ગુજરાત ખબર

ટ્રી ગણેશા અને વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ, એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ‘ટ્રી ગણેશા’એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચ્યો છે. પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ‘ટ્રી ગણેશા’ મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ ઈવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક-સાંસ્કૃતિક ઈવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે.
‘ટ્રી ગણેશા’માં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્યલાયમેટચેન્જ’ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને ‘પર્યાવરણ સેનાની’ તરીકે તૈયાર કર્યા છે. આ મહોત્સવમાં સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે, જેના સમર્થનથી આ અભિયાને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે.

વિરલ દેસાઈએ જણાવ્યું, “ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે.”
ઉલ્લેખનીય છે કે ‘ટ્રી ગણેશા’માં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે, જે અંતર્ગત બાયોડાવર્સિટી, ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે. આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે. વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત.

સુરતમાં પ્રથમ વખત ઇવેન્ટ કોન્ક્લેવ: ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીને મળશે નવો આયામ
તારીખ: 23 ઑગસ્ટ 2025 સ્થળ: એડવૈતા બૅન્ક્વેટ એન્ડ લોન, ડુમસ એરપોર્ટ રોડ, સુરત
સુરત. સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશન (SGEMA) દ્વારા સુરતમાં પ્રથમ વખત ભવ્ય ઇવેન્ટ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મંચ ઇવેન્ટ મેનેજમેન્ટ ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલ્સ, નિષ્ણાતો અને ઉત્સાહી લોકોને એક સાથે લાવીને જ્ઞાન-વિનિમય, નેટવર્કિંગ અને વ્યવસાયના વિસ્તરણ માટે નવા અવસર પૂરા પાડશે. આ કાર્યક્રમમાં 500+ વ્યક્તિઓ જોડાશે તેવી અપેક્ષા છે.આ
કાર્યક્રમનો પ્રારંભ 23 ઑગસ્ટ સવારે 10:00 વાગ્યે થશે. કીનોટ એડ્રેસ સબ્બાસ જોસેફ આપશે, જે રાષ્ટ્રીય સ્તરે ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીનું પ્રતિષ્ઠિત નામ છે. ત્યારબાદ ચાર સત્રો—સંગમ, મंथન, બજાર અને ઉત્સવ—રૂપે કાર્યક્રમ આગળ વધશે.
SGEMA ના પ્રમુખ હર્ષ ભાયાએ જણાવ્યું હતું કે
“સુરત દેશના સૌથી ઝડપી ઊભરતા ઇવેન્ટ હબમાંનું એક છે. SGEMAનો પ્રયાસ છે કે અમે પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ્સને વધુ ઊંચું લઈ જઈએ, યુવાઓને મેન્ટરશિપ આપીએ અને વર્લ્ડ-ક્લાસ ઇવેન્ટ્સ માટે લોકલ ઇકોસિસ્ટમને સક્ષમ બનાવીએ।” તેમના નેતૃત્વ હેઠળ SGEMA ઇન્ડસ્ટ્રી સહયોગ, કૌશલ્ય વિકાસ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપતા કાર્યરત છે.
SGEMA ના ફાઉન્ડર મેમ્બર તથા SGEMA EVOLVE 2025 ના ઇવેન્ટ ચેરમેન વૈભવ અગ્રવાલે જણાવ્યું હતું કે “આ કોન્ક્લેવ સુરતની ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક પગલું છે. અમારો હેતુ સ્થાનિક પ્રોફેશનલ્સને વૈશ્વિક મંચ પર ઓળખ અપાવવાનો તથા મોટા ઇવેન્ટ્સના આયોજનમાં નિપુણતા મેળવવાનો અવસર પૂરો પાડવાનો છે, જેથી તેઓ નવા ટ્રેન્ડ્સ, ટેકનોલોજી અને નેટવર્કિંગ દ્વારા પોતાના વ્યવસાયને નવા સ્તરે લઈ જઈ શકે.
ચાર સત્રો – ચાર ફોકસ એરિયા
સંગમ: ઉદ્યોગ નિષ્ણાતો, કીનોટ સ્પીકર્સ અને પ્રોફેશનલ્સ સાથે હાઇ-ઇમ્પેક્ટ નેટવર્કિંગ અને આઈડિયા એક્સચેન્જ.
મંથન: ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ, મોટા ઇવેન્ટ્સની પ્લાનિંગ, AI નો ઉપયોગ (લાભ-ગેરલાભ), ઇવેન્ટ સેફ્ટી અને Weddings in India જેવા વિષયો પર ઊંડાણભરી ચર્ચા.
બજાર: ઝડપી વધતા ઇવેન્ટ માર્કેટ, તેની જરૂરિયાતો અને નવા બિઝનેસ મોડલ્સ પર ફોકસ.
