Aam Aadmi Party corporators led by opposition leader Payal Sakaria presented a petition to Mayor Dakshesh Mavani:
વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ મેયર દક્ષેશ માવાણીને આવેદન અપાયું:

 

Surat Sachin Paligam News: સચિન પાલીગામ ખાતે ગેરકાયદેસર ઇમારત ધરાશાયી થવાની દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ તથા રાજકીય ભલામણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરો: વિપક્ષ આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી, સુરતના કોર્પોરેટરોએ વિપક્ષ નેતા પાયલ સાકરીયાની આગેવાનીમાં મેયર દક્ષેશ માવાણીને આવેદન આપીને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી, સચિન પાલીગામ ખાતે વર્ષ-ર૦૧૭ માં નિર્માણ પામેલ છ માળની ગેરકાયદેસર ઇમારત પત્તાના મહેલની જેમ જોત જોતમાં ધરાશાયી થઇ જતા તેમાં નિર્દોષ વ્યકતિઓના મૃત્યુની અત્યંત દુઃખદ ઘટના બનેલ છે.

વિપક્ષે વધુમાં જણાવ્યું કે, ઉકત દુર્ઘટનાએ વહીવટીતંત્રના શહેરી વિકાસ વિભાગ સહિત અન્ય જવાબદાર વિભાગોમાં ગેરકાયદેસરની મિલકતોના બાંધકામ અને વસવાટ પરવાનગીના નીતિ નિયમો કોરાણે મુકીને મોતના જોખમી ટાવરો ઉભા કરવાની આર્થિક વહીવટ કરીને આપવામાં આવતી ખુલ્લી છુટનું પરિણામ છે.

પાયલ સાકરીયાએ ઉમેરતા કહ્યું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં માત્ર બિલ્ડીંગના માલિકો સામે કાર્યવાહી કરીને સંતોષ માની લેવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ તથા નિર્દોષ નાગરિકોના મૃત્યુની કમનસીબ બનાવો બંધ થવાના નથી. તે માટે જરૂરી છે આ પ્રકારના ગેરકાયદેસરના બાંધકામોને છાવરનારા તથા સંરક્ષણ આપનારા શાસકો/રાજકીય નેતાઓ અને શહેરી વિકાસ વિભાગ, વેરા વસુલાત વધારવા ગેરકાયદેસર મિલકતોને આકારણી દફતરે ચઢાવનાર આકારણી વિભાગ, ગેરકાયદેસરના બાંધકામને પાણી અને ગટર કનેકશન આપતા વિભાગો, પાલિકાનો નિસ્તેજ અને નિરર્થક બની ગયેલ વીજીલન્સ વિભાગ એટલે કે, વહીવટીતંત્રની આર્થિક લાભો મેળવીને ગેરકાયદેસરની મિલકતોને સંરક્ષણ આપ્યા બાદ તેના સંવર્ધનના ભાગરૂપે વેરા, પાણી, ગટર, લાઇટ જેવી સુવિધાઓ પુરી પાડવાની બેધારી નીતિ.

