ગુજરાત ખબર

દરેક વર્દીના પાછળ એક અનલેખાયેલો નાયક : પદ્મશ્રી પદ્માવતી બંધોપાધ્યાય

 

પદ્મશ્રી પદ્માવતી બંધોપાધ્યાય, ડેપ્યુટી CM હર્ષ સંઘવી અને C.R. પાટીલની ઉપસ્થિતિમાં A.N.I.S. સંસ્થાએ પોલીસના અસલી હીરોને ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’થી સન્માનિત કર્યા

સુરત.શહેરના પોલીસ કર્મચારીઓની નિષ્ઠા, સેવા અને સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાનને સલામ આપતો ‘કર્મ ભૂષણ એવોર્ડ 2025’ સમારોહનું આયોજન અપમૃત્યુ નિવારણ સહાય ( A.N.I.S) સંસ્થા દ્વારા રવિવારે પાલ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ સમારોહમાં ઉપસ્થિત રહેલા નાગરિકો, અધિકારીઓ અને મહાનુભાવોની હાજરીથી કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવનું અનોખું વાતાવરણ છવાઈ ગયું હતું.

A.N.I.S. સંસ્થા દ્વારા દર વર્ષે આયોજિત થતો આ એવોર્ડ સમારોહ સતત ત્રીજા વર્ષ આયોજિત કરવામાં આવ્યો. સુરત સિટી પોલીસના અનેક જાંબાઝ અધિકારીઓ અને જવાનોને બાળકો, મહિલાઓ તથા સામાન્ય નાગરિકોની સુરક્ષા અને સમાજ કલ્યાણ માટે કરેલી વિશિષ્ટ કામગીરી બદલ સન્માન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વેટરન એર માર્શલ પદ્માવતી બંધોપાધ્યાય (PVSM, AVSM, VSM, પદ્મશ્રી) એ પોલીસ કર્મચારીઓની ફરજદારી અને શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે,
“વર્દી પાછળનો દરેક માનવી એક અનલેખાયેલા નાયક છે. આજે સુરતે તેમની પ્રતિભાને માન આપ્યો છે।


રાજ્યના ઉપમુખ્ય મંત્રી તથા ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી શ્રી C. R. પાટીલ, તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત એ પણ ઉપસ્થિત રહી વિજેતાઓને શાબાશી આપી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું કે સુરત પોલીસનું માન વધારતા આવા સન્માન કાર્યક્રમો કર્મચારીઓના મનોબળમાં વધુ ઉર્જા ઉમેરે છે.

કાર્યક્રમના સફળ આયોજન પાછળ A.N.I.S. અધ્યક્ષ શ્રીમતી ગીતા શ્રોફ, કમલેશ જોશી અને નિયતિ વિજની ટીમની મહેનત ઝળહળી ઉઠી. ગીતા શ્રોફે જણાવ્યું હતું કે
“આજે સુરતના નાગરિકોએ સાબિત કર્યું કે તેઓ પોતાના પોલીસ પરિવારને દિલથી માન આપે છે. આ એવોર્ડ માત્ર સન્માન નહીં, પરંતુ કૃતજ્ઞતાનો ઉત્સવ છે.
પ્રેક્ષાગૃહ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું જ્યારે વર્ષ 2025ના “કર્મ ભૂષણ” વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમ માનવીય સેવા, સમર્પણ અને ફરજદારીને સમર્પિત રહ્યો.

શ્રી અમિત શાહ દ્વારા ‘કો-ઓપ કુંભ 2025’ નું ઉદ્દઘાટન

 

