ગુજરાત ખબર

“અધ્યાશક્તિ” દ્વારા વિદ્યાર્થીનીઓમાં આત્મવિશ્વાસ અને તેમની માન્યતાઓ પર ચિંતનની નવી લહેર…: અ.નિ.સ. યુવા ટીમ દ્વારા એક પ્રશંસનીય પહેલ

 

નવી દિલ્હી, એપ્રિલ 2025 — દિલ્હી યુનિવર્સિટીના ઇન્દ્રપ્રસ્થ કોલેજ ફોર વુમન ખાતે ‘આધ્યાશક્તિ’ કોર્ષ હેઠળ, અ.નિ.સ. (A.Ni.S.) યુવા ટીમ દ્વારા આયોજિત બે દિવસીય ખાસ કાર્યક્રમે યુવાન વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને નવી ઉર્જાનો સંચાર કર્યો. અનુભવી યુવા ટીમના કોચ વૈભવ પરીખ ના નેતૃત્વ હેઠળ, યુનિવર્સિટીની મહિલા વિદ્યાર્થીઓએ તેમની શક્તિ અને નબળાઈઓ વિશે ચર્ચા કરી. જ્યારે યોગ્ય માર્ગદર્શન અને આત્મવિશ્વાસ હોય છે, ત્યારે અશક્ય પણ શક્ય બને છે – વૈભવ પરીખે વિદ્યાર્થીઓ સાથે આ વિષય પર ચર્ચા કરી.

સત્રની શરૂઆત એક પ્રેરણાદાયી વાર્તાથી થઈ જેમાં વિદ્યાર્થીઓને શીખવવામાં આવ્યું કે તેમની સૌથી મોટી તાકાત તેમની પોતાની માન્યતાઓમાં રહેલી છે. તેઓએ પોતાની સ્વ-સંચાર અને નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત કરવા માટે વ્યવહારુ પદ્ધતિઓ શીખી. ટીમ અધ્યાશક્તિનો ઉદ્દેશ પણ એ જ હતો.

પોતાના સંબોધનમાં, ટ્રેનર વૈભવ પરીખ એ પોતાના વિચારો દ્વારા સમજાવ્યું કે, “જેમ મૂળ વૃક્ષને શક્તિ આપે છે, તેવી જ રીતે વ્યક્તિની પોતાના વિશેની માન્યતાઓ તેના જીવનના વિકાસનો પાયો છે.” તેથી, તેમણે તારણ કાઢ્યું કે સમય સમય પર તમારી માન્યતાઓ પર પ્રશ્ન ઉઠાવવો, તેનું પરીક્ષણ કરવું અને જો જરૂરી હોય તો તેમાં ફેરફાર કરવો એ આત્મવિશ્વાસ માટે અત્યંત જરૂરી છે.

આધ્યાશક્તિના વિવિધ સત્રોમાં, વિદ્યાર્થીઓને નેતૃત્વ કૌશલ્ય, વાતચીત કૌશલ્ય અને માનસિક શક્તિ જેવા પાસાઓ પર તાલીમ આપવામાં આવી હતી. દરેક પ્રવૃત્તિએ તેમનામાં આત્મમૂલ્યાંકન અને આત્મનિર્ભરતાની ભાવના મજબૂત રીતે વિકસાવી.

અ.નિ.સ. શ્રીમતી આધ્યાશક્તિના સ્થાપક ગીતા શ્રોફે કહ્યું, “‘આધ્યાશક્તિ’ માત્ર એક અભ્યાસક્રમ નથી, તે એક ચળવળ છે – જે યુવતીઓને તેમની શક્તિને ઓળખવા અને તેનો સકારાત્મક દિશામાં ઉપયોગ કરવા પ્રેરણા આપે છે.”

આ કાર્યક્રમમાં અ.નિ.સ. યુવા ટીમના અન્ય સિનિયર કોચ – પમીર શાહ, રાજન સિંહ, નિયતિ વિજ એ પણ ખાસ સત્રો લીધા જ્યાં તેમણે વિદ્યાર્થીઓને પ્રેરક અને વ્યવહારુ કસરતો અને વ્યક્તિગત અનુભવોથી સશક્ત બનાવ્યા. યુવાન નિશા બાંથ અને નિશા આનંદ એ પણ ખાસ સહયોગ આપ્યો. આ બે દિવસના સત્રોએ આધ્યાશક્તિના આ ખાસ વર્કશોપને સંપૂર્ણ અનુભવ બનાવ્યો. આઈ પી કોલેજના ‘પ્રોફેસર પૂનમ કુમરિયા’ અને તેમની ટીમે આ કાર્યક્રમમાં ખૂબ જ ખાસ સહયોગ આપ્યો.

‘આધ્યાશક્તિ’ એક એવી પહેલ છે જે આજની વિદ્યાર્થીનીઓને તેમના સ્વ-નેતૃત્વ દ્વારા સમાજ અને રાજકારણમાં પરિવર્તન લાવવા માટે યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા સાથે તૈયાર કરે છે. જેથી તેઓ આવતીકાલના સમાજ નિર્માતા બની શકે.

ગુજરાતીમાં ઇમાનદાર પત્રકારત્વના 10 વર્ષ પછી Khabarchhe.comની હિંદી અને અંગ્રેજીમાં એન્ટ્રી

 

સૂરત, 1 મે, 2025 – 1 મે, 2014ના રોજ જ્યારે Khabarchhe.com શરૂ થયું, ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતમાંની ડિજિટલ પત્રકારત્વ એક નવું-સવું ક્ષેત્ર હતું. માર્કેટ તૈયાર ન હતું. કોઇ ગંભીરતાથી લેતું ન હતું. સનસનાટી ફેશનમાં હતી. જો ટકવું હોય તો સમાધાન કરવા જ પડે, તેમ મનાતું હતું.
એ વખતે Khabarchhe.comએ નિર્ણય કર્યો –ખોટા હેડલાઈન્સની લાલચમાં ન ઊતરીએ. સાચા અને ઇમાનદાર પત્રકારત્વને વળગી રહીએ. કોઇ સમાધાન ન કરીએ.

