નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર યોજાઈ ‘નિમાયા ગ્રેટ રન-2026’, હજારો મહિલાઓ ઉત્સાહથી જોડાઈ

 

ઇન્ડોર સ્ટેડિયમથી શરુ થયેલ દોડમાં 2500થી વધુ મહિલાઓએ ભાગ લઈ આરોગ્ય અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિનો સંદેશ આપ્યો

સુરતઃ નિમાયા વુમન્સ સેન્ટર ફોર હેલ્થ છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને ‘નિમાયા ગ્રેટ રન-2026’ની 9મી એડિશનમાં 2500 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર ડો. પૂજા નાડકર્ણી સિંહે જણાવ્યું હતું કે, નિમાયા મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતી નથી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે. આ ઉદેશ્ય ઉદ્દેશ્ય સાથે, દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ “નિમાયા ગ્રેટ રન” નું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 8 માર્ચ, રવિવારે સવારે 6 કલાકે નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમને સ્વયંસેવકોનો અવિરત સહયોગ મળ્યો હતો. આ રનમાં 2500 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો અને મહિલા સશક્તિકરણની સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

નિમાયા ગ્રેટ રનનું આયોજન પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને ડીસીપી ટ્રાફિક સાઇબર સેલ આઇપીએસ પન્ના મોમયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી.

સુરતમાંથી યુપીએસસીમાં સફળતા : ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવી

 

પ્રેસ કોન્ફરન્સમાં સફળ વિદ્યાર્થીઓએ તૈયારી અને અનુભવો કર્યા શેર

સુરત : સુરતમાં યુપીએસીની તૈયારી કરાવતી કોચિંગ સંસ્થા ‘બૂબનાઝ IAS’ના બે વિદ્યાર્થીઓએ સંઘ લોક સેવા આયોગ (UPSC)ની પરીક્ષામાં સફળતા મેળવી શહેરનું નામ રોશન કર્યું છે. આ ઉપલબ્ધિ નિમિત્તે સંસ્થા દ્વારા શુક્રવારે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફળ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાનો મીડિયાથી પરિચય કરાવવામાં આવ્યો હતો।

સંસ્થાના સંચાલક કૌશલ બૂબનાએ જણાવ્યું કે તેમની કોચિંગ છેલ્લા છ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને અહીં યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી સતત સુરતમાંથી વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવી રહ્યા છે અને આ વર્ષે પણ બે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી મહત્વપૂર્ણ રેન્ક પ્રાપ્ત કરી છે।

કૌશલ બૂબનાના જણાવ્યા અનુસાર સફળ વિદ્યાર્થીઓમાં ડૉ. કિશન રામે ઓલ ઇન્ડિયા 474મી રેન્ક મેળવી છે. તેમણે બીજે મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ કર્યા બાદ ફિઝિયોલોજીમાં એમડીની ડિગ્રી મેળવી છે. આ તેમનો યુપીએસસીનો પાંચમો પ્રયાસ હતો અને પહેલો ઇન્ટરવ્યુ હતો. રેન્કના આધારે તેમને આઇપીએસ સેવા મળવાની સંભાવના છે.

બીજા સફળ વિદ્યાર્થી તન્મય મૂળ પટના (બિહાર)ના રહેવાસી છે. તેમણે આઈઆઇટી ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. આ તેમનો છઠ્ઠો પ્રયાસ હતો અને તેમણે 229મી રેન્ક મેળવી છે. તેમને પણ આઇપીએસ સેવા મળવાની પૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।

કૌશલ બૂબનાએ જણાવ્યું કે સુરત શહેર માટે આ મોટી સિદ્ધિ છે, કારણ કે અગાઉ યુપીએસસી અને સુરતનો સંબંધ ખૂબ ઓછો જોવા મળતો હતો. એક શિક્ષક તરીકે જ્યારે તેમના વિદ્યાર્થીઓ સફળતા મેળવે છે ત્યારે તે તેમના માટે ગૌરવ અને આનંદની બાબત છે।

સફળ વિદ્યાર્થીઓએ પોતાની તૈયારી, સંઘર્ષ અને અનુભવ અંગે પણ માહિતી આપી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પોતાની મહેનત, માતા-પિતાનું સમર્થન અને કોચિંગમાં માર્ગદર્શન આપનાર શિક્ષકોના સહકાર વિના આ સફળતા શક્ય નહોતી.

શેલ્બી હોસ્પિટલમાં ઑન્કોલોજી વિભાગનું ઉદ્ઘાટન, મહિલા દિવસ નિમિત્તે બાઈક રેલીનું આયોજન

 

કેન્સર જાગૃતિ માટે ખાસ પહેલ, 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર વેક્સિન નિઃશુલ્ક અપાઈ

સુરત: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે સુરતના રાંદેર રોડ સ્થિત શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ નિખિલભાઈ મદ્રાસીની પ્રેરક ઉપસ્થિતી વચ્ચે હોસ્પિટલમાં નવા શરૂ થનારા ઑન્કોલોજી વિભાગ તથા આધુનિક રેડિયોથેરાપી સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરાયું હતું.

