Posts by: abhay_news_editor
સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટનો ચોથો સંસ્કરણ, IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા આયોજન — CIFDAQ પ્રસ્તુત અને સંગિની સહપ્રાયોજક
ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવા અને સુરતને આ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અવધ યુટોપિયા ખાતે આયોજિત મેગા ઇવેન્ટમાં નેટવર્કિંગ, શિક્ષણ અને સહયોગ સંબંધિત અનેક ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે.
દેશ-વિદેશથી રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા લોકો ભાગ લેશે.
સુરત. IVY ગ્રોથ એસોસિએટ્સ દ્વારા સુરતમાં 21BY72 સ્ટાર્ટઅપ સમિટની ચોથી આવૃત્તિનું આયોજન કરવામા આવ્યું છે, જે CIFDAQ દ્વારા પ્રસ્તુત અને સંગિની દ્વારા સહ-સંચાલિત છે. અવધ યુટોપિયા ખાતે આયોજિત આ બે દિવસીય કાર્યક્રમમાં ભારત તેમજ વિદેશના સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકો, રોકાણકારો વગેરે ભાગ લેશે અને ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવામાં આવશે. નોંધનીય છે કે IVY ગ્રોથ એસોસિએટ્સ એક અગ્રણી કેપિટલ વેન્ચર ફર્મ છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસને સમર્થન આપે છે. આ કાર્યક્રમ ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના નકશા પર સુરતને નવી ઓળખ આપવાનો પ્રયાસ કરશે.
ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પ્રતિક તોષનીવાલે જણાવ્યું હતું કે તેમના ભાગીદારો રચિત પોદ્દાર, મેહુલ શાહ અને શરદ ટોડી દર વર્ષે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે આ સમિટનું આયોજન કરે છે. આ વખતે આ ઇવેન્ટ 14 અને 15 જૂને સુરતના અવધ યુટોપિયા ખાતે યોજાશે. આમાં ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એકસાથે લાવવામાં આવશે જેથી નવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે અને રોકાણકારોનો સંપર્ક મળી શકે.

આ ઇવેન્ટમાં 80 થી વધુ સ્ટાર્ટઅપ્સ રજૂ કરવામાં આવશે. અત્યાર સુધીમાં, ભારતના તમામ મોટા શહેરો ઉપરાંત, યુએસના 10 લોકો, યુએઈના 18, જાપાનના 4, લંડનના 12 અને સિંગાપોરના 5 લોકોએ આ ઇવેન્ટ માટે નોંધણી કરાવી છે. બે દિવસીય ઇવેન્ટના પ્રારંભ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ગજેન્દ્ર શેખાવત હાજર રહેશે. આ કાર્યક્રમ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે જેમાં સ્ટાર્ટઅપ પિચ, રોકાણકાર સ્પીચ, પેનલ ચર્ચા, વર્કશોપ વગેરેનું આયોજન કરવામાં આવશે. શાર્ક અઝહર ઇકબાલ પણ ખાસ હાજર રહેશે.
સુરતમાં આ કાર્યક્રમના આયોજન અંગે પ્રતિક તોષનીવાલે જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ્સની દ્રષ્ટિએ સુરત અને ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે છે અને અહીં જેટલા રોકાણકારો મળે છે, તે ભાગ્યે જ બીજા શહેરોમાંથી મળે છે.
CIFDAQ ના સ્થાપક અને અધ્યક્ષ શ્રી હિમાંશુ મારાડિયાએ જણાવ્યું હતું કે, “ભારતની સાચી સંભાવના સ્વપ્ન જોનારા, કર્તાઓમા રહેલી છે જે ભવિષ્ય
વ્હાઇટ લોટસના પથપ્રદર્શક: યુવા ચેમ્પિયન્સ જેમણે અમારું ગૌરવ વધાર્યું! રિંસી કલ્પેશ પટેલ અને દિયાના જિનવાલાની વિખ્યાત રમતમાં પ્રાપ્ત વિજયોની ઉજવણી
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ માને છે કે સાચું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકોની હદમાં સીમિત નથી, પરંતુ દરેક બાળકની અંદરની પ્રતિભાને ઓળખીને તેને પાંખો આપવાનું કાર્ય છે. અમારી શાળાએ એક એવું સ્થાન બનાવ્યું છે જ્યાં શૈક્ષણિક સિદ્ધિની સાથે સાથે રમતગમતના ક્ષેત્રમાં પણ વિદ્યાર્થીઓ તેજસ્વી રીતે આગળ વધી રહ્યા છે. આજે અમે બે અદભૂત વિદ્યાર્થીઓ – રિંસી કલ્પેશ પટેલ અને દિયાના જિનવાલા – ના કીર્તિગાન ગાઈએ છીએ, જેમણે તૈરાકી અને ક્રિકેટમાં સફળતા હાંસલ કરી અને સમગ્ર શાળાનું ગૌરવ વધાર્યું.
🏊♀ રિંસી કલ્પેશ પટેલ (ધોરણ ૨): નાની મરમેઇડ, મોટી સિદ્ધિઓ
૨ જૂન, ૨૦૨૫ ના રોજ સુરત જિલ્લા તૈરાક સંસ્થા દ્વારા આયોજિત તૈરાક સ્પર્ધામાં વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની ધોરણ ૨ ની વિદ્યાર્થિની રિંસી કલ્પેશ પટેલએ ચમકદાર પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું.
