Posts by: abhay_news_editor

તીર્થ ગોપીકોનની પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 8 એપ્રિલે ખૂલશે
કંપની પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરશે જે શેરદીઠ રૂ. 111ના ફિક્સ પ્રાઇઝ પર રહેશે, એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગની યોજના
અમદાવાદ, 5 એપ્રિલ: એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ખાસ કરીને રોડ, ગટર અને વોટર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપતી અમદાવાદ સ્થિત તીર્થ ગોપીકોન લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂથી રૂ. 44.40 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેના પબ્લિક ઇશ્યૂને લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 8 એપ્રિલે ખૂલશે અને 10 એપ્રિલે બંધ થશે. પબ્લિક ઇશ્યૂથી મળનારી રકમનો કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ સહિતની કંપનીની વિસ્તરણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે ઉપયોગ કરવામાં આવશે. ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ આ ઇશ્યૂના લીડ મેનેજર છે.
આઈપીઓમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 39.99 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 111 (ઇક્વિટી શેર દીઠ રૂ. 101ના પ્રિમિયમ સહિત)ની પ્રાઇઝ ફિક્સ કરી છે. રૂ. 44.40 કરોડની ઇશ્યૂની રકમમાંથી કંપની રૂ. 33.40 કરોડની રકમ કાર્યશીલ મૂડીની જરૂરિયાતો સંતોષવા અને રૂ. 10.24 કરોડની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટે લઘુતમ લોટ સાઇઝ 1200 શેર્સ છે જે અરજી દીઠ રૂ. 1.33 લાખના રોકાણમાં અનુવાદિત થાય છે. આઈપીઓ માટે રિટેલ ઇન્વેસ્ટર ક્વોટા નેટ ઓફરના 50 ટકા પર રાખવામાં આવ્યો છે.
વર્ષ 2019માં શરૂ કરાયેલી તીર્થ ગોપીકોન લિમિટેડ મધ્ય પ્રદેશમાં માર્ગ નિર્માણ, ગટર અને પાણી પુરવઠાના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપનીનો વ્યવસાય મધ્ય પ્રદેશ રાજ્યમાં અને મુખ્યત્વે ઇન્દોર, છતરપુર, સાગર, દિંદોરી, જબલપુર તથા ઉજ્જૈન જેવા શહેરોમાં કેન્દ્રિત છે અને અન્ય રાજ્યોમાં તેની હાજરીને ક્રમિકપણે વિસ્તારી રહી છે. ISO 9001:2015, ISO 14001:2015 અને ISO 45001:2018 સર્ટિફાઇડ કંપની તરીકે તે ઓલ ક્લાસ સિવિલ એન્ડ ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે પણ રજિસ્ટર્ડ થયેલી છે અને સરકારી વિભાગોના અનેક પ્રોજેક્ટ્સ પૂરા કરેલા છે. કંપનીએ આઈએસસીડીએલ, આઈએમસી, યુએસસીએલ, યુએમસી, એમપીજેએનએમ વગેરે જેવા વિવિધ કેન્દ્ર/રાજ્ય સરકારના વિભાગો માટે રજિસ્ટર્ડ સિવિલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરેલું છે અને પ્રાઇવેટ સેક્ટર માટે બિલ્ડિંગ કામો પણ હાથ ધરેલા છે. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની ઓર્ડર બુક રૂ. 904.98 કરોડની છે.
કંપની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, વોટર સપ્લાય, પાઇપલાઇન્સ, સીવેજ નેટવર્ક, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નલ્લા ટેપ્સ, રિયુઝ નેટવર્ક, ઓવરહેડ ટાંકી, જીએસઆર, રોડ કન્સ્ટ્રક્શન, જળાશયોના પુનઃનિર્માણ વગેરે જેવા વિવિધ સિવિલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ કંપની વિવિધ વિભાગોમાં 164 કાયમી કર્મચારીઓ (વર્કમેન સહિત) ધરાવતી હતી.
તીર્થ ગોપીકોન લિમિટેડના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશભાઈ કુંભાણીએ જણાવ્યું હતું કે કંપની છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્કૃષ્ટ ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ ધરાવે છે. કંપનીનો હાલનો બિઝનેસ મધ્ય પ્રદેશમાં સ્થિત છે અને અમે તબક્કાવાર અન્ય રાજ્યોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવીએ છીએ. અમને આશા છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચનાને એ પ્રમાણે અમલમાં મૂકીશું જેથી ગુણવત્તાસભર પ્રોડક્ટ્સ સતત પૂરી પાડવાની સાથે તમામ હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્યસર્જન થાય.
કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ આવક તથા નફાકારકતામાં અનેકગણો વધારો જોયો છે. જાન્યુઆરી, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના 10 મહિનામાં કંપનીએ રૂ. 7.84 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 69.70 કરોડની આવક નોંધાવી છે જેની સામે નાણાંકીય વર્ષ 2022-23માં સંપૂર્ણ વર્ષની નફાકારકતા તથા આવકો અનુક્રમે રૂ. 1.80 કરોડ અને રૂ. 39.15 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024 રોજ કંપનીની નેટવર્થ રૂ. 15.72 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 7.73 કરોડ તથા એસેટ બેઝ રૂ. 137.20 કરોડ હતી. 31 જાન્યુઆરી, 2024ના રોજ કંપનીની આરઓઈ 66.40 ટકા, આરઓસીઈ 48.40 ટકા અને આરઓએનડબ્લ્યુ 22.72 ટકા હતું. કંપનીના શેર્સ એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે.
