભી થશે. વિભિન્ન મેનેજમેન્ટ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી યુવાનો અહીં મુલાકાત લઈને સ્થાનિક ટ્રાવેલ એજન્ટો સાથે સંવાદ સ્થાપી નોકરી મેળવવાની તક મેળવી શકશે.
તદુપરાંત, મહિલા સશક્તિકરણનું જીવતું ઉદાહરણ પૂરું પાડી, આ એક્સ્પોમાં વિશિષ્ટ મહિલા સંગઠનોમાંથી મહિલાઓ પણ મુલાકાત લેશે, જે ટ્રાવેલ ઉદ્યોગ વિશે જ્ઞાન મેળવે અને જો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે તો તાપી એસોસીએશન તરફથી માર્ગદર્શન અને સાથ-સહકાર પણ મેળવી શક્શે.
તાપીના પ્રમુખ શ્રી વિનેશ શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે
આ એક્સ્પો માત્ર વ્યવસાય માટે નથી, પણ રોજગાર અને મહિલા સશક્તિકરણ જેવી બાબતોને ધ્યાનમાં રાખી ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત માળખું ઉભું કરશે. જેમાં 500થી વધુ મહિલાઓને ઉદ્યોગમાં જોડવાનો અને 3000થી વધુ રોજગારના અવસર ઊભા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.”
ઉપપ્રમુખ શ્રી જિગ્નેશ પટેલે જણાવ્યું કે
તાપી ટૂંક સમયમાં તાપી ટ્રાવેલ ઈન્સ્ટીટ્યુટ શરૂ કરવા જઈ રહી છે, જેમાં બિઝનેસ અને રોજગાર આધારિત ટૂરિઝમ કોર્સ કરાવવામાં આવશે. આ કોર્સ ઉદ્યોગમાં આવવા ઈચ્છુક માટે સંપૂર્ણ માર્ગદર્શન અને તાલીમ અપાશે, તેમજ ઈન્સ્ટ્રીમાં સ્ટાફની અછત પૂર્ણ કરવા મદદરૂપ થશે.”
સેક્રેટરી શ્રી અમિત પટેલ તથા ખજાનચી શ્રી શિવકુમારએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે
અમારું એસોસિયેશન વ્યવસાયની તકો વિકસાવવાની સાથે સાથે, સમાજમાં એકરૂપતા અને સમાનતા જાળવવા માટે સેવા અને સંસ્કાર આધારિત કાર્યો પણ કરે છે. અમારું લક્ષ્ય વ્યાપાર સાથે સંસ્કાર અને સદ્દભાવનાને પણ આગળ વધારવાનું છે.”
આ એક્સપોમાં મુલાકાતીઓ ને દિવાળી તથા આવનારા તહેવારોના પેકેજીસ પર ખાસ ડિસ્કાઉન્ટ અને અપ્રતિમ ઓફરો મળવા ઉપરાંત દરેક કલાકે લકી ડ્રો દ્વારા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ પેકેજના ગીફ્ટ વાઉચર પણ જાહેર કરવામાં આવશે ઉપરાંત
વિશ્વાસપાત્ર ટ્રાવેલ એજેન્ટ કે ટુરઓપરેટર સાથે સીધી મુલાકાત લઈ સ્થળ પર જ આઈટીનરી પ્લાનીંગ, તત્કાલ ડીસ્કાઉન્ટ નો ફાયદો પણ મેળવી શકાશે તથા નવા નવા અને પ્રમાણમાં ઓછા એવા અજાણ્યા પ્રદેશો કે સ્થળો અંગે માહિતી માહિતી મેળવી શકાશે.
આ એક્સપોનો મુખ્ય હેતુ પ્રવાસીઓને વિશ્વસનીય સેવા આપવાનો છે, અને તહેવારોના દિવસોમાં પ્રવાસ યોજના કરનારા માટે આ એક્સ્પો અમૂલ્ય તક સાબિત થશે. સાથે સાથે સ્થાનિક ટ્રાવેલ એજન્ટોને ધંધો મળે અને નોકરી ઈચ્છુકોને રોજગાર મળે, મહિલાઓને ધંધાકીય માર્ગદર્શન મળે તેવો સર્વાંગી દ્રષ્ટિકોણ અહીં સમાવવામાં આવ્યો છે.
લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન
સુરત: સુરત શહેરમાં આજરોજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ૪૦ બેડની લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ભવ્ય ઉદ્ઘાટન થયું. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન માનનીય ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા, પ્રખ્યાત ઉદ્યોગપતિ શ્રી કમલવિજય તુલસીયાન અને નવી સિવિલ હોસ્પિટલના પ્રો. શ્રી પ્રહ્લાદ રાયના હસ્તે કરવામાં આવ્યું.
લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 24*7 ઇમરજન્સી સેવાઓ સાથે કાર્યરત રહેશે અને 18 નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા વિવિધ પ્રકારની બીમારીઓની સારવાર પૂરી પાડશે. આ ટીમમાં ડૉ. તેજસ એસ. જરીવાલા (લેપ્રોસ્કોપિક સર્જન), ડૉ. રોહન જરીવાલા (ફિઝિશિયન), ડૉ. પ્રશાંત પટેલ (ન્યુરોસર્જન), ડૉ. શમીમ શેખ (ફિઝિશિયન), ડૉ. હર્દિક પટેલ (ચેસ્ટ ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ), ડૉ. વિજેશ રાજપૂત (ફિઝિશિયન અને ઇન્ટેન્સિવિસ્ટ), ડૉ. અશ્કા શાહ (સ્કિન સ્પેશિયાલિસ્ટ), ડૉ. રુતા સવજ શાહ (ન્યુરોફિઝિશિયન), ડૉ. કૃપા મજમુદાર (ડાયટિશિયન), ડૉ. પાયલ મોદી (ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ. રામ પટેલ (યુરોસર્જન), ડૉ. અનસ એ. શેખ (ઓર્થોપેડિક સર્જન), ડૉ. વિરલકાંત ચૌધરી (પ્લાસ્ટિક સર્જન), ડૉ. ટ્વિંકલ પટેલ (ઇએનટી સર્જન), ડૉ. પ્રણવ પચચીગર (મનોચિકિત્સક), ડૉ. મૃણાલ મોદી (એક્યુપંકચરિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ), ડૉ. સતીશ દેસાઈ (રેડિઓલોજિસ્ટ), અને ડૉ. કેતન જાગીરદાર (પેથોલોજિસ્ટ) સામેલ છે. હોસ્પિટલમાં એક્સ-રે, સોનોગ્રાફી, મેડિકલ સ્ટોર જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, જે દર્દીઓને એક જ છત નીચે સંપૂર્ણ આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.

આ હોસ્પિટલનો પાયો ડૉ. તેજસ જરીવાલા દ્વારા નાખવામાં આવ્યો છે, જેમની આગેવાની હેઠળ આ નિષ્ણાંત ટીમ દર્દીઓની સેવામાં સમર્પિત રહેશે.
મજૂરા ગેટ સ્થિત કૈલાસ નગર સર્કલ પાસે સ્થિત વ્હાઇટ વિંગ્સ મેજોરિસ ખાતે શરૂ થયેલ લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતના નાગરિકો માટે આરોગ્ય સેવાઓના ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરશે અને ઉચ્ચ ગુણવત્તાની સારવાર પૂરી પાડશે.
સંપર્ક માટે:
લેપ્રોકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
વ્હાઇટ વિંગ્સ મેજોરિસ, કૈલાસ નગર સર્કલ, મજૂરા ગેટ, સુરત.
ફોન: 951 2462222, 0261 2462222
મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી ફિલ્મ “મહારાણી”ના કલાકારો અને નિર્દેશક સુરતના મહેમાન બન્યા
“મહારાણી” – મનોરંજન અને હાસ્યથી ભરપૂર એક સોશિયલ કોમેડી
ગુજરાતી સોશિયલ કોમેડી ફિલ્મ મહારાણીની બહોળી આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને એનાઉન્સમેન્ટ થી લઇને ટ્રેલર સુધી લોકો ની ઉત્સુકતા સતત વધતી દેખાઈ છે. ઉપરાંત ફિલ્મ ના ટાઇટલ ટ્રેક અને મુંબઈયા ગુજરાતી ને ખૂબ લોક ચાહના મળી રહેલ છે. ફિલ્મ તેની મજેદાર તથા રસપ્રદ સ્ટોરીલાઇન થી દર્શકોના દિલ જીતી રહ્યું છે. ફિલ્મના પ્રમોશન અર્થે અભિનેત્રી માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર તથા અભિનેતા સંજય ગોરાડિયા અને નિર્દેશક વિરલ શાહ સુરતના મહેમાન બન્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી. ફિલ્મ ૧ ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાનું છે.