આ પ્રસંગે 9 થી 14 વર્ષની વયની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો નિઃશુલ્ક ઉપક્રમ પણ જાહેર કરાયો હતો. જે અંતર્ગત ભારતભરના તમામ શેલ્બી હોસ્પિટલની શાખાઓ ખાતે દીકરીઓને વિનામૂલ્ય સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવામાં આવી હતી, જેથી ભવિષ્યમાં મહિલાઓમાં થતા કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે.

આ કાર્યક્રમમાં શેલ્બી હોસ્પિટલ, સુરતના ચીફ એડમિનિસ્ટ્રેટિવ નિરવ શાહે કહ્યું હતું કે “હોસ્પિટલમાં નવી કૅન્સર અને રેડિયોથેરાપી સેવાઓની શરૂઆત સાથે હવે વિવિધ પ્રકારના કૅન્સરની સારવાર માટે સર્વાંગી સુવિધાઓ ઉપલબ્ધ બની છે. અમારી પાસે મેડિકલ, રેડિયેશન અને સર્જિકલ ઑન્કોલોજિસ્ટ ડૉક્ટરોની નિષ્ણાત ટીમ ઉપલબ્ધ છે, જેના કારણે દર્દીઓને કૅન્સર માટે જરૂરી તમામ પ્રકારની સારવાર એક જ સ્થળે મળી શકે છે. અદ્યતન સારવાર સુવિધાઓ, અનુભવી તબીબો અને સંકલિત અભિગમ દ્વારા દર્દીઓને સમયસર નિદાન અને અસરકારક સારવાર મળે તે માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.”

આ બાઈક રેલીનો મુખ્ય ઉદેશ્ય મહિલાઓમાં વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખી કેન્સર અંગે વહેલી તકે નિદાન અને નિવારણ વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો હતો. ત્યારે સવારે 09:30 કલાકે યોજાયેલી બાઈક રેલીનો પ્રારંભ શેલ્બી હોસ્પિટલથી થઇ તાડવાડી ચાર રસ્તા, અજમેર ચોક, ચોકસીવાડી, ગુજરાત ગેસ સર્કલ અને અડાજણ પાટિયા માર્ગેથી પસાર થઈ ફરી શેલ્બી હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી. રેલી પૂર્ણ થયા બાદ ભાગ લેનાર મહિલા બાઈકર્સ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જીગ્નેશ પાટીલ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલભાઈ મદ્રાસીએ નિર્ધારિત સ્થળેથી શેલ્બી હોસ્પિટલ સુધી એસ્કોર્ટ કરીને ડિયોથેરાપી વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું.

ટ્રિયોમ ક્લબ દ્વારા સુરતમાં ધૂળેટી પર અનોખો ‘મડફેસ્ટ’ યોજાયો, લોકોએ પ્રાકૃતિક માટી સાથે મનાવ્યો રંગોત્સવ

 