ઉત્સવ: સમાપન ભવ્ય સમારોહ સાથે, જ્યાં પ્રતિભાગીઓ દિવસભરની શિખામણની ઉજવણી કરશે અને સહકારના નવા અધ્યાય શરૂ કરશે।

જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ પ્રભુને સુરતના નેહલ અને તુષાર દેસાઇના પરીવાર તરફથી વાઘા અને શણગાર અર્પણ
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક મહત્વ ઘરાવતો તહેવાર છે. એમ તો સામાન્ય દિવસોમાં પણ ભગવાન દ્વારકાધીશના વાઘા અર્પણ કરવા એ ખુબ મહત્વની ક્ષણ ગણાય છે પરંતુ જન્માષ્ટમીના પાવન પર્વ પર ભગવાન શ્રીકૃષ્ણને વાઘા અર્પણ કરવી એ જીવનની શ્રેષ્ઠ પળ ગણી શકાય. આ શ્રેષ્ઠ પળ જીવવાનો સુરતના નેહલ દેસાઇ અને તુષાર દેસાઇના પરિવારને મોકો મળ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે નેહલ દેસાઇ પરિવાર સાથે દ્વારકાધીશના દર્શને ગયા ત્યારે જ પ્રભુ માટે વાઘા બનાવવાનો આદેશ જાણે ભગવાન દ્વારા જ થયો હતો. ભગવાન દ્વારકાધીશ માટે વાઘા તૈયાર કરવા માટેની તૈયારી છેલ્લા ચાર મહિનાથી ચાલી રહી હતી.
આ દરમિયાન આ કાર્યની તૈયારી માટે 3 મહિનામાં ત્રણ વાર દ્વારકાધીશના દર્શન કરવાનો પણ મોકો આ પરિવારને સાંપડ્યા હતો. આ વાઘા તૈયાર કરવા માટેની તૈયારી દરમિયાન જ દર્શન, પાદુકા પૂજન અને સત્સંગ તેમજ પ્રભુનો અનંત પ્રેમ આ પરિવાર અને મિત્રમંડળને મળ્યો હતો. ચાર મહિનાની અથાક મહેનત બાદ જ્યારે પ્રભુને વાઘા અર્પણ થયા એ ક્ષણ ભાવુક કરી દેનારી હતી. મંદિરમાં ઉપસ્થિત સહુની આંખમાં આંસુ હતા અને એ જ અશ્રુભીની આંખે સહુ ભગવાન દ્વારકાધીશને નીહાળી રહ્યા હતા. દેસાઇ પરિવાર દ્વારા ન માત્ર દ્વારકાધીશ પરંતુ સાથે 24 મંદિરોના પણ વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા જે જન્માષ્ટમીના દિવસે તમામ મંદિરોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ વાધા બનાવવાં માટે રિયલ જરી અને ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બે મહિનાની અંદર 28 જેટલા લોકોએ રાતદિવસ એક કરીને આ તમામ વાઘા અને શણગારમાં સહયોગ આપ્યો હતો. આ તમામ વાઘા અને શણગાર હંસ પદ્મલીલાના થીમ પર તૈયાર કરાયા હતો જેનો અર્થ રાજશાહી શણગારે આકૃતિત થયેલું સર્જન એમ થાય છે. ગર્ભગૃહના શણગારમાં દશાવતાર અને સુવર્ણ દરવાજો બનાવવામાં આવ્યો હતો. બધા વાઘા અને શણગાર સુરતમાં તૈયાર કરવામાં આવ્યો અને બાયરોડ દ્વારકા લઇ જવામાં આવ્યા. આ દિવ્ય શણગારમાં ચાંદી અને મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એવું પહેલી વખત બન્યું કે જ્યારે એક સાથે 24 મંદિરોના વાઘા એક જ પરિવાર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા.
આ ભગીરથ કાર્યને લઇને નેહલ દેસાઇએ કહ્યું કે, આ અવસરને ઉત્સવ બનાવવાં માટે મને નિમિત્ત માત્ર કરવા માટે સ્વંય દ્વારકાધીશની સાથે સાથે શ્રી ચૈતન્યભાઇ, શ્રી દીપકભાઈ, શ્રી વિજયભાઈ અને શ્રી જીતેન્દ્રભાઈ (જેઓ પુજારી છે) નો નતમસ્તક થઈ દંડવત થઈ હું મારા સમગ્ર પરિવાર ના સભ્યો વૈશાલી, ધ્વનિ, તુષાર, શિવાની અને વિશાંતનો આભાર માનું છું. સાથે જ આ ઋણ સ્વીકાર એ મારી સાથે સતત ૨ મહિનાથી આ સત્કાર્ય મા અડીખમ કાર્ય કરનાર હાર્દિક સોરઠિયા, નિમિષા પારેખ, જિજ્ઞેશ દુધાને, ગૌત્તમભાઈ કાપડિયા, શિવમ માવાવાળા, નકુલ પંડિત, જેનિલ મીઠાઈવાળા, કુશલ ચંદારાણા, મોનિક ગણાત્રા, બાબુભાઈ કે અને એ કે જેઓ એ અમને આ સત્કાર્ય માં આ દિવસો દરમ્યાન પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ કરી અને આશીર્વાદ આપ્યા એ સૌને પણ ધન્યવાદ આપું છું. મારા સમગ્ર પરિવાર ને શત શત નમન કે જેમણે મને દિવસ રાત વગર માગ્યાનો સહકાર અને પ્રોત્સાહન બળ આપ્યું.