મહારાણી ફિલ્મની કથા રાણી (શ્રદ્ધા ડાંગર) આસપાસ ફરે છે, જે એક આધુનિક ઘરના ઘરકામ માટે આવેલી ક્વર્કી અને ગફલતભરી કામવાળી છે. મહારાણી આ ઘરના માલિક – માનસી પરેખ અને ઓજસ રાવલ ના જીવનની વાર્તા છે. રાણીનો ગેરવ્યવસ્થિત સ્વભાવ અને અણઘડ આચરણ ઘરભરમાં કયારેક હાસ્યનો વિષય બને છે તો કયારેક પરેશાનીનું કારણ. રોજબરોજના કામકાજ દરમિયાન તે જે ઘોર ગોટાળો ઊભો કરે છે અને પછી તેના માટે અવનવા બહાના કાઢે છે તે દર્શકોને હસવા મજબૂર કરે છે.
કહાની વધુ રસપ્રદ ત્યારે બને છે જ્યારે એક દિવસ માનસી પરેખનું પાત્ર રાણીની આ લાપરવાહી અને કંટાળાજનક વર્તનથી કંટાળી જાય છે અને તેને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય લે છે. ત્યાર પછી એક નવી કામવાળી શોધવાનું સંઘર્ષ શરૂ થાય છે જેનાથી હાસ્ય, ડ્રામા અને થ્રિલ ભરેલી એક મનોરંજક કહાની આગળ વધે છે.
ફિલ્મ વિશે વાત કરતાં, અભિષેક પાઠક, પ્રોડ્યૂસર અને એમ.ડી., પેનારોમા સ્ટુડિયોઝે કહે છે કે, “પેનારોમા સ્ટુડિયોઝમાં અમે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે લોકો સુધી એવી કહાનીઓ લાવીએ જે પ્રત્યેક સામાન્ય ભારતીય સાથે સંકળાયેલી હોય. અમને આનંદ અને ગર્વ છે કે અમે એવી ફિલ્મોને સહારો આપી રહ્યા છીએ જે સામાન્ય ક્ષણોમાંથી હાસ્ય અને લાગણી શોધી કાઢે છે. ‘મહારાણી’ લાગણીસભર છે, મનોરંજક છે અને ખાસ તો એ, કે રીયલ છે. એક શાનદાર કાસ્ટ અને દરેક ઘરનું પ્રતિબિંબ એવી કહાની સાથે, અમે દેશભરના દર્શકો માટે આ દિલથી હસાવતી કોમેડી પ્રસ્તુત કરવા ઉત્સુક છીએ.”
ફિલ્મના ડિરેક્ટર, વિરલ શાહ, વ્યક્ત કરે છે કે, “‘મહારાણી’ એવા સંબંધો નો ઉત્સવ છે જેના વિશે ખૂબ ઓછી વાત થાય છે – જે રસોડામાં, લિવિંગ રૂમ માં અને સામાન્ય ચા ના કપ સાથેના મૌન માં છાની રીતે ઘણું કહી જાય છે. આ ફિલ્મ એ ખૂબ જ હળવી પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ કહાની કહે છે. જાણે સૌના જીવનનો એક ટુકડો લઈ લખી હોય તેવી આ કોમેડી ફિલ્મ ઘરની માલકીન અને ઘરની કામવાળી વચ્ચેના અનોખા બંધન વિશે ઘણું કહી જાય છે. આ કહાની છે ભાન કરાવે છે કે જે આઝાદી અને સગવડ આપણે અનુભવીએ છીએ તેની પાછળ આપણા જીવનના અમુક મજબૂત પાયા સ્વરૂપ લોકોનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે. એક એવી નરમ અને લાગણીસભર કહાની.. જે કહેવી જરૂરી છે.”

