વ્યાપાર

સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત
સુરતમાં યોજાયેલી સમિટમાં 300 થી વધુ રોકાણકારોએ ભાગ લીધો
સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે.
દેશની ઝડપી પ્રગતિ સાધતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા તથા તેમાં રોકાણ દ્વારા ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા આર્થિક વૃદ્ધિમાં તેમના યોગદાનની સ્વિકૃતિ કરવાના ઉદ્દેશ્ય સાથે થોડાં સમય પહેલાં યુનિસિન્ક એન્જલ્સ દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ સમીટ – સુરત 2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એન્જલ ઇન્વેસ્ટિંગ સિમ્પલિફાઇડ થીમ આધારિત આ સમીટમાં 300થી વધુ એન્જલ ઇન્વેસ્ટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સે ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં આવિષ્કાર ગ્રૂપના સ્થાપક અને ચેરમેન વિનિત રાયે છેલ્લાં 20 વર્ષમાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાના તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. આવિષ્કાર 1 અબજ યુએસ ડોલરથી વધુની એસેટને મેનેજ કરે છે અને તે રોકાણ ઉપર સકારાત્મક અસરો પેદા કરવા ઉપર કેન્દ્રિત છે.
આ પ્રસંગે યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક કશ્યપ પંડ્યાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્ટાર્ટ-અપમાં રોકાણ કરવું માત્ર સંપત્તિ સર્જનનો જ ઉદ્દેશ્ય નહીં, પરંતુ ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાને સપોર્ટ કરવાથી સમાજ ઉપર પણ એકંદરે સકારાત્મક અસરો પેદા કરી શકાય છે.
યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક સીએ મયંક દેસાઇએ પરંપરાગત એસેટ ક્લાસ જેમકે રિયલ એસ્ટેટથી ન્યુ-એજ એસેટ ક્લાસ તરફ રોકાણકારોના બદલાતા અભિગમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં તથા રોકાણના ઉત્તમ વિકલ્પ અને ઇકોસિસ્ટમની રચનામાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા વર્ણવી હતી.
ઉલ્લેખનીય છે કે યુનિસિન્ક એન્જલ્સ એક વૈશ્વિક એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, જેની સાથે 25 જેટલાં સીએ અને મેન્ટર્સ જોડાયા છે, જે સ્ટાર્ટ-અપ્સને વૃદ્ધિ માટે જરૂરી કેપિટલ અને કનેક્ટ પણ આપશે. યુનિસિન્ક એન્જલ્સ દેશના 40 જેટલા ટિયર 2 અને 3 શહેરો માં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ની રચના કરશે અને યુનિસિન્ક એન્જલ્સની 1000 કરોડનું ફંડ એકત્ર કરવાની ભવિષ્યની યોજના છે.
વધુ વિગત માટે વેબસાઈટ પર માહિતી મેળવો: https://unisyncangels.com/

ઇલેક્ટ્રિક વેહિકલના સર્વિસ અને રીપેરીંગ માટેના નેટવર્ક સાથે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શોરૂમની શરૂઆત
શો રૂમની શરૂઆત પહેલાં મેકેનિકોને કંપની દ્વારા અપાઈ ટ્રેનીંગ
મેકેનિક અને ગેરેજ સંચાલકો વાહનોની સર્વિસ અને રીપેરીંગ સાથે વાહન વેચાણ કરી કમાણી પણ કરી શકાશે
સુરત: ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે લોકોનું આકર્ષણ સતત વધતું જઈ રહ્યું છે. તેમાંય ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સમગ્ર દેશમાં ગુજરાત અને ગુજરાત માં પણ સુરત અવ્વલ છે. ત્યારે ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓને વાહનની સર્વિસ અને રીપેરીંગ માટે અવગડતા નહીં પડે તે માટે દેશમાં સૌ પ્રથમ વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ વિચાર્યું છે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણ સાથે વાની મોટો દેશની એક માત્ર એવી કંપની છે કે જેને ઇલેક્ટ્રિક વાહન ધારકો માટે શહેરોમાં સર્વિસ અને રીપેરીંગ સેન્ટર નેટવર્ક પ્રસ્થાપિત કરવાની દિશામાં કામગીરી હાથ ધરી છે. સુરત ખાતે કંપનીના શો રૂમની શરૂઆત પહેલાં જ આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે માટે મેકેનિક અને ગેરેજ સંચાલકો ને એક વિશેષ ટ્રેનીંગ પણ આપવામાં આવી છે. આવા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર સર્વિસ કે રીપેરીંગ માટે જ નથી જોડ્યા પણ વાહનોના વેચાણ સાથે પણ તેમને જોડીને કમાણીની તક કંપની દ્વારા આપવામાં આવી રહી છે.