આભવા ચોકડી સ્થિત ટ્રિયોમ ક્લબ ખાતે યોજાયેલી ઇવેન્ટમાં દેશ-વિદેશથી હજારો લોકો જોડાયા મુંબઈની DJ રીના બારોટના મ્યુઝિક, રેન ડાન્સ અને એક્ટિવિટી ઝોનમાં લોકોએ કરી જોરદાર મસ્તી સુરત. ધૂળેટીના અવસરે સુરતમાં આયોજિત અનોખું ‘મડફેસ્ટ’ આ વર્ષે જોરદાર ઉત્સાહ અને ધામધૂમ સાથે પૂર્ણ થયું. આભવા ચોકડી સ્થિત ટ્રિયોમ ક્લબ ખાતે યોજાયેલી આ ખાસ ઇવેન્ટમાં સુરત સહિત દેશ-વિદેશથી હજારો લોકો જોડાયા અને ઓર્ગેનિક માટી સાથે રંગોત્સવની અનોખી મજા માણી. આ કાર્યક્રમનું આયોજન કલર્સ ઇવેન્ટ્સ એન્ડ એક્ટિવેશન દ્વારા ટ્રિયોમ ક્લબના સંચાલક સુરેશ ગોંડલિયાના સહયોગથી કરવામાં આવ્યું હતું. મડફેસ્ટના આયોજકો અર્નબ મોઇત્રા અને ક્રિશ વાધવાનીએ જણાવ્યું હતું કે આ ભારતની એવી અનોખી ઇવેન્ટ છે જેમાં પરંપરાગત ધૂળેટીને ઓર્ગેનિક રીતે ઉજવવામાં આવે છે. અહીં કેમિકલ કલર્સના બદલે મુલ્તાની માટી અને કુદરતી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી લોકો સુરક્ષિત રીતે તહેવારની મજા માણી શકે. સુરતમાં મડફેસ્ટનું આ છઠ્ઠું આયોજન રહ્યું. કોવિડ સમયગાળા દરમિયાન થોડા વર્ષોનું વિરામ આવ્યા બાદ આ ઇવેન્ટ ફરીથી કમબેક કરી છે અને આ વખતે મોટી સંખ્યામાં લોકો જોડાતા કાર્યક્રમ યાદગાર બન્યો. આયોજકોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરીથી મોટા અને કોમર્શિયલ ઇવેન્ટ્સ માટે લોકોનો ઉત્સાહ વધ્યો છે અને આવા આયોજનથી ટુરિઝમને પણ પ્રોત્સાહન મળશે. અર્નબ મોઇત્રાએ જણાવ્યું હતું કે જેમ સ્પેનમાં લોકો ‘ટોમેટિના’ રમવા જાય છે, તેમ ભવિષ્યમાં દુનિયાભરમાંથી લોકો ખાસ મડફેસ્ટ રમવા માટે સુરત આવશે.
ઇવેન્ટની ખાસિયત એ રહી કે આ ફેસ્ટમાં મુલ્તાની માટી અને કુદરતી માટી ઉપયોગમાં લેવામાં આવી હતી. જે ત્વચા માટે લાભદાયી હોવાથી તે નેચરલ ફેશિયલ જેવી અસર આપે છે અને સ્કિનમાં નેચરલ ગ્લો લાવે છે. કાર્યક્રમમાં મુંબઈની જાણીતી મહિલા ડીજે રીના બારોટના મ્યુઝિકે માહોલને વધુ જ મસ્તીભર્યો બનાવી દીધો. સાથે જ રેન ડાન્સ, મ્યુઝિક પાર્ટી અને વિવિધ એક્ટિવિટી ઝોનમાં યુવાનો તથા પરિવારો એ જોરદાર મજા કરી. મહિલાઓ માટે અલગ ચેન્જિંગ રૂમ, લોકર રૂમ તેમજ ફેમિલી માટે ખાસ એક્ટિવિટી ઝોનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જ્યાં બાળકો એ પણ આનંદ માણ્યો. આ વર્ષે ખાસ આકર્ષણ તરીકે ‘પ્રાઇવેટ પિટ્સ’ અને વીઆઇપી લાઉન્જની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જ્યાં પરિવારો પોતાની પ્રાઇવેટ જગ્યાએ અલગથી મડફેસ્ટનો આનંદ લઈ શક્યા. લગભગ 8થી 10 હજાર યાર્ડ જેટલા વિશાળ ગ્રાઉન્ડમાં યોજાયેલ આ ઇવેન્ટે સુરતમાં ધૂળેટીની ઉજવણીને એક નવી ઓળખ આપી.
BHIM પેમેન્ટ્સ એપમાં UPI સર્કલ સત્તાધિકૃત UPI પેમેન્ટ્સને વપરાશકર્તાઓ માટે સરળ અને સુરક્ષિત બનાવે છે.

 

સુરત: “આજના સમયમાં ઘર ચલાવવું ઘણીવાર માત્ર તમારી પોતાની પેમેન્ટ્સનું જ સંચાલન કરવાનો અર્થ નથી. તમે બાળકોના દૈનિક ખર્ચનું સંચાલન કરી રહ્યા હોઈ શકો છો, વૃદ્ધ માતા-પિતાને સપોર્ટ આપી રહ્યા હોઈ શકો છો, અથવા વિશ્વસનીય સ્ટાફને રુટીન ખરીદીઓ હેન્ડલ કરવા માટે સક્ષમ બનાવી રહ્યા હોઈ શકો છો. જ્યારે ડિજિટલ પેમેન્ટ્સને સરળ બનાવી દીધા છે, છતાં પણ ઘણા પરિવારોને પેમેન્ટ એક્સેસ વહેંચવાની વધુ સક્ષમ અને સંરચિત રીતની જરૂર છે, જેમાં નિયંત્રણ ગુમ ન થાય. તાજેતરમાં BHIM પેમેન્ટ્સ એપમાં UPI સર્કલ ફીચર રજૂ કર્યું છે, જે ચોક્કસ આ જ માટે ડિઝાઇન કરાયેલું છે. આ ફીચર મુખ્ય વપરાશકર્તાને વિશ્વસનીય લોકો સાથે નિયંત્રિત પેમેન્ટ એક્સેસ વહેંચવાની સુવિધા આપે છે, જેમાં સ્પષ્ટ મર્યાદાઓ, પૂર્ણ દ્રશ્યતા, અને સુરક્ષા તેમજ જવાબદારી અખંડિત રહે તેવી ખાતરી મળે છે.”

“UPI સર્કલ આ ખાધને નિયંત્રિત અને સુરક્ષિત ડેલિગેશન દ્વારા પૂરો કરે છે. આ મુખ્ય વપરાશકર્તાને માથી વપરાશકર્તાને પૂર્વ નિર્ધારિત મર્યાદાઓની અંદર અને પૂર્ણ દ્રશ્યતા સાથે મુખ્ય વપરાશકર્તાના બેંક ખાતામાંથી UPI પેમેન્ટ કરવા માટે સત્તાધિકૃત કરવાની મંજૂરી આપે છે. આ રીતે, ડિજિટલ પેમેન્ટ્સ સામાન્ય ઘરઆંગણે વહેંચીને વાપરવા વધુ પ્રાયોગિક બની જાય છે, અને UPI પિન, પાસવર્ડ અથવા ડિવાઇસ એક્સેસ વહેંચવાના અસુરક્ષિત પ્રથાને ટાળવામાં આવે છે.”

