Posts by: abhay_news_editor

શ્રીયમ નેશનલ ટીએમટીનું પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0માં સન્માન કરાયું

 

અમદાવાદ, 18 ઓક્ટોબર: સ્ટીલ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી શ્રીયમ નેશનલ ટીએમટીને મંગળવારે અમદાવાદમાં આયોજિત પ્રતિષ્ઠિત કચ્છ બિઝનેસ એક્સેલન્સ એવોર્ડ 2.0 માં ‘એક્સિલન્સ ઇન મેન્યુફેક્ચરિંગ- લાર્જ કોર્પોરેશન્સ’ કેટગરીમાં સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ ચેરમેન વિશેષ શાહરા અને મેનેજિંગ ડિરેક્ટર દેવેશ ખંડેલવાલ દ્વારા સ્વીકાર કરાયો હતો. કચ્છ મિત્ર અને ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશના અગ્રણી ઉદ્યોગપતિયોંના યોગદાનનું સન્માન કરવામાં આવ્યું છે.

કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા ભવ્ય એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂત, સંસદીય બાબતોના પ્રધાન પ્રફુલ પાનશેરિયા, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, IFFCOના અધ્યક્ષ દિલીપ સંઘાણી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ગેસ્ટ ઓફ ઓનર તરીકે વિશેષ હાજર રહ્યા હતા.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી અને રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સન્માનિત મહેમાનોએ પણ એવોર્ડ આપતી વખતે હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

શ્રીયમ નેશનલ ટીએમટીએ FE 550 અને FE 550D સહિત શ્રેષ્ઠ-ગુણવત્તાવાળા TMT બારની શ્રેણી સાથે સ્ટીલ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. કંપની પોતાના 200 એકરમાં ફેલાયેલા અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટમાં આયર્ન ઓરમાંથી ટીએમટી ઉત્પાદન કરવા માટે જાણીતી છે. કંપની લેડલ રિફાઇનિંગ ફર્નેસ (LRF) અને બ્લોક મિલ (રોલિંગ મિલ) જેવી અદ્યતન તકનીકનો ઉપયોગ કરે છે. આ ઇનોવેશન્સને કારણે કંપનીના પ્રોડક્ટ્સની ગુણવત્તા ઇન્ટરનેશનલ કક્ષાની છે.

કંપની સસ્ટેનેબિલિટી તેમજ કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા અને ઇકો-ફ્રેન્ડલી બાંધકામ સોલ્યુશન્સમાં યોગદાન આપવા માટે પણ સમર્પિત છે. શ્રીયમ નેશનલ ટીએમટી પોતાના ઉદ્યોગની સાથે-સાથે કચ્છમાં રોજગાર સર્જન, સીએસઆર પહેલ અને મજબૂત સમુદાય સંબંધો દ્વારા વિસ્તારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

શ્રીયમ નેશનલ ટીએમટી એક મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને એથિકલ બિઝનેસ પ્રેક્ટિસ સાથે સમગ્ર ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરી રહી છે જે તેની પ્રતિષ્ઠામાં સતત વધારો કરે છે.

શ્રીયમ નેશનલ ટીએમટી બાર્સે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 પણ મેળવ્યો છે. આ એવોર્ડ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે કંપની ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની બની હતી, જેને CII-ગ્રીન પ્રોડક્ટ્સ એન્ડ સર્વિસ કાઉન્સિલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું, જે કંપનીની પર્યાવરણ પ્રત્યેની ઉચ્ચ કક્ષાની નિસ્બતને પ્રદર્શિત કરે છે.

ફેશન અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

 

સુરત: શહેરની ખ્યાતનામ ફેશન અને ઇન્ટરિયર ડીઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ આઈ એફ ડી દ્વારા ડિપ્લોમાનો અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરનાર 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડીઝાઇનિંગ મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે રીગા સ્ટ્રીટ શાંતમ ખાતે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હાકિમ, નરેન્દ્ર સાબુ, પિયુષ વ્યાસ અને ગીતા શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટમાં ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરનાર 60 અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 15 વિદ્યાર્થીઓ મળી 75 વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ડિપ્લોમા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. વધુમાં મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સુરત ટેકસટાઇલ સાથે જ હવે ગારમેન્ટ્સ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં ડિમાન્ડ વધી રહી છે જે એક સારી એવી કેરિયર આપી શકે છે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ હવે ફેશન ડિઝાઇનર તરીકે કેરિયર બનવાનું પસંદ કરી રહ્યા છે.

અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા યોજાયો કર્મભૂષણ પુરસ્કાર સમારોહ

 

25 કેટેગરીમાં 95 પોલીસ અધિકારી – કર્મચારીઓને કરાયા સન્માનિત

સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં બોલીવુડ સ્ટાર અને સાંસદ રવિ કિશન, અભિનેતા પ્રતીક ગાંધી અને સિમરન કૌર રહ્યા ઉપસ્થિત

સુરત. શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અને પોતાની અસાધારણ કામગીરીથી એક અમીટ છાપ છોડનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવા અનીસ સંસ્થા અને અલાયન્સ દ્વારા સુરત ખાતે કર્મભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં 25 અલગ અલગ કેટેગરીમાં સુરત પોલીસ વિભાગમાં 95 અધિકારીઓ અને કર્મચારીઓને કર્મભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર.પાટીલ , બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન, અભિનેતા પ્રતીક ગાંધી અને સિમરન કૌર ઉપસ્થિત રહ્યા હતા.

સુરતની અનીસ સંસ્થા દ્વારા દર વર્ષે મુંબઈ પોલીસ માટે યોજાતા ઉમંગ શોની જેમ સુરત ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસના એવા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવે છે કે જેમને પોતાના કર્યો થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું હોય અને મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હોય. આ વખતે પણ 13 ઓક્ટોબરના રોજ પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે કર્મ ભૂષણ પુરસ્કાર સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય જળશક્તી મંત્રી સી. આર.પાટીલ અને બોલિવૂડ સ્ટાર અને સાંસદ રવિ કિશન ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે બોલિવૂડ અભિનેતા પ્રતીક ગાંધી અને અભિનેત્રી સિમરન કૌર, મનપા કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી સહિત શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન આમંત્રિત મહેમાનો ના હસ્તે સુરત પોલીસના 95 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અલગ અલગ 25 કેટેગરીમાં કર્મ ભૂષણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર આયોજન અનીસ સંસ્થાના અધ્યક્ષ ગીતા શ્રોફ અને અલાયન્સ ના સુભાષ દાવર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આયોજનને સફળ બનાવવા માટે અનીસ સંસ્થાની સિનિયર ટીમ, યુવા ટીમ , ફૌજી ટીમ અને સંસ્કૃતિ ધામ ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

કેન્સરના દર્દીઓ માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ દ્વારા કરાયું ગરબાનું આયોજન

 

દશેરા પર હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતાં ડૉ.દિવ્યેશ પાઠક દ્વારા કરાયું મોટીવેશન કાર્યક્રમનું આયોજન

સુરત. કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં અણગમો જોવા મળે છે ત્યારે કેન્સરની બીમારીથી પીડાતા અને સાજા થઈ ગયેલા દર્દીઓને મુખ્ય પ્રવાહ સાથે જોડી શકાય તે માટે અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુના સંચાલક ડૉ. દિવ્યેશ પાઠક દ્વારા આજરોજ ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન અદ્વૈતા હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે કરવામાં આવ્યું હતું.

