ફિનો પેમેન્ટ્સ બેન્કે ગુજરાતભરમાં બેન્કિંગ એજન્ટો તરીકે મહિલાઓને જોડવા માટે ‘વન જીપી – વન બીસી’ પ્રોગ્રામ અંગે જીએલપીસી સાથે હાથ મિલાવ્યો

 

ડાંગ: ફિનો પેમેન્ટ્સ બેન્ક, ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (જીએલપીસી) સાથે પોતાના વન ગ્રામ પંચાયત – વન બિઝનેસ કોરસપોન્ડેન્ટ (વન જીપી – વન બીસી) પર કામગીરી કરી રહી છે જેથી સ્વ-સહાય જૂથો (એસએચજી) ની મહિલાઓને બેંકિંગ એજન્ટ તરીકે તાલીમ આપી શકાય અને સાથે જોડી શકાય.

જીએલપીસીના ડિરેક્ટર શ્રીમાન દિપક ચૌધરી, જિલ્લા વહીવટી કર્મચારીઓ અને ફિનો પેમેન્ટ્સ બેંકના પ્રતિનિધિઓમાં ચીફ સેલ્સ ઓફિસર શૈલેષ પાંડે, સિનિયર ડિવિઝનલ હેડ હિમાંશુ મિશ્રા અને ઝોનલ હેડ કલ્પિત સોનીની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના કદમલ (સુભિર) ગામમાં આજે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક સ્વ સહાય જૂથો સાથે સંકળાયેલ કદમલની કુ. ચૌધરી સારાબેન ગણપતભાઇનો આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયતના બિઝનેસ કોરસપોન્ડેન્ટ (બીસી) તરીકે સમાવેશ કરવામાં આવ્યો હતા. ગુજરાતમાં 2.5 લાખથી વધુ સ્વ સહાય જૂથો અથવા સખી મંડળો છે જ્યાંથી મહિલા બીસી સખીની પસંદગી કરવામાં આવશે.

આ વન જીપી – વન બીસી પ્રોજેક્ટ રાજ્યના 33 જિલ્લાઓની 1400 ગ્રામ પંચાયતોમાંથી પ્રત્યેકમાંથી બીસી સખીના રૂપમાં મહિલાઓને જોડવા માટેના જીએલપીસીના મિશનનો એક ભાગ છે.   ફિનો એ આ પ્રોજેક્ટ માટે બીસી સખીની નિમણૂક કરવા માટે જોડાયેલ એક બેંકિંગ ભાગીદાર અને સુવિધાકર્તા છે. આ પ્રોજેક્ટનો હેતુ ગ્રામીણ ગુજરાતમાં બેન્કિંગ એક્સેસ સુધારવા અને સ્વ સહાય જૂથોના સભ્યોની ઘરેલુ આવક વધારવાનો છે.

ફિનો પેમેન્ટ્સ બેંકના ચીફ સેલ્સ ઓફિસર શૈલેષ પાંડેએ જણાવ્યું હતું કે, “ આ પ્રોજેક્ટ સ્વ સહાય જૂથોના સભ્યોની આર્થિક સ્વતંત્રતા તરફ મહત્વપૂર્ણ પગલું છે. આ ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ માટે તેમની ઉદ્યોગ સાહસિકતાની ભાવનાને પ્રદર્શિત કરવાની અને આવક સુધારવાની તક છે. ગામડાઓમાં બેંકિંગ એજન્ટના રૂપમાં, તેઓ લોકોને સાનુકૂળ રીતે ડિજિટલ બેંકિંગ સેવાઓ અપનાવવામાં અને તેનો ઉપયોગ કરવામાં મદદ કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટ પર જીએલપીસી અને જિલ્લા વહીવટીતંત્ર સાથે કામ કરવામાં અમને આનંદ થાય છે કારણ કે તે ફિનોના સામાજિક સમાવિષ્ટ મોડેલ સાથે સુસંગત છે જેનો ઉદ્દેશ્ય માત્ર બેંકિંગ એક્સેસને સુધારવાનો જ નહી, સાથે સાથે બીસી સખીઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોના લોકોનું જીવન ધોરણ સુધારવાનો પણ છે.”