IPO Highlights – Teerth Gopicon Ltd | |
IPO Opens on | April 8, 2024 |
IPO Closes on | April 10, 2024 |
Issue Price | Rs. 111 Per Share |
Issue Size | 39.99 lakh shares – up to Rs. 44.40 crore |
Lot Size | 1200 Shares |
Listing on | NSE Emerge Platform of National Stock Exchange |

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ. બીએસઈ લિસ્ટિંગના દિવસે અપર સર્કિટ 200 પર ખુલ્યો, 210 પર બંધ થયો
ફિલ્મ અભિનેતા સૂરજ પંચોલીને એઇડ્સ પ્રદર્શન સાથે કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કરવામાં આવ્યા
સુરતઃ સુરતમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીનો BSE લિસ્ટિંગ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલમાં યોજાયો હતો. આ પહેલીવાર છે કે સુરતની કોઈ કંપની હોમ ટાઉનમાં લિસ્ટ થઈ છે. IPO લિસ્ટિંગના દિવસે એટલે કે શુક્રવારે રૂ. 145ના ભાવે ભરાયો હતો, જે 38%ના પ્રીમિયમ સાથે રૂ. 200 પર ખૂલ્યો હતો અને અંતે રૂ. 210 પર બંધ થયો હતો. શુક્રવારે ખુલતાની સાથે જ આ કંપનીનું માર્કેટ કેપ 1050 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે.
બેલ સેરેમની કેપી ગ્રુપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક જી.પટેલના હસ્તે કરાય, તેમની સાથે કેપી ગ્રીનના હોલ-ટાઇમ ડાયરેક્ટર મોઇનુલ કડવા, સીએફઓ સલીમ યાહૂ, પ્રવીણ સિંઘ, ડાયરેક્ટર અફફાન પટેલ, હસન પટેલ, ડો. ઇન્દુગુપ્તા રાવ, સુરિન્દર નેગી, બીએસઇના એમડી અજય ઠાકુર વગેરે જોડાયા હતા.. આ પ્રસંગે, બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલી અભિનીત કેપી ગ્રીનની જાહેરાત પણ લોન્ચ કરવામાં આવી હતી. સૂરજને કેપી ગ્રીનનો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કરવામાં આવ્યો હતો. આ સમયે સૂરજના માતા-પિતા અભિનેતા સૂરજ પંચોલી, ઝરીના વહાબ અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પણ હાજર હતા.
રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી KP ગ્રુપની આ ત્રીજી કંપની છે, જે BSE પર લિસ્ટ થઈ છે. અગાઉ કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જીએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો અને આજે આ બંને કંપનીઓની માર્કેટ કેપ 13000 કરોડ રૂપિયાથી વધુ છે.
કેપી ગ્રૂપના સીએમડી અને પ્રમોટર ડૉ. ફારુક પટેલે જણાવ્યું હતું કે, “અમે રોમાંચિત છીએ અને આભારી છીએ કે રોકાણકારોએ અમારા પર વિશ્વાસ મૂકીને IPO 29.58 વખત સબસ્ક્રાઇબ કર્યો. અમારી રૂ. 189.50 કરોડની માંગ સામે રૂ. 3727 કરોડની બીડ મળી. રોકાણકારોએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પર અમે ખરા ઉતરીશું. કેપી ગ્રીન અમારી ફ્લેગશિપ કંપની છે અને આ કંપનીની 21 વર્ષની લાંબી સફર ખેડી છે. માત્ર 50 મેટ્રિક ટનના ઉત્પાદનથી શરૂ થયેલી સફર આજે 53000 મેટ્રિક ટનથી વધુના ઉત્પાદન સુધી પહોંચી છે અને કંપની ભરૂચના માતરમાં નવી ફેક્ટરીના નિર્માણ સાથે આગામી દિવસોમાં ઉત્પાદન ક્ષમતા 2.94 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું આયોજન કરી રહી છે.

સુરતની નેનોટેક કન્સલ્ટન્સી એ સેમિકન્ડક્ટર ના ઉત્પાદન માટે ઇન્ટેલ સાથે સહયોગ કર્યો
– આ કરાર/સહયોગ “મેક ઇન ઇન્ડિયા” અભિયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકનોલોજી ક્રાંતિના વિઝનને અનુરૂપ છે
— વાઈબ્રન્ટ ગુજરાત પહેલ પછી આ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે
— વરેલી-કામરેજ ફેસીલીટી પર ટૂંક સમયમાં જ સિવિલ વર્ક શરૂ કરવામાં આવશે
સુરત: સુરતમાં ઇન્ફોટેક સેક્ટરમાં અગ્રણી, નેનોટેક કન્સલ્ટન્સીએ વિશ્વમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ્સ અને સેમિકન્ડક્ટર્સની સૌથી મોટી ઉત્પાદક ઇન્ટેલ સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ(ઉત્પાદન) માટે સહયોગ કર્યો છે. આ અભૂતપૂર્વ સહયોગ વાસ્તવમાં “મેક ઇન ઇન્ડિયા” પહેલની ભાવના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી ટેક લક્ષ્યો સાથે સંરેખિત છે.