આ અંગે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ ના ડાઈરેક્ટર જેનીશ શાહ એ જણાવ્યું હતું કે દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. અનેક કંપનીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. જોકે મોટાભાગની કંપનીઓને માત્ર વાહનોનુઁ વેચાણ કેવી રેતી વધે તેમાંજ રસ છે. પરિણામે લોકો વાહન ખરીદી કર્યા બાદ સર્વિસ માટે કે પછી વાહન બગડ્યા બાદ રીપેરીંગ માટે આમ તેમ ધક્કા ખાતા જોવા મળે છે. આવી કંપનીઓના એકાદ સર્વિસ સેન્ટર હોવાના કારણે વાહનો સમય સર રિપેર થઈ શકતા ન હોવાના કારણે વાહન માલીકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ પોતાના ગ્રાહકોને આવી કોઈ અવગળતા નહીં પડે અને દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોની સર્વિસ થઈ શકે અને રીપેરીંગ પણ થઈ શકે તે દિશામાં વિચાર્યું છે. કંપની દ્વારા તેમની કંપનીના ઇલેક્ટ્રિક વાહનોની સર્વિસ અને રીપેરીંગ માટે શહેરોમાં શો રૂમ શરૂ કરતાં પહેલાં જ આખું સુ વ્યવસ્થિત નેટવર્ક સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ કંપની દ્વારા સુરતમાં શો રૂમની શરૂઆત કરતા પહેલા આ પ્રકારનું નેટવર્ક સ્થાપિત કરવામાં આવ્યું છે. કંપની દ્વારા શહેરમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર વાહનોનું રીપેરીંગ કરતા મેકેનિક અને ગેરેજ સંચાલકોનો સંપર્ક સાધી તેમને કંપની સાથે જોડવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો કેવી રીતે રિપેર કરવા અને સર્વિસ કરવા તે માટે કંપની દ્વારા તમામને ટ્રેનીંગ પણ આપવામાં આવી. જેથી કરીને કોઈ પણ વાહન ચાલકનું વાહન જ્યાં બગડે તે જ વિસ્તારમાં તેની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય. વધુમાં જેનીશ શાહ એ જણાવ્યું હતું કે વાની મોટો પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે જોડાયેલા મેકેનિક અને ગેરેજ સંચાલકો ને માત્ર વાહનોના સર્વિસ અને રીપેરીંગ નું જ કામ નહીં આપવામાં આવશે પણ તેમને કંપનીના એજન્ટ તરીકે પણ પ્રસ્થાપિત કરવામાં આવશે. એટલે કે તેઓ વાની મોટો ના ટુ વ્હીલર કે થ્રી વ્હીલર વાહનનું વેચાણ કરીને પણ કમાણી કરી શકશે.

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ
અમદાવાદ: ભારતીય ગ્રાહકો વચ્ચે વાઘ બકરી ટી સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ બની છે. દેશમાં પ્રીમિયમ ચા માટે પ્રખ્યાત વાઘ બકરી ટી ગ્રૂપને ટીઆરએ રિસર્ચ દ્વારા તેના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022માં ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ જાહેર કરવામાં આવી છે.