આમ આદમી પાર્ટીના સૌ કોર્પોરેટરોએ એકસૂરમાં જણાવ્યું હતું કે, સચીન પાલીગામ દુર્ઘટનામાં જે પ્રકારની બિલ્ડીંગ અને ગેરકાયદેસર બાંધકામો છે તેવા બિલ્ડીંગોનો સમગ્ર શહેરમાં રાફડો ફાટી નીકળેલ છે અને આ પ્રકારના ગેરકાયદેસરના અને હેતુ વિરુઘ્ધના બાંધકામો અંગે સ્થાનિકોની ફરિયાદોને ઝોનકક્ષાએ કોઇ દાદ મળતી નથી તેમજ અરજદારો મુખ્ય કચેરી સહિત વીજીલન્સ વિભાગ તથા પદાધિકારીશ્રીઓ સામે ફરિયાદ આવતા માત્ર દેખાડા પુરતી કાર્યવાહી થતી હોય છે કારણ કે, ગેરકાયદેસરના બાંધકામોએ શહેરી વિકાસ અને જે તે ઝોનના કાળી કમાણીના મુખ્ય સ્ત્રોત બની ગયેલ છે પરિણામે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ થશે નહી એવી કોઇ ખાતરી મને દેખાતી નથી.
આપશ્રીને વધુમાં જણાવવાનું કે, દર વર્ષે રાજય તથા પાલિકા સ્તરે પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત ગેરકાયદેસરની અને જોખમી મિલકતો અંગે મીટીંગો થાય છે પરંતુ જમીની સ્તરે તેનો કોઇ અમલ તથા સુપરવિઝન થતું હોય તેમ જણાતું નથી કારણ કે, ઉકત સચીન પાલી ખાતે આવેલ બિલ્ડીંગને પણ નોટિસ આપેલ હોવાની વાત પાલિકા ઘ્વારા કરવામાં આવી રહેલ છે તો કયા કારણોસર અત્યંત જોખમી હોવા છતાં બિલ્ડીંગને સીલ મારવામાં આવેલ નથી ? આમ, વહીવટીતંત્ર ઘ્વારા નોટિસો આપ્યાનો દેખાડો કરીને પ્રિમોન્સુનની કામગીરી કાગળ પર પુર્ણ કરી સંતોષ માની લેવાની અખત્યાર કરેલ નીતિ એ આ નિર્દોષ નાગરિકોના મૃત્યુની દુર્ઘટના માટેનું એક કારણ નથી.

વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ આગળ જણાવતા કહ્યું કે, સમગ્ર સુરત શહેર સહિત ઉકત સચીન પાલીગામ વિસ્તારમાં આવી અસંખ્ય રહેણાંક બિલ્ડીંગો, હેતુ અને મંજુર પ્લાન વિરુઘ્ધની ગેરકાયદેસરની કોટેજ ઇન્ડસ્ટ્રીઝ બિલ્ડરોએ વહીવટીતંત્ર અને રાજકીય આગેવાનોના મેળાપીપણામાં મંજુર પ્લાન વિરુઘ્ધ બેરોકટોક ગેરકાયદેસરના બાંધકામ કર્યા તથા ગરીબો, અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકોને તેનું વેચાણ/ભાડેથી ફાળવેલ છે અને અશિક્ષિત અને કાયદાથી અજાણ લોકો તથા મજુરવર્ગને તો એમ હોય છે કે પાલિકાએ કોઇ કાર્યવાહી કરેલ નથી એટલે નિયમોનુસાર બાંધકામ હશે.
આમ, હવે આ સચીન પાલી દુર્ઘટનાને કારણે સરકાર, પાલિકા અને શાસકો પર વિશ્વાસ કરીને બિલ્ડરો / ઓર્ગેનાઇઝર પાસે પોતાની મહામુલી મુડી અને ગામની જમીનો વેચી રહેણાંક ફલેટની ખરીદી કરતા / વસવાટ કરતા ગરીબ અને મજુર વર્ગના લોકો વહીવટીતંત્રની બેઇમાનીનો ભોગ બનશે. જે ચલાવી શકાય એમ નથી.

પાયલ સાકરીયાએ મેયર શ્રીને જણાવ્યું કે, હું આપશ્રી સમક્ષ આ આવેદનપત્ર થકી માંગણી સહ રજુઆત કરૂ છું કે, ઉકત હ્ય્દય કંપાવનારા દુર્ઘટનામાં કમનસીબે મૃત્યુ પામનારાઓ અને તેમના આશ્રિતોને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઇમારતોનું નિર્માણ અટકે તથા પાલિકા તથા તાલુકા હસ્તકના તલાટી તથા મામલતદાર કક્ષાએ ગ્રાઉન્ડ+ ર માળના બાંધકામની પરવાનગી મેળવી પરવાનગીથી વધુ માળની બનતી ગેરકાયદેસરની ઇમારતો બનતી અટકે તે હેતુસર વર્ષ-ર૦૧૭ ના તત્કાલિન જવાબદાર અધિકારી સહિત વારંવારની સુચનાઓ છતાં જોખમી ઇમારતો અંગેના દિશાનિર્દેશને અવગણનાર હાલના જવાબદાર વિભાગના અધિકારી સહિત રાજકીય ભલામણકર્તાઓના નામ જાહેર કરવામાં આવે તથા તેમની વિરુઘ્ધ કાયદેસરની દાખલારૂપ શિક્ષા નિયત થાય તે મુજબના પગલાં પ્રજાહિતમાં લેવા મેયર ને જણાવ્યું હતું.

