Posts by: abhay_news_editor

અજમેરા ફેશને પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ ‘લિટલ વિંગ્સ’ લોન્ચ કરી

 

સુરત, એપ્રિલ 8: ભારતની અગ્રણી ટેક્સટાઇલ અને એથનિકવેર કંપની અજમેરા ફેશને આજરોજ સુરત સુરાણા 101 ખાતે તેની નવી પ્રીમિયમ કિડ્સવેર ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ લિટલ વિંગ્સ લોન્ચ કરી હતી. આ પ્રસંગે અજમેરા ગ્રુપના સિનિયર લીડરશીપ અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા.

300 થી વધુ આઉટલેટ્સ સાથે પહેલથી ભારતભરમાં સફળ થઈ ચૂકેલી બ્રાન્ડ અજમેરા ટ્રેન્ડસ પછી હવે કંપની બાળકોના ફેશન સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. આ નવી બ્રાન્ડની શરૂઆત અજમેરા ફેશનના સ્થાપક અને સીઈઓ અજય અજમેરાની દૂરંદેશીનું પરિણામ છે. તેમણે મહત્વની બાબતને ઓળખી કે ભારતના ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં સાડીઓ, લહેંગા અને મેન્સવેરની ઘણી બ્રાન્ડ્સ છે, ત્યાં કિડ્સવેર સેગમેન્ટમાં બ્રાન્ડેડ અને સંગઠિત વિકલ્પોનો અભાવ છે. આ ગેપ ભરવાના ઉદ્દેશ્ય સાથે લિટલ વિંગ્સ લાવવામાં આવી છે.

લિટલ વિંગ્સ 0 થી 15 વર્ષના બાળકો માટે ફ્રોક્સ, ડેનિમ, એથનિકવેર, ટી-શર્ટ્સ, શોર્ટ્સ, કેઝ્યુઅલ અને પાર્ટીવેર જેવા તમામ કપડાં બજારમાં ઉપલબ્ધ કરાવશે. બ્રાન્ડની વિશેષતા છે કે સુપર સોફ્ટ ફેબ્રિક, સુંદર ડિઝાઇન અને પોસાય તેવી કિંમત. આ ઈવેન્ટમાં અજય અજમેરાએ જણાવ્યું હતું કે, “અમારું મિશન નાના શહેરોમાં રહેતા પરિવારો માટે સારા, આરામદાયક અને મૂલ્યવાન કિડ્સ વેર લાવવાનું છે. અમે આ બ્રાન્ડને ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં લૉન્ચ કરી રહ્યા છીએ, જ્યાં લોકોની અપેક્ષાઓ વધારે છે પરંતુ વિકલ્પો મર્યાદિત છે.”

લિટલ વિંગ્સ ફ્રેન્ચાઈઝી ઓન્ડ મોડલ પર કામ કરશે અને ફ્રેન્ચાઈઝી આપવાની પ્રક્રિયા હજી પણ શરૂ છે. બ્રાન્ડનું પ્રારંભિક ધ્યાન નાના શહેરો અને નગરોમાં વિસ્તરણ કરવાનું છે, જ્યાં બાળકોના વસ્ત્રોની માંગ સતત વધી રહી છે.

લોકાર્પણ કાર્યક્રમમાં અજમેરા ફેશનના સી.એફ.ઓ. મિસ્ટર. વિજય અજમેરા, એમડી શ્રી મોહિત અજમેરા, વીપી શ્રી તરુણ શર્મા, ફ્રેન્ચાઇઝ હેડ શ્રી સિદ્ધાર્થ, ફ્રેન્ચાઇઝ મેનેજર શ્રી રાહુલ, માર્કેટિંગ મેનેજર શ્રી શાંતનુ અષ્ટિકર અને અન્ય મુખ્ય ટીમના સભ્યો હાજર હતા. આ લોન્ચિંગ અજમેરા ફેશન માટે માત્ર એક નવો અધ્યાય નથી, પરંતુ ભારતના ઉદ્યોગ સાહસિકો માટે પણ એક મોટી તક લઈને આવે છે.

સુરત શહેરમાં “JITO SURAT CHAPTER” દ્વારા વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ અર્થે સુરતમાં બિરાજીત તમામ પરમ પૂજ્ય ગુરૂ ભગવંતોની નિશ્રામાં તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ સામુહિક વિશ્વ નવકાર મહામંત્ર દિવસ સમારોહ યોજાશે….

 

જીતો દ્વારા 9મી એપ્રિલે પડીત દિનદયાળ ઉપાધ્યાય, ઇન્ડોર સ્ટેડિયમ, અઠવાલાઇન્સ, સુરત ખાતે વિશ્વ નવકાર મંત્ર દિવસની ઉજવણીનું આયોજન…

એક સાથે વિશ્વના ૧૦૮ થી વધુ દેશોમાં કરાશે નવકાર મંત્રનો જાય

નવી દિલ્લી વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વયં ઉપસ્થિત રહેશે અને આખા વિશ્વમાં વર્ચ્યુઅલ દ્વારા સંબોધન કરશે.

જીતો સુરત દ્વારા આગામી 9મી એપ્રિલે નવકાર મંત્ર દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવાશે. સુરતના પંડીત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાશે અને નવકાર મંત્રનો જાપ કરી વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરશે.