આ સીમાચિહ્નરૂપ પહેલના ભાગરૂપે, નેનોટેક કન્સલ્ટન્સી તેની કામરેજ સુવિધામાં સિવિલ વર્ક શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે, જે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની સ્થાપના તરફના નિર્ણાયક પગલાને દર્શાવે છે. આ વિકાસ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાનની વ્યાપક પહેલને પગલે થયો છે, જ્યાં મોટાભાગની ઇન્ફોટેક કંપનીઓએ સાણંદ અથવા ગિફ્ટ સિટીમાં સ્થાનો પસંદ કર્યા છે. કામરેજમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થાપવાનો નેનોટેક કન્સલ્ટન્સીનો આ નિર્ણય સ્થાનીય વિસ્તારમાં એક નવો પરિમાણ ઉમેરે છે. આ ઉપરાંત આ નિર્ણય, વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન નિર્ધારિત ઉદ્દેશ્યોને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
નેનોટેક કન્સલ્ટન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઇન્ટેલ સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારી સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારી આધુનિક ટેકનોલોજીને ઇન્ટેલની ઉત્પાદન ક્ષમતાઓ સાથે જોડીને અમે અમારા ગ્રાહકોને અદ્વિતીય સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતાઓ પહોંચાડવા માટે તૈયાર છીએ.”
નેનોટેક કન્સલ્ટન્સીના નેનોટેકનોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં વ્યાપક ઉકેલો, ક્લાયન્ટ-સેન્ટ્રીક અભિગમ સાથે તેને જટિલ પડકારોનો બેસ્ટ ઉકેલ લાવવામાં અગ્રણી સ્થાન આપે છે. કંપની કાર્યક્ષમતા વધારવા અને નિર્ધારીત પરિણામો પ્રાપ્ત કરવા માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યાધુનિક સ્ટેટ ઓફ ધી આર્ટ સમસ્યા-નિવારણ સાધનો સાથે વ્યવસાયોને વધુ સશક્ત બનાવે છે.
આ સિદ્ધિમાં નેનોટેક કન્સલ્ટન્સીની મહત્વની ભૂમિકા અંગે એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “પ્લાન્ટની ક્ષમતા અને આ સુરત સ્થિત પ્રીમિયમ કન્સલ્ટન્સી દ્વારા ઇન્ટેલ સાથેનું સહયોગી વિઝન, ઇન્ફોટેક સેગમેન્ટમાં 360-ડિગ્રી સોલ્યુશન્સ પ્રદાન કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, તે સુરત માટે અને ખાસ કરીને ગુજરાત માટે ખૂબજ ગર્વની ક્ષણ છે.”
નેનોટેક કન્સલ્ટન્સીની સફળતા તેના ગ્રાહકોની સફળતા સાથે આંતરિક રીતે જોડાયેલી છે. નવીનતા, વ્યૂહાત્મક સહયોગ અને ક્લાયન્ટ-સેન્ટ્રીક અભિગમ પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે કંપની ટેક્નોલોજી ઉદ્યોગમાં અગ્રણી છે. કામરેજમાં સ્થિત નેનોટેક કન્સલ્ટન્સી, અત્યાધુનિક ટેક્નોલોજીમાં મોખરે છે, જે નેનો ટેક્નોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રોને આવશ્યકતા મુજબના ઉકેલો પ્રદાન કરવામાં વિશેષતા ધરાવે છે. કંપનીનો 11 વર્ષનો સફળ ટ્રેક રેકોર્ડ છે અને તે વિવિધ ક્ષેત્રો અને ભૌગોલિક વિસ્તારોમાં ગ્રાહકોને શ્રેષ્ઠ અને અજોડ ટેકનોલોજી સોલ્યુશન્સ ઓફર કરે છે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે શિક્ષા રિફોર્મ નું લોન્ચિંગ
સુરત. આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે. ત્યારે સુરત ખાતે આજરોજ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ તરીકે શિક્ષણવિદ્દ દિપક રાજગુરુ તથા શહેરની સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આ ઉપરાંત ફિનલેન્ડ થી કેમક યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સના કિમ્મો નિક્કાનેન અને શિક્ષણવિદ્દ એન્ટિ ઇસોવિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા એ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફિનલેન્ડ અને માઈક્રોસોફ્ટ કંપની સાથે ટાઈ અપ કરીને શિક્ષા રિફોર્મ લોંચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખુબજ મહત્વનું સાબિત થશે. શિક્ષા રિફોર્મના કો ફાઉન્ડર રાજીવ સોની અને પરેશ ચલોડિયાએ જણાવ્યું હતું ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઈક્રોસોફ્ટ સાથે ટાઈ અપ કરી શિક્ષા રિફોર્મ દ્વારા એઆઇ, સાઇબર સિક્યોરીટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે. જયારે રિફોર્મ ના પાર્ટનર અંકુર પટેલ અને ઉમેશ બારડોલીવાલાએ જણાવ્યું હતું કે રિફોર્મની ખાસ બાબત એ છે કે આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ પણ આપવામાં આવશે. જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

વિશ્વમાં સૌ પ્રથમ વખત સુરતની સંસ્થાએ દુબઈ માં યોજ્યો દીકરા – દિકરીના એંગેજમેન્ટ મેરેજ માટે માર્ગદર્શન મેગા સેમિનાર By Life Line United Foundation
લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન – સુરત છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરી રહી છે હાલ ના સમય માં દીકરા દિકરીના સગપણ વેવિશાળ અને લગ્ન જેવા અઘરા અને ચિંતા યુક્ત સામાજીક કાર્ય ને સેવાના ભાવ થી નવી પધ્ધતિસર સહેલું સરળ તેમજ એકદમ ચિંતા થી મુક્ત કરવા છેલ્લા પાંચ વર્ષથી સફળતા પૂર્વક ચાલી રહેલી દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ ગુજરાતમાં સારી રીતે ચાલી રહી છે અને વિશ્વના અનેક દેશોમાં પણ સુરત થી કાર્ય થઈ રહ્યું છે લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન સુરતની સંસ્થાએ વિશ્વમાં સૌ પ્રથમ વાર દુબઈ માં કર્યો એંગેજમેન્ટ મેગા સેમિનાર તા – 27/2/24 મંગળવાર સાંજે 5.30 કલાક અલ ખૂરી સ્કાય ગાર્ડન હોટેલ દુબઈ ( Al Khoory Sky Garden Hotel Dubai ) ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દુબઈમાં રહેતા ગુજરાતી દિકરા દિકરી ઓએ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.