ફિનો પેમેન્ટ્સ બેંકના સિનિયર ડિવિઝનલ હેડ હિમાંશુ મિશ્રાએ જણાવ્યું હતું કે, “ હંમેશાં ઉપલબ્ધ બેંકિંગ સેવાઓ એ હાલના સમયની જરૂરિયાત છે. ગ્રામીણ વિસ્તારોના લોકોને તેમની સુવિધા મુજબ ગુણવત્તાયુક્ત  બેંકિંગ સેવાઓની જરૂર છે. સ્થાનિક સ્વ સહાય જૂથોના સભ્યો જેવા કે બીસી સખી કુ. ચૌધરી સારાબેન ગણપતભાઇ, સ્થાનિક લોકોથી પરિચિત અને મૈત્રીપૂર્ણ છે, જે ગ્રાહકનો વિશ્વાસ મેળવવા માટે મહત્વપૂર્ણ છે, તેથી તેઓ બેન્કિંગમાં મહત્વપૂર્ણ છે. અમારા હાલના માઇક્રો એટીએમ અને એઇપીએસ એનબ્લેડ મર્ચન્ટ નેટવર્કની સાથે, નવી ઓન-બોર્ડ બીસી સખીઓ નજીકમાં બેંકિંગ સેવાઓ પ્રદાન કરવાના અમારા પ્રયત્નોમાં વધુ મદદ કરશે.”

વૈકલ્પિક બેંકિંગ ચેનલ તરીકે, બીસી સખી નવા એકાઉન્ટ ખોલવા, તાત્કાલિક ડેબિટ કાર્ડ, થાપણો, ઉપાડ, રેમિટન્સ, એઇપીએસ, માઇક્રો એટીએમ ટ્રાન્ઝેક્શન અને થર્ડ પાર્ટી ઓફરિંગ્સ – વીમા, ગોલ્ડ લોન સોર્સિંગ જેવી બેંકિંગ સેવાઓ આપી શકશે.

જીએલપીસી પ્રોજેક્ટ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) ના નેતૃત્વ હેઠળ ફિનો પેમેન્ટ્સ બેન્ક ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્ય સરકારો સાથે પણ મહિલાઓને આજીવિકા પૂરી પાડવા અને ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ એક્સેસ સુધારવા માટે કામગીરી કરી રહી છે.

ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અયોધ્યાના મંદિરના માનમાં ભવ્ય રામવન તૈયાર થશે

 

સુરત: સુરતનાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ માટે કામ કરતી સંસ્થા ‘સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ’ સાથે પર્યાવરણીય કાર્યો માટે એમઓયુ થયા છે, જે અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સચીન ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થામાં અયોધ્યાના રામ મંદિરના માનમાં ‘રામવન’ નામે ભવ્ય અર્બન ફોરેસ્ટ તૈયાર કરશે અને એ રીતે મંદિર નિર્માણની ઐતિહાસિક ઘટનાને પોતાની ભાવના અર્પણ કરાશે.

આ સંદર્ભે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘આગામી સમયમાં આ શાળાના કેમ્પસમાં ‘રામવન’ નામે વિશાળ અર્બન ફોરેસ્ટ તૈયાર થશે અને અહીં ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન પર ધ્યાન આપવામાં આવશે. રામ શબ્દ જ મહામુશ્કેલીઓને ટાળનારો છે તો રામના માનમાં આવા વન તૈયાર થાય તો પ્રદૂષણને લગતી અનેક સમસ્યાઓ નાશ પામશે. આખરે પ્રકૃતિ સંવર્ધનના માધ્યમથી પણ રામની આરાધના થઈ જ શકે છે. એ રીતે અનેક પક્ષીઓ અને જીવજંતુઓને પનાહ મળશે અને સચીન વિસ્તારના હજારો લોકોને સારી માત્રામાં ઑક્સિજન મળશે.’

આ પ્રોજેક્ટ અંતર્ગત આગામી સમયમાં લોકોને ભગવાન રામ સાથે જોડાવા માટે અપીલ પણ કરાશે અને લોકો રામવનના વૃક્ષો દત્તક પણ લઈ શકશે. આ સંદર્ભે સંસ્થાના ટ્રસ્ટ્રી તેમજ સુરતના પૂર્વ મેયર ગીતાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ખેડૂતની પુત્રી તરીકે હું અત્યંત આનંદીત છું કે પર્યાવરણ માટેના અનેક રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકેલા વિરલભાઈ અમારી સંસ્થા સાથે જોડાયા છે. રામવનને કારણે અમારા બાળકોને એક સ્વસ્થ માહોલમાં રહેવા- ભણવા મળશે અને તેમને વૃક્ષો તેમજ પર્યાવરણ સંદર્ભે નિસ્બત કેળવાશે. આ પ્રોજેક્ટને કારણે અમારા બાળકોને તેમના ઘર જેવો જ માહોલ મળશે અને વનની પ્રતિતિ થશે.’

