Uncategorized

Another letter from Surat Varachha BJP MLA Kumar Kanani
સુરત વરાછા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર

 

કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર.

સુરતની VNSGU ની UG પ્રવેશ પ્રક્રિયામા મોટા પાયે ગેરરીતિ સામે ઉઠાવ્યા સવાલ.

MLA કુમારભાઈ કાનાણીની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાને પત્ર લખી.

GCAS પોર્ટલ પરથી આપવામાં આવેલા કોલેજ પ્રવેશમાં મુશ્કેલી થતાં લખ્યો પત્ર.

છેલ્લા બે દિવસથી વિધાર્થીઓ દ્વારા આ અંગે રાજ્યવ્યાપી કરાઈ રહ્યો છે વિરોધ

ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

 

ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો સાથેની ભાગીદારીથી સુનિશ્ચિત કરેલ સમય કરતાં 6 વર્ષ પહેલાં પોતાની ફેસિલિટીઝ માટે બધા કરતાં પ્રથમ નેટ ઝીરો સર્ટિફિકેટ મેળવી SRK ડાયમંડે હાંસિલ કરી ઐતિહાંસિલ સિદ્ધિ સુરત – વિશ્વની અગ્રણી નેચરલ ડાયમંડ ક્રાફ્ટિંગ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. (SRK)ની બંને ક્રાફ્ટિંગ ફેસિલિટી SRK હાઉસ અને SRK એમ્પાયર માટે વર્ષ 2030 સુધી નેટ ઝીરો થવાનો લક્ષ્ય રાખ્યું હતું પરંતુ પોતાના લક્ષ્યને વેગ આપવા માટે વિશ્વની અગ્રણી નેટ ઝીરો સર્ટિફિકેશનની સંસ્થા ગ્લોબલ નેટવર્ક ફોર ઝીરો (GNFZ) સાથે મળીને તેના લક્ષ્યને 2024 માં જ હાંસિલ કરી લીધું છે. ગયા વર્ષે યોજવામાં આવેલ SRK સસ્ટેનેબિલિટી કોન્ક્લેવ દરમ્યાન કંપનીના આ નેટ ઝીરો ઉદ્દેશ્યની જાહેરાત કરવામાં આવી હતી જેમાં SRKની 6 દાયકાની યાત્રા દરમ્યાન સમાજના વિકાસ માટે કરવામાં આવેલ કામો, કુદરતી આફતો દરમ્યાન કરવામાં આવેલ રાહત કામગીરી, આરોગ્યની સંભાળ, શિક્ષણ, પર્યાવરણ, સંરક્ષણ જેવા વિવિધ પાસાઓ દર્શાવવામાં આવ્યા હતા. આ કોન્ક્લેવમાં કંપનીના ફાઉન્ડર ચેરમેન શ્રી ગોવિંદ ધોળકિયાએ એમીશનને નાબૂદ કરવાના સ્કોપ 1, 2 અને 3 માટે SRK ના વ્યાપક રોડમેપનું અનાવરણ કર્યું હતું. વધુમાં તેમણે કંપનીની 60 વર્ષની યાત્રામાં ESG ને પ્રતિબદ્ધ રહી કંપનીના દરેક કામ UN સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ અને નેટ ઝીરો ઈન્ડિયા અને વિશ્વમાં ડિકાર્બોનાઇઝિંગની કામગીરી કરી મુખ્ય આગેવાન બનવા માટે લીડરો દ્વારા લેવાયેલા પગલાં જેને “ક્રાઉન જવેલ” તરીકે પણ ઓળખવામાં આવે છે તેને વિગતવાર દર્શાવતો SRKનો પ્રથમ પ્યોર ઇમ્પેક્ટ રિપોર્ટની પણ જાહેરાત કરી હતી. શરૂઆતથી જ દુનિયામાં સર્વોચ્ચ પ્રદર્શન કરતી LEED સર્ટીફાઇડ બિલ્ડીંગ, SRK હાઉસ અને SRK એમ્પાયર, 2030 સુધી નેટ ઝીરો થવાનું લક્ષ્ય રાખેલ. જો કે યુ.