Posts by: abhay_news_editor

પિતા વિહોણી ૧૩૩ “કોયલડી” દીકરીઓના ૨૦-૨૧ ડિસેમ્બરે લગ્ન

 

સર્વ ધર્મ, સર્વ જ્ઞાતિની દીકરીઓનું કન્યાદાન એક મંડપમાં થશે

• લગ્ન સમારોહના પ્રથમ દિવસ ૨૦ ડિસેમ્બરે શ્રેષ્ઠ સાસુઓના હસ્તે દીપપ્રાગટ્ય થશે
• વલ્લભભાઈ સવાણી, મહેશભાઈ સવાણીના જીવનચરિત્ર અને દીકરીના લાગણીસભર પત્રોના પુસ્તકનું વિમોચન થશે
• ૨૧ ડિસેમ્બરે જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાને પોતાના સ્વજનના અંગદાનની મંજૂરી આપનાર અંગદાતા પરિવારની માં, દીકરી, બહેન, પત્ની હસ્તે દીપપ્રાગટ્ય
• કરિયાવર આપવા પહેલા જ દંપતીના થેલેસેમિયાના ટેસ્ટ થયા
• દીકરીના ભાઈ નથી એમના જવતલ સવાણી પરિવારના દીકરા ભાઈ બની હોમશે
• સેવા સંગઠન પરિવારની એપ્લીકેશનું લોન્ચિંગ
સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા ૧૮ વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ સુધી ૫૫૩૯ દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણી પરિવારના શામિયાણાથી ૨૦ અને ૨૧ ડિસેમ્બર એમ બે દિવસમાં ૧૩૩ દીકરીઓનેસાસરે વળાવાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મનસુખભાઇ મંડવીયા, નીમુબહેન બાંભણીયા સહિત અનેક રાજકીય, સનદી, સામાજિક, ઉદ્યોગ જગતના મહાનુભાવો હજાર રહી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી આ દીકરીઓનું કન્યાદાન કરશે.

વિવાહ પાંચ ફેરાનાથી શરૂ કરીને આ વર્ષ “કોયલડી” નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પી.પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારોદીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે.  પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ ૫૫૩૯ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા ૧૮ વર્ષથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે. પી.પી. સવાણી પરિવારના લગ્ન સમારોહ જોઈને બીજા અનેક લોકો, સંસ્થા રાજ્યમાં અને રાજ્ય બહાર દીકરીઓના કન્યાદાનના સમારોહ યોજતી થઈ છે. ‘કોયલડી’ લગ્ન સમારોહની વિગત આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આજ સુધી અમે જ્ઞાતિ, ધર્મ, સમાજના વાડા તોડીને એક જ છત નીચે ૫૫૩૯ દીકરીઓનું કન્યાદાન કર્યું છે. સ્વસ્થ સમાજ માટે આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ ૩૭ જ્ઞાતિની ૪ રાજ્ય અને ૧૭ જિલ્લાની ૧૩૩ દીકરીને સાસરે વળાવીશું. મુસ્લિમ, ખ્રિસ્તી, હિન્દુ વિધિ મુજબ લગ્નતો થાય જ છે સાથે દલિત, આદિવાસીની દીકરી હોય કે બ્રાહ્મણ-જૈન પરિવારની દીકરી હોય અમારા આંગણે બધા એક જ છે, સાચા ભારતનું પ્રતિબિંબ તમને જોવા મળશે. 

મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે દીકરીનેમાત્ર કરિયાવર સાથે કન્યાદાન પૂરતું સીમિત નથી રાખતા. આટલી હજારો દીકરીઓની એક બાપ તરીકેની દરેક જવાબદારી નિભાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરતાં રહી છીએ. અમારા આ કાર્યમાં અનેક લોકોનો સહયોગ મળ્યો છે, અનેક દીકરી-માના આશીર્વાદ અમને આટલા વર્ષોમાં મળ્યા છે.  

કોયલડી લગ્નસમારોહમાં મુસ્લિમ ધર્મની દીકરી નિકાહવિધિથી તેમજ ખ્રિસ્તી અને હિન્દુ ધર્મની તમામજ્ઞાતિની દીકરીઓપોત-પોતાના રીત-રસમોસાથે લગ્નજીવનના પવિત્ર બંધનથી જોડાશે.આ લગ્ન મહોત્સવમાં સવાણી પરિવારના લાડકવાયા દીકરા મિતુલ, મોહિત,સ્નેહ, કુંજ, મોનાર્ક જે દીકરીઓના ભાઈઓ નથી તેમનેપોતાની સગી બહેનથી વિશેષ સમજી જવતલ હોમશે.

પી.પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે. અમારી દીકરી-જમાઈનું “સેવા સંગઠન” પણ બન્યું છે. આ એટલા માટે છે કે અમારી દીકરીની માતાને જે બાળકોના ઉછેર માટે જે તકલીફ પડી છે એ અમારી દીકરીને ન પડે એ માટે આ “સેવા સંગઠન” બનાવ્યું છે. ઈશ્વર નહી કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન એને આર્થિક સહાય કરે છે. સાથેજ એના બાળકના શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે. આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે. દીકરીને કોઈપણ પ્રકારની આર્થિક જરૂરિયાત માટે પણ સેવા-સંગઠન પ્રતિબધ્ધ છે.   
પી. પી. સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે 11,000 દીકરી–જમાઈઓનો વિશાળ પરિવાર બની ગયો છે. હવે સેવા સંગઠનની મોબાઈલ એપ્લિકેશનમાં ડોક્ટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ, માર્ગદર્શન ટીમ જેવી વિવિધ સેવા આપતી ટીમોની સંપૂર્ણ માહિતી મળશે. કોઈપણ જરૂરી મદદ માટે સીધો સંપર્ક આ એપ્લિકેશન દ્વારા નજીકમાં રહેતા દીકરી–જમાઈની માહિતી પણ તરત મળી રહેશે. આ એપ્લિકેશનમાં તમે સભ્ય પોતાના બિઝનેસની માહિતી પણ મૂકી શકે છે જેથી બિઝનેસનો વિકાસ થશે. સેવા સંગઠનના સભ્યો તમામ કાર્યક્રમોની અપડેટ્સ, એપ્લિકેશન મારફત નિયમિત રીતે મળી રહેશે. સેવા સંગઠનના ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર સરળતાથી તમામ માહિતી અને લાભ મેળવી શકે એવા શુભ આશયથી સેવા સંગઠન એપ્લીકેશનનું લોન્ચિંગ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે થનાર છે

કોયલડી લગ્ન સમારોહની શરૂઆત રવિવાર ૧૩ ડિસેમ્બરના દિવસે યોજાયેલા રાસ-ગરબાથી થઈ ચૂકી છે. આ વર્ષે ગુજરાતની છ લોકપ્રિય ગાયિકાઓ અલ્પા પટેલ, પ્રિતી પાઠક, નેહા કુંભાણી, સંગીતા પટેલ, અપેક્ષા પંડયા અને સોનલ બારોટ કોયલડીના ટાઇટલ ટ્રેક ગીત બનાવ્યા છે. ઉર્વશી રાદડિયા અને વિવેક સાંસલાએ વર-કન્યા પરિવારને ગરબે ઘુમાવ્યા હતા સંગીત સમરોહના મુખ્ય મહેમાન તરીકે સુરત, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, સુરત રેન્જ આઇજી શ્રી પ્રેમવિર સિંહ, સુરત, એસપી શ્રી રાજેશભાઈ ગઢિયા ઉપસ્થિત રહ્યા હતા.