આવા નમસ્કાર મહામંત્રનો સામૂહિક જાપ કરવા દ્વારા જગતના સઘળા જીવોને સુખ, શાંતિ અને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય એવા સંકલ્પ સાથે આ નવકાર મંત્ર સમૂહમાં ગણવાથી તેના વિચાર આંદોલનો તરંગો વિશ્વમાં ફેલાશે અને તેની પોઝિટિવ અસર જોવા મળશે એવી અમને સૌને શ્રદ્ધા છે.

વિશ્વ નવકાર મંત્ર દિવસ નિમિત્તે આયોજીત જાપમાં પુરુષોએ સફેદ વસ્ત્ર અને મહિલાઓને લાલ વસ્ત્ર પરિધાન કરવાના રહેશે.

વિશ્વ નવકાર મંત્ર દિવસ એટલે કે, ૯મી એપ્રિલના દિવસે સુરત મહાનગર પાલિકા સંચાલિત તમામ કતલખાના બંધ રાખવાનો ઠરાવ કરીને અનેક મૂંગા-અબોલ પશુઓને અભયદાન આપવાનો સરાહનીય નિર્ણય ભા.જ.પા.ના શાસકો દ્વારા લેવામાં આવ્યો તેની અનુમોદના કરીએ છીએ.

જીતો સુરત ચેપ્ટરના ચેરમેન અને આ પ્રોજેક્ટના કન્વીનર શ્રી નિરવ શાહ એ જણાવ્યું હતું કે, 9મી એપ્રિલનો દિવસ જીતો દ્વારા નવકાર મંત્ર દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે 9મી એપ્રિલના રોજ ભારત સહિત વિશ્વના ૧૦૮ દેશોમાં આ કાર્યક્રમમાં એક સાથે યોજાશે. સુરત ખાતે નવકાર મહામંત્ર જાપનો કાર્યક્રમ ઘોડદોડ રોડ સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. જેમાં જૈન સમાજના લોકો સહિત અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની ખાસ વાત એ છે કે, ભારત સરકાર દ્વારા 9 એપ્રિલના દિવસને સત્તાવાર રીતે વિશ્વ નવકાર મંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે. ત્યારે 9મી એપ્રિલના રોજ નવી દિલ્લી, વિજ્ઞાન ભવન ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્વયં જોડાશે અને તેઓ પણ નવકાર મહામંત્રનો જાપ કરશે અને સંપૂર્ણ વિશ્વને વર્ચુયલી તેઓ સંબોધિત કરશે.

સિદ્ધ ભગવતોને અર્થાત જેમને પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું છે અને આ સંસારના 84 લાખ યોનીના જીવન-મરણના ચક્રમાંથી જેઓ હંમેશા માટે મુક્ત થઈ ગયા છે તેવા સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યો છે.

આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ કે જેઓ સિદ્ધ બનવા માટે સાધના કરી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે અને મોક્ષ માર્ગ તરફ આગળ વધી રહ્યા છે તેવા આચાર્ય ઉપાધ્યાય અને સાધુને નમસ્કાર કરવામાં આવ્યો છે.

સાધકના મંત્રજાપ કરનારના રાગ-દ્વેષ શાંત થાય છે. તૃષ્ણાઓ નાશ પામે છે. સંતોષ, અહિંસા, કરુણા, વાત્સલ્ય જેવા ગુણો તેના હૈયામાં પ્રગટ થાય છે. જીવનના સાચા સુખનો તે અનુભવ કરે છે અને એના સઘળા અમંગલ, પાપો અને આવનારા દુઃખો એ બધું દૂર થાય છે.

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સુરતના પ્રથમ ડિજિટલ PET-CTનું લોન્ચિંગ – ભારતમાં ઓન્કોઇમેજિંગની સૌથી મોટી ચેઇનની શરૂઆત

 

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર, કેન્સર નિદાનમાં ક્રાંતિ લાવવા માટે સુરતના પ્રથમ ડિજિટલ PET-CT સ્કેનર લોન્ચ કરી રહ્યું છે, જે ભારતમાં સૌથી મોટી ઓન્કોઇમેજિંગ ચેઇન સ્થાપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સેન્ટર પર દર્દીઓ સરળતાથી પહોંચી શકે તે હેતુથી સુરત સિવિલ હોસ્પિટલથી ખૂબ જ નજીક છે અને તેનું ઉદ્ઘાટન આજે સવારે 9:00 કલાકે, માનનીય ઓન્કોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ અને આરોગ્ય નિષ્ણાતોની ઉપસ્થિતિમાં થશે.

સુરતમાં ડિજિટલ PET-CT લોન્ચ કરીને, અમે ભારતમાં સૌથી અદ્યતન ઓન્કોઇમેજિંગ ચેઇન બાંધવા માટે મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ, જેથી વિશ્વ સ્તરની કૅન્સર ડાયગ્નોસ્ટિક સુવિધાઓ દેશના દરેક ખૂણામાં પહોંચે,” પ્રિઝમા સુરત નાં ચેરમેન ડૉ. હેમંત પટેલ જણાવે છે, જે એશિયન ઓશિયેનિક સોસાયટી ઓફ રેડિયોલોજીના સચિવ અને ઇન્ડિયન રેડિયોલોજિકલ & ઇમેજિંગ એસોસિએશનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ છે.

