Posts by: abhay_news_editor

નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલનું અડાજણ એલ. પી. સવાણી રોડ ખાતે રવિવાર તા. ૧૭/૧૧/૨૦૨૪ ના રોજ શ્રી સી. આર. પાટીલ ના વરદ હસ્તે ઉદઘાટન.

 

સૂરતના હાર્દ સમા અડાજણ ખાતે ૧૨૦ પથારી ધરાવતી અત્યાધુનિક નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલનું ભારત સરકારના જલ મંત્રી શ્રી. સી. આર. પાટીલના વરદ હસ્તે ઉદઘાટન રાખવામાં આવેલ છે.

નિર્મલ હોસ્પીટલ અને આરોગ્ય સૂરતીઓ માટે એકબીજાનો પર્યાય બની ગયો છે.

આ હોસ્પીટલ વિષે માહીતી આપતા ચેરમેન ડો. નિર્મલ ચોરારીયાએ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લગભગ ૪૨ વર્ષ પહેલા ૧૫-૫-૧૯૮૩ ના રોજ ૯ બેડ થી શરુઆત કરનાર નિર્મલ હોસ્પીટલ વિશાળ વટવૃક્ષ બની ગઈ છે. રીંગરોડ ખાતે ૧૨૦ બેડની સુવિધા ધરાવતી હોસ્પીટલ સાથે આ નિર્મલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પીટલ સૂરતની જનતાને નવલું નજરાણું છે.

નિર્મલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુરતના લોકો માટે ભરોસાનું નામ છે. વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ આપવાની પ્રતિબદ્ધતા સાથે હોસ્પિટલ સુરતમાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે કટીબધ્ધ છે.

આ હોસ્પીટલમાં ૧૨૦ બેડની સુવિધાઓ સાથે ૪ અતિઆધુનિક મોડયુલર ઓપરેશન થિયેટરો છે. આ હોસ્પીટલમા હૃદય વિભાગમાં કેથ લેબ દ્વારા હૃદયને લગતી કોઈ પણ બિમારીની સારવાર આપી શકાશે તથા હૃદયને લગતા ઓપેરેશનો કરવામાં આવશે. આ ઉપરાંત હાડકાં વિભાગ અને સાંધા બદલવાની સર્જરી, પેટ તથા આંતરડાના રોગોને લગતી સારવાર તથા ઓપરેશનો, મગજના રોગોનો વિભાગ અને તેના ઓપરેશનો, કિડની વિભાગ અને તેના લગતા ઓપરેશનો, લેપરોસ્કોપીક સર્જરી, જનરલ સર્જરી, કેન્સર વિભાગ, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રકટીવ સર્જરી તથા ક્રિટિકલ અને ટ્રોમા કેર વિભાગ, દાંત વિભાગ, રિહેબિલિટેશન, ફિઝીઓથેરાપી તથા હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવાઓ ઉપલબ્ધ રહેશે.

તે ઉપરાંત ૧.૫ ટેસલા એમઆરઆઈ, ૧૨૮ સલાઇસ સીટી સ્કેન, મેમોગ્રાફી, ડીજીટલ એક્ષ-રે, સોનોગ્રાફી, ટીએમટી એકોકાર્ડિઓગ્રાફી તેમજ ૨૪ કલાક કાર્યરત દવાની દુકાન, લેબોરેટરી, એમ્બ્યુલન્સ અને ક્રિટિકલ કેરની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. મુખ્ય મહેમાન ભારત સરકારના જલ મંત્રી શ્રી. સી. આર. પાટીલ સાથે ગૃહપ્રધાન શ્રી હર્ષ સંઘવી, જંગલ અને પર્યાવરણ ખાતાના પ્રધાન શ્રી મુકેશ પટેલ, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા, સાંસદ શ્રી. મુકેશ દલાલ, રાજ્યસભાના સભ્ય શ્રી. ગોવિંદભાઈ ધોળકિયા તથા સુરત શહેરના સર્વે ધારાસભ્યો તથા પદ્મશ્રી એવાર્ડ શ્રી પુરસ્કૃત શહેરના મહાનુભાવો, તથા શહેરના અન્ય પ્રતિષ્ઠિત અગ્રણીઓ હાજર રહેશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. નિર્મલ ચોરારીયા, શ્રી. વિનોદ ચોરારીયા, ડૉ. કુશલ ચોસરિયા, શ્રી. સૌમ્ય ચોરસરીયા, ડૉ પ્રદીપ પેઠે, ડૉ.વિજય શાહ, તથા શ્રી. જતિન જોશી હાજર રહ્યા હતા.