ટીઆરએ રિસર્ચના તાજેતરના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2022 માટે દેશભરમાં 16 શહેરોમાં સિન્ડિકેટેડ કન્ઝ્યુમર-ઇન્ફ્લ્યુઅન્સર મારફતે અભ્યાસ હાથ ધરાયો હતો. તેમાં હજારો સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય ટી બ્રાન્ડ્સમાં ભારતીય ગ્રાહકોએ વાઘ બકરી ટીને સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ તરીકે મત આપ્યો હતો.
ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ તરીકે ઓળખાવવું અમારા માટે ખૂબજ ગૌરવની વાત છે, તેમ વાઘ બકરી ટી ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર રસેશ દેસાઇએ જણાવ્યું હતું. અમે અમારા મૂલ્યવાન ગ્રાહકોને બેજોડ ગુણવત્તા ધરાવતી ચીજો પ્રદાન કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. આ ઓળખ અમારી ચાર પેઢીના કાર્યોને સ્વિકૃતિ આપે છે તેમજ અમને વધુ હાંસલ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અમારી નિષ્ણાંતોની ટીમ સારા પેકેજિંગ ડિઝાઇન તથા ઉત્તમ મૂલ્યો સમર્થિત ઇનોવેશનના ઉચ્ચ સ્તરો સાથે વિશ્વભરના અમારા ગ્રાહકોને સંતુષ્ટિ પ્રદાન કરવાના અમારા મીશનને આગળ ધપાવશે.
ભારત અને 50થી વધુ દેશોમાં પ્રીમિયમ સેગમેન્ટમાં અગ્રણી વાઘ બકરી ટી ગ્રૂપ વર્ષ 1892થી ભારતમાં ચાના વ્યવસાયમાં ઉપસ્થિતિ ધરાવે છે. આ ગ્રૂપ ભારતમાં અગ્રણી પેકેજ્ડ ટી કંપનીઓ પૈકીનું એક છે તથા રૂ. 1800 કરોડથી વધુ ટર્નઓવર અને 45 મિલિયન કિલોથી વધુ ચાનું વિતરણ કરે છે.
ગ્રૂપ ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને ચંદીગઢ, હૈદરાબાદ, છત્તિસગઢ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે તથા તાજેતરમાં તેણે પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પ્રવેશ કર્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, વ્યવસાયિક ચર્ચા અથવા પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાનું પરફેક્ટ ડેસ્ટિનેશન વાઘ બકરી ટી લાઉન્જ દ્વારા ગ્રૂપે લાખો ભારતીયોના જીવનમાં આનંદ અને તાજલી લાવવાના તેના વારસાને પણ વધુ મજબૂત કરી રહ્યું છે. હાલમાં અમે દેશભરમાં 15 લાઉન્જ ધરાવીએ છીએ તથા ટૂંક સમયમાં તેમાં ઉમેરો કરાશે.

રાજ્ય કક્ષાના કાપડ મંત્રી દર્શના જરદોશે ટેકસટાઇલ કમિશનર દ્વારા આયોજિત બે દિવસીય કેમ્પને ખુલ્લો મૂક્યો
સુરત: આજરોજ મંત્રા ખાતે ટેક્સટાઇલ કમિશનર વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર દ્વારા TUF ની જુદી-જુદી સ્કીમ ના પડતર પ્રશ્નો/ક્લેઇમ ના નિકાલ માટે બે દિવસના કેમ્પનું ઉદઘાટન માનનીય રાજ્ય કક્ષાના ટેક્સટાઇલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે કર્યું હતું આ પ્રસંગે એડિશનલ કમિશનર શ્રી એસ. પી વર્મા સાહેબ તથા ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષા પોલ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભ પૂર્વે શ્રીમતી દર્શનાબેને મંત્રાની ખાસ કરીને ટેક્નિકલ ટેક્સટાઇલને લગતી મશીનરી/સાધનોનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રાની