પ્રિઝમા સુરત નાં ઇન્ચાર્જ અને સુરત નાં ખ્યાતનામ રેડિયોલોજિસ્ટ ર્ડા. કેયુર માંડલિયા જણાવે છે પ્રિઝમા ઓન્કોઇમેજિંગ સેન્ટર દ્વારા સમગ્ર દેશમાં અદ્યતન ઇમેજિંગ સેન્ટર્સની એક મજબૂત ચેઇન બનાવવાનો દ્રષ્ટિકોણ છે, જે શરૂઆતની કેન્સર નિદાન, ચોક્કસ તબક્કાઓ અને સારવાર મોનિટરિંગ પર કેન્દ્રિત છે. એક કુશળ ઓન્કોઇમેજિગ નિષ્ણાતોની ટીમ સાથે, પ્રિસ્મા કૅન્સર કેર ક્ષેત્રમાં નવી ઉંચાઈઓ સર કરવાની તૈયારીમાં છે, જેમાં સુરત પ્રિઝમા AI આધારિત ડાયગ્નોસ્ટિકસ અને પર્સનલાઇઝડ ઇમેજિગ સોલ્યુશન્સ શામેલ છે.

પ્રિઝમા ઓન્કોઇમેજિંગ નેટવર્ક આગામી સમયમાં ભારત નાં વિવિધ રાજ્યો અને શહેરોમાં વિસ્તરશે, જેથી ઉચ્ચ ગુણવત્તાવાળા ઓન્કોલોજીકલ ઇમેજિંગ સેવાઓ ભારતમાં તમામ દર્દીઓ માટે ઉપલબ્ધ અને સસ્તી બને.

સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ બની વધુ સરળ, વેસુ અને પાલ ખાતે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકનું ગૃહ રાજ્ય મંત્રીના હસ્તે ઉદ્ઘાટન

 

સુરત. આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની છે તો યુવાઓથી માંડીને સૌ કોઈ આ માટે જાગૃત પણ બન્યા છે. ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કિનની સાંભળ લેવું વધુ સરળ બન્યું છે. કારણ કે દેશની નામાંકિત હેર એન્ડ સ્કિન ક્લિનિકની સેવાઓ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ છે. ચેન્નઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની બે શાખાઓની સુરતના વેસુ અને પાલ અડાજણ વિસ્તારમાં શરૂઆત થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજરોજ આ બંને ક્લિનિકની શુભ શરુઆત કરવામાં આવી હતી.

શહેરના નામાંકિત ચેસ્ટ ફિઝિશિયન અને એલર્જી સ્પેશિયલિસ્ટ ડૉ.સમીર ગામીએ જણાવ્યું હતું કે આજે સ્કિન કેર અને હેર કેર માટે લોકો જાગૃત થયા છે. વાળ અને સ્કિનની સંભાળ લેવા માટે તે સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે લોકો હેર એન્ડ સ્કિન કેર ક્લિનિક તરફ વળી રહ્યા છે ત્યારે દક્ષિણ ભારતની અને વર્ષ 2004માં સ્થપાયેલી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની સેવા હવે સુરતમાં પણ ઉપલબ્ધ થઈ રહી છે.

દેશભરમાં 100 થી વધુ સેન્ટર ધરાવતી એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિકની ગુજરાતમાં સૌ પ્રથમ વાર સુરતના વેસુ અને અડાજણ પાલ ખાતે શરૂઆત કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે જ એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ના ફાઉન્ડર સરન વેલજી અને ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજી એ બંને ક્લિનિકોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ત્રણ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં ડૉ. સમીર ગામીએ જણાવ્યું હતું કે સુરત ખાતેથી આ શરૂઆત થઈ છે અને કંપનીની યોજના આગામી સમયમાં ગુજરાતના તમામ મોટા શહેરો થી માંડીને તાલુકા કક્ષાએ પણ ક્લિનિક સેન્ટર શરૂ કરવાની છે. એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કિન ક્લિનિક ખાતે ઉપલબ્ધ સેવાઓ અંગે જણાવ્યું હતું કે અહીં સ્કિનની ટોન, પિગમેન્ટેશન, સહિત સ્કિન સંબંધિત વિવિધ સમસ્યાઓની સારવાર થશે, સાથે હેર લોસનું પ્રમાણ આજે વધી રહ્યું છે ત્યારે અહીં હેર લોસ અટકાવવા માટેની સારવાર, હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવાર પણ ઉપલબ્ધ હશે.

સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ

 

  • સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ
  • OPPO F29 Series – મીડ-પ્રીમીયમ રેંજમાં ફ્લેગશીપ લેવલના ફીચર્સ, સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોનનું ગુજરાતમાં વેચાણ શરુ, પહેલા દિવસ થી જ બન્યો ગ્રાહકોનો મનપસંદ ફોન
  • આ ફોન ડૂબતો નથી, તૂટતો નથી, ફૂટતો નથી,  સૌથી મજબુત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરુ, શરૂઆતી કિંમત ફક્ત Rs. 23999/-, પહેલા 6 દિવસ  10% નો ફાયદો

અમદાવાદ, 28 માર્ચ: OPPO Gujarat દ્વારા અત્યંત અપેક્ષિત OPPO F29 સિરીઝનું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું છે, જેમાં OPPO F29 અને OPPO F29 Pro 2 સ્માર્ટફોન શામેલ છે. આ એક ક્રાંતિકારી લાઈનઅપ તાજેતરની સૌથી મજબુત, અદ્યતન ફીચર્સ અને સ્ટાઇલિશ ડિઝાઇન સાથે સ્માર્ટફોનમાં નવીનતાની નવી વ્યાખ્યા ઘડી રહી છે.

