Tag: newsupdate

Servants are not present outside the emergency department of New Civil, it is a serious situation.
નવી સિવિલના ઈમરજન્સી વિભાગની બહાર સર્વન્ટ હાજર નહિ રહેતા ભારે હાલાકી

 

કામરેજના શ્રમજીવી પરિવારના સગા ભાઈ-બહેનને કોલેરા થયો હતો, જેમાં બહેનનું મોત થયું તો બીજા બાળકને વધુ સારવાર માટે નવી સિવિલમાં લઈને આવ્યાં

સુરત: નવી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં વર્ગ-4ના કર્મચારીઓની મનમાની વધી રહી છે. એસઆઈની નિષ્ફળ કામગીરીની પગલે સર્વન્ટ ચાલુ નોકરીએ પોતાની જગ્યાએ હાજર જ હોતા નથી. જેને પગલે ઈમરજન્સી વિભાગમાં 108 એમ્બ્યુલન્સ સહિતના વાહનોમાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. મંગળવારે સવારે કામરેજથી 1 વર્ષના બાળકની કોલેરાની સારવાર માટે આવેલા પરિવારને નવી સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હતો. કામરેજ સીએચસીથી રીફર કરવામાં આવેલા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં 1વર્ષના બાળકને ઓક્સિજનની જરૂરત હતી. પરતું હોસ્પિટલના ઈમરજન્સી વિભાગની બહાર કોઈ સર્વન્ટ હાજર નહિ હતું. તેમજ ઓક્સિજન વાળું સ્ટ્રેચર પણ નહિ હતું. જેથી માતા પોતે બાળકને વગર ઓક્સિજન સારવાર માટે હોસ્પિટલની અંદર લઈને દોડી હતી. માતા સાથે 108ના ઈએમટી ડોકટર પણ દર્દીને સાથે દોડ્યા હતા.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કામરેજ તાલુકાના કુમકુમ રેસીડેન્સી પાસે આવેલ હળપતિવાસમાં કરણ ભીલ, પત્ની, બે પુત્ર તેમજ એક પુત્રી સાથે રહે છે. કરણ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાનમાં 3 વર્ષની પુત્રી પ્રિયાંસી તેમજ 1 વર્ષનો પુત્ર વિકેશ ઉર્ફે રિકેશને સોમવારે સાંજે ઝાડા-ઉલટી થવા લાગ્યા હતા. મંગળવારે સવારે પ્રીયાંસીની તબિયત લથડતાં બને ભાઈ-બહેનને સારવાર માટે કામરેજ સીએચસી ખાતે લઈને ગયા હતા. જ્યાં બંનેને કોલેરાના લક્ષણ હોવાની સંભાવના સાથે સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન પ્રીયાંસીનું મોત નિપજ્યું હતું. જેથી કામરેજ સીએચસીથી 1 વર્ષના વિકેશને વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફ્રર કરી દેવામાં આવ્યો હતો. જેથી ઓક્સિજન સાથે 108 એમ્બ્યુલન્સમાં વિકેશને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં ઈમરજન્સી વિભાગની બહાર 108 એમ્બ્યુલન્સના ઈએમટી, પાયલોટ તેમજ પરિવારજનો ઓક્સિજન સ્ટ્રેચર અને સર્વન્ટને આવાજ લગાવી રહ્યા હતા. તેમ છતાં ત્યાં કોઈપણ સર્વન્ટ આવ્યો નહિ હતો. તેમજ ઓક્સિજન સ્ટ્રેચર પણ હાજર નહિ હતું. જેથી 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ સાથે પરિવાર મુસીબતમાં મુકાઈ ગયો હતો. રાહ જોયા બાદ છેલ્લે માતાએ બાળકને ગોડીમાં લઈ લીધો અને એની સાથે એમ્બ્યુલન્સના ઈએમટી દોડીને બાળકને ઈમરજન્સી વિભાગમાં સારવાર માટે લઈને ગયા હતા. જ્યાં બાળકને ઓક્સિજન પર રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બાળકને દાખલ કરી દેવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની તબિયત સારી હોવાની માહિતી જાણવા મળી હતી. હાલ બાળકને કોલેરાની સંભાવના વચ્ચે સારવાર આપવામાં આવી રહી છે. તેમજ પ્રીયાંસીનું મોત કોલેરાથી થયું હોવાની વાત પરિવારે કહી હતી.

