ITI Asset Management Company launched Large and Mid Cap Fund
આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપનીએ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યું

 

સુરત : આઇટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (આઇટીઆઇ એએમસી)એ આઇટીઆઇ લાર્જ એન્ડ મીડ કેપ ફંડ લોંચ કર્યાંની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ સ્કીમ ઇક્વિટી, ઇક્વિટી સંલગ્ન સિક્યુરિટીઝ એટલે કે મુખ્યત્વે ટોચની 250 કંપનીમાં રોકાણ કરશે. આ સ્કીમ સબસ્ક્રિપ્શન માટે 21 ઓગસ્ટ, 2024ના રોજ ખૂલીને 04 સપ્ટેમ્બર, 2024ના રોજ બંધ થશે.
આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનો ઉદ્દેશ્ય આ ડાયનેમિક સેક્ટરમાં સક્રિયપણે કાર્યરત કંપનીઓમા રોકાણ કરીને લાંબાગાળે મૂડી વૃદ્ધિ ઓફર કરવાનો છે, જેનાથી રોકાણકારો વૈવિધ્યકરણ અને મૂડીમાં વૃદ્ધિ પ્રાપ્ત થઇ શકશે.
આ ફંડને ઇક્વિટી ફંડ મેનેજર્સ વિશાલ જાજૂ અને રોહન કોરડે મેનેજ કરશે, જેઓ 13 વર્ષથી વધુ સમયથી આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ સાથે સંકળાયેલા છે તથા માર્કેટની ગાઢ સમજણ ધરાવે છે.
આ ફંડ રોકાણકારોને ભારતની વૃદ્ધિની સંભાવનાઓમાં રોકાણ કરવાની તક પ્રદાન કરશે, જે સ્ટ્રક્ચરલ, કલ્ચરલ અને ડિજિટલ ફેક્ટર્સ દ્વારા સંચાલિત છે. શહેરીકરણ અને આવકના સ્તરમાં વધારાને પરિણામે સંગઠિત માર્કેટ તરફ પરિવર્તનને કારણે વૃદ્ધિને વેગ મળી રહ્યો છે. નાના પરિવારો દ્વારા ખર્ચમાં વધારો થતાં સાંસ્કૃતિક પ્રભાવ જોવા મળી રહ્યો છે, જે ઉચ્ચ વપરાશમાં પરિણમ્યું છે.
આઇટીઆઇ એએમસીના ફંડ મેનેજર વિશાલ જાજૂએ જણાવ્યું હતું કે, વિશ્વમાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ સાધતી અર્થવ્યવસ્થા પૈકીની એક છે અને ટોચની કંપનીઓ દ્વારા ઓફર કરાતી કમાણીની તક માટે તે પ્રીમિયમ જાળવી રાખશે. ફંડ હાઉસ તરીકે અમે શેર પસંદ કરવામાં બોટમ અપ અભિગમને અનુસરીએ છીએ. આ સેક્ટરમાં ઘણી કંપનીઓ મજબૂત ઓર્ડર બુક ધરાવે છે તથા આગામી 2-3 વર્ષમાં સારી આવકની સંભાવના ધરાવે છે. તેનાથી આગામી સમયમાં આ કંપનીઓના રિટર્ન રેશિયોમાં નોંધપાત્ર સુધારાની સંભાવના છે.
આ સ્કીમ માટે લઘુત્તમ રૂ. 5,000ની અરજી કરવાની રહેશે તથા રોકાણકાર લઘુત્તમ રૂ. 500ની રકમ સાથે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા પણ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં કોઇપણ એન્ટ્રી લોડ ચાર્જીસ રહેશે નહીં તથા જો રોકાણકાર યુનિટની ફાળવણી તારીખથી ત્રણ મહિના પહેલાં યુનિટ રિડિમ કરે અથવા સ્વિચ આઉટ કરે તો 0.5 ટકા એક્ઝિટ લોડ રહેશે.

નેશનલ ઇમ્પેક્ટ ડે: સમાજને સક્ષમ નેતૃત્વ પૂરું પાડનાર અને દિર્ઘદ્રષ્ટા સ્નેહલ બ્રહ્મભટ્ટના સન્માનમાં

 

અમદાવાદ, ઓગસ્ટ 28: સમાજમાં સકારાત્મક ફેરફાર લાવવા માટે સ્નેહશિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સ્નેહલ ભ્રહ્મભટ્ટ સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. અને અત્યાર સુધી તેમના દ્વારા અગણિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે તેમના સન્માનમાં તેમના જન્મ દિન નિમિત્તે  27 ઓગસ્ટના દિવસને નેશનલ ઇમ્પેક્ટ ડે તરીકે દર વર્ષે ઉજવવામાં આવશે.