તારીખ ૧૮મી ડિસેમ્બરના રોજ ૯ મહિલા આઇપીએસ, બે મહિલા આઈએએસ, ૪ આઇપીએસ અને આઈએએસની અને ત્રણ સમાજ અગ્રણીની પત્નીની હાજરીમાં મહેંદી રસમ યોજાશે. મનીષ વઘાસિયા, અંકિતા મૂલાણી, ડૉ. જય વશી જેવા મોટીવેશનલ વક્તા વર અને કન્યા બંને પરિવાર સાથે સંવાદ પણ સાધશે આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિનીબેન અગ્રવાલ, ડીડીઓ શ્રીમતી શિવાનીબેન ગોયલ, મહિલા આઇપીએસ અધિકારી સુશ્રી શૈફાલીબેન બરવાલ, સુશ્રી ડો. નિધિબેન ઠાકુર, સુશ્રી બિશાખાબેન જૈન, સુશ્રી અનુપમબેન, સુશ્રી પન્નાબેન મોમૈયાની સાથે જીપીએસ કેડરના સુશ્રી કાનનબેન દેસાઇ, સુશ્રી જુલીબેન કોઠિયા, સુશ્રી ભક્તિબેન ડાભીની સાથે જ મહિલા અગ્રણીઓ શ્રીમતી સંધ્યાસિંઘ ગેહલોત, શ્રીમતી રાગીનીબેન પારધીશ્રીમતી ચિત્રા પ્રેમવીર સિંહ, શ્રીમતી હર્ષાબેન ગઢિયા, શ્રીમતી જીયાબેન શૈલેશભાઈ પરમાર, શ્રીમતી તૃપ્તિબેન દેસાઈ, શ્રીમતી પલ્લવીબેન ઘેલાણી, શ્રીમતી હર્ષાબેન પટેલ હાજર રહી દીકરીની મહેદી રસમમાં સહભાગી થયા હતા અને માતૃત્વની હૂંફ પૂરી પાડી હતી. 

ત્રણ પુસ્તકનું પદ્મશ્રીઓના હસ્તે વિમોચન
શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જનાર સેવાના ભેખધારી પી.પી.સવાણીગ્રુપના મોભી શ્રી વલ્લભભાઈ પી.સવાણીનાં જીવન કવન પર લેખકશ્રી શૈલેષભાઈ સગપરિયા દ્વારા લખાયેલ પુસ્તક “આરોહણ” અને પિતા વિહોણી હજારો દીકરીઓના પાલકપિતાશ્રી મહેશભાઈ વી.સવાણીના જીવન ઉપર લેખકશ્રી ડૉ. જીતેન્દ્રભાઈ અઢિયા દ્વારા લખાયેલ પુસ્તક “પ્રેરણામૂર્તિ” તેમજ આ લગ્નોત્સવમાં જોડાયેલ દીકરીઓના જીવનની સંવેદનનાનુંપુસ્તક “કોયલડી”નાસંયુક્ત વિમોચન પદ્મશ્રી કનુભાઈ ટેલર, મથુરભાઈ સવાણી, ભીખુદાન ગઢવી, ડૉ. વિષ્ણુભાઈ પંડયા, અબ્દુલ ગફુર ખત્રી, શાહબુદ્દીનભાઈ રાઠોડ, યઝદીભાઈ કરંજિયા, શ્રીમતી રમીલાબેન ગામીત, સવજીભાઈ ધોળકીયા, પરેશભાઈ રાઠવા, ડૉ. જગદિશભાઈ ત્રિવેદી, ડૉ. યઝદી ઇટલીયાના હસ્તે થશે.

દીકરીઓને હનીમૂન અને માતા-સાસુને ધાર્મિક યાત્રા
પી.પી.સવાણી પરિવારના આંગણે લગ્ન કરનારી દરેક દીકરીને દરવર્ષે લગ્ન પછી કુલ્લુ-મનાલી હનીમૂન માટે મોકલે છે. આ કાર્યમાં ફારુકભાઈ પટેલનું કે.પી. ગ્રુપ પણ સહયોગી બન્યું છે. દરેક દીકરી-જમાઈ સાથે સમૂહમાં હનીમૂન ઉપર જાય છે એની પાછળ ચોક્કસ વિચાર રહેલો છે. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિના દીકરી-જમાઈ એક સાથે પ્રવાસ કરે, ૧૦-૧૫ દિવસ સાથે ગાળે તો એમને એકબીજાને સમજવાની તક મળે, મિત્રતા અને પરિવારની ભાવના કેળવાઈ. વિભિન્ન ધર્મ અને જ્ઞાતિ અંગે વિગત મળે અને એના પ્રત્યે સન્માન થાય એ શુભ ભાવનાથી લગ્ન કરનાર નવદંપતીને હનીમૂન ઉપર સાથે જ મોકલવામાં આવે છે.
એ જ ક્રમમાં લગ્નથી જોડાયેલા બંને પરિવારની માતા પણ એકબીજાને સમજે, એકબીજાનો આદર કરે, કુટુંબભાવના જાગે એ માટે લગ્ન પછી દીકરા-જમાઈની માતા એટલે કે બંને વેવાણને સાથે આ વર્ષે આયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણના છપૈયાની ધાર્મિક યાત્રાએ જશે, તેમજ મુસ્લિમ દીકરી જમાઈ ૧૫ દીવસની ઉમરાહ (મકા-મદીના) હજ માટે પી.પી. સવાણી અને કે.પી. ગ્રુપ સંયુક્ત રીતે આ સમગ્ર પ્રવાસનું આયોજન કરશે અને ખર્ચ પણ ઉપાડશે.

લગ્ન પહેલા થેલેસિમિયા ટેસ્ટ ફરજિયાત
દંપતીની કુંડળી કરતાં પણ જરૂરી છે કે એમના લોહી મળે. થેલેસેમિયા અને સિકલ સેલ ધરાવતા દંપતીના લગ્ન થાય તો એમના સંતાનને પણ આ રોગ વારસામાં મળવાની શક્યતા રહે છે આ જોખમ આવનાર સંતાન ઉપર ન રહે અને દંપતીનું જીવન સ્વસ્થ રહે એ માટે લગ્ન કરનાર દરેક દંપતીના થેલેસિમિયા માટે લોહીની તપાસ કરવામાં આવી છે. આ તપાસ પછી જ કરિયાવર આપીને લગ્નની શરૂઆત થઈ હતી

ઘર નજીક લગ્નની અનુકૂળતા
ભાવનગર અને અમરેલી જિલ્લાની ૨૨ દીકરીઓના લગ્ન અમરેલી જિલ્લાના મેકડા ગામે યોજાયેલા એક સમૂહલગ્નમાં કરવામાં આવ્યા છે. આ એવી દીકરીઓ હતી જેમને અમરેલી-ભાવનગરથી સુરત સુધી આવવું પણ તકલીફ હતી. એવી જ એક દીકરીનું કન્યાદાન ગારીયાધાર ખાતે પણ કરવામાં આવ્યા હતા. બંને જગ્યાએ કન્યાદાન માટે ખુદ મહેશભાઈ સવાણી હાજર રહ્યા હતા.

ગ્રીનમેન વિરલ દેસાઈએ સતત ત્રીજી વખત રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર જીત્યો!

 

નવી દિલ્હી: ગુજરાતના જાણીતા પર્યાવરણવિદ અને ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈને નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસ્કાર (NECA)થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રી દેસાઈએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.

ઊર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષામાં તેમના અસાધારણ યોગદાન બદલ આ તેમનો સતત ત્રીજો ગોલ્ડન ટ્રોફી અને કુલ છઠ્ઠો રાષ્ટ્રીય પુરસ્કાર છે. “ગ્રીનમેન” તરીકે જાણીતા વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સે ઊર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે અદ્યતન પદ્ધતિઓ અપનાવવા બદલ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે. નોંધનીય છે કે તેમણે આ પુરસ્કાર માટે દેશની અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરી હતી.

