Posts by: abhay_news_editor
શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે અત્યાધુનિક ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી વિભાગ શરૂ
દક્ષિણ ગુજરાતમાં પલ્મોનરી કેરમાં ક્રાંતિ લાવવાનું શ્રેય શેલ્બી હોસ્પિટલને
સુરત, ઑક્ટોબર 20, 2024 – જાણીતી શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, સુરતે તેનો ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીનો સ્ટેટ-ઓફ-ધ-આર્ટ વિભાગ શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સૌપ્રથમ પહેલ શેલ્બી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. આ મેગા લોન્ચ ઇવેન્ટ ગૌરવ પથ રોડ ખાતે ડ્રીમ ફેસ્ટિવલમાં આયોજીત કરવામાં આવી હતી. આ ભવ્ય સમારંભમાં 250 થી વધુ ડોકટરો, હેલ્થકેર ડેલિગેટ્સ, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ જોડાયા હતા. સુરતના પોલીસ કમિશનર, શ્રી અનુપમસિંહ ગેહલોતે નવા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું અને શહેરમાં આવી અદ્યતન સુપર-સ્પેશિયાલિટી કેરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નવો વિભાગ બાળરોગ
અને પુખ્ત વયના દર્દીઓ બંને માટે ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી સેવાઓ માટેની સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ છે. આમાં EBUS, રોગનિવારક બ્રોન્કોસ્કોપી અને ક્રાયોથેરાપી, વિવિધ શ્વસન રોગોના નિદાન/સારવાર માટે ઉપલબ્ધ નવીનતમ લઘુત્તમ આક્રમક તકનીકોનો સમાવેશ થાય છે. શેલ્બી હોસ્પિટલ્સમાં હવે નવા યુગના ફેફસાંની સંભાળનાં સાધનો અને અન્ય અદ્યતન તબીબી સાધનો સાથે, વ્યક્તિ દર્દીઓ માટે વિશ્વસ્તરીય સેવાઓની ખાતરી કરી શકે છે.
અસ્થમા વિભાગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ અને પલ્મોનરી ફાઇબ્રોસિસ સહિત ફેફસાના કેન્સર અને ક્રોનિક ફેફસાના રોગો માટે અદ્યતન નિદાન અને ઉપચારાત્મક સંભાળ પણ પ્રદાન કરશે, દર્દીઓને સારવાર પછી વહેલા સ્વસ્થ થવામાં મદદ કરશે, જેમાં CP અને રેડિયલ EBUS બ્રોન્કોસ્કોપી અને ક્રાયોથેરાપીનો ઉપયોગ કરવામાં આવશે.
આ કાર્યક્રમને પલ્મોનોલોજિસ્ટ અને થોરાસિક સર્જનોનો સમાવેશ કરતી તબીબી ટીમ દ્વારા પણ સમર્થન આપવામાં આવે છે, જેઓ ટ્રાન્સપ્લાન્ટેશન પછી દર્દીઓને અનુસરે છે. આનાથી સમગ્ર ગુજરાતમાં અને તેની બહાર ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પહોંચાડવા માટે શેલ્બીની પ્રતિષ્ઠા વધુ વધે છે.
વિભાગના પ્રવાસ અને અત્યાધુનિક સાધનો અને સેવાઓના એક્સપોઝર સાથે ઇવેન્ટનું સમાપન થયું હતું. જે હવે સુરત અને તેની આસપાસના રહેવાસીઓ માટે સુલભ હશે.