આધુનિક સવલતોના નિર્દેશન બાદ તેઓ પ્રભાવિત થયા હતા તથા મંત્રા એ પોતાનું માર્કેટિંગ કરવું જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે હાજર રહેલા પત્રકારોને મંત્રાની ઉપ્લબ્ધીનો પ્રચાર કરવા પર ભાર મૂક્યો હતો. TUF ના પ્રશ્નોના નિકાલ બાબતે ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઘણા કેસોમાં ઔધૌગિક યુનિટ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં આવ્યા નથી. તેમજ મોટા ભાગના કિસ્સામાં પ્રત્યક્ષ ઇન્સ્પેક્શન માટે યુનિટોએ રસ દર્શાવ્યો નથી. આ બે દિવસના કેમ્પમાં મંત્રા દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને ટેકસટાઇલ કમિશનરના ઓફિસરોને જુદી-જુદી ચાર ઓફિસો ફાળવવામાં આવી છે જેમાં સુરતના ઉદ્યોગકારોના પેન્ડિંગ સબસિડીના કેસોનો યોગ્ય ઉકેલ/નિકાલ કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં બેન્કના નોડલ ઓફિસરોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં એડિશનલ ટેક્સટાઇલ કમિશનરશ્રી એસ. પી. વર્માએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રીમતી ઉષાબેન પોલે કાર્યક્રમની માહિતી આપી હતી. મંત્રા તરફથી પ્રમુખશ્રી રજનીકાંત બચકાનીવાલા તથા ઉપપ્રમુખશ્રી જયવદનભાઈ બોડાવાલા તથા અન્ય કાઉન્સિલ મેમ્બર હાજર રહ્યા હતા.

ગ્રીનલેબે સર્જ્યો વિશ્વ રેકોર્ડ : સુરતમાં તૈયાર થયેલા ઓમ નમઃ શિવાય નામના હીરાએ સર્જ્યો વિશ્વ રેકોર્ડ, ચીનને પછડાટ આપી ભારતનો હીરો દુનિયાનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ બન્યો
સુરત: સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમન્ડ્સ JCK લાસ વેગાસ શોમાં તેના ત્રણ યુનિક લેબ-ગ્રોન ડાયમંડ્સ ‘ઓમ નમઃ શિવાય’નું પ્રદર્શન કરશે. આજ ની મોડર્ન દુનિયા ને અનુરૂપ લક્ઝુરીયસ ફેશન ને અફોર્ડેબલ તેમજ હીરો હર એક ને માટે બનાવવાના તેના વિઝન સાથે, સુરત સ્થિત ગ્રીનલેબ ડાયમંડ્સ તેના લેટેસ્ટ ક્લેક્શન ઓમ નમઃ શિવાયની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે, જે અદ્યતન સૌર્ય ઉર્જા નિર્ભિત માનવ સંચાલિત લેબોરેટરી માં બનાવવામાં આવેલા ત્રણ અત્યંત યુનિક ડાયમંડ્સનો એક સમૂહ છે જે ગ્રીનલેબની ઉચ્ચતમ કુશળતા અને આધુનિક ટેક્નોલોજીનું પ્રદર્શન કરે છે.
આ ત્રણેય માંથી પ્રત્યેક ડાયમંડ્સ એ ગ્રીનલેબ ડાયમંડ્સની વિશ્વમાં સર્વોચ્ચ ગુણવત્તાના ડાયમંડ્સ બનાવવાની સતત પ્રતિબદ્ધતા અને પ્રયોગશાળામાં બનાવવામાં આવેલી ડાયમંડ ટેક્નોલોજીની પ્રગતિનું પરિણામ છે. “લેબમાં તૈયાર કરવામાં આવેલા ડાયમંડ્સ તમામ માટે છે. ગ્રીનલેબ ડાયમન્ડ્સના ભાગીદાર સંકેત પટેલ કહે છે કે અમે વધુ ઉત્કૃષ્ઠ ડાયમંડ્સની ખેતી કરવામાં અને ટકાઉ અને વાજબી લક્ઝુરીયસમાં વિશ્વાસ રાખીએ છીએ જે લોકો અને પૃથ્વીનું પોષણ કરે છે.
પોતાની કુશળતા અને એડવાન્સ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, ગ્રીનલેબ ડાયમંડ્સે 27.27 કેરેટનો માર્ક્વિઝ સ્ટેપ-કટ ડાયમંડ્સ ‘ઓમ’ બનાવ્યો છે, જે તેને વિશ્વનો સૌથી મોટો પ્રયોગશાળામાં બનાવવામાં આવેલો પોલિશ્ડ ડાયમંડ બનાવે છે.