ઉલ્લેખનીય છે કે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન અંતર્ગત રામમંદિરના માનમાં તૈયાર થઈ રહેલું રામવન સચીન અને આસપાસના વિસ્તારો માટે ઑક્સિજન ચેમ્બર બની રહેશે અને સમગ્ર વિસ્તારના પર્યાવરણ પર હકારાત્મક અસરો ઊભી કરશે.

એસબીકે મ્યુઝીક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવાની વધુ એક તક, હવે 30 જૂન સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

 

સુરત: એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 સ્પર્ધામાં ભાગ લેવા માટે ઈચ્છુક ગુજરાતના યુવાઓ ને વધુ એક તક મળી રહી છે. એસ બી કે મ્યુઝીક દ્વારા સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન ની તારીખ 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી છે.મૂશ્કેલ સમયમાં સંગીત મનને શાંતિ પ્રદાન કરે છે. મહામારીની શરૂઆત સાથે ઘણી બધી વસ્તુઓ અચાનક રોકાઇ ગઇ ત્યારે પડકારજનક સમયમાં દરેકને થયેલી અસરોને ધ્યાનમાં લેતાં એસબીકે મ્યુઝિકે દેશભર નાસંગીત પ્રેમીઓને સહયોગ કરવાની જાહેરાત કરી છે. પ્રતિભાશાળી ઓરિજનલ સોંગ સિગર્સ, કમ્પોઝર્સ અને મ્યુઝિશિયન્સ માટે તેણે મેગા ઇવેન્ટ એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 લોંચ કરી છે, જેણે 1000થી વધુ રજીસ્ટ્રેશન મેળવ્યાં છે. લોકડાઉનમાં રેકોર્ડિંગ સ્ટુડિયો બંધ હોવા તથા પ્રતિભાશાળી કલાકારોની અરજને સકારાત્મક પ્રતિસાદ આપતાં એસબીકેમ્યુઝિક સ્ટાર 2021 એરજીસ્ટ્રેશનની તારીખ લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે ગુજરાતના લોકો માટે રજીસ્ટર કરવવાની ઉત્તમ તક ઉપલબ્ધ છે.
સંગીતમાં રૂચિ ધરાવતા દરેક વ્યક્તિ માટે રજીસ્ટ્રેશન ઓપન છે. તમે આ કાર્યક્રમનો હિસ્સો બનીને મૂશ્કેલ સમયમાં થયેલી પીડીને ભુલીને મક્કમ મનોબળથી આગળ વધી શકશો. રજીસ્ટ્રેશન સમયે સિંગર, કમ્પોઝર અને મ્યુઝિશિયન કોઇ પણ ફ્રી સ્ટાઇલ સેલ્ફ-કમ્પોઝ્ડ સોંગની પસંદગી કરી શકે છે કે જે પ્રભાવ પેદા કરી શકે. (પ્રેરણા આધારિત, શ્રદ્ધાંજલી, દેશભક્તિ અથવા તમારા પ્રિયજન માટે ક્યારેય વ્યક્ત નકરાયેલી લાગણીઓ). તમે કોઇ પણ પ્રાદેશિક ભાષા – હિન્દી, પંજાબી, ગુજરાતી, ભોજપુરી, બંગાળી, રાજસ્થાની, અંગ્રેજી, મરાઠીમાં કમ્પોઝિશન અપલોડ કરી શકો છો.મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં જાણીતા લલિત પંડિત કન્ટેસ્ટન્ટને જજ કરશે.
એસબીકે મ્યુઝિકના સ્થાપક રાકેશ કે. શર્માએ જણાવ્યું હતું કે, અમારો ઉદ્દેશ્ય વ્યક્તિમાં આત્મવિશ્વાસ પેદા કરવાનો તથા તમારી પ્રતિભાને મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે, જે દરેક દર્શક સુધી પહોંચી શકે.એસબીકે મ્યુઝિક સ્ટાર 2021 રુચિકા ક્રિષ્નાનીની પહેલ છે, જેમનું માનવું છે કેમ્યુઝિક ની મજા માણવી જોઇએ અને દરેક વ્યક્તિ સુધી તેને પહોંચાડવું જોઇએ.
એસબીકે મ્યુઝિક સ્ટાર 2021નું આયોજન https://sbkmusic.com/ દ્વારા કરાયું છે, સિગ્નેચર 1 દ્વારા તેને મેનેજ અને માર્કેટિંગ, રૂચિકા ક્રિષ્નાનીનો કોન્સેપ્ટ, જેજી પ્રોડક્શન્સ, ડિજિટલ પાર્ટનરAARYAA DIGITAL.comછે.
Register FREE at https://sbkmusic.com/eventand reveal the power of music within you.