તેમણે સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા નશા મુક્તિની જાગૃતિ લાવવા માટે મેરેથોન જેવી પ્રવૃત્તિઓની આગવી પહેલ કરી છે. તેવી જ રીતે હેરિટેજ વૉક દ્વારા તેમણે આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસા અંગે જાગૃતિ ફેલાવી હતી. અને સ્ટાર્ટઅપ ફેસ્ટ દ્વારા નવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. આ સાથે જ ભોજન વિતરણ, જરૂરિયાતમંદોને શિક્ષણ, અને કુશળતા નિર્માણ જેવા મિશન દ્વારા ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. તેમની આ કામગીરીઅમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ગ્રુપ એવા શિલ્પ ગ્રુપના મુખ્ય ઓપરેટિંગ ઓફિસર તરીકેની ભૂમિકા સુધી વિસ્તરી છે.

નેશનલ ઇમ્પેક્ટ ડે ના અવસરે સમાજ સેવા પર ભાર મુકવામાં આવશે, જ્યાં નાગરિકોને સમાજમાં સ્વયંસેવક તરીકે સેવા આપવાનો અવસર મળશે તે સાથે જ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન જેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય આદાન-પ્રદાનના ક્ષેત્રમાં શિક્ષણ દ્વારા માર્ગદર્શન, સંસાધનોનું દાન, અને વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આરોગ્ય સેવા અને માનસિક સુખાકારીની દિશામાં આગળ કાર્ય કરવામાં આવશે તેમજ સ્ટાર્ટઅપ્સ, યુવા, અને કુશળતા સંબંધિત પ્રવૃત્તિઓ ઉપર પણ સક્રિયતાથી કાર્ય કરવામાં આવશે.

સ્નેહલબેનના નેતૃત્વ હેઠળ સ્નેહશિલ્પ ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા કાર્યોના કારણે અનેક સમગ્ર દેશમાં લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સમાજ માટે તેમના દ્વારા કરવામાં આવતા સકારાત્મક કાર્યોએ અનેક સંસ્થાઓ અને યુવાનોને પ્રેરિત કર્યા છે. ચાલો, આપણે સાથે મળીને એક સકારાત્મક પરિવર્તન લાવીએ અને તમામ માટે એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.

એરોન કમ્પોઝિટ લિમિટેડનો રૂ. 56.10 કરોડનો પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટે ખૂલશે

 

કંપની શેરદીઠ રૂ. 121-125ના પ્રાઇસ બેન્ડમાં રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 44.88 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે; શેર્સ એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરાશે

મુખ્ય બાબતોઃ44.88 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી સબસ્ક્રીપ્શન માટે ખૂલશેઅરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,000 શેર છે, લઘુતમ આઈપીઓ અરજીની રકમ રૂ. 1.25 લાખ છેઇશ્યૂ દ્વારા એકત્રિત કરાયેલ ભંડોળનો ઉપયોગ ગુજરાતના મહેસાણા ખાતે ઉત્પાદન એકમની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ પૂરું પાડવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશેનાણાંકીય વર્ષ 2023-24 (ફેબ્રુઆરી 2024 સુધી) માટે કંપનીએ રૂ. 179.1 કરોડની આવક અને રૂ. 9.42 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યોકંપની 30થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છેહેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.

અમદાવાદ, 26 ઓગસ્ટ 2024: ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ્ડ પોલિમર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલી અગ્રણી કંપની અમદાવાદ સ્થિત એરોન કમ્પોઝિટ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 56.10 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂનું લિસ્ટિંગ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટના રોજ સબસ્ક્રીપ્શન માટે ખૂલશે અને 30 ઓગસ્ટે બંધ થશે. પબ્લિક ઇશ્યૂની આવકમાંથી રૂ. 39 કરોડની રકમનો ઉપયોગ ગુજરાતના મહેસાણામાં મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.

રૂ. 56.10 કરોડના આઈપીઓમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 44.88 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 121-125ની પ્રાઇસ બેન્ડ ફિક્સ કર્યો છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,000 શેર છે જે શેર દીઠ રૂ. 125ના અપર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 1,25,000ના લઘુત્તમ રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ રોકાણકારોનો ક્વોટા નેટ ઓફરના લઘુતમ 35 ટકા, એચએનઆઈ ક્વોટા ઓફરના લઘુતમ 15 ટકા અને ક્યુઆઈબી ભાગ ઓફરના 50 ટકા રાખવામાં આવ્યો છે.

                                    Aeron Composite Ltd

Issue OpensIssue PriceIssue Closes
28 August, 2024Rs. 121-125 Per Equity Share30 August, 2024