Khabarchhe.comના સ્થાપક તંત્રી ઉત્કર્ષ પટેલ કહે છે, “શરૂઆતથી જ ન કોઇ ઇન્વેસ્ટરનું બેકિંગ હતું, ન કોઇ નો સીધો કે આડકતરો સપોર્ટ. અમે 10 વર્ષ માત્ર એક જ મૂલ્ય લઇને ચાલ્યા છીએ –ઇમાનદાર પત્રકારત્વ. અમને દરેક ક્લિકે વાચકોનો વિશ્વાસથી કમાવી આપ્યો. દરેક વાચક અમારી સાથે ખબરની સાચી કદર કરીને જોડાયો.”

દરેક નવા દિવસ સાથે Khabarchhe.com એ પોતાનું વચન પાળ્યું – કોઇ સેન્સેશન નહીં માત્ર સીધા અને સ્પષ્ટ સમાચાર આપ્યા. જ્યાં અનેક પોર્ટલ્સ ક્લિક મેળવવા માટે મૂલ્યોની બલિ ચઢાવતા, ત્યાં અમે સ્પષ્ટતા અને સાહસ સાથે અસ્તિત્વ જાળવીને સતત વિકાસ કર્યો. શરૂઆતમાં મુશ્કેલી હતી. બજાર સિદ્ધાંતોને ઇનામ નથી આપતું. પણ વાચકો મળ્યા. અને રોજ નવા મળી રહ્યા છે.

આજે 10 વર્ષની સફર પૂરી કરીને, Khabarchhe.comએ માત્ર અસ્તિત્વ ટકાવી રાખ્યું નથી –સતત વિકાસ કર્યો છે. હવે શરૂ થાય છે હિન્દી અને અંગ્રેજી પોર્ટલ્સ જેથી ગુજરાત અને ગુજરાતના હિતની વાત હવે દેશ અને વિશ્વમાં પહોંચશે. અને સાથે આવશે હાઇપરલોકલ ન્યૂઝ, જ્યાં દરેક શહેરની વાત માટે જગ્યા હશે.

Khabarchhe.com જ્યારે શરૂ કરાયું ત્યારે એક અખતરો કહેવાતો આજે ડિજિટલ પત્રકારત્વમાં એક સફળ મોડેલ બની ને સાબિત કરી રહ્યું છે કે ઇમાનદાર પત્રકારત્વ આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને ટકાઉ પણ છે.

નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસિકો માટે કામ કરતી વિશ્વ ની એકમાત્ર સંસ્થા Progress Alliance દ્વારા આયોજિત વંદન ઉત્સવમાં 300+ બિઝનેશમેનોએ કરી માતૃ – પિતૃ વંદના

 

સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે Progress Alliance દ્વારા માતા પિતાનું ઋણ ચુકવવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદભૂત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવયું હતું.

સમાજમાં મોટો પરિવર્તન લાવવા માટે પ્રોગ્રેસ એલાયન્સની એક અનોખી પહેલ

એક પરિવાર માટે સૌથી વધારે આનંદ અને ખુશી ની અનુભુતિ મેળવવા નો એક અનોખો વંદન પ્રોગ્રામ જ્યાં જન્મ જન્મ ના સંબંધો બને છે. અને ભગવાનના રૂપમાં રહેલા માતા અને પિતાના આંસુઓમાં પવિત્ર જળ માં એના બાળકો સ્નાન કરે છે.

એક અનોખી, અદ્ભુત અને અવિસ્મરણીય પ્રોગ્રામ સમાજને એક કરવા અને તૂટેલા પરિવારોને એક કરવા માટેની પહેલ, વંદન

ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ. મેરા કુંભમેળા કા સ્નાન મેરે માતા પિતા કે ચરણોમે. વંદન એ પરસ્પર અણબનાવ અને મતભેદને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયાસ છે.


વંદન ઉત્સવ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 300+ પરિવાર ના 2000થી પણ વધારે વ્યકિતઓ એ ભાગ લીધો હતો.

આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીઓ જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચુકવી નથી શકતા, જીવનમાં આ વસવસો રહી જાય છે. જીવનમાં માતાપિતા એ દીકરા દીકરીને જે આપ્યું છે તેનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર અસફળ રહી જાય છે. માતાપિતાએ જે આપણા માટે કર્યું છે જેનું ઋણ આપણે ક્યારેય ચુકવી નથી શકતા, ત્યારે વંદન ઉત્સવ દ્વારા એ ઋણ અદા કરવાનો પ્રયાસ Progress Alliance દ્વારા કરવામાં આવ્યો હતો.

ખરેખર પરમાત્મા ત્યાં હાજર હોય તેવા અહેસાસ નો અનુભવ આવનાર લોકો ને થયો Progress Alliance બિઝનેસમેનના જીવન ના દરેક ક્ષેત્ર પર કામ કરે છે, ત્યારે માતાપિતા કેમ બાકી રહી જાય? ત્યારે માતા પિતાનું ઋણ જાણીને તેમનો આભાર વ્યકત કરવાના ઉદ્દેશ્ય સાથે વંદન ઉત્સવ જેવા અદભૂત પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ વંદન ઉત્સવમાં 300+ બિઝનેસમેનોએ ભાગ લીધો અને પોતાના માતાપિતાને પોતાની સફળતા બદલ અને પાલન પોષણ કરી લાયક બનાવવા અને દેશ દુનિયા અને શહેરમાં દરેક સાથે ઊભા રહી શકીએ એવા સક્ષમ બનાવવા બદલ આભાર ની લાગણી વ્યક્ત કરી, અને સંપૂર્ણ રીતે સમર્પણ ભાવથી માતાપિતાનું અભિવાદન કર્યું હતું.

