ગુજરાત ખબર
ગૃહમંત્રી સાહેબ જુઓ આ રીતે લિંબાયત પોલીસ બનાવી રહી છે ઉલ્લું: લિંબાયતને નશામુક્ત-ક્રાઇમ મુક્ત બનાવવા જે ગ્રાઉંડ પર કરાયું છે ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન તે જ ગ્રાઉંડ પર ધમધમી રહ્યો છે દારૂનો અડ્ડો..!
લિંબાયત પોલીસના ક્રાઇમ છોડો, નશો છોડો અભિયાનની પોલમપોલ…
Continue reading...ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે શેમારૂમીનો ડંકો, ‘યમરાજ કોલિંગ’ સિરીઝ બની સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ
‘યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ વેબસિરીઝ ગણાવી રહ્યા છે.
Continue reading...ભાજપના સ્નેહ મિલનમાં જવા કાર્યકર્તાઓને અપાઈ બે લીટર પેટ્રોલની કુપનો..!
૧૬૭-સુરત (પશ્ચિમ) વિધાનસભા વિસ્તાર લખેલ પેટ્રોલ પંપની કુપનની તસ્વીર સોશલ મીડિયા પર વાઇરલ
– સત્તા પક્ષે ભીડ ભેગી કરવા માટે પેટ્રોલ કુપની ફોર્મ્યુલા અપનાવી હોવાની ચર્ચા
એક્સિડન્ટમાં સમય મુક દર્શક બનીને રહેશો તો પસ્તાશો, આટલું કરો અને કમાઓ રૂ. 5 થી 25 હજાર!!!
તમે રસ્તેથી પસાર થતા હોવ અને તમારી આંખોની સામે કોઈ ઍક્સીડન્ટ થાય તો આપ પાંચથી પચ્ચીસ હજાર રૂપિયા કમાવી શકો છો! આ વાંચીને નવાઈ લાગી હશે! પણ આ હકીકત છે. કારણ કે વાહન અકસ્માતોને લઇ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ અોક્ટોમ્બર થી ઍક નવી પોલીસી અમલમાં લાવી છે. જેમાં અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ બચાવનાર વ્યક્તિ સરકાર ઈનામ પેટે પાંચ હજાર રૂપિયા ઈનામ આપી સમ્માનિત કરશે
Continue reading...ST કોર્પોરેશનને દીવાળી માં ચાંદી જ ચાંદી, રોજની સરેરાશ 1.31 કરોડની કમાણી થઈ
21 દિવસમાં 13.96 લાખ લોકોએ એસ.ટી બસમાં મુસાફરી કરી
ખાનગી બસોના બેફામ ભાડા નહીં પોસાતા લોકો ગુજરાત સરકારની એસટી બસો તરફ વળ્યાં
Continue reading...માનહાનિ કેસઃ રાહુલ ગાંધીઍ સુરત કોર્ટમાં વધારાનું સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હું કંઈ જાણતો નથી!
તમામ મોદી ચોર હોવાના નિવેદન પર કેસ ચાલી રહ્યો છે
Continue reading...પ્રેમ માટે દીકરીઍ માતા-પિતા સાથે કર્યું આવું કૃત્ય જાણીને ચોંકી જશો…!
સુરત શહેરના ડિંડીલી વિસ્તારમાં પ્રેમ માટે દીકરીએ કારસ્તાન કર્યાનો વિચિત્ર કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. દીકરીએ પ્રેમી સાથે ભાગવા માટે માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવી દીધા હતા. ત્યારબાદ પરિવાર સૂઈ જતા ભાગીને પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. ઘટનાની જાણ થતા પરિવાર પોલીસ સ્ટેશન દીકરીને સમજાવવા ગયું હતું. જોકે, દીકરીએ પ્રેમી સાથે જ રહેવાનો નિર્ણય પરિવારને સંભળાવી દીધો હતો. જેથી પિતાએ પુત્રી અને તેના પ્રેમી અને પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે પુત્રી અને તેના પ્રેમી એવા પતિની ધરપકડ કરી છે. આ અગાઉ પ્રેમી એવા પતિના પિતાની અટકાયત કરાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે, ડિંડોલી વિસ્તારમાં દિવ્યેશભાઈ (નામ બદલ્યું છે) પત્ની, પુત્ર અને પુત્રી ખ્યાતિ (નામ બદલ્યું છે) સાથે રહે છે. દીકરીએ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા સંદિપ (નામ બદલ્યું છે) સાથે એક દિવસ ભાગી ગઈ હતી. ત્યારબાદ તેને સંદિપના મામાના ઘરેથી સમજાવી પર લઈ આવ્યા હતા અને બંનેના પ્રેમસંબંધ અંગે જાણ થઈ હતી.