વર્ષ 2011માં સ્થાપાયેલી એરોન કમ્પોઝિટ લિમિટેડ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટે તૈયાર કરેલા એફઆરપી પલ્ટ્રુડેડ પ્રોડક્ટ્સ, એફઆરપી મોલ્ડેડ ગ્રેટિંગ્સ અને એફઆરપી રોડ્સ સહિતની ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ પોલીમર પ્રોડક્ટ્સ એટલે કે એફઆરપી પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં સંકળાયેલી છે. એફઆરપી પ્રોડક્ટ એ કમ્પોઝિટ મટિરિયલ છે જે ફાઇબર ગ્લાસ, કાર્બન કે એરામિડ જેવા ફાઇબર્સ સાથે રિઇનફોર્સ્ડ કરેલા પોલિમર મેટ્રિક્સ (રેઝિન) ધરાવે છે. આ સંયોજન કાટ પ્રતિરોધક, રાસાયણિક પ્રતિરોધક, ખૂબ જ શક્તિશાળી, હળવા વજનના ગુણધર્મો, ઇલેક્ટ્રિકલ અને થર્મલ નોન-કન્ડક્ટિવિટી સહિતના લાભો આપે છે. કંપની વ્યાપક સોલ્યુશન્સ પ્રદાન કરે છે જેમ કે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન, પ્રોટોટાઇપ વિકસાવવા, પરીક્ષણ, ઉત્પાદન, લોજિસ્ટિક સપોર્ટ, ઇન્સ્ટોલેશન અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે.

ISO 9001:2015 દ્વારા પ્રમાણિત કંપનીનું ઉત્પાદન એકમ અમદાવાદના ચાંગોદર ખાતે સાકેત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું છે અને તે 26,320 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ઉત્પાદન એકમ એફઆરપી પલ્ટ્રુડેડ પ્રોડક્ટ્સ, એફઆરપી હેન્ડરેઇલ્સ, એફઆરપી કેબલ ટ્રે, એફઆરપી ફેન્સીંગ, એફઆરપી મોલ્ડેડ ગ્રેટીંગ્સ, એફઆરપી ક્રોસ આર્મ, એફઆરપી પોલ્સ, એફઆરપી રોડ્સ અને સોલર પેનલ્સ (એમએમએસ) માટે મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાય માટે પ્રમાણિત છે. કંપની 30થી વધુ દેશોમાં નિકાસ કરે છે.

Key Financial Performance:-

                                                                                                                                               Figures in Rs. Crore

z29 Feb 202431 Mar 202331 Mar 202231 Mar 2021
Revenue from Operations179.14179.38108.3378.82
EBITDA & Margin14.27 (7.97%)9.82 (5.48%)5.99 (5.53%)6.11 (7.75%)
Profit After Tax & Margin9.42 (5.26%)6.61 (3.69%)3.62 (3.34%)2.55 (3.24%)
Net Worth34.7825.3615.5712.08
Reserves and Surplus33.2123.7914.2710.78

કંપનીએ વર્ષોથી શ્રેષ્ઠ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ વર્ષોથી આવક અને નફાકારકતામાં અનેક ગણી વૃદ્ધિ જોઈ છે. નાણાંકીય વર્ષ 2023-24 માટે (ફેબ્રુઆરી, 2024 સુધી), કંપનીએ રૂ. 9.42 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 5.26 ટકા), એબિટા રૂ. 14.27 કરોડ (એબિટા માર્જિન 7.97 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.14 કરોડની આવક નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2022-23ના સંપૂર્ણ વર્ષ માટે, કંપનીએ રૂ. 6.61 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 3.69 ટકા), એબિટા રૂ. 9.82 કરોડ (એબિટા માર્જિન 5.48 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.38 કરોડની આવક નોંધાવી હતી.

ફેબ્રુઆરી 2024 સુધીમાં, કંપનીની નેટવર્થ રૂ. 34.78 કરોડ, રિઝર્વ અને સરપ્લસ રૂ. 33.21 કરોડ અને એસેટ બેઝ રૂ. 99.79 કરોડ નોંધવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2024 સુધીમાં, કંપનીનો આરઓઈ 31.33 ટકા, આરઓસીઈ 29.67 ટકા અને આરઓએનડબ્લ્યુ 27.09 ટકાએ હતો તથા ડેટ/ઇક્વિટી રેશિયો 0.35 ગણાના સ્વસ્થ સ્તરે હતો. પબ્લિક ઇશ્યૂ પછી કંપનીમાં પ્રમોટર ગ્રૂપનું શેરહોલ્ડિંગ 73.63 ટકા રહેશે. કંપનીના શેર એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.

IPO Highlights – Aeron Composite Ltd
IPO Opens on August 28, 2024
IPO Closes on August 30, 2024
Issue Price Rs. 121-125 Per Share
Issue Size44.88 lakh shares – up to Rs. 56.10 crore
Lot Size1000 Shares
Listing on NSE Emerge Platform of National Stock Exchange
સુરતમાં ભારે વરસાદની આગાહીને લઈ અમુક સ્કૂલો બંધ ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા વાલી વિદ્યાર્થીઓને ચેતવણી

 

જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફે તમામ શાસન અધિકારીઓને આદેશ..

માનનીય અગ્ર સચિવશ્રીની સૂચના અનુસાર આવતી કાલે રાજયની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવા સૂચના આપવામાં આવેલ હોવાથી.

સુરત શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તારીખ 27/08/2024 ના રોજ ફરજિયાત રજા જાહેર કરવામાં આવે છે.