ગાંધીનગર (ગુજરાત) [ભારત], 15 નવેમ્બર: નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ (NAFCUB) દ્વારા આયોજિત શહેર સહકારી બેન્કસ અને ક્રેડીટ સોસાયટીઝનું ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય પરિષદ “કો-ઓપ કુંભ 2025” નો ભવ્ય ઉદ્દઘાટન 10 નવેમ્બર 2025 ના રોજ વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સફળતાપૂર્વક યોજાયો. ભારત સરકારના સહકાર મંત્રાલયના સહયોગથી આયોજિત આ બે દિવસીય પરિષદમાં નીતિનિર્માતાઓ, નિયામકો, સહકારી નેતાઓ અને દેશ-વિદેશના નાણાકીય નિષ્ણાતો એકત્ર થયા હતા. પરિષદનો મુખ્ય વિષય હતો — “ડિજિટલાઈઝિંગ ડ્રિમ્સ – એમ્પાવરિંગ કમ્યુનિટીઝ” (સપનાઓને ડિજિટલ બનાવીને સમાજને સશક્ત બનાવવું).
આ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો માનનીય હકાર રાજ્ય મંત્રી શ્રી કિષન પાલ, કર્ણાટક સરકારના કાયદા, સંસદીય કાર્ય અને પર્યટન મંત્રી તેમજ NAFCUB ના માનદ અધ્યક્ષ શ્રી એચ. કે. પટીલ, NAFCUB ના અધ્યક્ષ શ્રી લક્ષ્મી દાસ, નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NUCFDC) ના અધ્યક્ષ શ્રી જ્યોતિન્દ્ર મહેતા, અને NAFCUB ના ઉપાધ્યક્ષ શ્રી મિલિંદ કાલે ઉપસ્થિત રહ્યા હતા.
તેમના સંબોધનમાં શ્રી અમિત શાહે ભારતના સહકારી ક્રેડિટ આંદોલનને મજબૂત બનાવવા માટે NAFCUB ના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે શહેર સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીઝની લાંબા ગાળાની અસ્તિત્વ માટે ડિજિટલ પરિવર્તન, સુશાસન અને સમાવેશ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે “સહકાર સે સમૃદ્ધિ”ના સિદ્ધાંત પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી અને જણાવ્યું કે સહકારી ક્ષેત્ર આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
NAFCUB ના અધ્યક્ષ શ્રી લક્ષ્મી દાસે તમામ મહાનુભાવો અને પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કર્યું અને જણાવ્યું કે સહકારી ક્રેડિટ માળખું લાખો નાના ઉદ્યોગસાહસિકો, સ્વરોજગારી વ્યક્તિઓ અને શહેરી પરિવારો માટે જીવનરેખા સમાન છે, જે સસ્તી નાણાકીય સેવાઓ પૂરી પાડીને સર્વસમાવેશી વિકાસને પ્રોત્સાહન આપે છે. ઉદ્ઘાટન સત્રનો આભાર વિધિ NAFCUB ના ઉપાધ્યક્ષ શ્રી મિલિંદ કાલે દ્વારા કરવામાં આવ્યો.
પરિષદ દરમિયાન સહકારી ક્રેડિટ સેક્ટરના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ પર થીમેટિક અને ટેક્નિકલ સત્રો યોજાયા. ચર્ચાઓમાં કોર્પોરેટ ગવર્નન્સ અને પ્રોફેશનલિઝમ, સહકારીઓ વચ્ચે સહકાર, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ પરિવર્તન, તેમજ નાણાકીય સમાવેશ અને નિયમનકારી માળખાને ધ્યાનમાં લેવામાં આવ્યા. મહિલા નેતૃત્વ અને યુવા નેતૃત્વ પર વિશેષ સત્રો પણ યોજાયા, જેમાં સહકારી ક્ષેત્રના ભવિષ્ય નિર્માણમાં તેમના વધતા યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું.
ભારત અને વિદેશમાંથી આવેલ પ્રતિષ્ઠિત વક્તાઓ — વર્લ્ડ કાઉન્સિલ ઓફ ક્રેડિટ યુનિયન્સ (WOCCU), ઇન્ટેલેકેપ, માઈક્રોસેવ કન્સલ્ટિંગ અને ગ્રીનસ્ટોન ફાર્મ ક્રેડિટ સર્વિસિસ (યુએસએ) — એ સહકારી નાણાકીય ક્ષેત્રમાં ડિજિટાઈઝેશન, ગવર્નન્સ, નાણાકીય સમાવેશ અને સ્થિરતા વિષે વૈશ્વિક દ્રષ્ટિકોણ રજૂ કર્યા.
11 નવેમ્બર 2025 ના રોજ યોજાયેલા સમાપન સત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને જાણીતા અર્થશાસ્ત્રી શ્રી સુરેશ પ્રભુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. તેમણે પરિષદને સમયોચિત પહેલ ગણાવી અને જણાવ્યું કે આ પહેલ ભારતની સહકારી ક્રેડિટ સંસ્થાઓને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ અને ડિજિટલ નવીનતાઓ સાથે જોડશે. સમાપન સત્રનું આભાર વિધિ NAFCUB ના નિર્દેશક શ્રી ઓ. પી. શર્મા દ્વારા કરવામાં આવ્યું.
આ બે દિવસીય કાર્યક્રમનું સમાપન “દિલ્હી ડિક્લેરેશન 2025 – રોડમેપ ટુ 2030”ને સ્વીકારવાથી થયું, જેમાં સહકારી ક્રેડિટ ક્ષેત્રમાં ગવર્નન્સ, ટેક્નોલોજી ઇન્ટિગ્રેશન અને સમાનતા માટેનું વિઝન રજૂ કરવામાં આવ્યું. 1400 થી વધુ પ્રતિનિધિઓ — શહેર સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઝ, નિયમનકારી સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠનોમાંથી — આ કાર્યક્રમમાં ભાગ લીધો.“કો-ઓપ કુંભ 2025” એ NAFCUB ની પ્રતિબદ્ધતાને મજબૂત કરી કે તે ભવિષ્ય માટે એક સ્થિતિશીલ, પારદર્શક અને ડિજિટલી સશક્ત સહકારી બેન્કિંગ ઈકોસિસ્ટમનું નિર્માણ કરશે.
ભારતભરમાં લગભગ 1,500 અર્બન કોઓપરેટિવ બેન્ક્સ અને 60,000 ક્રેડિટ સોસાયટીઝ 8 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે, જે ભારતની લોકો-કેન્દ્રિત નાણાકીય વ્યવસ્થાનો આધાર છે. “કો-ઓપ કુંભ 2025” એ આ વિશાળ નેટવર્કને “ડિજિટલ ઈન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના લક્ષ્યો સાથે સુસંગત બનાવવાની દિશામાં એક પરિવર્તનશીલ પગલું છે. પરિષદની ચર્ચાઓ અને ભલામણો આગામી દાયકામાં નીતિગત સુધારાઓ, નિયમનકારી માળખા અને સહકારી સહકારના નવા મોડલ્સને દિશા આપશે.
નેશનલ ફેડરેશન ઓફ અર્બન કોઓપરેટિવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાયટીઝ લિમિટેડ (NAFCUB)દેશભરના અર્બન સહકારી બેન્કિંગ અને ક્રેડિટ ક્ષેત્રનું અગ્રણી રાષ્ટ્રીય સંગઠન છે. તે વ્યાવસાયિકતા, સુશાસન, ટેક્નોલોજીકલ વિકાસ અને સહકારી સંસ્થાઓના હિતોનું સમર્થન કરવા માટે કાર્યરત છે.