બીજા ચમકદાર ડાયમંડ્સનું નામ ‘નમઃ’ છે, એક પિઅર રોઝ-કટ 15.16-કેરેટ ડાયમંડ્સ જે સુંદર રીતે પોલિશ કરવામાં આવ્યો છે, જે દર્શકોને તેની સુંદરતા બતાવે છે. એકસાથે, ઓમ અને નમઃ એ વિશ્વના સૌથી મોટા પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા પોલિશ્ડ ડાયમંડ્સ છે જેમાં કોઇપણ પ્રકારનો કુત્રિમ રંગ ટ્રીટમેન્ટ કરવામાં આવ્યો નથી.
ત્રીજા ડાયમંડનું નામ ‘શિવાય’ છે, તે 20.24-કેરેટનો માસ્ટરપીસ છે જે વશીકરણ અને સુંદરતા દર્શાવે છે. આ નીલમણિ કટ ડાયમંડને દર્શકોને વધુર સુંદરતા માટે સંપૂર્ણ રીતે આકાર આપવામાં આવ્યો છે અને તે કોઈના પણ હાથ પર આકર્ષણ ઉમેરી શકે છે.
તેમણે ઉમેર્યુ કે, “અમે લાસ વેગાસમાં JCK શોમાં વિશ્વ સમક્ષ ત્રણ હીરાનું પ્રદર્શન કરીશું. ક્લેક્શન બૂથ નંબર 8131 LABON LLC પર પ્રદર્શિત કરવામાં આવશે. અમારી કલાકારીગરી જ અમારા ક્રીયેશન ને આ ઇન્ડસ્ટ્રી માં વિભિન્ન પાડે છે. અમે ઉદ્યોગજગતના સભ્યોને આવવા અને ચમકતા ડાયમંડના સાક્ષી બનવા આમંત્રણ આપીએ છીએ.”

સશક્ત યુવા, સશક્ત ભારતના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ યોજાઈ
ભારતીય સિંધુ સભાની યુવા પાંખ દ્વારા યોજાયેલી આ ભવ્ય સમિટમાં 10 દેશોના
સિંધી ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ભાગ લીધો

સશક્ત યુવા, સશક્ત ભારતના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં સૌપ્રથમ ગ્લોબલ સિંધુ સમિટ યોજાઈ
ભારતીય સિંધુ સભાની યુવા પાંખ દ્વારા યોજાયેલી આ ભવ્ય સમિટમાં 10 દેશોના
સિંધી ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અને પ્રોફેશનલ્સે ભાગ લીધો
ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન શ્રી પ્રદીપસિંહ પરમાર અને
રાજ્યકક્ષાના કુટિર ઉદ્યોગ તથા સહકાર પ્રધાન શ્રી જગદીશભાઈ પંચાલ સમિટમાં
ઉપસ્થિત રહ્યા
Continue reading...
ગ્લોબલ સિંધુ સમિટ 2022ને શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
અમદાવાદ: ભારતીય સિંધુ સભા, ગુજરાત યુવા ટીમ દ્વારા આગામી 10 એપ્રિલ, 2022ના રોજ અમદાવાદ ખાતે સૌપ્રથમ એવી ઐતિહાસિક ગ્લોબલ સિંધુ સમિટનું આયોજન થઈ રહ્યું છે. આ સમિટમાં દેશ-વિદેશમાંથી સિંધી સમાજના વિવિધ અગ્રણીઓ, બિઝનેસમેન, નિષ્ણાંતો હાજર રહેશે. ભારતભરમાં સિંધુ સમાજના આ અનન્ય કહી શકાય તેવા ભવ્ય કાર્યક્રમ માટે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા પાઠવી છે.