ગત 12 સપ્ટેમ્બરના રોજ પરિવારના તમામ સભ્યો ઘરે હાજર હતા. સાંજે ખ્યાતિએ આલુ પરોઠા બનાવ્યા હતા. ત્યારબાદ પરિવારે પરોઠા ખાધા હતા અને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે દિવ્યેશભાઈ ઉંઘમાંથી જાગતા ચક્કર આવતા હતા અને પરિવાર પણ સૂતો હતો. ચક્કર આવતા હોવા છતાં દીકરીને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે તમારી દીકરી ખ્યાતિએ સંદિપ સાથે પ્રેમલગ્ન કરી પોલીસ સ્ટેશન આવ્યા છે. જેથી પરિવાર પોલીસ સ્ટેશન દોડી ગયું હતું.
પોલીસ સ્ટેશનમાં દીકરી ખ્યાતિ, તેનો પ્રેમી સંદિપ અને સંદિપના માતા-પિતા હાજર હતા. પોલીસે ખ્યાતિએ લગ્ન કરી લીધા હોવાના સર્ટિફિકેટ બતાવ્યા હતા. જેથી દીકરીને સમજાવી હતી. જોકે, ખ્યાતિએ જણાવ્યું હતું કે, હું અને સંદિપ પ્રેમ કરીએ છીએ. સંદિપના પિતાના કહેવાથી મેડિકલમાંથી ઘેનની ગોળીઓનો ભુક્કો પરાઠામાં નાખી ખવડાવ્યા હતા. રાત્રીના સમયે ઘેનમાં સૂઈ જતા સોસયટીમાં જ ઉભેલા સંદિપ અને તેના પિતા સાથે બાઈક બેસી ભાગી ગઈ હતી. હું તમારી સાથે આવવાની નથી.
દીકરીએ ઘેનની ગોળીઓ પરોઠામાં નાખી ખવડાવી હોવાની જાણ થતા દિવ્યેશભાઈ અને તેમના પત્ની ગભરાઈ ગયા હતા. ચક્કર અને માથું દુખતું હોવાથી બંને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા હતા. જ્યાં પોલીસ પણ આવી હતી અને દીકરી પરત આવી જશે તેનો આશ્વાસન આપ્યું હતું જેથી જેતે સમયે ફરિયાદ આપી ન હતી. જોકે, પરિવારના સમજાવવા છતાં દીકરી પરત ન આવતા પિતાએ દીકરી, તેના પ્રેમી અને પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેતી પોલીસે ખ્યાતિ અને તેના પતિ સંદિપની ધરપકડ કરી છે.