રેંટિયો નાં ૯૦ વર્ષ – એક સફર ગુજરાતી ઘરોમાં પોષણ અને વિશ્વાસનો ૯૦ વર્ષનો વારસો ધરાવતી દેશી તુવેર દાળની આ બ્રાન્ડ સાથે સંકળાયેલો છે આઝાદીનો ઈતિહાસ

 

અમદાવાદ, એપ્રિલ 25: દરેક ગુજરાતી રસોડાના હૃદયમાં ઉકળતી તુવેર દાળની મનમોહક સુગંધ ફક્ત એક દૈનિક ખોરાક નહીં પરંતુ એક પરંપરા છે. આપણા ગુજરાતી ઘરોમાં તો દાળનાં સ્વાદ પ્રત્યે ખુબ ચિવટ રાખવામાં આવે છે. સુરતના એક ગુજરાતી પરિવાર દ્વારા આઝાદી પહેલા સ્થાપવામાં આવેલી રેંટિયો તુવેર દાળ, છેલ્લા નવ દાયકાઓથી પરંપરાનો અભિન્ન ભાગ રહી છે, જે શુદ્ધતા, ગુણવત્તા અને ઘરમાં રાંધેલા ભોજનની કાયમી હૂંફનું પ્રતીક છે.

આ બ્રાન્ડે 90 વર્ષના મહોત્સવનું સેલિબ્રેશન કર્યું, પરંતુ ધ્યાન ખેંચ્યું ત્યારે જ્યારે આ સેલિબ્રેશનનો હેતુ હતો આભાર વ્યક્ત કરવાનો દરેક મહાનુભાવનો, અને તે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોથી ભરેલો હતો.

સ્વતંત્રતા અને અખંડિતતામાં મૂળ ધરાવતો વારસો
ભારતની સ્વતંત્રતાની ચળવળ દરમિયાન, મહારાષ્ટ્રના નવાપુરમાં 1935માં શ્રી મંગળદાસ ચોખાવાલા દ્વારા સ્થાપિત રેંટિયો તુવેર દાળનો જન્મ, દેશભરના ઘરોને શ્રેષ્ઠ, દેશી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ તુવેર દાળ પૂરી પાડવાના વિઝનમાંથી થયો હતો. ‘રેંટિયો’ નામ, જેનો અર્થ ગુજરાતીમાં ‘ચરખો’ થાય, તે ચોખાવાલા પરિવારના ગાંધીજીની ચળવળમાં સહભાગી થવાનું પ્રતિબિંબ છે. રોજનું ચરખા કાંતવાનું કર્મ પરિવાર માટે ધાર્મિક વિધિ સમાન હતું.

શ્રી મંગળદાસ ચોખાવાલાએ અનોખી ‘ડ્રાય પ્રોસેસ’ (પાણીના ઉપયોગ વિના) દ્વારા ફક્ત દેશી તુવેર અને કોટન સીડ ઓઈલનો ઉપયોગ કરીને તુવેર દાળનું ઉત્પાદન શરૂ કર્યું. બ્રાન્ડનું નામ ‘રેંટિયો’ તેમનાં આ ચરખાની શ્રદ્ધાંજલિરૂપ હતું. ગુણવત્તા અને શુદ્ધતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાએ પહેલા ગુજરાત અને પછી સમગ્ર ભારતમાં પરંપરાનું પાયો નાખ્યો. આજે રેંટિયો તુવેર દાળ વિશ્વભરમાં એક્સપોર્ટ થાય છે. નવાપુર સ્થિત તેમની ફેક્ટરીમાં રોજે રોજ 80–90 મેટ્રિક ટન દાળનું ઉત્પાદન થાય છે.

રેંટિયો તુવેર દાળના CEO શ્રીમતી શીતલ ચોખાવાલા વાણીએ જણાવ્યું હતું કે, “રેંટિયો તુવેર દાળની શરૂઆત આઝાદી પહેલા અને ગુજરાત-મહારાષ્ટ્રના વિભાજન પહેલા, 1935માં ઉત્તર મહારાષ્ટ્રના ભાગ કહેવાતા નવાપુર ખાતે થઈ હતી. દેશી તુવેર દાળ માટેની વિશ્વસનીય ઓળખ તરીકે રેંટિયો હંમેશાં લોકપ્રિય રહી છે. ચાર પેઢીઓથી લોકો રેંટિયોનો આસ્વાદ લઈ રહ્યાં છે, જે આ બ્રાન્ડની સફળતા દર્શાવે છે. આ વર્ષે 90 વર્ષના માઈલસ્ટોનની ઉજવણીના ભાગરૂપે, રેંટિયો સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટર્સ, વેપારીઓ અને વિશિષ્ટ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રેંટિયોની 90 વર્ષની સફર રજૂ કરવામાં આવી હતી.”