18 ઓગસ્ટથી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન
- બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે
- પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળીને કુલ 132 ટીમો સામેલ
- ટૂર્નામેન્ટમાંથી થનારી આવક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના શિક્ષણ પર ખર્ચ કરવામાં આવશે
સુરત. વેસુમાં આગામી 18 ઓગસ્ટથી ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન કરવામાં આવ્યું છે. બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળીને કુલ 132 ટીમો સામેલ છે. ટુર્નામેન્ટનું આયોજન વેસુ સ્થિત સી. બી. પટેલ ક્રિકેટ એન્ડ ફુટબોલ એકેડમી ખાતે કરવામાં આવ્યું છે.
ટૂર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપતાં ચેરમેન અને કોલેજના ટ્રસ્ટી કમલેશ ડી. પટેલે જણાવ્યું કે, સીઝન 1 અને 2ની ભવ્ય સફળતા બાદ આ વખતે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટૂર્નામેન્ટ સીઝન 3નું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની શરૂઆત વેસુમાં 18 ઓગસ્ટથી થઈ છે. ટૂર્નામેન્ટ દરમિયાન બોક્સ ક્રિકેટમાં છોકરીઓની 39 અને છોકરાઓની 195 ટીમો મળીને કુલ 234 ટીમો ભાગ લઈ રહી છે. જ્યારે પિકલ બોલમાં છોકરાઓની 90 અને છોકરીઓની 42 મળી 132 ટીમો ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ડી.સી. પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સ્થિત 6 કોલેજોના 2600થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ફાઇનલમાં વિજેતા અને ઉપ-વિજેતા ટીમોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે. કમલેશ પટેલે વધુમાં જણાવ્યું કે, આ ટૂર્નામેન્ટનો ઉદ્દેશ દક્ષિણ ગુજરાતના આંતરિયાળ વિસ્તારોના ગામડાઓની શાળાઓમાં ભણતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય પહોંચાડવાનો છે. ટૂર્નામેન્ટમાંથી જે પણ આવક થશે તેમાં વધારાની રકમ ઉમેરીને બાળકો માટે શિક્ષણ કિટ ખરીદવામાં આવશે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ ના પ્રમુખ પંકજભાઈ જી. પટેલ ઉપસ્થિત રહેશે.

વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઉલ્લાસ સાથે મનાવવામાં આવી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી
સુરત, 14 ઓગસ્ટ 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમી શ્રદ્ધા, ઉત્સાહ અને સાંસ્કૃતિક ઉજવણી સાથે ઉજવવામાં આવ્યો હતો. શાળા કેમ્પસ સમગ્ર દિવસ દરમિયાન ભક્તિભાવ અને રંગીન વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું
શાળાના તમામ ધોરણોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તહેવારની ઉજવણી કરી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રી કૃષ્ણ ના પાવન જીવનને માન આપવાનો હતો તેમજ વિદ્યાર્થીઓમાં સત્ય, દયા અને ધર્મના મૂલ્યો વિકસિત કરવાનો હતો.
કાર્યક્રમની મુખ્ય આકર્ષણ રહી – શ્રી કૃષ્ણ, રાધા અને ગોપીના વેશમાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલી સુંદર ઝાંખીઓ અને નૃત્ય પ્રસ્તુતિઓ. ઉપરાંત, વિદ્યાર્થીઓએ આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રવૃત્તિ તરીકે રંગીન અને સુંદર મુગટો તૈયાર કર્યા, જે તેમની ભક્તિ અને સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરતા હતા.
આ દિવસની ઉજવણીમાં પરંપરાગત “દહીં હાંડી” કાર્યક્રમે વધુ ઉત્સાહ ઉમેર્યો. બાળકોએ માનવ પિરામિડ બનાવીને માટીની હાંડી ફોડી, જે ભગવાન શ્રીકૃષ્ણની બાળલીલા અને માખણ પ્રત્યેના તેમના પ્રેમને દર્શાવે છે.
શાળાને વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલી કૃષ્ણથી પ્રેરિત આર્ટવર્ક, રંગોળી અને ફૂલો વડે ભવ્ય રીતે સજાવવામાં આવી હતી. કાર્યક્રમનો સમાપન પ્રસાદ વિતરણ અને શુભેચ્છાઓની આપલે સાથે થયો.