દિવાળીનો વિજય અને પરંપરાનો ઉત્સવ: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રકાશના દીવડા
દિવાળી, પ્રકાશનો આ તહેવાર, બુરાઈ પર સારો અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. આ તે સમય છે જ્યારે સમાજો એકઠા થાય છે અને પરિવાર, આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદો પર મનન કરે છે. આ તહેવારનું નામ ઘરના બહાર પ્રજવળિત કાચા દીવડા (દીપ)ની કતારોમાંથી આવ્યું છે
જે આંતરિક પ્રકાશનું પ્રતિક છે, જે અમને આધ્યાત્મિક અંધકારથી સુરક્ષિત રાખે છે. દિવાળી ભારતભરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે અને ભગવાનને શાંતિ, સમૃદ્ધિ અને ખુશીના રક્ષક અને પોષક તરીકે સન્માનિત કરે છે. ઉત્તર ભારતમાં, આ રામ રાજાના રાવણ પર વિજય મેળવીને અયોધ્યામાં પરત ફરવાનું પ્રતિક છે.

દક્ષિણ ભારતમાં, આ તહેવાર ભગવાન કૃષ્ણ દ્વારા દાનવ નરકાસુરના સંહારનું ઉજવણી કરે છે, અને પશ્ચિમ ભારતમાં, આ વિષ્ણુ ભગવાને રાજા બલિને પાતાળ લોકમાં મોકલવાનો દિવસ છે, જે પૃથ્વી પર સંતુલન અને શાંતિ જાળવી રાખે છે. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારા વિદ્યાર્થીઓએ ઉત્સાહી ભાવ સાથે આ તહેવારને આલિંગન આપ્યો.
તેમણે અમારી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખીને સુંદર કંદીલ અને દિવાલની સજાવટ બનાવી. તેમના સર્જનાત્મકતા અને ઉત્સાહે આ આનંદમય અને રંગીન તહેવારને આવકારવા માટે એક નવી કિરણ ફેલાવી.
7 નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”ની સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
ફિલ્મ 7મી નવેમ્બરના રોજ થશે રિલીઝ
સુરત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફૂલ- ઓન ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે જે સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર છે. એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે. ઉલ્લેખનીય છે કે પૂજા અને પરીક્ષિતની જોડી “હું અને તું” પછી ફરી એકવાર સાથે આવી રહી છે. ફિલ્મના પ્રમોશન અંગે મુખ્ય અભિનેતા પરીક્ષિત તમાલિયા તથા અભિનેત્રી પૂજા જોશી તથા અનુભવી અભિનેતા અનુરાગ પ્રપન્ના સુરતના આંગણે આવ્યા હતા અને સુરતમાં આવેલ સમતા ગૌધાણી શોરૂમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.
“કાલે લગન છે !?!” ફિલ્મમાં પરીક્ષિત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારાત વગેરે કલાકારો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.
ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો ફિલ્મમાં ‘એનોય્ડ આયુષ’ ની જર્ની બતાવવામાં આવી છે જેને દીવ જતી વખતે એક છોકરી ઈશિકાને મળે છે, જ્યાં રહસ્યમય ખુલાસાઓ તેને તેના પ્લાન બદલવા માટે ફરજ પાડે છે અને દરેક ટ્વિસ્ટ દર્શકોને રમૂજ પ્રદાન કરશે. ટ્રેલરમાં પણ પરીક્ષિત અને પૂજા સાથે કારમાં મુસાફરી કરતાં જોવા મળે છે. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા દર્શકો આતુર છે.