બોક્સ: રેંટિયોની સફર – The Journey

  • 1935માં મહારાષ્ટ્રના નવાપુર ખાતે સ્થાપના
  • પ્રતિદિન 80 થી 90 મેટ્રિક ટન તુવેર દાળનું ઉત્પાદન
  • તુવેર દાળ સાથે જ જુવાર અને ઈન્દ્રાયણી ચોખાનું ઉત્પાદન
  • યુકે, યુએસએ, કેનેડા, સિંગાપોર અને દુબઈ ખાતે એક્સપોર્ટ

ઘર-ઘર રેંટિયો
1970ના દાયકામાં શ્રી વિપીનભાઈ ચોખાવાલા, જે આજે કંપનીના ચેરમેન છે, તેમણે સૌપ્રથમ નાના પેકિંગની કલ્પના કરી હતી. 1, 2, 5, 10 અને 25 કિલોગ્રામ પેકિંગની શરૂઆત કરી.

આ પહેલથી ગ્રાહકોને શુદ્ધ અને સ્વસ્થ ઉત્પાદનોની પહોંચ સુનિશ્ચિત થઈ અને રિટેલરોમાં ગુણવત્તાયુક્ત માલના વેચાણમાં વિશ્વાસ ઉભો થયો. રેંટિયો નાના પેકેજોમાં વેચાણ કરતી અગ્રણી બ્રાન્ડ બની, અને વિશ્વસ્તરિય પ્રક્રિયા દ્વારા દાળના પોષણ મૂલ્યને જાળવી રાખ્યું.

ગુજરાતમાં તુવેર દાળ માત્ર એક વાનગી કરતાં વધુ છે; તે સુકુન, પરંપરા અને પારિવારિક બંધનોનું પ્રતીક છે. નમ્ર દાળ-ભાતથી લઈને ઉત્સવની ભવ્ય વાનગીઓ સુધી, રેંટિયો તુવેર દાળ અસંખ્ય ભોજનમાં મૌન સાથી રહી છે, જે પરિવારોને ડાઇનિંગ ટેબલની આસપાસ એકત્રિત કરે છે.

વિશ્વાસ અને ગુણવત્તાનું પ્રતીક
ગુજરાતી ઘરમાં રેંટિયો તુવેર દાળ ફક્ત એક સામગ્રી નથી; તે પરિવારના રાંધણ વારસાનો એક મૌલિક ભાગ છે, જે લોકો વચ્ચે જોડાણ બનાવે છે અને દરેક ભોજન સાથે જીવનને સમૃદ્ધ બનાવે છે.

નમ્ર શરૂઆતથી ઘરેલુ નામ બનવા સુધીની રેંટિયોની સફર, ગુણવત્તા અને શુદ્ધતા પ્રત્યેની અટૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. બ્રાન્ડ જ્યારે ભારતીય પરિવારોના પોષણની 90 વર્ષની ઉજવણી કરે છે, ત્યારે તે તેની મૂળભૂત મૂલ્યોને જાળવી રાખે છે, ખાતરી કરે છે કે દરેક દાળનો દાણો વિશ્વાસ, પરંપરા અને સ્વાદનો વારસો ધરાવે છે.

નવીનતા સાથે ભવિષ્યને સ્વીકારવું
CEO શ્રીમતી શીતલના નેતૃત્વ હેઠળ, રેંટિયો ફૂડ્સ પોતાના મૂળ મૂલ્યો પ્રત્યે સાચું રહીને સતત વિકાસ પામે છે. કંપનીએ ઈ-કોમર્સ અને આધુનિક વેપારમાં પ્રવેશ કરીને કુદરતી પોષણનો વારસો નવી પેઢી સુધી પહોંચાડવાનું યત્ન કર્યું છે.

શું બનાવે છે રેંટિયોને ખાસ?

  • રાસાયણ કે કીટનાશક વિના કરવામાં આવેલી ખેતી
  • પાણીના ઉપયોગ વિના અનોખી ડ્રાય પ્રોસેસથી બનાવવામાં આવે છે
  • આ પ્રોસેસને લીધે દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે રહે છે
  • કપાસીયા તેલ લગાવી, સૂર્યપ્રકાશમાં તપાવીને પેક કરવામાં આવે છે જેથી ટેસ્ટ અને પોષક તત્વો જળવાય રહે
  • દાળ ઘસવામાં ચામડાનો ઉપયોગ નથી થતો
  • દરેક દાણો ક્વોલિટી કંટ્રોલ ચેક પાસ કરે છે, જેથી ગુણવત્તા શ્રેષ્ઠ સ્તરની રહે
હવે ATM થકી મેળવી શકાશે ગોલ્ડ અને સિલ્વર, ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા દેશનું પહેલું અત્યાધુનિક ગોલ્ડ ATM લોન્ચ કરાયું

 

યુપીઆઇ અને કાર્ડ થકી સોના અને ચાંદીના સિક્કાઓ 24 કલાક આ ATM થકી મેળવી શકાશે

સુરત. અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે ATM નો ઉપયોગ કરતા હોય છે પણ હવે ATM થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી.ખુલાશભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શોરૂમ દ્વારા ઊભી કરવામાં આવી છે. ડી.ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને ગોલ્ડ ATM લોન્ચ કરવામાં આવ્યું છે જેના થકી કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ટ્રાજેક્શન થી સોના અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે.