જાણીતા ઇન્ફર્ટિલિટી એક્સપર્ટ ડૉ. ગાયત્રી ઠાકરના નેતૃત્વમાં જામનગરમાં સમર્થ IVFનું નવું કેન્દ્ર શરૂ કરાયું

 

જામનગર, 13 નવેમ્બર: ભારતની સૌથી ઝડપથી વિકસતી IVF ટ્રીટમેન્ટ  ચેઇનમાંની એક સમર્થ IVF દ્વારા જામનગરમાં તેના અત્યાધુનિક ફર્ટિલિટી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. જાણીતા વંધ્યત્વ નિષ્ણાંત ડો.ગાયત્રી ઠાકરની આગેવાની હેઠળ શરૂ કરાયેલા આ કેન્દ્રનો ઉદ્દેશ્ય જામનગરના લોકોને વિશ્વ કક્ષાની વંધ્યત્વની એવી સારવાર આપવાનો છે જેમાં માત્ર અદ્યતન ટેકનોલોજી જ નહીં પરંતુ માતા-પિતા બનવાના સપનાને સાકાર કરવા ઇચ્છતા લોકોની ભાવનાત્મક સાથે વ્યક્તિગત સંભાળ પણ હોય.

આ સમારંભનું ઉદ્ઘાટન માનનીય સાંસદ શ્રી પૂનમ બેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે બોલતા તેમણે જણાવ્યું હતું કે, વંધ્યત્વના વધતા જતા કેસોના આ યુગમાં સરળતાથી ઉપલબ્ધ સારવારની જરૂર છે. તેમણે વંધ્યત્વના વધતા કેસો પાછળના કારણો તરીકે જીવનશૈલી અને મોટી ઉંમરે લગ્ન જેવા પરિબળોને ટાંક્યા હતા. ડો.ગાયત્રી ઠાકરના વખાણ કરતાં જણાવ્યું હતું કે જામનગરમાં સમર્થ IVF જેવી રાષ્ટ્રીય બ્રાન્ડ લાવવાથી શહેરના લોકો વંધ્યત્વની આધુનિક સારવાર સરળતાથી મેળવી શકશે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં કેબિનેટ મંત્રી (કૃષિ), ગુજરાત, શ્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી (વન અને પર્યાવરણ), ગુજરાત, શ્રી મૂળુભાઈ બેરા, ધારાસભ્ય, દેવભૂમિ દ્વારકા શ્રી પબુભા માણેક ઉપરાંત જામનગરના ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી દિવ્યેશ ભાઈ અકબરી અને શ્રી મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબા સોઢા તથા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશ ભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, એમ.પી. શાહ મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના અધ્યક્ષ અને IMAના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો.વિજયભાઈ પોપટ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રણામી સંપ્રદાયના આદરણીય જગદગુરુ આચાર્ય શ્રી 108 કૃષ્ણમણિ મહારાજે આ પ્રસંગે આશીર્વાદ આપીને આ પ્રસંગનું આધ્યાત્મિક મહત્વ વધાર્યું હતું.

ડો. વિજય પોપટની આગેવાની હેઠળની ટીમ IMA (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) અને જામનગરના ડોકટરો અને અગ્રણી નાગરિકોએ જામનગરના આરોગ્યસંભાળ ક્ષેત્રે આ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સિદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. માનનીય ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા અને શ્રી મેઘજીભાઈ ચાવડાએ પણ ડૉ. ગાયત્રી ઠાકર સાથેના સમર્થ IVF ના જોડાણની પ્રશંસા કરી અને કહ્યું કે આનાથી વ્યાપક સમાજને વિશેષ સારવાર મળશે જેનો લાભ સ્થાનિક લોકોને થશે. જામનગરના ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબા સોઢા અને જામનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરાએ સમર્થ આઈવીએફ દ્વારા જામનગરમાં લાવવામાં આવેલી વૈજ્ઞાનિક પ્રગતિની પ્રશંસા કરી હતી. આ લોન્ચમાં સમર્થ IVFના સહ-સ્થાપકો ડૉ. આતિશ લઢ્ઢા, ડૉ. હર્ષલતા લઢ્ઢા અને ડૉ. કીર્તિ પાર્થીકર એ પણ હાજરી આપી હતી કે જેઓ સંસ્થાને વંધ્યત્વ કેરના ક્ષેત્રમાં સતત સફળતા તરફ દોરી રહ્યા છે. હવે નવા જામનગર કેન્દ્રની શરૂઆત સાથે સમર્થ IVF સમગ્ર ભારતમાં પરિવારોને નૈતિક અને પારદર્શક સારવાર પૂરી પાડવાની તેની પ્રતિબદ્ધતાને વિસ્તારી કરી રહ્યું છે. આ લોન્ચ IVF ની પહોંચને વધારીને લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના તેના મિશનને આગળ ઘપાવવા માટેની સમર્થની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