આગામી સમયમાં દુબઈમાં 51 સગાઈ અને લગ્ન કરવા માટેનો સંકલ્પ લીધો છે જે ટૂંક સમયમાં પૂરો સાકાર પણ થશે.
દુબઈ પોલીસ દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરી સંસ્થાને સન્માનીત કરવામાં આવી હતી તેથી સંસ્થાના આ વિશ્વવ્યાપી શુભારંભથી જ વિદેશો માં પણ સંસ્થાના સેવાકાર્ય ને પ્રોત્સાહન મળી રહ્યું છે.
સંસ્થા ના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખશ્રી નીતાબેન નારિયા એ જણાવ્યું હતું કે આવનાર સમયમાં અમો યું.કે. ખાતે સેમીનાર કરવા જઈ રહ્યાં છીએ ગર્વની લાગણી અનુભવીએ છીએ.

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો SME પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો IPO, પ્રથમ રોડ-શો સુરતમાં યોજાયો
KP ગ્રીન એન્જિયરીંગ લિમિટેડનો SME પ્રારંભિક જાહેર ઓફર(IPO) શુક્રવાર, 15મી માર્ચ, 2024 ના રોજ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરાય,
22 માર્ચે સુરતમાં જ બેલ સેરમેની કરી નવો ચિલો ચાતરશે કેપી ગ્રુપ
સુરત: 11 માર્ચ 2024 સુરત ગુજરાત સ્થિત કેપી ગ્રુપની 25 વર્ષ પુરાણી ફ્લેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો એસએમઈ પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો આઈપીઓ આવી રહ્યો છે. તેનો પ્રથમ રોડ શો (ઈન્વેસ્ટર, બ્રોકર મીટ) સુરતની લે-મેરિડિયન હોટલ ખાતે યોજાયો હતો. અત્યારસુધી પ્રથમ રોડ શોનું ચલણ દિલ્હી અથવા મુંબઈ રહ્યું છે પરંતુ કંપનીનું હેડક્વાટર્સ સુરત હોય અહીં એક નવો ચિલો પાડવામાં આવ્યો છે. કંપની તા. 22 માર્ચના રોજ બેલ સેરમની પણ સુરતમાં જ કરવા જઈ રહી છે.
માહિતી આપતા કેપી ગ્રુપના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ડો. ફારુક જી. પટેલે કહ્યું હતું, IPO માટે પ્રત્યેકની ₹5/- ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવીછે. આઈપીઓ શુક્રવાર, 15મી માર્ચ, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, 19મી માર્ચ, 2024ના રોજ બંધ થશે. આ પહેલા અમારી બે કંપની સ્ટોક માર્કેટમાં આવી ચુકી છે. જેમાં કેપી એનર્જી લિ. વર્ષ 2016માં લિસ્ટેડ થઈ હતી. કેપી એનર્જીની માર્કેટ કેપ આજે રૂ. 2638 કરોડ છે. બીજી કંપની KPI ગ્રીન એનર્જી લિમિટેડ વર્ષ 2019માં લિસ્ટેડ થઈ હતી. આ કંપનીનું માર્કેટ કેપ 10404 કરોડ રૂપિયા છે. અમે વિચાર્યું હતું કે, ડોલર જેટલી આપણી કિંમત થાય અને કેપીઆઈ ગ્રીનનો એક રૂપિયો બરાબર 84 રૂપિયા થઈ ગયો. આ પર્ફોમન્સ અમારું રહ્યું છે. કેપી ગ્રુપનું રૂ. 150 અબજથી વધુનું બિઝનેસ એમ્પાયર છે. બંને કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટર સોલાર-વિન્ડ પાવર અને હાઇબ્રિડમાં સારું પ્રદર્શન કરી રહી છે અને જેનો આઈપીઓ લાવી રહ્યાં છે તે કેપી ગ્રીન એન્જિનિયરિંગ 25 વર્ષથી કામ કરી રહી છે, એટલે હું ચોક્કસ કહીંશ કે તે સારું જ પ્રદર્શન કરશે. અમે વડાપ્રધાન મોદીના રિન્યુએબલ સેક્ટરમાં વર્ષ 2030માં 500 ગીગાવોટ્સના ટાર્ગેટ સુધી પહોંચવામાં એગ્રેસીવલી આગળ ધપી રહ્યાં છે અને દેશની બીજા દેશો પરની નિર્ભરતા ધટાડી રહ્યાં છે.