પ્રતિ,
આચાર્યશ્રી,
માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તમામ, સુરત, જિલ્લો:- સુરત

સુરત શહેરમાં અને જિલ્લામાં વરસાદ પડવાથી અને તાપી નદીમાં પાણી વધવાને કારણે ખાડી વિસ્તારોમાં તેમજ જ્યાં પાણી ભરાવાથી રસ્તાઓ પર પાણી આવી ગયું હોય તેવા વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તેમજ તેવા વિસ્તારોની શાળાઓ માટે શાળાના આચાર્યશ્રીએ તા.27/08/2024 ના રોજ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શાળા ચાલુ રાખવા કે રજા રાખવા અંગેનો નિર્ણય કરવો.

કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીને શાળા પર આવવામાં કે જવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે બાબત ધ્યાને રાખી આચાર્યશ્રીએ નિર્ણય લેવો.

ડૉ. ભગીરથસિંહ પરમાર
જિલ્લા શિક્ષણાધિકારી, સુરત

શ્રી જયેશભાઈ પટેલ
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સુરત

Heavyrain Surat
સુરતમાં વરસાદની પરિસ્થિતિને લઈ 24 કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો

 

સુરત બ્રેકીંગ.

ઉકાઈ ડેમમાંથી 2 લાખ 47 હજાર ક્યુસેક પાણી છોડાયું.

મુખ્યમંત્રીએ મનપા કમિશ્નર પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવ્યો..

ઉકાઈ ડેમની ટિમ સાથે સુરત મનપા સાથે સતત સંપર્કમાં છે.

વરસાદ અને અન્ય તમામ પરિસ્થિતિ પર મનપા સતત મોનીટરીંગ રાખી રહી છે

લોકોને ભારે પવન અને વરસાદના કારણે નદી કિનારે, દરિયા કિનારે અને પાણી ભરાયુ હોય ત્યાં ન જવાની સૂચના અપાઈ

નીચાણવાળા વિસ્તારમાંથી લોકોની સ્થળાંતર કરાયું..

કતારગામના શબરી નગર, ડકક ઓવારા અને રેવા નગરમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું

ઉકાઈ ડેમ અને ભારે વરસાદના કારણે જે જે વિસ્તારને વધારે અસર ત્યાં અગાઉથીજ માર્કિંગ કરવામાં આવ્યુ છે

આ તમામ વિસ્તારમાં જો જરૂર પડશે તો એલર્ટ આપવામાં આવશે

Bus carrying passengers from Jalgaon in Maharashtra falls into river in Nepal, 27 dead
મહારાષ્ટ્રના જલગાંવથી મુસાફરોને લઈને જતી બસ નેપાળમાં નદીમાં પડી, 27ના મોત

 

આ કરૂણ અકસ્માતમાં મૃત્યુ પામનારમાં ભુસાવલના 17 મુસાફરો સામેલ હતા.

સુરત. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ભુસાવલ તાલુકામાંથી મુસાફરોને લઈને જતી બસ નેપાળની નદીમાં પડી હતી. આ દુર્ઘટનામાં 27 મુસાફરોના મોત થયા હતા. તે જ સમયે, 16 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. બસમાં 43થી વધુ મુસાફરો સવાર હતા.

બસ નેપાળના પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. ત્યારબાદ તનહુન જિલ્લાના આઈના પહાડામાં સવારે 11.30 વાગ્યે તે હાઈવેથી લગભગ 500 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મહારાષ્ટ્રના ભુસાવલના રહેવાસી હતા. બધા નેપાળ ફરવા ગયા હતા. તનાહુનના મુખ્ય જિલ્લા અધિકારી જનાર્દન ગૌતમે જણાવ્યું કે કેટલાક ઘાયલોનું સારવાર દરમિયાન મોત થયું છે.

નેપાળ પોલીસ, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ આર્મી શોધ અને બચાવ કામગીરી કરી રહી છે. 45 આર્મ્ડ પોલીસ ફોર્સ (APF) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. નેપાળ આર્મીનું MI-17 હેલિકોપ્ટર મેડિકલ ટીમને લઈને કાઠમંડુથી તનાહુન પહોંચ્યું હતું. ગંભીર રીતે ઘાયલ 16 મુસાફરોને એરલિફ્ટ કરીને કાઠમંડુ લઈ જવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ભુસાવલ તહસીલના વરણગાંવ અને પિંપલગાંવથી 104 પ્રવાસીઓ નેપાળની દસ દિવસની યાત્રા પર ગયા હતા. તેઓ રેલવે દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજ પહોંચ્યા. આ પછી અમે ખાનગી ટ્રાવેલ એજન્સીની ત્રણ બસમાં નેપાળ જવા નીકળ્યા. નેપાળના

બસ નેપાળ ના બે દિવસના પ્રવાસ બાદ કાઠમંડુ તરફ જઈ રહી હતી ત્યારે ત્રણમાંથી એક બસ નદીમાં પડી ગઈ હતી. તમને જણાવી દઈએ કે મૃતકોમાં 17 મુસાફરો ભુસાવલના હતા. હાલ તમામ મૃતદેહો નેપાળથી મહારાષ્ટ્ર લાવવાના પ્રયાસો ચાલુ છે. સમગ્ર ઘટના અંગે કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સતત નેપાળ સરકારના સંપર્કમાં છે.