તેમના પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતા મર્યાદિત નથી. વિરલ દેસાઈએ અત્યાર સુધીમાં ગુજરાતમાં સાત સુંદર અર્બન ફોરેસ્ટ વિકસાવ્યા છે, જે શહેરી વિસ્તારોમાં હરિયાળી વધારવામાં અને જૈવવિવિધતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ સિદ્ધિ પર પોતાનો આનંદ વ્યક્ત કરતા વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘આ પુરસ્કાર માત્ર મારા માટે કે મારી કંપની માટે નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યે સમર્પિત દરેક વ્યક્તિ માટે છે. ઊર્જા સંરક્ષણ સમયની તાતી જરૂરિયાત છે, અને પર્યાવરણને બચાવવાનો મારો સંકલ્પ વધુ મજબૂત થશે. આ સન્માન મને ‘સ્વચ્છ અને હરિયાળા’ ભવિષ્ય તરફ કામ કરવા માટે વધુ પ્રેરિત કરે છે.’

તેમને વર્ષ ૨૦૧૯, ૨૦૨૨ અને આ વખતે ૨૦૨૫ એમ સતત ત્રીજી ગોલ્ડન ટ્રોફી એનાયત થઈ છે. તો સતત બીજી વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો છે. તેમની આ સિદ્ધિથી સુરત તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.

કેપી ગ્રુપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 36 હજાર કરોડનુ રોકાણ કરશે

 

માતર, વડોદરા, ભારત- 17 ડિસેમ્બર: રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઊર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપે રિપબ્લિક ઓફ બોત્સ્વાના સરકાર સાથે આજે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ એમઓયુ કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ બની રહેશે અને વર્ષ 2030 સુધી બોત્સ્વાનાને નેટ-ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે. કેપી ગ્રુપ અને બોટ્સવાના પ્રજાસત્તાકની સરકાર વચ્ચે થયેલ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) ભારતની માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના બોટ્સવાના પ્રવાસ બાદ લેવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે.

આ સમજૂતી કરાર પર બોત્સ્વાનાના ખનિજ અને ઊર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કેપી ગ્રુપમાં સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓ કેપીઆઇ ગ્રીન એનર્જી લિમિટેડ, કેપી એનર્જી લિમિટેડ, અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિતની 43 કંપનીનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી તેમજ તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના આયોજન, વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ બોત્સ્વાનાની ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનો અને તેને આ ક્ષેત્રમાં સ્વચ્છ ઊર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરવાનો છે.

એમઓયુ હેઠળ, કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ માટે સાથે મળીને કામ કરશે, જેના માટે અંદાજે $૪ બિલિયન (આશરે ₹૩૬,૦૦૦ કરોડ) ના મૂડી રોકાણની જરૂર પડશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સમાં યુટિલિટી-સ્કેલ સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. ગ્રિડની સ્થિરતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ પણ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી બોત્સ્વાનાની કુલ રિન્યુએબલ એનર્જી ક્ષમતા લગભગ 5 ગીગાવોટ સુધી વધારવામાં મદદ મળશે.

સાથે જ, આ સમજૂતી અંતર્ગત બોત્સ્વાનામાં હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનોના અપગ્રેડ અને નવી લાઇનોના નિર્માણની પણ યોજના છે. ઉપરાંત, દક્ષિણ આફ્રિકા સહિત પડોશી દેશો સાથેના વીજ આંતરજોડાણોને મજબૂત બનાવી પ્રાદેશિક વીજ ટ્રાન્સમિશનને સક્ષમ બનાવવાનો ઉદ્દેશ પણ રાખવામાં આવ્યો છે.

વધુમાં, આ સહયોગના ભાગરૂપે, કેપી ગ્રુપ બોત્સ્વાનાના વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, સસ્ટેનેટિબિલિટી અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક 30 શિષ્યવૃત્તિઓ પુરી પાડશે. આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક ક્ષમતાનું નિર્માણ કરવાનું, નોલેજ ટ્રાન્સફરને પ્રોત્સાહન આપવાનું અને બોત્સ્વાનાના યુવાનોને દેશના સ્વચ્છ ઉર્જા પરિવર્તનમાં સક્રિયપણે ભાગ લેવા માટે સશક્ત બનાવવાનો છે.

બોત્સ્વાના સરકારના ખનિજ અને ઊર્જા મંત્રી માનનીય બોગોલો જોય કેનેવેન્ડોએ જણાવ્યું હતું કે, “આ સમજૂતી કરાર બોત્સ્વાનાની ટકાઉ, સુરક્ષિત અને વૈવિધ્યસભર ઊર્જા ભવિષ્ય તરફની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કેપી ગ્રુપ જેવી અનુભવી આંતરરાષ્ટ્રીય રિન્યુએબલ એનર્જી કંપની સાથે ભાગીદારી દ્વારા બોત્સ્વાના સ્વચ્છ ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસ, પ્રાદેશિક વીજળી જોડાણોને મજબૂત બનાવવા અને દેશ માટે લાંબા ગાળાની આર્થિક તથા પર્યાવરણીય લાભો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.”

આ અંગે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન-એમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી. પટેલ એ જણાવ્યું હતું કે, “આ એમઓયુ દ્વારા સસ્ટેનેબલ રિન્યુએબલ ઉકેલો દ્વારા ઊર્જા પરિવર્તનને ઝડપ આપવા માટે કેપી ગ્રુપ અને બોત્સ્વાના સરકારની સંયુક્ત પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. બોત્સ્વાનામાં સોલાર અને વિન્ડ એનર્જીની વિશાળ સંભાવનાઓ છે અને આ તકને સાકાર કરવા માટે સરકાર સાથે ભાગીદારી કરવી અમારા માટે ગૌરવની બાબત છે. અમે 2030 સુધી બોત્સ્વાનાની નેટ-ઝીરો યાત્રામાં ભાગીદારી આપવા સાથે મહત્વપૂર્ણ રોકાણો અને સ્વચ્છ ઊર્જાની પ્રાદેશિક નિકાસ દ્વારા લાંબા ગાળાનું આર્થિક મૂલ્ય સર્જવાનો પણ ઉદ્દેશ રાખીએ છીએ.”

આ સમજૂતીના ભાગરૂપે, કેપી ગ્રૂપ ટેકનિકલ અને વ્યાવસાયિક વિકાસ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરશે, જેમાં ફિઝિબિલિટી, પ્રોજેક્ટ ડિઝાઇન, ફાઇનાન્સિંગ, બાંધકામ, કમિશનિંગ તેમજ રિન્યુએબલ એનર્જી અને સ્ટોરેજ એસેટ્સનું લાંબા ગાળાનું ઓપેરેશન-મેઈન્ટેનન્સ સામેલ છે. બીજી તરફ, બોત્સવાના સરકાર પ્રોજેક્ટ્સ માટે નીતિગત અને નિયમનાત્મક સહાય પૂરી પાડશે, પરવાનગીઓ અને મંજૂરી પ્રક્રિયાને સુગમ બનાવશે, જમીન ઉપલબ્ધતા અને ટ્રાન્સમિશન આયોજનમાં સહયોગ આપશે અને રાષ્ટ્રીય યુટિલિટીઝ તથા નિયમનકારો સાથે સંકલન સુનિશ્ચિત કરશે.