આ અંગે ડૉ. દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૧૦ વર્ષથી કેન્સર સર્જન તરીકે સેવા આપી રહ્યા હતા ત્યારે કેન્સરના દર્દીઓ માટે એક સ્પેશિયલ હોસ્પિટલ હોય એ જરૂરીયાત અનુભવતા અદ્વૈતા કેન્સર હોસ્પિટલ અને આઇસીયુ હોસ્પિટલનો પાયો નખાયો. એક વર્ષ પહેલાં દશેરાના દિવસે પ્રાઈમ આર્કેડની સામે સહજ આઇકોનમાં હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન ડૉ. દિવ્યેશ પાઠકે 250 થી વધારે સફળ સર્જરી અને 150 જેટલી સફળ કીમો થેરેપી કરી દર્દીઓને નવું જીવન આપ્યું છે. ત્યારે હોસ્પિટલની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે અને આવા દર્દીઓ પ્રત્યે હૂંફથી અને પ્રેમથી સામાન્ય વ્યક્તિની જેમ વ્યવહાર કરે તેવા ઉદ્દેશ્ય સાથે ગરબા સાથે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં ડૉ. દિવ્યેશ પાઠકે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ને કેન્સર થાય તો તે નોર્મલ જીવન જીવવાનું છોડી દે છે ત્યારે આવી વ્યક્તિઓ પોતાને અલગ નહીં સમજી નોર્મલ જીવન જીવી શકે છે એ સંદેશ આપવા માટે અને સામાન્ય વ્યક્તિઓની જેમ તેઓ પણ દરેક તહેવાર ઉજવી શકે છે તે સંદેશો આપવા માટે હોસ્પિટલ દ્વારા આ આયોજન કરાયું હતું અને 150 જેટલા દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે ડૉ. દિવ્યેશ પાઠકે પોતાનું તબીબી શિક્ષણ સુરતની સરકારી મેડિકલ કોલેજ ખાતે લીધું છે. સરકારી મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસ કર્યા બાદ જનરલ સર્જરીમાં સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે એમએસની ડિગ્રી મેળવી હતી ત્યારબાદ કેન્સર સર્જન તરીકેનો અભ્યાસ પુને ખાતે કરીયો છે અને ત્યારબાદ ઓંકો સર્જરી નો અભ્યાસ પુણે ખાતે પૂર્ણ કર્યો છે અને છેલ્લા ૫ વર્ષથી તેઓ સુરત ખાતે કેન્સર નિષ્ણાંત તબીબ તરીકે સેવા આપી રહ્યા છે.

દેશની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપની Yanolja Cloud Solution (YCS)એ તેમની નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જુનોમોનેટા ટાવર સૂરત ખાતે ખસેડી

 

આઇટી હબ તરીકે ઊભરી રહેલા સૂરતને પણ ગ્લોબલ કંપની આવવાથી મોટો ફાયદો થશે

યાનોલ્જા ક્લાઉડ સોલ્યુશન જે ગ્લોબલ લેવલે 170 દેશોમાં 33000થી વધુ ક્લાયન્ટસ ધરાવે છે

સૂરત, ગુજરાત, 30 સપ્ટેમ્બર, 2024 હોસ્પિટાલિટી ટેક્નોલોજીમાં વૈશ્વિક અગ્રણી અને દેશની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપની Yanolja Cloud Solution (YCS) તેનું નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જુનોમોનેટા ટાવર સૂરત ખાતે ખસેડી. આ અત્યાધુનિક ઓફિસ, 30 સપ્ટેમ્બર 2024 થી શરૂ થતા આઇટી હબ તરીકે ઊભરી રહેલા સૂરતમાં વધુ એક
મોરપીચ્છ ઉમેરાશે.

Yanolja Cloud Solution (YCS) કટીંગ-એજ ક્લાઉડ-આધારિત સોલ્યુશન્સ આપતી ગ્લોબલ લેવલે વિશ્વાસપાત્ર કંપની છે.
હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેક્ટરમાં સતત ઇનોવેશન માટે જાણીતી કંપની છે. તેનું આ પગલું કંપનીની મહત્વાકાંક્ષી ગ્રોથ સ્ટ્રેટેજી અને દુનિયામાં ટોપ સોલ્યૂશન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પહેલથી કંપની કોલાબોરેશન, ઇનોવેશન અને એફિશિયેન્સીમાં નવી ઊંચાઇઓ સર કરશે. Yanolja Cloud Solution (YCS) હોટલો અને રિસોર્ટ્સની કામગીરીઓને વધુ સક્ષમ બનાવવા, તેમની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય અને તેમને વધુમાં વધુ નફો મળી શકે તથા તેમના મહેમાનોને ઉત્તમ સેવા મળે તેમાં વધુ સારી મદદ કરી શકશે.

આ પ્રસંગે કંપનીના સી.ઇ.ઓ એજાઝ સોડાવાલાએ કહ્યું કે Yanolja Cloud Solution (YCS)માં અમે હોટેલ્સને એવા
ક્લાઉડ આધારિત આઇટી સોલ્યૂશન્સ આપીએ છીએ જેનાથી તેઓ જે સુવિધાઓ આપે છે તે વધુ સારી રીતે આપી
શકે અને તેમના મહેમાનોને શાનદાર અનુભવ મળે. આ ઉપરાંત હોટેલ્સના નફામાં પણ વધારો થાય. અમારી કંપની
આ ક્ષેત્રે દુનિયાભરમાં અગ્રણી છે અને દેશની સૌથી મોટી કંપની છે.