Opposition Leader Rakesh Hirpara made the following submissions and protested in today's general meeting of the Education Committee.
આજની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષ નેતા રાકેશ હિરપરાએ નીચે મુજબની રજુઆત કરી અને વિરોધ નોંધાવ્યો.

 

  • અંદાજે બે લાખ બાળકોના શિક્ષણની જવાબદારી જેમના માથે છે એવા શાસનાધિકારીની કાયમી નિમણુંક કરવામાં આવે. વિમલ દેસાઈને હટાવ્યા એ વાતને પણ એક વર્ષ વીતી ગયું છે.
  • અત્યારે 32 શાળાઓ એવી છે જેના બાળકો મકાનના અભાવે અન્ય શાળાના મકાનમાં અભ્યાસ કરે છે. આ 32 શાળાના બાળકોને એમના મકાનો તાત્કાલિક બાંધી આપવામાં આવે.
  • વરસાદને કારણે તમામ શાળાઓમાં ગંદકી વધી છે, આ પરિસ્થિતિમાં 1000 થી 3500 રૂપિયામાં આખી શાળા કેવી રીતે સાફ થાય ? શાળા-સફાઈની ગ્રાંટમાં તાત્કાલિક વધારો કરવામાં આવે.
  • શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ઉમરા શાળામાં વરસાદી પાણી ભરાય છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી કુંભારીયા શાળા જર્જરિત છે, શિક્ષણમંત્રીના વિસ્તારમાં આવેલી ખડસદ શાળા એક જ ઓરડામાં અને કાયમી શિક્ષક વગર ચાલે છે.
  • શિક્ષણ સમિતિની તમામ સામાન્ય સભાઓનું લાઈવ રેકોર્ડીંગ કરીને પ્રજા સમક્ષ મુકવામાં આવે.
Surat city Limbayat police taking legal action based on viral video
વાયરલ વીડિયો આધારે કાયદેસરની કાર્યવાહી કરતી સુરત શહેર લિંબાયત પોલીસ

 

Surat News: સદર વિડીયોમાં દેખાયેલ ઇસમ નામે-સિકંદર અકીલ સૈયદ ધંધો-બેકાર રહે-મીઠીખાડી પુલ પાસે ફૂટપાથ પર મીઠીખાડી લિંબાયત સુરત નાઓ મીઠીખાડી પુલ પર ચડી સ્ટંટ કરતો હતો અને ત્યાંથી પસાર થતાં લોકો તેને સમજાવવા જતા અપશબ્દો બોલતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ જે આધારે લિંબાયત પોલીસે કાયદેસર કાર્યવાહી કરેલ છે

In the interest of the municipality, the Tantra should contact the cow lovers of the city and the cow husbandry organizations and insist on buying at a reasonable price: Maheshbhai Anghan
સુરત માં પણ બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ

 

પાલિકાના હિતમાં તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે ખરીદીવાનો આગ્રહ રાખે : મહેશભાઈ અણઘણ

