Posts by: Abhay Times

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન. વી. ઉપાધ્યાય પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા.


ઉલ્લેખનીય છે કે પોતાની પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન’ અંતર્ગત વિરલ દેસાઈએ અત્યારસુધીમાં સરથાણા નેચર પાર્કમાં જૂદા-જૂદા તબક્કે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક હાલમાં સુરતના ફેફસાની ગરજ સારે છે. અહીં હજુ કેટલાંક પેચ પર ગાઢ વૃક્ષારોપણ કરીને તેમાં વૃક્ષોનો વધારો કરીશું, જેથી બાયોડાયર્સિટીને સપોર્ટ મળશે અને નેચર પાર્ક ખરા અર્થમાં લાખો લોકો માટે ઓક્સીજન પાર્ક બની રહેશે.’


વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સરથાણા નેચર પાર્કના ડૉ. રાજેશ પટેલ તેમજ હીના પટેલ હાજર રહ્યા હતા. વિરલ દેસાઈના ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્રારા આગામી સમયમાં સરથાણા નેચર પાર્કમાં થીમ બેઝ્ડ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અગાઉ સુરતમાં ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તેમજ ઈન્ડિયન રેલવે સ્ટેશનનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.

શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી: ત્રણ દિવસમાં 5000 પરિવારો દ્વારા 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

 

સુરત: ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉભરાટ નજીકના નીમલાય ગામમાં એક લાખથી વધારે વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું. જેમાં એસઆરકે ગ્રુપના 5000 થી વધારે પરિવારોએ ભાગ લીધો હતો.

સોમવારે સવારમાં નવ વાગ્યે એક સાથે પાંચ હજાર જેટલા પરિવારોએ વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે જે પરિવારે જે વૃક્ષ રોપ્યું હોય તે વૃક્ષ પર પોતાનું નામ લખી અને તે વૃક્ષને જીવનભર ઉછેરવા માટે સંકલ્પ પણ લીધો હતો. સોમવારે વહેલી સવારે કાપોદ્રા વરાછા ખાતે ના એક સ્થર એ થી બસ દ્વારા લઇ જવામાં આવ્યા તેમજ કતારગામ એસ આર કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતેથી બસોની વ્યવસ્થા કરી પરિવારને ત સ્થળ સુધી લઈ જવાયા હતા. તે ઉપરાંત જે લોકો પોતાના વાહન ધરાવતા હતા તેઓએ પોતાનું વાહન લઇને સ્થળ સુધી પહોંચ્યા હતા. વૃક્ષારોપણ કર્યા બાદ દરેક પરિવાર પોતે રોપેલું વૃક્ષ પોતાના નામથી તેને કાયમ ઉછેર કરશે પોતે તો પહેલું વૃક્ષ કદાચ કોઈ સંજોગોમાં ઉતરે નહિ તો તે જગ્યાએ બીજુ વૃક્ષ પણ રોપવામાં આવશે પરંતુ બધા જ વૃક્ષો નો ઉછેર થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.એક જ સ્થળે એક જ સમયે એક જ કંપનીના કર્મચારીઓ દ્વારા એક લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ કદાચ આ પ્રથમ હશે.

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો, 72 વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 220 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે

 

સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલે ફરી એક વખત શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. ગ્રુપની સ્કૂલોના 72 વિદ્યાર્થીઓએ એ 1 અને 220 વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવી એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પણ 100 ટકા પરિણામની પરંપરા પણ આગળ વધાવી છે.


એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓનું બોર્ડમાં ખૂબ ઝળહળતું પરિણામ આવે છે. અને તેના માટે ધોરણ ૯ ના પરિણામના વધારે વિદ્યાર્થીઓની કેટેગરી બનાવીને તેમને આયોજનબદ્ધ રીતે શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ અપનાવીને તૈયાર કરવામાં આવે છે. શિક્ષકો પણ ખૂબ જ ખંતથી વિધાર્થીઓને શિક્ષણ આપે છે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ મોડલ ટેસ્ટ, પ્રેક્ટીસ ટેસ્ટ વગેરે વિવિધ પ્રકારની પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓનો ગ્રોથ ચાર્ટ તૈયાર કરે છે અને નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ રેમેડીયલ વર્ગોની વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવે છે જેના પરિણામે શાળાનું ૧૦૦ % પરિણામ વર્ષોથી અમે મેળવી શક્યા છીએ .અદ્યતન ટેક્નોલોજીના સહારે ,એક્સપર્ટ ગાઇડન્સ ,વન-ટુ-વન કાઉન્સેલિંગ,પેરેન્ટ્સ મિટિંગ તેમજ કારકિર્દીલક્ષી અને વિવિધ વિષયોના સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરીને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો શાળાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ સ્ટ્રેટેજીકલી શાળાના આચાર્ય અને શિક્ષકો કામગીરી કરે છે અને તેના ફળ સ્વરૂપે બોર્ડમાં ખૂબ જ સરસ પરિણામ મેળવી શકાય છે.

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી: ધોરણ 10 અને 12 માં વિદ્યાકુલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ડંકો વગાડ્યો

 

સુરત: વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો
માર્ચ 2022નું આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે જેમાં ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ યુથ વિદ્યાકુલના ઘણા વિદ્યાર્થીઓએ 95+ ગુણ પ્રાપ્ત કર્યા. વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો છે.
યુથ વિદ્યાકુલ સમગ્ર ગુજરાતમાં શહેર હોય કે ગુજરાતનું દૂરનું કોઈ ગામ હોય કે જ્યાં સારું શિક્ષણ મેળવવું એ એક સપના બરાબર છે. વિદ્યાર્થીઓના મા-બાપ કે જેના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના સપનાઓને સાકાર કરવા માટે યૂટ્યૂબના માધ્યમથી ધોરણ 9 થી 12 ના 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિના મુલ્યે શિક્ષણ મેળવી રહ્યા છે.
ગુજરાતના દરેક બાળકો સુધી ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાના હેતુથી શરુઆત કરેલ નાનકડો પ્રયાસ આજે એક વિશાળ વટવૃક્ષની જેમ ઘરે ઘરે પહોંચીને લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ આપતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ,અને આ પ્રયાસને ગુજરાતના દૂર દૂરના અંતરિયાળ ગામડાના બાળકો સુધી પહોંચાડવા વિદ્યાકુલના CEO તરુણ સૈની અને વિદ્યાકુલ ગુજરાતના રાજ્યના ડાયરેક્ટર રજનીશભાઈ ખેની અને ભાવિનભાઈ દુધાત વર્ષ 2019 થી સતત કાર્યરત છે.
તરુણ સૈની જણાવે છે કે આ વર્ષના ઐતિહાસિક પરિણામ જેમ આવતા વર્ષ 2022-23 માં ગુજરાતને 2000+ વિદ્યાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત કરાવવાનો સંકલ્પ કરીએ છીએ. અને પ્લેસ્ટોર પર જઈને vidyakul application ડાઉનલોડ કરીને ધોરણ 9 થી 12નું બેઝિક શિક્ષણ વિના મૂલ્યે મેળવી શકે છે.

કોરોના સામેની લડાઈમાં અને આપણા બાળકોના જીવનને સુરક્ષિત રાખવામાં વિદ્યાર્થીઓ અને સોશિયલ મીડિયા સહાયક છે.

 

નવી દિલ્લી: તાજેતરના કોવિડ-19 અવેરનેસ કેમ્પેઇન “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” એ કોરોના વાયરસ અને તેના પ્રકારો વિશે માહિતી ફેલાવવામાં મદદ કરી છે અને વારંવાર હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવા સાવચેતીનાં પગલાંને પ્રોત્સાહન આપ્યું છે.

