વરાછાની પ્રખ્યાત કેન્ડોર IVF સેન્ટર લિમિટેડના નવા સોપાનના ૬ વર્ષ પૂર્ણ: ભવ્ય સ્નેહમિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી

 

સુરત: નિઃસંતાન દંપતીઓના જીવનમાં ખુશીઓના રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક ૬ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓ સાથેના નવા કેન્દ્રના ૬ વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સફળ પેશન્ટ્સનું સન્માન અને મનોરંજન

આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટર્સ ડો. જયદેવ ધામેલિયા, ડો. શિવાની શાહ, ડો. ધવલ પટેલ અને ડો. અમિત બલદાણીયા દ્વારા અત્યાર સુધીના તમામ ‘હેપી પેશન્ટ્સ’ (સફળતાપૂર્વક સંતાન સુખ મેળવનાર દંપતીઓ) ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ દંપતીઓનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણીમાં ઉમંગ વધારવા માટે ગેમ્સ, ડાન્સ અને પ્રશ્નોત્તરી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, ત્યારબાદ તમામ મહેમાનોએ સાથે મળીને ડિનરનો આનંદ માણ્યો હતો.

અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી

કેન્ડોર IVF સેન્ટર વરાછા વિસ્તારની એકમાત્ર એવી હોસ્પિટલ છે જે આધુનિક સુવિધાઓથી સજ્જ છે:
વિશાળ પાર્કિંગ: પેશન્ટ્સ અને મહેમાનો માટે સુવિધાજનક પાર્કિંગની વ્યવસ્થા.
આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર: હવા-ઉજાસવાળું અને પોઝિટિવ વાતાવરણ ધરાવતું બિલ્ડિંગ.
ઇન-હાઉસ (In-House) IVF લેબ: આધુનિક ટેકનોલોજી અને લેટેસ્ટ લેબ સુવિધા એક જ છત નીચે ઉપલબ્ધ.

૬ વર્ષની ઉજવણી પર સેવાનો સંકલ્પ

૬ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા સમાજ માટે મહત્વના સંકલ્પો જાહેર કરવામાં આવ્યા છે:
૧૦૦૦ નિઃસંતાન દંપતીઓને તદ્દન મફત (Free) માર્ગદર્શન આપવામાં આવશે.
૧૦૦ જરૂરિયાતમંદ દંપતીઓ માટે ૫૦% રાહત દરે IVF ટ્રીટમેન્ટની સુવિધા.
ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પણ વિશેષ રાહત દરે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ડોક્ટર્સની ટીમે જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આર્થિક મુશ્કેલીને કારણે કોઈ દંપતી સંતાન સુખથી વંચિત ન રહે. ખાસ કરીને ગામડાઓ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી પણ અમે આધુનિક વિજ્ઞાનનો લાભ પહોંચાડવા કટિબદ્ધ છીએ.”

સંપર્ક અને સ્થળ:

કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ
GEB પાવર હાઉસ પાસે, કર્મનાથ મહાદેવની સામે, કાપોદ્રા ચાર રસ્તા, સુરત.
મોબાઈલ: 99253 94276

SGCCI અને TPC દ્વારા યુથ વિઝન સાથે કરાયું આયોજન

 

સુરતમાં 1000 યુવાનોનું મંથન, ‘ટર્નિંગ પોઇન્ટ યુથ કોન્ક્લેવ 2026’માં લીડરશિપ અને ઇનોવેશનનો ઉમંગ દેખાયો

– ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટી દ્વારા SGCCIના મંચ પર આયોજિત કોન્ક્લેવમાં ઉદ્યોગ જગતના દિગ્ગજો, નેશનલ ડિબેટર્સ અને યુથ લીડર્સે યુવાનોને નેતૃત્વ અને રાષ્ટ્ર નિર્માણના મંત્ર આપ્યા

સુરત. યુવાનોમાં નેતૃત્વ ક્ષમતા, તાર્કિક વિચારશક્તિ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને મજબૂત બનાવવા માટે આયોજિત ‘ટર્નિંગ પોઇન્ટ યુથ કોન્ક્લેવ 2026’એ એક દિવસ માટે સુરતને યુવા નેતૃત્વ અને ઇનોવેશનનું કેન્દ્ર બનાવી દીધું. ભારતની સૌથી મોટી ડિબેટ સોસાયટી ‘ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટી’ અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સંયુક્ત આયોજન હેઠળ 31 જાન્યુઆરીએ સરસાણા સ્થિત SIECC કેમ્પસના પ્લેટિનમ હોલમાં ભવ્ય કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં અંદાજે 1000 વિદ્યાર્થી-વિદ્યાર્થીનોએ ભાગ લીધો હતો.

કોન્ક્લેવની થીમ “Voices of Tomorrow: Youth, Industry & the Power of Critical Thinking” રહી હતી. ભારતની અગ્રણી ડિબેટ સોસાયટી ટર્નિંગ પોઇન્ટ કમ્યુનિટીના સ્થાપક આદિત્ય ભટ્ટે જણાવ્યું હતું કે આ મંચનો હેતુ યુવાનોને માત્ર સાંભળવાનું નહીં, પરંતુ તેમને વિચારવા, પ્રશ્ન પૂછવા અને નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવાનો છે.

કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ નિષ્ણાતોના કી-નોટ સેશન, નેશનલ લેવલ યુથ ડિબેટ એરિના, ઇન્ટરએક્ટિવ પેનલ ડિસ્કશન અને યુથ લીડરશિપ પ્રતિજ્ઞા જેવા સેશન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશન્સના માધ્યમથી યુવાનોને કરિયર માર્ગદર્શન, પબ્લિક સ્પીકિંગ, ક્રિટિકલ થિંકિંગ અને નેટવર્કિંગનો વ્યાવહારિક અનુભવ મળ્યો.