Surat News: આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે આજે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલને પત્ર લખીને શંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજની સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં રજુ થનાર કામ નંબર 12 માં ભેસ્તાન ઢોર ડબ્બા ખાતે રોજના બે ટન લીલો ઘાસચારો ખરીદવા માટે કામ સોંપવા માટે આવનાર છે. આ કામગીરીમાં સુરત મહાનગરપાલિકા ખૂબ મોટો આર્થિક નુકસાન થવાની શક્યતા દેખાઈ રહી છે. આજના સમયે ગૌશાળાઓની અંદર જે લીલો ઘાસચારો શહેરના ગૌ પ્રેમી અને ગૌ પાલક લોકો દ્વારા સેવાના ભાવથી ગાયો માટે ઘાસચારો ખવડાવવામાં આવે છે એ ઘાસચારાની ખરીદી 2400 થી 2500 રૂપિયાની આજુબાજુ થઈ રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકા આ જ પ્રકારનો ઘાસચારો 4700/– રૂપિયાના ભાવે ખરીદવા જઈ રહી છે એટલે કે ડબલ ભાવની આજુબાજુ ખરીદી કરવાની પ્રસ્તાવના આવી છે. સુરત મહાનગરપાલિકાની અંદર બિહારની જેમ જ ઘાસચારા કૌભાંડ થવાની ગંધ જણાતું હોય તેમ દેખાય છે અને આ ભ્રષ્ટાચારના ભાગીદાર સ્થાયી સમિતિ પોતે હશે.

મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર શહેરના ગૌ પ્રેમી લોકો અને ગૌ પાલક સંસ્થાઓનો સંપર્ક કરીને વ્યાજબી ભાવે એ લોકો પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખે જેથી પાલિકાની તિજોરી પર આર્થિક બોજો ઓછો આવે. લોકહિતમાં અને પાલિકાના આર્થિક હિતોને જોતા આ કામને દફતરે કરવામાં આવે તેવી માંગણી ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણે કરી હતી.

If 971 crores were spent in the name of heat treatment, why has the drainage network not started yet?? : Mahesh Aanghan
નર્ક જોવુ હોય તો મરવાની જરુર નથી., શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના મત વિસ્તાર લસકાણામાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત : ‘આપ’ કોર્પોરેટર મહેશ અણઘણ

 

તાપી શુદ્ધીકરણ ના નામે ૯૭૧ કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરુ નથી થયુ ?? : મહેશ અણઘણ

આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ચૂંટાઈણે આવ્યાં પછી સતત તેમના વિસ્તારમાં લોકપ્રશ્નો બાબતે ચિંતિત હોય છે. વિસ્તારમાં સ્ટેટ્સ મોનીટરીંગ કરતા હોય છે અને પ્રજાલક્ષી બાબતોમાં શાસકો કરતા અનેક ઘણાં ચઢીયાતા સાબિત થયાં છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ અમુક કાર્યોમાં તંત્રની બેદરકારી કે શાસકો ની નિષ્ફળતાના અભાવે પરિસ્થિતિ વિપરીત બનતી જોવા મળે છે. વારંવારની ફરિયાદો કરવાં છતાં બેહરા તંત્રને વાત સંભળાતી નથી હોતી. આવા જ એક કિસ્સામાં આજરોજ મહેશભાઈ અણઘણે વરાછા ઝોન વિસ્તારમાં આવેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયાનો મતવિસ્તાર એવા લસકાણા ગામ ની મુલાકાત લીધી તો જાણવા મળ્યું કે ત્યાંના સ્થાનિકો તંત્ર અને શાસકોના પાપે નરકાગાર જેવી પરિસ્થિતિમાં રહેવા મજબૂર બન્યા છે. ઠેર ઠેર ગટર ઉભરાવાની સમસ્યા, પાણીના નિકાલની સરખી વ્યવસ્થા નહીં અને ગંદકીનું સામ્રાજ્ય જોતા મહેશભાઈ અણઘણે તંત્ર શાસકોને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, નર્ક જોવુ હોય તો મરવાની જરુર નથી., શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના મત વિસ્તાર લસકાણામાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત જોવા મળશે. અહીંના લોકોને આવી નરક જેવી પરિસ્થિતિમાં જીવવા શાસકો અને ભ્રષ્ટ તંત્ર મજબુર કરતા હોય તેવું જણાઈ આવે છે.

