ડો.શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન

 

મુ.પો. રેવદંડા, તા. અલિબાગ, જી. રાયગડ, મહારાષ્ટ્ર દ્વરા

ડો. શ્રી નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના સૌજન્યથી “મહારાષ્ટ્રભૂષણ” આદર્નિય તિથસ્વરૂપ .ડો. શ્રી નાનાસાહેબ ધર્માધિકારી તેઓશ્રીના જન્મ શતાબ્દી નિમિત્તે મહાસ્વચ્છતાનું આયોજન તથા સ્વચ્છતા મોહીમ “સ્વચ્છ ભારત અભિયાન” મહારાષ્ટ્ર રાજ્યના મહામહિમ રાજ્યપાલ દ્વારા સ્વચ્છતા દૂતની નિમણૂક કરવામાં આવેલ હતી . ને ડો.શ્રી નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના અધ્યક્ષ “મહારાષ્ટ્રભૂષણ” તથા “પદ્મશ્રી પુરસ્કાર” સન્માનિત .આદર્નિય તિથસ્વરૂપ ડો.શ્રી આપ્પાસાહેબ ધર્માધિકારી અને આદર્નિય તિથસ્વરૂપ ડો.શ્રી સચિનદાદા ધર્માધિકારી તેઓના માર્ગદર્શન હેઠળ મહાસ્વચ્છતા અભિયાનનું આયોજન તા. ૦૧/૦૩/૨૦૨૩ બુધવારના રોજ સવારે ૦૭:૦૦ કલાકે નવસારી કૃષિ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સ તથા અઠવાગેટ પોલીસ કોલોની, અઠવાલાઇન્સ, ચોપાટી રોડ, સુરત ખાતે રાખવામાં આવેલ હતુ જેમાં ડો.શ્રી નાનાસાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાનના આશરે ૬૦૦ શ્રીસદસ્યો તેમજ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટર્સ તથા પોલીસ કોલોનીના સભ્યો પણ સામેલ હતા અને સુરત મહાનગર પાલિકાના અધિકારીશ્રી તથા અઠવાઝોન સ્ટાફના સાથ સહકાર સાથે . આ મહા સ્વચ્છતા અભિયાન આશરે ૫ હેક્ટરના પરિસરમાં કરવામાં આવેલ હતુ આ દરમિયાન ૮૦ ટન અંદાજે કચરાની સફાઈ કરી તેને યોગ્ય રીતે નિકાલ કરી મહાસ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક કરવામા આવ્યુ હતુ

દેશભરમાં વાતાવરણમાં આવી રહેલા પલ્ટા વચ્ચે આગામી 4 થી 8 માર્ચ દરમિયાન માવઠુ પડવાની શક્યતા

 

દેશભરમાં વાતાવરણમાં આવી રહેલા પલ્ટા વચ્ચે આગામી 4 થી 8 માર્ચ દરમિયાન માવઠુ પડવાની આગામી હવામાન વિભાગે કરતા ખેડૂતોમાં ડર જોવા મળી રહ્યો છે. કેરી અને ઘઉ તથા કપાસના પાકને અસર થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.

દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાંક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરાઈ છે. ત્યારે ગુજરાત રાજ્યમાં તારીખ 4થી 8 માર્ચ સુધી માવઠું પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને કેરી અને ઘું તથા કપાસના પાકને અસર થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

હાલમાં દક્ષિણ રાજ્યોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ વરસાદ પડી રહ્યો છે જેના પગલે બદલાયેલા વાતાવરણથી રાજસ્થાન અને બિહારમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન જોવા મળતા ગુજરાતમાં પણ માવઠાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.

બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી સાત લાખની ખંડણી માંગવાના કેસમાં આખરે ઝેહરા સાયકલવાલાની ધપરકડ

 