આ અંગે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ સુરતના સંચાલક દીપકભાઈ ચોક્સી અને દીપ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણા લોકો વિવિધ પ્રસંગોમાં સોનાના કે ચાંદીના સિક્કા ભેંટ તરીકે આપતા હોય છે. પરંતુ અત્યાર સુધી એ મર્યાદા હતી કે રાતના સમયે કોઈને ગિફ્ટ માટે સોનું કે ચાંદી ખરીદવું હોય તો જ્વેલર્સને દુકાન ખોલવા માટે વિનંતી કરવામાં આવતી અને ત્યારે તે ખરીદી શકાતું હતું. આ ગ્રાહકોને આ મર્યાદા નહીં નડે અને તેઓ 24 કલાક સોનું કે ચાંદી ખરીદી શકે તે માટે હંમેશા જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં ઇનોવેશન માટે પ્રખ્યાત અને જૂની અને જાણીતી બ્રાન્ડ એટલે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ સુરત કંઈક નવું કરવાનું વિચાર્યું અને તે વિચાર આજે ગોલ્ડ એટીએમ મશીન તરીકે મૂર્તિમંત થયો છે. હૈદરાબાદની એક કંપનીના સહયોગથી ગોલ્ડ એટીએમ મશીન તૈયાર કરવામાં આવ્યું છે અને આજરોજ જિલ્લા કલેક્ટર ડૉ.સૌરભ પારધીના હસ્તે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે.

  • આ રીતે ગોલ્ડ એટીએમ મશીન કરશે કામ

દીપભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે આ ગોલ્ડ એટીએમ મશીન અન્ય એટીએમ મશીનની જેમ જ બનાવવામાં આવ્યું છે. પણ કેશ ટ્રાન્જેક્શન થકી વ્યવહાર થશે નહીં. યુપીઆઈ અને કાર્ડ થકી એટીએમ મશીન માંથી કોઈ પણ વ્યક્તિ 24 કલાક સોના કે ચાંદીના સિક્કા ખરીદી શકશે. જેમાં અડધા ગ્રામથી લઈને દસ ગ્રામ અને તેથી વધુ ગ્રામના સિક્કા ખરીદી શકાશે.

  • ગોલ્ડ એટીએમ મશીન લોન્ચ કરવા પાછળનો ઉદ્દેશ્ય
    દીપભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે ઘણી વખત લોકો ગિફ્ટ તરીકે સોનું કે ચાંદીના સિક્કા આપવા ઇચ્છતા હોય છે કા તો ઇન્વેન્સ્ટ કરવા માંગતા હોય છે. પણ રાત્રિના સમયે દુકાનો કે શોરૂમ બંધ હોવાના કારણે ખરીદી શકતા નહીં અને તેઓ બીજી કોઈ વસ્તુ ગિફ્ટ તરીકે ખરીદે છે. જોકે સોનું કે ચાંદી એવી વસ્તુ છે કે જે ભવિષ્યમાં વધુ કિંમત રળી આપે છે ત્યારે લોકો ગિફ્ટમાં સોનું કે ચાંદી ખરીદવા પ્રેરાય અને અડધી રાત્રે પણ તેઓ સોના કે ચાંદીના સિક્કા આસાનીથી ખરીદી શકે એ ઉદ્દેશ્ય ગોલ્ડ એટીએમ લોન્ચ કરવા પાછળ રહ્યો છે.
  • ડી.ખુશાલભાઈ જ્વેલર્સ વિશે :
    દીપકભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે વર્ષ 1997માં સુરત ખાતે ડી.ખુશાલભાઈ જ્વેલર્સ ની શરૂઆત થઈ હતી. જોકે આ તેઓનો પારિવારિક અને વારસાગત બિઝનેસ છે. આજે ચોથી જનરેશન આ વ્યવસાયમાં છે. આજે ચોક્સી પરિવારની ફોર્થ જનરેશન એવા દીપભાઇ ચોક્સી દ્વારા વેસુ વીઆઇપી રોડ ખાતે આધુનિક જ્વેલરી શોરૂમ શરૂ કરવાની સાથે જ આધુનિકતા સાથે સમન્વય કરી રાજ્યનું પહેલું ગોલ્ડ એટીએમ મશીન આ શોરૂમ ખાતે લોન્ચ કરવામાં આવ્યું છે. ડી.ખુશાલભાઈ જ્વેલર્સને છ વખત બેસ્ટ એક્સપોર્ટર્સ નો એવોર્ડ મળી ચૂક્યો છે. સાથે જ ડાયમંડ સાથે જ અલગ અલગ સ્ટોન અને સીવીડી ડાયમંડ જ્વેલરી માટે પણ ડી.ખુશાલભાઈ જ્વેલર્સ એ જાણીતું અને માનીતું નામ છે.
મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત અને IDT દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતમાંનું પ્રથમ બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો

 

CMAI FAB શો 2025 દરમિયાન, મુંબઈના નેસ્કો ગ્રાઉન્ડ્સ ખાતે ભારતમાં પહેલીવાર બ્લૂટૂથ સાયલન્ટ ફેશન શો યોજાયો, જે મણિધારી સિલ્ક મિલ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી (IDT) દ્વારા ડિઝાઇન કરાયો હતો।

આ અનોખા શોમાં દર્શકોને બ્લૂટૂથ હેડફોન દ્વારા સંગીત અને રેમ્પ શોનો અનુભવ મળ્યો, જેના કારણે એકંદર પરિસરમાં કોઇ અવાજ પ્રદૂષણ નહોતું અને શાંતિપૂર્ણ વાતાવરણ રચાયું।

આ વિચારના પાછળનો પ્રેરણાસ્રોત હતા CMAI FAB શોના ચેરમેન શ્રી નવિનજી સેનાની, જેમણે noise-free fashion showનું સૂચન કર્યું અને પ્રદર્શકો માટે disturbance વગરનું વાતાવરણ બનાવવા માટે પ્રેરણા આપી।

શોની સુંદર ક koregraphy પ્રખ્યાત ડિરેક્ટર શ્રી શાકિર શેખ દ્વારા કરવામાં આવી હતી, જેમણે visuals અને emotions દ્વારા even silent showને જીવંત બનાવી દીધો।