આ પ્રસંગે એડવોકેટ મનસ્વી ઠાકર, ડો. મનોજ કુમાર (વીપી, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ) અને કોર્પોરેટ ટ્રેનર નિર્મલ પારેખ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. સાથે જ દેશ-વિદેશના શિક્ષણવિદો, ઉદ્યોગ નિષ્ણાતો અને યુથ લીડર્સે સ્પીકર અને પેનલિસ્ટ તરીકે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. નેશનલ લેવલ ડિબેટર્સે તાર્કિક વિચારશક્તિ અને અસરકારક સંવાદ કૌશલ્યની નાની-મોટી બારીકીઓ પણ શેર કરી હતી.

SGCCIના પ્રમુખ નિખિલ કે. મદ્રાસી, ઉપપ્રમુખ અશોક વી. જીરાવાલા, સચિવ બિજલ એમ. જરીવાલા અને ખજાનચી સીએ મિતેશ મોદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રેરણા આપે છે.

આયોજકોના જણાવ્યા અનુસાર આ કોન્ક્લેવ માત્ર સંવાદનું મંચ નહીં, પરંતુ લીડરશિપ ડેવલપમેન્ટ, ઇનોવેશન, એન્ટરપ્રેન્યૂરશિપ અને નેશન બિલ્ડિંગની દિશામાં એક મજબૂત પગલું સાબિત થયો છે.

AM/NS India એ વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનો Vibrance અને Optima સાથે તેની value-added સ્ટીલ શ્રેણીનો વિસ્તાર કર્યો, જે ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રને બળ આપશે

 

• OEM કંપનીઓની જરૂરિયતાને ધ્યાને રાખીને નવા વિશ્વસ્તરીય બ્રાન્ડેડ ઉત્પાદનોને ચોકસાઈ, સુંદર દેખાવ અને ઉત્પાદનની વિશ્વસનીયતા માટે રજૂ કરાય
• OEM કંપનીઓને વિશ્વસ્તરીય વેલ્યુ એડેડ સ્ટીલ ભારતમાંથી જ ઉપલબ્ધ કરાવી ‘આત્મનિર્ભર ભારત’ના વિઝન સાથે સુસંગત પહેલ

હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના વેલ્યુ એડેડ સ્ટીલ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવતા AM/NS Vibrance અને AM/NS Optima નામના બે વિશ્વસ્તરીય, પ્રીમિયમ બ્રાન્ડેડ સ્ટીલ સોલ્યુશન્સ રજૂ કરી રહ્યું છે. આ બંને ઉત્પાદનો ખાસ કરીને ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રમાં કાર્યરત Original Equipment Manufacturers (OEMs) ની વધતી ડિઝાઇન આધારિત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે.
બજારમાં હવે એવું સ્ટીલ વધુ માંગમાં છે જે સતત સમાન સપાટી ગુણવત્તા, ચોક્કસ માપદંડ અને મોટા પાયે વિશ્વસનીય કામગીરી આપે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને AM/NS India તેના વેલ્યુ એડેડ પોર્ટફોલિયોમાં એવા બ્રાન્ડેડ ઉત્પાદનો ઉમેર્યા છે, જે આયાત પરની નિર્ભરતા ઘટાડે છે અને આંતરરાષ્ટ્રીય ધોરણની પ્રીમિયમ ગુણવત્તા દેશની અંદર જ ઉપલબ્ધ બનાવે છે. આ બંને નવા કોટેડ ઉત્પાદનો હવે કંપનીની વેલ્યુ એડેડ શ્રેણીનો ભાગ છે, જેમાં Optigal®, Magnelis®, Optigal® Prime, Optigal® Pinnacle સહિતના અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે વિવિધ ઉપયોગ માટે ગુણવત્તા, કાર્યક્ષમતા અને ટકાઉ ઉત્પાદન માટે માન્ય ગણાય છે.

શ્રી રંજન ધર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – સેલ્સ એન્ડ માર્કેટિંગ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India), એ જણાવ્યું: “ચોકસાઈ સાથે ઉત્પાદન કરતી અને બ્રાન્ડની સતત ગુણવત્તા પર ધ્યાન આપતી OEM કંપનીઓ માટે કાચામાલની પસંદગી ઉત્પાદનક્ષમતા, ખર્ચ અને લાંબા ગાળાની કામગીરી પર સીધી અસર કરે છે. આ જરૂરિયાત મુજબ અમારા AM/NS Vibrance અને AM/NS Optima નો ઉમેરો અમારી બ્રાન્ડેડ સ્ટીલ શ્રેણીને વધુ મજબૂત બનાવે છે અને OEM કંપનીઓને વધુ ઉત્પાદનક્ષમતા અને મૂલ્ય સર્જનમાં મદદ કરે છે. આ બંને કોટેડ સ્ટીલ ઉત્પાદનો અમને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલ સોલ્યુશન્સ પ્રદાન કરતી પસંદગીની ભાગીદાર તરીકે વધુ મજબૂત બનાવે છે અને અમારા ઉદ્દેશ ‘Smarter Steels, Brighter Futures’ સાથે સુસંગત છે. વિશ્વસ્તરીય વેલ્યુ એડેડ સ્ટીલ હવે દેશમાં જ ઉપલબ્ધ બનતા અમે ‘Make in India’ અને આત્મનિર્ભરતા અભિયાનને વધુ

મજબૂત ટેકો આપી રહ્યા છીએ, સાથે જ અમારા ગ્રાહકોને દેશ અને વિદેશના સ્પર્ધાત્મક લાભ મેળવવામાં સહાય કરી રહ્યા છીએ. ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રો અમારી વેલ્યુ એડેડ સ્ટીલ વૃદ્ધિના મુખ્ય આધારસ્તંભ છે, અને અમે હેતુપ્રેરિત નવીનતા દ્વારા અમારા ગ્રાહકોને વધુ આત્મનિર્ભર બનવામાં મદદ કરી રહ્યા છીએ.”