“UPI સર્કલ શું છે?

UPI સર્કલ એ એક ફીચર છે જે વપરાશકર્તાઓને UPI પ્લેટફોર્મ પર વિશ્વસનીય સર્કલ બનાવવાની અને પરિવારના સભ્યો અથવા અન્ય વિશ્વસનીય લોકો માટે પેમેન્ટ્સ સત્તાધિકૃત કરવાની સુવિધા આપે છે. મુખ્ય વપરાશકર્તા પાંચ સુધીના સેકન્ડરી વપરાશકર્તાઓ ઉમેરવા અને તેમને મુખ્ય વપરાશકર્તાના UPI જોડાયેલા બેંક ખાતામાંથી નિર્ધારિત મર્યાદાઓની અંદર ટ્રાન્ઝેક્શન કરવાની મંજૂરી આપી શકે છે. સેકન્ડરી વપરાશકર્તા પોતાના UPI ID પણ સર્કલ હેઠળ જનરેટ કરી શકે છે, જે તેમને મુખ્ય વપરાશકર્તા દ્વારા નક્કી કરેલી પરવાનગીઓની અંદર સ્વતંત્ર રીતે પેમેન્ટ કરવા સક્ષમ બનાવે છે.”

“UPI સર્કલ કેવી રીતે કાર્ય કરે છે?

UPI સર્કલ પેમેન્ટ્સ સોંપવાની સંરચિત રીત પ્રદાન કરે છે, જેમાં નિયંત્રણ ગુમ ન થાય. મુખ્ય વપરાશકર્તા સેકન્ડરી વપરાશકર્તાને મુખ્ય વપરાશકર્તાના બેંક ખાતાથી સીધા UPI પેમેન્ટ્સ કરવાની સત્તા આપી શકે છે. મુખ્ય વપરાશકર્તા મહિને ₹15,000 સુધી ખર્ચની મર્યાદા નક્કી કરી શકે છે અને સત્તાધિકરણની વેલિડિટી એક મહિના થી પાંચ વર્ષ સુધી નક્કી કરી શકે છે. સેકન્ડરી વપરાશકર્તા દ્વારા કરવામાં આવેલ દરેક ટ્રાન્ઝેક્શન મુખ્ય વપરાશકર્તાને દેખાય છે, જે પારદર્શિતા અને સ્પષ્ટ ઓડિટ ટ્રેલ બનાવે છે.”

“UPI સર્કલ કેટલું સુરક્ષિત છે?

UPI સર્કલને સુરક્ષા ખતરા વિના પેમેન્ટ સોંપવાની સુવિધા આપવા માટે ડિઝાઇન કરાયું છે. મુખ્ય વપરાશકર્તા સંપૂર્ણ નિયંત્રણ જાળવી શકે છે અને ટ્રાન્ઝેક્શન્સને ટ્રૅક કરી શકે છે, રેકોર્ડ્સની સમીક્ષા કરી શકે છે, પરવાનગીઓ ફેરવી શકે છે અને કોઈ પણ સમયે એક્સેસ અનલિંક કરી શકે છે. UPI પિન જેવા અનૌપચારિક કાર્યચલનોને બદલીને, UPI સર્કલ જોખમ ઘટાડવાનો અને રોજિંદી સુવિધા સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.”

“દૈનિક પરિસ્થિતિઓમાં UPI સર્કલ કેવી રીતે ફિટ થાય છે”

વૃદ્ધ નાગરિકો માટે: UPI સર્કલ વૃદ્ધોને નાના દૈનિક પેમેન્ટ્સ આત્મવિશ્વાસ સાથે કરવા સક્ષમ બનાવે છે, જ્યારે પરિવારના સભ્યો સલામતી અને સપોર્ટ માટે મર્યાદાઓ નક્કી કરી શકે છે અને ખર્ચની નજર રાખી શકે છે.

બાળકો અને વિદ્યાર્થીઓ માટે: માતા-પિતાઓ UPI સર્કલનો ઉપયોગ ટેનેજર્સ અને બાળકોને ડિજિટલ ખિસ્સાની રકમ આપવા માટે કરી શકે છે, સાથે સાથે દૈનિક અને શૈક્ષણિક જરૂરિયાતો માટે ખર્ચ નિયંત્રિત કરી શકે છે. પૂર્વ નક્કી કરેલી મર્યાદાઓ સાથે, પેમેન્ટ્સ યોજિત રીતે રહે છે અને વારંવાર ટ્રાન્સફર્સ કરવાની જરૂર નથી.