આ યાત્રા દરમિયાન માર્ગદર્શન આપનાર રીજનલ ચેરમેન શ્રી અજય ભટ્ટાચાર્યનું યોગદાન ખૂબ જ મૂલ્યવાન રહ્યું, જેમણે શરૂથી અંત સુધી માર્ગદર્શન આપ્યું।

ફેશન શોમાં રજૂ કરાયેલ કલેક્શન IDTની ડિઝાઇનર હિમાની અગ્રવાલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે મણિધારી સિલ્ક મિલ્સના ફેબ્રિકમાંથી તૈયાર કરાયું હતું અને તેનો થિમ “ફૌજી પ્રેરિત” હતો, જે દર્શકોના દિલને સ્પર્શી ગયો।

*મણિધારી સિલ્ક મિલ્સના પ્રમોટર શ્રી દિવ્યેશ ગુલેચાએ આ અનોખા અનુભવ વિશે *સંતોષ અને ગર્વ વ્યક્ત કર્યો અને આ પહેલને ખુબ વખાણી।

આ અનોખો શો એ સાબિત કરે છે કે કેવી રીતે ફેશન, ટેકનોલોજી અને ભાવનાઓનો મેલ એક યાદગાર અને શિષ્ટ અનુભવ આપી શકે છે।

એમ કાજો ટેકશો ફેબ ખાતે પાંચમું ધામ “વંદન” કાર્યક્રમ યોજાયો

 

એક સાથે 108 પરિવારોએ માતૃ પિતૃ પૂજન કરી માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તો 100 થી વધુ પરિવારના સભ્યો આ કાર્યક્રમના સાક્ષી બન્યા

સુરત. કાપડ અને ખાસ કરીને કુર્તી અને દુપટ્ટાનું મેન્યુફેક્ચરિંગ કરતી અગ્રણી કંપની એમ. કાજો ટેકશો ફેબ દ્વારા પ્રોગ્રેસ એલાયન્સ થી પ્રેરિત થઈને માતૃ પિતૃ પ્રત્યેનું ઋણ અદા કરવાના એક નાનકડા પ્રયાસના ભાગરૂપે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને પાંચમું ધામ “વંદન” નામ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 108 થી વધુ પરિવારોએ એક સાથે પોત પોતાના માતા પિતા નું પૂજન કરી તેમને વંદન કર્યા હતા.

આ અંગે એમ. કાજો ટેકશો ફેબના ફાઉન્ડર સદસ્યો વિજય કાજાવદરા , મનોજભાઈ ધોળિયા અને મનીષભાઈ ગોધાણીએ જણાવ્યું હતું કે આ દુનિયામાં માતા પિતાના ચરણો એ પાંચમું ધામ છે. તેઓના ૠણ આ જનમ તો શું સાત જન્મોમાં પણ ચૂકવી શકાય નહીં. પણ દરેક વ્યક્તિએ માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ એવા ઉદ્દેશ્ય સાથે જ એમ. કાજો ટેકશો ફેબ પ્રા. લિમિટેડ ખાતે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમ પાંચમું ધામ “વંદન” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં એમ. કાજો ટેકશો ફેબના 108 થી વધુ પરિવારોએ ભાગ લીધો હતો. જાણીતા પ્રેરક વક્તા મનીષભાઈ વઘાસિયા દ્વારા સામૂહિક રીતે માતૃ પિતૃ પૂજન કરાવવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ માતા પિતા નું જીવનમાં મહત્વ અંગે કેટલીક પ્રેરક વાતો પણ કહી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર 108 પરિવારોએ પોત પોતાના માતા પિતા નું પૂજન કરી અને તેમના ચરણોમાં શિશ ઝુકાવી કૃતજ્ઞતા વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી તો આ કાર્યક્રમમાં અન્ય 100 થી વધુ પરિવારોના સભ્યોએ હાજર રહી આ પ્રેરક કાર્યક્રમના સાક્ષી બન્યા હતા.

“ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તક વિમોચન સમારોહ યોજાયો

 

“દેશ વિરોધી તત્વો, આતંકવાદીઓની ખતરનાક ઈરાદા અને ષડયંત્ર જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ” : સાંસદ બ્રૃજલાલજી

સુરત : પુસ્તક વિમોચન સમિતિ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના તારામતી હોલ ખાતે બ્રૃજલાલજી (રાજ્યસભાના સાંસદ) ની ગુજરાતી બુક “ઇન્ડિયન મુજાહિદ્દીન – નિશાન ઉપર ગુજરાત” પુસ્તકનો વિમોચન સમારોહ 21 એપ્રિલ, સોમવારના રોજ યોજાયો હતો.

સાંસદ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ડીજીપી અને આ પુસ્તકના લેખક શ્રી બ્રૃજલાલજીએ કહ્યું હતું કે, “ભારતની પ્રગતિના વિરોધી કેટલાક કટ્ટરપંથી લોકો વર્ષ 2047 સુધીમાં ભારતને ગજવા એ હિન્દ, ઈસ્લામિક ઈન્ડિયા બનાવવા માંગે છે. સામાન્ય માણસ તેમના ઈરાદાઓથી અજાણ છે. દેશ વિરોધી તત્વોની ખતરનાક મનસા જાણવા માટે આ પુસ્તક સૌ કોઈએ જરૂર વાંચવું જોઈએ.”