સુરત. તમારું બાંધકામ ગેરકાયદે છે એમ જણાવી બાંધકામ નહીં તોડવવાના બદલે વ્યાપારી પાસેથી સાત લાખ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં આરોપી એવી કહેવાતી સમાજ સેવી ઝેહરા સાયકલવાલાની મહિધરપુરા પોલીસે ધરપકડ થયા બાદ જામીન પર છુટકારો થયો છે.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાર્લેપોઈન્ટ સ્થિત પાર્લે પોઇન્ટ પેલેસ નિવાસી વ્યાપારી વાહેદભાઈ કાચવાલા ની ઝાંપા બજાર સૈફી મોહલ્લા ખાતે આવેલી જમીન પર તેઓ અને તેમના મિત્ર દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ દરમિયાન થોડી જગ્યા વધુ કવર કરવામાં આવી હોવાથી પોતાને સમાજસેવી ગણાવતી ઝેહરા સાયકલવાલા આ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી અને જો બાંધકામ બચાવવું હોય તો સાત લાખ રૂપિયા આપવા પડશે એમ કહી પહેલા 51 હજાર રૂપિયા ટોકન તરીકે પડાવી લીધા હતા અને ત્યારબાદ પોતાના બે સાગરીતો સાથે મળી ડરાવી ધમકાવી સાત લાખ રૂપિયાની ખંડણી માંગણી ચાલુ રાખતા આખરે વાહેદભાઈ દ્વારા ઝેહરા સાયકલવાલા સહિત ત્રણ આરોપીઓ વિરૂદ્ધ અરજી આપી હતી અને અરજીના આધારે મહિધરપુરા પોલીસે ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન 13 ફેબ્રુઆરીના રોજ પોલિસે આરોપી ઝેહરા સાયકલવાલાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ આરોપીનો જામીન પર છુટકારો થયો હતો.

દેશભરમાં આજે 74માં પ્રજાસત્તાક દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ શિક્ષા સંકુલ ખાતે પણ ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વનિતા વિશ્રામ પરિસરમાં આવેલા બાજી ગૌરી ઓપન એર થિયેટર ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વનિતા વિશ્રામ ના ચેરમેન કૃપલાણી દેસાઈ, વાઈસ ચેરમેન પ્રવીણ વોરા, સેક્રેટરી મનહર દેસાઈ અને પૂર્વ કુલપતિ ડૉ.દક્ષેશ ઠાકર હજાર રહ્યા હતા. આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને એનસીસી કેડેટ્સ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને રાષ્ટ્રધ્વજને સલામી અપાઇ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ડાન્સ, લોકનૃત્ય અને નાટક વગેરે રજૂ કરી વિદ્યાર્થીઓએ સૌને મનોરંજન પુરૂ પાડ્યું હતું. આભાર વિધિ સાથે સમારોહનું સમાપન થયું હતું.

ઝોડિયાકના ‘વન્સ ઇન અ યર સેલ’ માટે વીઆઇપી એક્સેસ મેળવો

 

ભારતમાં પુરુષો માટે ઉત્કૃષ્ટ ક્લોથિંગ બ્રાન્ડ ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ ગુણવત્તા અને ડિઝાઇન બાબતે વિશિષ્ટ ઓળખ અને પ્રતિષ્ઠા હાંસલ કરી છે.

આ બ્રાન્ડ તેના ‘વન્સ ઇન અ યર’ સેલ માટે જાણીતી છે અને તે પણ ખૂબજ મર્યાદિત સમયગાળા માટે. હકીકતમાં બ્રાન્ડને ખૂબજ પસંદ કરતાં ગ્રાહકો માટે ઝોડિયાક એન્યુઅલ સેલની આતુરતાથી રાહ જોવાય છે.

આ વર્ષે ઝોડિયાક તેના ગ્રાહકોને વાર્ષિક સેલ માટે વીઆઇપી એક્સેસ ઓફર કરી રહ્યું છે. દરેક માટે સેલ શરૂ થાય તે પહેલાં https://bit.ly/ZodiacVIPAccess  ઉપર નોંધણી કરાવનાર પ્રત્યેક ગ્રાહક એક દિવસ પહેલાં સેલની એક્સેસ મેળવશે. તેનો મતલબ પ્રોડક્ટ્સ સમાપ્ત થતાં પહેલાં વ્યક્તિ તેને વહેલા ખરીદી કરવાનો લાભ મેળવી શકશે. આ સેલ સમગ્ર ભારતમાં કંપની દ્વારા સંચાલિત 100થી વધુ સ્ટોર્સ ઉપર તબક્કાવાર રીતે યોજાશે.

ઝોડિયાક સ્ટોર પાસે ત્રણ પ્રીમિયમ મેન્સવેર બ્રાન્ડ છે, જે ગ્રાહકની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ક્લાસિક થતાં કન્ટેમ્પરરી મેલ્સ કોર્પોરેટ વોડ્રોબ માટે ઝોડિયાક, ટ્રેન્ડી માટે ઝોડ ક્લબ વેર, કેઝ્યુઅલ વેર માટે ઝેડ3 રિલેક્સ્ડ લક્ઝરી તેમાં સામેલ છે.