The municipality, which spends crores of rupees every year in the name of pre-monsoon, sits in water filled water: Payal Sakaria
પ્રિમોન્સૂનનાં નામે દર વર્ષે કરોડોનો ધુમાડો કરતી પાલિકા પાણી ભરાતા પાણીમાં બેસી જાય છે : પાયલ સાકરીયા

 

30 વર્ષથી ભાજપ શાસકોએ લીંબાયત વિસ્તારની અવગણના કરી છે : પાયલ સાકરીયા

વરસાદ બંધ થશે તો પાણી ઉતરી જશે : લીંબાયતનાં અધિકારીઓનો ઉડાઉ જવાબ

ગઈકાલનો અવિરત વરસાદ વરસતા લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં પુષ્કળ પાણી ભરાયા હતાં જે આજે સાંજ સુધી પણ ન ઉતરતા વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ આજરોજ ત્યાં મુલાકાત લીધી હતી. સ્થળ પરની હાલત બદથી પણ બદતર હોવાનું માલુમ પડ્યું હતું. એટલે સુધી ખરાબ હાલત હતી કે, ખાડી કઈ અને રસ્તો કયો તે શોધવું પણ મુશ્કેલ બન્યું હતું.

આ મુદ્દે પાયલ સાકરીયાએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષે પાલિકા પ્રિમોન્સૂનનાં નામે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. તેમ છતાં લીંબાયતમાં કેટલાય વર્ષોથી બદતર હાલત છે. 30 – 30 વર્ષથી ભાજપ જ્યાંથી ચૂંટાઈ છે તે જ વિસ્તારનાં લોકો હાલાકીમાં જીવવા મજબૂર બન્યા છે. સમસ્યાનાં નિરાકરણને એક વર્ષ લાગે, બે વર્ષ લાગે કે વધુમાં વધુ ત્રણ વર્ષ થાય. 30 વર્ષથી સત્તામાં હોવા છતાં કશું ઉકાળી નથી શક્યા. કયા કારણોસર આ સમસ્યાનો નિકાલ નથી થતો તેવો વેધક પ્રશ્ન શાસકોને પૂછ્યો હતો.

આ સાથે પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, પ્રિમોન્સૂનનાં કામમાં ફક્ત દવા છાંટવાથી સંતોષ માનતી પાલિકાની કામગીરી હંમેશા બિલકુલ નિરાશાજનક રહી છે. આટલા વરસાદમાં લોકોનાં ઘરોમાં પાણી ભરાયા છે, નોકરિયાતોને નોકરી પર જવાની સમસ્યા છે. ગૃહિણીઓને ઘર સામગ્રી લાવવાની ચિંતા છે. બાળકો સ્કૂલે જઈ શકે એ પરિસ્થિતિમાં નથી. વધુમાં, પાણી ઓસરતા કાદવ કીચડ થવાની સંભાવના છે, તેના દ્વારા રોગચાળો ફાટી નીકળવાની પણ સંભાવના છે. નાના બાળકોને તાવ, ઝાડા ઉલ્ટી થવાની સંભાવના રહેલી છે. અને લીંબાયત ઝોનનાં અધિકારીઓ બચાવ કામગીરી કરવાને બદલે ઉડાઉ જવાબ આપે છે કે વરસાદ બંધ થતાં પાણી ઓસરી જશે. શું આ કામગીરી માટે દર વર્ષે કરોડો રૂપિયા પ્રિમોન્સૂન પાછળ ખર્ચીએ છીએ તેવા વેધક આક્ષેપો પાયલ સાકરીયાએ કહ્યા હતાં.

Opposition leader of Education Committee, Mr. Rakesh Hirpara, while visiting Ichhapor School, said the following: The situation came to mind.
શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા શ્રી રાકેશ હિરપરાએ ઈચ્છાપોર શાળાની મુલાકાત લેતા નીચે પ્રમાણેની પરિસ્થિતિ ધ્યાને આવી.

 

શાળા રોડ કરતા નીચાણવાળા ભાગમાં હોવાથી વરસાદનું પાણી શાળામાં આવે છે અને પાણીનો ભરાવો થાય છે. ચાંદીપુરા ના ખતરા વચ્ચે આ પરિસ્થિતિ ગંભીર છે.

એક તરફ મહાનગરપાલિકા સામાન્ય લોકો પાસેથી પાણીના ભરાવા બદલ દંડ લે છે, બીજી બાજુ મહાનગરપાલિકાની પોતાની મિલકતમાં જ પાણી ભરાય છે.

શાળાના નામે માત્ર 4 ઓરડા છે, જેમાંથી બે ઓરડામાં પાણી ટપકે છે એટલે માત્ર બે ઓરડા જ વાપરી શકાય એમ છે.