AM/NS Vibrance – પ્રીમિયમ કલર-કોટેડ સ્ટીલ
AM/NS Vibrance ઘરગથ્થુ ઉપકરણ ઉત્પાદકો માટેનું પ્રીમિયમ કલર-કોટેડ સ્ટીલ સોલ્યુશન છે, જેમાં મજબૂતી, ચોકસાઈ અને ઉત્તમ સપાટી દેખાવનો સંયોજન છે. આજે ઉપકરણો માત્ર ઉપયોગી સાધન નહીં પરંતુ ઘર અને વ્યાવસાયિક સ્થળોના ડિઝાઇનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યા છે. તેથી ઉત્પાદકોને એવું મટીરિયલ જોઈએ છે જેમાં એકસરખો રંગ, નિયંત્રિત ચમક, સુંદર ફિનિશ, ટકાઉપણું અને સરળ ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને. AM/NS Vibrance અદ્યતન કોટિંગ ટેક્નોલોજી સાથે ચોકસાઈથી તૈયાર કરાયેલા સ્ટીલ પર આધારિત છે, જે ઉત્પાદનથી અંતિમ ઉપયોગ સુધી વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરે છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન અને વોટર ડિસ્પેન્સર સહિત વિવિધ ઉપકરણોમાં તેનો ઉપયોગ થઈ શકે છે.

AM/NS Optima – ટ્રુ ઝીરો-સ્પેન્ગલ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ
AM/NS Optima ભારતના સૌથી પ્રીમિયમ True Zero-Spangle Galvanised Steel ઉત્પાદનોમાંનું એક છે. પરંપરાગત ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલની સરખામણીમાં તે વધુ સમાન અને નિયંત્રિત સપાટીની ગુણવત્તા આપે છે, જેથી ઉત્પાદકો વધુ સ્વચ્છ અને એકસરખું ફિનિશ મેળવી શકે.
ચોકસાઈથી તૈયાર કરાયેલા સમાન જાડાઈ ધરાવતા સ્ટીલ અને નિયંત્રિત સપાટી ગુણવત્તાને કારણે AM/NS Optima સરળતાથી વાળી શકાય છે, એક દૃષ્ટિએ સમાન દેખાવ આપે છે અને મોટા પાયે ઉત્પાદન દરમિયાન પણ સતત વિશ્વસનીય કામગીરી કરે છે. તે ઉત્પાદકોને ખૂબ જ નાજુક અને ચોક્કસ સપાટી આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. એસીના આઉટડોર યુનિટ્સ, પેનલ્સ અને ક્લીનરૂમ તૈયાર કરવા સહિત વિવિધ ઉપયોગ માટે તે યોગ્ય છે.
ભારતનો કન્ઝ્યુમર માર્કેટ નાણાંકીય વર્ષ 2027 સુધી વિશ્વમાં ચોથો સૌથી મોટો બનવાની ધારણા છે અને તે ઝડપથી પ્રીમિયમ શ્રેણીની તરફ આગળ વધી રહ્યો છે. ગ્રાહકો હવે સુંદર ફિનિશ અને ડિઝાઇન આધારિત ઉપકરણોની વધતી માંગ દર્શાવી રહ્યા છે.
ભારતમાં કોટેડ ની વાર્ષિક માંગ હાલમાં અંદાજે 11.1 મિલિયન ટન છે અને આવનારા વર્ષોમાં

તેમાં 8 થી 10 ટકા વાર્ષિક વૃદ્ધિ થવાની સંભાવના છે. ખાસ કરીને ઘરગથ્થુ ઉપકરણ ક્ષેત્રમાં કોટેડ સ્ટીલનો ઉપયોગ દર વર્ષે લગભગ 10 ટકા વધી રહ્યો છે, જે વધતી આવક, ઝડપી શહેરીકરણ, પ્રીમિયમ ઉત્પાદનો તરફ ઝોક અને PLI યોજના જેવી રાષ્ટ્રીય પહેલોથી પ્રોત્સાહિત છે.
ઔદ્યોગિક ક્ષેત્રમાં કોટેડ સ્ટીલની માંગ વર્ષ 2030 સુધી 8 થી 12 ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે વધવાની ધારણા છે, જેને PLI, આત્મનિર્ભરતા પહેલો અને ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ તથા ઇજનેરી ક્ષેત્રના વિસ્તરણનો આધાર છે.
આ રીતે ઘરગથ્થુ ઉપકરણ અને ઔદ્યોગિક બંને ક્ષેત્રો ભારતની લાંબા ગાળાની ઉત્પાદન વૃદ્ધિમાં કોટેડ સ્ટીલના વ્યૂહાત્મક મહત્વને મજબૂત બનાવે છે અને દેશની ઉત્પાદન ક્ષમતાને આગળ ધપાવવામાં ઉચ્ચ ગુણવત્તાવાળા વેલ્યુ એડેડ સ્ટીલની અગત્યની ભૂમિકા દર્શાવે છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળ સુરક્ષા અને માનસિક આરોગ્ય જાગૃતિ સેમિનાર

 

સુરત: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા, અધિકારો અને ભાવનાત્મક કલ્યાણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી બાળ સંરક્ષણ, બાળ જાગૃતિ અને બાળ માનસિક આરોગ્ય વિષયક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ એવું સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનું હતું, જ્યાં બાળકો નિડરપણે પોતાને વ્યક્ત કરી શકે અને જરૂર પડ્યે મદદ માંગવામાં સંકોચ ન રાખે.