આરોહી પટેલ અને ભવ્ય ગાંધી પોતાની ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ના પ્રમોશન અર્થે સુરતના મહેમાન બન્યા

 

• ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી અને પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ પ્રથમવાર એકસાથે જોવા મળશે
• અમદાવાદના હેરિટેજ અને ટુરિઝમને હાઈલાઈટ કરી રહી છે ફિલ્મ

સુરત: ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ડૉ. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે, જેઓએ અગાઉ ઘણી જૂદા- જૂદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ “અજબ રાતની ગજબ વાત” લઈને આવી રહ્યા છે.15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ રોમેન્ટિક, કોમેડી અને ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.ફિલ્મના પ્રોમોશન અર્થે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ તથા અભિનેતા દીપ વૈદ્ય ઉપરાંત દિર્ગ્દર્શક પ્રેમ ગઢવી અને કિલ્લોલ પરમાર સુરતની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.આ ઉપરાંત સુરતમાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શૉ પણ યોજાયો.

આ પહેલીવાર છે જ્યારે, ભવ્ય તથા આરોહી સ્ક્રીન શેર કરી રહ્યાં છે, જેઓ બંનેના ફેન ફોલોઈંગ્સ ઘણાં છે. ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દિર્ગદર્શન પ્રેમ ગઢવી તથા કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે.
ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં યશ્વી મહેતા, દીપ વૈદ્ય, આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી, મોરલી પટેલ, તથા ભરત ઠક્કરનો સમાવેશ થાય છે. ફિલ્મનું લેખનકાર્ય પ્રેમ ગઢવી, અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મ ભવ્ય ગાંધી, આરોહી પટેલ, દીપ વૈદ્ય, યશ્વી મહેતા, આરજે હર્ષ તથા આરજે રાધિકા આ તમામ લોકોની રોલર કોસ્ટર રાઇડ છે અને એક રાત્રિમાં માત્ર થોડા કલાકોમાં તેમના જીવનમાં કેવી રીતે બદલાવ આવે છે તે દર્શાવે છે. ભૂલથી થયેલી મુલાકાત મૂંઝવણ, હાસ્ય અને અણધાર્યા લાગણીઓથી ભરેલી રાત તરફ દોરી જાય છે. જેમ જેમ તેઓ આ અણધારી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તેમ, વાર્તા સામાજિક ધોરણોને પડકારે છે, લિંગ સ્ટીરિયોટાઇપ્સને પ્રશ્ન કરે છે, અને સમકાલીન વિચાર પ્રક્રિયાઓને શોધે છે. મિસમેચ ગ્રુપની જર્ની પ્રેમ, મિત્રતા અને માનવીય જોડાણની જટિલતાઓને ઉઘાડી પાડે છે, જે આખરે હૃદયસ્પર્શી અને આશ્ચર્યજનક નિષ્કર્ષ તરફ દોરી જાય છે.

ડૉ. જયેશ પાવરા જણાવે છે કે, “એક પ્રોડ્યુસર તરીકે હંમેશા હું એ વિચારું છું કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને કેવો કન્ટેન્ટ પસંદ આવશે, એ નક્કી કર્યા બાદ જ અમે ફિલ્મનું નિર્માણ શરૂ કરીયે છીએ. અમારી આ ફિલ્મમાં રોમાન્સ, કોમેડી , ડ્રામા બધું જ છે તેથી આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઇન્મેન્ટ બની રહેશે. અમે ફિલ્મના નિર્માણમાં દરેક બાબતોનું ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે. ફિલ્મની સમગ્ર ટીમ અદ્ભૂત છે. આ ફિલ્મ ગયા વર્ષે તૈયાર થઈ હતી અને હવે દર્શકોની આતુરતાનો અંત આવશે કારણકે નવેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે.”

ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઈલાઈટ કરવામાં આવ્યા છે. ફિલ્મ 15મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ સૌ દર્શકમિત્રોને આકર્ષવા તૈયાર છે.

સુપર 30 ફેમ અને જાણીતા શિક્ષણવિદ આનંદ કુમાર દ્વારા ‘મિશન કામયાબ’નું અનાવરણ

 

જી. ડી. ગોયંકા ઈન્ટરનેશનલ સ્કુલ દ્વારા સુરતના આંગણે JEE/NEET માટે આધુનિક ઈન્ટિગ્રેટેડ પ્રોગ્રામનો શુભારંભ
વિખ્યાત શિક્ષણવિદ આનંદ કુમાર 10મી નવેમ્બર, 2024ના રોજ સુરત ખાતે ‘મિશન કામયાબ’ના નામે એક અનોખો શૈક્ષણિક કાર્યક્રમ સુરતની પ્રખ્યાત જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલમાં શરૂ કરી રહ્યા છે. આ પ્રોગ્રામ ખાસ કરીને JEE અને NEETના અભ્યાસાર્થીઓ માટે શરુ કરવામાં આવી રહ્યો છે. જેમાં આ કોર્સ સંબંધિત ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ સામાન્ય વિદ્યાર્થી પણ મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ શાળાના પટાંગણમાં જ આપવામાં આવશે. આ કાર્યક્રમની રૂપરેખા નીચે પ્રમાણે છે:

‘મિશન કામયાબ’નો દૈનિક 6 કલાકનો કાર્યક્રમ: આ કાર્યક્રમમાં દરેક ધારા માટે જરૂરી મુખ્ય વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે: NEET માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને બાયોલોજી અને JEE માટે ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત ઉપરાંત બોર્ડની આવશ્યકતા મુજબ અંગ્રેજી વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કમ્પ્યુટર સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વૈકલ્પિક કોર્સની પણ પસંદગી મળે છે. આનંદ કુમારે આ સમગ્ર કાર્યક્રમમાં અંગત રસ લઈ ફેકલ્ટીની પસંદગી, તાલીમ અને અભ્યાસક્રમના વિકાસમાં વિશેષ દેખરેખ રાખી છે. આ ઉપરાંત તેઓ સતત વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને માર્ગદર્શન આપે છે, જેથી દરેક યોગ્ય વિદ્યાર્થી સાચું માર્ગદર્શન પ્રાપ્ત કરી સફળતા મેળવી શકે.

MKAT સ્કોલરશીપ કાર્યક્રમ: આ કાર્યક્રમ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવે છે. આ યોજના અંતર્ગત ટોચના 40 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને 100% સુધી ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ JEE અને NEET માટે ફક્ત 120 બેઠકો રાખવામાં આવી છે. આ યોજનામાં ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક કક્ષાની પરીક્ષા આપવી પડશે. આ કાર્યક્રમનું આયોજન વિશેષરૂપે કક્ષા ૧૦ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે.

મિશન કામયાબની વિશિષ્ટતાઓ: આ પ્રોગ્રામમાં અદ્યતન સુવિધાઓ સાથે સંકલ્પબદ્ધ ફેકલ્ટી તેમજ ડે-બોર્ડર્સ માટે સાંજના અભ્યાસસત્રો સામેલ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રક્રિયાનો એક અનોખો અનુભવ મેળવી આપશે. આનંદ કુમારે આ કાર્યક્રમના અનાવરણમાં જણાવ્યું કે , “અમારું લક્ષ્ય એક જ છે કે કોઈપણ લાયક ઉમેદવાર આર્થિક અડચણોના કારણે અભ્યાસમાં પાછળ ના રહે. દરેક વિદ્યાર્થીને સફળતા સુધી પહોંચવા માટે સમાન તક મળે એ જ અમારો મુખ્ય હેતુ છે.”