પાણીમાં તેની સંયમ, ટેકનિક અને આત્મવિશ્વાસથી સ્પર્ધામાં હાજર દર્શકો પણ ચકિત થઈ ગયા. મોટી ઉંમરનાં સ્પર્ધકો સામે પણ રિંસીએ શાનદાર દેખાવ આપ્યો અને આ પુરસ્કારો જીતીને ઘરે પરત ફરી:
૧ રજત પદક
૨ કાંસ્ય પદકો
ફક્ત 7 વર્ષની ઉંમરે, રિંસીનું શિસ્તબદ્ધ અભ્યાસ અને આગવી પ્રતિભાએ સાબિત કરી દીધું કે જ્યાં ઇચ્છા હોય ત્યાં સફળતાનો માર્ગ ખુલે છે. તેના દરેક સ્ટ્રોક એક સંદેશ આપે છે – ઉંમર નથી બાધક, જો દ્રઢ સંકલ્પ હોય!
🏏 દિયાના જિનવાલા (ધોરણ ૮): ક્રિકેટના મેદાનની સૌથી નાની વીરાંગના
જ્યારે રિંસીએ પાણીમાં જીતનું જલતરંગ ઊભું કર્યું, ત્યારે ધોરણ ૮ ની દિયાના જિનવાલાએ ક્રિકેટના મેદાનમાં પોતાના નામનો ડંકો વગાડ્યો. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત વુમન ચેલેન્જર ટ્રોફી ૨૦૨૫ માં દિયાનાએ પોતાની ખાસ જગ્યા બનાવી. આ રાજ્યસ્તરીય ટૂર્નામેન્ટમાં દિયાના હતી સૌથી નાની ખેલાડી — છતાં પણ તેની રમત, કુશળતા અને આત્મવિશ્વાસથી બધાનું ધ્યાન ખેંચ્યું.
તેના શાંતિપૂર્ણ છતાં મજબૂત પ્રદર્શનને લીધે તે પોતાની ટીમની જીત માટે મહત્ત્વની રહી — અને ટીમે ચેમ્પિયનશિપ ટાઇટલ પણ જીત્યો!
દિયાનાએ દર્શાવ્યું કે કૌશલ્ય, શિસ્ત અને હિંમત હોય તો કોઈ મર્યાદા અટકાવી શકતી નથી. તે આજે માત્ર પ્લેયર નથી — પરંતુ દરેક યુવતી માટે પ્રેરણા છે, જે પોતાનું સ્વપ્ન જીવંત જોવા ઇચ્છે છે.
🌸 વ્હાઇટ લોટસ — ચેમ્પિયન્સ બનાવતી સંસ્કૃતિ
આ બે બાળ ચેમ્પિયન્સ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના સમર્પિત અભિગમ અને દરેક બાળકના સર્વાંગી વિકાસ માટેના દૃઢ નિશ્ચયનું પ્રતિબિંબ છે. આ જીત પાછળ છે અનેક કલાકોની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને પરિવારનો આધાર.
શાળાના તમામ શિક્ષકો, મુખ્યાધ્યાપિકા અને વિદ્યાર્થીઓ રિંસી અને દિયાનાને અભિનંદન પાઠવે છે — અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપે છે.
“તેમણે આવ્યા, રમ્યા અને જીત્યા — માત્ર રમતમાં નહીં, પણ આપણા દિલોમાં પણ.”
🏆 બે દીકરીઓ. બે સફળતાઓ. એક શાળાનું ગૌરવ.
💙 વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ — જ્યાં શ્રેષ્ઠતાની શરૂઆત બાળપણથી થાય છે
9000 માઇલ દૂર લાસ વેગાસમાં સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ
પ્રતિષ્ઠિત નોન પ્રોફીટ સંસ્થા ડાયમંડ ટુ ગુડ દ્વારા અપાયું સન્માન
મુંબઈ/સુરત – શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ(SRK)ની સફળતા પાછળના દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા શ્રી ગોવિંદ ધોળકિયાને પ્રતિષ્ઠિત નોન – પ્રોફિટ સંસ્થા ડાયમંડ ડૂ ગૂડ દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવેલ છે. જે ભારત ઉપરાંત ડાયમંડ સિટી સુરત માટે ગૌરવની ક્ષણ છે. વિશ્વના સૌથી મોટા જ્વેલરી શો મા નો એક અને USનો સૌથી મોટો શો JCK લાસ વેગાસ 2025 ની વાર્ષિક ગાલા ઈવેન્ટ દરમ્યાન આ એવોર્ડ અનાયત કરવામાં આવ્યો હતો.
ગોવિંદકાકા વતી તેમના પુત્ર તથા કંપનીના એન્ટ્રપ્રિનિયર – બ્રાન્ડ કસ્ટોડિયન શ્રી શ્રેયાન્સ ધોળકિયાએ આ એવોર્ડ સ્વીકારતા જણાવ્યુ કે “તેમના પિતા દ્વારા જે મૂલ્યો ઉપર આ વ્યવસાય સ્થાપવામાં આવ્યો છે તેનું પ્રતિનિધિત્વ કરવાનું તેમને દસ ઘણો ગર્વ થાય છે.”
ઉલ્લેખનીય છે કે ઉઘાડા પગે.. કઈ પણ સાધનો વગર પ્રમાણિક્તા, સખત મહેનત અને અતૂટ વિશ્વાસ જેવા મૂલ્યો સાથે ગુજરાતના એક નાના ગામથી વિશ્વની ડાયમંડ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટેજ સુધી પહોંચવાની ગોવિંદ ધોળકિયાની આ સફર માત્ર 13 વર્ષની ઉંમરે શરૂ થઈ હતી. 6 દાયકા પછી પણ તેમની સફર ફક્ત ડાયમંડ ઉધ્યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેને વૈશ્વિક સ્તરે નામ આપવા ઉપરાંત પણ તેઑ કેટલા લોકોના જીવનને સુધારી શક્યા તે માટે પણ ઓળખાય છે.