AAP corporators led by opposition leader Payal Sakaria staged a protest before the Surat Municipal Corporation General Assembly.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પહેલા વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં ‘આપ’ કોર્પોરેટરોએ વિરોધ પ્રદર્શન કર્યું

 

મત માટે ડબલ એન્જીન, કામ માટે અલગ એન્જીન કેમ? : આમ આદમી પાર્ટી

જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં મોદીજીની સરકાર બચાવવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો, યોજનાઓને ગ્રાન્ટ – સહાય આપે છે અને સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે : ‘આપ’

આજરોજ સુરત મનપાની સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, શાસકો ડબલ એન્જીનની સરકારના નામે પ્રચાર તો કરે છે પરંતુ સુરત માટે ગ્રાન્ટ લાવવામાં શાસકો નિષ્ફળ નિવાડ્યા છે. એક જ પાર્ટીની શહેર, રાજ્ય અને કેન્દ્ર એમ ત્રણેય જગ્યાએ સરકાર હોવા છતાં સુરત શહેર ગ્રાન્ટ માટે તરસી રહ્યું છે. છેલ્લા છ થી આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજુર થઈ તેની ગ્રાન્ટ સુરત મનપાની ગ્રાન્ટ હજુ પડતર અવસ્થામાં પડેલી છે. છેલ્લા બે – ત્રણ કે ચાર વર્ષ પહેલાંની જેમાં સ્વર્ણિમ યોજના હોય, અમૃતમ યોજના હોય કે અન્ય કોઈ યોજનાઓ હોય., આ તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પૂરેપૂરી સુરત મહાનગરપાલિકા ને અલગ અલગ પ્રોજેક્ટો માટે મળવા પાત્ર છે તે ગ્રાન્ટ મળતી નથી. વિપક્ષ આમ આદમી પાર્ટી એ માંગ કરે છે કે સુરત શહેરની પડતર એ તમામ ગ્રાન્ટ સત્વારે પુરી કરવામાં આવે. આ જ સુરત શહેર માંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેને જીએસટી, કરવેરા અન્ય તમામ આવકો મળી ને લગભગ 25000 કરોડ થી વધુ રૂપિયા જાય છે અને એ જ સુરત શહેરને દર વર્ષે 3000 થી 3500 કરોડ ની ગ્રાન્ટ ની જરૂર હોય છે ત્યારે માંગવામાં આવતી ગ્રાન્ટ પણ સમયસર આપવામાં નથી આવતી. જેથી ડબલ એન્જીનની સરકારની વાતો કરતી ભાજપના તમામ પદાધિકારીઓ, સાંસદો, મંત્રીઓને આમ આદમી પાર્ટી નિવેદન કરે છે કે સુરતની જે ગ્રાન્ટ છે તે ગ્રાન્ટ પુરી પડાવવામાં આવે. આ તો ઉલ્ટા નું એક ની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં નરેન્દ્ર મોદીજીની સરકાર બચાવવા માટે 17-17 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટો, યોજનાઓને મંજૂરીઓ, ગ્રાન્ટ, સહાય આપી દે છે. આ સુરત શહેર ભાજપને વર્ષોથી દરેક જગ્યાએ સહયોગ કરતું આવ્યું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે. શું સુરત મહાનગરપાલિકાના શાસકો નમાલા અને કાયર છે તેમની સરકાર હોવા છતાં મુખ્યમંત્રીશ્રી કે પ્રધાનમંત્રીશ્રી કે કોઈ પણ મંત્રી ને ગ્રાન્ટ માટે રજુઆત સુદ્ધા પણ કરી શક્યા નથી? આજે સુરત ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે ત્યારે ફરી ફરી વાર વિનંતી છે કે સુરત શહેરને ગ્રાન્ટ પુરી પાડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરત મહાનગરપાલિકાના મહત્વના પ્રોજેકટ એવા નવું વહીવટી ભવન, સ્મીમેરમાં નવા એજ્યુકેશન બ્લોક, તાપી બેરેજની ગ્રાન્ટ આપવામાંથી સરકારે લેખિતમાં હાથ ખંખેરી નાખ્યા છે ત્યારે વિપક્ષે આજ રોજ સામાન્ય સભા પહેલા “મત માટે ડબલ એન્જીન, કામ માટે અલગ એન્જીન કેમ?”, “ગ્રાન્ટ ન મળવાના કારણે પ્રોજેક્ટોના ખર્ચ વધશે તેના માટે જવાબદાર કોણ?”, “ડબલ એન્જીન સરકાર માં એક એન્જીન કેમ ખોરંભે ચડાવવું પડ્યું?” જેવા પ્લેકાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

After the killing of a youth in Limbayat, the enraged mob demolished the compound wall built around the land...
લિંબાયતમાં યુવકની હત્યા બાદ રોષે ભરાયેલા લોકટોળાએ જમીન ફરતે બનાવેલી કમ્પાઉન્ડ વોલ તોડી પાડી…

 

રક્ષાબંધનના દિવસે જ ચાકુ મારી યુવકની કરાઈ હતી હત્યા

હત્યાના વિરોધમાં પરિજનો અને લોક ટોળાએ લીંબાયત પોલીસ સ્ટેશનનો કર્યો હતો ઘેરાવો..