ફિલ્મ વિશે માનસી પારેખ કહે છે, “આ ફિલ્મ પર કામ કરતાં મને સમજાયું કે ખરેખર આપણા ઘરની કામવાળી સાથે નો આપણો સંબંધ અતુલ્ય અને બેજોડ છે. ‘મહારાણી’ સ્ત્રી મિત્રતા, આત્મમુલ્ય અને આત્મપ્રેમને પણ મોટા પરિપ્રેક્ષ્યમાં સ્પર્શે છે. આ એક એવી કહાની છે જે સામાન્ય જીવન પર બનેલી એક અદભુત વાત કહી જાય છે. અનેક પ્રતિભાશાળી કલાકારો અને વિરલ જેવા ડિરેક્ટર સાથે કામ કરવું સ્વપ્ન સમાન અનુભવ રહ્યો. મારુ પાત્ર, માનસી, કોઈ પણ સ્વતંત્ર વર્કિંગ વુમન જેવું જ છે – જીવન રોજ નવા ચેલેન્જીસ લાવે છે અને તે પોતાની રીતે તેનું ઉત્તમ રીતે સામનો કરે છે. શ્રદ્ધા સાથે કામ કરવામાં ખૂબ મજા પડી અને જેમ જેમ અમે આ જર્ની માં આગળ વધ્યા તેમ તેમ અમારી વચ્ચે એક ગહન મિત્રતા વિકસી છે જે સ્ક્રીન પર અવશ્ય દેખાશે. હું આતુર છું કે દર્શકો આ ફિલ્મ જોવે અને થિયેટરમાંથી કંઈક મૂલ્યવાન શીખ લઈને નીકળે.”
ફિલ્મ વિશે શ્રદ્ધા ડાંગર કહે છે, “‘મહારાણી’ એક સાધારણ જીવન પર અસાધારણ રીતે લખાયેલી કહાની છે, જે અનેક સ્તરે વ્યક્તિગત રીતે મને જોડે છે. રાણીનું પાત્ર શક્તિ અને આત્મજ્ઞાન દર્શાવે છે. ફિલ્મનો મુખ્ય તત્વ કોમેડી છે અને હું આનો એક ભાગ બની શકી તેનો મને ખૂબ આનંદ છે. માનસી સાથે કામ કરવાનો અનુભવ અદભુત રહ્યો. અમે સાથે મળીને ક્રિએટિવ પ્રોસેસ શેર કરી અને એક એવી મિત્રતા બંધાઈ ગઈ છે જે સ્ક્રીન પર તેમજ સ્ક્રીન બહાર લોકોને જરૂર દેખાશે. ‘મહારાણી’ એક અનોખી ફિલ્મ છે અને મને આશા છે કે દર્શકો આ ફિલ્મનો પુરેપુરો આનંદ લેશે.”
પેનારોમા સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત ‘મહારાણી’ નું પ્રોડક્શન મંકી ગોડ એન્ટરટેઈનમેન્ટ, સમિટ સ્ટુડિયો અને એક્કા એન્ટરટેઈનમેન્ટ હેઠળ કરવા મા આવેલ છે. આ ફિલ્મ ના પ્રોડ્યૂસર્સ છે કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, પ્રિતેશ ઠક્કર, મધુ શર્મા અને વિરલ શાહ. તેમજ કો પ્રોડ્યૂસર્સ છે – મુરલીધર છટવાની, ચંદ્રેશ ભાનુશાલી, સુચિન આહલુવાલિયા અને માસુમેહ માખીજા .
ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અને સફળ ફિલ્મ દિગ્દર્શક વિરલ શાહએ દિગ્દર્શન આપ્યું છે, જ્યારે કહાની રામ મોરી અને હાર્દિક સાંગાણી દ્વારા લખવામાં આવી છે. મહારાણી એ એક એવી ફિલ્મ છે જે આધુનિક સ્ત્રી અને તેની ઘરકામ માટેની કામવાળી વચ્ચેના સૂક્ષ્મ પણ ખાસ સંબંધને હળવા હાસ્ય અને ડ્રામા સાથે રજૂ કરે છે.
ફિલ્મના મુખ્ય કલાકારોમાં માનસી પરેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ અને સંજય ગોરાડિયા સહિત ઘણા પ્રતિભાશાળી કલાકારો છે. દરેક કલાકારોનું કોમિક ટાઈમિંગ ખૂબ જ સટીક હોવાથી દર્શકોને ટ્રેલર ખૂબ જ ગમી રહ્યું છે.
કામેડી, ભાવનાત્મકતા અને સામાજિક સંદેશનું અદભુત મિશ્રણ ધરાવતી મહારાણી ગુજરાતી સિનેમાને તાજગી આપતી ફિલ્મ બનશે એવી અપેક્ષા લોકોમાં જોવા મળી રહી છે અને એટલે જ ફિલ્મ માટેની આતુરતા વધી રહી છે.
વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં “ટ્રેશ ટુ ટ્રેઝર” પ્રવૃત્તિનો ભવ્ય આયોજન: સર્જનાત્મકતા અને પર્યાવરણીય જાગૃતિનું મજબૂત સંયોજન
સુરત, જુલાઈ 2025: વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી ભાવના વિકસાવવા માટે એક અનોખી પ્રવૃત્તિ “ટ્રેશ ટુ ટ્રેઝર”નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વેસ્ટ મટિરિયલ — જેમ કે જૂના અખબાર, પ્લાસ્ટિકની બોટલ, કાર્ડબોર્ડ, તૂટી ગયેલા રમકડાં અને કપડાંના ટુકડા વગેરે —માંથી નવા અને ઉપયોગી આર્ટ પીસ બનાવ્યા.
સામાન્ય રીતે ફેંકી દેવામાં આવતા સામાનમાંથી વિદ્યાર્થીઓએ નવી વિચારશક્તિ અને કલ્પનાથી સુંદર ચીજવસ્તુઓ તૈયાર કરી, જે જોઈને બધાં આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પુનઃઉપયોગ (reuse), રીસાયકલિંગ અને પર્યાવરણ બચાવના મહત્વની શીખ આપવામાં આવી.
પ્રવૃત્તિ દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને દરેક સર્જનાત્મક કલાત્મક કાવ્ય પાછળ રહેલી વિચારધારાને પ્રશંસા મળતી રહી.
આ અવસરે પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ કહ્યું:
“વ્હાઇટ લોટસ સ્કૂલમાં અમારું ધ્યેય છે કે વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પણ તેમને જવાબદાર, સર્જનાત્મક અને પર્યાવરણપ્રેમી નાગરિક બનાવીએ. ‘ટ્રેશ ટુ ટ્રેઝર’ પ્રવૃત્તિએ બાળકોમાં નવી દૃષ્ટિ અને જવાબદારી ભાવના ઉભી કરી છે.”
આ પ્રવૃત્તિ ખૂબ જ આનંદદાયક રહી અને બાળકોની કલા સાથે સંવેદનાને પણ ઉજાગર કરતી બની. વિદ્યાર્થીઓએ પોતાનું સર્જન આત્મવિશ્વાસપૂર્વક રજૂ કર્યું અને શાળાએ એક મજબૂત સંદેશ આપ્યો — કે દરેક બાળકમાં બદલાવ લાવવાની ક્ષમતા છે, બસ જરૂરી છે તક અને માર્ગદર્શનની.
વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં સુરતનો અયાઝ ભારતનું પ્રતિનિધિત્વ કરશે
સુરત: ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. જર્મનીના રુહરમાં 16થી 27 જુલાઈ દરમિયાન યોજાનારી FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમનું નેતૃત્વ ગુજરાતનો 23 વર્ષીય આયાઝ મુરાદ કરશે. આયાઝની સાથે સુરતના જ 20 વર્ષીય દેવર્ષ વાઘેલાએ પણ ટીમમાં સ્થાન મેળવ્યું છે. આ બંને ખેલાડીઓએ સુરતની એસએજી-તાપ્તી વેલી હાઈ પરફોર્મન્સ ટેબલ ટેનિસ સેન્ટરમાં બે વર્ષથી તાલીમ લઈને પોતાની કૌશલ્યોને નિખારી છે.
ભારતીય ટીમ ટીમ ઈવેન્ટ, સિંગલ્સ, પુરુષ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ભાગ લેશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રમોદ ચૌધરીએ આ સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કરતાં કહ્યું, “આયાઝ અને દેવર્ષની પસંદગી ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. અમારી હાઈ-પરફોર્મન્સ એકેડેમીમાં તેમની તૈયારીઓ શાનદાર રહી છે, અને અમને આશા છે કે તેઓ ભારતીય ટીમ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે.”
આયાઝ અને દેવર્ષ સાથે ભારતીય પુરુષ ટીમમાં હરકુવર સિંહ અને ચિત્વન વાધવા પણ સામેલ છે, જ્યારે મહિલા ટીમમાં તનીષા કોટેચા, પ્રીથા વર્તીકર, સુહાના સૈની અને સાયલી વાણી દેશનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતના ખેલાડીઓની આ સફળતા રાજ્યના રમતગમત જગત માટે એક નવો અધ્યાય ઉમેરે છે.