ગ્રીનમેન વિરલ દેસાઈએ ટાટાના એક્ઝિક્યુટિવ્ઝને ક્લાયમેટ એક્શન માટે પ્રેરિત કર્યા

 

દેશના જાણીતા પર્યાવરણવાદી અને ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ તાજેતરમાં ટાટા સ્ટીલ અને ટાટા પાઇપ્સના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધિત કરીને ક્લાયમેટ એક્શનની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે દેશભરના હજારો ટાટાના કર્મચારીઓને સંબોધિત કર્યા હતા.

‘સી.એસ.આર એટલે કે કલેક્ટિવ સસ્ટેનેબલ રસ્પોન્સિબિલિટી’ નામના તેમના વક્તવ્યમાં વિરલ દેસાઈએ વિશ્વને અસર કરી રહેલા ક્લાયમેટ ચેન્જના ગંભીર પરિણામો અને તેનાથી બચવા માટેના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, ‘ટાટા જેવા મહાન ઉદ્યોગ જૂથના એક્ઝિક્યુટિવ્ઝને સંબોધવાનું મારા માટે ખૂબ જ રોમાંચક અનુભવ હતો. ક્લાયમેટ ચેન્જ જેવા ગંભીર મુદ્દા પર બોલવું એ મારી જવાબદારી છે.’

વિરલ દેસાઈએ તેમના વક્તવ્યમાં ભારપૂર્વક જણાવ્યું કે, ક્લાયમેટ ચેન્જ એ માત્ર એક પર્યાવરણીય સમસ્યા નથી, પરંતુ આપણી ભાવી પેઢી માટે એક મોટો ખતરો છે. આપણે સૌએ મળીને આ સમસ્યાનો સામનો કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આ સાથે તેમણે એમ પણ સ્પષ્ટ કરી આપ્યું કે ક્લાયમેટ ચેન્જ એ માત્ર સરકારોની કે એનજીઓઝની કે કોર્પોરેટ્સની જ જવાબદારી નથી. આ જવાબદારી તમામ લોકોની છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વિરલ દેસાઈએ ટેડેક્સ જેવા મંચો પર કે દુબઈ જેવા શહેરોમાં ક્લાયમેટ એક્શન અંગેના તેમના વિચારો રજૂ કર્યા છે.

ગેસ અને કબજિયાતની સાઇડ ઇફેક્ટ વગર સારવાર એટલે કોલોન હાઇડ્રોથેરાપી હવે વેસુમાં પણ ઉપલબ્ધ

 

કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે દાસત્વ હીલિંગ લીવ સેન્ટરનું ઉદ્ઘાટન

સુરત. આધુનિક જીવનશૈલીના કારણે આજકાલ મોટાભાગના લોકો ગેસ, કબજિયાત અને એસિડિટીનો શિકાર બને છે. કોઈપણ દવાઓ લીધા વિના અને કોઈપણ આડઅસર વિના આવી સમસ્યાઓથી છુટકારો મેળવવો શક્ય છે અને આ સારવાર કોલોન હાઈડ્રોથેરાપી છે. હવે શહેરના વેસુ વિસ્તારમાં કોલન હાઇડ્રોથેરાપી સેન્ટર પણ ઉપલબ્ધ છે. વેસુ કેનાલ રોડ પર ઈકો કોમર્સ ખાતે રવિવારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે દાસત્વ હીલિંગ લીવ કોલોન હાઈડ્રોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

દાસત્વ હીલિંગ લીવ સેન્ટરના કિશોર સરવૈયાએ ​​જણાવ્યું હતું કે કોલોન હાઇડ્રોથેરાપી એક એવી થેરાપી છે જેની કોઈ આડઅસર નથી અને તે દસ વર્ષથી વધુ ઉંમરના બાળકો તેમજ વૃદ્ધો દ્વારા કરી શકાય છે. આ થેરાપી દ્વારા મિનરલ વોટર થકી શરીરમાં ફસાયેલા કચરાને દૂર કરવામાં આવે છે, જેના કારણે વ્યક્તિને ગેસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે. આ થેરાપી વિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે અને સુરતમાં પણ છેલ્લા છ વર્ષથી ઘણા લોકો તેનો લાભ લઈ રહ્યા છે. સુરતમાં દાસત્વ હીલિંગ લીવનું આ ત્રીજું સેન્ટર છે. અડાજણ અને રાંદેર વિસ્તારમાં બે સેન્ટર કાર્યરત છે અને હવે સુરતની જનતાની સેવા માટે વેસુમાં આ ત્રીજું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