વીઆઇપી એક્સેસ માટે નોંધણી કરાવ્યાં બાદ આમંત્રણનો એક મેસેજ તથા સેલની તારીખ ગ્રાહકને અગાઉથી મોકલી આપવામાં આવશે.

ઝેડસીસીએલ વિશેઃ

ઝોડિયાક ક્લોથિંગ કંપની લિમિટેડ (ઝેડસીસીએલ)એ વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ, ટ્રાન્સ-નેશનલ છે, જે ડિઝાઈન, ઉત્પાદન, વિતરણથી લઈને રિટેઇલ વેચાણ સુધીની સમગ્ર ક્લોથિંગ ચેઇનને નિયંત્રિત કરે છે. ભારતમાં ઉત્પાદન આધાર તથા સમગ્ર ભારત, યુકે, જર્મની અને યુએસએમાં સેલ્સ ઓફિસ સાથે ઝેડસીસીએલ પાસે લગભગ 2500 કર્મચારીઓ ધરાવે છે. કંપનીનો મુંબઈ કોર્પોરેટ ઓફિસમાં 5000 ચોરસ ફૂટનો ઈટાલિયન પ્રેરિત ડિઝાઈન સ્ટુડિયો કાર્યરત છે, જે એલઇઇડી ગોલ્ડ પ્રમાણિત બિલ્ડિંગ છે. સમગ્ર ભારતમાં 100 થી વધુ કંપની સંચાલિત સ્ટોર્સ, 1200 મલ્ટિ-બ્રાન્ડ રિટેલર્સ અને www.zodiaconline.com   દ્વારા પ્રીમિયમ ભાવે બ્રાન્ડનું છૂટક વેચાણ થાય છે.

સિક્કિમમાં શહીદ થયેલાં સેનાના 16 જવાનોના પરિવારોને પૂજ્ય મોરારી બાપૂએ રૂ. 25-25 હજારની આર્થિક સહાય જાહેર કરી

 

થોડાં દિવસ પહેલાં ઉત્તરી સિક્કિમમાં જેમામાં સેનાના એક ટ્રક તીવ્ર વળાંક ઉપર આગળ વધતી વખતે ખાઇમાં પડીને દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું. આ ઘટનામાં ભારતીય સેનાના 16 જવાનો શહીદ થયાં હતાં. ભારતના વીર સપૂતોને વિનમ્ર શ્રદ્ધાંજલી પાઠવા પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે તેમની વ્યાસપીઠ ઉપરથી દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ 16 જવાનોના પરિવારોને રૂ. 25-25 હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, માં ભારતનીની સેવા કરતાં આપણા વીર જવાનોના જીવન ખૂબજ અમૂલ્ય છે અને તેને નાણાકીય સહાયથી ભરપાઇ કરવું અશક્ય છે. તેમ છતાં તેમના પરિવારજનો પ્રત્યે લાગણી વ્યક્ત કરતાં આર્થિક સહાય જાહેર કરાઇ છે.

ટી રેક્સ દ ટોય લેન્ડ બ્રાન્ડના રમકડાંનો શોરૂમ હવે અમદાવાદમાં

 

અમદાવાદ: બ્રાન્ડેડ રમકડાંના શોખીનો માટે હવે અમદાવાદમાં જ ઘર આંગણે બ્રાન્ડેડ રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ધરાવતો ટી રેક્સ દ ટોય લેન્ડ શોરૂમ નો આરંભ થયો છે.
બોડકદેવ ખાતે જજીસ બંગલા રોડ પર કદમ કોમ્પલેક્ષ માં આજરોજ શોરૂમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ટી રેક્સ નું હેડ ક્વાટર સુરત ખાતે આવેલું છે. શોરૂમની શાખાઓ વાપી અને વડોદરા બાદ હવે અમદાવાદમાં શરૂ થઈ છે. ટી રેક્સ શોરૂમ માં દરેક મુખ્ય બ્રાન્ડના રમકડાં ઉપલબ્ધ છે.
ટી રેક્સ ની સંસ્થાપક સ્નેહા મકવાણા એ જણાવ્યું હતું કે શોરૂમ માં મટેલ, હેસબ્રો, ફન સ્કૂલ, સિંબા, મિરાડા જેવી પ્રખ્યાત બ્રાન્ડના રમકડાંઓની વિશાળ શ્રેણીઓ ઉપલબ્ધ છે. આ રમકડાં ઓમા એજ્યુકેશનલ, કાર એન્ડ કલેકટ બોક્સ, ગન એન્ડ ટાર્ગેટ, ડોલ એન્ડ ડોલ હાઉસ, સ્પોર્ટ્સ, પઝલ અને ક્યૂબ જેવી કેટેગરી સામેલ છે. અમદાવાદની ફ્રેંચાઇજી ના પાર્ટનર મેઘા ખામરે જણાવ્યુ હતું કે કંપની તરફથી જે રમકડાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તે વિખ્યાત બ્રાન્ડના છે, જે ગ્રાહકોને ખુબજ પસંદ પડશે.