ફિલ્મ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
નવરાત્રી પર્વ પર લજ્જા શાહે કોરીયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્યોએ રંગ જમાવ્યો
સુરત, 18 ઓક્ટોબર: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભૂલ્યા જ નથી પણ વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિને જીવંત પણ રાખી રહ્યા છે. આવા જ વ્યક્તિઓમાં સામેલ છે મૂળ સુરતના લજ્જા શાહ. જેઓએ બેલ્જિયમના એંટવર્પ શહેરને કર્મભૂમિ બનાવનાર લજ્જા શાહે આ વખતે નવરાત્રી પર્વ પર બેલ્જિયમ ખાતે પોતે કોરિયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્ય થકી માત્ર રંગ જ જમાવ્યો નહીં પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું…
લજ્જા શાહે જણાવ્યું હતું કે એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઓપનિંગ ઇવેન્ટ માટે તેઓને હાયર કરવામાં આવ્યા હતાં. ત્યારે નવરાત્રિની ઓપનિંગ ઇવેન્ટ યાદગાર બની રહે અને ખાસ તેમાં ગુજરાતની સંસ્કૃતિના દર્શન થાય એ રીતનું આયોજન કરવાનું લજ્જા શાહે નક્કી કર્યું હતું. તેઓએ આ માટે ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કરવાનું નક્કી કર્યું અને 15 જેટલા ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતાં. આ ઇવેન્ટમાં બાળકોથી માંડીને વાયોવૃધ્ધો સહિત 250 લોકોએ ભાગ લીધો હતો. ફોક ડાન્સમાં ગરબાની સાથે જ હુડો, કચ્છી રાસ, સનેડો જેવા લોક નૃત્ય તૈયાર કરાયા હતા અને એક થી દોઢ કલાક સુધી આ ઇવેન્ટ ચાલી હતી અને આખો માહોલ ગુજરાતમય બની ગયો હતો. સમગ્ર ઇવેન્ટ માત્ર આકર્ષણ જ જમાવ્યું ન હતું પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું હતું. લજ્જા શાહે જણાવ્યું હતું કે લોકો માત્ર ગુજરાતના ગરબા મે જ ફોક ડાન્સ તરીકે ઓળખે છે પણ ગુજરાતમાં 20 જેટલા લોક નૃત્ય છે તે પૈકી 15 લોક નૃત્ય મે કોરિયોગ્રાફ કર્યા હતા અને ગુજરાતના વિવિધ લોક નૃત્યોનો બેલ્જિયમ માં વસતા ભારતીયો સાથે જ યુરોપ વાસીઓને તેનો પરિચય કરાવ્યો હતો.
સુરતમાં ચલાવતા હતા દોડિયો ક્લાસ
લજ્જા શાહ મૂળ સુરતના વતની છે, તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારે સુરત ખાતે મલ્હાર નામથી સુરત ખાતે દોડીયો ક્લાસ ચલાવતા હતા. હવે છેલ્લા 12 વર્ષથી તેઓ બેલ્જિયમ ખાતે સ્થાયી થાય છે ત્યારે યુરોપમાં પણ તેઓ લોકોને ગરબા સાથે જ ગુજરાતમાં લોક નૃત્યો અને ડાન્સ શીખવાડે છે. એંટવર્પ સાથે જ યુરોપમાં મોટી સંખ્યામાં તેઓના વિદ્યાર્થીઓ છે. એટલું જ નહીં પણ તેઓ ઓનલાઇન ક્લાસના માધ્યમથી પણ લોકોને ડાન્સ શીખવાડી રહ્યા છે.
શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું
અમદાવાદ, 18 ઓક્ટોબર: સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં ‘એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ’ કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિયોંના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે.
કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ પાનશેરિયા, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ હાજર રહ્યા હતા.
કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સન્માનિત મહેમાનોએ પણ એવોર્ડ આપતી વખતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

શ્રીયમ નેશનલ ટીએમટીએ FE 550 અને FE 550D સહિત શ્રેષ્ઠ-ગુણવત્તાવાળા TMT બારની શ્રેણી સાથે સ્ટીલ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. કંપની પોતાના 200 એકરમાં ફેલાયેલા અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં આયર્ન ઓરમાંથી ટીએમટી ઉત્પાદન કરવા માટે જાણીતી છે. કંપની લેડલ રિફાઇનિંગ ફર્નેસ (LRF) અને બ્લોક મિલ (રોલિંગ મિલ) જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ ઇનોવેશન્સને કારણે કંપનીના પ્રોડક્ટ્સની ગુણવત્તા ઇન્ટરનેશનલ કક્ષાની છે.