દુનિયાભરમાં હિપેટાઇટિસ, મંકી પોક્સ અથવા ટોમેટો ફ્લૂના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેનાથી આપણા બાળકોના જીવન સામે ગંભીર જોખમ ઉભુ થયુ છે. એક નવી ઝુંબેશ “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” શરૂ કરવામાં આવી છે, એક નવી જનજાગૃતિ ઝુંબેશ ખાસ કરીને સરકારને આપણા બાળકોની સુરક્ષા અને સુખાકારીની રક્ષા કરવામાં મદદ કરવા માટે તેમના વ્યવસ્થાપન અને કોવિડ પ્રોટોકોલ્સને મજબૂત કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

તાજેતરમાં ટ્વિટર પર “ફાઇટ કોવિડ પ્રોટેક્શન ચિલ્ડ્રન” નંબર- 4 પર ટ્રેન્ડ કરી રહ્યું હતું, કોવિડ-19 અને તેના રહસ્યમય પ્રકારો માટે જાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં બાળકોની સલામતી અને તેમની સુખાકારી વિશે વાત કરવામાં આવી હતી. લોકોને ચાલી રહેલા રહસ્યમય વાયરસ વિશે જાગૃત કરવા માટે ઘણા વિદ્યાર્થીઓએ કેમ્પેઇન રેલીમાં ભાગ લીધો અને સાથે ઉભા રહ્યા છે.

જ્યારે અમને સમજાયું કે યુકે અને અમેરિકા એ તેમના કોવિડ પ્રોટોકોલ હળવા કર્યા છે અને તેમના બાળકો હેપેટાઇટિસમાં ફસાઇ ગયા છે, ત્યારે આ સમસ્યાની “ગંભીરતા” સમજાઈ ગઈ હતી અને શક્ય તેટલી વધુ જાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી, અમે ઘણા લોકોને માહિતગાર અને જાગૃત કર્યા છે પરંતુ અમે સરકારને વિનંતી કરીએ છીએ કે યુકે અને અમેરિકાનુ અનુકરણ કરીને કોવિડ પ્રોટોકોલ હળવા કરી નહીં અને કોવિડ-19 કન્ટ્રોલના પગલાં જાળવી રાખી. “ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” કેમ્પેઇન કોરોના વાયરસને હરાવવાનો માર્ગ બનાવવા માટે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવાનો ઇરાદો ધરાવે છે.

WHO દ્વારા નિર્ધારિત આરોગ્યલક્ષી ભલામણો અને તબીબી માર્ગદર્શિકાને પ્રોત્સાહન આપતી વખતે આ કેમ્પેઇન ખોટી જાણકારીઓને દૂર કરવામાં મદદ કરે છે. . બાળકો અને ભારતના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે લોકોને વારંવાર હાથ ધોવા, ઘરની વસ્તુઓ સાફ કરવા માટે એન્ટિસેપ્ટિક્સનો ઉપયોગ કરવા, જાહેર સ્થળોએ માસ્ક પહેરવા, શરદી અને ઉધરસ વાળા લોકોને મળવાનું ટાળવા, સોશિયલ- ડિસ્ટન્સ જાળવી રાખવા, ભીડવાળી જગ્યાઓ ટાળવા અને તેમની સલામતીની ખાતરી કરવા માટે શક્ય તેટલું ઘરે રહેવા માટે પ્રોત્સાહિત કરે છે

“કોવિડ-19 વાયરસની મહામારી ફેલાઇ ત્યારથી, લોકોએ રોગપ્રતિકારક શક્તિની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે અને બાળકો તેનો મુખ્ય ભાગ છે, અને દૈનિક કેસોની સંખ્યામાં હંમેશા વધઘટ થયા કરે છે.” આ કેમ્પેઇન વાયરસનું સંક્રમણ ફેલાતું રોકવામાં મદદ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે અને કોવિડ પ્રોટોકોલ જાળવવા માટે સરકારને અપીલ કરે છે તેમજ દરેક ભારતીય નાગરિક પાસેથી સમર્થન માંગે છે. જનજાગૃતિ ઝુંબેશ એ હેપેટાઇટિસ, મંકી પોક્સ અને ટોમેટો ફ્લૂ સામે જાગૃતિ ફેલાવવા અને કોવિડ સામે લડવા માટેના ઘણા બધા પગલાં પૈકીનું એક છે.