નાનાં વ્યાપારો માટે: દુકાન માલિકો અને નાના ઓપરેટર્સ સ્ટાફને ઈંધણ, ટોલ અથવા સ્થાનિક ખરીદીઓ માટે પેમેન્ટ્સ કરવાની સત્તા આપી શકે છે, સાથે સાથે ખર્ચનો સ્પષ્ટ રેકોર્ડ જાળવી શકે છે.

ડિજિટલ સુવિધાના વિવિધ સ્તર ધરાવતાં પરિવારો માટે: કામકાજ કરતા વ્યાવસાયિક એવા નિર્ભર પરિચિત લોકોની મદદ કરી શકે છે, જેમને એપ્સનું અનુભવ ઓછું છે, પણ બેંક વિગતો, UPI પિન અથવા ડિવાઇસ એક્સેસ વહેંચ્યા વગર.

સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ ભવ્ય રીતે યોજાયો

 

સરદાર સ્મૃતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પ્રતિભાએ સૌને મંત્રમુગ્ધ કર્યા સુરત : સનરાઇઝ વિદ્યાલયનો વાર્ષિક મહોત્સવ ‘અભિવ્યક્તિ ૨૦૨૬’ નું રવિવારના રોજ સરદાર સ્મૃતિ ભવન ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિ, સંસ્કાર અને આત્મવિશ્વાસનો અદભુત સંગમ કાર્યક્રમમાં જોવા મળ્યો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત વિશેષ હાજરી સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી, જે જ્ઞાન, ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે. વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર સંજયભાઈ બલદાનિયાએ મુખ્ય અતિથિનું પુષ્પગુચ્છ ભેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન નાનાં-મોટાં વિદ્યાર્થીઓએ મનમોહક નૃત્યો, પ્રભાવશાળી નાટિકાઓ, લોકનૃત્ય તેમજ દેશભક્તિભર્યા કાર્યક્રમોની રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓની પ્રતિભા, આત્મવિશ્વાસ અને મહેનતે હાજર રહેલા વાલીઓ તથા મહેમાનોને ભાવવિભોર કરી દીધા હતા. કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, પરિશ્રમ અને દૃઢ સંકલ્પનું મહત્વ સમજાવી સતત પ્રગતિના માર્ગે આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ વાર્ષિક મહોત્સવ પ્રતિભા, સંસ્કાર અને ઉત્તમતાનો સુંદર સંગમ બની સૌ માટે યાદગાર બની રહ્યો હતો.
ગુજરાતમાં વધતી વીજ માંગ ટ્રાન્સમિશનની જરૂરિયાતને આગળ લાવે છે

 

વિદ્વાનો કહે છે કે ઔદ્યોગિક વૃદ્ધિ અને નવીનીકરણીય ઊર્જા પ્રોત્સાહન સાથે ગ્રીડ વિસ્તરણ પણ સમાન ગતિએ આગળ વધવું જોઈએ