‘3 C’s & Company – લક્ઝરી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી’ અને ‘એલિટ જ્વેલ્સ’નું સુરતમાં ભવ્ય ઉદ્ઘાટન, બોલીવુડ અભિનેત્રી ઇશિતા રાજની હાજરીમાં યોજાયો કાર્યક્રમ

 

સુરત. જ્વેલરી ઉદ્યોગના બે નવા નામ 3 C’s & Company – લક્ઝરી લેબ ગ્રોન ડાયમંડ જ્વેલરી અને Elite Jewels – નેચરલ ડાયમંડ એન્ડ પોલ્કી જ્વેલરીનું સુરત શહેરમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બંને શોરૂમનું ઉદ્ઘાટન ન્યુ સિટી લાઈટ રોડ પર રૂંગટા એસ્ટેલા (G-27, G-28) ખાતે બોલીવુડ અભિનેત્રી અને 3 C’s & Co. ની બ્રાન્ડ એમ્બેસેડર ઇશિતા રાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું.

આ પ્રસંગે 800થી વધુ વિશિષ્ટ મહેમાનો, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, સુરતના અગ્રણી જ્વેલર્સ અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરતની પરંપરાગત કારીગરી અને આધુનિક લક્ઝરી જ્વેલરી ડિઝાઇનનો અદભૂત સંગમ જોવા મળ્યો.

બંને શોરૂમમાં નેચરલ ડાયમંડ, લેબ ગ્રોન ડાયમંડ અને પોલ્કી જ્વેલરીનો આકર્ષક તથા અનોખું કલેકશન રજૂ કરવામાં આવ્યું હતું. કંપનીના જણાવ્યા અનુસાર અહીં ઉપલબ્ધ લેબ ગ્રોન ડાયમંડ કલેકશન ઉચ્ચ ગુણવત્તાવાળું છે, જે ભારત ખાસ કરીને સુરતમાં નિર્મિત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈન્ડિયા’ વિઝનને સાકાર કરે છે. 400થી વધુ ડિઝાઇનર પીસ ધરાવતું આ કલેકશન પરંપરાગત અને આધુનિક શૈલીનું સુંદર સંમિશ્રણ રજૂ કરે છે.

કંપની ડિરેક્ટર પ્રિયંક ગુરનાની એ જણાવ્યું હતું કે અમે છેલ્લા 15 વર્ષથી જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા છીએ. અમને ગર્વ છે કે સુરત જેવા વૈશ્વિક ડાયમંડ હબમાંથી એવી બ્રાન્ડની શરૂઆત કરી રહ્યા છીએ જે ભારતીય કારીગરી, નવીનતા અને આંતરરાષ્ટ્રીય શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. ભવિષ્યમાં અમારું લક્ષ્ય ગુજરાત, ભારતના વિવિધ શહેરો અને વિદેશોમાં પણ 3 C’s & Co. Luxury Jewelleryના લક્ઝરી શોરૂમ ખોલવાનું છે.”

કંપની ડિરેક્ટર રચિત પોદ્દારે જણાવ્યું હતું કે અમારું ઉદ્દેશ ગ્રાહકોને માત્ર જ્વેલરી નહીં પરંતુ એક લક્ઝરી અનુભવ આપવાનું છે. દરેક ડિઝાઇન એક વાર્તા કહે છે અને દરેક કલેકશન એક ભાવના વ્યક્ત કરે છે. લેબ ગ્રોન ડાયમંડ પર્યાવરણમિત્ર, ટકાઉ અને આવનારી પેઢી માટે વધુ ઉત્તમ વિકલ્પ છે. અમે ભારતને આ દિશામાં નવી ઓળખ અપાવવાની પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ.

આ પ્રસંગે અભિનેત્રી ઇશિતા રાજે જણાવ્યું હતું કે સુરત મહેનતી અને સર્જનાત્મક લોકોનું શહેર છે. અહીંની જ્વેલરીની ફિનિશિંગ અને કલા ખરેખર અદ્ભુત છે. આ શહેરમાં આટલું સુંદર લક્ઝરી બ્રાન્ડ લોન્ચ થવું એ ગર્વની બાબત છે.

ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત મહેમાનો અને જ્વેલરી ઉદ્યોગના પ્રતિનિધિઓએ નવા કલેકશનની પ્રશંસા કરતા જણાવ્યું કે સુરતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ્સના આગમનથી શહેરની પ્રતિષ્ઠા વધુ ઊંચી જશે.

બાળદિન ઊજવણી – વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ

 

સુરત, 14 નવેમ્બર 2025: વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળદિનની ઉમંગભેર અને રંગીન ઉજવણી કરવામાં આવી. બાળકોની નિર્દોષતા, સર્જનાત્મકતા અને આનંદભરી ઊર્જાને સમર્પિત આ વિશેષ દિવસે સમગ્ર કેમ્પસ ખુશીના પાસાંથી ઝળહળી ઉઠ્યો. વિદ્યાર્થીઓ માટે આયોજિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓએ આ દિવસને યાદગાર બનાવી દીધો.

કાર્યક્રમની શરૂઆત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરીને અને آنان માટે ખાસ રજૂઆતો કરીને કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આર્ટ એન્ડ ક્રાફ્ટ, સંગીત, નૃત્ય, વાર્તાવાચન, ઇન્ટરએક્ટિવ ગેમ્સ તેમજ ટીમ વર્ક, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારતી કક્ષાની ખાસ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

શિક્ષકોએ બાળકોને આનંદિત કરવા માટે સરપ્રાઇઝ સેગમેન્ટ પણ આયોજન કર્યા હતા, જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીના લહેરો દોડીને શિક્ષક-વિદ્યાર્થી વચ્ચેનો સ્નેહબંધ વધુ મજબૂત બન્યો. સમગ્ર શાળા પરિસરમાં આખો દિવસ આનંદ અને ઉજાસનું વાતાવરણ છવાયેલું રહ્યું, જે બાળદિનના સાચા અર્થ—બાળપણની કલ્પનાઓ, નિર્દોષતા અને ઉજ્જવળ ભવિષ્યની આશાનું પ્રતિબિંબ–રૂપ હતું.