એસ. ગ્રીન બિલ્ડિંગ કાઉન્સીલના ભુતપૂર્વ પ્રેસિડેન્ટ અને CEO મહેશ રામાનુજમ દ્વારા નવી સ્થાપિત કરેલ નેટ ઝીરો સર્ટિફિકેટ સંસ્થા GNFZ સાથે જોડાયા પછી એક સફળ વ્યૂહરચના દ્વારા બંને પ્રોજેક્ટના નેટ ઝીરો સર્ટિફિકેશન વર્ષ 2024માં જ હાંસિલ કરવાની પ્રક્રિયાને વેગ આપવા સક્ષમ બન્યા છે. શ્રી ગોવિંદ ધોળકિયા જણાવે છે કે, નેચરલ ડાયમંડના અગ્રણી હોવાની સાથે સાથે અમારા સેક્ટરને ડીકાર્બોનાઇઝ કરવું કેટલું અગત્ય છે અને આ ઉપરાંત સસ્ટેનેબલ ઓપરેશન ઉપર કામ કરતી ભારતની બીજી કંપનીઓ માટે એક ઉદાહરણ સ્થાપિત કરવાની અમારી જવાબદારી છે. કઇં પણ નિર્ણય લેવામાં પોતાની જવાબદારી નિભાવવામાં ઉપયોગી પ્રેરકબળ અને તેનું મહત્વ સમજાવતા ગોવિંદભાઇ ધોળકિયા કહે છે કે, “સમગ્ર ભારત રાષ્ટ્રને વર્ષ 2070 સુધી નેટ ઝીરો કરવાનું લક્ષ્ય છે. જો કે અમે માનીયે છીએ કે વ્યક્તિગત સુધારણા માટે આ લક્ષ્યને વેગ મળવો જોઇએ અને આપણાં ભારત રાષ્ટ્રને આગળ લઈ જવામાં બિઝનેસ લીડર્સ મહત્વની ભૂમિકા ભજવે છે. હું જાણતો હતો કે 2024નું લક્ષ્ય હાંસિલ કરવું તે દરેક માટે એક ઉદાહરણ સ્થાપિત કરવા માટેની તક હોઇ શકે છે. વર્ષના અંતમાં નેટ ઝીરો હાંસિલ કરવાના અમારા લક્ષ્યને અમે હરાવી મે મહિનામાં જ અમે આ લક્ષ્યને હાંસિલ કર્યો છે અને અમારા દરેક ઓપરેશન અને ઘણા મોટા સ્કેલમાં પરીવર્તન કરવા માટે ઘણી તકો ખોલી છે. GNFZ દ્વારા આપવામાં આવતા સર્ટિફિકેટની જરૂરિયાતોને પહોંચી વળવા SRKએ તેની ફેસિલિટીઝ માટે વિવિધ વ્યુહરચનાઓ જેમ કે સ્કોપ 1 અને 2 ના એમીશનને ઘટાડવા માટે ઓફ-સાઇટ 6 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ કરે છે અને સ્કોપ 3 માટે, SRKની માલિકીની તમામ કારને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવી, સોલાર પાવર ઇલેક્ટ્રીક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરેલ છે. કર્મચારીઓની દૈનિક મુસાફરીના માધ્યમો અને પ્રેક્ટિસને ટ્રેક કરવા માટે એક એપ્લિકેશન બનાવવી અને 200-એકર જમીનમાં વૃક્ષો વાવવા જેવી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. તેમની ડીકાર્બોનાઇઝેશન સફરના આગળના પ્રકરણ માટે, તેઓ પાણી, કચરો અને ઉર્જાની સાથે સાથે પોતાના વ્યવસાય માટે પણ GNFZ દ્વારા નેટ ઝીરોનું પ્રમાણપત્ર મેળવશે. SRKની પ્રતિબદ્ધતા ભારતમાં નેટ ઝીરો હાંસિલ કરવા માટે શું શક્ય બની શકે છે તે દર્શાવી