“અમારી નવી ઓફિસ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના અમારા મિશનમાં એક મોટી છલાંગ છે.
આનાથી દેશના નવા આઇટી હબ તરીકે વિકસી રહેલા સુરતની ગ્રોથ સ્ટોરીને પ્રોત્સાહન મળશે, તેમ એજાઝ સોડાવાલાએ
વધુમાં કહ્યું હતું.

સુરતમાં જુનોમોનેટા ટાવર ખાતે કંપનીના હેડક્વાર્ટર્સનું સ્થળાંતર એ YCSના વ્યાપને વધુ ઊંચાઈ પર લઇ
જવા સાથે આંતરિક વૃદ્ધિ પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે હીરા અને કાપડ ઉદ્યોગો માટે જાણીતું, સુરત હવે
IT ની મોટી કંપનીઓને આકર્ષિત કરી રહ્યું છે તે પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને ડાયનેમિક અને ફોરવર્ડ થિંકિંગ ટેકનોલોજી હબ તરીકે વિકસી રહ્યું છે.ટેક-ફોરવર્ડ સિટી તરીકે સુરતનો વિકાસ થઇ રહ્યો છે જે શહેરને ભારતના વ્યાપક IT સેક્ટરમાં અગ્રણી પ્લેયર તરીકેસ્થાન આપે છે. આનાથી સૂરતના સ્થાનિક આઇટી ટેલેન્ટને પણ ઘરઆંગણે ગ્લોબલ પ્લેટફોર્મમાં કામ કરવાની તક મળી શકશે.

જુનોમોનેટા ટાવરમાં શરૂ કરાયેલી આધુનિક વર્લ્ડક્લાસ ઓફિસ Yanolja Cloud Solution (YCS) ની વિસ્તરી રહેલી
ટીમ પોતાની ક્ષમતાઓને પૂરો ઉપયોગ કરવાનો માહૌલ આપશે. આ સેક્ટરમાં કટીંગ-એજને સોલ્યૂશન આપે તે
માટે ડિઝાઇન કરવામાં આવી છે. Yanolja તેના વૈશ્વિક ક્લાયન્ટ બેઝને વધુ સારી રીતે સેવા આપી શકશે.
ક્લાયન્ટ્સને વધુ ઝડપથી ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપી શકશે.

યાનોલ્જા ક્લાઉડ સોલ્યુશન વિશે:

Yanolja Cloud Solution (YCS) વિશ્વભરમાં હોસ્પિટાલિટી ટેક્નોલોજી આપનાર અગ્રણી કંપનીઓમાંની એક છે અને
હોટેલ અને રેસ્ટોરન્ટ માટે એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ ઓફર કરે છે.યાનોલ્જા ગ્રુપ દ્વારા હસ્તગત – દક્ષિણ કોરિયાની
ટ્રાવેલ ટેક યુનિકોર્ન છે. eZee, GGT અને SanhaIT જેવી સભ્ય કંપનીઓના તેના વધતા પોર્ટફોલિયો સાથે આજે YCS એ ભારતની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી અને અગ્રણી વૈશ્વિક ક્લાઉડ હોટેલ સોલ્યુશન આપનાર કંપની છે. વધુ માહિતી માટે, www.yanoljacloudsolution.com ની મુલાકાત લો.

ખુશ્બુ પાઠક રૂપારેલના તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ અદભૂત નવરાત્રિ કલેક્શન-‘સતરંગી’ લોન્ચ કર્યું

 

વડોદરા, 08 ઓક્ટોબર: ખુશ્બુ પાઠક રૂપારેલ દ્વારા સ્થાપિત તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાયેલા ટાઈમ્સ ફેશન વીક 2024માં  તેનું અદભૂત નવરાત્રિ કલેક્શન સતરંગી‘  લોન્ચ કર્યું હતું, જેને તેની પરંપરા અને આધુનિકતાના અનોખા સંમિશ્રણ માટે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફેશન પ્રેમીઓ અને વિવેચકો સમાન રીતે સતરંગી કલેક્શનની બોલ્ડ ડિઝાઇન્સ અને વૈભવી કાપડથી પ્રભાવિત થયા હતા. સતરંગી કલેક્શન નવરાત્રિનું એવું એક નવું કલેક્શન છે જેમાં બદલાતા સમયને અનુરૂપ ચણીયા ચોલી સિરીઝ ડિઝાઇન કરવામાં આવી છે. 