મુખ્યમંત્રીએ સમિટ માટે પાઠવેલા સંદેશમાં જણાવ્યું છે કે “સિંધુ નદીના કિનારે વિકસેલી આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર સિંધ પ્રાંત એક સમયે અખંડ હિંદનો ભાગ હતો. હિજરત દરમિયાન અહીં આવેલા સિંધી જ્ઞાતિના પરિવારોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને પોતાની મહેનત અને આત્મનિર્ભરતાથી અનેક સન્માનનીય લક્ષ્યાંકો હાંસલ કર્યા છે. ભાષા, સંસ્કૃતિ, વેપાર અને સંગઠન દ્વારા આપણી ભાષાનું ગૌરવ અને ઉત્થાન જાળવીને શિસ્તબદ્ધ સંસ્થા ભારતીય સિંધુ સભાની રચના કરવામાં આવી છે.
મને ખુશી છે કે ભારતીય સિંધુ સભાએ રાષ્ટ્રીય ચિંતનના સંદર્ભમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. BSSની યુથ ટીમ દ્વારા ગ્લોબલ સિંધુ સમિટ 2022નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમિટ દ્વારા સિંધી સમાજના ઉદ્યોગ સાહસિક યુવાનોને વિકાસના નવા પરિમાણો અને નવીનતમ સંસાધનો ઘડવાની તક મળશે. ગ્લોબલ સિંધુ સમિટ 2022 માટે મારી શુભેચ્છાઓ અને અભિનંદન.”
મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા સંદેશ અંગે ગ્લોબલ સિંધુ સમિટના સંયોજક અને ભારતીય સિંધુ સભા-ગુજરાતના યુવા અધ્યક્ષ શ્રી નિખિલ મેઠિયાએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે અને આ સંદેશથી સિંધી યુવાનોમાં અનેરા ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થશે તેવી આશા વ્યક્ત કરી છે.
અમદાવાદમાં એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઈડીઆઈ) ખાતે 10 એપ્રિલ, 2022ના રોજ ગ્લોબલ સિંધુ સમિટ 2022 યોજાશે જે અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

#KooKiyaKya જાહેરાત અભિયાન દ્વારા ભાષાઓમાં સ્વ-અભિવ્યક્તિને પ્રેરિત કરે છે
ટી20 વિશ્વકપ અંતર્ગત પ્રથમ વખતના ટીવીસી અભિયાનનું અનાવરણ કરે છે.
અમદાવાદ ગુજરાત: ભારતના અગ્રણી મલ્ટી લેંગ્વેજ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ-(Koo)કૂએ લોકોને તેમની માતૃભાષામાં અભિવ્યક્ત કરવા માટે પ્રેરણા અને સશક્તિકરણ માટે પોતાનું પ્રથમ ટેલિવિઝન અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન યુઝરોની સ્વ-અભિવ્યક્તિ માટે સોશિયલ મીડિયાનો લાભ લેવાની, અને તેમના સમુદાયો સાથે તેમની પસંદગીની ભાષામાં જોડાવા અને જોડાવાની ઇચ્છાનું પ્રતિબિંબ છે.
ટી 20 વર્લ્ડ કપ 2021 ની શરૂઆતમાં શરૂ કરાયેલ, ઓગિલ્વી ઈન્ડિયા દ્વારા કલ્પના કરાયેલ આ અભિયાનમાં ટૂંકા ફોર્મેટ 20 સેકન્ડની જાહેરાતોની શ્રેણી છે જે ટેગલાઈન #KooKiyaKya ની આસપાસ તેમની વિચિત્રતા, બુદ્ધિ અને રમૂજ દ્વારા દર્શકોનું ધ્યાન ખેંચે છે.
આકર્ષક દ્રશ્યો લોકોને તેમના રોજિંદા જીવનમાં ફરવા, હળવા દિલની વ્યથામાં વ્યસ્ત રહે છે, અને તેમના હૃદયથી સીધી વાત કરે છે- આકર્ષક રૂઢિપ્રયોગો સાથે કે જે પોતાને વ્યક્ત કરી શકે છે. જાહેરાતો એકીકૃત સંદેશની આસપાસ વણાયેલી છે- અબ દિલ મેં જો ભી હો, કૂ (Koo) પે કહો. આ અભિયાન ઇન્ટરનેટ યુઝરોના મનની ડીકોડ કરવા અને તેમની માતૃભાષામાં ડિજિટલ રીતે વાર્તાલાપ અને શેર કરવાની તેમની ઇચ્છાને ડીકોડ કરવા માટે તીવ્ર સંશોધન અને માર્કેટ મેપિંગને અનુસરે છે. આ જાહેરાતો અગ્રણી સ્પોર્ટ્સ ચેનલો પર લાઇવ છે અને ટી 20 વર્લ્ડ કપની મેચ દરમિયાન ચાલશે.