રહી છે ત્યારે GNFZના રામાનુજમ માને છે કે, “શ્રી ગોવિંદ ધોળકિયાના નેતૃત્વમાં, ઘણા ઓછા સમયમાં SRK પોતાના લક્ષ્યને હાંસિલ કરવા માટે અમારા દ્વારા બતાવવામાં આવેલ પ્રક્રિયા અને પદ્ધતિનો ઉપયોગ કરવા સક્ષમ છે. અને તેના પરિણામ તરીકે, પ્યુપીલ, પ્લેનેટ અને પર્પસ એમ દરેક ક્ષેત્રમાં બીજા ઇન્ડિયન બિસનેસ લીડર્સ સાથે પાર્ટનરશિપ કરીને ડીકાર્બોનાઇઝ કરવાનો માર્ગ મોકળો કરી રહ્યા છે.” SRK ને મળેલ પ્રમાણપત્ર ઝીરો એમીશનવાળું ભવિષ્ય અનુસરવા અને ટકાવી રાખવાની તેમની કાયમી પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે. વધુમાં, SRK દ્વારા કરવામાં આવતું અકલ્પનીય કામ ભારતની ડાયમંડ સેક્ટર અને સૌથી મોટી ભારતની બિસનેસ કમ્યુનિટી માટે ઉદાહરણ છે. GNFZની ટિમ કંપનીના ડેટા અને નેટ ઝીરોની સિદ્ધિઓની ઉપર સતત નજર રાખશે અને ખાતરી કરશે કે કંપની દ્વારા કરવામાં આવતી ઝીરો એમીશનની કામગીરીને ટકાવી રાખીયે. શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ પ્રા.લી. વિષે: શ્રી ગોવિંદ ધોળકિયા એટ્લે કે ગોવિંદકાકા દ્વારા સ્થાપવામાં આવેલ SRK વિશ્વની અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપની છે. USD 1.8 બિલિયનની વેલ્યૂ ધરાવતી 6000 થી પણ વધુ લોકોને રોજગારી આપતી SRK છેલ્લા 6 દાયકાથી કાર્યરત છે અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતના યોગદાનમાં જે પરીવર્તન આવી રહ્યું છે તેમાં SRK પોતાની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવી રહ્યું છે. પ્યોર ટ્રસ્ટ, ટ્રાન્સપરન્સી અને દૃઢતા ઉપર ચાલતી પર્પઝ ડ્રિવન કંપની, SRK જેમ્સ અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં કંપલાયન્સ અને સસ્ટેનેબિલિટી પ્રેક્ટિસમાં અગ્રણી  અને ઈન્ડિયાના ઝીરો એમીશનમાં પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહી છે. SRK ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ISO સર્ટિફિકેટ, સિસ્ટમ્સ અને તેની પ્રોસેસના સર્ટિફિકેટ ધરાવી સૌથી વધુ કંપલાયન્ટનું પાલન કરતી કંપની બની છે.  વધુમાં SRK પોતાના પ્રોફિટ માંથી 4.5% થી પણ વધુ રકમ સામાજીક વિકાસ  માટે વાપરે છે. દરેકને સમાન તક, હંમેશા આગળ વધવું અને સાદગીભર્યું જીવન ધોરણ જેવા ગોવિંકાકાના સ્થાપેલાં મૂલ્યોને આગળ વધારતા, આ અગ્રણી ડાયમંડ કંપની હંમેશા સસ્ટેનેબિલિટી અને સમાજને મદદરૂપ થવા હંમેશા કાર્યરત રહે છે.
અઠવાડિયા બાદ પણ નિરાકરણ નહીં આવતા ઔદ્યોગિક-લેબર કોર્ટના વકીલો કામકાજથી અળગા