કલેક્શન પાછળની પ્રેરણા સમજાવતા, જાણીતા ડિઝાઇનર ખુશ્બુ પાઠક રૂપારેલએ જણાવ્યું હતું કે, “સતરંગીમાં અમે બદલાતા સમય સાથે તેને આધુનિક બનાવવાનો ઉદ્દેશ્ય તો રાખ્યો જ હતો સાથે જટિલ મિરર વર્ક અને દોરા વર્ક પરંપરાગત નવરાત્રી સિઝનની પ્રાચીન ભાવના પણ દર્શાવે છે.”

ગરબા એપેરલ્સની પરંપરાગત ડિઝાઇનમાં કોઇ મોટા ફેરફાર કર્યા વિના તે પહેરવામાં પણ સરળતા રહે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ  બાબત એ સતરંગીને ખરેખર અનોખું  બનાવે છે. નૃત્યના સૌથી મોટા તહેવારને એ જ ઉત્સાહ સાથે ઉજવવા માટે ઘુમાવદાર સ્કર્ટ, વાઇબ્રન્ટ પેટર્ન અને આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. મિરર વર્કની ચમક હોય, વિવિધ રંગોની આભા હોય કે અનોખી ડિઝાઇન હોય, તિતલી ડિઝાઇનર સ્ટુડિયોનું સતરંગી કલેક્શન એ સુનિશ્ચિત કરે છે કે પહેરનાર દરેક વ્યક્તિ ગરબામાં આકર્ષણનું કેન્દ્ર બને. તિતલી ડિઝાઇનર સ્ટુડિયો નવરાત્રિ સ્ટાઇલને બદલવા માગતા દરેક લોકોને આમંત્રણ આપે છે. સતરંગી કલેક્શન હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. કલેક્શન જોવા અથવા ખરીદવા માટે તિતલી ડિઝાઇનર સ્ટુડિયો, એ-10, વ્રજધામ સોસાયટી, અક્ષર ચોક, ઓ.પી. રોડ. વડોદરાની જરૂર મુલાકાત લો।

વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ

 

સુરત, 04 ઓક્ટોબર: આજે ૩ ઓક્ટોબર ૨૦૨૪ – પ્રથમ નવરાત્રિના દિવસે વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસના પ્લેટફોર્મ પરથી Plant a Smile Campaign નો શુભારંભ કરવામાં આવ્યો છે. Plant a Smile એક એવી પહેલ છે જે સમાજને આનંદિત રહેવા અને સંસ્કારી વ્યક્તિઓ તૈયાર કરવા માટે પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ તરફ લક્ષ્ય રાખે છે. “Plant a Smile” નું લક્ષ્ય એક બીજા પ્રત્યે સ્નેહ વધે, સર્જનાત્મકતા સભર વર્કશોપ અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પર ભાર આપવામાં આવે છે.લોકો તેમની આસપાસના જીવાવરણમાં અન્ય પ્રત્યે સદભાવ વધે, જ્ઞાનની આપ લે કરે, ખુશીઓની વહેંચણી કરે અને તેના થકી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે.
Plant a Smile – રેલી ૩ ઓક્ટોબરે અનાથઆશ્રમ વાત્સલ્યધામ થી મશાલ સાથે શરૂ થઈ 11 ઓક્ટોબર સુધીમાં વિવિધ 100 શૈક્ષણિક સંસ્થાઓમાં થઈ લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ પહોંચશે. ત્યાંથી વધુ દસ દિવસ દરમિયાન લક્ષ્મી વિદ્યાપીઠના બાળકો અંતરિયાળ વિસ્તાર સુધીમાં Plant a Smileનો સંદેશો પહોંચાડશે. આ મશાલ રેલી દરમિયાન વાત્સલ્યધામના બાળકો એક સંસ્થા પર જશે અને ત્યાંના બાળકો સાથે મળી પાંચ વૃક્ષારોપણ કરશે ત્યારબાદ આ સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે આગળની સંસ્થામાં જશે અને તે સંસ્થાના બાળકો સાથે વૃક્ષારોપણ કરશે. ત્યાંથી પહેલાની સંસ્થાના બાળકો પાછા ફરશે અને નવી સંસ્થાના બાળકો વાત્સલ્યધામના બાળકો સાથે મળી તેની આગળની સંસ્થા સુધી મશાલ રેલી મારફતે આગળ વધશે. આ રીતે ૧૦ દિવસ દરમિયાન ૧૦૦ જેટલી શાળાઓ પર Plant a Smile મશાલ રેલી પર્યાવરણના જતનનો સંદેશો ફેલાવશે.