09 ઓગસ્ટ- શ્રાવણ પૂર્ણિમા એટલે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’
સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતાનું પ્રતિક
ભારતની ધરોહર સમાન સંસ્કૃત ભાષાનું ભારતીય જનસમાજમાં પ્રસાર-પ્રચાર થાય તે ઉદ્દેશ્યથી વિશ્વસ્ય વૃત્તાન્તમ્ અખબાર પ્રસિદ્ધ કરીએ છીએ – પ્રકાશક મુર્તજા ખંભાતવાલા
સંસ્કૃતની મહત્તા સમજીને આયર્લેન્ડ જેવા પશ્ચિમના દેશોની શાળામાં સંસ્કૃત એક વિષયના રૂપમાં ભણાવવામાં આવે છે – તંત્રી શિવરાજ ઝા “શાન્તેય’
નવી શિક્ષણ નીતિમાં પણ સંસ્કૃતને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે…
સુરત : હિન્દુ પંચાંગ અનુસાર પવિત્ર શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની સાથે ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ની પણ ઉજવણી કરવામાં આવે છે. સંસ્કૃત એ માત્ર ભાષા નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને અસ્મિતાનું પ્રતિક છે. સમગ્ર વિશ્વ આજે ભારતની સંસ્કૃતિ અને સંસ્કૃતમાં પ્રાપ્ત આયુર્વેદ અને યોગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ‘સમાજસ્ય હિતં, સંસ્કૃતે નિહિતમ્ – અર્થાત ‘સમાજનું હિત સંસ્કૃતમાં સમાયેલું છે.’ સંસ્કૃતને સર્વ ભાષાઓની જનની કહેવામાં આવે છે. સંસ્કૃતનો વિકાસ તે આપણી ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને માનવ સભ્યતાનો વિકાસ છે. નવી શિક્ષા નીતિમાં પણ સંસ્કૃતને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે.
સુરતથી છેલ્લા 15 વર્ષથી નિયમિત પ્રસિદ્ધ થતા દૈનિક સંસ્કૃત સમાચાર પત્ર સંસ્કૃત ભાષાની વર્તમાન સ્થિતિ અને સંસ્કૃત પ્રત્યે સમાજના દાયિત્વ વિશે ‘વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ના તંત્રી શ્રી શિવરાજ ઝા “શાન્તેય’ જણાવે છે કે, સંસ્કૃત એ કર્મકાંડની કે પૂજા-પાઠ માટે જ ઉપયોગમાં લેવાય છે એવી માનસિકતાથી બહાર આવીને સંસ્કૃતમાં સમાવિષ્ટ જ્ઞાન, વિજ્ઞાનનો જે મહાસાગર છે તેને સમજવાની ખાસ જરૂર છે. આજના સમયમાં સંસ્કૃતની મહત્તા સમજીને પશ્ચિમના દેશોમાં પણ સંસ્કૃત શાળાકીય પાઠ્યક્રમમાં સામેલ છે. દા.ત. આયર્લેન્ડ દેશમાં પહેલા ધોરણથી સંસ્કૃત ભણાવવામાં આવે છે. આ રીત વિશ્વના ઘણા દેશોમાં સંસ્કૃતને આત્મસાત કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. જો ભારતને ખરા અર્થમાં વિશ્વગુરૂ તરીકે પુરવાર કરવું હોય તો પ્રત્યેક ભારતીય નાગરિકે સંસ્કૃતને આત્મસાત કરવું જ પડશે.
શ્રી ઝા વધુમાં જણાવે છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંસ્કૃત પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. ગત ડિસેમ્બર-૨૦૧૯માં સંસ્કૃત ભારતીના રાજ્ય અધિવેશનમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’’ પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિશ્વસ્ય વૃત્તાન્તઃ અખબાર દ્વારા પ્રયાગરાજમાં યોજાયેલ મહાકુંભની પ્રેસ બ્રિફિંગ અને મહાકુંભને લગતા કાર્યક્રમોનું આશરે 220 જેટલા સંસ્કૃત સમાચારોનું સંકલન કરીને મહાકુંભ વિશેષ પુસ્તક તેમજ ઉત્તરપ્રદેશ સરકારના વિવિધ કાર્યક્રમોના આશરે 400 જેટલા સંસ્કૃત સમાચારોનું સંકલન કરીને તેનું પણ એક વિશેષ પુસ્તક ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથને ભેટ રૂપે આપવા માટે તૈયાર કર્યું છે.
“વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ના પ્રકાશક મુર્તઝા ખંભાતવાલા જણાવે છે કે ભારત દેશમાં બધી જ ભાષાઓમાં દૈનિક સમાચાર પત્રો પ્રકાશિત થાય છે, ત્યારે સંસ્કૃતમાં કેમ નહીં? જે ભાષા લોકો સુધી પહોંચે છે તે ભાષા પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવામાં સક્ષમ હોય છે. આ વિચારને સાકાર કરવા માટે આબાલવૃદ્ધ બધાને સરળ ભાષામાં સંસ્કૃતનો પરિચય પ્રાપ્ત થાય અને સંસ્કૃત અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે સમાજમાં ચેતના જાગૃત થાય એ આશયથી અમે છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતથી “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ નામથી દૈનિક સંસ્કૃત સમાચારપત્ર સંસ્કાર સંપન્ન સુરત શહેરથી પ્રકાશિત કરીએ છીએ. જે સુરત શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ગૌરવનો વિષય ગણી શકાય કે આજે “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ એ ભારતવર્ષનું એકમાત્ર નિયમિત પ્રસિદ્ધ થતું દૈનિક સંસ્કૃત સમાચારપત્ર છે.