આ પ્રસંગે વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વ્યક્ત કર્યું:
“બાળકો અમારા સંસ્થાનું હ્રદય છે. તેમની જિજ્ઞાસા, ઉત્સાહ અને સપનાઓ અમને દરરોજ પ્રેરણા આપે છે. આ ઉજવણી અમને તેમના પ્રતિભાને પ્રોત્સાહન, તેમના વિકાસને સહારો અને તેમને સુરક્ષિત, આનંદમય અને સમૃદ્ધ પર્યાવરણ આપવાની અમારી પ્રતિબદ્ધતાની યાદ અપાવે છે.”

આ ઉજવણી દ્વારા શાળાએ સર્વાંગી વિકાસ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવી તથા સંદેશ આપ્યો કે દરેક બાળક અનન્ય છે અને પ્રેમ તથા પ્રોત્સાહન પ્રાપ્ત કરે તો મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકે છે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ ગુણવત્તાયુક્ત શિક્ષણ, નૈતિક મૂલ્યો અને અનુભવાધારિત અધ્યયન પર ખાસ ધ્યાન આપીને દરેક બાળકને શોધવા, વ્યક્ત થવા અને ઉત્તમતા પ્રાપ્ત કરવાની તક અપાવતું રહે છે.

ચિલ્ડ્રન ડે પર સુરતના અનાથ બાળકો માટે પવાસિયા પરિવારનું માનવીય અભિયાન

 

ત્રણ રેસ્ટોરન્ટમાં રમતો, નૃત્ય, ભોજન અને ગિફ્ટ સાથે ઉત્સાહભેર ઉજવણી, 180 બાળકોના ચહેરા પર ખીલી ઉઠ્યું સ્મિત

સુરત : શહેરના જાણીતા હોટેલિયર ઉમેશ પવાસીયા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચિલ્ડ્રન ડેના અવસરે અનાથ બાળકો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. “ખુશી વહેંચો, પ્રેમ ફેલાવો” સૂત્ર સાથે યોજાયેલી આ માનવીય પહેલમાં શહેરના વિવિધ અનાથ આશ્રમના 180 બાળકોને આમંત્રિત કરીને આનંદભર્યા કાર્યક્રમો યોજાયા હતા.

બપોરે ઓરન રેસ્ટોરન્ટ ખાતે તેમજ સાંજે સ્પાઇસ વીલા અને પેવેલિયન રેસ્ટોરન્ટ ખાતે બાળકો માટે ડાન્સ, ગેમ્સ અને મનોરંજક એક્ટિવિટીઝ યોજાઈ હતી. બાળકો હાસ્ય અને આનંદમાં ગરક થઈ ગયા હતા. બાળકોને વિશેષ મેન્યુ સાથે સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું અને અંતે દરેક બાળકને ભેટ આપીને વિદાય આપવામાં આવી હતી.

હોટેલ સંચાલક ઉમેશ પવાસીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો હેતુ માત્ર ઉજવણી કરવાનો નથી, પરંતુ એવા બાળકોના જીવનમાં ખુશીનો એક પળ પૂરું પાડવાનો છે. ઘણા લોકો અનાથ આશ્રમોમાં જઈ મદદ પૂરી પાડે અને બાળકોને ભોજન કરાવે છે જે સારી બાબત છે પણ જ્યારે અમારી પાસે જ્યારે હોટેલ જેવું પ્લેટફોર્મ છે તો તેનો ઉપયોગ સમાજકાર્ય માટે થાય એમાં મને ખુશી છે. કરણ કે અમે સમુદાય સાથે જોડાયેલી કંપની છીએ અને લોકોને એકસાથે લાવતા, સમાજ માટે કંઈક સારું કરતા ગર્વ અનુભવી રહ્યા છીએ, ઉમેશ પવાસીયાએ વધુમાં જણાવ્યું. આ પહેલ પવાસિયા હૉસ્પિટાલિટીનો સમાજ પ્રત્યેનો લાગણીસભર અને જવાબદારીનો અભિગમ બતાવે છે, જેનાથી બીજા લોકોને પણ દયાળુ બનવા અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવા પ્રેરણા મળે છે. અને એ યાદ અપાવે છે કે નાનકડી દયા પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે

સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈની “હિરાબા નો ખમકાર” હેઠળ દીકરીઓના શિક્ષણ સાથે ખેડૂતો માટે ઉદાર પહેલ

 

આજરોજ વધુ 551 દીકરીઓને સહાય સાથે અત્યાર સુધી કુલ 1102 લાભાર્થી, કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના પગલે 7500 ગણોત ખેડૂતોને પણ 7,500 રૂપિયા આર્થિક સહાયની પિયુષ દેસાઈની જાહેરાત

સુરત. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી 551 વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી, જ્યારે આજરોજ વધુ 551 દીકરીઓને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીઓની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે. આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઇએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા 7500 ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત 7500 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતાપિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી.

પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે.” તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.

સુરતથી શરૂ થઈ ‘Eco Kranti’ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત

 

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના SSRDP ( Sri Sri Rural Development Program & Sustainability ) વિભાગ અને સુરત મહાનગરપાલિકા વચ્ચે MoU; સુરત બનશે “ક્લીનેસ્ટ સિટી ટુ ગ્રીનેસ્ટ સિટી”

સુરત. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (SSRDP) દ્વારા શરૂ કરાયેલ ‘Eco Kranti’ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે.