આ રેલી દ્વારા પર્યાવરણ જતન સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ પણ ફેલાશે. વાત્સલ્યધામના બાળકો સમાજની મુખ્ય ધારાના બાળકોને મળશે અને તેમની સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરશે જેથી સમાજમાં અમીરી ગરીબી વચ્ચેની ખાઈનું અંતર ઘટશે, આ રેલી દરમિયાન વિવિધ શાળાઓના ૫૦૦ કરતાં વધારે બાળકો રેલીનો હિસ્સો બનશે. સમાજમાં ખુશીઓ એકબીજા સાથે વહેંચવા તથા ખુશીઓમાં વધારો કરવા આ રેલી મધ્યસ્થીની ભૂમિકા અદા કરશે. સુનીતાઝ મેકર્સ સ્પેસના ફાઉન્ડર કુ.કિંજલ ચુનીભાઇ ગજેરાના વિઝન મુજબ આ વિશ્વને જીવવા માટેનું ઉત્તમ સ્થળ બનાવવું હશે તો દરેક વ્યક્તિએ પોતાની ખુશી બીજાને વહેંચી અને ખુશીઓની એક લહેર ઊભી કરવી પડશે. તેમના મત અનુસાર આજે આ રેલી દ્વારા ખુશીઓનું બીજ કે નાનો છોડ વાવ્યો છે તે સમય જતા વટવૃક્ષ બનશે અને સમાજમાં ખુશી અને આનંદ સાથે મજબૂત રીતે આગળ વધશે. “ONE HAPPINESS” એ જ વિશ્વને નક્કર રીતે આગળ વધવાનો માર્ગ છે અને તે માટે “Plant a Smile” રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના15 વિદ્યાર્થીઓની CBSE નેશનલ મીટ માટે પસંદગી

 

હજીરા-સુરત, ઓક્ટોબર 01, 2024: સુરતના હજીરા ખાતે આવેલી AMNS ઇન્ટરનેશનલ સ્કૂલના 15 વિદ્યાર્થીઓ વારાણસીમાં યોજાનારી આગામી CBSE નેશનલ મીટ 2024 માટે પસંદગી થયા છે, જે શાળા માટે એક અનેરી સિદ્ધિ છે.

અમદાવાદની સુમન નિર્મલ મિંડા સ્કૂલ ખાતે સપ્ટેમ્બર 23 થી 27, 2024 દરમિયાન યોજાયેલી CBSE ક્લસ્ટર XIII એથ્લેટિક્સ મીટમાં AMNS ઇન્ટરનેશનલ સ્કૂલે ફરી એકવાર એથ્લેટિક્સની વિવિધ કેટેગરીમાં ઝળહળતો દેખાવ કર્યો છે. શાળાએ 18 ગોલ્ડ મેડલ, 11 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ મેળવીને રમત-ગમતના શ્રેત્રમાં પણ પોતાનો સિક્કો જમાવ્યો છે.

AMNS ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સમગ્ર રાજ્યમાંથી આવેલા ખેલાડીઓ સાથે સ્પર્ધા કરીને અંડર-19 ગ્રુપ બોયઝ ચેમ્પિયનશિપ અને ઓવરઓલ સ્કૂલ ચેમ્પિયનશિપ ટ્રોફી બંને જીતી છે.