કંપની સસ્ટેનેબિલિટી તેમજ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને ઇકો-ફ્રેન્ડલી બાંધકામ સોલ્યુશન્સમાં યોગદાન આપવા માટે પણ સમર્પિત છે. શ્રીયમ નેશનલ ટીએમટી પોતાના ઉદ્યોગની સાથે-સાથે કચ્છમાં રોજગાર સર્જન, સીએસઆર પહેલ અને મજબૂત સમુદાય સંબંધો દ્વારા વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
શ્રીયમ નેશનલ ટીએમટી એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ સાથે સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહી છે જે તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કરે છે.
શ્રીયમ નેશનલ ટીએમટી બાર્સે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 પણ મેળવ્યો છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે કંપની ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની બની હતી, જેને CII-ગ્રીન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જે કંપનીની પર્યાવરણ પ્રત્યેની ઉચ્ચ કક્ષાની નિસ્બતને પ્રદર્શિત કરે છે.
ફેશન અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો
સુરત: શહેરની ખ્યાતનામ ફેશન અને ઇન્ટરિયર ડીઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ આઈ એફ ડી દ્વારા ડિપ્લોમાનો અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરનાર 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડીઝાઇનિંગ મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે રીગા સ્ટ્રીટ શાંતમ ખાતે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હાકિમ, નરેન્દ્ર સાબુ, પિયુષ વ્યાસ અને ગીતા શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટમાં ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરનાર 60 અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 15 વિદ્યાર્થીઓ મળી 75 વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ડિપ્લોમા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. વધુમાં મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સુરત ટેકસટાઇલ સાથે જ હવે ગારમેન્ટ્સ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં ડિમાન્ડ વધી રહી છે જે એક સારી એવી કેરિયર આપી શકે છે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ હવે ફેશન ડિઝાઇનર તરીકે કેરિયર બનવાનું પસંદ કરી રહ્યા છે.
અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા યોજાયો કર્મભૂષણ પુરસ્કાર સમારોહ
25 કેટેગરીમાં 95 પોલીસ અધિકારી – કર્મચારીઓને કરાયા સન્માનિત
સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર અને સાંસદ રવિ કિશન, અભિનેતા પ્રતીક ગાંધી અને સિમરન કૌર રહ્યા ઉપસ્થિત
સુરત. શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને પોતાની અસાધારણ કામગીરીથી એક અમીટ છાપ છોડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા સુરત ખાતે કર્મભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 25 અલગ અલગ કેટેગરીમાં સુરત પોલીસ વિભાગમાં 95 અધિકારીઓ અને કર્મચારીઓને કર્મભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલ , બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન, અભિનેતા પ્રતીક ગાંધી અને સિમરન કૌર ઉપસ્થિત રહ્યા હતા.
સુરતની અનીસ સંસ્થા દ્વારા દર વર્ષે મુંબઈ પોલીસ માટે યોજાતા ઉમંગ શોની જેમ સુરત ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસના એવા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવે છે કે જેમને પોતાના કર્યો થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું હોય અને મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ વખતે પણ 13 ઓક્ટોબરના રોજ પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તી મંત્રી સી. આર.પાટીલ અને બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે બોલિવૂડ અભિનેતા પ્રતીક ગાંધી અને અભિનેત્રી સિમરન કૌર, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન આમંત્રિત મહેમાનો ના હસ્તે સુરત પોલીસના 95 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ 25 કેટેગરીમાં કર્મ ભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર આયોજન અનીસ સંસ્થાના અધ્યક્ષ ગીતા શ્રોફ અને અલાયન્સ ના સુભાષ દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આયોજનને સફળ બનાવવા માટે અનીસ સંસ્થાની સિનિયર ટીમ, યુવા ટીમ , ફૌજી ટીમ અને સંસ્કૃતિ ધામ ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
કેન્સરના દર્દીઓ માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ દ્વારા કરાયું ગરબાનું આયોજન
દશેરા પર હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતાં ડૉ.દિવ્યેશ પાઠક દ્વારા કરાયું મોટીવેશન કાર્યક્રમનું આયોજન
સુરત. કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં અણગમો જોવા મળે છે ત્યારે કેન્સરની બીમારીથી પીડાતા અને સાજા થઈ ગયેલા દર્દીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડી શકાય તે માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુના સંચાલક ડૉ. દિવ્યેશ પાઠક દ્વારા આજરોજ ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અદ્વૈતા હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું.