બાલવાડી થી ધોરણ 5 સુધીના 6 વર્ગોમાં 75 બાળકો છે, માત્ર ત્રણ શિક્ષકો છે અને ચાર ઓરડાઓ છે જેમાંથી બે ઓરડામાં પાણી ટપકે છે.

વરસાદની સિઝનમાં આ બે જ ઓરડામાં આચાર્યની ઓફિસ, બાળકોએ ભણવાનું, જમવાનું, રમવાનું, વગેરે બધું જ… ટુંકમાં આ બે ઓરડા એટલે શાળા…

(ફોટો અને વીડિયો ઉપર મોકલી આપેલ છે)

This person from the party would have sanctioned the money of the developing taluka for useless projects. Dediyapada MLA Chaitar Vasava sat on strike in front of the Collector's chamber.
વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરી દેતા, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા.

 

જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે: ચૈતર વસાવા

આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી: ચૈતર વસાવા

અમારા મંજુર થયેલા કામની જગ્યાએ બિનઉપયોગી પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે: ચૈતર વસાવા

અમદાવાદ/નર્મદા/ભરૂચ/ગુજરાત

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લાના કલેકટરની બેઠકને છોડીને ધરણા પર બેઠા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા.

પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. અને આજે અમે અમારા કામોને સમાવવા માંગો છો કે કેમ તે સવાલ કર્યો પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આજે એકતાનગર કેવડિયામાં મોટી પ્રતિમા છે અને ત્યાં જે લોકોની જમીનો ગઈ છે, તેમના બાળકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરે છે પરંતુ તેમની પાસે ભણવા માટે કોઈ છત નથી. આ તમામ મુદ્દા ઉપર આજે જિલ્લા સંકલન સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટર સાહેબને ચેમ્બરની સામે અમે ધરણા પર બેઠા છીએ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Leader of Opposition in Education Committee and 'AAP' State General Minister has made the following disclosure today on the issue of uniform.
’25 કરોડ ખર્ચ્યા બાદ પણ શિક્ષણમંત્રીના પોતાના શહેરની સરકારી પ્રાથમિક શાળાના તમામ બાળકો બે જોડી યુનિફોર્મથી વંચિત’ – રાકેશ હિરપરા

 

શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા અને ‘આપ’ રાજ્ય મહામંત્રીએ યુનિફોર્મના મુદ્દે આજે નીચે મુજબનો ખુલાસો કર્યો છે.

રાકેશ હિરપરાએ જણાવ્યું છે કે અમોએ છેલ્લા અઢી વર્ષથી સતત લડાઈ લડી છે કે બાળકોને બે જોડી યુનિફોર્મ મળવા જ જોઈએ કારણ કે એક જોડી યુનિફોર્મમાં સ્વચ્છતા ન જળવાઈ શકે.

અમારી સતત રજૂઆત અને વિરોધના પગલે સમિતિએ ગયા બજેટમાં જાહેરાત કરી કે જુન-2024 થી બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે અને આ જાહેરાત બાદ ભાજપે એની જાહેરાત પણ ખુબ કરી, ભાષણો આપ્યા અને ક્રેડીટ લીધી.

આજે શાળા શરુ થયાના દોઢ મહિના બાદ પણ એક પણ બાળકને બે જોડી યુનિફોર્મ મળેલ નથી, નવા પ્રવેશ પામેલા બાળકોને તો એક જોડી યુનિફોર્મ પણ નથી મળ્યો.

નવાઈ તો એ છે કે બીજી જોડી યુનિફોર્મ માટેનો વર્કઓર્ડર જ સમિતિએ શાળા શરુ થયાના એક મહિના બાદ એટલે કે 10 જુલાઈના રોજ આપ્યો છે અને એજન્સીને 4 મહિનાનો સમય આપ્યો છે. આનો અર્થ એવો થયો કે બાળકોને બીજી જોડી યુનિફોર્મ મળતાં સુધીમાં તો દિવાળી (નવેમ્બર) આવી જશે.

બંને જોડી યુનિફોર્મ એકસાથે મળે તો જ યુનિફોર્મનો મૂળ હેતુ અને સ્વચ્છતા જળવાઈ શકે. સમિતિએ બંને જોડી અલગ અલગ સમયે આપીને મૂળ સમસ્યાને તો યથાવત જ રહેવા દીધી, જે ખુબ ગંભીર બાબત છે.