મહેશભાઈ અણઘણે વધુમાં જણાવ્યું હતું કે, 4 વર્ષ થી પાલિકામાં લસકાણા વિસ્તાર ભળેલ છે તો પણ આજે નર્ક જેવી હાલત છે. એના માટે ખુદ ભાજપ શાસકો જવાબદાર છે. વિપક્ષ આમ આદમી પાર્ટીની સતત રજુઆતો બાદ પણ શાસકો ગાઢ નિદ્રા માં સુતા છે તેવો સીધો આક્ષેપ મહેશભાઈ અણઘણે લગાવ્યો હતો.

મહેશભાઈ અણઘણે આ બાબતે તંત્રનો ઉધડો લેતા કહ્યું હતું કે, તાપી શુદ્ધીકરણના નામે 971 કરોડ પાલિકાએ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજી શરુ નથી થયુ? અઢી વર્ષ ઉપરાંતથી અહીંયા નવી ડ્રેનેજ લાઈન નખાઈ ગઈ હોવા છતાં તેને જોડાણ આપીને ચાલુ કરવામાં આવતી નથી. જેને કારણે ગટર ઉભરાવાની સમસ્યાને લીધે પ્રજા હેરાન પરેશાન થઇ રહી છે. મંત્રીઓ અને શાસકોને ફક્ત ઉદ્ઘાટન કરવામાં જ રસ છે, ત્યારપછીની પરિસ્થિતિ નિર્માણ પામે છે તેનાથી કોઈ મતલબ નથી.

નજીકમાં જ સ્કૂલ આવેલી છે. નાના ભૂલકાઓ આવી અસહ્ય પરિસ્થિતિમાં શાળાએ જવા મજબુર બન્યા છે. જો કોઈ જાનહાની કે ઇજા થશે તો તંત્ર જવાબદારી લેશે કે રીબીન કાપવા વાળા શાસકો?

આમ ‘આપ’ કોર્પોરેટર મહેશભાઈ અણઘણે આજે ભાજપ શાસકો, મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય પ્રફુલભાઇ અને તંત્રનો બરાબરનો ઉધડો લીધો હતો.

Under the chairmanship of Commissioner of Police Anupamsingh Gehlaut, a Lok Durbar was held for Zone-4 at Athwalines under the 'Campaign Against Usury'.
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ ખાતે ઝોન-૪ માટે ‘વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન’ હેઠળ લોકદરબાર યોજાયો

 

લોકદરબારમાં કેટલાક પીડિતોએ આપવીતી જણાવી: ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરતાં પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલૌત

Surat Athwaline News: શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ મુખ્ય મથકના કોમ્યુનિટી હોલ ખાતે ઝોન-૪ માટે વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ લોકદરબાર યોજાયો હતો. જેમાં અથવાગેટ ઉમરા વેસુ અલથાણ ખટોદરા તેમજ પાંડેસરા વિસ્તારના વ્યાજખોરોથી પીડિત લોકોએ ઉપસ્થિત રહી અંદાજે ૩૦ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ કેટલાક પીડિતોએ આપવીતી જણાવી વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાવા અન્યોને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યુ હતું કે લોકદરબાર થકી વ્યાજખોરીના દૂષણ અંગે જાગૃત્ત કરવા સાથે લોકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનો શહેર પોલીસનો પ્રયાસ છે. જે માટે ઝોન ૪ અને ૫માં લોકદરબારના આયોજન દ્વારા ઘણાં વ્યાજખોરો વિરૂદ્ધ ગુન્હાઓ દાખલ થઈ ચૂક્યા છે એમ જણાવી આવા તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

વધુમાં સુરત પોલીસે ક્રાઈમ ઘટાડવાની સાથે આમ નાગરિકોને વ્યાજના વિષચક્રમાંથી ઉગારવાનું બીડું ઉઠાવ્યું છે એમ જણાવી કમિશનરશ્રીએ લોકોને ગભરાયા વગર આગળ આવવા તેમજ વ્યાજખોરો વિરૂદ્ધ અવાજ ઉઠાવવા અપીલ કરી હતી, જેથી સમાજના અન્ય લોકોને પણ તેમ કરવા પ્રેરણા મળે અને લોકોને વ્યાજના ખપ્પરમાં હોમાતા અટકાવી શકાય. તેમણે શહેરને વ્યાજખોરીના દૂષણથી મુક્ત કરાવવાના પોલીસના અભિયાનની ભૂમિકા આપી હતી.

આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી કે.એન.ડામોરે સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ અભિયાન હેઠળ થઈ રહેલી કામગીરી વિષે જણાવ્યુ કે ગત વર્ષે પણ આ ઝુંબેશ ચલાવી લગભગ ૧૨૫ ગુના દાખલ કર્યા હતા અને અનેક વ્યાજખોરો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી. સાથે જ, પોલીસે કુલ ૧૨૫ કરોડની લોન અપાવી હતી. એ જ રીતે આ કામગીરી અવિરત રાખી આ વર્ષે પણ લોકોને વ્યાજખોરોના ત્રાસથી થતી સમસ્યાઓ નિવારવાની ખાતરી આપી હતી.

આ કાર્યક્રમમાં ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી વી.આર.મલ્હોત્રા, એસીપી ઝેડ.આર. દેસાઈ, પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ કોર્પોરેટર શ્રી કૈલાશબેન સોલંકી સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Surat District: Natural Agriculture 'Lekhmala-I'
સુરત જિલ્લો: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧’

 

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક(ગૌ આધારિત) કૃષિને મળી રહ્યું છે પ્રોત્સાહન: પ્રાકૃતિક ખેતી, તેના ફાયદા અને ધ્યેય વિષે આટલું જાણીએ

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક(ગૌ આધારિત) કૃષિને મળી રહ્યું છે પ્રોત્સાહન: પ્રાકૃતિક ખેતી, તેના ફાયદા અને ધ્યેય વિષે આટલું જાણીએ:

ન્યૂનતમ ખર્ચ-મહત્તમ નફો’: રાસાયણિક ઝેરી તત્વો વિના શુદ્ધ અને ગુણવતાસભર ઉત્પાદન માટેની સરળ અને ઉત્તમ ખેતપદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ

Surat News: ખેતીમાં રાસાયણિક અને ઝેરી દવાઓને કારણે જમીન, પાક અને પર્યાવરણને થતા નુકસાનથી વણસી રહેલી સ્થિતિને સુધારવા તેમજ લોકોને નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય મળી રહે તે હેતુથી રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા ભારપૂર્વક આહ્વાન કરાઇ રહ્યું છે. અને તે માટે ખેતીવાડીની વિવિધ યોજનાઓને આધારે ખેડૂતોને સહાય પણ આપવામાં આવી રહી છે. ત્યારે આજે પ્રકૃતિ ખેતી એટલે શું, તેના ફાયદા અને મુખ્ય ધ્યેયો વિષે વિસ્તૃતમાં સમજીએ.

પ્રાકૃતિક ખેતી એટલે શું?

કૃત્રિમ ખાતર, કૃત્રિમ જંતુનાશકો, બાહ્ય સામગ્રી કે સંસાધન વિના જીવ, જમીન, પાણી અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર કુદરતી સાધન સામગ્રી વડે ન્યૂનતમ ખર્ચ, વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવતા સાથે થતી ખેતી એટલે ‘પ્રાકૃતિક ખેતી’. જેમાં માત્ર એક દેશી ગાય થકી ૩૦ એકર(૭૫ વીઘા)માં ખેતી થઈ શકે છે.

પ્રાકૃતિક ખેતી શા માટે?