ગ્રીનમેન વિરલ દેસાઈને રાષ્ટ્રપતિના હાથે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દેશમાં ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો છે. ઊર્જા મંત્રાલય દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રીય સન્માન દેશના વિવિધ ક્ષેત્રોમાં ઊર્જા સંરક્ષણ માટે કાર્યરત લોકો અને સંસ્થાઓને એનાયત થાય છે, જેમાં દેશભરમાંથી ટેક્સટાઇલ્સ ક્ષેત્રમાંથી વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સને પ્રથમ સ્થાન મળ્યું છે, જેને લઈને સુરત તેમજ ગુજરાતભરના ટેક્સટાઇલ્સ ક્ષેત્રોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

આ સંદર્ભે વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘અમારા પ્રયત્નો અને ઈનિશિયેટિવ્સની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ અને ટેક્સટાઈલ્સ ક્ષેત્રે અમને ફરી એકવાર પ્રથમ સ્થાન મળ્યું એને માત્ર અમારું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય. આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યશસ્વી આગેવાનીમાં ગુજરાતે સૌથી પહેલા રિન્યુએબલ એનર્જી અને ઉર્જા સંરક્ષણની દિશામાં નક્કર શરૂઆત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આવનારા વર્ષોમાં ભારત ઊર્જા સંરક્ષણ અને ક્લાયમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે. ત્યારે અમૃત કાળના આ યુગમાં આપણને આ મહાયજ્ઞમાં યોગદાન આપવાની તક મળી રહી છે એ અત્યંત આનંદની વાત છે.’

ઉલ્લેખનીય છે કે પર્યાવરણ અને ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરવા બદલ વિરલ દેસાઈને આ પહેલા પણ ચાર વાર એનર્જી કન્ઝર્વેશનનું સન્માન પ્રાપ્ત થયું છે, જેમાં ત્રણવાર તેઓ દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યા હતા. તો અનેક આંતરરાષ્ટ્રીય મંચોએ પણ તેમને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માનોથી સન્માનિત કર્યા છે. તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુહિમને રાષ્ટ્રીય સ્તરે અત્યંત પ્રતિસાદ સાંપડયો છે.

આપણી સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન પ્રક્રિયા ખરા અર્થમાં મેક ઈન ઈન્ડિયા પ્રયાસ છેઃ ઉબૈદ અઝીઝ બારુદગર

 

આ મેક ઈન ઈન્ડિયા પહેલ બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયાએ મહારાષ્ટ્રના કરજતમાં સ્થાપિત કરેલું એકમ ખરા અર્થમાં આપણા સન્માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો આપે છે

મિડિયા સાથે વાત કરતાં બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા પ્રા. લિ.ના ડાયરેક્ટર ઉબૈદ અઝીઝ બારુદગરે ગૌરવપૂર્વક જાહેર કર્યું કે તેઓ ભારતમાં આ ટેકનોલોજી લાવવામાં આગેવાન છે. અમારી નવીનતમ રોબોટિક ટેકનોલોજી ઉપયોગ કરનારી પ્રથમ ઈંટ ઉત્પાદન કંપની છે, જે ફેક્ટરી અમે કરજતમાં સ્થાપી છે. આ પર્યાવરણ અનુકૂળ ઈંટોએ નવા યુગના વિકાસનો માર્ગ બતાવ્યો છે. ઈંટો નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવી રહી હોઈ તે પર્યાવરણ અનુકૂળ છે, એમ જાહેર કરતાં તેમણે ઉમેર્યું કે ભારતમાં પહેલી વાર અમે રજૂ કરેલી આ ટેકનોલોજી સાથે પર્યાવરણને કોઈ હાનિ થતી નથી.