અમદાવાદ (ગુજરાત), 26 ફેબ્રુઆરી: આગામી દાયકામાં ગુજરાતમાં વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થવાનો છે. જાહેર ચર્ચાઓમાં સામાન્ય રીતે નવા વીજ ઉત્પાદન પ્લાન્ટો અને નવીનીકરણીય ઊર્જા પાર્ક પર ભાર મૂકવામાં આવે છે, પરંતુ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે અસલી કસોટી ટ્રાન્સમિશન વ્યવસ્થાની રહેશે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) માટે તૈયાર કરાયેલ સંસાધન પૂરતા આયોજન અનુસાર, રાજ્યની પીક વીજ માંગ 2023–24માં અંદાજે 20,964 મેગાવોટથી વધીને 2034–35 સુધીમાં 35,000 મેગાવોટથી વધુ થઈ શકે છે. આ જ સમયગાળામાં વાર્ષિક વીજ વપરાશ 240 બિલિયન યુનિટ (BU)ને વટાવી જશે, જે વર્તમાન સ્તરથી લગભગ બમણું છે.
આ વધારો ગુજરાતની ઔદ્યોગિક વૃદ્ધિ, વિસ્તરતા બંદરો અને લોજિસ્ટિક્સ નેટવર્ક, ઝડપી શહેરીકરણ અને દિવસ દરમિયાન વધતા વીજ વપરાશને કારણે થઈ રહ્યો છે. ઉદ્યોગો પહેલેથી જ રાજ્યના કુલ વીજ વપરાશનો લગભગ અડધો હિસ્સો ધરાવે છે અને ઉત્પાદન ક્લસ્ટર્સ, ડેટા સેન્ટરો તથા નિકાસ આધારિત ઉદ્યોગોના વિસ્તરણ સાથે આ હિસ્સો આગળ વધવાની શક્યતા છે.
વીજ ક્ષેત્રના આયોજનકારો કહે છે કે માત્ર ઉત્પાદન ક્ષમતાથી આવી વૃદ્ધિ ટકાવી શકાય તેવી નથી. ઊર્જા નિષ્ણાત સદ્દાફ આલમ કહે છે, “વીજળી પોતે જ આગળ નથી વધતી. મજબૂત ટ્રાન્સમિશન વિના વધારાની વીજળી પણ અટવાઈ જાય છે. ગુજરાત સોલાર અને પવન ઊર્જામાં મોટા પ્રમાણમાં વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ જો પૂર્વ તૈયારી સાથે ઇવેક્યુએશન અને આંતરરાજ્ય ટ્રાન્સમિશન કોરિડોર મજબૂત નહીં બનાવાય તો રાજ્યને કટોકટી, ગ્રીડ ભીડ અને અનાવશ્યક વિક્ષેપનો સામનો કરવો પડી શકે.”
ગુજરાત હાલમાં તેની ઊર્જા મિશ્રણમાં ઝડપી ફેરફારના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. 2034–35 સુધીમાં સોલાર અને પવન ઊર્જા મળીને રાજ્યની કરારબદ્ધ ક્ષમતાના લગભગ બે તૃતિયાંશ હિસ્સો ધરાવશે, જ્યારે કોલસાનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટશે. આ નવીનીકરણીય ક્ષમતાનો મોટો ભાગ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્દ્રિત છે, જે અમદાવાદ, સુરત, વડોદરા અને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક પટ્ટા જેવા મુખ્ય લોડ સેન્ટરોથી દૂર આવેલ છે.
આ ભૌગોલિક અસંગતતા ટ્રાન્સમિશન નેટવર્ક પર ભારે દબાણ ઊભું કરે છે. એક અન્ય નિષ્ણાતે કહ્યું, “ટ્રાન્સમિશન વિના નવીનીકરણીય ઊર્જા એ હાઇવે વગરના એક્સપ્રેસ કારખાનાં જેવી છે. તમે સસ્તામાં વીજળી ઉત્પન્ન કરી શકો, પરંતુ જરૂરિયાતના સ્થળે અને સમયે વિશ્વસનીય રીતે પહોંચાડી શકતા નથી. ઉદ્યોગ અને પરિવહન ક્ષેત્રમાં વધતી વિદ્યુતીકરણ સાથે ગ્રીડની મજબૂતી અનિવાર્ય બને છે. ટ્રાન્સમિશન આયોજન માંગ વધ્યા પછી નહીં, પરંતુ પાંચથી દસ વર્ષ અગાઉથી અનુમાન સાથે થવું જોઈએ.”
2034–35 સુધીમાં ગુજરાતને 10 ગિગાવોટથી વધુ બેટરી સ્ટોરેજ ક્ષમતાની જરૂર પડશે. તેમ છતાં, વીજળી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પહોંચાડવા, અન્ય રાજ્યો સાથે બેન્કિંગ સક્ષમ બનાવવા અને ખર્ચને સંતુલિત રાખવા માટે મજબૂત ગ્રીડ અનિવાર્ય રહેશે. ગુજરાત પોતાને ઔદ્યોગિક અને સ્વચ્છ ઊર્જા શક્તિ કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યું છે, ત્યારે આયોજનકારો અને નિષ્ણાતોનો સંદેશ સ્પષ્ટ છે—ટ્રાન્સમિશનને હાઇવે, બંદરો અને ઔદ્યોગિક કોરિડોર જેટલું જ વ્યૂહાત્મક માળખાકીય મહત્વ આપવામાં આવવું જોઈએ.
એક નિષ્ણાતે જણાવ્યું, “વીજ માંગ વધતી જ રહેશે. ઉત્પાદન સ્ત્રોતોમાં ફેરફાર થતો રહેશે. પરંતુ સમગ્ર પ્રણાલીને જોડીને રાખતી કડી ટ્રાન્સમિશન છે. જો ગુજરાત વિશ્વસનીય, સસ્તી અને સ્વચ્છ વીજળી ઈચ્છે છે, તો ટ્રાન્સમિશનમાં રોકાણ પાછળથી કરવાનું કામ બની શકે નહીં. ટ્રાન્સમિશન લાઇનો મજબૂત બનાવવી, સબસ્ટેશન અપગ્રેડ ઝડપથી કરવું, રાઇટ ઓફ વે (RoW) વિલંબ ઘટાડવા અને નવી ઉચ્ચ ક્ષમતા ધરાવતી કોરિડોર ઉભી કરવી એ જરૂરી પગલાં ગણાય છે.”

સુરતની કેસરિયા ટેકસટાઇલ કંપની દ્વારા બે નવા બ્રાન્ડ્સ લોન્ચ કરાયા

 

પુરુષો માટે ‘મેન્ઝારો’ અને બાળકો માટે ‘કિકીબૂ’, વેપારીઓને ફેક્ટરી રેટે ટ્રેન્ડી કલેકશન મળશે

સુરત (ગુજરાત), 24 ફેબ્રુઆરી: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં વિશ્વસનીય નામ તરીકે ઓળખાતી કેસરીયા ટેક્સટાઇલ કંપનીએ પોતાની હાજરીને વધુ મજબૂત કરતાં બે નવા એપેરલ બ્રાન્ડ્સ લોન્ચ કર્યા છે. પુરુષ વસ્ત્રો માટે ‘મેન્ઝારો’ અને બાળકોના વસ્ત્રો માટે ‘કિકીબૂ’ નામે રજૂ કરાયેલા આ બ્રાન્ડ્સ સાથે કંપનીએ નવા માર્કેટ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે.