આ સત્ર એએસઆઈ વૈશાલિબેન દેવરે, શ્રીમતી પેનલબેન રાદડિયા અને શ્રી રાહુલભાઈ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. વક્તાઓએ વ્યક્તિગત સુરક્ષા, ગુડ ટચ-બેડ ટચ, POCSO જાગૃતિ, ચાઇલ્ડ હેલ્પલાઇન નંબર, કાનૂની સહાય તેમજ કઠિન પરિસ્થિતિઓમાં વિશ્વાસપાત્ર વડીલો સાથે સંવાદના મહત્વ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને સરળ ભાષામાં સમજાવ્યા. વિદ્યાર્થીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓ ઓળખવા અને ડર વિના સમજદારીપૂર્વક પ્રતિક્રિયા આપવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં માનસિક આરોગ્ય જાગૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા, તણાવનું સંચાલન કરવા અને મદદ માંગવી કમજોરી નહીં પરંતુ સાહસનું પ્રતિક છે તે સમજવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. સાથે જ જણાવાયું કે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન અને જાગૃતિ અનેક સમસ્યાઓ અટકાવી શકે છે અને બાળકોમાં આત્મવિશ્વાસ વિકસાવે છે.

સેમિનાર અત્યંત ઇન્ટરએક્ટિવ રહ્યો, જેમાં વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો. શિક્ષકોએ સત્ર દરમિયાન આપવામાં આવેલા વ્યવહારુ ઉદાહરણોની પ્રશંસા કરી, જેના કારણે બાળકોને સંવેદનશીલ વિષયો સરળ અને તેમની ઉંમરને અનુરૂપ રીતે સમજવામાં મદદ મળી.

શાળાએ સંસાધન વ્યક્તિઓના મૂલ્યવાન માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો અને સુરક્ષિત તથા સહકારપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાના પોતાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો. આવા પ્રયત્નો વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા સાથે સાથે તેમને દૈનિક જીવનમાં જવાબદાર નિર્ણય લેવા માટે પણ સશક્ત બનાવે છે.

કાર્યક્રમનું સમાપન આ સંદેશ સાથે થયો કે જાગૃતિ, સંવાદ અને આત્મવિશ્વાસ મળીને સુરક્ષિત બાળપણ અને મજબૂત ભવિષ્યનું નિર્માણ કરે છે.

શારદા વિદ્યામંદિરમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યો.

 

સુરત: જેમાં મુખ્ય મહેમાન શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉમાકાંતભાઈ સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને બોર્ડની પરીક્ષા માં સફળ થવા બુસ્ટર ડોઝ પૂરો પાડી ઉચ્ચતમ સંસ્કારો સાથે રાષ્ટ્ર ના આદર્શ નાગરિકો બનવા સલાહ આપી હતી.

દીપ પ્રાગટ્ય ,શ્લોક અને પ્રાર્થના થી શરૂઆત બાદ પ્રિન્સિપાલ શ્રી ચાવડા સાહેબે શાળા પરિવાર વતી સૌને આવકાર આપી સુંદર માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ વિદ્યાર્થી ઓ એ તમામ ઉપસ્થિત મહાનુભાવો નું પુષ્પગુચ્છ થી સ્વાગત કરી આશીર્વાદ મેળવ્યા. અન્ય વિદ્યાર્થી ઓ એ પ્રસંગોચિત પ્રતિભાવો વ્યક્ત કર્યા.

ખુબજ વિશિષ્ટ ગરિમા પૂર્ણ, શિસ્તબધ્ધ અને અનોખા ફેરવેલ ફંક્શન માં એડમિન શ્રી યોગીસર , આચાર્યા શ્રી હિનાબેન (પ્રા.વિ) ,આચાર્યા શ્રી શાલિની બેન ( પ્રા.વિ ),તેમજ તમામ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી બાળકો ને આશીર્વાદ અને શુભેચ્છા ઓ પાઠવી. સાથે મળી ને અલ્પાહાર કર્યો

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન ચાવડા અને રેખાબેને દ્વારા કરવા માં આવ્યું સાથે સાથે તમામ શિક્ષક મિત્રો ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો. આ તબક્કે શાળા ના આચાર્ય શ્રી ચાવડા સાહેબે સૌનો આભાર વ્યકત કર્યો..

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ગીતાબેન ચાવડા અને રેખાબેને દ્વારા કરવા માં આવ્યું સાથે સાથે તમામ શિક્ષક મિત્રો ના સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો. આ તબક્કે શાળા ના આચાર્ય શ્રી ચાવડા સાહેબે સૌનો આભાર વ્યકત કર્યો..

જીએમ ગ્રુપ સાથે પ્રતિક ગાંધીનો નવો અધ્યાય

 

સુરત . એક એવું શહેર જ્યાં મહેનત સપનાઓને આકાર આપે છે અને ઉદ્યોગો નવી ઓળખ બનાવે છે. આ જ ભાવનાને આગળ ધપાવતા સુરતના અગ્રણી ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ડેવલપર જીએમ ગ્રુપએ જાણીતા અભિનેતા અને સુરતના ગૌરવ પ્રતિક ગાંધીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રજૂ કર્યા છે.