- નવું ફેક્ટરી યુનિટ બનાવી રહી છે
કેપી ગ્રીન એન્જિનયરિંગ લિ.ના વ્હોલ ટાઈમ ડિરેક્ટર મોઈનુલ કડવાએ કહ્યું હતું, કંપની ભરૂચ જિલ્લાના માતર ગામમાં એક વિશાળ ફેક્ટરી નિર્માણ કરી રહી છે. તેમાં ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ રૂ. 174.04 કરોડ છે. ઓફર મારફત એકત્ર થનારી રકમમાંથી રૂ. 156.14 કરોડ સુધીની રકમનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ અમે મૂક્યો છે. હાલ ડભાસા સ્થિત 2 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી ફેક્ટરીમાં વાર્ષિક 53,000 મેટ્રીક ટન છે, તે નવા એકમ માતરમાં વાર્ષિક 294,000 મેટ્રીક ટનની ક્ષમતા સાથે ઉત્પાદન સુવિધા વધારવાની યોજના છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપની પાસે આશરે રૂ. 233.91 કરોડની કુલ ઓર્ડર બુક મૂલ્ય સાથે 69 પ્રોજેક્ટ્સ છે.
– ઈન હાઉસ ફેસિલિટી:
વર્ષ 2001 માં સ્થપાયેલી કેપી ગ્રીન એન્જિનિયરિંગ કંપની હોટ-ડીપ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ વસ્તુઓના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. તેની વ્યાપક ઉત્પાદન શ્રેણીમાં લેટીસ ટાવર સ્ટ્રક્ચર્સ, સબસ્ટેશન સ્ટ્રક્ચર્સ, સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ, કેબલ ટ્રે, અર્થિંગ સ્ટ્રીપ્સ, બીમ ક્રેશ બેરિયર્સ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. વધુમાં, તે ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ, ગેલ્વેનાઇઝિંગ જોબ વર્ક અને સોલર ઇન્સ્ટોલેશન સેવાઓ માટે ફોલ્ટ રેક્ટિફિકેશન સર્વિસિસ (FRT) ઓફર કરે છે. સાથે તે રિન્યુએબલ એનર્જી સેક્ટરને સપોર્ટિંગ ફેબ્રિકેશન સોલાર એમએમએસ સ્ટ્રક્ચર, વિન્ડ લેટિસ ટાવર, ટ્રાન્સમિશન ટાવર, પોલનું પણ નિર્માણ કરે છે. કંપની GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) અને MSETCL (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની) દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે અને હાલમાં તે અનુક્રમે 400 Kw અને 220 Kw સુધીની જરૂરિયાતો પૂરી કરે છે.
– કંપનીનું નાણાંકિય મેનેજમેન્ટ:
કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિએ નાણાકીય વર્ષ FY23માં રૂ. 12.40 કરોડનો નફો કર્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4.54 કરોડથી વધીને નફામાં 2.73 ગણો જેટલો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 23 દરમિયાન આવક અગાઉના વર્ષના રૂ. 77.70 કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે વધીને રૂ. 114.21 કરોડ થઈ છે, જે 47% નો વધારો દર્શાવે છે. આનું મુખ્ય કારણ ઉત્પાદનો અને સેવાઓના વેચાણમાંથી આવકમાં વધારો છે. કંપનીએ સપ્ટેમ્બર-2023 સુધી માત્ર 6 મહિનામાં નાણાકીય વર્ષ 2022-23ની લગભગ સમાન આવક અને PAT હાંસલ કરી છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ મહિનામાં, ઑપરેશન સંચાલનમાંથી આવક રૂ. 103.93 કરોડ હતી અને કર પછીનો નફો રૂ. 11.27 કરોડ હતો.