શેલ્બી હોસ્પિટલ સુરત ખાતે અત્યાધુનિક ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી વિભાગ શરૂ

 

દક્ષિણ ગુજરાતમાં પલ્મોનરી કેરમાં ક્રાંતિ લાવવાનું શ્રેય શેલ્બી હોસ્પિટલને

સુરત, ઑક્ટોબર 20, 2024 – જાણીતી શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, સુરતે તેનો ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજીનો સ્ટેટ-ઓફ-ધ-આર્ટ વિભાગ શરૂ કર્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ પ્રકારની સૌપ્રથમ પહેલ શેલ્બી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. આ મેગા લોન્ચ ઇવેન્ટ ગૌરવ પથ રોડ ખાતે ડ્રીમ ફેસ્ટિવલમાં આયોજીત કરવામાં આવી હતી. આ ભવ્ય સમારંભમાં 250 થી વધુ ડોકટરો, હેલ્થકેર ડેલિગેટ્સ, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ જોડાયા હતા. સુરતના પોલીસ કમિશનર, શ્રી અનુપમસિંહ ગેહલોતે નવા વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું અને શહેરમાં આવી અદ્યતન સુપર-સ્પેશિયાલિટી કેરની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નવો વિભાગ બાળરોગ
અને પુખ્ત વયના દર્દીઓ બંને માટે ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજી સેવાઓ માટેની સુવિધાઓથી સંપૂર્ણપણે સજ્જ છે. આમાં EBUS, રોગનિવારક બ્રોન્કોસ્કોપી અને ક્રાયોથેરાપી, વિવિધ શ્વસન રોગોના નિદાન/સારવાર માટે ઉપલબ્ધ નવીનતમ લઘુત્તમ આક્રમક તકનીકોનો સમાવેશ થાય છે. શેલ્બી હોસ્પિટલ્સમાં હવે નવા યુગના ફેફસાંની સંભાળનાં સાધનો અને અન્ય અદ્યતન તબીબી સાધનો સાથે, વ્યક્તિ દર્દીઓ માટે વિશ્વસ્તરીય સેવાઓની ખાતરી કરી શકે છે.

અસ્થમા વિભાગ, ક્રોનિક અવરોધક પલ્મોનરી ડિસીઝ અને પલ્મોનરી ફાઇબ્રોસિસ સહિત ફેફસાના કેન્સર અને ક્રોનિક ફેફસાના રોગો માટે અદ્યતન નિદાન અને ઉપચારાત્મક સંભાળ પણ પ્રદાન કરશે, દર્દીઓને સારવાર પછી વહેલા સ્વસ્થ થવામાં મદદ કરશે, જેમાં CP અને રેડિયલ EBUS બ્રોન્કોસ્કોપી અને ક્રાયોથેરાપીનો ઉપયોગ કરવામાં આવશે.

આ કાર્યક્રમને પલ્મોનોલોજિસ્ટ અને થોરાસિક સર્જનોનો સમાવેશ કરતી તબીબી ટીમ દ્વારા પણ સમર્થન આપવામાં આવે છે, જેઓ ટ્રાન્સપ્લાન્ટેશન પછી દર્દીઓને અનુસરે છે. આનાથી સમગ્ર ગુજરાતમાં અને તેની બહાર ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પહોંચાડવા માટે શેલ્બીની પ્રતિષ્ઠા વધુ વધે છે.

વિભાગના પ્રવાસ અને અત્યાધુનિક સાધનો અને સેવાઓના એક્સપોઝર સાથે ઇવેન્ટનું સમાપન થયું હતું. જે હવે સુરત અને તેની આસપાસના રહેવાસીઓ માટે સુલભ હશે.

દિવાળીનો વિજય અને પરંપરાનો ઉત્સવ: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રકાશના દીવડા

 

દિવાળી, પ્રકાશનો આ તહેવાર, બુરાઈ પર સારો અને અંધકાર પર પ્રકાશની જીતનું પ્રતીક છે. આ તે સમય છે જ્યારે સમાજો એકઠા થાય છે અને પરિવાર, આરોગ્ય અને સમૃદ્ધિના આશીર્વાદો પર મનન કરે છે. આ તહેવારનું નામ ઘરના બહાર પ્રજવળિત કાચા દીવડા (દીપ)ની કતારોમાંથી આવ્યું છે

જે આંતરિક પ્રકાશનું પ્રતિક છે, જે અમને આધ્યાત્મિક અંધકારથી સુરક્ષિત રાખે છે. દિવાળી ભારતભરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે અને ભગવાનને શાંતિ, સમૃદ્ધિ અને ખુશીના રક્ષક અને પોષક તરીકે સન્માનિત કરે છે. ઉત્તર ભારતમાં, આ રામ રાજાના રાવણ પર વિજય મેળવીને અયોધ્યામાં પરત ફરવાનું પ્રતિક છે.