ત્રણ દાયકાનો અનુભવન અને 1 મિલિયનથી વધુ ચોરસફૂટ બાંધકામ કરરનારા ગેલેક્સી ગ્રુપનો હિસ્સો બિલ્ડિંગ બ્રિક્સ ઈન્ડિયા, બીબીઆઈ પ્રા. લિ.ની રચના મેક ઈન ઈન્ડિયાની સરકારની પહેલ હેઠળ ભારતમાં સૌથી વિશાળ સ્થાપત્યવિષયક ઈંટ ઉત્પાદન કંપની બનવા માટે ઝડપથી વૃદ્ધિ કરવાના ધ્યેય સાથે 14મી ડિસેમ્બર, 2014ના રોજ રચવામાં આવી હતી. આ એરમ ડોલવલી ખાતે ખોપોલી નજીક 10 એકર જગ્યામાં છે, જે દિવસના આશે 50,000 ઈંટનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.

ડાયરેક્ટર દીપક નાઈકે મિડિયાને વધુ વિગતો આપતાં જણાવ્યું કે કાચા માલોની પસંદગીથી ટેકનોલોજી અને ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રક્રિયા સુધી ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરાતી નથી. આ ત્રણ અલગ અલગ આકારમાં બનાવવામાં આવતી વાસ્તવિક સ્થાપત્યવિષયક આકારની ઈંટો છે, જે બિન- પ્રદૂષિત, પર્યાવરણ અનુકૂળ, એકધાર્યો આકાર અને કદ ધરાવે છે. રોબોટિક કોમ્પ્રેશનનું આ પરિણામ છે અને તે ઉચ્ચ કક્ષાની નૈસર્ગિક માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાય છે.

બિલ્ડિંગ બ્લોક્સ જર્મન ઓટોમેટેડ પ્રોસેસ ટેકનોલોજી અને જાપાનીઝ રોબોટિક કોમ્પ્રેશન પ્રોડકશન લોજિક કંટ્રોલ (પીએલસી), વીએફએક્સ- બ્રિક્સ ફોર્મેશન રોબોટિક કોમ્પ્રેશન  સાથેના મશીનો પર ઉત્પાદન કરાય છે. વિવિધ પ્રક્રિયાને લીધે ઈંટોની રચનામાં 0 ટકા બગાડ થાયછે. હાથ ધરવા દરમિયાન તે તૂટતી નથી. તે કાર્યક્ષમ રીતે સાઉન્ડ પ્રૂફ છે, થર્મલ કંડક્ટિવિટીને લીધે 20 ટકા વધુ ઊર્જા કાર્યક્ષમ છે, જેને લીધે નિયમિત ઈંટોની તુલનામાં એકંદરે 35 ટકા બચત થાય છે.

નૈસર્ગિક ઉચ્ચ કક્ષાની માટીનો ઉપયોગ કરીને ઉત્પાદન કરાતી નવા યુગની ઈંટો બહારી સાથે ભીતરની દીવાલોને પણ ડિઝાઈનની વરાઈટીના ઉત્તમ અનુભવ આપે છે, જે જંત અને અગ્નિ પ્રતિરોધક, હવામાન અને સિસ્મિક પ્રતિરોધક છે, જેને લીધે બહાર અને અંદર ઉપયોગ માટે ઉત્તમ કક્ષાની ઈંટ છે.

હાથથી બનાવવામાં આવતી ઈંટના વેન્ડરોને હવે સુપ્રીમ કોર્ટે બંધી કરી છે. વૈશ્વિક પર્યાવરણ અને પ્રદૂષણ માટે તે જરૂરી છે. ઈંટ બનાવવાની જૂની રીતમાં અનેક આરોગ્યનાં જોખમો છે, એમ બારુદગરે જણાવ્યું હતું. અમારી ભારતમાં રોબોટિક ઈંટો બનાવતી પ્રથમ ફેકટરી છે. દરેક ઈંટો સેંકડો ગુણવત્તા નિયંત્રણ પરીક્ષણો હેઠળ પસાર થાય છે, જેમ કે, શક્તિ, સખતપણાની પરીક્ષા, આકાર, કદ અને રંગનું પરીક્ષણ, મજબૂતીનું પરીક્ષણ, એમ બારુદગરે મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ પર ભાર આપતાં જણાવ્યું હતું.www.buildingbricksindia.com

દુબઇની ઇન્વેસ્ટમેન્ટ ઓફિસના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ અને CTEXએ સૌપ્રથમ બ્લોક ચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરી

 

ક્રિપ્ટો ટેક્સએ વિશ્વમા સૌપ્રથમ બ્લોકચેઇન-ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મની સ્થાપના કરવા  દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ  સાથે ભાગીદારી કરી

વિશ્વનું સૌપ્રથમ ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા પ્લેટફોર્મ લોન્ચ કરવા દુબઇના શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ CTEXમાં રોકાણ કરવાની ખાતરી આપી

સુરત: દુબઇની પ્રાયવેટ ઓફિસના માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમએ બ્લોકચેઇન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને વિશ્વના સૌપ્રથમ બ્લોકચેઇન આધારિત ડિસેન્ટ્રલાઇઝ્ડ ડેટા મેનેજમેન્ટ પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે ક્રિપ્ટો ટેક્સ (CTEX) ટોકન સાથે ભાગીદારી કરી છે.