OPPO F29 સિરીઝ ગુજરાતના મોબાઇલ રિટેલ બજારમાં ધૂમ મચાવી રહી છે અને સૌથી વધુ ડિમાન્ડમાં રહેલી અને ટ્રેન્ડિંગ સ્માર્ટફોન સિરીઝ બની ગઈ છે. આ ફોન એવા  યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેઓને ફોનમાં મજબૂતી, વોટરપ્રૂફ, સ્ટાઈલ સાથે પરફોર્મન્સ જોઈએ છે.

OPPO F29 અને OPPO F29 Pro ની વિશેષતાઓ

  • ટ્રિપલ IP પ્રોટેક્શન (IP66, IP68, IP69) – અત્યંત ટકાઉપણું માટે સુપિરિયર ડસ્ટ, પાણી અને પ્રેશર પ્રોટેક્શન
  • 18+ લિક્વિડ પ્રોટેક્શન ટેસ્ટેડ – કોફી સ્પિલ્સથી લઈને વરસાદ સુધી, આ ફોન દરેક પરિસ્થિતિમાં ટકી રહે
  • 360° આર્મર બોડી – મિલિટરી-ગ્રેડ મટિરિયલથી બનાવાયેલ, ઝટકાથી બચાવ માટે
  • 300% નેટવર્ક બૂસ્ટ – બેઝમેન્ટ કે લીફ્ટમાં પણ સક્ષમ નેટવર્ક
  • ડ્યુઅલ SIM ડ્યુઅલ એક્ટિવ – બે સિમ સાથે એકસાથે સરળતાથી મલ્ટીટાસ્કિંગ
  • શક્તિશાળી પ્રોસેસર મલ્ટીટાસ્કિંગ માટે – ઝડપથી અને અસરકારક રીતે પરફોર્મ કરવા માટે
  • અંડરવોટર ફોટોગ્રાફી અને વિડિઓગ્રાફી – પાણીની અંદર પણ સુંદર દ્રશ્યો કૅપ્ચર કરો
  • મોટી બેટરી (6500mAh સુધી) – લાંબા સમય સુધી ચાલતી પાવરફુલ બેટરી
OPPO F29 સિરીઝ

આ તકે OPPO GUJARAT, હરિઓમ મોબાઈલ પ્રા. લી. ના મેનેજીંગ ડીરેક્ટર રાહિલ પુજારા એ જણાવ્યું હતું કે “OPPO F29 સિરીઝ ફક્ત એક સ્માર્ટફોન નહીં, પરંતુ મોબાઇલ ટેકનોલોજીમાં એક ક્રાંતિ છે. તેની અદભૂત ટકાઉપણું, શક્તિશાળી પ્રદર્શન અને નવીનતમ ફીચર્સ સાથે, F29 સિરીઝ એ બધાં માટે છે જે શ્રેષ્ઠતા અને ભરોસાપાત્રત છે. ગુજરાતના ટેક-સેવી ગ્રાહકો માટે અમે આ અદ્યતન ટેકનોલોજી લાવી રહ્યાં છીએ, જેનું અમને ગૌરવ છે.”

ખાસ લોન્ચ ઑફર્સ – મર્યાદિત સમય માટે!

આ ગ્રાન્ડ લોન્ચને ઉજવણીરૂપ આપવા માટે ગ્રાહકો માટે ઉત્સાહજનક પ્રારંભિક ઑફર્સ, જેમાં શામેલ છે:

  • ટોચના બેંકોના કાર્ડ પર સીધા 10% કેશબેક
  • એક્સચેન્જ બોનસ – જૂના સ્માર્ટફોન માટે વધુ મૂલ્ય મેળવો
  • ફ્રી પ્રીમિયમ ગિફ્ટ્સ દરેક ખરીદ સાથે

OPPO F29 સિરીઝનું વેચાણ 27 માર્ચ, 2025થી ગુજરાતના તમામ અગ્રણી મોબાઇલ રિટેલ સ્ટોર્સમાં પ્રારંભ થયું છે. સીઝનની સૌથી વધુ માંગમાં રહેલી સ્માર્ટફોન સિરીઝ મેળવવાની તક ચૂકશો નહીં!

Solex Energy દ્વારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટને રૂ. 11 લાખની સહાય

 

શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ તથા અકસ્માતોને ઘટાડવા જેવા સામાજિક જવાબદારી નિભાવવા કંપની હમેશા તૈયાર છે

સુરત, ગુજરાત, March 28, 2025: Solex Energy Limited (NSE: SOLEX) ભારતની સૌથી વિશ્વસનીય સોલાર બ્રાન્ડ્સમાંથી એક છે. કંપનીએ શહેરના ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ માટે રૂ. 11 લાખ નો ફાળો આપીને પોતાના સામાજિક જવાબદારી અને માર્ગ સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

સૂરત ટ્રાફિક પોલીસ સાથે સહયોગમાં ચાલતી આ પહેલ અતંર્ગત કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચેતન શાહ દ્વારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતને આ યોગદાન સુપરત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક શ્રી મતિ અમિતા વાનાણી તથા કંપનીના ડિરેક્ટર્સ શ્રી વિપુલ શાહ અને અનિલ રાઠી પણ ઉપસ્થિત રહ્યા હતા.