તેઓ હંમેશા કહે છે, “સંપતિ ફક્ત સાચવીને વારસો અને ઇતિહાસને બનાવી શકાતા નથી – તેઓ બને છે સંપતિ આપવાથી અને વહેંચવાથી”
નેચરલ ડાયમંડનું પર્યાયી નામ SRK, ફક્ત વિશ્વ કક્ષાની ક્રાફ્ટમેનશીપ માટે જ નહીં પરંતુ સસ્ટેનેબિલિટી અને સમાજના ઉત્થાપન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે પણ જાણીતું છે. સુરતમાં આવેલી તેમની બંને ડાયમંડ ક્રાફ્ટિંગ ફેસિલિટી વિશ્વની પ્રથમ નેટ ઝીરો એનર્જી બિલ્ડિંગ છે જે એક દાયકાથી પણ વધારે સમયથી ગ્રીન – સર્ટીફાઇડ છે અને તાજેતરમાં જ કેરેટ દીઠ ઈન્ડસ્ટ્રીના સરેરાશ કાર્બન ઉત્સર્જનની તુલનામાં સૌથી ઓછું ઉત્સર્જન કરવા માટે માન્યતા મળેલ છે.
આ મહિને જ 10 વર્ષની ઉજવણી કરવા જઈ રહેલ SRKની ફિલાન્થ્રોપિક આર્મ, SRK નોલેજ ફાઉન્ડેશન(SRKKF) 40 વર્ષ પહેલા ગોવિંદકાકા દ્વારા શરૂ થયેલ સમાજલક્ષી કાર્યોની પરંપરાને આગળ ધપાવે છે. સમાજલક્ષી કરવામાં આવેલ તમામ કાર્યોને એક છત નીચે લાવવા માટે બનાવવામાં આવેલ SRKKF શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ, આરોગ્ય અને ગ્રામીણ વિકાસ જેવા ક્ષેત્રે કરેલ વિવિધ પહેલો દ્વારા લાખો લોકોને મદદ કરેલ છે.
આ ઈવેન્ટ દરમ્યાન શ્રેયાન્સ ધોળકિયાએ “ડાયમંડ ડુ ગૂડને ધન્યવાદ આપતા કહ્યું હતું કે આ સન્માન ફક્ત અમારા ફૅમિલીનું જ નથી – આ સન્માન છે સુરતમાં કામ કરી રહેલ દરેક આર્ટિસનનું, અમારા ફાઉન્ડેશન દ્વારા જેટલા લોકોના જીવન સુધી અમે પહોંચી શક્યા છીયે તેમનું અને આ ઉપરાંત બિઝનેસ ફક્ત સફળતા માટે જ નથી પરંતુ બિઝનેસ દ્વારા કેટલા લોકોના જીવનમાં ફેરફાર લાવી શકીયે તે મૂલ્યો ઉપર અમે જે કામ કરીયે છીએ તેનું છે.”

આ એવોર્ડ એવા સમયે એનાયત કરવામાં આવ્યો છે જ્યારે દુનિયા લક્ઝરી પાછળનો અર્થ શોધી રહી છે અને ભારતની ડાયમંડ ઈન્ડસ્ટ્રીને શ્રેષ્ઠતા અને નૈતિક મૂલ્યો એમ બંને માટે માન્યતા મળી રહી છે.
આ બીજી વખત છે કે ગોવિંદકાકાને યુનાઇટેડ સ્ટેટ્સમાં સન્માનીત કરવામાં આવેલ છે. પહેલી વખત સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ માટેના તેમની દૂરંદેશી પ્રતિબદ્ધતા માટે બોસ્ટનમાં યુ.એસ.ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલ (USGBC) દ્વારા પ્રતિષ્ઠિત USGBC લીડરશિપ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવ્યા હતા.
વારિવોએ નોવા અને એજ શ્રેણીના 6 નવા આકર્ષક ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા, કિંમત 44,999 રૂપિયાથી શરૂ
6 નવા મોડેલ, જેની કિંમત રૂ. 44,999 થી શરૂ થાય છે, તે 3 વર્ષની વ્યાપક વોરંટની સાથે દરેક ચાર્જ પર 120 કિમી સુધીની રેન્જ ઓફર કરે છે
ગુરુગ્રામ : વારિવો મોટર્સ ઇન્ડિયા, ભારતના સૌથી ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોમાં સામેલ છે. કંપનીએ બે અલગ-અલગ નોવા(Nova) અને એજ(Edge) શ્રેણીમાં 6 નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિઘ આવક વર્ગના લોકો અને ભૌગોલિક વિસ્તારોમાં ઇલેક્ટ્રિક મોબિલિટીની પહોંચનો વિસ્તાર કરવાનો છે.
રૂપિયા 44,999 થી શરૂ થતી આ નવી લાઇનઅપ, શહેરી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓથી લઈને ગ્રામીણ મુસાફરો અને ડિલિવરી રાઇડર્સ સુધીના વિવિધ યુઝર્સની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. એક જ ચાર્જ પર 120 કિમી સુધીની મહત્તમ રેન્જ, સ્માર્ટ એપ-સક્ષમ કનેક્ટિવિટી અને 3 વર્ષની વ્યાપક વોરંટી સાથે, આ નવા સ્કૂટર્સ ઉત્તમ પ્રદર્શન, પોષણક્ષમતા અને મનની શાંતિનું વચન આપે છે.
એવા ગ્રાહકો કે જેઓ આકર્ષક દેખાવ, અદ્યતન સુવિધાઓ અને પ્રીમિયમ સવારીનો અનુભવ ઇચ્છતા હોય, તેમની માટે નોવા સિરીઝ વિકસિત કરવામાં આવી છે. તો વળી, એજ સિરીઝ વિશ્વસનીયતા અને પોષણક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે રોજિંદા મુસાફરી અને વ્યવહારુ ઉપયોગ માટે આદર્શ મજબૂત અને નો-ફ્રીલ્સ મોડેલ્સ ઓફર કરે છે.