શનિવારે યોજાયેલા ભવ્ય લોન્ચ કાર્યક્રમમાં શહેરના અગ્રણી ટેક્સટાઇલ વેપારીઓ, હોલસેલર્સ અને રિટેલર્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કંપનીના B2B, B2C તેમજ ફ્રેન્ચાઇઝ મોડલ મારફતે અત્યાર સુધીમાં એક લાખથી વધુ વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને વ્યવસાયિક સહારો મળ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

નવી શરૂઆત સાથે ‘મેન્ઝારો’ અને ‘કિકીબૂ’ બ્રાન્ડ હેઠળ નવીનતમ ફેશન ટ્રેન્ડ મુજબના કપડાં સીધા ફેક્ટરી રેટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કંપનીના મતે, આ વ્યવસ્થા કારણે રિટેલર્સ અને બિઝનેસ પાર્ટનર્સને વધુ નફો કમાવાની તક મળશે. લોન્ચ પ્રસંગે ગ્રાન્ડ ઓપનિંગ ઓફર્સની પણ જાહેરાત કરવામાં આવી હતી.

કંપનીના ફાઉન્ડર રિતેશ મોદીએ જણાવ્યું હતું કે, વેપારીઓ સાથે મળીને વિકાસ કરવો એ કંપનીની મૂળ વિચારધારા રહી છે. સીધી કિંમતો અને ગોઠવાયેલા બિઝનેસ મોડલના આધારે ઉદ્યોગસાહસિકોને વિસ્તરણ માટે સરળ અને ટકાઉ તક પૂરી પાડવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

કેસરીયા ટેક્સટાઇલ કંપની 0 ટકા રોયલ્ટી સાથેના ફ્રેન્ચાઇઝ મોડલ પર કાર્ય કરે છે. ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવા વ્યવસાયિક અવસર સર્જવા અને વેપારીઓને મજબૂત બનાવવા કંપની સતત પ્રયત્નશીલ હોવાનું પણ જણાવાયું છે.નવા બ્રાન્ડ્સ દોરીવાલા સ્ક્વેર ખાતે, સુરત રેલવે સ્ટેશન સામે ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે કેસરિયા ટેક્સટાઈલ કંપનીએ વર્ષોથી ભારતીય ટેક્સટાઈલ માર્કેટમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી છે. બ્રાન્ડ સાડી, કુર્તી, લહેંગા, સૂટ, નાઈટ વેર, કોઓર્ડ સેટ, મહિલા વસ્ત્રો, પુરુષ વસ્ત્રો અને બાળકોના વસ્ત્રો સહિત વિવિધ પ્રકારના પરિધાનની વિશાળ શ્રેણી ઓફર કરે છે. મજબૂત વિતરણ નેટવર્કના કારણે કંપનીના ઉત્પાદનો સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે અને તે વિશ્વના 80થી વધુ દેશોમાં નિકાસ પણ થાય છે.

કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપ દ્વારા ‘મોમેન્ટમ 6.0’નું ભવ્ય આયોજન

 

બે દિવસીય સ્પોર્ટ્સ ફેસ્ટમાં ટીમવર્ક, આરોગ્ય અને એકતાનો ઉત્સવ ઉજવાયો

સુરત : કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપ દ્વારા 13 અને 14 ફેબ્રુઆરી, 2026ના રોજ સુરત ખાતે છઠ્ઠું વાર્ષિક સ્પોર્ટ્સ ફેસ્ટ ‘મોમેન્ટમ 6.0’ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય આ કાર્યક્રમમાં સંસ્થાના વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહ, રમતિયાળ ભાવના અને સહકાર સાથે ભાગ લીધો હતો.

‘મોમેન્ટમ 6.0’ અંતર્ગત ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ જેવી રમતો ટુર્નામેન્ટ પદ્ધતિથી યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન સમારોહ અને ટીમ ફ્લેગ માર્ચથી કરવામાં આવી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો.

સાંજના સત્રોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, કર્મચારીઓનું સન્માન તથા કોન્સેપ્ટ ગોટ ટેલેન્ટ જેવા મનોરંજક કાર્યક્રમોએ ઉત્સવને વિશેષ આકર્ષક બનાવ્યો હતો. સમાપન સમારોહમાં વિજેતા ટીમો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ‘મોમેન્ટમ 6.0’ની ચેમ્પિયન ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે મોમેન્ટમ હવે માત્ર સ્પોર્ટ્સ ફેસ્ટ નથી રહ્યો, પરંતુ કર્મચારીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતો એક સંયુક્ત અનુભવ બની ગયો છે, જે ટીમવર્ક, નેતૃત્વ અને સંસ્થાના મૂલ્યોને વધુ દૃઢ બનાવે છે.

કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પાર્થ દોશીએ જણાવ્યું હતું કે મોમેન્ટમ ઊર્જા, એકતા અને વિશ્વાસનું પ્રતિક છે. આ બે દિવસ દરમિયાન કર્મચારીઓએ ગર્વ, જુસ્સા અને હેતુભાવના સાથે ભાગ લઈ સંસ્થાની સાચી ઓળખ રજૂ કરી હતી.

‘મોમેન્ટમ 6.0’ દ્વારા કોન્સેપ્ટ મેડિકલ ગ્રુપ કર્મચારી કેન્દ્રિત કાર્ય સંસ્કૃતિ, વિશ્વાસ, સમાવેશ અને લાગણીસભર જોડાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ સ્પષ્ટ કરે છે. સ્વયંસેવકો, માર્ગદર્શકો અને વિવિધ ટીમોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. સંસ્થા આવનારા સમયમાં પણ કર્મચારીઓના કલ્યાણ, સહકાર અને સામૂહિક સફળતા માટે આવા પ્રયાસો સતત ચાલુ રાખશે.

‘દિવ્યાંગોને ભેટ નહીં, મંચ આપવાની જરૂર’ – ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી

 

– લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ફેશન અને ટેલેન્ટ શોમાં દિવ્યાંગ પ્રતિભાઓનું ભવ્ય પ્રદર્શન

સુરત: શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજીગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન શો અને ટેલેન્ટ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દિવ્યાંગોમાં સામાન્ય વ્યક્તિઓ કરતા વિશેષ શક્તિ હોય છે અને તેઓ એટલે જ વિશેષ છે. તેમણે કહ્યું હતું કે દિવ્યાંગોને ભેટ આપવાની જરૂર નથી, પરંતુ તેમની અંદરની પ્રતિભા બહાર લાવવા માટે મંચ આપવાની જરૂર છે. આજના આયોજન બદલ આયોજકોની પ્રશંસા કરતા તેમણે તમામ દિવ્યાંગ પ્રતિભાઓની હિંમત અને કૌશલ્યને બિરદાવ્યા હતા.

કાર્યક્રમના આયોજક અને લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. દીપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં કુલ ૮૦ દિવ્યાંગ પ્રતિભાઓએ પ્રદર્શન કર્યું હતું, જેમાંથી ૨૪ પ્રતિભાઓ શહેર બહારથી આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરની વિશેષ અને માનસિક પડકાર ધરાવતી શાળાના બાળકોએ રેમ્પ પર ચાલીને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ પ્રતિભાઓએ આત્મવિશ્વાસ અને કળાથી ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા હતા. અંતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી દસ વિશેષ પ્રતિભાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિશ્વની સૌથી નાની દીકરી તરીકે ઓળખ ધરાવતી જ્યોતિ આમગેની ઉપસ્થિતિ ખાસ આકર્ષણ બની હતી. કારગિલ યુદ્ધમાં અંગ ગુમાવેલા વીર સૈનિકો, રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કલાકારો તથા રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલી દીકરી સહિત અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓ મંચ પર હાજર રહ્યા હતા.

ફેશન શોમાં શહેરની વિશેષ તથા માનસિક પડકાર ધરાવતી શાળાઓના અંદાજે પચાસથી સાઠ બાળકોએ ખાસ તૈયાર કરાયેલા વસ્ત્રોમાં મંચ પર ચાલીને તાળીઓનો વરસાદ વરસાવ્યો હતો. પ્રતિભા પ્રદર્શનમાં નાની બાળકીનું નૃત્ય, હાથ વગરની દીકરી દ્વારા મોઢા અને પગથી મહેંદી કળાનું અદભૂત પ્રદર્શન, પગથી ચિત્ર બનાવતો યુવાન તેમજ દિવ્યાંગ બોડીબિલ્ડરોના પ્રદર્શન જેવી અનોખી રજૂઆતો ચર્ચાનું કેન્દ્ર બની હતી. એક દિવ્યાંગ યુવાન દ્વારા મંચ પર ચડી તિરંગો લહેરાવવાની ક્ષણે સમગ્ર મેદાન દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી હાજર રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગ પ્રતિભાઓની હિંમત અને સંઘર્ષને બિરદાવતાં સમાજમાં સમાવેશ અને સમાન અવસરનો સંદેશ આપ્યો હતો. પોલીસ કમિશનર, ધારાસભ્યો, કોર્પોરેટરો, શહેરના ડોક્ટરો, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની કોરિયોગ્રાફીમાં મોહિત અગ્રવાલનું માર્ગદર્શન રહ્યું હતું, જ્યારે કોસ્યુમ ડિઝાઇનિંગમાં ફેશન સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આલ્યા ફેશન્સનો સહયોગ મળ્યો હતો. આયોજકોએ જણાવ્યું કે આ પહેલ માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ દિવ્યાંગ કલાકારોને ઓળખ, આત્મવિશ્વાસ અને રોજગારની નવી તકો આપતી અસરકારક પહેલ સાબિત થશે.