દક્ષિણ ભારતમાં, આ તહેવાર ભગવાન કૃષ્ણ દ્વારા દાનવ નરકાસુરના સંહારનું ઉજવણી કરે છે, અને પશ્ચિમ ભારતમાં, આ વિષ્ણુ ભગવાને રાજા બલિને પાતાળ લોકમાં મોકલવાનો દિવસ છે, જે પૃથ્વી પર સંતુલન અને શાંતિ જાળવી રાખે છે. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારા વિદ્યાર્થીઓએ ઉત્સાહી ભાવ સાથે આ તહેવારને આલિંગન આપ્યો.

તેમણે અમારી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખીને સુંદર કંદીલ અને દિવાલની સજાવટ બનાવી. તેમના સર્જનાત્મકતા અને ઉત્સાહે આ આનંદમય અને રંગીન તહેવારને આવકારવા માટે એક નવી કિરણ ફેલાવી.

7 નવેમ્બરના રોજ રિલીઝ થઇ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!”ની સ્ટારકાસ્ટ બની સુરતની મહેમાન

 

ફિલ્મ 7મી નવેમ્બરના રોજ થશે રિલીઝ

સુરત : 7 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થઈ રહેલ ફિલ્મ “કાલે લગન છે !?!” એ રિલીઝ પહેલાં જ લોકોમાં ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધારી દીધી છે. કોમેડી, ડ્રામા અને રોમેન્ટિક સ્ટોરી લાઈન ધરાવતી આ ફિલ્મમાં પૂજા જોશી અને પરીક્ષિત તમાલિયા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફૂલ- ઓન ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ છે જે સામાન્ય કોમેડીથી કાંઈક હટકે અને સસ્પેન્સથી ભરપૂર છે. એચજીપિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મના પ્રોડ્યુસર હરેશ પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ છે. ફિલ્મના લેખક અને ડિરેક્ટર અત્યંત પ્રતિભાશાળી હુમાયૂન મકરાણી છે. ઉલ્લેખનીય છે કે પૂજા અને પરીક્ષિતની જોડી “હું અને તું” પછી ફરી એકવાર સાથે આવી રહી છે. ફિલ્મના પ્રમોશન અંગે મુખ્ય અભિનેતા પરીક્ષિત તમાલિયા તથા અભિનેત્રી પૂજા જોશી તથા અનુભવી અભિનેતા અનુરાગ પ્રપન્ના સુરતના આંગણે આવ્યા હતા અને સુરતમાં આવેલ સમતા ગૌધાણી શોરૂમ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ફિલ્મ અંગે ચર્ચા કરી હતી.

“કાલે લગન છે !?!” ફિલ્મમાં પરીક્ષિત અને પૂજા ઉપરાંત અનુરાગ પ્રપન્ના, દીપિકા રાવલ, પૂજા મિસ્ત્રી, મીર હનીફ, મેહુલ વ્યાસ, મૌલિક પાઠક અને ઉમેશ બારાત વગેરે કલાકારો પણ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં નજરે પડશે.

ફિલ્મની સ્ટોરીલાઈનની વાત કરીએ તો ફિલ્મમાં ‘એનોય્ડ આયુષ’ ની જર્ની બતાવવામાં આવી છે જેને દીવ જતી વખતે એક છોકરી ઈશિકાને મળે છે, જ્યાં રહસ્યમય ખુલાસાઓ તેને તેના પ્લાન બદલવા માટે ફરજ પાડે છે અને દરેક ટ્વિસ્ટ દર્શકોને રમૂજ પ્રદાન કરશે. ટ્રેલરમાં પણ પરીક્ષિત અને પૂજા સાથે કારમાં મુસાફરી કરતાં જોવા મળે છે. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા દર્શકો આતુર છે.