કોવિડ-19 અને કોવિડ-19 પછીના ઉપયો એ દરેક માટે સંઘર્ષપૂર્ણ કામગીરી છે. સામાન્ય સંતુલીત જીવન ખોરવાઇ ગયુ છે. જ્યારે કોવિડ-19 હજી પણ હવામાં છે, ત્યારે કોવિડ-19ના અન્ય વિવિધ પ્રકારો જેમ કે હેપેટાઇટિસ વાયરસ, મંકી પોક્સ વાયરસ અને ટોમેટો ફ્લૂ આપણા બાળકોના જીવનને જોખમમાં મૂકવા હુમલો કરી રહ્યાં છે.

આ વાયરસ આપણા બાળકોના જીવન પર કેવી અસર કરે છે અને તેના વિશે વધુ વાંચવા માટે મહેરબાની કરીને નીચેનો લેખ વાંચો: https://www.indiatoday.in/impact-feature/story/children-cannot-live-with-covid-19-and-other-mysterious-diseases-1958029-2022-06-03

ગ્રીનમેન વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં 700 વૃક્ષો રોપીને પર્યાવરણ દિવસની ઉજવણી કરી

 

સુરત: ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ સરથાણા નેચર પાર્કમાં તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું. આ વૃક્ષારોપણ નજીકના ભવિષ્યમાં તૈયાર થઈ રહેલા અર્બન ફોરેસ્ટના ભાગરૂપે કરવામાં આવ્યું હતું, જ્યાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એન. વી. ઉપાધ્યાય પણ વિશેષરૂપે હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પોતાની પર્યાવરણીય ચળવળ ‘સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન’ અંતર્ગત વિરલ દેસાઈએ અત્યારસુધીમાં સરથાણા નેચર પાર્કમાં જૂદા-જૂદા તબક્કે 8000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક હાલમાં સુરતના ફેફસાની ગરજ સારે છે. અહીં હજુ કેટલાંક પેચ પર ગાઢ વૃક્ષારોપણ કરીને તેમાં વૃક્ષોનો વધારો કરીશું, જેથી બાયોડાયર્સિટીને સપોર્ટ મળશે અને નેચર પાર્ક ખરા અર્થમાં લાખો લોકો માટે ઓક્સીજન પાર્ક બની રહેશે.’

વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં સરથાણા નેચર પાર્કના ડૉ. રાજેશ પટેલ તેમજ હીના પટેલ હાજર રહ્યા હતા. વિરલ દેસાઈના ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્રારા આગામી સમયમાં સરથાણા નેચર પાર્કમાં થીમ બેઝ્ડ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા અગાઉ સુરતમાં ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તેમજ ઈન્ડિયન રેલવે સ્ટેશનનું પ્રથમ અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું હતું.

ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સનો ડંકો, 72 વિદ્યાર્થીઓ A1ગ્રેડ અને 220 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે

 

ગ્રુપની તમામ શાળાઓનું પરિણામ 100 ટકા જાળવી રાખવાની પરંપરા આગળ વધી

સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા ધોરણ 10 બોર્ડ પરીક્ષાના પરિણામમાં એલ. પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલે ફરી એક વખત શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે. ગ્રુપની સ્કૂલોના 72 વિદ્યાર્થીઓએ એ 1 અને 220 વિદ્યાર્થીઓએ એ 2 ગ્રેડ મેળવી એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કુલનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પણ 100 ટકા પરિણામની પરંપરા પણ આગળ વધાવી છે.     

એલ.પી.સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ  મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું કે