કૂ (Koo) એપના સહ-સ્થાપક અને સીઈઓ અપ્રમેય રાધાકૃષ્ણએ કહ્યું, “કૂ (Koo) ભાષા આધારિત માઈક્રો બ્લોગિંગની દુનિયામાં એક નવીનતા છે. અમે વિવિધ સંસ્કૃતિના લોકોને તેમની પસંદગીની ભાષામાં અમારા પ્લેટફોર્મ પર વિચારો શેર કરવા માટે એકત્રિત કરીએ છીએ. આ અભિયાન એક રસપ્રદ આંતરદૃષ્ટિની આસપાસ રચાયેલ છે જે તમારી માતૃભાષામાં વ્યક્ત કરવાની જરૂરિયાતને પ્રતિબિંબિત કરે છે. તે કૂ (Koo)ને એક સર્વસમાવેશક પ્લેટફોર્મ તરીકે, સ્વ-અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે સ્થાન આપે છે જે તે લોકોને અવાજ આપે છે જેમણે પહેલા ક્યારેય ભાષા આધારિત સોશિયલ મીડિયાનો અનુભવ કર્યો નથી. ટી 20 વર્લ્ડ કપ 2021 અત્યારે થઈ રહ્યો છે, લોકોનો અર્થપૂર્ણ રીતે એકબીજા સાથે જોડાવા માટે મદદ કરવા માટે, અમારા સંદેશને પહોંચાડવા માટે એક મુખ્ય ચેનલ તરીકે ટેલિવિઝનનો લાભ લેવા માટે સમય યોગ્ય છે. અમને વિશ્વાસ છે કે આ અભિયાન અમારી બ્રાન્ડની યાદમાં વધારો કરશે, વેગ આપશે અને અમારા પ્લેટફોર્મને લોકોના ડિજિટલ જીવનનું અભિન્ન પાસું બનાવવા માટે કૂ (Koo)ની યાત્રામાં સાચી અર્થપૂર્ણ ભૂમિકા ભજવશે. ”
કૂ (Koo) ના સહ-સ્થાપક મયંક બિદાવટકાએ ઉમેર્યું, “ભારતમાં દરેક વ્યક્તિનો કોઈ ને કોઈ બાબતે અભિપ્રાય હોય છે. આ વિચારો અને મંતવ્યો બંધ અથવા સામાજિક વર્તુળો અને મોટા ભાગે ઓફલાઇન સુધી મર્યાદિત છે. ભારતના મોટા ભાગને લોકોની પસંદગીની ભાષામાં આ વિચારો વ્યક્ત કરવા માટે ઓનલાઈન જાહેર મંચ આપવામાં આવ્યો નથી. આ અભિયાન તે જ છે- દરેક ભારતીયને તેમની માતૃભાષામાં તેમના વિચારો વહેંચવાનું શરૂ કરવા અને કૂ (Koo) પર અન્ય લાખો લોકો સાથે અર્થપૂર્ણ રીતે જોડાવા માટે આમંત્રણ. આ અભિયાન વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ અને વાતચીતોનું નિરૂપણ કરે છે. કૂ (Koo) મોટા પ્રમાણમાં ભારત માટે બનાવવામાં આવ્યું છે અને અમે ધ્યાન આકર્ષિત કરવા માટે સેલિબ્રિટીઝનો ઉપયોગ કરવાના મોજાને બદલે અમારી જાહેરાતોમાં વાસ્તવિક લોકોને બતાવવા માંગતા હતા. અમે મોટા ભાગે ભારત સાથે ભાષા આધારિત વિચાર વહેંચણીના અમારા મુખ્ય પ્રસ્તાવને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. ઓગિલ્વી ઇન્ડિયાના અમારા ભાગીદારોએ આ ખ્યાલને જીવંત બનાવવાનું તેજસ્વી કાર્ય કર્યું છે! ”