પોલીસે બળ પ્રયોગ કરી લોકોને વિખેર્યા હતા

ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો

પૈસાની લેતી દેતી મામલે થયો હતો ઝઘડો

લિંબાયતના નીલગીરી રેલ્વે ફાટક પાસે રક્ષાબંધનના દિવસે થયેલી યુવકની કરપીણ હત્યા બાદ લોકોમાં ભારે ભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાત્રે સ્થાનિક લોકો દ્વારા જે જગ્યાએ યુવકની હત્યા થઈ હતી તે જગ્યા ની ફરતે બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલને તોડી પાડવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ પડતર જગ્યામાં છેલ્લા ઘણા સમયથી દારૂ જુગારના અડ્ડા ઓ સહિતની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલે છે, ત્યારે કમ્પાઉન્ડ વોલની અંદર ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે લોકો દ્વારા કમ્પાઉન્ડ વોલ ને જ ધરાશાયી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રક્ષાબંધનના દિવસે રોહન પાટીલ નામના 19 વર્ષીય યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા લિંબાયત પોલીસ મથકનો ઘેરાવ કરી પોલીસ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ લિંબાયત પોલીસ દ્વારા બુટેલગરોને છાવરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવતા લિંબાયત પોલીસની ભૂમિકા સામે સવાલ ઉભા થયા છે.

To merge Kamrej into the Surat Municipal Corporation, T.P. Under the leadership of opposition leader J.D. Kathiria, the application was given to the collector
કામરેજને સુરત મહાનગરપાલિકામાં ભેળવવા માટે તા.પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન અપાયું

 

કામરેજ તા.પં.વિપક્ષ નેતા જે.ડી. કથીરિયાની આગેવાનીમાં આજરોજ કામરેજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહીત મોટી સંખ્યામાં રહીશોએ આજે અઠવાલાઈન્સ સ્થિત સુરત કલેક્ટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. આ મુદ્દે તા. પં. વિપક્ષ નેતા જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, અમે કામરેજના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરીએ છીએ. છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતની વસ્તી 3 લાખથી વધુ થઈ ગઈ છે, પરંતુ તે પ્રમાણે નગર આયોજન કરવામાં આવેલ નથી. જેનાથી સમગ્ર કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં નીચે મુજબની ખૂબ મોટી સમસ્યાઓ ઉભી થયેલ છે.

જે.ડી.કથીરિયાએ સમસ્યાઓ જણાવતા કહ્યું કે, રોડ રસ્તાની સમસ્યા પુષ્કળ માત્રા માં છે. મોટે ભાગના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. શાસકોને અવાર નવાર જાણ કરવાં છતાં તેમના પેટનું પાણી હાલતું નથી. ગ્રામ પંચાયત હસ્તકના ઘણા બધા રસ્તાઓ ઉપર દબાણ કરવાથી કેટલાક રસ્તાઓ આંશિક તો કેટલાક સંપૂર્ણ રીતે બંધ થયેલ છે. આ ઉપરાંત આર એન્ડ બી હસ્તકના તમામ મુખ્ય માર્ગો ચાલવા યોગ્ય નથી અને વાહન ચલાવી શકાય તેવી પરિસ્થિતિમાં તો જરા પણ નથી. આ તમામ સમસ્યાઓ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ ના અભાવના કારણે રાત્રિના સમયે સામાન્ય રાહદારીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને રોજે અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

પીવાના પાણી અને ગટરની સમસ્યા બાબતે જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું કે, કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં તમામ સોસાયટીઓમાં બોરવેલ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ પાણી ક્ષારયુક્ત તેમજ ખરાબ ક્વોલિટી નું હોવાથી લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ રહેલ છે. ગટર વ્યવસ્થા માટે કામરેજ ગ્રામ પંચાયત અને સુડા દ્વારા ભૂતકાળમાં વસ્તીને ધ્યાનમાં લીધા વગર આડેધડ રીતે ગટર લાઈનો નાખવાથી ખૂબ ખરાબ હાલત સમગ્ર કામરેજ વિસ્તારની થઈ રહી છે.
તમામ મુખ્ય માર્ગો પર ગટર ઉભરાવાથી તેમજ મોટાભાગની સોસાયટીઓની અંદર ગટરના પાણીના ભરાવાના કારણે ગંદકી ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે, જે વિસ્તાર માટે જોખમી બની શકે છે.