ફિલ્મ 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

નવરાત્રી પર્વ પર લજ્જા શાહે કોરીયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્યોએ રંગ જમાવ્યો

 

સુરત, 18 ઓક્ટોબર: વિશ્વભરમાં ગુજરાતીઓની કીર્તિ ફેલાયેલી છે. અનેક દેશોને ગુજરાતીઓએ કર્મભૂમિ બનાવી છે ત્યારે વિદેશમાં વસતા આવા ગુજરાતીઓએ હંમેશા ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિને ભૂલ્યા જ નથી પણ વિદેશમાં પણ ગુજરાતની સંસ્કૃતિને જીવંત પણ રાખી રહ્યા છે. આવા જ વ્યક્તિઓમાં સામેલ છે મૂળ સુરતના લજ્જા શાહ. જેઓએ બેલ્જિયમના એંટવર્પ શહેરને કર્મભૂમિ બનાવનાર લજ્જા શાહે આ વખતે નવરાત્રી પર્વ પર બેલ્જિયમ ખાતે પોતે કોરિયોગ્રાફ કરેલા ગુજરાતના લોક નૃત્ય થકી માત્ર રંગ જ જમાવ્યો નહીં પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું…

લજ્જા શાહે જણાવ્યું હતું કે એંટવર્પ ઇન્ડિયન લેડીજ કમિટી દ્વારા આ વર્ષે એંટવર્પ ખાતે નવરાત્રી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની ઓપનિંગ ઇવેન્ટ માટે તેઓને હાયર કરવામાં આવ્યા હતાં. ત્યારે નવરાત્રિની ઓપનિંગ ઇવેન્ટ યાદગાર બની રહે અને ખાસ તેમાં ગુજરાતની સંસ્કૃતિના દર્શન થાય એ રીતનું આયોજન કરવાનું લજ્જા શાહે નક્કી કર્યું હતું. તેઓએ આ માટે ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કરવાનું નક્કી કર્યું અને 15 જેટલા ગુજરાતના ફોક ડાન્સ કોરિયોગ્રાફ કર્યા હતાં. આ ઇવેન્ટમાં બાળકોથી માંડીને વાયોવૃધ્ધો સહિત 250 લોકોએ ભાગ લીધો હતો. ફોક ડાન્સમાં ગરબાની સાથે જ હુડો, કચ્છી રાસ, સનેડો જેવા લોક નૃત્ય તૈયાર કરાયા હતા અને એક થી દોઢ કલાક સુધી આ ઇવેન્ટ ચાલી હતી અને આખો માહોલ ગુજરાતમય બની ગયો હતો. સમગ્ર ઇવેન્ટ માત્ર આકર્ષણ જ જમાવ્યું ન હતું પણ યુરોપ વાસીઓને ઘેલું પણ લગાડ્યું હતું. લજ્જા શાહે જણાવ્યું હતું કે લોકો માત્ર ગુજરાતના ગરબા મે જ ફોક ડાન્સ તરીકે ઓળખે છે પણ ગુજરાતમાં 20 જેટલા લોક નૃત્ય છે તે પૈકી 15 લોક નૃત્ય મે કોરિયોગ્રાફ કર્યા હતા અને ગુજરાતના વિવિધ લોક નૃત્યોનો બેલ્જિયમ માં વસતા ભારતીયો સાથે જ યુરોપ વાસીઓને તેનો પરિચય કરાવ્યો હતો.

સુરતમાં ચલાવતા હતા દોડિયો ક્લાસ

લજ્જા શાહ મૂળ સુરતના વતની છે, તેઓ જ્યારે 18 વર્ષના હતા ત્યારે સુરત ખાતે મલ્હાર નામથી સુરત ખાતે દોડીયો ક્લાસ ચલાવતા હતા. હવે છેલ્લા 12 વર્ષથી તેઓ બેલ્જિયમ ખાતે સ્થાયી થાય છે ત્યારે યુરોપમાં પણ તેઓ લોકોને ગરબા સાથે જ ગુજરાતમાં લોક નૃત્યો અને ડાન્સ શીખવાડે છે. એંટવર્પ સાથે જ યુરોપમાં મોટી સંખ્યામાં તેઓના વિદ્યાર્થીઓ છે. એટલું જ નહીં પણ તેઓ ઓનલાઇન ક્લાસના માધ્યમથી પણ લોકોને ડાન્સ શીખવાડી રહ્યા છે.