સુનિતા મટુ, આચાર્ય, AMNS ઇન્ટરનેશનલ સ્કૂલએ જણાવ્યું હતું કે, “CBSE ક્લસ્ટર મીટમાં અમારા વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન તેમની સખત મહેનત અને સમર્પણને આભારી છે. AMNS ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં માનીએ છીએ. રમત-ગમત વ્યક્તિત્વને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. અમને અમારા વિદ્યાર્થીઓ પર ખૂબ જ ગર્વ છે. CBSE નેશનલ મીટમાં પણ તેઓ સફળ થશે તેવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે.”

વિદ્યાર્થીઓનું આ ઉત્કૃષ્ટ પ્રદર્શન AMNS ઈન્ટરનેશનલ સ્કૂલમાં એથ્લેટિક્સના ક્ષેત્રમાં તાલીમનું સ્તર અને શાળામાં ખેલદિલીની સંસ્કૃતિ કેળવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ઘૂંટણના ખ્યાતનામ સર્જન ડો. મનુ શર્માએ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું

 

આ એવોર્ડ મારા 13000થી વધુ દર્દીઓના આશીર્વાદનું ફળ છેઃ ડો. શર્મા

ગુજરાતમાં ઘૂંટણ સર્જરી ક્ષેત્રે નવી કેડી કંડારનારા ડો. શર્માને હવે રાષ્ટ્રીય ઓળખ મળી

અમદાવાદ. ઘૂંટણની સર્જરીમાં ગુજરાતમાં અગ્રણી સ્થાન ધરાવતા શેલ્બી હોસ્પિટલ (Shalby Hospital) સુરતના ડો. મનુ શર્માએ (Dr. Manu Sharma) રાજ્યનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું છે. દિલ્હીમાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે તેમને ભારત કે રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

25 સપ્ટેમ્બર, 2024ના રોજ દિલ્હી મા યોજાયેલા એક ભવ્ય સમાંરભમાં ડો. મનુ શર્માને ઘૂંટણની સર્જરીમાં તેમના અનન્ય યોગદાન બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડો. મનુ શર્માએ એકલાહાથે 13 હજાર ઘૂંટણની સફળ સર્જરીનો રેકોર્ડ કરી આ ક્ષેત્રમાં નવી કેડી કંડારી છે. તેમની ખાસિયત છે કે જે ઝીરો ટેક્નિકથી ઓપરેશન કરે છે જેમાં દર્દ થતું નથી. ઓપરેશન પછી વ્યક્તિ સ્વિમિંગ કે ઘોડેસવારી જેવા અઘરાં મનાતા કામો પણ કરી શકે છે.

ડો. શર્મા કહે છે કે તેઓ ગુજરાત અને ખાસ કરીને સૂરતને ઘૂંટણની સર્જરીનું ઇન્ટરનેશનલ સેન્ટર બનાવવા માગે છે. દુનિયાની લગભગ તમામ પ્રકારની ટેક્નોલોજી હવે અહીં પ્રાપ્ય છે. દુનિયાભરમાંથી ગુજરાતના NRI લોકો જ્યારે વતન આવે છે ત્યારે સર્જરી કરાવવા સુરત, વડોદરા કે અમદાવાદ આવવા લાગ્યા છે.

આ એવોર્ડ અંગે વાત કરતા ડો. શર્મા કહે છે કે મારા 13000થી વધુ દર્દીઓના આશીર્વાદથી મને આ સન્માન મળ્યું છે. હું દરરોજ 3 જેટલા ઓપરેશન્સ જરૂરિયાતમંદ લોકોના ઓછા ખર્ચ માં પણ કરૂં છું. તેમની વિશેષ દુવાઓ મને મળી હશે. તેઓ હાલમાં પશ્ચિમ ભારતમાં સૌથી વધુ સંખ્યામાં ઘૂટણના ઓપરેશન કરનાર તબીબ હોવાનું ગૌરવ ધરાવે છે.

ડો. મનુ શર્મા જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોથી ઘૂંટણની લેટેસ્ટ સર્જરીનું જ્ઞાન મેળવીને ડિગ્રી લઇ ચૂક્યા છે. તેમની સેવાઓ બદલ અગાઉ પણ તેઓ ઘણીવાર સન્માનિત થઇ ચૂક્યા છે. પરંતુ આ સન્માનથી તેમની પ્રતિભાને રાષ્ટ્રીય સ્તરે ઓળખાણ મળવા સાથે ગુજરાત રાજ્યનું નામ પણ ચમકાવ્યું છે. તેમની ખ્યાતિ હવે ઇન્ટરનેશનલ લેવલે પણ પહોંચશે.