નવા લોન્ચ કરવામાં આવેલાં તમામ 6 મોડેલો દરેક ચાર્જ પર 120 કિમી સુધીની રેન્જ, મોબાઇલ એપ્લિકેશન-આધારિત સ્માર્ટ કનેક્ટિવિટી, ત્રણ વર્ષની વ્યાપક વોરંટી તેમજ તમામ વય જૂથો, જાતિઓ અને ભૂપ્રદેશ માટે યોગ્ય હળવા અને અર્ગનોમિક ડિઝાઇન ઓફર કરે છે.
આ નવી શ્રેણીના લોન્ચીંગ અંગે વારિવો ઇલેક્ટ્રિક વાહનોના સહ-સ્થાપક યુવરાજ ગર્ગે જણાવ્યું હતું કે, “ઇલેક્ટ્રિક મોબિલિટી એ લક્ઝરી નહીં, પરંતુ દરેક માટે ઉપલબ્ધ પસંદગી હોવી જોઈએ. અમારો ઉદ્દેશ્ય વાસ્તવમાં દરેક ભારતીય માટે EVs ને વાસ્તવિક અને આકર્ષક વિકલ્પ બનાવવાનો છે. આ નવી લાઇનઅપ સાથે અમે વિવિધ પ્રાઈઝ પોઈન્ટ અને ઉપયોગની જરૂરિયાતને ધ્યાનમાં લીધી છે. અમે મેટ્રો અને નાના શહેરોમાં રહેતા તમામ લોકો માટે અનુકૂળ રહે તે રીતે આ સ્કૂટર બનાવ્યું છે.”
વારિવો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ પાસે આક્રમક રિટેલ વિસ્તરણ યોજનાઓ પણ છે. તે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં દેશભરમાં 200 નવા સ્ટોર્સ ખોલવાનું લક્ષ્ય ધરાવે છે. આ વિસ્તરણથી શહેરી બજારો અને ગ્રામીણ પ્રદેશોમાં કંપનીની પહોંચમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. સીમલેસ માલિકી અનુભવ સુનિશ્ચિત થાય તે માટે, આ વિસ્તરણને વેચાણ પછીની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ, સ્પેરપાર્ટ્સની ઉપલબ્ધતામાં સુધારો અને સમર્પિત ગ્રાહક સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ટેકો આપવામાં આવશે.
આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સના લોન્ચ અને રિટેલ પ્રોત્સાહન સાથે, વારિવો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ભારતના વધુને વધુ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ક્ષેત્રમાં મુખ્ય ખેલાડી તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવવા માંગે છે. નવા લોન્ચ થયેલા સ્કૂટર્સ હવે દેશભરમાં અધિકૃત વારિવો ડીલરશીપ પર ઉપલબ્ધ છે.
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા “ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું
અવેરનેસના અભાવે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ મોડેથી થાય છે
સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર એ, મર્ક સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી, “ટુ-મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન” નામનું અનોખું ઓરલ કેન્સર જાગૃતિ અભિયાન સત્તાવાર રીતે શરૂ કર્યું છે. આ પહેલ એવા મહત્વના સમયે આવી છે જ્યારે દેશમાં ઓરલ કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, જેમાંથી ઘણાનું નિદાન જાગૃતિ અને નિવારક પગલાંના અભાવે અદ્યતન તબક્કામાં થાય છે.
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર ખાતે આયોજિત આ લોન્ચ ઇવેન્ટમાં ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. ક્રિના પટેલ અને મેડિકલ ઓફિસર ડૉ. સાગર ઘોઘારી અને ડૉ. કૃતિકા કોલડિયા ઉપસ્થિત રહ્યાં હતા. આ દરેકે જણાવ્યું હતું કે, નિવારણ અવેરનેસથી શરૂ થાય છે, અને અવેરનેસ એક્શનથી શરૂ થાય છે.
ઓરલ કેન્સર એ ભારતમાં કેન્સરના સૌથી સામાન્ય અને જીવલેણ સ્વરૂપોમાંનું એક છે, આંકડા દર્શાવે છે કે દર કલાકે પાંચ લોકોના મોત થાય છે. અંદાજે 65% ઓરલ કેન્સરના કેસની ઓળખ પછીના સ્ટેજમાં જ થાય છે, જેના કારણે બચવાનો દર અને સારવારના પરિણામોમાં ભારે ઘટાડો થાય છે. આને બદલવાના પ્રયાસમાં, આ કેમ્પેઇન એક સરળ છતાં જીવનરક્ષક સંદેશની હિમાયત કરે છે – દર મહિને બે મિનિટનું એક ઝડપી ઓરલ સેલ્ફ ચેક – એટલે કે શરૂઆતમાં ઓળખ અને પછીના સ્ટેજમાં થનાર પીડા વચ્ચે અંતર હોઈ શકે છે.

ભારતમાં દર વર્ષે હેડ હેડ અને નેકના કેન્સરના લગભગ 2 લાખ નવા કેસ નોંધાય છે, જેમાં ઓરલ કેન્સર એ બર્ડનનો મોટો હિસ્સો છે. આઘાતજનક વાત એ છે કે, આમાંથી લગભગ 60 થી 70 ટકા દર્દીઓનું નિદાન ત્યારે થાય છે જ્યારે આ રોગ તેના અદ્યતન તબક્કામાં હોય છે. ચિંતાજનક આંકડા હોવા છતાં, જાહેર જાગૃતિ અપ્રમાણસર રીતે ઓછી રહે છે.
આ લોન્ચિંગ પ્રસંગે બોલતા, સુરતના એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટરના ડિરેક્ટર અને કન્સલ્ટિંગ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. કૌશલ પટેલે જણાવ્યું હતું કે, “આપણે ઘણીવાર કિંમતી સમય ફક્ત એટલા માટે ગુમાવીએ છીએ કારણ કે લોકોને ખ્યાલ નથી હોતો કે કેન્સર મોઢામાં એક નાના પેચથી શરૂ થઈ શકે છે. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય તેને બદલવાનો છે. જો દર મહિને બે મિનિટ માટે તમારા મોંની તપાસ કરવાથી કેન્સરને વહેલા શોધી કાઢવામાં મદદ મળી શકે છે, તો તે ફક્ત એક આદત નહિ પણ એક જીવન બચાવનાર છે.”