 

સુરતઃ ઔદ્યોગિક અદાલત તથા મજૂર અદાલત નંબર-2માં વકીલો સાથે થઈ રહેલી ગેરવર્તણૂક અને હેરાનગતિથી સામે સુરત લેબર લોઝ પ્રેક્ટિશનર્સ એસોસિએશનને આંદોલન શરૂ કર્યું છે. એસોસિયેશનના નેજા હેઠળ તમામ લેબર લો પ્રેક્ટિશનર્સ દ્વારા 12 એપ્રિલથી બંને કોર્ટો ના કામકાજથી અળગા રહીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે હજી પણ યથાવત છે. 


આ અંગે એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ નિમિષ પટેલના જણાવ્યા મુજબ કોર્ટમાં ધીમી કામગીરી ચાલી રહી અને જુબાની, ઉલટ તપાસ માટે વકીલોને પૂરતી તક આપવાને બદલે ન્યાયાધીશ પોતાની મરજી મુજબ જુબાની,ઉલટ તપાસ માટે આગ્રહ રાખવામાં આવે છે.વકીલોને એક કોર્ટમાં સાંજ સુધી બેસાડી રાખી બીજી કોર્ટની કામગીરીમાં જવા દેવામાં આવતાં નથી ત્યારે આવા વર્તનથી વકીલો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી આ મુદ્દે એસોસિએશને દસ મુદ્દાઓ સાથે  ગુજરાત હાઈકૉર્ટનાં ચીફ જસ્ટિસ, હાઇકોર્ટનાં રજીસ્ટ્રાર,યુનિટ જજ હાઇકોર્ટ અને પ્રમુખ ઔદ્યોગિક અદાલતને ફરિયાદ કરવા સાથે જ જ્યારે સુધી વકીલોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાર સુધી આ બંને કોર્ટની કામગીરીનો અચોક્ક્સ મુદત સુધી બહિષ્કાર કરવાનું એલાન આપવામાં આવ્યું છે. 12 એપ્રિલ થી લેબર લો પ્રેક્ટીશનર દ્વારા આંદોલન ચાલવામાં આવી રહ્યું છે, જોકે હજી સુધી કોઈ નીરકરણ આવ્યું નથી ત્યારે આગામી દિવસોમાં વકીલો આ બે કોર્ટના કામકાજથી અળગા રહેશે એવું ઘોષણા આજરોજ એસોસિયેશનના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે.

સ્મીમેર હોસ્પિટલ માં મુલાકાતે આવતાં દર્દીઓ અને મુલાકાતીઓ પાસેથી અઘઘ 104 કિલો પાન માવા ગુટખાનો જથ્થો જપ્ત કરાયો

 

સુરત. સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ ખાતે દર્દીઓ અને તેમના સગાવ્હાલાઓ પાસેથી તંત્ર દ્વારા 104 કિલો જેટલો ગુટખા તમાકુનો જથ્થો કબ્જે કર્યો હતો. તો પાર્કિંગ વ્યવસ્થિત ન કરનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી.

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ 1100થી વધારે બેડ સાથે કાર્રત છે. જ્યાં રોજીંદા 2500થી વધુ દર્દીઓ સારવાર માટે આવે છે. અને 900 જેટલા દર્દીઓ ઈન્ડોર સારવાર લે છે. ત્યારે સ્મમેર હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા વ્હાલાઓ તેમને મળવા આવતા હોય જેઓ તમાકુ, ગુટખા સહિત લઈ આવતા હતા જેઓ પાસેથી સ્મિમેર હોસ્પિટલના સ્ટાફે ગેટ પર ચકાસણી કરતાં 104 કિલો જેટલો ગુટખાનો જથ્થો જપ્ત કર્યો હતો. વધુમાં સ્મિમેર હોસ્પિટલમાં નિર્ધારીત કરાયેલા પાર્કિંગ લોકેશન પર ગાડી પાર્ક ન કરવાના કારણે સારવાર લેવા આવતા દર્દીઓ, કર્મચારીઓ તેમજ શબવાહિની અને એમ્બ્યુલન્સની અવર જવરમાં મુશ્કેલીઓ ઉપસ્થિત થતી હોય છે જેને લઈ પાર્કિંગ બાબતે સ્પેશ્યલ ચેકિંગ હાથ ધરી નિર્ધારત જગ્યા પર પાર્કિંગ ન કરવા બદલ ફેબ્રુઆરી મહિનાથી આજદિન સુધી 46 હજાર 600 રૂપિયા દંડ પેસે વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.
ખાખી વર્દીની પાછળ છુપાયેલી માનવતા ના થયાં દર્શન, ડુમ્મસ પોલીસે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને કરાવી ડુમ્મસની સહેલગાહ

 

સુરત. ડુમસ પોલીસ દ્વારા આજે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ડુમસ પોલીસે વૃદ્ધાશ્રમમાં રહેતા વયો વૃદ્ધ માટે અનોખો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લાવવામાં આવ્યા હતા જ્યાં તમામની સાથે પોલીસે અલગ મલકની વાતો કરી હતી