“એક જવાબદાર કોર્પોરેટ તરીકે, સોલેક્સ એનર્જી લિમિટેડ મહત્વના સામાજિક મુદ્દાઓમાં પોતાનો સક્રિય સહયોગ આપવામાં વિશ્વાસ રાખે છે કારણ કે તે લાંબા ગાળાની હકારાત્મક અસરો ઊભી કરે છે. માર્ગ સુરક્ષા આવો જ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. સૂરત ટ્રાફિક પોલીસને સહયોગ કરીને અમને ગૌરવની લાગણી થાય છે. આપણે સાથે મળીને વધુ સુરક્ષિત રસ્તાઓ બનાવી શકીશુ,” એમ કંપનીના ચેરમેન અને મેનેજિગ ડિરેક્ટર ચેતન શાહે જણાવ્યું હતું.

સોલેક્સ માર્ગ સુરક્ષાના વિષય પર સતત પોતાનું યોગદાન આપતી જ રહે છે. તાજેતરમાં સોલેક્સ દ્વારા સૂરત ટ્રાફિક પોલીસ સાથે મળીને ગુજરાત પોલીસ ની -પરવા છે- પહેલ હેઠળ ટૂ વ્હીલર ચાલકો માટે રિફ્લેક્ટિવ સેફ્ટી હેલ્મેટ વિતરણ અભિયાનમાં પોતાનું યોગદાન અપાયું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકો માટેની વિઝિબિલિટી વધારીને અકસ્માતો ઘટાડવાનો હતો.
ચેતન શાહે વધુમાં જણાવ્યું કે અમે સૂરત સિટી પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે કરાતા અવિરત પ્રયાસો માટે આભાર વ્યક્ત કરીએ છીએ. સોલેક્સ આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ માટે હમેશા સમર્પિત છેય સુરક્ષિત અને વધુ જવાબદાર ટ્રાફિક ઈકોસિસ્ટમ વિકસાવવા માટે હમેશા તત્પર છે.”

ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સાથેનો સહયોગ સોલેક્સના વિઝન 2030ની વ્યૂહરચનાનો એક ભાગ છે જે સસ્ટેનેબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને પોઝિટિવ કોમ્યુનિટી ઇમ્પેક્ટ પર ફોકસ કરે છે.

સોલેક્સ એનર્જી લિમિટેડ વિશે માહિતી :

સુરત સ્થિત સોલેક્સ એનર્જી વર્ષ 1995 થી પર્યાવરણને અનુકૂળ ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં અગ્રણી રહી છે. NSE Emerge પર સૂચિબદ્ધ થનાર પ્રથમ ભારતીય સોલાર બ્રાન્ડ (સ્ટોક કોડ: SOLEX ) તરીકે, સોલેક્સ એનર્જી, ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટોવોલ્ટેઇક મોડ્યુલ્સ અને વ્યાપક EPC સર્વિસ આપવા જાણીતી છે.

કંપનીની ગુજરાતના તડકેશ્વર ખાતે સ્થિત ગ્લોબલ ફેક્ટરીમાં 1.5 GW ઉત્પાદન ક્ષમતા ધરાવતું PV મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. સોલેક્સ એનર્જી પાસે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે જરૂરી પ્રમાણપત્રો છે. કંપની અનેક દેશોમાં ઉત્પાદનો નિકાસ પણ કરે છે.

વિશ્વસનીય OEM પ્રોવાઇડર તરીકે આ કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત બ્રાન્ડ્સને સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. પર્યાવરણ સ્થિરતા, ગુણવત્તા અને પ્રતિબદ્ધતા અમારા મુખ્ય સિદ્ધાંતો છે. અ માત્ર એક સોલાર કંપની જ નથી, પરંતુ તમારા PV મોડ્યુલ અને EPC જરૂરિયાતો માટે એક વિશ્વસનીય પાર્ટનર પણ છીએ.

અસાધ્ય પર વિજય મેળવીને અદભૂત સંકલ્પ શક્તિથી વિશ્વભરને રાહ ચીંધતા “ઓમકાર સંપ્રદાય”ના સ્થાપક દિવ્યાંગ સંતશ્રી ઓમગુરુ

 

અમદાવાદના આશ્વર્યભર્યા બંગલામાં રહેતા અશોકભાઈ હિંમતલાલ શાહ માટે જીવન બધે સમૃદ્ધિ લઈને આવ્યું હતું. સફળ ઉદ્યોગપતિ હોવાના નાતે, તેમનું ઘર સંપત્તિ અને સુખ-શાંતિથી ભરપૂર હતું. તેમની પત્ની પ્રતિમાબેન સાથે તેઓ ખુશખુશાલ જીવન વિતાવી રહ્યા હતા. 8 ફેબ્રુઆરી, 1977ના રોજ, તેમના ઘરમાં પુત્ર પ્રીતેષનો જન્મ થયો અને કુટુંબની ખુશીઓ બેવડી થઈ ગઈ.