ખંભાતવાલાએ ઉમેર્યું કે, વર્તમાન પરિપ્રેક્ષ્યમાં ‘વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ દૈનિક ખૂબ જ સરળ, બોધગમ્ય અને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ શબ્દ-સંયોજનનો ઉપયોગ કરે છે, જેથી વાચકો, પાઠકોને ભાષા સમજવામાં સરળતા રહે. ભારત જ નહીં સમગ્ર વિશ્વના લોકો સંસ્કૃતનો લાભ લઈ શકે તે માટે “વિશ્વસ્ય વૃત્તાન્તઃ’ આધુનિક સવલતોથી સજ્જ છે. સોશ્યલ મીડિયાના માધ્યમથી “ઈ-કોપી’ સંસ્કૃત પ્રેમીઓ સુધી સરળતાથી પહોંચે છે, પરંતુ લોકોમાં સંસ્કૃત પ્રત્યે સકારાત્મક અભિગમની ખૂબ જ જરૂરિયાત છે.

તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ‘સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ’ યોજાઈ
આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી તેમજ તેમને આત્મસન્માન, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક ઉમદા પ્લેટફોર્મ પણ મળ્યું હતું
સુરત : તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 3 ઓગસ્ટ, 2025 રવિવારના રોજ, ‘સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય, નાના બાળકોમાં સ્વિમિંગને પ્રોત્સાહન આપવા અને ભવિષ્યના ચેમ્પિયન તૈયાર કરવાનો હતો.
આ કાર્યક્રમનું નેતૃત્વ આચાર્ય શ્રી વી. શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના પ્રેરણાદાયી વિઝનથી ખાસ કરીને 5 થી 6 વર્ષની વયના બાળકો માટે, સ્વિમિંગને જીવનરક્ષક અને આવશ્યક જીવન કૌશલ્ય તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. તેમનું આ જ આયોજન, આ ચેમ્પિયનશિપની આધારશિલા બન્યું હતું.
આ ઇવેન્ટમાં સુરતની વિવિધ ક્લબના 120 થી વધુ તરવૈયાઓએ (1) અંડર-15 (2) અંડર-11 (3) અંડર-8 અને (4) અંડર-5… એમ ચાર શ્રેણીઓમાં ભાગ લીધો હતો. આ વિભાગોએ તમામ વય જૂથોના બાળકોને સ્પર્ધામાં આત્મવિશ્વાસ સાથે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સ્કૂલમાં યોજાયેલી આ ઇવેન્ટનું ખાસ આકર્ષણ, 5 વર્ષ અને 8 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના જૂથોની ઉત્સાહી ભાગીદારી હતી. જેમાં સૌથી નાના તરવૈયાઓએ ઉલ્લેખનીય જુસ્સા, નિર્ભયતા અને પ્રતિભા દર્શાવી હતી, જેણે અહીં એક જીવંત અને સ્પર્ધાત્મક દિવસ માટેનો રોમાંચક માહોલ તૈયાર કર્યો હતો.
250 થી વધુ વાલીઓ અને કોચના ઉત્સાહવર્ધક સમર્થનથી, આ કાર્યક્રમ સ્વિમિંગ, ખેલદિલી અને સમુદાયિક ભાવનાની ઉજવણીરૂપ બન્યો હતો. ઇવેન્ટ દરમિયાન બાળકો અને વાલીઓના ઉત્સાહ, પ્રોત્સાહન અને મિત્રતાએ સકારાત્મક વાતાવરણ બનાવ્યુ હતું.
આ ચેમ્પિયનશિપથી બાળકોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી. આની સાથે જ, આ સ્પર્ધાએ તેમને આત્મસન્માન, શિસ્ત અને સ્વસ્થ સ્પર્ધાત્મક ભાવના વિકસાવવા માટે એક પ્લેટફોર્મ પણ પ્રદાન કર્યું હતું. વાસ્તવમાં, તે તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની સર્વાંગી શિક્ષણ પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતા દર્શાવે છે, જ્યાં શારીરિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસને સમાન મહત્વ આપવામાં આવે છે.
સુરત ક્લબ સ્વિમિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ, ઉત્સાહભેર વાતાવરણમાં યાદગાર રીતે સંપન્ન થઈ હતી. જેમાં દરેક બાળકના પ્રયત્નોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટે, ખરેખર શહેરમાં યુવા રમતગમતની સ્પર્ધાના આયોજન માટે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો હતો

GHV ઈન્ફ્રાને રાસ અલ ખૈમાહ સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ હબ માટે Rs 2,645 Cr EPC કોન્ટ્રાક્ટ મળ્યો
મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 2 ઓગસ્ટ: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કંસ્ટ્રક્શન બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ (BSE – 505504)ને રાણા એક્ઝિમ FZ-LLC (RAKEZ સાથે કરાર હેઠળ માસ્ટર ડેવલપર), રાસ અલ ખૈમા, UAE, (રાણા ગ્રુપ) તરફથી EPC માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ પ્રોજેક્ટનું મૂલ્ય આશરે રૂ. 2,645 કરોડ આંકવામાં આવ્યું છે અને પ્રારંભિક સેટઅપ અને મોબિલાઇઝેશન સમયગાળાના 90 દિવસ સિવાય 24 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ છે.
Highlights:-
• આ ઓર્ડર સાથે, GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડની કુલ ઓર્ડર બુક વધીને રૂ. 7,000 કરોડ થઈ ગઈ છે.