આ અંગે ડૉ. દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૧૦ વર્ષથી કેન્સર સર્જન તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે કેન્સરના દર્દીઓ માટે એક સ્પેશિયલ હોસ્પિટલ હોય એ જરૂરીયાત અનુભવતા અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુ હોસ્પિટલનો પાયો નખાયો. એક વર્ષ પહેલાં દશેરાના દિવસે પ્રાઈમ આર્કેડની સામે સહજ આઇકોનમાં હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ડૉ. દિવ્યેશ પાઠકે 250 થી વધારે સફળ સર્જરી અને 150 જેટલી સફળ કીમો થેરેપી કરી દર્દીઓને નવું જીવન આપ્યું છે. ત્યારે હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે અને આવા દર્દીઓ પ્રત્યે હૂંફથી અને પ્રેમથી સામાન્ય વ્યક્તિની જેમ વ્યવહાર કરે તેવા ઉદ્દેશ્ય સાથે ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ડૉ. દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ને કેન્સર થાય તો તે નોર્મલ જીવન જીવવાનું છોડી દે છે ત્યારે આવી વ્યક્તિઓ પોતાને અલગ નહીં સમજી નોર્મલ જીવન જીવી શકે છે એ સંદેશ આપવા માટે અને સામાન્ય વ્યક્તિઓની જેમ તેઓ પણ દરેક તહેવાર ઉજવી શકે છે તે સંદેશો આપવા માટે હોસ્પિટલ દ્વારા આ આયોજન કરાયું હતું અને 150 જેટલા દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે ડૉ. દિવ્યેશ પાઠકે પોતાનું તબીબી શિક્ષણ સુરતની સરકારી મેડિકલ કોલેજ ખાતે લીધું છે. સરકારી મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસ કર્યા બાદ જનરલ સર્જરીમાં સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે એમએસની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ કેન્સર સર્જન તરીકેનો અભ્યાસ પુને ખાતે કરીયો છે અને ત્યારબાદ ઓંકો સર્જરી નો અભ્યાસ પુણે ખાતે પૂર્ણ કર્યો છે અને છેલ્લા ૫ વર્ષથી તેઓ સુરત ખાતે કેન્સર નિષ્ણાંત તબીબ તરીકે સેવા આપી રહ્યા છે.
દેશની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપની Yanolja Cloud Solution (YCS)એ તેમની નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જુનોમોનેટા ટાવર સૂરત ખાતે ખસેડી
આઇટી હબ તરીકે ઊભરી રહેલા સૂરતને પણ ગ્લોબલ કંપની આવવાથી મોટો ફાયદો થશે
યાનોલ્જા ક્લાઉડ સોલ્યુશન જે ગ્લોબલ લેવલે 170 દેશોમાં 33000થી વધુ ક્લાયન્ટસ ધરાવે છે
સૂરત, ગુજરાત, 30 સપ્ટેમ્બર, 2024 હોસ્પિટાલિટી ટેક્નોલોજીમાં વૈશ્વિક અગ્રણી અને દેશની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપની Yanolja Cloud Solution (YCS) તેનું નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જુનોમોનેટા ટાવર સૂરત ખાતે ખસેડી. આ અત્યાધુનિક ઓફિસ, 30 સપ્ટેમ્બર 2024 થી શરૂ થતા આઇટી હબ તરીકે ઊભરી રહેલા સૂરતમાં વધુ એક
મોરપીચ્છ ઉમેરાશે.
Yanolja Cloud Solution (YCS) કટીંગ-એજ ક્લાઉડ-આધારિત સોલ્યુશન્સ આપતી ગ્લોબલ લેવલે વિશ્વાસપાત્ર કંપની છે.
હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેક્ટરમાં સતત ઇનોવેશન માટે જાણીતી કંપની છે. તેનું આ પગલું કંપનીની મહત્વાકાંક્ષી ગ્રોથ સ્ટ્રેટેજી અને દુનિયામાં ટોપ સોલ્યૂશન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પહેલથી કંપની કોલાબોરેશન, ઇનોવેશન અને એફિશિયેન્સીમાં નવી ઊંચાઇઓ સર કરશે. Yanolja Cloud Solution (YCS) હોટલો અને રિસોર્ટ્સની કામગીરીઓને વધુ સક્ષમ બનાવવા, તેમની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય અને તેમને વધુમાં વધુ નફો મળી શકે તથા તેમના મહેમાનોને ઉત્તમ સેવા મળે તેમાં વધુ સારી મદદ કરી શકશે.
આ પ્રસંગે કંપનીના સી.ઇ.ઓ એજાઝ સોડાવાલાએ કહ્યું કે Yanolja Cloud Solution (YCS)માં અમે હોટેલ્સને એવા
ક્લાઉડ આધારિત આઇટી સોલ્યૂશન્સ આપીએ છીએ જેનાથી તેઓ જે સુવિધાઓ આપે છે તે વધુ સારી રીતે આપી
શકે અને તેમના મહેમાનોને શાનદાર અનુભવ મળે. આ ઉપરાંત હોટેલ્સના નફામાં પણ વધારો થાય. અમારી કંપની
આ ક્ષેત્રે દુનિયાભરમાં અગ્રણી છે અને દેશની સૌથી મોટી કંપની છે.
“અમારી નવી ઓફિસ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના અમારા મિશનમાં એક મોટી છલાંગ છે.
આનાથી દેશના નવા આઇટી હબ તરીકે વિકસી રહેલા સુરતની ગ્રોથ સ્ટોરીને પ્રોત્સાહન મળશે, તેમ એજાઝ સોડાવાલાએ
વધુમાં કહ્યું હતું.
સુરતમાં જુનોમોનેટા ટાવર ખાતે કંપનીના હેડક્વાર્ટર્સનું સ્થળાંતર એ YCSના વ્યાપને વધુ ઊંચાઈ પર લઇ
જવા સાથે આંતરિક વૃદ્ધિ પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે હીરા અને કાપડ ઉદ્યોગો માટે જાણીતું, સુરત હવે
IT ની મોટી કંપનીઓને આકર્ષિત કરી રહ્યું છે તે પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને ડાયનેમિક અને ફોરવર્ડ થિંકિંગ ટેકનોલોજી હબ તરીકે વિકસી રહ્યું છે.ટેક-ફોરવર્ડ સિટી તરીકે સુરતનો વિકાસ થઇ રહ્યો છે જે શહેરને ભારતના વ્યાપક IT સેક્ટરમાં અગ્રણી પ્લેયર તરીકેસ્થાન આપે છે. આનાથી સૂરતના સ્થાનિક આઇટી ટેલેન્ટને પણ ઘરઆંગણે ગ્લોબલ પ્લેટફોર્મમાં કામ કરવાની તક મળી શકશે.
જુનોમોનેટા ટાવરમાં શરૂ કરાયેલી આધુનિક વર્લ્ડક્લાસ ઓફિસ Yanolja Cloud Solution (YCS) ની વિસ્તરી રહેલી
ટીમ પોતાની ક્ષમતાઓને પૂરો ઉપયોગ કરવાનો માહૌલ આપશે. આ સેક્ટરમાં કટીંગ-એજને સોલ્યૂશન આપે તે
માટે ડિઝાઇન કરવામાં આવી છે. Yanolja તેના વૈશ્વિક ક્લાયન્ટ બેઝને વધુ સારી રીતે સેવા આપી શકશે.
ક્લાયન્ટ્સને વધુ ઝડપથી ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપી શકશે.