ડૉ. કૌશલ પટેલ ભાર મૂકે છે કે વહેલાસર તપાસ એ ઓરલ કેન્સરની અસરકારક સારવારનો પાયો છે. તેઓ ભાર મૂકે છે કે સામાન્ય ચેતવણી સંકેતો – જેમ કે મોંમાં સતત લાલ કે સફેદ ધબ્બા, 2 અઠવાડિયાથી વધુ સમય સુધી ન રૂઝાતા ચાંદા, પેઢા કે ગાલમાં સોજો, અસ્પષ્ટ રક્તસ્ત્રાવ, અથવા અવાજમાં કર્કશતા – ક્યારેય અવગણવા જોઈએ નહીં.
ડૉ. પટેલ ખાસ કરીને ઉચ્ચ જોખમ ધરાવતા વ્યક્તિઓ માટે નિયમિત સેલ્ફ- એક્ઝામિનેશન અને નિયમિત ડેન્ટલ અથવા મેડિકલ ચેક અપ માટે ભારપૂર્વક હિમાયત કરે છે. “ઓરલ કેન્સર અટકાવી શકાય તેવું છે અને જો વહેલા જાણતો તેનો ઉપચાર પણ સંભવ છે.”
કેમ્પેઇન એક્ટિવેશનના ભાગરૂપે, હોસ્પિટલના વેઇટિંગ એરિયામાં ખાસ ડિઝાઇન કરાયેલ અવેરનેસ સ્ટેન્ડી અને મિરર સ્થાપિત કરવામાં આવશે જેથી લોકો સ્ટેન્ડી પર દર્શાવેલ પ્રારંભિક ચેતવણી સંકેતો જેમ કે લાલ કે સફેદ ધબ્બા, ન રૂઝાતા ચાંદા, સોજો અથવા અવાજમાં ફેરફાર માટે તેમના મોંની તપાસ કરી શકે. આ વિચારનો ઉદ્દેશ્ય ફીલ. લૂક. એક્ટ જેવી સામાન્ય એક્શન દ્વારા સેલ્ફ- રિસ્પોન્સિબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે – ક્તિઓને ખૂબ મોડું થાય તે પહેલાં તેમના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે સશક્ત બનાવવા.
ઓનગોઈંગ અપડેટ્સ અને અવેરનેસ ફેલાવવા માટે, આ કેમ્પેઇન નાગરિકોને #ActAgainstOralCancer હેશટેગને ફોલો કરવા અને શેર કરવા આમંત્રણ આપે છે, જેથી સંદેશ દેશભરના સમુદાયો અને ઘરોમાં યોગ્ય રીતે પહોંચે.
Website :- https://www.elitehematoncocarecentre.com
20,000 વૃક્ષો: બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામમાં સિંદૂરવનનું વાવેતર
5મી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બા પ્રેરણા ગ્રુપ અને સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા શિમળ ગામ, નવસારી ખાતે વન કવચમાં મિયાવાકી પદ્ધતિ દ્વારા સિંદૂરવનનું વાવેતર કરવામાં આવ્યું જેમાં 101 સિંદૂરના વૃક્ષો સહિત 10,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેમાં બા પ્રેરણા ગ્રુપના સ્ટાફ તેમજ એન.એસ.એસ દ્વારા વોલ્યુંટિર રીતે ભાગ લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરવઈ ગામ, બોટાદ ખાતે પણ મિશન ગ્રીન બોટાદ સંસ્થા સાથે મળીને બા પ્રેરણા ગ્રુપ દ્વારા 10,000 વ્રૂક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. જેમાં બા પ્રેરણા ગ્રુપ દ્વારા 20 ટન ઓર્ગેનિક ફર્ટિલાઈજર સ્પોંસર કરવામાં આવ્યું હતું.
સુરતની નિર્માત્રી ચંદા પટેલ બની કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025ના 78મા સંસ્કરણમાં “તેરા મેરા નાતા”નું પોસ્ટર અનાવરણ કર્યું
નવી દિલ્હી, 2 જૂન:સુરતની ફિલ્મ નિર્માત્રી ચંદા પટેલે માત્ર ભારતીય સિનેમાની નહીં, પરંતુ પોતાના શહેર સુરતની પણ શાન વધારી છે, કારણ કે તેઓ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરનાર city’s પહેલી મહિલા ફિલ્મમેકર બની છે. આ પ્રસંગે તેમણે પોતાની આગામી રોમેન્ટિક ડ્રામા ફિલ્મ “તેરા મેરા નાતા”નું ઑફિશિયલ પોસ્ટર લોન્ચ કર્યું અને વૈશ્વિક સ્તરે ભારતીય ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કર્યું.
ફિલ્મમાં સુરજ કુમાર અને ભવિકા મુખ્ય ભૂમિકામાં છે અને તે પહેલા થીજ તેના ભાવનાત્મક કથાવસ્તુ અને શક્તિશાળી અભિનય માટે ચર્ચામાં છે.
13 મે થી 24 મે, 2025 દરમિયાન આયોજિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સિનેમેટિક ઉત્કૃષ્ટતાને પ્રદર્શિત કરવા માટેનું વિશ્વનું સૌથી પ્રતિષ્ઠિત મંચ છે. આ ફેસ્ટિવલમાં ચંદા પટેલની ઉપસ્થિતિ અને તેમના ફિલ્મના પોસ્ટરનું અનાવરણ સુરતના ફિલ્મ ઈતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ બની છે.