• 24 જુલાઈની બોર્ડ મીટિંગમાં 3:2ના ગુણોત્તરમાં મંજૂર બોનસ ઇશ્યૂ રહ્યો
• બોર્ડ મીટિંગમાં 2:1ના ગુણોત્તરમાં સ્ટોક સ્પ્લિટને પણ મંજૂરી આપવામાં આવી
• અધિકૃત શેર મૂડી રૂ. 16 કરોડથી વધારીને રૂ. 66 કરોડ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી
• 30 જૂન 2025ના રોજ કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 73.98% છે
• આ પ્રોજેક્ટમાં રાસ અલ ખૈમાહ, યુએઈ ખાતે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ સ્ટેટ ઓફ આર્ટ બિલ્ડિંગનું નિર્માણ શામેલ છે.
• આ ઓર્ડર સાથે, GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડની કુલ ઓર્ડર બુક રૂ. 7,000 કરોડથી વધુ થઈ ગઈ છે.
આ પ્રતિષ્ઠિત ઓર્ડર વેલ્યૂ AED 1,12,42,74,621 (One billion one hundred twenty-four million two hundred seventy-four thousand six hundred and twenty-one AED) છે જે આશરે રૂ. 2645 કરોડ જેટલું થાય છે.
GHV ગ્રુપના ગ્રુપ ચેરમેન શ્રી જાહિદ વિજાપુરાએ ગર્વથી જણાવ્યું હતું કે, GHV ગ્રુપ તરીકે, અમે “We Build Value”ના સિદ્ધાંતને લઈને સતત પ્રયત્નશીલ છીએ, જેમ કે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગનો વિકાસ, ટકાઉ સતત વૃદ્ધિ સાથે સમયાંતરે શૂન્ય ડિસ્ચાર્જ સુવિધાઓ સાથે ગ્રીન EV ઉત્પાદન પૂરું પાડવા જેવા પસંદગીના મૂલ્યવાન પ્રોજેક્ટ્સ હાથ ધરીને કાર્યરત છીએ. આ પ્રતિષ્ઠિત ઓર્ડર સાથે, કંપનીની કુલ ઓર્ડર બુક રૂ. 7,000 કરોડથી વધુ થઈ ગઈ છે અને નજીકના સમયમાં થોડા વધુ પસંદગીના પ્રોજેક્ટ વિકલ્પોનો પ્રયાસ ચાલુ રાખશે.
તાજેતરમાં, GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર બોર્ડે 24 જુલાઈ 2025ના રોજ યોજાયેલી બેઠકમાં કંપનીના હાલના શેરધારકોને 3:2ના ગુણોત્તરમાં બોનસ શેર જારી કરવાની મંજૂરી આપી છે. દરેક 2 શેર માટે ત્રણ ફુલ્લી પેઇડ અપ ઇક્વિટી શેર. વધુમાં, ડિરેક્ટર બોર્ડે 2:1ના ગુણોત્તરમાં સબ ડિવિઝન / સ્પ્લિટને પણ મંજૂરી આપી હતી (10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા 1 ઇક્વિટી શેરને રૂ. 5 ના 2 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે ) સ્ટોક વિભાજનનો હેતુ કંપનીના શેરની લીક્વીડિટી વધારવાનો અને માર્કેટમાં પ્રવેશ અને છૂટક રોકાણકારો માટે તેમને વધુ સુલભ બનાવવાનો છે.
કંપની બોર્ડે કંપનીના સભ્યોની મંજૂરીને આધીન કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 16 કરોડથી વધારીને રૂ. 66 કરોડ કરવાની પણ વિચારણા કરી અને મંજૂરી આપી હતી. કંપનીના શેરધારકોએ 28 જૂન, 2025ના રોજ યોજાયેલી તેમની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગમાં, પ્રમોટર્સ/પ્રમોટર ગ્રુપ અને નોન-પ્રમોટર્સને ખાનગી પ્લેસમેન્ટ દ્વારા પ્રેફરન્શિયલ ધોરણે કન્વર્ટિબલ વોરંટ જારી કરવાની મંજૂરી આપી. 30 જૂન, 2025ના રોજ GHV ઇન્ફ્રા પ્રોડક્ટ્સ લિમિટેડમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 73.98% છે.