પ્રતિક ગાંધી માત્ર એક સફળ અભિનેતા નથી, પરંતુ મહેનત, ઈમાનદારી અને આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ છે. સુરતથી શરૂ થયેલી તેમની સફર આજે દેશ અને દુનિયામાં ઓળખ બનાવી ચૂકી છે. એ જ રીતે, જીએમ ગ્રુપ પણ સુરતમાંથી શરૂ થઈ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં વિશ્વસનીય નામ બની રહ્યું છે.

આ સહયોગ કોઈ સામાન્ય સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ નથી. આ એક વિચારધારાનો મેળ છે — જ્યાં વ્યવસાયને માત્ર ઈમારતો નહીં, પરંતુ સપનાઓ સાથે જોડવામાં આવે છે. જીએમ ગ્રુપનો ઉદ્દેશ એવા ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાનો છે જ્યાં ઉદ્યોગકારોને માત્ર જગ્યા નહીં, પરંતુ વિકાસ માટેનું પૂરું ઇકોસિસ્ટમ મળે.

નવી બ્રાન્ડ કેમ્પેઈન દ્વારા જીએમ ગ્રુપ એ સંદેશ આપે છે કે યોગ્ય ઇન્ડસ્ટ્રિયલ લોકેશન પસંદ કરવું સફળતાની પ્રથમ સીડી છે. સારી સુવિધાઓ, સરળ મંજૂરી પ્રક્રિયા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાંબા ગાળાની વૃદ્ધિ — આ તમામ તત્વો જીએમ ગ્રુપના પ્રોજેક્ટ્સને અલગ ઓળખ આપે છે.

પ્રતિક ગાંધી સાથેનો આ સહયોગ જીએમ ગ્રુપના બ્રાન્ડને વધુ માનવિય અને પ્રેરણાદાયક બનાવે છે. તેમની સફળતાની કહાની દરેક ઉદ્યોગકાર માટે પ્રેરણા છે — કે યોગ્ય પ્લેટફોર્મ મળે તો કોઈ પણ સપનું સાકાર કરી શકાય.

આ કેમ્પેઈન અને સહયોગનું અમલીકરણ અલોકિક ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, જે સેલિબ્રિટી કેમ્પેઈન અને ક્રિએટિવ વિડિયો પ્રોજેક્ટ્સ માટે જાણીતી એજન્સી છે.

જીએમ ગ્રુપના પ્રવક્તા કહે છે,
“પ્રતિક ગાંધીની સફર અમારા ગ્રાહકોની સફર જેવી જ છે. અમે એવી ઇન્ડસ્ટ્રિયલ જગ્યા બનાવીએ છીએ જ્યાં વ્યવસાય સરળતાથી આગળ વધે અને સપનાઓને મજબૂત આધાર મળે.”

જીએમ ગ્રુપ વિષે:
જીએમ ગ્રુપ સુરતની અગ્રણી ઇન્ડસ્ટ્રિયલ રિયલ એસ્ટેટ કંપની છે, જે આધુનિક ઇન્ડસ્ટ્રિયલ પાર્કોના વિકાસ દ્વારા ઉદ્યોગકારોને ઉત્તમ સુવિધાઓ, સરળ પ્રક્રિયા અને લાંબા ગાળાની સફળતાનો માર્ગ આપે છે.

બાળકો માટે વિજ્ઞાન-સમર્થિત સુખાકારી : ‘વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સ’ના ફાયદા હવે ક્લિનિકલી માન્ય

 

વડોદરા : વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સે, બાળકોના એકંદર સ્વસ્થ વિકાસમાં સહાય કરવામાં ક્લિનિકલી રીતે મહત્વપૂર્ણ લાભદાયી પ્રદર્શન કર્યું છે, એવું તાજેતરના સ્વતંત્ર ક્લિનિકલ અભ્યાસના તારણો દ્વારા પ્રમાણિત થયું છે. નવા ક્લિનિકલ ડેટાએ આ ડ્રોપ્સને બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાયદાકારક પૂરક તરીકે સમર્થન આપ્યું છે. આ સંશોધન, આ પરંપરાગત આયુર્વેદિક ફોર્મ્યુલેશન માટે વૈજ્ઞાનિક માન્યતા પ્રદાન કરે છે, જેનો ઉપયોગ લાંબા સમયથી બાળ કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે થતો રહ્યો છે.

નોંધનીય છે કે, ઓપન લેબલ ક્લિનિકલ અભ્યાસમાં 90 દિવસથી વધુ સમય સુધી દરરોજ આપવામાં આવતા વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સ(ટીપાં)ની અસરકારકતા અને સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં 0 થી 16 વર્ષની વયના 35 બાળકોએ ભાગ લીધો હતો અને દરેક સહભાગીને ઉંમર અનુસાર ડ્રોપ્સના ડોઝ આપવામાં આવ્યાં હતાં, જેના પરિણામોનું મુલ્યાંકન તેમના વિકાસ, રોગપ્રતિકારક શક્તિ, જ્ઞાનાત્મક કાર્ય, ઊંઘની ગુણવત્તા અને શારીરિક સ્વાસ્થ્યના આધારે કરવામાં આવ્યું હતું.