સૌભાગ્ય અને પ્રેમથી ભરેલી બાળપણની મજા માણતો પ્રીતેષ જ્યારે માત્ર 8 વર્ષનો હતો, ત્યારે જૉઇન્ટ રુમેટોઇડ આર્થરાઇટિસ જેવી અતિદુર્લભ બીમારીનો શિકાર થયો. ભારતમાં બાળકોમાં આ બીમારીનો પ્રથમ કેસ હતો.

નસીબને એવું નડતર લાગ્યું કે, આઝાદીથી રમતો-દોડતો પ્રીતેષ પથારીવશ થઈ ગયો. કુટુંબે કરોડો રૂપિયાની સારવાર કરી, દેશ-વિદેશના ટોચના તબીબોને મળ્યા, પરંતુ નસીબ સામે દવાઓ નિષ્ફળ નીવડી. તબીબોએ જણાવ્યું હતું કે હવે પ્રીતેષ કદી સાજો થઈ શકશે નહીં.

બાળપણ પથારીમાં પૂરાઈ ગયું. શારીરિક પીડા અને નબળાઈએ આશાની જગ્યા હતાશા અને અંધકારમાં ફેરવી દીધી. બે વર્ષ સુધી, પ્રીતેષ શારીરિક પીડાથી વધારે માનસિક યાતનાને ભોગવતો રહ્યો. આખું જીવન પથારીમાં જ પસાર થશે—આ વિચાર માત્રે મરણોન્મુખ જેવી ખરાબ સ્થિતિમાં મૂક્યો.

દરેક જીવનમાં એક વળાંક અવશ્ય આવે છે, એક દિવસ જૈન આચાર્ય ગુરુદેવ મિત્રાનંદ સુરીશ્વરજી મહારાજ પ્રીતેષના જીવનમાં દિવ્ય પ્રકાશ લઈને આવ્યા. તેમણે પ્રીતેષને એવી વસ્તુ આપી જે દવાઓ આપી શકી નહોતી—એક ધ્યેય!

“આ દુનિયામાં કોઈ સંપૂર્ણ નથી. કોઈ માનસિક રીતે નિર્બળ હોય છે, કોઈ શારીરિક રીતે. જે નહીં હોય એ વિશે વિલાપ કરવાનો કોઈ અર્થ નથી. જે છે, તેમાંથી શ્રેષ્ઠ બનાવવું એ જ જ્ઞાન છે.”

આ શબ્દોએ પ્રીતેષના અંતરમાં જાગૃતિ પેદા કરી. તેઓએ સ્વ-દયા છોડીને જીવનને નવી દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું.

સામાન્ય સ્થિતિમાં તો, પથારીવશ બાળક ભવિષ્ય વિશે વિચારવાનું પણ શક્ય નહોતું. પરંતુ પ્રીતેષભાઈએ અસાધારણ ધૈર્ય અને સંકલ્પ દર્શાવ્યો અને એક વિદ્વાન તરીકે પોતાનો ઉદભવ કર્યો અને સમગ્ર વિશ્વભરમાં ઓમગુરૂ તરીકે જાણીતા બન્યા.

તેમણે અમદાવાદની LJ કોલેજમાંથી વાણિજ્યમાં સ્નાતક ડિગ્રી મેળવી. પછી 80% વિકલાંગતા છતાં, UPSCની મુખ્ય પરીક્ષા પાસ કરી, અને IAS કક્ષાનું લાયકાતપત્ર મેળવ્યું—જે અઘરું તો નહોતું, પણ લગભગ અશક્ય હતું.

તેમની જ્ઞાન પિપાસા તેમને જૈન ધર્મશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર અને મુહૂર્તશાસ્ત્રના ઊંડા અભ્યાસ તરફ લઈ ગઈ. હરિદ્વારમાં, પંડિત દેવદત્ત શાસ્ત્રી પાસેથી જ્યોતિષ અને વાસ્તુ વિજ્ઞાન શીખ્યા. પરંતુ પ્રીતેષભાઈએ ત્યાગમાર્ગ પસંદ કર્યો—વ્યક્તિગત સિદ્ધિઓથી પર સમાજસેવામાં પોતાને સમર્પિત કર્યા.

માનવતાની સેવા માટે જીવન સમર્પિત કરી તેમણે “ઓમકાર સંપ્રદાય” ની સ્થાપના કરી, જ્યાં તેઓ મંત્રશાસ્ત્ર અને આધ્યાત્મિક ઉર્જા દ્વારા દર્દીઓની સારવાર કરે છે. કોઈ એક રૂપિયાનો પણ ચાર્જ નથી—કોઈપણ માટે આ સેવા સંપૂર્ણ નિશુલ્ક છે.

તેમની આશ્ચર્યજનક શક્તિઓનું દાયરો અહીં પૂરુ થતો નથી. ક્યારેય સંગીત નહીં શીખ્યું હોવા છતાં, તેઓએ ધાર્મિક ભજનો, ગીતો, ગઝલો અને કાવ્યો રચ્યા, જે અનેક પ્રકાશનોમાં પ્રસ્તુત થયાં.