સુરતના લોકોએ પૂરા ઉત્સાહ સાથે રાજહંસ સિનેમાની સિનેમેટિક ક્રાંતિ ‘IMAX’નું સ્વાગત કર્યું
સુરતમાં ચોતરફ છવાઈ ગયું રાજહંસ સિનેમાનું ભવ્ય સિનેમેટિક નજરાણું ‘IMAX’
સુરત : ગુજરાતના મનોરંજન ક્ષેત્રે, એક ઐતિહાસિક ક્ષણ તરીકે, રાજહંસ સિનેમાએ સુરતમાં ‘IMAX’ રજૂ કર્યું છે. સુરતની ઉત્સવપ્રિય જનતાએ સહહૃદય ‘IMAX’ નું વેલકમ કર્યું છે. રાજહંસ સિનેમા પ્રીસિયા ‘IMAX’ સ્ક્રીન ખુલવાના પહેલાં દિવસથી જ, અહીં ઉત્સાહિત દર્શકોનો ભારે ધસારો જોવા મળ્યો છે. જે સાબિત કરે છે કે, સુરતના મોજીલા લોકો આ વિશ્વસ્તરીય સિનેમેટિક અનુભવને માણવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
રાજહંસ સિનેમા પ્રીસિયા 3,000 થી વધુ બેઠકો સાથે ભારતના સૌથી મોટા 14-સ્ક્રીન મલ્ટિપ્લેક્સમાં સામેલ છે. તેમાં 400+ લોકોની બેઠક ક્ષમતા ધરાવતું ‘IMAX ઓડિટોરિયમ’, સુરતમાં સિનેમાનો ઈનોવેટીવ અનુભવ આપી રહ્યું છે. અત્યાધુનિક IMAX 3D ટેકનોલોજી, વિશાળ વળાંક ધરાવતી સ્ક્રીન અને અલ્ટ્રા-ક્રિસ્પ લેસર પ્રોજેક્શન સાથે, આ થિયેટર પહેલા ક્યારેય ન હોય તેવી આકર્ષક વિઝુઅલ ક્લેરિટી અને કોન્ટ્રાસ્ટ પ્રદાન કરે છે. દરેક દિશામાંથી વહેતા હૃદયસ્પર્શી અવાજ સાથે, IMAX સ્ક્રીન, પ્રેક્ષકોને આકર્ષિત કરે છે અને દરેક સીનને પૂરા રોમાંચ સાથે માણવાનો અનુભવ આપે છે. જબરજસ્ત બ્લોકબસ્ટર ફિલ્મોથી લઈને વિઝુઅલી સમૃદ્ધ ફિલ્મો સુધી, રાજહંસ પ્રીસિયા ખાતે આવેલ IMAX, શહેરની ફિલ્મ સંસ્કૃતિમાં એક નવો આયામ ઉમેરે છે.
હાલ સુધી, ‘IMAX’ એ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદ જેવા મેટ્રો શહેરો માટે એક અનામત લક્ઝરી હતી. ઘણીવાર, સુરતના ફિલ્મ પ્રેમીઓને આ ફોર્મેટનો અનુભવ કરવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. જોકે, હવે આ બધું બદલાઈ ગયું છે. તેની શરૂઆતથી જ, રાજહંસ ‘IMAX’ એ શહેરમાં આ નવા સિનેમેટિક અજાયબી માટે ખીચોખીચ ભરેલા શો, પ્રેક્ષકો અને ઉત્સાહવર્ધક મૌખિક પ્રચાર મહેસુસ કર્યો છે. સુપરમેન જેવા એક્શનથી ભરપૂર સુપરહીરોની સ્ટોરીથી લઈને F1 જેવા એડ્રેનાલિનથી ભરપૂર રોમાંચ સુધી, IMAX એ, સુરતીઓના દિલમાં એક યુનિક જગ્યા બનાવી છે, જેઓ હવે તેમના પોતાના શહેરમાં જ વિશ્વ કક્ષાના સિનેમાનો અનેરો આનંદ માણી શકે છે.
રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, “આ ફક્ત એક નવી સ્ક્રીન જ નથી. વાસ્તવમાં તે સુરતની સિનેમાની સફરમાં એક લેંડમાર્ક છે. IMAX ની સાથે, અમે ફક્ત ફિલ્મના અનુભવને જ એડવાન્સ નથી બનાવી રહ્યા, પરંતુ અમે સ્ટોરી કહેવાના એક નવા યુગની પણ શરૂઆત કરી રહ્યા છીએ. અહીં, આપણાં ઘરે જ, વિશ્વસ્તરીય શ્રેષ્ઠ મનોરંજન આપવા અમે પ્રતિબદ્ધ છીએ.”

IMAX ટેકનોલોજી સમગ્ર ભારતમાં સિનેમામાં ક્રાંતિ લાવી રહી છે. દેશભરમાં વધુ સ્ક્રીનો ખુલી રહી છે. આ શ્રેષ્ઠ યાદીમાં સુરતનો સમાવેશ એક સકારાત્મક પરિવર્તનનો સંકેત આપે છે. વધતી જનસંખ્યા અને ટેકનોલોજી ટ્રાંસફર સાથે પ્રાદેશિક શહેરો, હવે વિશ્વ કક્ષાના મનોરંજનની અપેક્ષા રાખે છે અને તેને લાયક પણ છે. રાજહંસ સિનેમાએ બરાબર એ જ કર્યું છે. રાજહંસ સિનેમા માટે, IMAX રજૂ કરવું, એ સ્થાનિક દર્શકો સુધી વિશ્વનું શ્રેષ્ઠ લાવવાના તેના મિશનનું એક સાહસિક વિસ્તરણ છે. નવા ટ્રેન્ડ્સ અને સ્ટાન્ડર્ડ સ્થાપિત કરવામાં અગ્રેસર, રાજહંસ ગ્રુપે, ફરી એકવાર સુરતને ભારતના મનોરંજન નકશા પર સ્થાન આપ્યું છે.