ઓગિલ્વી ઇન્ડિયાના ચીફ ક્રિએટિવ ઓફિસર સુકેશ નાયકે ઉમેર્યું, “અમારો વિચાર જીવનમાંથી આવ્યો છે. જ્યારે આપણી પોતાની ભાષામાં આપણા મિત્રો કે પરિવાર સાથે વાત કરીએ છીએ ત્યારે આપણને આપણી જાતને શ્રેષ્ઠ વ્યક્ત કરવાનો આરામ મળે છે. અમારો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે જે પણ આ ફિલ્મો જુએ છે, તેણે તરત જ પોતાના જીવનમાંથી આવી ઘણી ઘટનાઓ વિશે વિચારવું જોઈએ. અને કૂ (Koo) પર પ્રેક્ષકોના વિશાળ સમૂહ સાથે તેમની પોતાની ભાષામાં તેને વ્યક્ત કરવામાં આરામદાયક લાગે છે. ”
કૂ (Koo) વિશે
કૂ (Koo)ની સ્થાપના માર્ચ 2020 માં ભારતીય ભાષાઓમાં બહુભાષી માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી હતી અને 15 મિલિયનથી વધુ યુઝરો ધરાવે છે, જેમાં પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ થાય છે. બહુવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ, કૂ (Koo) ભારતના વિવિધ પ્રદેશોના લોકોને પોતાની માતૃભાષામાં અભિવ્યક્ત કરવા સક્ષમ બનાવે છે. એવા દેશમાં જ્યાં ભારતનો માત્ર 10% અંગ્રેજી બોલે છે, ત્યાં એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની તાતી જરૂર છે જે ભારતીય યુઝરોને નિમજ્જન ભાષાના અનુભવો પહોંચાડી શકે અને તેમને એકબીજા સાથે જોડવામાં મદદ કરી શકે. કૂ (Koo) ભારતીયોના અવાજો માટે એક મંચ પૂરું પાડે છે જે ભારતીય ભાષાઓમાં વાતચીત કરવાનું પસંદ કરે છે.

નાણાવટી રેનોના પીપલોદ શોરૂમની દસમી વર્ષગાંઠ ઉજવી
ઉજવણી સમારોહમાં KIGER RXT (O) and the KWID CLIMBER MY 21 કાર લોન્ચ કરાઈ અને ટેસ્ટ ડ્રાઈવ માટે પણ લોકોને આમંત્રિત કરાયા
સુરત : નાણાવટી રેનો સુરતના પીપલોદ શૉરૂમ ખાતે 8 સપ્ટેમ્બર 2021 ના રોજ 10મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. જેમા રેનો KIGER RXT (O) and the KWID CLIMBER MY 21 કાર ના લોન્ચિંગ અને ટેસ્ટ ડ્રાઈવ માટે આમંત્રિત કરાયા હતા. હત. આ ઉજવણીમાં લોકોએ મોટી સંખ્યામાં મુલાકાત લઈ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. રેનો સુરતમાં ૪.૯૯ વ્યાજદર, શ્રેષ્ઠ એક્સચેન્જ, લોયાલટી અને બીજી ઘણી બધી આકર્ષક નવી ઓફર ગ્રાહકો માટે આપવામાં આવી હતી. આ ઑફરનો 100 થી વધુ ગ્રાહકો એ લાભ લીધો હતો અને રેનો કાર બુક કરાવી હતી. નાણાવટી રેનો ના ૧૦ મી વર્ષગાંઠ પર સેલિબ્રેશન ફેસ્ટિવલ ને ઉત્કૃષ્ટ પ્રતિસાદ આપવા બદલ સહર્સ આભાર માને છે અને ભવિષ્યમાં આવી જ પ્રવુત્તિઓ કરવાની ખાત્રી આપે છે.