તેમનો પરિવાર—પિતા, માતા અને બે ભાઈ, કિન્જલ અને મિહિર—તેમના જીવનના આધાર છે. પરંતુ તેમનો સાચો પરિવાર એ સમગ્ર વિશ્વ છે. વિશ્વભરમાં ચાર લાખથી વધુ લોકો તેમના શિષ્ય બની માત્ર આશા જ નહીં, પણ જીવનની નવી દિશા મેળવી રહ્યા છે.

મહાત્મા ગાંધી કહ્યા કરતાઃ “મારું જીવન જ મારું સંદેશ છે.” એ જ પ્રીતેષભાઈના જીવન માટે પણ સાચું છે. મનશક્તિ અને માનવતાનો જીવતો જાગતો દાખલો—તેમનું જીવન જ્યાં હાર અશક્ય અને સંભવ જ એકમાત્ર રસ્તો છે. જ્યાં અસાધ્ય કંઈ જ નથી!

આજરોજ મંત્રા ખાતે એક ઇલેક્ટ્રિકલ સેફટી અવેરનેસ પ્રેસ મીટગ નું આયોજન કરવામાં આવ્યું હતું

 

જેમાં મંત્રા અને ફોસ્ટાના પ્રતિસ્થિત મહાનુભાવો તથા અનુભવી પ્રોફેશનલ – તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

તાજેતરમાં સુરતની પ્રસિધ્ધ ટેક્સટાઇલ માર્કેટમાં ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટના લીધે થયેલ ભયાનક આગ અને તેનાથી કાપડ ઉદ્યોગને ખૂબ જ વ્યાપક નુકશાન થયેલ છે. આ પ્રકારે ઇલેક્ટ્રિક શોર્ટ-સર્કિટના કારણે કોમર્શિયલ ઇમારતો જેવી કે અનેકો ટેક્સટાઇલ માર્કેટો. હોસ્પિટલ, સ્કૂલ, શોપિંગ કોમ્પ્લેક્ષોમાં અવારનવાર આગજ નીના બનાવો બનતા રહે છે.

તેનાથી જાનમાલનું પારાવાર નુકશાન ભોગવવું પડે છે. આપણે જાણીએ છીયે કે સેફટી (સલામતી) એ સૌની સહિયારી જવાબદારી છે અને આ પ્રેસ મીટના માધ્યમથી ઇલેક્ટ્રિકલ સેફટી જ્ઞાન-પ્રસાર અને વ્યાવહારિક માર્ગદર્શન દ્વારા સૌના માટે બહેતર કાર્ય વાતવરણના સર્જનમાં યોગદાનનો અભિગત રાખવામાં આવેલ છે અને તેના થકી અકસ્માતોનું નિવારણ થાય અને ધંધા-ઉદ્યોગ એકમોના કર્મચારીઓના હિતની સુરક્ષા થશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

આ બધા પરિબળોને ધ્યાનમાં લઈ મંત્રા અને ફોસ્ટાએ આ પ્રકારના અનિનિય બનાવો ન બને તે માટે સાથે મળીને ઇલેક્ટ્રિકલ સેફટી અવેરનેસ અને ઓડિટ ટેક્સટાઇલ માર્કેટોમાં કરવા માટેના સઘન પ્રયાસો આદરેલા છે. આ પ્રસંગે મંત્રાના પ્રમુખ શ્રી રજનીકાંત બચકાનીવાલા અને ફોસ્ટાના પ્રમુખ શ્રી કૈલાશ હકિમએ પોતાની પ્રસંગોપાત વાત રજૂ કરેલ હતી. આ સાથે ઉપસ્થિત રહેલા તજજ્ઞોએ પણ એમનું મંતવ્ય આચર્યું હતું.

ગોંડલ ખાતે રાજસ્થાની યુવક રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ન્યાય મેળવવા સમિતિની રચના

 

રાજકુમાર જાટ ન્યાય સમિતિ હેઠળ ગુરુવારે ગાંધીનગર ખાતે આવેદન પત્ર આપી સીબીઆઈ તપાસની માંગ કરાશે

સુરત. ગોંડલ ખાતે રહેતા મૂળ રાજસ્થાનના રાજકુમાર જાટ નામના યુવકના અપમૃત્યુ ને અકસ્માતમાં ખપાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે હવે સુરત ખાતે જાટ સમાજ સહિત રાજસ્થાનના વિવિધ સમાજ એક મંચ પર આવી રહ્યા છે અને રાજકુમાર જાટના પરિવારને ન્યાય મળે તે માટે મેદાને ઉતરી રહ્યા છે. આ માટે રાજકુમાર જાટ ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે.

આ અંગે નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટના ગોંડલ શહેરમાં રહેતા રાજસ્થાની યુવાન રાજકુમાર જાટ નું મોત થયું છે જેમાં પરિવારજનો દ્વારા રાજકુમારનું મોત અકસ્માત નહીં પણ પૂર્વ આયોજિત હત્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. બીજી તરફ પોલીસ આ ઘટનાને અકસ્માતની ઘટના ગણાવી રહી છે.

જોકે રાજકુમારના મોતના એક દિવસ પહેલા ગોંડલના બાહુબલી એવા ગણેશ ગોંડલ જાડેજા રાજકુમાર જાટ અને તેના પિતા ને માર મારતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. માર માર્યાની ઘટના બાદથી જ રાજકુમાર જાટ ગાયબ થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું મોત થયું છે.