સુરત ક્લીનેસ્ટ સિટી સાથે સાથે બનશે ગ્રીનેસ્ટ સિટી, સુરતી ઓ સાથે મળી ને સમગ્ર વિશ્વ માં પ્રથમ એવો દાખલો બેસાડસે કે ક્લિનેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો છે.
Eco Kranti ની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે છે જે આપણા રોજિંદા જીવન માં આપડે પ્લાસ્ટિક ની વસ્તુઓ વાપરી ને ફેંકી દઈએ છીએ એ ઉપયોગ થી મુક્ત કરવા ની લડત છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી જે માઇક્રો પ્લાસ્ટિક નું ઉત્પાદન થાય છે એ સૌથી મોટી ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે સાથે આપડા શરીર ને પણ ખુબજ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગો તથા શુક્રાણુ ને લગતા પ્રશ્નો જેવા અનેક કારણો સાથે માનવ જીવન ને પણ ઘણું નુકસાન કારક છે કારણ કે એક સંશોધન અનુસાર હવા , પાણી અને ખોરાક દ્વારા એક ATM કાર્ડ ની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપડા શરીર માં જાય છે આ ગંભીરતા ને ધ્યાન માં રાખી ને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડક્ટ્સ વિકસાવાયા છે, જે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પરૂપે ઉપયોગી સાબિત થશે. આ પ્રોડક્ટ્સ કુદરતી રીતે માત્ર છ મહિના અંદર નાશ પામે છે, જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે.

આ અભિયાનનો હેતુ માનવ સમાજ ને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે. SSRDP નો હેતુ એ છે કે અન્ય ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવા ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ બનાવવા માટે આગળ આવે અને “Eco Kranti” ના મિશનને સમર્થન આપે.

સુરત દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાય છે, હવે તેને “ક્લીનેસ્ટ ટુ ગ્રીનેસ્ટ” બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. આ માટે SSRDP અને સુરત મહાનગરપાલિકા વચ્ચે ખાસ MoU કરવામાં આવ્યું છે. આ MoU દ્વારા ઇકો ફ્રેન્ડલી ઉપક્રમો, કચરાનું વૈજ્ઞાનિક રિસાયકલિંગ અને ગ્રીન ઈનોવેશન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન મળશે.

આ મિશન ની શરૂઆત સુરત થી થાય એ માટે ભાજપ સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલે પહેલ કરી અને એમનો વિશેષ સહયોગ પણ રહ્યો છે. આજના MoU સેરેમની પ્રસંગે આર્ટ ઓફ લિવિંગ ના SSRDP વિભાગ ના ડાઇરેક્ટર તેમજ ટ્રસ્ટી દેવાંગભાઈ વોરા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી નું પ્રતિનિધિત્વ કરવા ખાસ બેંગલોરથી આવ્યા હતા. સાથે મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ , આર્ટ ઓફ લિવિંગ ના ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કમિટી મેમ્બર પ્રકાશભાઈ ધોરીયાણી તેમજ આર્ટ ઓફ લિવિંગ ના શિક્ષક CA હરી અરોરા સહિત મહાનગરપાલિકા તેમજ આર્ટ ઓફ લિવિંગ ના અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં પણ આ આમંત્રિત મહેમાનોના હસ્તે જ્યાં વધુ પ્રમાણમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ થાય છે એવી હોસ્પિટલો ખાતે તેમજ યુવા પેઢીને જાગૃત કરવા માટે ટ્યુશન ક્લાસીસમાં Eco Kranti ની પ્રોડકટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત લૉન્ચિંગની સાથે જ આજરોજ સુરતના 50થી વધુ સ્થળોએ આ દસ લાખ રૂપિયાથી વધુની કિંમતના Eco Kranti ના પ્રોડક્ટ્સનું મફત વિતરણ કરવામાં આવ્યું. આ પહેલથી સુરત શહેર ગ્રીન રેવોલ્યુશનનું નવું કેન્દ્ર બન્યું છે. આર્ટ ઓફ લિવિંગ નો ઉદ્દેશ્ય છે કે આ Eco Kranti માત્ર શહેર કે રાજ્ય સુધી મર્યાદિત ન રહે, પરંતુ વિશ્વના દરેક ખૂણામાં પહોંચે અને ધરતીને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળી બનાવે.

હાલ લોકો ને સહેલાઈ થી Eco Kranti ના પ્રોડક્ટ્સ મળી રહે એ અનુસંધાને amazon તથા blinkit જેવી એપ પર Eco Kranti ના પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.

ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ ઇન્વેસ્ટર રોડ-શોનું સફળ આયોજન કર્યું

 

— જયપુર અને સુરતમાં યોજાયેલી બંને ઈવેન્ટમાં કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી

જયપુર/સુરત : ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડ કંપનીએ BSE પ્લેટફોર્મ પર તેના SME IPO ના ભાગરૂપે, 25 અને 27 ઓક્ટોબર, 2025 ના રોજ જયપુર અને સુરતમાં ઇન્વેસ્ટર રોડ-શોનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું. આ રોડ-શો એ સંભવિત રોકાણકારો, સંસ્થાકીય ખરીદદારો અને બજારના સહભાગીઓ માટે કંપનીના બિઝનેસ મોડેલ, કાર્યકારી ક્ષમતાઓ, નાણાકીય કામગીરી અને તેના પબ્લિક ઇશ્યૂ પહેલાં લાંબાગાળાના ગ્રોથ વિઝનની ઊંડાણપૂર્વક સમજ મેળવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કર્યું હતું.

NNM ગ્રુપ દ્વારા યોજાયેલા આ રોડ શોના માધ્યમથી કંપનીની મેનેજમેન્ટ ટીમ અને સંભવિત રોકાણકારો વચ્ચે અર્થપૂર્ણ વાતચીત સુગમ બની હતી. પહેલી ઈવેન્ટ શનિવાર, 25 ઓક્ટોબર, 2025 ના રોજ જયપુરની હોટેલ હિલ્ટન ખાતે યોજાઈ હતી તેમજ બીજી ઈવેન્ટ સોમવાર, 27 ઓક્ટોબર, 2025 ના રોજ સુરતમાં TGB ખાતે એમેરાલ્ડ હોલમાં યોજાઈ હતી. બંને ઇવેન્ટ્સમાં રોકાણકારોની ઉત્સાહવર્ધક હાજરી જોવા મળી હતી. આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ, ગેમ ચેન્જર્સ ટેક્સફેબના ગ્રોથ પ્લાન, વ્યવસાયિક વિકાસની સંભાવના અને ભાવિ વિસ્તરણ યોજનાઓ પર પ્રકાશિત પાડવાનો તેમજ કંપનીની કાર્યકારી ક્ષમતાઓમાં રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવવાનો હતો.