AM/NS Indiaએ વૃક્ષારોપણ માટે સદ્દભાવના સેવા ફાઉન્ડેશન સાથે એમઓયુ કર્યો

 

હજીરા-સુરત, સપ્ટેમ્બર 19, 2024: વિશ્વના બે અગ્રણી સ્ટીલ ઉત્પાદકો આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હજીરા વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા માટે સદ્દભાવના સેવા ફાઉન્ડેશન સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. સપ્ટેમ્બર 16, 2024ના રોજ વિશ્વ ઓઝોન દિવસના અવસરે હસ્તાક્ષર કરાયેલા આ એમઓયુનો ઉદ્દેશ્ય પર્યાવરણીય સ્થિરતા, જાળવણી અને સામુદાયિક જોડાણમાં યોગદાન આપવાનો છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB), સુરતના પ્રાદેશિક અધિકારી ડો. જીજ્ઞાસા ઓઝાની હાજરીમાં ડો. અનિલ મટૂ, હેડ – કોર્પોરેટ અફેર્સ, AM/NS India, હજીરા અને રમેશ ડાંગરિયા, ડિરેક્ટર, સદ્દભાવના સેવા ફાઉન્ડેશનએ આ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ કાર્યક્રમમાં AM/NS Indiaની CSR અને પર્યાવરણ વિભાગની ટીમો અને GPCBના અધિકારીઓએ હાજરી આપી હતી.

આ એમઓયુ અંગે ડૉ. અનિલ મટૂ, હેડ – કોર્પોરેટ અફેર્સ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા(AM/NS India), હજીરાએ જણાવ્યું હતું કે, “આ પહેલનો ઉદ્દેશ્ય સ્થાનિક સમુદાયોમાં પર્યાવરણીય અને વૃક્ષારોપણ પ્રત્યે જાગરૂકતા પેદા કરવાનો તેમજ સ્થાનિક પ્રદેશમાં મહત્વપૂર્ણ વૃક્ષોના આવરણને પુનઃસ્થાપિત કરવાનો છે. અમે GPCB સાથે મળીને અમારી CSR પહેલના ભાગરૂપે વિવિધ પર્યાવરણીય સંરક્ષણ પગલાં અમલમાં મૂક્યા છે અને આ પ્રયાસો માટે અમે પ્રતિબદ્ધ છીએ. આ વૃક્ષારોપણ પ્રોજેકટ પર્યાવરણ સુરક્ષા તરફનું એક આવશ્યક પગલું છે. વૃક્ષો વાવવા એ પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાની એક અર્થપૂર્ણ રીત છે, જેનાથી માત્ર આપણને જ નહીં પરંતુ આવનારી પેઢીઓને પણ ફાયદો થાય છે.”

હજીરામાં વૃક્ષોના આવરણને વધારવામાં મદદ માટે GPCBની વિનંતીને પગલે આ પહેલ શરૂ કરવામાં આવી હતી. GPCBના ચેરમેને સમગ્ર રાજ્યમાં સમાન વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ માટે વ્યાપક વિઝનની રૂપરેખા તૈયાર કરી છે. આ પ્રોજેક્ટ માટે GPCB સાથે સંકળાયેલા સદ્દભાવના સેવા ફાઉન્ડેશન વૃક્ષારોપણ હાથ ધરશે અને આગામી 3 વર્ષ સુધી વૃક્ષોની દેખરેખ અને જાળવણી માટે જવાબદાર રહેશે.

મુકેશભાઈ પટેલ, માનનીય MOS વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સંસાધનો અને પાણી પુરવઠા, ગુજરાત સરકારે પણ આ પહેલ માટે તેમનો ટેકો આપ્યો છે તથા સદ્દભાવના ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે ભાગીદારી દ્વારા મેગા વૃક્ષારોપણની ઝુંબેશ ચલાવવાનું આહ્વાન કર્યું છે.

આ એમઓયુ, AM/NS Indiaના પર્યાવરણીય સંરક્ષણ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાના સતત કાર્યરત પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્ન છે.