છેલ્લા ઘણા વર્ષોથી સુરત શહેરમાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓનું બોર્ડમાં ખૂબ ઝળહળતું પરિણામ આવે છે. અને તેના માટે ધોરણ ૯ ના પરિણામના વધારે વિદ્યાર્થીઓની કેટેગરી બનાવીને તેમને આયોજનબદ્ધ રીતે શિક્ષણ માટેની વિવિધ પદ્ધતિઓ અપનાવીને તૈયાર કરવામાં આવે છે. શિક્ષકો પણ ખૂબ જ ખંતથી વિધાર્થીઓને શિક્ષણ આપે છે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ મોડલ ટેસ્ટ, પ્રેક્ટીસ ટેસ્ટ વગેરે વિવિધ પ્રકારની પરીક્ષાઓ દ્વારા વિદ્યાર્થીઓનો ગ્રોથ ચાર્ટ તૈયાર કરે છે અને નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ રેમેડીયલ વર્ગોની  વ્યવસ્થા શાળામાં જ કરવામાં આવે છે જેના પરિણામે શાળાનું ૧૦૦ % પરિણામ વર્ષોથી અમે મેળવી શક્યા છીએ .અદ્યતન ટેક્નોલોજીના સહારે ,એક્સપર્ટ ગાઇડન્સ ,વન-ટુ-વન કાઉન્સેલિંગ,પેરેન્ટ્સ મિટિંગ તેમજ કારકિર્દીલક્ષી અને વિવિધ વિષયોના સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષાનો ડર દૂર કરીને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવા માટેના તમામ પ્રયત્નો શાળાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ સ્ટ્રેટેજીકલી શાળાના આચાર્ય અને શિક્ષકો કામગીરી કરે છે અને તેના ફળ સ્વરૂપે બોર્ડમાં ખૂબ જ સરસ પરિણામ મેળવી શકાય છે.

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી

 

ત્રણ દિવસમાં 5000 પરિવારો દ્વારા 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

સુરત: ડાયમંડ ઉદ્યોગ અને અગ્રણી કંપની શ્રીરામ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે ઉભરાટ નજીકના નીમલાય ગામમાં એક લાખથી વધારે વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યું. જેમાં એસઆરકે ગ્રુપના 5000 થી વધારે પરિવારોએ ભાગ લીધો હતો સોમવારે સવારમાં નવ વાગ્યે એક સાથે પાંચ હજાર જેટલા પરિવારોએ વૃક્ષોનું રોપણ કર્યું હતું. સાથે જે પરિવારે જે વૃક્ષ રોપ્યું હોય તે વૃક્ષ પર પોતાનું નામ લખી અને તે વૃક્ષને જીવનભર ઉછેરવા માટે સંકલ્પ પણ લીધો હતો. સોમવારે વહેલી સવારે કાપોદ્રા વરાછા ખાતે ના એક સ્થર એ થી બસ દ્વારા લઇ જવામાં આવ્યા તેમજ કતારગામ એસ આર કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતેથી બસોની વ્યવસ્થા કરી પરિવારને ત સ્થળ સુધી લઈ જવાયા હતા. તે ઉપરાંત જે લોકો પોતાના વાહન ધરાવતા હતા તેઓએ પોતાનું વાહન લઇને સ્થળ સુધી પહોંચ્યા હતા. વૃક્ષારોપણ કર્યા બાદ દરેક પરિવાર પોતે રોપેલું વૃક્ષ પોતાના નામથી તેને કાયમ ઉછેર કરશે પોતે તો પહેલું વૃક્ષ કદાચ કોઈ સંજોગોમાં ઉતરે નહિ તો તે જગ્યાએ બીજુ વૃક્ષ પણ રોપવામાં આવશે પરંતુ બધા જ વૃક્ષો નો ઉછેર થાય તેવો ખાસ પ્રયાસ કરવામાં આવ્યો છે.એક જ સ્થળે એક જ સમયે એક જ કંપનીના કર્મચારીઓ દ્વારા એક લાખ વૃક્ષારોપણનો કાર્યક્રમ કદાચ આ પ્રથમ હશે.

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી….

 

ધોરણ 10 અને 12 માં વિદ્યાકુલના વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ડંકો વગાડ્યો

સુરત: વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો

માર્ચ 2022નું આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે જેમાં ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ યુથ વિદ્યાકુલના ઘણા વિદ્યાર્થીઓએ 95+ ગુણ પ્રાપ્ત કર્યા. વિદ્યાકુલ એપ્લિકેશન સાથે આખા વર્ષ દરમ્યાન ઓનલાઇન અભ્યાસ કરીને 500થી વધુ વિદ્યાર્થીઓ A1 ગ્રેડ તથા 830થી વધુ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ બનાવ્યો છે.