આ અભ્યાસના તારણો અનુસાર, બાળકોએ શરીરના વજન અને શારીરિક કલ્યાણ સહિત મુખ્ય વિકાસ સૂચકાંકોમાં સમગ્રપણે સુધારો દર્શાવ્યો હતો. માળખાગત પ્રશ્નાવલીઓ દ્વારા મૂલ્યાંકન કર્યા મુજબ, ધ્યાન અને એકાગ્રતાના સ્કોર્સમાં સુધારો થયો હતો, જ્યારે માતાપિતાએ સહભાગીઓમાં સારી ઊંઘની ગુણવત્તાની જાણ કરી હતી.

આ અભ્યાસમાં ટ્રાયલ સમયગાળા દરમિયાન, વારંવાર થતા ઉપલા શ્વસન માર્ગના ચેપના પ્રકરણમાં ખુબજ પ્રોત્સાહક પરિણામો જોવા મળ્યા હતા. આની સાથે જ, સીરમ IgG અને IgA સ્તરોમાં પણ સુધારો જોવા મળ્યો હતો, જે રોગપ્રતિકારક પ્રતિભાવમાં વધારો દર્શાવે છે.

આ અભ્યાસ દરમિયાન, કોઈ પ્રતિકૂળ અસરો નોંધાઈ ન હતી, તેથી આ ફોર્મ્યુલેશન બધા વય જૂથોમાં સારી રીતે સહન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અનુપાલન સ્તર ઉત્તમ હોવાનું નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, બધા માતાપિતાએ તેમના બાળકોમાં સમગ્ર વિકાસ, સહનશક્તિ અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થયાની માહિતી આપી હતી, જ્યારે 97% લોકોએ ભવિષ્યના ઉપયોગ માટે ઉત્પાઆદનની ભલામણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સના નિર્માતા વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે, “સુવર્ણપ્રાશનને પરંપરાગત રીતે બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ અને જ્ઞાનાત્મક વિકાસને સપોર્ટ આપવામાં તેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે. આ અભ્યાસ, પેઢીઓથી વિશ્વસનીય આયુર્વેદિક પ્રેક્ટિસની આધુનિક ક્લિનિકલ માન્યતા પ્રદાન કરે છે. માપન યોગ્ય ક્લિનિકલ માપદંડ દ્વારા દર્શાવવામાં આવેલા આ પરિણામો, મહત્વપૂર્ણ વૃદ્ધિ વર્ષો દરમિયાન સહાયક પૂરક તરીકે તેના મૂલ્ય અંગે માતાપિતા અને આરોગ્યસંભાળ વ્યાવસાયિકોને વધુ વિશ્વાસ પ્રદાન કરે છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “હજારો માતા-પિતા તરફથી અમને મળી રહેલો પ્રેમ, આશીર્વાદ અને સકારાત્મક પ્રતિસાદ અમને સતત પ્રેરણા અને મજબૂતી આપે છે. અમે એ જણાવતા પણ ગૌરવ અનુભવીએ છીએ કે, અમે હાલમાં જ અમારી નવી જાહેરાત ફિલ્મ ‘સબકો હોના હૈ ગ્રો’ લોન્ચ કરી છે.”

આ ક્લિનિકલ ટ્રાયલ, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઈન્ડિયા (CTRI) માં નોંધાયેલી એક સ્વતંત્ર થર્ડ પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ અભ્યાસને સ્વતંત્ર એથિક્સ કમિટી તરફથી પણ મંજૂરી મળી હતી.

ખાસ નોંધનીય છે કે, સુવર્ણપ્રાશનને આયુર્વેદમાં જટાકર્મ સંસ્કાર અથવા નવજાત શિશુ સંભાળ હેઠળના બાળકો માટે 16 આવશ્યક સંસ્કારોમાંના એક તરીકે વર્ણવવામાં આવ્યું છે. વાસુ સુવર્ણપ્રાશન ડ્રોપ્સમાં સુવર્ણ ભસ્મ, મધ અને વાચા, બ્રાહ્મી અને શંખપુષ્પી જેવા હર્બલ ઘટકોનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ પરંપરાગત રીતે પ્રતિરક્ષા, પાચન, શીખવાની ક્ષમતા અને ઊંઘને સપોર્ટ કરવા માટે થાય છે. આ ફોર્મ્યુલેશન, એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, દરેક ડોઝમાં આ ઘટકોની એક જેવી ડિલિવરી થઈ શકે.

1980 માં શરૂ થયેલી, વડોદરા સ્થિત વાસુ હેલ્થકેર, એ હર્બલ અને આયુર્વેદિક આરોગ્યસંભાળ ક્ષેત્રમાં જાણીતું નામ છે અને ભારતના આયુર્વેદ પ્રિસ્ક્રિપ્શન માર્કેટમાં ટોચની પાંચ બ્રાન્ડ્સમાં સામેલ છે. આ કંપની આયુર્વેદિક ફોર્મ્યુલેશન, હર્બલ કોસ્મેટિક્સ અને પર્સનલ કેરથી લઈને હર્બલ અને પોષણયુક્ત પ્રોડક્ટના ઉત્પાદન અને માર્કેટિંગ સાથે સંકળાયેલી છે. વાસુ હેલ્થકેર, સમગ્ર ભારતમાં અને 50 થી વધુ આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજરી ધરાવે છે, જેમાં 200+ સ્પેશિયલાઇઝ્ડ પ્રોડક્ટનો પોર્ટફોલિયો છે.

કંપની પાસે વડોદરામાં બે વર્લ્ડ ક્લાસ ઉત્પાદન સુવિધાઓ છે અને હાલમાં જ તેની ત્રીજી આયુર્વેદિક ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે, જે WHO ના આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર છે. આ નવી સુવિધા 2,00,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે.

શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે આયોજિત 1લી SGVS ચેસ માસ્ટર્સ કપ – 2026 ચેસ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

 

આ પ્રતિષ્ઠિત ચેસ ચેમ્પિયનશિપમાં યુવા, ઉદયમાન તેમજ અનુભવી ચેસ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેના પરિણામે સ્વસ્થ સ્પર્ધા અને રમતિયાળ ભાવનાનો ઉત્કૃષ્ટ માહોલ સર્જાયો.

સુરત – આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી મુકેશ ડી. પટેલ (ચેરમેન – ગુરુકૃપા ગ્રુપ) ઉપસ્થિત રહ્યા. તેમણે આયોજનકર્તાઓના પ્રયાસોની પ્રશંસા કરી તથા વિદ્યાર્થીઓમાં વ્યૂહાત્મક વિચારશક્તિ, શિસ્ત અને એકાગ્રતા વિકસાવવા માટે ચેસ રમતના મહત્વ પર ભાર મૂક્યો.

ચેમ્પિયનશિપનું આયોજન અંડર-7, અંડર-9, અંડર-11, અંડર-14 તેમજ ઓપન કેટેગરીમાં કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વય જૂથના ખેલાડીઓને સ્પર્ધાત્મક મંચ પ્રાપ્ત થયો. વિજેતાઓને કુલ ₹52,000ની રોકડ ઇનામ રકમ વિતરણ કરવામાં આવી. દરેક કેટેગરીમાં ઇનામ વિતરણ નીચે મુજબ રહ્યું:

• પ્રથમ સ્થાન – ₹2,000
• દ્વિતીય સ્થાન – ₹1,500
• તૃતીય સ્થાન – ₹1,000
• ચોથું સ્થાન – ₹800
• પાંચમું સ્થાન – ₹700

સમાવેશિતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ અનરેટેડ પ્લેયર, બેસ્ટ વેટરન પ્લેયર, બેસ્ટ મહિલા ખેલાડી તથા બેસ્ટ દિવ્યાંગ ખેલાડી માટે વિશેષ પુરસ્કારો રોકડ ઇનામ સાથે આપવામાં આવ્યા. ઉપરાંત, પ્રેરણાદાયી પ્રદર્શન બદલ મોસ્ટ વેટરન પ્લેયર તથા બેસ્ટ દિવ્યાંગ ખેલાડીને વિશેષ સન્માન આપવામાં આવ્યું.

છોકરીઓની ચેસમાં ભાગીદારી વધારવા માટે એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, દરેક કેટેગરીમાં ટોચની પાંચ બાળિકાઓને ટ્રોફી આપી તેમની કુશળતા અને સમર્પણને માન્યતા આપવામાં આવી.

સુરત, ગુજરાતની 7 વર્ષની ચેસ પ્રતિભા વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાને 26 ડિસેમ્બર 2025ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર – 2025થી સન્માનિત કરવામાં આવી હતી. તેમણે આ 1લી SGVS ચેસ માસ્ટર્સ કપ – 2026માં પણ ભાગ લીધો હતો અને પોતાની વય જૂથમાં તમામ મેચોમાં વિજય મેળવી નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ ખાતે આયોજિત આ 1લી SGVS ચેસ માસ્ટર્સ કપ – 2026નું સફળ આયોજન તથા મળેલો અભૂતપૂર્વ પ્રતિસાદ તેને એક ઐતિહાસિક કાર્યક્રમ બનાવે છે, જે ભવિષ્યના ચેસ ટૂર્નામેન્ટ માટે મજબૂત પાયો સ્થાપે છે.

वेदांता एल्युमिनियम ने लांजीगढ़ क्षेत्र में कैंसर जागरूकता अभियान का नेतृत्व किया

 

कलाहांडी  (ओडिशा), 09 फरवरी: भारत की सबसे बड़ी एल्युमीनियम उत्पादक कंपनी वेदांता एल्युमिनियम ने हाल ही में अपने लांजीगढ़ एल्युमिना रिफाइनरी के आसपास के क्षेत्र में दो दिव्य कैंसर जागरूकता अभियान का आयोजन किया है। इस पहल के माध्यम से ग्रामीण ओडिशा और छत्तीसगढ़ में नासिक के उपयुक्त कैंसर देखभाल के प्रति कंपनी की लंबी अवधि के दायरे को और रेशमी मिली। कैंसर से बचाव के तहत चलाए गए अभियान में प्रारंभिक पहचान और उपलब्ध उपचार के बारे में आवश्यक जानकारी दी गई, जिसमें 500 से अधिक लोग शामिल थे, जिनमें फ्रंटलाइन स्वास्थ्य मंत्रालय और छात्र भी शामिल थे। इस अभियान के तहत कांकेरी गांव में समुदाय-दर्शक जागरूकता कार्यक्रम आयोजित किया गया, जहां आध्यात्म ने वैज्ञानिकों से सीधे संवाद कर कैंसर की पहचान, उपचार और प्रशिक्षण से जुड़ी जानकारी प्राप्त की।

मेडिकल औषधालय को जमीनी स्तर के संपर्कों से नामांकित किया गया यह कार्यक्रम क्षेत्र के दूर-दराज के गांव तक जीवनरक्षक जानकारी नामांकन में सफल रहा। इसके अलावा, फ्रंटलाइन स्वास्थ्य मंडल, छात्रों और समुदाय के सदस्यों के लिए विशेषज्ञ विद्वानों द्वारा विशेष सत्र भी आयोजित किया गया। लांजीगढ़ ब्लॉक कार्यालय में उद्घाटन के साथ इस कार्यक्रम की शुरुआत हुई, इस कार्यक्रम में बेलवाड़ी शेयरधारकों और आशा ट्रस्ट के लिए जागरूकता सत्र का आयोजन किया गया।