સુરતના કેપી ગ્રુપની કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.ને 12.50 મેગાવોટ્સનો મોટો ઓર્ડર મળ્યો

 

સુરત: કેપી ગ્રુપની સોલાર પાવર ક્ષેત્રે ગુજરાતની સૌથી મોટી કંપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ.(KPIGIL) એ કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ (CPP)માં 12.50 મેગાવોટ્સનો ઓર્ડર મેળવ્યો છે. આ અંગે દેશ અને વિદેશમાં સિન્થેસિસનો પુરવઠો સપ્લાય કરતી સચિન જીઆઈડીસી સ્થિત પ્રતિષ્ઠિત કંપની અનુપમ રસાયણ ઈન્ડિયા લિ. સાથે KPIGIL એ લેટર ઓફ ઈન્ટેન્ટ (L.O.I) કર્યા છે. KPIGILએ તે અંગે ભરૂચ જિલ્લાના ઓછણગામે કામ શરુ કર્યું છે.
અનુપમ રસાયણ ઇન્ડિયા લિ.એ નોન-રિન્યુએબલ એનર્જી પર નિર્ભરતા ઘટાડવા, પાવર ખર્ચમાં બચત કરવા અને પર્યાવરણની રક્ષા કાજે કેપીઆઈ ગ્લોબલ પ્રા.લિ. પાસેથી રૂ. 43 કરોડમાં 12.50 મેગાવોટ્સનું સોલાર પાવર પ્લાન્ટ માટે કરાર કર્યા છે. આ સોલાર પ્લાન્ટમાં રોકાણથી કંપનીને દર વર્ષે વીજ ખર્ચમાં 10 કરોડની બચત થવાનુ અનુમાન છે અને આ લાભ 25 વર્ષ સુધી થશે.
ઉલ્લેખનીય છે કે, બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ KPIGIL ભરૂચ જિલ્લાના સુડી, તણછા, ભીમપુરા, રણાડા સહિતના ગામોમાં 100 મેગાવોટ્સની આસપાસનો સોલાર પ્લાન્ટ પ્રસ્થાપિત કરી ચુકી છે અને વર્ષ 2025 સુધીમાં 1000 મેગાવોટ્સ સુધી લઈ જવાનું પ્લાનિંગ કરી તે દિશામાં આગળ વધી રહી છે.
KPIGILના સીએમડી ફારુક પટેલે આ કરાર અંગે કહ્યું હતું કે, કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરી ઉદ્યોગપતિઓ વીજબિલમાં મોટી બચત કરી શકે છે અને ઈન્કમટેક્સમાં પણ 40 ટકા ઘસારો મેળવી ટેક્સ પ્લાનિંગ સાથે પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી શકે છે. સાથોસાથ પૃથ્વીનું જતન કરી શકે છે. અનુપમ રસાયણ ઈન્ડિયા લિ. સાથેના 12.50 મેગાવોટ્સ માટે કરાયેલા લેટર ઓફ ઈન્ટેન્ટ એ અમારા માટે મોરપિચ્છ સમાન છે.