CTEXએ ઉભરતા બજારોનો લાભ ઉઠાવવા અને વિશ્વની અન્ય તકોને ઝડપી લેવા માટે માનનીય શેખ હમદન બીન એહમદ અલ મક્તુમ દ્વારા સ્થાપવામં આવેલી પ્રાયવેટ ઓફિસ પાસેથી રોકાણની બાંયધરી પ્રાપ્ત કરી લીધી છે.

અદ્યતન ક્રિપ્ટોગ્રાફીક ટેકનોલોજીનો ઉપયોગ કરતા, CRYPTO TEXએ એવા ટ્રેડિંગ પ્લેટફોર્મની રચના કરી છે જ્યાં બાયર્સ અને સેલર્સ (ખરીદનાર અને વેચનાર) શાંતિથી વ્યવહારો કરી શકે છે. ડિજીટલ આર્બિટ્રેજ સિસ્ટમની શક્યતાઓ પરાંત આ એસેટ પ્લેટફોર્મ અનેક ઝડપી અને અત્યંત સ્વીકાર્ય પ્લેટફોર્મ્સમાંનું એક છે.

તમામ કંપનીના કર્મચારીઓની વ્યક્તિગત અને વ્યવસાયિક એસેટ્સને એક બ્લોકચેઇન ઇકોસિસ્ટમમાં એકીકૃત કરવાનો અંતિમ ધ્યેય છે. તે કંપનીને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને વિશ્વાસપાત્ર બનાવે છે. CRYPTO TEX વપરાશકર્તા-લક્ષી, સુરક્ષિત અને કાર્યક્ષમ બ્લોકચેન-આધારિત ક્રિપ્ટો સોલ્યુશન્સ ઓફર કરે છે.

“ક્રિપ્ટો ટેક્સે બ્લોકચેઇન સીટેક્સ સ્કેન લોન્ચ કર્યું છે, જે ડિસેન્ટ્રલાઇઝ્ડ અને સેન્ટ્રલાઇઝ્ડ (વિકેન્દ્રિત અને કેન્દ્રીયકૃત) ઉકેલો વચ્ચેના આંતર-જોડાણને ધીમે ધીમે અમલમાં મૂકીને આર્થિક અને ટેકનોલોજીકલ ચિંતાઓને ઉકેલે છે,” એમ CTEXના પ્રવક્તાએ જણાવ્યું હતું. “Ctex સ્કેન સોલ્યુશન ખર્ચ-અસરકારક અને સમજવા માટે સરળ છે, અને તે જોખમોને ટાળીને ડિજિટલ એસેટ માલિકોના વિશાળ અને વિસ્તરતા પૂલના લક્ષ્યાંકિત નિષ્ક્રિય લાભ ઉપાર્જનને પહોંચી વળવા સક્ષમ છે.” દરેક વ્યક્તિ, આર્થિક અથવા ટેકનોલોજીકલ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, ડિજિટલ એસેટ માર્કેટની ભાવિ પેઢીમાં ભાગ લઈ શકે છે.”

Ctex સ્કેન ઇનોવેશન સૌથી સુરક્ષિત, માપી શકાય તેવા અને ખર્ચ-અસરકારક બ્લોકચેઇન અને ક્રિપ્ટો પ્રોજેક્ટ્સનો ઉપયોગ કરીને એક અનન્ય ઇકોસિસ્ટમના નિર્માણમાંથી પ્રાપ્ત થાય છે. Ctex Scan એ બ્લોકચેન છે જે વ્યવહારની ગતિ અને સિક્યોરિટી, તેમજ નોંધપાત્ર સ્કેલેબિલીટી બંને આપીને બ્લોકચેઇન કોન્ડ્રમને ઉકેલી શકે છે.

વધુ વિગતો માટે:

તમે www.ctextoken.io પર અમારી મુલાકાત લઈ શકો છો અથવા અમને info@ctextoken.io પર ઇમેઇલ કરી શકો છો