25 કરોડ ખર્ચ કર્યા બાદ પણ જે સમસ્યા ગયા વર્ષે હતી એની એ જ સમસ્યા આ વર્ષે પણ છે એટલે બાળકો એક જોડી યુનિફોર્મ સાથે જ અભ્યાસ કરી રહ્યા છે.

Valuable work of health department in Sania Kanda and Kardwa villages to reduce mosquito infestation….
મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા સનીયા કનદે અને કરડવા ગામમાં આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી….

 

ચોમાસા દરમિયાન પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીઓ ફેલાવાનો ડર રહે છે ત્યારે સનિયા કનદે અને કરાડવા ગ્રુપ ગ્રામ પંચાયતનાં સરપંચ જસપાલ સિંહ સોલંકીનાં સહયોગ થી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાંઝ નાં મેડિકલ ઑફિસર શ્રી Dr નૃપાંગ કિકાગણેશનાં માર્ગદર્શન હેટળ આજ રોજ સનિયા કનદે અંને કરાડવા ગામ ના વિવિધ સોસાયટીમાં કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સુપરવાઈઝર સુધાકર ભાઈ પાઠક, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ચેતન ભાઈ ઠાકુર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ચંદ્રકાંત ભાઈ પટેલ, ભગવાનભાઈ કામળીયા, ભદ્રેશ ભાઈ ગોહિલ, તથા MTS શ્રી અભિષેક ભાઈ તથા આશા બહેનો દ્વારા સઘન રીતે મચ્છરનાં પોરા નાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિવિધ સોસાયટીઓમાં સવાર થી લઇ રાત્રે ૧૦ વાગ્યા સુધી ઘરે ઘરે જઈ મચ્છર નાશક ધુમાડા કરવાની કામગીરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.

After the Surat airport becomes international, there will be facility to go directly from Surat to Bangkok in the coming days
સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં

 

સુરતથી સીધા બેંગકોક જવાની સુવિધા મળશે

સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે

તે સાથે સુરત એરપોર્ટ પરથી શારજાહ, દુબઈ બાદ બેંગકોકની ફલાઇટની સુવિધા મળશે

આગામી દિવસોમાં વધુ ફલાઇટ મળવાની શક્યતાઓ જોવાઈ રહી છે

તેમાં પણ દિવાળી પહેલા સુરતથી વિદેશમાં જવા માટે વધુ ફ્લાઇટ મળી શકે તેમ છે

સુરતમાં ડાયમંડ બુર્સ શરૂ થઇ ગયું છે

જ્યાં વિદેશથી ડાયમંડ બાયર્સ વેપારી માટે આવતા હોય છે

તે ઉપરાંત વિદેશ જવા માટે સીધી ફ્લાઈટની સુવિધા હોય તો ઝડપથી તેનો વિકાસ થાય

આ માટે અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી હતી

જેને કારણે સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ કક્ષાનું જાહેર કરી દેવામાં આવ્યું હતું

Fire incident between two cars in Surat
સુરતમાં બે કારો વચ્ચે આગની ઘટના

 

સુરતના પ્રમુખ શહેરી ભાગમાં વિશેષ ઘટના થઈ હતી. આ ઘટનાની સમાચાર મેળવીને બે કારોમાં આગ લાગી હતી. પ્રથમ કાર રોડ પર પાર્ક કરાયેલી હતી અને ત્યાંથી વધારે આગ ફેલાવતી ગઈ હતી. આ સમયે સુમુખ સર્કલ નજીક એક માર્ગની જાહેરાત બનાવવાની કારણે કારઓ જાતાં જાતાં આગનો શિકાર થઈ ગઈ હતી.

તે સમયે સુરતના ફાયર બ્રિગેડ અને દુબારાવાળા સેવાકર્મીઓ ઘટનાને નિયંત્રિત કરવા માટે સ્થાનિક પરિસ્થિતિઓને તૈયાર થયા હતા. તેમને સમય મેળવીને પ્રથમ કારની આગ શાંત કરવામાં સફળતા મળી અને બીજી કાર પર ફેલાયેલી આગ સંપૂર્ણપણે બુઝાવી. આ ઘટનાને વિશેષ તરીકે સુરતના લોકો અને માર્ગસૂચકો માટે એક સાંજનો ધમાકો જણાવવામાં આવ્યો અને શહેરના વિકાસમાં વધુ સાવધાની વધારવામાં આવ્યું.