      પોલીસ ગુનેગારો માટે કડક કાર્યવાહી કરવા માટે જાણીતી છે. પરંતુ પોલીસની ખાખી પાછળ તેમની માનવતા અને સહજતા પણ રહેલી છે. તે આજે જોવા મળ્યું હતું. સુરતમાં પોલીસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઋણ સ્વીકાર નામના કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઇ જવામાં આવ્યા હતા. તેમજ તેમની ઉંમરને લગતી વિવિધ ગેમ તેમજ દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવામાં આવી હતી. જેમાં ભારતીમૈયા વૃધ્ધાશ્રમના વયોવૃધ્ધો વડીલો કે જેમણે આજીવન આપણા દેશની પ્રગતિ અને ઉન્નતી માટે કોઇને કોઇ માધ્યમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફાળો આપ્યો છે. જેથી આ વડીલોએ પોતાના જીવનમાં દેશની ઉન્નતી માટે આપેલ અનુદાનને ઋણ તરીકે ગણી, આજે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે તેવી ભાવનાને ધ્યાને રાખી તથા પોલીસ હરપળ તેમની સાથે જ છે. તેવો તેમને અનુભવ થાય તેવી શુભ આશય સહ આ વડીલોને આજે ડુમસ પોલીસ દ્વારા દરિયા ગણેશ બીચ પર ફરવા માટે લાવવામાં આવ્યા હતા.

      ડુમસ પોલીસ દ્વારા વડીલો સાથે આજે ખાસ સમય વીતાવવામાં આવ્યો હતો જેમાં પોલીસે વૃધ્ધો સાથે જીવનની વિવિધ પ્રકારની અલક-મલકની વાતો કરી હતી.તેમજ તેમની ઉંમરને લાગતી નાની-મોટી રમતો રમાડવામાં આવી હતી. દરિયા કિનારે વૃદ્ધોને પોલીસે સંગીત ખુરશી જેવી રમતો રમાડી હતી. સાથે દરીયા કિનારા પર પોલીસે ડુમસના ભજીયા ખવડાવી તમામને તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવા વિશેષ પ્રયાસ કર્યો હતો.
30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20સેકંડ માં થયો ધ્વસ્ત

 

સુરત.ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.

સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી  તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.
30 વર્ષ જૂનો કૂલિંગ ટાવર માત્ર 20 સેકંડમાં થયો ધ્વસ્ત

 

સુરત. ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કુલિંગ ટાવરને ડિમોલિશન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11:00 વાગ્યાથી 11:30ના સમય દરમિયાન કુલિંગ ટાવર ઉતારી લેવા માટે આયોજન કરાયું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામા આવ્યું.

સુરતના ઉત્રાણ ખાતે આવેલ 30 વર્ષ જુના કુલિંગ ટાવરનું ડિમોલીશન આજરોજ કરવામાં આવ્યું છે. કુલિંગ ટાવર ઉતારી પાડવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે તે પિલર ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય એ પ્રકારની ટેક્નોલોજી હોય છે. જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. કુલિંગ ટાવરના બ્લાસ્ટ માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ એક્સપ્લોઝિવ બ્લાસ્ટ ટેક્નોલોજીની મદદથી ગણતરીના સેકન્ડોમાં જ વિશાળ ટાવરને ઉતારી લેવામાં આવ્યું હતું. આ ટાવરની કુલ ઊંચાઈ 85 મીટર હતી અને તેના 72 જેટલા પિલર આવેલા હતાં. આ પિલરમાં હોલ કરી  તેમાં પ્રવાહી સ્વરૂપનું એક્સપ્લોઝિવ નાખવામાં આવ્યું હતું. આ એક્સપ્લોઝિવને રિમોટ કંટ્રોલથી બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને 85મીટર નું ટાવર માત્ર સાત સેકંડ ની અંદર જ જમીનદોસ્ત થઈ ગયું હતું. છેલ્લા બે મહિનાથી એક્સપ્લોઝિવને મૂકવા માટેની કાર્યવાહી ટેક્નિકલ ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી. એક પિલરની અંદર 20 જેટલા હોલ કરવામાં આવ્યાં હતાં અને તે હોલની અંદર આ એક્સપ્લોઝિવને મૂકી દેવામાં આવ્યાં હતા.
ત્રણ દિવસ પહેલા તાપી નદીમાં ઝંપલાવનાર l&t ના 23 વર્ષીય કર્મચારીની લાશ મળી

 

હજીરા ખાતે રહેતા અને એલ એન્ટી કંપનીમાં કામ કરતા યુવાને ગત 17મીએ તાપી નદીમાં કુદી આપઘાત કરી લીધો હતો જે યુવાનની મોડી રાત્રે ઉમરાગામ તાપી કિનારેથી લાશ મળી આવી હતી.