ગ્રીનમેન વિરલ દેસાઈએ ઈદીમાં વૃક્ષ આપવાની પહેલ કરી

 

પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈએ રમઝાન ઈદ નિમિત્તે ૫૦૦ જેટલા રોપાઓનું વિતરણ કરીને ઈદની ઉજવણી કરી હતી. સાથે જ તેમણે વિશેષરૂપે અપીલ કરી હતી કે મુસ્લિમ બિરાદરોએ બાળકોને ઇદીમાં વૃક્ષોની પણ ભેટ આપવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ રોપા વિતરણ અંતર્ગત વિરલ દેસાઈની સંસ્થાએ સુરતની વિવિધ સંસ્થાઓનો સંપર્ક કરીને રોપા પહોંચાડ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશને ક્વોરેન્ટાઈન થયેલા લોકો માટે ભોજન પહોંચાડતી સંસ્થા ‘લોકડાઉન હેલ્પ ગ્રુપ’ના સભ્યો ચેતન જેઠવા તેમજ મસુદ વોરાજી સાથે મળીને સો જેટલા રોપાનું વિતરણ કરવાનું આયોજન કર્યું હતું. તો એ ઉપરાંત અન્ય મુસ્લિમ બિરાદરો તેમજ સંસ્થાઓ સાથે મળીને ચારસો જેટલા રોપા વહેંચ્યા હતા. આ ઉજવણીમાં દાઉદી વહોરા સમાજના બિરાદરોને પણ સામેલ કરાયા હતા અને તેમને પણ ઈદ નિમિત્તે રોપાં પહોંચાડાયા હતા.

આ બાબતે ગ્રીનમેન વિરલ દેસાઈ જણાવે  છે કે, ‘દરેક તહેવારને પર્યાવરણ અને વૃક્ષારોપણ સાથે જોડવું એ અમારી પ્રથા છે. હું દૃઢપણે માનું છું કે જ્યારે તહેવારો સાથે પર્યાવરણ જોડવામાં આવે ત્યારે લોકો પર્યાવરણ બાબતે અત્યંત ગંભીર બને છે. વળી, આ સમયમાં તો આપણને સ્પષ્ટ થઈ ગયું છે ઑક્સિજન અને વૃક્ષોનું મહત્ત્વ શું છે. એટલે કોઈ પણ રીતે વધુમાં વધુ વૃક્ષો રોપાય એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. આ માટે થઈને જ હું અપીલ કરું છું કે બાળકોને ઈદીમાં વૃક્ષો પણ અપાવા જોઈએ, જેથી એની સાથે એક ભાવના જોડાય અને એ ભાવનાને લીધે પર્યાવરણની કદર થાય.’

તો રોપાનો લાભ લેનાર બાબુ સોના શેખનું કહેવું છે કે, ‘વિરલભાઈએ જે રીતે ઈદને પર્યાવરણ સાથે સાંકળી એ અત્યંત પ્રેરણારૂપ છે. એમની પાસે પ્રેરણા લઈને અમે પણ વધુમાં વધુ લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડીશું અને માત્ર ઈદ પર જ નહીં, પરંતુ આવનારા સમયમાં અનેક પ્રસંગોએ વૃક્ષારોપણ કરીશું. તેમજ અમારી મસ્જિદો તેમજ યતિમખાનામાં પણ વિરલભાઈની જાણકારીનો લાભ લઈને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીશું.

ઉલ્લેખનીય છે કે ગ્રીનમેન વિરલ દેસાઈ આ અગાઉ ‘ટ્રી ગણેશા’નું આયોજન કરી ચૂક્યા છે, જે અંતર્ગત તેમણે દેશભરમાં મુહિમ ચલાવીને વિવિધ શહેરોમાં હજારો વૃક્ષોનું રોપણ કરાવ્યું હતું.  

સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડની 100 વર્ષ જૂની ફ્લેગશીપ પ્રોડક્ટ સોસિયોની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે ભાગીદારી

 

આપણા દેશની સૌથી જૂની ફૂડ અને બેવરેજ કંપનીઓ પૈકીની એક સોસિયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડે તેની ફ્લેગશીપ બ્રાન્ડ સોસિયોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે તેના સત્તાવાર રિફ્રેશમેન્ટ પાર્ટનર તરીકે જોડાવાની જાહેરાત કરી છે

Continue reading...
સિડબી અને દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ભાગીદારીમાં સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાને આગળ ધપાવવા હેતુ સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇનના 16 વેબિનાર પૂર્ણ થયાં

 

સુરતઃ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ)ના સંવર્ધન, ધિરાણ અને વિકાસ માટે કાર્યરત પ્રમુખ નાણાકીય સંસ્થા ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી)એ દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ડીઆઇસીસીઆઇ) સાથે ભાગીદારીમાં આજે સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇનના 16 વેબિનાર એપિસોડને સફળતાપૂર્વક પૂર્ણ કર્યાં છે.