આ કરાર બોત્સવાનાની ઊર્જા મિશ્રણમાં વૈવિધ્ય લાવવાની અને ફોસિલ ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. કેપી ગ્રૂપ માટે આ સહકાર ભારતની બહાર તેની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં તેની ઉપસ્થિતિ અંગેનું એક વ્યૂહાત્મક વિસ્તરણ પગલું છે.

ઉલ્લેખનીય છે કે, કેપી ગ્રુપનો આજદીન સુધી ભારતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 6 ગીગાવોટનો પોર્ટફોલિયો છે અને તે વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. ગ્રીન હાઈડ્રોજન-એમોનિયા ક્ષેત્રે, બેટરી એનર્જી સ્ટોરેજ, ઓફશોર અને ફલોટિંગ સોલાર ક્ષેત્રે પણ કેપી ગ્રુપ પદાપર્ણ કરી ચુક્યું છે. માતરમાં કેપી ગ્રુપની 45 એકરમાં સ્ટેટ ઓફ આર્ટ ફેબ્રિકેશન-ગેલ્વેનાઈઝીંગ ફેસેલિટી છે અને અહીં એશિયાની સૌથી મોટી ગેલ્વેનાઈઝીંગ કેટલ પણ તેણે ઈન્સ્ટોલ કરી છે.

પોઈન્ટર :
પાંચ ગીગાવોટનો રિન્યુએબલ પ્લાન્ટ કેપી ગ્રુપ ઈન્સ્ટોલ કરશે
36000 કરોડનું કુલ રોકાણ બોત્સવાનામાં કરશે.
છથી સાત હજાર રોજગારીનું સર્જન પ્રોજેક્ટ ઈન્સ્ટોલેશન દરમિયાન થશે
1500 લોકોને 25 વર્ષ સુધી કાયમી રોજગાર મળશે
કેપી ગ્રુપ બોત્સ્વાનાના 30 વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, સસ્ટેનેટિબિલિટી અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક 30 શિષ્યવૃત્તિઓ પુરી પાડશે.
10 હજારથી વધુ હાઉસ હોલ્ડને વીજળી પુરી પાડી શકાશે
25000 એકર જમીન પ્રોજેક્ટ માટે જરૂર પડશે.
7000 કરોડની ટોપલાઈન કેપી ગ્રુપની આ આઈપીપી પ્રોજેક્ટ બાદ વધશે અને મોટાભાગનું નાણું ભારતમાં આવશે અને બોસ્ટવાનાને ટ્રાન્સમિશન કોષ્ટ મળશે
કેપી ગ્રુપનું સ્કેલઅપ વિશ્વ કક્ષાએ થશે અને વર્ષ 2030 સુધીમાં નેશનલ-ઈન્ટરનેશનલ મળીને 31000 કરોડની રેવન્યુ એચિવ થવાની સંભાવના

નેચર’સ નિર્વાણ 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કલા, મૂલ્યો અને પર્યાવરણિક સમન્વયનું મંત્રમુગ્ધ કરતું ઉત્સવ

 

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલે પોતાનો ભવ્ય વાર્ષિક કાર્યક્રમ નેચર’સ નિર્વાણ 2025 નું આયોજન સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આનંદ, સર્જનાત્મકતા અને પ્રેરણાથી ભરપૂર વાતાવરણમાં ગર્વપૂર્વક કર્યું. આ અદભૂત કાર્યક્રમ શાળાની સર્વાંગી શિક્ષણ, કલાત્મક ઉત્તમતા અને મૂલ્યઆધારિત શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો જીવંત પુરાવો બન્યો, જેને માતા-પિતા, મહેમાનો તથા ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા ઊંચી પ્રશંસા પ્રાપ્ત થઈ.

આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં શાળાના માનનીય ચેરમેન ડૉ. વી. કે. શર્મા તથા આશા મેડમની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો. તેમનું પ્રોત્સાહન અને માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું શક્તિશાળી સ્ત્રોત બન્યું, જે સમગ્ર કાર્યક્રમમાં ઉષ્મા અને ઉદ્દેશ્યનો સંચાર કરતું રહ્યું.

નેચર’સ નિર્વાણ ની થીમને અનુરૂપ સુવિચારિત રજૂઆતોની શ્રેણી દ્વારા માનવ અને પ્રકૃતિ વચ્ચેના ગાઢ સંબંધને અત્યંત સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો. મધુર સંગીત રજૂઆતો, મનોહર નૃત્યો, પ્રભાવશાળી નાટ્ય રજૂઆતો અને દૃશ્યાત્મક વાર્તાકથન દ્વારા દરેક પ્રદર્શન માં સર્જનાત્મકતા, શિસ્ત અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ સ્પષ્ટ દેખાઈ. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને સ્ફૂર્તિએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા અને સમગ્ર ઓડિટોરિયમ તાળીઓના ગજગજાટથી ગુંજી ઉઠ્યું.

સભાને સંબોધતાં ડૉ. વી. કે. શર્માએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અસાધારણ પ્રયત્નોની પ્રશંસા કરી અને શૈક્ષણિક ઉત્તમતા સાથે સર્જનાત્મકતાના પોષણના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે આવા ભવ્ય મંચો આત્મવિશ્વાસી, સંવેદનશીલ અને જવાબદાર વૈશ્વિક નાગરિકોના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આશા મેડમએ યુવા કલાકારોની નિષ્ઠા, ઊર્જા અને કલાત્મક અભિવ્યક્તિની દિલથી પ્રશંસા કરી.

શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પર ગૌરવ વ્યક્ત કરતાં જણાવ્યું કે નેચર’સ નિર્વાણ 2025 માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, ટીમ વર્ક અને આત્મઅભિવ્યક્તિના મૂલ્યોને વિકસાવતી એક અર્થપૂર્ણ યાત્રા હતી. તેમણે માતા-પિતાના સતત સહયોગ અને વિશ્વાસ માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

કાર્યક્રમનું સુચારુ અને સફળ આયોજન શિક્ષણ અને ગેર-શિક્ષણ સ્ટાફના અવિરત પરિશ્રમ, સુક્ષ્મ આયોજન અને ઉત્તમ સમન્વયનું પ્રતિબિંબ હતું. માતા-પિતા અને મહેમાનોએ દરેક બાળકની પ્રતિભા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાને વિકસાવતું મંચ પૂરું પાડવા બદલ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની ભવ્ય પ્રશંસા કરી.

આ સાંજ પ્રેરણાદાયક અને ઉજવણીસભર માહોલમાં સમાપ્ત થઈ, જે સૌના હૃદયમાં અવિસ્મરણીય યાદો અને નવી દિશાનો સંકલ્પ છોડી ગઈ. નેચર’સ નિર્વાણ 2025 એકતા, મૂલ્યો અને કલાત્મક ઉત્તમતાનો ભવ્ય ઉત્સવ તરીકે હંમેશા યાદ રહેશે, જે શિક્ષણમાં ઉત્તમતા માટે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની દ્રષ્ટિને પુનઃસ્થાપિત કરે છે.

પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : સુરતમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન

 

ડિસેમ્બર, 2025: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે.  આપણા શહેર સુરતમાં ફરી યોજવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન તા. 20 અને 21 ડિસેમ્બરના રોજ સુરત મેરિયોટ હોટેલ ખાતે યોજાશે. 

એક્ઝિબિશનમાં આવનાર લોકો માટે સેફટી અને સિક્યુરિટી માટેની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલ ની પસંદગી કરવાની હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી. 

પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર 22  વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની વાત હતી. જેથી તેમના બાળકના ભવિષ્યને વધુ સુંદર બનાવી શકાય. વિવેક શુક્લા – ડિરેક્ટર અને સીઈઓ, અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ.  એ આઈઆઈપીએસઈ પાછળના વિચાર અંગે કહ્યું હતું, ‘તમારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દૃષ્ટિએ મુશ્કેલ નિર્ણય  છે.. અમને આશા છે કે સુંદરતમ ઈન્ડિયન ડે, રેસિડેન્શીઅલ અને ઈન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવીને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે.’

તમામ વાલીઓ કે જેઓ ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સના હેડ તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે, તેઓ પોતાના કન્સેપ્ટ્‌સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે અને ‘સ્પોટ કાઉન્સેલિંગ’ અને ‘સ્પોટ એડમિશન્સ ઓફર્સ’નો લાભ લઈ શકશે. સ્કુલ્સ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે.

30 થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ ભાગ લેવા જઈ રહી છે જેમાં સુરત  સાથે દેહરાદૂન, બેંગલોર, હૈદરાબાદ ,મસૂરી, અમદાવાદ, નાસિક,રાજકોટ,રાજસ્થાન,કોઈમ્બતુર,ગ્વાલિયર, રાયપુર,ગાંધીનગર અને ભારતના બીજા જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે. ‘પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન’ ખાતે સામેલ થનારી સ્કૂલ્સ બોર્ડિંગ સુવિધાઓ ધરાવે છે અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. આઇબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઇસીએસઇ અને ગુજરાત બોર્ડમાંથી અલગ અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા-પિતા પાસે વિશાળ વિકલ્પ હશે.

વેબ બ્રાઉઝર્સ અને સર્ચ એન્જિન્સના યુગમાં, માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય હોતું નથી અથવા તો જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે.

 પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે પણ તેઓ સ્કૂલ્સ ના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ્સ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબો તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલ્સમાં સ્પોટ એડમિશન્સની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેની યોગ્ય તક છે.

 વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સ માં પોતાની સારસંભાળ જાતે લેવાનું શીખે છે અને પોતાના કામોની જવાબદારી સમજતા થાય છે અને એ રીતે વિદ્યાર્થીઓ સેલ્ફ બિલિફ, પુખ્તતા અને આત્મ નિર્ભરતા સાથે  પોતાનો વ્યક્તિગત વિકાસ વધુ સારી રીતે કરી શકે છે. સામાજિક,સાંસ્કૃતિક તેમજ રાષ્ટ્રીય બેકગ્રાઉન્ડસમાં વિવિધતા ધરાવતા વિદ્યાર્થીઓ બોર્ડિંગ સ્કૂલ્સમાં વિદ્યાર્થીઓને વધુ કોસ્મોપોલિટન આઉટલૂક વિકસાવવામાં મદદ કરે છે. સ્પોર્ટસ, એકેડેમિક્સ, એનરિચમેન્ટ, સુવિધા અને સુપરવિઝનમાં ઉત્કૃષ્ટતાના સુવ્યવસ્થિત પેકેજ અગ્રણી બોર્ડિંગ સ્કૂલ્સ દ્વારા ઓફર કરાય છે અને જેના કારણે વાલીઓને ખૂબ ઉમદા વિકલ્પો મળી રહે છે.

આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમ  કે, યુનિસન વર્લ્ડ સ્કૂલ- દેહરાદૂન, વિદ્યા દેવી જિંદાલ સ્કૂલ – હિસાર, દિલ્હી પબ્લિક સ્કૂલ – નાસિક, માન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ – હૈદરાબાદ, મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ, ધ પેસ્ટલ વીડ સ્કૂલ – દેહરાદૂન, 10x ઇન્ટરનેશનલ સ્કૂલ – બેંગલુરુ, ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલ – પુણે,  બી.કે. બિરલા સેન્ટર ફોર એજ્યુકેશન – પુણે, માન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ – હૈદરાબાદ, સંસ્કૃતિ……… ધ સ્કુલ – અજમેર વગેરે.

દરેક આવનાર પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઈન્ફર્મેટિવ સેમિનાર નું આયોજન કરવામાં આવે છે, જેમાં બોર્ડિંગ સ્કૂલમાં એડમિશન લીધા પછી પોતાના જીવન દરમ્યાન એ કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી, કેમ્બ્રિજ, આઈસીએસઇ અને સીબીએસઈ  વિશે ચોક્કસ માહિતી પુરી પાડવામાં આવશે.

આ એક્ઝિબિશન ભારત, થાઈલેન્ડ, યુએઈ,ઓમાન,બાંગ્લાદેશ અને નેપાળ સાથે 13 શહેરોની મુલાકાત લે છે અને તેનું આયોજન અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઈઝર છે તેના દ્વારા થાય છે.

વધુ માહિતી માટે https://premierschoolsexhibition.com/surat /ની મુલાકાત લઇ શકાય છે.

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે ભરૂચમાં શરૂ કર્યું નવું કેમ્પસ

 

ગુજરાતમાં નેટવર્કનું 22મું શૈક્ષણિક સંકુલ

ભરૂચ, 12 ડિસેમ્બર 2025: શિક્ષણના ક્ષેત્રે પોતાના સમૃદ્ધ વારસાને આગળ વધારતા પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલે આજે ગુજરાતમાં તેની 22મી શાળાનું ઉદ્ઘાટન કર્યું. તુલસી ચોક નજીક, ગેઇલ ટાઉનશીપની પાછળ, શ્રાવણ ચોકડી, ભરૂચ ડાહેજ બાયપાસ રોડ, ભરૂચ – 392012 ખાતે સ્થિત આ શાળા વિદ્યાર્થીઓ માટે મજબૂત શૈક્ષણિક પાયો સ્થાપિત કરવા માટે સમર્પિત છે. પાઠ્યક્રમમાં ટેકનોલોજીને નિરંતર સમાવીને અને નવીનતા-આધારિત વિચારસરણીને પ્રોત્સાહન આપીને, આ સંસ્થા આવતીકાલના લીડર તૈયાર કરવા કટિબદ્ધ છે. પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલની ભરૂચ અથવા અંકલેશ્વરમાં કોઈ અન્ય શાખા નથી.

પ્રારંભિક તબક્કામાં, શાળા પ્રી-પ્રાઇમરી અને ધોરણ 5 સુધીની પ્રાથમિક કક્ષાઓ માટે પ્રવેશ આપી રહી છે, અને દર વર્ષે એક ધોરણ ઉમેરીને વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. તેના નવીન પાઠ્યક્રમ અને શિક્ષણ પ્રત્યેના સર્વાંગી અભિગમ સાથે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલનો હેતુ ટેકનોલોજીને નવીનતા-આધારિત વિચારસરણી સાથે જોડીને ભાવી પેઢીના લીડર્સનું સર્જન કરવાનો છે.

આ પ્રસંગે શ્રી વિશાલ શાહ (ચીફ માર્કેટિંગ ઓફિસર, પોદાર એજ્યુકેશન નેટવર્કે) એ જણાવ્યું હતું કે “અમે આ શરૂઆત સાથે ગુજરાતમાં અમારી 22મી શાળાના ઉદ્ઘાટનની જાહેરાત કરતાં આનંદિત છીએ અને અમને વિશ્વાસ છે કે રાજ્યમાં અમારી હાલની હાજરી, અમારા મજબૂત શૈક્ષણિક ટ્રેક રેકોર્ડ, નવીન શિક્ષણ પદ્ધતિઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની અટૂટ પ્રતિબદ્ધતાના આધારે, અમે અહીં પણ સમાન સફળતા હાંસલ કરીશું. આ પહેલને વાસ્તવિકતા બનાવવામાં તેમના અમૂલ્ય સહયોગ બદલ અમે રાજ્ય અને સ્થાનિક વહીવટીતંત્રનો આભાર માનીએ છીએ. અમે માતા-પિતાને ખાતરી આપીએ છીએ કે અત્યાધુનિક પાઠ્યક્રમ, વિશ્વ કક્ષાની ટેકનોલોજી, ઉચ્ચ ગુણવત્તાવાળા માળખાકીય સુવિધાઓ અને સૌથી મહત્વપૂર્ણ, સુશિક્ષિત અને અનુભવી શિક્ષકોની ટીમ સાથે, અમે તેમના બાળકોને તેમના સપનાઓને અનુસરવા અને જીવનમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરવા સશક્ત બનાવીશું.”