Awareness Session on New Criminal Laws: Informative lecture to students and cadets
નવા ફોજદારી કાયદાઓ પર જાગૃતિ સત્ર: વિદ્યાર્થીઓ અને કેડેટ્સને માહિતીપ્રદ પ્રવચન

 

વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી, સુરતના NCC અને NSS એકમોએ 13 જૂન, 2025ના રોજ મારફતિયા હોલ ખાતે “નવા ફોજદારી કાયદાઓ” પર જાગૃતિ સત્રનું આયોજન કર્યું હતું. સત્રમાં ડો.સી.એ. ક્રિષ્ના દેસાઈ, (Dr. C.A. Krishna Desai)સહાયક પ્રોફેસર, સંસાધન વ્યક્તિ તરીકે હાજર રહ્યા હતા. સંસાધન વ્યક્તિએ નવા ફોજદારી કાયદાઓ રજૂ કર્યા અને જૂના, બિનજરૂરી સંસ્થાનવાદી યુગના કાયદાઓને બદલવાની જરૂરિયાત સમજાવી જે ભારતીય લોકો પર શાસન કરવા માટે બનાવવામાં આવ્યા હતા અને તેમના કલ્યાણ માટે નહીં. તેણીએ વિદ્યાર્થીઓને જાણ કરી કે IPC, ICPrC અને IEA હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય શકહ્યા અધિનિયમ સાથે બદલાઈ ગયા છે.
વધુમાં, તેણીએ જૂના કાયદાઓમાં મુખ્ય ફેરફારો અને ફેરફારો વિશે ચર્ચા કરી. તેણીએ નીચેના સ્વાગત પગલાઓને પ્રકાશિત કર્યા –

  1. નવા કાયદા લિંગ તટસ્થ છે,
  2. 33 નવા ગુનાઓનો ઉમેરો,
  3. નવી સજાનો ઉમેરો – સમુદાય સેવા
  4. એક પ્રકરણમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓની પુનઃરચના
  5. લઘુમતી વયની પુનઃ વ્યાખ્યાયિત, દસ્તાવેજની વ્યાખ્યાના અવકાશમાં ફેરફાર, તૃતીય લિંગનો સમાવેશ – ટ્રાન્સજેન્ડર સમુદાય
  6. શૂન્ય FIR
  7. ઈ-પુરાવા, સમન્સ અને જુબાની
  8. ઓડિયો વિડિયો રેકોર્ડિંગ શોધ અને જપ્તી
  9. ⁠કોર્ટ કેસો અને ચુકાદાઓની ઘોષણા પૂર્ણ કરવાની સમયમર્યાદા.
    કાર્યક્રમનું સંકલન ડો.તન્વી તારપરા અને ડો.અવની શાહે કર્યું હતું. સત્રમાં 100 NCC કેડેટ્સ, NSS સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી હતી. ડૉ. કિષ્ના દેસાઈએ નવા ફોજદારી કાયદાઓની ઊંડાણપૂર્વક ઝાંખી પૂરી પાડી હતી, જેમાં નોંધપાત્ર ફેરફારો અને નાગરિકો પર તેની અસરો પર ભાર મૂક્યો હતો. સત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય ઉપસ્થિતોને ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023 વિશે શિક્ષિત કરવાનો હતો, જેથી તેઓ નવીનતમ કાનૂની વિકાસ વિશે સારી રીતે માહિતગાર હોય.

સત્રને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં ઉપસ્થિતોએ માહિતીપ્રદ સામગ્રીની પ્રશંસા કરી હતી

The police has given the information of the people living in the Lajpat Rai community, who are not
લાજપોપર જેલના બંદિવાનો સંચાલિત ડાયમંડ યુનિટની મુલાકાત લેતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષઃ

 

ગૃહરાજ્યમંત્રીએ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો

Lajpur News: લાજપોર મધ્યસ્થ જેલ તંત્રના સહયોગથી જેલના રહેલા બંદિવાનો દ્વારા સંચાલિત હીરા મેન્યુફેક્ચરિંગ યુનિટની ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી(hard sanghvi)એ મુલાકાત લીધી હતી. આ યુનિટમાં ૯૬ કેદીઓ હીરા કટિંગ, પોલિશીંગની કામગીરી કરી રહ્યા છે, ત્યારે ગૃહમંત્રીએ આ કેદીઓ સાથે બેસી હીરાના કટોરા પર હાથ અજમાવી ડાયમંડ કટિંગ, પોલિશીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રીશ્રીએ કેદીઓને જેલમાં રોજગારીની મળેલી તકનો લાભ ઉઠાવી આગળ વધવા માટે પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.