આ સત્રો દરમિયાન, રોકાણકારો સાથેના વાર્તાલાપમાં કંપનીના પ્રમોટર્સ અને સિનિયર મેનેજમેન્ટે તેમના દરેક પ્રશ્નોના પારદર્શિતા અને સ્પષ્ટતા સાથે જવાબ આપ્યા હતા. તેમણે કંપનીના વ્યવસાયના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર ચર્ચા કરી હતી અને તેના એસેટ-લાઇટ ઓપરેશનલ માળખા અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત, તેમણે કંપનીના ઉત્પાદન અને વિતરણ નેટવર્કને વધારવા માટેની યોજનાઓ વિશે પણ ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. જેમાં રોકાણકારોએ કંપનીની આવક, વૈવિધ્યકરણ વ્યૂહરચના, માર્જિન અને આગામી રિટેલ વિસ્તરણ પહેલને સમજવામાં ઊંડો રસ દાખવ્યો હતો. ઈવેન્ટમાં પ્રમોટરોના આત્મવિશ્વાસ અને ડેટા-સમર્થિત પ્રતિભાવોને સારો પ્રતિસાદ મળ્યો હતો, જેનાથી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો.+

આ બન્ને રોડ શો કંપનીના IPO પહેલા જ યોજાયા હતા. કંપનીનો IPO 28 થી 30 ઓક્ટોબર, 2025 દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો છે, જેની પ્રાઈસ બેન્ડ ₹96 થી ₹102 પ્રતિ શેર છે. કુલ ઇશ્યૂનું કદ ₹54.84 કરોડ થાય છે અને કંપનીના શેર 4 નવેમ્બર, 2025 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર લિસ્ટ થવાની અપેક્ષા છે. કંપની આ આવકનો ઉપયોગ મુખ્યત્વે મૂડી ખર્ચ, કાર્યકારી મૂડી જરૂરિયાતો, સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને સંભવિત અજાણ્યા સંપાદન માટે કરવાની યોજના ધરાવે છે. જે ટકાઉ વિસ્તરણ અને કાર્યકારી કાર્યક્ષમતા પર તેનું ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપે છે.

આ રોડ શોના સફળ આયોજન પછી, ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડે 27 ઓક્ટોબર, 2025 ના રોજ તેની એન્કર ઇન્વેસ્ટર બિડિંગ હાથ ધરી હતી. જેના માધ્યમથી કંપનીએ પ્રતિ શેર ₹102 ના ભાવે શેર ફાળવીને એન્કર રોકાણકારો પાસેથી ₹9.15 કરોડ એકત્રિત કર્યા હતા. આ આયોજને કંપનીમાં રોકાણકારોના વધતા વિશ્વાસ રેખાંકિત કર્યો હતો. જોકે, આ સકારાત્મક ધારણાની વચ્ચે, કેટલાક બજાર નિરીક્ષકોએ કંપનીના કમાણી વૃદ્ધિની તુલનામાં પ્રમાણમાં ઊંચા મૂલ્યાંકન અને તેના એસેટ-લાઇટ મોડેલ સાથે સંકળાયેલા સંભવિત જોખમો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ મંતવ્યો હોવા છતાં, કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, તેની વ્યૂહરચના લાંબાગાળાની વૃદ્ધિ, સુગમતા અને મજબૂત રિટર્ન પ્રદાન કરે છે. કંપનીના વિકાસના આયોજન અને વિઝને રોડ શોમાં મોટાભાગના સહભાગીઓએ વધાવ્યો હતો.

આમ, એકંદરે, જયપુર અને સુરતમાં રોકાણકારોની મીટિંગમાં ગેમ ચેન્જર્સ ટેક્સફેબ લિમિટેડના બિઝનેસ વિઝન, ઓપરેશનલ ક્ષમતાઓ અને નેતૃત્વની વિશ્વસનીયતાનું સફળતાપૂર્વક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બન્ને રોડ શો ખૂબ જ સફળ રહ્યા હતા અને તેનાથી કંપનીના SME IPO માટે સકારાત્મક વાતાવરણ તૈયાર થયું હતું.

સોલેક્સ એનર્જી લિમિટેડ અને જર્મનીના આઈએસસી કોન્સ્ટાન્ઝે નેક્સ્ટ-જેન સોલાર ઇનોવેશનને આગળ વધારવા માટે સ્ટ્રેટેજિક RGD પાર્ટનરશીપ કરી

 

ભારતના પ્રથમ રીઅર કોન્ટેક્ટ સોલાર મોડ્યુલ, TAPI રીઅર કોન્ટેક્ટ (TRC), વિઝન 2030 નું લક્ષ્યાંક રજૂ કરે છે
રૂ. 1 લાખ કરોડનું મૂલ્યાંકન, $1.5 બિલિયનનું રોકાણ, અને 25,000-મજબૂત કાર્યબળ

સુરત , ઓક્ટોબર, 2025: ભારતના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ પગલામાં,NSE પર સૂચિબદ્ધ અગ્રણી સૌર ઉત્પાદક, સોલેક્સ એનર્જી લિમિટેડ (Solex Energy Limited): સોલેક્સ (SOLEX) એ સોલાર સેલ ઉત્પાદનમાં અદ્યતન RGD અને તકનીકી સહયોગ માટે ISC કોન્સ્ટાન્ઝ, જર્મની સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ઘોષણા નવી દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી, જેમાં સોલેક્સ લીડરશીપ, ISC કોન્સ્ટાન્ઝના પ્રતિનિધિઓ અને મુખ્ય ઈન્ડસ્ટ્રી સ્ટેકહોલ્ડર હાજર રહ્યા હતા.