આ અનાવરણ પ્રસંગે વૈશ્વિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ, ડેલિગેટ્સ અને મીડિયા હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મનું પોસ્ટર, જેમાં સુરજ કુમાર અને ભવિકા એક શાંત કુદરતી દૃશ્યમાં દર્શાવવામાં આવ્યા છે, તે ફિલ્મની ભાવનાત્મકતા અને સુંદર દૃશ્યાવલીઓને દર્શાવે છે.
ચંદા પટેલએ ઉલ્લેખ કર્યો: “કાન્સમાં અમારા ફિલ્મના પોસ્ટરનું અનાવરણ કરવું એ એક સપનાં સાકાર થવાનું છે. ‘તેરા મેરા નાતા’માં અમે દિલથી કામ કર્યું છે અને વિશ્વ મંચ પર તેનું પહેલું ઝલક બતાવવી એ સમગ્ર ટીમ માટે ગૌરવની વાત છે. સુરતનું પ્રતિનિધિત્વ કરવું એ મારી માટે ખાસ છે.”
“તેરા મેરા નાતા” એ પ્રેમ, નસીબ અને લાગણીઓના સંબંધોને સ્પર્શતી એક હ્રદયસ્પર્શી કહાણી છે. તેની આ આંતરરાષ્ટ્રીય શરૂઆત પછી, ફિલ્મ વર્ષ 2025ની સૌથી અપેક્ષિત ભારતીય ફિલ્મોમાં સામેલ થઈ ગઈ છે.
ચંદા પટેલની સફર સુરતથી કાન્સ સુધી એક પ્રેરણાદાયી કથાનક છે, જે દર્શાવે છે કે પ્રાદેશિક પ્રતિભા અને મહિલા નિર્માતાઓ પણ વૈશ્વિક મંચ પર પોતાની છાપ ઊભી કરી શકે છે.
ફિલ્મ “તેરા મેરા નાતા”ના રિલીઝ અને ફેસ્ટિવલ યાત્રા અંગે વધુ અપડેટ માટે જોડાયેલા રહો.
ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા 31મી મેના રોજ “ભારત ભારતીનો ઉદગમ અને વિકાસ” વિષય પર સંગોષ્ઠિનું આયોજન
મુખ્ય વકતા તરીકે શ્રી વિનયભાઈ પત્રાલે અને મુખ્ય અતિથિ તરીકે સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેશે
સુરત. દેશભરના વિવિધ પ્રાંતના લોકો જ્યાં રહે છે તેવા સુરત શહેરમાં લઘુ ભારતના સંકલ્પને સાકર કરવા માટે સ્થપાયેલી ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા આગામી 31મી મેના રોજ એક સંગોષ્ઠિનું આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય વકતા તરીકે ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી વિનયભાઈ પત્રાલે મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહશે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેનાર છે. આ સંગોષ્ઠિનો વિષય ” ભારત ભારતી નો ઉદગમ અને વિકાસ” રાખવામાં આવ્યો છે.
આ અંગે ભારત ભારતી ટ્રસ્ટના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ વિનયભાઈ પત્રાલે એ જણાવ્યું હતું કે દેશ અને સમાજની સેવા સાથે જ વિવિધ પ્રાંતના લોકો જ્યાં વસે છે ત્યાં તેઓ વચ્ચે એક સુત્રતા અને આત્મીયતા જળવાઈ રહે અને લઘુ ભારતની સંકલ્પના સાકાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે 22 જુલાઈ , 2005ના રોજ સુરત ખાતે ભારત ભારતી ટ્રસ્ટ ની સ્થાપના કરવામાં આવી હતી. આજે ટ્રસ્ટ એક વટ વૃક્ષ બનીને ઊભુ છે. દેશના 20 રાજ્યના 60 શહેરોમાં ટ્રસ્ટની શાખાઓ કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક સેવાકીય અને દેશભક્તિને પ્રદર્શિત કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે 31મી મેના રોજ સુરત ખાતે એક સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારત ભારતી ટ્રસ્ટના સંસ્થાપક અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી વિનયભાઈ પત્રાલે ઉપસ્થિત રહી ભારત ભારતી નો ઉદગમ અને વિકાસ પર વક્તવ્ય આપશે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ મુકેશભાઈ દલાલ ઉપસ્થિત રહેશે. આ આયોજન વેલેન્ટાઇન સિનેમા ખાતે કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારત ભારતી ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી,રક્ષા બંધનની ઊજવણી સાથે જ નારી સશક્તિકરણ, દત્તક વિધાલય,વસ્ત્રદાન, શિક્ષણ સહાયતા, આરોગ્ય સહાયતા, નાશ મુક્તિ અભિયાન અને પર્યાવરણ દિવસ સહિત વિવિધ સામાજિક, સેવાકીય અને ધાર્મિક અને દેશને એક સૂત્રમાં બાંધી રાખવા માટેના અભિયાન ચલાવવામાં આવે છે. ટ્રસ્ટે સુરતમાં ચાર સ્કૂલોને દત્તક લીધી છે. આ ઉપરાંત સમયાંતરે વિવિધ સામાજિક અને સેવાકીય કાર્યોનું આયોજન પણ કરવામાં આવે છે. આગામી સમયમાં ટ્રસ્ટનું લક્ષ્ય દેશના 150 શહેરો સુધી પહોંચવાનું છે. આ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સમાં ટ્રસ્ટના અધ્યક્ષ સુભાષ સિંહ ધવન, ઉપાધ્યક્ષ ભરત ભાઈ શાહ, સચિવ રુદ્રનારાયણ તિવારી અને કોષાધ્યક્ષ અવિનાશ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
ભાઈ કિડનીનું દાન કરે છે, શેલ્બી હોસ્પિટલ સુરત સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરે છે.