सिटी एनसीपीए- आदि अनंत के साथ एनसीपीए मुंबई, देश की राजधानी में कदम रखने के लिए तैयार है
इस फेस्टिवल में झाकीर हुसैन, कला रामनाथ और जयंती कुमरेश जैसे दिग्गज कलाकार शामिल होंगे और मामे खान के साथ 47 लोक कलाकार एक से बढ़कर एक प्रस्तुतियाँ देंगे
दिल्ली, जनवरी 2024: मुंबई में तीन कॉन्सर्ट्स की शानदार सफलता के बाद, देश का प्रमुख कला और सांस्कृतिक केंद्र, नेशनल सेंटर फॉर द परफॉर्मिंग आर्ट्स (एनसीपीए), मुंबई, अपने वार्षिक म्यूजिक फेस्टिवल- आदि अनंत के दो प्रतिष्ठित कॉन्सर्ट्स प्रस्तुत करने के लिए दिल्ली का दौरा करेगा। भारतीय संगीत के दिग्गजों के साथ उच्च क्षमता वाले कॉन्सर्ट्स का आयोजन करने का इसका शानदार इतिहास रहा है। ऐसे में, सिटी-एनसीपीए आदि अनंत उत्सव का 13वाँ संस्करण गुरु-शिष्य परंपरा और भारत की समृद्ध संगीत परंपराओं की जीवंतता का जश्न मनाने का प्रयास करता है। इसमें विभिन्न पीढ़ियों के कलाकार शास्त्रीय और उपशास्त्रीय से लेकर लोक और लाइट क्लासिकल म्यूजिक की शैलियों में प्रस्तुति देंगे और सामूहिक रूप से भारतीय संगीत परंपराओं की विस्तृत विभिन्नता को परिभाषित करेंगे।
पहले कॉन्सर्ट का आयोजन 27 जनवरी को होगा, जिसमें मामे खान 47 लोक कलाकारों के साथ प्रस्तुति देंगे, जिसमें मांगनियार समुदाय के गायकों और वाद्ययंत्र वादकों का एक ऑर्केस्ट्रा शामिल होगा। यह शाम पश्चिमी राजस्थान के जीवंत लोक संगीत का अनुभव देने का वादा करती है। 28 तारीख को ‘त्रिवेणी’ नामक एक अनूठी प्रस्तुति होगी, जिसमें झाकीर हुसैन (तबला), कला रामनाथ (वायलिन) और जयंती कुमरेश (सरस्वती वीणा) शामिल होंगे। इस कार्यक्रम का संकलन भारत में तीन पवित्र नदियों के मिलन के पौराणिक स्थल पर आधारित है। यह नाम उपयुक्त रूप से तीनों कलाकारों की परंपराओं के संगम का प्रतिनिधित्व करता है।
दिल्ली में एनसीपीए फेस्टिवल के आयोजन पर बात करते हुए, डॉ. सुवर्णलता राव, भारतीय संगीत की प्रोग्रामिंग प्रमुख ने कहा, “आदि अनंत फेस्टिवल देश की समृद्ध कला, संस्कृति और विरासत को बनाए रखने के लिए एनसीपीए के प्रयासों का प्रतिनिधित्व करता है और हमें एक बार फिर अपनी प्रस्तुति दिल्ली में लाकर खुशी हो रही है। सिटी इंडिया के साथ साझेदारी करना हमारे लिए गर्व का विषय है। हमारे देश की परंपराओं और संस्कृति को संरक्षित करने, स्थापित और उभरती प्रतिभाओं को बढ़ावा देने और भारतीय संगीत के लिए आदि अनंत और गुरु-शिष्य कार्यक्रम जैसे अद्वितीय सहयोग के माध्यम से संगीत शिक्षा को सक्षम करने के लिए हमारे जुनून और प्रतिबद्धता को साझा करना बहुत खुशी की बात है। हम मानते हैं कि कला और संस्कृति किसी देश के समुदाय के आंतरिक स्तंभ हैं, और हमें पूरी उम्मीद है कि दिल्ली के दर्शक भारतीय संगीत परंपरा को बढ़ावा देने और इन कॉन्सर्ट्स के माध्यम से भावी पीढ़ियों को पोषित करने के हमारे सामूहिक प्रयासों में शामिल होंगे।”
दोनों शोज़ का मंचन जोरावर ऑडिटोरियम, मानेकशॉ सेंटर, नई दिल्ली में शाम 6:30 बजे किया जाएगा।
टिकट्स बुकमायशो पर उपलब्ध हैं।

सेल्स कौशल के विकास के गुर सीखने वालों के लिए यथार्थ किताब साबित होगी “बेचने की कला”
विभिन्न नेशनल इंटरनेशनल कंपनी में सेल्स का 15 वर्षो का अनुभव रखने वाले पुष्पेश सिंह ने किताब में अपने अनुभव के निचोड़ को पाठकों के समक्ष रखा है
– नेशनल और मल्टी नेशनल कंपनियों में सेल्स का लंबा अनुभव रखने वाले पुष्पेश सिंह लिखित पुस्तक ‘बेचने की कला’ उन व्यक्तियों के लिए एक अनिवार्य पुस्तक कहा जा सकता है, जो अपने सेल्स कौशल को बढ़ाने के लिए इच्छुक हैं।