આ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા, ISC કોન્સ્ટાન્ઝ તેની આગામી TOPCon સેલ લાઇનને અપગ્રેડ કરવા અને આગામી પેઢીની રીઅર કોન્ટેક્ટ અને c-Si ટેન્ડમ/પેરોવસ્કાઇટ સોલર ટેકનોલોજી અપનાવવા માટે સોલેક્સને વ્યાપક ટેકનોલોજીકલ સહાય પૂરી પાડશે. આ સહયોગ ISC કોન્સ્ટાન્ઝના પેટન્ટ પોર્ટફોલિયો દ્વારા સમર્થિત, સોલેક્સની સમર્પિત ઇન-હાઉસ RGD લાઇનની સ્થાપનાને પણ સક્ષમ બનાવશે, જે ભારતમાં સતત નવીનતા અને ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા સૌર ઉત્પાદનને આગળ ધપાવશે.

આ કાર્યક્રમમાં બોલતા, સોલેક્સ એનર્જી લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ચેતન શાહે (Dr. Chetan Shah, Chairman and Managing Director) જણાવ્યું હતું કે, “આ ભાગીદારી સોલેક્સની ટેકનોલોજીકલ શ્રેષ્ઠતા અને વૈશ્વિક નેતૃત્વ તરફની સફરમાં એક નિર્ણાયક પ્રકરણ છે. અમારા વિઝન 2030 હેઠળ, અમે 1 લાખ કરોડ રૂપિયાના લક્ષ્યાંકિત મૂલ્યાંકન, 1.5 બિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ અને 25,000 હાઈલી સ્કિલ્ડ ટીમ મેમ્બર્સ સાથે ભારતને સૌર નવીનતાના કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ જે આ વિઝનને આગળ ધપાવે છે.

ગયા વર્ષે, રિન્યુએબલ એનર્જી ઇન્ડિયા (REI) પ્રદર્શન 2024 દરમિયાન, સોલેક્સે રેક્ટેન્ગયુલર સેલ્સ દ્વારા સંચાલિત ભારતનું પ્રથમ સૌર મોડ્યુલ રજૂ કર્યું, જે દેશમાં ટેકનોલોજીકલ નેતૃત્વ માટે એક મિસાલ સ્થાપિત કરે છે. આ વર્ષે, અમે ફરી એકવાર ભારતમાં સૌથી અદ્યતન સૌર તકનીકોમાંથી એક લાવીને અને તેના વારસાને ટકાવી રાખીને ઇતિહાસ રચી રહ્યા છીએ. અમારી પ્રતિબદ્ધતા કસ્ટમર ફર્સ્ટ રહે છે, ખાતરી કરીને કે અમે સમુદાયો, ઉદ્યોગો અને રાષ્ટ્રને સશક્ત બનાવતા બેસ્ટ-ઇન-ક્લાસ સોલ્યુશન્સ પહોંચાડીએ છીએ.”

તેમણે વધુમાં ઉમેર્યું, “અમારું ધ્યાન ફક્ત ક્ષમતા વધારવા પર નથી પરંતુ કાર્યક્ષમતા, વિશ્વસનીયતા અને પ્રદર્શન દ્વારા અજોડ મૂલ્ય પહોંચાડવા પર છે. ભારત, યુરોપ અને યુ.એસ.માં અમારી વૈશ્વિક હાજરી વિસ્તરી રહી છે, ત્યારે અમે એક એવું ભવિષ્ય બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ જ્યાં ક્લીન, એફોર્ડેબલ એનર્જી દરેક ઘર, વ્યવસાય અને સમુદાયને સશક્ત બનાવે. ISC કોન્સ્ટાન્ઝ સાથે મળીને, અમે તે દ્રષ્ટિને વાસ્તવિકતામાં ફેરવી રહ્યા છીએ.”

આ ઉપરાંત, [Name, Designation, ISC Konstanz] એ શેર કર્યું, “આઈએસસી કોન્સ્ટાન્ઝ ખાતે, અમે 2005 થી ખર્ચ ઘટાડીને ફોટોવોલ્ટેઇક કાર્યક્ષમતામાં સતત વધારો કરી રહ્યા છીએ. અમારું ધ્યેય એવા સંશોધન પરિણામો પ્રાપ્ત કરવાનું છે જે ઉદ્યોગ અને સમાજ બંનેને લાભ આપે. અમે વૈશ્વિક ધોરણો નક્કી કરીએ છીએ, વિશ્વભરના ભાગીદારો અને યુવા પ્રતિભાઓ સાથે કુશળતા શેર કરીએ છીએ, અને એક અંતિમ ધ્યેય દ્વારા સંચાલિત રહીએ છીએ, જે સ્વચ્છ સૌર ઊર્જાને બધા માટે સુલભ અને સસ્તું બનાવે છે. સોલેક્સ એનર્જી સાથેની અમારી ભાગીદારી અમને તે દ્રષ્ટિકોણને સાકાર કરવા અને સફળ વૈશ્વિક એનર્જી ટ્રાન્ઝિશનને આગળ વધારવાની નજીક લાવે છે.”

વિઝન 2030 હેઠળ, સોલેક્સનો ઉદ્દેશ્ય 10 GW સોલર મોડ્યુલ અને 10 GW સોલર સેલ ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાનો છે, જે ભારતીય સૌર ઉત્પાદનમાં નવા બેન્ચમાર્ક સ્થાપિત કરે છે..