સુરત.સુરતમાં આપઘાતની ઘટનાઓ વચ્ચે હજીરા ખાતે રહેતા યુવાને તાપીમાં કુદી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર સુરતના હજીરા ખાતે રહેતા અને એલ એન્ટ ટી કંપનીમાં નોકરી કરતા મુળ બિહારના વિશાલકુમાર સિંગએ તાપી નદીમાં ગત 17મીએ ઝંપલાવી આપઘાત કર્યો હતો. જેને લઈ તેની શોધખોળ હાથ ધરી હતી.  જો કે યુવાનની લાશ મળી ન હતી. અને રાત્રીના સમયે યુવાનની લાશ ઉમરાગામ તાપી નદીના કિનારે કાદવ પાસેથી વિશાલ નો મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે યુવાનની લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૂળ બિહારના ખાગરિયાના છીલકોડી ગામે રહેતો વિશાલ કુમાર ઘણા સમય થી રોજગારી અર્થે સુરત મા રેહતો હતો અને છેલ્લાં ત્રણ વર્ષથી એલ એન્ડ ટી કંપનીમાં હિટિંગનું કામ કરતો હોવાનું સામે આવ્યુ છે. વિશાલના ગામ વાસી મિત્ર સુનિલકુમાર એ જણાવ્યું હતું કે રાત્રે 10 વાગ્યા આસપાસ માતા પિતા સાથે કોલ કરીને વાત કરી હતી અને મોબાઈલ રૂમ પર મૂકી વિશાલ નીકળી ગયો હતો અને સાથી મિત્રો સાથે પણ કોઈપણ જાતની વાત કરી ન હતી સવાર સુધી તે પરત ન ફરતાં શોધખોળ શરૂ કરી હતી
જો સાવચેત નહીં રહેશો તો તમારા ઘરની બહાર પણ લાગી શકે છે આવું બોર્ડ

 

સુરત. મહાનગરપાલિકા દ્વારા હવે કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતા વધુ સક્રિય રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. છુટા છવાયા વિસ્તારોની અંદર અલગ અલગ ઝોનમાં જે પ્રકારે કોરોના સંક્રમણના સામે આવી રહ્યા છે. તે જોતા હવે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં જે પણ વ્યક્તિઓને કોરોના ગાઈડલાઈન પ્રમાણે કોરોના પોઝિટિવ થાય તો તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. એવી જ રીતે ફરીથી કોરોના સંક્રમણના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. સુરતના અલગ અલગ ઝોનમાં કોરોના સંક્રમણ પોઝિટિવ દર્દીઓને સાત દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

ગટર સમિતિની બેઠકમાં 94 કરોડથી વધુના 17 કામો મંજૂર

 

સુરત. સુરત મહાનગર પાલિકાની ગટર સમિતિની બેઠક શનિવારના રોજ મળી હતી. જેમાં 94 કરોડથી વધુના 14 કામો રજુ કરાયા હતા. ચર્ચાના અંતે તમામ કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી.

સુરત મહાનગર પાલિકાની ડ્રેનેજ સમિતિની મીટીંગ ચેરમેન વિક્રમ પાટીલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમા આવનાર ચોમાસાને લઈ પ્રિ મોન્સુન કામગીરી સાથે નવા આઉટર રીંગરોડ પર રોડની બન્ને સાઈડે વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈન બનાવવાની, સાઉથ વેસ્ટ ઝોનમાં નળીકા નાંખવાની કામગીરી સાથે સુરત શહેરના તમામ વિસ્તારોમાં ચોમાસા પહેલા પ્રિ મોન્સુન કામગીરી કરવા માટે ડ્રેનેજની જાળીઓ ડિસોલ્ટીંગ કરવા સહિતના કામો મળી 94 કરોડ 50 લાખથી વધુના 14 કામો રજુ કરાયા હતા જે કામોને સમિતિએ મંજુરીની મહોર મારી હતી. જે અંગે ડ્રેનેજ સમિતિના અધ્યક્ષ વિક્રમ પાટીલે વિગતવાર માહિતી આપી હતી.