શેઠ આનંદીલાલ પોદાર દ્વારા 1927માં સ્થાપિત, પોદાર એજ્યુકેશન નેટવર્ક 98 વર્ષથી વધુ સમયથી ભારતીય શિક્ષણ ક્ષેત્રમાં અગ્રણી રહ્યું છે. પ્રામાણિકતા, નિષ્ઠા અને સેવાના પરંપરાગત ભારતીય મૂલ્યો દ્વારા માર્ગદર્શિત, આ સંસ્થા શિક્ષણમાં ઉત્કૃષ્ટતાને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે. નોંધનીય રીતે, મહાત્મા ગાંધી આનંદીલાલ પોદાર ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ તરીકે સેવા આપી હતી, જે રાષ્ટ્ર પ્રત્યે સંસ્થાની ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

આજે, પોદાર એજ્યુકેશન નેટવર્કમાં સમાવેશ થાય છે:
સંસ્થા દ્વારા સંચાલિત 150 પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ્સ
123 પોદાર પાર્ટનર સ્કૂલ્સ
2,50,000થી વધુની સંયુક્ત વિદ્યાર્થી સંખ્યા
8,000થી વધુ સ્ટાફ સભ્યોની સમર્પિત ટીમ દ્વારા સમર્થિત

શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ હવે ખુલ્લા છે. પોદારની વારસામાં જોડાઓ અને વિશ્વસ્તરીય શિક્ષણ સાથે તમારા બાળકના ભવિષ્યને સશક્ત બનાવો.

અમારી પ્રવેશ કચેરીએ મુલાકાત લો:
શોપ નં. 5-6, શ્યામ વિલા કોમ્પ્લેક્સ, નાગોરી ડેરી નજીક, ધ ક્રોમા એક્રોપોલિસ સામે, ભરૂચ દાહેજ બાયપાસ રોડ, ભરૂચ 392012

વધુ વિગતો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો:
www.podareducation.org

કલામંદિર જ્વેલર્સે પોતાનું વચન પૂર્ણ કર્યું: તેની સિલ્વર બુકિંગ પહેલ દ્વારા નોંધપાત્ર પરિણામો આપ્યા

 

થોડા દિવસો પહેલા, કલામંદિર જ્વેલર્સે તેની ગ્રાઉન્ડબ્રેકિંગ સિલ્વર બુકિંગ ઓફર રજૂ કરી હતી. ચાંદીના વધતા પ્રીમિયમ ખરીદદારો માટે અનિશ્ચિતતાનું કારણ બને છે ત્યારે ખૂબ જ અસ્થિર બુલિયન બજાર વચ્ચે, કલામંદિર કોઈપણ છુપાયેલા કે ફુગાવેલ ચાર્જ વિના બજાર ભાવે ચાંદી ઓફર કરીને અલગ પડી ગયું.

આજે, કંપની ગર્વથી જાહેરાત કરે છે કે તેણે પોતાનું વચન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, ઓફર હેઠળ બુક કરાયેલ ચાંદીની ડિલિવરી પ્રતિબદ્ધ સમય પહેલાં શરૂ કરી છે અને ખાતરી મુજબ, તેના અમદાવાદ શોરૂમથી શરૂ કરીને, બધી શાખાઓમાં ગ્રાહકો પ્રતિબદ્ધ તારીખો પહેલાં સંપૂર્ણ સંતોષ સાથે તેમના ચાંદીના માલ પ્રાપ્ત કરશે. ડિલિવરી પ્રક્રિયા અત્યંત કાળજી સાથે હાથ ધરવામાં આવે છે, પ્રમાણિકતા સુનિશ્ચિત કરે છે અને કલામંદિર જ્વેલર્સ જે ધોરણો માટે જાણીતી છે તેનું પાલન કરે છે.

આ સરળ અને પારદર્શક પૂર્ણતાએ ગ્રાહક વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. ઘણા પરિવારોએ તેમની પ્રશંસા વ્યક્ત કરી, નોંધ્યું કે આ પહેલથી તેમને યોગ્ય સમયે ચાંદી ખરીદવામાં મદદ મળી નથી, પરંતુ સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિશ્વસનીય સેવાની ખાતરી પણ મળી છે.

કલામંદિર દ્વારા ગ્રાહકની પ્રથમ સિલ્વર બુકિંગ ઓફર શરૂ કરીને તેની દોષરહિત ડિલિવરી સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતાએ ફરી એકવાર કિંમતી ધાતુના ઝવેરાત બજારમાં એક માપદંડ સ્થાપિત કર્યો છે.
આ પહેલ સાથે, કલામંદિર જ્વેલર્સે દર્શાવ્યું છે કે ગ્રાહક કેન્દ્રિત નવીનતા કેવી રીતે વાસ્તવિક મૂલ્ય લાવી શકે છે, ખાસ કરીને બજારના વધઘટ દરમિયાન. ગ્રાહકોને અણધાર્યા ભાવ વધારાથી બચાવીને અને સંપૂર્ણ ભાવ પારદર્શિતા પ્રદાન કરીને, બ્રાન્ડે ઉદ્યોગમાં વિશ્વસનીય નામ તરીકે તેની પ્રતિષ્ઠાને પુનઃપુષ્ટિ આપી છે.
સિલ્વર બુકિંગ ઓફરનો પ્રતિસાદ ભારે હકારાત્મક રહ્યો છે, જેમાં નવા અને લાંબા સમયથી ગ્રાહકોની રેકોર્ડ ભાગીદારી છે. કંપની નોંધે છે કે આ સફળતા ફક્ત ચાંદીની માંગ જ નહીં, પરંતુ કલામંદિરના નૈતિક વ્યવહારો અને વાજબી ભાવ નીતિઓમાં ગ્રાહકોના ઊંડા વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે.
કલમંદિર જ્વેલર્સ તમામ શોરૂમમાં તેની ટીમના સમર્પણને પણ ઓળખે છે જેમણે બુકિંગથી ડિલિવરી સુધી સરળ અમલીકરણ સુનિશ્ચિત કર્યું. તેમના ઝીણવટભર્યા
આયોજન અને ગ્રાહક પ્રથમ અભિગમે ઓપરેશનલ કાર્યક્ષમતા જાળવવા અને બ્રાન્ડના ઉચ્ચ સેવા ધોરણોને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
કલામંદિર જ્વેલર્સ આવી ગ્રાહક-મૈત્રીપૂર્ણ પહેલો રજૂ કરવાનું ચાલુ રાખે છે, તેમ છતાં કંપની દરેક પરિવાર માટે ઝવેરાત ખરીદીને પારદર્શક, આરામદાયક અને આનંદદાયક અનુભવ બનાવવાના તેના વિઝન પ્રત્યે પ્રતિબદ્ધ છે.

તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યુનિવર્સિટી ફેર 2025નું ભવ્ય આયોજન

 

સુરત ખાતે 6 ડિસેમ્બર 2025 ના રોજ તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં યુનિવર્સિટી ફેર 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેર સુરતના તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો, જેમાં ત્રીસ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. તેમાં Ashoka University, NMIMS University, FLAME University, Plaksha University અને Shiv Nadar University ખાસ આકર્ષણ રહ્યા હતા.

આ શૈક્ષણિક ફેરમાં શાળા વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ફેર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારતની અગ્રણી યુનિવર્સિટીઓને નજીકથી ઓળખવાનો અને તેમની પાસેથી સીધી માહિતી મેળવવાનો મહત્વપૂર્ણ અવસર મળ્યો. વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા, સ્કોલરશીપ, વિદેશી અભ્યાસની તકો અને કારકિર્દી વિકલ્પોની સીધી માહિતી યુનિવર્સિટી પ્રતિનિધિઓ પાસેથી મળી હતી.

આ યુનિવર્સિટી ફેરનું આયોજન તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના કરિયર કાઉન્સેલિંગ સેલ હેઠળ કરવામાં આવ્યું હતું, જે સતત વિદ્યાર્થીઓને યોગ્ય કારકિર્દી માટે માર્ગદર્શન આપે છે. વિદ્યાર્થીઓ માટે આ ફેર ભવિષ્યને લઈને યોગ્ય નિર્ણય લેવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયો.

અનુભવી કરિયર કાઉન્સેલર્સની સમર્પિત ટીમ અને નિયમિત માર્ગદર્શન સત્રો સાથે તાપ્તિ વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. આવા આયોજનોથી શાળા પોતાની ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને શ્રેષ્ઠ કરિયર માર્ગદર્શન પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરે છે અને સુરતની અગ્રણી શાળાઓમાં પોતાની મજબૂત ઓળખ બનાવે છે.

સુરતની નાનકડી ચેસ સ્ટાર આરાધ્યાએ રચ્યો ઈતિહાસ, રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ માટે પસંદગી

 

સુરત. શહેરની ઉભરતી શતરંજ પ્રતિભા અને ડી.પી.એસ. સુરતની ધોરણ 2ની વિદ્યાર્થિની આરાધ્યા પટાવરીએ ગુજરાત રાજ્ય અન્ડર-9 ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાન હાંસલ કરી સુરતનું નામ રોશન કર્યું છે. 30 નવેમ્બરે અમદાવાદમાં યોજાયેલી સ્પર્ધામાં આરાધ્યાએ 6.5/7નો પ્રભાવશાળી સ્કોર નોંધાવી ટોચનું સ્થાન પોતાના નામે કર્યું હતું.

સૌરભ અને અંકિતા પટાવરીની પુત્રી આરાધ્યાએ નાની ઉંમરમાં જ ચેસની રમત ક્ષેત્રે પગ મુક્યા બાદ ખૂબ ઓછા સમયમાં અસાધારણ કૌશલ્ય રજૂ કર્યું છે. સ્પર્ધા દરમિયાન તેના આક્રમક પરંતુ સંતુલિત મૂવ્સ, કુશળ વ્યૂહરચના અને નિર્ણાયક ક્ષણોમાં શાંતિપૂર્ણ સ્વભાવે તેણીને દરેક સ્પર્ધામાં આગળ વધારી છે. નિર્ણાયક રાઉન્ડમાં દાખવેલા આત્મવિશ્વાસે તેણીને ખિતાબના મજબૂત દાવેદાર બનાવવા સાથે અંતે વિજેતા પણ બનાવી.

આરાધ્યાના આ શાનદાર પ્રદર્શનથી શાળા તથા પરિવારમાં ખુશીની લહેર દોડતી થઈ છે. રાષ્ટ્રીય સ્તરે ગુવાહાટી ખાતે યોજાનારી ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી સુરત શહેર માટે પણ ગૌરવની વાત માનવામાં આવી રહી છે. આરાધ્યાનો મોટો ભાઈ શૌર્ય પટાવરી પણ શતરંજ ખેલાડી છે અને વિવિધ સ્પર્ધાઓમાં સિદ્ધિઓ હાંસલ કરી ચૂક્યો છે. ત્યારે ભાઈ શૌર્ય થકી તો આરાધ્યાને પ્રેરણા મળે છે પણ સાથે રમતમાં આગળ વધવા માટે દાદી જ્યોતિ પટવારી અને ફોઈ ગરિમા પટવારી પણ સતત મનોબળ મજબૂત કરતા રહ્યા છે.

મુંબઈની ગ્લેનીગલ્સ હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી

 

કુલ 1000 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટનો માઈલસ્ટોન પ્રાપ્ત કર્યો

સુરત/ગુજરાત, નવેમ્બર 2025 – મુંબઈના પરેલ સ્થિત ગ્લેનીગલ્સ હોસ્પિટલ (Gleneagles Hospital), જે લિવર કેર અને ટ્રાન્સપ્લાન્ટેશન માટે ભારતનું એક અગ્રણી કેન્દ્ર છે, તેણે એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હોસ્પિટલે ગુજરાતના દર્દીઓ માટે 165 સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે પશ્ચિમ ભારતમાં અત્યાધુનિક લિવર ટ્રીટમેન્ટ માટે શ્રેષ્ઠ સ્થળ તરીકે તેનું સ્થાન મજબૂત કરે છે. હોસ્પિટલે હવે કુલ 1000 થી વધુ સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીઓ પૂર્ણ કરી છે. આ સફળતાનું નેતૃત્વ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત નિષ્ણાતોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ડૉ. અમિત મંડોત (ડાયરેક્ટર – હેપેટોલોજી), ડૉ. અનુરાગ શ્રીમાલ (ડાયરેક્ટર – લિવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જરી), અને ડૉ. વિભોર બોરકર (ડાયરેક્ટર – પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ) નો સમાવેશ થાય છે.

દર્દીઓને વધુ સુવિધા આપવા અને તપાસના મહત્વપૂર્ણ તબક્કા દરમિયાન લાંબા અંતરની મુસાફરીની જરૂરિયાત ઘટાડવા માટે, ગ્લેનીગલ્સ હોસ્પિટલની ટીમ હવે નિયમિતપણે ગુજરાતની મુલાકાત લઈ રહી છે. આ પહેલનો ઉદ્દેશ્ય પરિવારોને સ્થાનિક સ્તરે જ મદદ પૂરી પાડવાનો, પ્રાથમિક કન્સલ્ટેશન આપવાનો, ફોલો-અપ લેવાનો અને વારંવાર મુંબઈ જવાની મુશ્કેલી વગર દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવાનો છે.

ભારતમાં લિવરની બીમારીઓ જાહેર આરોગ્ય માટે એક મોટો પડકાર બની રહી છે. નેશનલ હેલ્થ એસ્ટિમેટ્સ મુજબ, વૈશ્વિક સ્તરે લિવર સિરોસિસના ભારણમાં ભારતનો હિસ્સો લગભગ 18 % છે, અને લિવર સંબંધિત જટિલતાઓને કારણે વાર્ષિક આશરે 2 લાખ મૃત્યુ થાય છે. હવે તે દેશમાં મૃત્યુનું 10મું મુખ્ય કારણ છે, અને ગ્રામીણ તથા શહેરી બંને વસ્તીમાં તેનું પ્રમાણ વધી રહ્યું છે.

ડૉ. અમિત મંડોત, ડાયરેક્ટર – હેપેટોલોજીએ કહ્યું, “સિરોસિસ અને લિવર ફેલ્યોર હવે માત્ર ચોક્કસ જોખમી જૂથો પૂરતી મર્યાદિત બીમારીઓ નથી રહી. હવે યુવાન વ્યક્તિઓમાં પણ લિવરની બીમારીઓ વધી રહી છે, જેના કારણે જાગૃતિ, વહેલું નિદાન અને સમયસર સારવાર પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયા છે.”