ત્યારે આ સમગ્ર મામલો શંકાસ્પદ કહી શકાય ત્યારે આ ઘટનાનું સત્ય સામે આવે તે જરૂરી છે અને તે માટે જ અમે રાજકુમાર જાટ ન્યાય સમિતિની રચના કરી છે અને રાજકુમાર જાટ અને તેના પરિવારને ન્યાય મળે તે માટે વિભિન્ન સમાજને સાથે આવવા આહ્વાન કર્યું છે. ત્યારબાદ ગુરુવારે સૌ સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે જઈ આવેદન પત્ર આપી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ સીબીઆઈ ને સોંપવાની માંગ કરશે. વધુમાં નરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે આ સમગ્ર પ્રકરણમાં સરકાર પાસે ન્યાય અને મદદ મળે એવી અપેક્ષા છે.

ઓક્સફોર્ડમાં ગુંજી રામની ગાથા, સુરતની 16 વર્ષીય બાળા ભાવિકાએ રજૂ કર્યો સંવાદ

 

વૈશ્વિક મંચ પર પ્રભુ રામના જીવન પર આધારિત ઉદાહરણો થકી પ્રભુ રામે આપેલ સંદેશાઓ આજે પણ કેટલાક પ્રાસંગિક છે એ ભાવિકા એ સમગ્ર દુનિયાને બતાવી ભારતનું નામ રોશન કર્યું

સુરત. સુરતની ૧૬ વર્ષીય બાળા અને સ્કોલર ઇંગલિશ એકેડમીની વિધાર્થિની ભાવિકા મહેશ્વરીએ વિશ્વ મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. હિંદુ સોસાયટી ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને હિંદુ સોસાયટી એડિનબર્ગ યુનિવર્સિટીમાં વૈશ્વિક પ્રતિષ્ઠિત મંચ પર ભાવિકાએ માત્ર ભગવાન રામની ગાથા જ વર્ણવી નહીં પણ 21મી સદીમાં પણ પ્રભુ શ્રીરામના સંદેશાઓ કેટલા જરૂરી છે આ દુનિયા સમક્ષ મૂક્યું હતું.

ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓમાં ગણાતી આ શૈક્ષિણક સંસ્થાઓમાં ભાવિકાના સત્રો પ્રાસંગિક સંદર્ભો અને ઉદાહરણો દ્વારા રામાયણના શાશ્વત પાઠોને આધુનિક જીવનમાં કેવી રીતે મૂકી શકાય તેના પર કેન્દ્રિત રહ્યા હતા.
યુવાઓમાં સનાતન સંસ્કૃતિની જાગૃતિ અને ‘વસુધૈવ કુટુંબકમ’ ના સંદેશ સાથે રામજીના સંદેશથી સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે વધે છે તે બાબતે ભાર આપવામાં આવ્યો. રામાયણના અનેક ઉદાહરણો દ્વારા ૨૧મી સદીમાં રામજીના સંદેશ કેટલા પ્રાસંગિક છે તે ભાવિકાએ જણાવ્યું હતું.

આ સાથે જ લંડનમાં ૫૦ વર્ષથી કાર્યરત હિંદુ સોસાયટી ટૂટિંગ અને વૈદિક હિંદુ કલ્ચર સેન્ટર ડબ્લિન (આયર્લેન્ડ)માં શ્રીરામ અને મોબાઇલ એડિક્શન વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ભાવિકાએ કઈ રીતે મોબાઇલ ઓવર યુઝ બાળકોનો સમય ચોરીને તેમને બિમારીઓ આપી રહ્યો છે, કઈ રીતે આપણે આ એડિક્શન ઘટાડીને બાળકોને આધ્યાત્મિકતા સાથે જોડી શકીએ તેના પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

*ઉલ્લેખનીય છે ને 16 વર્ષની ઉમરે ભાવિકાએ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે. ૯ વર્ષની ઉંમરે મોબાઇલ એડિક્શન પર સત્ર લઈને ૧૦,૦૦૦ થી વધુ બાળકોને જાગૃત કરવા, ૧૧ વર્ષની ઉંમરે રામકથા દ્વારા ૫૨ લાખ રૂપિયાની સમર્પણ નિધિ અયોધ્યા સમર્પિત કરવી, છેલ્લા ૬ વર્ષમાં ૪૦૦થી વધુ કાર્યક્રમો અને ૧ લાખ કિલોમીટરની મુસાફરી કરવી , સૌથી ઓછી ઉંમરે સેન્ટ્રલ જેલમાં પ્રવચન આપનાર વક્તા,
ટેડએક્સ સ્પીકર, લેખિકા, ઉદ્યોગસાહસિક, અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ગુજરાત બ્રાન્ડ એમ્બેસેડર, વિશ્વની પહેલી ‘ડિજિટલ ડિસિપ્લિન’ પુસ્તક ‘સ્ક્રીન ટાઈમથી ડ્રીમ ટાઈમ’ ની રચના, સિંગાપોર, મલેશિયા, નેપાળ, ઈન્ડોનેશિયા, ઈંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ (યુરોપ) સહિત અનેક દેશોની મુસાફરી કરવી વગેરે સામેલ છે.