याहू, ज़ी, एनडीटीवी, लिंक्डइन और गूगल जैसी प्रतिष्ठित कंपनियों में 15 से अधिक वर्षों के अनुभव के साथ एक अनुभवी सेल्स पेशेवर पुष्पेश सिंह द्वारा लिखित यह पुस्तक एक सफल सेल्स करियर बनाने के लिए अमूल्य अंतर्दृष्टि और रणनीति प्रदान करती है। यह पुस्तक सेल्स के स्पेक्ट्रम को कवर करती है, एक मजबूत कार्य नीति विकसित करने से लेकर अनुनय की जटिलताओं पर महारत हासिल करने तक के गुर इसमें दर्शाए गए हैं। विशेष रूप से यह पुस्तक केवल वित्तीय लाभ की खोज से परे है, जो किसी के काम में व्यक्तिगत संतुष्टि खोजने पर ध्यान केन्द्रित करते हुए दूसरों को उनकी सफलता में सहायता करती है। चाहे आप सेल्स के क्षेत्र में एक नौसिखिए हों या अपने करियर को ऊपर उठाने वाले एक महत्वाकांक्षी पेशेवर हों, ‘आर्ट ऑफ सेल्स’ ज्ञान का खजाना है, जो आपको अपने क्षेत्र में उत्कृष्टता प्राप्त करने के लिए सशक्त बनाएगी, इसलिए सेल्स के सभी उत्साही प्रोफेशनल्स को यह पुस्तक अवश्य पढ़नी चाहिए।
– लेखक पुष्पेश सिंह के बारे में :-
पुष्पेश सिंह एक पूर्ण करियर और जीवन प्राप्त करने में सहायक होने के लिए समर्पित एक प्रमुख सेल्स पेशेवर, मेंटर, और कोच हैं। भारत के उत्तर प्रदेश के मुरादाबाद नाम छोटे शहर से, पुष्पेश ने अपने करियर की शुरुआत Ceasefire में फायर सेफ्टी सिलेंडर्स बेचकर की। एक कम प्रसिद्ध कॉलेज से स्नातक करने के बावजूद, उन्होंने LinkedIn, Yahoo, और वर्तमान में कैनेडा के टोरॉन्टो में Google जैसे प्रतिष्ठित ब्रांड के लिए काम किया। पुष्पेश की पेशेवर विकास के प्रति समर्पण उनके टॉप संस्थानों जैसे MIT-Sloan और IIM-Bangalore से पाठ्यक्रम और प्रमाणपत्रों के पूरा किए जाने से स्पष्ट होता है, जो उन्हें एक उच्च उत्पादक और सफल पेशेवर बनाता है।

ज्योतिषी श्याम लाल जोशी: उत्कृष्टता की विरासत के साथ ज्योतिष में एक विश्वसनीय नाम
ज्योतिषी श्याम लाल जोशी ज्योतिष में ज्ञान और समाधान के प्रतीक हैं, जहां विश्वास और विश्वसनीयता सर्वोपरि है। 35 वर्षों से अधिक के अनुभव के साथ, उन्होंने एक अनुभवी ज्योतिषी के रूप में अपनी पहचान बनाई है, जो जीवन की जटिल चुनौतियों का समाधान करने के लिए कई प्रकार की सेवाएं प्रदान करते हैं।
अपनी अद्वितीय विशेषज्ञता के लिए प्रसिद्ध, ज्योतिषी श्याम लाल जोशी ने क्षेत्र में अपने असाधारण योगदान के लिए अंतरराष्ट्रीय मान्यता और कई प्रशंसाएँ अर्जित की हैं।
अनूठी सेवाओं का अनावरण:
ज्योतिषी श्याम लाल जोशी विविध सेवाओं में माहिर हैं, जिनमें से प्रत्येक को सबसे जटिल जीवन स्थितियों को हल करने के लिए सावधानीपूर्वक डिज़ाइन किया गया है। यहां कुछ असाधारण सेवाएं दी गई हैं जो उन्हें अलग बनाती हैं।
- प्रेम संबंध मुद्दे
- प्रेम विवाह समाधान
- पूर्व प्यार वापस पाएं
- तलाक की समस्या
- पति पत्नी विवाद
- विवाहेतर संबंध
- पारिवारिक समस्या
- व्यक्तिगत मुद्दे
विशिष्टता के तीन स्तंभ:
1) 35+ वर्षों का अनुभव:
तीन दशकों से अधिक के अनुभव के साथ, ज्योतिषी श्याम लाल जोशी हर परामर्श में ज्ञान और विशेषज्ञता लाते हैं, जिससे ज्योतिषीय बारीकियों की गहरी समझ सुनिश्चित होती है।
2) दूरस्थ समाधान:
ज्योतिषी श्याम लाल जोशी पहुंच और सुविधा के प्रति प्रतिबद्धता दिखाते हुए, घर बैठे हर समस्या का समाधान प्रदान करते हैं।
3) अंतर्राष्ट्रीय पुरस्कार विजेता:
2017 में भारत भूषण पुरस्कार जैसे प्रतिष्ठित पुरस्कार प्राप्तकर्ता और लगातार सर्वश्रेष्ठ ज्योतिषी से सम्मानित
2019 से 2023 तक, ज्योतिषी श्याम लाल जोशी की अंतरराष्ट्रीय प्रशंसा इस क्षेत्र में उनकी उत्कृष्टता को रेखांकित करती है। मान्यताएँ और सम्मान:
भारत भूषण पुरस्कार विजेता 2017
वर्ष 2019 का सर्वश्रेष्ठ ज्योतिषी
वर्ष 2021 का सर्वश्रेष्ठ ज्योतिषी(
वर्ष 2022 का सर्वश्रेष्ठ ज्योतिषी
वर्ष 2023 का सर्वश्रेष्ठ ज्योतिषी
ज्योतिष से परे: बदलाव लाना:
ज्योतिषी श्याम लाल जोशी की अपनी कला के प्रति प्रतिबद्धता केवल सकारात्मक प्रभाव डालने के उनके समर्पण से मेल खाती है। मिडडे ने उनके सराहनीय कार्य को मान्यता दी है, जिससे ज्योतिष में एक विश्वसनीय और परोपकारी व्यक्ति के रूप में उनकी प्रतिष्ठा और मजबूत हुई है।