આ જ કાર્યક્રમમાં, સોલેક્સે ભારતના પ્રથમ રીઅર કોન્ટેક્ટ સોલર મોડ્યુલ, TAPI રીઅર કોન્ટેક્ટના કોન્સેપ્ટ લોન્ચનું અનાવરણ કર્યું, જે ડિઝાઇન અને કાર્યક્ષમતામાં એક મોટી છલાંગ રજૂ કરે છે. TAPI એ સોલેક્સ એનર્જી લિમિટેડ હેઠળ નોંધાયેલ નામ અને લોગો છે. અદ્યતન N-ટાઇપ રીઅર કોન્ટેક્ટ ટેકનોલોજી દ્વારા સંચાલિત, નવું મોડ્યુલ 24.60% સુધી કાર્યક્ષમતા અને 665W પાવર આઉટપુટ પ્રદાન કરે છે, જેમાં શૂન્ય ફ્રન્ટ શેડિંગ અને અસાધારણ તાપમાન પ્રદર્શન છે. TAPI રીઅર કોન્ટેક્ટનું વાણિજ્યિક ઉત્પાદન નાણાકીય વર્ષ 2027 સુધીમાં શરૂ થવાનું છે, જે સોલેક્સના પ્રીમિયમ સોલર ટેકનોલોજીના આગામી યુગમાં પ્રવેશને ચિહ્નિત કરે છે.

સોલેક્સે એવી પણ જાહેરાત કરી હતી કે મુલાકાતીઓ 30 ઓક્ટોબર, 2025 થી ગ્રેટર નોઈડા ખાતે શરૂ થઈ રહેલા રિન્યુએબલ એનર્જી ઈન્ડિયા (REI) એક્સ્પોમાં તેની નવીનતાઓનું અન્વેષણ કરી શકે છે. કંપની બૂથ નંબર R318, હોલ 11 ખાતે તેની નવીનતમ ટેકનોલોજી અને TAPI રીઅર કોન્ટેક્ટ પ્રોડક્ટ રેન્જનું પ્રદર્શન કરશે.

તેની વિસ્તરણ વ્યૂહરચનાના ભાગ રૂપે, સોલેક્સ ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપ સહિત આંતરરાષ્ટ્રીય બજારોમાં ડીલરો અને વિતરકો સાથે નવી ભાગીદારી શોધવા માટે સક્રિયપણે કાર્યરત છે, જે તેની વૈશ્વિક પહોંચને વધુ મજબૂત બનાવે છે.

ઉલ્લેખનીય છે કે, સોલેક્સ એનર્જી લિમિટેડ તાજેતરમાં NSE ઇમર્જથી NSE મેઇન બોર્ડમાં સ્થળાંતરિત થયું છે, જે તેની માઈલસ્ટોન જર્નીમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે અને ભારતના સૌથી વિશ્વસનીય અને ભવિષ્ય માટે તૈયાર નવીનીકરણીય ઉર્જા સાહસોમાંના એક તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે.

સુરત ખાતે યોજાયો વર્લ્ડનો સૌથી મોટો ફેશન શો, ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યું સ્થાન

 

રાજા રાણી કોચિંગ સંસ્થા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ ફેશન શોમાં રેકોર્ડ બ્રેક 7000 થી વધુ લોકોએ ભાગ લીધો

સુરત. ફેશન જગતમાં હવે સુરતે વિશ્વ ક્ષત્રે કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આજ રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ વિશ્વના સૌથી મોટા ફેશન શૉએ વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાની સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સુરતનું નામ નોંધાવ્યું છે. સુરતને આ ગૌરવનો ક્ષણ મળ્યો છે.l મોહિત ગડિયા અને પ્રિયા ગડિયા દ્વારા સંચાલિત રાજા રાણી કોચિંગ સંસ્થાના કારણે. આ દંપતી દ્વારા આજરોજ સુરત ખાતે આયોજિત ફેશન શોમાં આશ્ચર્યજનક રીતે 7,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. અત્યાર સુધી 1,200 લોકોએ ભાગ લીધો તે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલ હતું, પરંતુ સુરતના આ ભવ્ય કાર્યક્રમ દ્વારા નવો વૈશ્વિક કીર્તિમાન રચાયો છે.

રાજા રાણી કોચિંગના સ્થાપક મોહિત ગડિયા જણાવ્યું હતું કે આ ફેશન શો માત્ર ગ્લેમર માટે નહોતો, પરંતુ યુવા પેઢીની પ્રતિભા અને સ્કીલને દેખાડવાનો પ્લેટફોર્મ હતું. ‘સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા’ના સંદેશ સાથે અમે યુવાનોને પ્રેરણા આપવા માગીએ છીએ.”
ગત વર્ષે સંસ્થાએ 3,000 વિદ્યાર્થીઓને કોચિંગ આપ્યું હતું, જેમાંથી 30 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ વિશેષ ફેશન શો માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ લંડન, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, મહારાષ્ટ્ર, કોલકાતા, ગુજરાત અને આસામ જેવા રાજ્યોમાંથી આવ્યા હતા.
આ ઇવેન્ટમાં કુલ 15 ફેશન સિક્વન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ભારતભરના 40 મોડેલ્સે વિવિધ ગારમેન્ટ્સ પ્રસ્તુત કર્યા. રંગ, સંગીત અને સંસ્કૃતિના સંયોજનથી સ્ટેડિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું.

પ્રિયા ગડિયા જણાવ્યું હતું કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ દ્વારા આ કાર્યક્રમની પ્રશંસા કરવામાં આવી છે. સુરત શહેરે ફેશન અને યુવા પ્રતિભા માટે વૈશ્વિક સ્તરે પોતાનું નામ નોંધાવી દીધું છે.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સ્કીલ હોગા ઇન્ડિયા તો બિલ્ડ હોગા ઇન્ડિયા જેવા પ્રેરણાદાયી નારાઓ સાથે એક ખાસ સિક્વન્સ પણ રજૂ કર્યો, જેમાં યુવાનોને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવામાં આવી હતી.