યાનોલ્જા ક્લાઉડ સોલ્યુશન વિશે:
Yanolja Cloud Solution (YCS) વિશ્વભરમાં હોસ્પિટાલિટી ટેક્નોલોજી આપનાર અગ્રણી કંપનીઓમાંની એક છે અને
હોટેલ અને રેસ્ટોરન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ ઓફર કરે છે.યાનોલ્જા ગ્રુપ દ્વારા હસ્તગત – દક્ષિણ કોરિયાની
ટ્રાવેલ ટેક યુનિકોર્ન છે. eZee, GGT અને SanhaIT જેવી સભ્ય કંપનીઓના તેના વધતા પોર્ટફોલિયો સાથે આજે YCS એ ભારતની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી અને અગ્રણી વૈશ્વિક ક્લાઉડ હોટેલ સોલ્યુશન આપનાર કંપની છે. વધુ માહિતી માટે, www.yanoljacloudsolution.com ની મુલાકાત લો.
ખુશ્બુ પાઠક રૂપારેલના તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ અદભૂત નવરાત્રિ કલેક્શન-‘સતરંગી’ લોન્ચ કર્યું
વડોદરા, 08 ઓક્ટોબર: ખુશ્બુ પાઠક રૂપારેલ દ્વારા સ્થાપિત તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાયેલા ટાઈમ્સ ફેશન વીક 2024માં તેનું અદભૂત નવરાત્રિ કલેક્શન ‘સતરંગી‘ લોન્ચ કર્યું હતું, જેને તેની પરંપરા અને આધુનિકતાના અનોખા સંમિશ્રણ માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફેશન પ્રેમીઓ અને વિવેચકો સમાન રીતે સતરંગી કલેક્શનની બોલ્ડ ડિઝાઇન્સ અને વૈભવી કાપડથી પ્રભાવિત થયા હતા. સતરંગી કલેક્શન નવરાત્રિનું એવું એક નવું કલેક્શન છે જેમાં બદલાતા સમયને અનુરૂપ ચણીયા ચોલી સિરીઝ ડિઝાઇન કરવામાં આવી છે.
કલેક્શન પાછળની પ્રેરણા સમજાવતા, જાણીતા ડિઝાઇનર ખુશ્બુ પાઠક રૂપારેલએ જણાવ્યું હતું કે, “સતરંગીમાં અમે બદલાતા સમય સાથે તેને આધુનિક બનાવવાનો ઉદ્દેશ્ય તો રાખ્યો જ હતો સાથે જટિલ મિરર વર્ક અને દોરા વર્ક પરંપરાગત નવરાત્રી સિઝનની પ્રાચીન ભાવના પણ દર્શાવે છે.”

ગરબા એપેરલ્સની પરંપરાગત ડિઝાઇનમાં કોઇ મોટા ફેરફાર કર્યા વિના તે પહેરવામાં પણ સરળતા રહે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ બાબત એ સતરંગીને ખરેખર અનોખું બનાવે છે. નૃત્યના સૌથી મોટા તહેવારને એ જ ઉત્સાહ સાથે ઉજવવા માટે ઘુમાવદાર સ્કર્ટ, વાઇબ્રન્ટ પેટર્ન અને આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મિરર વર્કની ચમક હોય, વિવિધ રંગોની આભા હોય કે અનોખી ડિઝાઇન હોય, તિતલી ડિઝાઇનર સ્ટુડિયોનું સતરંગી કલેક્શન એ સુનિશ્ચિત કરે છે કે પહેરનાર દરેક વ્યક્તિ ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બને. તિતલી ડિઝાઇનર સ્ટુડિયો નવરાત્રિ સ્ટાઇલને બદલવા માગતા દરેક લોકોને આમંત્રણ આપે છે. સતરંગી કલેક્શન હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. કલેક્શન જોવા અથવા ખરીદવા માટે તિતલી ડિઝાઇનર સ્ટુડિયો, એ-10, વ્રજધામ સોસાયટી, અક્ષર ચોક, ઓ.પી. રોડ. વડોદરાની જરૂર મુલાકાત લો।