લાંબા સમયે હરિત ક્રાંતિ અને રાસાયણિક ખેતીથી આજે ખેડૂતોની જમીન, પાણી, પર્યાવરણ, પાકો, બિયારણો વિગેરે દૂષિત થયા અને પાકોની ગુણવત્તા બગડી, ખોરાકમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધ્યું, જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા ઉપર અસર થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી, ઉત્પાદન ખર્ચ વધ્યો, પાકમાં રોગ-જીવાતનું પ્રમાણ વધ્યું. પરિણામે પર્યાવરણ, મનુષ્ય, પ્રાણીના સ્વાસ્થ્ય ઉપર તેની વિપરીત અસર થઈ. દેશની વધતી જતી વસ્તીને અન્ન પુરવઠો પૂરો પાડવા ઘનિષ્ઠ પાક ઉત્પાદન પદ્ધતિઓને હિસાબે ઉભી થયેલી સમસ્યાઓથી જમીન, પાણી, પર્યાવરણ અને ખેતી દ્વારા થતું ઉત્પાદન ઝેરી તત્વોના અંશોવાળું થવાથી મનુષ્યોમાં અસાધ્ય રોગોનું પ્રમાણ વધ્યું અને રોગ પ્રતિકારકતા ઘટી છે. જેથી જમીનને ફરી ફળદ્રુપ બનાવવા, ખેતી ઓછી ખર્ચાળ કરવા, તંદુરસ્ત તથા ગુણવત્તા યુક્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને સરળ અને સારી ખેતી પદ્ધતિ અપનાવવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે.

પ્રાકૃતિક ખેતીના ધ્યેયો:

પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી બહારથી ન લાવતા ઘરે જ તૈયાર કરી તેનો ઉપયોગ કરવો. ફક્ત દેશી ગાયના ગોબર-ગૌ મૂત્ર દ્વારા બનાવેલા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃતનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા વધારવી. ઢોર ખાઈ નહીં અને ગામમા સરળતાથી મળી રહેતી રોગ જીવાત પ્રતિકારક વનસ્પતિનો તેના નિયંત્રણ માટે ઉપયોગ કરવો. પ્રાકૃતિક ખેતીનો મુખ્ય ધ્યેય ખેડૂતોની આવક વધારી ગામડાઓ સદ્ધર બનાવવા અને ગ્રામ સ્વરાજનો ઉદ્દેશ સિદ્ધ કરવાનો છે.

A youth committed suicide due to the torture of usurers in Surat
સુરતમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે કર્યો આપઘાત

 

Surat Udhana News: ઉધના વિસ્તારમાં વિષ્ણુ નગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો

ઉધના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

મૃતક કેતન પાટીલ ઓનલાઇન સાડીનો વેપાર કરતો હતો.

જેથી વેપારના કામ અર્થે કેતન પાટીલે ડિસેમ્બર 2023માં વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી

રૂપિયા 3 લાખ તથા ઉમેશ સોનવણે પાસેથી રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.

જેથી કેતન આ તમામને ઓનલાઇન તથા રોકડેથી વ્યાજ ચૂકવતો હતો.

વ્યાજખોરો ઉઘરાણી કરી અવાર નવાર ધાકધમકી આપતાં હતાં.

માનિસક ત્રાસ આપતાં હોવાની મૃતકના પરિવાર દ્વારા હકીકત જણાવવામાં આવી હતી

મૃતક કેતનએ તેના પિતાના નામે રૂપિયા 1 લાખની પર્સનલ લોન લીધી હતી.

માતાનું મંગળસૂત્ર પણ ગીરવે મૂક્યું હતું.

જેથી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતાં હોવાથી તણાવમાં આવી કેતને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

જો કે આ મામલે પોલીસે ફરિયાદ લઇ બે આરોપીની ધરપકડ કરી છે.

Six books of Surat's young poet, ghazal writer Dr. Amit Gami released at Veer Narmad University
વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સુરતના યુવા કવિ, ગઝલકાર ડૉ.અમિત ગામીના છ પુસ્તકોનું વિમોચન

 