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા મુખ્ય મહેમાન તરીકે મેયર દક્ષેશ માવાણી અને વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચાવડા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ ભરત શાહ, રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદ ધોળકિયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં શ્રી બ્રૃજલાલજીએ ઉત્તરપ્રદેશના ડીજીપી તેમજ ડીજી-સિવિલ ડિફેન્સ અને ડીજી-સીઆરપીએફ તરીકે તેમની કાર્યો અને અનુભવો અંગે માહિતી આપી હતી. વીતેલા વર્ષો દરમિયાન આતંકી સંગઠનો દ્વારા દેશના વિવિધ શહેરોમાં કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, લશ્કરે તોયબાનું ઇન્ડિયન વર્ઝન ઇન્ડિયન મુજાહિદ્દીન છે. આ પુસ્તકમાં તેમણે દિલ્હી, મુંબઈ, જયપુર, બનારસ, અમદાવાદ સહિતના શહેરોમાં કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ, આતંકી સંગઠનની યોજનાઓ, આતંકીઓને હથિયારો ચલાવવા અને બોમ્બ બનાવવા આપવામાં આવતી તાલીમ, તેમના ટાર્ગેટ, આતંકી સંગઠનને ફંડિંગ માટે દેશભરમાં વેપારીઓના અપહરણ, વર્ષ 2007-08 દરમિયાન ગુજરાતમાં રચવામાં આવેલા ષડયંત્ર, અમદાવાદ-સુરતમાં બોમ્બ બ્લાસ્ટની યોજનાઓ,
આતંકી તત્વો દ્વારા કરવામાં આવેલા ઇ-મેઈલ, ભડકાવનારા નિવેદનો, ગુજરાત પોલીસની કાર્યવાહી, કોર્ટમાં હિયરિંગ, આતંકીઓને થયેલી સજાઓ વગેરે બાબતોનો સવિસ્તાર ઉલ્લેખ કર્યો છે.

પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે કહ્યું હતું કે, એક સિવિલ સર્વન્ટ રહી ચૂકેલા ઉચ્ચ અધિકારી દ્વારા “સિવિલ સર્વન્ટ ડે” ના દિવસે જ આ પુસ્તકનું વિમોચન એ ઘણો મોટો સંયોગ છે. તેમણે ગુજરાતમાં આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવેલા બ્લાસ્ટ, પોલીસની કાર્યવાહી, આરોપીઓને થયેલી સજા અંગેની વાતો શેયર કરી હતી.

રેસીન દ્વારા સુરતમાં પ્રથમ-એવર ફ્લેગશિપ સ્ટોરનો આરંભ

 

અભિનેત્રી નીતાંશી ગોયલે બ્રાન્ડ સાથે એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ શૈલીમાં પદાર્પણ કર્યું

સુરત, ભારત – 20 એપ્રિલ, 2025: ભારતની સૌથી ઝડપથી વિકસતી સમકાલીન એથનિક અને ફ્યુઝન વેર બ્રાન્ડ્સમાંની એક રેસીન દ્વારા સુરતમાં તેના પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ના ભવ્ય રીતે શરૂઆત કરવામાં આવી છે. અભિનેત્રી નીતાંશી ગોયલે સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું.

આધુનિક ડિઝાઇન માટે જાણીતું રેસીન નો નવો ફ્લેગશિપ સ્ટોર તેના વિઝનનું ભૌતિક સંભારણું છે. એક ઇમર્સિવ રિટેલ સ્પેસ જે બ્રાન્ડની ઐતિહાસિક ક્ષણમાં લાવણ્ય, આરામ અને સમકાલીન એથનિક ફેશન ટચને મિશ્રિત કરે છે.

આ અવસરે રેસીન ના કો-ફાઉન્ડર વિકાસ પચેરીવાલે કહ્યું હતું કે “સુરતમાં અમારું પ્રથમ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ શરૂ કરવું તે એક ગર્વની અને ભાવનાત્મક ક્ષણ છે, આ સ્ટોર રૈસીન માટે જે છે તે બધું રજૂ કરે છે, અને નીતાંશી અમારી સાથે જોડાઈને તે સપનાને વાસ્તવિકતામાં ફેરવવાની ઉજવણી કરે છે.”

સુરત સ્ટોરના ફ્રેન્ચાઇઝ પાર્ટનર અતુલ ગુપ્તાએ ઉમેર્યું હતું કે,
” રેસીનની સફરનો ભાગ બનવા અને આ ફ્લેગશિપ અનુભવને જીવનમાં લાવવા માટે હું રોમાંચિત છું. આ અને માત્ર એક સ્ટોર જ નહીં, તે ભારતમાં ફેશન રિટેલના ભાવિનો પ્રવેશદ્વાર છે, અને અમે અમારા ગ્રાહકને આવકારવા માટે રાહ જોઈ શકતા નથી.

સમગ્ર ભારતમાં 250 થી વધુ મલ્ટી-બ્રાન્ડ આઉટલેટ ટચપોઇન્ટ સાથે એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ ફોર્મેટમાં એક બોલ્ડ નવા તબક્કાનો સંકેત આપે છે. સુરત ફ્લેગશિપ સ્ટોર સંપૂર્ણ કલેક્શન ઓફર કરે છે. ભવ્ય એથનિક સેટ અને રોજિંદા જરૂરી વસ્તુઓથી લઈને આધુનિક ભારતીય મહિલાઓની બહુમુખી વસ્ત્રોની જરૂરિયાતો માટે સ્ટાઇલિશ ફ્યુઝન પીસ-કેટરિંગ વગેરે અહીં ઉપલબ્ધ છે.

રેસીન માર્ચ 2025 સુધીમાં સમગ્ર દેશમાં 25 વધુ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે અને તેની વિસ્તરણ યાત્રામાં જોડાવા માટે ફ્રેન્ચાઈઝી ભાગીદારોને સક્રિયપણે આમંત્રિત કરી રહી છે.

ભવ્ય લોંચ ઈવેન્ટમાં ગ્રાહકો, પ્રભાવકો અને મીડિયાની ઉત્સાહપૂર્ણ હાજરી જોવા મળી હતી જેણે તેને બ્રાન્ડ માટે સીમાચિહ્નરૂપ દિવસ બનાવ્યો હતી.