ભારતમાં લિવરની બીમારીઓ વધવા પાછળ જીવનશૈલી, મેટાબોલિક, ચેપી અને આનુવંશિક પરિબળો જવાબદાર છે. તેના સામાન્ય કારણો નીચે મુજબ છે:

ફેટી લિવર ડિસીઝ (NAFLD/NASH): લગભગ 3 માંથી 1 ભારતીયને અસર કરે છે; આ સ્થિતિ મુખ્યત્વે મેદસ્વીતા, ડાયબિટીસ અને બેઠાડુ જીવનશૈલીને કારણે થાય છે.

વાયરલ હેપેટાઇટિસ (Hepatitis B & C): લાંબા સમય સુધી સારવાર ન કરાયેલ ચેપ વર્ષો સુધી લિવરને નુકસાન પહોંચાડી શકે છે.

આલ્કોહોલ સંબંધિત લિવર રોગ: વધુ પડતો અથવા લાંબા સમય સુધી દારૂનો વપરાશ સિરોસિસનું મુખ્ય કારણ છે.

જિનેટિક અને મેટાબોલિક ડિસઓર્ડર: વિલ્સન ડિસીઝ, હિમોક્રોમેટોસિસ અને ઓટોઈમ્યુન હેપેટાઇટિસ જેવી સ્થિતિઓ, ખાસ કરીને યુવાન દર્દીઓમાં જોવા મળે છે.

દવાઓથી થતું નુકસાન (Drug-induced Liver Injury): ડૉક્ટરની સલાહ વગર દવાઓ લેવી અને અનિયંત્રિત હર્બલ દવાઓનો ઉપયોગ પણ લિવરને નુકસાન પહોંચાડી શકે છે.

લિવરની બીમારીનું સૌથી ખતરનાક પાસું એ છે કે તે શાંતિથી આગળ વધે છે (Silent Progression). જ્યાં સુધી લિવરને ગંભીર નુકસાન ન થાય ત્યાં સુધી મોટાભાગના દર્દીઓમાં કોઈ લક્ષણો દેખાતા નથી. થાક, કમળો, વજન ઘટવું, પેટમાં સોજો અથવા લોહીની ઉલટી જેવા પ્રારંભિક સંકેતોની અવગણના કરવાથી લિવર ફેલ્યોર થઈ શકે છે.

ડૉ. અનુરાગ શ્રીમાલ, ડાયરેક્ટર – લિવર ટ્રાન્સપ્લાન્ટ અને HPB સર્જરી એ કહ્યું, “પ્રારંભિક નિદાન લિવર સંબંધિત લગભગ 70% જટિલતાઓને અટકાવી શકે છે, અને સમયસર તબીબી સારવાર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાતને ટાળી શકે છે અથવા વિલંબિત કરી શકે છે. જો કે, એન્ડ-સ્ટેજ લિવર ડિસીઝના કેસોમાં, લિવર ટ્રાન્સપ્લાન્ટ જ એકમાત્ર યોગ્ય સારવાર છે જે લાંબા ગાળાનું સ્વાસ્થ્ય અને જીવન બક્ષી શકે છે.”

ડૉ. વિભોર બોરકર, ડાયરેક્ટર – પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટે કહ્યું, “અમે આ પરિવારો સામેના પડકારોને સમજીએ છીએ અને વિશ્વસ્તરીય લિવર કેર પૂરી પાડવી અમારું મિશન છે. વ્યાપક સારવાર અને સપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને, અમે દરેક બાળકને ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય પ્રદાન કરીએ છીએ. તેથી સમયસર નિદાન મહત્વપૂર્ણ છે; તે સારવારની દિશા બદલી શકે છે અને જીવન માટે જોખમી જટિલતાઓને સંપૂર્ણ સ્વસ્થ થવાની તકોમાં પરિવર્તિત કરી શકે છે.”

ગ્લેનીગલ્સ હોસ્પિટલ, મુંબઈના CEO ડૉ. બિપિન ચેવલેએ કહ્યું, “ગુજરાતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં વધારો થવા પાછળ વધતી જાગૃતિ, સુધરેલી ડાયગ્નોસ્ટિક સુવિધાઓ, જીવનશૈલીમાં ફેરફાર અને ફેટી લિવર સંબંધિત સમસ્યાઓમાં વધારો જવાબદાર છે. જેમ જેમ વધુ દર્દીઓ વિશેષ સારવારની શોધમાં છે, તેમ તેમ ઉચ્ચ સફળતા દર, અદ્યતન તકનીકો અને અનુભવી ટીમ હોવાને કારણે ગ્લેનીગલ્સ હોસ્પિટલ પરેલ એક વિશ્વસનીય કેન્દ્ર બની ગયું છે.”

ગુજરાતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટની વધતી સંખ્યાનું કારણ મુંબઈથી તેનું નજીકનું અંતર અને ગ્લેનીગલ્સ હોસ્પિટલ દ્વારા અપાતી પ્રતિબદ્ધ પેશન્ટ સપોર્ટ સેવાઓ છે.

ગ્લેનીગલ્સ હોસ્પિટલ પરેલ, મુંબઈ લિવર ટ્રાન્સપ્લાન્ટના તમામ મુખ્ય પ્રકારો કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

લિવિંગ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ (LDLT): પરિવારનો તંદુરસ્ત સભ્ય તેમના લિવરનો એક ભાગ દાન કરે છે.

ડિસીઝ્ડ ડોનર લિવર ટ્રાન્સપ્લાન્ટ (DDLT): રજિસ્ટર્ડ મૃત્યુ પામેલા દાતા (બ્રેઈન ડેડ) ના લિવરનો ઉપયોગ કરીને કરવામાં આવે છે.

પીડિયાટ્રિક લિવર ટ્રાન્સપ્લાન્ટ: લિવર ફેલ્યોર અથવા જન્મજાત લિવરની ખામીઓથી પીડાતા બાળકો માટે ખાસ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ.

જટિલ અને હાઈ-રિસ્ક ટ્રાન્સપ્લાન્ટ: એડવાન્સ લિવર ફેલ્યોર, પોર્ટલ હાઈપરટેન્શન અથવા અનેક જટિલતાઓ ધરાવતા દર્દીઓ માટે.

દર્દીઓ લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકે છે?

લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા ઈચ્છતા દર્દીઓ અથવા પરિવારો ગ્લેનીગલ્સ હોસ્પિટલના લિવર ટ્રાન્સપ્લાન્ટ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ પ્રક્રિયામાં નીચેનાનો સમાવેશ થાય છે:

પ્રારંભિક તબીબી મૂલ્યાંકન અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ.

ટ્રાન્સપ્લાન્ટ હેપેટોલોજિસ્ટ અને સર્જિકલ ટીમ દ્વારા તપાસ.

દાતાનું મૂલ્યાંકન (લિવિંગ ડોનર ટ્રાન્સપ્લાન્ટ માટે).

સ્ટેટ ટ્રાન્સપ્લાન્ટ વેટિંગ લિસ્ટમાં નોંધણી (ડિસીઝ્ડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ માટે).

પ્રક્રિયા, ખર્ચ અને ઓપરેશન પછીની સંભાળ અંગે કાઉન્સેલિંગ.

ગ્લેનીગલ્સ હોસ્પિટલ ટ્રાન્સપ્લાન્ટ પછી વીમા (Insurance) પ્રક્રિયા, નાણાકીય સલાહ અને રિહેબિલિટેશનમાં મદદ કરવા માટે વિશેષ ટીમો પણ પૂરી પાડે છે.