આ અભિયાન મહિલાઓ અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વંચિત અને વંચિત વર્ગોના સશક્તિકરણ માટે ભારત સરકારના એક પ્રમુખ કાર્યક્રમ સ્ટેન્ડ-અપ ઇન્ડિયા (એસયુઆઇ) યોજનાને પ્રોત્સાહન આપવા માટે જાગૃકતામાં વધારો અને વ્યવસાયના અવસર પ્રદાન કરવા માટે એક-દિવસીય કાર્યક્રમોની શ્રેણી છે. આ અભિયાન અંતર્ગત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મહાત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકોને વેબિનારના માધ્યમથી વ્યવસાય અંગે વ્યવહારિક સમજ પ્રદાન કરીને તેમને રોજગાર શોધવાની જગ્યાએ રોજગાર પ્રદાતા બનવાનો અવસર આપવામાં આવે છે.

સિડબીના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી વી. સત્ય વેંકટ રાવે જણાવ્યું હતું કે, સ્વાવલંબન સંકલ્પ – મેગા કેમ્પેઇન અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના યુવાનો અને ઉદ્યોગ સાહસિકોમાં સ્વાવલંબી બનવાની જ્યોત પ્રગટાવવાનો પ્રયાસ કરે છે. દરેક એપિસોડની સાથે આ અભિયાનના વિસ્તારને જોતાં અમે ખુશી અનુભવીએ છીએ. આજે બેંકથી ઋણ પ્રાપ્તિ અને યોજનાઓ અંગે બેંકરો દ્વારા જાણકારી પ્રદાન કરવાની સાથે-સાથેઆમંત્રિત વ્યવસાયોને પોતાના ફ્રેન્ચાઇઝી મોડલનું પણ પ્રદર્શન કર્યું અને તેની સાથે સફળ સ્ટેન્ડ-અપ ઇન્ડિયાના સફળ ઉદ્યોગ સાહસિકોએ ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પોતાની પ્રેરણાદાયી ગાથા વર્ણવી હતી.

27 નવેમ્બર, 2020થી શરૂ થયેલી આ વેબિનાર શ્રેણી પ્રત્યેક શુક્રવારે સાંજે 4 વાગે યોજવામાં આવે છે અને આમ 24 વેબિનાર પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજના વેબિનાર ઓટોમોબાઇલ ઉદ્યોગમાં નવા ફ્રેન્ચાઇઝી વ્યવસાયના અવસર તરફ ધ્યાન આકર્ષિત કરે છે, જ્યાં એક વ્યાપાર ફ્રેન્ચાઇઝર મેનેટેક ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડના શ્રી વી. ત્યાગવેલની સાથે મેસર્સ બબિતા એન્ટરપ્રાઇઝિસના પ્રોપરાઇટર બબિતા રાનીને પણ આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. બીજી વરિષ્ઠ વક્તાઓમાં ડીઆઇસીસીઆઇ અને સિડબીના અધિકારીઓ સામેલ હતાં.

ગુજરાતના આ શહેરના મેયર બંગલાને માનવામાં આવે છે અપશુકનિયાળ, નવા મેયર પણ નહીં જાય રહેવા…

 

રાજકોટના હાર્દ સમા રિંગરોડ પરનો આલીશાન મેયર બંગલો મેયરપદ માટે હાનિકારક, જે રહેવા ગયું તેની રાજકીય કારકિર્દી હાંસિયામાં ધકેલાઈ જાય છે

Continue reading...
SMC BUDGET : કર – દર વધારા વિનાનું 6534 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

 

નવા સમાવિષ્ટ વિસ્તારોમાં 140 કરોડના ખર્ચે ઉભી કરાશે પાણી – ડ્રેનેજ સહિતની માળખાકીય સુવિધાઓ, નવી 150 ઇલેક્ટ્રિક બસો ખરીદાશે, 142 અર્બન હેલ્થ ક્લિનિક શરૂ કરવા સાથે નવા 20 હજાર આવસોનું નિર્માણ કરાશે

Continue reading...
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ લઇ પિંકપ્રેન્યોર દ્વારા વુમન વીકની ઉજવણી

 

અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય લક્ષી, કાનૂન લક્ષી અને સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી

Continue reading...