इसमें प्राथमिक स्थानीय पुरातात्विक अकादमी तक भी शामिल हैं, जिनमें एसएसडी स्कूल और बनीपंगा गर्ल्स हाई स्कूल शामिल हैं। छात्रों को कैंसर के शुरुआती खुलासे और लंबे समय तक बेहतर स्वास्थ्य को प्रभावित करने वाले स्केल के बारे में उपदेश दिया गया। इस अभियान का उद्देश्य कैंसर को लेकर समाज में फोटो लेकर झिझक को दूर करना और विद्यार्थियों को अपने परिवार और गांव में स्वास्थ्य के प्रति जागरूकता पैदा करने के लिए प्रेरित करना था।

इस पर  वेदांता एल्युमिना बिग के सीईओ श्री प्रणब कुमार भट्टाचार्य  ने कहा,  “हम  पूरे विश्वास के साथ  मानते हैं कि गुणवत्ता पूर्ण स्वास्थ्य सेवाएं सामाजिक-आर्थिक प्रगति तक पहुंच का एक महत्वपूर्ण आधार है। वेदांता लांजीगढ़ में हम अपने आसपास के समुदाय के स्वास्थ्य कल्याण और सकारात्मक प्रभाव के लिए सुझाव देते हैं। कैंसर केयर से जुड़े तीन पहलों के माध्यम से हम कालाहांडी में  संपूर्ण  स्वास्थ्य स्तर को बेहतर और क्षेत्र के  समग्र  विकास में योगदान का प्रयास कर रहे हैं।”

इन सत्रों के माध्यम से स्पष्ट स्वास्थ्य देखभाल स्टोर को सामने लाया गया और वेदांता के अपने व्यावसायिक क्षेत्र में चिकित्सा सुविधाओं को मजबूत करने की छूट को खारिज कर दिया गया। लांजीगढ़ अस्पताल में उन्नत रोगी देखभाल और छत्तीसगढ़ स्थित बीएमसी सुविधा में स्नातक आधुनिक कैंसर उपचार सेवाओं के साथ, कंपनी जागरूकता से आगे की लंबी अवधि और ठोस स्वास्थ्य सुरक्षा सुनिश्चित की जा रही है। लांजीगढ़ के लोगों को सीधे चिकित्सकीय विशेषज्ञ तक पहुंच और आवश्यकता के बारे में उच्च स्तरीय मेडिकल एसोसिएशन, वेदांता पर यह सुनिश्चित करना है कि सामुदायिक कल्याण, ओडिशा के जन जातीय क्षेत्र में उनकी विकास यात्रा का एक मजबूत आधार बनाया जा रहा है।

સુરતમાં એમએસએમઇ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું આયોજન

 

સુરત: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના સુરત ક્ષેત્ર દ્વારા આજરોજ ગોપીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, કામરેજ ખાતે એમએસએમઇ ક્રેડિટ આઉટરીચ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય કાર્યકારી નિર્દેશક શ્રી મહેન્દ્ર દોહરે દ્વારા કરવામાં આવી.
આ અવસરે શ્રી એસ. કે. સરકાર, ઝોનલ હેડ, ગુજરાત રાજ્ય તેમજ શ્રી મનીષ વર્મા, ક્ષેત્રિય પ્રમુખ, સુરત પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિસ્તારના વિવિધ શાખા પ્રમુખો, એમએસએમઇ ઉદ્યોગકારો, ઉદ્યોગપતિઓ, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ તેમજ મંત્રાના અધિકારીઓએ આ કેમ્પમાં સક્રિય રીતે ભાગ લીધો હતો.

કાર્યક્રમને સંબોધતા શ્રી મહેન્દ્ર દોહરેએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે બેંક દેશભરમાં એમએસએમઇ આઉટરીચ કેમ્પનું આયોજન કરી રહી છે, જેનો હેતુ એમએસએમઇ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. તેમણે જણાવ્યું કે આવી પહેલથી ઉદ્યોગકારો અને બેંક વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત થાય છે, લોન મંજૂરી પ્રક્રિયા સરળ અને ઝડપી બને છે તેમજ એમએસએમઇ ક્ષેત્રને નવી ગતિ મળે છે.

કાર્યક્રમ દરમિયાન બેંકની વ્યવસાયકેન્દ્રિત તથા ગ્રાહકકેન્દ્રિત એમએસએમઇ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. આ આઉટરીચ કેમ્પ અંતર્ગત અંદાજે 247 કરોડના લોન પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા, જ્યારે આગામી એક મહિના દરમિયાન અંદાજે 172 કરોડના પ્રસ્તાવો મંજૂર થવાની મજબૂત સંભાવના છે. આ અવસરે 34 લાભાર્થીઓને 108 કરોડના મંજૂરી પત્રો અને ચેક વિતરણ કરવામાં આવ્યા, જેના કારણે ઉદ્યોગકારોમાં ઉત્સાહ અને વિશ્વાસ વધ્યો.

ઝોન સ્તરે, અમદાવાદ ઝોન દ્વારા ચાલી રહેલા અભિયાન દરમિયાન અંદાજે 1,100 કરોડના એમએસએમઇ લોન પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે, જે વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેંકની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ જ અવસરે માનનીય કાર્યકારી નિર્દેશક શ્રી મહેન્દ્ર દોહરે દ્વારા એલ. પી. સવાણી રોડ, અડાજણ, સુરત સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના નવા ક્ષેત્રિય કાર્યાલય પરિસરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.