News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના સેનેટ હોલ ખાતે સુરતના યુવા કવિ ગઝલકાર અને વીર નર્મદ યુનિ.ના ગુજરાતી વિષયના અધ્યાપક(Dr. Amit) ડૉ.અમિત ગામીના ગઝલના છ પુસ્તકોનું વિમોચન કુલપતિશ્રી ડૉ.કિશોરસિંહ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. ડૉ.અમિત ગામીના સ્વરચિત ગઝલકાવ્ય રચનાઓનો સંગ્રહ શ્વાસ સંશોધનગ્રંથો ગઝલપ્રવેશ રાજેન્દ્ર શુક્લનું ગઝલકર્મ મનોજ ખંડેરિયાનું ગઝલકર્મ હરીશ મીનાશ્રુનું ગઝલકર્મ અને રાજેશ વ્યાસનું ગઝલકર્મ પુસ્તકોનો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં કુલપતિશ્રીએ સંશોધન પુસ્તકો અંગે આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાજસ્થાન અને દિલ્હી પ્રાંતના સંગઠન મંત્રીશ્રી અશ્વની શર્માએ સાહિત્ય સંશોધન રાષ્ટ્ર સંસ્કૃતિ સમાજ સંસ્કાર પર્યાવરણ બંધારણ જેવાં વિષયોનો ભાષા સાથે સંબંધ દર્શાવી પોતાનું સાહિત્યિક વ્યક્તવ્ય આપી સંશોધનગ્રંથો વિશે વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નર્મદ યુનિ.ના પૂર્વ સેનેટ સભ્ય એડવોકેટ કિરણભાઈ ઘોઘારી, પાયોનિયર શાળાના ટ્રસ્ટીશ્રી અલ્પેશભાઈ સાવલિયા સહિત ગઝલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Home and Sports Minister Mr. Harshbhai Sanghvisaheb's deputation will be played by Surat City Home Guards Gujarat Jits to validate the slogan of Gujarat and save the environment and send the message of "No to Drugs" to the youth.
ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો

 

ગુજરાત સરકારના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીસાહેબ ના અધકાક્ષ સ્થાને સુરત શહેર હોમગાર્ડ્ઝ દ્વારા ખેલશે ગુજરાત જીત્સે ગુજરાત ના સુત્રને સાર્થક કરવા તેમજ પર્યાવરણ બચાવો અને યુવાનો ને “નો ટુ ડ્રગ” નો સંદેશો તેમજ પોતાના રોજના વ્યવહાર માં રમત ની જેમ જીવનમાં પણ ખેલદિલી સ્વીકારવાનો સંદેશ હોમગાર્ડ્ઝ પ્રીમીયર લીગ બોક્સ ક્રિકેટ નું આયોજન જી બી પટેલ સ્પોર્ટ કોમલેક્સ, પ્રિયંકા સર્કલ પાસે, ભેસ્તાન મા સચીન યુનિટ ના હોમગાર્ડ્ઝ ના સહયોગ થી કરવામાં આવેલા.

સુરત ના રાંદેર યુનિટ, સચીન યુનિટ, એ ઝોન, બી ઝોન, સી ઝોન, સી ઝોન અને સ્ટાફ ઓફિસર મિત્રો વચે ક્રિકેટ મેચ નું આયોજન કરવા મા આવેલ જેમાં ફાઇનલ મેચ મા સચીન યુનિટ અને એ ઝોન વચ્ચે ખારા ખારી નો જંગ હતો. સચિન ની ટીમ દ્વારા ૧૭૨ રન બનાવ્યા હતા. સરુઆત ની અવરોમાં એ ઝોન ના બેસ્ટમેન સારૂ રમ્યા હતા. પરંતુ સચીન ના બોલરો સામે ટકી સ્ક્યા નહતા.

હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલ્લ શિરોયા એ સચિન યુનાટ ની ક્રિકેટ ટીમ ને વિજેતા અને એ ઝોન ની ટીમ ને રનર્સ અપ જાહેર કરી હતી.

ગૃહ મંત્રી શ્રી સંઘવીસાહેબે વિજેતા ટીમ ના અધિકારી થોમસ પઢારે તેમજ કેપ્ટન પ્રવિણ, ટીમ ના સભ્યોને મેડલ અને રનર્સ અપ ટીમ ના અધિકારી દિનેશ પરમાર અને કેપ્ટન ડી પી મિસ્ત્રી તેમજ બેસ્ટ બેસ્ટમેન તરીકે સચિન યુનિટ ના અરમાન અંસારી અને બેસ્ટ બોલર તરીકે સી ઝોન ના ડી પી મિસ્ત્રી ને અભિનદન અને કપ આપીને સન્માન્યા હતા.