જે.ડી.કથીરિયાએ રખડતા ઢોર અને ગંદકીની સમસ્યાઓ બાબતે ખૂબ જ આકરા સ્વરે જણાવ્યું હતું કે, કામરેજ વિસ્તાર ના તમામ મુખ્ય માર્ગો જાહેર તબેલાઓ હોય તે રીતે સમગ્ર વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવી 24 કલાક બેસી રહે છે. આ ઉપરાંત કોઈપણ સમયે જાહેર રોડ ઉપર રખડતા ઢોર ની ફાઈટ શરૂ થઈ જવાથી વાહન ચાલકો સાથે અકસ્માતની ઘટનાઓ બને છે અને ઘણી ઘટનાઓમાં જીવ ગુમાવવાનો પણ બનાવ બનેલ છે.
આ રખડતા ઢોરને દૂર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતને અસંખ્ય રજૂઆતો કરવા છતાં એક પણ વખત યોગ્ય કામગીરી કરી રખડતા ઢોર પકડવામાં આવેલ નથી.

આ ઉપરાંત કામરેજ ગ્રામ પંચાયત દ્વારા તમામ સોસાયટીઓમાં કચરાના ટ્રેક્ટર નિયમિત રીતે આવતા નથી જેથી જાહેર માર્ગો પર કચરાના ઢગલાઓ થતા સમગ્ર વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહેલ છે અને આ કચરાની આજુબાજુમાં રખડતા ઢોર અડિંગો જમાવી બેસી રહે છે જે ખૂબ મોટી સમસ્યા છે.

જે.ડી.કથીરિયાએ વધુમાં સમસ્યાઓ જણાવતા કીધું કે, કામરેજ ગ્રામ પંચાયત અને સુડા વચ્ચે સંકલન નો અભાવ તેમજ તમામ અધિકારીઓને નિષ્ક્રિયતાને લીધે સમગ્ર વિસ્તારમાં તમામ મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર બાંધકામ દબાણ તેમજ કામરેજ ચાર રસ્તા અને બાપા સીતારામ ચોકડી પર ગેરકાયદેસર શાકમાર્કેટ , ફ્રુટ માર્કેટ ના લીધે આ રસ્તાઓ સંપૂર્ણ રીતે બ્લોક થયેલ છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત હસ્તકના જુના રસ્તા એક પણ ખુલ્લા નથી જેથી આ તમામ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.

કામરેજમાં ટી.પી.સ્કીમ નો અભાવ છે. કામરેજ ગ્રામ પંચાયત વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદને અડીને આવેલો વિસ્તાર હોવા છતાં નવાગામ અને ખોલવડ ની જેમ ટીપી સ્કીમ નો અમલ કામરેજ વિસ્તારમાં કરવામાં આવેલ ન હોવાથી વસ્તીના પ્રમાણમાં રોડ રસ્તાઓ ખુલ્લા થયેલ નથી. આ ઉપરાંત વિસ્તારમાં શાકમાર્કેટ, આંગણવાડી, હેલ્થ સેન્ટર ,શાળા, બાગ બગીચાઓ, જાહેર વાંચનાલય, જાહેર સૌચાલય વગેરેનો સંપૂર્ણ અભાવ છે. જેનાથી આ સંપૂર્ણ વિસ્તાર ભારત દેશની બહારનો કોઈ જંગલ પ્રદેશ હોય તેવું વાતાવરણ નિર્માણ પામેલ છે ,જેથી આ વિસ્તારની અંદર તાત્કાલિક ટીપી સ્કીમ નો અમલ કરવામાં આવે તેવી વિનંતી છે.

અંતમાં જેડી. કથીરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં કામરેજ ગ્રામ પંચાયતના વિસ્તાર માં ખૂબ વધારો થયેલ છે તેમ જ વસ્તી 3 લાખ જેટલી થઈ ગયેલ છે પરંતુ ગ્રામ પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ અને તલાટીની અણઆવડત અને નિષ્ક્રિયતાનો ભોગ સામાન્ય લોકો બની રહ્યા છે.
છેલ્લા દસ વર્ષમાં પ્રાથમિક સુવિધાઓ માટેની અસંખ્ય રજૂઆતો કરવા છતાં એક પણ સમસ્યાનું યોગ્ય નિરાકરણ અને કાયમી ઉકેલ લાવવામાં ગ્રામ પંચાયત તદ્દન નિષ્ફળ ગયેલ છે, જેથી તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતને બરખાસ્ત કરી આ વિસ્તારને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.

તેમજ તમામ ઓથોરિટી વચ્ચે સંકલન નો અભાવ હોવાનું પણ જે.ડી.કથીરિયાએ જણાવ્યું હતું. કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં સુડા ,સિંચાઈ વિભાગ, આરએન્ડબી, નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ એસએમસી દ્વારા વિવિધ પ્રોજેક્ટ અમલમાં છે. પરંતુ આ તમામ ઓથોરિટી નો એકબીજા સાથે સંકલન નો અભાવ હોવાથી કામરેજ ચાર રસ્તા ની આજુબાજુમાં એક પણ સર્વિસ રોડ ખુલ્લો નથી, કામરેજ ચાર રસ્તા થી દાદા ભગવાન મંદિર તરફ જવા માટે તેમજ કામરેજ ચાર રસ્તા થી પેસિફિક હોટલ તરફ જવા માટે લોકોને ફરજિયાત મેઈન રોડ પર રોંગ સાઈડમાં જીવના જોખમ એ જવું પડે છે. આ ઉપરાંત તમામ ઓથોરિટી દ્વારા પોતાની જવાબદારી બીજા વિભાગ પર ઢોળવાના કારણે છેલ્લે સમસ્યાનો ભોગ કામરેજ વિસ્તારના નાગરિકોને બનવાનું આવી રહ્યું છે. જેથી આ તમામને દૂર કરી અને તમામ વહીવટ સુરત મહાનગરપાલિકા હસ્તક કરવામાં આવે, જેથી વિસ્તારને યોગ્ય ન્યાય મળી રહે તેમ જ મોટાભાગની સમસ્યાઓનો કાયમી નિકાલ થઈ શકે તેમ છે.