થ્રેડ લિફ્ટની વધતી માંગને કારણે APTOS ની લોકપ્રિયતા વધી : સખીયા સ્કિન ક્લિનિક

 

સુરત  : હાલમાં જ્યારે નોન-સર્જિકલ એસ્થેટિક ટ્રીટમેન્ટની માંગ વધી રહી છે, તેવામાં ડર્મેટોલોજી અને એસ્થેટિક મેડિસિનના ક્ષેત્રે અગ્રણી, સખીયા સ્કિન ક્લિનિક, APTOS થ્રેડ લિફ્ટિંગ તરફ નવેસરથી ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ એક એવી પ્રક્રિયા છે, જેણે સર્જરીની જરૂરિયાત વગર ત્વચાને ઉપાડવા અને કાયાકલ્પ સાથે ફરીથી યુવાન બનાવવાની તેની ક્ષમતા માટે ખુબજ લોકપ્રિયતા મેળવી છે.

27 વર્ષથી વધુના અનુભવ અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે ક્લિનિકલ કુશળતાને જોડવાની મજબૂત પ્રતિષ્ઠા સાથે, સખીયા સ્કિન ક્લિનિક તેના ન્યૂનતમ ઈન્વેસીવ એન્ટિ-એજિંગ સોલ્યુશન્સના ભાગરૂપે, APTOS થ્રેડ લિફ્ટિંગની ઓફર કરે છે. આ સારવારમાં ઢીલી ત્વચાને ઉપાડવા અને કોલેજન ઉત્પાદનને ઉત્તેજીત કરવા માટે ઓગળી શકાય તેવા દોરાનો ઉપયોગ થાય છે. આ સારવાર પદ્ધતિ, ઓછા સમયમાં કુદરતી દેખાતા હોય તેવાં પરિણામો મેળવવા ઇચ્છતા લોકોમાં પસંદગીની ચોઈસ બની ગઈ છે.

સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક ડૉ. જગદીશ સખીયાએ જણાવ્યું હતું કે, “થ્રેડ લિફ્ટિંગ, ખાસ કરીને APTOS થ્રેડ્સનો ઉપયોગ, એવા દર્દીઓ માટે એક વિશ્વસનીય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે, જેઓ સર્જરીના જોખમ વગર વિઝીબલ હોય તેવાં સુધારા ઇચ્છે છે. અમે આમાંની ઘણી પ્રક્રિયાઓ કરી છે અને સતત સંતોષકારક પરિણામો આપ્યા છે. તે ખાસ કરીને ચહેરાના મધ્ય ભાગની શિથિલતા, ઝૂલતી ત્વચા, ગાલ, ગરદન અને ભમર માટે અસરકારક છે.”

પરંપરાગત ફેસલિફ્ટ્સથી વિપરીત, APTOS ટેકનિક પોલિલેક્ટિક એસિડ (PLA) અથવા પોલિકેપ્રોલેક્ટોન (PCL) થી બનેલા બાયોકોમ્પેટીબલ થ્રેડોનો ઉપયોગ કરે છે. જેને પેશીઓના પુનઃસ્થાપન(ફરીથી સ્થાન આપવા) અને કોલેજન ઉત્પાદન વધારવા માટે ઝીણી પાતળી સોય અથવા કેન્યુલાનો ઉપયોગ કરીને ત્વચાના સબક્યુટેનીયસ સ્તરમાં ધીમેધીમે દાખલ કરવામાં આવે છે.

આ પ્રક્રિયાના પરિણામો ન્યૂનતમ ઈન્વેસીવ હોવા ઉપરાંત, ઘણીવાર તાત્કાલિક હોય છે, જેની અસર લગભગ 6-12 મહિના સુધી રહે છે અને કોલેજન ઉત્તેજના 1.5 થી 2 વર્ષ સુધીના પરિણામ આપે છે. સમય જતાં વધુ સુધારો થાય છે કારણ કે, દોરા ઓગળી જાય છે અને ત્વચા અંદરથી પુનર્જીવિત થાય છે. આ ઉપરાંત, આ પ્રક્રિયામાં ફક્ત 45 મિનિટથી એક કલાકનો સમય લાગે છે. તે વિવિધ ક્ષેત્રો માટે અસરકારક છે અને પરિણામો પણ કુદરતી પ્રતીત થાય છે. APTOS થ્રેડ લિફ્ટિંગ એવા લોકો માટે કામ કરે છે, જેમની ત્વચામાં હળવાથી મધ્યમ શિથિલતા હોય છે. સામાન્ય રીતે 30-60 વર્ષની વય જૂથના લોકો અને જેઓ ઢીલી ત્વચા, કરચલીઓ, ગાલ અથવા ઢીલી પડી ગયેલી ભમર સુધારવા માંગે છે.

દેશભરમાં વિવિધ સેન્ટર્સના નેટવર્કનું સંચાલન કરતી સખીયા સ્કિન ક્લિનિક, દર્દીઓની બદલાતી જરૂરિયાતોને પૂરી કરતી સલામત અને પુરાવા-આધારિત સારવારને પ્રાથમિકતા આપે છે. APTOS થ્રેડ લિફ્ટિંગ એ સખીયા સ્કિન ક્લિનિકની અનેક અદ્યતન પ્રક્રિયાઓમાંની એક છે, જે વ્યક્તિને ફરીથી યુવાવસ્થા અને તેજસ્વી ચમક આપે છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને નજીકના સખીયા સ્કિન ક્લિનિક અથવા www.sakhiyaskinclinic.com ની વિઝિટ લો.