યુથ વિદ્યાકુલ સમગ્ર ગુજરાતમાં શહેર હોય કે ગુજરાતનું દૂરનું કોઈ ગામ હોય કે જ્યાં સારું શિક્ષણ મેળવવું એ એક સપના બરાબર છે. વિદ્યાર્થીઓના મા-બાપ કે જેના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેના સપનાઓને સાકાર કરવા માટે યૂટ્યૂબના માધ્યમથી ધોરણ 9 થી 12 ના 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિના મુલ્યે શિક્ષણ મેળવી રહ્યા છે.

ગુજરાતના દરેક બાળકો સુધી ઘરે ઘરે શિક્ષણ પહોંચાડવાના હેતુથી શરુઆત કરેલ નાનકડો પ્રયાસ આજે એક વિશાળ વટવૃક્ષની જેમ ઘરે ઘરે પહોંચીને લાખો વિદ્યાર્થીઓને શિક્ષણ આપતાં અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ,અને આ પ્રયાસને ગુજરાતના દૂર દૂરના અંતરિયાળ ગામડાના બાળકો સુધી પહોંચાડવા વિદ્યાકુલના CEO તરુણ સૈની અને વિદ્યાકુલ ગુજરાતના રાજ્યના ડાયરેક્ટર રજનીશભાઈ ખેની અને ભાવિનભાઈ દુધાત વર્ષ 2019 થી સતત કાર્યરત છે.

તરુણ સૈની જણાવે છે કે આ વર્ષના ઐતિહાસિક પરિણામ જેમ આવતા વર્ષ 2022-23 માં ગુજરાતને 2000+ વિદ્યાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત કરાવવાનો સંકલ્પ કરીએ છીએ. અને પ્લેસ્ટોર પર જઈને vidyakul application ડાઉનલોડ કરીને ધોરણ 9 થી 12નું બેઝિક શિક્ષણ વિના મૂલ્યે મેળવી શકે છે.

રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશે ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય કેમ્પને ખુલ્લો મૂક્યો

 

સુરત: આજરોજ મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે બે દિવસના કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કર્યું હતું આ પ્રસંગે એડિશનલ કમિશનર શ્રી એસ. પી વર્મા સાહેબ તથા ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષા પોલ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભ પૂર્વે શ્રીમતી દર્શનાબેને મંત્રાની ખાસ કરીને ટેક્નિકલ ટેક્સટાઇલને લગતી મશીનરી/સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રાની આધુનિક સવલતોના નિર્દેશન બાદ તેઓ પ્રભાવિત થયા હતા તથા મંત્રા એ પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે હાજર રહેલા પત્રકારોને મંત્રાની ઉપ્લબ્ધીનો પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો. TUF ના પ્રશ્નોના નિકાલ બાબતે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘણા કેસોમાં ઔધૌગિક યુનિટ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા નથી. તેમજ મોટા ભાગના કિસ્સામાં પ્રત્યક્ષ ઇન્સ્પેક્શન માટે યુનિટોએ રસ દર્શાવ્યો નથી. આ બે દિવસના કેમ્પમાં મંત્રા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટેકસટાઇલ કમિશનરના ઓફિસરોને જુદી-જુદી ચાર ઓફિસો ફાળવવામાં આવી છે જેમાં સુરતના ઉદ્યોગકારોના પેન્ડિંગ સબસિડીના કેસોનો યોગ્ય ઉકેલ/નિકાલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં બેન્કના નોડલ ઓફિસરોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં એડિશનલ ટેક્સટાઇલ કમિશનરશ્રી એસ. પી. વર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષાબેન પોલે કાર્યક્રમની માહિતી આપી હતી. મંત્રા તરફથી પ્રમુખશ્રી રજનીકાંત બચકાનીવાલા તથા ઉપપ્રમુખશ્રી જયવદનભાઈ બોડાવાલા તથા અન્ય કાઉન્સિલ મેમ્બર હાજર રહ્યા હતા.