છેલ્લા દસ વર્ષમાં કામરેજ વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવા માટે સોસાયટીના અગ્રણીઓ, વિસ્તારના જાગૃત નાગરિકો તેમજ વિવિધ સમિતિઓ દ્વારા વારંવાર તમામ કક્ષાએ તેમજ સરપંચ થી લઇ સંસદ સુધીના તમામ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને રજૂઆતો કરવા છતાં એક પણ અધિકારી કે ચૂંટાયેલા જન પ્રતિનિધિએ આ વિસ્તારની સમસ્યાને ધ્યાને લીધું નથી જેથી આ સમગ્ર વિસ્તાર ખૂબ ગંભીર કક્ષાની પરિસ્થિતિ માં પહોંચી ગયેલ છે અને લોકો માનસિક રીતે થાકી ગયા છે.

કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ બાબતે જેડીકથીરિયાએ વાત આગળ જણાવી હતી કે, સમગ્ર વિસ્તાર ની વસ્તીમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થવા છતાં જાહેર પરિવહનની કોઈ વ્યવસ્થા ન હોવાથી આડેધડ પાર્કિંગ, માથાભારે અસામાજિક તત્વોના અડ્ડાઓ, કાયદા અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ ના કારણે સામાન્ય નાગરિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે

આ તમામ સમસ્યાઓના ઉકેલ માટે તેમજ સમગ્ર વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ નો લાભ મળે તે માટે કલેક્ટર શ્રી સમક્ષ મુખ્ય અને એકમાત્ર માંગણી એવી કરી કે આ વિસ્તારને સુરત મહાનગરપાલિકામાં તાત્કાલિક અસરથી ભેળવવામાં આવે તેમ જ આ વિસ્તારની ટીપી સ્કીમો ખોલી અને સમગ્ર વિસ્તારને સમસ્યાઓથી મુક્ત કરવામાં આવે.
જે.ડી.કથીરિયાએ કલેક્ટરશ્રી ને કહ્યું હતું કે, અમારા વતી આપશ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂઆત કરશો તેવી સમગ્ર વિસ્તારના તમામ નાગરિકોની અપીલ હતી.

Abhimanyu Yadav's claim from Kausali is the strongest
कौसली से अभिमन्यु यादव की दावेदारी सबसे मजबूत

 

दक्षिणी हरियाणा की सियासी हवा लगातार बदलती जा रही है, टिकट के लिए भी तमाम नेता लगे हुए है, लेकिन कोसली विधानसभा का मिजाज थोड़ा अलग है, जिस कार्यशैली के साथ अभिमन्यु यादव ने सरकार की योजनाओं को जन-जन तक पहुंचाया है , उससे भाजपा कार्यकर्ताओं में अलग ही जोश दिखाई दे रहा है

अभिमन्यु यादव ( पूर्व सीएम ओ.एस.डी ) के मैदान में उतरने के बाद पूरा माहौल ही बदल गया है, अभिमन्यु यादव वैसे तो पूरे अहीरवाल को ही अपना घर मानते हैं, लेकिन कोसली से वह बहुत नजदीक है, कोसली विधानसभा के प्रत्येक गांव और घर से वह परिचित हैं, इसी का कमाल है कि वह कोसली के सियासी समीकरण को नजदीक से समझते हैं, तभी तो अभिमन्यु यादव ने कोसली क्षेत्र में पूरी बीजेपी को एकजुट कर दिया, और अब कोसली विधानसभा बीजेपी की सुरक्षित सीट भी बन गई है, और यह सब अभिमन्यु यादव के जनता के साथ स्नेह का परिणाम है, कोसली विधानसभा में लोगों से उनका जुड़ाव ही उन्हें एक मजबूत नेता बन रहा है, भले ही भाजपा ने अभी टिकट डिक्लेअर नहीं किया है, लेकिन कोसली का माहौल देखकर लगता है कि अभिमन्यु यादव ही भाजपा के उम्मीदवार है, उनकी ग्राम सभा में आ रही अपार भीड़ ही अभिमन्यु यादव की ताकत भी है, पूरे कोसली विधानसभा क्षेत्र में अब सिर्फ अभिमन्यु यादव ही प्रबल दावेदार नजर आ रहे है