શ્રી દેસાઈએ આગળ ઉમેર્યું હતું કે, “અમારું વિઝન, હંમેશા પ્રેક્ષકો માટે સર્વશ્રેષ્ઠ વૈશ્વિક અનુભવો પ્રદાન કરવાનું રહ્યું છે. અમે વર્ષોથી IMAX રજૂ કરવાનું સ્વપ્ન જોયું હતું. હવે જ્યારે શહેરના લોકોએ IMAX ને ખૂબ જ ઉત્સાહથી વેલકમ કર્યું છે ત્યારે આ જુસ્સો, અમારા વિશ્વાસને ફરીથી મજબૂત બનાવે છે કે, મનોરંજનનું ભવિષ્ય ફક્ત મહાનગરોનું જ નહીં, પરંતુ દરેક શહેરનું છે.”
ભારતભરમાં 160 થી વધુ સ્ક્રીનો અને નોઈડા, ગુડગાંવ, ચંદીગઢ, મુંબઈ, દેહરાદૂન, ચેન્નાઈ, બેંગ્લોર, પુણે, વિઝાગ, હૈદરાબાદ અને વધુમાં નવા મલ્ટિપ્લેક્સ આવી રહ્યા છે. 15 સ્થળોએ 65 વધારાની સ્ક્રીનો વિકાસ હેઠળ છે અને 2026ના મધ્ય સુધીમાં પૂર્ણ થવાની આશા છે. રાજહંસ સિનેમા, ભારતમાં ફિલ્મો જોવાના અનુભવને વધુ રોમાંચક બનાવી રહ્યું છે. સુરતની વાત કરીએ તો આ પરિવર્તન, પહેલાંથી જ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ માત્ર એક ફિલ્મ જ નથી. આ એક આંદોલન-એક અભિયાન છે. એક સિનેમેટિક ક્રાંતિ, જે સ્ટોરી જોવાનો અને તેની ઉજવણી કરવાનો રોમાંચક અનુભવ આપે છે. હવે, આ આહલાદક અનુભવ રાજહંસ સિનેમા દ્વારા ‘IMAX’ મારફતે સુરતમાં લાવવામાં આવ્યો છે.

અગાસી શાખામાં ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું સફળ આયોજન
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય અંતર્ગત યોજાયેલા અભિયાનમાં મહાવ્યવસ્થાપક શ્રી અખિલેશ કુમાર અને ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમારની વિશિષ્ટ ઉપસ્થિતિ
અગાસી, તા. 25 જુલાઈ 2025 યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, અગાસી શાખામાં કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ત્રણ માસીય નાણાકીય સમાવેશ સેચ્યુરેશન અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ ખાસ કાર્યક્રમમાં યૂનિયન બેંકના મહાવ્યવસ્થાપક તથા ગાંધીનગર ઝોનના ઝોનલ હેડ શ્રી અખિલેશ કુમાર તથા આરઓ સુરતના ડેપ્યુટી રીઝનલ હેડ શ્રી બિપિન કુમાર ખાસ ઉપસ્થિત રહ્યા.
અભિયાનનો મુખ્ય હેતુ દેશના દરેક નાગરિક સુધી આધારભૂત નાણાકીય સેવાઓ પહોંચાડવાનો અને દરેક પાત્ર વ્યક્તિને બેંકિંગ પ્રવાહમાં લાવવાનો છે.
શ્રી અખિલેશ કુમારએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે નાણાકીય સમાવેશ આપણી સરકારનું મુખ્ય લક્ષ્ય છે અને બેંકે એ દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભવી જોઈએ. તેમણે શાખાના કર્મચારીઓ દ્વારા યોજાયેલા સક્રિય પ્રયાસોની પ્રશંસા કરી અને ગ્રાહકમૈત્રી સેવાઓ આપવાની જવાબદારી પર ભાર મૂક્યો.

શ્રી બિપિન કુમારએ પણ પોતાના વક્તવ્યમાં અભિયાનના મહત્વને રેખાંકિત કર્યું અને કામગીરીના ગુણવત્તાવાળા અમલ માટે શાખાની ટીમને શુભેચ્છાઓ પાઠવી.
આ કાર્યક્રમમાં વધારાની નોંધપાત્ર ઉપસ્થિતિ રૂપે ચીખલી, ધર્મપુર, વાગલધરા અને બિલિમોરા શાખાના શાખા વ્યવસ્થાપકો પણ ઉપસ્થિત રહ્યા. તેમના દ્વારા પણ શાખાવાર પ્રયત્નોની વિગતો શેર કરવામાં આવી.
અભિયાન દરમિયાન લોકોએ PMJDY ખાતા, પીએમ સુરક્ષા વીમા યોજના, પીએમ જીવન જ્યોતિ યોજના, અટલ પેંશન યોજના જેવી વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું તથા રજીસ્ટ્રેશન પણ કરાવ્યા.
આ સેચ્યુરેશન કેમ્પે અગાસી સહિત આસપાસના વિસ્તારોમાં નાણાકીય જાગૃતિ લાવવાની દિશામાં મજબૂત પગલાં ભર્યાં છે.
યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા – નાણાકીય સમૃદ્ધિ માટે અગ્રેસર.