24/7 उपलब्धता और 1.5 लाख संतुष्ट ग्राहक:
ज्योतिषी श्याम लाल जोशी चौबीसों घंटे सेवाएं प्रदान करने में गर्व महसूस करते हैं, यह सुनिश्चित करते हुए कि मार्गदर्शन चाहने वाले व्यक्तियों को जब भी जरूरत हो सहायता मिल सके। 1.5 लाख संतुष्ट ग्राहकों के साथ, उनका ट्रैक रिकॉर्ड उनकी भविष्यवाणियों और समाधानों की प्रभावशीलता के बारे में बहुत कुछ बताता है।
ज्योतिषी श्याम लाल जोशी के साथ भविष्य की खासियत को अपनाएं:
ज्योतिष में अपने रॉकेट और विशिष्ट कौशल के प्रमाण के रूप में, ज्योतिषी श्याम लाल जोशी के जीवन की झलक से एक मार्गदर्शक बने हुए हैं। 100% रिफाइंड भविष्यवाणियों और व्यक्तिगत समाधानों के लिए, https://astrologershyamlaljoshi.com/ पर ज्योतिषी श्याम लाल जोशी से जुड़ें और एक और अधिक समृद्ध भविष्यवाणियों की ओर यात्रा शुरू करें।
Contacts: 95492 00958

શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગ્રીન ગૃપે જાહેર કરી વિશેષ ઓફર
30 દિવસમાં ઘર ખરીદનારને એક વર્ષ ઈએમઆઈ અને જીએસટી ચુકવવામાંથી મળશે મુક્તિ
સુરત: સુરત સ્થિત અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રીન ગ્રૂપે સોમવારે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યાદગાર બનાવવા એક વિશેષ ઓફેરની જાહેરાત કરી હતી. આ ઓફર મુજબ, આગામી 30 દિવસમાં વેસુમાં ગ્રીન ગ્રૂપના સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં ઘર ખરીદનારાઓએ એક વર્ષ માટે EMI ચૂકવવાની રહેશે નહીં અને GST પણ ચૂકવવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.
રામ મંદિરના ઉદ્ઘાટન સાથે ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રાના મહત્ત્વપૂર્ણ પ્રસંગને યાદગાર બનાવવા માટે 22 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવેલી વિશેષ ઓફરના જાહેરાતના કલાકોમાં 85 જેટલા મુલાકાતીઓ પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા અને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. ઉલ્લેખનીય છે કે, ગ્રીન ગ્રૂપે 30- દિવસીય આ અભિયાનના પ્રથમ દિવસે જ 15 ફ્લેટ માટે બુકિંગ પણ મેળવ્યા હતા.
ગ્રીન ગ્રૂપના સ્થાપક અને ચેરમેન અલ્પેશ કોટડિયાએ જણાવ્યું હતું કે, “અમારી વિશિષ્ટ યોજનાને આટલો સકારાત્મક પ્રતિસાદ જોઈને અમે ખૂબ જ ખુશ છીએ. તે ઘર ખરીદનારાઓનો ગ્રીન ગ્રૂપમાં વિશ્વાસ દર્શાવે છે. રામ મંદિરના અભિષેકનો ઐતિહાસિક પ્રસંગ ભગવાન રામના લાખો ભક્તો માટે 500 વર્ષથી વધુની પ્રતીક્ષાનો અંત લાવ્યો છે, આ ઑફર એ પ્રસંગની ઉજવણી કરવાનો અમારો પ્રયાસ છે અને ગ્રાહકોને વિશિષ્ટ લાભો સાથે તેમના સપનાના ઘરની ઇન્તજારનો અંત લાવવાની તક પૂરી પાડે છે.”
સ્વપ્નભૂમિ પ્રોજેક્ટમાં વૈભવી 3BHK પ્રીમિયમ ફ્લેટોનો સમાવેશ થાય છે, જે 100% વાસ્તુ અનુરૂપ છે. આ પ્રોજેક્ટ સુરત એરપોર્ટથી માત્ર 6 કિમી અને વિશ્વની સૌથી મોટી ઓફીસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સથી માત્ર 2.5 કિમી દૂર સ્થિત છે, પ્રોજેક્ટની આસપાસ ઘણી શાળાઓ અને કોલેજો આવેલી છે.
રેડી- ટુ- મૂવ- ઇન એપાર્ટમેન્ટ્સ સાથેનો સ્વપ્નભૂમિ પ્રોજેક્ટ બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, બાળકોનો રમતનો વિસ્તાર, બેન્ક્વેટ હોલ, રોમન શૈલીની લાઉન્જ, શિવ મંદિર, જૈન મંદિર, સ્ટીમ અને સૌના, જેકુઝી, જોગિંગ ટ્રેક, યોગ અને એરોબિક્સ સ્થળ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, ગાર્ડન, ક્રિકેટ પિચ અને લાઇબ્રેરી સહિતની સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે.
ઘર ખરીદવા માટે ઉત્સુક લોકો સ્વપ્નભૂમિમાં તેમના સપનાનું ઘર ખરીદવા માટે મર્યાદિત સમયની વિશેષ ઓફરનો લાભ લઈ ઘર ખરીદીના પ્રસંગને પણ યાદગાર બનાવી શકે છે.