પતિ મોબાઇલમાં અશ્લિલ વીડિયો જાઈ પત્ની સાથે બાંધતો શારીરિક સંબંધ, ઇનકાર કરે તો પત્નીને માર મારતો
પત્નીની ફરિયાદના આધારે પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Continue reading...ગુજરાતમાં સિનિયર મંત્રીઓ બાદ ધારાસભ્યો પર સંકટ, 2022ની ચૂંટણીમાં રૂપાણી સરકારના 60 ટકા ધારાસભ્યો ઘેર બેસી શકે છે
±õÀ ÖßÎ FÝëßõ ±ëÜ ±ëØÜí ÕëËa નવયુવાનોને તક આપી રહી છે, ત્યારે ભાજપને પણ હવે યુવાનોને વધુ ચાન્સ આપવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે
Continue reading...સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન અંતર્ગત ગ્રીનમેન વિરલ દેસાઈએ કરી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન ટ્રી પ્લાન્ટેશનના માધ્યમથી કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
ગ્રીનમેન વિરલ દેસાઈ સો જેટલા કર્મચારીઓ સાથે પ્લાન્ટેશન કરીને કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
સુરત: ગ્રીનમેન વિરલ દેસાઈની આગેવાનીમાં કાર્યરત હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા રાંદેરના સુલતાનિયા જીમખાના ખાતે દોઢસો વૃક્ષો રોપીને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વૃક્ષારોપણમાં આંતરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ આર્કિટેક્ટ ફર્મ ઈન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સના સો જેટલા કર્મચારીઓ વિશેષરૂપે હાજર રહ્યા અને તેમણે ગ્રીનમેન વિરલ દેસાઈ પાસે વૃક્ષારોપણ બાબતે માર્ગદર્શન લીધું હતું.
ઉલ્લેખનીય છે કે સુરતની ઈન્ટરનેશનલ સર્વિસ પાર્ટનર્સ (આઈએસપી)ના યુવાન આર્કિટેક્ટ્સ તેમજ એન્જિનિયર્સે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગ્રીનમેન વિરલ દેસાઈને વિશેષરૂપે આમંત્રિત કરીને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન સાથે વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું હતું, જેથી તેમની સંસ્થામાં કામ કરતા સોથી વધુ યુવાન કર્મચારીઓને વૃક્ષો પ્રત્યે ભાવના કેળવાય અને તેઓ પર્યાવરણ સાથે નિસ્બત કેળવે. આ માટે આઈએસપીના ડિરેક્ટર હિરેન પટેલે કહ્યું હતું કે, ‘અમે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનનાં પર્યાવરણીય કાર્યોથી પ્રભાવિત હતા એટલે અમારી આખી ટીમ તેમની સાથે વૃક્ષારોપણ કરે એવી અમને ઈચ્છા હતી. આ વૃક્ષારોપણ બાદ અમારા કર્મચારીઓ પ્રકૃતિની સેવા કરીને અત્યંત ખુશ થયા અને તેમણે વિરલભાઈ પાસે પર્યાવરણની માહિતી મેળવીને એજ્યુકેટ થયા હતા.’
તો ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે, ‘એક તરફ યુવાપેઢી પ્રકૃતિ અને પર્યાવરણથી વિમુખ થઈ રહી છે એવા સમયે આઈએસપી જેવી સંસ્થાના સોથી વધુ કર્મચારીઓ અમારી સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુહિમ અંતર્ગત ઉત્સાહભેર વૃક્ષારોપણ માટે આવે એ મારા જેવા પર્યાવરણવાદી માટે અત્યંત આશા અને આનંદની બાબત છે.’
આઈએસપીનાં ધારા ઉપાધ્યાયે આ પ્રસંગે કહ્યું હતું કે, ‘એક તરફ કેટલાક લોકો એનજીઓને નામે ઉઘરાણી અને એજેન્ડાની ગતિવિધિમાં પડ્યા છે ત્યારે સુરતમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન એવી સંસ્થા છે, જે ગાંઠનું ગોપીચંદન કરીને પણ પર્યાવરણ માટે કાર્યરત રહે છે અને દેશની સેવા કરે છે.’
ઉલ્લેખનીય છે કે વૃક્ષારોપણના આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ યુવાનોને એનવાર્યમેન્ટ અને ટ્રી પ્લાન્ટેશન વિશેની અનેક અવનવી તેમજ માહિતીપ્રદ વાતો શેર કરી હતી. જેને પગલે અનેક આર્કિટેક્ટ અને એન્જિનિયર યુવાનોએ વિરલ દેસાઈની સંસ્થામાં પર્યાવરણ સેનાની બનવાની તૈયારી દાખવી હતી.