પ્રેમ, હિંમત અને તબીબી શ્રેષ્ઠતાના ચાલતા પ્રદર્શનમાં, શેલ્બી હોસ્પિટલ, સુરતે તાજેતરમાં જ જીવન બચાવ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, જેમાં સામેલ દરેકના હૃદયને સ્પર્શ્યું હતું. પ્રાપ્તકર્તા, એક યુવતી, અંતિમ તબક્કાની કિડની રોગ સામે લડતી, છેલ્લા ત્રણ વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ પર હતી.
તેણી પાસે 10 મિલિગ્રામ/ડીએલનું બેઝલાઇન સીરમ ક્રિએટિનાઇન હતું જેમાં પેશાબ આઉટપુટ નથી. ટ્રાન્સપ્લાન્ટ પછી, તેના કિડનીના કાર્યમાં નોંધપાત્ર સુધારો થયો – તેના ક્રિએટિનાઇન સ્તરો 1 મિલિગ્રામ/ડીએલ સુધી સામાન્ય થયા અને તેણીએ પેશાબને સારી રીતે પસાર કરવાનું શરૂ કર્યું, ઉત્તમ કલમ કાર્ય અને સર્જિકલ સફળતાની નિશાની.
આ જટિલ પ્રક્રિયા હૈદરાબાદમાં 500 કિડની ટ્રાન્સપ્લાન્ટ્સના અનુભવ સાથે ચીફ નેફ્રોલોજિસ્ટ ડો. મુકેશ ગોયલ અને મુખ્ય યુરોલોજિસ્ટ ડો.જુહિલ નાનાવાટી અને નવી ડેલિમાં 250 થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ્સના અનુભવ સાથે ટ્રાન્સપ્લાન્ટ સર્જન દ્વારા સંચાલિત કુશળ ટ્રાન્સપ્લાન્ટ ટીમ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. તેમના સમર્પણ અને કરુણા, સંપૂર્ણ ટીમના પ્રયત્નો સાથે ડો. કેવિન દેસાઇ દ્વારા આપવામાં આવેલ એનેસ્થેસિયા, આ નોંધપાત્ર સિદ્ધિના કેન્દ્રમાં ડૉ. અરૂલ શુક્લા, નર્સિંગ સ્ટાફ, આરએમઓ વગેરે દ્વારા સંચાલિત ઇન્ટેન્સિવ કેર હતા.

“અમને સુરતમાં આવી અદ્યતન ટ્રાન્સપ્લાન્ટ સંભાળ આપવાનો ગર્વ છે,” ડો. મુકેશ ગોયલે કહ્યું. “દર્દીની પુન:પ્રાપ્તિ નોંધપાત્ર હતી, અને કુટુંબમાં અંગનું દાન જીવનને કેવી રીતે પરિવર્તન લાવી શકે છે તે જોવાનું હ્રદયસ્પર્શી છે.” ડો. જુહિલ નાનાવતીએ ઉમેર્યું, “આ કેસ અમને યાદ અપાવે છે કે નિ:સ્વાર્થ પ્રેમ સાથે મળીને આધુનિક દવા વાસ્તવિક ચમત્કારો બનાવી શકે છે. દર્દીની યાત્રાનો ભાગ બનવું એ સન્માનની વાત હતી.”
આ પ્રક્રિયામાં માત્ર હોસ્પિટલ માટે તબીબી સીમાચિહ્નરૂપ ચિહ્નિત નથી, પણ કુટુંબને આનંદના આંસુ પણ લાવ્યા હતા અને દવા અને માનવતા સાથે મળીને શું પૂર્ણ કરી શકે છે તેના પર વિશ્વાસ મેળવ્યો હતો. આવી વાર્તાઓ આપણને અંગદાનની શક્તિ અને પરિવારો પર તેની ઊંડી અસરની યાદ અપાવે છે. અદ્યતન સુવિધાઓ અને નિષ્ણાતની સંભાળ હવે અહીં સુરતમાં ઉપલબ્ધ છે, આવા ચમત્કારો હવે પહોંચની બહાર નથી.
શેલ્બી હોસ્પિટલમાં, અમે ફક્ત શસ્ત્રક્રિયાઓ કરતા નથી – અમે આશાને પુન restore સ્થાપિત કરીએ છીએ, પરિવારોને મટાડવું અને તેના શુદ્ધ સ્વરૂપમાં સાક્ષી પ્રેમ કરીએ છીએ.
આ વાર્તા હિંમત અને કરુણાના વધુ કાર્યોને પ્રેરણા આપવા દો. કારણ કે કેટલીકવાર, તમે આપી શકો તે સૌથી મોટી ભેટ … જીવન છે.
અદ્યતન કિડની કેર – બધા એક છત હેઠળ
તંદુરસ્ત ભવિષ્ય તરફ પ્રથમ પગલું લો.
હું ઈકબાલ”ના મેકર્સ લઈને આવી રહ્યાં છે સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મ “ભ્રમ”, સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન
• ફિલ્મમાં મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની જેવાં અવ્વલ કક્ષાના કલાકારો મુખ્ય ભૂમિકામાં
• ફિલ્મનું ટાઇટલ સોન્ગ “તારી હકીકત” દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.
સુરત : મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સાઈકોલોજિકલ અને સસ્પેન્સ થ્રિલર ફિલ્મ “ભ્રમ” 23મી મે, 2025થી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. “હું ઈકબાલ” ફિલ્મના મેકર્સ દ્વારા “ભ્રમ” ફિલ્મ રજૂ કરવામાં આવી છે, જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર પલ્લવ પરીખ દ્વારા નિર્દેશિત તથા લેખિત છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં આ ફિલ્મ એક ગેમચેન્જર સાબિત થશે તે તો નક્કી જ છે. આ સાઈકોલોજિકલ થ્રિલર ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી, સોનાલી લેલે દેસાઈ, અભિનય બેંકર અને નિશ્મા સોની સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે મજાની વાતો શેર કરી હતી.
ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ ફિલ્મે ઉમંગભર્યો પ્રતિસાદ મેળવી લીધો છે અને દર્શકોમાં વધુ કુતૂહુલ સર્જાયું છે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો માયા ( સોનાલી લેલે દેસાઈ), 42 વર્ષની એક મહિલા, ડિમેન્શિયા નામની બીમારીથી પીડાય છે, જેના કારણે તેને ભૂતકાળની ઘટનાઓ યાદ રહેતી નથી. પણ જયારે તે પોતાની જ દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની) ની હત્યાની સાક્ષી બને છે, ત્યારે તેનું જીવન ઉથલપાથલ થઈ જાય છે. સમય માયા સામે કડકાઈથી ઊભો છે. માયાને તેની તૂટી ગયેલી યાદગિરીઓ ફરી સંકલિત કરી સત્ય શોધવુંજ પડશે… એ પહેલાં કે હત્યારો ગુમ થઈ જાય. ફિલ્મમાં મિત્ર ગઢવી માયાના કેરટેકર મેહુલની ભૂમિકામાં છે અને અભિનય બેંકર પોલીસમેનની ભૂમિકામાં જોવા મળશે કે જેઓ આ મર્ડર મિસ્ટ્રી ઈન્વેસ્ટિગેશન કરી રહ્યાં છે. આખરે માયાની દિકરી શ્રદ્ધાનું મર્ડર થયું છે કે નહિ અને થયું છે તો કોણે કર્યું છે એ તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.
ગુજરાતી સિનેમામાં આ પ્રકારની થ્રિલર ફિલ્મ હજી સુધી આવી નથી. પરંતુ આ ફિલ્મ એક બેન્ચમાર્ક સેટ કરશે. “હું ઇકબાલ” ફિલ્મના નિર્માતા સિટીશોર.ટીવી દ્વારા જ આ ફિલ્મ પ્રોડ્યુસ કરાઈ છે. ફિલ્મનું તાજેતરમાં જ લોન્ચ કરાયેલ ટાઇટલ સોન્ગ “તારી હકીકત” દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે.

ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર પલ્લવ પરીખ જણાવે છે કે,”મોટા ભાગના લોકો સસ્પેન્સ થ્રિલર અને મર્ડર મિસ્ટ્રી દર્શાવતી સિરીઝ જોવે છે તો ફિલ્મ કેમ નહિ? અને એમાં પણ આપણી ગુજરાતી ભાષામાં આ પ્રકારની ફિલ્મ જોવા મળે તો અચૂકપણે નિહાળવી જ જોઈએ. દર્શકોને છેક સુધી આ ફિલ્મ જકડી રાખશે તે વાતનો મને સંપૂર્ણપણે વિશ્વાસ છે.
તાજેતરમાં જ સલમાન ખાન સાથે “સિકંદર” ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવેલ અનુભવી અભિનેતા મિત્ર ગઢવી જણાવે છે કે , “‘ભ્રમ’ જેવી સાઇકલોજિકલ થ્રિલર ફિલ્મ કરવી મારા માટે એક નવી ચેલેન્જ હતી. મેં અત્યાર સુધી ઘણા વિવિધ પાત્રો ભજવ્યા છે, પણ આ ફિલ્મમાં મેહુલનું પાત્ર નિભાવવું એ કંઈક અલગ જ અનુભવ હતો. આ ફિલ્મ દર્શકોને દરેક પળે સવાલ કરાવશે – શું સત્ય છે અને શું ભ્રમ?”
વર્સેટાઈલ અભિનેત્રી સોનાલી લેલે દેસાઈ જણાવે છે કે, “આ ફિલ્મમાં માયાનું પાત્ર નિભાવવું ખૂબ જ વિશેષ અનુભવ રહ્યો. એક એવી સ્ત્રી જે ડિમેન્શિયા જેવી બીમારીથી જૂઝે છે અને છતાં પોતાનું સત્ય શોધવા લડે છે – એવું પાત્ર ભજવવું એ લાગણીસભર અને ચેલેન્જિંગ હતું. આ ફિલ્મ દર્શકોને એક અલગ જ રીતે સ્પર્શશે.”
અભિનય બેંકર જણાવે છે કે, “દર્શકોને આ ફિલ્મ થકી સસ્પેન્સ થ્રિલરનો યાદગાર અનુભવ મળશે. આ મર્ડર મિસ્ટ્રીમાં કામ કરવું એ મારા માટે ગર્વની વાત છે અને આ ફિલ્મમાં કામ કરવાનો એક અનોખો અનુભવ રહ્યો. આ ફિલ્મ એક પળ પણ આંખ પરથી ઊતારવા ન દે તેવી છે.”
નિશ્મા સોની જણાવે છે કે, “ફિલ્મમાં મારું પાત્ર શ્રદ્ધાનું છે અને આખી સ્ટોરી શ્રદ્ધાના મર્ડરની આસપાસ ફરે છે. ફિલ્મની ટીમ ખૂબ અનુભવી છે અને આ ફિલ્મમાં કામ કરવું એ મારા માટે ચેલેન્જિંગ હતું અને સાથે મજા પણ ખૂબ આવી.”
ફિલ્મની સ્ટોરી તો યુનિક છે પરંતુ નિર્માતાઓની ફિલ્મનો પ્રચાર કરવાની રીત પણ અલગ છે. ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ફિલ્મ માટે ઇન્સ્ટાગ્રામ ગેમ લોન્ચ કરાઈ હતી, જેણે દર્શકોમાં સારો એવો બઝ ક્રિએટ કર્યો.
‘ભ્રમ’ એ માત્ર ફિલ્મ નહીં પણ એક અનુભવ છે. એક એવી ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે નવો માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.